Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આંગણવાડી વર્કર બહેનોના કલેક્ટર કચેરીમાં ધરણાં

પડતર પ્રશ્નો-માંગણીઓના સંદર્ભે આંદોલનઃ

                                                                                                                                                                                                      

આંગણવાડી વર્કરો પોતાની જુદી જુદી પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આજે રેલીની મંજુરી નહીં મળતા કલેક્ટર કચેરીમાં ધરણાં કરવામાં આવી હતી. રાજ્યમાં આંગણવાડી વર્કરો-કાર્યકરો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને વાચા આપવા આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રેલી-ધરણાં કર્યા પછી આજે જામનગરમાં આંગણવાડી બહેનોએ રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ તંત્રની મંજુરી નહીં મળતા આશરે ૩પ૦ જેટલા બહેનોએ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતાં. જેઓની મુખ્ય માંગણીમાં બીએલઓની કામગીરી પાછી ખેંચવામાં આવે, મુખ્ય કામગીરી સિવાયની અન્ય કોઈ કામગીરી કરાવવામાં આવે નહીં વગેરેનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh