Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મોરકંડામાં પશુ આરોગ્ય કેન્દ્ર

મંત્રીશ્રીના હસ્તે સુધારેલ બિયારણ કીટનું વિતરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ગામે પશુપાલનને પ્રોત્સાહન આપવા પશુ જાતિય આરોગ્ય કેમ્પ ખુલ્લો મૂકાયો હતો.

ગૌ સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતા મંત્રીશ્રીએ કાર્યક્રમની શરૂઆત ગૌ પૂજન કરીને કરી હતી. મંત્રીશ્રીએ પશુપાલન વિભાગ, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ પશુ પ્રદર્શિની નિહાળી હતી, અને પશુ રોગ નિદાન કેન્દ્ર દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. તેમણે પશુઓને અપાતી વિવિધ સુવિધાઓ અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ તકે મંત્રીશ્રીએ નાયબ પશુપાલન અધિકારી તેજશ શુક્લ પાસેથી જિલ્લામાં કૃત્રિમ બીજદાન થકી વાછરડીઓનો જન્મ દર, પશુઓમાં જોવા મળતા લમ્પી રોગની વર્તમાન સ્થિતિ તેમજ પશુ રસિકરણની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, તેમણે ખેડૂતો અને પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે લાભાર્થીઓને સુધારેલ બિયારણની મીની કીટનું વિતરણ પણ કર્યું હતું.

આ પ્રસંગે હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અગ્રણી વિનુભાઈ ભંડેરી, ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ ભનુભાઈ ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh