Advertisement
Author: નોબત સમાચાર

રણજીતપર તથા મોટી લાખાણી ગામમાં ખેતરોમાંથી છ શ્રમિકના ચોરાઈ ગયા ફોન

પોલીસે રૂ.૨૭ હજારના ફોનની શરૂ કરી તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના રણજીતપર ગામમાં એક ખેતરમાંથી બે શ્રમિકના ત્રણ મોબાઈલ ચોરાઈ ગયા છે. જ્યારે મોટી લાખાણી ગામમાં એક ખેતરમાંથી ત્રણ શ્રમિકના ત્રણ મોબાઈલ ઉપડી ગયા છે.

જામનગરના રણજીતપર ગામમાં લાલાભાઈ ચીખલીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજ પુર જિલ્લાના વતની સોરબત કલમસિંગ અજનાર નામના શ્રમિકનો રીયલમી કંપનીનો મોબાઈલ ગયા શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ખેતરમાંથી ચોરાઈ ગયો છે. તે ઉપરાંત વિશ્રામ નામના આસામીનો ટેકનો કંપનીનો એન્ડ્રોઈડ ફોન કી-પેઈડવાળો સાદો ફોન પણ કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. પંચકોશી એ ડિવિઝનમાં સોરબત અજનારે ફરિયાદ કરી છે.

જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં મહાવીરસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના મડુભાઈ સોમસીંગ બામણીયાનો વીવો કંપનીનો મોબાઈલ શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં મોટી લાખાણીમાંથી ચોરાયો છે. જયારે અંકેશ ગેનીયા મોહનીયા નામના શ્રમિક ઉપરાંત સુકેલીયા કાપસીંગ મહિડાનો ફોન પણ ચોરાઈ ગયો છે. પોલીસે કુલ રૂ.ર૭ હજારના છ મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh