Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે અદાલત દ્વારા કઢાયું જપ્તી વોરંટ

નિવૃત્ત શિક્ષકના રૂ.સાડા ચાર લાખના પીએમફ માટે આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના એક શિક્ષકે પ્રોવિડન્ડ ફંડની રકમ મેળવવા માટે અદાલતમાં દાવો કર્યા પછી અદાલતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યું છે.

કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સતિષભાઈ અમૃતભાઈ પટેલ રિટાયર્ડ થયા પછી તેઓના પ્રોવિડન્ડ ફંડની રકમ ચૂકવવામાં આવી ન હતી.

તે રકમ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે સતિષભાઈએ લડતનો પ્રારંભ કર્યાે હતો. તે દરમિયાન તેમનું નિધન થયું હતું. જામનગરની દીવાની અદાલતમાં રૂ.પિયા સાડા ચાર લાખ મેળવવા માટે શરૂ. કરાયેલી લડત દરમિયાન અદાલતે આ રકમ માટે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યું છે. સદગત શિક્ષકના પુત્ર વિપુલભાઈ પટેલ તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, ભરતભાઈ વસરા, પાયલ રાઠોડ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh