Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટરશ્રીની બેઠકઃ
જામનગર તા. ર૮: જામનગરમાં આગામી તા. ૪ મે ના યોજાનાર નીટ (યુજી) ર૦રપ ની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ કે પરીક્ષા કેન્દ્રોમાં સીસી ટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરૂ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ કલેક્ટરશ્રીએ લગત અધિકારીઓને આપી હતી.
ઉલ્લેખનિય છે કે, જામનગરમાં આગામી તા. ૪ મે ના બપોરે ર થી સાંજે પ ના સમય દરમિયાન કુલ પ પરીક્ષા કેન્દ્રો જેમાં કે.વી.-૧ એરફોર્સ સ્ટેશન જામનગર, કે.વી.-૩ એરફોર્સ સ્ટેશન જામનગર, કે.વી.-ર ઈન્સ જામનગર, કે.વી. વાલસુરા તથા જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડામાં કુલ ૮૧ બ્લોકમાં પરીક્ષા યોજાશે તથા ૧૯૪૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial