Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂજારી નેપાળ ગયા'ને હંગામી પૂજારી કળા કરી ગયાઃ
જામનગર તા. ૨૧: ઓખામંડળના મુળવેલ ગામના એક ધાર્મિક સ્થળની સેવા-પૂજા કરતા પૂજારી તા.૧૯ના સવારે મંદિરના મુખ્ય પૂજારી દ્વારા રાખવામાં આવેલી રૂ.૧૧ લાખ ૯૦ હજારની રોકડ અને બાઈકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ઓખામંડળના મુળવેલ ગામના દરિયાકિનારે આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારી અનિલગીરી મોહનગીરી દશનામી ભંડારો કરવા માટે નેપાળ ગયા છે અને મંદિરની સેવા-પૂજા માટે ૃરૂ.પ હજારના પગારથી રાજસ્થાનના જોધપુર નિવાસી નખતારામ સીમર્થરામને રાખવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારી અનિલગીરીએ મંદિરની બાજુમાં જ આવેલી ઓરડીમાં એક પેટીમાં રૂ.૧૧ લાખ ૯૦ હજારની રોકડ રાખી હતી. ઉપરાંત તેમનો રૂ.૫૦ હજારનું જીજે-૩૭-એએલ ૫૧૫૭ નંબરનું બાઈ પણ ત્યાં પાર્ક કર્યું હતું. જે રોકડ અને બાઈક લઈને તા.૧૯ની સવારે હંગામી પૂજારી તરીકે કામ કરતા નખતારામ સીમર્થરામ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મુળવેલ ગામના સમાજ સેવક જીવણભા જોધાભા જગતીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ગુન્હો દાખલ કર્યાે છે અને નખતારામની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial