Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બોલબાલા ટ્રસ્ટના સંચાલકના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ

મેયર-કોર્પોરેટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર બોલબાલા ટ્રસ્ટના સંચાલક નરેન્દ્રભાઈ ઉપાધ્યાયના ૬૯મા જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરદાર પાર્ક - ૨માં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, તથા વોર્ડ નંબર ૧૬ના કોર્પોરેટરો ભારતીબેન ભંડેરી, પાર્થભાઈ કોટડીયા, અશોકભાઈ ભંડેરી, મહાવીરસિંહ જાડેજા તથા કેન્સર કેર કાઉન્સિલના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા વિપુલભાઈ, વીરેન્દ્રભાઈ, અરવિંદભાઈ, નારણભાઈ, લક્ષ્મણભાઈ તથા નીતાબેન પરમાર અને ચંદ્રિકાબેન અત્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈ ઉપાધ્યાય નિવૃત્ત સરકારી કર્મચારીની સાથે છેલ્લા ઘણાં સમયથી બોલબાલા ટ્રસ્ટનું સંચાલન કરે છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિ તેઓના માર્ગદર્શન હેઠળ ચાલે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh