Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યાે:
જામનગર તા. ૨૧: જામનગર-રાજકોટ ધોરીમાર્ગે રામપર નજીક પસાર થતી રિક્ષાનું ટાયર ફાટી જતાં રિક્ષા પલ્ટી ગઈ હતી. આથી યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી એક મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લઈને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
જામનગરમાં બેડીમાં ગઢવાળી સ્કૂલની પાછળ રહેતા અલી અસગર ગનીભાઈ ભાયા (ઉ.વ.૨૦) ગત તા.૧પ જુનના જામનગરથી પોતાના કેટલાક મિત્રોને સાથે લઈને મજૂરીકામ માટે રાજકોટ તરફ જઈ રહ્યા હતા. સવારે દસેક વાગ્યે તેમની રિક્ષા નાની બાણુંગાર ગામના પાટીયાથી રામપર ગામના પાટીયા નજીકથી પસાર થતી હતી ત્યારે અકસ્માતે રિક્ષાનું ટાયર ફાટી જતા રિક્ષા પલ્ટી હતી. જેમાં અલી અસગરને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.૧પ ઓગસ્ટના તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ હુસેન ગનીભાઈ ભાયાએ પોલીસમાં જાણ કરતા હે.કો. સી.આર. ઘાઘરેટીયાએ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ગોલ્ડન સિટી નજીક ધરારનગરના ભંગારના ડેલા પાસે રહેતી પુનમબેન પંકજભાઈ સંચાણીયાએ (ઉ.વ.૩ર) કોઈ કારણોસર ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે જયોત્સનાબેન પ્રવીણભાઈ ધામેચાએ પોલીસને જાણ કરતા એએસઆઈ ટી.કે. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial