Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયમી ચોકી બનાવી છતા ધંધાર્થીઓ આવે છે ક્યાંથી?
જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ રવિવારે રજાના દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને જામનગરના દરબારવઢ સર્કલ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં રવિવારે રજાના દિવસે પણ ફરીથી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી, જે સમયે ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ થયું હતું.
પોલીસ બંદોબસ્તની વચ્ચે રવિવારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કેટલાક રેંકડી-પથારાઓ, લાકડાના ટેબલ, લોખંડના પલંગ, પ્લાસ્ટિકની ખુરશીઓ, સ્ટુલ વગેરે કબજે કરી લઈ અલગ અલગ બે જેટલા ટ્રેક્ટરમાં ભરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા હતાં.
ઉપરોક્ત વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ દ્વારા ફરી રેંકડી-પથારા સહિતના દબાણ ખડકી દીધા હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કટલેરીનો માલસામાન સહિતના ધંધાર્થીઓનો સમાવેશ થાય છે. જેઓની દબાણ હટાવવાની કામગીરી સમયે તંત્રને કેટલાક ધંધાર્થીઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તંત્રએ મચક આપી ન હતી અને તમામનો સામાન જપ્ત કરી લેવાયો છે.
દબાણની સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્યાં ચોકી બનાવવામાં આવી હતી આમ છતાં ત્યાં ધંધાર્થીઓ ત્યાં કેવી રીતે ગોઠવાય જાય છે તે સમજાતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial