Advertisement
Author: નોબત સમાચાર

સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળતા બે દિવસ રસોડું બંધ કરવા આદેશ

ગ્રાહકે ફરિયાદ કરી તો ઉદ્ધતાઈ કરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં પટેલ કોલોની માર્ગ પર આવેલ સંકલ્પ ઢોસા નામના રેસ્ટોરન્ટમાં પ્રાહકના ઢોસામાં જીવાત જોવા મળતા ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ વિભાગે ચેકીંગ કર્યું હતું, અને રસોડાની હાઈજૈનિક કન્ડીશન જાળવવા બે દિવસ રસોડું બંધ કરવા આદેશ કર્યો હતો.

જામનગરના ધારાબેન જેઠવાના જણાવ્યા મુજબ તેઓ પરિવાર સાથે પટેલ કોલોની માર્ગે આવેલ સંકલ્પ ઢોસામાં ઢોસા ખાવા ગયા હતાં ત્યારે ઢોસામાં જીવાત જોવા મળી હતી. આથી તુરંત રેસ્ટોરનટના મેનેજરને ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આ પછી મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવતા ફૂડ ઈન્સ્પેક્ટરો ડી.બી. પરમાર અને એન.પી. જાસોલિયા વગેરે દોડી ગયા હતાં અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરી હાઈજેનિક કન્ડીશન જાળવવા, સાફસફાઈ કરવા સૂચના આપી હતી અને રેસ્ટોરન્ટમાં હાઈજેનિક કન્ડીશન જાળવવા માટે બે દિવસ રસોડું બંધ રાખવા આદેશ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh