Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માર્ગદર્શક સેમિનાર

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈ.પી.એફ.ઓ.ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી પ્રોવીડંટ ફંડ સંસ્થાન દ્વારા સંગઠીત ક્ષેત્રમાં જોડાતા કર્મચારીઓ માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ઈ.પી.એફ.ઓ. કાર્યાલય દ્વારા એક યોજના શરૂ કરવામાં આવે છે, જે અંગે માર્ગદર્શન આપવા આવતીકાલે તા. ૭ મી ઓગસ્ટ ર૦રપ ના સાંજે ૪-૩૦ વાગ્યે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, સુભાષ બ્રિજ નજીક, જામનગર-રાજકોટ હાઈ-વે, જામનગરમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં રાજકોટ સ્થિત રિજિયોનલ કમિશનર શ્રીમતી કાંતાદેવી મોટવાણી ખાસ ઉપસ્થિત રહી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ઈ.પી.એફ.ઓ. સાથે સંકળાયેલ ઉદ્યોગોને ખાસ સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh