Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા - સહસ્ત્ર યજમાન સેવા
જામનગર તા. ૧૫: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે દેવઉઠી એકાદશી અર્થાત દેવદિવાળી પર તા. ૨/૧૧/૨૦૨૫ નાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ - સહસ્ત્ર યજમાન સેવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત દેવદિવાળી પર સવારે મુખ્યાજી અને બ્રાહ્મણો દ્વારા સહસ્ત્ર યજમાનોના કલ્યાણના સંકલ્પ સાથે શાલીગ્રામ પૂજન સાથે ભગવાન શ્રી સત્યનારાયણ સન્મુખ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા કરવામાં આવશે તથા ઠાકોરજીને ૧ હજાર કમળના ફૂલ અર્પણ કરવામાં આવશે. સાંજે યજમાનોને શીરાના પ્રસાદ તથા પૂજાના ફળનું વિતરણ કરવામાં આવશે. બીજે દિવસે બારસના એકાદશી વ્રતના પારણાં નિમિત્તે ૧૫૧ બ્રાહ્મણોનુ બ્રહ્મભોજન યોજાશે તથા તમામ બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવશે. સહસ્ત્ર (૧૦૦૦) યજમાન વહેલા તે પહેલાનાં ધોરણે નામ નોંધાવી આ સેવાનો લાભ લઇ શકે છે. વધુ માહિતી માટે (મો. ૯૫૧૨૪ ૫૪૩૦૦) ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial