Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૭: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી પરીક્ષા આપી તથા શિક્ષણ પેટે સહાય રૂ. પ૦ હજાર આપવામાં આવતી હતી જે ડિપ્લોમા ડીગ્રી અને અનુ.સ્નાતક કક્ષા સુધી હતી તેમાં ફેરફાર કરી હવે ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને બાકાત કરવામાં આવ્યા છે. આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી સુભાષ ગુજરાતી અને જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ વગેરેએ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને બાકાત કરવાનો નિર્ણય અન્યાયકર્તા છે. કારણ કે વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને તેમના વાલીઓ મહામહેનતે ભણાવે છે, અને આવા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે. આથી આ નિર્ણય અંગે પુનઃવિચારણા કરવી જોઈએ.
ઉપરાંત એનઆરઆઈટી ટોપ ૧૦૦ માં ગુજરાતમાં માત્ર ચાર શહેરો ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને સુરતમાં અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. જ્યાં છેવાડાના વિદ્યાર્થીને પહોંચવું અશક્ય છે. આથી વિદ્યાર્થીના રહેણાંકની નજીકમાં જ આ સુવિધા મળી રહે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial