Advertisement
Author: નોબત સમાચાર

પુરવણી બીલની રકમ વસૂલ મેળવવા વીજ કંપનીએ કરેલો દાવો અદાલત દ્વારા નામંજૂર

ફોજદારી ફરિયાદમાં પણ થયો છૂટકારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક આસામી સામે વીજચોરીનો આક્ષેપ મૂકી વીજ કંપનીએ ફોજદારી ફરિયાદ અને પુરવણી બીલ આપ્યા હતા. ફોજદારી ફરિયાદમાં છૂટકારો થયા પછી આ આસામી સામે લેણી રકમનો દાવો કરાયો હતો. તે દાવો અદાલતે નામંજૂર રાખ્યો છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રહેતા વિઠ્ઠલભાઈ કલ્યાણજી ગોરીને ત્યાં ગઈ તા.૮-૭-૧પના દિને વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી વીજચોરીનો આક્ષેપ મૂકી રૂ. ૮૫૭૨૦નું પુરવણી બીલ આપ્યું હતું. આ રકમ વસૂલવા કોર્ટમાં દાવો કરાયો હતો.

ઉપરોક્ત દાવા ઉપરાંત કરાયેલા ફોજદારી કેસમાં વિઠ્ઠલભાઈનો છૂટકારો થયો હતો. લેણી રકમનો દાવો ચાલી જતા અદાલતે પ્રતિવાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી વીજ કંપનીનો દાવો રદ્દ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh