Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે ૬ તાલુકામાંથી ૯૦ બહેનોની નિયુક્તિ કરાશે

આગામી રવિવારે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાધીશના જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને શંભુ પંચ અખાડાના શ્રી પૂજ્ય આદરણીય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તથા ઉષા કપૂરના પ્રમુખ પદે અને ગીતાબેન ચૌહાણના ઉપપ્રમુખ પદે જામનગરમાં આગામી રવિવારે ત્રણ વાગ્યે સુભાષ બ્રિજ નજીક આવેલી સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળની જગ્યામાં નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જામનગરના પંચમુખી હનુમાન મંદિરના મહંત અને શંભુ પંચ અખાડાના શ્રી લહેશ્વરાનંદજી પણ ઉપસ્થિત રહેશે. જામનગર મહિલા સંગઠન સમિતિના પ્રમુખ ચંદ્રિકાબેન દુધિયા ઉપપ્રમુખ હર્ષિતા મહેતાના નેતૃત્વમાં જામનગર જિલ્લાના છ તાલુકામાંથી ૯૦ જેટલા બહેનોની નિયુક્તિ કરવામાં આવનાર છે. તેઓ સનાતન ધર્મનો પ્રચાર, પ્રસાર, રક્ષા કરશે.

સનાતન ધર્મના તહેવારો સારી રીતે ઉજવશે, સમાજની જરૂ.રિયાત ઊભી થશે, ત્યારે આરોગ્ય-શિક્ષણનું પણ કામ કરશે. નારી સશક્તિકરણનું પણ કામ કરશે. મંદિરોની સ્વચ્છતા રાખશે. સમાજને જરૂ.રિયાત ઊભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે તેમ સંસ્થાના ઉપપ્રમુખ હર્ષિતા મહેતાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh