Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં કરાયેલી અપીલમાં થયો આદેશઃ
જામનગર તા.ર૮ : જામનગરના એક મહિલાએ વચગાળાનું ભરણપોષણ મેળવવા કરેલી અરજી મંજૂર થતાં તે હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે નીચેની કોર્ટનો હુકમ સ્થગિત કરવાનો આદેશ કર્યાે છે.
જામનગરના જાનાબેન દેવકરણ નામના મહિલાના પતિ દસેક વર્ષ પહેલા મુંબઈમાંથી ગુમ થયા પછી આ મહિલાએ સંતાનોને સાથે રાખી દિયરવટુ કર્યું હતું. તે પછી વાલસુર ધનરાજ વીર તેમજ સુખદેવ ધનરાજ, ધનરાજ વીજસુર, રામીબેન ધનરાજ વીર સામે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.
તે પછી ફેમિલી કોર્ટમાં જાનાબેને વાલસુર સામે લગ્ન હક્ક પુરા કરવાનો દાવો નોંધાવ્યો હતો. તે દાવો રદ્દ કરાયો હતો. વાલસુરે વચગાળાની અરજી સાથે વાંધા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. તેને ધ્યાને લઈ અદાલતે જાનાબેનની વચગાળાની ભરણપોષણ માંગતી અરજી રદ્દ કરી હતી.
તેની સામે જાનાબેને ઉપરની અદાલતમાં અપીલ કરી હતી. અદાલતે જાનાબેનને રૂ.૧ હજાર તથા દરેક સંતાનને રૂ.પ૦૦ વચ ગાળાના ભરણપોષણ પેટે ચૂકવવા હુકમ કર્યાે હતો. આ હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરાતા હાઈકોર્ટે ભરણપોષણ ચૂકવવાના હુકમને સ્થગિત કર્યાે છે. વાલસુર તરફથી વકીલ અસરફ જુણેજા, આફતાબ અંસારી, નારણભાઈ ગઢવી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial