Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકાણ તથા મશીન ભાડાના અપાયા હતા ચેકઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના ત્રણ આસામીએ અદાલતમાં અનુક્રમે રૂ.ા.૮ કરોડ તથા રૂ.ા.૭૦ લાખની રકમના ચેક પરત ફર્યાની ફરિયાદ નોંધાવી છે. બે આસામીએ કરેલા રોકાણને પરત આપવા ચેક અપાયા હતા. જ્યારે એક વેપારીને મશીનના ભાડા પેટે ચેક અપાયા હતા.
જામનગરમાં વસવાટ કરતા અનિલ અગ્રવાલ તથા જય બજરંગ મણી નામના આસામીઓએ હરિયાણાની પેરામાઉન્ડ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન નામની પેઢીમાં રૂ.ા.૮ કરોડ ઉપરાંતની રકમનું રોકાણ કર્યું હતું. આ પેઢીએ તેની સ્કીમ મુજબ વળતર ન આપતા આ વ્યક્તિઓએ ઉઘરાણી કરતા અલગ અલગ ચેકો અપાયા હતા. તે તમામ ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરમાં શિવ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા પ્રવીણસિંહ માધુભા વાઢેર પાસેથી ગેસ ફીટીંગનો કોન્ટ્રાક્ટ મેળવનાર પેઢી ઈશ્વરચંદ્ર ગરનાયક દ્વારા એક્સવેટર મશીન ભાડે રાખવામાં આવ્યું હતું. તેના ભાડા પેટે રૂ.ા.૭૦ લાખના ચેક અપાયા હતા.
ઉપરોક્ત ચેક પણ પરત ફરતા પ્રવીણસિંહ વાઢેરે જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અનિલકુમાર અગ્રવાલ, જયબજરંગ મણી તથા પ્રવીણસિંહ વાઢેર તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial