Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: જામનગરના કે.આર.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે પેરામેડિકલ કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્ષમાં એનેટોમી-ફ્રિજમાંલોજી, યોગ, એક્યુપ્રેશર, સુજોક, પંચકર્મ, વનસ્પતિ શાસ્ત્ર, સ્વસ્થવૃત્ત જેવા વિષયોનું થીયરી અને પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૧૨ પાસ અને ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતા જોડાઈ શકશે.
આ અંગેના ફોર્મ મેળવવા માટે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળાની પાસે, જેલ રોડ, જામનગરના રૂબરૂ તથા વધુ વિગત માટે મો. ૯૫૬૭૬ ૬૧૩૪૬, ૯૪૨૯૩ ૧૩૦૮૮ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial