Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની અધ્યક્ષતામાં
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ટાઉનહોલમાં જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની અધ્યક્ષતામાં જી.એસ.ટી. રીફોર્મ્સ અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વકીલો, ડોકટરો, કરવેરા સલાહકારો, સી.એ., વેપારીઓ આગેવાનો જોડાયા હતા.
કાર્યક્રમની શરૂ.આત વંદે માતરમ્ ગાનથી થઈ હતી. જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી બોલતા જામનગરના પૂર્વ મેયર તથા ભાજપના પ્રદેશ વક્તા અમીબેન પરીખ દ્વારા ખૂબજ વિસ્તારપૂર્વક સમજુતિ આપીને ૨૦૧૭ થી શરૂ. થયેલા જી.એસ.ટી.માં ૧૯૮ વસ્તુઓમાં ૧૦% સુધીનો ઘટાડો થવો, મહત્ત્વની જીવન જરૂ.રિયાતની વસ્તુ પર શૂન્ય ટેક્સ કરોડોની માસિક જી.એસ.ટી. આવક હોવા છતાં સરકારનો ઉપભોક્તા તથા વેપારીઓના ફાયદા માટે સરકારે કરોડો રૂ.પિયાનો ટેક્સ ઘટાડયો છે.
આ કાર્યક્રમમાં મહેશભાઈ પાંઉ, નિશીથભાઈએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત વેપારીઓ દ્વારા અમીબેન પરીખનું સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial