Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જલભરાવથી આઠ બેંક ઠપ્પઃ વેપારીઓને જંગી નુક્સાન

તંત્ર વામણું: દાવા પોકળ

                                                                                                                                                                                                      

દ્વારકા શહેરના ભદ્રકાલી ચોક વિસ્તાર એ નિચાણવાળો વિસ્તાર ગણાતો હોય, દર વર્ષે વરસાદી સિઝન દરમિયાન ગામભરમાંથી અહીં પાણીનો ભરાવો થતો હોય, દર વર્ષે અહીં બે-ત્રણ ફૂટ જેટલા પાણી ભરાવાની સ્થિતિ હોય, આ વિસ્તારના સ્થાનિકો તથા વેપારીઓને વ્યાપક નુક્સાની થાય છે. આ વિસ્તારમાં આઠ જેટલી બેંકો પણ આવેલી હોય, પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી ત્યાં પણ કામગીરી ઠપ્પ રહેતી હોય, લાખો રૂપિયાની નુક્સાની બેંકો તથા સ્થાનિય વેપારીઓને થાય છે. સતત ધમધમતા વિસ્તારમાં ચોમાસા દરમિયાન આશરે બે દાયકાથી આ પ્રકારની સ્થિતિ રહેતી હોય, તંત્રના પાણી નિકાલના પ્રયાસો અપૂરતા સાબિત થતા રહ્યા છે અને આ વર્ષે પણ વ્યાપક પાણી ભરાવાને લીધે સ્થિતિ જસની તસ જોવા મળતી હોય, ફરી એકવાર સ્થાનિય વેપારીઓને તથા સ્થાનિકોને સહન કરવાનું આવ્યું છે અને તંત્રના પાણી નિકાલના દાવા પોકળ સાબિત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh