Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ઈટ્રા' દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીઃ
જામનગર તા. ૧રઃ સમગ્ર દેશ અને દુનિયામાં તા. ર૩-૯-ર૦રપ ના ૧૦ મા આયુર્વેદ દિવસની ઉજવણી થનાર છે, ત્યારે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં ઉજવણીના ભાગ રૂ.પે વિવિધ વિભાગો દ્વારા વિવિધ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને વર્તમાન સમયની જીવનશૈલીથી અને વિવિધ રોગોના ઈલાજ અર્થે જાગૃતિ તેમજ સારવારના હેતુસર નિદાન-ચિકિત્સા ઉપલબ્ધ રહેશે.
કાયચિકિત્સા વિભાગમાં તા. ૧ર અને ર૬ સપ્ટેમ્બરના હાડકાની તાકાત (બોન મિનરલ ડેન્સિટી) લગત સમસ્યા, શલ્ય વિભાગમાં તા. ૧પ અને ૧૬ સપ્ટેમ્બરે મળમાર્ગ સંબંધિ રોગો માટે, પંચકર્મ વિભાગમાં હિપ જોઈન્ટને લગત સમસ્યા, તા. ૧૭ અને ૧૮ ના પાંડુ રોગ અને અંડાશયને લગતી તકલીફ માટે કેમ્પ યોજાશે.
આઈ.ટી.આર.એ.માં ઉપરોક્ત વિભાગોમાં નિઃશુલ્ક નિદાન-ચિકિત્સાની સાથે જરૂ.રી તપાસ, ઔષધિ અને સારવાર પૂરી પાડવામાં આવશે. આ માટે ઓ.પી.ડી.માં સવારે ૯ થી ૧ર-૩૦ અને સાંજે ૪ થી ૬ દરમિયાન આ સુવિધાનો લાભ તજજ્ઞ આયુર્વેદાચાર્યો દ્વારા ઉપલબ્ધ હશે, જેનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial