Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વૈષ્ણવ સમાજે પહલગામ આતંકી હુમલાને વખોડયોઃ કડક પ્રતિક્રિયાનો અનુરોધ

મોટી હવેલીના પ.પૂ.ગો. વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: કાશ્મીરમાં આતંકવાદી હુમલા વિરૂદ્ધ જામનગર વૈષ્ણવ સમાજ કઠોર નિંદા પ્રસ્તાવ પસાર કર્યો છે. અને શ્રી મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી દ્વારા હિંદુઓને સજાગ થવાનું આહ્વાન તથા કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો છે.

જામનગરની શ્રી મોટી હવેલીમાં ગાદીપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પ.પૂ.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજની આજ્ઞાથી પ.પૂ.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં પૂ. રસાર્દ્રરાયજી તથા પૂ. પ્રેમાદ્રરાયજીનાં સાંનિધ્યમાં જામનગર વૈષ્ણવ સમાજનાં પ્રમુખ વજુભાઇ પાબારી સહિત વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં તાજેતરમાં કાશ્મીરનાં પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને વખોડી કઠોર નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આતંકવાદી હુમલાનાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂ. વલ્લભરાયજી દ્વારા આ હુમલાનાં અનુસંધાને સમગ્ર હિન્દુ સમાજને સજાગ થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે ભારતમાં હિન્દુઓ સાથે આવી ઘટના બને તેને ચેતવણીરૂપ ગણાવી હતી.

પૂ. વલ્લભરાયજી દ્વારા આતંકવાદી હુમલો કરનાર તથા આતંકવાદીઓને પોષણ પૂરૂ પાડનારાઓ વિરૂદ્ધ કઠોર અને ઉદાહરણરૂપ પ્રતિક્રિયા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને જાહેર અનુરોધ કરવામાં આવ્યો હતો. જામનગર વૈષ્ણવ સમાજનો કઠોર નિંદા પ્રસ્તાવ ક્લેક્ટરના માધ્યમથી સરકારને પણ સુપ્રત કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh