Advertisement
Author: નોબત સમાચાર

ધોરીમાર્ગ પર સ્કૂટર આડે શ્વાન આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનો લેવાયો ભોગ

રાજકોટમાં ખાનગી દવાખાનામાં દમ તોડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર-ખંભાળિયા રોડ પર એક મહીના પહેલાં સ્કૂટર પર પસાર થતાં જીવાપર ગામના એક યુવાનને રોડ પર શ્વાન આવી જતાં અકસ્માત નડ્યો હતો. આ યુવાનનું રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં શેરી નં.૬માં વસવાટ કરતા મૂળ જીવાપર ગામના ભરતભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૩૩) નામના સતવારા યુવાન ગઈ તા.૪ જુલાઈની સવારે સાતેક વાગ્યે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આમરા ગામ નજીક આવેલા પોતાના ગામથી જીજે-૧૦-ઈઈ ૪૮૨૬ નંબરના સ્કૂટરમાં જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ખંભાળિયા હાઈવે પર ડીપીએસ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ એક શ્વાન દોડીને રોડ પર આવી જતાં તેની સાથે સ્કૂટર ટકરાઈ પડતા ભરતભાઈ રોડ પર પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ તથા ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ હિતેશભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh