Advertisement
Author: નોબત સમાચાર

ગીતાલોજવાળી જર્જરિત ઈમારતનો એક હિસ્સો તૂટી પડતા તંત્ર દોડયુઃ દુકાનો બંધ

જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતાલોજ વાળી બિલ્ડીંગનો અમુક હિસ્સો તૂટી પડયો હતો, જેથી ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ કપડાંની દુકાન ટપોટપ બંધ થઈ ગઈ હતી અને તંત્ર દોડતું થયું હતું.

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ વાળી અતિ જૂની અને જર્જરીત બિલ્ડિંગનો કેટલોક જર્જરિત હિસ્સો બીજા માળેથી ગઈકાલે બપોર પછી ધરાસાયી થઈ જતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ સ્થળે નીચે આવેલી  દુકાન  ટપો ટપ બંધ થઈ હતી, અને તેના કર્મચારીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે સદભાગ્યે આ દુર્ઘટના માં કોઈ ને ઇજા થવા પામી ન હતી,

ઉલ્લેખનિય છે કે, શહેરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલી લગભગ એક સદી જૂની ગીતા લોજ વાળી બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. બિલ્ડીંગનો હિસ્સો તૂટી પડયો ત્યારે નીચે આવેલ કાપડના શો રૃમમાં હાજર રહેલા કર્મચારીઓ વગેરે સહી સલામત બહાર નીકળી ગયા હતાં. ત્યાર પછી પુનઃ કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.

આ અંગેની જાણ થતા જ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર શાખા ની ટુકડી દોડી ગઈ હતી, અને સમગ્ર  વિસ્તાર ને કોર્ડન કરી લીધો હતો. અને બાકી રહેલ જર્જરીત હિસ્સો તોડી પડવાની કામગીરી કરી હતી. પોલીસ કાફલો પણ દોડતો થયો હતો. આ બનાવમાં કોઈ વ્યક્તિને ઇજા થવા પામી નથી. દરમ્યાન આજે પણ એસ્ટેટ શાખા દ્વારા જર્જરિત પાળાપેટ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh