Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખા દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

માનસિક તણાવના લક્ષણો અંગે જાણકારી અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખા દ્વારા તા. ૨૯ના મેન્ટલ હેલ્થ અવરનેશ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં દુઃખ, ચિંતા, હતાશા, એકલતા જેવા માનસિક તણાવના લક્ષણો અંગે જાણકારી આપવામાં આવી અને તેમાંથી બહાર નીકળવાના ઉપાયોની માહિતી આપવામાં આવી, સાથે સાથે મહિલાઓ માટે ૪૦ વર્ષ પછીની ઉંમરના પડકાર અને તેના ઉપાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રોગ્રામમાં દિપા સોની, દર્શા જોષી, મિલન કુબાવતે ટ્રેનીંગ આપી હતી.

ડો. વંદના તન્ના અને મુસ્કાને ડિપ્રેશન ઉપર સ્ક્રીપ્ટ રજૂ કરી હતી. પ્રોગ્રામમાં ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર, ખજાનચી કિરીટભાઈ શાહ ઉપરાંત રેડક્રોસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૪૦ લોકોએ અવરનેશ પ્રોગ્રામનો લાભ લીધો હતો. અવિનાશભાઈએ આભારવિધિ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh