Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ હર્ષદપુરના ખેડૂતોની જમીનમાંથી રેલવેનો રસ્તો કાઢવાના કામનો ઉગ્ર વિરોધ

સમગ્ર પ્રકરણ અદાલતમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: ખંભાળીયા શહેરની નજીક આવેલ હર્ષદપુરના ખેડૂતોની ૪૦-૪૦ વર્ષની કળથીવાળી જમીનો પર રેલવે તંત્ર દ્વારા કોઈ વળતર કે સૂચના, મંજુરી વગર તેમની જમીનમાં રેલવે ટ્રેક પાટા નાખવા રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરતા, ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્ર, જિલ્લા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ન લેવાતા ૨૮ ખેડૂતો પરેશાન થઈ ગયા હોય, થાકીને દ્વારકા બાયપાસ રોડ પર સરકીટ હાઉસ પાસે હર્ષદપુરના વિસ્તારમાં માંડવો નાખીને ચાર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

હર્ષદપુર ગામના સતવારા સમાજના ખેડૂતોને અન્યાયના મોટા બોર્ડ સાથે મહિલાઓ સહિત ખેડૂત પરિવારો વૃદ્ધો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. આંદોલન અંગે જણાવતા ખેડૂતોના અગ્રણી એચ.એચ.નકુમ વિગેરેએ જણાવેલ કે છેલ્લા બે વર્ષથી હર્ષદપુરના અનેક ખેડૂતો શાંતિથી ઉંઘ પણ કરી શકતા નથી. ૪૫-૪૫ વર્ષથી ખેડૂતોની માલિકીની જમીન છે, જેમાં તેઓ ખેતી કરે છે તથા રેવન્યુ રેકર્ડમાં પણ ઉત્તરોત્તર ખેડૂતો પરિવારના નામ છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા ખાનગી કંપની સાથે ખાંભા નાખી જમીન પર કામ થાય છે, તથા ખેડૂતોની સહમતિ કે મંજુરી લીધી નથી.

રેલવે તંત્ર દ્વારા નોટીસ પણ આપવામાં આવી નથી. તથા જિલ્લા-તાલુકાના અધિકારીઓ દ્વારા ખેડૂતોના વિરોધ સાંભળ્યા વગર જ ૭/૧૨ ને અસર થાય તેવી નોંધ પણ નાખી દીધી ઓય તથા ખેડૂતોના વિરોધ તથા સમસ્યા સંભળાતી ન હોય, ન્યાય મેળવવા ખેડૂતો પરિવાર સાથે પ્રતીક ઉપવાસ પર ચાર દિવસથી બેઠા છે.

ખેડૂતોની માલિકીની જમીન

પર રેલવે તંત્રનો કબજો

ખેડૂતોની કાયદેસરની માલિકીની જમીનો હોય ત્યાં નજીકનો પોત ખરાબો કે જે જગ્યા વાપરવા નિયમ મુજબ ખેડૂતો સ્વતંત્ર છે, આવી જમીનો પણ રેલવે તંત્ર દ્વારા કબજે કરાઈ છે. જેથી ખેડૂતોને ખૂબજ અન્યાય થયો છે.

મામલો કોર્ટમાં

બે વર્ષથી ખેડૂતો આ જમીનો માટે પરેશાન થતા હોય આ મુદ્દે કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે પણ સપ્ટેમ્બર માસમાં ચૂકાદો આવનાર છે ત્યારે વગર મંજુરી, વળતરે રેલવે તથા ખાનગી કંપનીઓને સરકારી અધિકારીઓ દ્વારા "પીળો પરવાનો" આપી દેવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. તથા પ્રતિક ઉપવાસ પછી ઉગ્ર આંદોલન પણ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh