Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમારોહ

ધો. ૧૦ થી ઉચ્ચ ડિગ્રીમાં અભ્યાસુઓ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ-જામનગર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા. ૧૨-૧૦-૨૫ ને રવિવારે સાંજે ૫ થી રાત્રીના ૯:૩૦ વાગ્યા દરમ્યાન મ્યુનિ. ટાઉનહોલ, જામનગરમાં યોજવામાં આવ્યો છે જેમાં ધો. ૧૦ થી ઉચ્ચ ડિગ્રી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

માર્કશીટની નકલ, નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે તા. ૧૦-૯-૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે. માર્કશીટની નકલ પહોંચાડવા માટે જામનગરમાં મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ-ચૌહાણ ફળી, ચામુંડા સાયકલ સ્ટોર-લીમડા લાઈન, સુરેશ બુક સ્ટોલ-ખાદી ભંડાર સામે, દાવલશા ફળીની વાડી-ગીરધારીજીના મંદિર પાસે, દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-નવાગામ ઘેડ, અથવા યશ મોબાઈલ-અંબર ટોકીઝનો સંપર્ક કરવો. દાનભેટ આપવા માટે ભરતભાઈ સોલંકી મો.૭૮૬૨૦૦૦૭૪૨, એન્જલ પરમાર મો.૯૩૭૪૩૨૩૨૧૪નો સંપર્ક કરવા પ્રમુખ પંકજભાઈ સોઢા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh