Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડીમાં ભેંસ દોહવાની બાબતે ચાર યુવાન પર કરવામાં આવ્યો સશસ્ત્ર હુમલો

સાતથી આઠ શખ્સનું ટોળુ તૂટી પડ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર નજીકના નાઘેડી ગામમાં ભેંસ દોહવાની બાબતે આજે સવારે માલધારી પરિવાર પર સાતથી આઠ શખ્સનું ટોળુ હથિયારો સાથે તૂટી પડ્યું હતું. આ હુમલામાં ઘવાયેલા ચાર યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં આજે સવારે ભેંસ દોહવાની બાબતે બોલાચાલી થયા પછી માલધારી પરિવાર પર તિક્ષણ હથિયારોથી ટોળાએ હુમલો કર્યાે હતો. ઘવાયેલા પૂનાભાઈ ખેતાભાઈ બાંભવા, ડાયાભાઈ ખેતાભાઈ બાંભવા, કારાભાઈ ખેતાભાઈ બાંભવા, કમલેશ જગાભાઈ ઝુંઝા નામના ચાર વ્યક્તિને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ધસી ગયો છે. સામાન્ય બાબતે ધીંગાણું થતાં ચકચાર પ્રસરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh