Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કાલાવડ નાકા બહાર
જામનગર તા. ૧૮: જામનગરમાં કાલાવડ નાકા પાસેના ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં નહીં આવતા આજે સ્થાનિક કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે ત્રણ આગેવાનોની અટકાયત કરી હતી અને અન્ય આંદોનકારીઓને ત્યાંથી ધોકાવાળી કરી ભગાડી દીધા હતાં.
જામનગરના કાલાવડ નાકા બહાર નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ડિઝાઈન તૈયાર છે, એજન્સી નિમાઈ ગઈ છે, આશરુ રૅ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ છ માસથી મંજુર થઈ ગયું છે. આમ છતાં શાસકો બ્રિજનું કામ શરૂ કરતા નથી.
આથી સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજી અને જેનબબેન ખફી તેમજ સ્થાનિક આગેવાન હાજી રીઝવાન જુણુજા સહિતનાઓ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન સહિત આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં હાજર પોલીસે લાકડીઓ ઉગામી તમામ આંદોલનકારીઓને દૂર ભગાડી દીધા હતાં જ્યારે અસ્લમ ખીલજી, જેનબબેન ખફી વિગેરે ત્રણેયની અટકાયત કરી હતી અને સમગ્ર આંદોલનન રફેદફે કરી નાખ્યું હતું.
આ અંગે અસ્લમ ખીલજીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર કામ કરતી નથી અને આંદોલન પણ કરવામાં વિક્ષેપ કરે છે. આ પછી મોરબીના પુલ જેવી દુર્ઘટના થશે તો કોણ જવાબદાર રહેશે?
આ બ્રિજ ઉપર ભારે વાહનો પસાર થાય નહીં તે માટે હાઈટ ગેઈટ લગાવાયો હતો જે ગઈકાલે નમી જતા અકસ્માતનો ભય ઊઘો થયો હતો. આખરે જાગૃત કોર્પોરેટર દ્વારા તંત્રને જાણ કરવામાં આવ્યા પછી આ હાઈટ ગેઈટની મરામત કરવામાં આવી હતી. જો આ બ્રિજનું કામ સત્વરે શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial