Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી જૂનાગઢ માટે એસ.ટી. વિભાગ દ્વારા એસી લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરાયો

મેયર-ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ ગુજરાત એસ.ટી. નિગમના જામનગર ડેપોથી રાજકોટ વોલ્વો એસ.ટી. ડેપો દ્વારા સંચાલિત અને જામનગરથી સાંજે પાંચ કલાકે ઉપડી જૂનાગઢ જતી એસ લકઝરી બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

જામનગર શહેરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તથા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા, વરિષ્ઠ આગેવાનો, મુસાફર જનતા-શહેરના અગ્રગણ્ય નાગરિકોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર વિભાગના વિભાગીય નિયામક વી.સી. જાડેજાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ વિભાગના પરિવહન અધિકારી જે.વી. ઈસરાણી તથા ડીએમઈ એસ.કે. કલોલા અને કર્મચારીગણ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh