Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટી દ્વારાઃ
જામનગર તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખાતા દીઠ મગફળી ટેકાના ભાવે ખરીદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર જિલ્લામાં જ ગત વર્ષે ૪૯ હજાર ખેડૂતોની નોંધણી સમયે આ વર્ષે એક લાખ કરતાં વધુ ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સંજોગોમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખાતા દીઠ ૩૦૦ મણ મગફળી ખરીદ કરવા અને બજારમાં ખેડૂતો મગફળી વેચાણ કરે તો ભાવ ફેરની રકમ ચૂકવવા આમઆદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધન કરેલલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લામાં કમોસમી પાછોતરા વરસાદથી ખેડૂતોના કપાસ-મગફળીના પાકને થયેલ નુકસાનનું તાકિદે સર્વે કરાવી વળતર ચૂકવવા પણ માંગણી કરવામાં આવી છે.
આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા પક્ષ પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી સ્વરૂ.પે જઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial