Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૧૪: જામનગર તાલુકાના ફલ્લા ગામે તા. ૧૬/૮ ને શનિવારના જન્માષ્ટમી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. ફલ્લા વિ.હિ.પ. તથા બજરંગ દળ આયોજીત ભગવાન શ્રીકૃષ્ણજીની શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરીને તપેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણ થશે. ત્યાં મટકીફોડ, રાસમંડળીનો કાર્યક્રમ યોજાશે. રાત્રે રણછોડરાયજીના મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તેમજ તપેશ્વર મહાદેવના મંદિરે મેળો યોજાશે.
આ પર્વના અનુસંધાને મુખ્ય મંદિર, ચોક તથા માર્ગોને રંગબેરંગી પતાકાઓ અને લાઈટીંગની શણગારવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિ.હિ.પી. તથા બજરંગદળ અને ગામના યુવાનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial