Advertisement
Author: નોબત સમાચાર

વિભાજી સ્કૂલ પાસે થયેલા હુમલાના બનાવમાં બે આરોપીના જામીન નામંજૂર

સવા મહિના પહેલાં કરાયો હતો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે સવા મહિના પહેલાં મોડીરાત્રે એક યુવાન પર થયેલા હુમલાના બે આરોપીએ જેલમુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર રાખી છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભોલેનાથ ડીસ ગોલાની દુકાન ચલાવતા ભરત ભલાભાઈ કોળી નામના યુવાન પર ગઈ તા.ર૪ જુનની રાત્રે રાહુલ રાઠોડ, મયુર રાઠોડ, રોનક સુનિલ સોલંકી, કિશન નરેન્દ્ર રાઠોડ નામના ચાર શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો.

ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં થતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી આરોપી રોનક સોલંકી અને કિશન રાઠોડે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh