Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બર્ધનચોકના વેપારીઓ દ્વારા બંધ પાળી રામધૂન બોલાવાઈ

તંત્રની વ્હાલા દવલાની નીતિ સામે

                                                                                                                                                                                                      

જામનગરના બર્ધનચોકમાં એસ્ટેટ શાખા દ્વારા થતી કડક કામગીરી સામે વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. શનિવારે પણ બપોર પછી વેપારીઓએ બંધ પાળી રામધૂન બોલાવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા બર્ધનચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ સ્થાનિક વેપારીઓ દ્વારા પણ નો હોકિંગનની કડક અમલવારી કરવા સતત માંગણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પણ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને જાહેર રોડ ઉપરથી રેંકડી, પથારાવાળાને દૂર ખસેડી તેમનો માલસામાન જપ્તિમાં લેવામાં આવે છે. બીજી તરફ મહાનગરપાલિકાની ભેદભાવભરી કામગીરીથી વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. પોતાના વાહનો તથા ગ્રાહકના વાહનો ઉપાડી જવા, દુકાન પાસે ઓટલા ઉપર રાખેલ માલસામાન વગેરે જપ્ત કરવાની કામગીરી સામે વેપારીઓ રોષે ભરાયા છે અને બંધ પાળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત્ શનિવારે પણ બપોર પછી વેપારીઓએ બંધ પાળી રામધૂન બોલાવી હતી અને તંત્રની નીતિ-રીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh