Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરની અનેક આંગણવાડીઓમાં એક જ વખત ભુલકાઓને નાસ્તો અપાતો હોવાની રાવ...તંત્રનો નનૈયો !

તેલ અને ચોખાનો પુરવઠો પૂરતો નહીં મળતો હોય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરની કેટલીક આંગણવાડીમાં તેલ, ચોખાનો જથ્થો ઓછો સપ્લાય થતો હોવાથી બાળકોને એક જ વખત નાસ્તો આપવામાં આવે છે. જો કે, અધિકારીએ આ બાબતને નકારી કાઢી હતી.

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અનેક આંગણવાડી કાર્યરત છે. જ્યાં નાના ભુલકાઓને શિક્ષણ આપવામાં આવે છે. સાથે જ બે વખત નાસ્તો પણ પીરસવામાં આવે છે. પરંતુ છેલ્લા અમુક દિવસથી એક જ વખત બાળકોને નાસ્તો પીરસવામાં આવે છે. આ અંગેની તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે ચોખા અને તેલની સપ્લાય ઓછી થતી હોવાથી નાસ્તો એક જ વખત પીરસવામાં આવે છે. આ બાબતે આંગણવાડી બહેનો દ્વારા ઉપરી અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

બીજી તરફ આ અંગે અધિકારી શોર્ટ સપ્લાયનો ઈન્કાર કરી રહ્યા છે. અને કદાચ કોઈ એકાદ-બે આંગણવાડીમાં સ્ટાફ રજા પર હોય તો આવું બની શકે. પરંતુ ચોખા અને તેલની સપ્લાયની કોઈ શોર્ટેજ રહી નથી તેમ જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh