Advertisement
Author: નોબત સમાચાર

નંદાણામાં ખેતરે કામ કરવા ગયેલા ખેડૂતને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો

ઓફિસમાં કામ કરતા મેતાજી હાર્ટએટેકથી ઢળી પડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૮ : કલ્યાણપુરના નંદાણા ગામમાં એક ખેડૂતને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે ઓખાના આર.કે. બંદર પર ઓફિસમાં કામ કરી રહેલા મેતાજીને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ખારા વિસ્તારમાં રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ (ઉ.વ.પપ) નામના સતવારા પ્રૌઢ શનિવારે સવારે પોતાના ખેતરે કામ માટે ગયા પછી રાત્રે આઠેક વાગ્યા સુધી ઘેર પરત નહીં ફરતા ચિંતાતૂર તેમના પરિવારે ખેતર પર જઈ તપાસ કરી હતી.

ત્યાં જઈને જોતા રવજી ભાઈ બેભાન જેવી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તેઓને ચકાસવામાં આવતા આ પ્રૌઢનું હૃદયરોગના હુમલા થી મૃત્યુ નિપજ્યાનું જણાઈ આવ્યું હતું. તેમના પુત્ર રામભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.

ઓખામાં આર.કે. બંદર પાસેની મોરી જેટી પર રહેતા જીતેન્દ્રભાઈ હરીભાઈ ગોહેલ (ઉ.વ.૪૯) નામના મેતાજી ગઈકાલે બપોરે મોરી દંગાની ઓફિસમાં હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા મૃત્યુ પામ્યા છે. સુભાષભાઈ હમીર ભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh