Advertisement
Author: નોબત સમાચાર

સાસણ અને સોમનાથને સાંકળતા કેશોદ એરપોર્ટનો ૩૬૪ કરોડના ખર્ચે થશે વિકાસ

સાંસદ પરિમલ નથવાણીનો પ્રશ્નઃ કેન્દ્રીય મંત્રીનો જવાબ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રીએ જણાવ્યું છે કે, સાસણ અને સોમનાથ સહિતના મહત્ત્વપૂર્ણ સ્થળોને સાંકળતા કેશોદ એરપોર્ટનો રૂ.  ૩૬૪ કરોડના ખર્ચે વિકાસ કરાશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોટા છમ્-૩૨૦ પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને ૨૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. એએઆઈ એ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે.

એએઆઈએ અંદાજિત કુલ રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે ૪૦૦ આગમન અને ૪૦૦ નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે. નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી ૧૫ મહિનાની છે.

બંને પ્રોજેક્ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્ધતા, ફાઇનાન્સિઅલ ક્લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.

કેશોદ એરપોર્ટ પર ચાલી રહેલા વિસ્તરણના મહત્ત્વ પર પ્રકાશ પાડતા, પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, *કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરના વન્યજીવ ઉત્સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમજ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્તોને આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે.*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh