Advertisement
Author: નોબત સમાચાર

ચાલિહા મહોત્સવ સમાપન પર ભહેરાણા સાહેબ યાત્રાથી જામનગરના માર્ગો પર ઝુલેલાલ જ્યોતિ સેતુના અલૌકિક દર્શન

જામનગર સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસીય ઝુલેલાલ ચાલીહા મહોત્સવની પૂર્ણાહુતિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર સિંધી સમાજમાં તા. ૧૬ જુલાઈથી ઈષ્દેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલિહા વ્રતની શુભ શરૂઆત થઈ હતી જે પછી ૪૦ દિવસ સુધી સમસ્ત સિંધી સમાજના તમામ ઝુલેલાલ મંદિરોમાં ચાલિહા મહોત્સવના અનુષ્ઠાનમાં નીતનેમ સાથે રોજ પૂજા-અર્ચના કરવામાં આવતું. દરરોજ સાંજે સત્સંગ-ભજન ભાવ કરવામાં આવતા તેમજ રાત્રિએ અલગ અલગ પરિવારોમાં પૂ. ચાલિહા સાહેબ મહોત્સવ અંતર્ગત 'હર ઘર ઝુલેલાલ-ઘરઘર ઝુલેલાલ'ના નામરૂપી સત્સંગ-ભજન-આરતી પલ્લવ સિંધી છેજ ભક્તિમય આયોજન કરવામાં આવતા આ ધર્મોત્સવ દરમિયાન સમગ્ર સિંધી સમાજ ભગવાન ઝુલેલાલના ચાલિહા મહોત્સવમાં ઈષ્દેવ ભગવાન ઝુલેલાલ ભક્તિમાં જોડાઈ ઈષ્દેવના નામમાં લીન થયો હતો.

તારીખ રપ ઓગસ્ટના સાંજે ઝુલેલાલ મંદિરોમાં ચાલિહા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી અને પગપાળા યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના નાના ભૂલકાઓ, યુવાનો, ભાઈઓ-બહેનો, વડીલો, સૌ પરિવારો, ડી.જે.ના તાલ અને પૂ. ભહેરાણા સાહેબ (ઝુલેલાલ જ્યોત) ની પ્રજવલીત જ્યોત અને આ ચાલીસ દિવસીય યજ્ઞના વ્રત દરમિયાન અર્પણ કરેલ આહૂતિ ભરી મટકીને મસ્તકે આસન આપી પગપાળા સરઘસ નીકળી જે શહેરના જોલીબંગલા નજીક તુલસી ટ્રાવેલ્સની સામે, મીગ કોલોનીમાં આવેલ તળાવ કાંઠે વાજતે ગાજતે પૂર્ણ કરવામાં આવી.

રાત્રિ દહાડે ભક્તોના મસ્તકે આસન સાથે નીકળેલ આ પુજ ભહેરાણા સાહેબની પ્રજવલીત જ્યોતથી ઝુલેલાલ જ્યોતિ સેતુ બંધાયો હતો. આ સેતુમાં પ્રજવલી જ્યોતના જગારાથી અલૌકિક નજારો જોઈ જામનગરની જાહેર જનતા તથા સમગ્ર સિંધી સમાજ ગદ્ગદીત થઈ ઊઠ્યો. સમગ્ર યાત્રા દરમિયાન સૌ ધર્મપ્રેમી જ્ઞાતિજનો દ્વારા ઈષ્દેવ ઝુલેલાલજીની આસ્થાએ 'આયોલાલ-ઝુલેલાલ' અને 'ઝુલે તેરા ઝંડા-અમર તેરી જ્યોત'નો ગૂંજનાદ્ સાથે યાત્રા પૂર્ણ કરવામાં આવી. પૂ. ભહેરાણા સાહેબની વિધિ વિધાન સાથે તળાવ કાઠે આરતી પલ્લવ પૂજા-અર્ચના કરી પૂ. ભહેરાણા સાહેબ અને ચાલિહા સાહેબ વ્રત અનુષ્ઠાનના ચાલીસ દિવસીય યજ્ઞમાં અર્પણ કરેલ આહૂતિની મટકીને જલ પરવાન કરી ચાલિહા મહોત્સવ વ્રતના સંકલ્પ છોડી પુનઃ સાંસારિક જીવનકાળમાં પુનઃ ફર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh