Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીની બેદરકારીથી શોર્ટ લાગ્યાનું તારણઃ
જામનગર તા. ૨૮: ધ્રોલના વાવડી ગામમાં તેર વર્ષ પહેલાં એક ખેડૂતનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું હતું. તેઓના વારસોએ વીજ કંપનીની બેદરકારી અંગે દાવો કરી વળતર માંગ્યું હતું. અદાલતે રૂ.પ લાખ વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.
ધ્રોલના વાવડી ગામમાં વાડી વિસ્તારમાં હરીલાલ નરસંગભાઈ મકવાણા નામના ખેડૂત ગઈ તા.૧૧-૮-૧રના દિને પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે શેઢા નજીક લોખંડના એંગલ પાસે મુકવામાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ ખેડૂતનું મૃત્યુ થયું હતું.
ત્યારપછી વીજ કંપનીની અયોગ્ય જાળવણી અને બેદરકારીના કારણે આ બનાવ બન્યાની રાવ સાથે હરીલાલ મકવાણાના વારસોએ રૂ.પ લાખનું વળતર મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલવા પર આવતા વીજ કંપનીએ દલીલ કરી હતી કે, ટ્રાન્સફોર્મર પર આ વ્યક્તિ અનઅધિકૃત રીતે ચઢ્યા હતા અને વીજ આંચકો લાગ્યો હતો.
તેની સામે વાદીના વકીલોએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે હરીલાલ મકવાણાના વારસોને રૂ.પ લાખની રકમ છ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. વારસદારો તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial