Advertisement
Author: નોબત સમાચાર

ઝળહળતા દેરાસરોમાં પ્રભુને દિવ્ય આંગી, વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના ધર્મોત્સવ

અર્ધ શેત્રુંજયનું બિરૂદ ધરાવતા જામનગરમાં પર્યુષણ પર્વનો શુભારંભઃ

                                                                                                                                                                                                      

મહાપર્વ કહેવાતા પર્યુષણનો ગઈકાલથી આરંભ થતા જૈન ધર્મના લોકો માટે તપસ્યાનો આરંભ થયો છે. અર્ધ શેત્રુંજ્યનું બિરૂદ ધરાવતા જામનગરમાં પણ દેરાસરો, ઉપાશ્રયોમાં વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર રૌશનીથી ઝળહળી રહ્યું છે. ગઈકાલે પર્યુષણ પર્વના પ્રથમ દિને પ્રુને દિવ્ય આંગી કરવામાં આવી હતી, જેના અલૌકિક દર્શનનો લાભ લઈ ભક્તો ધન્ય થયા હતાં. આ ઉપરાંત જ્યોતિવિનોદ ઉપાશ્રયમાં પંન્યાસજી ગીતાર્થરત્નવિજયજી મહારાજની નિશ્રામાં સમગ્ર પર્વ દરમિયાન પ્રતિદિન વ્યાખ્યાન તથા સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પ્રથમ દિને ઘી ની બોલી પણ બોલવામાં આવી હતી. ચાંદીબજારના દેરાસરો ઉપરાંત પેલેસ દેરાસર, પાર્શ્વનાથજી દેરાસર સમેત શિખરજી, ઓશવાળ કોલોની તથા કામદાર કોલોનીના દેરસારોમાં પણ ભગવાનને દિવ્ય આંગી અર્પણ કરવામાં આવે છે તથા પ્રતિદિન વિવિધ ધર્મોત્સવ યોજાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh