તંત્રી લેખ

ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો.
અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે.
રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭પ વર્ષની થઈ જશે, અને તે પછી તેઓ પાર્ટીએ નક્કી કરેલી ઉંમર મર્યાદા મુજબ જ "નિવૃત્ત" થઈ જશે. તેમણે કહ્યું કે, ૧૧ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેઓની નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હોય શકે છે.
સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે, તે અંગેની ચર્ચા કરી હોવાના મીડિયાના અહેવાલો પછી દેશભરમાં અટકળો અને અફવાઓનું બજાર ધગધગી રહ્યું હતું અને એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા હતાં કે, સપ્ટેમ્બર-ર૦રપ સુધીમાં નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં સમાન સિવિલ કોડ અને પીઓકે પાછું મેળવવા માટેના સામૂહિક કદમ ઉઠાવી શકે છે. એનડીએમાં આંતરીક વિરોધ છતાં વકફ બીલને લઈને મોદીની મક્કમતાને પણ આ જ અટકળો સાથે સાંકળવામાં આવી રહી છે.
લોકો એવી અટકળો પણ કરી રહ્યાં છે કે, જો બોલકા નેતા સંજય રાઉતની વાતમાં દમ હોય તો મોદીની ગેરહાજરીમાં એનડીએની સરકાર ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવી હશે અને એનડીએ વિખેરાઈ જાય, તો ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘણાં મુરતિયા (અને મહિલા નેતાઓ પણ) વડાપ્રધાન પદે બેસવા થનગની રહ્યાં છે, ત્યારે કદાચ સપ્ટેમ્બર-ર૦રપ માં દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે અને પ્રવાહી સ્થિતિમાં લોકસભાની મધ્યાવધી ચૂંટણીઓ પણ કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
સંજય રાઉતના નિવેદનની હાંસી ઉડાવતા પણ કેટલાક કટાક્ષો થઈ રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે, સંજય રાઉત "એપ્રિલ ફૂલ" ની માનસિકતામાં ૩૧-માર્ચે જ પહેલી એપ્રિલ સમજીને આ નિવેદન કરી બેઠા હોય તેવું લાગે છે...!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય રાઉતના એ નિવેદનને ફગાવી દેતા તત્કાળ પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ-ર૦ર૯ સુધી વડાપ્રધાન રહેવાના જ છે. ફડણવીસે કહ્યું કે, બાપની હાજરીમાં જ તેના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાની આપણી સંસ્કૃતિ જ નથી...!!
અટકળોની આંધી વચ્ચે આજે થઈ રહેલા નિવેદનો પણ ચર્ચામાં છે, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્ય થવા માટે રપ વર્ષ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ૩૦ વર્ષની લઘુત્તમ ઉંમર નિર્ધારીત છે, પરંતુ મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જેથી વડાપ્રધાને પદે મોદી ૭પ વર્ષની ઉંમર પછી પણ રહી શકે છે. ભારતીય જનતાપક્ષના મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓને ૭પ વર્ષની વયમર્યાદાના સંદર્ભે માર્ગદર્શક મંડળમાં સમાવાય તેવું નરેન્દ્ર મોદી સાથે નહીં થાય, અને ભાજપમાં ૭પ વર્ષની વયમર્યાદાનો કોઈ જડ નિયમ છે જ નહીં, તેવા દાવાઓ થઈ રહ્યાં છે, અને ભાજપના દિગ્ગજો આ બધી અટકળોને હવાહવાઈ ગણાવી રહ્યાં છે, ત્યારે જોઈએ, આગે-આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ભારત સહિત વિશ્વમાં ઈદ-એ-મિલાદ એટલે કે, રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે, અને દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ થઈ રહી છે. આ તહેવારો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ અને સૌજન્યનો સંદેશ આપે છે, અને વિશ્વભરમાં આ તહેવારો એખલાસ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ બન્ને તહેવારોનો સુભગ સમન્વય દેશ-દુનિયા માટે પ્રવર્તમાન સંજોગોમાં સમજદારી, શાંતિ અને સૂલેહનો સંદેશ પણ આપે છે.
ગઈકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે અને માતૃભક્તો વ્રતો, અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને સેવાકાર્યો, દાન-૫ુણ્ય સાથે નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ નવરાત્રિનું સમાપન રામનવમીના દિવસે થશે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ વર્ષે આઠ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, અને સાતમી એપ્રિલ સુધી ચાલશે. આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે. જે ભાવિકો વિવિધ રીતે ઉજવે છે.
આજે ભારત સહિત વિશ્વમાં ઉજવાઈ રહેલી રમઝાન ઈદને મીઠી ઈદ પણ કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સુંદર વસ્ત્રો પરિધાન કરીને એકબીજાને ભેટીને શુભકામનાઓ આપે છે અને સેવ ઈ અને મીઠાઈઓ ખવડાવે છે. દિવાળીના પર્વની જેમ જ આ તહેવાર પણ પરસ્પર કોમી એખલાસ અને સહિયારી સંસ્કૃતિનો ઘાતક છે અને અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવે છે, અને પરસ્પર સ્નેહ પ્રગટ કરે છે. ચૈત્રી નવરાત્રિ અને ઈદનો આ સુભગ સમન્વય સમગ્ર સૃષ્ટિ માટે સુખ, શાંતિ, સંપ, સમૃદ્ધિ અને સૌજન્યનો સંદેશ આપે છે. આપણા દેશમાં પ્રત્યેક ધાર્મિક તહેવારો પણ પરસ્પર આદર, સન્માન અને એખલાસ સાથે ઉજવાય છે, જેમાં કેટલાક પરિબળો ખલેલ પહોંચાડવાના પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ તેવા પરિબળોની અવગણના કરવી જોઈએ અને તેઓને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ.
જો કે, આપણા દેશમાં કેટલાક સ્થળે વિશેષ બંદોબસ્તો કરવા પડી રહ્યા છે, અને તોફાની તત્ત્વોની સામે કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્રો દોડધામ કરી રહ્યા છે, દેશની શાંતિ જોખમાવવા પ્રયાસો કરતા પરિબળોનો કોઈ ધર્મ હોતો નથી અને તેવા પરિબળોને સખ્તાઈથી દૂર કરવા જોઈએ, પછી તે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, વર્ગના હોય તો પણ તેને છોડવા ન જોઈએ. આ પ્રકારની માંગણીઓ પણ થતી રહે છે, દાવાઓ પણ થતા રહે છે, તેમ છતાં દેશના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રબંધો કરવા પડતા હોય તો તે શું સૂચવે છે...?... સૌ કોઈ માટે આ મુદ્દો આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી...?
આજે મહારાષ્ટ્રના રાજનેતા રાજ ઠાકરે અને ગુજરાતના કદાવર નેતા નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનોએ જે ખળભળાટ મચ્યો છે, તે શું સૂચવે છે...? જરા વિચારો...
એક તરફ સંસદમાં વકફનું બીલ રજૂ કરવાની વાતો ચાલે છે, તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ અને નિતીશકુમાર વકફ બીલ સાથે સહમત નહીં હોવાની વાતો થઈ રહી છે. નિતીશકુમાર હવે એનડીએ નહીં છોડે, તેવો દાવો કરી રહ્યાં હોવા છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી, તેથી મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની કાંખ ઘોડીઓ પર હોવાથી ગમે ત્યારે ગબડી શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યાં છે, બીજી તરફ બિહારની ચૂંટણીઓમાં બન્ને તરફથી ફાયદો મેળવવા માટે વકફનું બીલ લટકતું રાખવાની ગુપ્ત રણનીતિ હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર પરમાણું કરાર કરવાનું દબાણ ઊભું કરવા બોમ્બમારો કરવાની આપેલી ધમકી અને રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્ય વિષે વિવિધ અહેવાલોના સ્વરૂપમાં થઈ રહેલા ધમાકાઓ વચ્ચે વૈશ્વિક શાંતિ પણ જોખમાઈ રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોમાંથી નીકળતો શાંતિ, સંપ અને સૌજન્યનો સંદેશ વિશ્વસ્તરે ફેલાય અને વિશ્વ સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોમાંથી બહાર આવીને સુખ, સારા સ્વાસ્થ્ય અને શાંતિના માર્ગે આગળ વધે તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણા દેશને અડધી રાતે આઝાદી મળી હતી તે પછી પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો અડધી રાતે લેવાતા રહ્યા છે, તો કેટલાક નિર્ણયો અડધી રાતથી લાગુ કરાતા હોય છે.
ગત્ મધરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને બસભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેતા રાજ્યના લાખો મુસાફરોને ઝટકો લાગ્યો છે અને એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
એસ.ટી.ના ભાડા વધતા જ હવે ખાનગી ટ્રાવેલ્સમાં પણ બસભાડા કદાચ વધી જશે. એટલું જ નહીં, ટેક્સી સેવા પણ મોંઘી થઈ શકે છે, જેથી કાયમી ભરચક્ક રહેતી ટ્રેનોમાં પણ ભીડ વધશે, જેના કારણે એક નવી જ સમસ્યા ઊભી થઈ જશે. એવું કહેવાય છે કે ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયાથી ચાર રૂપિયા સુધીનું ભાડું વધી જશે. ભલે આ આંકડો સામાન્ય લાગતો હોય, પરંતુ કામધંધા માટે દરરોજ મુસાફરી કરતા લોકો, ખેતી માટે ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કામે મુસાફરી કરતા નાના ખેડૂતો, પારિવારિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યવહારિક કામો માટે એસ.ટી.ની મુસાફરી કરતા મુસાફરોને ૪૮ કિ.મી. કે તેથી વધુ મુસાફરી કરે તેના પર વધુ બસભાડું ચૂકવવું પડશે, તેથી ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોના બે છેડા ભેગા કરવામાં વધુ મુશ્કેલી પડશે, તે નક્કી છે.
જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણાં લાંબા સમયગાળા પછી ગુજરાતના એસ.ટી. કોર્પોરેશને બસભાડા વધાર્યા છે. એવો દાવો પણ કરાયો છે કે નિમયાનુસાર ૬૮ ટકા બસભાડા વધારવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ગરીબ-નાના વર્ગોને ધ્યાને રાખીને જ સરકારે માત્ર ૧૦ ટકા બસભાડું વધાર્યું છે, જે મનફાવે તેવા ભાડા લેતી કેટલીક પ્રાઈવેટ બસ સર્વિસો કરતા ઘણું ઓછું છે!!
જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વધારાયેલા આ બસભાડાને લઈને રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આંકડાઓ મુજબ જો દરરોજ ર૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી. બસોમાં મુસાફરી કરતા હોય તો આજથી મીનીમમ ર૭ લાખથી ૧૦૮ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની એસ.ટી.ની આવક વધી જશે અને સામાન્ય મુસાફરોના ગજવામાંથી આ જંગી રકમ ખંખેરાઈ જશે, તેવો અંદાજ લગાડી શકાય. આ અંદાજીત આંકડો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અને મુસાફરોનું અંતર વધે, તેમ આ રકમ વધતી જશે. એટલે કે રાજ્યની ભાજપ સરકારે આજથી રાજ્યની જનતા પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે.
આ આંકડો તો માત્ર એસ.ટી.નો છે, પરંતુ એસ.ટી. પછી પ્રાઈવેટ ટ્રાવેલ્સવાળા પણ જો બસભાડા વધારશે, તો પબ્લિક પર વધુ બોજ પડે. ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવું પણ માને છે કે, એસ.ટી.ના બસભાડામાં વધારો થતા પ્રાઈવેટ બસો તરફ મુસાફરોનો ધસારો વધારવાની તક ઝડપવા જેવી છે!!
દરરોજ ૮૩૦૦ થી વધુ એસ.ટી. બસો દરરોજ ૪ર હજારથી વધુ ટ્રીપ (ફેરા) કરીને ૩પ લાખ કિલોમીટર જેટલા અંતર કાપતી હોય, તો તેની પાછળ થતા ખર્ચના હિસાબે ગણતરી કરીને જ બસોના ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, અને એસ.ટી. દ્વારા વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, અન્ય માસિક યોજનાઓ વગેરેમાં કન્સેશન અને કેટલાક કિસ્સાઓમાં દિવ્યાંગોના એક સાથીદારને પણ નિઃશુલ્ક કે અડધી ટિકિટે મુસાફરીનો લાભ અપાય છે, તે ઉપરાંત પણ પત્રકારો, ધારાસભ્ય વગેરેને નિઃશુલ્ક કે અડધી ટિકિટ લઈને મુસાફરી કરવાના લાભો અપાતા હોય તો તેની અસરોના પરિણામે આ ભાડા વધારો નાછૂટકે અને લઘુતમ પ્રમાણમાં કરાયો હશે, તેવી દલીલ થઈ રહી હોય, ત્યારે કન્ફ્યૂઝન ઊભું થાય, તે પણ સ્વાભાવિક જ છે, પરંતુ સામાન્ય મુસાફરો પર આ વધારો ઝીંકવાના બદલે લક્ઝરિયસ સેવાઓ તથા અન્ય ક્ષેત્રે આવક વધારવાના પ્રયાસો જીએસઆરટીસીએ કરવા જોઈતા હતા, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બસના ભાડામાં વર્ષો પછી વધારો થાય, તે સમજાય, પરંતુ તે મુજબ એસ.ટી. બસોની સુવિધાઓ, સ્વચ્છતા, વિવેકી સર્વિસ અને જરૂર મુજબના સુધારા-વધારા પણ થવા જરૂરી છે. તે ઉપરાંત હવે ટિકિટના દર પાંચ રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફીગરમાં અને મુસાફરોને ફાયદો થાય, તેવી રીતે નક્કી કરવા જોઈએ, જેથી છૂટા રૂપિયાની રોજીંદી રકઝક દૂર થાય અને મુસાફરોને એક, બે કે ત્રણ રૂપિયા જતા કરવા પડે, તેવી સ્થિતિને ટાળી શકાય. મોંઘવારીનો આ માર ખમી રહેલી જનતાનો અવાજ મક્કમતાથી કોઈ ઊઠાવશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજ બની રહ્યો છે, તેવી જ રીતે ઓવરબ્રીજ બની રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ વિકાસના કામો ચાલી રહ્યા છે, અને જુદા જુદા સ્થળે ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે. કેટલાક સ્થળે નોટીસ આપ્યા વિના જ નાની-મોટી પાડતોડ શરૂ થતા જામનગરની જેમ પબ્લિકને તકલીફ પડ્યા પછી જાહેરનામું બહાર પાડવાની નોબત પણ આવી શકે છે.
ગુજરાતમાં થઈ રહેલા અર્બન ડેવલપમેન્ટની ચર્ચા ગલી-મહોલ્લાથી લઈને વિધાનસભામાં ગલિયારાઓ સુધી થઈ રહી છે, અને ચોતરફ નિર્માણાધિન શહેરી વિકાસના કામોની વાહવાહી પણ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને સાંકળીને કરવામાં આવી રહી છે.
સિક્કાની બીજી બાજુની જેમ રાજ્ય સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિર્પાર્ટમેન્ટ ભ્રષ્ટાચારની દિશામાં પણ ગતિની હરણફાળ ભરી રહેલું હોય, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના પ્રત્યાઘાતો રાજ્યની તથા દેશની રાજધાની સુધી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ચર્ચાઓ તથા કોમેન્ટો મુજબ વર્ષ ર૦ર૩ માં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. તકેદારી પંચના આંકડાઓને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ એક જ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ સાથે ભ્રષ્ટાચારની ર૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી.
આ અહેવાલ મુજબ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં એ વર્ષમાં બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગ ૧૮૦૦ થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે રહ્યું હતું.
વર્ષ ર૦ર૩ માં આશ્ચર્યજનક રીતે ગૃહવિભાગમાં ૧ર૪૧ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી, તે પછી શિક્ષણ વિભાગ રહ્યો હતો. આ આંકડાઓ મુજબ પાણી, વીજળી, પરિવહન અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે બોર્ડ-નિગમો-કોર્પોરેશનોમાં પણ ભ્રષ્ટાચારની નોંધપાત્ર ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડાઓમાં બીજી નવાઈ પમાડે તેવી વાત એ છે કે એસીબી દ્વારા એ વર્ષમાં નોંધાયેલા કેસોમાં વર્ગ-૧ અને વર્ગ-૪ ના અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો ડબલ ડિજિટમાં પણ નથી, જ્યારે વર્ગ-૩ ના ૧૦૦ થી વધુ અને વર્ગ-ર ના ર૯ તથા વચેટિયાઓ સામે સૌથી વધુ ૧૩ર જેટલા કેસો નોંધાયા છે!!!
આ તો માત્ર નોંધાયેલા એક જ વર્ષના આંકડા છે. કેટલાક કેસો નોંધાયા જ નહીં હોય, કેટલાક કેસોમાં વિલંબ થયો હતો, તો સંખ્યાબંધ 'સહમત પીડિતોએ' ફરિયાદ જ નહીં નોંધાવી હોય, તેથી જ એવું કહેવાય છે કે લાંચ લેનાર જેટલો દોષિત ગણાય, તેટલો જ દોષિત લાંચ આપનાર પણ ગણાય? લાંચ આપનારા બધા લોકો ફરિયાદ નોંધાવતા હોતા નથી, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
એવા અહેવાલો છે કે રીપેરીંગ માટે રંગમતી ડેમના દરવાજા ખોલવાના કારણે લાખોટું તળાવ પાણીથી ભરાઈ જશે, પરંતુ લાખોટા તળાવને જોડતી કેનાલ જ ઔદ્યોગિક ગંદકીના પ્રદૂષિત પાણીથી ભરેલી પડેલી હોવાથી તેની સફાઈ બે દિવસમાં કેવી રીતે થશે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો કેનાલમાં પ્રદૂષિત પાણી હકીકતે કોઈ છોડી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ? આ પણ શહેરી વિકાસની પ્રક્રિયામાં ખદબદતા ગંધાતા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને? એવો સવાલ ઊઠાવાઈ રહ્યો છે કે, પ્રદૂષિત પાણીવાળી કેનાલમાંથી પસાર થઈને રંગમતી ડેમનું પાણી તળાવમાં આવશે, તો તળાવની જીવસૃષ્ટિ મરી જશે. તે ઉપરાંત તળાવની ફરતે આવેલા શહેરના બોર-ડંકી દ્વારા આ પાણી લોકો પીવા લાગશે, તો તેઓનું આરોગ્ય પણ જોખમાશે. જો હકીકતે આવી જ સ્થિતિ ઊભી થઈ હોય તો તે લાપરવાહી નહીં, પરંતુ અર્બન કરપ્શનનું જ દૃષ્ટાંત ગણાવું પડે.
જામનગરમાં કચરાની ગાડીઓ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન તથા તેના ઈજારા અંગે પણ શંકાસ્પદ હિલચાલની ચર્ચા થઈ રહી છે. હવે અઢી-અઢી વર્ષ હોદ્દાઓ બદલાતા હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈપણ પ્રકારનો ઈજારો એક દાયકા માટે આપવાની પેરવી થતી હોય તો તે શું સૂચવે છે?... જરા વિચારો...
એક કવિએ અલંકૃત ભાષામાં અને શબ્દોમાં લખેલી કવિતામાં લખ્યું છે કે, જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ભસ્મકણી પણ બચશે નહીં, મતલબ કે જ્યારે ભૂખથી પીડાતા લોકોનો વિદ્રોહ થશે, ત્યારે તેના ગંભીર પરિણામો આવશે, જો કે અત્યારે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બધાએ એકસંપ થઈને રાતોરાત પોતાના પગાર-ભથ્થા વધારી દીધા છે, અને પોતાનો જઠરાગ્નિ તૃપ્ત કરી લીધો છે. પરંતુ નાના નોકરિયાતો-કર્મચારીઓને નાની-નાની માંગણી કરવી પડી રહી છે, ત્યારે કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... યે દેશ કા ક્યા હોગા...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે એરપોર્ટ કે એરફોર્સ ચોકડીથી દિગ્જામ મીલ, બેડીબંદરવાળા રોડ ઉપર પણ આવું જ "કામચલાઉ" પરિવર્તન થતુ જોવા મળે.
આ સ્થાનિક તંત્રો અને નેતાઓની તરકીબ માત્ર જામનગરમાં જ અજમાવાતી હોય તેવું નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ હંગામી અથવા પ્રાસંગિક પરિવર્તન થતું હોય છે, અને ત્યાંના નગરજનો પણ આવા "દુર્લભ" બદલાવ હંગામી ધોરણે થતો જૂએ ત્યારે બોલી ઉઠતા હશે કે, "આજે કોઈક (વીઆઈપી કે વીવીઆઈપી) આવવાનું લાગે છે...!!!
એવું નથી કે આ પ્રકારની ચબરાકીભર્યા "ટેમ્પરરી એકસન્સ" થી આગંતૂક મહાનુભાવ - વીઆઈપી કે વીવીઆઈપીથી અજાણ હોય છે અથવા માહિતગાર હોતા નથી. આ પ્રકારની "તડામાર તૈયારીઓ" ની તેઓને પણ પૂરેપૂરી ખબર જ હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે તેઓની પણ આ પ્રકારની ડ્રામેબાજીમાં મૂક સંમતિ જ હોય છે.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને મોરબીની મુલાકાતો દરમિયાન સ્થાનિક તંત્રો અને નેતાગીરીને કરેલી "ટકોર" પછી એ પુરવાર થઈ ગયું છે કે, સરકાર અને મહેમાન (વીઆઈપી કે વીવીઆઈપી) ને એ ખબર જ હોય છે કે તેઓની મુલાકાત સમયે જ આવી ચોક્કસાઈ રખાતી હોય છે, પરંતુ તેમાંથી જ કેટલાક સવાલો પણ ઉઠે છે, કેટલાક પોથીના પંડિતો સવાલો ઉઠાવવા સામે પણ સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ જો સવાલો જ નહીં ઉઠે તો જવાબો પણ નહીં મળે, રાઈટ...?
મુખ્યમંત્રીએ ભલે જાહેર કાર્યક્રમોમાં ટકોરો કરી હોય કે "નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરવાના બદલે કાયમી ધોરણે સફાઈ કરજો", પરંતુ "શેઠની શિખામણ ઝાપા સુધી" ની કહેવતની જેમ સ્થાનિક નેતાઓ અને તંત્રો બીજા જ દિવસે આ ટકોર ભૂલી ગયા હશે અથવા હળવી મજાક કે ઝુમલો ગણીને અવગણી રહ્યાં હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીણી નજરવાળા છે અને કાર્યક્રમમાં કોઈ સ્થાનિક નેતાની અવગણના થઈ હોય કે આંતરિક ખેંચતાણના કારણે કોઈ મહત્ત્વના લોકલ નેતાને યોગ્ય સ્થાન ન અપાયું હોય, ત્યારે મુખ્યમંત્રી નામ જોગ ઉલ્લેખ કરે છે અથવા "ક્યાંય દેખાતા કેમ નથી...?" તેવી ટકોર કરીને પાર્ટીના સ્થાનિક નેતૃત્વને પણ ઢંઢોળતા હોય છે.
જો કે, નિયમિત સ્વચ્છતા, સુશોભન, સારા માર્ગો અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કાયમી ધોરણે થતી રહે, તે માટે માત્ર આ પ્રકારની "ટકોર" કામ નહીં લાગે, બલ્કે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે "ટકોરા" પણ મારવા પડશે... તંત્રો અને નેતાઓને સુધારવા "ટકોરા" કેવી રીતે મારવા, તે તો ભૂપેન્દ્રભાઈએ તેઓના રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી શિખી જ લીધુ હશેને...?
હમણાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શ્રેણીબદ્ધ આકરા કદમની આખી દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ઉકેલવા તો ભારત સરકારે એક આખું પ્રતિનિધિમંડળ પણ મોકલવું પડ્યું, પરંતુ ભારત પાસેથી "પ્રેરણા" મેળવીને ટ્રમ્પે અમેરિકામાં પણ વિદેશી મહેમાન (વીવીઆઈપી) ના આગમન સમયે આજુબાજુની ઝુંપડપટ્ટી કે અયોગ્ય દૃશ્યો દેખાય ન જાય તે માટે પાર્ટીશન ઊભા કરાવ્યા હોવાના અહેવાલો આવ્યા હતાં.... જો આ પ્રકારની "પ્રેરણા" ટ્રમ્પે ભારતીય નેતાગીરી કે તંત્રો પાસેથી મેળવી હોય તો તે "ગૌરવપ્રદ" ન ગણાય...?.... વિચારો...
ગુજરતના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીવીઆઈપી કે વીઆઈપીની મુલાકાતો સમય આ પ્રકારનો "ઢાંકપિછોડો" થતો હોય અને તે અંગે જો ત્રિપલ એન્જિનની સરકાર અને શાસક પક્ષની ત્રિસ્તરિય નેતાગીરી પણ માહિતગાર જ હોય, તો સવાલ એ પણ ઉઠે છે કે, આ પ્રકારનો "ઢાંક પિછોડો" કરવાનો અર્થ શું...? આવો "દેખાડો" શા માટે કરાતો હશે...?
તેનો જવાબ એ હોય શકે કે આ પ્રકારના પૂર્વ આયોજીત પ્રબંધો "કેમેરા" ની આંખોથી બચવા માટે કરાતા હશે. પ્રેસ મીડિયા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના એક્ટિવ પબ્લિક "રિપોર્ટરો" ના હાથવગા મોબાઈલ સેલફોનના કેમેરાઓમાં "અનિચ્છનિય" દૃશ્યો ઝડપાઈ જાય, તેની તકેદારી રખાતી હોય, તેવું બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એવા અહેવાલો આવ્યા છે કે પહેલી મે થી કેટલીક બેન્કીંગ સેવાઓના ચાર્જીસ વધી જશે. આરબીઆઈની મંજુરીથી એટીએમ ઈન્ટરચેઈન્જના ચાર્જમાં વધારો લાગુ થઈ જશે. એટલે કે પોતાનું જે બેંકમાં ખાતું હોય, તે સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનો ચાર્જ વધી જશે. રિઝર્વ બેંકે આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લીધો છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને ટાંકીને એવું જણાવાઈ રહ્યું છે કે વધી રહેલા ખર્ચને કારણે આ વધારો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પોતાની જ બેંકના એ.ટી.એમ.માંથી પણ નિર્ધારિત કરાયેલી મર્યાદાથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા માટેનો ચાર્જ પણ વધી જશે.
ઘણી નાની નાની બેંકો પાસે ખૂબ જ ઓછા એટીએમ છે. એટલું જ નહીં, તમામ બેંકોના એટીએમ તમામ સ્થળે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી કસ્ટમરોએ (જનતાએ) ફરજિયાત અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાથી નારાજગી વધી રહી છે.
જો કે, બેન્કીંગ ક્ષેત્રના વર્તુળોનો દાવો એવો છે કે ઈન્ટર ચાર્જીસ વધવાથી લોકો પોતાની જ બેંકના ખાતા સાથે જોડીને ડિજિટલ પેમેન્ટ વધારશે અને રોકડ કાઢવાની માનસિક્તામાંથી બહાર આવીને યુપીઆઈ અને મોબાઈલ બેન્કીંગનો વધુને વધુ ઉપયોગ કરતા થશે.
અહેવાલો મુજબ ગ્રાહકોએ બેલેન્સ ચેક કરવું હોય, તો હવે સાત રૂપિયાનો (હિડન?) ચાર્જ કપાઈ જશે, જ્યારે એટીએમની નિર્ધારીત મર્યાદાથી વધુ થતા રોકડ ટ્રાન્ઝેક્શન (ઉપાડ) પર હવે ૧૯ રૂપિયા જેવો ચાર્જ કપાઈ જશે, એટલે કે ગ્રાહકોની એકાઉન્ટમાંથી ડાયરેક્ટ આ ચાર્જીસ કપાતા રહેશે, જેની લોકોને ખબર પણ નહીં પડે!
આ પ્રકારે ચાર્જીસ વધારીને ડિજિટલ ઈન્ડિયા માટે પ્રેરક ગણાવાઈ રહ્યા છે, તેની સાથે કેટલા લોકો સંમત હશે?... જરા વિચારો...
અત્યારે પ્રાઈવેટ સેક્ટર જ નહીં, પરંતુ પબ્લિક સેક્ટરમાં એક જ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' ચાલી રહી છે. પહેલા લોકોને કોઈ વસ્તુની ટેવ પાડવી અને પછી તેમાં ચાર્જીસ, કરવેરા કે કમિશન વગેરે વધારીને લોકોના ખિસ્સા ખંખેરવાની આ મોડસ ઓપરેન્ડી ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની માનસિક્તા જ દર્શાવે છે ને?
કેટલીક નોનબેન્કીંગ ગતિવિધિઓમાં પણ ચાલાકીભરી તરકીબો અપનાવાઈ રહી છે. લોકોના ખિસ્સા ખંખેરવાની આ તરકીબો હળવેકથી ખિસ્સુ કાપી લેતા પોકેટમાર જેવી હોય છે, જેની સામાન્ય રીતે લોકોને તરત જ ખબર પણ પડતી હોતી નથી!
દૃષ્ટાંત તરીકે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો પહેલા મોબાઈલ ફોનમાં કેટલીક એપ્સ દ્વારા ફ્રીમાં બતાવીને લોકોને ટેવ પાડવામાં આવે છે, અને તે પછી તેમાં નજીવો ચાજ લાગુ કરી દેવાય છે, તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે. હમણાંથી સંચાર અને મનોરંજન ક્ષેત્રની પ્રતિસ્પર્ધક કંપનીઓએ હાથ મિલાવ્યા, જોડાણ કર્યું કે પછી મર્જર કર્યું અને તે પછી ઈજારાશાહી સ્થાપિત કરીને સ્પોર્ટસ, મનોરંજન અને બિઝનેસ ક્ષેત્રે ચાર્જીસ (ભાવ) વધારી દીધા, તે ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની મનોવૃત્તિ જ ગણાય ને?
જો કે, આ પ્રકારની રણનીતિ અથવા લૂંટનીતિને 'બિઝનેસ પોલિસી'નું નામ આપીને તેનું પૂર્ણ આયોજિત મહિમામંડન પણ થાય છે અને આ લૂંટનીતિનું જસ્ટીફિકેશન પણ થાય છે. પહેલા લોકોને 'વ્યસની' બનાવો અને પછી તેને લૂંટો, તેવી આ બિઝનેસ પોલિસી જો હવે પ્રાઈવેટ સેક્ટરથી આગળ વધીને કોર્પોરેટ સેક્ટર, કો-ઓપરેટિવ સેક્ટર અને પબ્લિક સેક્ટર સુધી પહોંચવા લાગી હોય તો કહી શકાય કે પોતાના જ પગાર-ભથ્થા રાતોરાત વધારી દેતા દેશના રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓના દિલમાં સામાન્ય જનતાની કાંઈ પડી જ નથી...
પહેલા કાળા નાણા નાથવાની વાતો કરીને ડિજિટલ વ્યવહારો માટે છેક ગરીબ-મધ્યમ વર્ગિય લોકોને પ્રોત્સાહિત કરવા અને તે પછી જનતાની સુવિધાઓ વધારવાના નામે નવા નવા ચાર્જ લગાડવા, તે ક્રમશઃ વધારવા અને હવે લોકોના પોતાના જ નાણા ઉપાડવા કે મોકલવા માટે તોતિંગ ચાર્જ લગાડવાની આ પોલિસી માત્ર બેન્કીંગ સિસ્ટમમાં જ નહીં, પણ અન્ય ઘણાં પબ્લિક સેક્ટર્સમાં પણ જોવા મળે છે, તેથી એવું કહી શકાય કે 'દયાહીન થયો છે નૃપ... નહિં તો ન બને આવું...!!'?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ફોટો
સ્વ. શેખર રતિલાલ માધવાણી
વૈકુંઠવાસઃ તા. રપ-૦૩-૧૯૯૬
'નોબત'ના આદ્યસ્થાપક અને અમારા બધાના પ્રેરણાસ્ત્રોત સ્વ. રતિલાલ માધવાણીએ કંડારેલી કેડીએ અમારી સાથે ચાલીને સ્નેહ, સમર્પણ અને સૌજન્યતા સંગમથી સૌ કોઈના હૃદયે વસી જનાર સ્વ. શેખર માધવાણી જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયા, તે દિવસ અમારા બધા પર વજ્રઘાત સમો હતો, અને અણધારી વિદાયે અમને બધાને હતપ્રભ કરી દીધા હતાં.
સ્વજન વિદાય લઈ લ્યે છે, પરંતુ સ્મૃતિઓ કાયમ જળવાઈ રહેતી હોય છે. આજે 'નોબત'ના ખૂણે ખૂણે સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સચવાયેલી છે.પડકારરૂપ પરિસ્થિતિને પણ પડકારીને પ્રગતિ કરવાની તાકાત તેઓ ધરાવતા હતાં, અને માત્ર પરિવાર કે અખબારના સહયોગીઓ જ નહીં, પરંતુ નગર અને હાલારમાં તેઓ ઘણાં જ લોકપ્રિય હતાં અને તેઓનું વર્તુળ સમગ્ર હાલાર ઉપરાંત દેશ-વિદેશ સુધી ફેલાયેલું હતું, તેઓ કર્મના સિદ્ધાંતને માનતા હતાં અને સ્પષ્ટવક્તા પણ હતાં. કર્મ માટે કઠોર અને સેવાકાર્યો માટે સદેવ મૃદુ રહેનાર શેખરભાઈએ જ્યારે અચાનક દુનિયા છોડી દીધી, ત્યારે તેઓની સાથે સંકળાયેલા લોકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતાં, અને તે ગોઝારો દિવસ આજે પણ અંતરમાં ઉથલપાથલ મચાવે છે.
સ્વ. શેખરભાઈ સેવાકાર્યોને પણ સમર્પિત હતાં અને માધવાણી પરિવારની સાથે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશ માટે પણ જ્યારે જરૂર પડી ત્યારે સેવકાર્યોમાં અગ્રેસર રહેતા હતાં.
જેનો જન્મ થાય, તેની વિદાય પણ નિશ્ચિત જ હોય છે, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધિન રહે છે. એવું કહેવાય છે કે, સારા માણસોની ઈશ્વરને પણ જરૂર પડતી હશે, અને તેથી જ યુવાવયે શેખરભાઈ જેવા સજ્જનોને ભગવાન પોતાની પાસે બોલાવી લેતા હશે.
આજે આપણાં સૌના હૃદયે વસેલા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સત્કાર્યોને યાદ કરીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ...
જામનગર
તા. રપ-૦૩-ર૦રપ
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર

ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને ગામના લોકો પોતાના વિકાસનું આયોજન પોતે જ કરી શકે, તે માટે ગ્રામ પંચાયતોને જરૂરી ફંડ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે સુપ્રત કરવામાં ગુજરાતે અગ્રીમ ભૂમિકા અદા કરી હતી અને રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા સફળતાપૂર્વક કામ રહી છે, એટલું જ નહીં, ગુજરાતે જ સમગ્ર દેશને પંચાયતી રાજનો રાહ ચિંધ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકારનો રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. પંચાયતીરાજ અંગેના કેન્દ્ર સરકારના ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ દેશને પંચાયતીરાજના પાઠ શિખવાડનાર ગુજરાત પોતે જ અત્યારે પરોઠના પગલા ભરી રહેલું જણાય છે. આ રિપોર્ટ મુજબ અત્યારે પંચાયતીરાજની શ્રેષ્ઠ કામગીરી કર્ણાટકમાં થઈ રહી છે, અને તેનો સ્કોર ૭ર.ર છે. કર્ણાટકનું પંચાયતીરાજ વ્યવસ્થાપન અત્યારે દેશમાં ટોપ પર છે, જ્યારે ગુજરાત ટોપ-ફાઈવમાં પણ નથી...!
ગુજરાત ટોપ-ફાઈવમાં તો નથી જ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો સ્કોર સાથે ગુજરાતની પંચાયતીરાજ વ્યવસ્થાઓ ગોથાં ખાઈ રહી છે, અથવા ગોટે ચડી ગઈ હોય તેમ જણાય છે.
પ્રેસ-મીડિયામાં ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ની ચાલી રહેલી ચર્ચાના પડઘા ગુજરાતની રાજધાની સુધી પહોંચ્યા છે, અને મુદ્દો ઉઠાવીને હવે વિપક્ષો પંચાયતીરાજ વ્યવસ્થાને લઈને સરકારને ઘેરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે.
જો કે, ગુજરાત આ ઈન્ડેક્ષના ટોપટેનમાં તો છે જ, અને કેટલાક માપદંડોમાં અગ્રેસર હોવાના દાવાઓ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ આ ઈન્ડેક્ષ પંચાયતીરાજ વ્યવસ્થાઓની સમગ્ર કામગીરીને પ્રતિબિંબિત કરી રહ્યો નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે, તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કૌન સચા, કૌન જૂઠ્ઠા...?
પંચાયતીરાજ ક્ષેત્રના વિદ્વાનો તથા પોલિટિકલ પંડિતોના તારણો એવા છે કે, પંચાયતીરાજના ક્ષેત્રે ગુજરાતની પીછેહઠમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો, ભાઈકો કે અન્ય પ્રભાવશાળી પરિવારજનનો હસ્તક્ષેપ, ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ જ નહી, પરંતુ પદાધિકારીઓ સુધી પહોંચેલો ભ્રષ્ટ સડો અને સ્થાનિક સ્થાપિત હિતો તથા મતબેંકની રાજનીતિના કારણે ગાંધીજીના ગુજરાતમાંથી પંચાયતીરાજની સ્થિતિ ધીરે-ધીરે કથળી રહેલી જણાય છે.
અત્યારે ત્રીપલ એન્જિનની સરકારના ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, અને પંચાયતો, પાલિકા, મહાપાલિકાઓ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની કક્ષા સુધી ત્રિસ્તરીય ભાજપના શાસનના કારણે લોકોને થતા ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાતુ "ત્રીજુ એન્જિન" ઢીલું પડીને ઢસેડાઈ રહ્યું હોવાનો આભાસ થાય છે.
આ ઈન્ડેક્ષના ગુજરાતનો સ્કોર પ૮.૩ પોઈન્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશનો ૬૦.૧, મહારાષ્ટ્રને ૬૧.૪, તામિલનાડુનો ૬૮.૪, કેરળનો ૭૦.૬ અને કર્ણાટકનો ૭ર.ર છે. આમ, ગુજરાતમાં ત્રીજુ એન્જિન રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો સ્કોર મેળવીને ગરિમા ગુમાવી રહ્યું હોય તેમ નથી લાગતું...?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સ્વાયતતાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. નાણાકીય સ્વાયતતા (ઓટોનોમી) માં તો ગુજરાત છેલ્લી હરોળમાં જણાવાયું છે. સ્ટેટ ફાયનાન્સ કમિશન દ્વારા ફાળવણીના ક્ષેત્રે ગુજરાતનો સ્કોર પ૦.૩ છે, જે ઘણો નબળો ગણાય.
આ રીપોર્ટને લઈને કોંગ્રેસે પણ કેટલીક ટીપ્પણીઓ કરી છે. આ અહેવાલોમાં કરાયેલો ઉલ્લેખ મુજબ પૂરતી આરોગ્ય સેવાઓ નથી. આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ગુજરાત અન્ય કેટલાક રાજ્યોની સરખામણી પાછળ છે, સરકારી શાળાઓમાં બેઝીક વ્યવસ્થાઓનો અભાવ છે, સ્કૂલોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષકોની સંસ્થાના સંદર્ભમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ બરાબર નથી. ગુજરાતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં તેલંગણા અને રાજસ્થાનની રોજગાર સર્જન યોજનાઓ વધુ અસરકારક છે. આ તમામ ઉલ્લેખો કેન્દ્ર સરકારના જ કોઈ રિપોર્ટને ટાંકીને આવી રહ્યાં છે, ત્યારે તેને નકારવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, પરંતુ તેને ડસ્ટબીનમાં ફેંકવાના બદલે ગુજરાત સરકારે સ્પષ્ટતાઓ સાથે આ ક્ષતિઓ નિવારવાની દિશામાં આગળ વધવું જોઈએ.
આ રિપોર્ટ વર્ષ-ર૦ર૪ નો છે, તે સમયગાળામાં ગુજરાતમાં સાતેક હજાર ગ્રામપંચાયતોની બે વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ, અને વહીવટદારોનો "વહીવટ" રહ્યો હોવાના કારણો તથા તારણો પણ ચર્ચાઈ રહ્યાં છે.
ટૂંકમાં, જો આ રિપોર્ટને ગંભીરતાથી વિચારીને ગુજરાત સરકાર યોગ્ય કદમ સમયસર નહીં ઉઠાવે તો ગુજરાત ટોપ-ટેનમાંથી પણ બહાર ફેંકાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે.
જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ખતરનાક અને વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા છે. એક તરફ તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું બીડું ઝડપીને અને રશિયાની તરફેણ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએે ઝેલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાંખ્યા અને તે પછી યુક્રેને મૂકેલા પ્રસ્તાવ મુજબ રશિયાએ 'શરતી' યુદ્ધવિરામની વાતો કરીને અમેરિકાને જ ટીંગાળી દીધું, આ બધી ચાલાકીભરી ચાલબાજીઓએ વિશ્વની રાજનીતિને ગુંચવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે, જો કે રશિયા દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે આ મુદ્દે પુનઃ પ્રયાસો શરૂ કર્યા અને મંગળવારથી જે પ્રયાસો થઈ રહ્યા છે, તે આપણી સામે જ છે. જોઈએ હવે શું થાય છે તે...
ભારત એક તરફ તો સામ્રાજ્યવાદી ચીન સામે પહેલેથી જ ઝઝુમી રહ્યું હતું અને તે પછી પાકિસ્તાનના આતંકવાદની સામે પણ અવિરત સંઘર્ષ કરી રહ્યું હતું, તેમાં હવે પડોશી મિત્ર દેશ બાંગલાદેશ શેખ હસીનાને શરણ આપવાના કારણે દુશ્મનાવટ તરફ આગળ વધી રહ્યો છે, અને પાકિસ્તાન અને ચીન સાથે મળીને ત્યાંની કામચલાઉ સરકાર પણ ભારત વિરોધી નીતિ-રીતિ અપનાવી રહી છે.
બીજી તરફ હવે રેસિપ્રોકલ ટેરિફ અને ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની ટ્રમ્પનીતિના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ પહેલા જેવી મધૂરતા રહી નથી. ટ્રમ્પ-મોદીની વ્યક્તિગત મિત્રતાની દ્વિપક્ષિય સંબંધો તથા 'નેશન ફર્સ્ટ'ની બન્ને દેશોની નક્કર નવી નીતિ પર કોઈ હકારાત્મક અસરો પડશે, તેવી આશા રાખવી નકામી છે.
અક્સાઈ ચીન અને તાઈવાન સંદર્ભે અપનાવેલી નીતિ તથા મહાસાગરોમાં દાદાગીરીની રણનીતિના કારણે ચીન લુચ્ચુ અને સામ્રાજ્યવાદી છે, તે તો ઓપન ગ્લોબલ સિક્રેટ છે, અને હવે ચીને નાના-નાના દેશોને મોટી લોન આપીને આર્થિક સામ્રાજ્યવાદની પોલિસી પણ અખત્યાર કરી છે, ત્યારે ચીનની ચબરાકીઓ સામે પણ ભારતને સતત ઝઝુમવું પડી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના તો કેટલાક વિસ્તારો દબાવી જ લીધા છે, અને હવે જ્યોર્જિયાને હડપ કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે તિબેટ, હોંગકોંગ, દક્ષિણ ચીન સમુદ્ર, તાઈવાન, કેટલાક ટાપુઓ તથા ભારતના અરૂણાચલ પ્રદેશ સહિતના ભાગોમાં ચીની સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા શી જીનપીંગ ધરાવે છે, તે હવે છૂપુ રહ્યું નથી.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરિકાની ટ્રમ્પનીતિ પણ હવે સામ્રાજ્યવાદી બનવા લાગી હોય, તેમ જણાય છે. અમેરિકાએ પનામા નહેર કબજે કરવાની મનસા તો પહેલેથી જ જાહેર કરી દીધી છે, અને કેનેડાને તો ટ્રમ્પે અમેરિકાનું પ૧ મું સ્ટેટ જ ગણાવી દીધું છે. અમેરિકાએ ગાઝાને હસ્તગત કરવાની ઈચ્છા પણ સરાજાહેર કરી દીધી છે. ગ્રીનલેન્ડને કબજે કરવાની નીતિ પણ ટ્રમ્પે જાહેર કરી દીધી છે. આ કારણે અમેરિકા પણ હવે સામ્રાજ્યવાદી મહાસત્તા બનવા લાગ્યું છે.
ટૂંકમાં, ભારત સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, તથા આતંકવાદી રાષ્ટ્રો વચ્ચે જાણે કે પીસાઈ રહ્યું છે. ભારત સરકાર બિનજુથવાદી આંતરાષ્ટ્રીય રણનીતિ તો પહેલેથી જ ધરાવે છે, પરંતુ હવે ટ્રમ્પે મિત્ર દેશો અને દુનિયાની પરવાહ કર્યા વિના 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ, રેસિપ્રોકલ ટેરિફ નીતિ તથા અમેરિકાના ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની સાથે સાથે અમેરિકાના નાગરિકત્વના અધિકારો પણ સીમિત કરી નાંખ્યા છે. ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર કોવિડ પછી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યુ હતું, તેનો બદલો લેવા ટ્રમ્પ હવે ઉંદરની જેમ ભારતને ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની નીતિ ધરાવતા હોય, તેવી આશંકા જાગે છે. ટ્રમ્પે પર્યાવરણ સમતુલાની પેરિસ સમજુતિને ફગાવી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ અમાન્ય ઠરાવી દીધી છે, અને કવાડ, બ્રિક્સ જેવા ગ્રુપોને નબળા પાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે કુટનીતિ (કટૂનીતિ) અપનાવી છે, તે ભારત માટે પણ હાનિકર્તા જ છે ને?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા કરારોના કારણે વ્યાપારવૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાઓમાં સહયોગ, ડેરી ક્ષેત્રખાદ્યાન્ન ક્ષેત્ર અને સ્પેસ સેક્ટરમાં પણ સહયોગની નવી દિશાઓ ખુલશે. એ ઉપરાંત ટુરીઝમ એજ્યુકેશન અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ બન્ને દેશો આગળ વધશે, તેવો જે દાવો કરાયો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો ભારતની વિદેશનીતિને યોગ્ય જણાવે છે, તો ઘણાં લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની વિદેશનીતિ ભટકી ગઈ છે અને કક્કાવારીના 'અંગ કોઈનો નહીં'ની જેમ ભારત ચારેય બાજુથી લટકી તો નહીં જાય ને? જો કે, આશંકાઓની આંધી વચ્ચે પણ આશાઓ પ્રગટી રહી હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ગયા છે!
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની ગયા વર્ષે મળેલી બેઠકમાં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું હતું. સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યો, ડીઈઓ, ટીપીઓની ભરતી માટે દસવર્ષિય આયોજન કરાયું છે. આ ઉપરાંત એજ્યુકેશન બોર્ડ, સરકારી કચેરીઓ, ટેકનિકલ એજ્યુકેશન સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગોમાં ભરતી માટે પણ દસ વર્ષિય આયોજન કરાયું છે. આ દસ વર્ષિય આયોજનમાં રાજ્ય સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજો માટે કોઈ આયોજન જ નહીં કરાયું હોવાની રાવ શાળા સંચાલક મંડળે ચીફ સેક્રેટરીને કર્યા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. એવી રજૂઆત થઈ છે કે વર્ષ ર૦ર૩ સુધીના શિક્ષણ ક્ષેત્રના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળા-મહાશાળાઓનો ઉલ્લેખ જ નથી. વર્ષ ર૦ર૩ થી લાગુ કરાયેલા આ કેલેન્ડરમાં આગામી તા. ૧૦ વર્ષ દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ પર ભરતી કરવા માટે જે સમયબદ્ધ આયોજન ઘડાયું છે, તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ખાલી પડનારી શિક્ષકો-આચાર્યોની જગ્યાઓ પર ભરતીનો ઉલ્લેખ જ નથી, તે ઉપરાંત છેલ્લા પંદરેક વર્ષોથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટાવાળાઓ તથા ક્લાર્કની ભરતી પણ થઈ નથી, તેથી શિક્ષણ ખાડે નહીં જાય?તેવા સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રેસ-મીડિયા જ નહીં, વિલેજથી વિધાનસભા અને સડકોથી શહેરો સુધી ચર્ચા થતી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી કેલેન્ડર અંગે હવે સરકાર ગમે તેવી ચોખવટો કરે કે ફીફાં ખાંડે, પણ 'અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચુડિયા ચુભ ગઈ ખેત...'
તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દેશના રાજ્યોમાં હાયર એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાતનો ક્રમ ૧૮ મો છે. એક સેન્ટ્રલ રિપોર્ટ મુજબ ધોરણ ૧ર પછીના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ૬ઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં ધોરણ-૧ર ઉત્તીર્ણ કર્યા પછી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પણ આગળ વધતા નથી.
જો ગુજરાતમાં ૧૮ વર્ષથી ર૩ વર્ષના વયજુથના ધોરણ ૧ર ઉત્તીર્ણ કરેલા ૭૬ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ જ છોડી દેતા હોય, તો તેને એજ્યુકેશનમાં હરણફાળ ભરેલી કહેવાય કે પીછેહઠ કરી ગણાય, તે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને પૂછવું જોઈએ. જો આ રિપોર્ટને ધ્યાને લેવામાં આવે તો રાજ્યના યુવાવર્ગમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે અણગમો છે, કે પરંપરાગત વ્યવસાયો કે બેરોજગારીની સ્થિતિમાં યુવાધન જાય છે, તેનું સંશોધન કરવું જ જોઈએ. હાયર એજ્યુકેશનની રાષ્ટ્રીય સરેરાશ ર૮.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૪ ટકાનો છે, તેનો મલતબ એવો થાય કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
હાયર એજ્યુકેશનના ટોપટેનમાં દિલ્હી, તામિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર છે, જ્યારે લાસ્ટ ટેનમાં પંજાબ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને આસામ છે. હરિયાણા, મધયપ્રદેશમાં ર૮ થી ૩પ ટકા વચ્ચે ઉચ્ચ શિક્ષણનો દર છે. દિલ્હીમાં સૌથી વધુ ૪૯ ટકા હાયર એજ્યુકેશનનો દર છે, જ્યારે સૌથી ઓછો હાયર એજ્યુકેશન દર માત્ર ૧૬.૯ ટકા જેવો આસામનો જણાવાયો છે. આ આંકડા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશનના છેલ્લા સરવેના આધારે બહાર આવ્યા છે.
જો કે, કેન્દ્ર સરકારના ક્યા તાજા રિપોર્ટના આધારે આ આંકડાની ચર્ચા થઈ રહી છે, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જો દેશમાં એક પણ રાજ્યમાં ધોરણ-૧ર પછી હાયર એજ્યુકેશનનો આંકડો પ૦ ટકા સુધી પણ પહોંચતો ન હોય, તો તે દેશની શિક્ષણ નીતિ તથા સિસ્ટમ સામે પ્રશ્નચિન્હ જરૂર ખડુ કરે છે. આ પ્રકારના પ્રશ્ન ચિન્હો સામે કેટલાક 'વિદ્વાનો'ને વાંધો હોવાથી આ પ્રકારના પ્રશ્નો દબાઈ જતા હોય છે, અને સરવાળે શિક્ષણનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટનારા પબ્લિક અને પ્રાઈવેટ પરિબળોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવું ક્યાં સુધી ચાલશે, તે પણ એક સો મણનો સવાલ જ છે ને???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ મનાવાઈ રહ્યો છે, અને વિશ્વ ચકલી દિનની ઉજવણી પણ થઈ રહી છે. આજે આ બન્ને ઉજવણીઓના સમયે એ નક્કર હકીકત છે કે આ બન્ને વિષયો આજની તારીખે ઘણાં જ સાંપ્રત છે. આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે અને ચકલીઓ પણ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. આ કારણે આજના બન્ને વિષયોને લઈને વાસ્તવમાં વૈશ્વિક ચિંતા અને ચિંતન જરૂરી છે.
આજની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થાય, જ્યારે વિશ્વમાં શાંતિ હોય, વિશ્વના દેશો વચ્ચેના સંબંધો સારા હોય, દુનિયાની સમસ્યાઓ ઘટી રહી હોય અને સુખ, તંદુરસ્તી અને સમૃદ્ધિ વધી રહી હોય, ગરીબી ઘટી રહી હોય અને ભેદભાવો ખતમ થઈ રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ હકીકતે આખી દુનિયામાં 'વસુધૈવ કેટુંબકમ્'ની વિભાવના વધુ ને વધુ દૃઢ બની રહી હોય, વિશ્વને ડરાવતા પરિબળો ખતમ થઈ રહ્યા હોય, આતંકવાદ, નક્શલવાદ અને કટ્ટરતામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોય, અને હકીકતે માનવતાની જ્યોત ઝળહળતી રહેતી હોય.
આજે દુનિયા આખી આંતરવિગ્રહમાં સપડાયેલી છે. ઈઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર હુમલાઓ શરૂ કર્યા પછી ત્યાં સ્થપાયેલી શાંતિ છેતરામણી પૂરવાર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના અંતની વાટાઘાટો વચ્ચે જ અમેરિકાના હુથીઓ પર હુમલાના કારણે ઈરાનની ભમ્મરો ઊંચાનીચી થવા લાગી છે. અમેરિકા-ચીનની ખેંચતાણ આજે યુરોપિય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશના કારણે વિશ્વમાં તંગદિલી વધી રહી છે. કેટલાક દેશોમાં આંતરવિગ્રહની સ્થિતિ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે, તેથી ટ્રેનનું અપહરણ કરવા જેવી ઘટનાઓ બની રહી છે, તો બાંગલાદેશમાં ભારે અરાજક્તા અને અસ્થિરતા ફેલાઈ રહી છે, જો કે પુતિને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં એક મહિનાના યુદ્ધ વિરામ (આંશિક) ની જાહેરાત કરતા થોડી રાહત થઈ છે.
આપણા દેશની વાત કરીએ તો નાગપુરમાં હિંસક તોફાનો થયા, મણિપુરના મુદ્દે ફરી એક વખત સંસદમાં ગોકીરૃં થયું, લાંબા સમયે દેશના કોઈ રાજ્યમાં કર્ફયુ લદાયો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભાષા વિવાદ વકરી રહ્યો છે, અને વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો અને ચળવળો ચાલી રહી છે, તેથી આપણા દેશમાં પણ ખૂબ જ અશાંતિ ફેલાઈ જાય, તેવા ઘટનાક્રમોની બુનિયાદ રચાઈ રહી છે. એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે વિચારધારાઓનો ટકરાવ સર્જાઈ રહ્યો છે અને વૈશ્વિક ક્ષેત્રે પણ નવા સમિકરણો સર્જાઈ રહ્યા છે, અને તેની અસરો આપણા દેશના જનજીવન, અર્થતંત્ર અને આંતરિક શાંતિ પર પણ પડી રહી છે.
આ સંજોગોમાં જ્યારે દેશ-દુનિયામાં સંઘર્ષ, હિંસા, તંગદિલી અને તકરારોનો માહોલ હોય, ત્યારે જો આંતરરાષ્ટ્રીય શાંતિના ગંભીરતાપૂર્વક વાસ્તવિક પ્રયાસો થાય, તો જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણીનો કાંઈક અર્થે સરી શકે, અન્યથા આ પ્રકારની ઉજવણીઓ દર વર્ષે થતી જ રહેશે અને પ્રસન્નતા તો ચકલીઓની જેમ લૂપ્ત જ થતી રહેશે, તે નક્કી છે.
આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે, તેવી જ રીતે ચકલીઓ પણ લૂપ્ત થતી જાય છે. વિશ્વમાં પ્રસન્નતા વધારવા માટે જેવી રીતે આજે આપણે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવીએ છીએ, તેવી જ રીતે આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીને ચકલીઓની સુરક્ષા તથા વૃદ્ધિ માટે પણ પ્રયાસો કરવા જ જોઈએ ને?
દર વર્ષે ર૦ મી માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે, તેવી જ રીતે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, તેથી એક યોગાનુયોગ સુભગ સમન્વય સર્જાયો છે, અને આ ઉજવણી પછી વિશ્વમાં ચકલીઓનો કલરવ ફરીથી ભૂતકાળની જેમ ગુંજવા લાગે અનેે આખી દુનિયામાંથી અશાંતિ અને સંઘર્ષ ખતમ થઈ જાય અને સર્વત્ર પ્રસન્નતા છવાઈ જાય, તેવું ઈચ્છીએ...
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ર૦૧ર માં ર૦ મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ જાહેર કરાયો,તે પછી દર વર્ષે હેપીનેસ સર્વે થાય છે, અને વિશ્વભરમાં ખુશી ફેલાવવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આપણે હકીકતમાં આખી દુનિયાને પ્રસન્ન કરવી હોય તો પહેલા આપણે સ્વયં પ્રસન્ન રહેવું પડશે, અને આપણા સમાજ અને દેશને પણ ખુશહાલ રાખવા પડશે.
એવી જ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વર્ષ ર૦૧૦ થી શરૂ થઈ હતી. ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા સ્થાપિત નેચરફોર એવર સોસયટી દ્વારા ચકલીની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત ફ્રાન્સની ઈકો-સિસ એક્સન ફાઉન્ડેશન દ્વારા પણ ચકલીઓના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ચકલીઓના મીઠા કલરવ સાથે વૈશ્વિક પ્રસન્નતાનું આપણું સ્વપ્ન સાકાર થઈ જાય, તેવું પણ ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણે કોઈ ડાઈનીંગ હોલ કે રેસ્ટોરન્ટમાં અલ્પાહાર કે ભોજન કરવા જઈએ, ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, તે તો પરખીયે જ છીએ, સાથે સાથે ત્યાંની સર્વિસ કેવી છે, તેની નોંધ પણ લઈએ છીએ. ઘણી વખત ઉત્તમ ગુણવત્તાવાળું ફૂડ હોય, પણ સર્વિસ સારી ન હોય, તો આપણે ત્યાં ફરીથી જતા પહેલા વિચારીએ છીએ અને મોટાભાગે તેને અવગણીએ છીએ. એટલું જ નહીં, આપણા સ્નેહી, મિત્રો, પરિવારજનોને પણ ત્યાંની બોગસ સર્વિસ અંગે ચેતવી દેતા હોઈએ છીએ.
આવું જ કાંઈક કસ્ટમર કેરની વ્યવસ્થાઓ દરમિયાન થતી ફરિયાદોમાં પણ સંભળાતું હોય છે. કેટલાક ક્ષેત્રોના સેવા વ્યવસ્થાઓમાં ગ્રાહકોને સંતોષ આપવા અને તેઓની ફરિયાદો સાંભળીને તેનો ઉકેલ લાવવા માટે કંપનીઓ તથા પેઢીઓ દ્વારા કસ્ટમર કેરની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ દરમિયાન કસ્ટમર કેરના ઓપરેટરો સમક્ષ રજૂ થતી મોટાભાગની ફરિયાદો સર્વિસ યોગ્ય નહીં હોવાની જ હશે, કારણ કે સર્વિસમાં લોલંલોલની બીમારી હવે માત્ર સરકારી ક્ષેત્રોમાં જ રહી નથી, પ્રાઈવેટ સેક્ટરમાં પણ પ્રવેશી ગઈ છે. આ જ કારણે કદાચ ખ્યાતનામ કંપનીઓના ફૂડ કે કોલ્ડ્રીંક્સ, પેક્ડ ખાદ્યચીજો વગેરેમાંથી કીડા, ફૂગ કે કચરો નીકળ્યો હોવાની ફરિયાદો અવારનવાર સંભળાતી હોય છે, અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવાતી હોય છે.
આ તો થઈ ખાનગી ક્ષેત્રની સેવાઓ તથા સર્વિસ સેક્ટરની વાત, પરંતુ પબ્લિક સેક્ટરમાં પણ આ જ રીતે લોલંલોલ અને પોલંમોલ ચાલતી હોય છે, અને તેના કારણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જંગી ખર્ચાઓ પર પાણી ફરી વળતું હોય છે.
આપણે આવકવેરો, જીએસટી, વેટ વગેરે કરવેરાઓ ભરીએ છીએ, તેવી જ રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ઘરવેરો, પાણીવેરો, ભૂગર્ભ ગટર ચાર્જ, મિલકત વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો વગેરે અનેક પ્રકારના કરવેરા પણ ભરીએ છીએ, અને તેની સાથે જે સેવાઓ માટે કરવેરાઓ લેવામાં આવે છે, તેવી સેવાઓ તથા સુવિધાઓ હકીકતમાં આપણને મળે છે ખરી?... જરા વિચારો...
જામનગરનું જ દૃષ્ટાંત લઈએ, તો નગરમાં પબ્લિક સર્વિસીઝ એટલે કે જાહેર સેવાઓ કેટલી સંતોષકારક છે, તે આપણે જાણીએ જ છીએ. ભૂગર્ભ ગટરના નેટવર્ક છતાં ઘણાં વિસ્તારોમાંથી હજુ પણ ફરિયાદો સંભળાતી રહે છે. સફાઈ વેરો લેવા છતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળતા હોય છે. તાજેતરમાં મચ્છરનો ઉપદ્રવ અસહ્યપણે વધ્યો હોવા છતાં તેને અટકાવવાના પૂરતા કદમ ઊઠાવાઈ રહ્યા નથી. પીવાનું પાણી એકાંતરા નળ દ્વારા આવે છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળે પાણીની બૂમ ઊઠતી સંભળાતી હોય છે. નગરના મુખ્ય માર્ગો હોય, શેરી-ગલી-મહોલ્લાઓ હોય કે સોસાયટીઓ હોય, આંતરિક માર્ગો હોય કે રીંગરોડ હોય, ઠેર-ઠેર ખાડા, ચીરોડા, ઉબડખાબડ સડકો, અચાનક પડતા ભૂવા (મોટા ખાડા) વગેરેની તસ્વીરો પણ ઘણી વખત અખબારોના પાને ચમકતી હોય છે અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ નગરની દુર્દશાના દૃશ્યો પ્રસારિત પણ થતા હોય છે.
એવું પણ નથી કે મહાનગરપાલિકા દ્વારા જન-ઉપયોગી કોઈ કામ થતા જ નથી, પરંતુ ફ્લાયઓવર બ્રીજ, ટાઉનહોલનું આધુનિકરણ, ડિવાઈડરોનું રંગરોગાન, નવા ટાઉનહોલ કે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઊભા કરીને નગરજનોની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓમાં ખામીઓ અને સેવાઓમાં લોલંલોલ અને પોલંપોલ પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિક્તા યોગ્ય નથી.
નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે વાહનો તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં, અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં કચરાની ગાડીઓ ગૃહિણીઓ ઘરની બહાર આવીને કચરો નાંખી શકે, તેટલી પણ થોભતી નહીં હોવાની ફરિયાદો ઊઠતી હોય છે, અને કેટલીક કચરાગાડીઓ ઝડપથી આંટો મારીને પછી કોઈને કોઈ સ્થળે આરામ ફરમાવતી પણ જોવા મળતી હોય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોવા છતાં કેટલીક સેવાઓ સુધરતી નથી. કચરાની ગાડીઓ જ ગંધાતા કોથળાઓમાંથી રોડ પર કચરો વેરતી જાય, તો તેને સ્વચ્છતા અભિયાનની મશ્કરી જ ગણવી પડે ને?
આ તો ફક્ત કચરા કલેક્શનની જ વાત થઈ, પરંતુ મહાનગરપાલિકાની અન્ય સેવાઓમાં પણ કેટલું લોલંલોલ ચાલે છે અને નગરજનોને સરકારી કામો માટે કેટલી પરેશાનીઓ થઈ રહી છે, તેનો તટસ્થ સર્વે કરવામાં આવે, તો વરવી વાસ્તવિક્તા પ્રગટ થઈ શકે તેમ છે.
શાસકો-અધિકારીઓ દ્વારા આયોજનો થાય, સરકાર ફંડ ફાળવે, સેવાઓનો વ્યાપ વધારવા અને સુધારવાના પ્રયાસો થાય, તેમ છતાં જો પરિણામો ન આવતા હોય તો ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે અને ક્યાં 'ચુવાક' છે, તેનું સંશોધન કરવું પડે તેમ છે. એક વખત આયોજન થયા પછી તેમાં 'કાપકૂપ' કેમ કરવી પડે? તેવા સવાલોના જવાબ પણ બધાને ખબર હોવા છતાં કોઈને મળી રહ્યા નથી!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશ-દુનિયામાં વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે અને હિંસક ઘટનાઓ, હિંસક હુમલાઓ તથા હિંસક અફવાઓનો જાણે ત્રિકોણિયો સમાગમ રચાયો છે. અમેરિકાએ હુથી આતંકવાદીઓ પર હુમલો કર્યો, ઈઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમણ કર્યું અને પાકિસ્તાનમાં બળવાખોરોના ત્યાંની સેના પર હુમલાઓના કારણે અઢી હજાર જેટલા પાક. સૈનિકોએ સેનાની નોકરી છોડી દીધી હોવાના અહેવાલો રક્તરંજીત સંઘર્ષની વાસ્તવિક્તા દર્શાવે છે, તો મહારાષ્ટ્રના નાગપુરમાં જે હિંસક ઘટનાઓ બની, આગજની થઈ, પથ્થરમારો થયો અને રાતભર જુથ અથડામણો ચાલી, તેથી આપણા દેશમાં પણ હિંસાનો પંજો પડ્યો, તેની પાછળ ઉશ્કેરણીજનક અફવાઓ વધુ જવાબદાર હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશમાં વિવિધ પ્રકારની ચળવળો ચાલી રહી છે, તો ક્યાંક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને એલ્ટિમેટમ પણ અપાઈ રહ્યા છે. આગામી તા. ર૪-રપ માર્ચે ગુજરાતમાં બેંક ક્ષેત્રની હડતાલનું એલાન અપાયું છે, તો હાલાર સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન શરૂ થયું છે. દેશની રાજધાની સહિત દેશભરમાં વકફ બિલનો વિરોધ થઈ રહ્યો છે, અને સંસદમાં પણ આ મુદ્દે વોકઆઉટ થઈ રહ્યો છે અને ધરણાં કરાયા છે. બિહારમાં ચૂંટણીલક્ષી રાજકીય વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે, તો દક્ષિણ ભારતના રાજ્યો ભાષા વિવાદમાં અટવાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી હિન્દીવિરોધી નિવેદનો કરીને અને 'રૂપિયા'નું ચિન્હ બદલાવીને દેશની સંઘભાવનાથી અલગ વલણ અપનાવી રહ્યા છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હિન્દીને દેશની રાજધાની સાથેની સંપર્કભાષા ગણાવી રહ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટે સૂચવેલી પ૦ ટકાની અનામતની મર્યાદાને ઓળંગીને ઓબીસીને ૪ર ટકા સાથે ૬૦ ટકાથી વધુ અનામતનું એલાન કર્યું છે. આ બધા ઘટનાક્રમો એકંદરે રાજકીય લાભ મેળવવા માટે જ પ્લાન્ટ કરાઈ રહ્યા હોય, તેવું લાગે છે ને?
છેલ્લા દસેક વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓના જ નેગેટીવ અને પોઝિટિવ અહેવાલો અગ્રીમતાથી છપાતા હતાં, ચર્ચાતા હતાં, અને પ્રકાશિત અને પ્રસારિત થતા હતાં, પરંતુ હમણાથી તેમાં થોડો બદલાવ આવ્યો હોય તેમ જણાય છે. હવે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના કેટલાક કેન્દ્રિય મંત્રીઓના દેશ-વિદેશના પ્રવાસો તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશના વિવિધ રાજ્યોમાં થતા પ્રવાસ-કાર્યક્રમોની પણ બહોળી પ્રસિદ્ધિ થઈ રહી છે, તે ઘણો જ સાંકેતિક બદલાવ હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
તાજેતરની જ વાત કરીએ તો ટેરિફ મુદ્દે કેન્દ્રિય મંત્રીઓને અમેરિકા તરફ દોડાવાયા હતાં અને હાલમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ સાથે કરેલી મુલાકાતની ડિટેઈલ પબ્લિસિટી થઈ રહી છે, તે ઉપરાંત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગાબાર્ડ વચ્ચેની ઉચ્ચ સ્તરિય બેઠકની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરેલા હકારાત્મક નિવેદનો પછી ચીન ગદ્ગદ થઈ ગયું છે અને ચીન તરફથી પણ પોઝિટિવ પ્રત્યાઘાતો આવ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા લોકોને ચીનના ઉત્પાદનોના બદલે અમેરિકન ચીજવસ્તુઓ વધુ પસંદ કરવાની હિમાયત કરી હોવાના અહેવાલો વહેતા થતા કન્ફ્યુઝન પણ ઊભું થયું છે. હકીકતે અત્યારે આંતરરાષ્ટ્રીય નીતિ પણ એવી છે કે પરંપરાગત દુશ્મનો ગળે મળી રહ્યા છે, અને મિત્રદેશોની પીઠમાં ખંજર ભોંકવામાં આવી રહ્યું છે, ત્યારે નીતિગત બેલેન્સ જાળવવા જતા ઘણી વખત છોકરમત જેવી હરકતો પણ કરવી પડતી હશે ને?
આપણે બધા ભૂતકાળના નોસ્ટ્રેડોમસની આગાહીઓથી પરિચિત છીએ, પરંતુ હમણાંથી બ્રિટનના ભવિષ્યવેતા કેગ હેમિલ્ટન પાર્કરની કેટલીક આગાહીઓ સાચી પડ્યા પછી લોકો તેને નવા નોસ્ટ્રેડોમસ ગણાવી રહ્યા છે. તેમની કોવિડ, દરિયાઈ અકસ્માત, બ્રિટનના મહારાણી એલિઝાબેથના નિધન સહિતની કરેલી આગાહીઓ સાચી પડી અને છેલ્લે અમેરિકામાં ચૂંટણીઓ દરમિયાન ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી સાચી પડ્યા પછી હવે વર્ષ ર૦રપ ના અંત સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. બલ્ગેરિયાના એક અન્ય ભવિષ્યવેતા બાબા વેંગાચે પણ આ જ પ્રકારની ભવિષ્યવાણી કરી હતી અને ૧૬ મી સદીમાં થઈ ગયેલા નેસ્ટ્રેડોમસે પણ વર્ષ ર૦ર૦ થી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચકરાવે ચડશે ને વર્ષ ર૦રપ ના અંત સુધીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો હતો, તેમ કહેવાય છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજથી જામનગરમાં બસ ડેપો કામ ચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયો છે અને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનવાનું છે, તે ઉપરાંત હાલના વર્કશોપના સ્થાને નવું આધુનિક વર્કશોપ પણ બનવાનું છે, તેથી સ્વાભાવિક રીતે જ કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ એસ.ટી. તંત્ર અને મુસાફરોને પણ થવાની છે. એટલું જ નહીં, કેટલીક આડઅસરો અન્ય ટ્રાફિક તથા ટ્રાન્સપોર્ટેશનને પણ થવાની છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તે કહેવત મુજબ લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી અને એસ.ટી. તંત્ર સામે પણ આ પડકાર ઝીલી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી હવે બધાએ વ્યવહારૂ અભિગમ તો અપનાવવો જ પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ફેરફારો થાય, ત્યારે મુસાફરો, નગરજનો તથા અન્ય ટ્રાફિકને ઓછામાં ઓછી તકલીફ થાય, તેની જવાબદારી માત્ર એસ.ટી. તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની પણ છે. એસ.ટી.ની સેવાઓ પણ સરળ અને સુવિધાજક રીતે ચાલતી રહે અને પ્રવર્તમાન સુવિધાઓમાં પણ કોઈ વધુ તકલીફો ઊભી ન થાય, તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાગીરીની પણ ગણાય જને?
ઘણી વખત વધારે પડતો સ્નેહ કે પ્રેમ ગુંગળાવનારો હોય છે, તેવી જ રીતે વિચારોનો વંટોળ પણ અકળાવનારો બની જતો હોય છે. નવા નવા કોન્સેપ્ટ રજૂ થાય, અમલી બને અને ઢગલાબંધ વિકાસના કામો સંપન્ન થાય, તે તો આવકારદાયક જ છે, અને વિકાસ પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે થોડી-ઘણી તકલીફો પડે તો પણ નાગરિકોએ તેનો સામનો કરીને પણ વિકાસ તંત્રોને સહયોગ આપવો જોઈએ, તે પણ હકીકત છે, પરંતુ લાંબુ વિચાર્યા વગર કે વૈકલ્પિક પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ્યારે અનેક પ્રકારના વિકાસના કામો એકીસાથે ચારે તરફ શરૂ કરી દેવામાં આવે, અને તે દિવસો કે અઠવાડિયાઓ નહી, પરંતુ મહિનાઓ સુધી ચાલ્યા કરે, અને રોજીંદુ જનજીવન ખોરવાઈ જાય, તો તે પણ યોગ્ય ન જ ગણાય ને?
હવે નવું બસપોર્ટ બને, ત્યારે ખરૃં, પરંતુ જે કામચલાઉ બસડેપો અથવા બસસ્ટેશન ઊભું કરાયું છે, તેમાં મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે, અને ઓછામાં ઓછી તકલીફો પડે, તે જોવાની જવાબદારી તંત્રો અને નેતાગીરી નિભાવી શકશે ખરી? તેવા પ્રશ્નો ઊઠે, તે પણ અસ્થાને નથી.
નગરમાં જે ઓવરબ્રીજ બની રહ્યો છે, તેને લાંબો સમય થયો છે, અને તે ફેબ્રુઆરી-ર૦રપ માં સંપન્ન થઈ જશે, તેવી તારીખ પછી હવે જૂન મહિનાની વાતો ઊડવા લાગી છે, જો કે બે-ત્રણ મહિનામાં ફ્લાયઓવર બ્રીજનું કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય, અને તેના પરથી વાહનો દોડતા થઈ જાય, તેવું લાગતું તો નથી, પરંતુ આ કામને ટૂંકાવીને કેટલીક કાપકૂપ કરીને તથા કેટલાક કામો અધુરા રાખીને અધકચરો ફ્લાયઓવરબ્રીજ ચાલુ થઈ જાય, તેવું બની શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ ખરો?
નગરમાં વધુ ટ્રાફિક સમસ્યા થતી હતી, તે અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી વગેરેને લક્ષ્યમાં લઈને પહેલા તો ટૂંકો ફ્લાયઓવરબ્રીજ બનવાનો હતો, પરંતુ તેમાં વિસ્તૃતિકરણ કરીને વિક્ટોરિયા બ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવરબ્રીજ મંજુર થયો, તે દરમિયાન રંગમતી-નાગમતી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે. મૂળ એસ્ટીમેન્ટથી વર્તમાન ખર્ચ કદાચ સવાયો કે દોઢો થઈ જશે. એટલું જ નહીં, અંબર ચોકડી પાસે જે ડિઝાઈનથી માર્ગો બનવાના હતાં, તેમાં ફેરફાર કરીને સળંગ ફ્લાયઓવરબ્રીજ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયા પછી નગરમાં જે ચર્ચા ચાલી રહી છે, તે સૌ કોઈ જાણે છે.
આ ફ્લાયઓવરબ્રીજ બની જાય, તે પછી પણ નીચેની સડકો પરથી સ્થાનિક ટ્રાફિક બહું ઘટવાનો નથી, અને એસ.ટી. બસો, અન્ય ટ્રાવેલ્સની બસો, સ્થાનિક ટ્રાન્સપોર્ટસના વાહનો, રિક્ષાઓ, રિક્ષાછકડાઓ, ટેક્સીઓ તથા દ્વિચક્રી વાહનોનો ટ્રાફિક તો નીચેની સડકો પરથી જ વધુ રહેવાનો હોય, તો આટલા જંગી ખર્ચે નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવરબ્રીજનો અર્થ શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. જોઈએ હવે આ 'નગરચર્ચા' ક્યાં સુધી પહોંચે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હૂતાશણીનું પર્વ ઉમંગપૂર્વક ઉજવાઈ ગયું અને બોર્ડની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ ગઈ, બીજી તરફ બળબળતા ઉનાળની આગાહીઓ થવા લાગી અને આખું વર્ષ કેવું નિવડશે, તેના અનુમાનો પણ થવા લાગ્યા, તો આગાહીઓ, અનુમાનો તથા ભવિષ્યવાણીઓની યથાર્થતા અંગે એક જ પ્રકારની ચર્ચા થવા લાગી.
હૂતાશણી પર્વે ધૂળેટીના દિવસે રંગ ઊડાડતા ઊડાડતા અથવા મંદિરોમાં દર્શન કર્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક નેતાઓએ કરેલા નિવેદનો પછી દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સંવેદનશીલ વિષયો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને આ સમયમાં ગુજરાતમાં થયેલા રોડ-એક્સિડન્ટ્સની ચર્ચા પણ અલગથી થઈ રહી છે. રાજ્યમાં એકંદરે હર્ષોલ્લાસ સાથે હૂતાશણી પર્વ મનાવાયું, તો કેટલાક સ્થળે નાની-મોટી તકરારો અને મારામારી થઈ હોવાના અહેવાલો પણ આવ્યા.
આપણે ત્યાં હૂતાશણીનં પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે, અને કેટલાક સ્થળે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં તો ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોનો જાણે મહાસાગર ઘુઘવાતો હોય તેવા દૃશ્યો ઊભા થયા હતાં, અને લાખો ભાવિકો પદયાત્રાઓ કરીને દ્વારકા પહોચ્યા હતાં. દ્વારકામાં ભાતીગળ હોલિકાત્સવની રૂડી ભાત જોવા મળી હતી, તો દેશ-વિદેશથી દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓની બહુ રંગી આભા પણ પ્રગટતી જોવા મળી. એકંદરે હોલિકાદહ્ન, રંગોત્સવની સાથે સાથે સ્પર્ધાત્મક મનોરંજનો સાથે હોળી-ધૂળેટીનો ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો.
ભારતીય જનતા પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઘરઆંગણે હૂતાશણી પર્વ ઉજવ્યું અને રંગોત્સવની મજા માણી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આપેલા નિવેદનના પડઘા કદાચ દિલ્હી સુધી પડવાના છે, અને નવા પ્રદેશ પ્રમુખ નિમવાની દ્વિધાજનક સ્થિતિ વચ્ચે ભાજપની પ્રાદેશિક નેતાગીરીમાં પણ તેની ચર્ચા થવા જ લાગી હશે, કારણકે 'વિજયવાણી' ઘણી જ સૂચક, સમજી વિચારીને પ્રગટ થનારી તથા ઘણી વખત સ્ફોટક પણ હોય છે.
વિજયભાઈએ જે કાંઈ કહ્યું, તેનો સારાંશ એવો છે કે ભારતીય જનતા પક્ષે સત્તા માટે થઈને કોંગ્રેસીઓ સાથે સમજુતિ ન કરવી જોઈએ. પરોક્ષ રીતે આ નિવેદન ભાજપના ભરતી મેળાના સંદર્ભે અપાયેલી વોર્નિંગ ગણવામાં આવે છે, તો ઘણાં લોકો ભાજપના મૂળ અને વફાદાર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના અસંતોષને વાચા અપાઈ હોવાનો મત પણ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આને વ્યક્તિગત અસંતોષની અભિવ્યક્તિ ગણાવે છે, તો ઘણાં લોકો વાસ્તવિક્તાનું પ્રગટીકરણ ગણાવે છે. જે હોય તે ખરૂં, પરંતુ આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને??
કેટલાક નેતાઓ પરંપરાગત રીતે હૂતાશણી પર્વની ઉજવણી વિશેષ ઢબે કરતા હોય છે. વિજયભાઈ રૂપાણીએ હૂતાશણીનું પર્વ પરિવાર તથા અડોશ-પડોશના બાળકો સાથે રંગોત્સવ સાથે ઉજવ્યું, તો જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લીમડાલેનના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં પરિવાર તથા ગ્રુપના સભ્યો સાથે રંગોત્સવ ઉજવવા પહોંચ્યા હતાં. તેઓએ ત્યાંના વડીલો તથા અન્ય આશ્રિતોને શુકનવંતો રંગ લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મિયતા દર્શાવી. આ પ્રકારના દૃશ્યો આપણાં સમાજની સિક્કાની બીજી બાજુ તથા વરવી વાસ્તવિક્તા પણ રજૂ કરે છે.
પૂર્વ મંત્રી અને જામનગરના દિગ્ગજ નેતા હકુભા જાડેજા પણ દર વર્ષે હોળી-ધૂળેટી પર્વે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે 'તિલકહોળી' દ્વારા ઉજવણી કરે છે.
નેતાઓ વૃદ્ધાશ્રમોમાં વાર-તહેવારે જઈને હૂતાશણી-દીપોત્સવી જેવા તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા લોકોને તેના પરિવાર જેવી હૂંફ આપતા હોય છે, અને કેટલાક વડીલોના પરિવરજનો પણ ત્યાં જતા હોય છે, જો કે આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભા સહિત વિવિધ ધારાગૃહોમાં પણ પડઘાતા હોય છે. અસદુદીન ઓવૈસીની પાર્ટીના એક ધારાસભ્યે પણ આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને સંતાનો વૃદ્ધ માતા-પિતા કે વડીલોને કચરાની જેમ કચરાટોપલીમાં ફેંકવા હોય, તેવી માનસિક્તાથી વૃદ્ધાશ્રમોમાં (તરછોડીને) છોડી જતા હોય છે, તે સારી બાબત નથી. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે શું આ પ્રકારના વૃદ્ધાશ્રમોને લઈને આપણા દેશમાં કોઈ નક્કર કાયદા છે ખરા? શું વૃદ્ધોને તરછોડનાર સંતાનોને દંડાત્મક કે શિક્ષાત્મક કડક કાયદાઓ હેઠળ આવરી લેવા ન જોઈએ? શું આવા કડક કાયદા ન બનાવી શકાય?
જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય, ભણાવી-ગણાવીને હોશિયાર કર્યા હોય, તેને જ આવી રીતે તરછોડવા કે ઘરમાં અપમાનજનક રીતે રાખીને ત્રાસ ગુજારતા સંતાનોની શાન ઠેકાણે લાવવાના કડકકાનૂનની જરૂર જણાતા તેમણે એક પૂર્વ જજ (નિવૃત્ત જજ) પણ વૃદ્ધાશ્રમમાં મળ્યા હોવાનો દાવો પણ કર્યો હતો.
હૂતાશણીમાં આ પ્રકારની સેવા-ભાવનાઓના પ્રગટિકરણની સાથે સાથે વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સામે કોઈ નક્કર કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિની જરૂર પણ છે જ ને??
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પોઝિટિવ એનર્જી સર્જાઈ હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં અને શિક્ષણ સમિતિ હેઠળના કેટલાક કર્મચારીઓને પાર્ટટાઈમમાંથી કાયમી કરવાના અદાલતી હુકમ પછી બાકીના સમકક્ષ કર્મચારીઓને પણ કાયમી કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી અપાતા ૩પ જેટલા પરિવારોમાં પણ આનંદ ફેલાયો હતો. 'શેરડી સાથે એરડીને પણ પિયત મળી જાય' તેવી ગામઠી કહેવતની જેમ જ સ્પેશ્યલ જનરલ બોર્ડમાં બીજી બે-ત્રણ દરખાસ્તો પણ મૂકાઈ, અને એકાદ દરખાસ્ત વિરોધ પક્ષના વાંધા સાથે બહુમતિથી પણ પસાર થઈ ગઈ. મનપામાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય, ત્યારે અડધી જગ્યાઓ મનપામાં જ દસ-વીસ વર્ષથી ફરજ બજાવતા હોય, તેને પ્રાયોરિટી આપવાની દરખાસ્તને પણ વિપક્ષનું શરતી સમર્થન મળ્યું હોવાની ચર્ચા છે. આ દરખાસ્તને વિપક્ષે આવકારી અને ભરતી થાય, ત્યારે વિપક્ષને પણ સાથે રાખવાની વાત કરી, તે એડવાઈઝીંગ સ્કીલની 'ફૂદડી'વાળી 'શરતો લાગુ' જેવી કન્ડીશનલ સહમતિ તો નહોતી ને? તેવી ચર્ચા પણ થવા લાગી હતી. જે હોય તે ખરૂ, પરંતુ મનપા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ ઘણાં બધા વર્ષો આપ્યા હોય, તેને પ્રાધાન્ય અપાય અને મેરિટ પણ જળવાય, તો તે આવકારદાયક છે.
તે પહેલા સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં રૂ. પપર કરોડથી વધુની જોગવાઈઓ હેઠળ વિવિધ વિકાસકામો તથા ખર્ચ-દરખાસ્તોને મંજુરી આપી, તે સંદર્ભે પણ લોકચર્ચા સાંભળવા મળી હતી. આ મંજુર થયેલી દરખાસ્તોમાં મોટાભાગના ઈન્ફ્રાસ્ટરક્ચરના કામો હતાં, જેમાં હાપા વિસ્તારમાં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષના નિર્માણની દરખાસ્ત ધ્યાન ખેંચનારી હતી.
ઘણાં લોકો તો સૂચિત મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અથવા ઓડીટોરિયમના સૂચિત ખર્ચને તાજેતરમાં જેનું કામ સંપન્ન થયું છે, તે નગરના ટાઉનહોલના રીપેરીંગ અથવા નવીનિકરણ માટે થયેલા ખર્ચની સરખામણી પણ કરવા લાગ્યા હતાં.
આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તેના પર બહુ લક્ષ્ય અપાતું હોતું નથી, પરંતુ કબીરજીનો દોહરો યાદ રાખવા જેવો છે કે 'નિંદક સાયરે સખીયે, આંગન કૂટિ છવાઈ, બિન સાબુ-પાની બિના... પાપ તુમ્હારા ધોવાય...'!
લોકતંત્રમાં આલોચના થવી, વિરોધ દર્શાવવાો, સૂચનો કરવા, એ નાગરિકોનો હક્ક પણ છે, અને ફરજ પણ છે, અને તે સાંભળવાની શાસકોની ફરજ પણ છે, અને જવાબદારી પણ છે. આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓમાંથી ઘણી વખત ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે. આ પ્રકારના સૂચનો ઘણી વખત અભ્યાસુઓના પોઝિટિવ થિન્કીંગમાંથી નીકળતા હોય છે, તો ઘણી વખત માત્ર શ્રેષ્ઠ જ્ઞાન કે હોંશિયારી દેખાડવા માટે પણ થતા હોય છે. આ બધા વચ્ચે સમતુલન, ધૈર્ય અને હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવા જોઈએ. આજની અદ્યતન ટેકનોલોજીના દરરોજ બદલતા યુગમાં પણ ૧૮ મી સદીની માનસિક્તા ધરાવતા લોકો એક સીમિત વર્તુળમાંથી બહાર આવતા હોતા નથી, પરંતુ તેવા પોથીના પંડિતોને આદરપૂર્વક 'ઈગ્નોર' કરીને પારદર્શક જનલક્ષી અને સર્વજન હિતાય... સર્વજન સુખાય... નિર્ણયો લેવાય, તે અત્યંત જરૂરી છે, અને આ લોકતંત્રનો સિદ્ધાંત તમામ ક્ષેત્રોમાં ટોપ-ટુ-બોટમ લાગુ પડે છે. ધડમાથા વગરના વિચારોનો કોઈ મતલબ જ નથી.
લોકતંત્રમાં સોલીડ બહુમતી હોય, તો પણ વિપક્ષના માધ્યમથી પ્રગટ થતો જનતાનો અવાજ પરખીને જ યોગ્ય નિર્ણયો લેવાય, તો તે શ્રેષ્ઠ લોકતાંત્રિક શાસન ગણાય. તેવી જ રીતે તર્કવિહીન કે વેસ્ટેડ ઈન્ટ્રેસથી થતા સૂચનો કે લેવાતા નિર્ણયોને હવે જનતા પારખવા લાગી છે, જે ભૂલવું ન જોઈએ.
પંચાયતો હોય કે પાલિકા-મહાપાલિકાઓ હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી બોર્ડ-નિગમો કે અન્ય બંધારણીય સંસ્થાઓ હોય, એ વાત યાદ રાખવાની જરૂર છે કે લોકોને કાયમ માટે ભ્રમિત રાખી શકાતા નથી. આનું તાજુ ઉદાહરણ દિલ્હીમાં થયેલું સત્તા પરિવર્તન છે.
જ્યારે કોઈ સારા નિર્ણયો લેવાતા હોય અને તેને વિપક્ષ આવકારે, તે લોકતંત્રની ખૂબસૂરતી ગણાય, અને તેવા આવકારનેે શાસકો સાથે ઈલૂ-ઈલૂ કરવાના આક્ષેપો કરવા કે મિલીભગતના આક્ષેપો કરવા યોગ્ય નથી. તેવી જ રીતે વિપક્ષોની સાચી વાત, તથ્યાપક અને લોકોની લાગણીઓ સાથેનો અવાજ અવગણવો એ પણ યોગ્ય નથી.
જામનગરની મહાનગરપાલિકાએ તાજેતરમાં કચરાની ગાડીઓના વજન આધારિત બીલો બનાવવાના બદલે ફેરા આધારિત બીલો બનાવવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો આવ્યા, તેને આવકારવા જ જોઈએ. આ પ્રકારની વિપક્ષની લાગણી અને માગણીમાં જનતાના સમર્થનનું બળ પણ હતું. એવી જ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનોની પાછળ કે સાઈડોમાં કોથળા ટીંગાળવાથી ઊભી થતી પરેશાનીઓ તથા કેટલાક સ્થળે આ કોથળામાંથી ખરતા જતા કચરાથી (ઘટવાના બદલે) વધતી ગંદકીની રાવ ઊઠ્યા પછી કેટલીક કચરાગાડીઓએ સાઈડમાં કોથળા લટકાવવાનું ટાળ્યું હોય તેમ જણાય છે, પરંતુ હજુ પણ પાછળના ભાગે તો ગંદા દૃશ્યો ઊભા કરતા કચરાઓથી ભરેલા કોથળાઓ લટકાવાય છે. જોઈએ, હવે જનતાનો આ અવાજ કોના કોના સુધી પહોંચે છે તે...
ઘણી વખત લાંબી લાંબી કાનૂની કાર્યવાહીઓ કરીને ઘણો બધો સમય વેડફવાની સાથે સાથે તેની પાછળ જંગી ખર્ચાઓ કર્યા પછી નિર્ણયો લેવાના બદલે ન્યાયસંગત વાત હોય, એ પહેલેથી જ સ્વીકારી લેવામાં વાંધો શું???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે અને હવે તો શ્રમિકથી લઈને શ્રીમંત સુધી, ટ્યુશનથી પ્રાઈમ મિનિસ્ટર સુધી અને ગામડાથી લઈને ગ્લોબલ વ્યવહારોમાં લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. લારી-ગલ્લા-પથારાવાળા પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એટલું જ નહીં, શાકમાર્કેટથી લઈને શેરમાર્કેટ સુધી તથા સોનીબજારથી લઈને ગ્રેઈન માર્કેટ સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનો કોન્સેપ્ટ દસેક વર્ષ પહેલા વ્યાપક બનાવાયો અને કોરોનાકાળમાં તેને નોંધપાત્ર ઉત્તેજન પણ મળ્યું, તે પછી આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટ વધુને વધુ લોકપ્રિય બનવા લાગ્યું છે, અને તેનો સરળતાથી ઉપયોગ પણ થઈ રહ્યો છે.
હવે એવા અહેવાલો આવ્યા છે કે, યુપીઆઈ અને રૂપે દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની તૈયારી થઈ રહી હોય તો દેશના લોકો સાથે બિઝનેસમેન્સની જેમ સરકારે પહેલા ટેવ પાડીને પછી ખિસ્સા ખંખેરવાની નીતિ-રીતિ અપનાવી હોય તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ કેશલેશ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એમડીઆરનું ફૂલફોર્મ જ વ્યાપારિક અર્થ દર્શાવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફેર એટલે એમડીઆર... જો હવે સરકાર ફરીથી આ પ્રકારનો રેટ (કમિશન અથવા ચાર્જ) લાગુ કરવાની નીતિ અપનાવીને ફી માફી એટલે કે એમડીઆરમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવા જઈ રહી હોય તો એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે કે, શું સરકાર વેપારી છે?... ડિજિટલ પેમેન્ટની પહેલા ટેવ પાડીને પછી તેના પર અપાયેલી છૂટ પાછી ખેંચી લેવી, તે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ન ગણાય?... જરા વિચારો...
અહેવાલો મુજબ બેન્કીંગ સેક્ટર તરફથી કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુ હોય, તેવા બિઝનેસમેન પર એનડીઆર લગાવવામાં આવે.
જો કે, આ દરખાસ્ત હજુ સરકારે મંજુર કરી દીધી નથી, પરંતુ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સરકાર કદાચ ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ કે તેથી વધુની કરીશકે, મતલબ કે સરકાર નાના અને મધ્ય વર્ગિય વેપારી વર્ગને મુક્તિ આપીને જાયન્ટ બિઝનેસમેન પાસેથી જ એમડીઆર વસૂલવાની મંજુરી આપી શકે છે.
બેન્કીંગ સેક્ટરની દલીલ એવી છે કે જો બિઝનેસમેનો ક્રેડિટકાર્ડ, વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ પર એમડીઆર ચૂકવી રહ્યા હોય, તો યુપીઆઈ અને રૂપે પર કેમ ન ચૂકવે?
સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે એમડીઆર નાબૂદ કરી દીધો હતો, ત્યારે ઠીક હતું, પરંતુ જ્યારે કેટલાક ડિજિટલ નાણાકીય વ્યવહારો પર એમડીઆર લેવામાં આવી રહ્યો હોય તો યુપીઆઈ અને રૂપે પર પણ હવે એમડીઆર ફરીથી લાગુ કરવો જોઈએ, કારણ કે બેંકો અને અન્ય પેમેન્ટ કંપનીઓને આ સુવિધાઓ આપવા પાછળ માળખાકીય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)નો ખર્ચ કરવો પડતો હોય છે, જેની ભરપાઈ થઈ શકે.
આ અહેવાલો પછી એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે, સરકારે ખાનગિકરણની નીતિ હેઠળ ઘણી સેવાઓ ચાર્જેબલ કરી દીધી છે, અને હવે ખુદ સરકાર પણ વ્યાપારિક નીતિ અપનાવી રહી છે, તેથી ભારતના નાગરિકો સરકાર માટે સિટીઝન્સ નહીં, પણ 'કસ્ટમર' બની રહ્યા છે!
સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓ મફત હોય છે અને કેટલીક સેવાઓ માટે ટોકન ચાર્જ લેવાતો હશે, જ્યારે ખાનગી હોસ્પિટલો આ જ પ્રકારની સેવા-સુવિધાઓ કે લેબ ટેસ્ટીંગ માટે ચાર્જ વસૂલતી હોય છે. હવે સરકારી હોસ્પિટલો પણ એવો દાવો કરે કે ખાનગી હોસ્પિટલોને લોકો આ બધા ચાર્જ ચૂકવે છે, તો સરકારી હોસ્પિટલોમાં કેમ ન ચૂકવે?... તેવા પ્રકારના વ્યંગાત્મક સવાલો પણ ઊઠવા લાગ્યા છે, ત્યારે હવે સરકાર અંતે શું નિર્ણય લ્યે છે, તે જોવાનું રહે છે.
લોકોએ પણ એ સમજી લેવું પડશે કે કાંઈ તદ્ન 'મફત' મળતું નથી. તાજેતરમાં 'એપ'નું જોડાણ થયું છે, જેમાં ક્રિકેટ મેચ, ટીવી સિરિયલો વગેરે મોબાઈલ સેલફોન દ્વારા 'મફત' બતાવાશે. આ પહેલા પણ પહેલા લોકોને નિઃશુલ્ક 'ટેવો' પાડીને પછીથી તેના પર ચાર્જ લગાવીને ખિસ્સા ખંખેરવાની ખાનગી ક્ષેત્રોની બિઝનેસ પોલિસીના રવાડે ચડીને સરકાર પણ એવું જ કરશે, તો લોકોનો વિશ્વાસ વધુ ગુમાવશે, જો કે સરકાર 'મફત' આપશે, તેની વસૂલાત પણ આપણી પાસેથી જ કરશે. સરકારી ખજાનો પણ ટેક્સપેયરો જ ભરે છે ને?
ગુજરાતીમાં એક કહેવત છે કે 'વાવમાં ઉતારીને વરત કાપવું'... એટલે કે કોઈ વ્યક્તિને કોઈપણ બહાને તેમની સુરક્ષા અને પરત બહાર લાવી શકાય, તે માટે દોરડાથી કૂવામાં ઉતારવામાં આવે, અને પછી વિશ્વાસઘાત કરીને દોરડું કાપી નાંખવામાં આવે, જેથી કૂવામાં ઉતરેલી વ્યક્તિ તેમાં ડૂબી જાય, અને જીવ ગુમાવે.
બીજા અર્થમાં વરત એટલે ક્રોસ ખેંચવાનું દોરડું... વાવમાં કોસને ઉતારીને દોરડું કાપવાથી કોસ ડૂબી જાય. કૂવામાંથી પાણી ખેંચવા માટે જુના જમાનામાં કોસ ચાલતા, જેને ખેંચતા દોરડાને 'વરત' કહેવામાં આવતું. આ 'વરત'ને પકડીને જુના જમાનામાં કૂવામાં ઉતરેલા વ્યક્તિ સાથે દગાબાજી થતી, તેવું જ કાંઈક હાલમાં થઈ રહ્યું હોય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે લોકસભામાં હોબાળો થતો રહ્યો. નવી શિક્ષણ નીતિ સામે વિપક્ષના સાંસદોની તડાફડી અને મતદારયાદીઓમાં ગરબડના મુદ્દે પણ સંસદમાં પડેલા પડઘા પછી આ મુદ્દો પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાથી આગળ વધીને સરકારી ગલિયારાઓ સુધી ગૂંજી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગયા છે. ગઈકાલે આ બન્ને મુદ્દાઓ અંગે સંસદમાં કેટલીક રકઝક, કેટલાક કટાક્ષો અને કેટલીક રમૂજો પણ થતી જોવા મળી. હકીકતે આ બન્ને મુદ્દે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ તેવા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે ટકોર કરી કે મતદારયાદીઓ સરકાર થોડી જ બનાવે છે?... તેના જવાબમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષો વતી કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા કરાવવાની અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદીઓ તૈયાર કરાતી નથી, તે તેને ખબર છે, પરંતુ વિપક્ષો જો આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવા માંગતા હોય, અને સરકાર તેના પર સંસદમાં ચર્ચા કરવા ન ઈચ્છતી હોય, તેવા સંજોગોમાં અધ્યક્ષ દ્વારા તો લોકસભામાં ચર્ચાની મંજુરી તો મળવી જ જોઈએ ને?
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે આખા દેશમાં મતદાર યાદીમાં ગરબડો અંગે સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષોની સરકારો છે, ત્યાંથી આ પ્રકારની વધુ ફરિયાદો આવી રહી છે, ત્યારે વિપક્ષ માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા જ ઈચ્છે છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ મૂકીને, 'મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ગરબડોને લઈને તેમણે (રાહુલ ગાંધીએ) કરેલી પ્રેસ કોન્ફરન્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ટ્રાન્સપરન્સીને લઈને ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે જેે માંગણીઓ કરી હતી, તે હજુ સુધી પૂરી થઈ નથી.'
ગઈકાલે કેન્દ્ર સરકાર ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું એક નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
હકીકતે તામિલનાડુ સરકાર વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે ને રાજકીય લાભ લેવા હિન્દી ભાષાનો વિરોધ કરે છે, તેવું કહેતા કહેતા મંત્રી મહોદયે ડીએમકેના સાંસદોને અપ્રામાણિક (બેઈમાન) ગણાવી દેતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તે પછી અધ્યક્ષે એ મંત્રી મહોદ્યના કેટલાક શબ્દો રેકર્ડમાંથી કાઢી નાખવાની સૂચના આપી, અને મંત્રી મહોદયે ગૃહમાં પોતાના વિવાદાસ્પદ શબ્દો પાછા ખેંચવા પડ્યા હતાં, તો બીજી તરફ ડીએમકેના સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં.
બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યારે સંસદમાં મતદારયાદીમાં ગરબડ અને કેન્દ્રની નવી શિક્ષણનીતિના મુદ્દે વિપક્ષો એકજુથ થઈને સરકારને ઘેરી રહ્યા છે, અને સરકાર બેકફૂટ પર હોય, તેમ જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષીય શિક્ષણની જે જોગવાઈ કરી છે, તેનો દક્ષિણ ભારતમાં કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તામિલનાડુના ટીએમકેના સાંસદો વધુ આક્રમક ઢબે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના સંદર્ભે ગઈકાલે સંસદમાં હોબાળા થયા હતાં.
ડીએમકેનો આક્ષેપ એવો છે કે મોદી સરકાર તેમના (તામીલનાડુ) પર હિન્દી ભાષા ધરાર ઠોકી બેસાડવા માગે છે.
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં એક સ્થાનિક ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે, જેથી ભાષા વિવાદ ખતમ થઈ જાય, તેવો સરકારનો દાવો છે, જ્યારે ડીએમકેના સાંસદો કહે છે કે મોદી સરકાર આવું કરીને તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવા માગે છે. આ મુદ્દે થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રજાના મૂળભૂત પ્રશ્નો, સમસ્યાઓ તથા મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ હવાહવાઈ થઈ ગયા હોય તેવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલો મતદાર યાદીઓનો મુદ્દો પણ ક્યાંક હોબાળાઓમાં અટવાઈ જશે, એવું કહેવાય છે ને કે, રાજનીતિમાં જે દેખાય તેવું જ બધું હોતું નથી, અને જે હોય છે, તે દેખાતું હોતું નથી. ઘણી વખત આ પ્રકારના હોબાળાઓ અસલ મુદ્દાઓ છાવરવા માટે પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માટે પણ વિશેષ પ્રકારની રણનીતિઓ અપનાવતી હોય છે. વિપક્ષોનો સવાલ છે કે સરકાર મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ચર્ચા કરવા કેમ તૈયાર નથી? ત્રિભાષિય શિક્ષણનીતિના મુદ્દે સરકાર કેમ ફીફાં ખાંડે છે?
વિપક્ષો તરફથી ઊઠાવાતા આ પ્રકારના સવાલો ઘણાં લોકોને ગમતા હોતા નથી અને આ પ્રશ્નાર્થોના જવાબો ન મળે ત્યારે પ્રક્રિયાત્મક કે પરંપરાગત રીતે તેની પ્રશ્નાર્થો સામે જ પ્રશ્નો ઊઠાવીને તેને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય, ત્યારે તેઓને પ્રશ્ન ચિન્હો ગમતા હોતા નથી, પરંતુ જ્યારે વિપક્ષમાં હોય, ત્યારે એ જ પ્રશ્ન ચિન્હોનો સહારો લેવો પડતો હોય છે. લોકતંત્રની આ જ ખૂબી અને ખૂબસૂરતી છે,. તો બીજી તરફ ઉભય પક્ષે જડતા અને સંકુચિતતાઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતી હોય છે. હમામ મેં સબ નંગે હૈ...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીની ફાયનલમાં ન્યુઝીલેન્ડને પછડાટ આપીને નવા કીર્તિમાન રચી દીધો અને દેશભરમાં ક્રિકેટરસિયાઓ જ નહીં, પરંતુ દેશપ્રેમી નાગરિકો પણ ખુશીથી જુમી ઊઠ્યા હતાં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની અને વન-ડે એટલે કે ઓડીઆઈના 'મીની' વર્લ્ડકપ તરીકે પ્રચલિત આ ક્રિકેટ શ્રેણી જીતીને ભારતે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી. હવે ક્રિકેટ રસિયાઓ ધમાકેદાર ટકાટક ક્રિકેટ ટુર્નામેનટ આઈપીએલ પર નજર માંડીને બેઠા છે.
ચેમ્પિયન શ્રેણીની વિશેષતા એ રહી કે ભારતની વિજયકૂચ અણનમ રહી અને લીગ મેચો, સેમિફાયનલ તથા ફાયનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો. આપણા દેશમાં હવે ક્રિકેટ ક્ષેત્રે દૂર, અંતરિયાળ, વિસ્તારોના નાના-નાના કેન્દ્રો, દુર્ગમ સ્થાનો તથા પહાડી વિસ્તારોમાંથી વિશ્વ વિક્રમ સર્જી શકે તેવા ક્રિકેટરત્નો મળી રહ્યા છે. આપણા બેટધરો વૈશ્વિક ઉચ્ચ કક્ષાની હરોળમાં રહે છે, અને હાલની આપણી ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ) માં ઓપનરો તેજરીતે છે, મીડલ ઓર્ડર પણ મજબૂત છે અને ઓલારાઉન્ડરોની ભરમાર છે. તો બીજી તરફ બોલરો પણ વિશ્વકક્ષાની ઝળહળતી સફળ મેળવી ચૂક્યા હોય તેવા છે, અને દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. હવે તો ફિલ્ડીંગ પણ ઘણી જ મજબૂત થતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦૧૩ માં ભારતે બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રનનો વિક્રમ પણ સર્જ્યો છે. આ પહેલા વર્ષ ર૦૦૦ માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાયનલ મુકાબલો થયો હતો, પરંતુ તેમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી દીધું હતું. તે વખતના ભારતીય કપ્તાન ગાંગુલીના ૧૧૭ રન પણ એળે ગયા હતાં. ગઈકાલની મેચમાં વિરાટ કોહલી તદ્ન સસ્તામાં આઉટ થવા છતાં અન્ય બેટ્સમેનોએ રોહિત શર્માની ૭૬ રનની તોફાની ઈનિંગ પછી નોંધપાત્ર રન કર્યા હતાં, જો કે સમયાંતરે ભારતની વિકેટો પડતી હોવાથી ફાયનલ મેચ ઘણો રોમાંચક રહ્યો જ હતો.
આ વિજય થયા પછી રોહિત શર્માએ એવી ચોખવટ પણ કરી દીધી કે તે હાલ તુરત વન-ડે માંથી રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યો નથી, અને આ પ્રકારની ચાલતી વાતો માત્ર અફવા છે.
ભારતીય ટીમના વિજયના દેશભરમાં ધમાકેદાર ઉજ્જણી થઈ અને ફટાકડા ફૂટ્યા. માત્ર શહેરોમાં જ નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ઢોલ-નગારા સાથે એકબીજાના મીઠા મોઢા કરાવીને ભવ્ય ઉજવણી કરી. જામનગર સહિતના રાજ્યના શહેરી વિસ્તારમાં લોકોએ આતશબાજી તથા નૃત્ય કરીને ટીમ ઈન્ડિયાના આ વિજયને વધાવી લીધો, ધોની પછી બારવર્ષે રોહિત શર્માએ મેળવેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ધૂમ દેશભરમાં સવારોસવાર ગૂંજતી રહી.
દેશના દિગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ ઉપરાંત રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. આજે પણ સવારથી જ દેશભરમાં ચોરે ને ચૌટે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેળવેલી શાનદાર જીતની જ ચર્ચા થઈ રહી છે, અને પ્રેસ-મીડિયામાં પણ વિજયના વધામણા સાથે વિવિધ વિશ્લેષણો થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દેશમાં જાણે દીપોત્સવી ઉજવાઈ રહી હોય તેવો માહોલ હતો.
આ મેચમાં રાબેતામુજબ અપાતા પ્લેયર ઓફ ધ મેચ, ઓવર ઓફ ધ સિરિઝ વગેરે સન્માનો ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ગોલ્ડન બેટ એવોર્ડ મેળવ્યો. તેમને આ એવોર્ડ ચાર મેચમાં ર૬૩ રન બનાવ્યા, અને આખી ટુર્નામેન્ટમાં બે વખત સદી ફટકારીને રોહિતની સિદ્ધિઓ બદલ અપાયું હતું, જ્યારે પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બન્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના શ્રેયસ ઐય્યર, ઈંન્ગલેન્ડના બેટ્સમેન બેન ડકેટ, ઈંગ્લેન્ડના જો રૂટ અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારની શ્રેણી ટોપ-ફાઈવમાં રમ્યા છે.
આજે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં કોંગ્રેસના સંદર્ભે રાહુલ ગાંધી અને તેના અનુસંધાન કોંગી નેતા દિગ્વિજયસિંહજીના નિવેદનો, મહાકુંભમાં ગંગાસ્નાન અંગે રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, અંબાલાલની નવી આગાહી, શરૂ થનારૂ સંસદીય સત્ર, પહેલી એપ્રિલથી થનારા મોટા ફેરફારો, સનાતન ધર્મ અને મોરારીબાપુનું નિવેદન, જલાબાપા અંગે એક સ્વામી સંતની બદજુબાની પછી વીરપુરમાં માફી માંગ્યા પછી રઘુવંશીઓ દ્વારા આ પ્રકરણ પર ફૂલસ્ટોપ મૂકવાની જાહેરાતને દરિયાદિલી તથા મિશ્ર ઋતુની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ આજે વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે અને ભારતમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટોના કારણે વિશ્વભરની ટીમો જાણે ભારતીય ક્રિકેટનો જ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય તેવી અદ્ભુત એકાત્મતા ઊભી થઈ રહી છે અને ખેલભાવના વિકસી રહી છે, તે સારી વાત છે, પરંતુ ક્રિકેટ પર ગેરકાનૂની રીતે ચોરેને ચૌટે જાહેરમાં રમાતો જુગાર, એ આવનારી પેઢીના વિકાસમાં રૂકાવટ તથા ઘણાં વર્તમાન પરિવારની બરબાદીનું કારણ બની રહ્યો છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની નથી, પરંતુ વિવિધ સમાજો તથા ખાસ કરીને ભદ્ર સમાજના લોકોએ આ માટે જાગૃતિ ઝુંબેશો ચલાવવી જોઈએ, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ નારીશક્તિ પૂજાય છે, અને દુનિયાનો સૌથી લાંબો, મોટો અને અજાયબી સ્વરૂપ મનાતો નવરાત્રિ મહોત્સવ માતા આદ્યશક્તિના વિવિધ સ્વરૂપો પ્રત્યેની માતૃભક્તિનો જ મહોત્સવ છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને પૂજનિય ગણાવામાં આવે છે, અને મહિલાઓ પ્રત્યેનું સન્માન આપણી પ્રાચીન સંસ્કૃતિની મૂળભૂત ધરી છે. આપણા દેશમાં ઘણાં નારીરત્નો પાક્યા છે, અને અધર્મ, આસુરી શક્તિઓ અને અન્યાય સામેની લડતથી માંડીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી પણ મહિલા અધિકારો તથા માનવતા માટે સમર્પિત મહિલાશક્તિઓના અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિની તવારીખમાં ભરેલા પડ્યા છે. આપણે નારીશક્તિને મહાન માનીએ છીએ અને નારીને નારાયણીનો દરજ્જો આપીએ છીએ. તેમ છતાં કેટલાક વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની બીભત્સ હરકતોના કારણે આપણા જ દેશમાં દૂષ્કર્મોની ઘટનાઓ બનતી રહે છે. હજુ પણ પુત્રવધૂ અને દીકરી વચ્ચે ઘણાં સ્થળે ભેદભાવ રખાય છે. હજુ પણ સાસરિયામાં ત્રાસ અપાત હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. એટલું જ નહીં, હજુ પણ બાળલગ્નો કરીને કુમળીવયની કન્યાઓનું બાળપણ અને શિક્ષણ છીનવી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે, તે આપણી પ્રાચીન સંસ્કૃતિની શક્તિ ઉપાસનાની ભાવના પર કલંક સ્વરૂપ નથી? આજે મહિલા દિને મહિલાનું મહિમાગાન કરવાની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરફ પણ દૃષ્ટિપાત કરીને એક સામાજિક આંદોલન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?
બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વડાપ્રધાને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મિટિંગો-સભાઓ કરી, લોકાર્પણો કર્યા અને રોડ-શો કર્યો, અને આજે જી-મૈત્રી, જી-સફલ જેવી મહિલા અને ગ્રામ્ય લક્ષી યોજનાઓનું નવસારી જિલ્લાના વાંસી-બોરસી ગામેથી લોન્ચીંગ કર્યું, એ ઉપરાંત સ્વસહાય જુથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડાચારસો કરોડથી વધુ સહાય પહોંચતી કરાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે, અને લખપતિ દીદીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજી તરફ ગુજરાતમાં આગામી આઠમી એપ્રિલની આસપાસ યોજાનારા કોંગ્રેસ અધિવેશનની પૂર્વતૈયારી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસની જવાબદારીઓ વધી ગઈ છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને આગામી કોંગી અધિવેશન દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે, અને ગુજરાતની પ્રાદેશિક નેતાગીરીથી લઈને ગ્રામ્ય-શહેરોની કક્ષા સુધીના તમામ સ્તરે મહિલા નેતાઓ-કાર્યકરોની સહભાગિતા વધારવાની રણનીતિ ઘડાઈ રહી હોય, તો તે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાંકળનો એક આવકારદાયક યોગાનુયોગ જ ગણાય ને?
આજે મહિલાઓ પુરુષ સમોવડી તો બની જ ગઈ છે, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે, તેવો નોબતના લેખિકા દિપાબેન સોનીનો અભિપ્રાય તાદ્શ્ય થતો હોય, તેમ આજે પ્રેસ-મીડિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને પ્રગતિની વાહવાહી થઈ રહી છે. પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓ-મહિલા પોલીસકર્મીઓનો સપાટો, મહિલા કન્ક્ટરોની સાહસિક તથા નિષ્ઠાપૂર્વકની ફરજો, શિક્ષિકાઓ અને મહિલા પ્રાધ્યાપકો, બેન્કીંગ સેક્ટર, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર અને દરિયાઈ સાહસોથી માંડીને ભારતીય સેનાની ત્રણેય પાંખો સુધી પહોંચી રહેલી નારીશક્તિ તથા સ્પેસમાં પહોંચેલી સુનિતા વિલિયમ્સ સહિતના ગૌરવભેર ગુણગાન ગવાઈ રહ્યા છે. જે દેશ-દુનિયામાં પાતાળથી અંતરીક્ષ સુધી વધી રહેલા નારીક્તિની ગૌરવ ગાથાઓ જ છે ને?
રાજકીય ક્ષેત્ર પણ મહિલાઓની સહભાગિતા વધી રહી છે. હાલાર સહિત ગુજરાતમાં ઘણી ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં સભ્યો છે. હાલારમાંથી સંસદમાં પૂનમબેન માડમ અને ધારાસભામાં રિવાબા જાડેજા જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર સંસદસભ્ય ચૂંટાયા, તે પણ મહિલા સાંસદ ગનીબેન ઠાકોર છે. મહાનગરોનગરો-શહેરોમાં મહિલા કોર્પોરેટરો તથા ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યો પણ હવે પોતેજ સક્રિયતાથી વિકાસ પ્રક્રિયાના સહભાગી બની રહ્યા છે. કેટલીક આખેઆખી ગ્રામપંચાયતો પણ મહિલાઓ ચલાવી રહી છે. સખીમંડળો-સ્વસહાય જુથોના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ નારીશક્તિને અદ્ભુત સફળતાઓ મળી રહી છે. સુરક્ષાદળોથી લઈને ગુપ્તચર સંસ્થાઓ સુધી મહિલાઓ સક્રિય કે પરોક્ષ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહી છે. ઘણી મહિલાઓ ઘર પણ સારી રીતે ચલાવે છે, અને ઉચ્ચ હોદ્દો, ઉદ્યોગ-વ્યાપાર કે વ્યવસાય પણ સારી રીતે સફળતાપૂર્વક નિભાવે છે, તે ગૌરવપૂર્ણ છે.
મહિલાઓના પતિઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ જગ્યાએ શપથ લીધા હોવાની ઘટનાના અહેવાલો વાયરલ થયા પછી સરપંચપતિ (એસ.પી.) ની ચર્ચા ફરીથી થવા લાગી છે અને ચૂંટાયેલા મહિલા સરપંચો, સભ્યો, કોર્પોરેટરો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના બદલે મિટિંગ, કાર્યક્રમો અને ઓફિસના વહીવટમાં પણ તે મહિલા જનપ્રતિનિધિના પતિ (ક્યારેક ભાઈ, પિતા કે પુત્ર કે અન્ય પરિવારજન) હાજર રહેતા હોય કે હસ્તક્ષેપ કરતા હોય તેવા દૃષ્ટાંતો બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ તેના કોઈપણ પરિવારજનોને આવો હસ્તક્ષેપ કરવા દેતા હોતા નથી, તેવું પણ બને છે.
આપણા દેશના રાષ્ટ્રપતિ અત્યારે એક આદિવાસી મહિલા છે. આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદો, જેવા કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા-રાજ્યસભાના સભાપતિ અને મુખ્યમંત્રી તથા ગવર્નર-લેફ્ટનન્ટ ગવર્નર જેવા હોદ્દાઓ પર મહિલાઓએ નિભાવેલી ગરિમાપૂર્ણ જવાબદારીઓ પણ આજે યાદ કરવી જ પડે...
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એ પણ સ્વીકારવું પડે કે એક તરફ અનેક મહિલાઓ સિદ્ધિઓની ઊંચી ઊડાન ભરી રહી છે, તો બીજી તરફ ઘણી મહિલાઓનું શોષણ પણ થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, બાળવિવાહ થઈ રહ્યા છે, ચાઈલ્ડ ટ્રાફિકિંગથી લઈને દેહવ્યાપાર સુધીની બદીઓમાં કુમળી કન્યાઓથી લઈને ઘણી મજબૂર મહિલાઓ પિસાઈ રહી છે. આ અસમતુલાને સમાપ્ત કરવી પડશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીશક્તિને કોટી કોટી વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક થઈ, અને દેવભૂમિ દ્વારકા જિલલાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી રિપિટ થયા છે, જેની ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રેસ મીડિયા દ્વારા વિવિધ વિશ્લેષણો સાથે ટિપ્પણીઓ થઈ રહી છે, તો વિપક્ષી વર્તુળોમાં કટાક્ષવાણી સંભળાઈ રહી હોય, તે સ્વાભાવિક છે.
આવતીકાલે મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે તે પહેલા જ જામનગરના શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બન્યા, તેને નગર તથા મહિલાઓના ગૌરવ તરીકે ગણાવાઈ રહ્યું છે.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક પછી એવી ટકોર પણ થઈ રહી છે કે હવે 'નગરની મનની વાત' પણ 'ઉચ્ચકક્ષા' સુધી સરળતાથી પહોંચી શકશે... ખરૃં ને?... સમજદાર કો ઈશારા બહોત!!
એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવા હોદ્દેદારોની ઉજવણી ભાજપ દ્વારા થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત તરફ આવી રહેતી હોવાથી ગુજરાતમાં નેશનલ પોલિટિક્સ પણ ચર્ચાની એરણે ચડ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષો પણ પરાજય પછી વધુ સક્રિય થઈને સંગઠનને મજબૂત બનાવવા વધુ સક્રિય થઈ રહેલા જણાય છે.
આજે કોંગી નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે અને હવે રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન બેઠકો યોજીને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જુસ્સો વધારવો, અને સંગઠનની બુનિયાદ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે, તેવા મીડિયા અહેવાલો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત આજથી ગુજરાતની મુલકાતે છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભાજપના બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ વીક-એન્ડમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને ગુજરાત બારકાઉન્સિલના એક મેગા પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
આમ, રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નજીકમાં કોઈ ચૂંટણી નહીં હોવા છતાં કાંઈક મોટું રાજકીય ગણિત મંડાઈ રહ્યું હોય, તેવી અટકળો થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ધોવાણ થયા પછી કોંગ્રેસનું સંગઠન ધરમૂળથી બદલીને મજબૂત કરવાના ફીડબેક પણ કોંગ્રેસની હાઈકમાન્ડ સુધી પહોંચ્યા પછી કદાચ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હશે, તેવી અટકળો વચ્ચે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી અથવા ખુદ રાહુલ ગાંધી તરફથી શું કહેવામાં આવે છે, કેવા નિવેદનો આવે છે અથવા વિશેષ પ્રેસકોન્ફરન્સ યોજીને પ્રેસ-મીડિયાને શું જણાવવામાં આવે છે, તેના પરથી કોંગ્રેસની ગુજરાતને લઈને આગામી રણનીતિ તથા વ્યૂહરચનાનો અંદાજ આવી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસ પછી હવે કોંગ્રેસને નવેસરથી સમિકરણો રચવા પડી રહ્યા હોય તેમ જણાય છે.
જો કે, ભાજપમાં પણ બધું બરાબર નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ પછી રાષ્ટ્રીય કક્ષાએ નવા પરિપ્રેક્ષ્યમાં ભાજપ મજબૂત થયું, પરંતુ જાણે કે ભરતી મેળા યોજ્યા હોય, તેમ વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા પછી ભાજપમાં આંતરિક જુથવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
સુરેન્દ્રનગરના થાનમાં ફરીથી મગફળીનું ગોડાઉન સળગી ઊઠ્યું અને ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિપુલ જથ્થો ખાખ થઈ ગયો, તે દુર્ઘટનાએ ભૂતકાળના અગ્નિકાંડોની યાદ તાજી કરાવી દીધી છે. મગફળીના કૌભાંડોને ઢાંકવા આ આગ લગાડાઈ છે કે અગ્નિકાંડ જ એક કૌભાંડ છે, તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.અધિકારીઓ-કૌભાંડિયાઓની મિલીભગત છે, ખરેખર કોઈ શુદ્ધબુદ્ધિપૂર્વકની ભૂલ થઈ ગઈ છે કે પછી ટોપ ટુ બોટમ સુધી સડો પેશી ગયો છે, તે તો તટસ્થ તપાસ પછી જ ખબર પડશે ને?
આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે દિલ્હીની ભાજપ સરકારે ચૂંટણીના વાયદા મુજબ મહિલાઓના ખાતામાં રૂ. અઢી હજાર જમા કરાવવાની પ્રક્રિયા અંગે અપનાવેલી રણનીતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત અને રોડ-શો વગેરે કાર્યક્રમોની સાથે સાથે ભારતીય જનતા પક્ષની આંતરિક રણનીતિ તથા વ્યૂહરચના માટે થઈ રહેલી હલચલની અટકળ વચ્ચે કાંઈક નવું થાય, અથવા કાંઈક મોટું કદમ ઊઠાવાય, કે મોટા ફેરફારો થાય, તેવી પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
હાલારમાં નગરપાલિકાઓના નવા હોદ્દેદારો તથા તે પછી ભાજપના નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતરે, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓની ઘટ અંગે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે, અને રાજ્યમાં અદ્યતન શિક્ષણની હાંકવામાં આવતી ગુલબાંગોની ટીકા સાથે સરકારની જ આંકડાકીય વિગતોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
અહેવાલો તો એવા છે કે, હાલારમાં સરકારી સ્કૂલોમાં ૬ર૮ વર્ગખંડોની ઘટ, જેમાં જામનગરની દોઢસો જેટલી સ્કૂલમાં ૩ર૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૧૦ સરકારી સ્કૂલોમાં ૩૦પ વર્ગખંડોની અછત છે. કેટલાક જિલ્લાઓમાં તો સેંકડો ઓરડાઓ એટલા જર્જરિત છે કે બાળકો કદાચ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હશે.
સંખ્યાબંધ શાળાઓમાં ઓરડાઓ ઘટે છે, તો ઘણી સ્કૂલોમાં જર્જરિત વર્ગખંડો છે, તેવી આંકડાકીય માહિતી ઉપરાંત રાજ્યમાં શિક્ષકોની પણ ઘટ હોવાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકારવું પડ્યું છે. સરકાર એવી દલીલ કરે છે કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાનસહાયકોની ભરતી કરીને શિક્ષણને બહેતર બનાવાઈ રહ્યું છે, અને કેટલીક સરકારી શાળાઓ તો એટલું સુંદર કામ કરી રહી છે કે ખાનગી સ્કૂલમાંથી સદ્ધર પરિવારોના બાળકો પણ સરકારી સ્કૂલો તરફ આકર્ષાઈ રહ્યા છે.
બીજી તરફ એવી વિગતો પણ બહાર આવી રહી છે કે હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. દ્વારકા જિલ્લામાં ૧ર૦૦ થી વધુ અને જામનગર જિલ્લામાં ૮૦૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. એવી જ રીતે ગીરસોમનાથમાં પણ ર૦૦ થી વધુ શિક્ષકો ઘટે છે.
શિક્ષણ જગતના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તેની સામે માત્ર પ૦૦ જેટલા જ્ઞાનસહાયકોની જ ભરતી કરવામાં આવે છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો પૂરા સવાસો જ્ઞાન સહાયકો પણ નિમાયા નથી. આ આંકડાઓ સરકારના વિવિધ દાવાઓની પોલ ખોલી નાંખે છે, તેમ નથી લાગતું?
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં જણાવાયું કે ૩૧ મી ડિસેમ્બરની સ્થિતિમાં રાજ્યમાં ૩૩૭ ગવર્મેન્ટ પ્રાયમરી સ્કૂલ્સમાં માત્ર એક જ ઓરડો છે. સરકારી જવાબ મુજબ કેટલીક શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી છે, અને કેટલીક શાળાઓમાં વધુ ઓરડાઓ બાંધવાની જમીન ઉપલબ્ધ નથી. કેટલીક એવી સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષકો ઓછા છે. આ ખૂટતી કડીઓ માટે સરકાર ઝડપભેર કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરાયો હતો.
કોંગ્રેસ જ નહીં, સત્તાધારીપક્ષના ધારાસભ્યો પણ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે પોતાના વિસ્તારની સુવિધાઓ સહિતના રાજ્યવ્યાપી પ્રશ્નો કરી રહ્યા છે. એક ભાજપી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારી જવાબ ચોંકાવનારો હતો. સરકારે સ્વયં સ્વીકાર્યું કે છોટા ઉદેપુર જિલ્લામાં બસ્સોથી વધુ સ્કૂલ્સમાં ફોલ્ડીંગ વર્ગખંડો છે. જર્જરિત ઓરડાઓની ફરિયાદ કરીને ત્યાંની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ નવા ઓરડાઓની પ્રપોઝલ જ કરી નથી!
વિપક્ષી ધારાસભ્યોનો આક્ષેપ એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે ઝડપભેર કામોની મંજુરી આપતી હોતી નથી, જ્યારે જનપ્રતિનિધિઓ માટે વાહનો ખરીદવા હોય, ભથ્થા વધારવા હોય કે તેઓના નિવાસ કે સુખ-સગવડતાની સુવિધાઓ કે અદ્યતન સાધન-સામગ્રી ખરીદવી હોય, ત્યારે ફટાફટ મંજુરીઓ મળી જતી હોય છે. આવું શા માટે?
એ પણ હકીકત છે કે બે-ત્રણ દાયકાઓ પહેલા સરકારી સ્કૂલો તથા શિક્ષણની જે સ્થિતિ હતી, તેમાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ તેમાં કેટલાક જાગૃત ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સરપંચોની જાગૃતિનો સિંહફાળો રહ્યો છે. જે વિસ્તારની નેતાગીરી શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહે છે ત્યાં સરકારી સ્કૂલો સહિતની મૂળભૂત જરૂરિયાતોના કામોની મંજુરી પણ ઝડપથી મળતી હોય છે, અને કામોનું નિર્માણ પણ સમયસર અને ગુણવત્તાસભર થતું હોય છે, ખરૃં કે નહીં?
એક કહેવત છે કે 'આગેવાન આંધળો, તેનું કટક કૂવામાં, કે જ્યાં નેતાગીરી નબળી હોય, ત્યાંના લોકોને મનોવાંચ્છિત સુખ-સુવિધાઓ તો નથી મળતી, ઉલટાના પરેશાનીના પહાડ નીચે દબાઈ જવું પડતું હોય છે. જે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ પર્યાપ્ત કે સંતોષજનક ન હોય, તે વિસ્તારના જનપ્રતિનિધિઓને ઢંઢોળવાની જરૂર છે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષના હોય કે અપક્ષ હોય, ખરૃં કે ખોટું?
ગુજરાતમાં 'નકલી'નો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે નકલી અથવા ડમી વિદ્યાર્થીઓનો મુદ્દો પણ એક વખત ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એસબીએસઈ દ્વારા ઓચિંતી તપાસ કરીને ૧૪ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ પકડાતા તેની માન્યતા રદ્ થઈ ગઈ હોવાની ઘટના જ રાજ્યમાં ચાલતા લોલંલોલની પોલ ખોલે છે. કેન્દ્રિય સ્કૂલોમાં અપાતા શિક્ષણ તથા તેની દેખરેખની જેની જવાબદારી હોય છે, તે જિલ્લા શિક્ષણ ખાતાને જાણ કર્યા વિના જ કેન્દ્રિય ટીમે રેડ પાડી હોવાનો ઘટનાક્રમ જ એવું પૂરવાર કરે છે કે, એસબીએસઈને રાજ્યના શિક્ષણતંત્ર પર વિશ્વાસ જ નથી અને ડમી વિદ્યાર્થીઓ પકડાયા, તે તેનો પુરાવો પણ છે ને?
એવું કહેવાય છે કે રાજ્યના શાળા સંચાલકો તરફથી પણ ડમી સ્કૂલો તથા ડમી વિદ્યાર્થીઓ અંગે રાજ્ય સરકારના તંત્રોને ચેતવવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ધ્યાન જ આપ્યું નથી. શું આ લાપરવાહી છે, આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ છે કે પછી મિલીભગત છે, તે તો ઊંડી તપાસ થાય તો જ ખબર પડે ને... દલા તરવાડીની વાર્તા જેવું બની રહ્યું હોય તેમ લાગે છે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત જનાદેશ સાથે ચૂંટાયેલા હોવાથી તેની અને અમેરિકાની તાકાત વધી છે અને આજે તેમણે અમેરિકન કોંગ્રેસને સંયુક્ત સંબોધન કરતા જુસ્સાપૂર્વક 'અમેરિકા ઈઝ બેક' જેવા શબ્દો સાથે કહ્યું કે, હવે અમેરિકા સાચી દિશામાં જઈ રહ્યું છે, અને દેશનો સૂવર્ણકાળ શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કર્યા પછી તરત જ ૧૦૦ જેટલા વહીવટી આદેશો પર હસ્તાક્ષર કર્યા તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે અમેરિકામાં 'ફી સ્પીચ' એટલે કે અભિવ્યક્તિની આઝાદીની વાપસી થશે.
ટ્રમ્પના આજના ભાષણ પર આખી દુનિયાની નજરો મંડાયેલી હતી. જેવી રીતે ભારતમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથવિધિ પછી સંસદને પ્રથમ સંબોધન કર્યું તેવા જ અંદાજથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકન સંસદને સંબોધી રહેલા જણાયા હતાં, અને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્રત્યેક દિવસ અમેરિકન માટે છે. તેમણે પણ પૂર્વની વિપક્ષની સરકારની ટીકા કરી અને પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા.
આજના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પર માત્ર અમેરિકા જ નહીં, પરંતુ આખી દુનિયાની નજર હતી. ટ્રમ્પના આજના ભાષણ પરથી જ અમેરિકાની વૈશ્વિક રણનીતિ, યુદ્ધો તથા ટેરિફના કડક નિર્ણયો પછીના ટ્રમ્પની કેવી અર્થનીતિ તથા સંરણનીતિ હશે, તેના પર પણ આખી દુનિયાની નજર હતી. યુક્રેનની મદદ બંધ કરી અને ત્રણ દેશોના ટેરિફ વધાર્યા પછી હવે ટ્રમ્પ ભારત સહિતના મિત્રદેશો સાથે કેવું વલણ અપનાવશે, તેના સંકેતો પણ ટ્રમ્પના આજના ભાષણમાંથી મળવાના હતાં.
એક દાયકા પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેને જે જનાદેશ મળ્યો હતો, તેના કરતા આ વખતે પ્રચંડ જનાદેશ મળ્યો હોવાથી તેનો જુસ્સો વધ્યો છે. વર્ષ ર૦૧૪ પછી વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જ પ્રકારનો પ્રચંડ જનાદેશ મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ એનડીએની બહુમતિ પર બન્યા છે, જ્યારે ભાજપની બેઠકો બહુમતી સુધી પહોંચી શકી નથી, તેનો ઉલ્લેખ કરીને ઘણાં લોકો ટ્રમ્પ અને મોદીની કાર્યપદ્ધતિ, લોકપ્રિયતા અને મક્કમતાની સરખામણી પણ કરવા લાગ્યા છે અને હવે તે પ્રકારના વિશ્લેષણો પણ પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળશે.
ટ્રમ્પે તેમના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનની આકરી ટીકા કરી અને ઈલોન મસ્કની ભરપૂર પ્રશંસા કરી. તેમણે ડિમોક્રેટ્સની નીતિઓની આલોચના કરી અને પોતાના પક્ષના સ્વાભાવિક રીતે જ પેટ ભરીને વખાણ કર્યા.
ટ્રમ્પના ભાષણમાંથી તેમની હવે પછીની રણનીતિ તો ઝલક જ હતી, પરંતુ કેટલાક તદ્ન નવા અભિગમોનો અણસાર પણ જોવા મળ્યો હતો. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને ભ્રષ્ટ ગણાવી, યુનોના માનવાધિકાર પંચ તથા પેરિસ ક્લાઈમેટ કરાર, ગ્રીન ન્યુ સ્કેમ તથા ઈ.વી. વાહનોને લગતી અમેરિકન પોલિસી હેઠળના નિયમો વગેરે અંગે જે કાંઈ નિર્ણયો લીધા તેની વૈશ્વિક અસરો પડવાની છે. એટલું જ નહીં, અમેરિકા તરફથી કેટલાક ગરીબ દેશોને મળતી વિવિધ પ્રકારની સહાય બંધ થઈ જશે, તેની પણ આંતરરાષ્ટ્રીય ઘેરી અસરો પડવાની છે, અને રાજકીય સમીકરણો પણ તદ્ન બદલી જશે, તે નક્કી છે.
જેવી રીતે ભારતની સંસદમાં પી.એમ. મોદીએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી હતી, તેવી જ સ્ટાઈલથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકાનો સૂવર્ણયુગ શરૂ થયો છે, અને અમેરિકનોના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે. અમેરિકા હવે નવી સફળતાઓની ઊડાન ભરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિઓને જ અનુસરશે, તેમ જણાવીને ટ્રમ્પે અમેરિકામાં હવે બે જેન્ડર જ રહેશે, તેવી જે વાત કરી, તેના સંદર્ભે પણ એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો કે, વ્હાઈટ હાઉસે પણ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોનનો વિષય 'અમેરિકન સપનાઓનું નવીનિકરણ' છે. એનો મતલબ એવો થાય કે આ સંબોધન 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણાય, પરંતુ અમેરિકન કોંગ્રેસ (સંસદ) માં કરેલું સામાન્ય સંબોધન (જનરલ સ્પીચ) જ ગણાશે.
ભારતમાં આમ તો આજે સૌથી વધુ ચર્ચા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને રસાકસીભરી સેમિફાઈનલ મેચમાં હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો, તેની થઈ રહી છે, પરંતુ આજે ટ્રમ્પના ભાષણ પછી તેની ભારત પર કેવી, કેટલી અને ક્યારથી અસરો પડશે, તેમજ ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રિપૂર્ણ સંબંધો પર નવી ટ્રમ્પ નીતિની અસરો અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે અને દરે ભારત-અમેરિકા સંબંધો ઉપરાંત બદલી રહેલા વૈશ્વિક સમિકરણો વચ્ચે ભારતની ભૂમિકા કેવી હશે, અને ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિરીતિ પ્રથમ કાર્યકાળની સરખામણીમાં કેટલી બદલી ગઈ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે.
ટ્રમ્પે ઘૂસપેઠિયાઓ ક્રાઈમ કરે છે, તેવું કહીંને ભારતીયો સહિત વિવિધ દેશોના ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને કડક સંદેશ આપ્યો છે, તેની સાથે જ અમેરિકામાં ગેરકાનૂની રીતે લાંબા સમયથી રહેતા હોય તેવા લોકોને તો ચિંતા થવાની જ છે, તેની સાથે સાથે સંબંધિત દેશો સાથેના સંબંધો તથા વૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ પણ ઘૂસપેઠ અટકાવવા અંગે ટ્રમ્પનીતિની દૂરગામી તથા તત્કાલિન અસરો પણ થવાની છે.
ટ્રમ્પે કેટલાક નિર્ણયો ભારતની કોપી કરીને લીધા હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે, તો ચીન અને ભારત સહિત અન્ય દેશો જે ટેરિફ અમેરિકાથી થતી આયાત પર લગાવે છે, તેટલો જ ટેરિફ અમેરિકા તે દેશો પર લગાવશે, તેવી ટ્રમ્પનીતિમાં કોઈ બદલાવ થયો હોય તેમ જણાતું નથી. જોઈએ... હવે શું થાય છે તે...''
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ટેકનોલોજિકલ ઈવોલ્યુએશન એટલે કે તકનિકી ક્રાંતિના કારણે માનવજીવનમાં ઘણાં બદલાવ આવ્યા છે અને અનેક પ્રકારની સુવિધાઓ વધી છે. એક સમય એવો હતો, જ્યારે બેન્કીંગ સુવિધાઓ માટે બેંકોમાં જઈને લાંબી કતારમાં બેસવું પડતું અથવા ઊભવું પડતું અને નાણા જમા કરાવવા, ઉપાડવા કે ડ્રાફ્ટ કઢાવવા માટે વારો આવે, તેની રાહ જોવી પડતી. આજે આ લાઈનો ઘટી રહી છે અને નેટબેન્કીંગ વધી રહ્યું છે. તેનું કારણ કોમ્પ્યુટરાઈઝ ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ પછી હવે ઝડપભેર વિસ્તરી રહેલી સ્માર્ટ ફોન ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ છે.
નેટબેન્કીંગમાં સાયબર ફ્રોડથી સાવચેત પણ રહેવું પડે અને અધુરા જ્ઞાનના કારણે કદાચ અટવાવું પડે, પરંતુ જો પૂરેપૂરા સેફગાર્ડઝ સાથેની નેટબેન્કીંગ ટેકનિનો ઉપયોગ કરવામાં આવે, તો નેટબેન્કીંગ ઘણું જ સરળ થવા લાગ્યું છે. ફોન દ્વારા નેટબેન્કીંગ અત્યારે ઘેર-ઘેર પહોંચ્યું છે અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ હવે બિઝનેસ તથા અન્ય ચૂકવણીઓથી આગળ વધીને તમામ પ્રકારના ઘરેલુ નાણાકીય વ્યવહારો માટે પણ થવા લાગ્યો છે. હવે તો ગૃહિણીઓ પણ ફટાફટ ઓનલાઈન શોપીંગ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની હોમ-ડિલિવરી મેળવી રહી છે.
સ્માર્ટ ફોનને સાંકળતો દિલ્હી હાઈકોર્ટનો એક ચૂકાદો આજે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ દિલ્હીની હાઈકોર્ટે શાળાઓમાં સ્માર્ટ ફોન લઈ જવા પર સ્થાયી પ્રતિબંધ મૂકવાને અયોગ્ય કદમ ગણાવ્યું છે, અને સ્કૂલો માટે ગાઈડલાઈન્સ આપી છે.
દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે આ વલણ અવ્યવહારૂ અને અનિચ્છનિય છે. મોબાઈલ સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકવાના બદલે અદાલતે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો નિયંત્રિત ઉપયોગ થાય તે અંગે દિશાનિર્દેશો આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટની આ ગાઈડલાઈન્સ માત્ર મર્યાદિત વિસ્તાર કે કેસ રિલેટેડ સ્કૂલ માટે નહીં, પરંતુ દેશવ્યાપી અનુસરણને પાત્ર છે.
અદાલતે કહ્યું કે, આજના યુગમાં અદ્યતન ટેકનોલોજી શિક્ષણનું અભિન્ન અંગ બની ગઈ છે, ત્યારે સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ સુસંગત નથી, પરંતુ અવાસ્તવિક કદમ છે. બાળકો સ્માર્ટફોનથી પોતાના માતા-પિતાના સતત સંપર્કમાં રહી શકે છે, જરૂર પડ્યે કોઈની હેલ્પ માંગી શકે છે અને પોતાનું લોકેશન બતાવી શકે છે. તેથી તેની સિક્યુરિટી (સુરક્ષા અને સલામતી) સુનિશ્ચિત રહે છે.
અદાલતે એમ પણ કહ્યું છે કે સ્માર્ટ ફોન સાથે રાખવાની છૂટનો અર્થ એવો પણ નથી કે સતત સોશિયલ મીડિયા કે મનોરંજનમાં વ્યસ્ત રહેવું.
સ્ક્રીન પરથી નજરો હટાવી જ નહીં, અને આજુબાજુની દુનિયાને ભૂલી જઈને મોબાઈલ ફોનમાં ખોવાયેલું રહેવું કે પછી સતત ગેઈમ રમ્યા કરવી, વગેરે કૂટેવો સામે બાળકો અને વાલીઓને સાવધ કરતા કોર્ટે કહ્યું કે શક્ય હોય તો શાળામાં શિક્ષણના સમયે વિદ્યાર્થીએ પોતાના ફોન સ્કૂલ દ્વારા કરેલી વ્યવસ્થા મુજબ જમા કરાવી દેવા જોઈએ. વર્ગખંડ, પ્રાર્થના હોલ કે શાળાના વાહનોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અટકાવવા આ પ્રકારની સ્થાયી વ્યવસ્થાઓ થઈ શકે છે.
અદાલતે સ્કૂલ સંચાલકો, શિક્ષણ વિભાગ તથા સરકારને ઉદ્દેશીને જણાવ્યું કે બાળકોએ ઓનલાઈન વર્તણૂંક, ડિજિટલ મેનર્સ અને સેલફોનના લિમિટેડ યુજ અંગે કમ્પલ્સરી એજ્યુકેશન પૂરૃં પાડવાની ખાસ જરૂર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મનોરંજન માટે જ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે, તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ-બાળકો ટેકનોસેવી બને તે જરૂરી છે, પરંતુ તેઓ સેલફોન એડિક્ટ ન બની જાય, તેનો ખાસ ખ્યાલ સ્કૂલો, વાલીઓ તથા સહયોગીઓએ રાખવો જ જોઈએ.
આપણે બાળક હજુ ફીડીંગ કરતું હોય, ત્યાં તેની સામે સેલફોન ધરી દઈએ છીએ અને બાળકને ભોજન કરાવવા, રડતું છાનુ રાખવા કે પોતાના કામકાજમાં ખલેલ ન પહોંચે, તે માટે બાળકને સેલફોનમાં વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોનનો એક પૂરક સહાયકની જેમ ઉપયોગ કરીએ છીએ, તે જ બાળકને સ્માર્ટફોન એડિક્ટ બનાવી દ્યે છે અને બાળક મોટું થતા સોશિયલ મીડિયા એડિક્ટ પણ થઈ જાય છે, જેના કેટલા ખતરનાક વિપરીત પરિણામો આવતા હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો રોજ-બ-રોજ આપણી સામે આવતા હોય છે, તેમ છતાં આપણે જાગૃત થતા નથી, તે પણ હકીકત જ છે ને?
સોશિયલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ થઈ રહ્યો છે અને જનજાગૃતિનું આ મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે, પરંતુ આ જ માધ્યમનો કેટલી ભયાનક રીતે દુરૂપયોગ પણ થઈ રહ્યો છે, તેથી જ બાળકોને શિશુકાળથી જ ટેકનોસેવી બનાવીએ, પરંતુ ફોન એડિક્ટ ન થવા દઈએ તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
ખાસ કરીને નાના બાળકોના વર્ગખંડો, ટ્યુશન ક્લાસીસમાં શિક્ષકોએ અને ઘરે માતા-પિતા-પરિવારે પણ તેઓની સામે જ સ્માર્ટફોન-સોશિયલ મીડિયાના માધ્યમથી ભદુ મનોરંજન માણવાથી દૂર રહેવું જોઈએ. ટૂંકમાં બાળકોને તદ્ન પ્રતિબંધિત કરીને નહીં, પરંતુ સતત પ્રશિક્ષિત કરીને જ સ્માર્ટફોનનો સદુપયોગ કરતા શિખવી શકાય અને સ્માર્ટફોન-અયોગ્ય સોશિયલ મીડિયાની લત લાગવાથી બચાવી શકાય... રાઈટ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિન્સ ટ્રોફીની વન-ડેમાં વિજય મેળવ્યો, તેથી ગ્રુપ 'એ'માં ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી અને હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેનો વિજય ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારશે, તેની સાથે સાથે ક્રિકેટ રસિયાઓનો રોમાંચ પણ પરાકાષ્ટાએ પહોંચશે તે નક્કી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી છોટીકાશીમાં તંત્રોની દોડધામ મચી રહી હતી અને ક્રિકેટના રોમાંચની જેમ નગરમાં વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી લોકોમાં કુતૂહલ અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં જુસ્સો પણ વધી રહ્યો હતો. શાનિવારે સાંજે વડાપ્રધાને નગરમાં રાત્રિ મૂકામ કર્યો અને તે પહેલા એરપોર્ટથી સરકીટ હાઉસના માર્ગે દિગ્જામ સર્કલથી પાઈલોટ બંગલા સુધી નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું, તે પછી ગઈકાલે વડાપ્રધાને વનતારાની મુલાકાત લીધી અને સોમનાથ તરફ ગઈકાલે પ્રયાણ કર્યું.
એક તરફ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટની મોજ માણી રહ્યા હતાં, અને બીજી તરફ ગઈકાલે પી.એમ. પ્રોગ્રામ પછી તંત્રોએ સંતોષજનક રાહતનો શ્વાસ લીધો હશે. એકંદરે વડાપ્રધાનની જામનગરની મુલાકાત સંતોષજનક રીતે સંપન્ન થઈ ગઈ. તંત્રો-મીડિયા અને નેતાઓ-કાર્યકર્તાઓ વ્યસ્ત રહ્યા હતાં, અને આયોજન સમુસુતર પાર ઉતરી ગયું તેનો સંતોષ પણ વર્તાઈ રહ્યો હતો.
બીજી તરફ વડાપ્રધાનની જામનગરની મુલાકાત દરમિયાન સુરક્ષા અને સુવિધાને લક્ષ્યમાં લઈને નગરના કેટલાક માર્ગો કામચલાઉ ધોરણે બંધ કરાયા હતાં, અને તેના વિકલ્પે અન્ય માર્ગો સૂચવાયા હતાં, તેથી એરપોર્ટ અને એરફોર્સ તરફથી સાત રસ્તા થઈને ટાઉનહોલ તરફ જતા તથા આ સર્કલોને જોડતા અન્ય માર્ગોના તમામ ટ્રાફિક વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો, તે પછી ઠેર ઠેર ટ્રાફિક જામના જે દૃશ્યો સર્જાયા, તેમાંથી એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપીની સુરક્ષા માટે ચૂસ્ત બંદોબસ્ત અનિવાર્ય હોય છે, પરંતુ પબ્લિકનું ધ્યાન પણ રાખવું તો જોઈએ ને? તેવા જનપ્રતિભાવો છે.
શનિવારે વડાપ્રધાનના આગમન પહેલા જ અગાઉથી જાહેર થયેલા જાહેરનામા મુજબના નગરના માર્ગો બંધ કરી દેવાયા હતાં, અને તે પછી આ ચોવીસેય કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગોને ટ્રાફિક જાહેરનામામાં સૂચવેલા મોટાભાગના વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવતા ટ્રાફિક જામ તથા અફડાતફડીની સમસ્યા સર્જાઈ ગઈ હતી. વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક નિયમન કરવાની કે વાહનોને યોગ્ય દિશામાં વાળવા માટે માર્ગદર્શનની વધારાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા નગરજનો જ નહીં, બહારથી આવતા લોકો તથા વાહનો પણ હાલાકીમાં મૂકાયા હતાં અને લબડધક્કે ચડ્યા હતાં. તંત્રે સ્થાનિક વૈકલ્પિક માર્ગો તરીકે ઉપયોગમાં લેવાતી કેટલીક શોર્ટકટ શેરીઓમાં પાર્ક કરેલા વાહનો એક દિવસ પૂરતા હટાવ્યા હતાં, તો પણ થોડી રાહત થઈ હોત, ખરૃં કે નહીં?
આ સ્થિતિ કાંઈ નવી નથી, અને જ્યારે જ્યારે પી.એમ., રાષ્ટ્રપતિ, ગવર્નર, મુખ્યમંત્રી કે વિદેશી સત્તાવાર મહેમાનો હાલારની મુલાકાતે આવે છે, ત્યારે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, કારણકે આખું વહીવટીતંત્ર વીવીઆઈપી રૂટો પર જ ગોઠવાઈ જતું હોય છે, અને જે માર્ગો-વિસ્તારો કે સંકુલો લોકોની અવર-જવર માટે બંધ કરાયા હોય, તેના વૈકલ્પિક માર્ગો પર ડબલ ટ્રાફિક થાય, કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તેના નિવારણ માટે વધારાની વ્યવસ્થાઓ તો ઊભી કરાતી જ નથી, પરંતુ ઘણી વખત રોજીંદી વ્યવસ્થાઓને પણ પાંખી કરી નાંખવામાં આવતી હોય છે, તેથી અસંતોષ પણ થતો હોય છે કે મહાનુભાવો આવે, ત્યારે જનતા ગૌણ બની જતી હોય છે, અને લોકોને તંત્રો રામભરોસે છોડી દેતા હોય છે!
આથી જામનગર સહિતના મેટ્રોપોલિટન શહેરો તથા દ્વારકા જેવા યાત્રાધામોમાં, જ્યાં અવારનવાર વીવીઆઈપી મહાનુભાવોની અવર-જવર રહેતી હોય, તેવા સ્થળો માટે કોઈ કાયમી વીઆઈપી-વીવીઆઈપી પ્રોટોકોલ પોલિસી જિલ્લા તંત્રે કાયમી ધોરણે ઘડી રાખવી જોઈએ, તેમ નથી લાગતું?
નગરની મુલાકાતે આવનાર વીઆઈપી કે વીવીઆઈપીને મળેલી સુરક્ષા વ્યવસ્થાની શ્રેણી, રૂટ, રોકાણ, કાર્યક્રમોનો પ્રકાર, (રોડ-શો, સભા કે મિટિંગ, રાત્રી મૂકામ વગેરે), આવનાર મહાનુભાવો તથા સ્થાનિક મહાનુભાવોની સંખ્યા, હાજર રહેનાર પબ્લિકની અંદાજીત સંખ્યા, સંભવિત રોકાણ અને આકસ્મિક રોકાણ કે કાર્યક્રમમાં સંભવિત ફેરફાર વગેરે તમામ પાસાઓ તથા તેમાં બંદોબસ્ત માટે માનવબળ તથા સાધનોનું માઈક્રોપ્લાનિંગ કરીને તેના સંદર્ભે સ્થાનિક પરિવહન, નગરજનો કે પ્રજાજનો તથા બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો (માત્ર એમ્બ્યુલન્સ નહીં, તમામ પ્રકારના દર્દીવાહક વાહનો), સ્મશાન યાત્રાઓ, મંગલ પ્રસંગો, વરઘોડાઓ તથા કેટલાક ખાસ દિવસોમાં નિયમિત રીતે પરંપરાગત્ ધાર્મિક-સામાજિક યાત્રાઓ વગેરેને અડચણ ઊભી ન થાય, તેવી રીતે વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ સમયે પૂર્વ-નિર્ધારિત માર્ગો (રૂટ) નક્કી કરવા જોઈએ, અને પ્રતિબંધ મૂક્યા પછી લોકોને ઓછામાં ઓછી પછીના વૈકલ્પિક માર્ગો પર પૂરેપૂરી ટ્રાફિક નિયમન, સુરક્ષા, સુવિધા, તથા માર્ગદર્શનની વિવેકપૂર્ણ વ્યવસ્થાઓ થઈ શકે, તેવું કાયમી સ્થિતિસ્થાપક પ્લાનિંગ તૈયાર રાખવું જોઈએ, અને વૈકલ્પિક વ્યવસ્થાઓનું માઈક્રોપ્લાનિંગ વીવીઆઈપી કે વીઆઈપી માટે થતા પ્લાનિંગની સમકક્ષ અને તેટલી જ ગંભીરતાથી થવું જોઈએ, ખરૃં કે નહીં?
આ પ્રકારે ઘડાયેલા કાયમી વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ પરમેનન્ટ પ્રોટોકોલથી તંત્રોને પણ જે-તે સમયે દોડધામ ઓછી થઈ શકે છે.
પબ્લિકને અસહ્ય પરેશાની થાય ત્યારે લોકોનો અણગમો, અસંતોષ કે આક્રોશ તો જે-તે વીઆઈપી-વીવીઆઈપી મહાનુભાવો પ્રત્યે જ પ્રગટતો હોય છે, તેની નોંધ લઈને સ્થાનિક સંબંધિત નેતાઓ-આગેવાનો અને આયોજકોએ પણ આ પ્રકારના કાર્યક્રમો સમયે નગર કે સંબંધિત વિસ્તારની આમજનતા સમાન મહત્ત્વ આપીને કાયમી આયોજન ઘડી રાખવું જોઈએ, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, અને બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી તેઓ ફરીથી સાત-આઠ માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યારે બીજી તરફ લગભગ ૬ દાયકા પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. આજે અને કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતમાં છે. તેઓ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે હતાં. ગૃહમંત્રીની ગુજરાતના વધી રહેલા પ્રવાસો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અઠવાડિયા જેટલા સમયમાં ગુજરાતની બે દિવસની મુલાકાત ઘણી જ સૂચક છે, અને ગુજરાતમાં કાંઈક 'મોટું' થવા જઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપમાં તો ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર થવાના છે તે નક્કી જ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સર્વોચ્ચ નેતાગીરીના ગુજરાતના પ્રવાસો અચાનક વધી રહ્યા છે, તે જોતા તો એવી અટકળો થવા લાગી છે કે માત્ર રાજ્યમાં ભાજપના સંગઠનમાં જ નહીં, પરંતુ સરકારમાં પણ કાંઈક નવાજુની થઈ શકે છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો ઠીક-ઠીક કામ કરી રહેલી જણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં છૂપો અસંતોષ તથા સરકાર સામે ધીમી ગતિએ ઊભી થઈ રહેલી એન્ટી-ઈન્કમબન્સીના ફીડબેક મળ્યા હશે, અને તેથી જ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ પોતાના હોમસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે, તેવી ગુસપુસ પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી હોવાનું ચર્ચાય છે.
પ્રયાગરાજમાં કુંભમેળો સંપન્ન થયો કે તરત જ ગુજરાતમાં શરૃ થયેલી હલચલ જોતા ટૂંક સમયમાં રાજ્યમાં રાજનીતિનો કુંભમેળો ભરાશે, તેમ જણાય છે. અત્યારે ગુજરાતમાં કેન્દ્રિય મંત્રીઓના પ્રવાસો તો વધી જ રહ્યા છે, અને ભાજપની સર્વોચ્ચ નેતાગીરી ઉપરાંત સંઘના કેટલાક પ્રચારકો પણ સક્રિય થયા હોવાની વાતો વચ્ચે કાંઈક તો નવું થવાનું છે તેવા અંદાજો થઈ રહ્યા છે.
ગુજરાતની ચૂંટણીને તો વાર છે, પરંતુ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શું બિહારની ચૂંટણીનું બ્યુગલ ગુજરાતથી ફૂંકાવાનું છે કે પછી ભાજપના 'ગુજરાત મોડલ' પર બિહારમાં વધુમાં વધુ બેઠકો જીતીને બિહારમાં પણ ધમાકેદાર સીંગલ પાર્ટી સરકાર રચવાની રણનીતિ ઘડાઈ રહી છે? તેવા અનુમાનિત સવાલો પણ પૂછાઈ રહ્યા છે.
પ્રયાગરાજમાં ગંગા, યમુના તથા 'ગુપ્ત' સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર મહાકુંભ યોજાઈ ગયો, અને હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને 'લૂપ્ત' થતી જતી આમ આદમી પાર્ટીના રાજકીય ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર ફતેહ મેળવી, તેથી 'આપ'નું ફોકસ પણ હવે દિલ્હીથી સિફ્ટ થઈને પંજાબ તથા ગુજરાત પર કેન્દ્રિત રહેશે, તેવા કેટલાક વિશ્લેષકો માને છે.
એવું કહેવાય છે કે કોંગ્રેસનું ગુજરાતમાં મજબૂત શાસન હતું, તે સમયે ભાવનગરમાં વર્ષ ૧૯૬૧ માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, પરંતુ તે પછીથી કોઈએ ગુજરાત પર બહું ધ્યાન આપ્યું નહીં, તેથી ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકા દરમિયાન ગુજરાત કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું, અને હજુ સુધી કોંગ્રેસ વાપસી તો કરી શકી નથી, પરંતુ વર્ષ-પ્રતિવર્ષ ધોવાણ થતું રહ્યું છે. તેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજીને મોદી-શાહની જોડીને તેઓની હોમપીચ પરથી જ પડકારવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની સાથે જ કોંગ્રેસ વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૃ કરી દેશે, અને ત્રણ-ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાથી વિમુખ થઈને સતત ઘસાતી રહેતી કોંગ્રેસની સત્તામાં વાપસી થાય, તેવા પ્રયાસો સઘન બનાવશે અને કોંગ્રેસ ગુજરાતમાં જ વર્ષ ર૦ર૭ માં ભાજપને હરાવી શકે, તો વર્ષ ર૦ર૯ માં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જાય, તેવું કોંગ્રેસ માને છે. તેવા વિશ્લેષણોની સાથે સાથે વિશ્લેષકો આને 'ઈફ એન્ડ બટ' વચ્ચેની કાલ્પનિક સંભવનાઓ પણ ગણાવે છે.!!
ગુજરાત અને બિહારમાંથી ભૂતકાળમાં પણ એવા જન-આંદોલનો પ્રગટ્યા છે, જેમણે દેશની રાજનીતિમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકર, જયપ્રકાશ નારાયણ, કર્પુરી ઠાકુર જેવા રિવોલ્યુશનરી જનનેતાઓ ગુજરાત અને બિહાર જેવા રાજ્યો સાથે સંકળાયેલા હતાં, તો વર્તમાન સદીમાં અન્ના હજારેના આંદોલને પણ રાજનીતિની દશા અને દિશા બદલી નાંખી છે, જેઓ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ગાંધીવાદી નેતા છે.
જે હોય તે ખરું, આજે દેશના વડાપ્રધાન જામનગરમાં પધારી રહ્યા છે, ત્યારે તેઓનું હરખભેર સ્વાગત થાય, તે પણ સ્વાભાવિક જ છે ને? વેલકમ પ્રધાનમંત્રીજી... છોટીકાશીમાં આપનું સ્વાગત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક નિર્ભયા કાંડ થયો અને ઉહાપોહ પછી હવે ત્યાંનું તંત્ર હરકતમાં આવ્યું હોય, તેમ લાગે છે. આ સંદર્ભે દેશના પૂર્વ ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે જે કાંઈ કહ્યું છે, તેની તથા પોક્સો કેસોમાં ગુજરાતમાં આવેલા અદાલતી ફેંસલાની ચર્ચા આજે માત્ર અદાલતી કે કાનૂની ક્ષેત્રો જ નહીં, પરંતુ મહિલા સુરક્ષા, સામાજિક સદ્ભાવ તથા ફેલાઈ રહેલી માનસિક વિકૃતિઓના સંદર્ભમાં પણ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.
ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતાં કે ગુજરાતની વિવિધ અદાલતોમાં એક જ દિવસમાં પોક્સો કેસોમાં રાજકોટ, અમરેલી અને વડોદરાની ૭ પીડિતાઓને ન્યાય મળ્યો છે. અદાલતોએ અપરાધીઓ પ્રત્યે ઘણું કડક વલણ અપનાવ્યું છે, અને આ કેસો ઝડપથી ચલાવીને ઊંડાણપૂર્વકના અભ્યાસ તથા કેસના તમામ પાસાઓને ધ્યાને લઈને આ ફેંસલાઓ સંભળાવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં અદાલતે ૯૪૭ ચૂકાદાઓ પોક્સોના કેસોની સુનાવણી પછી આપ્યા છે, જેમાં અપરાધીઓ પ્રત્યે કાનૂનની મર્યાદામાં રહીને પણ ઘણું જ કડક વલણ અપનાવાયું છે અને ત્રણ વર્ષમાં પોક્સો કેસોમાં અપાયેલા ચૂકાદાઓમાં પ૭૪ અપરાધીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, તે ઉપરાંત આ જઘન્ય ગુન્હા બદલ ૧૧ અપરાધીઓને ફાંસીએ લટકાવવાના ચૂકાદાઓ પણ આવ્યા છે. આ ચૂકાદાઓ આવ્યા, તેમાં પોલીસતંત્ર, સરકારી વકીલો તથા પોલિટિકલ સર્વસંમત ઈચ્છાશક્તિની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આમ પણ કુમળી કન્યાઓ કે મહિલાઓને પીખી નાખતા ભેડિયાઓને અત્યંત કડક સજા થવી જ જેમાં બધા જ સહમત છે, અને આ મુદ્દો પોલિટિકલ છે જ નહીં, અને આ પ્રકારની નિંદનિય ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જ રહે છે, તેથી એ પણ પૂરવાર થાય છે કે અપરાધીઓને કાનૂનનો ડર નથી અને અત્યંત કડક સજાઓ થવા છતાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો રહ્યો નથી, તેથી આ સમગ્ર ઈશ્યુ હવે નવેસરથી જ વિચારવો પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો કે, ગુજરાતમાં રપ મી ફેબ્રુઆરીના દિવસે ત્રણ જિલ્લાઓની અદાલતોએ ફટાફટ સાત મહત્ત્વપૂર્ણ ફેંસલાઓ સંભળાવ્યા અને સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા સંભળાવી, તેથી પીડિતાઓમાં હિંમત વધશે અને આગળ આવીને બુરી નજર કે છેડતી કરનારાઓ સામે તત્કાલ અવાજ ઊઠાવવામાં પાછીપાની નહીં કરે. એટલું જ નહીં, તંત્રો પણ હવે આ પ્રકારના કિસ્સાઓમાં જરાયે ઢીલાસ નહીં રાખે, તેવો આશાવાદ જરૂર જાગ્યો છે. આ જ પ્રકારની ઝડપ અને કડક કાર્યવાહી થતી રહેશે, તો મહિલાઓ-કન્યાઓમાં પણ હિંમત વધશે, અને અધમ કૃત્યો કરતા પરિબળોને પ્રારંભથી જ પાઠ ભણાવશે, આ કડક અભિગમમાં ન્યાયવિદે, વકીલો તથા પોલીસતંત્રની સાથે સાથે સાક્ષીઓ, પંચો તથા રિપોર્ટીંગ તથા તબીબી ક્ષેત્રની ઓથોરિટીઝનો પણ સહયોગ ભૂલી કેમ શકાય?
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવો દાવો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, દુષ્કર્મ અને શોષણ સામે કડક અભિગમ અપનાવાઈ રહ્યો છે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા નક્કર પુરાવાઓ સાથે કેસ મજબૂત બનાવીને રજૂ કરવામાં આવે છે. સરકાર પોતાની પીઠ ભલે થાબડે, અને પ્રબળ પોલિટિકલ પીઠબળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હોય જ છે, પરંતુ વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને હિંમતભર્યો જનસહયોગ આ પ્રકારના કેસોમાં કડક સજા આપી શકાય, તેમાં ન્યાયિક ચૂકાદાઓમાં સહભાગી હોય છે, તે પણ હકીકત જ છે ને?
આ જ રીતે અત્યંત કડક અભિગમ અપનાવીને અને ઝડપી કાનૂની પ્રક્રિયા નિપટાવીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીઓમાં થોડો ઘણો કાનૂનનો ડર બેસશે, ખરૃં ને?
દેશના તાજેતરમાં જ નિવૃત્ત ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચુડે પૂણેમાં એક બસમાં મહિલા સાથે થયેલા દુષ્કર્મ સંદર્ભે કહ્યું હતું કે નિર્ભયા કાંડ પછી કડક કાયદો બનાવાયો અને કેટલાક બદલાવ કરાયા, પરંતુ માત્ર કડક કાનૂન બનાવી દેવાથી સ્થિતિ નહીં સુધરે. ચંદ્રચુડે પણ આ કિસ્સામાં કડક અને ઝડપી સજા થાય, તેના પર ભાર મૂક્યો હતો.
નિર્ભયાકાંડ બન્યો તેને બાર-તેર વર્ષ થઈ ગયા. સરકાર બદલી, કાયદા બદલ્યા, દેશવ્યાપી આંદોલનો થયા, તેમ છતાં હજુ પણ જો દુષ્કર્મની ઘટનાઓ વધતી જ રહેતી હોય, તો આ મનોવૃત્તિને માત્ર કાનૂન નહીં, પરંતુ સામાજિક અને નૈતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પરખવી પડશે અને તત્કાળ અંકુશમાં લેવી પડશે, તેમ નથી લાગતું?
નાગરિકોને મળેલા બંધારણીય અધિકારો હેઠળ નીચલી અદાલતોમાં અપાતા ચૂકાદાઓ સામે અપીલ કરવાનો અધિકાર મળે છે અને પોક્સો જેવા કેસોમાં અપીલોની પણ ઝડપભેર સુનાવણી થાય અને દુષ્કર્મ કરનારા ભેડિયાઓને અત્યંત કડક સજાનો અમલ પણ નિયમાનુસાર પણ ઝડપથી થાય, તે ઉપરાંત સમાજમાં ફેલાઈ રહેલી બેખોફ વિકૃતિઓના કારણોના મૂળમાં જઈને સમાંતર લોકજાગૃતિ તથા યુવાવર્ગને ગુનાખોરી તથા વિકૃત માનસિક્તા તરફ ધકેલાતો અટકાવવાના ઉપાયો કરવા માટે હવે સમાજ, સરકાર, સંસ્થાઓ તથા ન્યાયક્ષેત્રે સહિયારા પ્રયાસો વધારવા જ પડે તેમ છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પ્રયાગરાજમાં મહાકુંભ સંપન્ન થયો, અને રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યું, તેના વિસ્તૃત આંકડાઓ આવી રહ્યા છે, અને દેશભરમાં ગઈકાલે મહાશિવરાત્રિ ધામધૂમથી ઉજવાઈ ગઈ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની પરીક્ષાઓનો પ્રારંભ પણ થયો છે. આ ત્રણેય ઘટનાક્રમોનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે, અને ગંગા-યમુનાના સ્મરણ સાથે માતા સરસ્વતીની આરાધના પણ થઈ રહી છે. આજે સમાપન પછી મહાકુંભમાં સ્નાન કરનારા ભાવિકો, કરાયેલી વ્યવસ્થાઓ તથા મહાકુંભના કારણે રોજગારી તથા વ્યાપાર, આર્થિક પ્રગતિ તથા સ્થાનિકોને થયેલા ફાયદાની વિગતો આંકડાઓ સાથે રજૂ થઈ રહી છે. મહાકુંભની સાથે સાથે હરિદ્વાર, કાશી, અયોધ્યા, ઉજ્જૈન સહિતના યાત્રાધામોમાં પણ બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચ્યા તેથી આ મહાકુંભ બહુહેતુક પૂરવાર થયો અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની આપણી સંસ્કૃતિના પ્રતીક સમો બની ગયો, ખરૃં કે નહીં?
ત્રિવેણી સંગમમાં સ્નાનની સાથે સાથે ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વે કરોડો લોકોએ મહાશિવરાત્રિ ઉજવી, તેથી આખો દેશ શિવમય થયેલો જોવા મળ્યો હતો.
પ્રયાગરાજ મહાકુંભ પછી ગુજરાતમાં હવે શિક્ષણનો પરીક્ષા કુંભ શરૂ થયો છે, અને આજથી બોર્ડની પરીક્ષાઓમાં કુલ ૧૪ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તેવા આંકડાઓ પણ જાહેર થયા છે.
બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે ૮૭ વિભાગ પાડીને સાડાસોળ હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો ઊભા કર્યા છે, અને આ માટે શાળાસંકુલોની પાંચ હજારથી વધુ બિલ્ડીંગમાં પ૦ હજારથી વધુ વર્ગખંડોમાં પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠાવવામાં આવી છે, અને એવું કહેવાય છે કે બોર્ડે આ માટે ૮૦ હજારથી વધુનો સ્ટાફ ગોઠવ્યો છે. કેટલાક કેદીઓ તથા સાડાછ હજારથી વધુ દિવ્યાંગો પણ આ પરીક્ષા આપી રહ્યા છે.
બોર્ડની પરીક્ષાઓનો 'હાઉ' દૂર કરવા અને વિદ્યાર્થી ભાઈ-બહેનો મુક્તમને તથા પ્રસન્નતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તેવો માહોલ ઊભો કરીને આજે પહેલા દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર આવકાર પણ અપાઈ રહ્યો છે, જો કે થોડા વર્ષો પહેલા આ પરંપરા ઊભી કરાઈ, તે સમયગાળાની સરખામણીમાં હવે આ એક રાબેતામુજબની ફોર્માલિટી બની ગઈ હોય, તેવું ઘણી જગ્યાએ પ્રતિત થતું હોય છે. એકંદરે પ્રસન્નતાવાળા માહોલમાં હસતા હસતા પરીક્ષાનો પ્રારંભ થાય તેની પરીક્ષાર્થીઓના માનસ પર પોઝિટિવ અસરો પડતી હોય છે. તેથી આ અભિગમ ખોટો નથી, પરંતુ જે કાંઈ થવું જોઈએ તે 'દિલ'થી થવું જઈએ, ખરૃં કે નહીં?
આજે સવારે ધોરણ ૧૦ ના ભાષાના પેપરો હતાં અને અત્યારે બપોરે ધોરણ ૧ર ના સામાન્ય પ્રવાહનું એકાઉન્ટનું તથા સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સનું પેપર લેવાઈ રહ્યું છે. આંકડાઓ મુજબ આજે હાલારમાં ધો. ૧૦ ના ર૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧રના બન્ને પ્રવાહના મળીને ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતાં, તે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓના રિસ્પોન્સ, કાઉન્સિલીંગ તથા પેપર આપતી વખતે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જો કે પરીક્ષાર્થીઓને લોકલ પરિવહનની કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. હજુ વધુ કાળજીપૂર્વકની વ્યવસ્થાઓ થાય તથા એક ઊડતી સમીક્ષા કરીને કેટલાક ચોક્કસ પોઈન્ટથી પરીક્ષા કેન્દ્રો સુધીની બસ પરીક્ષાર્થીઓને મળી રહે, તેવી વ્યવસ્થા તો થઈ જ શકે છે ને?
જામનગરમાં પણ કેટલાક આંતરિક દૂરના વિસ્તારો-સોસાયટીઓને જોડતી સિટીબસ સેવા બોર્ડની પરીક્ષાઓ દરમિયાન એવી રીતે તત્કાળ અસરથી શરૂ કરવી જોઈએ, જે પરીક્ષાના પેપરોના પ્રારંભ તથા પૂર્ણ થવાના સમયપત્રકને અનુરૂપ દોડે. આ પ્રકારની 'નિઃશુલ્ક' સુવિધા સંબંધિત સ્કૂલો, કેન્દ્રો તથા શિક્ષણક્ષેત્ર અને વિદ્યાર્થી સંગઠનો સાથે પરામર્શ કરીને મહાનગરપાલિકા સાથે, તો સોનામાં સુગંધ ભળે, ખરૃં કે નહીં?
આમ પણ, જામનગરમાં સિટીબસનું સંચાલન એવી રીતે થાય છે કે ઈજારેદારને મીનીમમ રોજીંદુ બસભાડું તથા અન્ય ચૂકવણીઓ તો (કરેલા કરાર મુજબ) કરવી જ પડતી હશે ને? જો આ જ રીતે પરીક્ષાર્થીઓને જ્યાં જરૂરિયાત જણાય ત્યાં અથવા કોઈ શિડ્યુલ નક્કી કરીને નિઃશુલ્ક લાવવા-લઈ જવાની વ્યવસ્થા વિસ્તારાય, તો તેમાં કાંઈ હરકત જેવું પણ નથી.
આજે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે, તેઓ તથા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉજ્જવળ પરિણામોની 'નોબત' પરિવાર અને 'માધવાણી પરિવાર' શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને આ સાથે જ પ્રયાગરાજમાં મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે. દેશભરમાં હરહર મહાદેવ, હર હર ગંગે, બમ્ બમ્ ભોલે અને જય ભોલેનાથનો નાદ્ ગૂંજી રહ્યો છે. ભોળાનાથ શિવશંભુ પણ જાણે કે કરોડો શિવભક્તો પર પ્રસન્ન થયા હોય, તેવો મંગલમય પવિત્ર માહોલ આજે શિવાલયો અને મંદિરોમાં જ નહીં, પરંતુ દેશભરમાં ઘેર-ઘેર એક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યો ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે અને ગામો તથા શહેરો શિવમય બની રહ્યા છે. છોટીકાશી પણ આજે ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહી છે.
આ વખતે મહાકુંભમાં કરોડો લોકો ઉમટ્યા અને દોઢ મહિના સુધી પ્રયાગરાજમાં ગંગાસ્નાન થતું રહ્યું, જેમાં જામનગર સહિત હાલારમાંથી પણ ઘણાં લોકો આસ્થાની ડૂબકી લગાવીને પણ આવ્યા, અને ધન્યતા અનુભવી.
દર બાર વર્ષે આવતા મહાકુંભ બાર વખત યોજાયા, એટલે તેનું અલભ્ય મહાત્મય હોય છે અને તેનો લાભ આ વર્ષે મહાકુંભમાં કરોડો લોકોએ લીધો છે, તેને સમગ્ર વિશ્વ અચંબિત બનીને નિહાળી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. વિવિધ મંતવ્યો અપાઈ રહ્યા છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ ભગવાન શિવજી પ્રત્યેની શ્રદ્ધામાં સૌ કોઈ એકમત છે, અને આજે સૌ કોઈ શિવભક્તિમાં ડૂબેલા છે, તે તેનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને?
પ્રથમ દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથમાં આજે શિવભક્તોનો મહેરામણ હિલોળા મારી રહ્યો છે, ગીરનારની તળેટીમાં ભવનાથના મેળામાં પણ બહોળા પ્રમાણમાં ભાવિકો ઉમટી રહ્યા છે. સુવર્ણરેખા નદીના કિનારે મહાવદ એકાદશીથી શરૂ થતો આ મેળો અમાસના દિવસે સંપન્ન થાય છે. આ દરમિયાન મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય છે. ભગવાન ભવનાથની પૂજા કરવા મોટી સંખ્યામાં નાગાસાધુઓ પણ આવે છે. ભવનાથનો મેળો પણ કુંભમેળાની જેમ એક વિશેષ મહત્ત્વ ધરાવે છે.
તેવી દ્વાદશ જ્યોતિર્લીંગમાં ગણાતું નાગેશ્વર પણ આજે શિવભક્તોથી ઉભરાઈ રહ્યું છે, તો દ્વારકામાં દરિયાની અંદર એક ટેકરી પર આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે પણ દેશભરના શિવભક્તો તથા સ્થાનિક ભાવિકોની ભીડ જામી છે.
દ્વારકામાં સિદ્ધનાથનું મંદિર પણ પ્રખ્યાત છે. જામનગરમાં પણ ભીડભંજન, કશીવિશ્વનાથ, રામેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, નર્મદેશ્વર, ભાવેશ્વર, અંકલેશ્વર, નિલકંઠ, સોમનાથ મહાદેવ સહિતના સંખ્યાબંધ શિવાલયો તથા મંદિરોમાં આજે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે, જે આપણી સંસ્કૃતિની સોનેરી ઝલકના દર્શન જ કરાવે છે ને?
આજે મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે પ્રયાગરાજના મહાકુંભમાં પણ આસ્થાનો મહાસાગર આજે પરાકાષ્ટાએ પહોંચ્યો હોય, તેમ ભાવિકોથી ઘુઘવી રહ્યો છે. હર હર ગંગે અને હર હર મહાદેવનો નાદ્ ગગનમાં ગૂંજી રહ્યો છે. જેને આખી દુનિયા દંગ બનીને નિહાળી રહી છે.
ગઈકાલ સુધી જ મહાકુંભમાં ૬પ કરોડ લોકોએ ગંગાસ્નાન કર્યું હોવાના અહેવાલો હતાં, અને આજે પણ મહાકુંભમાં લાખો લોકો ગંગાસ્નાન કરી રહ્યા છે. આજે મહાકુંભનું સમાપન થશે, અને ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર નોંધાઈ જશે, તે હકીકત છે.
આ મહાકુંભ દરમિયાન ભાગદોડ, આગ-અકસ્માતો તથા જીવલેણ ઘટનાઓ પણ બની, વિક્રમજનક ટ્રાફિકજામ પણ સર્જાયા અને ઉત્તરપ્રદેશમાં રાજનીતિ પણ ઉફાણે ચડી હતી, અને આ દરમિયાન બદલતી ઋતુ તથા પરિવહનની સમસ્યાઓ અને કેટલાક સ્થળે ઉઘાડી લૂંટ ચલાવાઈ તેમ છતાં આખો મહિનો મહાકુંભમાં લાખો લોકોએ ગંગાસ્નાન કર્યું, તે હકીકતને વિશ્લેષકો આસ્થાની તાકાત ગણાવી રહ્યા છે, અને ભાવિકો શિવજીની કૃપા ગણાવી રહયા છે.
આજે મહાશિવરાત્રિના દિવસે આપણે પણ શિવજીને પ્રાર્થીએ કે હે શિવ શંભુ... શિવભક્તો પર આશીર્વાદ વરસાવો, આપની અસીમ કૃપાની વૃષ્ટિ કરો, જન-જનમાં માનવતા, દયા, સહાધ્યતા અને નિર્મળ સ્નેહ ઉભરાય, સમાજમાં સમાનતા, સંપ અને સૌજન્યતાનો ત્રિવેણી સંગમ કાયમી બને અને જીવસૃષ્ટિ પરના તમામ જોખમો ખતમ થાય, તેવું વરદાન સંસારના પ્રત્યેક માનવીને આપો, અને આપના પ્રત્યેક સાચા ભક્તની સામાજિક સુરક્ષા અને શુદ્ધ પ્રેમની સાથે સારૃં સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થનાઓ સ્વીકારો... સૌ કોઈનું ભલુ કરો... અને હવે ત્રીજુ નેત્ર પણ ખોલો... શિવજી...
દુષ્ટો, દુર્જનો અને મુસીબતોને બાળીને ભસ્મ કરવા આપનું ત્રીજુ નેત્ર ખોલો... જન જનની અસુવિધાઓ, તકલીફો અને રોજીંદી સમસ્યાઓનો ખાત્મો થાય, ઠગો, દગાબાજો અને પાપીઓનો પ્રભાવ બળીને ભષ્મ થઈ જાય, ભોળી જનતાનું સફેદ પોશ ભેડિયાઓથી રક્ષણ , અને જનભાવનાઓને ખોટી રીતે ઉત્તેજન આપીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા નાટકિયા ડ્રામેબાજોની ડ્રામેબાજી નિષ્ફળ થઈ જાય, તે માટે આપના ત્રીજા નેત્રનો પ્રહાર કરો પ્રભુ...
ભાવનાઓની આડમાં રાજરમત કરતા અને જુઠ્ઠાણાઓની આડમાં આસ્થાઓ પર પ્રહાર કરતા પ્રપંચીઓ ક્યારેય સફળ ન થાય અને સત્યનો હંમેશાં જય થાય, તેવી આપની ત્રિનેત્ર દૃષ્ટિ વરસાવો, હર હર મહાદેવ, જય ભોળેનાથ... હર હર ગંગે... સત્ય મેવ જયતે... સત્ય મેવ જયતે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજકોટમાં સમૂહલગ્નના નામે નાણા ઉઘરાવીને આયોજકો ભાગી ગયા અને તંત્રો, મીડિયા અને જનસહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો, તેવા અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે 'સેવાના નામે મેવા'ના કારસા રચતા પરિબળો કેટલી હદે નફ્ફટાઈ કરી શકે છે, અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નો જ નહીં, પરંતુ 'સેવાના નામે મેવા'ના કાયમી કૌભાંડો થવા લાગ્યા છે, ત્યારે આ પ્રકારના કૌભાંડિયાઓને ઓળખવા કેવી રીતે?
અત્યારે ઘણાં લોકો શોર્ટકટમાં કમાણી કરવાના કારસા રચવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, અને તે માટે કોઈપણ પ્રકારનું ગેરકાનૂની, અનૈતિક, અપરાધિક, અયોગ્ય કે અનિચ્છનિય કૃત્ય કરવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ પ્રકારના કૃત્યો કરનાર પરિબળોની કોઈ ચોક્કસ જ્ઞાતિ-જાતિ કે સમાજ હોતો નથી, અને હવે તો ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત શ્રેણીઓમાં ગણાતા લોકો પણ સેવાના નામે નાણા ઉઘરાવીને તેમાંથી પોતાનો ફાયદો કાઢવાના નુસ્ખા જોવા મળવા લાગ્યા છે. તેથી જ કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે ભરોસો કરવો તો કોનો કરવો? કૌન સચ્ચા, કૌન જૂઠ્ઠા?
વિદેશમાં વસવાટ કરતા ઘણાં ભારતીય પરિવારો પોતાના વતનમાં ઘણી વખત વિકાસના કાર્યો કે લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે છૂટા હાથે દાનની સરવાણી વહેડાવતા હોય છે, અને તેના કારણે આપણા દેશમાં અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓ ધમધમતી રહે છે, અને તેનો લાભ લાખો જરૂરિયાતોને પહોંચતો હોય છે. લગભગ દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સેવાયજ્ઞો ચાલતા જ હોય છે. વિવિધ પ્રકારના રોગનિદાન-સારવાર કેમ્પો, રક્તદાન કેમ્પો, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પો, દિવ્યાંગ સહાયતા કેમ્પો, નેત્રયજ્ઞો, સમૂહલગ્નો, સમૂહ યજ્ઞોપવિત, વેવિશાળ કેમ્પો, જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક-સામાજિક કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે, અને તેમાં દેશ-વિદેશના દાનની સરવાણી વહેવાતા હોય છે. આ પ્રકારના આયોજનોમાં ધનની સરવાણી વહેવડાવતા ઉદારદિલ દાનવીરો તથા તેના દાનમાંથી સેવાકાર્યો સંપન્ન કરતા સેવાભાવી લોકો, આયોજકો, સ્વયંસેવકો તથા સહયોગીઓને બીરદાવવા જ જોઈએ, અને તન-મન-ધનથી થતી સંયોજિત સેવાઓ થકી સંપન્ન થતા આ સેવાકાર્યોના કારણે અનેક જરૂરતમંદોની મુંઝવણો દૂર થતી હોય છે. એટલું જ નહીં, સામાજિક સ્વાસ્થ્ય સંપ, અને સૌહાર્દ પણ જળવાતું હોય છે. સૌરાષ્ટ્ર જેવી રીતે સંતો-મહંતો અને ભક્તોની ભૂમિ છે, તેવી જ રીતે દાનવીરો તથા સેવાભાવીઓની પણ ભૂમિ છે, અને તેથી જ સૌરાષ્ટ્રના સેવાભાવીઓ તથા સખાવતીઓની સુવાસ દેશના સીમાડા ઓળંગીને સાત સમંદર પાર પહોંચી રહી છે, અને તેનું આપણે બધાએ ગૌરવ લેવું જ જોઈએ, ખરૃં કે નહીં?
આપણે ઘણી વખત વાર-તહેવારો કે મંગલ પ્રસંગો-સમારોહોમાં થતી સામાન્ય ચર્ચાઓ દરમિયાન એવું સાંભળતા પણ હોઈએ છીએ કે વિદેશમાંથી આવતી દાન-સરવાણીમાંથી સેવાકાર્યોના આયોજનોમાં કેટલાક પરિબળો મલાઈ તારવી લેવાના પ્રયાસ કરતા હોય છે, અથવા કેટલાક લોકો માટે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની જતી હોય છે. આ પ્રકારના કેટલાક અપવાદોના કારણે શ્રમસેવા, ધનસેવા કે અન્ય રીતે મદદરૂપ થતા અને નિસ્વાર્થે માત્ર સેવાભાવનાથી રાત-દિવસ સેવા આપતા બહોળા સેવાભાવી સમુદાય પર પણ સોનાની થાળીમાં લોઢાની મેખ હોય, તેવું કલંક લાગતું હોય છે, તે પણ હકીકત જ છે ને?
સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ જ પ્રકારના સેવાકાર્યોના નામે હવે છલબાજી, છેતરપિંડી અને હવે તો કોમર્શિયલ એક્ટિવિટીઝ પણ થવા લાગી છે. આ પ્રકારની દંભી લોબી હવે ઝડપભેર વિસ્તરી રહી હોવાથી સમાજે ખાસ કરીને સામાન્ય, ભોળા, સધી-સાદી જનતાને આ લોબીથી બચાવવા આગળ આવવું જ પડે તેમ છે. એટલું જ નહીં, સાર્વજનિક લાભોની આંબલી-પીપળી દેખાડીને કે કોઈ સરકારી કામો કરાવી આપવા કે ઝડપભેર મોટું નાણાકીય વળતર આપવાના પ્રલોભનો આપીને છેતરપિંડી કરતા ખતરનાક પરિબળોથી સામાન્ય જનતાને બચાવવા સંબંધિત સરકારી તંત્રો તથા સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક જ્ઞાતિ-સમાજના ભણેલા-ગણેલા તથા લબ્ધ પ્રતિષ્ઠિત અગ્રગણ્ય નાગરિકોએ પણ આગળ આવવાની જરૂર છે, તેમ નથી લાગતું?
વિદેશમાંથી સામાજિક, ધાર્મિક કે જનસેવાની પ્રવૃત્તિઓ માટે મળતા દાનનો દુરૂપયોગ થતો હોવાની ઘણી ચર્ચા થતી રહેતી હોય છે અને તેમાંથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પણ પરોક્ષ રીતે મદદ પહોંચાડવામાં આવતી હોવાના આક્ષેપો પણ થતા રહેતા હોય છે, અને તે પ્રકારના કેટલાક કિસ્સાઓ તો અદાલતની અટારીએ પહોંચી જતા હોય છે. તે આપણે બધા જાણીએ જ છીએ ને?
પબ્લિક-ટુ-પબ્લિક સખાવત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પણ અન્ય દેશોને મદદરૂપ થવા માટે ફંડીંગ કરતી હોય છે, જે પૈકી કેટલીક કુદરતી આફતો, મોટા અકસ્માતો, યુદ્ધ, મહામારી જેવા સમયે લોકોને મદદરૂપ થવા માટે અપાતી હોય છે, જ્યારે કેટલીક યુનો સંચાલિત, યુનો સમર્થિત કે વૈશ્વિક દેશોના જુદા જુદા સંગઠનો, ફોરમ કે પ્લેટફોર્મ્સ પરથી સહાય પહોંચાડાતી હોય છે, જ્યારે અમેરિકા જેવા શક્તિશાળી દેશો વિદેશોમાં માનવિય સેવા કે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ માટે પણ ફંડીંગ કરતા હોય છે. અમેરિકા આ પ્રકારનું ફંડ યુ.એસ. એઈડ મારફત આપે છે, જેનો ઉદ્દેશ્ય સેવાકીય હોવો જોઈએ, તેના બદલે છેલ્લા બે-ત્રણ દાયકાથી પોતાને અનુકૂળ ન હોય તેવી અન્ય દેશોની સરકારોને ઉથલાવા માટે થયો હોવાના ઘટસ્ફોટ પછી એટલું જરૂર કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત, દેશ હોય કે દુનિયા અને વ્યક્તિ હોય, સંગઠન હોય, સંસ્થા હોય કે દેશ હોય, તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા પહેલા તેને પૂરેપૂરી પરખવીજ પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે વિવિધ ક્ષેત્રોની ઘણી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તો પાકિસ્તાન સામે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે મેળવેલા શાનદાર વિજયની જ થઈ રહી છે. કોઈપણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય કે વર્લ્ડકપ હોય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં જ હોય છે, આ કારણે જ જે ટુર્નામેન્ટ કે વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન સામેલ હોય અને તેની પરસ્પર મેચ હોય, ત્યારે તેની અલગ ઢબે જ ચર્ચા થતી હોય છે. પાકિસ્તાન હવે ભાગ્યે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્પર્ધામાં ટકી શકે તેમ હોવાથી તેની હવે પછીની મેચ માત્ર ફાર્મોલિટી બની રહેશે, તેમ કહેવાય છે. વિશ્લેષકો વર્ષ ર૦૧૭ ની ચેમ્પિયન ટ્રોફીનો બદલો ૬ વિકેટે જીતીને ટીમ ઈન્ડિયાએ લઈ લીધો હોવાના અભિપ્રાયો આપી રહ્યા છે, અને આજે ન્યુઝીલેન્ડ જીતે તો પાકિસ્તાન આ સ્પર્ધામાંથી બહાર થઈ જશે, તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે વિરાટ કોહલી મૂળ ફોર્મમાં આવી ગયો અને ટીમ ઈન્ડિયાનો વિજય વધુ નિશ્ચિત બનાવી દીધો, તેની સૌથી વધુ પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યાની કિંમતી રિસ્ટ વોચ પણ ક્રિકેટ રસિયાઓના ચર્ચાનો વિષય છે!
જામનગરમાં પણ પાકિસ્તાન સામે ભારતીય ટીમના વિજયની ઉજવણી થઈ અને ફટાકડા ફૂટ્યા તો રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, ભૂજ, જૂનાગઢ, ઉપરાંત રાજ્યભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ અન્ય લોકોએ પણ જુદી જુદી રીતે ઉજવ્યો.
ટીમ ઈન્ડિયાના વિજયને નેતાઓએ પણ રાજકરણને બાજુ પર મૂકીને એક સૂરે વધાવ્યો અને રાહુલ ગાંધી, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, મમતાબેનર્જી પુષ્કરસિંહ ધામી સહિતના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીને અભિનંદન વરસાવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં તો ટીમ ઈન્ડિયા અને ગઈકાલની મેચના વિજયમાં સહભાગી થયેલી આખી ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ખાસ કરીને 'વિરાટ' સદીની મૂકતકંઠે પ્રશંસા થઈ રહી છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું એક અલગ જ મહત્ત્વ પણ છે, જો કે વર્ષ ર૦૧૮ થી ર૦રપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદી જુદી આંતરરાષ્ટ્રીય કક્ષાની ૬ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ, તેમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ જીતી શકી નથી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા યોજાતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટના વર્લ્ડકપ પછીની સૌથી મોટી વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાત્મક શ્રેણી ગણવામાં આવે છે, જેથી તેને મીની વિશ્વકપ પણ ગણવામાં આવે છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્ષ ૧૯૯૮ થી અત્યાર સુધીમાં દ. આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત ચેમ્પિયન બન્યા છે, જ્યારે વર્ષ ર૦૦ર માં આ ટ્રોફી તે સમયના સંજોગો મુજબ ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે મળી હતી. આ ઉપરાંત ભારત બે વખત રનર્સ-અપ એટલે કે દ્વિતીય ક્રમે પણ રહી હતી. દર બે વર્ષે યોજાતી આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે અને પ્રત્યેક સ્પર્ધાત્મક શ્રેણીની યજમાની અલગ-અલગ દેશ કરે છે. આ વખતે પાકિસ્તાન યજમાન છે, જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો યુએ (દુબઈ) માં યોજાતી હોય છે. ગઈકાલની વન-ડે ક્રિકેટ મેચ પણ દુબઈમાં યોજાઈ હતી. આજે બોલિવૂડ, ગોલિવૂડના દિગ્ગજો, ક્રિકેટ ઉપરાંત અન્ય ક્ષેત્રના ગોલ્ડમેડલિસ્ટો, સહિતના ખ્યાતનામ ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના દિગ્ગજો દ્વારા પણ ભારતીય ટીમને અભિનંદન અપાઈ રહ્યા છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતીયોનો જુસ્સો અને માત્ર ક્રિકેટરસિયા જ નહીં, અન્ય દેશવાસીઓની જનભાવનાઓ પણ દર્શાવે છે.
વર્ષ ર૦૧૭ માં આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફીની ફાયનલ મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતાં, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન બનાવ્યા હતાં, જેની સામે ટીમ ઈન્ડિયા માત્ર ૩૦.૩ ઓવરમાં ૧પ૮ રને સમેટાઈ ગઈ હતી, અને પાકિસ્તાન ૧૮૦ રને જીત્યું હતું. તે સમયે સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓમાં હતાશા ફેલાઈ ગઈ અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. તે પછી પાકિસ્તાન જુદી જુદી ટુર્નામેન્ટોમાં અડધો ડઝન જેટલી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ પાકિસ્તાનને ૬ વિકેટે માત્ર ૪૩ ઓવરમાં જ હરાવીને ભારતે વિજય મેળવ્યો, તેથી વર્ષ ર૦૧૭ ની કારમી હારનું સાટુ વળી ગયું છે, ખરૃં કે નહીં?
હાર જીત કોઈપણ રમતનો એક ભાગ હોય છે, અને તેનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે, પરંતુ ભારત અને પાકિસ્તાનનો બ્રિટિશ ઈન્ડિયા વખતે જે ટીમ હતી, તેમાંથી જ નીકળેલી સહોદર ટીમો છે, તે ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય ભાવનાઓ ભળી જતી હોવાથી હંમેશાં રોમાંચક બની રહેતી હોય છે, જો કે આ બન્ને પ્રતિસ્પર્ધી ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશાં મોટાભાગે ઉષ્માભર્યા જ રહ્યા છે. આવો, આપણે ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીએ... પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને તથા સમયસર સદી ફટકારવા બદલ વિરાટ કોહલીને ખૂબ ખૂબ અભિનંદન... દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે ગુજરાતના ઊર્જા મંત્રીએ વિધાનસભામાં સ્માર્ટ વીજમીટરો ફરજિયાત હોવા અંગે ચોખવટકર્યા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા અંગે થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભે સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કોઈ જ યોજના નથી, જો કે તેમણે કહ્યું કે સૂર્યઘર યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ કરીને વીજળીનું બીલ જરૂર બચાવી શકાય છે.
દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી કેજરીવાલે શરૂ કરેલી 'ફ્રી'ની યોજનાઓ હવે કેટલો સમય ચાલુ રહેશે, તે અંગે પણ અટકળો થવા લાગી છે. ભાજપ સરકારની પહેલી જ કેબિનેટમાં મહિલાઓને રૂ. રપ૦૦ ચૂકવવાનો ઠરાવ ન થયો, તેને લઈને પણ ટીકા થવા લાગી છે. 'આપ'ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ આ અંગે સવાલો પણ ઊઠાવ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ યોજના બંધ નહીં થાય' તેવી વાતો કરી હતી. તેના કારણે હાલ તુરત તો 'ફ્રી'ની યોજનાઓ ચાલતી રહેશે, પરંતુ સમય જતાં તેમાં ફેરફાર થાય, તો નવાઈ જેવું નહી હોય. દિલ્હીમાં પણ હવે સૂર્યઘર યોજનાનો વ્યાપ વધારીને ફ્રી વીજળી ઉપરાંત વધારાની વીજળી વેંચીને આવક ઊભી કરવાની તકો અંગે ત્યાંની જનતાને વિશ્વાસમાં લઈને ધીમે ધીમે ફ્રી વીજળીની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવાની રણનીતિ ઘડાઈ રહી હોવાના સંકેતો રાજકીય અંતરંગ વર્તુળોના માધ્યમથી મળી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે જોઈએ, આગળ શું થાય છે તે...
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજ્યમાં વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. મોબાઈલ ફોનની જેમ જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવીને વીજળીનો વપરાશ થઈ શકે અને ઊર્જા બચત થઈ શકે. એટલું જ નહીં, ઠેર-ઠેર જુદી જુદી તરકીબો અજમાવીને થતી વીજચોરી અટકાવવા તથા બાકી બીલોની વસૂલાતની પ્રક્રિયા તથા તેના સંદર્ભે લાંબી ચાલતી કાનૂની કાર્યવાહીઓથી બચી શકાશે, તેવો દાવો પણ સરકારે કર્યો છે, જેની સામે વિપક્ષના નેતાઓએ સવાલો ઊઠાવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો હતો કે સાદા મીટરથી લોકોને ફાયદો હતો, પરંતુ સ્માર્ટ મીટર લગાવાશે, તો લોકોને વીજળીનું બીલ વધુ ભરવું પડશે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે સરકારે વગરવિચાર્યે અને કોઈપણ પૂર્વ આયોજન વગર કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર ઉતાવળે ખરીદી લીધા છે, તેથી હવે સરકાર ઘરવપરાશની વીજળી માટેના વર્તમાન મીટરો બદલાવીને 'ધરાર' નવા સ્માર્ટ મીટરો લગાવવાની જીદ પકડી રહી છે.
જો કે, ઊર્જા વિભાગના વર્તુળો તથા ટેકનિકલ જાણકારો સ્માર્ટ મીટર વીજકંપની તથા ગ્રાહકો-બન્નેને લાભકર્તા હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. વીજળીના બીલો ભરવા કતારોમાં ઊભવું પડે અને તેના માટે વધારાનો ટાઈમ કાઢવો પડે, તે ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ મળશે. સરકારને પણ એડવાન્સ મીટરિંગ સિસ્ટમના કારણે વીજપુરવઠાની માંગને અનુરૂપ પુરવઠો જાળવવાનું આયોજન કરવામાં સરળતા રહેશે, અને એક તરફ વીજકંપનીની આવક વધશે, તો બીજી તરફ ગ્રાહકોને પણ ફાયદો થશે, તેમ જણાવાઈ રહ્યું છે.
સ્માર્ટ મીટર ફરજિયાત હોવાના ઊર્જા મંત્રીના નિવેદન પછી જામનગર સહિતના કેટલાક શહેરોમાં વિરોધ થઈ રહ્યો હતો, ત્યાં આ મુદ્દે કોઈ આંદોલન થાય કે સામૂહિક રજૂઆતો થાય કે પછી અદાલતના દ્વાર ખખડાવાય, તેવી સંભાવનાઓ ઉપરાંત જ્યાં અત્યાર સુધી વિરોધ થઈ રહ્યો નહોતો, તેવા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હોવાના અહેવાલો પણ હવે આવવા લાગ્યા છે. એકંદરે રાજ્ય સરકારે કાં તો સ્માર્ટ મીટર મરજિયાત રાખવા જોઈએ, અથવા લોકોની શંકાઓ દૂર કરવી જોઈએ, ખરૃં ને?
ગુજરાતમાં વીજલાઈનો બિછાવાઈ, તે સમયે તો દેશી મીટરો હતાં. લાંબો સમય ચકરડીવાળા વીજમીટરો વપરાયા, અને તેમાં ચેડા કરીને વીજચોરીની બદી વધવા લાગી, તે પછી ડિજિટલ મીટરો આવ્યા. છેલ્લા બે-અઢી દાયકાથી ડિજિટલ મીટરો વપરાય છે, પરંતુ તે પણ તદ્ન ફૂલપ્રૂફ પૂરવાર થયા નથી, અને તેમાં પણ ચેડાં કરીને અવનવી તરકીબો દ્વારા વીજચોરી થતી જ રહી છે, તે ઓપન સિક્રેટ છે. તેથી હવે નવા સ્માર્ટ વીજમીટરો તદ્ન ફૂલપ્રૂફ હશે અને તેના સંપૂર્ણ અમલ પછી પણ વીજચોરો કોઈ નવી તરકીબ શોધી નહીં કાઢે, તેની કોઈ ગેરંટી ખરી? તે ઉપરાંત 'લંગારિયા' નાંખીને વીજળીનું 'અપહરણ' કરી લેતા વીજચોરોને તો કોઈપણ પ્રકારનું મીટર ક્યાં નડવાનું છે?
વિધાનસભામાંથી શરૂ થયેલી વીજસ્માર્ટ મીટરોની ચર્ચા હવે જ્યારે રાજ્યવ્યાપી બની રહી છે, ત્યારે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું, ખરૃં કે નહીં ?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે ગુજરાતનું વર્ષ ર૦રપ-ર૬ નું જે બજેટ રજૂ થયું, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શાસક પક્ષ બજેટના વખાણ કરે અને વિપક્ષ ખામીઓ વર્ણવે, તે તો સ્વાભાવિક ગણાય, પરંતુ તટસ્થ વિવેચકો, વિશ્લેષકો તથા જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો-તદ્વિષયક નિષ્ણાતો દ્વારા તર્કબદ્ધ રીતે બજેટની ખૂબીઓ અને ખામીઓ વર્ણવવામાં આવે, તે વધુ વિશ્વસનિય તથા વિચારપાત્ર ગણાય, ખરૃં કે નહીં.?
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, તેમાં રાજ્યની જનતાને શું લાભ થયો અને વ્યાપાર-ઉદ્યોગને આ બજેટની કેવી અસરો થશે તે અંગે પડી રહેલા મુખ્ય પ્રત્યાઘાતો જોઈએ તો નાણામંત્રીએ ઉદ્યોગ-વ્યાપાર કે આમ જનતાને સીધો ફાયદો થાય, તેવી બહુ જોગવાઈઓ કરી નથી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો તથા સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા-વધારા અને કેટલીક નગરપાલિકાના અપગ્રેડેશનની જાહેરાતોને આવકાર પણ મળી રહ્યો છે.
આમ તો જીએસટી અમલી બન્યા પછી રાજ્ય સરકારો (કેન્દ્ર સરકાર) પાસે કરવેરાના ધારાધોરણો નક્કી કરવાના મહત્તમ વિષયો રહ્યા જ નહીં, પરંતુ જીએસટીમાં સમાવિષ્ટ ન થયા હોય, તેવા કરવેરા તથા ચાર્જીસ ઉપરાંત લોક-સુવિધાના કામો, જનકલ્યાણની યોજનાઓ અને નીતિવિષયક બાબતોમાં રાજ્યના બજેટની જનજીવન તથા માર્કેટ પર પ્રત્યક્ષ તથા પરોક્ષ અસરો પડતી જ હોય છે, તે ઉપરાંત રાજ્ય સરકારનું બજેટ ઘણી વખત રાજકીય રીતે શાસક પક્ષને પણ લાભદાયક બનતું હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
સામાન્ય રીતે બજેટ આખા રાજ્યનો સમતોલ વિકાસ થાય, તમામ વર્ગો, પ્રદેશો તથા વયજુથોને સમાન ધોરણે ફાયદો થાય તથા ખૂટતી સુવિધાઓની પૂર્તિ થાય અને વિકાસની ગતિ વધુ વેગીલી બને તેવા કોન્સેપ્ટ સાથે રજૂ થતું હોય છે, પરંતુ ઘણી વખત આગામી ચૂંટણીઓમાં લાભ થાય, તે પ્રકારના ગણિત માંડીને પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ થતી હોય છે, ખરૃં કે નહીં?
બજેટ રજૂ થાય, એટલે આપણાં વિસ્તારને તેમાંથી શું શું મળ્યું છે, તેની ચર્ચા પણ થતી જ હોય છે. કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં રાજ્યની ૬૯ નગરપાલિકાઓના અપગ્રેડેશનની જોગવાઈ કરવામાં આવી છે, તેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બજેટમાં રૂ. ૯૩ હજાર કરોડથી વધુના ખર્ચે ૧૧૧૦ કિલોમીટરના જે નવા એક્સ્પ્રેસ-વે બનવાની જોગવાઈ છે, તેમાં ર૧૦ કિલોમીટરના રાજકોટ-દ્વારકા લીંક એક્સપ્રેસ-વે માટે રૂ. ૧૭ હજાર કરોડથી વધુની મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ટુરિઝમ તથા કૃષિ-સિંચાઈને લગતી કેટલીક જોગવાઈઓ તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ૩૪૦૦ કરોડની જોગવાઈનો પરોક્ષ ફાયદો હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થવાનો છે. તે ઉપરાંત મત્સ્યોદ્યોગ વિકાસના ક્ષેત્રે રૂ. ૧૬રર કરોડની જોગવાઈનો ફાયદો પણ જે માછીમારોને થશે, જેમાં મહત્તમ માછીમારો હાલાર સહિત સૌરાષ્ટ્રના હશે.
જો કે, વિપક્ષોએ ગુજરાતના બજેટથી સામાન્ય જનતા કે ઉદ્યોગ-વ્યાપારને કોઈ લાભ થવાનો નથી, તેમ જણાવીને કનુભાઈ દેસાઈના બજેટને દિશાહીન અને નિરાશાજનક ગણાવ્યું છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીલક્ષી ગણતરીઓ રાખીને આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સરકારે તત્પરતા દેખાડી છે, અને શહેરી વિસ્તારો માટે ૪૦ ટકા વધુ ફાળવણી કરાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય કરાયો છે. મોટી મોટી વાતો કર્યા પછી સ્ટાર્ટ-અપ માટે અપેક્ષા મુજબની જોગવાઈ કરાઈ નથી. સેમિકન્ડક્ટરના સેમિનારો યોજાય, તેમાં મોટા મોટા ભાષણો અને દાવાઓ કરવામાં આવે, પરંતુ બજેટમાં સેમિકન્ડક્ટરને રાજ્ય કક્ષાએ પ્રોત્સાહન મળે તેવી કોઈ જોગવાઈ કરાઈ નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ અને ફાર્મા સેક્ટરને પણ આ બજેટમાંથી નિરાશા જ હાથ લાગી છે, વગેરે...
જો કે, કેટલીક જોગવાઈઓને લોકોનો આવકાર પણ મળી રહ્યો છે. જેમાં પ્રાકૃતિક ખેતી માટે રૂ. ૪૦૦ કરોડ, આવાસ યોજનાના લાભાર્થીને રૂ. પ૦ હજાર જેટલી વધુ સહાયની જોગવાઈ, કૃષિ યંત્રો માટે રૂ. ૧પ૦૦ કરોડની જોગવાઈ, નવી સખી સહાય યોજના, ચાર ડિવિઝનમાં એ.આઈ હબ, બાળપોષણની જોગવાઈમાં વધારો, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના, રૂ. પ૦ હજાર કરોડનું 'વિકસિત ગુજરાત' ફંડ, પાંચ રિજિયોનલ ગ્રોથ હબ, બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તથા ડઝનેક હાઈ-સ્પીડ કોરિડોર તથા કેટલાક ટુરિઝમ ડેવલ્પમેન્ટ પ્રોજેક્ટોની જાહેરાતોને લઈને એકંદરે પોઝિટિવ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બીજી તરફ માતૃભાષા દિનની ઉજવણીની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાના ઉપયોગને લઈને માંગણી વધુ તીવ્ર બની રહી છે, અને વકીલો દ્વારા ધરણાં જેવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ત્યારે આ જટિલ મુદ્દે ઉભય પક્ષે વ્યવહારૂ ઉકેલ લાવવાના પ્રયાસો થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ ર૦રપ-ર૬ નું અંદાજપત્ર રજૂ થયું. તે પહેલા ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રવચન સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો હતો, અને તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ પરિસરમાં જ સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. આજે રાજ્ય સરકારના બજેટના પ્રત્યાઘાતો આવવાના શરૂ થાય, તે પહેલા જ કેટલાક અંદાજો તથા ધારણાઓ પણ બહાર આવી હતી, 'હવે શું?'
આ પહેલા ગઈકાલે જામનગર મહાનગરપાલિકાનું બજેટ મંજુર થયું અને તેમાં જામનગરની જનતા પર લગભગ સાડાચાર કરોડ જેવો કરબોજ વધારી દેવામાં આવ્યો, તેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જામ્યુકોના વર્ષ ર૦રપ-ર૬ ના રૂ. ૧૮૧૯ કરોડ જેટલી રકમના બજેટમાં રૂ. ૧પર૬ કરોડનો ખર્ચ સૂચવાયો છે, અને વોટર ચાર્જ, કચરા કલેક્શન કર તથા ટાઉનહોલના ભાડામાં વધારો કરીને નગરજનો પર રૂપિયા સવાસાત કરોડનો નવો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં નવું સ્મશાન, સુભાષ માર્કેટ મરામત, શ્વાનનું ખસિકરણ, રખડતા ઢોર, વરસાદી પાણીના વોંકળા, રમતગમતનું મેદાન, જન્મ-મરણના દાખલા, એનિમલ હોસ્પિટલ, તળાવ-બગીચાઓમાં ફ્રી એન્ટ્રી વગેરે મુદ્દે વિપક્ષના કોર્પોરેટરોએ તડાપીટ બોલાવી હતી, અને મનપાના તંત્ર દ્વારા કેટલાક જવાબો અપાયા હતાં, પણ 'હવે શું?'
આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે, તેના પર વિધાનસભામાં વ્યાપક ચર્ચા-પરામર્શ થશે. વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા થશે, અને બજેટની પૂરક માંગણીઓ માટે પણ વિધાનસભાની બે બેઠકો યોજાશે. બજેટ સત્રની ૧ર બેઠકોમાં બજેટ પર ચર્ચા અને મતદાન પછી વર્ષ ર૦રપ-ર૬ ના બજેટને આખરી ઓપ મળશે, અને આ અંદાજપત્ર વર્ષ ર૦રપ-ર૬ ના પ્રારંભે પહેલી એપ્રિલ ર૦રપ થી લાગુ થશે. આજે રજૂ થયેલું અંદાજપત્ર આપણી સામે જ છે. વર્ષ ર૦ર૪-રપ માં રૂ. ૩.૩ર લાખ કરોડનું બજેટ રજૂ થયું અને કોઈ નવા કરવેરા નાંખ્યા નહોતાં. આજે બજેટ રજૂ થયા પછી પણ એવો સવાલ ગૂંજી રહ્યો હતો કે 'હવે શું?'
ગઈકાલે વિધાનસભાના બજેટસત્રને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાબેતામુજબ રાજ્ય સરકારની પ્રશંસા કરી અને સિદ્ધિઓ વર્ણવી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટેના 'જ્ઞાન' સૂત્રનો ઉલ્લેખ કરીને રાજ્યપાલે વર્ષ ર૦ર૭ સુધીમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના, વિકાસ પ્રોજેક્ટો, સુશાસન દિવસ, ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસની ગતિશીલતા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
સામાન્ય રીતે રાજ્યપાલની સ્પીચ રાજ્ય સરકારના તંત્ર દ્વારા તૈયાર થતી હોય, કે તંત્રે આપેલા ડેટા આધારિત હોવાથી તેમાં રાજ્યનું ફૂલગુલાબી ચિત્ર રજૂ થાય, તે સ્વાભાવિક છે અને તેમાં ઓફિશ્યલ ડેટાનો આધાર લેવાતો હોવાથી કેટલીક તથ્યપૂર્ણ હકીકતો પણ સામેલ હોય છે, પરંતુ કેન્દ્રિય નીતિ આયોગના તાજેતરના એક રિપોર્ટે કેટલીક બાબતોમાં થયેલા મોટા મોટા દાવાઓની પોલ પણ ખોલી નાંખી છે.
કેન્દ્રિય નીતિ આયોગે વર્ષ ર૦ર૩ ના ડેટા પર આધારિત તાજેતરમાં જ જાહેર કરેલા ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ-ર૦ર૪ ના રિપોર્ટ મુજબ ગુજરાત એક અંક પાછળ ધકેલાયું છે, અને નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાતનો સ્કોર બે ટકા જેટલો ઘટ્યો છે, અને ગુજરાત દેશના ૧૮ મોટા રાજ્યોમાં પાંચમા નંબરે હતું, તેમાંથી છઠ્ઠા ક્રમે ધકેલાયું છે. બજેટ ટાણે જ બહાર આવેલી આ હકીકત રાજ્યની કથળેલી અર્થવ્યવસ્થા દર્શાવે છે. વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦૧૮-૧૯ ના સમયગાળાની તુલનામાં વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦ર૧-રર ના સમયગાળામાં ગુજરાતનો રેન્ક ઘટ્યો હતો, પરંતુ વર્ષ ર૦રર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીનો તુલનાત્મક રેન્ક હવે વર્ષ ર૦ર૬-ર૭ માં નક્કી થશે, પરંતુ અત્યારે ગુજરાતની પીછેહઠ દર્શાવાઈ રહી હોવાથી એવો સવાલ ઊઠે છે કે હવે શું?
કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં મધ્યમવર્ગ તથા નોકરિયાતોને ફાયદો થયો, પરંતુ ટ્રમ્પે રોન કાઢી અને કહી દીધું કે ભારત પૈસાવાળું છે, તેને સહાયની જરૂર જ નથી. તેમણે ટેરિફ તથા ગેરકાયદે રહેતા ભારતીયોની અપમાનજનક હકાલપટ્ટીના મુદ્દે પણ ભારત માટે કોઈ પ્રકારનું કુણુ વલણ અપનાવ્યું નથી, તેથી સવાલો ઊઠ્યા છે અને ભારતની વિદેશનીતિની આલોચના પણ થવા લાગી છે, તેથી સવાલ ઊઠે છે કે, હવે શું?
દિલ્હીની જનતાએ તો ભાજપને જનાદેશ આપ્યો, પરંતુ મુખ્યમંત્રી નક્કી કરતા ભાજપને વાર લાગી અને તેની ટીકા પણ થઈ. હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા પછી તેની સામે પડકારો વધવાના છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં હતાશા છે, અને કોંગ્રેસ પણ કેજરીવાલની વિદાયથી ખુશ છે, પરંતુ દિલ્હી ભાજપમાં બધું બરાબર નહીં હોવાના અહેવાલો વચ્ચે દિલ્હીમાં એલ.જી. (લેફટનન્ટ ગવર્નર) ની મનમાની ચાલશે કે નહીં તેવા સવાલો ઊઠ્યા છે, તેથી દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલેલા ત્રણેય રાજકીય પક્ષોમાં પણ 'હવે શું થશે?' એવો સવાલ જ ગૂંજી રહ્યો છે. ટૂંકમાં દ્વારકાથી દિલ્હી સુધી અને નગરથી નેશન સુધી રાજકીય હલચલ વચ્ચે બજેટની મોસમ છે, ત્યારે જ ચોતરફ એક જ સવાલ ગૂંજી રહ્યો છે કે, 'હવે શું?...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાં ભારતીય જનતા પક્ષનો સપાટો બોલ્યો અને હાલારની ૬ માંથી પ નગરપાલિકા ભાજપે જીતી લીધી, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ આટલી ઝળહળતી સફળતા મળ્યા પછી રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. આ ઘટનાક્રમની સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જે સંકેતો આપ્યા છે, તે જોતા ટૂંક સમયમાં તેના સ્થાને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ નિમાશે, તે નક્કી છે, પરંતુ તે કોણ હશે? તે અંગે તો માત્ર અટકળો જ કરવી રહી.
'સોનાની થાળીમાં લોઢાની મેખ'ની કહેવતની જેમ ભાજપ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષને જબરો ઝટકો પણ લાગ્યો છે. સલાયામાં કોંગ્રેસનો પંજો પડ્યો, અને વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટીને જનાદેશ મળ્યો. એટલું જ નહીં, ભાજપને એક પણ બેઠક મળી નહીં, તેથી હાલારમાં અન્યત્ર ભાજપને થયેલી સફળતા ઝંખવાઈ ગઈ અને ચંદ્રમામાં દેખાતા ડાઘની જેમ આ નગરપાલિકા રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ, તેના કારણો પણ 'ઓપન સિક્રેટ' જ છે ને? કેટલાક સ્થળે વિપક્ષની આ સફળતાની ઉજવણી બુલડોઝર અને જેસીબીમાં (જોખમી ઢબે) ચડીને કરાઈ, તે શું સૂચવે છે?... સમજદાર કો ઈશારા બહોત...
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલીક બેઠકો બસપાને પણ મળી છે, જ્યારે દિલ્હીમાં પછડાટ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલી કેટલીક બેઠકોના કારણે થોડી રાહત તે પાર્ટીને પણ થઈ જ હશે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ફાવી ગયેલા પ્રાદેશિક પક્ષોના કારણે વિપક્ષની હાજરી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેશે, તેવું માનીને ઘણાં લોકો મન પણ મનાવી રહ્યા છે.
જો કે, સૌરાષ્ટ્રમાં સાયકલ દોડી અને કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સત્તા મળી, તેથી કોંગ્રેસ પણ ખુશ હશે. સલાયા અને કુતિયાણા-રાણાવાવમાં ભાજપને લાગેલો જબરો ઝટકો આજે સૌથી વધુ ચર્ચામાં છે, અને આ સફળતાઓની પાછળ કાંધલ જાડેજા તથા વિક્રમભાઈ માડમની રણનીતિ કામ કરી ગઈ હોવાની ચર્ચા પણ ન્યૂઝ ચેનલો તથા મીડિયામાં થઈ રહી છે.
એવું કહેવાય છે કે કુતિયાણા અને રાણાવાવની સફળતા માટે કાનાભાઈ જાડેજાએ પોતાના મોટાભાઈ કાંધલ જાડેજાને યશ આપ્યો છે, તે નક્કર હકીકત છે. અખિલેશ યાદવ કે સમાજવાદી પાર્ટીને નહીં પણ આ નગરોમાં વ્યક્તિગત રીતે કાંધલ જાડેજા જ જીત્યા છે, અને તેની આ લોકપ્રિયતાના કારણો પણ અલગથી ચર્ચાઈ રહ્યા છે, અને આ સફળતાને કેટલાક વિશ્લેષકો ભાજપની લાંબાગાળાની ચતૂરાઈભરી રણનીતિ પણ ગણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે ૩૦ માંથી ર૬ નગરપાલિકામાં વિજયનો વાવટો ફરકાવ્યો, પરંતુ જ્યાં પરાજય થયો, ત્યાં હારી જવાના કારણોનું ભાજપ પોસ્ટમોર્ટમ કરશે, એવું પણ બની શકે કે કોંગ્રેસે કેટલાક સ્થળે સબળ અપક્ષો તથા સાથીદાર વિપક્ષના ઉમેદવારોને જીતાડ્યા. ગુપ્ત સમજુતિ કરી હોય, તેવી જ રીતે ભાજપે પણ કુતિયાણા-રાણાવાવમાં લાંબાગાળાની રણનીતિના ભાગરૂપે 'મોટું મન' રાખ્યું હોય!
કેટલાક જમીની તજજ્ઞો-વિચારકોના મંતવ્યો એવા પણ છે કે પોરબંદરની લોકસભા બેઠક મટે ભાજપ પાસે કોઈ સ્થાનિક સક્ષમ નેતા નહીં હોવાથી પડોશી જિલ્લાઓ કે અન્ય સ્થળેથી આયાતી ઉમેદવારો મૂકવા પડે છે. આ સમસ્યા દૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂર કરવા સ્થાનિક કક્ષાએ 'દિગ્ગજ' અને લોકપ્રિય ચહેરો સ્થાપિત કરવાના આશયથી ભાજપના ચાણક્ય નેતાએ કોઈ ઊંડી રણનીતિ ઘડી હોય, આવું તારણ કાઢવા પાછળનો તર્ક એવો રજૂ થઈ રહ્યો છે કે કાંધલ જાડેજાએ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં ભાજપ તરફી ઝોક રાખ્યો છે, તેથી સમાજવાદી પાર્ટીના નિશાન પર કાંધલ જાડેજાને સપોર્ટ કરીને તથા તેના ભાઈને સુધરાઈ કક્ષાનું પ્લેટફોર્મ આપીને ભાજપે બાબુભાઈ બોખિરિયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને પરોક્ષ રીતે કોઈ 'સંદેશ' પણ આપ્યો હોઈ શકે છે. ગઈકાલે પરિણામો પછી કાંધલ જાડેજાનું કથિત ભાજપ તરફી નિવેદન પણ ચર્ચામાં જ છે ને?
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હોવા છતાં સૌથી વધુ ચર્ચા સલાયા, રાણાવાવ અને કુતિયાણાની થઈ રહી છે, જ્યારે જામજોધપુરમાં ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે, તેવી અટકળો પણ ખોટી પડી છે. એકંદરે આ તે વખતે જનતાએ ક્યાં કોને જીતાડવા, ક્યાં કોને હરાવવા અને ક્યાં કોને પછાડવા (અને એક પણ બેઠક ન જીતવા દેવી) તે અંગે પહેલેથી જ મન બનાવી લીધું હતું, તેમ નથી લાગતું?
હવે વિજયના મદમાં કે સત્તાના ઘમંડમાં રાચવા બદલે મળેલા જનાદેશ મુજબ જ્યાં જેને જનાદેશ મળ્યો છે, તે પક્ષો અને ઉમેદવારોએ સક્રિય અને લોકલક્ષી અભિગમ સાથે લાગી જવું જ પડશે, કારણ કે જો છેતરાયા હોવાની અનુભૂતિ થશે, તો મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 'મન' અને 'મત' બન્ને બદલી નાંખશે... સાવધાન!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે હાલાર સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વાભાવિક રીતે જ જેનો વિજય થાય, તે ખુશ થાય અને તેના સમર્થકો-કાર્યકરો દ્વારા વિજયના વધામણા થાય અને જેનો પરાજય થયો હોય ત્યાં થોડી નિરાશા વ્યાપે, પરંતુ આપણે ત્યાં લોકશાહી એટલી પૂખ્ત થઈ છે કે પરાજય પછી હારેલા ઉમેદવારો (મોટાભાગે) વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન આપે અને પોતે જનસેવા કરતા રહેશે તેવા પ્રતિભાવો આપે. કેટલીક વખત અપવાદરૂપ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલતો હોય છે.
મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી અટકળો થઈ હતી, અંદાજો કરાયા હતાં અને ગણિત મંડાયા હતાં. આજે પરિણામો આવ્યા પછી નવેસરથી ગણિત મંડાશે અને નવા સમિકરણો પણ કેટલાક સ્થળે રચાશે. મુખ્યત્વે દ્વિપક્ષિય મુકાબલો હોવા છતાં કેટલાક સ્થળે સબળ અપક્ષ ઉમેદવારો તથા અન્ય રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી જ મહેનત પણ કરવી પડી હતી, અને આજે આવી રહેલા પરિણામો આપણી સામે જ છે ને?
આજે વિજય મેળવ્યા પછી હવે વિજેતા ઉમેદવારોએ પહેલેથી જ સક્રિયતાથી કામે લાગી જવું પડશે અને ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ પૂરા કરવામાં લાગી જવું પડશે. જો આ વખતે મતદારોને છેતરાયા હોવાનો અહેસાસ થશે, તો બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના પડઘા પડશે અને ગુજરાત લેવા જતા હવેલી ખોવા જેવો ઘાટ સર્જાશે, તેથી બી કેર ફૂલ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટાભાગે સ્થાનિક મુદ્વાઓ પ્રભાવી રહેતા હોય છે, અને સ્થાનિક કક્ષાની એન્ટી-ઈન્કમબન્સી કે પ્રો-ઈનકમ્બન્સીની પણ અસર થતી હોય છે, તે ઉપરાંત રાજકીય પક્ષોની આંતરિક ખેંચતાણ તથા ભાઈ-ભત્રીજાવાદ તથા ઘણી વખત સ્થાપિત હિતો પણ ભૂમિકા ભજવતા હોય છે, તેથી આ ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભની ચૂંટણીઓથી થોડી ભિન્ન હોય છે, જો કે 'ત્રિપલ એન્જિનની સરકાર'વાળો નારો સૌથી વધુ કામ કરી ગયો હોય, તેમ જણાય છે.
આજે પરિણામો આવ્યા પછી પંચાયત-પાલિકાઓમાં જેને સત્તા મળે, તેની જવાબદારી એટલા માટે પણ વધી જવાની છે કે જનાદેશ મળ્યા પછી નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી સમસ્યા ઉપરાંત કેટલીક નવી ઊભી થયેલી સમસ્યાઓ તથા લોકોમાં ઊભી થયેલી નવી આકાંક્ષાઓની પૂર્તિ માટે પણ નવા પડકારો ઊભા થવાના છે. એટલું જ નહીં, ચૂંણી સમયે લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે મહેનત પણ કરવી જ પડશે, ખરૃં કે નહીં?
આજે હાલારની ૬ નગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. કેટલીક બેઠકો પર બિનહરિફ પણ જાહેર થઈ હતી. આજે જામજોધપુર, ધ્રોળ, કાલાવડ, દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓ તથા કેટલીક તાલુકા પંચાયતની ખાલી બેઠકોની મતગણતરી પણ થઈ રહી છે. આજે સવારે નવેક વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને બપોર થતા સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ પણ થવા લાગ્યું હતું.
આજે મગણતરી શરૂ થઈ ત્યારથી જ પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત પેટાચૂંટણીઓમાં પણ મહદ્અંશે ભાજપની જ લીડ જોવા મળી રહી હતી, અને કેટલાક સ્થળે કોંગ્રેસ પણ હાજરી નોંધાવી રહી હતી, પરંતુ અત્ર-તત્ર-સર્વત્ર કમળ સોળે કળાએ ખિલી રહ્યું હતું. મતદારોએ ભાજપને ખોબલે-ખોબલે મતો આપ્યા છે, અને જ્યાં ઓછું મતદાન થયું, ત્યાં પણ ભાજપને જ ફાયદો થઈ રહેલો જણાય છે. કેટલાક સ્થળે સપા, બસપા, આપ તથા અન્ય પક્ષોના ઉમેદવારો પણ જીત્યા છે.
જો કે, ભાજપને સલાયા નગરપાલિકા સહિતના કેટલાક સ્થળે ઝટકો પણ લાગ્યો છે. કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ જનાદેશ મળ્યો છે, પરંતુ એકંદરે જોઈએ તો કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક જ નહીં, પરંતુ આત્મચિંતનનો સંકેત આપનારા પણ ગણાય, ખરૃં ને?
કેટલાક સ્થળે ભાજપને લાંબા સમયે જનાદેશ મળ્યો છે, તો ઘણાં સ્થળે અપસેટ અને અપવાદો પણ સર્જાયા છે, પરંતુ એકંદરે સાર્વત્રિક ભાજપનો જ દબદબો રહ્યો છે, જેને વિશ્લેષકો પ્રો-ઈન્કમ્બન્સી નહીં, પરંતુ વિપક્ષોની કમજોરી તથા ગુજરાતમાં જળવાઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની ફલશ્રૂતિ ગણાવે છે, જો કે કેટલીક નગરપાલિકાઓમાં બસપા, સમાજવાદી પાર્ટી, આપ અને કોંગ્રેસને મળેલી સરસાઈ તેમાં અપવાદ છે.
હાલારમાં પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, તે મુજબના પરિણામો આવી રહ્યા છે. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચના પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, અને સલાયાની સંભાવનાઓ પણ પહેલેથી જ જગજાહેર થઈ ચૂકી હતી.
હવે ટોપ ટુ બોટમ ભાજપનો દબદબો અને 'ત્રિપલ એન્જિનની સરકાર' પર જનતાએ આટલો બધો ભરોસો મૂક્યો છે, ત્યારે ભાજપની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે, જો જો... ભરોસાની લાજ રાખજો...હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે બહોળા પ્રમાણમાં લોકો ગંગાસ્નાન માટે ત્રિવેણી સંગમ-પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે, અને મહાશિવરાત્રિ સુધીમાં કરોડો લોકો ચારે તરફથી પ્રયાગરાજ તરફ જતા માર્ગો પર જોવા મળવાના છે, ત્યારે માત્ર પ્રયાગરાજ કે ઉત્તરપ્રદેશ સરકાર જ નહીં, પરંતુ પ્રયાગરાજ તરફ જતા દેશભરના મુખ્ય માર્ગો પર તમામ સંબંધિત રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક તથા જરૂર પડ્યે તબીબી સુવિધાઓને લઈને પણ વિશેષ પ્રબન્ધો કરવા પડે તેમ છે. એટલું જ નહીં, વાહનચાલકો તથા સ્વયં યાત્રિકોએ પણ વિશેષ સતર્કતા રાખવી જ પડે તેમ છે.
જેમ જેમ મહાશિવરાત્રિ નજીક આવશે, તેમ તેમ માત્ર સડકો, હાઈ-વે, નેશનલ હાઈ-વેઝ જ નહીં, પરંતુ રેલવે તથા હવાઈ માર્ગે પણ ભાવિકો-યાત્રિકો તથા સંલગ્ન સેવાઓ તથા વ્યવસાયોને લગતો ટ્રાફિક ઘણો જ વધવાનો છે, તેને લક્ષ્યમાં લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય-કેન્દ્ર સરકારો તથા એનજીઓ-સ્થાનિક તંત્રોએ સુદૃઢ સંકલન સાથે સંપૂર્ણ સક્રિયતા સાથે સાવચેતી તથા સુવિધાઓના તમામ કદમ સમયોચિત રીતે તત્કાળ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
જ્યારે ભીડ ઉભરવા લાગે તેમ હોય, કે મોટી સંખ્યામાં બુકીંગ થતું હોય, ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો, સ્ટેટ બસ સર્વિસો, રેલવે તથા એરપોર્ટસ ઓથોરિટીયે પણ સતત સતર્ક રહીને સંચાલન કરવું જોઈએ, અને જરૂર પડ્યે બુકીંગ અટકાવી કે ઘટાડીને પણ જાહેર સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ.
પ્રયાગરાજના સંગમ ઘાટ તરફ વધુ પ્રવાહ હોવાથી એકાદ-બે દુર્ઘટના સર્જાઈ હતી અને ભાગદોડમાં ઘણાં લોકોના જીવ ગયા હતંુ. જુદા જુદા સમયે નાની-મોટી આગ દુર્ઘટનાઓ પણ થઈ હતી. તે ઉપરાંત રેલવે સ્ટેશનો તથા બસમથકો પર અભૂતપૂર્વ ધસારો વધી રહ્યો હતો, તેમાંથી બોધપાઠ નહીં લેતા દિલ્હીના એક રેલવે સ્ટેશન પર સર્જાયેલી ભાગદોડની ઘટનામાં ૧૮ લોકોના જીવ ગયા, તેનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.
નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. રેલવે તંત્રે દુર્ઘટના પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાલી કરાવીને જે રીતે તત્કાળ 'સફાઈ' કરી અને ભાગદોડ પછી મુસાફરોના વિખરાયેલા સામાન તથા બૂટ-ચંપલને હટાવવા તથા લાંબા સમય સુધી અધિકૃત રીતે તંત્ર કે રેલવે મંત્રી તરફથી કોઈ માહિતી જ અપાઈ નહીં, તેથી લોકોમાં આશંકાઓ પણ વધી હતી અને ગભરાટ પણ વધુ ફેલાયો હતો. રેલવે તંત્રે પોતાની ભૂલ છૂપાવવા કરેલા પ્રયાસોના કારણે સ્થિતિ સામાન્ય થવામાં વાર લાગી હોવાના આક્ષેપો પણ થયા છે.
વિપક્ષોએ પણ હવે આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો સરકારને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે મોદી સરકાર સત્ય હકીકતો છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણાં લોકોના જીવ ગયા તે દુઃખદ છે. રેલવે સ્ટેશનની આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયો જોતા એમ લાગે છે કે સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. ઘાયલોની દશા ખરાબ હોવા તથા તેઓને સમયસર સારવાર મળી નહીં હોવાના આક્ષેપો પણ ગઈકાલે થયા હતાં.
એવા તારણો નીકળી રહ્યા છે કે, દિલ્હી રેલવે સ્ટેશને થયેલી ભાગદોડમાં રેલવેના સત્તાધીશોની ઘોર બેદરકારી તથા મિસમેનેજમેન્ટજ જવાબદાર છે. રેલવે સ્ટેશનમાં સંબંધિત પ્લેટફોર્મમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા ન હોય, તેમ છતાં જનરલ કોચની સંખ્યાબંધ ટિકિટો આપવી, એ કોઈપણ રીતે તર્કસંગત નહોતું તથા બેકીંગ ઓથોરિટી, રેલવે પોલીસ તથા ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટી વચ્ચે કોઈ પ્રકારનું સંકલન જોવા મળ્યું નહોતું. ટ્રેનો મોડી થવી, રદ્ થવી અને પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત થવી વગેરે મુદ્દે ઊંડી તપાસની જરૂર છે, પરંતુ રેલવેની જ હાઈપાવર કમિટી તટસ્થ તપાસ કરશે ખરી?
ઘોડા છૂટી જાય, તે પછી તબેલાને તાળા મારવાની જેમ આજે પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનો ક્યા પ્લેટફોર્મ પરથી ક્યારે ઉપડશે અને મુસાફરોએ ક્યા રસ્તે જવું તેની જાહેરાત (એનાઉન્સીંગ) થઈ રહ્યું છે, પરંતુ આવી જ વ્યવસ્થા પહેલેથી થઈ હોત તો કદાચ ૧૮ જીવ બચી ગયા હોત. રેલવેએ સંબંધિત સ્ટેશનો પર દિવાળી તથા છઠ્ઠના પર્વે જે વિશેષ પ્રબન્ધો થાય છે, તેને અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
હવે કોંગ્રેસે રેલવેમંત્રીનું રાજીનામું માંગ્યું છે અને દિલ્હી દુર્ઘટનાની ઉચ્ચ ન્યાયિક તપાસની માંગણી કરી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
મહાશિવરાત્રિ સુધી હવે કોઈ દુર્ઘટના ન સર્જાય અને તમામ પરિવહન-સંચાલન અને સંચાલન યોગ્ય રીતે સંપન્ન થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે, જેમાં જે નગરપાલિકાઓ, તાલુકા-જિલ્લા પંચાયત માટે ચૂંટણી-પેટાચૂંટણી થવાની છે, ત્યાં પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટુ-ડોર સંપર્ક ઉપરાંત ખાનગી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, અને છેલ્લી ઘડીના ગણિત મંડાઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીઓમાં કેટલાક સ્થળોને બાદ કરતા બહુ ઉત્સાહ કે રસાકસી જોવા મળતી નથી, તો કેટલીક એવી બેઠકો પણ છે, જ્યાં પ્રતિષ્ઠાનો જંગ હોઈ, રાજ્ય-કેન્દ્રિય કક્ષાના નેતાઓ પણ પ્રચાર પછી ગોઠવણો કરતા જોવા મળ્યા છે.
આવતીકાલે ચાર હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થવાનું છે, અને ચૂંટણીતંત્ર સજ્જ છે, અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે ઘણાં સ્થળે એક જ ઉમેદવાર હોવાથી કેટલીક બેઠકો બિનહરિફ પણ જાહેર થઈ છે, એટલે કે ત્યાંના એકમાત્ર ઉમેદવાર બિનહરિફ વિજેતા થયેલા ગણાશે. રાજ્યની ર૬ પાલિકાઓની ૧૬૭ બેઠકો બિનહરિફ જાહેર થેલી છે, અને તેમાં ૧૬ર નિર્વિરોધ ચૂંટાયેલા ઉમેદવારો ભાજપના છે, એક કોંગ્રેસના ઉમેદવાર પણ બિનહરિફ થયા છે, તો ચાર અપક્ષો પણ નિર્વિરોધ ચૂંટાશે. આ બિનહરિફ થતી બેઠકો માટે પણ મતદાન પહેલાની ઘણી જ રસપ્રદ રીત-રસમો અજમાવતી હોય છે, જે ઓપન સિક્રેટ જ છે ને?
વાતાવરણમાં હવે ક્રમશઃ ઠંડી ઘટી રહી છે, અને બપોરે ઉનાળાનો અહેસાસ કરાવે, તેવી ઉષ્ણતા ધીમે ધીમે વધી રહી છે, તો વહેલી સવારે ઝાંકળ પડે છે. ઠેર-ઠેર છવાયેલા ધૂમ્મસના કારણે વાહન-વ્યવહાર તથા રોજીંદુ જનજીવન પ્રભાવિત થાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ પ્રારંભમાં ઠંડી (સુસ્તી) પછી છેલ્લા કેટલાક દિવસોથી ગરમી દેખાણી હતી અને હવે મતદાન તથા પરિણામો અંગે અટકળોનું ધુમ્મસ છવાયું છે. આવતીકાલે સૂરજ ઉગશે, મતદાન શરૂ થશે અને ધીમે ધીમે ધુમ્મસ હટી જશે. તા. ૧૮ ફેબ્રુઆરીના મતગણતરી શરૂ થયા પછી ધુમ્મસ તદ્ન હટી જશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે ખરૃં ને?
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોસમનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છ, અને એકંદરે પ્રચાર કાર્ય શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું છે, જો કે પરીક્ષાઓનો માહોલ છે, તે ઉપરાંત ઘણાં લોકો મહાકુંભસ્નાન કરવા પ્રયાગરાજ ગયા છે, મતદાન પર કેટલી અસર પડશે, તે અભ્યાસનો વિષય છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, અને મતદારોને રિઝવવાના ઉમેદવારોના પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલી રહ્યા છે, પરંતુ ઘણી બેઠકો પર કાં તો મતદારોમાં ઉત્સાહ જણાતો નથી, અથવા તો એકપક્ષિય મુકાબલો હોય તેમ જણાય છે. કેટલીક નગરપાલિકાઓમાં તો અત્યારથી જ એકપક્ષિય મતદાન થવાનું હોય, તેમ પ્રચારયુદ્ધ બહું થયું નથી, ત્યારે કેટલીક નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
દ્વારકા જિલ્લામાં સલાયા-ભાણવડ ને દ્વારકા નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ છે, જ્યારે સલાયામાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાનું કહેવાય છે, જો કે જીતનો દાવો બધા પક્ષો કરતા હોય, તે સ્વાભાવિક છે, પરંતુ આ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત પણ કેટલાક રાજકીય, રાષ્ટ્રીય તથા સંવેદનશીલ મુદ્દાઓ પણ કામ કરી રહ્યા હોય, તેમ જણાય છે. સલાયામાં તો એઆઈએમઆઈએમ એટલે કે ઓવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. સલાયામાં પહેલા કોંગ્રેસનું શાસન હતું, અને પછી વહીવટદારનું શાસન હતું, જેમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સ્થાનિક સ્વરાજ્યોના મુદ્દે પ્રવર્તતો અસંતોષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, છતાં બહુપાંખિયો જંગ હોવાનું મનાય છે.
ભાણવડમાં પણ ખરાખરીનો જંગ જામવાનો છે,અને અહીં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના કાર્યકર જુથો પણ સક્રિય છે. તદુપરાંત મતદારોનો મિજાજ અને ઈન્કમ્બન્સીની ભૂમિકા પણ રહેવાની છે.
દ્વારકાની નગરપાલિકાની ચૂંટણી તો ખુલ્લી કિતાબ જેવી હોય છે, અને ત્યાં ધારાસભ્ય પબુભા માણેક તથા અન્ય સ્થાનિક નેતાગીરીનો પ્રભાવ હંમેશાં દ્વારકા નગરપાલિકા તથા તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં રહેતો આવ્યો છે.
આમ, સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ રહેવાનો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે, જ્યારે સલાયામાં 'આપ' અને ઓવૈસીની પાર્ટીની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તમામ સ્થળે એન્ટી-ઈન્કમ્બન્સી કે પ્રો-ઈન્કમ્બન્સીની અસર પણ રહેશે, તેમ જણાય છે.
જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત કેટલાક સ્થાનિક પરિબળો તથા પ્રાદેશિક પક્ષો અને અપક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ સીધો કે પરોક્ષ રીતે રસ લઈ રહી છે. ધ્રોળ નગરપાલિકા માટે પણ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્યોના કાર્યકરજુથો સક્રિય છે, જ્યારે કોંગ્રેસ, આપ, સપા-બસપા વિગેરે પાર્ટીઓની નેતાગીરી પણ સક્રિય જણાય છે. જામજોધપુરમાં ધારાસભ્ય હેમતભાઈ ખવાના કાર્યકર જુથો પ્રતિસ્પર્ધી ઉમેદવારોને પરાજીત કરવા પ્રયાસો કરે, તેમાં કેટલી સફળતા મળે, તેના પર ચૂંટણીની ગણતરીઓ મંડાઈ રહી છે. કાલાવડમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓને લઈને જ વધુ ચૂંટણી પ્રચાર થયો હતો. અહીં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ગ્રુપ પણ સક્રિય હશે જ ને?
ટૂંકમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભરેલા નાળિયેર જેવી છે અને અટકળોનું બજાર ગરમ છે. કેટલાક સ્થળે તીવ્ર રસાકસીના પણ એંધાણ છે, તો કેટલાક સ્થળે ઉમેદવારોને પોતાના વિજયનો વિશ્વાસ દૃઢ છે. જોઈએ હવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હુંતાશણી-ધૂળેટી પછી ગૃહિણીઓ ઘરમાં 'ઘઉં ભરવા' લાગશે, એટલે કે આખા વર્ષની જરૂરિયાતનો અંદાજ કરીને સારા ઘઉંની વાજબી ભાવે જથ્થાબંધ ખરીદી કરવા લાગશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વધવા જઈ રહ્યું છે હોવાથી ઘઉંના ભાવ ઘટશે, તેવી સંભાવનાઓ હતી, પરંતુ તેનાથી ઉલટું થયું છે, અને માર્કેટમાં ઘઉંના ભાવો વધવાના સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ઘઉંનું ઉત્પાદન સાડાચાર લાખ ટન જેટલું વધ્યું હોવા છતાં ભાવવધારાના સંકેતોએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે, તો માર્કેટમાં પણ અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થાય છે, તેમાં પોપટિયા અથવા દેશી ઘઉંનો ભાવ વધુ હોય છે, જ્યારે રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘેર-ઘેર રોટલી બનાવવા માટે વપરાતા ટૂકડા ઘઉંના ભાવપર સૌની નજર વધુ રહેતી હોય છે. કૃષિ અને વ્યાપાર ક્ષેત્રના વર્તુળો મુજબ ગઈકાલે ટુકડા ઘઉંના ભાવ ૬૧ર થી ૭ર૬ વચ્ચે સૌરાષ્ટ્રમાં રહ્યા હતાં. આથી પ્રિ-સિઝન ભાવવધારો સામાન્ય પરિવારોની થાળી મોંઘી કરશે, તેની ચિંતા પણ વ્યક્ત થવા લાગી છે.
આજે ગુજરાતથી ગ્લોબ સુધી ભાવો અને ટેરિફની જ ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને પી.એમ. નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી વાટાઘાટો પછી 'ક્યા ખોયા, ક્યા પાયા... અને કોને શું મળ્યું તથા ભારતને ક્યો ફાયદો થયો, તો કઈ બાબતે ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સના દેશોને પુનઃ ચેતવણી આપી, તેનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની સામે ભારત (મોદી) ના 'નેશન ફર્સ્ટ'ના સૂત્રની ટક્કર પણ જોવા મળી રહી છે, ખરૃંને?
ડોનાલ્ડ ટ્રમ્પે શક્તિવર્ધક સત્તાપ્રાપ્તિ કર્યા પછી અમેરિકા આક્રમક બન્યું છે અને એક પછી એક 'ટ્રમ્પકાર્ડ'નો ખેલ આખી દુનિયાને હચમચાવી રહ્યો છે, ત્યારે પ્રથમ સમયગાળાના ટ્રમ્પ કરતા બીજા તબક્કામાં ટ્રમ્પ કાંઈક અલગ જ જણાઈ રહ્યા છે, જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનેલા મોદી થોડાક વધારે પડતા 'પ્રેક્ટિકલ' બની ગયા હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં રિસિપ્રોકલ ટેરિફની ચર્ચા વધુ થઈ રહી છે, અને આ શબ્દો ગ્લોબ ટોકનો વિષય પણ બન્યા છે. હકીકતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવેલી રિસિ પ્રોકલ ટેરિકની અસરો દુનિયાભરની માર્કેટો તથા વિશ્વના મહત્તમ દેશો સુધી પહોંચી છે, અને ભારત સહિત તમામ દેશો સાથે જો અમેરિકા આ જ પ્રકારની નીતિ અપનાવવાનું હોય તો ટ્રમ્પ-મોદીની દોસ્તી તથા પર્સનલ કેમેસ્ટ્રીનો દેશને શું ફાયદો? તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.
દેશી ભાષામાં ટ્રમ્પની નવી અર્થનીતિને સમજવી હોય તો ગુજરાતી કહેવત 'જેવા સાથે તેવા' અથવા પ્રચલિત સંસ્કૃત સૂત્ર 'શઠમ્ પ્રતિ સાઠયમ્'ના ભાવાર્થ સાથે ટ્રમ્પનીતિને સરખાવી શકાય. ભાવતાલ અને કરવેરાના ક્ષેત્રે ટ્રમ્પની નીતિ એવી છે કે જે દેશ અમેરિકા સાથે જે પદ્ધતિથી વ્યાપાર-વ્યવહારો કરતો હોય, તેઓની સાથે તેવું જ વલણ અપનાવવું. જે દેશો આયાત પર વધુ ટેક્સ લેતો હોય, તે દેશોમાં નિકાસ અને તે દેશોમાંથી આયાત કરવામાં પણ તેવી જ નીતિ અપનાવવી, અને આયાત-નિકાસ વચ્ચેની દ્વિપક્ષીય ગણતરી કરીને ખાધ રહેતી હોય ત્યાં ટેક્સ અથવા ટેરિફ વધારવાની પોલિસી અપનાવવી, તે પ્રકારનો આ કોન્સેપ્ટ માત્ર ભારત નહીં, દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, પી.એમ. મોદીનો પ્રભાવ પહેલા જેવો રહ્યો નથી અને ટ્રમ્પ બીજી ટર્મમાં વધુ મજબૂત જણાય છે, જ્યારે મોદી ત્રીજી ટર્મમાં પહેલી ટર્મ જેવા પ્રભાવી જણાઈ રહ્યા નથી, જ્યારે ઘણાં લોકો વિવિધ મુદ્દે મોદી પહેલા જેવા જ સ્પષ્ટ અને મક્કમ જણાયા હતાં. ખુદ ટ્રમ્પે અને મસ્કે પણ વડાપ્રધાન મોદીને ચતૂર નેગોશિએટર ગણાવ્યા હતાં, સાથે સાથે ભારતને બિઝનેસટફ પણ ગણાવી દીધું હતું.
ભારત-અમેરિકા વચ્ચે વર્ષ ર૦૩૦ સુધીમાં વેપાર બમણો કરવો, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત, ઈસ્લામિક આતંકવાદ સામે સહિયારી લડત, ઊર્જા કરાર, ભારતને યુદ્ધ વિમાનો એફ-૩પ આપવાની જાહેરાત, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, વેપારખાધ ઘટાડવાની રણનીતિ પર સહમતિ સહિતના થયેલા કરારોને વડાપ્રધાન મોદીની અમેરિકાની વર્તમાન મુલાકાતની ઉપ્લબ્ધિ પણ ગણાવવામાં આવે છે.
સામાન્ય અભિપ્રાય એવો છે કે 'જેવા સાથે તેવા'ની રણનીતિ વર્તમાનયુગની જરૂરિયાત છે, પરંતુ જ્યારે વૈશ્વિક નીતિમાં તથા ખાસ કરીને વ્યાપારિક-આર્થિક નીતિઓની વાત આવે, ત્યારે બાંધછોડની નીતિ પણ અપનાવવી જ પડતી હોય છે, અને આ સિદ્ધાંતને ધ્યાને રાખીને જ ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો તથા રિસિપ્રોકલ ટેક્સની માત્ર જાહેરાતો જ કરી છે, અને તે તત્કાળ નહીં, પરંતુ દરેક દેશ માટે અલગ-અલગ વાટાઘાટો કરીને જ લાગુ થશે, તેવું સ્પષ્ટ કર્યું છે, કારણ કે ટ્રમ્પ પણ જાણે છે કે આવી નીતિ વ્યવહારમાં ચાલે, વ્યાપારમાં નહીં... જડતા તો ન જ ચાલે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીની જેમજ દાયકાઓ પહેલા જયપ્રકાશ નારાયણની જનચળવળ પછી જનતાપાર્ટીનો જન્મ થયો હતો અને મોરારજી દેસાઈની સરકાર રચાઈ હતી. અત્યારે જે રીતે ભાજપ (મોદી) સામે વિપક્ષોએ લોકસભાની ચૂંટણીમાં 'ઈન્ડિયા' ગઠબંધન બનાવ્યું હતું, તેવી જ રીતે ઈમરજન્સી પછી (ઈન્દિરા ગાંધી) કોંગ્રેસ સામે વિપક્ષો એકજુથ થયા હતાં. તફાવત એટલો જ છે કે તે વખતે મહાગઠબંધન નહીં, પરંતુ મોટાભાગના મુખ્ય વિપક્ષોએ સાથે મળીને એક પાર્ટી રચી હતી, જેનું નામ જનતા પાર્ટી રખાયું હતું. આ જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી છૂટી પડેલી સંસ્થા કોંગ્રેસ, ભારતીય લોકદળ, ભારતીય જનસંઘ સહિતના મોટાભાગના રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસને હરાવવા વિલિન થઈ ગયા હતાં.
મોરારજી દેસાઈ સરકાર લાંબી ચાલી નહીં, અને આંતરિક મનભેદો ઊભા થતા તેમાં જોડાયેલા રાજકીય પક્ષો ફરીથી છૂટા પડી ગયા હતાં અને કેટલાક રાજકીય પક્ષોએ પોતાનું મૂળ નામ યથાવત્ રાખ્યું હતું, જ્યારે કેટલાક પક્ષોએ નવું નામકરણ કર્યું હતું, જેમાં ભારતીય જનસંઘનો સમાવેશ થયો હતો, અને નવું નામ ભારતીય જનતા પાર્ટી રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની રચના થયા પછી એક સમય એવો પણ હતો, જ્યારે લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો જ હતાં, જેનું જુદા જુદા સમયે વિવિધ કારણોસર વિસ્તૃતિકરણ થતું રહ્યું હતું અને આજે કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે.
ભારતીય જનતા પક્ષ વર્ષ ર૦૧૪ માં તો તોતિંગ બહુમતી સાથે સત્તારૂઢ થયો, તેનું કારણ ભ્રષ્ટાચાર, વિરોધી ઊઠેલો જનાક્રોશ હતો અને આમ આદમી પાર્ટી વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં સત્તા પર આવી, તેનું કારણ પણ ભ્રષ્ટાચાર સામેનો જનાક્રોશ જ હતો ને?
આ બન્ને પક્ષોએ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા મેળવી, પરંતુ તે પછી પણ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નહીં, તો દિલ્હીમાં પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતા કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર પણ શરાબ કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને અત્યારે જામીન પર છે.
બીજી તરફ રાષ્ટ્રીય કક્ષાએ સુશાસન, પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશનો દાવો થતો રહ્યો છે, અને તેને આંકડાઓ, વિવિધ માપદંડો તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ કરતા એકમો, સંસ્થાઓ અને સંગઠનોના રિપોર્ટસને ટાંકીને આ દાવો સાચો હોવાનું પૂરવાર કરવાના પ્રયાસો પણ થતા રહે છે, પરંતુ તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના રિપોર્ટે આ પ્રકારના દાવાઓની હવા જ કાઢી નાંખી છે. આ રિપોર્ટ આજે ટોક ઓફ ધ નેશન બની ગયો છે.
આજે દેશભરમાં ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના વર્ષ ર૦ર૪ ના કરપ્શન ઈન્ડેક્ષની ચર્ચા વૈશ્વિક કક્ષાએ તો થઈ જ રહી છે, પરંતુ ભારતમાં આ પક્ષોની સાથે તથ્યાત્મક તર્કો તથા દલીલો પણ થઈ રહી છે. આજે આ મુદ્દો ભારતમાં ટોક ઓફ ધ નેશન બન્યો, તેની પાછળ કેટલીક તથ્યાત્મક હકીકત પણ હશે જ ને?
ગઈકાલે જ આ ભ્રષ્ટાચાર વિરોધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સીપીઆઈ-ર૦ર૪ એટલે કે વિશ્વના દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના પ્રમાણ મુજબ સૌથી ઓછા ભ્રષ્ટાચારી દેશોથી લઈને સૌથી વધુ ભ્રષ્ટ દેશો દર્શાવતી ૧૮૦ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં ભારત ત્રણ ક્રમાંક પાછળ ગયું છે, એટલે કે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. વર્ષ ર૦ર૩ માં વિશ્વના ઓછા ભ્રષ્ટ દેશોમાં ભારતનો ક્રમાંક ૯૩ મો હતો, જે હવે ૯૬ મો થયો છે. તેનો મતલબ એ થાય કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધુ વધ્યો છે. આ ક્રમાંક છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી પાછળ છે, જેને શરમજનક ગણાવાઈ રહ્યો છે.
આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સૌથી વધુ ભ્રષ્ટ દેશને શૂન્યથી શરૂ કરીને ક્રમશઃ ઓછા ભ્રષ્ટચાર મુજબ સૌથી ઓછા ભ્રષ્ટ દેશને ૧૦૦ નંબર (ગુણાંક) આપે છે, એટલે કે ૧૦૦ ગુણાંક ધરાવતું ડેન્માર્ક ભ્રષ્ટાચારમૂક્ત દેશ ગણાવાયો છે. નિશ્ચિત માપદંડોના આધારે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો તથા વિશેષજ્ઞો આ સારણી નક્કી કરતા હોવાનો દાવો કરવામાં આવે છે. આ માપદંડો મુજબ ભારતને ૧૦૦ માંથી ૩૮ ગુણાંક મળ્યા છે, જ્યારે વર્ષ ર૦ર૩ માં ૩૯ તથા વર્ષ ર૦ર૪ માં ૪૨ ગુણાંક હતાં. આ કારણે ભારત પાછળ ધકેલાયું છે, અને આ ઈન્ડેક્ષ મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.
જો કે, આ ઈન્ડેક્ષ આખા દેશના વિવિધ ક્ષેત્રો તથા નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર થતો હોય છે અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા અન્ય સેક્ટરો પણ ધ્યાને લેવાતા જ હશે, જેથી આ ચિંતાજનક રિપોર્ટને સૌ કોઈએ ગંભીર ગણવો જ જોઈએ, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આ વખતે પ્રચંડ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ ટ્રમ્પે ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા છે, અને આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના આકરા નિર્ણયોની અસરો ભારત સહિત આખી દુનિયામાં થઈ રહી છે, ત્યારે ટ્રમ્પની નવી પ્લાસ્ટિક નીતિની ચર્ચા પણ 'ગ્લોબલ ટોક'નો વિષય બની ગઈ છે.
એવા અહેવાલો આવ્યા છે કે, પ્લાસ્ટિકથી થતું નુક્સાન અટકાવવા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કાગળની સ્ટ્રો વાપરવાનો આદેશ કર્યો હતો, તેને રદ્ કરીને ટ્રમ્પે સરકારી તંત્રને કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને ફરીથી પ્લાસ્ટિકની સ્ટ્રો વાપરવાની છૂટ આપવા સૂચના આપી છે.
ટ્રમ્પે અમેરિકાની ફેડરલ ખરીદ નીતિને પલટાવીને નવી પ્લાસ્ટિક નીતિ જાહેર કરી છે. હકીકતે બાઈડને જ્યારે કાગળની સ્ટ્રો વાપરવાની જાહેરાત કરી હતી, તે સમયે વર્ષ ર૦૧૯ માં બાઈડન સરકારની સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પોલિસીનો વિરોધ કર્યો હતો અને રિયુઝેબલ બ્રાન્ડેડ સ્ટ્રોના પેકેટ પોતાના સમર્થકોમાં વહેંચ્યા હતાં. નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ દર મિનિટે એક ગાર્બેજ ટ્રક ભરીને પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે, જે માનવજિંદગી જ નહીં, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ માટે પણ ખતરનાક છે.
જો કે, ટ્રમ્પ આ તમામ જોખમો તથા ખતરાઓની વાતને જ હવામાં ઊડાડીને પ્લાસ્ટિકના પ્રોડક્શન તથા ટ્રેડ સાથે સંકળાયેલા 'મોટામાથાઓ'નું હિત સાચવી રહ્યા હોવાના આક્ષેપો પણ દબાયેલા સ્વરે થવા લાગ્યા છે.
ભારત પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશનો વિરોધ કરતું રહ્યું છે, અને આ કોન્સેપ્ટ હેઠળ ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિકના પ્રદૂષણના ઉકેલ માટે વૈશ્વિક સમજુતિ કરવા વિવિધ દેશોના નેતાઓ એકઠા પણ થયા હતાં. તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પ્લાસ્ટિક નીતિને અનુરૂપ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે વૈશ્વિક સમજુતિ સાધવામાં નિષ્ફળતા જ મળી, કારણ કે અમેરિકા, ચીન, જર્મની સહિતના પ્લાસ્ટિક ઉત્પાદક દેશોના મોટા માથાઓ આવી સમજુતિના વિરોધમાં હતાં. દર વર્ષે આટલો મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા દેશોના ઉદ્યોગપતિઓનો પ્રભાવ પર્યાવરણવાદીઓની ઝુંબેશ પર ભારે પડ્યો હતો.
જો કે, વિશ્વમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે ઘણાં દેશો સંમત થાય તેમ છે, અને માનવજિંદગીઓ, જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુક્સાન થતું જ હોય તેવા પ્લાસ્ટિક સામે કોઈ વિરોધ નથી, પરંતુ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદકો, વ્યાપારીઓ અને દલાલોનો પ્રભાવ એટલો છે કે દ. કોરિયામાં આ મુદ્દે જ એકઠા થયેલા દેશો પણ તમામ મુદ્દે સર્વસંમતિ સાધી શક્યા નહોતા.
ટ્રમ્પે આ નવો આદેશ આપવાની સાથે અમેરિકાની જનતાને પ્લાસ્ટિકની સ્ટ્રો તરફ પાછા વાળવાનું સૂત્ર આપ્યું હોવાના અહેવાલને જોતા એવું જણાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જનહિતના બહાને હવે ધનહિત અથવા ધનપતિઓના હિતને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ શરૂ કરે, અને ટ્રમ્પને તેઓ 'મિત્ર' ગણાવતા હોય તેની પહેલા જ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને અમેરિકાનું વિમાન ભારતમાં મૂકી જાય, જુદી જુદી ચીજવસ્તુઓ પણ ટ્રમ્પ 'ટેરિફ'ની જાહેરાત કરે અને સીંગલ યુઝ પ્લાસ્ટિકની વિરૂદ્ધનો કોન્સેપ્ટ ધરાવતા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હોય ત્યારે જ સીંગલ યુઝ પ્લાસ્ટિકની પરથી અમેરિકામાં પ્રતિબંધ હટાવવાની જાહેરાત થાય તે માત્ર યોગાનુયોગ ન જ હોઈ શકે ને?
હકીકતે ડોનાલ્ડ ટ્રમ્પના આ પહેલાના કાર્યકાળમાં ટ્રમ્પ-મોદીની ગાઢ દોસ્તી વિશ્વવિખ્યાત બની હતી, તે પછી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતાં, તે સમયે ભારતે અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને રશિયા પાસેથી 'ભારત ફર્સ્ટ' એટલે કે દેશના હિતોને સર્વોપરિ ગણાવીને સસ્તુ ક્રૂડ-ઓઈલ ખરીદ્યુ હતું. કદાચ તેના જવાબમાં ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ આ પ્રકારના ભારતના હિતો પણ જોખમાય, તેવા કદમ ઊઠાવી રહ્યા હશે, તેમ ઘણાં વિશ્લેષકો માને છે, અને તે સમયે ભારતે અમેરિકા સામે ઝુક્યા વગર આઝાદી પછીથી ચાલી આવતી ભારતની બિનજુથવાદી વિદેશનીતિને મજબૂત બનાવાઈ હતી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.
અમેરિકા પછી હવે યુનાઈટેડ કિંગ્ડમમાં પણ ગેરકાયદે ઈન્ડિયન સામે કાર્યવાહી શરૂ થઈ છે, અને ત્યાંથી પણ ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો તથા તેને કામ આપનાર કે સહયોગ આપનાર લોકો સામે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો પછી વિપક્ષો હવે મોદી સરકાર સામે વધુ તીખા પ્રહારો કરશે, તે નક્કી છે.
અત્યારે ભારત જ નહીં, આખી દુનિયામાં ધૂની મગજના ટ્રમ્પના શ્રેણીબદ્ધ વિવાદાસ્પદ અથવા ચર્ચાસ્પદ નિર્ણયોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જો કે, આ વખતે મોટાભાગના નિર્ણયો કોઈ ધૂનમાં આવીને નહીં, પણ સમજી વિચારીને ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તેમાં અમેરિકા ફર્સ્ટની સાથે સાથે ધનપતિઓ, ઉદ્યોગપતિઓ તથા મસ્ક જેવા મિત્રોના હિતો ફર્સ્ટની બેધડક નીતિ પણ ખુલ્લેઆમ અપનાવી રહ્યા છે.
આજે ટ્રમ્પના ચોંકાવનારા નિર્ણયો ઉપરાંત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની પણ ચર્ચા થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાયેલી એ.આઈ. એક્શન સમિટમાં ભારતે સહ-અધ્યક્ષતા કરી અને એ.આઈ.ના કારણે નોકરીઓ પર કોઈ ખતરો નથી, અને નવી રોજગારીની તકો ઊભી થશે, તેવું વડાપ્રધાન મોદીએ મંતવ્ય વ્યક્ત કર્યું. તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ વખતે ફ્રાન્સ અને અમેરિકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પર પણ અમેરિકા અને ભારતના ઘણાં મોટા માથાઓની નજરો મંડાયેલી છે અને આ બન્ને દેશોની મુલાકાત દરમિયાન ટ્રમ્પ-મોદીની મિત્રતા પણ કસોટીની એરણે ચડી છે, ત્યારે જોઈએ, હવેં શું થાય છે તે...
આજે એ.આઈ. અને સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દા ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભનો મહાટ્રાફિક જામ પણ વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં એક વૃદ્ધાને ઢોરે ઢીંક મારતા તેણીએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર હોય કે કોઈને કોઈ માર્ગે માર્ગ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો હોય, કોઈ સ્થળે ડૂબી જવાથી સામૂહિક મૃત્યુની ગમખ્વાર ઘટના હોય કે આર્થિક ભીંસ અથવા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સાઓ હોય, આ તમામ ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ હોઈ શકે, તેવા પ્રશ્નોના જવાબો મેળવવાનો સમય હવે પાકી ગયો છે, તેમ નથી લાગતું?
હંમેશાં આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર કોણ? તેવો સવાલ પૂછાતો હોય છે, પરંતુ હવે આ તમામ ગમખ્વાર ઘટનાઓ માટે જવાબદાર કોણ કોણ? કેવો સવાલ પૂછવો પડે તેમ છે, કારણ કે કોઈ એક તંત્ર, શાસન કે સંસ્થા નહીં, પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ પાછળ ઘણાં બધા પરિબળો પણ જવાબદાર હોય છે, ખરૃં કે નહીં?
રખડતા ઢોરની ઢીંકે કોઈપણ નાગરિકનું મૃત્યુ થાય, તો તે જવાબદારી સર્વપ્રથમ તો જે-તે ગામ, શહેર, વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે, અને તેમાં સૌથી વધુ ભૂમિકા લાપરવાહ અને નપાવટ તંત્રોની ગણાય. તે ઉપરાંત પંચાયત, પાલિકા, મહાપાલિકાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એટલા જવાબદાર ગણાય, ખરૃં કે નહીં?
રખડતા ઢોરનો પ્રશ્ન હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને ગામો, શહેરો, જાહેર સ્થળો જ નહીં, સ્ટેટ અને નેશનલ ધોરીમાર્ગો પર પણ રખડતા ઢોર ગંભીર અને જીવલેણ અકસ્માતોનું કારણ બનવા લાગ્યા છે, તેથી આ રાજ્યવ્યાપી સમસ્યાની જવાબદારી માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો, પાલિકા-મહાપાલિકાઓ પર ઢોળી દેવાના બદલે રાજ્ય સરકારે પણ આ સળગતી સમસ્યાનો કોઈ રાજ્યવ્યાપી ઉકેલ લાવવો જોઈએ, તેમ નથી લાગતું? રાજ્ય સરકાર કેટલાક મુદ્દે તો રાતોરાત નિર્ણયો લઈને ગણતરીના દિવસોમાં જ કાયદો ઘડી કાઢે છે અને તત્કાળ લાગુ પણ કરી દેવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે રખડતા ઢોરના મુદ્દે કોઈ નક્કર અને પરિણામલક્ષી કાયદો ઘડવો જોઈએ, ખરૃં કે નહીં?
રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાગીરી પણ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર જ ગણાય, કેટલાક રાજકીય મુદ્દે અન્ય રાજ્યમાં કોઈ ઘટના બને કે ચૂંટણીમાં વિજય મળે, તો તેની ઉજવણી તરત જ જામનગર કે હાલારમાં થાય, કે પછી અન્ય રાજ્યમાં બનેલી ઘટનાને લઈને કે પછી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય મુદ્દે વિપક્ષી રેલીઓ નીકળે જામનગર-હાલારમાં વિરોધ પ્રદર્શનો થાય, આવેદનપત્રો પણ અપાય, પરંતુ રખડતા ઢોર, આવારા કૂતરાઓના કારણે લોકો પર ઝળુંબતા જોખમના મુદ્દે સ્થાનિક નેતાગીરી અને શાસકો તથા વિપક્ષો પણ 'આંખ આડા કાન' કેમ કરતા હોય છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને? વોટબેંકની વેંતરણમાં રાજકીય પક્ષો તથા નેતાગીરીનું આ વલણ જોતા એમ નથી લાગતું કે આ મુદ્દે 'હમામ મેં સબ નંગે હૈ?'
આવી જ રીતે માર્ગ અકસ્માતો માટે તૂટેલા માર્ગો, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ તથા ઓવરસ્પીડ પર અંકુશ રાખવાની નિષ્ફળતા પણ જવાબદાર છે. આ માટે પણ અહીં વર્ણવેલા તમામ પરિબળો પૂરેપૂરા જવાબદાર છે. આર્થિક ભીંસ કે વ્યાજખોરોના આતંકથી કોઈ આત્મહત્યા કરે તો તે સરકાર, સમાજ અને માનવતા માટે પણ કલંકરૂપ જ છે ને?
આ તમામ પરિબળો ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ પરિબળ ભૂલાઈ રહ્યું છે. આ પરિબળની ભૂમિકા પણ આ પ્રકારના તમામ અનિચ્છનિય ઘટનાક્રમો માટે એટલી જ જવાબદાર છે જેટલા જવાબદાર અન્ય પરિબળોને ગણવામાં આવે છે, જો કે આપણે કદાચ આ 'મહત્ત્વપૂર્ણ' પરિબળને જવાબદાર ગણતા અચકાઈએ છીએ, અને તેથી પણ આ પ્રકારની ઘટનાઓ નિરંકુશ બની રહી છે.
આ પરિબળ 'આપણે પોતે' છીએ, જો કે સંપૂર્ણ નહીં, પણ આ પ્રકારની ઘટનાક્રમોમાં થોડીઘણી ભૂમિકા તો આપણી પણ છે જ ને?
માર્ગો પર થતા અકસ્માતોમાં વાહનોમાં ખામી ચલાવી લેવી, ઓવરસ્પીડમાં વાહન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરવો તથા ઓવરટેક કરવા કે પાર્કિંગના મુદ્દે પણ જીવ સટોસટના ઝઘડાના કરવા વગેરે કારણો પણ ઘણી વખત જવાબદાર હોય જ છે ને?
ઘણાં લોકો ગાયને રોટલી કે રોટલો ખવડાવીને જ જમવાનું વ્રત ધરાવતા હોય છે, તો ઘણાં લોકો ગાયમાતાજીને નિયમિત ઘાસ નાખતા હોય છે. આ પ્રકારની ધાર્મિક વૃત્તિ પર કોઈ અંકુશ લાગી પણ શકતો નથી, પરંતુ ગાય કે અન્ય ઢોરની ઢીંકે ચડીને જીવ જતા હોય કે સડક કે હાઈ-વે પર કોઈ ઢોરને બચાવવા જતા જતા ગમખ્વાર અકસ્માતોમાં જિંદગીઓ હોમાઈ જતી હોય છે, અને ઘણાં લોકો જીવનભર દિવ્યાંગ પણ થઈ જતા હોય છે, તેથી આપણે બધાએ ઢોરની ઢીંકથી બચવાની તરકીબો અંગે વિચારવું જ પડશે અને ઉપાયો પણ શોધવા જ પડશે ને?
જામનગરમાં જાહેરમાં ઘાસ નાંખવા અને ઘાસના વેંચાણ પર પ્રતિબંધની જરૂર ઊભી થતા જ ઘાસના કેટલાક વિતરકો હવે ઘાસનું વેંચાણ કરીને પોતાની રિક્ષા કે વાહન દ્વારા સીધા ગૌશાળા-પાંજરાપોળમાં પહોંચાડી રહ્યા હોવાથી જાહેર રસ્તા પર ઘાસ નાંખનારાની સંખ્યા ઓછી થઈ રહી છે, (જો કે, સદંતર બંધ નથી થઈ), પરંતુ ઘણાં લોકો ગાયને રોટલા, રોટલી કે લાડુ બનાવીને જાહેર રોડ પર ખવડાવવા નીકળતા હોય છે, ત્યારે તેને ઝડપથી મેળવવા ગાયો કે અન્ય પશુઓ પાછળ દોડતા હોય છે, જેથી ગંભીર જોખમ ઊભું થાય છે.
આ પ્રકારે પુણ્ય કમાવા માટે ગાય, કૂતરા, પશુઓને જેવી રીતે ઘાસ કોઈ સ્થળે નીરી (નાખી) શકાય, તેવી જ રીતે ગાય કે પશુઓને રોટલા, રોટલી કે ભોજન કરાવવા માટે પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી ન કરી શકાય?
જામનગરમાં કેટલીક સોસાયટીઓમાં કેટલાક સેવાભાવી લોકો ગૌવંશ માટે આ પ્રકારનું રોટલી, રોટલા કે ભોજન આપવા માંગતા હોય તેની પાસે દરરોજ ઘેર-ઘેર ફરીને ડોર-ટુ-ડોર કલેક્શન કરીને લઈ જાય છે અને કોઈ અલાયદા સ્થળે રખાયેલી ગાયોને ખવડાવે છે. આ રીતે ગાયોને ખવડાવવાનું પુણ્ય પણ મળી જાય છે, અને કોઈ જોખમ પણ ઊભું થતું નથી.
આ રીતે આપણે બધા મળીને અન્ય ઢોરને કે ગાયોને માર્ગો પર રખડવું-ભટકવું જ ન પડે, તેવી જગ્યાઓ ઊભી કરીને તેવા ઉપાયો વિચારવા જોઈએ. આ સમસ્યાનું મૂળ શોધી કાઢી તેનું કાયમી નિરાકરણ થવાનું જ નથી, તેથી ચાલો, આપણે બધાં આ સમસ્યાના નિવારણની તરકીબો વિચારીએ, અને યોગ્ય જણાય તો તત્કાળ અમલમાં મૂકીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો, તે પછી ભાજપ ગેલમાં છે અને કેજરીવાલ ફરીથી જેલમાં જશે,તો 'આપ' કા ક્યા હોગા'ની ચર્ચા પણ થઈ રહી છે. કોંગ્રેસ જાણે કેજરીવાલને કહી રહી હોય કે, 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી... 'આપ' કા ક્યા હોગા, જનાબે આલી... આપકા ક્યા હોગા?'
અહીં આમ આદમી પાર્ટીની સાથે સાથે કેજરીવાલ, સિસાદિયા અને સત્યેન્દ્ર જૈનની ત્રિપૂટી માટે ફરીથી જેલયોગ સર્જાઈ રહ્યો હોવાની અટકળો વચ્ચે હવે 'કેગ'નો રિપોર્ટ આવ્યા પછી આમ આદમી પાર્ટીના બીજા કેટલા નેતાઓના તપેલા ચડી જશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. શિશમહેલ તથા સ્વાતી માલિવાલના પ્રકરણમાં તો ઝડપભેર 'તપાસ' અને કાર્યવાહી થશે જ, પરંતુ તે ઉપરાંત પણ ટેન્કર કૌભાંડ, કચરા કૌભાંડ, યમુના સફાઈના નામે થયેલો ખર્ચ તથા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે પણ 'આપ'ના દસ વર્ષના શાસનમાં ગુપચુપ ઘણાં કૌભાંડો થયા હોવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તે સાચા હોય કે ખોટા હોય, તો પણ એસઆઈટી રચીને થનારી તપાસ, ઈન્વેસ્ટીગેશન, ઈન્કવાયરી અને કાનૂની કાર્યવાહીના સકંજામાં તો મોટાભાગના નેતાઓ સપડાઈ જ શકે છે, આ સંજોગોમાં જો મુખ્ય મુખ્ય નેતાઓ જેલમાં જાય કે જામીન પર રહે, તો પણ 'આમ આદમી પાર્ટી'નું ગાડું કેમ ગબડશે, તે અંગે દાવા-પ્રતિદાવાઓ થઈ રહ્યા છે.
સામાન્ય રીતે જે પાર્ટીનો પરાજય થાય, તેને અફસોસ થાય, આત્મચિંતન કરે અને બોડી, હાવભાવ અને પ્રત્યાઘાતોમાં નિરાશા, હતાશા કે આશંકાઓ દેખાવા જોઈએ, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસને ફરીથી કોઈપણ બેઠક નહીં મળી હોવા છતાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓના હાવભાવ જોતા ત્યાં અફસોસ કે આશંકા નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની દિલ્હીની સત્તામાંથી થયેલી હકાલપટ્ટીની ખુશી તથા સંતોષ ડોકાઈ રહ્યો હતો, અને તેમાંથી જ એક 'ગુપ્ત' સમજુતિની સંભાવનાઓની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં ગુંજવા લાગી છે, અને 'આપ'નું ઉઠમણું કરવા માટે કદાચ દેશની બે મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીએ હાથ મિલાવ્યા હોય તેવી શક્યતાઓને નકારી પણ શકાય તેમ નથી.
એવું કહેવાય છે કે, હવે પંજાબમાં ભગવંતસિંહ માન મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ બળવો કરશે અથવા તેની જ સામે અસંતુષ્ટ ધારાસભ્યો બળવો પોકારશે, તે ઉપરાંત ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંઈક રચાયું હોવાની પણ ચર્ચા છે. રાજનીતિમાં કાંઈપણ અસંભવ નથી હોતું.
રાજનેતાઓ અને રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીઓ સાથે ચૂંટણીના મેદાનમાં, સંસદ-વિધાનગૃહોમાં, નિવેદનો અને રણનીતિઓમાં એકબીજા સામે પૂરી તાકાતથી લડી લેતા હોય છે, પરંતુ પરસ્પર અંગત સંબંધો મોટાભાગે સારા રાખતા હોય છે, અને રાજનીતિને બાજુ પર રાખીને એકબીજાના વ્યક્તિગત કામો પણ કરી આપતા હોય છે, કારણ કે આજે સત્તામાં હોય, તેને લોકતંત્રમાં કાલે વિપક્ષમાં પણ બેસવું પડતું હોય છે, તેથી જ એકબીજાનું વ્યક્તિગત રીતે ધ્યાન પણ રાખતા હોય છે, અને એવો અભિગમ તંદુરસ્ત લોકતંત્રની વિશેષતા પણ ગણાય ને?
એવી જ રીતે કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર ઘોર વિરોધી રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે 'ગુપ્ત' સમજુતિઓ પણ થતી જ હોય છે, અને જાહેરમાં એકબીજાની તીવ્ર આલોચના કરતા હોવા છતાં ચોક્કસ મુદ્દા પર થયેલી સમજુતિનું પ્રામાણિક્તાપૂર્વક 'અનુસરણ' પણ થતું જ હોય છે.
એવું કહેવાય છે કે, દિલ્હીમાંથી 'આપ'નો સફાયો કરવા માટે ભાજપ અને કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરતી ગુપ્ત સમજુતિ કરી હોય, તેવું બની શકે છે. હરિયાણા, પંજાબ, દિલ્હીના રાજકીય વિશ્લેષકો પણ આ પ્રકારની કોઈ ગોપનીય રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા કરી રહ્યા છે.
એક તરફ એવું કહેવાય છે કે કેજરીવાલ હવે દિલ્હી છોડીને માદરે વતન હરિયાણાની રાજનીતિ કરશે, અથવા પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન રાજકીય બલિદાન આપીને પંજાબનું મુખ્યમંત્રીપદ કેજરીવાલને આપશે, અને કોઈ સિક્યોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ૬ મહિનાની અંદર કેજરીવાલને જીતાડી દેશે.
બીજી તરફ 'આપ'ને પછાડવા ભાજપને કોંગ્રેસે દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલીને વીસેક બેઠકો પર 'આપ'ને હરાવીને ભાજપનો વિજય નિશ્ચિત કર્યો. ગુપ્ત સમજુતિ મુજબ હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર સક્રિયતાથી લડીને અને કોઈ અન્ય પક્ષ સાથે જોડાણ નહીં કરીને કોંગ્રેસને જીતાડી દેશે અથવા ભગવંતસિંહની વર્તમાન સરકારને જ તોડીને ત્યાં કોંગ્રેસની સરકાર માટે 'બેકડોર' મદદ કરશે! આ બધા અનુમાનો છે, પણ રાજકારણમાં કાંઈપણ થઈ શકે છે, થોભો અને રાહ જુઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આજની આ મતગણતરી પર આખા દેશની નજર રહેલી છે. આ વખતે માત્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલની જ નહીં, પરંતુ મતદાન પછી બહાર પડેલા એક્ઝિટ પોલ્સની પણ કસોટી જ હતી ને?
એક ડઝનથી વધુ એક્ઝિટ પોલ્સમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની બહુમતિ દર્શાવાઈ રહી હતી અને તેના પર ગઈકાલે આખો દિવસ ચર્ચા પણ થતી રહી હતી. તે ઉપરાંત ગઈકાલે 'ઓપરેશન લોટ્સ' હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપમાં સામેલ થવા માટે ૧પ કરોડની ઓફર થઈ રહી હોવાના આક્ષેપો પછી એસીબીની તપાસ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું નાટક પણ ગઈકાલે આખો દિવસ ચાલ્યું હતું, હજે આજે જે કાંઈ પરિણામો સામે આવી રહ્યા છે, તે આપણી સામે જ છે. આ વખતે એક્ઝીટ પોલ્સ સાચા પડી રહેલા જણાય છે.
આજે સવારે પ્રારંભમાં આમ આદમી પાર્ટી આગળ હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપની સરસાઈ વધવા લાગી હતી, પરંતુ સાંકડી બહુમતીથી ઘણા ઉમેદવારો આગળ હોવાથી વારંવાર સ્થિતિ બદલતી રહી હતી. તે પછી આમ આદમી પાર્ટીના દિગ્ગજો પહેલા પાછળ જણાતા હતાં અને તે પછી સાંકડી લીડ સાથે આગળ-પાછળ થતા રહ્યા હતાં. આ વખતે દિલ્હીની જનતાએ જાણે કે પહેલેથી મન બનાવી લીધું હોય, તેમ જણાય છે. બપોર સુધી રોમાંચક રીતે સ્થિતિ બદલતી રહી હતી અને કેટલીક બેઠકો પર ઘણી જ રસાકસી પણ જોવા મળી રહી હતી. જ્યારે કેજરીવાલ અને સિસોદીયા પોતે જ હારી ગયા હોવાના અહેવાલો પછી અન્ના હજારેના પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે.
દિલ્હીમાં કોંગ્રેસને ભલે બેઠકો મળી નહીં હોય, પરંતુ ભાજપને કોંગ્રેસની સક્રિયતાએ જ સીધો ફાયદો થયો છે, તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની વિરૂદ્ધના મતો કોંગ્રેસ અન આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાયા હોવાથી ભાજપને ફાયદો થયો હોવાથી આમ આદમી પાર્ટીને એકલા હાથે લડવું નુક્સાનકારક નિવડ્યું હોવાનું પૂરવાર થાય છે.
આ કારણે જ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યો છે કે 'હજુ અંદરોઅંદર લડતા રહો!'
આ પહેલા ઓમર અબ્દુલ્લાએ જ્યારે ઈન્ડિયા ગઠબંધન તોડીને કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાનું અને કોંગ્રેસે પણ ત્રિપાંખિયો જંગ ખેલવાનું સ્વીકારી લીધું, ત્યારે કહ્યું હતું કે કોંગ્રેસ અને આપ બન્ને મેદાનમાં ઉતરશે તો તેનો ફાયદો ભાજપને થશે.
બપોર સુધીમાં તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત સરસાઈ જણાતી હોવાથી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? કૌન બનેગા મુખ્યમંત્રી? શું ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ મુખ્યમંત્રી મૂકાશે કે 'ઉપર'થી કોઈ મજબૂત નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સુપ્રત કરાશે, તેવી ચર્ચા પણ થવા લાગી હતી.
દિલ્હીમાં નવી સરકાર માટે પણ પડકારો ઓછા નથી. જો મફત વીજળી-પાણી વગેરે મફત રેવડીઓ ચાલુ રાખવામાં આવશે તો ભાજપ સામે સવાલો ઊભા થશે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ મફત રેવડીઓની પદ્ધતિનું વિરોધી રહ્યું છે, જો કે મફત રેવડીઓ બંધ નહીં થાય, તેવી ચોખવટ ચૂંટણી પ્રચાર દરમિયાન કરાઈ હોવાથી હાલ તુરત નવી કોઈપણ સરકાર આવે, તે અત્યારની મફત રેવડી તો બંધ નહીં જ કરે, પરંતુ આ કારણે દિલ્હીની સરકારી તિજોરી પરનું ભારણ સરભર કરવા જો કેન્દ્ર મદદ કરશે, તો 'રેવડીવિરોધી' પોલિસીમાં યૂ-ટર્ન લેવો પડશે, જે ભાજપ માટે બૂમરેંગ પૂરવાર થશે, તેમ નથી લાગતું?
દિલ્હીમાં સત્તાપ્રાપ્તિ પછી સરકારની જવાબદારી વધી જશે, કારણ કે એમસીડીમાં 'આપ'ની સત્તા હોવાથી પહેલાની જેમ જ કેન્દ્ર-રાજ્ય અને એમસીડી વચ્ચેની ખેંચતાણ વધશે, તો બીજી તરફ કેજરીવાલ સામેના ચાલી રહેલા કેસોની સીધી અસર પણ દિલ્હીની રાજનીતિ પર થવાની છે. કેજરીવાલે પોતે ઈમાનદાર છે કે નહીં, તેનું સર્ટીફિકેટ દિલ્હીની જનતા પાસે માંગ્યું હતું, તે વ્યક્તિગત હતું કે પાર્ટી માટે હતું, તે પ્રકારના કટાક્ષો પણ સંભળાવા લાગ્યા છે. તે ઉપરાંત હવે કેજરીવાલ રાજનીતિ છોડી દેશે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
એવા તારણો પણ નીકળી રહ્યા છે કે જો ભાજપ દ્વારા દિલ્હીની વર્તમાન સમસ્યાઓ હલ નહીં થાય અને કેજરીવાલ એન્ડ કાું. સામેના કેસોમાં સકંજો કસાશે, તો હવે દિલ્હીની પબ્લિક પાસે આગામી વિકલ્પ કોંગ્રેસનો જ રહેશે!!
એવી કહેવત છે કે બધા લોકોને કાયમ માટે મૂર્ખ બનાવી શકાતા નથી. આ કહેવતો તથા આજના પરિણામો તમામ રાજકીય પક્ષો તથા પ્રખર વક્તાઓ અને કેજરીવાલ જેવા ચાલાક નેતાઓ માટે બોધપાઠરૂપ તો છે જ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આખી દુનિયામાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. હવે રણ પ્રદેશોમાં પૂર આવે તેવા વરસાદ થાય છે, તો જ્યાં હંમેશાં અતિવૃષ્ટિ થતી હતી, ત્યાં દુષ્કાળ પડવા લાગ્યા છે, ઋતુચક્ર બદલાઈ રહ્યું હોય તેમ જ્યારે કડકડતી ઠંડી પડી રહી હોય, ત્યારે કમોસમી વરસાદ થાય તથા બપોરે ગરમી અનુભવાય ત્યારે એક જ દિવસમાં ત્રણેય ઋતુની અનુભૂતિ થતી હોય છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવી સમસ્યાઓ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની છે, ત્યારે હવે ભૂગર્ભજળ પણ બગડી રહ્યું હોવાના અહેવાલોએ પ્રશ્નસર્જક ચિંતાઓ વધારી દીધી છે. આપણે ઋતુચક્રમાં જીવતા હોવાથી ચોમાસામાં જ વરસાદ થાય, તેના આધારે જ બાકીનું આખું વર્ષ જીવવું પડતું હોવાથી આપણાં જનજીવન અને જીવસૃષ્ટિનો બધો જ આધાર ભૂગર્ભ જળ તથા જમીનની સપાટી પર કરાતા જળસંગ્રહ પર રહેતો હોય છે. હવે ભૂગર્ભ જળ જ ભયાનક રીતે પ્રદૂષિત થવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની પ્રથમ સીધી અસરો માનવજીવન પર થાય છે, અને તેના પ્રત્યે દુનિયાની મોટાભાગની સરકારો દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી આ મુદ્દો પણ હવે ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવો ખતરનાક બનવા જઈ રહ્યો છે.
આપણાં શાસ્ત્રોમાં બ્રહ્માંડ, આકાશલોક, પાતાળલોક, ગૌલોક, વૈકુંઠ વગેરે શબ્દો ઘણાં જ પ્રચલિત છે, અને આ જ ભાવાર્થ ધરાવતા કેટલાક શબ્દો ખગોળશાસ્ત્ર, સાયન્સ અને ભૂગોળમાં પણ વપરાય છે. એકંદરે આપણે પ્રાચીનકાળથી જ ભૂલોક એટલે પૃથ્વી, પાતાળલોક એટલે ભૂગર્ભ અને ડીપ સી (ઊંડો સમુદ્ર) તથા વિવિધ લોક એટલે બ્રહ્માંડ અથવા સ્પેસને લઈને માહિતગાર અને સતર્ક હતાં, પરંતુ ૧૮ મી સદી પછી વિકાસની દોટ તથા ભૌતિક સુખ-સુવિધાઓની સ્પર્ધાના કારણે આપણે (સમગ્ર દુનિયાના લોકો) આકાશ, પાતાળ અને પૃથ્વીને પ્રદૂષિત કરવાા લાગ્યા, અને તેના દુષ્પરિણામો પણ હવે સામે આવી રહ્યા છે, તેમ નાથી લાગતું?
વિશ્વમાં કેટલાક દેશોમાં વસતિ વધારો એક સમસ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં ઘટી રહેલી વસતિની સમસ્યા છે. ભારત અને ચીન જેવા દેશોમાં વસતિ વિસ્ફોટમાં વિકાસના ફળો પાંગરતા નથી, જ્યારે રશિયા જેવા દેશોમાં ઓછી વસતિ હોવા છતાં વિશ્વસત્તા બનવાની ઘેલછામાં વિકાસના ફળો સડી જાય છે. આ વિષમતાની સાથે સાથે હવે ભૂગર્ભજળની બરબાદી, ભગર્ભજળમાં ઘટાડો તથ હવે ભૂગર્ભજળમાં ફેલાઈ રહેલા ભયંકર પ્રદૂષણની સમસ્યાએ એક એવી ચિંતાજનક સંભાવના ઉભી કરી દીધી છે, જેની સામે જો વિશ્વસમુદાય સહિયારી અને સમયોચિત જાગૃતિ નહીં દર્શાવે, તો તેના ગંભીર અને માઠા પરિણામો આપણે અથવા આપણી આગામી પેઢીને જ ભોગાવવા પડે તેમ છે.
આખી દુનિયાની 'પંચાત' કરતા પહેલા આપણે આપણા 'ઘરઆંગણે' ઊભી થઈ રહેલી પરિસ્થિતિ સામે જાગૃત થવું પડે તેમ છે. ભારત સરકારના જ એક અહેવાલમાં દર્શાવેલી ખતરનાક સંભાવનાઓ સામે આપણે તરત જ જાગવું પડે તેમ છે.
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા ભૂગર્ભજળને લગતા એક રિપોર્ટમાં ગુજરાતના ર૩ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટેઈન્મેન્ટનું પ્રમાણ વધારે હોવાથી આ પાણી પીવાથી હાઈ બી.પી., ગેસ્ટિક કેન્સર, ફેંફસાની બીમારીઓ તથા હૃદયરોગ થવાની ભયાનક સંભાવનાઓ હોવાનું, જાહેર થયું છે, જેમાં મહત્તમ ગુજરાતના વિસ્તારો તથા વસતિને માઠી અસર પડે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.
રિપોર્ટ મુજબ ગુજરાતમાં નાઈટ્રેટ, નાઈટ્રેટ એનઓ-૩નું લિટરદીઠ ૪પ મિલિગ્રામથી વધુ પ્રમાણે ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, અને હાલમાં આ પ્રકારના જોખમી ર૩ જિલ્લાઓ છે. આ ર૩ જિલ્લાઓમાં હાલારના બન્ને જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થઈ જતો હોવાથી રાજ્ય સરકાર ઉપરાંત તમામ જિલ્લાતંત્રો, જનપ્રતિનિધિઓ તથા કૃષિ-ઉદ્યોગ ક્ષેત્રો તથા ખાસ કરીને હેલ્થ સેક્ટરની જાગૃતિ જરૂરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓએ પણ આ મુદ્દે સજાગ રહીને સક્રિય થવાની જરૂર છે, તેમ નથી લાગતું?
જો કે, ગુજરાત સરકાર ભૂગર્ભજળની ગુણવત્તા સુધરે તે માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી હોવાનો દાવો પણ થાય છે અને તે કરોડો રૂપિયા પણ ખર્ચાય છે, તેમ છતાં પ્રતિલીટર ૪પ મિલિગ્રામથી વધુ એનઓ૩ ધરાવતા જિલ્લાઓ વધી રહ્યા છે, તેથી ક્યાં કચાશ છે, તે શોધીને આ મુદ્દે વધુ ગંભીરતા દાખવીને પ્રો-એક્ટિવ કદમ ઊઠાવવા જ પડે, ખરૃં કે નહીં?
રાજ્યમાં જળસંગ્રહ અભિયાન, જળસંચય અભિયાનો હેઠળ પૃથ્વીની સપાટીની ઉપર તથા ભૂગર્ભમાં જળબચતની ઘણી યોજનાઓ તો હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારથી શરૂ થયેલી છે, અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે તો દાયકાઓથ્ર્ી અભિયાનો ચાલી રહ્યા છે, તેમ છતાં ભૂગર્ભજળ વેડફાઈ રહ્યું હોય, બગડી રહ્યું હોય, અને બરબાદ થઈને જ્યારે જીવસૃષ્ટિ પર જોખમ તથા જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યું હોય, ત્યારે માત્ર સરકાર જ નહીં, વિપક્ષો તથા તદ્વિષયક એનજીઓના સંચાલકોએ પણ જાગૃત થવાની જરૂર છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ગઈકાલે સંપન્ન થયું અને તે પછી બહાર આવેલા એક્ઝિટ પોલ્સની ચર્ચા જ આજની હેડલાઈન્સમાં છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષ ર૦૧૩ પછી વર્ષ ર૦૧પ, ર૦ર૦ અને લોકસભાની વર્ષ ર૦૧૯ તા. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સ તથા વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને આ વખતે એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડશે અને કેટલા ખોટા પડશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.
રાજકીય પક્ષો તો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આ એક્ઝિટ પોલ્સના અર્થઘટનો કરતા હોય છે, પરંતુ આ વખતે મોટા મોટા રાજકીય પંડિતો પણ માથુ ખંજવાળી રહ્યા હશે, કારણ કે દિલ્હીની જનતા હંમેશાં વિધાનસભા તથા લોકસભા માટે વિરોધાભાસી જનાદેશ આપતી રહી છે.
હકીકતે વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપને જનાદેશ મળ્યો, તે પહેલા વર્ષ ર૦૧૩ માં અન્ના આંદોલન થયું હતું અને તે સમયની યુપીએ સરકારના કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષીત સામે ગંભીર આક્ષેપો લગાવીને અને આમ આદમી પાર્ટીની રચના કરીને કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, અને કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ભાજપને દિલ્હીમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો અને કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં, જો કે તે સરકાર અલ્પજીવી નિવડી હતી અને કેજરીવાલે રાજીનામું આપી દેતા દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું હતું. બીજી તરફ વર્ષ ર૦૧૪ માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ હતી, અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. તે પછી વર્ષ ર૦૧પ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૮ બેઠકો જીતીને બમ્પર વિજય સાથે દિલ્હીમાં સરકાર રચી હતી, અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતાં.
તે પછી યમુનામાં ઘણાં પાણી વહી ગયા છે. વર્ષ ર૦૧પ પછી વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લોકસભાની દિલ્હીની એક પણ બેઠક મળી નહીં, પરંતુ વર્ષ ર૦ર૦ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફરીથી બમ્પર જનાદેશ મળ્યો અને ૭૦ માંથી ૬ર બેઠકો મેળવીને કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતાં. આ તમામ હિસ્ટ્રી એ પૂરવાર કરે છે કે દિલ્હીની જનતાએ કેન્દ્ર માટે ભાજપ (મોદી) અને દિલ્હી રાજ્ય માટે આમ આદમી પાર્ટી (કેજરીવાલ) ને છેલ્લા એક દાયકાથી પસંદ કર્યા છે, અને દિલ્હીના મતદારો લોકસભા અને વિધાનસભા માટે અલગ અલગ જનાદેશ આપે છે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે આ વખતે પણ દિલ્હીના મતદારો જબ્બર જનાદેશ આપશે. બીજીતરફ ભાજપ પણ આ વખતે બહુમતીનો દાવો કરી રહ્યું છે.
કેન્દ્રમાં ભાજપને હરાવવા વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન બન્યું, પરંતુ તે પછી અત્યારની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ લડી રહી છે. તેથી ત્રિપાંખિયો જંગ છે. તે ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલે ઘણાં રંગ બદલ્યા, શરાબ કૌભાંડના માત્ર આક્ષેપો નહીં, કાનૂની કાર્યવાહી થઈ અને વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦રપ વચ્ચે ઘણાં દિગ્ગજો 'આપ' પાર્ટીને છોડી ચૂક્યા છે, અને ભ્રષ્ટાચાર ઉપરાંત મહિલાઓ વિરોધી નીતિરીતિના અક્ષેપો તથા સ્વાતિ માલીવાન પ્રકરણ સુધીના ઘટનાક્રમોના કારણે પણ આમ આદમી પાર્ટીને પહેલા જેવો બમ્પર જનાદેશ નહીં મળે, તેવું તો બધા સ્વીકારે છે, પરંતુ તેની સરકાર જ નહીં બને, તેવા અભિપ્રાયો સર્વસ્વીકૃત નથી. ઘણાં લોકો માને છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની લોકપ્રિયતા હજુ એટલી નામશેષ થઈ ગઈ નથી કે તેને સત્તા ગુમાવી પડે. ઘણાં લોકો ભાજપની સરકાર રચાશે, તેવું માને છે, તો એક વર્ગ એવો પણ છે કે જે માને છે કે ચોંકાવનારા પરિણામો આવશે, અને બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય, તે કહેવત જેવું કાંઈક પરિણામ આવશે.
આ તમામ ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે દસ-બાર એક્ઝિટ પોલ્સ આવ્યા તેમાં પણ મતમતાંતરો છે, અને અડધોઅડધ એક્ઝિટ પોલ્સ 'આપ'ને પુનઃ સત્તા મળશે, પરંતુ વર્ષ ર૦૧પ અને વર્ષ ર૦ર૦ જેટલી બેઠકો નહીં મળે, તેવા તારણો આપે છે, જ્યારે એટલા જ બીજા એક્ઝિટ પોલ્સ આ વખતે ભાજપને જનાદેશ મળશે, તેવા અનુમાનો આપે છે.
આ એક્ઝિટ પોલ્સને સાંકળીને આ પહેલા દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડ્યા હતાં અને કેટલા ખોટા પડ્યા હતાં, તેની સરખામણી પણ થઈ રહી છે, અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓને લઈને થતા અનુમાનો આ પહેલા પણ સચોટ ઠર્યા નહોતા, તેથી સાચી ખબર તો આઠમી ફેબ્રુઆરીના જ પડશે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપ અને આમ આદમી પાર્ટીનેે મળનારી બેઠકો વચ્ચેનો સાંકડો તફાવત દેખાડે છે અને ભાજપ તરફ ઝોકદર્શાવે છે, તેથી ચોક્કસ કાંઈ કહી શકાય નહીં.
આ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસનું વિજયનું સપનું સાકાર થવું, તો દૂર રહ્યું, પરંતુ માત્ર એકાદ-બે બેઠકો મળતી દર્શાવે છે, જેથી આ એક્ઝિટ પોલ્સ મુજબનું પરિણામ આવે, તો કોંગ્રેસે વર્ષ ર૦૧૩ માં 'આપ'ને ટેકો આપ્યો, અને તે પછી વર્ષ ર૦ર૪ માં અન્ય પક્ષો માટે પોતાની બેઠકો ઘટાડીને સેક્રીફાઈસ કર્યું તેને ભૂલી ગણીને આત્મમંથન કરવું પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અને વસતિ-વિસ્તારની દૃષ્ટિએ નાનકડુ સ્ટેટ છે, પરંતુ દેશની રાજધાની હોવાથી વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે. તે ઉપરાંત છેલ્લી બે ટર્મથી 'વટ'થી અને જંગી બહુમતીથી જીતી રહેલી આમ આદમી પાર્ટી વિશ્વની સૌથી મોટી ગણાવાતી ભારતીય જનતા પાર્ટીને હંફાવી રહી છે, તે કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અન્ય રાજ્યોની સરખામણીમાં કાંઈક અલગ જ પ્રકારની રાજનીતિ અને રસાકસી ઊભી કરતી હોય છે. તેમાં પણ આ વખતે કોંગ્રેસે સક્રિયતાથી ચૂંટણીમાં ઝંપલાવતા આ ચૂંટણી વધુ રસપ્રદ અને રસાકસી ઉપરાંત ચોંકાવનારા પરિણામો લાવનારી પણ બની શકે છે.
ચૂંટણી માટે મતદાનના દિવસ પહેલા જ ભાજપને જબ્બર ઝટકો લાગ્યો અને દિલ્હીમાં દાયકાઓથી ભાજપ માટે દિવસ-રાત એક કરીને કામ કર્યું હોવાના દાવા સાથે ભાજપના દિગ્ગજ ગણાતા એક નેતાએ રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉસ્થિતિમાં તેમણે જે કાંઈ કહ્યું છે, તેનો સારાંશ એવો નીકળે છે કે ભારતીય જનતા પક્ષે એક એવા ઉમેદવારને દિલ્હીની વિધાનસભામાં ટિકિટ આપી છે, જે કાર્યકરની ક્ષમતા પણ ધરાવતો નથી. ટૂંકમાં ભાજપમાં નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક વર્ષોથી કામ કરનારાઓની કદર થતી નથી, અને અન્યાય થાય છે, તેવા મતલબની આ નારાજગી કદાચ ભાજપમાં ટોપ ટુ બોટમ સુધી પ્રગટી રહી છે અને તેની અવગણના થઈ રહી છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે. દિલ્હીના એ નેતા જેવી જ વાતો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ થઈ રહી છે, અને તેની અસરો રાજ્યની વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર થઈ શકે છે. ગુજરાતમાં પણ ભાજપના જુના અને નિષ્ઠાવાન-વફાદાર કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની રાવ ઊઠી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો આ આંતરિક અસંતોષ એટલી હદે સપાટી પર આવી ગયો છે કે ખુલ્લેઆમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, અને પત્રિકાયુદ્ધ તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ છૂટોછવાયો અસંતોષ, નારાજગી અને અગણના વિદ્રોહમાં ફેરવાઈ જાય તે પહેલા ડેમેજે કંટ્રોલ કરવાની દિશામાં હવે દિલ્હીની ચૂંટણી સંપન્ન થયા પછી હવે હાઈકમાન્ડ ધ્યાન આપશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો હોય તેમ જણાય છે.
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને તે દરમિયાન જે કાંઈ બની રહ્યું છે, તે આપણી નજર સામે જ છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ફરિયાદો તથા કાવાદાવા વચ્ચે છેલ્લી ઘડીના દાવપેચ અજમાવાઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?
દિલ્હીમાં ભાજપની જેમ આંતરિંક સંતોષ આમ આદમી પાર્ટીમાં પણ છે, પરંતુ તે સપાટી પર અવી રહ્યો નથી. આ બન્ને પક્ષોની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ એકજુથ થઈને લડી રહી હોય, તેમ જણાય છે, જો કે કોંગ્રેસને ગુમાવવા જેવું કાંઈ નથી, પરંતુ ભાજપ-આમ આદમી પાર્ટીથી વિમુખ થયેલા મતદારોનું સમર્થન મળી જાય તો દિલ્હીમાં કોંગ્રેસ માટે આ વખતે રિવાઈવલ (પુનઃ મજબૂત) થવાની ઉજળી તકો છે, તેમ નથી લાગતું?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કેટલાક સ્થળે અન્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, ત્યારે ૧૬ મી ફેબ્રુઆરી સુધીમાં થનારા પ્રચાર પર સૌની નજર મંડાયેલી છે.
જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે, અને આ નગરપાલિકાાઓમાં કેટલીક બેઠકો બિનહરિફ પણ થઈ છે. જિલ્લાની જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ચકાસણી અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની મુદ્ત પૂરી થયા પછી કુલ ર૩ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજનસમાજની પાર્ટી અને આમ આદમી પાર્ટી તથા કેટલાક સ્થળે અપક્ષ ઉમેદવારો પણ ફાઈટ આપી રહ્યા હોવાથી ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણી રસપ્રદ બનવાનીછે. બીજી તરફ દ્વારકા-ભાણવડ-સલાયા નગરપાલિકાઓની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર ધમધમવા લાગ્યો છે. ત્રણ નગરપાલિકાઓ પૈકી સલાયામાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાની પણ ચર્ચા છે.
હાલારમાં ત્રણ નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીઓમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. રાજ્યમાં ત્રણ દાયકાથી સત્તારૂઢ ભારતીય જનતા પક્ષનું પ્રભૂત્વ હોવા છતાં પાટીદાર આંદોલન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું ધોવાણ થયું અને ભારે પછડાટ લાગી હતી, પરંતુ તે પછી ભાજપે જોરદાર કમબેક કર્યું અને ફરીથી મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો હતો. જોઈએ, આ વખતે મતદારોનો જનાદેશ કોને મળે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની નાબૂદીના સૂત્ર સાથે ત્રણ દાયકા પહેલા ગુજરાતમાં સત્તારૃઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક અસંતોષનો ચરૃ ઉકળી રહ્યો છે, તો બીજી તરફ પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પક્ષની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને અંદરથી જ સવાલો ઉઠવા લાગ્યા છે... અમરેલીમાં આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના એક દિગ્ગજ નેતાએ તો પોતાના સહિત કેટલાક નેતાઓના નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી છે, તો ડો. ભરત કાનાબારે તો જાહેરમાં એવી વાત વહેતી મૂકી છે કે ભાજપમાં માત્ર જીતી શકે તેવા અને જ્ઞાતિના સમિકરણોને ધ્યાને લઈને પસંદ કરાયેલા દાવેદારોને જ ચૂંટણીઓમાં ટિકિટ ફાળવાય છે, અને સિનિયોરિટી, નિષ્ઠા કે વફાદારીનો કોઈ ભાવ જ પૂછાતો નથી વગેરે...વગેરે...
એક તરફ ડો. ભરત કાનાબારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી ચૂકેલી આ વાતોની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 'ભાજપમાં દલાલો વધી ગયા છે' તેવું જે નિવેદન આપ્યું છે, તે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
બીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોમાં ભય ફેલાવીને તથા મતદારયાદીમાં ગરબડ તથા નાણાના જોરે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અરવિંદ કેજરીવાલે પણ આક્ષેપો લગાવ્યા છે. આમ, ભય ફેલાવીને સત્તાની ભૂખ સંતોષવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના કટાક્ષ સાથે ભાજપને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીનું સૂત્ર યાદ કરાવાઈ રહ્યું છે.
જો કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવાના બદલે ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને ચૂંટણી જીતવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે તેવા આક્ષેપો કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરતા ત્યાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક અને રસાકસીભર્યો બન્યો છે.
ગાંધીનગર એસીબીએ તાજેતરમાં જમિયતપુરા નજીક આવેલા ડ્રાય પાર્ટના ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં કામ કરતા ત્રણ કસ્ટમ કર્મીઓની ધરપકડ કરી તેની પૂછપરછ દરમિયાન ભયંકર ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવી અને ભ્રષ્ટાચારની નિયત કરેલી રકમનું પ્રાઈસ લિસ્ટ અને તેના ઉઘરાણા માટે ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓએ સમાંતર તંત્ર ઊભું કર્યું છે. એટલું જ નહીં કન્ટેનર દીઠ નક્કી કરેલી રકમ ઉઘરાવવા (અંગત રીતે) માણસો પણ રોક્યા છે. કન્ટેનર કલીયરન્સ માટે નક્કી થયેલા ભાવો મુજબ ઉઘરાણી કરતી આ સમાંતર 'સિસ્ટમ' રોકડાનું સોનાના સ્વરૃપમાં (ગોલ્ડ પેમેન્ટ!!) સ્વીકારતી (ઉઘરાવતી) હોવાના તથા જે વેપારી લાંચ-રૃશ્વતની રકમ ન ચૂકવે તેના કન્ટેનરના ક્લીયરન્સને અટકાવી દેવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આથી સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોને એવું લાગે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું સૂત્ર હવે વિસરાઈ ગયું છે અને આ 'સડો' જ પાર્ટીમાં આંતરિક અસંતોષ કરાવી રહ્યો હોઈ શકે છે.
આમ તો, આ રીતે ભ્રષ્ટાચારના ભાવબાંધણા થતા હોય અને ઉઘરાણા થતા હોય, તે કોઈ નવી વાત નથી. કેટલાક અધિકારી-કર્મચારીઓ તો પોતે નિવૃત્ત થઈ ગયા પછી પણ પોતે નિવૃત્તિ પહેલા જ્યાં ફરજ પર હતાં, ત્યાંના 'ભાવબાંધણા' મુજબ હપ્તા કે ભ્રષ્ટાચારના 'બાકી' રહી ગયેલા નાણા વસૂલવા ઉઘરાણી કરતા હોવાની ગુસપુસ પણ ઘણી વખત સંભળાતી હોય છે, તેથી હવે ભ્રષ્ટાચારને એક પ્રકારે 'શિષ્ટાચાર' જ થઈ ગયો હોય તેમ નથી લાગતું?
જો દિલ્હીમાં કેજરીવાલ એન્ડ કાું. પર શરાબકાંડના લાગેલા આક્ષેપોમાં થોડુંક પણ તથ્ય હોય, તો એમ કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... કોઈનો ભરોસો થાય તેમ નથી... યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચારના જોરદાર આક્ષેપો કરીને પ્રથમ વખત એ જ યુપીએના મુખ્ય પક્ષ કોંગ્રેસના ટેકાથી સરકાર રચનાર કેજરીવાલ એ જ કોંગ્રેસ સામે, એક વખત ફરીથી દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે...
ગઈકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સટાસટી બોલવી ત પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાના વડાપ્રધાનના આજના જવાબ પર સૌની નજર મંડાયેલી હતી અને આ તમામ સંસદીય પ્રક્રિયાઓ, પ્રવૃત્તિઓ તથા પ્રવચનોની અસર દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ પર કેટલી થશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક સમયે કોંગ્રેસનો સૂરજ સોળેકળાએ તપતો હતો, ત્યારે તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સત્તામાં કેન્દ્રમાં આવેલા ભાજપ અને દિલ્હીમાં સત્તામાં આવેલ આમ આદમી પાર્ટી સામે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટી માટે પણ દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે.
ટૂંકમાં, રાજકીય પક્ષો ચૂંટણી ટાણે વાયદાઓ કરે, સૂત્રો વહેતા કરે કે મોટી મોટી વાતો કરે, અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદી, ગરીબી નાબૂદી, ગુંડાગીરી નાબૂદી, બેરોજગારી નાબૂદીના વચનો આપે, પરંતુ સત્તા પર આવ્યા પછી બધું ભૂલી જતા હોય છે. આથી જનતાએ કોનો ભરોસો કરવો? તેવો સવાલ ઊઠે ત્યારે ઓછા ભ્રષ્ટ, ઓછા નપાવટ અને ઓછા ખોટાબોલા નેતાઓની પસંદગીનો વિકલ્પ જ રહેને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

શનિવારે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કર્યું અને તે પછી તેનું પૃથકકરણ શરૂ થયું હોય તેમ વિવિધ પ્રત્યાઘાતો બે દિવસથી સામે આવી રહ્યા છે. જામનગર અને હાલાર સહિત રાજ્યના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી પણ બજેટના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, અને રાષ્ટ્રીય કક્ષાએ બજેટને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે શનિવારે હજુ તો નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતાં અને તેનું સમાપન પણ થયું નહોતુ, ત્યાં કેટલાક લોકો આ બજેટની વાહવાહી કે ટીકા કરવા લાગ્યા હતાં. હકીકતે બજેટ રજૂ થયા પછી તેનો થોડો-ઘણો પણ અભ્યાસ કરીને તેના પ્રતિભાવો અપાય કે પ્રત્યાઘાતો પડે, તો તેમાં વધુ તથ્ય તથા લોજીક હોય છે, પરંતુ બજેટ રજૂ થતા જ તેના પ્રત્યાઘાતોમાં વધારે પડતા વખાણ થવા લાગે કે તીવ્ર આલોચલના થવા લાગે, ત્યારે તેની પાછળની રાજકીય ગણતરીઓ ખુલ્લી પડી જતી હોય છે, ખરૃં કે નહીં?
જો કે બજેટ રજૂ થયા પછી આજે સડકથી સંસદ સુધી જે ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે અને તર્કો-અભિપ્રાયો રજૂ થઈ રહ્યા છે, તે જોતા આ તમામ કવાયતની ફલશ્રૂતિમાં બજેટનું પૃથકકરણ પરિણામદર્શી તથા સંસદમાં બજેટ પર થનારી લાંબી ચર્ચા માટે ઘણું જ ઉપયોગી નિવડશે, તેમ જણાય છે.
મોટાભાગે પાર્ટી લાઈનથી કાંઈક અલગ અને વાસ્તવલક્ષી નિવેદનો કરનાર કોંગી નેતા અને સંસદસભ્ય શશિ થરૂરે ગઈકાલે ખૂબ જ સચોટ પ્રત્યાઘાત આપ્યો હતો. એનડીએ સરકારે શનિવારે રજૂ થયેલા વર્ષ ર૦રપ-ર૬ ના બજેટના વખાણમાં લપેટીને તેમણે એક સણસણતો સવાલ પૂછ્યો, જે આજે સંસદના ગલિયારાઓ સુધી પડઘાયો છે.
દર વર્ષે ૧ર લાખ સુધીની આવક મેળવતા નાગરિકોને ઈન્કમટેક્સ ભરવો નહીં પડે, એટલે કે દર મહિને એક લાખ સુધીની આવક કે પગાર મેળવતા લોકોને ઘણી જ મોટી રાહત નાણામંત્રીએ આપી છે, અને આ કારણે પ્રામાણિકતાથી નોકરી-ધંધો કરીને ઈન્કમટેક્સ ભરતા મધ્યમ વર્ગ તથા નોકરિયાતોને ફાયદો થશે, તે અંતે પ્રશંસાત્મક સૂરમાં પ્રત્યાઘાત આપતા શશિ થરૂરે પૂછ્યું હતું કે આ કરરાહત આવકાર્ય છે, પરંતુ તે વર્ષે ૧ર લાખ સુધી કમાતા ધંધો-નોકરી કરતા લોકો માટે ફાયદાકારક છે, જ્યારે તેનાથી પણ વધુ જરૂર બેરોજગારોને નોકરી-ધંધો-રોજગારની છે, અને તેમના માટે બજેટમાં શું છે?
તેમણે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો થાય તે સારી બાબત હોઈ શકે છે, અને જેની પાસે સારો ધંધો કે ઊંચા પગારની નોકરી છે, તેને હવેથી ટેક્સ નહીં ચૂકવવો પડે, અથવા ઓછો ચૂકવવો પડશે, પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેની પાસે નોકરી જ ન હોય, પગાર જ ન હોય, તો તેનું શું થશે, તેની કોઈ સ્પષ્ટતા જણાતી નથી. આ બજેટ સ્પીચમાં નાણામંત્રીના મોઢેથી બેરોજગારી કે મોંઘવારી દર જેવા શબ્દો જ સાંભળવા મળ્યા નથી, તેમ જણાવીને શશિ થરૂરે પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેમ જણાય છે.
શશિ થરૂરે કેન્દ્રિય નાણામંત્રી પર બજેટમાં ભેદભાવભરી ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, નાણામંત્રીએ ચૂંટણીઓમાં ભાજપ-એનડીએને ફાયદો થાય તે રીતે નાણાકીય ફાળવણી કરી છે. એનડીએના સાથીદાર પક્ષોનું શાસન હોય, તેવા બિહાર જેવા રાજ્યને વધુ ફાળવણી થઈ છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે.
એકંદરે સ્ટાન્ડર્ડ ડિડકશન સહિત હવે રૂ. ૧ર.૭પ લાખ એટલે કે ૧ર લાખ ૭પ હજારની વાર્ષિક આવક પર નોકરિયાતને ઈન્કમટેક્સ નહીં લાગે.
જો કે, નવો ઈન્કમટેક્સ કાયદો આવ્યા પછી આ મર્યાદાથી વધુ આવક મેળવનારને તો કરવેરો સમયોચિત રીતે ચૂકવવો જ પડશે, તેવું કહેવાય છે, પરંતુ તજજ્ઞોના અભિપ્રાયો મુજબ કેન્દ્ર સરકાર નવો કાયદો સંસદમાં રજૂ કરે, ત્યારે જ તેની પાછળના ઉદ્દેશ્યની ખબર પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
અન્ય એક પૃથકકરણ મુજબ જો બાર લાખથી થોડીક આવક વધી જાય તો, ૬૧,પ૦૦ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે તેવી સ્થિતિમાં ઈન્કમટેક્સ એક્ટની કલમ-(૭૮એ) હેઠળ રિબેટ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં માર્જિનલ રિલિફ લાગુ થશે, તેથી ૧ર લાખથી ૧ર લાખ ૭પ હજારની આવક સુધી રૂ. ૧૦ હજારથી ૭૧,રપ૦ રૂપિયા સુધીનો ટેક્સ લાગુ પડી શકે છે. આ બધી બાબતો વધુ સ્પષ્ટતાઓ માંગે છે, જેની ચર્ચા સંસદમાં થવાની જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ રજૂ કરી રહ્યા છે. ગઈકાલ સુધી કેન્દ્રિય બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેની અનેકવિધ અટકળો થઈ રહી હતી, તે પૈકી કેટલી અટકળો સાચી પડી અને કેટલી અટકળો યથાર્થ ઠરી નથી, તે પણ આપણી સામે આવી રહ્યું છે. આજે બપોર પછી આ બજેટના પ્રત્યાઘાતો પણ સામે આવી જશે.
ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ અંગે કેટલોક ઉલ્લેખ થયો હતો, જે આજના બજેટમાં પ્રતિબિંબિત થશે, તેવી ધારણા હતી તે ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં પણ વર્ષ ર૦રપ-ર૬ ને લઈને કરેલી ધારણાઓ આજે ચર્ચામાં છે.
ગઈકાલે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ર૦ર૪-રપ નો ઈકોનોમિક સર્વે સંસદના બન્ને ગૃહોમાં રજૂ કર્યો હતો. આ સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માં ૬.૩ થી ૬.૮ ટકાના દરે જીડીપીનું અનુમાન કરાયું છે. આ અનુમાન અંગે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આ ગતિ દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવા માટે પર્યાપ્ત નથી, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.
ઈકોનોમિક સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઈકોનોમિક પ્લાનીંગ તથા સ્ટેબલ એક્સ્પેન્ડીચરના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની બુનિયાદ વધુ મજબૂત બની છે, જેથી જાહેર ક્ષેત્રમાં મૂડીખર્ચ તથા દેશમાં ઔદ્યોગિક વિકાસની અપેક્ષાઓમાં સુધારો થતા ઈન્વેસ્ટમેન્ટ વધશે.
ઈકોનોમિક સર્વેમાં કેન્દ્ર સરકારે ઈકોનોમીની સ્થિરતા તથા પ્રોગ્રેસને ધ્યાને રાખીને ગત્ વર્ષે ઊઠાવેલા મહત્ત્વપૂર્ણ કદમનું વિવરણ પણ રજૂ કર્યું છે, જેમાં ઋતુચક્ર મુજબ ખાદ્ય પદાર્થોના બફરસ્ટોકમાં વધારો, શાકભાજીના ભાવોમાં ઘટાડો, ઓપન માર્કેટમાં ખાદ્ય ચીજોનો પુરવઠો વધારવા આયાતમાં ઢીલ આપવા જેવા પગલાંને સમયોચિત અને પરિણામલક્ષી ગણાવાયા છે, જો કે એવો અણસાર પણ અપાયો છેકે વેપાર (ટ્રેડ) માં અનિશ્ચિતતાઓ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવ આર્થિક વિકાસ માટે અવરોધક બન્યો હતો.
આ અનુભવોને ધ્યાને લઈને આગામી નાણાકીય વર્ષ (ર૦રપ-ર૬) માટે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવા અને ઈકોનોમિકલ પોટેન્શિયલ (આર્થિક સંભાવનાઓ) ને સંતુલન રાખવા માટે લેવાયેલા કેટલાક પગલાંની વિગતો પણ રજૂ થઈ છે.
આ ઈકોનોમિક સર્વેમાં પણ દેશમાં છેક છેવાડાના વર્ગો તથા વિસ્તારો સુધી વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક્તા તથા સંરચનાત્મક રિફોર્મ્સની જરૂર પણ જણાવાઈ છે, જે ઘણી જ સૂચક છે.
મોંઘવારી અટકાવવા વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલવા લાવીને ભાવવધારા પર અંકુશ લાવવાના વૈશ્વિક પ્રયાસોનો અડક્તરો ઉલ્લેખ કરીને આગામી નાણાકીય વર્ષમાં ભૌગોલિક, પોલિટિકલ અને સંયોગાત્મક તણાવના જોખમો પણ આ સર્વેમાં વર્ણાવાયા છે, અને જીવનજરૂરીચીજોના ભાવો પહેલેથી જ ઊંચા હોવાથી હવે ભાવવધારાનું રિસ્ક ઘટી રહ્યું હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
આ ઈકોનોમિક સર્વેમાં દેશમાં આઈ.ટી. ક્ષેત્રે મળેલી સફળતા તથા સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો થકી મૂળભૂત સુવિધાઓમાં થયેલા સુધારા તથા કૃષિસુધારનો ઉલ્લેખ કરીને ઋતુચક્ર મુજબ ખેત-ઉત્પાદનો વધારીને અને ખાસ કરીને ડુંગળી, દાળ, ટમેટા જેવી કાયમી જરૂરિયાતોના ઉત્પાદનોમાં જંગી વધારો કરવાની જરૂર પણ જણાવાઈ છે.
આર્થિક સર્વેક્ષણમાં જીએસટી કલેક્શનમાં ૧૧ ટકાના વધારાનો અંદાજ સૂચવાયો, તે ચાલુ વર્ષના બજટમાં કેટલો પ્રતિબિંબિત થાય છે, અને વર્ષાંતે વાસ્તવમાં જીએસટીના માધ્યમથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કેટલી આવક થઈ, તેના અંદાજો પર આધારિતા ખર્ચના અંદાજો પણ રખાયા હશે. આ વખતે બજેટમાં રજૂ થઈ રહેલા મહત્ત્વપૂર્ણ ફેરફારોનું પણ વિશ્લેષણ થવા લાગ્યું છે.
આર્થિક સર્વેક્ષણોના અંદાજોને અનુરૂપ વૈશ્વિક તથા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના જીડીપી ગ્રોથના અંદાજો વચ્ચે પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટરની નબળાઈનો ઉલ્લેખ થઈ રહ્યો છે, જો કે ગત્ વર્ષે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૭.૧ ટકા નોંધાયો હતો. નિકાસમાં પ.૬ ટકાનો છમાસિક વધારો અને આયાતમાં ૭.૭ ટકાનો વધારો પણ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો તથા નાણાવિભાગ માટે મહત્ત્વપૂર્ણ છે.
એકંદરે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ ભલે મુખ્યત્વે દેશની આર્થિક પ્રગતિ અને આવતા વર્ષની ઉજળી સંભાવનાઓનું ચિત્ર રજૂ કરતો હોય, પરંતુ આ જ અહેવાલમાં કેટલીક નબળાઈઓ, કેટલાક પડકારો તથા જોખમોને પણ પરોક્ષ રીતે દર્શાવી દેવામાં આવ્યા છે, જેને વિપક્ષો દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતા તથા અણઆવડત ગણાવી રહ્યા છે.
આજે સંસદમાં રજૂ થઈ રહેલું કેન્દ્રિય બજેટ લોકોની અપેક્ષાઓ, વિવિધ ક્ષેત્રોની આકાંક્ષાઓ તથા ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગની જરૂરિયાતોને લઈને કેટલું ખરૃં ઉતર્યું છે, તેનું આજે પૂરેપૂરા બજેટનો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક વિશ્લેષણ થશે, પરંતુ મુખ્ય મુખ્ય જોગવાઈઓ તથા પ્રસ્તાવોના અહેવાલો આવવા લાગ્યા છે. જેથી ક્યાં ખુશી છવાઈ અને ક્યાં થોડી નિરાશા અથવા ગમનો માહોલ છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી દ્વારા રજૂ થયેલા બજેટમાં થયેલી જોગવાઈઓ દિલ્હી વિધાનસભા ઉપરાંત નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીઓને કેટલી પરોક્ષ અસરો કરશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. તેથી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'કહાં પે નિગાહ કહાં પે નિશાના?'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મનપાનું ડ્રાફ્ટ બજેટ કે ડ્રામેટિકલ બજેટ? સંસદના બજેટ સત્રમાં શું થશે? રાષ્ટ્રીય ચર્ચામાં બજેટ મોખરે?

મહાકુંભમાં કરોડો લોકોના સ્નાનના અહેવાલોની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ તથા અદાલતની અટારી તથા ન્યાયિક તપાસ સુધી પહોંચેલો તાજેતરની ભાગદોડનો મુદ્દો પણ આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રમાં ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની જશે, તેવા એંધાણ પહેલેથી જ વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ અમેરિકાના જંગી બહુમતથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે, તેની ભારત તથા ભારતીયોને કેટલીક અસરો થશે, તેની ચર્ચા વચ્ચે અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન નામની સરકારી એજન્સીએ પણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.
આ તદ્ન તાજી વોર્નિંગ મુજબ સૂર્યનારાયણ જાણે કોપાયમાન થયા હોય તેમ સૂર્યની સપાટી તથા બાહ્ય કિનારાઓ (કોરોના) માં વિરાટ કોરોનલ હોલ સર્જાયો છે. સૂર્યના બાહ્ય વાતાવરણની વચ્ચે વિશાળ કદનું કાળુ ધાબુ સર્જાયું છે, તેને કોરોનલ હોલ કહે છે. સૂર્યના બાહ્ય વાતાવરણમાં પાંચ લાખ માઈલ એટલે કે લગભગ ૮૦ હજાર કિલોમીટરનો આ કોરોનલ હોલ સર્જાતા તેની ભયાનક અસરો ગ્રહમંડળને થઈ શકે છે, અને પૃથ્વી પર સૌર તોફાનોનું સંકટ સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પછી પૃથ્વી પર આજે રેડિયો બ્લેક આઉટ સાથે વાતાવરણને ગંભીર અસરો પહોંચી શકે છે. આ કારણે વીજ ઉપકરણો તથા સંદેશા વ્યવહારને માઠી અસર પહોંચે તેવી ચેતવણી અપાતા પૃથ્વી પર તંત્રો સાબદા થયા છે. બીજીતરફ કેટલીક સેટેલાઈટ (ઉપગ્રહો) ને ક્ષતી પહોંચે કે સળગી ઊઠે તેવી સંભાવનાઓ દર્શાવાઈ હોવાથી વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ તથા સંબંધિત સરકારી તંત્રો આજે આકાશ તરફ મીટ માંડીને ગહન નિરીક્ષણ કરી રહ્યા છે, તો ભારતમાં દેશવાસીઓની નજર દિલ્હી તરફ મંડાયેલી છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાગરમી વચ્ચે મહાકુંભમાં ઉમટતા કરોડો લોકો તથા તાજેતરની ભાગદોડના અહેવાલો તો છવાયેલા જ છે, પરંતુ તેની સાથે સાથે આજથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર પણ દેશવાસીઓની નજર મંડાયેલી છે. આવતીકાલે સંસદમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેવું બજેટ રજૂ કરશે, ક્યા વર્ગને રાહતો મળશે, કઈ કઈ નવી યોજનાઓ લોન્ચ થશે, તથા આ બજેટ સત્રમાં સરકાર ક્યા ક્યા બિલો પસાર કરાવવાનો પ્રયાસ કરશે, તેની ચર્ચા પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે.
આજની એન.ડી.એ.ની બેઠક, સર્વપક્ષિય બેઠક, રાષ્ટ્રપતિનું અભિભાષણ અને તેના પર થનારી ચર્ચા તથા મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંગે રાજકીય પક્ષોની રણનીતિને લઈને પણ દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે. મહાકુંભ મેળામાં ભાગદોડના મુદ્દે શોર-બકોર હોબાળા વચ્ચે અન્ય મહત્ત્વના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જશે તથા રાબેતામુજબ સરકાર હોકારા, પડકારા, દેકારા, હંગામા વચ્ચે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો બન્ને ગૃહોમાં રજૂ કરી દેશે, અને તે પૈકી સિલેકટેડ પ્રસ્તાવો કે બિલો પસાર પણ કરાવી લેશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને જેપીસીએ મંજુર કરી દીધેલું વકફ (સુધારેલુ) બિલ સંસદમાં પાસ કરાવવાનો પણ સરકારનો ભરપૂર પ્રયાસ હશે, તેવા સંકેતો જોતા આખું બજેટસત્ર હંગામેદાર રહેવાની સંભાવના છે.
ગયા સત્રમાં પેન્ડીંગ રહી ગયેલા ૧૦ બિલો, ફાયનાન્સ બિલ-ર૦રપ અને ઈમીગેશન એન્ડ ફોરેનર્સ બિલ પણ આ સત્રમાં મૂકાશે, તે ઉપરાંત ધ પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ્સ ઈન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સ બિલ, ત્રિભુવન સહકારી બિલ સહિતના અન્ય કેટલાક નવા બિલો પણ આ સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે.
એવા અહેવાલો આવ્યા છે કે, સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ એરિયા ડિનાયલ મ્યુનિશન તથા પિનાકા રોકેટ વિગેરે ઉપકરણો સહિત રૂ. દસ હજાર કરોડથી વધુ કિંમતનો દારૂગોળો સ્વદેશી હથિયારોની પ્રણાલીને વેગ આપવાના ઉદ્દેશ્યથી ખરીદવાની મંજુરી આપી દીધી છે. આ મંજુરી મુજબ પિનાકા રોકેટની ૧ર૦ કિ.મી.નું મારક ક્ષમતાનું પ્રથમ પરીક્ષણ થયા પછી પડોશી દેશોની સરહદો પરથી આક્રમક તથા પરિણામલક્ષી પ્રહાર કરવાની ક્ષમતા મળી જશે.
ગયા બુધવારે મળેલી કેન્દ્રિય કબિનેટની બેઠકમાં મંજુર કરાયેલા રોકેટની મારક ક્ષમતા પણ ૪પ કિલોમીટર જેટલી છે, જેથી તે પણ પડોશી બન્ને દુશ્મનદેશો પર જરૂર પડ્યે ઘાતક પ્રહારો કરી શકે છે. પિનાકાના અંતિમ પરીક્ષણ પછી ભારતીય સેનાને વધુ મજબૂતી મળશે અને સૈન્ય સામગ્રી અને ઉચ્ચ-મધ્યમ ક્ષમતાના દારૂગોળાનું જંગી નિર્માણ જોતા આ વખતે સંરક્ષણ બજેટમાં પણ નોંધપાત્ર વધારો થાય, તેવા એંધાણ દેખાય છે.
અત્યારે બજેટની મોસમ શરૂ થઈ છે, ત્યારે ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ થયું છે. બજેટ પ્રક્રિયાની જાણકારી અને સમજદારી ધરાવતા લોકો જાણે જ છે કે આ ડ્રાફ્ટ બજેટ મહાનગરપાલિકાના તંત્રે તૈયાર કર્યું હોય છે, અને મ્યુનિસિપલ કમિશનર આ બજેટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને સોંપે છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટના સમગ્ર પ્રસ્તાવો પર મુદ્વાવાર ચર્ચા થાય છે, અને મૂળ ડ્રાફ્ટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા સૂચવે છે. આ સુધારા-વધારા-ઘટાડા સાથે બજેટ છેવટે જનરલ બોર્ડમાં મૂકાય છે, જ્યાં તેના પર ચર્ચા થાય છે, અને ચર્ચાના અંતે જનરલ બોર્ડમાં રજૂ થયેલા તથા સ્ટેન્ડીંગ કમિટીએ સૂચવેલા સુધારા-વધારા-ઘટાડા અંગે અંતિમ નિર્ણય લેવાય છે.
છેવટે જનરલ બોર્ડમાં અંતિમ બજેટ પાસ થાય છે, તેથી અત્યારે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા નવા કરવેરા, પ્રસ્તાવો-દરખાસ્તોમાં ફેરફારને અવકાશ રહે છે, અને મોટા ભાગે સ્ટેન્ડીંગ કમિટી કેટલાક કરવધારાની તંત્રની દરખાસ્તોમાં કાપ મૂકે રદ કરે, તેવું બનતું હોય છે, તેથી મનપાની અંતિમ બજેટની જ રાહ જોવી રહી... તેથી જ હવે તો ડ્રાફ્ટ બજેટને લોકો ડ્રામેટિકલ બજેટ પણ કહેવા લાગ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સરકારી અને અર્ધસરકારી તંત્રોના ઘણાં કામો તાકીદના હોય છે તો ઘણાં કામો રોજીંદા હોય છે. ભારતના બંધારણ મુજબ દેશના નાગરિકોનું હિત ટોચ અગ્રતાનું હોવું જોઈએ, પણ આજે દેશનો નાગરિક જુદી જુદી કચેરીઓ, બેંકો, રાશનની દુકાનો કે પછી રેલવે- સ્ટેશનોની ભીડ વચ્ચે કતારોમાં ઊભવું પડી રહ્યું છે અને એક ધક્કે કામ ભાગ્યે જ પતે છે. નાના સરખા કામ માટે પણ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે, તો અમીરો-લાગવગિયા લોકોના કામો ઘેરબેઠા થઈ જતા હોય છે, અને શાસન-પ્રશાસનના બેવડા ચહેરાઓ જનસેવકોના નકાબ પહેરીને ભોળી જનતાને છેતરતા રહે છે.
ગાંધીજીએ ગામડું, ગરીબ અને નિરક્ષર લોકોને અગ્રીમ હરોળમાં લાવવા માટે ગ્રામસ્વરાજ તથા અંત્યોદયના સપનાઓ જોયા હશે, પરંતુ તેનો વારસો કોઈએ નિભાવ્યો નથી, અને આઝાદી પછી આ સપનાઓ સાકાર થયા નથી અને આજે પણ મહત્તમ નાગરિકોને કતારોમાં રહીને તથા હાથ ફેલાવીને ભટકવું પડી રહ્યું છે. અમીરો વધુ અમીર બની રહ્યા છે, તે પણ હકીકત જ છે ને?
જામનગર સહિત હાલારના ઘણાં સ્થળોએ છેલ્લા કેટલાક મહિનાઓથી 'દબાણ હટાવ ઝુંબેશ' ચાલી રહી છે, અને વિશાળ અને કિંમતી જમીનો મુક્ત કરાવાઈ રહી છે. બીજી તરફ એ પ્રકારના દબાણ હટાવ ઝુંબેશો પણ ચાલી રહી છે, જે કદાચ તંત્રોએ મને-કમને કરવી પડી રહી હોય કે પછી ફોર્માલિટી ખાતર કરવી પડતી હોય તેવું લાગે, તો કેટલીક દબાણ હટાવ ઝુંબેશોમાં તો ચોખ્ખી ડ્રામેબાજી થઈ રહી હોય, તેવું જણાય. તંત્રના બેવડા ચહેરાઓની પાછળ ઘણાં બહુરૂપિયા પરિબળો તથા ભ્રષ્ટ રીતિનીતિ સાથેની ગુપ્ત રાજનીતિ કામ કરી રહી હોય તેમ નાથી લાગતું?
તાજેતરમાં કેટલાક યાત્રા સ્થળો સહિત દરિયાકાંઠાના ગામો-નગરો-ટાપુઓ પર જે દબાણો હટાવાયા, તેની સામાન્ય જનતામાં પ્રશંસા થઈ રહી છે, અને કેટલાક સ્થળે તો દબાણો હટાવ્યા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો ન થઈ જાય, તેવા નક્કર કદમ ઊઠાવાયા, અથવા ત્યાં સાર્વજનિક પ્રવૃત્તિઓ, કોઈ સેવાભાવી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય અથવા સરકારી કે કાયદો વ્યવસ્થા સંબંધિત કચેરીઓ કે ચોકીઓ ઊભી કરવામાં આવે, તેવો અભિગમ અપનાવાઈ રહ્યો છે, તેની સારી છાપ પડી રહી છે તથા તંત્રોમાં લોકોની વિશ્વસનિયતા વધી રહી હોય તેમ જણાય છે.
એવી આશંકાઓ પણ જાગી રહી છે કે, આ વિશ્વસનિયતા ક્યાંક આભાસી તો નથી ને? થોડો સમય વિત્યા પછી કે થોડા મહિનાઓમાં જ ક્યાંક મુક્ત થયેલી જમીનો પર ફરીથી દબાણો તો ખડકાઈ નહીં જાય ને?
આ પ્રકારની આંશકાઓ ઊઠે તેની પાછળ મજબૂત કારણ પણ છે. જામનગરમાં કેટલીક જગ્યાએથી રેંકડી-પાથરણાવાળાઓને હટાવાયા હોય, તે જ સ્થળે ફરીથી 'જૈસે થે' જેવી સ્થિતિ સર્જાવા લાગતા મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશ પછી તેનો 'જશ' ખાટી રહેલા તંત્રવાહકો માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર લારી-ગલ્લા, ગેરકાયદે વાહન પાર્કિંગ રખડતા ઢોર અને બિસ્માર માર્ગોનો મુદ્દો ચર્ચાયો અને અદાલતે એક વખત ફરીથી તંત્રોને તતડાવ્યા, તે અહેવાલો પણ આજે હેડલાઈન્સમાં છે.
ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટે ફૂટપાથ પર થતા ગેરકાયદે પાર્કિંગના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી, જેની સુનાવણી થતા ગુજરાત હાઈકોર્ટના બે જસ્ટિસોએ આ મુદ્દે પોલીસતંત્ર, મ્યુનિ. તંત્ર તથા સંબંધિત સરકારી તંત્રો પ્રત્યે ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હોવાના અહેવાલો છે. આ મુદ્દે વધુ સુનાવણી ૬ઠ્ઠી ફેબ્રુઆરીના થવાની છે. અદાલતે કહ્યું કે આ મુદ્દે સત્તાવાળાઓ ગંભીર નથી, અને હળવાશથી રૂટીન પ્રક્રિયા સમજીને આ તમામ બાબતોની તંત્રો અવગણના કરી રહ્યા છે. જાહેર રસ્તાઓ લારી-ગલ્લા-પાથરણાવાળાઓ તથા કાયમી સ્વરૂપના દબાણોએ કબજે કરી લીધા છે. ફુટપાથો પણ દબાઈ ગઈ છે, તેથી વાહનો ચલાવવા માટે પણ પૂરતી જગ્યા રહેતી. પોલીસતંત્ર તથા મ્યુનિસિપલ તંત્રોની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી કે એક વખત દબાણ હટાવ્યા હોય, ત્યાં ફરીથી દબાણ થાય, તો તેની સામે આકરી અને પરિણામલક્ષી કડક કામગીરી કરવી જોઈએ.
અરજદાર વકીલની દલીલ એવી હતી કે આ મુદ્દે અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં ૧૦૦ થી વધુ સુનાવણી થઈ અને અદાલતે ૬૦ થી વધુ આદેશો કર્યા, છતાં સત્તાવાળાઓ દ્વારા તેનું અસરકારક પાલન કરાવાતું નથી, અને હાઈકોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદાર વકીલે માર્ગો-ફૂટપાથો પર દબાણો સહિતના ટ્રાફિકને અવરોધતા તમામ મુદ્દે કસૂરવાર તંત્રો સામે ચાર્જફ્રેમ કરવાની માંગણી કરી છે. હવે ૬ઠ્ઠી ફેબ્રુઆરીના તંત્રોની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો હાઈકોર્ટ અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) નો ચાર્જ ફ્રેમ કરશે, તો સંબંધિત તંત્રોના ચોક્કસ જવાબદાર અધિકારીઓ તો કાનૂની સકંજામાં આવી જ જશે, પરંતુ શાસકો (પોલિટિકલ બોડી) માટે પણ એ ક્ષોભજનક હશે.
હાઈકોર્ટમાં આ સુનાવણી દરમિયાન બેન્ચના એક ન્યાયાધિશે તો પોતાને જ થયેલા કટૂ અનુભવો વર્ણવ્યા અને ટ્રાફિક પોલીસની બેદરકારી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત અદાલતે કહેલું કે હાઈકોર્ટની જુદી જુદી બેન્ચો સમક્ષ સુનાવણી નીકળે તે સમયે થોડા દિવસો માટે કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે, અને પછી જેમ હતું તેમ ('જૈસે થે') થઈ જાય છે. માર્ગો-ફૂટપાથોના દબાણો, રોંગસાઈડમાં વાહન ચલાવવા, ગેરકાયદે આડેધડ પાર્કિંગ, રખડતા ઢોર, આવારા કૂતરા વગેરે સમસ્યાઓથી ત્રાહિમામ્ જનતાને તેમાંથી છૂટકારો અપાવા ગુજરાત હાઈકોર્ટે કરેલી ટકોરો એએમસી ઉપરાંત રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓના તંત્રો, પોલીસ તંત્ર તથા સરકારને પણ લાગુ પડે છે. આ તમામ મુદ્દે જામનગરમાંથી કોઈ નાગરિક, વકીલ, સંસ્થા કે વિપક્ષી નેતા આ સુનાવણીનો સંદર્ભ લઈને હાઈકોર્ટમાં ધા નાખે, તે પહેલા જામ્યુકો તથા સ્થાનિક તમામ અન્ય તંત્રો સમજી જાય તો સારૂ છે ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દરરોજ કરોડો લોકો જ્યાં સ્નાન કરી રહ્યા છે, તે પ્રયાગરાજના કુંભમેળામાં મોડી રાત્રે થયેલી ભાગદોડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા, અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે સમાચારો મળ્યા પછી આ કુંભમેળામાં સ્નાનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓના સગા-સંબંધીઓમાં તો ચિંતા પ્રસરી જ છે, પરંતુ હવે પછી જેણે આ મહાકુંભમાં જવાનું આયોજન કર્યું છે, તેઓ પણ દ્વિધામાં મૂકાયા છે, જો કે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છતાં ભાગદોડ કેવી રીતે થઈ અને તેને અંકુશમાં લેવા કેવા પગલાં લેવાયા, તેના અહેવાલો ટેલિવિઝન ચેનલોના માધ્યમથી આવી જ રહ્યા છે. બીજી તરફ સંગમઘાટ તરફ જ ધસારો વધી ગયો, તેથી આ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકોને પણ પ્રશાસન તરફથી મળતી સૂચનાઓનો અમલ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ તથા સાધુ-સંતોના અખાડાઓના કુંભસ્નાનનું મેનેજમેન્ટ કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. પહેલા સંતોનું આજનું અમૃતસ્નાન રદ્ કરાયું હોવાના અહેવાલો આવ્યા પછી તેમાં ફેરફાર થયો અને હવે શોભાયાત્રા મોકુફ રાખીને સંતોનું આજનું અમૃતસ્નાન યથાવત્ રહેશે, તેવા અહેવાલો જોતા કદાચ આજે સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં આવી જાય, તેવા આશાવાદ વચ્ચે સંતો-મહંતો અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને પોતે જે ઘાટથી નજીક હોય, ત્યાં જ સ્નાન કરે અને તંત્રના નિર્દેશોનું પાલન કરે તેવી જે અપીલ કરી છે, તે પછી આજે ભીડ નિયંત્રણમાં આવી જશે, તેમ જણાય છે. એક મહામંડલેશ્વરે તો રડતાં રડતાં કહ્યું કે, આ મહાકુંભની વ્યવસ્થા સેનાને સોંપવાની જ જરૃર હતી!
આ પ્રકારના વિરાટ આયોજનોમાં જેટલી પૂર્વ તૈયારી આયોજકો-તંત્રો-સંસ્થાઓની હોય તેટલી જ જરૃર જનસહયોગની પણ રહેતી હોય છે, અને તંત્રો-આયોજકોએ પણ સતત મોનીટરીંગ કરતા રહીને તથા અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને દૈનિક ત્રણ-ચાર વખત સમીક્ષા કરીને વ્યવસ્થાઓ અપડેટ કરતા રહેવી જોઈએ. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવાની પણ ખૂબ જ જરૃર હોય છે. લોકોને સોશ્યલ મીડિયામાં ફેલાતી અપુષ્ટ ખબરોને અધિકૃત રીતે અપાતા સમાચારો, ન્યૂઝ ચેનલો તથા સ્થાનિક તંત્રો દ્વારા પી.એ. સિસ્ટમથી અપાતી સૂચનાઓનું જ પાલન કરવું જોઈએ.
જે લોકો કુંભમેળામાં ગયા હોય, ત્યાં ઘાટ તરફ માનવપ્રવાહ હોય છે, અને જેઓની પાસે ટેલિવિઝન નથી હોતું, તેથી મોબાઈલ સેલફોનમાં અપાતા સમાચારોનો સહારો લેતા હોય છે, ત્યારે મોબાઈલ સેલફોન દ્વારા પણ વિશ્વસનિય ન્યૂઝ ચેનલોનો જ વિશ્વાસ કરે અને સોશ્યલ મીડિયા મારફત અપાતી અનધિકૃત ખબરો પર વિશ્વાસ કરે, તે જરૃરી હોય છે. કુંભમેળામાં પહોંચી ચૂકેલા અને સ્નાન ઘાટો તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓ પોતાના સગા-સંબંધીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને ટેલિવિઝન ચેનલોમાં આવતા સમાચારોની સતત માહિતી મેળવતા રહે, તે પણ અત્યંત જરૃરી છે. આવુ કરવાથી જે લોકો કુંભમેળામાં પહોંચી ગયા છે, તેને સાચી માહિતી મળતી રહેશે અને તેઓના સગા-સંબંધી-પરિવારજનોની ચિંતા પણ ઓછી થશે. એટલું જ નહીં, દેશભરમાં અફવાઓ ફેલાતી પણ અટકશે.
આજે અખાડા પરિષદે આ મુદ્દે તદ્ન હકારાત્મક અને સંજોગોને અનુરૃપ સંયમ દાખવ્યો અને શોભાયાત્રા કે તામ-જામ વિના સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ બપોર પછી અમૃતસ્નાન કરાશે, તેવી જે જાહેરાત કરી, તે પછી પ્રયાગરાજ મહાકુંભના સ્થળે ભીડની વ્યવસ્થા જાળવવાની દિશામાં તંત્રોને થોડી સુગમતા થઈ, આમ છતાં આજે મોડીરાતની ઘટના પછી હવે પછીના દિવસોમાં આ વ્યવસ્થાઓની પુનઃ સમીક્ષા કરીને સુધારા-વધારા કરવાની તજવીજ થાય, તે પણ જરૃરી છે.
મહાકુંભની મુલાકાતે ગયેલા શ્રદ્ધાળુઓ પણ ત્યાં થયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરતા સંભળાય છે, અને સ્થિતિ કંટ્રોલમાં હોવાના અહેવાલો વચ્ચે વ્યવસ્થાઓમાં જરૃરી ફેરફારો થઈ રહ્યા છે, અને લોકો (શ્રદ્ધાળુઓ) પણ સહયોગ આપી રહ્યા છે, તેથી મહાકુંભમાં જવા નીકળેલા અને હવે પછી જવાના હોય તેઓને પણ રાહત થઈ હશે.
એવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે કે કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વગેરે વીઆઈપી અને વીવીઆઈપી લોકો પણ પરિવારો સાથે ગંગાસ્નાન માટે આવી રહ્યા છે, તેઓ માટે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે તેથી સંગમઘાટ નજીકના કોઈ ઘાટ પર તેઓને પણ ડાયવર્ટ કરવા જોઈએ, અને લોકોને માત્ર સંગમઘાટ તરફ જ ધસારો કરતા અટકાવવાની શરૃઆત વીવીઆઈપી મહાનુભાવોથી જ થવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સાથે કેટલાક વી.આઈ.પી. મહાનુભાવો અન્ય ઘાટ પર સ્નાન કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે.
પ્રયાગરાજ મહાકુંભના આયોજન અને આ પહેલા થયેલી ભાગદોડની કરૃણાંતિકાઓને સાંકળીને શાસન-પ્રશાસને કેટલાક બોધપાઠ લેવાની પણ જરૃર છે. આ પ્રકારના દાયકાઓ કે સદી-દોઢ સદી પછી આવતા ધાર્મિક પ્રસંગોમાં હવે ટ્રાન્સપોર્ટેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા-વધારા સાથે મળતી આધુનિક સુવિધાઓના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યાનું અનુમાન કરવામાં થાપ ખાઈ જવાય, તો પણ તે મોટી અવ્યવસ્થા, અસુરક્ષા કે ભાગદોડનું કારણ બની શકે છે. આથી પ્રયાગરાજમાં જે લોકો છે, તેઓ જે ઘાટ નજીક હોય ત્યાં સ્નાન કરીને તરત જ પરત આવી જાય, તેવી સૂચના તથા કોઈપણ ઘાટ પર સ્નાન કરશે, તો પણ મહાકુંભનું પૂરેપૂરૃં પુણ્ય મળશે, તેવી સમજણ અપાઈ રહી છે, તેથી હવે આ પ્રકારની ભાગદોડ નહીં સર્જાય, તેવી આશા રાખીએ... હર હર ગંગે... હર હર મહાદેવ હર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરી અને જામનગરમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન એરફોર્સના શક્તિ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે જામનગર જિલ્લાના પીરોટન, ચાકડી, જિંદડા અને સેજા જેવા ટાપુઓ પર ભારત આઝાદ થયા પછી સર્વપ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવાયું અને ધ્વજવંદન સાથે તિરંગો લહેરાયો, તેથી આ વખતે હાલાર માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ બેવડાયો હતો અને જાણે કે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના એરપોર્ટ નજીક યોજાયેલા વિશેષ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતાં. હાલારમાં ઠેર-ઠેર પ્રજાસાત્તક પર્વની ગરિમામય ઉજવણીથી દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક પર્વ આન-બાન અને શાનથી ઉજવાઈ ગયું. આ વખતે દુર્લભ મહાકુંભ પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે, જેથી ધર્મ-આધ્યાત્મ અને દેશભક્તિનો અદ્ભુત ત્રિરંગો સંગમ પણ સર્જાયો હતો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાઈ રહેલો ત્રિપાંખિયો જંગ પણ રાજનીતિની તિરંગી તસ્વીર ઊભી કરી રહ્યો છે. આજે તમામ મુખ્ય રાજકીય પક્ષોના દિગ્ગજો દિલ્હીના મતદારોને રિઝવવા શ્રેણીબદ્ધ રેલીઓ, રોડ-શો ને ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે ડો. આંબેડકરના જન્મસ્થળ મઉમાં કાર્યક્રમ યોજીને વ્યૂહાત્મક રણનીતિ અખત્યાર કરી છે, જેની સીધી અસરો દિલ્હીની ચૂંટણીના પ્રચારને પણ થઈ જ હશે ને?
બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડશે, તેવી આગાહી કરી છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી વધી હોવાના અહેવાલો છે, તો આજે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-ર૦ ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી રાજકોટમાં સર્વત્ર ક્રિકેટ ફીવર છવાયો હોય તેમ ક્રિકેટ રસિયાઓમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. જો આજે સાંજે ભારતની ટીમ જીતી જાય તો પાંચ ટી-ર૦ ની શ્રેણીમાં ભારત શ્રેણીનો વિજય પણ મેળવી શકે છે, કારણ કે આ પહેલાની બન્ને ટી-ર૦ મેચો ભારતે જીતી લીધી હતી. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ટી-ર૦ ને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જામનગર અને રાજકોટથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધવા જઈ રહ્યા છે, અને તમામ ટ્રેનો હાઉસફૂલ થયા પછી એસ.ટી. દ્વારા વોલ્વો બસોની જે વ્યવસ્થા થઈ છે, તે અમદાવાદથી જ શરૂ થઈ છે, જેને વિસ્તારીને દરેક જિલ્લા મથકે તથા યાત્રાધામો-મોટા શહેરોમાંથી પણ શરૂ થાય, તો હજુુુુુુુુુુુુુુુુુુ ટ્રાફિક વધે તેમ છે, અને ત્યાં પહોંચ્યા પછી કેવી સગવડો હોય છે, તથા પગપાળા કેટલું ચાલવું પડે તેમ છે, તેની વિસ્તૃત માહિતી જો રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા માહિતી ખાતા મારફત પ્રેસ-મીડિયાના માધ્યમથી અપાશે, તો આ અલભ્ય અવસરે હજુ પણ મહાકુંભ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ખૂબ જ ઉપયોગી થશે, તેવા જન-પ્રતિભાવો આવી રહ્યા છે.
શ્રદ્ધાળુઓ માટે એક બીજા સારા સમાચાર પણ આવ્યા છે. અહેવાલો મુજબ ચીન અને ભારત વચ્ચે સમજુતિ પુનઃ અમલી બનતા ટૂંક સમયમાં એટલે કે ઉનાળામાં માનસરોવરની યાત્રા શરૂ થશે. ભારતના વિદેશ સચિવે ભારતના પ્રજાસત્તાક પર્વે જ આ અંગે ચીનની મુલાકાત લીધા પછી આ પ્રકારના સંકેતો આપ્યા હતાં અને હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. અહેવાલો મુજબ વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરવાની સાથે સાથે બન્ને દેશોમાંથી વહેતી બ્રહ્મપુત્રા સહિતની નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવી હોવાની જાણકારી આપી છે, જે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તે ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈસેવા સુદૃઢ બનાવવા માટે પણ સૈદ્ધાંતિક સહમતી સધાઈ હોવાના અહેવાલો ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઘટી રહી હોવાના સંકેતો આપે છે. કૈલાસ માનસરોવર યાત્રા પુનઃ શરૂ થશે, તેવા અહેવાલોએ ભારતીય પ્રવાસીઓ જ નહીં, દુનિયાભરના શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ ચીને એ.આઈ. ક્ષેત્રે મોટો ધડાકો કર્યો છે. સસ્તુ એ.આઈ. (ડીપસીક) એન્જિન રજૂ કરતા ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને શેરબજારોમાં કડાકો બોલ્યો છે. ચીનના સ્ટાર્ટઅપ ડીપસીકે બાવન કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે લર્નીંગ એ.આઈ. એન્જિન લોન્ચ કરતા વૈશ્વિક શેરબજારોમાં નવો ભૂકંપ આવ્યો હોય, તેવી વિપરીત અસરો થઈ હતી. જેનાથી ભારતીય શેરબજાર પણ અલિપ્ત રહી શક્યું નહોતું, જો કે સોશ્યલ મીડિયામાં એવી કોમેન્ટો પણ થઈ રહી છે કે ચીનની સસ્તી વસ્તુઓ તકલાદી નિવડતી હોવાથી તેને વિશ્વસનિય ગણી શકાય નહીં. બીજી તરફ આ અહેવાલો પછી અમેરિકન એ.આઈ. સેક્ટરને ઝટકો લાગ્યો હોવા છતાં ટૂંક સમયમાં આ સેક્ટર રિકવર થઈ જશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
ટૂંકમાં કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાના પોઝિટિવ તથા સસ્તા ડીપસીક એ.આઈ. એન્જિ નેગેટીવ અહેવાલોના કારણે ચીન અત્યારે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ભારતીય શેરબજાર તો હવે દરિયાઈ ભરતી-ઓટ જેવું બની ગયું છે, અને વૈશ્વિક પ્રવાહોની અસરો, સ્થાનિક પરિબળો તથા રાષ્ટ્રીય તથા રાજકીય પ્રવાહો ઉપરાંત ઋતુચક્ર અને દેશભરમાં ચાલતી બહુવિધ પ્રવૃત્તિઓની અસરો શેરબજાર પર પડતી હોય છે, તેથી ચીનમાં આ ધડાકાની અસરો લાંબો સમય નહીં રહે અને ટૂંક સમયમાં જ માર્કેટ રિકવરી મેળવી લેશે તેવા આશાવાદ વચ્ચે ઋતુપરિવર્તન સાથે દિલ્હીમાં સત્તા પરિવર્તન થશે કે કેજરીવાલને વધુ એક વખત જનાદેશ મળશે? તેવા સવાલો સાથેની ગરમાગરમ રાજકીય ચર્ચાઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવી રહી છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, અને આઝાદીના ૭પ વર્ષ પૂરાં થતા ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના ગૌરવ સાથે આપણા દેશમાં જાણે નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મ ધર્મ અથવા એમ પણ કહી શકાય કે, કર્તવ્ય, ભક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.
વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો..., અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન સંભાળી લીધુ અને રાજધર્મનું પાલન કર્યુ. રાજધર્મ એટલે કોઈપણ ભેદભાવ વગર દેશ અને દેશવાસીઓ માટે પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી શાસન ચલાવવું, એવો સાર પણ કાઢી શકાય.
પ્રયાગરાજમાં દર ૧૪૪ વર્ષે આવતો મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં આગામી મહાશિવરાત્રિ સુધી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ ગંગા મૈયા, યમુનાજી અને સરસ્વતીજીના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને પુણ્ય કમાવા આવી રહ્યાં છે. કરોડો દેવી-દેવતાઓ અને ભગવાનના વિવિધ સ્વરૂપો તથા અનેક સંપ્રદાયોને સમાવતા સનાતન હિન્દુધર્મનો આ મહાકુંભ આધ્યાત્મ અને આત્મકથાનું દુર્લભ પર્વ છે. ગુજરાતમાંથી પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોમાં બુકીંગ થઈ ગયું છે, ત્યારે ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે સસ્તા ભાડામાં પ્રયાગરાજની યાત્રા માટે વોલ્વો બસોનું જે આયોજન જાહેર કર્યુ છે, તેમાં પણ વધારો કરવો પડશે અને દરરોજની એક બસ પૂરી નહીં પડે, તેમ જણાય છે. જો કે, આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતનું એસ.ટી. કોર્પોરેશન ભવિષ્યમાં પણ જુદા-જુદા મોટા પ્રસંગોમાં આંતરરાજ્ય ટૂર પેકેજનું પ્રવાસન નિગમ સાથે મળીને આયોજન કરશે, અને તેના કારણે રાજ્યના આંતરરાજ્ય પ્રવાસન (ટુરીઝમ) ને વેગ મળશે અને રાજ્યના પ્રવાસીઓ, યાત્રિકોને પણ ઘર આંગણેથી સુવિધા મળી રહેશે. પ્રયાગરાજ જવા માટે જો એસ.ટી. દ્વારા રિટર્ન બુકીંગ આધારિત બસો પ્રત્યેક જિલ્લા મથકેથી પણ અર્ધ સાપ્તાહિક કે દૈનિક ધોરણે શરૂ કરશે, તો મહાકુંભ ચાલે છે, ત્યાં સુધી તેમાં પણ ભરપૂર ટ્રાફિક મળી રહે, તેવી સંભાવના છે.
આવતીકાલે નાગરિક ધર્મ બજાવવાનું પર્વ પણ છે. આપણો દેશ વર્ષ-૧૯૪૭ માં આઝાદ ગયો, અને લોકોના હાથમાં વાસ્તવિક સત્તા ભલે વર્ષ-૧૯પર ની પ્રથમ સંસદીય ચૂંટણીઓ પછી આવી હોય, પરંતુ વિધિવત રીતે લેખિત બંધારણ સ્વીકારીને ભારત જે રિપબ્લિક નેશન એટલે કે, પ્રજાસત્તાક રાષ્ટ્ર વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીના દિવસે જ જાહેર કરી દેવાયું હતું, તેથી ર૬મી જાન્યુઆરીથી સત્તા મળવાની સાથે-સાથે આપણા શિરે નાગરિક ધર્મ બજાવવાની જવાબદારી પણ આવી હતી. જે આજપર્યંત આપણે નિભાવતા રહ્યાં છીએ. આપણો દેશ આઝાદ થયો, ત્યારથી આજ સુધી અનેક આફતો આવી, યુદ્ધો થયા, કુદરતી આફતો તથા કૃત્રિમ મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ તથા હિંસક તોફાનોથી લઈને આંતકવાદી હૂમલાઓ સુધીના પડકારો આવ્યા. લોકતાંત્રિક ઢબે સત્તા પરિવર્તનો થયા, મહામારીઓ, મંદી અને મોંઘવારીની વિષમ સ્થિતિમાં સર્જાઈ અને ઘણાં વૈશ્વિક અને આંતરિક દબાણોનો સામનો કરવો પડ્યો, તેમ છતાં આપણો દેશ એક ગૌરવપૂર્ણ મોટી લોકતાંત્રિક સાર્વભૌત્વ સત્તા તરીકે દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે, અને આજે આખી દુનિયા ભારતીય પ્રાચીન વારસા તથા સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે, તેમાં આપણા આ અનોખા ત્રિવેણી સંગમનો સિંહફાળો છે. નાગરિક ધર્મ, રાજધર્મ અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ સમુ આ પર્વ પણ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવાનું છે.
પ્રજાસત્તાક પર્વને આપણે ગણતંત્ર દિવસ અને રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે આ ઉજવણી દર વર્ષે થાય છે. આપણો દેશ પ્રજાસત્તાક જાહેર થયો ત્યારે પણ ઘણાં પડકારો હતાં અને આજે પણ બદલતા વૈશ્વિક પ્રવાહો, બદલતી આબોહવા અને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સુધીની અદ્યતન ટેકનોલોજીના યુગમાં નવા પડકારો ઊભા થતા રહે છે, તેમ છતાં ભારત આજે વિશ્વમાં સૌથી મોટો સફળ લોકતંત્ર, મજબૂત અર્થતંત્ર અને વિરાટ જનસંખ્યા છતાં વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ જવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, તેમાં આઝાદી પછીની તમામ સરકારો તથા દેશની પરિપકવ જનતાના સક્રિય યોગદાનનો સિંહફાળો છે.
આ ગૌરવ લેવાની સાથે-સાથે આપણે થોડું આત્મમંથન કરવાની જરૂર પણ છે. એક નાગરિક તરીકેના પૂરેપૂરા કર્તવ્યો આપણે બજાવી રહ્યાં છીએ ખરા...! આઝાદીકાળમાં જે પ્રકારની દેશભક્તિની ભાવનાઓ હતી અને દેશ માટે કૂરબાન થઈ જવાની તાલાવેલી પ્રત્યેક ભારતીયોને હતી, તે આપણી અને આવનારી પેઢીઓને યાદ રહેશે ખરી...? આપણે દેશ પ્રત્યેની કર્તવ્યભાવનાઓ વિસરી તો ગયા નથી ને...? આપણા સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશને કોઈ નવા સ્વરૂપના છર્ર્દ્મવેશી આક્રાંતાઓ ફરીથી લૂંટવા અને પરોક્ષ રીતે ગુલામ બનાવવાના પ્રયાસો તો કરી રહ્યાં નથી ને...?
નવા માર્કેટીંગ યુગમાં આપણાં મૂલ્યો અને સિદ્ધાંતોના પણ મુલ-ભાવ થઈ રહ્યાં નથી ને...? તેવા પ્રશ્નોના જવાબ (સાચા) શોધવાની જરૂર નથી લાગતી...?
આજે મતદાતા જાગૃતિ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, આખી દુનિયા આપણાં દેશના મહાકુંભમાં ડુબકી લગાવતા કરોડો લોકોને આશ્ચર્યાચકિત થઈને નિહાળી રહી છે. દુનિયાભરના વિચારકો અને વિશ્લેષકો આપણાં દેશની તંદુરસ્ત લોકશાહી અને પ્રાચીન સભ્યતાથી લઈને અર્વાચીન ભારતની ઉપસ્થિતિઓના ગુણગાન ગાઈ રહ્યાં છે, અને ખૂબીઓની સાથે-સાથે આપણાં દેશમાં પ્રવર્તતી કેટલીક કૂપ્રથાઓ તથા અંધશ્રદ્ધાનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે કેટલીક "ઊણપો" ને હટાવીને દેશને ફરીથી આપણા ભવ્ય ભારતીય વારસાને અનુરૂપ પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ લેવો પડશે.
લોકતંત્રના પર્વ સમી દિલ્હીની ચૂંટણીઓએ જેવી રીતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાની જેમ જ આપણે લોકતંત્રના મહાપર્વમાં ડૂબકી લગાવવા માટે જ્યારે-જ્યારે ચૂંટણી આવે ત્યારે-ત્યારે મતદાન કરવાનું ભૂલી ન જઈએ, આજે મતદાન જાગૃતિનો સંદેશ પણ ફેલાવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોઈપણ દેશમાં સતત ત્રણ વર્ષથી એક પણ કેસ ન નોંધાયો હોય,તેને મેલેરિયમુક્ત દેશ જાહેર કરવામાં આવે છે. ગઈકાલે ડબલ્યુએચઓએ મેલેરિયામુક્ત જાહેર કરેલો જોર્જિયા વિશ્વનો ૪પ મો અુછલ દેશ બન્યો છે, જેને આ સર્ટીફિકેટ મળ્યું હોય.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્યમંત્રી જીનીવાથી જાહેર થયેલા અહેવાલો મુજબ જ્યોર્જિયામાં મેલેરિયા નાબૂદીની ઝુંબેશ વર્ષ ૧૯૦૦ થી ચાલતી હતી. જે ત્રણ પ્રકારના મેલેરિયાના વાયરસ જ્યોર્જિયામાં ફેલાયેલા હતાં, તે જ વયરસ આજે ભારતમાં ફેલાયેલા છે. ભારતમાં પણ મેલેરિયા નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે. ભારતમાં મેલેરિયા નાબૂદ તો હજુ થઈ શક્યો નથી, પરંતુ તેમાં ઘટાડો થઈ રહ્યો હોવાના આંકડા બહાર આવ્યા છે.
સરકારી આંકડાઓ મુજબ આઝાદીના સમયગાળામાં ભારતમાં સાડાસાત કરોડ જેટલા મેલેરિયાના વાર્ષિક કેસ નોંધાયા હતાં, તે હવે ર૦ લાખ થઈ ગયા છે, અને ગુજરાતમાં દસેક વર્ષ પહેલા ૧૧.૭૦ લાખ હતાં, તે વર્ષ ર૦ર૩ માં ઘટીને સવાબે લાખ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૬૩૩ કેસો નોંધાયા છે. ભારતના પડોશી દેશ માલદીવ્ઝ, શ્રીલંકા, ચીન ઉપરાંત સિંગાપુર, મોરોક્કો, યુ.એ.ઈ. ઈટાલી, ઓસ્ટ્રેલિયા સહિત ૪પ દેશો મેલેરિયામુક્ત જાહેર થયા છે. ભારતે પણ વર્ષ ર૦૩૦ સુધીમાં મેલેરિયા મુક્તિનું સર્ટીફિકેટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે ભારતમાં જો વર્ષ ર૦ર૭, ર૦ર૮ અને વર્ષ ર૦ર૯ માં મેલેરિયાનો એક પણ કેસ ન નોંધાય તો વર્ષ ર૦૩૦ માં વિશ્વઆરોગ્ય સંસ્થા આ પ્રકારનું પ્રમાણપત્ર આપે, અને ભારત પણ મેલેરિયામુક્ત જાહેર થઈ શકે, જો કે આ લક્ષ્ય એકલી સરકાર કે તેના તંત્રો પૂરા કરી શકે તેમ નથી, અને તેમાં પ્રચંડ જનસહયોગ, જનજાગૃતિ અને ખાસ કરીને લોજેસ્ટિક સપોર્ટની જરૃર પડે, અને તે માટે પ્રત્યેક ભારતીય નાગરિકો તથા વિદેશથી અવરજવર કરતા કે પ્રવાસે આવતા હોય, તેવા તમામ લોકોએ કારોનાફેઈમ જાગૃતિ રાખવી પડે, ખરૃં ને?
મેલેરિયા, ડેન્ગ્યૂ વગેરે મચ્છરજન્ય રોગોથી મુક્તિ મેળવ્યા પહેલા તો મચ્છર નાબૂદી થવી જઈએ, અને મચ્છર નાબૂદી માટે માત્ર ગંદકી નાબૂદી જ નહીં, પરંતુ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા મચ્છરોથી બચવાના ઉપાયો પણ ખૂબજ ગંભીરતાથી કરવા જ પડે. પંચાયત, પાલિકા કે મહાપાલિકા દ્વારા ફોગીંગ થાય કે ઘેર-ઘેર દવા છંટકાવ થાય, તેની રાહ જોવાના બદલે આપણે ઘર, દુકાન, ઓફિસ, સંકુલ, ફાર્મ કે ફેક્ટરીમાં એક પણ મચ્છર ન રહે, તેવા ઉપાયો આપણે બધાએ જ કરવા પડે ને?
જામનગર હોય કે યાત્રાધામ દ્વારકા હોય, સમગ્ર હાલારમાં મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે તમને ધોળે દિવસે પણ મચ્છરોનો ગણગણાટ સાંભળવા મળે અને હવે તો ઘરમા જ નહીં, વાહનો તથા ઘણી સરકારી કચેરીઓમાં પણ મચ્છરો ડંખ મારી જતા અનુભવાય, પરંતુ આપણે આ બધી રોજીંદી સમસ્યાઓથી એટલા ટેવાઈ ગયા છીએ કે તેને ગંભીરતાથી વિચારતા જ નથી, અને તેથી જ મચ્છરજન્ય બીમારીઓ વધી રહી હોય તેમ નથી લાગતું?
એવું નથી લાગતું કે 'મચ્છરમુક્ત હાલાર'ની ઝુંબેશ સમગ્ર હાલારમાં શરૃ થવી જોઈએ, અને તેનો હાલારવ્યાપી પ્રારંભ સંસદીય કક્ષાના જનપ્રતિનિધિઓ કરાવે અને તેમાં બન્ને જિલ્લાના કલેક્ટરોના નેતૃત્વમાં તમામ સરકારી-અર્ધસરકારી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા એનજીઓઝ જોડાય. એટલું જ નહીં, તાલુકા-જિલ્લાવાર સતત આ પ્રકારની ઝુંબેશ ચાલતી રહે અને તેનો તબક્કાવાર પ્રારંભ રાજ્ય-જિલ્લા-તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય નેતાઓ, કાર્યકરોને સાંકળીને થાય તો? મચ્છર નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે આવી ઝુંબેશ ચલાવી જ શકાય, અને તેમાં શાસક પણ-વિપક્ષો તથા હેલ્થ સેક્ટરના આગેવાનો, સંસ્થાઓ, હોસ્પિટલો, તબીબો અને બુદ્ધિજીવીઓ જોડાતા રહે, તો જ વર્ષ ર૦ર૭ સુધીના રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્ય સાથે હાલાર કદમ મિલાવી શકશે. ખરૃં કે નહીં? જાગો...જનતા...જાગો... તંત્રો-નેતાઓ ઢંઢોળો... જાગ્યા ત્યારથી સવાર...
આપણે મચ્છરમુક્ત હાલારની ઝુંબેશ ઉપાડશું, અને તેમાં સફળ થઈશું તો તેના ઘણાં જ 'સાઈડ બેનિફિટ્સ' થવાના છે. આ કારણે જાહેર આરોગ્ય તો સુધરશે જ, પરંતુ તેની સાથે સાથે લોકોની કાર્યક્ષમતા સુધરતા એકંદરે આર્થિક રીતે લાંબાગાળાના ફાયદા પણ થશે.
જામનગરની એક ટાઉનશીપના ગ્રુપે સોશ્યલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો, જે ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલાને ઘેરીને રખડુ કૂતરાઓએ પજવણી કરી, જેની સામે રક્ષણ મેળવવા લાચાર મહિલાએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ અંતે પડી ગઈ અને એ ખતરનાક કૂતરાઓ તેને ઢસડીને એક શેરીમાં લઈ ગયા. વહેલી સવારની ઘટના હોય, તેવો જણાતો આ વીડિયો જામનગરમાં ખતરનાક રખડુ શ્વાનની સમસ્યાને ઉજાગર તો કરે જ છે, પરંતુ તેમાં લોકોને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું થાય, તો લાકડી જેવી કાંઈક રક્ષણાત્મક વસ્તુ જરૃર સાથે રાખવી જોઈએ, તેવો બોધપાઠ પણ આપે છે.
જામનગરને શ્વાનથી મુક્ત કરવાની ઝુંબેશ પણ જામનગર મહાનગરપાલિકાની કક્ષાએથી શરૃ કરવી જોઈએ, અને આ પ્રકારના રખડુ શ્વાનોને નગરના ગલી-મહોલ્લા અને માર્ગો પરથી હટાવીને કોઈ અલાયદા ડોગ હાઉસ (ઢોરના ડબ્બાની જેમ) માં જીવદયાના ધારાધોરણો મુજબ રાખવાની વ્યવસ્થા સુદૃઢ બનાવી જોઈએ, તેવી માંગણી ઊઠી રહી છે. મનપાના તંત્રો માત્ર ખસિકરણ કરીને કૂતરાઓની જનસંખ્યા નાથવાની કામગીરી વર્ણવીને છૂટી જાય છે અને રખડુ કૂતરાઓને રખડુ ઢોરની જેમ સ્થળાંતરિત કરવામાં અસમર્થતા બતાવાઈ રહી હોય, તો હવે પછી શું કરવાનું છે, તે જનતાએ જ વિચારવાનું છે, અને મોટાભાગે ચૂપકીદી સેવી રહેલા વિક્ષના નેતાઓએ પણ વિચારવાનું છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એવું લાગતું હતું કે, શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઠંડી ઘટી રહી છે, પરંતુ ફરીથી ઠંડી વધી અને નવી આગાહીઓ થઈ છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગરમાવો આવી જાય, તેવા આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે. એક તરફ ગેરકાયદે બાંધકામોને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રાફિકને અડચણરૂપ કામચલાઉ દબાણો પણ હટાવાઈ રહ્યા છે. આ સીલસીલો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. ઝુંબેશો ચાલે ત્યારે 'સાફસુફી' થાય અને થોડા મહિનાઓ (કે દિવસો) માં જ 'જૈસે થે' થઈ જાય. તેથી એવું કહી શકાય કે કાં તો આ બધી કવાયત માત્ર ડ્રામેબાજી છે, અથવા તો તંત્ર અને સ્થાનિક શાસકોની કોઈ 'મજબુરી' હશે, જેથી જે-તે સમયે ફરી ફરીને કાયમી અને હંગામી દબાણોનો સીલસીલો ચાલતો રહ્યો છે, ખરૃં ને?
રાજકીય ક્ષેત્રોમાં પણ એકબીજાની રાજકીય ભૂમિ છીનવવાના, પચાવી પાડવાના તથા હવે તો ત્યાં પણ 'ગેરકાયદે દબાણો'સર્જવાના ઘટનાક્રમો સર્જાવા લાગ્યા છે. ભારતીય જનતા પક્ષને જબરદસ્ત જનાદેશ મળ્યા પછી હવે ત્યાં મૂળ વફાદાર નેતાઓ-કાર્યકરોની જમીન પક્ષ પલટો કરીને નવા આવેલા નેતાઓ-કાર્યકરો છીનવી રહ્યા હોવાની અનુભૂતિ પ્રગટી રહી હોય તેમ કેટલાક જિલ્લાઓમાં છૂપો અસંતોષ પ્રસરી રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં ફૂંફાડા પણ મારી રહ્યો છે.
એવી ટીકા થવા લાગી છે કે ભાજપના આયાતી નેતાઓએ પોત-પોતાના વિસ્તારોમાં રાજકીય ભૂમિ (વર્ચસ્વ) વધારવા પક્ષના મૂળ વફાદાર સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓને સાઈડમાં ધકેલવાના પ્રયાસો શરૂ કર્યા, અને તેના કારણે ઉભય પક્ષોથી થતા તેજાબી નિવેદનોના કારણે શિસ્તબદ્ધ પાર્ટીની આબરૂના ધજાગરા ઊડી જાય, તેવા ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તેનો તોડ કાઢવામાં પ્રદેશની નેતાગીરી કદાચ ટૂંકી પડી રહી છે. એવું કહેવાય છે કે, હમણાંથી અમિતભાઈ શાહની ગુજરાતની મુલાકાતો વધી રહી છે, તેની પાછળ પણ ભાજપમાં પ્રવેશી ગયેલી યાદવાસ્થળી (આંતરવિગ્રહ) જ જવાબદાર છે. વિશ્લેષકો ટીકા કરી રહ્યા છે કે ભાજપે ચૂંટણી ટાણે કરેલા 'ભરતીમેળાઓ'નું આ ભુંડુ પરિણામ છે.!
જો કે, નિર્જન અને વસ્તી ધરાવતા ટાપુઓ પરથી દબાણો હટાવાયા અને ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, તેને આમ જનતામાંથી આવકાર મળી રહ્યો છે. હવે એવી માંગણી પણ ઊઠી રહી છે કે જ્યાં અવર-જવર પર પણ પ્રતિબંધ હોય અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદોની દૃષ્ટિએ સંવેદનશીલ હોય, તેવા ટાપુઓ પર મોટા પાયે દબાણો કેમ થઈ ગયા? તેની ઊંડી તપાસ કરીને જો તંત્રના પરિબળો કે રાજકીય પરિબળોની સંડોવણી જણાય, તો તેની સામે પણ હિચકિચાટ વગર કડક કદમ ઊઠાવવા જોઈએ, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની સલામતિ સાથે સંકળાયેલો હોવાથી તેમાં બાંધછોડ કરવી એ રાષ્ટ્રદ્રોહ જ ગણાય, ખરૃં ને?
જેવી રીતે ખરાબાની સરકારી, ગૌચરની જમીનો પરના દબાણો હટાવાઈ રહ્યા છે, તેવી જ રીતે 'રાજકીય ભૂમિ' પર થયેલા 'દબાણો' હટાવા પણ કદાચ હાઈકમાન્ડ દ્વારા 'ડ્રાઈવ' યોજાય, અને ટોપ ટુ બોટમ ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
બીજી તરફ એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ઈરાદાપૂર્વક ધીમી ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે, જેથી નણાની ખેંચ અનુભવતા ખેડૂતોએ ના છૂટકે બજારભાવે મગફળી વેચવી પડી રહી છે. આ પ્રકારની આક્ષેપબાજી પછી અમરેલી વિસ્તારમાં ભાજપમાં ભડકો થયો હોય તેમ જણાય છે.
ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા ગુજકોમાસોલ દ્વારા થતી મગફળી ખરીદીમાં 'મલ્લાઈ' કોણ ખાઈ ગયું? તેવા સવાલો ઊઠાવાયા અને ગુજકોમાસોલના સર્વેસર્વા અને પી.એમ. સુધીની પહોંચ ધરાવતા ભાજપના દિગ્ગજ નેતા દ્વરા માનહાનિનો દાવો કરવાની ચીમકી અપાઈ, તે પ્રકરણના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. તેથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની કક્ષાએ કાંઈક નવાજુની થાય, કે ધરખમ ફેરફારો થાય, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ વહેતી નદીમાં હાથ પલાળીને ડાંગર સહિતની ખરીદીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર તથા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિરીતિના આક્ષેપો કર્યા, જો કે આ બધી હુંસાતુંસીથી હાલાર અલિપ્ત થઈ રહ્યું હોય, તેમ જણાય છે. બાકી આંતરિક કે ગુપ્ત રીતે કાંઈ હલચલ થતી હોય તો ભગવાન જાણે!
જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતી ગુજરીબજારો કાયમી ધોરણે નદીના પટમાં યોજવા દેવાનો ઠરાવ કરાયો તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ નિર્ણયના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને બજારો ચોખ્ખી રહેશે. તેનેઆવકાર મળી રહ્યો છે, પરંતુ કાયમી ધોરણે નદીના પટમા ગુજરીબજાર ભરાય, તો તેની સંભવિત આડઅસરો હંગામી કે કાયમી દબાણોની શક્યતા, વર્ષાઋતુ, માવઠું કે પૂર જેવી સ્થિતિમાં વિકલ્પ અને ખાસ કરીને નદીના પટમાં કાયમી ગંદકી ન ફેલાય, તથા પર્યાવરણીય સુરક્ષા જળવાય, તેની તકેદારી વગેરે અંગે પણ અત્યારથી જ વિચારી લેવું પડે... આમાં 'હોતી હૈ, ચલતી હૈ...' નહીં ચાલે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી, જેની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી હતી. આ ચૂંટણીઓમાં રસાકસી થશે, ત્રિપાંખિયો જંગ થશે કે એકતરફ હશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ટાણે જ ચૂંટણીઓ જાહેર થઈ, તેને સાંકળીને પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે, અને તેના સંદર્ભે ચોખવટો પણ થઈ રહી છે.
પ્રારંભિક પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર અને ભેદભાવનો દબદબો છે, અને ભ્રષ્ટ ભોરીંગોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રભાવિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તાએ એક ડિબેટીંગ દરમિયાન કહ્યું કે રાજ્યમાં ઘણી નગરપાલિકાઓની તિજોરીના તળિયા દેખાઈ ગયા છે, અને વીજબીલ ભરવાના નાણા નથી, તો ક્યાંક ક્યાંક તો કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે. હાલારની જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, સલાયા, ભાણવડ, દ્વારકા વગેરે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આ વખતે ત્રિપાંખિયો જંગ જામી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને અન્ય હોદ્દેદારો આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારોને ઉતારીને જોરદાર પ્રચાર કરશે, તો ત્રિપાંખિયો જંગ જામશે, જેથી ભાજપ માટે પણ આ વખતે કપરા ચઢાણ હશે, તેવા તારણો નીકળી રહ્યા છે.
ધાનેરા સહિત કેટલીક નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતાં વિવાદનો વંટોળ ઊઠ્યો છે, અને ભાજપ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને પ્રભાવિત કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, અને આ પ્રશ્ને રાજ્ય ચૂંટણી પંચ તરફથી અપાઈ રહેલા કથિત જવાબની ચર્ચા પણ પ્રેસ-મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે.
બીજી તરફ કોંગ્રેસ આ વખતે પૂરી તાકાતથી ચૂંટણીજંગ લડશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, અને ભાજપ શાસિત નગરપાલિકાઓના વહીવટથી કંટાળેલા મતદારો આ વખતે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે અને મોટાભાગની નગરપાલિકાઓ કોંગ્રેસ જીતશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જો કે આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ જેવો રણકાર હજુ સંભળાઈ રહ્યો નથી, પરંતુ ગુપચુપ તૈયારીઓ થઈ રહી હશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ તથા નેતાઓ પણ છાતી ઠોકીને દાવો કરી રહ્યા છે કે વિકાસની રાજનીતિ તથા મોદી-પટેલના ડબલ નેતૃત્વને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને કોંગ્રેસના વાવટા વિંટાઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ર૬ ટકા અનામતનો ઉલ્લેખ કરીને ભાજપના નેતાઓ-પ્રવક્તાઓ ફરીથી પ્રચંડ જીતનો દાવો કરી રહ્યા છે, તો એ જ મુદ્દો આ વખતે વિપક્ષોને ફાયદો કરાવશે અને કોંગ્રેસ-આમ આમ આદમી પાર્ટીને ભાજપ શાસિત પંચાયત-પાલિકાઓમાં એન્ટી ઈન્કમ્બન્સી એટલે કે પ્રજાના અસંતોષનો પણ ફાયદો મળશે, તેવા તારણો નીકળી રહ્યા છે, તો તટસ્થ વિશ્લેષણો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
હાલારની નગરપાલિકાઓની વાત કરીએ તો હજુ કાંઈપણ કહેવું વહેલું ગણાશે. જામજોધપુરમાં તો આમ આદમી પાર્ટી માટે ઉજળી સંભાવનાઓ છે, પરંતુ કાલાવડ અને ધ્રોળમાં જો ત્રિપાંખિયો જંગ થાય, તો કોને ફાયદો થાય, તે અત્યારથી કહેવું મુશ્કેલ છે અને ઉમેદવારીપત્રો ભરાય, ત્યાર પછી જ સાચા તારણો નીકળી શકે તેમ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ માટે વિજય સરળ જણાતો હોવા છતાં આંતરિક ખેંચતાણ તથા એન્ટી ઈન્કમ્બન્સી ઉપરાંત તાજેતરની સમસ્યાઓ-અસંતોષનો ફાયદો વિપક્ષના ઉમેદવારોને પણ થઈ શકે છે. દ્વારકા અને ભાણવડ નગરપાલિકાઓની ચૂંટણીમાં કેવા સમિકરણો રચાય છે, અને કોને કોને ટિકિટ મળે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી કોંગ્રેસના એક પ્રવક્તાએ તો ચૂંટણી પંચનો આભાર માનતા કહ્યું કે કમ-સે-કમ હવે વહીવટદારોના કુશાસનમાંથી તો જનતાને મુક્તિ મળશે. જ્યાં જ્યાં વહીવટદારોનું શાસન છે, ત્યાં ત્યાં એકાદ અપવાદ સિવાય લોકો ત્રાસી ગયા છે. સલાયામાં પણ આ વખતે રસાકસી જામશે, તેવા આશાવાદ સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવવાની હોવાથી હાલારમાં હલચલ તેજ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની તો આ માટે તૈયારીઓ પહેલેથી જ હશે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણીઓમાં કેટલું જોર બતાવે છે, તે જોવાનું રસપ્રદ રહેવાનું છે.
જો કે, રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર હજારો ગ્રામ પંચાયતોને વહીવટદારોના કુશાસનમાંથી ક્યારે છોડાવશે, તેવા અણિયાળા સવાલો પણ ઊઠવા લાગ્યા છે. જ્યારે હજારો ગ્રામ પંચાયતોમાં લોકોનું પ્રતિનિધિત્વ જ ન હોય અને વહીવટદારો દ્વારા કામ ચલાવાતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોની મૂળભૂત સમસ્યાઓ, જરૂરિયાતો અને રજૂઆતોને વાચા મળે નહીં, અને અમલદારશાહીમાં જનતા અટવાયા અને અકળાયા કરે, લાંબા સમય સુધી હજારો ગ્રામ પંચાયતોને જનપ્રતિનિધિત્વ મળે નહીં, ત્યારે એવું પણ કહી શકાય કે ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન રોળાઈ ગયું છે, અને 'અસલ' ગાંધવાદીઓનું હવે કોઈ સાંભળનારા નથી, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિપદે શપથવિધિ સાથે જ નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે શ્રેણીબદ્ધ જાહેરાતો કરી તેમાં દક્ષિણ અમેરિકાની સરહદે કટોકટી જાહેર કરી, તથા મોંઘવારીને અંકુશમાં લેવાનો વાયદો કર્યો છે. તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે ફ્રન્ટફૂટથી બેટીંગ કરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવીને 'શાંતિદૂત'ની જેમ વિશ્વના યુદ્ધોને ખતમ કરવાના પ્રયાસો કરશે તેમ જણાય છે.
જ્યાં સુધી ભારતને લાગે-વળગે છે, ત્યાં સુધી ટ્રમ્પની નીતિ કેવી રહેશે, તેની ખબર હવે પછી તે કેવો અભિગમ દાખવે છે, તેના પરથી પડશે, પરંતુ આતંકવાદના વિરોધમાં તેની નીતિ ભારતીય નીતિને અનુરૂપ રહેશે તથા બીજા દેશોના યુદ્ધમાં વિનાકારણ કૂદી પડવાની એટલે કે જગતના જમાદાર થવાની અમેરિકન પોલિસીમાં બદલાવ આવશે, તેમ જણાય છે, અને તેથી જ ભારત-પાક-ચીનના વિવાદો ઠારીને ટ્રમ્પ હવે નવા જ વૈશ્વિક સમીકરણો ઊભા કરવા જઈ રહેલા જણાય છે.
બીજી ભારતને સીધી અસર થાય તેવી બાબત ટ્રમ્પે બ્રિક્સના દેશોને આપેલી ચેતવણીની છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને પડકાર કરતા કહ્યું છે કે અમેરિકા જેવા સાથે તેવાની નીતિ અપનાવશે અને જરૂર પડ્યે ૧૦૦ (સો) ટકા ટેરિફ લાદતા અચકાશે નહીં. એક તરફ ચીનની ટિકટોકને રાહતના સંકેતો આપ્યા તો બીજી તરફ અમેરિકન સામાન પર અન્ય દેશો જે રીતે કરવેરા લાદશે તે જ રીતે અમેરિકા પણ વર્તશે, તેવા મતલબની ચેતવણી તથા બ્રિક્સ સંગઠનને લઈને ટ્રમ્પનું વલણ ભારત માટે અમેરિકાની બદલાઈ રહેલી નીતિનો સંકેત હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
ભૂતકાળમાં એક વડાપ્રધાને ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે અને તેને સદંતર નિર્મૂળબ કરવો અઘરો છે, તે પ્રકારના નિવેદનો આપ્યા હતાં, તેવી જ રીતે ટ્રમ્પે મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરતા એવું કહી શકાય કે મોંઘવારી હવે કોઈ એક દેશની સમસ્યા રહી નથી, પરંતુ એક વૈશ્વિક સમસ્યા (ગ્લોબલ ઈશ્યુ) બની ગઈ છે. તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને આજે સામે આવી રહેલા વૈશ્વિક પ્રત્યાઘાતોમાં પણ મોંઘવારી અને ટેરિફના મુદ્દાઓ અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યા છે.
ઈમિગ્રેશન પોલિસીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નવા નિર્ણયો પણ ભારતીયોને સીધા સ્પર્શે તેવા છે, અને તેને લઈને વિશ્વ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. કોઈ કહે છે કે ટ્રમ્પની નવી નીતિઓ ભારતના લોકો કે અમેરિકન ભારતીયો કે ભારતીય અમેરિકનોને બહુ અસર કરશે નહીં. કેટલાક લોકો એવું પણ માને છે કે ટ્રમ્પ ભારતને લઈને ઈમિગ્રેશન પોલિસીમાં બહુ ફેરફાર કરશે નહીં, અને જો ફેરફાર કરશે, તો પણ તે ભારત કે ભારતીયોના હિતોને હાનિકર્તા નહી હોય, આગે આગે દેખતે હૈ... હોતા હૈ ક્યા?
અમેરિકાએ વિશ્વઆરોગ્ય સંસ્થા તથા ક્લાઈમેટ ચેઈન્જ એગ્રીમેન્ટને તિલાંજલિ આપવાનો જે નિર્ણય લીધો છે, તેની પણ વૈશ્વિક અસરો પડવાની છે. કોરોના દરમિયાન થયેલા અનુભવો તથા અમેરિકામાં ટ્રમ્પકાળ દરમિયાન વૈશ્વિક રોગચાળામાં થયેલી સામૂહિક જાનહાની પછી ટ્રમ્પનું વલણ જોતા એવું લાગતું જ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે જબરદસ્ત નારાજગી છે. આ કારણે જ કદાચ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાએ હટી જવાનું મન બનાવ્યું હશે.
ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત યુક્રેન-હમાસ વગેરે સામેના યુદ્ધોની સમાપ્તિ તથા ત્રીજા વિશ્વયુદ્ધ નિવારવાની કરી છે. આ બન્ને જાહેરાતો સાથે તેમણે વિશ્વશાંતિ માટે કામ કરવા અને બીજા દેશોના યુદ્ધોમાં કૂદી પડવા પર અંકુશ લાવવાના નિર્ણયો જાહેર કર્યા છે, તે ઘણાં જ સૂચક અને અમેરિકાની જગતના જમાદાર તરીકેની મૂળ પોલિસીની વિરૂદ્ધમાં હોય તેમ જણાય છે, જો કે કેટલાક નિર્ણયો વિરોધાભાષી જણાતા હોવાથી હવે પછી શું થાય છે અને સંજોગોને અનુકૂળ ટ્રમ્પ પોતાની નીતિઓ બદલે છે કે કેમ? તેના પર બધો આધાર રહેવાનો છે.
ટ્રમ્પે મોંઘવારીની સમસ્યા કબુલી છે, અને દક્ષિણ સરહદે ઈમરજન્સી ઘોષિત કરી છે, તેવી જ રીતે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરીને અમેરિકામાં ઊર્જાની સમસ્યા વધુ ઘેરી બની રહી હોવાની માન્યતાઓને પુષ્ટિ પણ આપી છે, અને વાસ્તવિક્તા સ્વીકારી છે, તેવા અભિપ્રાયો પણ બહાર આવી રહ્યા છે.
અત્યારે તો ભારતને લઈને ટ્રમ્પ કેવી નીતિ અપનાવશે, તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નહીં હોવાથી 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ ભારત અપનાવી રહ્યું હોય તેમ જણાય છે. ટ્રમ્પની શપથવિધિમાં મોદીને આમંત્રણ નહીં અપાયું હોવાના અહેવાલો તથા શપથવિધિ સંપન્ન થયા પછી ટ્રમ્પ સૌ પ્રથમ ભારત અને ચીનની મુલાકાત લેશે, તેવા અહેવાલોનો વિરોધાભાસ જોતા એમ જણાય છે કે ભારતે ટ્રમ્પના પહેલા કાર્યકાળ જેવી અપેક્ષાઓ રાખવાના બદલે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ જ અપનાવવી જોઈએ. આ વખતે ટ્રમ્પ ચૂંટણીમાં મજબૂતીથી જીત્યા હોવાથી હવે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવીને ફરી એક વખત 'ગ્રેઈટ અમેરિકા'ના સંકલનને દોહરાવી રહ્યા છે, તે ભારત માટે પણ ઘણું સૂચક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિલ્હીની વિધાનસભા માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગી નેતા રાહુલ ગાંધીએ 'વ્હાઈટ ટી-શર્ટ મૂવ મેન્ટ' શરૂ કરી છે, અને તેના પાંચ સૂત્રો પણ વર્ણવ્યા છે. આ અભિયમાનમાં મોટા પ્રમાણમાં યુવાનોને જોડીને કોંગ્રેસમાં દેશવ્યાપી જુસ્સો ભરવાની સાથે સાથે મોદી સરકાર સામે જનઆંદોલનના મંડાણ કરી દીધા હોય તેમ જણાય છે, બીજી તરફ ગુજરાતમાં આવતા અઠવાડિયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ જાય, તેવા અહેવાલો પછી તેના જે પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે પણ ઘણાં જ સૂચક અને રસપ્રદ છે, ખરૃં કે નહીં?
રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર અમીરોની તરફદારી અને ગરીબોની અવગણના કરવાનો આક્ષેપ લગાવ્યો છે, અને વ્હાઈટ ટી-શર્ટ અભિયાનના માધ્યમથી યુવાનોને જોડીને એવા લોકો માટે સમર્થન માંગ્યું છે, જેઓ દેશની સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોના સન્માન સાથે નિષ્પક્ષતાને મજબૂત કરવા મેદાને પડેલા હોય.
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લખ્યું છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ તો, 'આજે કેન્દ્ર સરકારે ગરીબો તથા મહેનતુ વર્ગોને અવગણ્યા છે, અને તેઓને તેમના હાલ પર છોડી દેવાયા છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્રે ગણ્યાગાંઠ્યા ધનવાનોને સમૃદ્ધ કરવા પર જ છે. આ કારણે અસમાનતા વધી રહી છે. પોતાના પરસેવાથી દેશને પોષણ આપનાર શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે, તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચાર સહન કરવા મજબૂર છે. તેવામાં આપણાં બધાની જવાબદારી બને છે કે તેમને ન્યાય અને અધિકારો અપાવવા માટે જોરદાર અવાજ ઊઠાવીએ. આ વિચારને ધ્યાનમાં રાખીને અમે 'વ્હાઈટ શર્ટ મૂવમેન્ટ' શરૂ કરી રહ્યા છીએ હું મારા યુવા અને શ્રમજીવી મિત્રોને આ ચળવળમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરૃં છું.
એક તરફ રાહુલ ગાંધીએ આ નવું અભિયાન આદરીને મોદી સરકાર, ભાજપ અને સંઘને લલકાર કર્યો છે, તો બીજી તરફ રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને પણ વિવાદનો વંટોળિયો ઊઠ્યો છે. રાહુલ ગાંધીએ એ નિવેદનમાં કંઈક એવું કહ્યું હતું કે, તેઓ માત્ર આરએસએસ અને ભાજપ સામે જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીનો કહેવાનો મતલબ ઈન્ડિયન ગવર્નમેન્ટ સામે એટલે કે અત્યારની ભારત સરકાર સામે લડવાનો હશે, પરંતુ તેમના આ નિવેદન પછી ઊઠેલો વિરોધ હવે અદાલતોની અટાળીએ પહોંચે તેમ જણાય છે. કારણકે દેશમાં તેનો વિરોધ થયા પછી તેની સામે એફઆઈઆર પણ નોંધાવાઈ રહી છે.
તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના પ્રભારીએ જામનગરની મુલાકાત લીધી હતી, અને ગુજરાતમાં પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે જામનગર સહિત ગુજરાતમાં પણ રાહુલ ગાંધીના આહ્વાન પર 'વ્હાઈટ ટી-શર્ટ (શર્ટ) મૂવમેન્ટ' જોવા મળશે, તે નક્કી જ છે ને?
જામનગર અને હાલારમાં પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો ઘણાં સમયથી થઈ રહ્યા છે, પરંતુ ગત્ વિધાનસભાની ચૂંટણીઓ પછી લોકસભામાં થયેલા પરાજય પછી વ્યાપેલી નિરાશા તથા આંતરિક મતભેદોની સામે લડવા માટે નેતાઓ-કાર્યકરોને ઢંઢોળવા તથા નવો જુસ્સો ભરવાની જરૂર જણાવાઈ રહી હોવાથી જ પ્રદેશ કક્ષા તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓની મુલાકાતો તથા કાર્યક્રમો હાલારમાં વધવા લાગ્યા હોય, તેમ જણાય છે, તો બીજી તરફ ભારતીય જનતા પક્ષમાં પણ જિલ્લા સ્તરે બધું બરાબર હોય તેમ જણાતું નથી.
જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પક્ષની આંતરિક ખેંચતાણ પ્રદેશ ભાજપ માટે પડકારરૂપ બની હોય, તેમ જણાય છે. અમરેલી જિલ્લાનો તાજેતરનો આખો ઘટનાક્રમ ભાજપની આંતરિક જુથવાદની પરાકાષ્ટાનું દૃષ્ટાંત છે. હાલારમાં દ્વારકા જિલ્લામાં હજુ પણ સંગઠન જળવાયું છે, પરંતુ જામનગર જિલ્લા તથા નગર-મહાનગરની કક્ષાએથી આંતરિક જુથવાદ કે મતભેદોની સુગબુગાહટ ઘણી વખત જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેન્દ્રિયમંત્રી બનાવાયા, અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેન્દ્રિય મંત્રી બનાવાયા પછી તેના સ્થાનો ભરવાની ગડમથલ ચાલી રહી હોય ત્યારે જિલ્લા કક્ષાની સંગઠનાત્મક બાબતોનું કોણ ધ્યાન રાખે? વાવમાં હોય તો અવેડામાં આવે ને?
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રાજકીય સ્પર્ધા છે, અને ત્રીજા પક્ષને સ્થાન મળતું નથી. તેથી આમ આદમી પાર્ટી ગત્ વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ ગઈ. જામજોધપુરમાં હેમતભાઈ ખવા તો સ્વબળે જ ચૂંટણી જીત્યા છે, ત્યારે હવે પછીની એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો લઈને કોંગ્રેસ મજબૂત બની શકે છે, પણ...?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગઈકાલે જામનગરની મુલાકાત લઈ ગયા, અને ભાજપ સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કોંગીજનોને સંદેશ પણ આપી ગયા. કોંગી નેતાઓએ કેટલાક ચોક્કસ મુદ્દાઓ ઊઠાવીને સ્થાનિક નેતાઓ-કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પણ પ્રયાસો કર્યા.
બીજી તરફ રાજ્ય કક્ષાએ શિક્ષકો દ્વારા એકમ કસોટીનો જબરદસ્ત વિરોધ ઊઠતા રાજ્યવ્યાપી આંદોલનના પડઘમ પણ વાગવા લાગ્યા છે. એકમ કસોટી વિદ્યાર્થીઓ માટે તો ફળદાયી છે, પરંતુ એકમ કસોટીના કારણે રાજ્યના ત્રણ લાખ શિક્ષકો પર વધેલા ભારણના કારણે શિક્ષણ પર જ વિપરીત અસરો થશે તેવી તર્કબદ્ધ દલીલો સાથે શિક્ષક સમુદાયમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
આગામી ૩૧ મી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, અને કેન્દ્રિય બજેટ પહેલી ફેબ્રુઆરીના રજૂ થશે, તેવી જાહેરાત થઈ છે. હવે બજેટની મોસમ આવશે, અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને બોર્ડ-નિગમ-કોર્પોરેશનો દ્વારા વાર્ષિક બજેટો ઘડાશે, ચર્ચાશે અને મંજુર થશે. બજેટની આ પ્રક્રિયા આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે, અને બજેટ સત્ર દરમિયાન સંસદ ગૂંજતી રહેશે.
વડોદરાની મહાનગરપાલિકાએ બજેટનો મુસદે તૈયાર કરતા પહેલા ત્યાંના નગરજનોના સૂચનો માંગ્યા છે, અને એક ઈ-મેઈલ આઈડી જાહેર કર્યું છે, અને તેના સ્થાનિક કક્ષાએ મિશ્ર પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, પરંતુ આ અભિગમનું અનુકરણ જામનગર સહિતની અન્ય મહાનગરપાલિકાઓ પણ કરી શકે છે, તે પ્રકારનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. કેટલીક મહાનગરપાલિકાઓને વ્હોટ્સ એપ દ્વારા ફરિયાદ નિવારણની પહેલ કરવા જેવા ઊઠાવેલા કદમના અનુભવે જ નગરજનોના સૂચનો મંગાવવા જોઈએ, અને પ્રત્યેક ઈ-મેઈલનો વ્યક્તિગત વિગતવાર (સરકારી ધોરણે નહીં) જવાબ પણ ઈ-મેઈલ દ્વારા જ નાગરિકોને આપવો જોઈએ, તેમ નથી લાગતું?
સામાન્ય રીતે આ પ્રકારના સરકારી અભિયાનો પછી લોકોએ મોકલેલા સૂચનો ડસ્ટબીનમાં જતા હોય છે, અને તેની નોંધ પણ લેવાતી નથી, તેવી લોકોમાં મજબૂત માન્યતા (કલંક) છે, જેથી આ પ્રકારના સૂચનોને કેવો પ્રતિભાવ આપવો, કેટલી નોંધ લેવી તથા કેટલો ઉપયોગ કરવો તેનો એકાધિકારી આ સૂચનો મંગાવનારાઓ પાસે જ રહેવાના બદલે કોઈ પારદર્શક તટસ્થ પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ, અને સૂચનો કરનાર પ્રત્યેક નાગરિકે કરેલા સૂચનો તેના નામ સાથે તે જ સમયે જાહેર થવા જોઈએ. આવું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેલી મથરાવટી ધરાવતા તંત્રો પર કોઈ ભરોસો કરવાનું નથી, ખરૃં કે નહીં?
કેન્દ્રિય બજેટ પહેલા નાણામંત્રી અને તેના મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર ચર્ચા-પરામર્શ કરવાની પરંપરા તો પહેલેથી જ છે, પરંતુ બજેટ પૂર્વે મેળવાયેલા આ અભિપ્રાયો-સૂચનો અને માંગણીઓનો કેટલો સ્વીકાર કરવો, અને કટલાક બજેટમાં સમાવવા, તેનો એકાધિકાર પણ સરકાર પાસે જ રહે છે, પરંતુ બજેટસત્રમાં ચર્ચા થયા પછી અંતિમ મંજુરી પહેલા તેમાં સુધારા વધારાને અવકાશ પણ રહેતો હોય છે.
આ વખતે કેન્દ્રિય બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા કદાચ ઈન્કમ ટેક્ષમાં રાહતો અપાય, અને સુક્ષ્મ, ,મધ્યમ ઉદ્યોગો, એ.આઈ. અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરને લઈને કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાતો થાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે. એટલું જ નહીં, રક્ષામંત્રી રાજનાથસિંહે તાજેતરમાં પીઓકેને લઈને કરેલું સૂચક નિવેદન, ચીનના જ્હાજોએ ભારતીય જ્હાજનો પીછો કર્યો હોવાના અહેવાલ તથા ભારતીય સેનાની વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાને રાખીને દેશના સંરક્ષણ બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવશે, તેમ જણાય છે. જો એવું થશે, તો ક્યા ક્ષેત્રમાં કાપ આવશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે. એટલું જ નહીં, કદાચ આગામી વર્ષે કેટલાક સરકારી ખર્ચાઓ પર કાપ આવે અને સરકાર કરકસરના પગલાં જાહેર કરે, તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે. એકંદરે આગામી બજેટ 'કહીં ખુશી, કહીં ગમ' જેવી સ્થિતિનું નિર્માણ કરશે અને દેશની સુરક્ષા, એ.આઈ. સેક્ટર, આઈટી સેક્ટર તથા મિડલકક્ષાના સંબંધિત બાબતોને પ્રાધાન્ય અપાશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.
દેશની રાજધાનીમાં ચૂંટણીલક્ષી માહોલ હોવાથી અવારનવાર પ્રેસ કોન્ફરન્સો યોજાઈ રહી છે અને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. હવે તો સરકાર પર મીડિયા મેનેજમેન્ટ તથા પ્રોપાગન્ડાના આક્ષેપો સાથે 'ગોદી મીડિયા'ના આક્ષેપો થઈ રહ્યા છે, તો નગરથી નેશન સુધી કોંગ્રેસની પત્રકાર પરિષદો પણ ચર્ચામાં છે. કોંગ્રેસે ટોપ-ટુ-બોટમ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
બીજી તરફ કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગની સાથે સાથે હવે પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તેવા વિક્ષેપો-આક્ષેપોની વચ્ચે હવે તો જાહેર તથા ખાનગી ક્ષેત્રો દ્વારા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવા તથા દબાવવાની રીત-રસમો હવે છાપેલા કાટલા જેવા અપરાધીઓ પણ અપનાવવા લાગ્યા હોય, ત્યારે મીડિયા જગતે પણ જાગૃત અને એકજુથ થવાની જરૂર હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે.
જ્યારે દેશમાં કોઈ રાજ્યમાં ચૂંટણી હોય, અને તે જ સમયગાળામાં બજેટની મોસમ શરૂ થતી હોય, ત્યારે બન્ને એકબીજાને પ્રભાવિત કરે તે સ્વાભાવિક છે, પરંતુ અભિવ્યક્તિની આઝાદી જેવા મૂળભૂત અધિકારો ધરાવતા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાના ચોથા સ્તંભસમા પ્રેસ-મીડિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો પગ પર કૂહાડી મારવા જેવા વાહિયાત ગણાય, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા, તો આ જાહેરાત દિલ્હીની ચૂંટણી ટાણે જ થઈ હોવાથી તેને લક્ષ્યમાં લઈને કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે જો કે, આ જાહેરાત દેશ વ્યાપી હોવાથી આદર્શ આચાર સંહિતાનો ભંગ તો થતો નથી, પરંતુ દેશની રાજધાનીમાં કેન્દ્રીય કર્મચારીઓની મોટી સંખ્યા હોવાથી આ જાહેરાતનો ફાયદો કેન્દ્રીય સત્તાધારી ગઠબંધનને રાજકીય રીતે થાય, તે ઓપન સિક્રેટ ગણાય. આ જાહેરાતને કર્મચારી-પેન્શનરોના વર્તુળોમાં આવકાર મળી રહ્યો હોવા છતાં તેનો સીધો પ્રભાવ આગામી ચૂંટણીઓના મતદારો પર કેટલો પડે છે, તે કહી શકાય તેમ નથી.
દેશની રાજધાની સહિત દેશમાં ઠંડી યથાવત છે અને મકરસંક્રાંતિ પછી ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું અને ઠંડાગાર પવનો ફૂંકાયા, જેની જનજીવન પર અસર પડી છે, ત્યારે હુતાશણી સુધીમાં ઠંડી ઘટશે અને ગરમીના દિવસો શરૂ થશે, તેવી આગાહીઓ પણ થવા લાગી છે.
હાલારમાં પણ હાડ થીજવતી ઠંડી પછી હવે ધીમે-ધીમે રાહત થતી જણાય છે, આવી કડકડતી ઠંડીમાં પણ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતાં, હવે લગ્નગાળો શરૂ થતાં ગામડાઓ તથા શહેરોમાં અલગ જ પ્રકારનો ખુશહાલ માહોલ સર્જાઈ રહ્યો છે.
આટલા ઠંડીના માહોલ વચ્ચે પણ કેટલાક મુદ્દે ગરમા ગરમ જનાક્રોશ પણ દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યો છે, જેમાં રાજનીતિની ગરમા ગરમી સિવાયના કેટલાક વિષયો પણ ચર્ચાઈ રહ્યા છે, અને ધગધગતા નિવેદનો પણ થઈ રહ્યા છે.
કેન્દ્રીય બજેટ રજૂ થાય, તેમાં લોકોને રાહતરૂપ જોગવાઈઓ થાય અને પ્રામાણિક ટેક્સ પેયરને પ્રોત્સાહન મળે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આઠમા પગારપંચની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેની અમલવારી કરવામાં વર્ષાે નીકળી જશે, અને આ જ મુદ્દો આગામી ચૂંટણીઓમાં ફળદાયી બની શકે, તેવી રીતે આઠમા પગાર પંચનો વાસ્તવિક ફાયદો વર્ષ ર૦ર૭-ર૮ના વર્ષ સુધીમાં જ અપાશે, તેવો વ્યંગ પણ થઈ જ રહ્યો છે ને ?
સૌથી વધુ ચર્ચા તો નવા સૂચિત (પ્રસ્તાવિત) કાયદા 'બુલા'ને લઈને થઈ રહી છે, 'બુલા' બેનીંગ ઓફ અન રેગ્યુલાઈઝડ લેન્ડીંગ એક્ટિવિટીઝ એક્ટનું શોર્ટફોર્મ છે. બુલાના કાયદાનો પ્રસ્તાવ મૂકીને સરકારે સૂચનો માંગ્યા છે, પરંતુ તેના સંદર્ભે અપાઈ રહેલા પ્રચંડ આક્રોશ અને આશંકાઓ દર્શાવતા પ્રતિભાવો અને પ્રત્યાઘાતો નગરથી નેશન સુધી પડી રહ્યા છે.
આ કાયદા હેઠળ અનિયમિત નાણાકીય લેવડ-દેવડ પર અંકુશ મુકવાનો પ્રસ્તાવ છે જેમાં યોગ્ય અને કાનૂની પ્રક્રિયા વિના થતી નાણાકીય લેવડ-દેવડની પ્રવૃત્તિ કરનારને સજા કરવા સહિતની કેટલીક જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને એકંદરે મિશ્ર પ્રતિભાવો સામે આવી રહ્યા છે.
આ મુદ્દે રાજકીય વર્તુળોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના પ્રત્યાઘાતો મુજબ આ પ્રકારની જોગવાઈઓ ફાયદાને બદલે લોકોને નુકસાન વધુ કરશે, અને દેશની અર્થવ્યવસ્થાને અસ્ત વ્યસ્ત કરી નાંખશે, પોલીસતંત્રને અમર્યાદ સત્તાઓ આપ્યા પછી પણ આ કાયદાનો દુરૂપયોગ થશે અને રોજીંદા વ્યવહારો જાળવવા પરસ્પર વિશ્વાસથી નાણા ઉછીના લેવા પર પણ અંકુશ આવશે, તો નાના, સુક્ષ્મ, મધ્યમ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને રિટેઈલ વ્યાપારીઓ-પરચૂરણ વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓને પણ ઘણી જ મુશ્કેલી પડશે, આથી એમએસએમઈનું ગળું જ ઘોંટાઈ જશે, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષો પણ આ સૂચિત અધિનિયમનો વિરોધ કરી રહેલા જણાય છે.
જામનગર સહિત રાજ્યની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની સંસ્થાઓ, વેપારી મંડળો, ઔદ્યોગિક સંગઠનો તથા આ ક્ષેત્રના તજજ્ઞો-અગ્રણીઓએ પણ તીખા-તમતમતા પ્રતિભાવો આપ્યા છે.
એકંદરે એવા પ્રતિભાવો છે કે આ સૂચિત કાયદાનો ઉદ્દેશ્ય વ્યાજંકવાદ અને કાળાનાણાની હેરાફેરી પર અંકુશ લાવવાનો હોય તો પણ પહેલાં આપણી પારંપારિક વ્યાપાર ઉદ્યોગક્ષેત્રની વ્યવહારિક વ્યવસ્થાઓને એકદમ ખોરવી નાંખતા પહેલાં તેની વૈકલ્પિક અને સરળ-સસ્તી ધિરાણ વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત જરૂરી છે, રોજીંદા વ્યવહારો માટે તત્કાળ નાની-મોટી રકમ ઉછીના આપવા કે લેવાનો કોઈ વિકલ્પ હાલમાં છે ખરો...? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
ખાસ કરીને પોલીસતંત્રને જો અમર્યાદ સત્તાઓ અપાય તો તે અલગ જ પ્રકારની સમસ્યાઓ ઉભી કરશે, અને લોકોના બંધારણે બક્ષેલા મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
વ્યાજખોરો ઊંચા દરે વ્યાજે નાણાંની ધીરધાર કરતા હોય અને તેને જો પ્રવર્તમાન કડક કાયદોઓ નાથી શકયા ન હોય, તો રોજીંદી જરૂરિયાતો મુજબ લાખ-બે લાખ રૂપિયા ઉચ્ચક ઉછીના લેનાર કે આપનાર સામે કાયદાનો દંડો ઉગામવો, એ સરાસર અન્યાય જ ગણાય, તેવા પ્રત્યાઘાતો વચ્ચે આ કાયદાનો પ્રસ્તાવ (મુસદ્દો) તૈયાર કરતા પહેલાં જાહેર જનતાના સૂચના ધ્યાને લેવા જોઈએ, અને વ્યાપારિક-ઔદ્યોગિક-વ્યવસાયિક સંસ્થાઓ, રિટેઈલરોના સંગઠનો, વેપારી એસોસિએશનો સહિત સૌ કોઈ સંબંધ કર્તાઓને વિશ્વાસમાં લેવા જોઈએ એ તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણે ઘણી વખત જોઈએ છીએ કે જ્યાં 'નો પાર્કિંગ'નું મોટું બોર્ડ લગાવ્યું હોય, ત્યાં જ વાહનો આડેધડ પાર્ક કરેલા હોય છે. જામનગર સહિતના નગરોમાં કેટલાક સ્થળે સ્વચ્છતા અભિયાનમાં મોટા હોર્ડીંગ્ઝ લગાવેલા હોય, ત્યાં જ ભયંકર ગંદકી અને ઉકરડામાં રખડતા ઢોર ખોરાક શોધી રહ્યા હોય, ઘણાં લોકો વન-વેમાં 'વટ'થી ઘૂસી જતા હોય છે, અને આ પ્રકારે વન-વેમાં વટ મારતા લોકોમાં મોટાભાગે શ્રીમંત નબીરાઓ હોય છે, તો ઘણી વખત નેતાપુત્રો, પોતાને કાયદાથી પર માનતા અને વીઆઈપીનો વહેમ રાખતા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને તંત્રવાહકો કે સરકારી વાહનો પણ હોય છે, તે ઓપન સિક્રેટ નથી?
સરકારી કામ હોય કે ભગવાનના દર્શન કરવાના હોય, મંદિર હોય કે સરકારી કચેરી હોય, હોસ્પિટલની કેસબારી હોય કે બેન્કીંગ કાઉન્ટર હોય, બસમાં ચડવાનું હોય કે ટ્રેનમાં જવાનું હોય, આપણે શિસ્તબદ્ધ રીતે કતારો લગાવીને ભાગ્યે જ આગળ વધીએ છીએ, અને ધક્કામૂક્કી કરવી, એ જન્મસિદ્ધ અધિકાર હોય, તેવું વર્તન કરતા હોઈએ છીએ. આમ, આપણી માનસિક્તા જ એવી થઈ ગઈ છે કે, આપણે લખેલી કે અપાતી સૂચનાઓ કે ઘડાયેલા નિયમોનું સતત ઉલ્લંઘન જ કરતા રહીએ છીએ.
જ્યારે એવા અહેવાલો અનેક ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું, અથવા ચાઈનીઝ દોરીઓ વીજવાયરોમાં ચોંટી જતા ખંભાળિયામાં કલાકો સુધી અંધારપટ છવાયો, ત્યારે એ વિચાર કેમ નથી આવતો કે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી આવી ક્યાંથી? ચાઈનીઝ દોરીથી કોઈનું ગળું કપાયું હોય, તે દોરી વાપરનારને પકડીને અને તેના વેંચનારને દબોચીને કડક કાનૂની કદમ લેવાની 'ડ્રાઈવ' કે 'પાઈલોટ પ્રોજેક્ટ' કેમ નથી અજમાવાતો?
ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં દેશી કે વિદેશી, બિયર કે કોચ અને ંચલપું, હાફ કે હોલ, જેવો જોઈએ તેવો અને જેટલો જોઈએ તેટલો દારૃ મળે છે, તે ઓપન સિક્રેટ છે. દેશમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યો પર પ્રતિબંધ હોવા છતાં નશીલી ડ્રગ્સ પકડાય જ છે ને ? આ ડ્રગ્સનો જથ્થો પકડનારાઓને બિરદાવવા જોઈએ, પરંતુ તેને મોકલનારના મુળિયા સુધી પહોંચીને સમગ્ર ચેઈનને નેસ્તનાબૂદ કેમ કરી શકાતી નથી? આ નશીલા દ્રવ્યો, ડ્રગ્સ, શરાબ વગેરેની કોઈને કોઈ રીતે હેરાફેરી તો થતી જ હશે ને? આ બધું કાંઈ આકાશમાંથી ટપકતું નથી હોતું ને? છે કોઈની પાસે કોઈ જવાબ?
વાસ્તવમાં જેનો પ્રતિબંધ હોય, તે કરવાની વૃત્તિને કાબેલિયત કે 'વટ' ગણવાની માનસિક્તા જ સર્વવ્યાપક અને સર્વસ્વીકૃત બની ગઈ છે, તેમ નથી લાગતું?
જાહેરમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોય ત્યાં જ સિગારેટના કસ ખેંચતા ખેંચતા 'વટ'થી આંખ મારવી, નજીક જ જાહેર મૂતરડી હોવા છતાં જાહેરમાં યુરીન (પેશાબ) કરવું, ટ્રાફિકને અડચણરૃપ થાય તેવી રીતે વાહન પાર્ક કરવું કે રોંગ સાઈડમાં ધરાર વાહન ચલાવીને વણજોઈતી તકરારો કરવી, વગેરે માનસિક્તા ધરાવતા લોકો જ જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર પહોંચે છે, ત્યારે તેઓ ત્યાં પણ આ જ પ્રકારની હરકતો કરવા લાગતા હોય છે, અને તેથી જ 'પ્રતિબંધાત્મક' આદેશોનો ઉલાળિયો કરનારાની બોલબાલા હોય છે, અને સિસ્તબદ્ધ અને પ્રામાણિક રહેનારા લોકો લાઈનોમાં લાગીને ધક્કા ખાતા હોય છે કે પછી રોંગસાઈડમાં આવીને અથડાનારને પણ 'દયાવાન' બનીને જવા દેતા હોય છે, તેવી જે જનધારણાઓ વ્યાપી રહી છે, તેને અટકાવવા સમાજે, સરકારે અને ખાસ કરીને નિયંત્રક તંત્રોએ કોઈ નવા અભિગમો અને અભિયાનો ચલાવવા જોઈએ, તેમ નથી લાગતું?
લોકોના પ્રશ્નોના ઉકેલના નામે પણ ઘણાં નાટકો ચાલે છે. લોકોને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે પણ ચોક્કસ એક જ મુદ્દો, કાગળ પર લખીને ચોક્કસ સમયમર્યાદામાં સ્થળે પહોંચાડો, ત્યાં હાજર રહો અને તેમ છતાં પ્રશ્ન ઉકેલાઈ, તો ઉકેલાય, તેને પ્રજાલક્ષી અભિગમ ગણવો કે પ્રજાને મુરખ બનાવીને હાથ ઊંચા કરી દેવાની તરકીબ ગણવી- તે જનતાએ નક્કી કરવાનું છે.
એક તો આ પ્રકારના દરબારો, ફરિયાદ નિવારણ અભિયાનો કે ડાક અદાલતો-પબ્લિક હીયરીંગ જેવા કાર્યક્રમો યોજવા જ કેમ પડે? આટલા બધા પ્રશ્નો પડતર જ કેમ રહે? તોતિંગ પગાર ખાતા તંત્રો કરે છે શું? તેવા પ્રશ્નો વિપક્ષો પણ કદાચ એટલા માટે નહીં ઊઠાવતા હોય કે કદાચ તેઓ સત્તામો આવે, ત્યારે પોતાના જ પ્રશ્નો ગળાની ફાંસ બની જતા હોય છે, ખરૃં કે નહીં?
એક તાજુ દૃષ્ટાંત છે, તાજેતરમાં જ વિનાકારણે ટપાલ રિટર્ન કરી દેવાની માનસિક્તા બદલવા તથા પોષ્ટતંત્રની સેવાઓ સુધારવાનું સૂચન થયું હતું, તો ટપાલ વિભાગે શરતો સાથે ચોક્કસ ફરિયાદો માટે જ (નીતિવિષયક બાબતો સિવાય) અરજીઓ ચોક્કસ સમયમર્યાદામાં મંગાવીને 'ડાક અદાલત'ની જાહેરાત કરી દીધી, જેથી નવા સ્ટાફ, ટપાલીઓને તાલીમબદ્ધ કરવા અને પ્રો-પબ્લિક સેવાઓમાં સુધારણાના 'નીતિવિષયક' સૂચનોનો છેદ જ ઊડી જાય...!? હવે રાજ્ય કક્ષાએથી આ ઉપયોગી સૂચનોની નોંધ લેવાશે ખરી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

શિયાળાની જમાવટ વચ્ચે છવાયેલા ધુમ્મસે માત્ર સડક પરિવહન જ નહીં, પરંતુ વહેલી સવારે રેલવે અને હવાઈ સેવાઓને પણ થંભાવી દીધી અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. આજે દેશની રાજધાનીમાં કમોસમી વરસાદની આગાહી થતા જાહેર આરોગ્યની દૃષ્ટિએ જોખમી સ્થિતિ સર્જાવા પામી છે. આજે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણાં માર્ગો પર ધુમ્મસનું આવરણ છવાયેલું જોવા મળ્યું, તો આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી, અને કાશ્મીર જેવું બરફીલું વાતાવરણ જામતા આબુના પ્રવાસીઓ પણ મોજ માણી રહેલા જોવા તાં. આજે સિઝનની સૌથી વધુ ઝાંકળવર્ષા થઈ રહી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. આજે છવાયેલું ધુમ્મસ બપોર થતાં થતાં ઘટી જશે અને બપોરે લઘુતમ તાપમાન દોઢું થઈ જશે, તેવી આગાહી આજે સવારે જ કરાઈ હતી.
જો કે, દિલ્હીમાં હળવું માવઠું થાય તો ધૂમ્મસ ઘટે અને સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે તેમ હોવાથી કમોસમી વરસાદ પણ ઉપયોગી બને છે. સાથે સાથે ઠંડી પણ વધતી હોવાથી સિઝનલ બીમારીઓનો ખતરો વધી જતો હોવાથી લોકોને સતર્ક પણ કરવામાં આવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં એક તરફ કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, તો બીજી તરફ કડકડતી ઠંડીના કારણે બીમારીનો ખતરો પણ વધી રહ્યો છે. ગઈકાલે એક નેતા સહિત બે-ત્રણ લોકોના મૃત્યુ થયા તથા કેટલાક લોકો બીમાર પડી ગયા હોવાના અહેવાલો પછી શ્રદ્ધાળુઓને કેટલીક સાવધાનીઓ રાખવાની અપીલ પણ ત્યાંના સ્થાનિક તંત્રો દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજે માર્ગ-રેલવે અને હવાઈ પરિવહન ગાઢ ધુમ્મસની અસર થતાં ખોરવાઈ ગયું હતું, તેની વિપરીત અસરો મહાકુંભની વ્યવસ્થાઓ તથા પ્રવાસીઓ પર પણ પડી રહી છે, જો કે મૃતકોની ખોટી સંખ્યા દર્શાવીને અફવાઓ ફેલાવતા અને ભ્રમ ઊભો કરતા પરિબળો સામે એફઆઈઆર નોંધીને પોલીસે કડક કદમ ઊઠાવ્યા પછી સોશ્યલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવતી પોષ્ટ દૂર થવા લાગી હતી. લોકોને અફવાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રો દ્વારા અપાતા માર્ગદર્શન તથા સૂચનાઓ અનુસરવારની અપીલો પણ થઈ રહી છે.
મહાકુંભના કારણે દેશના અર્થતંત્રને ફાયદો થશે અને જીડીપીમાં એક ટકાનો વધારો થશે, તે પ્રકારના અહેવાલો તથા મહાકુંભના મહાત્મય તથા તેને સંલગ્ન માહિતીના માધ્યમથી આજે દેશભરમાં મહાકુંભનું મહિમાગાન થઈ રહ્યું છે, અને તેમાં વિદેશથી આવેલા કેટલાક મૂળ ભારતીય ન હોય, તેવા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ, સંતોના પ્રતિભાવો પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયામાં છવાયેલા છે.
કડકડતી ઠંડી વચ્ચેેેેેેેેેેેેેેેેેેેકેટલીક ઘટનાઓ ગરમાવો ઉત્પન્ન કરી રહી છે, અને આંતરરાષ્ટ્રીય અશાંતિના માહોલમાં હમાસે બંધકો છોડવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાના અહેવાલો છતાં અવિશ્વાસ અને અજંપાનો માહોલ ખતમ થઈ રહ્યો નથી, તો ભારતમાં મહાકુંભ પછી સૌથી વધુ ચર્ચા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને થઈ રહી છે.
દેશની રાજધાનીમાં છવાયેલું ધુમ્મસ જાણે ત્યાંની રાજનીતિ પર પણ જાણે ગાઢ ધુમ્મસ છવાયું હોય, તેમ આ વખતે થનારી હાર-જીતને લઈને કોઈ સ્પષ્ટ અનુમાનો ભલભલા રાજકીય પંડિતો પણ કરી શક્યા હોય, તેમ જણાતું નથી, કારણ કે હવે રાહુલ ગાંધીએ પોતે જ દિલ્હીની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવીને કેજરીવાલ પર પ્રહારો કર્યા છે, અને કોંગ્રેસે ભાજપ કરતા યે વધુ સક્રિય રીતે આ વખતે દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી ત્યાં સત્તામાં ટકી રહેવું આમ આદમી પાર્ટી માટે સરળ નહીં હોય, જ્યારે ભાજપનો પણ અઢી-ત્રણ દાયકાઓ પછી દિલ્હીની સત્તા પર આવવાનું સ્વપ્ન પણ રોળાઈ જવાનું છે, તેવી અટકળો વચ્ચે કોંગ્રેસની સક્રિયતા કોને ફાયદો કરાવશે, તે નક્કી થઈ શકતું નથી, જો કે રાજકીય પંડિતો ભાજપ કરતા આ વખતે કોંગ્રેસને વધુ ફાયદો થશે અને શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિત પર દિલ્હીના મતદારો પસંદગીનો કળશ ઢોળી શકે છે, તેવી સંભાવનાઓને નકારી રહ્યા નથી.
દિલ્હીના મતદારો મન કળવા દેતા નથી અને પોસ્ટોર તથા સોશ્યલ મીડિયામાં બીજેપી-આમ આદમી પાર્ટી વચ્ચેના પ્રચાર-યુદ્ધ વચ્ચે કોંગ્રેસ ગૂપચૂપ પોતાના ચોકઠાં ગોઠવી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
કોંગ્રેસને જનાદેશ મળે, તો સંદીપ દિક્ષિત મુખ્યમંત્રી બનશે, તે લગભગ નક્કી છે, જ્યારે આમ આદમી પાર્ટીનો ચહેરો તો કેજરીવાલ જ છે, અને તેમણે પોતે આ ચૂંટણીમાં વિજયને પોતાની ઈમાનદારીનું સર્ટીફિકેટ ગણવાની જાહેરાત કરી દીધી છે, તેથી આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદ માટે કદાવર ચહેરો છે પરંતુ ભાજપ પાસે તો મુખ્યમંત્રીપદનો કોઈ ચહેરો જ નથી, તેથી આ વરરાજા વગરની જાન 'વિજયવધૂ' લઈને કેવી રીતે આવી શકે, તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે, તેથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાક ક્ષેત્રોમાં ગરમી વધી રહી છે અને પૃથ્વીના એક ક્ષેત્રમાં બરફવર્ષા તથા બીજા ક્ષેત્રમાં ગરમી તથા પ્રચંડ આગના પ્રકોપ વચ્ચે દિલ્હીથી વોશિંગ્ટન અને નગરથી નેશન સુધી ધૂંધળો માહોલ છવાઈ ગયો હોય તેમ જણાય છે, અને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂત આંદોલનથી લઈને અમરેલી ફેઈમ આંદોલનો તથા વકીલ મંડળોથી લઈને સહકારી ક્ષેત્રોમાં થતી હલચલ, હિલચાલ અને ગરમાગરમી આગામી દિવસોમાં મોટી નવાજુનીના સંકેતો આપી રહ્યા છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દુનિયાનો સૌથી મોટો અને વિશાળ મેળો ગણાતો મહાકુંભ આજથી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ ધરાવતા પ્રયાગરાજં આજથી શરૂ થયો છે, અને તેને સંબંધિત વ્યવસ્થાઓ થા આ મુદ્દે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી લાંબી વાતચીત પછી રાજકીય વર્તુળોમાં પણ અટકળોનું બજાર ગરમ છે, અને ભાજપમાં કાંઈક નવાજુની થશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ મકસંક્રાંતિના તહેવારને ઉજવવાની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે, અને દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ નામે ઉજવાતા આ તહેવારમાં ગુજરાતના પતંગ મહોત્સવે કાંઈક અલગ જ આકર્ષણ જમાવ્યું છે. જામનગર સહિત હાલારમાં પણ પતંગબાજો આવતીકાલે મકસંક્રાંતિના પર્વે ખાણી-પીણી અને ગીત-સંગીત સાથે પતંગ ચગાવવા થનગની રહ્યા છે. દ્વારકામાં શિવરાજપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવે પણ ગ્લોબલ એટ્રેક્શન ઊભું કર્યું છે અને ત્યાં તો રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને કાઈટ ફેસ્ટીવલનો અનોખો ત્રિવેણી સંગમ ઊભો થયો છે.
ઉત્તરાયણ પછી ધનુર્માસ સમાપ્ત થતા જ લગ્નસરાની સિઝન પણ આવી રહી છે અને ૧૪ મી જાન્યુઆરી પછીના પખવાડિયામાં જ નવ જેટલા દિવસોએ શુભલગ્નના મુહૂર્ત હોવાથી લગ્નની તૈયારીઓમાં અનેક પરિવારો વ્યસ્ત છે. તે પછી ફેબ્રુઆરી મહિનામાં તો અડધોઅડધ દિવસોમાં એટલે કે લગભગ ૧પ જેટલા મુહૂર્ત હોવાથી આ વર્ષે ફેબ્રુઆરી મહિનો જાણે શુભલગ્ન મહિના તરીકે ઉજવાઈ રહ્યો હોય અને ઈતિહાસ દોહરાવાઈ રહ્યો હોય, તેમ જણાય છે.
એવું કહેવાય છે કે ઉત્તરાયણ અથવા મકસંક્રાંતિના આગળ-પાછળના કાંધા બહું ઠરે, તેથી ઠંડી વધુ પડે, અને પછી ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ ઘટતો જાય, પરંતુ એવી માન્યતા પણ છે કે શિયાળો હોળી તાપીને વિદાય લ્યે, એટલે હૂતાસણી સુધી ઓછા-વત્તા પ્રમાણમાં ઠંડીનું અસ્તિત્વ અને તે પછી ઋતુચક્ર ફરવાથી ઋતુ બદલે.
દેશની રાજનીતિમાં પણ ઉત્તરાયણ પછી ઉથલપાથલની અટકળો થઈ રહી છે. મોદી-યોગીની લાંબી મુલાકાત રાષ્ટ્રીય કક્ષાએ ભાજપમાં નવાજુનીના સંકેત આપે છે, તેવી જ રીતે ઈન્ડિયા ગઠબંધનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને કોંગ્રેસ કદાચ નવો ધડાકો કરે અને ફરીથી 'એકલા ચલો રે'ની નીતિ જાહેર કરીને અત્યારથી જ આગામી લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણીઓની સ્વબળે તૈયારીઓ કરે, તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષો કેન્દ્રમાંથી મોદીની એનડીએ સરકારને હરાવવાનું લોકતાંત્રિક લક્ષ્ય સાધી ન શકાયુ, તે માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે, જ્યારે કોંગી નેતાઓ તથા કોંગ્રેસના રણનીતિકારોનું મંતવ્ય એવું છે કે ભાજપને લોકસભામાં એકલા હાથે બહુમતી ન મળી, એનડીએની પીછેહઠ થઈ, અને પ્રાદેશિક પક્ષો ફાવી ગયા, તેની પાછળ કોંગ્રેસે (સીટોનું) આપેલું બલિદાન કારણભૂત છે. જો કોંગ્રેસ એકલા હાથે લોકસભાની મહત્તમ સીટ લડી હોત અને ૪પ૦ થી પ૦૦ ઉમેદવારો ઊભા રાખ્યા હોત, તો કદાચ આ વખતે કોંગ્રેસને ૯૯ બેઠકો મળી છે, તેનાથી ઓછામાં ઓછી ડબલ સીટો તો મળી જ હોત!
મહારાષ્ટ્રના વારંવાર નિવેદનો બદલતા રહેતા નેતા સંજય રાઉતે લોકસભામાં નિષ્ફળતા પછી ઈન્ડિયા ગઠબંધનમાં તડા પડ્યા અને હવે વિખેરાવા લાગ્યું છે, તેના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, કેટલાક ડાબેરી પક્ષો તથા નેશનલ કોન્ફરન્સે પણ આ જ પ્રકારની વાતો કરી છે, ત્યારે કોંગ્રેસના રણનીતિકારો પણ કહે છે કે, 'હવે બહુ થયું, જાગ્યા ત્યારથી સવાર!!'
બીજી તરફ એનડીએમાં પણ બધું બરાબર નથી. મહારાષ્ટ્રમાં એક તરફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન છોડવાની તૈયારીઓ હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અમિતભાઈ શાહે શરદ પવારને લઈને જાહેરમાં કરેલા તાજેતરના ઉચ્ચારણો જોતા એમ જણાય છે કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને તત્કાળ એનડીએમાં સમાવીને ભાજપ શિંદે જુથને નારાજ કરવા માંગતું નથી, કારણ કે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પણ અજીત પવાર જુથ અને શિંદે જુથની કાંખઘોડી પર જ ટકેલી છે ને?
ગુજરાતમાં તો અમરેલીમાં ભાજપના આંતરિક જુથવાદે જ રાજ્યની પટેલ સરકારને 'ફિક્સ'માં મૂકી દીધી હોય તેમ જણાય છે, અને પાટીદાર મહિલાકર્મીની બેઈજ્જતીના મુદ્દે ભાજપના જ રૂપાલા સહિતના નેતાઓ સમર્થનમાં આવ્યા પછી અંતે સરકારે કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા પડ્યા હોવાના અહેવાલો જોતા એ કહેવત યાદ આવી જાય છે કે, 'ઘર ફૂટે ઘર જાય...!'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં સાદી ટપાલો, પોષ્ટથી મોકલાતા મેગેઝિન્સ, અખબારો વગેરે કેટલાક વિસ્તારોમાં પહોંચાડાતા નથી, અથવા સમયસર પહોંચતા નથી, તે પ્રકારની ફરિયાદો ટપાલ કચેરીઓ સમક્ષ તો થતી જ હશે, પરંતુ કેટલીક ફરિયાદો તો અખબારોના પાને ચમકે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ આક્રોશ વ્યક્ત થતો હોય છે, અને આ ફરિયાદોમાં વજુદ પણ જણાય છે.
એક જમાનો હતો, જ્યારે લોકો ટપાલી (પોષ્ટમેન) ની રાહ જોઈને બેસતા હતાં અને પત્રો, મનીઓર્ડર તથા પોષ્ટ પાર્સલની સેવાઓ ઝડપી, ચોક્કસ, વિશ્વસનિય અને નિયમિત હતી. આજે પણ દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ વિભાગની સેવાઓ દ્વારા સંદેશા વ્યવહાર ચાલી જ રહ્યો છે, છતાં કથળતી જતી સેવાઓની ફરિયાદો પણ દિવસે દિવસે વધી રહી છે, જેનું નિવારણ પણ આ વિભાગોએ તત્કાળ સ્વયં જ લાવવું પડે તેમ છે.
દાયકાઓથી ટપાલ વિભાગ દ્વારા રજિસ્ટર્ડ પોષ્ટની સેવાઓ સમગ્ર દેશમાં વ્યાપેલી છે. વર્ષો સુધી રજિસ્ટર એ.ડી.થી મોકલાતી ટપાલો સાથે એક પોષ્ટકાર્ડ જેવું એકનોલોજમેન્ટ કાર્ડમાં ટપાલ સ્વીકારનારની સહી મેળવીનેે તે ચોક્કસપણે રજિસ્ટર એ.ડી. કરનારને પહોંચાડાતું હતું, અને તે સંબંધિત વ્યક્તિ, સંસ્થા, કચેરી, સરકાર કે સંગઠનને મળ્યું હોવાનું મહત્ત્વપૂર્ણ પ્રૂફ ગણાતું હતું, જે અદાલતોમાં પણ સ્વીકૃત રહેતું હતું.
હવે આ પ્રકારનું એકનોલોજમેન્ટ કાર્ડ ભાગ્યે જ રજિસ્ટર્ડ-ટપાલ મોકલનારને પરત પહોંચાડાય છે, અને આ કાર્ડ સાદી ટપાલની જેમ જ મોકલનાર સુધી પહોંચાડાતું હોવાથી તે પહોંચાડાયું છે કે નહીં, તેની કોઈ નોંધ પણ રહેતી નથી, તેથી મોટાભાગના લોકો હવે સ્પીડ પોષ્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે, કારણ કે આ સ્પીડપોસ્ટને ઓનલાઈન ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે, અને ટપાલ વિભાગ દ્વારા આ ટપાલ પહોચાડનાર ટપલી તથા ટાઈમીંગ સહિતની હિસ્ટ્રી પૂરી પાડે છે. એટલું જ નહીં, આ ટપાલ સ્વીકારનારની સહી મેળવીને જ તેની ડિલિવરી કરવામાં આવે છે. કોઈ ચોક્કસ કારણસર ટપાલ પહોંચાડી શકાય તેમ જ ન હોય, તો પણ એ ટપાલ સેન્ડર એટલે કે મોકલનારને તેના જણાવેલા સરનામે પરત પહોંચાડવામાં આવે છે, જેથી આ ટપાલની મૂવમેન્ટની તમામ હિસ્ટ્રી ઓનલાઈન જાણી શકાય અને સેન્ડર અને રિસિવર તેને ટ્રેક પણ કરી શકે.
જો કે, હવે સ્પીડપોષ્ટ પણ પંદર-પંદર દિવસ સુધી પહોંચતી નહીં હોવાના પૂરેપૂરૂ સરનામું અને મોબાઈલ ફોન નંબર લખેલા હોવા છતાં ગણતરીના કલાકોમાં જ 'ઈન્સફિશિયન્ટ એડ્રેસ' એટલે કે પૂરતું સરનામું નહીં હોવાનો શેરો મારીને સેન્ડર તરફ રવાના કરી દેવાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જામનગરમાંથી તો આ પ્રકારની ફરિયાદ તાજેતરમાં જ ઈ-મેઈલથી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સુધી પહોંચી અને ત્યાંથી તાકીદની સૂચનાઓ પછી સેન્ડર સુધી ટપાલ પહોંચી, એટલું જ નહીં, ઈ-મેઈલથી કરાયેલી ફરિયાદ અંગે ઈન્કવાયરી પણ શરૂ થઈ હોવાનું કહેવાય છે.
જો આ પ્રકારની ફરિયાદો વધશે, તો લોકોનો વિશ્વાસ ટપાલ તંત્રમાંથી ઊઠી જશે, અને ટેલિગ્રામ ઓફિસોની જેમ ટપાલતંત્ર પણ વિંટાઈ જશે, તેમ નથી લાગતું?
હકીકતે ટપાલ કચેરીઓ અને ખાસ કરીને જિલ્લા કચેરીઓ, સબ-પોષ્ટ ઓફિસો તથા બ્રાન્ચ પોષ્ટ ઓફિસોમાં 'સાફસૂફી' કરીને ટપાલતંત્રને અદ્યતન યુગને અનુકૂળ કાર્યાન્વિત કરવું પડે તેમ છે. કેટલાક નવા નિમાયેલા પોષ્ટમેનો (ટપાલીઓ) તથા શોર્ટીંગ કરતા સ્ટાફને નવેસરથી પ્રશિક્ષિત કરીને તેઓને સમયાંતરે તાલીમ આપતી રહેવી પડે તેમ છે. તેઓ હકારાત્મક અભિગમ અપનાવીને તથા વ્યવહારૂ બનીને ટપાલો રિસિવર સુધી અવશ્ય પહોંચાડે, તેવી રીતે તાલીમબદ્ધ કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
અત્યારે ઈન્ટરનેટ યુગમાં જ્યારે સ્પીડપોષ્ટ તથા રજિસ્ટર્ડ પાર્સલ વગેરે કન્સાઈન્મેન્ટનું ટ્રેકીંગ થઈ શકે છે, ત્યારે અધુરૂ સરનામું હોય કે ઘર બંધ હોય ત્યારે ટપાલ તે જ દિવસે પરત મોકલી દેવાના બદલે પાંચ-સાત દિવસ જે-તે સંબંધિત બ્રાન્ચ પોષ્ટ ઓફિસમાં રહે, અને રિસિવરને જાણ કરાય, જેથી રિસિવર તે રૂબરૂ સંપર્ક સાધીને મેળવી શકે, તેવી વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે ટપાલ પર મોબાઈલ કે ફોન નંબર લખ્યા હોય, ત્યારે ટપાલી દ્વારા તેને ફોન કરીને ટપાલ ફરજિયાત પહોંચાડે, તેવી વ્યવસ્થા અને તાલીમ આપવી જોઈએ, કારણ કે હવે બાબા આદમના વખતથી ચાલી આવતી વ્યવસ્થાઓ ચાલે તેમ નથી ખરૃં ને?
આ તો થઈ ટપાલો પહોંચાડવાની વાત, પરંતુ ટપાલ વિભાગ દ્વારા અમલી બનેલી કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ, બચતયોજનાઓ તથા નવતર પોષ્ટ-બેન્કીંગ ેસેવાઓ માટે પણ ભારતીય ટપાલ વિભાગમાં ટોપ-ટુ-બોટમ ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી બન્યા છે, તે નક્કર હકીકત જ છે ને?
હાલમાં ભારતીય ટપાલ વિભાગની રાજ્ય-ડિવિઝન કક્ષાની કચેરીઓ તથા અધિકારીઓ જેવી ફરજનિષ્ઠા હવે ઘણાં સ્થળે ગ્રાસરૂટના કર્મચારીઓ-કચેરીઓમાં દેખાતી નથી, તેથી નવી ભરતીના કર્મચારીઓ જુના ટપાલીઓ જેવી સંવેદનશીલતા અને નિષ્ઠા ધરાવતા થાય, સીધી પબ્લિક સાથે સંપર્કમાં આવતી ટપાલ કચેરીઓના નાના અધિકારીઓ, ક્લાર્કો, ટપાલીઓ વગેરે પ્રો-પબ્લિક અભિગમ અપનાવતા થાય, તે અત્યંત જરૂરી છે, કારણ કે કુરિયર સેવાઓ તથા ઓનલાઈન સંદેશાવ્યવહારના યુગમાં ટકી રહેવા માટે હવે લોલંલોલ કે બેદરકારી ચાલે તેમ જ નથી, તે પણ નક્કર વાસ્તવિક્તા જ છે ને?
અત્યારે પણ રાષ્ટ્રીયકૃત બેંકો, રાજ્ય-કેન્દ્ર સરકારની કચેરીઓ, સરકારી કામકાજ કરતી ખાનગી એજન્સીઓ, અદાલતો તથા અન્ય સરકારી અને બંધારણીય સંસ્થાઓ તમામ પત્રવ્યવહાર અને પબ્લિક સાથેનો પત્રાચાર માત્ર ટપાલ વિભાગ દ્વારા સંચાલિત સેવાઓ મારફત જ કરી રહી હોવાથી ટપાલ તંત્રની બેદરકારી કે વિલંબ ઘણી વખત ઘણા લોકો માટે મુશ્કેલી અને સમસ્યા વધારી શકે તેમ હોવાથી ટપાલ ખાતુ સવેળા જાગૃત બને, તે સમયની માંગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આ વખતે દિવાળીના તહેવારો, વેકેશન અને નાતાલના મીની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં બેકાબૂ કહી શકાય, તેવી ભીડ જોવા મળી હતી. કેટલાક દિવસોમાં તો જગતમંદિરમાં પણ મેન્યુલ ટ્રાફિક જામ થઈ ગયો હોય, તેવા દૃશ્યો સર્જાયા હતાં. સુદર્શન બ્રીજ બન્યા પછી બેટદ્વારકાના મુખ્ય મંદિરમાં પણ યાત્રાળુઓનો પ્રવાહ અનેકગણો વધી રહ્યો છે, જ્યારે નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના અન્ય યાત્રાધામો અને શિવરાજપુર, ઓખામઢી બીચ જેવા પ્રવાસન સ્થળોમાં સહેલાણીઓ પણ વધી રહ્યા છે, અને એવી જ ભીડ દ્વારકાના ગોમતી કાંઠે તથા ચોપાટી ઉપરાંત પૂર્વદરવાજે તથા બજારોમાં પણ મોટાભાગે જોવા મળતી હોય છે. એમાં પણ ભીડ વચ્ચે જ્યારે રખડુ સાંઢ સામસામા શિંગળા ભરાવીને યુદ્ધે ચડે, ત્યારે થતી નાસભાગ પણ ખતરનાક હોય છે.
આ તો થઈ મંદિરોની વાત, પરંતુ ઘણાં ધાર્મિક, સામાજિક અને અન્ય કાર્યક્રમોમાં પણ ઘણી વખત અચાનક વધી જતો જનપ્રવાહ ધક્કામૂક્કી સર્જતો જોવા મળતો હોય છે, તે ઉપરાંત બીમારી-રોગચાળાનો વધારો થાય ત્યારે દવાખાના, હોસ્પિટલોમાં પણ ધક્કામૂક્કી જેવા દૃશ્યો સર્જાતા હોય છે. એટલું જ નહીં, રેશનકાર્ડ લીન્ક, આધાર કાર્ડ કેન્દ્રો, સરકારી સેવાઓ, પોસ્ટ ઓફિસો તથા બેંકોમાં પણ ઘણી વખત ભીડ વધી જતા ધક્કામૂક્કી અને નાની-મોટી તકરારો થતી જોવા મળે છે.
આ ધક્કામૂક્કીના મૂળમાં અપુરતી વ્યવસ્થાઓ, દૂરંદેશીનો અભાવ અને ખાસ કરીને માનવસહજ ઉતાવળ જવાબદાર હોય છે, પરંતુ આ જ પ્રકારની ધક્કામૂક્કીના કારણે તિરૂપતિની તાજેતરની ઘટનાની જેમ લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોવાથી સમગ્ર 'સિસ્ટમ' સુધારવી જરૂરી છે, ખરૃં કે નહીં?
દેશમાં ચોતરફ અત્યારે તિરૂપતિમાં ધક્કામૂક્કી થતા ભાવિકોના થયેલા મૃત્યુની ચર્ચા છે. તિરૂપતિમાં જે ધક્કામૂક્કીના દૃશ્યો સર્જાય, તેવા જ દૃશ્યો હાલાર સહિત ગુજરાત અને દેશના ઘણાં મંદિરો તથા ધાર્મિક આયોજનો દરમિયાન સર્જાતા હોય છે. મંદિરોના ટ્રસ્ટો, સમિતિઓ અને સંચાલકો-વ્યવસ્થાપકોએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે મુલાકાતીઓ-દર્શનાર્થીઓનો પ્રવાહ તો વધતો જ રહેવાનો છે, તેથી પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થાઓ હવે ચાલે તેમ નથી, અને તેમાં સમયોચિત સુધારા-વધારા થવા જરૂરી છે. આ જ પ્રકારની સાવચેતી હોસ્પિટલો, બેંકો, સરકારી કચેરીઓ, પાલિકા-મહાપાલિકાઓ, આધાર કેન્દ્રો, સેવા કેમ્પો, મેડિકલ કેમ્પો, યજ્ઞો-નેત્રયજ્ઞો વગેરેનું આયોજન કરતા આયોજકો, પ્રાણપ્રતિષ્ઠા, સમૂહલગ્નો કે સહાય વિતરણ જેવી પ્રવૃત્તિઓ યોજતા આયોજકો અને ખાસ કરીને તદ્વિષયક સલામતી-સુરક્ષા માટે જવાબદાર સરકારી, અર્ધસરકારી સંસ્થાકીય અને ખાનગી તંત્રો-એજન્સીઓએ પણ રાખવી જ પડે તેમ છે. હવે લોલંલોલ ચાલે તેમ નથી, કારણ કે ઠેર-ઠેર 'તીસરી આંખ' અને પ્રેસ-મીડિયાના કેમેરા ઉપરાંત હવે તો સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા હોય તેવા જાગૃત નાગરિકોના મોબાઈલ સેલ ફોનની 'ચોથી આંખ' પણ અત્ર-તત્ર સર્વત્ર 'એક્ટિવ' હોય છે!
દેશના માર્ગ-વાહન વ્યવહાર મંત્રી ખુદ જ અકસ્માતોના કારણે હોમાતી જિંદગીઓના આંકડાઓ સાથે વાહનચાલકોને ગતિમર્યાદાના પાઠ શીખવતા જોવા મળે છે, અને હિંમતપૂર્વક વર્તમાન સમયની વાસ્તવિક્તા સ્વીકારતા પણ સંભળાય છે, પરંતુ આ તમામ કારણોસર સડકો પર હોમાતી જિંદગીઓનું જવાબદાર કોણ? તેનો જવાબ ક્યાંયથી મળતો નથી. નિંભર તંત્રો, બિસ્માર માર્ગો અને ટ્રાફિક વ્યવસ્થાઓના અભાવ ઉપરાંત લોકોમાં પણ આ અંગે લાપરવાહી, ટ્રાફિક સેન્સનો અભાવ, બેફામ ડ્રાઈવીંગ, તેજ ગતિથી અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવવા, થોભાવવા કે પાર્ક કરવાની ભૂલ 'વટ'થી કરવાની માનસિક્તા પણ જીવલેણ દુર્ઘટનાઓ માટે એટલી જ જવાબદાર છે, જેટલી જવાબદાર સડેલી અને ભ્રષ્ટ થયેલી 'સિસ્ટમ' છે!
વાહન ચલાવીને કોઈ સ્થળે સમયસર કે ઝડપથી પહોંચવાની ઉતાવળ હોય કે પછી મંદિરોમાં દર્શન કરવાની ઉતાવળ હોય, સરકારી કામોની કંટાળાજનક લાઈનોમાં ઝડપથી વારો આવી જાય, તેવી તાલાવેલી હોય કે હોસ્પિટલ-કેમ્પોમાં તાકીદે વારો આવી જાય, તેની તત્પરતા હોય, એ યાદ રાખવું જોઈએ કે દુર્ઘટના સે દેર ભલી!!
ગતિમર્યાદાનો સિદ્ધાંત રોડ પર સડસડાટ દોડતા વાહનો હોય કે શેરી-મહોલ્લા-ગલીઓમાંથી પસાર થતા નાના-મોટા વાહનોના ચાલકો હોય, સરકારી વાહનો હોય કે (સરકારી તંત્રો પણ કદાચ જેનાથી ડરતા હોય) તેવા ખાનગી (કંપનીઓના) વાહનો હોય, વાહન દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર વ્હીલ હોય કે બસો અથવા તોતિંગ ખટારા હોય, છોટા હાથી હોય કે નબીરાઓની ગાડીઓ હોય... બધાએ ચૂસ્તપણે પાળવો જ પડે... કેટલાક અકસ્માતો તો 'વટ' મારવામાંથી જ ઉત્પન્ન થતા હોય છે ખરૃં કે નહીં?
ગતિમર્યાદા, પાર્કિંગ, વન-વે તથા ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પાલન કરે કોણ? પગની નીચે રેલો આવે, ત્યારે હડિયાપટ્ટી કરતા તંત્રો કાયમી ધોરણે ચપળ કેમ રહેતા નથી? સિસ્ટમને શિષ્ટાચારના સ્વરૂપમાં ભરખી રહેલા હપ્તાફેઈમ ભ્રષ્ટાચાર સ્વરૂપી ઉધઈ કોરીને ખાઈ રહી છે, પરંતુ તેને અટકાવવાવાળું કોઈ નથી, કારણ કે આ પ્રકારની ઉધઈઓના ઉદ્ભવસ્થાનો ક્યાં ક્યાં છે અને ક્યા ક્યા છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
જામનગરને ફરતો રીંગરોડ ઘણાં વર્ષોથી કામો ચાલતા હોવા છતાં પૂરો થતો જ નથી. તેનું જવાબદાર કોણ? આ રીંગ રોડ પર સમર્પણ હોસ્પિટલ તરફથી દિગ્જામમીલ થઈને બેડીબંદર તરફ જતા માર્ગે રહેણાંક વિસ્તારોની વચ્ચેથી પૂરપાટ દોડતા ખટારા, બસો અને અન્ય વાહનોના કારણે ભયંકર અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, તેમ છતાં યાદવનગરથી લઈને દ્વારકાધીશ સોસાયટી સુધીના માર્ગે આડેધડ ખટારા-બસોનું પાર્કિંગ થતું હોવાથી ખતરનાક દુર્ઘટનાની વધુ શક્યતાઓ રહેતી હોવા છતાં લોકલ નેતાઓની ચૂપકીદી અને તંત્રોની 'મજબૂરી' લોકોને નથી... આવી જ સ્થિતિ નગરના ઘણાં વિસ્તારોમાં છે, ખરૃં કે નહીં?
હવે ગતિમર્યાદા અને ભીડ નિયંત્રણ માટે નવી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને 'સિસ્ટમ'ને જડમૂળથી બદલવી પડે તેમ છે. એટલું જ નહીં, લોકોએ એટલે કે (આપણે) પણ 'વટ' મારવાની માનસિક્તા બદલવી પડે તેમ છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં બહાદુરી નથી, બેફામ ડ્રાઈવીંગ એ કુશળતા નથી અને બિનજરૂરી ધક્કામૂક્કી કે તકરારોથી સમય વધુ બગડતો હોય છે, તેટલું સમજાય જાય તો ય ઘણું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે સમાચાર આવ્યા કે દ્વારકા જિલ્લાની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ થઈ ગઈ છે અને ૬૯૦૦ નવા મતદારો ઉમેરાયા છે, તો ર૭૦૦ થી વધુ મતદારોના નામો કમી પણ કરાયા છે. નવા મતદારોને ટપાલ દ્વારા ઘેર બેઠા ઓળખપત્રો પહોંચાડાશે, વગેરે... વગેરે...
આ જ રીતે ગઈકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરતી વખતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પણ દિલ્હીની મતદારયાદીઓમાં ઉમેરાયેલા અને રદ્ કરાયેલ મતદારોની સંખ્યા અને તેને સંબંધિત આંકડાકીય વિગતો આપી. એટલું જ નહીં, મતદારયાદીઓમાંથી હજારો નામ ગાયબ કરી દેવાયા, તો કેટલાક વિસ્તારોમાં ઉમેરી દેવાયા હોવાના આક્ષેપોને મક્કમતાથી ફગાવી દઈને તમામ પ્રક્રિયાત્મક હકીકતો, ચોક્સાઈ અને ટ્રાન્સપરન્સી સમજાવી હતી. આ મુદ્દો તે પછી રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાયો હતો, અને બેબુનિયાદ આક્ષેપો કરવાની માનસિક્તા તથા લૂલો બચાવ કરાતો હોવાની દલીલોનું દંગલ સર્જાયું હતું.
ચૂંટણ ભલે દિલ્હી વિધાનસભાની હોય, દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય, રાષ્ટ્રીય કક્ષાની હોય, પ્રાદેશિક કક્ષાની હોય કે પછી સહકારી ક્ષેત્રોની હોય, તેનું મહત્ત્વ લોકતાંત્રિક પ્રક્રિયાની દૃષ્ટિએ સમાન જ ગણાય, અને ચૂંટણી પ્રક્રિયાઓમાં જો આશંકાઓ જાગે કે આક્ષેપો થાય, તો તેની સ્પષ્ટતા કરવાની ચૂંટણી પંચની ફરજ છે, જે મુખ્ય ચૂંટણી કમિશનરે બજાવી, પરંતુ તેમાંથી જે તારણો અને વિશ્લેષણો ઉત્પન્ન થયા છે, અને ચૂંટણી પંચની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજનેતાઓના બેહુદા નિવેદનોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે જે કડક ટિપ્પણીઓ કરી, તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે આપણી સામે જ છે ને?
ગઈકાલે દિલ્હીમાં ભાજપ પર આક્રોશિત આમ આદમી પાર્ટીના નેતાઓએ મીડિયાને સાથે રાખીને મુખ્યમંત્રીના આવાસ (શિશમહેલ) અને વડાપ્રધાનના નિવાસસ્થાન (રાજમહેલ) માં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેઓને અટકાવ્યા તો આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે આ તમાશો નિહાળી કોંગ્રેસે વહેતી ગંગામાં હાથ ધોવાનું ટાળ્યું!!
જો કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ માટે પોતાનો જનાધાર વધારવા અને મેળ આવી જાય તો સત્તારૂઢ થવાની તક છે, તો આ વખતે આમ આદમી પાર્ટી માટે કપરાં ચઢાણ ગણાવાઈ રહ્યા છે. હજુ ચૂંટણીની તારીખો જ જાહેર થઈ છે, ત્યારે પ્રારંભિક અનુમાનો પછી દબાતા અવાજે પણ એવા તારણો તો નીકળી જ રહ્યા છે કે, પહેલા જેવી પ્રચંડ બહુમતી નહીં મળે, તો પણ દિલ્હીમાં સરકાર તો 'આપ'ની જ રચાશે, સાથે સાથે એવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે કે બહુપાંખિયો જંગ હોવાથી આ વખતે 'આપ'નું ધોવાણ પણ થઈ શકે છે!
દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા એવું જણાતું હતું કે મુખ્યમંત્રીપદ માટે કોંગ્રેસ કે ભાજપ પાસે કેજરીવાલ જેવો કદાવર ચહેરો પણ નથી અને પ્રચંડ જનાધાર ધરાવતો કોઈ મોટો નેતા પણ નથી, તેથી આમ આદમી પાર્ટી માટે ચૂંટણીઓ જીતવી સરળ હશે, પરંતુ કોંગ્રેસે ભાજપ કરતા પણ વધુ અક્રમક્તાથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી ચિત્ર બદલાયું અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોફ્ટ હિન્દુત્વનું વલણ અપનાવાતા જોવા મળ્યા. નવાઈની વાત એ છે કે દિલ્હીમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હજારો પરિવારોની ચિંતા કરવાના બદલે મુખ્યમંત્રીના આવાસ માટે 'આપ' લડાઈ લડી રહી છે, અને ભાજપ પણ આ જ પ્રકારના રાજકીય મુદ્દાઓ ઊઠાવી રહી છે, અને તેમાંથી જ શિશમહલ અને રાજમહલ જેવા વિવાદો ઊભા થયા છે. આમ પણ આ 'મહેલો'ના વિવાદોમાં જ જનતાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ દબાઈ જ જતા હોય છે ને?
દિલ્હીમાં જ્યારે માયાવતીએ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કર્યા પછી ભાજપને રાજકીય ફાયદો થશે, તેમ જણાતું હતું, પરંતુ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ખુલુ સમર્થન આપ્યા પછી ચિત્ર બદલાયું છે, અને કોંગ્રેસ એકલી અટુલી પડી ગઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા, ત્યારે કોંગ્રેસે કહ્યું કે દિલ્હીમાં 'આપ' અને ભાજપને સત્તાથી દૂર રાખવા હવે મતદારો પાસે માત્ર કોંગ્રેસ જ એક વિકલ્પ રહ્યો છે. ટૂંકમાં કોંગ્રેસ કહે છે કે, 'જિસ કા કોઈ નહીં, ઉસકા તો 'વોટર' હૈ યારોં'...!!
જો કે, આ વખતે દિલ્હીના વોટર્સ પણ કદાચ કન્ફ્યુઝનમાં છે, તેથી આગામી ત્રણ અઠવાડિયામાં દિલ્હીના મતદારો ફરી એક વખત શીલા દિક્ષિતના પુત્ર સંદીપ દિક્ષિતના નેતૃત્વને સ્વીકારીને કોંગ્રેસને સત્તા સોંપશે, ભાજપને તક આપશે કે પછી ફરીથી કેજરીવાલમાં વિશ્વાસ મૂકશે, તે જાણવા માટે તો આઠમી ફેબ્રુઆરીની વાટ જ જોવી પડશે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત જામનગર જિલ્લા તથા હાલારમાં ભાજપના પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા હોય કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર થયા પછી રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં આવેલો ગરમાવો હોય,ં જામનગરમાં કામચલાઉ બસડેપો હોય કે આવી રહેલો પતંગોત્સવ હોય, પબ્લિકમાં આ મુદ્દાઓને લઈને જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે, અને સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટોના ઘોડાપૂર આવ્યા હોય તેમ જણાય છે. આ પ્રકારના પ્રચંડ પ્રચારના વાવાઝોડા વચ્ચે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોથી લઈને નોકરિયાત વર્ગ તથા કૃષિકારોના વર્તુળોમાં પણ કેન્દ્રિય બજેટના અનુમાનો થવા લાગ્યા છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ જોહર થઈ ગયા પછી કેન્દ્ર સરકારબ બજેટમાં તો દિલ્હી ક્ષેત્રને લઈને કોઈ વિશેષ જાહેરાત નહીં કરી શકે, પરંતુ સમગ્ર દેશની સાથે દિલ્હીની જનતાને પણ ફાયદો પહોંચે તેવી સર્વગ્રાહી જાહેરાતો બજેટમાં જરૂર થઈ શકે છે, અને તેમાં પણ ભાજપનાએક નેતા અને ઉમેદવારે બફાટ કર્યા પછી થયેલા પોલિટિકલ નુક્સાન પછી ડેમેજ કન્ટ્રોલ માટે કેન્દ્રિય નાણામંત્રી મહિલાઓને લઈને કોઈ દેશવ્યાપી પેકેજ કે સ્પેશ્યલ પેકેજની જાહેરાત પણ કરી શકે છે. આ પ્રકારના અંદાજો વચ્ચે કેન્દ્રિય નાણામંત્રી જ નહીં, પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ચિંતાજનક અહેવાલો આવ્યા છે, અને તેની ચિંતાની અસર પણ પ્રવર્તમાન રાજકીય પ્રવાહો પર પડ્યા વિના રહેવાની નથી.
અહેવાલો મુજબ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર ૬.૪ ટકા જ રહેશે, તેવો અંદાજ મૂકાયો છે, જે મોદી સરકાર અને નાણામંત્રી માટે ઝટકારૂપ ગણાવાઈ રહ્યો છે.
ગયા વર્ષે ભારતનો જીડીપી ૮.ર ટકા રહ્યો હતો, અને હવે આ વર્ષે ૬.૪ ટકાનું આ વાર્ષિક અનુમાન ભારતીય અર્થતંત્ર માટે કેટલું ચિંતાજનક છે, અને તેની વિસ્તૃત ચર્ચાઓથી બચવા કેન્દ્રિય બજેટમાં કેવા ઉપાયો થશે, તેની અલગથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વિવિધ આંકડાકીય માહિતી અને અધિકૃત ડેટા માટે કાર્યરત રહેતી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનજીઓ) દ્વારા ગઈકાલે કરાયેલી જાહેરાત મુજબ ૬.૪ ટકાનો જીડીપી વૃદ્ધિ દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ વર્ષ માટે જાહેર કરેલા અંદાજ ૬.૬ ટકા કરતા પણ ઓછો હોવાથી એવું કહી શકાય કે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ છે. એક તરફ દિલ્હીની ચૂંટણીઓ તથા આગામી વર્ષે થનારી વિવિધ અન્ય ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને લોભામણું બજેટ રજૂ કરવાની જરૂર છે, તો બીજી તરફ ચાલુ વર્ષે જીડીપીને લાગનારા ઝટકાને સરભર કરવાના ઉપાયો પણ આગામી બજેટમાં જ કરવા પડે તેમ છે, ત્યારે જોઈએ, નાણામંત્રી કેવો રસ્તો અપનાવે છે તે...
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં પણ શેરબજારની જેમ જ ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર (ક્વાર્ટર) ઘટીને પ.૪ ટકા જ રહી ગયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વધીને ૬.૬ ટકા થશે, તેવી આરબીઆઈની ધારણા પણ સાચી પડી રહી નથી અને ૬.૪ ટકાનું નવું અનુમાન સામે આવ્યું છે, ત્યારે કેન્દ્રિય નાણામંત્રી સાથે બજેટ પહેલા જ દ્વિધામાં મૂકાઈ જવું પડે, તેવા આ સંજોગો સર્જાતા છેલ્લા એકાદ-બે અઠવાડિયાથી કેન્દ્રિય બજેટને લઈને થઈ રહેલી અટકળોમાં પણ બદલાવ આવ્યો છે, અને નવા અનુમાનો થઈ રહ્યા છે. પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ થવાનું છે, અને તે પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી થવાની છે, જે શાસક ગઠબંધન માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તો બીજી તરફ જીડીપીના નિર્ધારિત અનુમાનોમાં થતો ઘટાડો દેશની અર્થતંત્રની મબજબૂતી માટે ચિંતાજનક છે, તેથી આગામી કેન્દ્રિય બજેટ પર સૌ કોઈની નજરો મંડાયેલી રહેવાની છે.
એક તરફ મોદી સરકાર વિવિધ ક્ષેત્રે ઊંચા લક્ષ્યો સિદ્ધ કરવાના દાવા કરતી રહે છે, તો બીજી તરફ જીડીપીના અનુમાનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે, તેથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે ઈન્ડિયન ઈકોનોમીને ઝટકો કેમ લાગ્યો? તેવા પ્રશ્નનો ઉત્તર ક્યાંયથી મળી જ રહ્યો નથી.
ગઈકાલે દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીના મતદાન અને આઠમી ફેબ્રુઆરીના મતગણતરીની જે જાહેરાત થઈ છે, તે પછી દિલ્હીમાં સ્વાભાવિક રીતે જ હલચલ તેજ થઈ ગઈ છે, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજનેતાઓ દ્વારા મહિલાઓને સાંકળીને જે ગંદી ટિપ્પણીઓ થાય છે, તેની સ્પષ્ટ શબ્દોમાં ટિકા કર્યા પછી રમેશ બિઘુડીના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ફરીથી વિરોધનો વંટોળ ઊઠતા ભાજપ ભોંઠપ અનુભવી રહ્યું હશે... હવે જોઈએ, બિઘુડીનું શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અત્યારે નગરથી નેશન સુધી એચએમપીવી વાયરસની જ ચર્ચા ચાલી રહી છે. આ જૂનો વાયરસ નવા સ્વરૂપે પ્રગટ થતાં ચીનથી શરૂ થયેલી આ બીમારી હવે ભારતમાં પ્રવેશી ચૂકી છે અને ગુજરાતમાં પણ એચએમપીવીનો શંકાસ્પદ બાળદર્દી નોંધાયા પછી સમગ્ર રાજ્યમાં આરોગ્ય અને તબીબી તંત્રો સતર્ક થઈ ગયા છે. જી. જી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થાઓ સાથે જરૂરી માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આ વાયરસના લક્ષણો અને જરૂરી સાવચેતીઓ ઉપરાંત તેના ઉપચારને લઈને પણ ગહન ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે, આ વાયરસ ઘણો જૂનો છે, અને કોવિડ-૧૯ જેવો ખતરનાક નથી, તેવા મતલબના તબીબી નિષ્ણાતોના અભિપ્રાયો ઉપરાંત ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલથી લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સુધીના અધિકૃત મંત્રીઓએ પણ આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ બાળકો તથા ખૂબ જ વૃદ્ધોને આ વાયરસ વધુ અસર કરતો હોવાથી જરૂરી સાવધાની રાખવાની જરૂર હોવાની વાત કરી છે. એકંદરે આ વાયરસ ભલે કોવિડ-૧૯ જેટલો અત્યારે ખતરનાક ન ગ્ણાવાઈ રહ્યો હોય, તો પણ જરાયે બેદરકાર રહેવું પાલવે તેમ નથી, અને એ દૃષ્ટિએ જ નગરથી નેશન સુધીના તંત્રો સતર્ક અને સક્રિય થયા હશે ને ?
એક ગુજરાતી કહેવત છે કે દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે, અને હાલમાં કોવિડ-૧૯ના કડવા અનુભવો પછી આખી દુનિયા એચએમપીવીને હળવાશથી લઈ રહી નથી, તેથી એમ પણ કહી શકાય કે દૂધનો દાઝયો છાશને ફૂંકો ભલે ન મારે, પરંતુ છાશ બગડેલી તો નથી ને ? તેની ખાત્રી કરી લ્યે તે અત્યંત જરૂરી છે. કોઈપણ સંક્રમણને પ્રારંભમાં હળવાશથી લેવાના કેવા ગંભીર પરિણામો ભોગવવા પડે છે, તે કોરોના મહામારીએ દુનિયાને શિખવી જ દીધું છે. યોગાનુયોગ ચીનમાંથી જ્યારે કોવિડ-૧૯નું સંક્રમણ વિશ્વમાં ફેલાવવા લાગ્યુ અને ભારતમાં દસ્તક દીધી હતી ત્યારે દેશમાં રાજકીય માહોલ પણ ગરમ હતો. લોકસભામાં વિજય મેળવ્યા પછી એનડીએની સરકાર રચાઈ ચૂકી હતી, અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી રિપીટ થયા હતં. આ વખતે પણ લોકસભાની ચૂંટણી પછી એનડીએની સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. ફરક એટલો જ છે કે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં એકલા ભાજપની બહુમતી હતી, પરંતુ વર્ષ-ર૦ર૪ની લોકસભાની ચૂંટણી પછી ભાજપ બહુમતી થી ઘણું દૂર રહી જતાં એનડીએના સાથીદાર પક્ષો જેડીયુ અને ટીડીપી ની કાંખઘોડીના આધારે સરકાર રચવી પડી છે !
દેશની શાણી જનતાએ ભાજપના નેતાઓને ઘંડ છોડવા અને માપમાં રહેવા તથા વિપક્ષોને વધુ મહેનત કરવા અને વાસ્તવિક રીતે જનલક્ષી બનવાનો જનાદેશ આપ્યો હતો પરંતુ કેટલાક નેતાઓ મતદારોનો આ સંકેત સમજ્યા હોય, તેમ જણાતું નથી અને ઉભય પક્ષે વિવાદાસ્પદ નિવેદનો તથા અશોભનિય ટિપ્પણીઓ બંધ થઈ નથી...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ ભાજપના નેતા રમેશ બિઘુડીએ એવા નિવેદન કર્યા, જેથી ભારતીય જનતા પક્ષ બેકફૂટ પર તો આવી જ ગયો, સાથે સાથે ભૌઠપ પણ અનુભવવી પડે.
હકીકતે બિઘુડીએ દીલ્હીના કેટલાક બિસ્માર માર્ગાેને લઈને પ્રિયંકા ગાંધીને ટાંક્યા, અને દાયકાઓ પહેલા લાલુ પ્રસાદ યાદવે હેમા માલિનીને ટાંકીને જેવું નિવેદન કર્યું હતું, લગભગ તેવું જ વિવાદાસ્પદ નિવેદન કર્યું અને તેમણે દિલ્હીના વર્તમાન મહિલા મુખ્યમંત્રી આતિશી અને તેના પિતાને લઈને જે અભદ્ર ગણી શકાય, તેની ટિપ્પણી કર્યા પછી જબરદસ્ત વિરોધનો વંટોળ ઉઠયો અને ત્રિ પાંખિયા જંગમાં ભાજપની સામે પ્રતિસ્પર્ધી બન્ને પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે એક થઈ ગયા , તે પછી બિઘૂડીએ ખેદ વ્યક્ત કર્યાે, અને તે પ્રકારની પોષ્ટ સોશ્યલ મિડીયામાં મૂકી, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું હવે ભાજપની નેતાગીરી આ બફાટને લઈને કડક કદમ નહીં ઉઠાવે તો દીલ્હીના મહિલા મતદારો એક જૂથ થઈને પાઠ ભણાવશે, તેવા અભિપ્રાયો પણ રાજકીય વિશ્લેષણો વ્યક્ત કરી રહ્યા છે.
આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની સાથે જ ત્યાં આચર સંહિતા લાગુ થઈ ગઈ છે અને હવે રિમોટ કંટ્રોલથી ચાલતી દિલ્હીની સરકાર કોઈ નવી જાહેરાતો કરી શકે તેમ નથી, તેથી હવે ચૂંટણીઓમાં રેવડી ફેઈમ વાયદાઓ કરવાની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠશે તેમ જણાય છે. આ વખતે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ તાકાત લગાવીને ભાજપ અને આમ આદમી પાર્ટીને પછાડીને દિલ્હીમાં સત્તા મેળવીને પોતાની રાષ્ટ્રીય મજબૂતી વધારવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે દિલ્હીની જનતા (મતદારો) કેવો નિર્ણય લેશે, તે જોવાનું રહે છે. જો કે, દિલ્હીમાં 'આપ'ને પછાડવું સરળ નથી, પરંતુ કૌભાંડોના આક્ષેપો તથા કેટલીક અન્ય વાસ્તવિકતાઓ જાહેર થયા પછી 'આપ' માટે પણ તોતીંગ બહુમતી સરળ જણાતી નથી, જોઈએ શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ-ગોળ ફરતી રહે છે, અને તેથી ઋતુ બદલાય છે, અને દિવસ-રાત થાય છે. આ કુદરતી ક્રમમાં હવે ગ્લોબલ વોર્મીંગ તથા ક્લાઈમેટ ચેઈન્જ જેવા પરિબળો ઉમેરાયા છે, જે ઋતુચક્રને પ્રભાવીત કરી રહ્યા હોવાની ચિંતા પણ હવે વિવિધ પ્રકારના ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પરથી વ્યક્ત થવા લાગી છે. આ મુદ્દો હવે ગ્લોબલ ટોકીંગની પ્રથમ હરોળમાં છે, જેનો ઉકેલ લાવવામાં વિકસિત દેશોની આડોડાઈની ચર્ચા પણ થતી રહે છે.
અત્યારે પૃથ્વીના એક ભાગમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે, અને ઠેર-ઠેર બરફના તોફાને જન-જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે, તો બીજી તરફ ૪પ અંશે પહોંચેલા તાપમાનથી પ્રચંડ ગરમીનો પ્રકોપ પણ પૃથ્વીના બીજા ભાગોમાં તબાહી મચાવી રહ્યો છે, તેવી દહેશતે પણ કેટલાક વિશ્વના ભાગોમાં ભય ફેલાવ્યો છે.
એક તરફ ગ્લોબલ વોર્મીંગથી પૃથ્વીનું વાતવારણ પલટી રહ્યું છે, તો બીજી તરફ અશાંતિ, યુદ્ધો, ગૃહયુદ્ધો, વિવાદો અને આંતરિક ઉથલ-પાથલના કારણે ઘણાં દેશોમાં ઊભી થયેલ વિચિત્ર સ્થિતિના કારણે પૃથ્વી પરનો રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. અમેરિકામાં વિદાય લઈ રહેલા જો બાઈડનના અંતિમ કેટલાક નિર્ણયોને ટ્રમ્પને નારાજ કરી દીધા છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ભારતીય એજન્સીની 'રો' દ્વારા આતંકીઓની હત્યાઓ કરાવાઈ રહી હોવાના એક અમેરિકી અખબારે લગાવેલા સણસણતા આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજધાની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ અત્યારે હોદ્દા પર નહીં હોવા છતાં ભાજપને હંફાવી રહ્યા છે, અને આ ચૂંટણીમાં રાજ્ય કક્ષાની (પ્રાદેશિક) નબળી નેતાગીરીના કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવું પડ્યું છે, તે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કેજરીવાલની રાજકીય તાકાત દેખાડે છે, તેવા અભિપ્રાયો સામે ભાજપ દ્વારા કેજરીવાલને ડ્રામેબાજ અને આમ આદમી પાર્ટીને દિલ્હીવાસીઓ માટે 'આપદા' ગણાવાઈ રહી છે. આ ચૂંટણીમાં આક્રમક રીતે ત્રીજો મોરચો માંડીને કોંગ્રેસે પણ આક્રમક રીતે ઝંપલાવ્યું છે, અને ભાજપ તથા આમ આદમી પાર્ટીને પ્રજાવિરોધી તથા ભ્રષ્ટ ગણાવીને દિલ્હીમાં સત્તા મેળવવાના પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે, જેની સામે ('વોટરકટ' તરીકે?) માયાવતીએ બીએસપીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ ચતુર્મુખી ફાઈટમાં કોંગ્રેસ મેદાન મારી જશે તેવા તારણો સાથે 'બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો' તે પ્રકારની કહેવતો પણ ટાંકવામાં આવી રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...!!
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ડો નામની ભારતની ગુપ્તચર એજન્સી, જેને સંક્ષિપ્તમાં 'રો' તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા ભારત ભાડાના હત્યારાઓ દ્વારા આતંકીઓ તથા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની પોતાના ઘરમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું હોવાના સણસણતા આક્ષેપો થયા છે. 'વોશિંગ્ટન પોસ્ટ' નામના અમેરિકાના આંતરરાષ્ટ્રીય કક્ષાના અખબારમાં થયેલા આ આક્ષેપો 'ટોક ઓફ ધ ગ્લોબ' બન્યા છે, અને તેના સંદર્ભે વિશ્વકક્ષાએથી વિવિધ પ્રતિભાવો સાથે ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
આ અહેવાલો મુજબ ભારતે રાષ્ટ્રવિરોધી એવા પ૮ શત્રુઓની યાદી બનાવી છે, જે વિદેશોમાં છૂપાયા હોય કે પછી પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ષડ્યંત્રો રચાતા હોય, કે પછી આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હોય, રિપોર્ટ મુજબ છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ર૦ર૧ થી ર૦ર૪ દરમિયાન 'રો' દ્વારા પાકિસ્તાનમાં ૧૧ દુશ્મનોની હત્યા આ રીતે કરાવી નાંખવામાં આવી છે, અને હજુ ૪૭ દુશ્મનો સામે આ જ પ્રકારની પદ્ધતિથી કાર્યવાહી થઈ શકે છે.
આ અહેવાલો મુજબ વર્ષ ર૦રર માં તો આઈએસઆઈએ આ મુદ્દે સીઆઈએ (અમેરિકન જાસૂસી સંસ્થા) સમક્ષ રાવ (ફરિયાદ) પણ કરી હતી.
અત્યારે તો દિલ્હીની રાજનીતિ પણ ઉકળી રહી છે, તેમાં પણ ભાજપના એક નેતાએ દિલ્હીમાં અદ્યતન માર્ગો બનાવવાનો વાયદો કરતી વખતે ભાન ભૂલીને પ્રિયંકા ગાંધીને લઈને કરેલા નિવેદન પછી કથિત રીતે માફી માંગવી પડી, કેજરીવાલે મોદીને દિલ્હીની જનતાના વિરોધી ગણાવ્યા, તો મોદીએ આમ આદમી પાર્ટીને 'આપદા' ગણાવી તેની રાજકીય ચર્ચાએ કડકડતી ઠંડી વચ્ચે પણ માહોલ ગરમાવી દીધો છે. આ તરફ જામનગરમાં પણ કોઈ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ ગીત (ગઝલ) ને લઈને કોંગી નેતાઓ સામે કથિત આક્ષેપો થયા પછી રાજકારણમાં ગરમી આવી હતી.
ઈઝરાયેલ પર ગાઝામાં નિઃસહાય અને નિર્દોષ લોકો પર બોમ્બવર્ષા અને ગોળીબાર કરવાના સણસણતા આક્ષેપો થઈ રહ્યા છે, તો પાક-અફઘાન, ભારત-પાકિસ્તાન તથા બાંગ્લાદેશ, ચીન-તાઈવાન, ઈરાન-ઈઝરાયેલ તથા રશિયા-યુક્રેન જેવી તંગદિલીઓ વચ્ચે ઈસરો અને નાસા દ્વારા કેટલીક અંતરીક્ષની સફળતાઓ અને કેટલાક વૈશ્વિક સફળ અભિયાનોની નોંધ પણ લેવાઈ રહી છે. અત્યારે સૌથી વધુ ચર્ચા તો ચીનમાં ઉદ્ભવેલા નવા ખતરનાક વાયરસની જ થઈ રહી છે!
અત્યારે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબલ સ્તરે નૈસર્ગિક ટાઢોડા વચ્ચે રાજનીતિ ગરમ છે. પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ, તો કેટલાક દેશોમાં દુષ્કાળના ડાકલા સાથે પ્રચંડ ગરમી જોવા મળી રહી છે. મેરા ભારત મહાન... વસુધૈવ કુટુમ્બકમ્..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

શિયાળો જમાવટ કરી રહ્યો છે, અને હિમાચલમાં થતી હિમવર્ષાની અસરો હેઠળ ફૂંકાતા ઠંડા પવનોની સાથે હવે ઋતુગત શિયાળાનું સંયોજન થયું છે, ત્યારે વર્ષ ર૦૧૯-ર૦ ના ડિસેમ્બર-જાન્યુઆરીથી શરૂ થયેલી કોવિડ-૧૯ ની મહામારીએ વેરેલા વિનાશની કડવી યાદ તાજી થઈ જાય, તેવા અહેવાલોએ ભારત સહિત આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે.
ચીનમાં 'એચએમપીવી' નામનો વાયરસ ફેલાતા છેલ્લા કેટલાક દિવસોથી ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, અને સંખ્યાબંધ લોકોના જીવ જતા સ્મશાનો પણ પાર્થિવદેહોથી ભરપૂર થઈ ગયા છે, તે પ્રકારના અહેવાલો પછી કોવિડ-૧૯ ના પ્રારંભ સમયે જે સ્થિતિ ઊભી થઈ હતી, અને પ્રારંભમાં જે રીતે એ ખતરનાક વાયરસને ગંભીરતાથી લઈને વિશ્વના ઘણાં દેશોએ લાપરવાહી દાખવી હતી, તેને ટાંકીને એ ભૂલ ફરીથી ન થઈ જાય, અને એચએમપીવી વાયરસ સામે પણ અત્યારથી જ જરૂરી તમામ કદમ ઊઠાવાય,તેવી જરૂર પણ જણાવાઈ રહી છે.
તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ પણ મોટાભાગે આ જ પ્રકારના અભિપ્રાયો આપ્યા છે. તબીબી ક્ષેત્રના તજજ્ઞોને ટાંકીને એવા તારણો કાઢવામાં આવી રહ્યા છે કે આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તાકીદના પગલાં ભરવા જ પડે તેમ છે. લેબોરેટરી ક્ષેત્રના તજજ્ઞ ડો. ડેંગને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના એચએમપીવીનું સંક્રમણ ઝડપભેર વધીને તેનો પ્રકોપ બેકાબૂ બની રહ્યો છે, ત્યારે તેના લક્ષણો (સિમ્ટમ્સ) ની ઓળખ થવી જરૂરી છે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં ઝડપથી ફેલાતો શ્વસનતંત્રના આ રોગ જો બેકાબૂ બની જાય, તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
તબીબી ક્ષેત્રના ભારતીય નિષ્ણાતોના ભિન્ન ભિન્ન અભિપ્રાયો આવી રહ્યા છે. હેલ્થ સેક્ટરના ડાયરેક્ટર ડો. અતુલ ગોયલને ટાંકીને આ મહામારીના લક્ષણો વર્ણવાઈ રહ્યા છે, અને દેશવ્યાપી સર્વેક્ષણ કરીને આપણા દેશમાં શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓનો ડેટા એકઠો કરાઈ રહ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. એચએમપીવી વાયરસની મહત્તમ અસરો બાળકો અને વૃદ્ધોને થતી હોવાથી વયજુથ મુજબના ડેટા વર્ગિકરણ કરીને તંત્રો દ્વારા તકેદારીના તમામ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. શ્વાસને લગતા આ નવા વાયરસને લઈને ભારતભરમાં જરૂરી કદમ ઊઠાવાઈ રહ્યા છે, અને આ સંક્રમણ દીવાલો કે અન્ય સપાટીના સ્પર્શ કે સંક્રમિત વ્યક્તિની છીંક કે ઉધરસ દ્વારા ફેલાતો હોવાથી લોકોએ રાખવાની સાવચેતી અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ચીનમાં આ નવા વાયરસને કારણે હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોય, ત્યારે ભારત સરકારે પણ ગંભીરતાથી કદમ ઊઠાવીને આ મુદ્દે તત્કાળ કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડવી જોઈએ, તેવી માંગ પણ ઊઠી રહી છે. ચીનમાં હેલ્થ ઈમરજન્સી જાહેર થયા પછી સમગ્ર વિશ્વમાં હડકંપ મચ્યો છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ નવા વાયરસને કોવિડ-૧૯ ની જેમ મહામારી જાહેર કરીને કોઈ ગાઈડલાઈન જાહેર કરશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યા પછી આજે જે અપડેટ આવી રહ્યું છે તે આપણી સામે છે.
કોવિડ-૧૯ ના પ્રારંભે પણ ચીનમાં આવી સ્થિતિ હતી, જેની ગંભીરતા સમજાઈ નહોતી, અને રાજકીય ઘટનાક્રમોમાં વ્યસ્ત સરકારે પણ બહું ધ્યાન પ્રારંભમાં આપ્યું ન હતું, જેના દુષ્પરિણામો પણ આપણે ભોગવ્યા હતાં, જો કે તે સમયના કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પ્રારંભથી ઊઠાવેલા કેટલાક કદમ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયા હતાં. આ નવી સંભવિત મહામારી સમયે પણ દેશના આરોગ્ય મંત્રી પોતે આગળ આવીને આ મુદ્દે સરકારની તૈયારીઓ તથા નવી બીમારીની ગંભીરતા અને અધિકૃત નિવેદન આપે, તેની રાહ જોવાઈ રહી છે.
ચીનમાંથી ફેલાતી મહામારીઓ આખી દુનિયામાં ઉથલ-પાથલ સર્જે છે, અને નરસંહાર સર્જે છે, તે જોતા આ પ્રકારની મહામારીઓ કુદરતી નહીં, પરંતુ માનવ સર્જિત તો નથી ને? તેવી આશંકા પણ હંમેશાં વ્યક્ત થતી રહે છે.
ચીનનો વાયરસ અને વાયડાઈની વ્યંગાત્મક ચર્ચા પણ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગઈ છે. એવા અહેવાલો આવ્યા છે કે ચીને એક તરફ તો ભારત સાથે સંબંધો સુધારવાનું નાટક શરૂ કર્યું છે, તો બીજી તરફ લદ્દાખમાં ચીને બે નવી કાઉન્ટી (ગામ) ના નિર્માણની જાહેરાત કરી છે, જો કે તેની સામે ભારતીય દિેશ મંત્રાલયે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. ભારતે બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની યોજનાનો પણ સત્તાવાર રીતે વિરોધ કર્યો છે, અને બ્રહ્મપુત્રા નદીના નિચાણવાળા ભારતીય પ્રદેશોના હિતો સુરક્ષિત રાખવાની તાકીદ પણ કરી છે. આમ, ચીનનો વાયરસ અને ચીનની વાયડાઈ આજે નેશનલ અને ઈન્ટરનેશનલ ચર્ચાના મુદ્દા બન્યા છે, ભારતે ચીનને પૂછ્યું છે કે, 'યે કયા હો રહા હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

નવા વર્ષના પ્રારંભે જ અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમાં હિંસક અને આતંકી ઘટનાઓ બની, જીવલેણ અકસ્માતો થયા, ઘણાંના જીવ ગયા, ભારતનો રૂપિયો કંગાળ બન્યો અને આજે રોહિત શર્માની હકાલપટ્ટી પછી બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રારંભિક સેશનમાં જ ભારતીય ટીમની વિકેટો ટપોટપ પડવા લાગી, તે પ્રકારના અહેવાલો વચ્ચે સુરતની પોલીસે કુનેહપૂર્વક ઓરિસ્સાના દુષ્કર્મ અને હત્યાકેસના આરોપીઓને દબોચી લીધા, તેની વાહવાહી પણ થઈ રહી છે.
બીજી તરફ અમરેલીમાં ભાજપની કથિત આંતરિક ખેંચતાણ પ્રગટ કરતો જે 'લેટરકાંડ' થયો, અને તેમાં થયેલી ફરિયાદ પછી એક ટાઈપીસ્ટ યુવતીની થયેલી ધરપકડના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા. આ પ્રકરણ પછી રાજ્યની ભાજપ સરકાર હચમચી ગઈ અને ડેમેજ કંટ્રોલ માટે હડિયાપટ્ટી શરૂ કરી, તો કોંગ્રેસે આ મુદ્દે પાટીદાર સમાજની ખ્યાતનામ સંસ્થાનો હસ્તક્ષેપ માંગ્યો, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને 'લેટરબોંબ'નો વિવાદ એકબાજુ રહ્યો, અને હવે એક સામાજિક મુદ્દો ઉપસ્થિત થઈ રહ્યો છે, તેથી આ પ્રકારની રાજકીય ખેંચતાણમાં તંત્રની ભૂમિકાને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા 'ટોક ઓફધ સ્ટેટ' બની ગઈ છે.
અમરેલીની પડોશમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાં એક ગોડાઉનમાંથી દસ લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ બૂટલેગરો સામે ફરિયાદ દાખલ કરતા સ્થાનિક પોલીસ તંત્રમાં હડિયાપટ્ટી થઈ પડી અને ગોડાઉન સિમેન્ટ રાખવા માટે ભાડે આપનાર પૂછપરછ પણ થઈ, તે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. સ્થાનિક પોલીસતંત્રને જાણ કર્યા વગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા પછી રાજ્યભરમાં સ્થાનિક પોલીસતંત્ર પણ સાબદા થઈ ગયા છે, અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થયા પછી 'ચેકીંગ' અને 'ઝુંબેશ'ની મંદ પડેલી ગતિ ફરીથી તેજ થઈ ગઈ હોવાનો વ્યંગ પણ કેટલાક જિલ્લાઓમાં થવા લાગ્યો છે. આ ઉપરાંત થર્ટી ફર્સ્ટ પહેલાના અઠવાડિયા જેવી જ 'ડ્રાઈવ' કાયમી ધોરણે થતી રહેવી જોઈએ, તેવી સલાહો પણ અપાઈ રહી છે!
જો કે, જૂનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પછી ત્યાંના જ એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પત્ર પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો અને તેને પણ 'લેટરબોમ્બ' તરીકે વર્ણવીને તંત્રની વાસ્તવિક્તા પ્રગટ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે, જિલ્લા કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીએ ગત્ માર્ચ મહિનામાં જિલ્લાના પોલીસતંત્રના અધિકારીઓને પત્ર લખીને સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારૂની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જણાવીને ચેતવ્યા હતાં અને બહારની એજન્સીની કોઈ સફળ રેડનો ઉલ્લેખ તે વખતે પણ થયો હતો. એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે તે સમયે 'મીઠી નજર' હોવાના કથિત પોલીસકર્મીઓ-અધિકારીઓ સામે કડક પગલાં કેમ ન લેવાયા? જો તે સમયે જ કડક કદહ ઊઠાવ્યા હોત તો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાલમાં પડાયેલા કથિત દરોડા પછી જે નામોશી સહન કરવી પડી રહી છે, તેવી સ્થિતિ ઊભી જ ન થઈ હોત!
અંગ્રેજીમાં કહેવત છે કે સખાવતની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, એટલે કે કોઈને સલાહ આપતા પહેલા સ્વયં સુધરવું પડે. આપણે ત્યાં એક સંતની ટૂંકી વાર્તા ઘણી જ પ્રચલિત છે,જેમાં એક બાળકને ગોળ નહીં ખાવાની સલાહ આપતા પહેલા તે સતે પોતે ગોળ ખાવાનું છોડી દીધું હતું. 'ચેરિટી બિગીન્સ હોમ' એટલે કે દાનની શરૂઆત પોતાના ઘરથી જ કરવી જોઈએ, તેવી કહેવતોની અસર કેટલી થશે, તેને લઈને પણ એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે!
આપણે ત્યાં એક એવી કહેવત છે કે, ભેંસ પાસે ભાગવત વાચવાથી શું ફાયદો? બીજી એક કહેવત છે કે 'લાતોં કે ભૂત બાતોં સે નહીં માન તે'. ત્રીજી કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય, નાચવું ન હોય, તેનું આંગણું વાંકુ'... આ બધી જ કહેવતો ટૂંકામાં ઘણું બધું કહી જાય છે, પરંતુ નિંભર થઈ ગયેલા તંત્રો, સડી ગયેલી સિસ્ટમ, લાપરવાહ નેતાગીરી અને 'શિષ્ટાચાર'નું સ્વરૂપ લઈ ચૂકેલો હપ્તાખોર, ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે તેની સામે તંત્રની જ અંદર રહેલા પ્રામાણિક ઉચ્ચ અધિકારીઓથી લઈને ગ્રાસરૂટ સુધીના નિષ્ઠાવાન કર્મચારીઓ પણ લાચાર થઈ જતા હશે!!!
ગઈકાલે જ અહીં બેડીબંદર તરફ જતા રીંગ રોડની વ્યથા સહિત જામનગર શહેરની ચોતરફ વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારો તથા તેને સંલગ્ન સમસ્યાઓ વર્ણવી હતી, તેના આગલા દિવસે પણ નગરની મૂળભૂત જરૂરિયાતોની વાત કરી હતી. જામનગરમાં નિર્માણ થઈ રહેલા વિકાસકામોની સાથે સાથે લોકોની રોજીંદી વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, અને બહું તકલીફ ન પડે, તેવો અભિગમ પણ ધીમે ધીમે આકાર લઈ રહેલો જણાય છે. ત્યારે નગરના તંત્રો સંકલન કરીને સંપૂર્ણ રીંગરોડ સહિતના વિસ્તારોનું અવલોકન કરે, લોકોના અભિપ્રાયો માંગે અને જરૂરી કદમ ઊઠાવે તે જરૂરી છે. નેતાઓ તથા કોર્પોરેટરો, જનપ્રતિનિધીઓ પણ આ મુદ્દે 'ચૂંટણી ફેઈમ' વોર્ડવાઈઝ મિટિંગો કે સભાઓ કરીને સમસ્યાઓ ઉકેલશે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરની મહાનગરપાલિકાને વિકાસના કામો માટે જંગી રકમની ફાળવણી મુખ્યમંત્રીએ કરી હોવાના અહેવાલો પછી જામનગરના માર્ગોનું નવીનિકરણ થશે અને જામનગરની ચોતરફ રીંગરોડના વિસ્તૃતિકરણ અને આધુનિકરણનું મંથર ગતિથી ચાલતું કામ હવે વેગ પકડશે, તેવી આશા તો નગરજનોને બંધાણી છે, પરંતુ આ યોજનાનો અમલ થાય, અને કામો સંપન્ન થાય, ત્યાં સુધી નગરજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, તેવી રીતે વિકાસના કામો થવા જોઈએ અને સ્થાપિત હિતો તથા કેટલાક લાપરવાહ ધંધાર્થીઓ દ્વારા ઊભા થતા કૃત્રિમ અવરોધો હટાવીને લોકોની અવરજવર સલામત અને સરળ બનાવવા માટે મહાનગરપાલિકા, વહીવટી તંત્ર તથા પોલીસતંત્રે સંયુક્ત અભિયાન આદરવું અત્યંત જરૂરી છે.
જામનગરનું આધુનિક બસપોર્ટ બનાવવા માટે હંગામી ધોરણે બસડેપો પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવશે, તેથી સાત રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે તે પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી તથા ફ્લાય ઓવર બ્રીજનું કામ વધુ ઝડપી બનાવીને તત્કાળ પૂરૃં કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે જેવી રીતે ગુરૂદ્વારા ચોકડીથી સાત રસ્તા વચ્ચેનો માર્ગ ખૂલ્લો મૂકાયો, તેવી જ રીતે અન્ય બંધ કે અંશતઃ માર્ગો તેમજ ડાયવર્ટ કરેલા માર્ગો પણ તબક્કાવાર ખુલી જાય, તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.
નગરની ચોતરફ રીંગરોડનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે અને તેમાં સમાવિષ્ટ દિગ્જામ મીલથી બેડીબંદર રોડના કામના વિસ્તૃતિકરણ તથા આધુનિકરણનું કામ ખૂબ જ મંથર ગતિથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર કેટલાક ફેરિયા, લોકલ ધંધાર્થીઓ ટ્રાફિકને અવરોધરૂપ થાય, તેવી રીતે રોડ પર ચીજવસ્તુઓ કે બેઠક વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે, તેથી રોડ સાંકડો થઈ જાય છે. તે ઉપરાંત લક્ષ્મીકાંટા સુધી બન્ને તરફ તોતિંગ ટ્રકો રાત્રિના સમયે પાર્ક થઈ જાય છે, તથા કેટલીક ખાનગી કંપનીઓની બસો તથા અન્ય વાહનો પણ આ રીંગરોડ પર પાર્ક થઈ જતા બન્ને તરફથી અવરજવર કરતા વાહનોને પસાર થવાની જગ્યા પણ રહેતી નથી. આ સાંકડા થયેલા માર્ગ પર રાત્રિના સમયે પણ રખડુ ઢોર અડીંગા જમાવે કે આખલા યુદ્ધ થાય, તેવા દૃશ્યો હવે કાયમી બની ગયા છે.
સમર્પણથી બેડીબંદર તરફ જતા તોતિંગ ખટારા, રખડતા ઢોર અને અન્ય કારણોસર મહાકાળી સર્કલથી બેડીબંદર સુધીનો રોડ સાંકડો થઈ જતા ત્યાં ક્યારેક કોઈનો જીવ જાય, કે ખતરનાક જીવલેણ અકસ્માત થાય, તે પહેલા સંબંધિત તંત્રો કદમ ઊઠાવશે ખરા? તેવા પ્રશ્નો નગરજનોમાં ઊઠી રહ્યા છે.
આ વિસ્તારના કોર્પોરેટરો તથા સ્થાનિક નેતાગીરી અંગત રસ લઈને અને મહાનગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા સંકલન કરાવીને આ ભયજનક સંભાવનાઓ ટાળવા સમયોચિત કદમ નહીં ઊઠાવે તો અહીં સામૂહિક જીવલેણ વાહન અકસ્માતો ઉપરાંત ઢોરની ઢીંકથી મોત અથવા વણજોઈતી અનિચ્છિનિય તકરારો થવાનો ખતરો ઝળુંબતો જ રહેવાનો છે. લોકો એવો વેધક સવાલ પણ પૂછી રહ્યા છે કે આ મુદ્દે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ કેમ છે? શું વોટબેંકની રાજનીતિ આડે આવી રહી છે કે પછી પક્ષીય રાજકરણનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે?
આ તો જામનગરની ચોતરફ વિસ્તરી રહેલી સોસાયટીઓને સાંકળતા રીંગરોડ અને શહેરની વચ્ચેથી પસાર થતા ફ્લાયઓવર બ્રીજના ચાલી રહેલા કામોની આડઅસરોના કારણે ઊભી થતી સમસ્યાઓ તથા જીવલેણ ખતરાઓના જ દૃષ્ટાંતો છે, પરંતુ આ જ પ્રકારના દૃષ્ટાંતો ખંભાળિયા બાયપાસથી ખોડિયાર કોલોની, લાલપુર બાયપાસને જોડતા આંતરિક માર્ગો, ત્રણ દરવાજા વિસ્તાર, કાલાવડ નાકા અને સુભાષ માર્કેટથી બર્ધનચોક તથા માંડવી ટાવરથી પવનચક્કી, દિગ્વિજય પ્લોટને જોડતા માર્ગો અને તળાવની પાળની ફરતે આવેલા માર્ગો પર પણ અવારનવાર જોવા મળતા હોય છે.
અત્યારે રોજ-બ-રોજ ગમખ્વાર, કરૂણ અને ભયંકર રોડ અકસ્માતોના સમાચાર રોજ-બ-રોજ ટી.વી. કે અખબારો દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આપણા શહેરમાં કોઈ ગંભીર અને ભયાનક જીવલેણ અકસ્માતમાં સંખ્યાબંધ લોકોના જીવ જાય, તેની રાહ જોવાઈ રહી છે? તે પ્રકારના લોકોનો વ્યંગાત્મક આક્રોશ પણ બહેરા કાને અથડાઈ રહ્યો હોય, ત્યારે નગરના જાગૃત, માનવતાવાદી નાગરિકો તથા ખાસ કરીને 'સેવાભાવી' નેતાગીરીએ આગળ આવીને ફ્રન્ટ ફૂટ પરથી આ સમસ્યા ઉકેલવી જોઈએ, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈસ્વીસન મુજબ આજે ર૧ મી સદીનું રપમું વર્ષ શરૂ થયું છેઃ
ગત્ રાત્રે મહેફિલો અને નાચગાન સાથે નવા વર્ષના વધામણા થયા અને વર્ષ ર૦ર૪ ની સમાપ્તિ થઈ. છેલ્લા એકાદ અઠવાડિયાથી ગત્ વર્ષની સ્મૃતિઓ, સિદ્ધિઓ અને સંકટની ઘડીઓને વાગોળી રહ્યા હતાં. આજે જ્યારે વર્ષ ર૦રપ નો પ્રથમ દિવસ છે, ત્યારે નવી આશાઓ-ઉમ્મીદો, નવા લક્ષ્યો, નવા ઉમંગની સાથે સાથે પૂરા થયેલ વર્ષનું સરવૈયું નિહાળીને તેના અનુભવે નવી કેડી કંડારીએ...
જામનગર રજવાડી નગર છે. સંખ્યાબંધ મંદિરો-ધર્મસ્થળો ધરાવતું હોવાથી છોટીકાશી પણ કહેવાય છે. ભારતીય સેનાની ત્રણેય પાંખો અહીં આવેલી છે. બાંધણી, અત્તર અને બ્રાસપાર્ટ માટે વિખ્યાત જામનગર હવે વ્યાપાર-ઉદ્યોગ અને પ્રવાસનના ક્ષેત્રે પણ ગ્લોબલ મેપમાં ઝળકવા લાગ્યું છે.
એવી જ રીતે યાત્રધામ દ્વારકા, રિફાઈનરીઓ, ઉદ્યોગો, મત્સ્યોદ્યોગ, પ્રવાસન સ્થળો અને લાંબા દરિયાકાંઠાના કારણે સમગ્ર હાલારને પણ વિશ્વના નક્શામાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળી ચૂક્યું છે. યાત્રાધામ દ્વારકા તો હવે બારમાસી ટુરીઝમ ડેસ્ટિનેશન બની જ ચૂક્યું છે, અને હવે અન્ય નાના-મોટા યાત્રા સ્થળો તથા હરવા-ફરવાના સ્થળો પણ વિકાસની પાંખે વિહરીને ધમધમવા લાગ્યા છે. હાલારીઓની હિંમત અને હાડવર્ક તો સૌ કોઈને પ્રેરણા આપે, તેવા જ હતાં, અને હવે તેમાં પોટેન્શિયલ સરક્યુમટેન્સીઝ એટલે કે ઉજળી સંભાવનાઓ ઉમેરાતા સમગ્ર હાલાર હવે વિકાસના નભમાં ઊંચી ઊડાન ભરશે, તે નક્કી છે.
ગુજરાતીઓ તો વિશ્વભરમાં સાહસ, શૌર્ય અને સખાવત માટે પ્રખ્યાત છે. ગુજરાત રાજ્ય પણ પ્રગતિ, પરંપરા અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે અગ્રેસર રહ્યુંછે. પ્રાચીનકાળથી અત્યાધુનિક વર્તમાન યુગ સુધીના ઈતિહાસમાં ગુજરાત તથા ગુજરાતીઓની અનેક પ્રેરક કથાઓ-ગાથાઓ અને બલિદાનો-સાફલ્યગાથાઓ સૂવર્ણ અક્ષરે લખાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના જીવનનો મહત્તમ સમયગાળો ગુજરાતમાં જ વિતાવ્યો હતો ને?
દલાઈલામાથી લઈને શેખ હસીના સુધીની વૈશ્વિક કક્ષાની અનેક હસ્તીઓને ભારતે શરણ આપ્યું છે, તે પણ એક હકીકત છે, અને તેવી જ રીતે રાજા-રજવાડાના સમયમાં જામનગરના રાજવીએ પોલેન્ડના લોકોને આશરો આપ્યો, અને નવસારીમાં તે સમયના રજવાડાઓએ ઈરાનથી આવેલા પારસી શરણાર્થીઓને હરખભેર આવકારીને પોતાના કરી લીધા હતાં, તે ઘટનાઓ ગુજરાત સહિત આપણાં સમગ્ર દેશની ઉદારતા, દરિયાદિલી અને વસુધૈવ કુટુમ્બકમ્ના સંસ્કારોને પ્રજ્જવલિત કરે છે, ખરૂ ને?
આપણા દેશમાં પણ ગત્ વર્ષે લોકતંત્રના મહોત્સવ સમી ચૂંટણીઓ, કેટલાક ધાર્મિક અને સામાજિક મહોત્સવો ઉપરાંત જી-ર૦ સહિતના વૈશ્વિક કાર્યક્રમો યોજાઈ ગયા. દેશમાં વિકાસ, લોકકલ્યાણ તથા સામૂહિક ઉત્થાનના કાર્યક્રમો ઉપરાંત દેશના તેજસ્વી તારલાઓ તથા વિવિધ ક્ષેત્રના માધાંતાઓ કેટલીક રાષ્ટ્રીય અને વિશ્વકક્ષાની સિદ્ધિઓ પણ હાંસલ કરી. બીજી તરફ કેટલાક દુર્ભાગ્યપૂર્ણ વિવાદો પણ થયા અને હલચલ મચી જાય તેવી ઘટનાઓ પણ બની. એકંદરે પૂરૃં થયેલું વર્ષ પડકારરૂપ રહ્યું. હવે નવા વર્ષે મોંઘવારી, બેરોજગારી અને વિવાદો પર અંકુશો આવે તેવું ઈચ્છીએ.
આ બધા અનુભવોમાંથી બોધપાઠ લઈને નવા વર્ષે આગળ વધવાનું છે. આપણું નગર હોય કે જિલ્લો, હાલાર હોય કે સૌરાષ્ટ્ર, આપણું રાજ્ય હોય કે અન્ય રાજ્યો હોય, સૌએ સાથે મળીને આગળ વધવા માટે પહેલા તો કેટલીક સમસ્યાઓનું નિવારણ તથા સિસ્ટમોનો બદલાવ કરવો પડે તેમ છે.
જામનગરમાં કેટલીક સમસ્યાઓ ઘણાં વર્ષોથી યથાવત્ જ રહી છે. રખડતા ઢોર, આવારા કૂતરા, ટ્રાફિકજામ, ગંદકીની સમસ્યા દરેક ચૂંટણી સમયે ચર્ચાય છે અને પછી વિસરાઈ જાય છે. કરોડો રૂપિયાના ખર્ચાઓ પછી પણ નગરના માર્ગો નગરજનોને સંતોષ થાય, તેવા બની શક્યા નથી. વિકાસના કામોની આડઅસરો પણ તંગ કરનારી હોય છે.
નગરજનો એવી આશા રાખી રહ્યા છે કે વિક્ટોરિયા પુલથી સાત રસ્તા થઈને સમર્પણ સર્કલ તરફનો જે ફ્લાય ઓવરબ્રીજ બની રહ્યો છે, તેના કામની ઝડપ વધે, રાત-દિવસ કામ ચાલે અને આ ફ્લાયઓવર બ્રીજનું કામ ઝડપથી (ગુણવત્તાસભર નિર્માણ સાથે) સંપન્ન થાય અને વર્ષ ર૦રપ માં જ તેનું લોકાર્પણ થઈ જાય... આવું થશે, તો જ આ મેગા પ્રોજેક્ટથી નગરજનોને સમયોચિત સુવિધા મળશે. આ કામ જેટલું લાંબુ ચાલશે, તેટલી અસુવિધા પણ નગરજનોને થાય તેમ હોવાથી આ કામો પ્રાયોરિટીમાં સમયસર સંપન્ન થાય તે જરૂરી છે.
નગરના માર્ગો પર હજુ પણ સંખ્યાબંધ રખડુ ઢોર આંટા મારે છે અને અડીંગા જમાવે છે. સમગ્ર નગરમાં આવારા કૂતરાઓ ઘણાં લોકોને કરડે છે. એટલું જ નહીં, લોકોની અવર-જવરને અડચણો ઊભી થાય, તે રીતે લોકો તથા વાહનોની પાછળ દોડે છે. રખડતા ઢોર અને આવારા કૂતરાની સમસ્યાને શાસકો અને તંત્રો ગૌણ ગણાતા હશે, પરંતુ વાસ્તવમાં આ બન્ને સમસ્યાઓ ઘણી જ ગંભીર છે. આશા રાખીએ કે, વર્ષ ર૦રપ માં આ સમસ્યા અંકુશમાં આવી જાય!
નગરમાં ઠેર-ઠેર રેંકડી, પથારા, મોબાઈલ દુકાનો તથા ગુજરી બજારોના કારણે અવારનવાર દબાણ હટાવ ઝુંબેશોની ડ્રામેટિકલ તસ્વીરો તથા દૃશ્યો પ્રકાશિત અને પ્રસારિત થતા રહે છે, તો બીજી તરફ આ નાના ધંધાર્થીઓના પરિવારોના ગુજરાનની સંવેદનશીલ સમસ્યા પણ સંકળાયેલી છે, તેથી આ વર્ષે આ સમસ્યાના નિવારણ માટે દરેક વોર્ડ અને માર્કેટોમાં આ પ્રકારના નાના ધંધાર્થીઓ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરીને ત્યાં લોજેસ્ટિક સુવિધાઓ અપાય, તેવું કોઈ નક્કર કદમ ઊઠાવાય, તેવી આશા રાખીએ.
તે ઉપરાંત નગરની તમામ ફૂટપાથો માત્ર પગપાળા અવરજવર માટે જ ખુલ્લી રહે, અને ફૂટપાથો, સર્કલો, સડકો કે જાહેર સ્થળોમાં દુકાનદારોનો સામાન, ખાણી-પીણીના સાધનો, ફર્નિચર અને ડિસ્પલે બોર્ડ વગેરે ન ખડકાય જાય, તે માટે પણ નક્કર કદમ આ વર્ષે ઊઠાવાય અને કાયમી ધોરણે જનલક્ષી વ્યવસ્થાઓ જળવાઈ રહે, તેવી આશા રાખીએ.
જામનગરથી બહારગામ જવા માટે એસ.ટી. તથા ખાનગી વાહનોના જ્યાં જ્યાં રિકવેસ્ટ સ્ટોપ કે પીક-અપ પલેસ છે, ત્યાં ત્યાં શૌચાલયો તથા મહિલાઓ, પુરુષો માટે અલગ અલગ નિઃશુલ્ક યુરીનલોની સુવિધા ઊભી થાય, તે અત્યંત જરૂરી છે. આ નાની વાત લાગે, પરંતુ સ્વાસ્થ્ય અને મહિલા સુરક્ષા તથા સૌજન્યની દૃષ્ટિએ અત્યંત જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તેવી રીતે ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોના પછાત વિસ્તારોમાં ઘેર-ઘેર શૌચાલયોનો કોન્સેપ્ટ છે, તેવી જ રીતે ચોકે-ચોકે યુરીનલ, શૌચાલયો ઊભા થાય અને તે કાયમી ધોરણે સ્વચ્છ રહે, તેવી નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરવી પણ અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિક શાસકો જરૂર પડે તો આ 'કોન્સેપ્ટ' આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગાઈડન્સ મેળવી શકે છે, ખરૃં કે નહીં?!
'નોબત'ના પ્રિયવાચકો, વીડિયો સમાચાર, યુટ્યુબ ન્યૂઝના દર્શકો, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝ ગ્રુપ સાથે જોડાયેલા લોકો, 'નોબત'ના સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે જોડાયેલા ફોલોઅર્સ, વિજ્ઞાનપનદાતાઓ, વિતરકો, એજન્ટો, શુભેચ્છકો, પત્રકારો સહિત સૌ કોઈને અમારા જાજા કરીને અભિનંદન... હેપ્પી ન્યૂ યર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી થઈ રહી છે અને વર્ષ-ર૦ર૪ ને વિદાયની સાથે નવા વર્ષને ધમાકેદાર કાર્યક્રમો દ્વારા ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. આપણા દેશમાં પણ નાતાલ પછી ૩૧ મી ડિસેમ્બરે ઈસ્વીસન મુજબ કેલેન્ડર વર્ષ પૂરૂ થતા નવા વર્ષને આવકારવાની પરંપરા વધુને વધુ વિસ્તરી રહી છે, અને દુનિયા સાથે કદમ મિલાવીને મોટાભાગના દેશોમાં નવા વર્ષને આવકારવાના કાર્યક્રમો યોજાય છે. ભારતમાં પણ ઠેર ઠેર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ગીત-સંગીત, ખાણી-પીણી, નૃત્ય અને મનોરંજક કાર્યક્રમોનો જલસો થાય છે.
ગુજરાત સહિત દેશભરમાં આજની રાત્રે મહેફિલો જામશે, અને રંગારંગ કાર્યક્રમો યોજાશે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી પોલીસતંત્ર દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી વિદેશી દારૂના સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ ઝડપી લેવાની ઝુંબેશ ચાલી છે, તો જામનગર સહિત રાજ્યભરમાં દેશી દારૂ બનાવવાની ઘણી ફેક્ટરીઓ ધ્વસ્ત કરીને દારૂના અડ્ડાઓ બંધ કરાવ્યા છે, જો કે આ બધું ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત થઈ, ત્યારથી થતું આવ્યું છે, અને 'કડક' દારૂબંધીના દાવાઓ પછી પણ રાજ્યમાં દેશી દારૂ બનતો બંધ થયો નથી, દેશી અને વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી, સંગ્રહ, વેંચાણ અને સેવન પર અંકુશ આવ્યો નથી, તે પણ હકીકત જ છે ને?
દારૂબંધી તો બિહારે પણ લાગુ કરી દીધી છે, અને ત્યાં પણ ગુજરાતની જેમ જ દેશી-વિદેશી દારૂના સેવન, સંગ્રહ, હેરાફેરી અને વેંચાણ પર અંકુશ માટે ઝુંબેશો ચલાવાય છે, તેમ છતાં ત્યાં પણ તંત્રોની કથિત મિલિભગત અને શાસકોની ઈચ્છાશક્તિના અભાવે શરાબની રેલમછેલ થઈ રહી હોવાના અહેવાલો પણ અવારનવાર આવતા રહે છે. 'ગુજરાત અને બિહારમાં દારૂબંધીની નિષ્ફળતા'ના વિષય પર પીએચ.ડી. કરવા જેવું છે, ખરૃં કે નહીં?
બિહારની ચર્ચા આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ વિશેષ ઢબે થઈ રહી છે, અને વિશ્લેષકો તથા કેટલાક રાજનેતાઓ આ નવી હિલચાલ તથા રાજનૈતિક હલચલને સાંકળીને 'કાચીંડા'ને પણ યાદ કરી રહ્યા છે!!!
રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી, અને રાજનૈતિક સંબંધો સગવડિયા હોય છે, પરંતુ જ્યારે કોઈ રાજનેતાને લઈને પલટુરામ, કાચીંડાની જેમ રંગ (પક્ષ) બદલતા નેતા કે આયારામ-ગયારામ જેવા વિશેષણો લાગવા માંડે, ત્યારે તેની વ્યક્તિગત અને રાજનૈતિક પ્રતિષ્ઠા પણ ઝંખવાતી હોય છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ હવે કાંઈક એવું જ થઈ રહ્યું હોય તેમ લાગે છે?
એમ કહેવાય છે કે અમિતભાઈ શાહના આંબેડકરને લઈને સંસદમાં અપાયેલા નિવેદનના વિરોધ તથા બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે નીતિશકુમારે એનડીએમાં રહીને વિરોધ કર્યો છે અને હવે એનડીએ સાથે ફરીથી છેડો ફાડવાના મૂડમાં છે!
એક તરફ પેપરલીક સહિતના મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને પ્રિયંકા ગાંધીએ એનડીએ સરકારનો 'અત્યાચાર' ગણાવ્યો છે, તો બીજી તરફ નીતિશકુમાર ખુરશી બચાવવામાં વ્યસ્ત છે!
વાસ્તવમાં એનડીએની બેઠકમાં ગેરહાજર રહ્યા પછી નીતિશકુમાર અચાનક દિલ્હી દોડ્યા, પરંતુ મોદી-શાહ-નડ્ડાએ તેને ભાવ આપ્યો નહીં, અને વીલા મોઢે પાછા ફરવું પડે, તેવી સ્થિતિમાં મૂકાયેલા નીતિશકુમારે ફરીથી એનડીએમાંથી છેડો ફાડીને 'કાંઈક નવું' કરવાનું મન બનાવ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી તક જોઈને કોંગી નેતા રાહુલ ગાંધીએ નીતિશકુમારને (જેડીયુને) ફરીથી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, અને તેના સંદર્ભે જ કેટલાક 'વિશેષણો' પણ ચર્ચાસ્પદ બન્યા છે. આ અહેવાલોની વચ્ચે કેટલાક જેડીયુ નેતાઓએ કરેલા નિવેદનો પણ 'કાંઈક તો ગરબડ છે'ની આશંકાને દૃઢ કરે, તેવા છે.
જો કે, તેજસ્વી યાદવે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે હવે વિપક્ષી ગઠબંધનમાં નીતિશકુમાર માટે દરવાજા બંધ થઈ ગયા છે, જેથી ઈન્ડિયા ગઠબંધન પણ નીતિશકુમારને લઈને અવઢવમાં જણાય છે.
આ પહેલા જ્યારે કર્પુરી ઠાકુરને ભારતરત્ન અપાયા પછી નીતિશકુમારે પાટલી બદલી, તે પહેલા ભાજપની ટોચની નેતાગીરી પણ નીતિશકુમાર માટે એનડીએના દરવાજા બંધ હોવાની જોરશોરથી વાતો કરતા હતાં, પરંતુ લોકસભાની ચૂંટણીઓ આવતા જ નીતિશકુમારની પાર્ટીની બેઠકો ભાજપ કરતા ઓછી હોય તો પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી રહેશે, તેવી શરત સાથે જેડીયુને એનડીએમાં સામેલ કરી લીધું હતું. તેથી જ કહેવાય છે કે 'પ્યાર ઔર જંગ મેં હી નહીં, રાજનીતિ મેં ભી સબકુછ જાયઝ હે...'
મહારાષ્ટ્રમાં શિવસેના પછી એકનાથ શિંદે, પંજાબમાં અકાલીદળ, બિહારમાં રામવિલાસ પાસવાનની પાર્ટી, ગુજરાતમાં શંકરસિંહ, કાંશીરામ રાણા, કેશુબાપા, રજસ્થાનમાં વસુંધરારાજે સિંધિયા સહિત ઘણાં એવા દૃષ્ટાંતો છે, જેમાં એનડીએ દ્વારા પોતાના જ સાથીદાર પક્ષો (અને નેતાઓ) સાઈડલાઈન કરીને તેને કદ પ્રમાણે વેંતરી નંખાયા હોય, કદાચ આ દૃષ્ટાંતોને ધ્યાને લઈને જ કદાચ નીતિશકુમાર ફરીથી પલટી મારવાનું વિચારતા હોઈ શકે છે, જો કે હવે તેઓ જે કાંઈ કરશે, તેના પર જ તેનું રાજકીય ભવિષ્ય ટકેલું હશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણા દેશમાં માર્ગ-અકસ્મતો વધી રહ્યા હોવાની અવારનવાર ચર્ચા થાય છે, અને તેના કારણે થતા મૃત્યુના આંકડાઓ પણ જાહેર થતા હોય છે.દુનિયામાં હવે તો હવાઈ દુર્ઘટનાઓ પણ વધી રહી છે, અને તેના કારણે થતા મૃત્યુનો આંકડો પણ નાનો-સુનો હોતો નથી. સાઉથ કોરિયા, ઓસ્લો અને કેનેડાની વિમાની દુર્ઘટનાઓ તથા કાઠમંડુમાં પક્ષી અથડાતા ઈમરજન્સી લેન્ડીંગ કર્યું, તેવા અહેવાલો ચિંતાજનક છે. જો હવાઈ દુર્ઘટનાઓ આ રીતે વધવા લાગશે, તો હવાઈ મુસાફરી કરવી, એ ખતરારૂપ બનશે, જેથી તેની સીધી અસર ટુરીઝમ, બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જ નહી, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક-પારિવારિક પ્રવાસો પર પણ પડશે, જેનો આર્થિક ફટકો પણ ઝટકારૂપ હશે. આકાશી દુર્ઘટનાઓ વધી રહી હોવાથી હવે તે દિશામાં પણ સલામતિના સહિયારા કદમ દુનિયાના દેશોએ ઉઠાવવા જ પડશે, ખરૃં ને?
માર્ગ અકસ્માતો, રેલવે દુર્ઘટનાઓની વાત આવે, એટલે તેના કારણો અંગે તારણો નીકળવા લાગે અને તેને નિવારવા માટેના ઉપાયોની ચર્ચા પણ થવા લાગે, હવાઈ દુર્ઘટનાઓ પછી પણ આ પ્રકારની ચર્ચા થાય, પરંતુ તેની વ્યાપક્તા ઘણી ઓછી હોય છે, અને માર્ગ-રેલવે દુર્ઘટનાઓ કરતા હવાઈ દુર્ઘટનાઓના કારણો તદ્ન અલગ જ હોય છે, જેથી હવાઈ દુર્ઘટનાઓના મુદ્દે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને એરલાઈન્સની કક્ષાએ આ મુદ્દે ગંભીરતાથી વિચારીને હવાઈ દુર્ઘટનાઓ ઘટાડવા કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ પર નવી સમજુતિઓ થાય, કે નવા આંતરરાષ્ટ્રીય નિયમો ઘડાય, તે જરૂરી છે, તેમ નથી લાગતું?
કોઈપણ પ્રકારનું પરિવહન બળતણ (ઈંધણ) વિનાથઈ શકતું નથી. વિમાનો-હેલિકોપ્ટરો વગેરે ઊડાડવા માટે પણ ખાસ પ્રકારનું ઈંધણ વપરાય છે, જ્યારે જ્યારે આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધઘટ થાય છે, ત્યારે ત્યારે વિમાનોમાં વપરાતા ઈંધણના ભાવો પર પણ તેની અસરો થતી હોય છે, તેથી પેટ્રોલિયમ પેદાશોની માર્કેટના પ્રવાહોની પરોક્ષ કે પ્રત્યક્ષ અસરો પણ વૈશ્વિક અને ડોમેસ્ટિક હવાઈ પરિવહન પર થતી હોય છે.
પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પદાર્થોના ભાવ નક્કી કરવા આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ એક સિસ્ટમ કાર્યરત છે, જેને લઈને ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે. આ સિસ્ટમ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાચાતેલ (ક્રૂડ) ના ભાવો ઘટે, ત્યારે આપણા દેશમાં ભાવો ઘટતા નથી અથવા ક્રૂડના ભાવોમાં થયેલા ઘટાડા અને નહીંવત્ ઘટાડો કરાતો હોય છે, તેવી ટીકા અવારનવાર થતી રહી છે. હવે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આગામી નાણાકીય બજેટ (વર્ષ ર૦રપ-ર૬) માટે કરાયેલા સૂચનોમાં કરેલું એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ વિશ્વભરમાં 'ટોક ઓફ ધ માર્કેટ' બન્યું છે, અને આ સૂચન અન્ય દેશોમાં પણ જોરશોરથી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
સીઆઈઆઈએ બજેટને લઈને કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે, પરંતુ ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ જેવા મહત્તમ પબ્લિક અને પ્રાઈવેટ પરિવહન તથા ઊર્જા ક્ષેત્રને આવરી લેતા પદાર્થોના મુદ્દે સીઆઈઆઈએ કેન્દ્ર સરકારને કરેલી ભલામણો ઘણી જ મહત્ત્વપૂર્ણ ગણાય.
સીઈઆઈઆઈએ કેન્દ્ર સરકારને આગામી બજેટમાં ઈંધણ (પેટ્રોલિયમ ઉત્પાદનો-પેદાશો-પદાર્થો સહિત)ની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ ભારપૂર્વક કરી છે, જેને વિવિધ માધ્યમો દ્વારા જોરદાર સમર્થન પણ સાંપડી રહ્યું છે.
આ ઔદ્યોગિક ઓર્ગેનાઈઝેશન (સંગઠન) દ્વારા સરકારને જણાવાયું છે કે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે ઈંધણના ભાવો વધે કે સ્થિર રહે, તે મુજબ ફૂગાવો વધે કે યથાવત્ રહે છે, જેથી ફૂગાવો ઘટાડવા માટે ઈધણના ભાવો ઘટાડીને ફુગવા પર અંકુશ મેળવી શકાય છે, અને તેના દ્વારા જ બેકાબૂ બની રહેલી મોંઘવારીને પણ કાબૂમાં રાખી શકાય છે.
આ સંગઠને સરકારને વાર્ષિક ર૦ લાખ રૂપિયાની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ ઘટાડવાની ભલામણ પણ ભારપૂર્વક કરી છે, અને કહ્યું છે કે, બજેટમાં આ પ્રકારની રાહત મળશે, તો ઉચ્ચ ટેક્સ, આવક અને વેગીલા વિકાસની સાયકલ પણ વધુ ઝડપ પકડશે.
સીઆઈઆઈએ વ્યક્તિગત માર્જિન રૂ. ૪ર.૭૪ ટકા અને સામાન્ય કોર્પોરેટર ટેક્સના રપ.૧૭ ના રેટની વચ્ચે મોટું અંતર વધુ હોવાથી ફૂગાવો વધતા લોકોની ખરીદશક્તિ ઘટી છે. લોકોની ખરીદ શક્તિ વધારવા માટે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવા અત્યંત જરૂરી છે, કારણ કે પેટ્રોલ-ડીઝલ-ઓઈલના ભાવો ઘટશે, તો ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલીંગ તથા ઊર્જા વપરાશને પણ તેની હકારાત્મક અસરો થશે, જેનો સીધો ફાયદો દેશની સામાન્ય જનતાને મળશે.
સીઆઈઆઈને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલના રિટેઈલ ભાવોમાં ર૧ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી સામેલ હોય છે, જ્યારે ડીઝલ પર પણ ૧૮ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી વસૂલાય છે, જ્યારે વૈશ્વિક કક્ષાએ ક્રૂડના ભાવોમાં ૪૦ ટકા ઘટાડો થયો હોય, ત્યારે પણ તેને અનુરૂપ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટે નહીં, તે યોગ્ય નથી.
સંગઠને તર્ક આપ્યો છે કે આ એક્સાઈઝ ડ્યુટી ઘટશે, તો ફૂગાવો પણ ઘટશે અને ફૂગાવો ઘટશે તો મોંઘવારી ઓછી થશે, જેના કારણે લોકોની ખરીદશક્તિ વધશે, અને ડિમાન્ડ વધતા એકંદરે માર્કેટને ફાયદો થશે, જેનો લાભ સામાન્ય જનતાને પણ મળશે.
ઓછી આવક ધરાવતા જુથોને લક્ષ્યમાં રાખીને કન્ઝ્પ્શન વાઉચર શરૂ કરવાનું ઉપયોગી સૂચન પણ કર્યું છ ે, જેથી આ સમયગાળામાં કેટલાક સેવા સેક્ટર તથા ચોક્કસ પ્રકારની ડિમાન્ડને પ્રોત્સાહિત કરી શકાય. વિશિષ્ટ સેવાઓ તથા વસ્તુઓ માટે ૬ થી ૯ મહિનાના સમયગાળા માટે આ વિશિષ્ટ પ્રકારના કન્ઝપ્શન વાઉચરનું આ સૂચન વિચારવા જેવું ખરૃં...
'મનરેગા'ના શ્રમિકોનું ન્યુનત્તમ વેતન ર૬૭ રૂપિયા વધારીને ૩૭પ રૂપિયા કરવાની ભલામણ પણ કરી છે, અને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક ૬૦૦૦ ના બદલે આઠ હજાર ચૂકવવાની ભલામણોને કારણે સરકાર પર બન્ને મળીને ૬૦ હજાર કરોડથી વધુ રકમનો બોજ પડશે, પરંતુ આ કારણે લોકોની ખરીદશક્તિ વધતા તેની અસર હેઠળ વિવિધ પ્રોડક્શન સેક્ટરો તથા માર્કેટમાં તેજી આવશે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ નિવડશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
આજે હવાઈ અકસ્માતો, બજેટને લઈને સૂચનો, ફૂગાવો, મોંઘવારી, ઈંધણના ભાવો તથા પહેલી જાન્યુઆરીથી વિવિધ ક્ષેત્રે થનારા ફેરફારોની નેગેટીવ-પોઝિટિવ અસરોની ચર્ચા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડાની સંભાવનાએ આશાનું નવું કિરણ જગાવ્યું છે. જોઈએ હવે શું થાય છે તે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમયાત્રા હતી. હજુ તો તેઓનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન પણ થયો નહોતો અને અંતિમ દર્શન સાથે શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી હતી, ત્યાં જ સદ્ગતના સ્મારકના મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે તનાતની શરૂ થઈ ગઈ હતી. કેન્દ્ર સરકારે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર અને થોડા સમય (દિવસો કે મહિનાઓ?) પછી તેઓના સ્મારક અંગે નિર્ણય લેવાશે, તેવું જાહેર કર્યું, જ્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સદ્ગતના અંતિમ સંસ્કાર તેઓનું સન્માન જળવાય, તેવા સ્થળે કરીને ત્યાં જ તેઓનું સ્મારક બને, તેવી માંગણી સરકાર સમક્ષ કરી, અને તે પછી જે કાંઈ વાદ-વિવાદ તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, તે જોઈને કદાચ સદ્ગત મનમોહનસિંહનો આત્મા પણ દુભાતો હશે, ખરૃં કે નહીં?
રાજનીતિની તાસીર જ અલગ હોય છે. હજુ તો ગઈકાલે જ સદ્ગત મનમોહનસિંહની મુક્તકંઠે પ્રશંસા થઈ રહી હતી, તેના સ્મારક સ્થળનો વિવાદ હજુ તેના અંતિમ સંસ્કાર પણ ન થયા હોય, ત્યાં જ ઊભો થયો , તેની પાછળના રાજકીય ઉદ્દેશ્યો જે હોય તે ખરા, પરંતુ કોંગ્રેસ પછી અકાલી દળના નેતાઓએ પણ ટીકા-ટીપ્પણીઓ કરી અને શાસક પક્ષ દ્વારા વિપક્ષ પર રાજનીતિ રમવાનો આક્ષેપ કર્યો, તે ઘણો જ દુર્ભાગ્યપૂર્ણ તથા દેશની છબિને ખરાબ કરનારો ગણાય, તેવી આલોચના પણ થવા લાગી છે, જો કે આજે અંતિમ સંસ્કાર થાય, તે પછી ઉભય પક્ષે ખુલ્લા મને ચર્ચા-પરામર્શ કરીને આ મુદ્દે સર્વમાન્ય નિર્ણય લેવાશે, તેવી અપેક્ષા રાખીએ. આ અંગે કમિટીની રચનાની જાહેરાત થતા આવી આશા પ્રબળ બની છે.
આજે પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયામાં દિવંગત મનમોહનસિંહની સાથે સંકળાયેલા સંસ્મરણો, ઘટનાક્રમો તથા તેઓની સાદગી તથા દેશપ્રેમની જે પ્રશંસા થઈ રહી છે, અને તેઓના શાસનકાળમાં કથિત કૌભાંડો છતાં તેઓ નિર્દોષ રહ્યા, તેની નોંધ પણ લેવાઈ રહી છે, અને 'રેઈનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરવાની કળા ડોક્ટર સાહેબ જાણે છે' તેવા પ્રચલિત નિવેદનને ટાંકીને ડો. મનમોહનસિંહની પ્રામાણિક્તાના મુક્તકંઠે વખાણ પણ થઈ રહ્ય છે.
આજે સૌથી વધુ ચર્ચા ડો. મનમોહનસિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સની થઈ રહી છે, જેમાં તેઓએ પોતાના વડાપ્રધાનપદની શાસનકાળની છેલ્લી ચર્ચા પ્રેસ મીડિયા સાથે કરી હતી. તેઓની આ પ્રેસ કોન્ફરન્સ તે સમયે પણ ઘણી જ ચર્ચામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓએ ટીકાકારોને સ્પષ્ટ અને સચોટ જવાબો આપ્યા હતાં.
ડો. મનમોહનસિંહના નિધન પછી દેશમાં અત્યારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી તમામ સરકારી કાર્યક્રમો તથા કોંગ્રેસના જાહેર કરાયેલા તમામ આયોજનો તો રદ્ થઈ ગયા છે, પરંતુ પંચાયત-પાલિકાઓથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્રો અત્યારે આર્થિક બજેટની તૈયારી કરી રહ્યા છે, અને તેના સંદર્ભે અટકળો, અંદાજો અને અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે.
કેન્દ્રિય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના દિવસે રાહતો આપશે કે કડવો ડોઝ આપશે, તેની ચર્ચા થઈ રહી છે. ગયા બજેટમાં તો મધ્યમવર્ગને બહું મોટી નોંધપાત્ર રાહતો મળી નહી, પરંતુ આ વખતે નાણામંત્રી ટેક્સના ક્ષેત્રે મોટી જાહેરાતો કરી શકે છે અને આવકવેરાના સ્લેબમાં મધ્યવર્ગને રાહત મળે, તેવા બદલાવ કરી શકે છે. એવું મનાય છે કે વાર્ષિક ૧પ (પંદર) લાખની આવક હોય તેવા મધ્યમવર્ગિય કરદાતાઓને લઈને નાણામંત્રી કોઈ રાહત પેકેજ અથવા સીધી રાહતની જાહેરાત કરી શકે છે.
નિષ્ણાતોના મંતવ્યો મુજબ જો કેન્દ્ર સરકાર બજેટમાં સીધો કરવેરો (ડાયરેક્ટ ટેક્સ) ભરતા મધ્યમ વર્ગિય કરદાતાઓને રાહત આપશે, તો તેથી લોકોની ખર્ચ શક્તિ વધશે, અને તેના કારણે અર્થતંત્રને વેગ મળશે, જે ભવિષ્યમાં મોંઘવારીનો સામનો કરવા માટે સરકારને પણ મદદરૂપ બનશે.
અત્યારે કરદાતાઓ જુની ટેક્સ સિસ્ટમ મુજબ વિવિધ પ્રકારની કરમુક્તિઓ અને છૂટછાટોનો ફાયદો મેળવી શકે છે, અથવા મોટાભાગની છૂટછાટો-કરમુક્તિ વિનાની ઓછા કરવેરાની નવી સ્કીમ મુજબ આવકવેરો ભરી શકે છે. નાણામંત્રી ૩ થી ૧પ લાખ સુધીની આવક ધરાવતા આ પ્રકારના કરદાતાઓને કોઈ નોંધપાત્ર રાહત આપશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
અત્યારે મોટાભાગના પરોક્ષ કરવેરા જીએસટી હેઠળ આવરી લેવાયેલા હોવાથી તેમાં વધ-ઘટના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેતી હોવાથી કેન્દ્રિય બજેટ પછી ચીજવસ્તુઓના ભાવો પર બહુ મોટી અસર થતી નહીં હોવા છતાં કેન્દ્રિય બજેટ પર આધારિત અર્થતંત્રના પ્રવાહો બદલી શકે તેમ હોવાથી માર્કેટ અને શેરબજારને પણ બજેટમાં કેવી જોગવાઈઓ થશે, તેનો ઈન્તેજાર હોય છે.
જીએસટી સિસ્ટમના કારણે રાજ્યોના બજેટના કારણે પણ માર્કેટ કે ભાવો પર બહુ અસર થતી નથી હોતી, પરંતુ હજુ પણ પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ આવરી લેવાયા નથી અને રાજ્યોની આવકમાં 'વેટ'ની બહુ મોટી ભૂમિકા હોય છે, ત્યારે રાજ્યો દ્વારા રજૂ થતા બજેટમાં જો વેટ ઘટાડાશે, તો પેટ્રોલ-ડીઝલ-ઓઈલ વગેરે સસ્તા થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અને તેઓ અનંતયાત્રાએ નીકળી ગયા, તેથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. ડૉ. મનમોહનસિંહે વડાપ્રધાનપદે તો દસ વર્ષ સુધી સેવાઓ આપી, પરંતુ તે પહેલા તેઓએ બ્યુરોક્રેટ અને નાણામંત્રી તરીકે પણ દેશને સેવાઓઆપી હતી.
ડૉ. મનમોહનસિંહના યોગદાન અને જીવન ઝરમર આજે પ્રેસ-મીડિયમાં છવાયેલી છે અને સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રીમંડળ, રાજકીય પક્ષોના નેતાઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કોંગ્રેસના નેતાઓ ડૉ. મનમોહનસિંહના નિવાસસ્થાને દોડી ગયા છે, અને હવે ડૉ. મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કોંગી નેતાઓ, કાર્યકરો તથા લોકો પહોંચી રહ્યા છે.
ડૉ. મનમોહનસિંહે ૯ર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, ત્યાં સુધી દેશભક્તિનો પરિચય આપ્યો અને કેટલાક સમયથી બીમાર હોવા છતાં મહત્ત્વના પ્રસંગે તેઓ વ્હીલચેરમાં બેસીને પણ હાજરી આપતા હતાં, તે તેઓની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે.
ડૉ. મનમોહનસિંહ વર્ષ ૧૯૭૧ માં બ્યુરોક્રેસીમાં જોડાયા હતાં, અને વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક એડવાઈઝર તરીકે તેઓની નિમણૂક થઈ હતી. સેક્રેટરીએટમાં તેઓની અર્થશાસ્ત્રી તરીકેની નિપૂણતા પ્રગટ થઈ હતી અને તે પછી વર્ષ ૧૯૯૧ માં નરસિંહરાવના મંત્રીમંડળમાં તેઓ નાણામંત્રી બન્યા હતાં. તેપછી આર્થિક ઉદારીકરણની નીતિએ દેશનું અર્થતંત્ર વેગીલુ બનાવી દીધું હતું.
દેશમાં ધંધા-ઉદ્યોગ-બિઝનેસને અમલદારશાહી તથા લાયસન્સરાજમાંથી મુક્તિ અપાવીને અર્થતંત્રને પૂરપાટ દોડતું કરનાર નાણામંત્રી ડૉ. મનમોહનસિંહ તે સમયે એક ઉચ્ચકોટિના અર્થશાસ્ત્રી તરીકે પણ ઉભરી આવ્યા હતાં, અને તબક્કાવાર આર્થિક ઉદારીકરણના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવ્યા હતાં.
ડૉ. મનમોહસિંહે કેટલાક ક્રાંતિકારી કદમ ઊઠાવ્યા હતાં, જેની કેટલાક લોકોએ તે સમયે ટીકા પણ કરી હતી, પરંતુ એકંદરે તેઓએ બધાને સાથે લઈને કેટલાક મુદ્દે સર્વસંમતિ મેળવવામાં સફળતા મેળવી હતી. નાણામંત્રી તરીકે તેમણે રૂપિયાનું અવમૂલ્યન,, ટેક્સીઝમાં કાપ અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા તે સમયે ક્રાંતિકારી અને સાહસિક ગણાતા એવા કદમ ઊઠાવ્યા હતાં. જેથી આપણો દેશ અન્ય વિકસિત તથા વિકાસશીલ દેશો સાથે આર્થિક ક્ષેત્રે સ્પર્ધા કરી શકે, તેવો સક્ષમ બન્યો હતો.
વર્ષ ૧૯૯૯ થી ર૦૦૪ સુધી દેશમાં જ્યારે એનડીએનું શાસન હતું અને વાજપેયી વડાપ્રધાન હતાં, ત્યારે પણ આર્થિક ઉદારીકરણની નીતિ યથાવત્ રહી હતી, અને વર્ષ ર૦૦૪ માં જ્યારે યુપીએની સરકારમાં ડૉ. મનમોહસિંહ વડાપ્રધાન બન્યા, ત્યારે તેઓએ આર્થિક ઉદારીકરણની નીતિને વધુ વેગીલી બનાવી હતી. ડાબેરીઓના સમર્થનથી ચાલતી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે પણ તેમણે આર્થિક ઉદારીકરણની નીતિ તથા દેશને વિશ્વકક્ષાએ આર્થિક રીતે સક્ષમ અને સ્પર્ધક બનાવવાની નીતિ છોડી નહોતી, જે તેઓની અનોખી સિદ્ધિ ગણાય.
આજે ડૉ. મનમોહનસિંહની અંતિમ વિદાય પછી તેઓની સિદ્ધિઓ વર્ણવાઈ રહી છ ે, અને યુપીએના દસ વર્ષના શાસનકાળ દરમિયાન અર્થતંત્રમાં ૭.૭ ટકા જેવી વૃદ્ધિ થઈ હતી, તેવો દાવો થઈ રહ્યો છે, ત્યારે મોંઘવારી, કૌભાંડો તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પણ સૌને સાથે રાખીને પોતાની ફરજો બજાવી અને વ્યક્તિગત કોઈ કલંક લાગવા દીધું નહીં. તેની પણ આજે ચર્ચા થઈ રહી છે. ભારતને વિશ્વમાં આર્થિક શક્તિ તથા સર્વક્ષેત્રી સામર્થ્ય ધરાવતા દેશ તરીકેની ઓળખ આપવામાં ડૉ. મનમોહનસિંહના બ્રયુરોક્રેટ, નાણામંત્રી તથા વડાપ્રધાન તરીકે સિંહફાળો રહ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
ડૉ. મનમોહનસિંહના કાર્યક્રમમાં મનરેગા જેવી રોજગારલક્ષી યોજનાઓને વેગ મળ્યો હતો. માહિતી અધિકારના કાયદા માટે પણ તેઓની ભૂમિકા નોંધપાત્ર હતી. દેશવાસીઓની સુખાકારી અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત રાખવાના બન્ને ક્ષેત્રે તેઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી. વડાપ્રધાન તરીકે તથા અર્થશાસ્ત્રી તરીકે ડૉ. મનમોહનસિંહને અનેક રાષ્ટ્રીય તથા વિશ્વકક્ષાના સન્માનો પણ મળ્યા છે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગી પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી, વિવિધ પક્ષોના વડાઓ સદ્ગત મનમોહનસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શને પહોંચ્યા, ત્યારે જે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતાં, તે જ સ્વ. મનમોહનસિંહ પ્રત્યે દેશવાસીઓના સન્માનનું દ્યોતક છે. પૂર્વ પી.એમ. તથા મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને કોટિ કોટિ વંદન, સાથે શ્રદ્ધાંજલિ...

જામનગર મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક ખર્ચાઓની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે, અને મેગા પ્રોજેક્ટોથી લઈને માંડવાઓ સુધીના મુદ્દાઓની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ વધી રહેલી ઠંડી વચ્ચે પણ આ પ્રકારે ટોપ ટુ બોટમ તથા સડકથી સંસદ સુધી થતી ચર્ચાઓ ગરમી વધારી રહી છે.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટૂંક સમયમાં એસ.ટી. ડેપો ખસેડીને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ ઊભું થશે, તેવા અહેવાલો પછી લોકો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, તે પહેલા સાત રસ્તા પર ફ્લાય ઓવર બ્રીજનું કામ પૂરૃં થઈ જાય અને આડસો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા થઈ જાય, તેવું ઈચ્છી રહ્યા છે, કારણ કે અત્યારે જ અહીં ટ્રાફિક જામની સમસ્યા ઘેરી બની ગઈ છે, ત્યારે જો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલતું હોય, તો ટ્રાફિક જામ ઉપરાંત વાહનો તથા લોકોની સુરક્ષા તથા સલામતિ જાળવવાનું અઘરૂ થઈ પડે તેમ છે. આ અંગે જિલ્લા તંત્ર સતર્ક હશે ને?
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક જરૂરી અને કેટલાક બિનજરૂરી ખર્ચાઓ અંગે પણ બે દિવસથી ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ શ્રાવણી મેળામાં માત્ર એક પખવાડિયા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઊભા કરાયેલા મંડપનું ભાડુ જ જો ૩૪ લાખ ચૂકવાયું હોય, તો તેના સંદર્ભે સવાલો ઊઠે એ સ્વાભાવિક જ છે ને?
આમ પણ ટાઉનહોલનું ઉદ્ઘાટન એક નાટકનું મંચન કરીને થયા પછી ટાઉનહોલની મરામતની આખી પ્રક્રિયા જ ચર્ચાની એરણે ચડી છે, અને લાંબા સમય સુધી ટાઉનહોલ બંધ રાખીને તેનું રિનોવેશન જે જંગી ખર્ચે થયું, તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઘણાં લોકો કહે છે કે, શ્રાવણી મેળા માટે જે મંડપ ખર્ચ થયો, તેટલા ખર્ચમાં તો કોઈ જ્ઞાતિ-સમાજના સમૂહલગ્ન થઈ જાય, અને જે જંગી ખર્ચે ટાઉનહોલનું રિનોવેશન કરાયું, તેટલા ખર્ચે તો એક નવો અદ્યતન ટાઉનહોલ જ ઊભો થઈ જાય, જે હોય તે ખરૃં, પણ આ ચર્ચા તદ્ન અસ્થાને તો નથી જ ને? એક કહેવત છે કે જો આગ લાગી હોય તો જ ધૂમાડો થાય ને? આગને ગૂપચૂપ બુઝાવી શકાય, પરંતુ તેના કારણે ઊડતા ધૂમાડો જ ઘણુ બધું કહી જતો હોય છે, ખરૃં કે નહીં?
જો કે, ઘણાં લોકો અત્યારની મહામોંઘવારીને ટાંકીને આ પ્રકારના જંગી ખર્ચાઓને જસ્ટીફાય કરતા હોય છે, પરંતુ આ પ્રકારના જસ્ટીફિકેશનો જ પ્રવર્તમાન શાસનમાં મોંઘવારીનો માર વધ્યો હોવાની હકીકતને પણ ઉજાગર કરે છે, ખરૃં ને?
જામનગર જ નહીં, રાજ્ય અને દેશભરમાં જ્યાં જ્યાં વિકાસના માચડા ઊભા થઈ રહ્યા છે, ત્યાં ત્યાં આ જ પ્રકારના આક્ષેપો પણ થતા જ રહેતા હોય છે. હજુ એટલી જાગૃતિ નથી આવી કે ભ્રષ્ટાચારના આ આક્ષેપોને પૂરવાર કરતા પુરાવા લઈને લોકો લોકાયુક્તો, લોકપાલો કે અદાલતોમાં જાય... એવું થવા લાગશે, ત્યારે જ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર અટકશે, કારણ કે આક્ષેપો નક્કર હોય, તો તે પૂરવાર થશે અને આક્ષેપોમાં દમ નહીં હોય, તો ખોટા આક્ષેપો કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાના દરવાજા પણ ખૂલી જશે, જો ક આવું થવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે સામાન્ય લોકોની પોતાના ઘર-પરિવાર અને ગુજરાન ચલાવવા તથા બે છેડા ભેગા કરવામાં જ જિંદગી નીકળી જાય છે, જ્યારે નેતાઓ પોતપોતાની 'કારકિર્દી'માં વ્યસ્ત હોય છે. બીજી દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે 'હમામ મેં સબ નંગે હૈ...' 'તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ...!'
ગુજરાતમાં તો હરણી, ટીઆરપી ગેમઝોન, વિવિધ જમીન કૌભાંડો, ખ્યાતિ કૌભાંડ, આયુષ્માન યોજનાનું કૌભાંડ, પોન્ઝીકાંડ, બોગસ ડીગ્રી, બોગસ ડોક્ટર, નસબંધીકાંડ, અંધાપાકાંડ, દુષ્કર્મકાંડો, 'નકલી' કાંડો તથા આરોગ્ય, શિક્ષણ તથા કૃષિક્ષેત્રે ચાલતા કૌભાંડોએ આખા દેશનું ધ્યાન ખેંચાય, તેવી સનસનાટી મચાવી છે. બીજી તરફ શાસકો 'સબ સલામત હૈ...' અને ગુજરાતને દેશનું 'મોડલ' સ્ટેટ ગણાવીને વિકાસના ગ્રોથ એન્જિનનું ગૌરવ પણ લઈ રહ્યા છે. આમાં સાચું કેટલું, ખોટું કેટલું અને સ્વીકૃત કેટલું, તે જનતાએ જ નક્કી કરવાનું છે ને?
દેશને આઝાદી મળી, તે પછી સરકારો બદલતી રહી, પક્ષો બદલતા રહ્યા, નેતાઓ બદલતા રહ્યા, નીતિઓ બદલતી રહી અને નિર્ણયો પણ બદલતા રહ્યા, પરંતુ ન બદલી શકાયું હોય તો તે છે ભ્રષ્ટ સિસ્ટમ... જે તંત્ર, રાજનીતિ અને હવે તો ઉચ્ચકક્ષા સુધી પહોંચી છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ભગવાન ઈશુ ખ્રિસ્તીનો જન્મ દિવસ છે, જેને આપણે નાતાલ તરીકે ઓળખીયે છીએ. ખ્રિસ્તીધર્મનો આ તહેવાર પણ હવે દિવાળીની જેમ જ સાર્વજનિક અને રોજગાર વૃદ્ધિનું માધ્યમ બની રહ્યો છે. નાતાલના મીની વેકેશનમાં પણ દિવાળી વેકેશનની જેમ જ યાત્રાધામ દ્વારકામાં યાત્રિકો અને પર્યટકો ઉભરાઈ રહ્યા છે, તેવી જ રીતે છોટીકાશી સહિત સૌરાષ્ટ્રના અન્ય યાત્રા-પર્યટન સ્થળોમાં પણ નાતાલના તહેવારોની ચહલ-પહલની સાથે સાથે પ્રવાસીઓની ભીડ પણ વધી રહેલી જોવા મળે છે. જામનગરના સ્થાનિક દર્શનીય અને હરવા-ફરવાના સ્થળો ઉપરાંત બરડા ડુંગર સહિતના નજીકના પૌરાણિક-ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોમાં પણ લોકો મોજ-મસ્તી સાથે યાત્રા-પર્યટનનો આનંદ ઊઠાવતા જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના યાત્રાધામો તથા નગરો-મહાનગરોમાં ઘણાં સ્થળે હવે ઈલેક્ટ્રીક-રિક્ષા ફરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત એસ.ટી. તથા કેટલાક શહેરોની સિટીબસો પણ હવે ઈલેક્ટ્રીક સિસ્ટમથી ચાલે છે. પર્યાવરણની સુરક્ષા તથા વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારતે દુનિયામાં જે પહેલ કરી છે, તેની ચર્ચા હવે ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર પણ થવા લાગી છે.
આપણા દેશમાં અત્યારે રાજકીય ક્ષેત્રે પણ 'વૈકલ્પિક' ઊર્જાની જેમ જ મોદી પછીની 'વૈકલ્પિક' સંભવિત નેતાગીરીની ચર્ચા થતી રહે છે, અને તેમાં અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરીનું નામ પણ અગ્રતાક્રમે ચર્ચાતું રહે છે. નીતિન ગડકરીના કારણે જ દેશમાં માર્ગો-ધોરીમાર્ગો તથા ફ્લાય ઓવર બ્રીજોનું અદ્યતન નેટવર્ક વિસ્તરીરહ્યું છે, અને ઈલેક્ટ્રીક વાહનોના ક્ષેત્રે ઈનોવેટિવ આઈડિયાઝ ધરાવતા ગડકરીએ ઈવી માર્કેટને પણ ટૂંકા સમયમાં ધમધમતું કર્યું છે, તે એક હકીકત છે. ગડકરી ચોખ્ખુંચણાક બોલનારા તથા પ્રયોગાત્મક દીર્ઘદૃષ્ટિ ધરાવતા હોવાથી કદાચ કોઈને ખાર (ઈર્ષ્યા) થાય, કે તેના વધી રહેલા કદના કારણે 'અણગમો' થાય, તો પણ સંઘનું પીઠબળ હોવાથી ગડકરીને કદ પ્રમાણે વેતરી શકાય નહીં, તેમ ઘણાં વિશ્લેષકો માને છે.
અત્યારે તો સંઘ સામે કેટલાક સંતોએ પણ આક્રોષ દાખવ્યો હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે, પરંતુ ગડકરીના ઈનોવેટિવ આઈડિયાઝ તથા યોગીની યુપી ફેઈમ રાજનીતિના અહેવાલો પણ અત્યારે પ્રથમ હરોળમાં ચમકી રહ્યા છે. ખાસ તરીકે ગડકરીની 'ઈલેક્ટ્રીકલ વ્હીકલ' અંગેની ફોર્મ્યુલા પર્યાવરણપ્રેમીઓને જ નહીં, માર્કેટના માધાંતાઓને પણ ગમવા લાગી હોય તેમ જણાય છે.
તેમણે એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે ભારતમાં ઈ.વી. માર્કેટમાં દશગણો વધારો થવાનું પોટેન્શીયલ (શક્યતા) છે. ભારત ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ઝડપભેર વધારીને આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ઓટોમોબાઈલના ક્ષેત્રે નંબર વન ઉત્પાદક બની શકે છે. ગડકરીએ એવો સંકેત પણ આપ્યો કે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં પણ ઈવી માર્કેટને પ્રોત્સાહન આપવાની વિશેષ જોગવાઈઓ થઈ શકે છે.
અત્યારે પણ આપણો દેશ ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને જો ઈ.વી. માર્કેટને પ્રોત્સાહન મળે તો આ ક્ષેત્રે ટોપ પર ઝડપથી આવી શકે છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ઈવી માર્કેટ અબજો રૂપિયાને આંબી જશે અને તેના થકી કરોડો નોકરીઓ ઊભી થશે, તેવો આશાવાદ પણ ગડકરીએ વ્યક્ત કર્યો છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોના મંતવ્યો મુજબ મધ્યમ વર્ગનો રોજીંદો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવતા ઈલેક્ટ્રીક વાહનો ઝડપભેર વ્યાપ વધારવાની આડે તેની ચાર્જીંગ વ્યવસ્થાની ઉણપ આવી રહી છે. ઈવીની વ્યાપક્તાની સાથે સાથે ચાર્જીંગ સ્ટેશનો પણ ઝડપભેર ઊભા થવા જોઈએ. એટલું જ નહીં, ઈવીમાં ઊભી થતી ઋતુગત તથા સિસ્ટોમેટિક ખરાબીઓની તત્કાળ મરામત વાજબી ખર્ચે થઈ શકે, તેવા સ્થળો (ગેરેજ) પણ ઠેર-ઠેર ઊભા થાય તે જરૂરી છે.
જ્યારે ગેસ આધારિત વ્હીકલો શરૂ થયા, ત્યારે પણ ફીલીંગ સ્ટેશનો ઓછા હતાં, પરંતુ વાહનોની સંખ્યા વધી તેમ તેમ આ પ્રકારના ફીલીંગ સ્ટેશનો પણ ડીઝલ-પેટ્રોલ પંપની જેમ જ ઠેર-ઠેર ઊભા થવા લાગ્યા, તેવી જ રીતે ઈલેકટ્રીક વ્હીકલ્સ માટે પણ ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો ઊભા થાય, તો જ ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને તેનું પ્રોડક્શન વધે, તે અત્યંત જરૂરી છે. એમ પણ કહી શકાય કે ઈલેક્ટ્રીક વાહનોની ઉપયોગિતા તથા માંગ વધારવા માટે ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો તથા તેની નજીકમાં જ મરામતની સુવિધા ધરાવતા સરકારી કે પ્રાઈવેટ ગેરેજ જેવા સ્થળોની વ્યવસ્થા થવી અનિવાર્ય છે. અત્યારે ઈવી ઉદ્યોગની સૌથી મોટી અડચણ ચાર્જીંગ સ્ટેશનો તથા જરૂર પડ્યે તત્કાળ મરામતની વ્યવસ્થાઓનો અભાવ છે. જો આ અડચણો ઝડપભેર દૂર થઈ જશે, તો ઈલેક્ટ્રીક વાહનોની પાંખે જ ભારતનો ઈવી ઉદ્યોગ સિદ્ધિઓની ઊંચાઈઓ પ્રાપ્ત કરશે, પરંતુ જો આ અડચણો સમયસર દૂર નહીં થાય, તો ઈવી માર્કેટનું બાળમરણ થઈ જશે અને ગડકરીનું સ્વપ્ન રોળાઈ જશે, તેવી આશંકાઓ વ્યક્ત થાય, તો તેમાં પણ વજુદ છે. આ અંગે મોદી સરકાર તથા ઈવી ક્ષેત્રે કાર્યરત સરકારી મશીનરી (બ્યુરોક્રેસી) પણ સતર્ક હશે જ ને?
જો ભારતમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વાહનોનું ઉત્પાદન વધે, તેમાં સરકાર ગ્રાહકોને માતબર સીધી સબસીડી આપે અને લોકોમાં ઈવીના ઉદ્યોગથી થતા સાર્વજનિક અને વ્યક્તિગત ફાયદાઓની સમજ વધે, તો હવાઈ પ્રદૂષણ ઓછામાં ઓછું પ૦ ટકા ઘટી જાય (ઓછું થઈ જાય). તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધે, તો દેશની પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો ઘટે, અને તેના કારણે દેશવાસીઓને તો ફાયદો થાય જ, પરંતુ દેશની આર્થિક મજબૂતી પણ વધી શકે છે. એક અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતના ઈવી માર્કેટ ૧૧પ અબજ ડોલરની આસપાસ હશે, જે એક અનોખી સિદ્ધિ જ ગણાશે.
આપણા દેશમાં દ્વિચક્રીય તથા ત્રિચક્રીય ઈવી વાહનો (સ્કુટર, રિક્ષા વગેરે) ની સંખ્યા વધી રહી છે અને હવે ઈલેક્ટ્રીક કાર તથા ઈલેક્ટ્રીક બસોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા સરકારી, અર્ધસરકારી તંત્રો અને પબ્લિક પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારાઈ રહ્યો છે, તે આશાનું કિરણ છે.
'નોબત'ના પ્રિય વાચકો તથા 'નોબત' સાથે સંકળાયેલા સૌ કોઈને તથા ક્રિશ્ચિયન જનસમુદાયને 'નોબત' પરિવાર તથા માધવાણી પરિવાર નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એવા અહેવાલો છે કે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદને 'વેરી ગુડ' રેટીંગ અપાયું છે. આ રૂટીંગ દ્વારકાના જગતમંદિરમાં બનતા પ્રસાદને અપાયું છે, જે મંદિરમાં ભેટ ધરાવનાર ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જામનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમે જગતમંદિરના પ્રસાદમાં વપરાતી સામગ્રીની પણ ચકાસણી કરી હતી, અને લોટ, મેંદો તથા અન્ય ચીજવસ્તુઓનું પણ પૃષ્ટિકરણ કરાયું હતું. હોદ્દાની રૂએ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરને ટાંકીને આ જ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી તૈયાર થતો પ્રસાદ જ ભાવિકોને અપાશે,તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
થોડા મહિનાઓ પહેલા તિરૂપતિબાલાજીના મંદિરના પ્રસાદની ગુણવત્તાનો વિવાદ થયા પછી વિવિધ મંદિરોમાંથી વિતરીત થતા પ્રસાદ તથા તેની ગુણવત્તાની ચકાસણી થવા લાગી છે, અને મંદિરોના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો કે સમિતિઓ સ્વયં ચકાસણી કરાવવા લાગ્યા હોય, તો તે જનહિતમાં છે, અને જાહેર આરોગ્ય તથા ભાવનાત્મક દૃષ્ટિએ સુસંગત પણ છે.
આ તો થઈ મંદિરોમાં વિતરીત થતા પ્રસાદની ગુણવત્તાની વાત... પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ પબ્લિકને અપાતી કે વેચાણ કરાતી સામગ્રીની ચકાસણી થતી હોય છે અને તેનું કાર્યક્ષેત્ર સીધુ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલું હોવાથી ઘણું જ વિશાળ તથા મહત્ત્વપૂર્ણ પણ છે.
સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જેમ જ પાલિકા-મહાપાલિકાઓમાં પણ ફૂડશાખા હોય છે, જેનું કામ ખાદ્યપદાર્થો તથા પેય પદાર્થો (પાણી, પીણા, પ્રવાહી વિગેરે) ની સતત ચકાસણી કરીને જાહેર આરોગ્યને નુક્સાન થતું હોય તેવા પોદાર્થોનું વેંચાણ કે વિતરણ અટકાવવાનું તથા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાનૂની રાહે પગલાં લેવાનું પણ છે.
અહેવાલો મુજબ જામનગર મહાપાલિકાની ફૂડ શાખાએ તાજા ફળ અને શાકભાજીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે. આ જ રીતે ફૂડ શાખા દ્વારા સતત ચેકીંગ કરીને ખાવા-પીવાની ચીજો તથા તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા નબળી જણાય ત્યારે તેનો નાશ કરવા ઉપરાંત તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
આ પ્રકારની પ્રેસનોટો રોજ-બ-રોજ પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રકાશિત અને પ્રસારિત થતી રહે છે, પરંતુ જે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા હોય, તેમાંથી કેટલાની ગુણવત્તા ખરાબ હતી અને તેના સંદર્ભે કેટલા જવાબદારો સામે કાનૂની કાર્યવાહી થઈ અને કેટલાને સજા થઈ, તે અંગે બહુ કાંઈ પ્રકાશમાં આવતું હોતું નથી. એટલું જ નહીં, પાલિકા-મહાનગરપાલિકાઓની ફૂડ શાખાઓ તથા સરકારના સંબંધિત વિભાગો માત્ર વાર-તહેવારે જ આ પ્રકારનું ચેકીંગ (રેન્ડમલી) કરતા હોય છે, અને કેટલાક નોટીસો આપીને તથા નમૂના મેળવીને પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયા તત્ત્વો, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને હલકી ગુણવત્તાની સામગ્રી વેંચતા લોક સામે થતી કાનૂની કાર્યવાહી તથા થતી સજાની બહુ પ્રસિદ્ધિ થતી નહીં હોવાથી આખી પ્રક્રિયા જ શંકા-કુશંકાના ઘેરામાં આવી જતી હોય છે અને આને ડ્રામેબાજી કે નાટક ગણાવાતું હોય. એટલું જ નહીં, હપ્તાપદ્ધતિની અસર હેઠળ તંત્રો આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો પણ થતા હોય છે, તેથી આ પ્રકારની કામગીરી કર્યા પછી તેની ફલશ્રૂતિ અંગે પણ પ્રેસનોટો બહાર પાડવી જોઈએ, ખરૃં કે નહીં?
જામનગરની ફૂડ શાખાએ તાજેતરમાં સુભાષ માર્કેટ, મટન માર્કેટ, મચ્છી માર્કેટમાં કરેલી ચકાસણી પણ રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચના આપ્યા પછી થઈ હોય, અને મહાનગરપાલિકાની ફૂડ શાખા વધુ સક્રિય થઈ હોય, તો એવું પણ કહી શકાય કે પાલિકા-મહાપાલિકાની ફૂડશાખાઓ સ્વયંભૂ રીતે જે રોજીંદી ચકાસણી કરતી રહે છે, તેની કોઈ અસર જ નહીં થતી હોય, કે પછી 'હોતી હૈ... ચલતી હૈ...'ની માનસિક્તા કામ કરતી હશે.
જો કે, રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચવ્યા પછી જામનગરના ફૂડ સેફ્ટીના સ્ટાફે નગરના રેસ્ટોરન્ટો, હોટેલો, ફાસ્ટફૂડના સ્ટોલો, લારી-ગલ્લાના ચેકીંગ દરમિયાન ધંધાર્થીઓને કીચન, ફ્રીઝ, વાસણો તથા પીરસવાના સ્થળોમાં સ્વચ્છતા રાખવા, ખોરાક, પીણાઓ તથા પાણીની ગુણવત્તા જાળવવા અને ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવા તથા ચીમની કે ધૂમાડા દ્વારા પ્રદૂષણ ન ફેલાય તેવી તકેદારી રાખવા સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું, તે પણ અત્યંત જરૂરી અને ઉપયોગી જણાયુ હોવાના પ્રતિભાવો છે.
ટૂંકમાં ગંદકી, ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેંચાણ કરનાર સામે કડકમાં કડક કાનૂની કદમ ઊઠાવવાની સાથે સાથે આવુુ થતું જ અટકે તે માટેની જાગૃતિ ફેલાવવા તથા ધંધાર્થીઓને પ્રેમપૂર્વક પ્રશિક્ષિત કરવાનો અભિગમ પણ આજના સમયની માંગ છે, દંડ કરો, કાનૂનનો દંડો ઉગામો પપણ સાથે સાથે જાગૃતિ પણ ફેલાવો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલાર સહિત ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓ માટે ચિંતાજનક કહી શકાય, તેવી ચર્ચા થઈ રહી છે, અને મહામુલી ફળદ્રુપ જમીનોને ક્ષારો ધીમે ધીમે હડપી રહ્યા હોવાના કેટલાક તારણો બહાર આવ્યા પછી તેના મૂળભૂત કારણો તથા તેના નિવારણોના ઉપાયો અંગે પણ ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ-પરામર્શની જરૃર જણાવાઈ રહી છે.
તાજેતરમાં પ્રકાશમાં આવેલો સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-ર૦ર૩ મુજબ ગુજરાતમાં મોટાપાયે થતા વૃક્ષછેદનના કારણે ગ્રીન કવર સતત ઘટી રહ્યું છે, અને દરિયાકાંઠે ક્ષારોના ફેલાવાને અટકાવતું મેન્ગ્રુવ કવર દિવસે દિવસે પાતળુ (ઓછું) થઈ રહ્યું હોવાથી ફાળદ્રુપ જમીનો ખારી (ક્ષારયુક્ત) થવાની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. ઓખા-બેટદ્વારકાથી પોરબંદર જિલ્લાને સ્પર્શતી હર્ષદ-મિયાંણી સુધીની દરિયાઈ પટ્ટીમાં ક્ષારો વધવાની ગતિમાં વધારો થતા ક્ષારયુક્ત ભૂગર્ભ જળમાં પણ વધારો થઈ રહ્યો હોવાની આશંકા વચ્ચે મેન્ગ્રુવના જંગલોમાં થયેલા ઘટાડાના આંકડાની ચર્ચા પણ થઈ રહી છે.
આ રિપોર્ટને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતમાં એકંદરે જંગલો તથા વૃક્ષોનું આવરણ વધી રહ્યું છે, પરંતુ તે પૈકી દરિયાકિનારે મેન્ગ્રુવના કવરની ઘનતા ઘટી રહી છે. અણઘડ રીતે થતા વૃક્ષછેદન તથા પ્રવાસન વિકાસના નામે થતી કોમર્શિયલ તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓની આડઅસરોના કારણે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
આ રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૬ ચોરસ કિલોમીટરથી વધુ મેન્ગ્રુવનું કવર ગુમાવ્યું હોય તો તે ચિંતાજનક ઉપરાંત ગુજરાતીઓ માટે ક્ષોભજનક પણ ગણાય, તેમ નથી લાગતું?
દ્વારકાથી હર્ષદ વચ્ચેના દરિયાકિનારેથી મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, તેવી જ રીતે જેતપુરમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાથી માછીમારીના વ્યવસાયને પણ ફટકો પડતો હોવાના આક્ષેપ સાથે પોરબંદરના સાગરખેડુઓ પણ ચળવળ ભણી આગળ વધી રહ્યા હોય, ત્યારે ગુજરાતના દરિયાઈ પર્યાવરણની જવાબદારી કોની? તેવા સવાલો પણ સ્વાભાવિક રીતે જ ઊઠી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે દરિયાઈ પર્યાવરણીય સુરક્ષાની પણ એટલી જ ચિંતા કેન્દ્ર-રાજ્ય સરકારો, તેના તંત્રો તથા સુરક્ષા એજન્સીઓએ કરવી જઈએ, ખરૃં કે નહીં?
છેલ્લા દોઢેક દાયકાથી પશ્ચિમથી દરિયા કિનારો આગળ વધી રહ્યો છે અને જમીનમાં ક્ષારો વધી રહ્યો છે, તેવા અહેવાલો અવારનવાર આવતા હોય છે અને દ્વારકાના દરિયાકિનારે છેલ્લા બે દાયકામાં દરિયો કેટલા સે.મી. આગળ વધ્યો, તેના આંકડા પણ ચર્ચામાં આવતા હોય છે, તેથી ગુજરાત સરકારે ક્ષારો વધુ પ્રસરતા અટકાવવા મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા અસરકારક કદમ ઊઠાવવા જ જોઈએ ને?
જો કે, ભારતના નેટ ફોરેસ્ટ કવરમાં વર્ષ ર૦ર૧ થી વર્ષ ર૦ર૩ વચ્ચે ૧પ૬ ચો.કિ.મી. જેટલો વધારો નોંધાયો, અને ગ્રીન કવરમાં ૧૪૪પ ચો.કિ.મી.નો વધારો નોંધાયો, પરંતુ મેન્ગ્રુવનું કવર ઘટી રહ્યું હોય તો તે દરિયાકિનારાના વિસ્તારોને વધુ 'ખારા' કરશે. જમીનની ફળદ્રુપતા અને કિંમત ઘટશે, જેની એકંદરે વિપરીત અસર દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસવાટ કરતા નાગરિકોને જ થવાની છે ને?
આશા રાખીએ કે રાજ્ય સરકાર મેન્ગ્રુવના કવરને ઘાટું, વિસ્તૃત અને સુરક્ષિત કરવાની દિશામાં નક્કર કદમ ઊઠાવે, અને હાલારના તંત્રો પણ આ દિશામાં આગળ વધે, સ્થાનિક તંત્રો 'આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ તથા શાહમૃગી નીતિ-રીતિ નહીં રાખે, તો જ દરિયાકિનારાને સુરક્ષિત અને દરિયાકિનારાની જમીનોની ફળદ્રુપતા આરક્ષિત રહેશે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએથી સતત મોનીટરીંગ ઉપરાંત લોજેસ્ટિક સપોર્ટ પણ અત્યંત જરૃરી છે.
એક તરફ દરિયાકાંઠાના રાજ્યો તથા જિલ્લાઓમાં 'ખારાશ' વધી રહી છે, તો બીજી તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે 'કડવાસ' પણ વધી રહી છે. રાજનીતિ હવે સંવાદના બદલે વિવાદ, સેવાના બદલે સંઘર્ષ અને ખેલદિલીના બદલે ખિલવાડથી પ્રદૂષિત થઈ રહી હોય, તેમ નથી લાગતું?
આઝાદી પછીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન દેશની રાજનીતિ સૈદ્ધાંતિક વિરોધ, તર્કબદ્ધ આલોચના તથા વિચારો તથા અભિપ્રાયોમાં ભિન્નતા વચ્ચે પણ પરસ્પર આદર, ઔચિત્ય તથા હાવભાવ અને નિવેદનો-વક્તવ્યોમાં એકપ્રકારની શાલિનતા તથા મર્યાદા ધરાવતી હતી, પરંતુ જેમ-જેમ સમય વિતતો ગયો, તેમ તેમ વ્યક્તિગત આક્ષેપો, ગાલી-ગલોચ, ચારિત્ર્યહનન અને હવે તો ધક્કામૂક્કી તથા મારામારી સુધી વાત પહોંચી ગઈ છે. વિચારધારા કે સૈદ્ધાંતિક ભિન્નતા પહેલા મતભેદોમાં બદલાઈ, પછી મનભેદો સર્જાયા અને હવે તો કટૂતાના પ્રભાવ હેઠળ આ ભિન્નતા હવે શત્રુતામાં બદલાઈ રહી હોય તેમ જણાય છે. જે આપણી સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થાઓ તથા દેશપ્રેમની જનભાવનાઓ માટે ખતરાની ઘંટડી સમાન છે.
જેમ જમીનમાં ખારાશને આગળ વધતી અટકાવતા મેન્ગ્રુવના જંગલો દરિયાકિનારે ટકાવવા પડે, વધારવા પડે અને સુરક્ષિત કરવા પડે, મેંઢાક્રિક જેવી યોજનાઓ ઊભી કરીને દરિયાકાંઠે રેક્લેમેશન પાળાઓ ઊભા કરીને, તેમના કોસ્ટલ પ્રોટેક્શન વોલ્સના નિર્માતા દ્વારા દરિયાકાંઠે મીઠા પાણીનો સંગ્રહ કરીને ક્ષારોને આગળ વધતા અટકાવવા પડે તેવી જ રીતે રાજનીતિમાં વધી રહેલી કડવાશ નિવારવા માટે ખેલદિલી તથા દેશપ્રેમ આધારિત બંધારણીય ભાવનાઓને પુનર્જિવિત કરવી જ પડશે, અન્યથા આપણી રાજનીતિ ધક્કામૂક્કીના માર્ગે લોકતંત્રને કલંકિત કરશે, જુઠ્ઠાણાના ઝાડવા વાવીને એકબીજાને પછાડવાના પ્રપંચો કરતા નેતાઓની શાન ઠેકાણે નહીં આવે, તો આપણા લોકતંત્રની પણ પડોશી દેશો જેવી હાલત થતા વાર નહીં લાગે, તેથી બી એલર્ટ... પ્લીઝ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે જામનગર બાર એસોસિએશનના કેટલાક હોદ્દેદારોની ચૂંટણી સંપન્ન થઈ અને સાંજે તેના પરિણામો પણ આવી ગયા. જામનગરની જેમજ કોડીનાર, રાજકોટ વગેરે અન્ય શહેરોમાં પણ વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ ગઈ. જામનગરમાં આ વખતે બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીપદો પહેલા જ બિનહરિફ જાહેર થઈ ગયા હતા. તેથી ઉપપ્રમુખપદ તેમજ કારોબારી સભ્યો સહિતના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે મહિલા અનામત પદ માટે પણ ચૂંટણી થઈ હતી.
વિવિધ શહેરોમાં નવા ચૂંટાયેલા તથા બિનહરિફ જાહેર થયેલા હોદ્દદારોએ વકીલોની મુખ્ય સુવિધાઓ વધારવા તથા ન્યાયિક પ્રક્રિયાઓને લઈને સંકલન વધારવાના જુદા જુદા વચનો આપ્યા હતાં અને કેટલીક સમસ્યાઓ તથા તદ્વિષયક વ્યવસ્થાઓ માટે સક્રિય પ્રયાસો કરવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતમાં તો અદાલતોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા જરૂરી વ્યવસ્થાઓનું નવીનિકરણ થઈ રહ્યું છે, અને જામનગર સહિત કેટલાક સ્થળે નવા અદાલતી સંકુલોનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં દાયકાઓ જુની ઈમારતોમાં કાર્યરત અદાલતી સંકુલોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહેતી હોય છે, અને તે અંગે કેન્દ્રિય કાયદા વિભાગ તથા રાજ્ય સરકારોએ સાથે મળીને કોઈ મેગા યોજના (દેશવ્યાપી) ઘડવી જરૂરી છે, તેવી માંગણી પણ ઊઠતી રહેતી હોય છે.
આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયા ઘણી જ લાંબી ચાલે છે અને વિલંબિત ન્યાયના કારણે ઘણાં નિર્દોષોને પણ કેસ ચાલતા પહેલા જ લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડતો હોવાની ચર્ચા પણ અવારનવાર ઊઠતી રહે છે, ત્યારે 'તારીખ પે તારીખ'નો ડાયલોગ વારંવાર વ્યંગાત્મક રીતે ઉચ્ચારાતો હોય છે અને તેમાં તથ્ય હોવાથી તેને જનસમર્થન પણ મળતું રહેતું હોય છે. આ કલંક નિવારવા શાસન-પ્રશાસન અને બાર કાઉન્સિલો, બાર એસોસિએશનો વચ્ચે સુદૃઢ સંકલન થાય, અને હકીકતમાં આ દિશામાં વાસ્તવિક પ્રયાસો થાય, તે અત્યંત જરૂરી છે.
રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીએ દેશની અદાલતોમાં હાલમાં પેન્ડીંગ કેસો અંગેના પૂછેલા પ્રશ્નનો જવાબ કેન્દ્રિય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદ ગૃહમાં રજૂ કર્યો હતો. તે મુજબ ગુજરાતની વડી અદાલત (હાઈકોર્ટ) માં અત્યારે ૧.૭૦ લાખથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે રાજ્યની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં તો ૧૭ લાખ જેટલા કેસો પડતર હોવાનું જણાવાયું છે.
કેન્દ્રિય કાયદામંત્રીએ રજૂ કરેલી વિસ્તૃત વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)માં પણ ૮ર હજારથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે દેશભરની હાઈકોર્ટોમાં પડતર કેસોની સંખ્યા ૬૧.૮૦ લાખને પણ વટાવી ગઈ છે. આખા દેશની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં પડતર કેસોની સંખ્યાનો સરવાળો તો ૪ કરોડ ૬ર લાખ ૩૪ હજારને વટાવી ગયો છે, ત્યારે દરરોજ નવા ઉમેરાતા હજારો કેસોની ગણતરી કરીએ તો જ ન્યાયની પ્રક્રિયામાં કેટલી બધી ઝડપ લાવવી પડે તેમ છે, તેનો અંદાજ આવી શકે. જો પડતર કેસો વધતા જ રહેશે તો વિલંબિત ન્યાયની આ સ્થિતિ એક લોકતાંત્રિક દેશ માટે અણકલ્પ્ય પરિણામો લાવનારી બની શકે તેમ હોવાથી 'તારીખ પે તારીખ'ની સિસ્ટમના સ્થાને (કોઈને પણ ઉતાવળમાં અન્યાય ન થઈ જાય તેની તકેદારી સાથે) મિનિમમ ડેઈટ, મેક્સીમમ જજમેન્ટની ઝુંબેશ ઉપાડવી જરૂરી છે, તેમ નથી લાગતું? આ માટે બાર એસોસિએશનો, બાર કાઉન્સિલો તથા તમામ કક્ષાની અદાલતો વચ્ચે કાયમી સંકલિત મિકેનિઝમ પણ ઊભું કરવું જોઈએ, ખરૃં ને?
કેન્દ્રિય કાયદા મંત્રીએ આપેલા જવાબ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં જજોની મંજુર કરેલી બાવનમાંથી ૩ર જગ્યાઓ જ ભરેલી છે, જ્યારે ર૦ જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે રાજ્યની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં ૧૭ર૦ માંથી પ૩પ જગ્યાઓ ખાલી છે, આમાં ઝડપી ન્યાયની આશા ક્યાંથી રાખી શકાય?
દેશની વાત કરીએ તો દેશભરની હાઈકોર્ટ માટે ૧૭ર૦ જજોની જગ્યાઓ મંજુર થયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્યા ખાલી છે. દેશભરની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં મંજુર થયેલી રપ,૭૦૦ થી વધુ જજોની જગ્યાઓમાંથી પર૬ર જગ્યાઓ ખાલી છે, જો કે સુપ્રિમ કોર્ટ માટે મંજુર થયેલી ૩૪ જજોની જગ્યાઓ પૈકી ૩૩ જગ્યાઓ ભરેલી છે, પરંતુ દેશભરમાાં જજોની ખાલી જગ્યાઓની સંખ્યા જોતા કેસોના ઝડપી નિકાલની આશા કેમ રાખી શકાય? આ તમામ જગ્યાઓ ઝડપભેર ભરવાને પ્રાથમિક્તા આપવાની સાથે સાથે પ્રવર્તમાન સમયમાં ઝડપભેર વધી રહેલા કેસો, લોકોમાં આવી રહેલી કાયદાકીય જાગૃતિ તથા સાઈબર-આર્થિક-આંતરરાષ્ટ્રીય ક્રાઈમની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને તમામ કક્ષાએ જજોની ઘણી વધુ નવી જગ્યાઓ પણ મંજુર કરવી જોઈએ, તેમ નથી લાગતું?
આપણા દેશમાં લાખો વકીલો પ્રેક્ટીસ કરી રહ્યા છે અને હજારો અદાલતો છે, તેથી જો 'તારીખ પે તારીખ'ની સંસ્કૃતિ બદલવામાં આવશે, તો ઝડપી ન્યાય મળતો થશે, અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધશે. કેટલાક નિવૃત્ત ન્યાયાધિશોને ક્ષુલ્લક પેન્શન મળતું હોવાની ફરિયાદો ચર્ચાઈ રહી હોય અને કામના અત્યંત ભારણ છતાં ખાલી જગ્યાઓ ભરવા, ન્યાયતંત્રની વહીવટી પાંખની ખાલી જગ્યાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં વિલંબ થશે, તો તે ન્યાયતંત્રને જ અન્યાય થાય છે, તેવું ગણાશે... જાગો...જાગો..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ સંસદ પરિસરમાં ધક્કામૂક્કી, અમિત શાહ પર આંબેડકરના અપમાનના આક્ષેપ સાથે વિપક્ષોનું હલ્લાબોલ, કોંગ્રેસનું દિશવ્યાપી વિરોધ પ્રદર્શન, ભાજપે રાહુલ ગાંધી સામે કરેલી એફઆઈઆર તથા ભાજપના બે સાંસદોને ધક્કામૂક્કીમાં થયેલી ઈજાના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કરેલા પ્રતિઆક્ષેપો તથા કથિત પોલીસ ફરિયાદને સાંકળીને પણ સોશ્યલ મીડિયામાં કોમેન્ટોનો પ્રવાહ વહી રહ્યો છે.
બીજી તરફ સ્થાનિક કક્ષાએ જામનગરમાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ રહી અને ગુજરાતમાં ગઈકાલે જુદી જુદી જગ્યાએ થયેલા જીવલેણ માર્ગ અકસ્માતોની ચર્ચા પણ સોશ્યલ મીડિયામાં થઈ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયામાં સૌથી વધુ કોમેન્ટો સમાજસેવી ખજૂરભાઈ પર શુદ્ધ ઘાણીના તેલના મુદ્દે થયેલા આક્ષેપો સામે થઈ રહી છે અને જનભાવનાઓ પણ ઉભરાઈ રહી છે. તે ઉપરાંત જયપુરમાં સીએનજી-પીએનજી વાહનોના અકસ્માત પછી સંખ્યાબંધ વાહનો સળગી ઊઠ્યા, તેથી અરેરાટી પણ વ્યાપી રહી છ ે.
આ પ્રકારના તમામ ઘટનાક્રમોની અસરો પબ્લિક ઓપિનિયન (જનમત) પર થતી જ હોય છે, અને જ્યારે જ્યારે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો વધવા લાગે, ત્યારે ત્યારે તેમાંથી જ સ્થાપિત હિતો અને રાજકીય લાભાલાભોની ગણતરીઓ મંડાવા લાગતી હોય છે. સંસદનો સાંપ્રત સંગ્રામ હોય કે ખજૂરભાઈને સાંકળતો કથિત વિવાદ હોય, તેની સોશ્યલ મીડિયામાં થતી ચર્ચા જોતા ચોક્કસ એમ જણાય કે 'કહીં પે નિગાહે... કહીં પે નિશાના...'
ગઈકાલે સંસદ પરિસરમાં જે કાંઈ થયું, તે શોભાસ્પદ કે સ્વીકાર્ય તો નહોતું જ, પરંતુ દેશની ૧૪૦ કરોડની જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો પાસેથી અપેક્ષિત પણ નહોતું. ધક્કામૂક્કી કેમ થઈ, સાંસદોને ઈજા કેટલી થઈ અને પોલીસ ફરિયાદો સુધી મામલો કેમ પહોંચ્યો, તેવા મહત્ત્વપૂર્ણ સવાલો ઉપરાંત એ પણ વિચારવા જેવું છે કે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો જ શા માટે? શું ઉભય પક્ષે વોટબેંકની રાજનીતિ રમાઈ રહી છે કે બીજો કોઈ ઉદ્દેશ્ય છે?
હકીકતે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની ચૂંટણી પહેલા એક વિવાદાસ્પદ નિવેદનના વમળમાં ફસાઈ ગયા હતાં, તેવી જ રીતે અત્યારે અમિતભાઈ શાહ ફસાયા છે. કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી અને નહેરૂકાળમાં તેઓને ચૂંટણીમાં પરાજીત કરવામાં કોની ભૂમિકા હતી, તેની વાત કરતા કરતા ગૃહમંત્રી અમિત શાહ કાંઈક એવું બોલી ગયા, જેને પકડીને કોંગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયું હોવાના આક્ષેપ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધું અને ભાજપ બેકફૂટ પર અને બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયો. હકીકતે ગૃહમંત્રી શું બોલ્યા હતા, તેની ચર્ચા જ વધુ થવા લાગી.
જો કે, ભાજપે ધક્કામૂક્કીમાં ભાજપના સાંસદોને ઈજા થઈ, તે માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને વળતો પ્રહાર કર્યો અને સામસામે ફરિયાદો માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી ગયા, તેથી સમગ્ર વિવાદે વળાંક લઈ લીધો.
એ પછી બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહ્યા, પરંતુ ભાજપ બચાવની સ્થિતિમાં ડિફેન્સીવ અને કોંગ્રેસ આક્રમક મુદ્રામાં એટેક્ટિવ હોય, તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એ પછી તો સમગ્ર વિપક્ષ એકજુથ થઈ ગયો અને ભાજપ તથા ગૃહમંત્રીની રાજકીય ઘેરાબંધી કરી લીધી હતી, અને મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ.
આ ઘટનાક્રમોને પીઢ નેતાઓ, તટસ્થ વિશ્લેષકો અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો પણ વખોડી રહ્યા છે, અને લોકતંત્રના મંદિરસમી સંસદના પરિસરમાં સાંસદો ધક્કામૂક્કી કરે અને કોઈને ઈજા પહોંચે, તેવી ઘટનાને પણ અશોભનિય ગણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના સાંસદો દંડા લઈને આવ્યા હતાં અને ખડગેના ઘૂંટણોમાં ઈજા થઈ હતી તેવા આક્ષેપો પછી આ મુદ્દો હવે સંસદમાંથી શેરીઓમાં પહોંચી ગયો છે.
કોંગ્રેસે આજે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિષે આપેલા નિવેદનના વિરોધમાં જિલ્લે-જિલ્લે વિરોધ-પ્રદર્શનો યોજીને આ મુદ્દેાને દેશવ્યાપી સ્વરૂપ આપી દીધું છે, અને હવે આ મુદ્દો આગામી કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા સ્થાનિક ચૂંટણીઓ સુધી ગૂંજતો રહેશે, તે નક્કી છે.
જો કે, સ્વયં અમિત શાહે પ્રેસકોન્ફરન્સમાં ચોખવટ કરી કે તેમણે તો આંબેડકરના કોંગ્રેસે ભૂતકાળમાં કરેલા અપમાન તથા અવગણનાનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ તોડી-મરોડીને વિપક્ષો તેમની સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પછી એક ત્રણ-ચાર ટ્વિટ કરીને અમિત શાહનો બચાવ કર્યો, પરંતુ હવે કોંગ્રેસે આ વિવાદને ઈને જિલ્લે-જિલ્લે દેખાવો યોજવાની રણનીતિ અપનાવતા ભાજપને રૂપાલા ફેઈમ સ્થિતિનું ડેમેજ કંટ્રોલ કરવું પડી રહ્યું હોય તેમ જણાય છે.
એવી કહેવત છે કે છૂટેલું તીર કે શબ્દો પાછા ખેંચી શકાતા નથી, તેથી થૂંકેલું ચાટીને માફામાફી કરવાનો વારો આવતો હોય છે, જો કે રાજકીય ક્ષેત્રોમાં આવું કરવું પડે, તે પણ તેને અયોગ્ય ગણવામાં આવતું નથી, કારણ કે વિવાદ ટાળવા માટે આ સરળ વિકલ્પ છે. ઘણી વખત બદનક્ષીના કેસો પર પૂર્ણવિરામ મૂકવા માટે પણ 'માફી' માંગી લેવાનો સરળ વિકલ્પ હોય છે, અને કેજરીવાલે આ સરળ વિકલ્પનો ભરપૂર ઉપયોગ પણ કર્યો છે, જો કે ગૃહમંત્રી અમિભાઈ શાહની મક્કમતા જોતા તેઓ માફી માંગે કે રાજીનામું આપે, તેવી શક્યતાઓ તો ઓછી જણાય છે, પરંતુ રાજનીતિમાં ઘણી વખત કાંઈ પણ કરવું પડે, તે માટે તૈયાર રહેવું પડતું જ હોય છે અને તેના ઘણાં દૃષ્ટાંતો પણ ઈતિહાસમાં ઉપલબ્ધ છે.
અખિલેશ યાદવે તો નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુને આંબેડકર કે અમિત શાહ વચ્ચે પસંદગી કરી લેવા જણાવ્યું છે, અને એનડીએમાં અન્ય કેટલાક સાથી પક્ષોના નેતાઓ પણ પોતાની વોટબેંક સાચવવા તલપાપડ છે, ત્યારે જો આ પક્ષો ટેકો પાછો ખેંચી લ્યે, તો મોદી સરકારને જ વિદાયા લેવી પડે તેમ હોવાથી એનડીએના નેતાઓ વચ્ચે સંકલન જાળવી રાખવા અને ડેમેજ કંટ્રોલ કરવાના ભરચક્ક બેકડોર પ્રયાસો પણ થઈ રહ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...
હકીકતે દલિત, પછાત, દબાયેલા, કચડાયેલા અને ગરીબોના ઉત્થાન માટે તત્પર હોવાનો દાવો શાસક પક્ષ અને વિપક્ષો કરી રહ્યા છે અને અખિલેશ યાદવે પીડીએ માટે આંબેડકરને ભગવાન હોવાનું નિવેદન કર્યું છે, તે જોતા હવે કદાચ રૂપાલાનો ઈતિહાસ દોહરાવાય અને મોડે મોડેથી પણ શાહ જાહેરમાં ખેદ વ્યક્ત કરે, તો નવાઈ જેવું નહીં હોય...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણા દેશમાં બહુસ્તરિય તંત્રો કાર્યરત છે અને ગ્રામ-તાલુકા-જિલ્લાસ્તર, રાજ્યસ્તર તથા કેન્દ્રિય કક્ષાએ સરકારી, અર્ધસરકારી સંસ્થાકીય, બંધારણીય, નાણાકીય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બોર્ડ-નિગમો-કોર્પોરેશનોની કચેરીઓમાં કામ કરવા, કચેરી ખોલવા-બંધ કરવા, રિસેષ અને નાણાકીય વ્યવહારો માટે દરેક રાજ્યોમાં તથા વિવિધ કક્ષાએ કાર્યરત કચેરીઓ-યુનિટો-સંસ્થાઓનો સમય અલગ-અલગ હોવાથી લોકો ખૂબ જ પરેશાન થતા હોય છે, અને ઘણી વખત એ જ કામ માટે લોકોને જુદી જુદી જગ્યાએ અનેક ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે.
અત્યારે દેશમાં વન નેશન-વન રેશન કાર્ડ, વન નેશન-વન ટેક્સ, વન નેશન-વન ઈલેક્શનના અભિગમો અપનાવાઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં શાળા-કોલેજો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-નિગમો, પંચાયત-પાલિકા-મહાપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 'વન નેશન-વન ટાઈમીગ'નો કોન્સેપ્ટ અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
અત્યારે કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત વિભાગોની કચેરીઓ, બેન્કીંગ-નાણાકીય સંસ્થાઓ તથા બોર્ડ-નિગમો-બંધારણીય સંસ્થાઓમાં કામકાજના દિવસો તથા સમય (દરરોજનો કામકાજ કરવાનો રિસેષનો તથા ખોલવા-બંધ કરવાનું ટાઈમ-ટેબલ) સમાન નથી. તેવું જ રાજ્ય કક્ષાએ જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં તો વિવિધ જિલ્લાઓમાં પણ ટાઈમીંગ અલગ-અલગ હોવાનું કહેવાય છે. આ કારણે જનતા પરેશાન થાય છે.
સિક્કાની બીજી બાજુ એવી છે કે વિવિધ રાજ્યોમાં સ્થાનિક પરંપરાઓ, ઋતુચક્ર, ભૌગોલિક સ્થિતિ તથા સંરક્ષણ-સલામતિની દૃષ્ટિએ જાહેર રજાના દિવસો અલગ-અલગ નક્કી કરવામાં આવતા હોય છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારની કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર રજાઓનું અલગ-અલગ કેલેન્ડર હોય છે, તે ઉપરાંત શાળા-કોલેજોમાં સ્થાનિક સ્થિતિ તથા વેકેશનોના કારણે જાહેર રજાના દિવસો અલગ-અલગ હોય છે, તેથી આખા દેશમાં એક સમાન જાહેર રજાઓ રાખવાનું દેશની વૈવિધ્યતા, વિશાળતા તથા ઋતુચક્ર સહિતના પરિબળોના કારણે સંભવ નથી, તેથી એક સમાન જાહેર રજાઓ રાખી ન શકાય, તે સ્વાભાવિક છે.
એ પણ હકીકત છે કે હવે પરસ્પર સંકલન કરીને મોટાભાગની મુખ્ય મુખ્ય જાહેર રજાઓ એક સમાન રહે અને બિનજરૂરી રજાઓનું પ્રમાણ ઘટે તે દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે, આમ છતાં હજુ કેટલીક જગ્યાએ વિસંગતતાઓ નિવારાય, તો વધુ સરળતા મળી શકે તેમ છે. આ માટે દેશવ્યાપી સંકલન જરૂરી છે.
જો કે, પબ્લિકના રોજીંદા કામકાજ, સરકારી-અર્ધસરકારી અને બોર્ડ-નિગમોની એવી સેવાઓ, કેજે સીધી સામાન્ય જનતા સાથે સંકળાયેલી હોય તેવી સેવાઓના દરરોજના કામકાજના સમયમાં સમાનતા તો લાવી જ શકાય તેમ છે, અને તેનું તાજુ દૃષ્ટાંત મધ્યપ્રદેશનું છે, અને મધ્યપ્રદેશનો આ પ્રયોગ સફળ થયા પછી ગુજરાત સહિત તે આખા દેશમાં લાગુ થવો જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
મીડિયા અહેવાલો તથા ડિબેટીંગ મુજબ પહેલી જાન્યુઆરી ર૦રપ થી મધ્યપ્રદેશમાં બેંકો ખોલવા, બંધ કરવા, રિસેષ અને કામકાજનો દિવસ એક સરખો રહેવાનો જે નિર્ણય લેવાયો છે, તેને અત્યારથી જ પ્રચંડ જનસમર્થન મળી રહ્યુંછે અને સોશ્યલ મીડિયામાં પણ હકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે, જેથી તેની વ્યાપક્તા વધી શકે છે.
મધ્યપ્રદેશની સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીએ રાજ્યમાં બેન્કીંગ સેવા સુધારણા હેઠળ બેંકોનો સમય સવારે ૧૦ વાગ્યે તથા ટ્રાન્ઝેક્શન બંધ થવાનો સમય સાંજે ચાર વાગ્યાનો નક્કી કર્યોહોવાના અહેવાલ પછી તે અંગે દેશવ્યાપી ચર્ચાઅ થઈ રહી છે, અને ગુજરાતમાં પણ તમામ સરકારી કચેરીઓ, કેન્દ્રિય કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ તથા બોર્ડ-નિગમોની કચેરીઓ અને બેંકોનો સમય પરસ્પર સંકલન કરીને વિષયવાર ટાઈમટેબલ નક્કી કરે જેથી શક્ય તેટલો એકસરખો (સમાન) રહે અને શક્ય હોય તેટલી જાહેર રજાઓ પણ સમાન ધોરણે રહે, તો લોકોને થતી પરેશાનીઓ ઓછી થશે અને સરકારી, અર્ધસરકારી તંત્રો તથા બેંકો માટે પણ વહીવટી સરળતા વધશે.
આપણા દેશમાં અલ્પશિક્ષિત અને અશિક્ષિત લોકોની બહોળી સંખ્યા હોવાથી વિવિધ કચેરીઓના જુદા જુદા ટાઈમટેબલ અને જાહેર રજાઓની વિસંગતતાઓના કારણે તેઓ ખૂબ જ પરેશાન થતા હોય છે અને નાના નાના સરકારી કામો માટે પણ અટવાતા હોય છે, તેથી 'વન નેશન, વન ટાઈમીંગ'નો કોનસ્ટેટ સરકારી તંત્રો અપનાવે, તે માટે ગુજરાત સરકાર પહેલ કરે, તો તે આખા દેશ માટે 'મોડલ એક્સન' બની રહેશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અત્યારે મોસમ બદલી રહી છે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરી રહ્યો છે. આ મોસમને અનુરૂપ શિયાળુ સત્રમાં સંસદ ગૂંજી રહી છે અને બંધારણ પર બન્ને ગૃહોમાં ચર્ચા થયા પછી આ મુદ્દે હવે મીડિયામાં પણ રસપ્રદ તથા માહિતીપ્રદ ચર્ચાઓ સંભળાઈ રહી છે, તો સોશ્યલ મીડિયાના માઈધ્યમથી પણ અવનવી કોમેન્ટો થઈ રહી છે,જે આપણી લોકતાંત્રિક અભિવ્યક્તિ તથા રાષ્ટ્રીય પ્રવાહો પ્રત્યે લોકોની વધી રહેલી જાગૃતિ દર્શાવે છે. કેન્દ્ર સરકારે રહી રહીને અંતે 'વન લેશન- વન ઈલેક્શન' બિલ રજૂ પણ કરી દીધું અને જેપીસી-સ્થાયી કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પણ કરી દીધો.
એવું કહેવાય છે કે આ બિલને લઈને ઈન્ડિયા ગઠબંધનના મોટાભાગના પક્ષો તો વિરોધમાં છે જ, પરંતુ એનડીએના કેટલાક ઘટક દળો પણ પૂરેપૂરા સહમત નથી, અને તેથી જ વોટીંગના માધ્યમથી સરકારે સાદી બહુમતીથી ગૃહની સહમતિ મેળવી લીધી, પરંતુ પછી આ બિલ જેપીસીમાં મોકલીને વચલો રસ્તો પણ અખત્યાર કરી લીધો, જેથી એ કહેવત યાદ આવી જાય કે 'સાપ મરે નહીં અને લાઠી (લાકડી) તૂટે નહીં!!'
રાજકીય મુદ્દાઓ અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી રાજ્યસભામાં કેટલાક જનલક્ષી મુદ્દાઓ, સમસ્યાઓ તથા તદ્વિષયક સૂચનો પણ રજૂ થયા હતાં અને સરકારીતંત્રો દ્વારા તૈયાર કરેલી વાસ્તવિક્તાઓ પણ ગૃહમાં વિસ્તારપૂર્વક રજૂ થઈ હતી, અને તેના પર પ્રશ્નોત્તરીઓ પણ થઈ હતી. આ પ્રત્યેક નાગરિકોને સ્પર્શતી ચર્ચાઓની નોંધ ભલે ઓછી લેવાતી હોય કે તેની મીડિયા-સોશ્યલ મીડિયામાં પણ ઓછી ચર્ચા થતી હોય, પરંતુ તે મુદ્દાઓ જે વિસ્તારોના હોય, ત્યાંની પબ્લિક તેમાં ઊંડો રસ ધરાવતી હોય છે અને તેના પ્રતિભાવો તથા પ્રત્યાઘાતો પણ સોશ્યલ મીડિયા તથા પ્રેસ-મીડિયા, ન્યૂઝ ચેનલોના માધ્યમથી સામે આવતા હોય છે.
આવો જ એક મુદ્દો દ્વારકા સહિતના કેટલાક જિલ્લાઓને સ્પર્શતો રાજ્યસભામાં ગૂંજ્યો હતો. કેન્દ્રિય જળશક્તિ વિભાગ દ્વારા ગૃહમાં રજૂ થયેલી વાસ્તવિક્તા ચોંકાવનારી હતી અને તેના પર દરેક કક્ષાના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ સ્થાનિક કક્ષાએ પણ લક્ષ્ય આપવું જ જોઈએ, ખરૃં કે નહીં?
સેન્ટ્રલ વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યસભામાં ગુજરાતના ભૂગર્ભજળને લઈને જે માહિતી અપાઈ તે ગુજરાતીઓ માટે તો ચિંતાનજક છે જ, પરંતુ રાજ્યની પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો માટે પણ ધ્યાનાકર્ષક છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળપ્રદૂષણની સમસ્યા છે અને તેની ગંભીર અસરો લોકોના સ્વાસ્થ્યને થઈ રહી છે. તેમાં પણ ભૂગર્ભ જળ પણ હવે એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે, પીવાલાયક રહ્યું નથી. રાજ્યના આ જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું છે, તો ૩૦ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા દોઢ એમ.જી.થી વધુ નોંધાઈ હોવાનો ખુલાસો થતા તેના ગુજરાતમાં ચિંતાજનક પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં આર્યનઘનતા અને ૧ર જિલ્લાઓમાં આર્સેનિકનું પ્રમાણ પણ વધ્યું છે. ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ વધી રહી છે.
આ આંકડાઓ મુજબ ૬૩ર માંથી ૮૮ જળસેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા ચિંતાજનક રીતે વધુ જોવા મળી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં માન્યમાત્રા કરતા વધુ ફ્લોરાઈડ જોવા મળતા ત્યાં પણ ધીમે ધીમે જળપ્રદૂષણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેમ હોવાથી રાજ્ય સરકાર તથા તેના સંબંધિત વિભાગો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ ચેતી જવા જેવું છે.
આ રિપોર્ટ મુજબ દ્વારકા, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ ભૂગર્ભજળ દૂષિત થવા લાગ્યું છે, જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી તથા અમરેલીમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. અમરેલી જિલ્લાઓના કેટલાક તાલુકાઓમાં તો ઘણાં દાયકાઓથી ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ વધુ હોવાથી તે પાણી પીનારા લોકોના અકાળે વૃદ્ધ થઈ જવાની, યુવાવયે દાંત પડી જવા કે વાળ સફેદ થઈ જવાની સમસ્યા મોજુદ જ હતી, તે હવે વિસ્તરી રહી છે અને તેની વિગતો સરકારી તંત્રે જ સંસદમાં રજૂ કરી હોય ત્યારે તે વધુ ધ્યાન ખેંચે, તે સ્વાભાવિક છે.
હાલારમાં લાંબા દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં તો ક્ષારોનું પ્રમાણ વધી રહ્યું હોવાની તથા ફળદ્રુપ જમીન ખારી અને બિનઉપજાઉ બની રહી હોવાની સમસ્યા હતી જ, અને અમરેલી જિલ્લાના લાઠી-લિલિયા પંથકમાં મહત્તમ ફ્લોરાઈડયુક્ત ભૂગર્ભજળની સામે લોકો ઝઝુમી જ રહ્યા હતાં, અને હવે ભૂગર્ભજળ સમગ્ર રાજ્યમાં દૂષિત થઈ ગયું હોય તો કેવી વિકટ સ્થિતિ ઊભી થવા જઈ રહી છે, તેની કલ્પના પણ ધ્રુજાવનારી છે.
નર્મદા યોજના અને સરદાર સરોવર ડેમના કારણે પીવાનું પાણી પૂરૃં પાડવાનો વિકલ્પ હોવા છતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો આજે પણ ભૂગર્ભજળનો જ પીવાના પાણી તરીકે મહત્તમ ઉપયોગ થાય છે, પરંતુ નવા વિસ્તરી રહેલા શહેરી વિસ્તારોમાં પણ ભૂગર્ભજળનો જ પીવાના પાણી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે બોર-ડંકીનું પાણી પીતા લોકોના સ્વાસ્થ્ય પર પણ ઘેરી અસરો પડી રહી છે, જે વધુ ચિંતાજનક છે.
જળપ્રદૂષિતના કારણે ચામડીના રોગો, દાંતની સમસ્યાઓ, ખરતા વાળ, પેટમાં ગરબડ, ગેસ, એસીડીટી અને પાચનતંત્ર- સ્ટમક (હોજરી) ને સંબંધિત દર્દો વધી રહ્યા છે અને ગંભીર પ્રકારની બીમારીઓ વધી રહી છે, ત્યારે આ સમસ્યાને લઈને રાજ્ય સરકાર ક્યા કદમ ઊઠાવી રહી છે, તે ખુદ મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા તથા ભૂગર્ભજળનો વિભાગ સંભાળતા મંત્રી મહોદયોએ જનતાને જણાવવું જોઈએ, તેમ નથી લાગતું?
દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના કાંઠાળ દરિયાઈ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વધી રહેલા ક્ષારો તથા ભૂગર્ભજળ પ્રદૂષણનો તત્કાળ સર્વે કરાવીને રાજ્ય સરકાર જરૂરી કદમ ઊઠાવે, તે માટે સ્થાનિક જનપ્રતિનિધિઓ પક્ષાપક્ષી ભૂલીને એક સૂરે ઉચ્ચકક્ષા સુધી અવાજ ઊઠાવે છે, તે અત્યંત જરૂરી છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલતા કેસોની વિવિધ સુનાવણીઓ દરમિયાન કરવામાં આવતી કેટલીક ટકોરો, કરાતા સૂચનો તથા પથદર્શક સલાહો પણ મૂલ્યવાન હોય છે અને તેનો સમય અથવા અનુસરણ દેશના પ્રત્યેક નાગરિકોએ (સરકારો સહિત) કરવું જોઈએ, પરંતુ વાસ્તવમાં તેવું થાય છે ખરૃં? તેનો અભ્યાસ કરવા જેવો છે.
ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન દેશના યુવાવર્ગમાં વ્યાપી રહેલી નશાની આદતો અંગે જસ્ટિસ બી.વી. નગરરત્ના તથા એન. કોટિશ્વરસિંહની બેન્ચે આપેલી વોર્નિંગ તથા તંત્રોને કરેલી ટકોર ઘણી જ ગંભીર હતી અને આ મુદ્દે યુવાવર્ગને જાગૃત કરવાના પ્રયાસોની સાથે સાથે ડ્રગ એડિક્ટ સંતાનોના માતા-પિતા પરિવારોને પણ ઢંઢોળવાનો સંદેશ પણ અપાયો હતો.
ડ્રગ્સના સ્મગલિંગમાં ઝડપાયેલા એક શખ્સ સામે એનઆઈએ દ્વારા તપાસને મંજુરી આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, દેશમાં કોઈપણ સંજોગોમાં નશાખોરીનું મહિમાગાન થવું ન જોઈએ. અદાલતે નશાખોરીના કારણે ઊભા થતા ખતરાઓ સામે લડવા દેશવાસીઓએ સંગઠિત અને સતત પ્રયાસો કરવા પડશે. યુવાવર્ગને એલર્ટ કરતા અદાલતે કહ્યું હતું કે, નશાખોર વ્યક્તિને બૂરી આદતમાંથી મુક્ત કરવામાં સહાનુભૂતિ તથા પ્રેમથી સમજાવવાની જરૂર હોય છે.
અદાલતે કહ્યું કે ડ્રગ્સનું વ્યસન માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ નશાખોર વ્યક્તિની આર્થિક બરબાદી તથા સામાજિક બદનામીનું કારણ બને છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થાય છે. આ સમસ્યા સામે લડવા સરકાર અને તંત્રોને નશાખોર વ્યક્તિના માતા-પિતા, પરિવાર તથા સમાજને સાથે રાખીને સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર પણ અદાલતે જણાવી છે.
દેશના યુવાવર્ગમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની માઠી અસરો વ્યક્તિની ઉંમર, જાતિ, ધર્મ કે અન્ય પ્રકારના ભેદભાવો વગર સાર્વત્રિક રીતે થઈ રહી છે, અને સમગ્ર સમાજ પર તેની વિપરીત અસરો પડે છે. એટલું જ નહીં, સામાજિક વ્યવસ્થાઓ પણ ખોરવાઈ જાય છે, તેથી આ દૂષણ સામે સૌએ સાથે મળીને લડત આપવી જરૂરી છે.
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીના આરોપસર પકડાયેલા એક આરોપી સામે એનઆઈએ દ્વારા તપાસની જરૂર જણાવતા આ કેસમાં અદાલતે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સની કમાણીમાંથી આતંકવાદ અને સમાજને અસ્થિર કરવાના પ્રયાસો થાય છે, તે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય ગણાય નહીં.
અત્યારે દેશમાં કેટલીક રાજ્ય સરકારો રેવન્યુ વધારવા માટે દારૂ (શરાબ) ના વ્યવસાયને પ્રોત્સાહિત કરી રહી છે અને શરાબના વ્યસનીઓ ખૂબ જ સરળતાથી અને ઝડપભેર ડ્રગ્સના વ્યસની બની જતા હોવાથી શરાબના વ્યવસાયને નિયંત્રિત કરવાની જરૂર છે. ગુજરાત અને બિહાર જેવા સંપૂર્ણ કે આંશિક દારૂબંધી ધરાવતા રાજ્યોમાં પણ દેશી-વિદેશી દારૂનો ગેરકાનૂની ધંધો ધમધમતો રહે છે, તે ઓપન સિક્રેટ છે અને જ્યાં સુધી શરાબની સરળતાથી ઉપલબ્ધિ થતી રહેશે, ત્યાં સુધી ગેરકાયદે અને સ્મગલીંગ દ્વારા ફેલાતી ડ્રગ્સની બદીને અટકાવવી અઘરી છે, તેવા તર્કો પણ થઈ રહ્યા છે, અને તેમાં તથ્ય પણ છે.
કોઈપણ પ્રકારની કટ્ટરતા કે ઝનૂન તો શરાબ અને ડ્રગ્સના નશા કરતા પણ વધુ ખતરનાક હોય છે અને ધર્મ, સંપ્રદાય, પ્રદેશ, ભાષા અને જાતિ, રંગભેદ જેવા મુદ્દે થતા વિવાદોમાંથી ઉદ્ભવતી હિંસાની પાછળ પણ આ પ્રકારની કટ્ટરતા જ જવાબદાર હોય છે, ત્યારે એક અન્ય સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી પણ પ્રત્યેક દેશપ્રેમી નાગરિકે નોંધવા જેવી છે.
ગઈકાલે એક અન્ય સુનાવણી દરમિયાન એક અન્ય બેન્ચ દ્વારા કરેલી ટિપ્પણીઓ પણ આજે ચર્ચામાં છે, અને તે કેફી ઝનૂનો સામે લાલબત્તી ધરે છે.
હકીકતમાં કર્ણાટકની હાઈકોર્ટે આપેલા એક ચૂકાદા સામે થયેલી અપીલની સુનાવણી સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચ કરી રહી હતી. આ અપીલમાં કર્ણાટક હાઈકોર્ટના એક ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો અને તેને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
લગભગ ત્રણેક મહિના પહેલા કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદમાં ધાર્મિક સુત્રો પોકારવાની સામે ગુન્હો નોંધીને બે વ્યક્તિ સામે કરાયેલી કાનૂની કાર્યવાહીને રદ કરી દીધી હતી. આ બન્ને આરોપીઓ પર મસ્જિદમાં 'જયશ્રીરામ'નું સૂત્ર પોકારવાનો આરોપ હતો.
હાઈકોર્ટના ચૂકદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રિમ કોર્ટની બેન્ચે અરજદાર તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલને કેટલાક સવાલો પૂછ્યા હતાં અને હાઈકોર્ટના ચૂકાદાના બહાલ રાખીને અપીલ કાઢી નાંખી હતી. આ સુનાવણી દરમિયાન એવો સવાલ પણ ઊઠ્યો હતો કે ધાર્મિક સૂત્રોચ્ચાર કરવો એ ગુન્હો કેવી રીતે ગણી શકાય?
આ જ પ્રકારની ચર્ચા સંસદમાં પણ થઈ રહી છે અને આપણા દેશની સહિયારી સંસ્કૃતિ, સદ્ભાવ અને વિશ્વકલ્યાણની ભાવના આપણા બંધારણના હાર્દમાં છે, તેવી ભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. લોકસભામાં બંધારણીય ચર્ચા સંપન્ન થયા પછી હવે ગઈકાલથી રાજ્ય સભામાં આ ચર્ચા શરૂ હતી અને આજે આ ચર્ચા પછી સરકાર તરફથી તેના જવાબ પછી આ ચર્ચા દેશમાં લાંબા સમય સુધી ચાલશે, અને તે અત્યંત જરૂરી પણ છે, ખરૃં ને?
માદક દ્રવ્યો, ડ્રગ્સ કે શરાબનો નશો હોય કે કટ્ટરતાનો કેફ હોય, બન્નેની આદત બરબાદી જ નોતરે છે, અને તેનો ત્યાગ કરવો વ્યક્તિગત જ નહીં, સમાજ તથા દેશના પણ હિતમાં છે, તેવું બધા જ કહે છે, પરંતુ તેને અનુસરે છે કેટલા? તે પણ યક્ષપ્રશ્ન જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દક્ષિણ કોરિયામાં સત્તાપરિવર્તન તથા કાર્યવાહક સરકારને અમેરિકાએ આપેલી પ્રતિક્રિયા તથા બંધારણના મુદ્દે ભારતમાં ચાલી રહેલી ચર્ચાના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો વચ્ચે ભૂતકાળમાં જેની મહત્તમ આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરાય છે, તે નોસ્ટ્રેડમસને જ સાંકળીને વર્ષ-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી સ્વયં હટી જશે, તેવી સોશ્યલ મીડિયામાં કોમેન્ટો શરૂ થઈ છે, અને તેને નકારતી કોમેન્ટોનો પણ પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ 'વન નેશન, વન ઈલેક્શન' બિલ અંગે મોદી સરકારે લીધેલા યૂ-ટર્નના પડઘા પણ રાષ્ટ્રવ્યાપી બન્યા છે.
વધી રહેલી ઠંડી અને હિમવર્ષા વચ્ચે પણ દેશમાં રાજકીય ગરમી વધી રહી છે., અને ફરીથી ઈવીએમની ચર્ચાએ જોર પકડ્યું છે. સમાજવાદી નેતા અખિલેશ યાદવે તો (કેન્દ્રમાં સત્તામા આવે તો) ઈવીએમને હટાવીને બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવશે, તેવી જાહેરાત કર્યા પછી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
હકીકતમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈવીએમનો વાંક કાઢતા રાજકીય પક્ષોને ટકોર કરતા કહ્યું હતું કે, ઈવીએમથી જ કેટલાક સ્થળે વિજય મેળવ્યા પછી જ્યાં હાર્યા હોઈએ, ત્યાં ઈવીએમને દોષ દેવો એ યોગ્ય નથી, રાજકીયપક્ષો આ પ્રકારના બેવડા વલણો રાખવાના બદલે પોતાની હાર માટે મંથન કરવું જોઈએ, વગેરે...
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ સાચી વાત હંમેશાં સ્વીકારે છે અને આ પહેલા પણ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ કે લોકહિતમાં ઊઠાવેલા કેટલાક કદમને પાર્ટીલાઈન તથા રાજનીતિથી ઉપર ઊઠીને સમર્થન આપ્યું છે.
બીજી તરફ અખિલેશ યાદવે બેલેટ પેપરની આડમાં ઈન્ડિયા ગઠબંધન પર નેતૃત્વનો દાવો કરી દીધો હોવાના અભિપ્રાયો પણ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા તૃણમુલ કોંગ્રેસે પણ ઈન્ડિયા ગઠબંધન પર નેતૃત્વનો દાવો કર્યો હતો. કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ અન્ય કોઈને સોંપી દેવું જોઈએ, તે પ્રકારની કોંગી નેતા મણિશંકર ઐયરનો સાંકેતિક ટકોર તથા તેના નિવેદનની પણ રાષ્ટ્રવ્યાપી ચર્ચા થઈ રહી છે, અને આ તમામ ઘટનાક્રમો પાછળ ભાજપનો હાથ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે!
પહેલા એવું જાહેર થયું હતું કે મોદી સરકાર સોમવારે (આજે) સંસદમાં વન નેશન, વન ઈલેક્શન બિલ પ્રસ્તુત કરશે, પરંતુ પછીથી આ બિલ સંસદની કાર્યસૂચિમાંથી હટાવી દેવાયું, તે પછી સરકારે આ પ્રકારનો યુ-ટર્ન શા માટે લીધો હશે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. એક અભિપ્રાય એવો છે કે સરકારે આ બિલ લાવવામાં મોડી પડી છે, અને અગ્રતાક્રમે નાણાબિલો મૂકવા પડે તેમ હોવાથી લાંબી ચર્ચા માગી લેતું વન નેશન, વન ઈલેક્શનનું બિલ હાલતૂરત રજૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો હશે. બીજી અટકળ એવી પણ છે કે સરકાર હજુ પણ શિયાળુ સત્રમાં જ પૂરવણી બિલ તરીકે પૂરક લિસ્ટીંગમાં નાંખીને ર૦ મી ડિસેમ્બર પહેલા રજૂ પણ કરી શકે છે.
જો કે, વિપક્ષી વર્તુળો તથા કેટલાક સંસદીય બાબતોના વિશ્લેષકોના મંતવ્યો મુજબ સરકારે કાચુ કાપવાના બદલે પૂરતું ફ્લોરમેનેજમેન્ટ કરીને જ આ બિલ અ હટાવીને અચાનક છેલ્લી ઘડીએ રજૂ કરી દેવાની સ્ટ્રેટેજી (રણનીતિ) અપનાવી હશે, એક તરફ આ પરકારની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ એવી જોરદાર અટકળો પણ થઈ રહી છે કે, આ મુદ્દે નીતિશકુમાર તો કેન્દ્રના સમર્થનમાં છે, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ આડા ફાટ્યા છે, અને નવા સિમાંકનમાં દક્ષિણ ભારત કરતા ઉત્તર ભારતના રાજ્યોને વધુ ફાયદો થશે, તેવા પ્રશ્નો પણ ઊભા કરી રહ્યા છે, તેથી જ કદાચ મોદી સરકારે આ યૂ-ટર્ન લીધો હશે, જે હોય તે ખરૂ, પરંતુ લોકસભામાં ભાજપ પૂર્ણ બહુમતીમાં નહીં હોવાથી એનડીએની વર્તમાન સરકાર પહેલાની જેમ મજબૂતીથી નિર્ણય લઈ શકતી નથી અથવા તો એક વખત નિર્ણય લીધા પછી પહેલાની જેમ મક્કમ રહી શકતી નથી... સમય સમય બલવાન હૈ...!!
ઈવીએમની ચર્ચા વચ્ચે એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે કે, આગામી પંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશે ખરો? આ પ્રકારના સમાચારો વાયુવેગે ફેલાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર કે રાજ્યનું ચૂંટણી પંચ આ મુદ્દે સ્પષ્ટતા કરે, તે પણ જરૂરી ગણાય, ખરૃં ને?
દેશમાં ઠેર-ઠેર ચાલી રહેલા નેશનલ હાઈ-વે, કોસ્ટલ હાઈ-વે તથા ઓવરબ્રીજની હારમાળાના કામોમાં અસહ્ય વિલંબ થવાથી તેની આડઅસરો પણ અસહ્ય ઢબે ઊભી થઈ રહી છે, અને કેટલાક અધુરા કામોમાં નિર્માણ થઈ રહેલા માર્ગોનો જોખમી ઉપયોગ પણ થઈ રહ્યો હોવાની વાતો વહેતી થતા જામનગરમાં તો એવી ટકોર પણ થઈ રહી છે કે અધુરા અથવા નિર્માણાધિન કે રિપેર થઈ રહેલા સંકુલોમાં જો લગ્નમંડપ ઊભા થઈ જતા હોય, તો નિર્માણાધિન માર્ગોનો 'ઉપયોગ' થઈ જાય, તો તેમાં નવાઈ શેની?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પહેલા તો મોટા શહેરોમાં મુખ્ય મુખ્ય માર્ગો પર કેટલાક ચોક્કસ સમયગાળામાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી, પરંતુ હવે તો નાના નગરો, મોટા શહેરોના નાના માર્ગો, યાત્રાસ્થળો અને મુખ્ય બજારો કે ઈન્ડસ્ટ્રીયલ એંરિયા જ નહીં, પરંતુ શાળા-કોલેજોને જોડતા માર્ગો તથા એસ.ટી. તથા ખાનગી બસોના મથકો તેમજ શહેરોનેજોડતા પ્રવેશમાર્ગો પાસે પણ વારંવાર ટ્રાફિકજામ સર્જાવા લાગ્યોછે. આ ઉપરાંત હાઈ-વે પર પણ અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકોના કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા તમામ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ જાય છે. ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનોમાં રેગ્યુલર સારવાર લેતા દર્દીઓ જ નહીં, પરંતુ ઘણી વખત ક્રિટિકલ પેશન્ટ પણ ફસાઈ જતા હોય છે, જેથી તેઓના જીવ પર પણ જોખમ ઊભું થતું હોય છે. કોડીની ગતિએ ચાલતા કે થંભી ગયેલા ટ્રાફિકમાં ઘણી વખત તો ૧૦૮ સહિતની એમ્બ્યુલન્સો પણ અટવાતી જોવા મળતી હોય છે, અને તેમાં રહેલા દર્દીઓ તથા તેની સાથે રહેલા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. આ સ્થિતિમાં ટ્રાફિક નિયમનની પ્રવર્તમાન સિસ્ટમ સામે પણ સવાલો ઊઠે એ સ્વાભાવિક છે.
જામનગરની વાત કરીએ તો નગરમાં પ્રવેશતા જ જોવા મળતી ટ્રાફિક જામની સ્થિતિ ચોક્કસ સમયગાળામાં વધુ વકરે છે, અને મુખ્ય સર્કલો પાસે લાંબા સમય સુધી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. સાત રસ્તા પાસે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા બસપોર્ટના નિર્માણ માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો ખસેડાશે, ત્યારે વધુ વકરશે, ત્યારે શું થશે? તેની ચર્ચા પણ થઈ રહી છે. આસંભવિત સ્થિતિનો અભ્યાસ જ વિચાર કરીને જો વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારવામાં નહીં આવે, અથવા સાત રસ્તા સર્કલન ફ્લાય ઓવર બ્રીજનું કામ ઝડપભેર પૂર્ણ કરીને સર્કલ ખુલ્લું કરવામાં નહીં આવે તો કેવી સ્થિતિ સર્જાશે, તેની કલ્પનાપણ ધ્રુજાવનારી છે, ખરૃં ને?
સાત રસ્તા સર્કલ જેવા જ દૃશ્યો નગરના અન્ય સર્કલો, ચોકડીઓ તથા શહેરની ચોતરફના પ્રવેશ માર્ગો, બાયપાસ સર્કલો પર પણ અવારનવાર સર્જાતા જોવા મળે છે, તેથી આ સ્થિતિના નિવારણ માટે નગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રીજના કામની ઝડપ અનેકગણી વધારવી જરૂરી છે, તેમ નથી લાગતું?
જામનગરની જેમ જ રાજ્યના તમામ શહેરોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વસતિ વધી રહી છે અને વાહનોની સંખ્યા પણ અનેકગણી વધી રહી છે, ત્યારે માર્ગોનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થવું જરૂરી છે, પરંતુ તેના કામો ઝડપભેર પૂર્ણ ન થાય અને મંથર ગતિથી ચાલતા રહે, અને તેના માટે પ્રવર્તમાન માર્ગો પર પતરાં ગોઠવીને તથા અવારનવાર કેટલાક માર્ગો બંધ કરીને પરિવહન ઠપ્પ થઈ જાય, તેવી નીતિરીતિ અપનાવાતી રહે, તો ટ્રાફિક જામની આ સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તેવા સવાલો અસ્થાને નથી.
વિપક્ષી વર્તુળોમાં પણ આ સ્થિતિ સામે જોઈએ તેવી જાગૃતિ જણાતી નથી. પ્રાદેશિક અને રાષ્ટ્રીય વિપક્ષી પ્રવક્તાઓ દ્વારા વિવિધ મુદ્દે નિવેદનો તો અપાય છે, પરંતુ ટ્રાફિક જામની વર્તમાન ગંભીર સમસ્યાને કેન્દ્રમાં રાખીને કોઈ રાજ્યવ્યાપી જાનજાગૃતિ જણાતી નથી. તે પણ હકીકત જ છે ને?
કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા જાગૃતિપૂર્વક રજૂઆતો થાય છે, અને વિકાસના માચડાઓના કારણે ખોરવાતી વ્યવસ્થાઓના મુદ્દે સરકારી તંત્રોની આલોચના પણ કરવામાં આવે છે. વિકાસના માચડાઓના કારણે પરિવહન તથા અન્ય વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે, અને તેથી લોકોના રોજીંદા કામો જ નહીં, ગંભીર સ્થિતિના દર્દીઓમાં જીવનું પણ જોખમ ઊભું થાય છે, અને ધીમી ગતિએ ચાલતા કેટલાક વિકાસના કામોની આડઅસરોન લીધે ટ્રાફિકજામની સર્જાતી સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કરીને 'સિસ્ટમ' સુધારવી જરૂરી છે, તેવી ઉચ્ચસ્તરે ભારપૂર્વક રજૂઆત થાય, તે પણ એટલું જ જરૂરી છે.
વિકાસના કામો, ફ્લાય ઓવર બ્રીજો, ઓવરબ્રીજો, અંડરપાસ કે માર્ગોને પહોંળા, અદ્યતન કે મજબૂત કરવાના કામો થતા હોય, ત્યારે જનરસહયોગ પણ એટલો જ જરૂરી હોયછે, જ્યારે બીજી તરફ આ પરકારના કામો માટે માર્ગો બંધ કરવામાં આવે કે પછી આંશિક રીતે કે ચોક્કસ સમયગાળા માટે ડાયવર્ટ કરવામાં આવે, ટૂંકાવવામાં આવે કે પછી નિયંત્રિત કરવામાં આવે ત્યારે તેના વૈકલ્પિક માર્ગોની પૂરેપૂરી વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી જણાય. નાગરિકો કે તેના વાહનો લાંબા સમય સુધી ક્યાંય જઈ ન શકે અને ફસાઈ જાય, અટવાઈ જાય તેવી સ્થિતિ તો કોઈપણ સંજોગોમાં ઈચ્છનિય ન જ ગણાય.
નગરો-મહાનગરોમાં (જામનગર સહિત) આંતરિક માર્ગોના નવીનિકરણ, ભૂગર્ભ ગટરના કામોકે અન્ય વિકાસ કામો માટે ઘણી વખત લાંબા સમય સુધી કોઈપણ વૈકલ્પિક માર્ગ આપ્યા વગર કે તે પર્યાપ્ત વ્યવસ્થા કર્યા વગર માર્ગો, શેરી-ગલીઓ કે સોસાયટીઓના આંતરિક વિસ્તારોમાં પગે ચાલીને પણ જઈ ન શકાય, તે રીતેઅવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે, જેને ધ્યાને લઈને પણ રાજ્ય-કેન્દ્ર સરકારો, પાલિકા-મહાપાલિકા-પંચાયતોના સત્તાવાળાઓએ તેઓને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ તેથી સમગ્ર વિકાસ પ્રક્રિયા ઝડપી બને, અવરોધ ન આવે અને નાગરિકોને પણ ઓછામાં ઓછી મુશ્કેલી વેઠવી પડે.
વિકાસના કામો નાગરિકોની સુવિધા માટે જ નિર્માણ થતા હોવાથી નાગરિકો પણ પૂરેપૂરો સહયોગ આપે, અને તંત્રો ખાસ કરીને સંબંધિત કોન્ટ્રાક્ટરો, પેટા કોન્ટ્રાક્ટરો તથા તેના ગ્રાસરૂટના કર્મચારીઓ પણ નાગરિકોની સુખ-સુવિધાનું સંવેદનશીલ અભિગમ સાથે ધ્યાન રાખે, તે અત્યંત જરૂરી છે, ખરૃં કે નહીં.?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મોદી સરકારે 'વન નેશન, વન ઈલેકશન'ના અભિગમને વૈધાનિક સ્વરૂપ આપી દીધું છે અને આ અંગે કેન્દ્રીય કેબીનેટમાં પણ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે, ત્યારે તેના સંદર્ભે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા સંસદમાં બંધારણના વિષય પર ચર્ચાના વિષય પર પણ ભિન્ન ભિન્ન મંતવ્યો છેલ્લા બે-ત્રણ દિવસથી વ્યક્ત થઈ રહ્યા હતાં. બીજી તરફ આમઆદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલી નવ મહિલાલક્ષી રોકડ સહાય યોજનાને લઈને વિવાદનો વંટોળ ઉઠયો છે, અને ચૂંટણી ટાણે જ થતી આ પ્રકારની ઘોષણાઓને આચાર સંહિતાનો ભંગ ગણવો કે નહીં, તે અંગેના પ્રત્યાઘાતો સાથે જ વિવાદનો વંટોળ પણ ઉઠયો છે.
જો પંચાયતો થી લઈને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે, તો થનારા ફાયદા સરકાર દ્વારા વર્ણવાઈ રહ્યા છે જ્યારે વિપક્ષો ઉપરાંત વિચારકો અને વિશ્લેષકોમાં મિશ્ર પ્રત્યાઘાતો પ્રવર્તી રહ્યા છે. એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જો લોકસભા, વિધાનસભાઓ, પાલિકા-મહાપાલિકાઓ તેમજ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ, એક સાથે યોજાય તો દરેક બૂથમાં પાંચ-પાંચ ઈવીએમ(ઓછામાં ઓછા) જોઈએ, અને રિઝર્વ તથા વધુ ઉમેદવારો ધરાવતા બૂથોમાં જરૂરી વધારાના ઈવીએમ ગણીએ તો બૂથ દીઠ સરેરાશ ઈવીએમની સંખ્યા જોતા મોટી સંખ્યામાં નવા ઈવીએમખરીદવા જ પડે. આ કારણે અંદાજે પાંચ થી છ હજાર કરોડનો ખર્ચ તો માત્ર નવા ઈવીએમ ખરીદવાનો જ વધી જાય, તેથી ચૂંટણીનો ખર્ચ અનેક ગણો વધી જશે, તેવા તર્કાે અપાઈ રહ્યા છે, જેને સમર્થન પણ મળી રહ્યું છે, અને આ મુદ્દે પ્રસ્તાવ લોકમત ઘડાઈ રહ્યો હોય, તેમ જણાય છે.
બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે અવાર-નવાર થતી ચૂંટણીઓમાં કર્મચારીઓના ટીએ-ડીએ, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટેશન સહિતના અનેક ખર્ચા તો બચી જ જશે, તે ઉપરાંત ખાસ કરીને અવાર-નવાર આચાર સંહિતાઓ લાગુ પડી જતાં વિકાસ, લોક-કલ્યાણના કામો થંભી જાય અને રોજીંદી લોકસેવાઓ અવાર-નવાર ખોરવાઈ જાય, તેવી સંભવિત સ્થિતી પર પણ કાયમી ધોરણે પુર્ણ વિરામ મૂકાઈ જશે, આ અભિગમથી માત્ર ચૂંટણી પંચ જ નહીં, ઉમેદવારો-રાજકીય પક્ષોને પ્રચાર-પ્રસાર માટે થતા (માન્ય અને અમાન્ય) તમામ પ્રકારના ખર્ચાઓ ઘણાં જ ઘટી જશે, જેથી એકંદરે એક સાથે દેશભરમાં તમામ ચૂંટણીઓ સંપન્ન થઈ જાય તો તેની એકંદરે દેશના નાગરિકોને જ ફાયદો થશે, કારણ કે ચૂંટણી પંચનો તમામ ખર્ચ પણ ટેક્સ પેયરના નાણાં ભંડોળમાંથી જ થાય છે ને ?
આ અંગેના નવા બીલની પૂરેપૂરી વિગતો બહાર આવી નથી, પરંતુ પહેલા લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ જાય, અને બીજા તબક્કામાં સ્થાનિક ચુંટણીઓ દેશભરમાં એક સાથે યોજાય, તેવું આયોજન થાય, તો પાંચ ગણા નવા ઈવીએમ ખરીદવા ન પડે, તેવી તાર્કિક દલીલો પણ વ્યક્ત થઈ રહી છે જોઈએ, તો બીજી તરફ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ અભિગમને જોરદાર વિરોધ કર્યાે છે, ત્યારે જોઈએ હવે શું થાય છે તે...
વન નેશન, વન ઈલકેશનના અભિગમની ચર્ચા વચ્ચે જ અરવિંદ કેજરીવાલે નવો ધડાકો કર્યાે છે અને દિલ્હીની આતિશી સરકાર ૧૮ વર્ષથી વધુ ઉમરની દરેક મહિલાઓના ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવવાનું રજીસ્ટ્રેશન હકીકતે રૂ. ર૧૦૦નું થશે અને તેનો લાભ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી થશે, તેવી કરેલી ઘોષણાના ઘેરા પ્રત્યાઘાતો પડયો અને તેની સામે કોંગ્રેસ, ભાજપના વર્તુળો તથા કેટલાક વિશ્લેષકોએ પણ સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારના વાયદા કરવાને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણવો જોઈએ, કેટલા કે આ માટે રાજ્ય સરકારે યોજના તો લાગુ કરી દીધી, પરંતુ તેનો લાભ ચૂંટણી પછી આપવાની વાત કરાઈ રહી છે, અને ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના મહિલા મતદારોને આકર્ષવા માટે સરકારી લાલચ અપાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, કેજરીવાલના વિરોધીઓ એવો સણસણતો સવાલ પણ પુછી રહ્યા છે કે પંજાબ વિધાસભાની ચૂંટણીઓ પહેલા પણ આમઆદમી પાર્ટીએ મહિલાઓના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવાનો વાયદો કર્યાે હતો પંજાબની સરકાર રચાયે આટલો લાંબો સમય વિતી ગયો, પરંતુ ત્યાંની મહિલાઓને તો એક રૂપિયા પણ મળ્યો નથી. !
આ તરફ સંસદમાં રોજીંદા થઈ રહેલા હોબાળાઓ વચ્ચે શાસક પક્ષો તથા વિપક્ષો આ માટે એક બીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે અને વિપક્ષો ચોક્કસ મુદ્દાઓને છાવરવા અવનવી તરકીબો અપનાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે સંસદ સરળતાથી ચલાવવાની જવાબદારી સરકારની છે, અને તે માટે અનુકુળ વાતાવરણ ઉભુ થવું જોઈએ. હવે બંધારણની ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીના ભાષણને સાંકળીને એવી આશા વ્યક્ત થઈ રહી હતી કે આ મહત્વ પૂર્ણ મુદ્દે શાસક પક્ષો અને વિપક્ષો ગંભીરતાથી પોતાના વિચારો વ્યક્ત કરશે, જોઈએ એ પછી શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકતાંત્રિક દેશમાં શાસન હંમેશાં પક્ષપાતવિહોણુ હોવું જોઈએ. ભારતના બંધારણનું હાર્દ પણ તમામ દૃષ્ટિએ સમાનતા અને છેલ્લામાં છેલ્લા નાગરિકને કોઈપણ ભેદભાવ કે પક્ષપાત ચાલ્યા વગર લોકશાહીના ફળો પહોંચાડવાનું જ છે, તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારતની નીતિ આઝાદીકાળથી જ બિનજુથવાદી એટલે કે તટસ્થ (ન્યૂટ્રલ) રહી છે.
લોકતાંત્રિક દેશોમાં ચૂંટણીઓ થાય છે અને લોકો બહુમતીથી સરકાર ચૂંટે છે. બહુમતી પૂરવાર કરવાના માપદંડો વિવિધ લોકતાંત્રિક દેશોમાં અલગ-અલગ છે, પરંતુ એક વખત સરકાર ચૂંટાય જાય, તે પછી સરકારની તમામ નીતિઓ અને અભિગમ પક્ષપાતથી પર એટલે કે ન્યુટ્રલ (તટસ્થ) હોવા જરૂરી છે. જો આવું ન થાય, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થામાં ગંભીર ખામી ગણી શકાય, અને પક્ષપાતી વલણ ધરાવતી સરકારો લોકો પ્રત્યે દ્રોહ કરે છે,તેમ કહી શકાય. ટૂંકમાં મતો કોઈપણ ઉમેદવાર કે પક્ષને આપ્યા હોય તો પણ ચૂંટણી પછી શાસનમાં આવેલા લોકોએ નાગરિકો પ્રત્યેની ફરજો તદ્ન તટસ્થપણે બજાવવી જ જોઈએ. આપણાં દેશમાં આવું થાય છે કે નહીં, તે અંગે ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે, અને ભિન્ન ભિન્ન મંતવ્યો વ્યક્ત થતા રહે છે. હકીકત શું છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
ભારતે આઝાદ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિનજુથવાદી નીતિ જાળવી રાખી છે, અને વિશ્વના દેશોમાં યુદ્ધગ્રસ્ત દેશો પૈકી કોઈ એકને સમર્થન આપવાનું વલણ દર્શાવ્યું નથી.
અત્યારે પણ યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન કે ઈરાન-અમેરિકાની ખુલ્લી કે એકતરફી તરફેણ ભારત કરી રહ્યું નથી, પરંતુ વાતચીતથી સમસ્યાઓનો ઉકેલ લાવવા તથા યુદ્ધવિરામ કરવાની વિચારધારાનું જ સમર્થન કરવામાં આવી રહ્યું છે, જેને બિનજુથવાદી વલણ તરીકે ઓળખવામાં આવે છે.
તટસ્થ નીતિના સૂચિતાર્થો ઘણાં જ વ્યાપક અને વિવિધલક્ષી છે. કોઈપણ લોકતાંત્રિક દેશમાં જ્યારે ધર્મ, જ્ઞાતિ, નીતિ, ભાષા, રંગ કે આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને નકારાત્મક રીતે ભેદભાવ રખાય કે પક્ષપાતભર્યું વલણ દાખવવામાં આવે, તો તેને નબળી લોકતાંત્રિક વ્યવસ્થા જ ગણી શકાય. આ ઉપરાંત સામાજિક કે આર્થિક રીતે પછાત રહી ગયેલા કે દુર્ગમ વિસ્તારોમાં રહેતા વંચિતોની સ્થિતિ સુધારીને તેઓને સમૃદ્ધ કે અગ્રીમ લોકોની હરોળમાં લાવવા માટે કોઈ પ્રબન્ધો થાય, તો તેને ભેદભાવ કે પક્ષપાત નહીં, પણ સૌહાર્દ અથવા સૌજન્યતા ગણવી જોઈએ, તેવી વિભાાવના પણ સમાયેલી હોય છે.
આ હેતુથી જ દર વર્ષે ૧૧ મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ (ઈન્ટરનેશનલ ન્યૂટ્રાલિટી ડે) ની ઉજવણી થતી રહી છે. યુદ્ધગ્રસ્ત દેશો સાથે સહભાગિતાથી દૂર રહેવાની નીતિના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે આ ઉજવણી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના બીજા અનુચ્છેદમાં જ એવી વિભાવના રખાઈ છે કે તટસ્થ દેશો કોઈપણ યુદ્ધગ્રસ્ત દેશને યુદ્ધગ્રસ્ત નીતિની તરફેણ નહીં કરે, જો કે ચીન, અમેરિકા, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશો આ વિભાવનાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા રહ્યા છે, તે પણ હકીકત જ છે ને?
આ કારણે જ આ દેશોની તરફેણ કરતા અને વિરોધ કરતા યુદ્ધગ્રસ્ત દેશોના જુથો રચાયા છે, જે નકારાત્મક છે, જ્યારે વિવિધ દેશોના જી-૭, સાર્ક, બ્રિક્સ, જી-ર૦ વગેરે પ્રકારના ચોક્કસ હેતુઓ તથા સમજુતિઓ સાથે રચાયેલા જુથોના હેતુઓ હકારાત્મક હોય છે.
વર્ષ ર૦૧૭ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બીજી ફેબ્રુઆરીના દિવસે પ્રસ્તાવને ૭૧/ર૭પ પસાર કરીને દર વર્ષે ૧ર મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ઉજવવાનું નક્કી કરાયું, અને ત્યારથી આ ઉજવણી થતી રહી છે.
આજે આંતરરાષ્ટ્રીય સ્વસ્થતા કવરેજ દિવસ હોવાથી ભારતમાં અમલમાં મૂકાયેલી આયુષ્માન ભારત યોજનાની ચર્ચા પણ થઈ રહી છે, અને આ યોજના હેઠળ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં થયેલા કૌભાંડોનો વિવાદ પણ ચર્ચાઈ રહ્યો છે. ઘણાં લોકો આ યોજનાને ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે ફળદાયી ગણાવી રહ્યા છે, તો કૌભાંડો જાહેર થયા પછી આ યોજનાને પણ ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું હોવાથી 'સાફસૂફી' થવી જરૂરી છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરીએ શેરીએ વિવિધ ચીજવસ્તુઓ માટે ફેરી કરતા ફેરિયાઓ, પાથરણાવાળા અને બૂટપોલીસ વગેરે પરચૂરણ વ્યવસાયો કરીને ગુજરાન ચલાવતા લોકો માટે કેટલીક રાજ્ય સરકારોએ વિવિધ યોજનાઓ શરૂ કરી છે, તો કેન્દ્ર સરકારે પણ ધિરાણ સહાય માટેની કેટલીક બેન્કેબલ યોજનાઓ અમલમાં મૂકી છે. સ્ટ્રીટ વેન્ડરો ઉપરાંત લારી-ગલ્લા-નાની દુકાનો તથા રિટેઈલરોને મદદરૂપ થવા માટે પણ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા કેટલીક યોજનાઓ જાહેર થઈ છે, પરંતુ તેમાં સમાનતા કે એકરૂપતા નથી અને તેનો લાભ કેટલા પ્રમાણમાં પહોંચે છે, તેનું કોઈ ચોક્કસ પ્રમાણ કે આંકડાઓ સર્વગ્રાહી રીતે નિયમિતપણે પ્રસિદ્ધ થતા નથી. આ કારણે જ સરકારો દ્વારા એકતરફ યોજનાકીય સિદ્ધિઓના બણગા ફૂંકાતા હોય અને બીજી તરફ એ જ યોજનાના ટાર્ગેટ પૂરા નહીં થવા બદલ સંબંધિત તંત્રોને નોટીસો ફટકારાતી હોય છે, તેથી એવું કહી શકાય કે શાસકો-તંત્રોના ખાવાના અથવા ચાવવાના દાંત જુદા છે અને દેખાવાના દાંત જુદા છે!
ગુજરાતમાં જાહેર માર્ગો કે ફૂટપાથો પર ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તેવા લારી-પથારાવાળાઓને હટાવવા ઝુંબેશો અવારનવાર ચલાવાય છે, પરંતુ તેઓનો વ્યવસાય ધમધમતો રહે, તેવા વૈકલ્પિક સ્થળે તેઓને જગ્યા ફાળવાતી નથી, અને જ્યાં ફાળવાય છે, ત્યાં એટલી દૂર કે અટપટા સ્થળે ફાળવાય છે, કે જ્યાં ધંધો-રોજગાર ચાલતો નહી હોવાથી એ ધંધાર્થીઓ ફરીથી પોતાનું પેટિયું રળવા (ગુજરાન ચલાવવા) માટે રોડ પર આવી જતા ટ્રાફિક અવરોધાવાની સમસ્યા એવી ને એવી જ રહે છે.
આ ગરીબ લોકોની ટૂંકી મૂડી અને આવકની અનિશ્ચિતતાના કારણે ઘણી વખત તેઓ મુશ્કેલીમાં મૂકાતા હોય છે, અને કોઈ કોઈ વખત તો અનાથ બાળકો ભિક્ષાવૃત્તિ કે ચાઈલ્ડ ટ્રાફિકીંગનો ભોગ બનીને દયનિય જિંદગી જીવવા મજબૂર થતા હોય છે.
બીજી તરફ સુપ્રિમ કોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન મોદી સરકારને ટકોર કરી છે કે દેશના ૮૧ કરોડ લોેકોને મફત રાશન ક્યાં સુધી અપાશે? આ લાભાર્થીઓને રોજગારીની તકો કેમ અપાતી નથી?
સુપ્રિમ કોર્ટની આ ટકરો માત્ર કેન્દ્ર સરકારને જ લાગું પડે છે, તેવું નથી, પરંતુ પ્રામાણિક ટેક્સ પેયર્સના નાણા લાંબા સમય સુધી કરોડો લોકોને બેઠા બેઠા અનાજ આપવા માટે ખર્ચી ન નંખાય, પરંતુ તેઓને રોજગારીની તકો પૂરી પાડીને પગભર કરવા જોઈએ, તેવો સંકેત સુપ્રિમ કોર્ટે આપ્યો હશે, તેમ માની શકાય.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરેલી જાહેરાત પણ ચર્ચાના ચાકડે ચડી છે. તેમણે સ્ટ્રીટ વેન્ડર્સ (ફેરિયાઓ) ને સાંકળ્યા છે કે નહીં, તે ક્લીયર થયું નથી, પરંતુ દિલ્હીના ઓટો રિક્ષાવાળાઓનો રૂ. દસ લાખનો વીમો ઉતારવાની યોજના લાગુ કરવાની વાત કરી છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતાં, ત્યારે તેઓએ ઓટોરિક્ષાવાળાને ત્યાં ભોજન કર્યું હતું, તેથી આ યોજના જાહેર કરી હોય, તો તે વ્યક્તિગત વળતર ગણાય કે કેમ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ આ પ્રકારની યોજનાઓ 'રેવડી કલ્ચર' ગણાય કે નહીં, તે અંગેની પણ ચર્ચા-પરામર્શ હવે વિવાદમાં બદલાઈ રહ્યા છે.
આ પ્રકારના અહેવાલો પછી એવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે કે, ગુજરાત સરકારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની આ જાહેરાત તથા અન્ય રાજ્યોમાં ચાલતી આ પ્રકારની યોજનાઓનો અભ્યાસ કરાવીને રાજ્યના સ્ટ્રીટ વેન્ડર્સ, ઓટોરિક્ષાના ડ્રાઈવરો તથા ટ્રક ડ્રાઈવરો માટે કોઈ વિશેષ યોજના ઈન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવી જોઈએ, અને જે લોકો રેશનકાર્ડ યોજના હેઠળ મફત અનાજનો લાભ લઈ રહ્યા છે, તેઓને પગભર કરવા માટે ચોક્કસ રોજગારીલક્ષી યોજનાઓ બનાવવી જોઈએ. ગુજરાત સરકાર આ દિશામાં કાંઈ કરશે ખરી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ધીમે-ધીમે ઠંડી વધી રહી છે, શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે, અને શિયાળાને તંદુરસ્તીની ઋતુ પણ માનવામાં આવે છે. શિયાળાની ઠંડી વચ્ચે પણ રાજકીય ક્ષેત્રે ગરમાવો વધી રહ્યો છે. સંસદમાં સટાસટી બોલી રહી છે, જ્યારે મહારાષ્ટ્રની મહાયુતિમાં મુંઝવણ વધી રહી હોય તેમ ખાતાની વહેંચણીના મુદ્દે ખેંચતાણના અહેવાલો પછી હવે શું થાય છે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. એવુ કહેવાય છે કે એકનાથ શિંદેની અકળામણ વધી રહી છે. (અજીત) પવારનો પ્રભાવ વધી રહ્યો છે અને ભાજપનું પોતાના જ ગઠબંધનનું કોકડું ગુંચવાયા પછી અનિશ્ચિતતા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હોય તેમ જણાય છે.
રાષ્ટ્રીય કક્ષાએ પણ ગઠબંધનોમાં ગરબડ જોવા મળી રહી હોય તેમ રામવિલાસનો 'ચિરાગ' ચતૂરાઈપૂર્વક રાજરમત રમી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે તેજસ્વીના તીખારા પણ વધી રહ્યા છે. આ બધા વચ્ચે પડોશી રાજ્ય પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નવું 'રાષ્ટ્રવાદી' વલણ પણ સામે આવ્યું છે, અને બાંગ્લાદેશમાં થતી હિંસા અને હિન્દુઓ પર થતા અત્યાચારોને લઈને તેમણે કરેલું નિવેદન કેન્દ્ર સરકારની વિદેશનીતિને અનુકૂળ અને અનુરૂપ હોય તેવું જણાય છે.
મમતાદીદીએ બાંગ્લાદેશની રખેવાળ સરકારને ઝાટકી નાંખી છે અને કહ્યું છે કે કોઈની હિંમત નથી કે તેઓ બંગાળ, બિહાર અને ઓડિશા પર કબજો જમાવે. કોઈ આવી હરકત કરે અને આપણે (ભારત) લોલીપોપ ખાતા ખાતા એવું થતા જોતા રહીશું, તેવું માનવાની જરૂર નથી. અમે ધીરજ રાખી છે, તેને નબળાઈ માનવાની ભૂલ કરતા નહીં.
તેણીએ રાષ્ટ્રીય રણનીતિને અનુરૂપ જ બાંગ્લાદેશને ચેતવતા કહ્યું છે કે અમે (ભારત) ખૂબ જ સક્ષમ છીએ અને એ પણ જાણીએ છીએ કે ધીરજ કેવી રીતે રાખવી. અમારે (ભારત) બાંગ્લાદેશની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી અને અમને ઉશ્કેરણી કરવામાં પણ કોઈ રસ નથી. અમે બાંગ્લદેશમાં વસવાટ કરતા ભારતીયોની સુરક્ષા જ ઈચ્છીએ છીએ.
બાંગ્લાદેશમાં થતી હિંસાના સંદર્ભે તેણીએ કહ્યું કે સરહદોની રક્ષા બીએસએફ કરે છે. સરહદોનો વિકાસ કેન્દ્રનો છે. મમતા બેનર્જીનું આ વલણ તેણીની મક્કમતા દર્શાવે છે.
બીજી તરફ બાંગ્લાદેશ પહોંચેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી પર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે, અને તંગદિલી ઘટાડવાના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ સમજુતિની દિશામાં આ એક સમજદારીપૂર્વક લીધેલું કદમ ગણાય છે.
રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મમતા દીદીનો સિતારો ચમકી શકે છે. ઈન્ડિયા ગઠંબધનનું નેતૃત્વ તૃણમુલ કોંગ્રેસ કરે અને તેના વડા મમતા બેનર્જી બને, તે પ્રકારની સોશ્યલ મીડિયામાં જબરદસ્ત ઝુંબેશ વચ્ચે ઈન્ડિયા ગઠબંધનમાં ગરબડ સર્જાઈ હોવાના અહેવાલો છે. આ પ્રકારના ઘટનાક્રમો એવું સૂચવે છે કે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત હોતા જ નથી, અને બધા પક્ષો પોતાનું હિત જ વિચારતા હોય છે.
રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવે, અને એનડીએ ગઠબંધનમાં (સંભવિત) ગરબડના કારણે વર્તમાન કેન્દ્ર સરકાર તૂટી પડે, તો મમતા બેનર્જીને વડાપ્રધાન બનાવવામાં આવે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થવા લાગ્યા છે, ત્યારે હવે રાહુલ-પ્રિયંકા અને ખડગે તૃણમુલ કોંગ્રેસને લઈને કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહેશે.
જો કે, તૃણમુલ કોંગ્રેસમાં પણ મમતા બેનર્જીના ઉત્તરાધિકારીના મુદ્દે વિવાદ વકર્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે, અને અંતરંગ વર્તુળોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીના સિનિયર નેતાઓ મમતા બેનર્જીના ભત્રીજાને પાર્ટીનું નેતૃત્વ સીધેસીધુ જ સોંપી દેવાના મૂડમાં નથી, અને તેથી જ બેનર્જીએ એવું નિવેદન આપવું પડ્યું હશે કે વિવાદ વકરે નહીં અને ઘીના ઠામમાં ઘી પડી રહે... આને મમતા દીદીની મક્કમતા ગણવી કે મમત્વનું પરિણામ?
આ કારણે જ મમતા બેનર્જીએ પોતાના ઉત્તરાધિકારીનો નિર્ણય વ્યક્તિગત રીતે નહી લેતા આ મુદ્દે સિનિયર નેતાઓ સાથે સલાહ-પરામર્શ કર્યા પછી જ લેવાશે, તેવું જાહેર કર્યું હશે ને?
આ તરફ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ફટાફટ કેટલાક કદમ ઊઠાવીને સરકારની છબિ સુધારવા તથા સરકારી માળાખામાં લોકલક્ષી સુધારા-વધારા કરવાના થઈ રહેલા પ્રયાસો તથા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીના તાજા નિવેદનો પણ ચર્ચામાં છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એવું કહેવાય છે કે કોઈપણ કામ પૈસા આપ્યા વિના થતું નથી. આ માન્યતા માત્ર સરકારી કામો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, બેંકીંગ સિસ્ટમ અને સામાજિક-આર્થિક ક્ષેત્રો સુધી આ બદી વ્યાપી રહી છે. એટલું જ નથી, કેટલાક આસ્થાના સ્થળો પણ તેમાંથી બાકાત રહ્યા નથી, અને ભ્રષ્ટાચારની સાથે વ્યભિચાર તથા દૂરાચારનું પણ સંયોજન થઈ રહ્યું છે, જેના અનેક કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે, જે આપણે બધા જાણીયે છીએ.
ભ્રષ્ટાચાર એટલે માત્ર લાંચ-રૃશ્વત જ નહીં, પરંતુ કોઈ લાભ મેળવવા કે પોતાનો ઉલ્લુ સિદ્ધ કરવા માટે કોઈપણ સ્વરૃપે અપાતું અને લેવાતું વળતર, ભેટસોગાદ કે દૈહિક વ્યભિચારને પણ ભ્રષ્ટાચારના સ્વરૃપો જ ગણી શકાય. હવે તો કોઈપણ સંગઠન, પક્ષ, સંસ્થા કે સત્તામંડળોમાં હોદ્દાઓ આપીને, ચૂંટણીઓમાં ઉમેદવારી માટે ટિકિટો વેંચી કે ખરીદીને અને સરકારી ફેવર મેળવવા માટે પણ ભ્રષ્ટાચાર પનપવા લાગ્યો છે. એટલું જ નહીં, 'નોટ ફોર વોટ'ની તરકીબ તો આપણા દેશમાં ઘણાં દાયકાઓથી અપનાવાતી રહી છે.
દર વર્ષે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય, ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવાય છે, અને દુનિયાભરમાં જુદી જુદી રીતે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશો ચલાવાય છે. ભ્રષ્ટાચાર સામે લડવાની લોકોમાં હિંમત આવે, અને પોતાના કામો કરાવવા માટે કોઈ લાંચ માંગે તો એન્ટીકરપ્શન બ્યૂરો, સીબીઆઈ કે પોલીસ-અન્ય સંબંધિત એજન્સીઓ, વિજિલન્સ વગેરેની સહાયથી તેને ખુલ્લા પાડવાની જાગૃતિ આવે, તે પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાય છે. પોતાને કાંઈ ખોટું ન કરાવવું હોય, તો પણ ધક્કા ખાવા ન પડે, સમય બચે અને લાઈનોમાં ઊભવું ન પડે, તે માટે ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો તથા ટ્રેડિશનલ મીડિયાના માધ્યમથી, પ્રેસ મીડિયાના સહયોગથી તથા તદ્વિષયક સંસ્થાઓના સંકલનથી વિવિધાસભર લોકજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વિશ્વના દેશોને એક છત્ર હેઠળ લાવીને વૈશ્વિક કલ્યાણ અને સામુદાયિક અસ્તિત્વ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રસંઘની અસેમ્બલીમાં વર્ષ ર૦૦૩ ની ૩૧ મી ઓક્ટોબરે એક પ્રસ્તાવ પસાર કરીને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવાનો નિર્ણય લેવાયો અને તે માટે ૯ મી ડિસેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.
હજુ સુધી ભ્રષ્ટાચારની કોઈ ચોક્કસ અને સર્વમાન્ય વ્યાખ્યા થઈ જ નથી અને તેથી જ શિષ્ટાચારની ચાદર ઓઢીને પણ ભ્રષ્ટાચાર પનપતો જ રહ્યો છે. અત્યારસુધી ભ્રષ્ટાચારના જે જાણીતા સ્વરૃપો છે, તેમાં લાંચ-રૃશ્વત લેવી અને આપવી તથા કોઈ લાભ લેવા માટે વળતર આપવું વગેરેનો સમાવેશ થતો રહ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારે કોઈનો પક્ષપાત કરવો, પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવા, મતો ખરીદવા, ખંડણી ઉઘરાવવી, ગેરકાયદે પ્રવૃત્તિઓથી નાણા કમાવા, દબાણો કરવા, બળજબરીથી કે ધાકધમકી કે ભય ફેલાવીને ફંડફાળો એકઠો કરવો, કોર્ટમાં ખોટી જુબાની આપવી, કે તે માટે નાણા આપવા કે લેવા, વિરોધીઓને દબાવવા એજન્સીઓનો દુરૃપયોગ કરવો, ખોટા કેસ કરવા, ખોટા આક્ષેપો લગાવીને કોઈની બદનામી કરવી, બ્લેકમેઈલીંગ કરવું, પરીક્ષાચોરી કે પેપરલીક કરીને વધુ માર્કસ મેળવવાની કોશિશ કરવી, મતો મેળવવા નાણા, ચીજવસ્તુઓ કે શરાબ વગેરે આપવા ઉપરાંત ભ્રષ્ટાચારમાં કઈ કામ કરાવી આપવા કે નોકરી અપાવવા, લોન અપાવવાના ખોટા વાયદા કરવા, નાણા લઈને રિપોર્ટ છાપવા કે નહીં છાપવા, નિર્ણાયકો તરીકે સ્પર્ધાઓમાં કે રેફરી તરીકે ખેલજગતમાં કોઈ પ્રલોભન કે દબાણ હેઠળ ખોટા જજમેન્ટ કે નિર્ણયો આપવા, બંધારણીય પદ પર રહીને ખોટી રીતે કોઈની તરફેણ કરવી કે ખોટા કદમ ઊઠાવવા સહિતના અનેક એવા કાર્યો છે, જેને ભ્રષ્ટાચાર ગણાવી શકાય.
એક દૃષ્ટિએ જોઈએ તો ભ્રષ્ટાચાર બહુરૃપિયો છે, અને જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા નિત્ય નવા નવા રૃપો ધારણ કરતો રહે છે. હવે તો શિષ્ટાચાર પણ ભ્રષ્ટાચારનું સ્વરૃપ બનવા લાગ્યો છે, જ્યારે દિવાળીના દિવસે ખુશાલીમાં મીઠાઈઓ વહેંચવામાં આવે અને અમીર-ગરીબ સૌ કોઈ એકબીજાના મીઠા મોઠા કરાવે, ત્યારે તેને ઉજવણી કહેવાય, પરંતુ મીઠાઈની સાથે મોંઘી ગિફ્ટ, ડ્રાયફ્રૂટ્સના બોક્સ અને કોઈ ટુર પેકેજોની ટિકિટો વગેરે પણ આપવામાં આવે, ત્યારે તેમાં જ 'ભવિષ્યના વળતર'ની બુનિયાદ રચાતી હોય છે, ખરૃં કે નહીં?
કોઈ પેરેન્ટ પોતાની દીકરીને ત્યાં જાય અને તેના હાથમાં કોઈ ગિફ્ટ કે રોકડ આપે, ત્યારે તેને શિષ્ટાચાર કહેવાય, પરંતુ જ્યારે સાસરિયાના દબાણ હેઠળ દીકરી માંગણી કરે અને દીકરીના માતા-પિતા કે ભાઈ-પરિવાર મોટરકાર, બાઈક, કોઈ મોંઘી ગિફ્ટ કે રોકડના સ્વરૃપમાં દીકરીને ભેટ આપે, ત્યારે તેને દહેજ કહેવાય, આમ દહેજ પણ સામાજિક ભ્રષ્ટાચાર જ છે ને? હવે, તો દેશ-વિદેશમાં વહુઓ પણ (પુત્રવધૂઓ) પણ મોંઘી શરતો રાખીને લગ્નો કરતી હોવાના દૃષ્ટાંતો સામે આવવા લાગ્યા છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે જામનગર અને હાલાર સહિત દેશભરમાં આપણા દેશના યુવાધનની આન-બાન અને શાનના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને લાલબહાદુર શાસ્ત્રીજીએ આપેલો નારો 'જય જવાન... જય કિસાન'ની સાથે સાથે ભારતની સશસ્ત્ર સેનાના બલિદાનો તથા યોગદાનોને યાદ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દેશની સરહદોને સાચવતા જવાનો પ્રત્યે સમાજની જવાબદારી અદા કરવાનો પણ આ અવસર છે, ખરૃં ને? જો કે, વર્ષ ૧૯૪૭ ની રર જુલાઈના બંધારણભાએ ભારતના તિરંગા અને અશોકચક્ર ધરાવતા રાષ્ટ્રીય ધ્વજને માન્યતા આપી તે દિવસે નેશનલ ફ્લેગ ડે પણ ઉજવાય છે, પરંતુ દર વર્ષે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ફ્લેગ ડે અથવા આર્મ્સ ફોર્સીસ ફ્લેગ ડે ઉજવાય છે, જે દેશની રક્ષ કરતા સશસ્ત્રદળો, દિગ્ગજો અને અદ્ભુત પરાક્રમો કરીને દેશ-સમાજની સેવા-સુરક્ષા કરનાર જવાનોને બીરદાવવાની ઉમદા તક પૂરી પાડે છે.
આ ઉપરાંત ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે અથવા આંતરરાષ્ટ્રીય નાગરિક ઊડ્ડયન દિવસ તરીકે પણ દર વર્ષે ૭ મી ડિસેમ્બરે વિશ્વભરમાં વિશેષ ઉજવણી થાય છે. વર્ષ ૧૯૯૪ માં ૭ મી ડિસેમ્બરે આઈસીએઓની પ૦ મી વર્ષગાંઠની યાદમાં આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
'જય જવાન જય કિસાન'નો નારો તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સેવા સમયે આપ્યો હતો, જે સમયે આપણો દેશ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યો હતો. યુદ્ધના સમયે દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનોની પડખે ઊભા રહીને તેનો જુસ્સો વધારવો અત્યંત જરૂરી હતો. દેશવાસીઓને પણ દેશની ચોતરફ દુશ્મન દેશોની ઘેરાબંધી વચ્ચે સુરક્ષિત રાખવાની જવાબદારી તે સમયની કેન્દ્ર સરકાર પર જ હતી તે ઉપરાંત દેશમાં અન્ન પુરવઠાની સ્કેરસિટીની નવી જ સમસ્યા પણ વકરી રહી હોય, તેથી જ લાલબહાદુર શાસ્ત્રીજીએ જવાનો તથા ખેડૂતોનો જુસ્સો વધારવા તથા દેશવાસીઓના સ્વાભિમાનને જાગૃત રાખવા આ નારો આપ્યો હતો.
સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવાની પાછળ એક ૫રિવારભાવના પણ રહેલી છે. પોતાના જીવને જોખમમાં મૂકીને મા-ભોમની રક્ષા માટે દેશની સરહદે કે પછી આતંકી ઘટનાઓ, બદમાશો સાથેના એન્કાઉન્ટર કે હિંસક તોફાનો-હુલ્લડો વખતે જીવ ગુમાવતા લોકોના પરિવારોને એવું લાગવું જોઈએ કે તમામ દેશવાસીઓ તેના પરિવારજનો છે. આ જ હેતુથી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા જવાનોના પરિવારોની સહાયતા માટે જુદા જુદા પ્રબંધો તો થતા જ હોય છે, અને વિવિધ ઉજવણીઓ પણ થતી હોય છે. સશસ્ત્ર સેનામાં કાર્યરત જવાનોના પરિવારો માટે જે ઉજવણી થાય છે, તેને શસ્ત્ર ઝંડા દિવસ સાથે ગરિમામય રીતે સાંકળવામાં આવે છે. યુદ્ધના સમયે થયેલા નુક્સાનની ભરપાઈ કરવાના કાર્યક્રમોનો અમલ પણ થાય છે અને શહીદોના પરિવારજનોને સહિયારો પણ અપાય છે. આ દિવસે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં નિવૃત્ત સેનાનીઓ, દિવંગત સેનાનીઓના પરિવારજનો તથા ફરજ પરના જવાનોને સાંકળવામાં આવે છે. આ દિવસે દેશભરમાંથી લોકો પાસેથી ફંડ એકત્ર કરવામાં આવે છે, જે આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડમાં જમા કરાવી દેવામાં આવે છે, જે જવાનોના પરિવારોને મદદ તથા કલ્યાણ માટે કાર્યરત છે.
આર્મ્ડ ફોર્સીસ ડે ની ઉજવણીના ભાગરૂપે ફંડ એકત્રિત કરવા માટે વિવિધ રંગોના નાના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે, જે લોકો પોતાના શર્ટ, કોટ વગેરેમાં લગાવીને જવાનો પ્રત્યેનું સન્માન તથા તિરંગા સાથે આદર પ્રગટ કરે છે.
સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો હોય કે આંતરિક સુરક્ષા માટે ઝઝુમતા સુરક્ષાદળો હોય, કે પછી દેશવાસીઓ માટે પરસેવો વહાવીને અન્ન ઉત્પન્ન કરતા અન્નદાતા કિસાનો હોય, તેઓ આપણાં દેશની આન-બાન અને શાન તો વધારે જ છે, સાથે સાથે પોતાની તમામ તાકાત સાથે દેશને સમર્પિત થઈ જાય છે, ખરૃં કે નહીં?
જે લોકો ચોવીસે કલાક સરહદો પર તૈનાત રહેનારા વીર જવાનો ઘણી વખત મોટી ઉંમરે ગંભીર બીમારીઓમાં સપડાઈ જતા હોય છે. યુદ્ધ કે વધતી ઉંમરની બીમારીઓના કારણે દિવ્યાંગ થઈ જતા હોય છે, શહીદોની શહીદી પછી અનેક પડકારોનો સામનો કરતા કરતા દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ પ્રકારના તમામ જવાનો કે તેના પરિવારજનોની મદદ માટે સશસ્ત્ર ધ્વજ દિવસના દિવસે ઉઘરાવેલા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી પ્રત્યેક દેશવાસીઓ પાસે જવાનો પ્રત્યેનું ઋણ ઉતારવાનો ઉમદા અવસર આપણે પણ ગુમાવવા જેવો નથી, તો, ચાલો, જવાનોને મદદરૂપ થવા ઉદાર હાથે ફંડ આપીએ...
દેશના જવાનો જેટલી જ ઈજ્જત અને મદદના હક્કદાર કિસાનો પણ છે, અને તેથી જ આપણે ખેડૂતોને જગતના તાત પણ કહીએ છીએ. જય જવાન, જય કિસાનના નારાની સાથે હવે જય વિજ્ઞાન જોડીને દેશના વૈજ્ઞાનિકો પ્રત્યે પણ દેશવાસીઓની કાંઈક ફરજ હોય છે, તે યાદ કરાવવું પડે ખરૃં?
જો કે, હવે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે અથવા સશસ્ત્ર બલ ઝંડા દિનની ઉજવણી માત્ર ફોર્મોલિટી જેવી બનતી જાય છે. પરંપરાગત રીતે કાર્યક્રમો યોજાય છે, જિલ્લાના સ્થાનિક અધિકારીઓના હસ્તે ફંડ અપાતું હોય કે ખિસ્સા પાસે શર્ટમાં નાનો ફ્લેગ લગાવવાનો હોય, તેવી તસ્વીરો ખેંચવામાં આવે છે, થોડું-ઘણું ફંડ પણ એકત્ર થતું હશે, પરંતુ આ ઉજવણીની પાછળનો મૂળ ઉદ્દેશ્ય અને ભાવના પહેલા જેવી રહી છે ખરી?... જરા વિચારો..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણા દેશમાં જ્યારે જ્યારે આંતરિક કટોકટી અથવા અશાંતિ, કોમી હુલ્લડો કે હિંસક તોફાનો થયા, અને બાહ્ય કટોકટી ઊભી થઈ કે યુદ્ધો થયા, ત્યારે ત્યારે દેશની સેના, સુરક્ષાદળો, પોલીસતંત્રો અને સંલગ્ન એજન્સીઓની મદદ માટે મજબૂત રીતે કેટલાક પૂરક દળોએ પ્રશંસનિય અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમાં પણ શહેરી અને ગ્રામ્ય હોમગાર્ડઝની સેવાઓ તો માત્ર ભથ્થા-રોજગારી મેળવવા નહીં, પરંતુ દેશ અને જનતા પ્રત્યેની ભાવનાત્મક ફરજો બજાવવાના હેતુઓથી જ શરૂ થઈ હતી, અને જરૂર પડ્યે દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા બુદ્ધિજીવી વર્ગો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, પ્રબુદ્ધ નાગરિકો તથા હોદ્દેદારો પણ જોડાતા હતાં. તેવી જ રીતે ભારતીય સેનાની ત્રણેય પાંખોને મદદરૂપ થવા વિવિધ અર્થલશ્કરી દળો પણ ઊભા કરાયા છે, જેમાં પોલીસ ફોર્સની જેમ જ ભરતી થાય છે અને શાંતિના સમયમાં પણ આ અર્ધલશ્કરીદળો સરહદોની સુરક્ષા ઉપરાંત જરૂર પડ્યે આંતરિક સુરક્ષા માટે પણ સતત કાર્યરત રહે છે અને તલીમબદ્ધ પણ રહે છે.
ભારત સરકારના ગૃહવિભાગ હેઠળ કાર્યરત અર્ધલશ્કરી દળોમાં બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અથવા સીમાસુરક્ષા દળ સૌથી વધુ પ્રચલિત છે, કારણ કે આ ફોર્સ ભારતીય સેનાના પૂરક દળ તરીકે સતત સીમા પર પેટ્રોલીંગ વગેરે પ્રવૃત્તિઓની સાથે સાથે ટ્રેનિંગ પરેડો પણ કરતી રહે છે. આ જ પ્રકારનું બીજુ પૂરક દળ આસામ રાઈફલ છે.
કેન્દ્ર સરકારના ગૃહવિભાગ હેઠળ દેશના ઔદ્યોગિક સંકુલો જ નહીં, પરંતુ હવાઈ મથકો સહિતના મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષાદળ ઊભું કરાયું છે, જેઓ સીઆઈએસએફ પણ કહે છે. એવું જ એક બીજુ કેન્દ્રિય આરક્ષિત સુરક્ષા બળ પણ હોય છે. આ પ્રકારના સુરક્ષાદળો આંતરિક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે.
અર્ધલશ્કરી દળોમાં ઈન્ડો-તિબેટ સીમા પોલીસ, એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા દળ) અને એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા દળ પણ કાર્યરત હોય છે.
એવી જ રીતે રાજ્યોમાં પોલીસતંત્રોને મદદરૂપ થવા ગૃહરક્ષક દળ કાર્યરત હોય છે. તે ઉપરાંત સાગર સુરક્ષા દળ, ગ્રામ સુરક્ષા દળ જેવા સહાયક દળો પણ સેવાભાવનાથી વિવિધ સમયે કાર્યરત થયા હતાં. નવી વ્યવસ્થાઓ હેઠળ કેટલાક શહેરોમાં ટ્રાફિક સેવાઓ માટેના સહાયકોનું એક દળ પણ સ્થાનિક કક્ષાએ ઊભું કરવામાં આવ્યું છે.
હોમગાર્ડઝની સ્થાપના તો માત્ર ને માત્ર દેશની સેવા માટે એક યુવાદળની રચના માટે થઈ હતી, જેમાં હોમગાર્ડઝની સેવાઓ સવેતન નહીં પણ દેશસેવા જ ગણાઈ હતી. તેમાં સેવાભાવનાથી જોડાતા લોકોને પોતાની ફરજો દરમિયાન ભથ્થું મળે અને પરેડ-તાલીમ સતત ચાલતી રહે, તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ રીતે હોમગાર્ડઝની ફરજો એ નોકરી નહીં, પરંતુ સેવા જ ગણવામાં આવે છે.
આમ તો વિશ્વયુદ્ધો સમયે પૂરક દળો તરીકે જે સ્વૈચ્છિક સંગઠન કાર્યાન્વિત થયું હતું તેમાં જ ભારતીય હોમગાર્ડઝની બુનિયાદ છે, પરંતુ ભારતમાં જ્યારે આઝાદીની ચળવળ દરમિયાન ઠેર-ઠેર દેખાવો થતા હતાં, તે વખતે મુંબઈમાં સાંપ્રદાયિક હુલ્લડો શરૂ થતા આ મોરારજી દેસાઈના નેતૃત્વમાં એક ટૂકડીની સ્થાપના થઈ હતી, જેને તે સમયથી ગૃહરક્ષક દળ કહેવામાં આવે છે.
ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં આજે જે હોમગાર્ડઝ કાર્યરત છે, તેની સ્થાપના ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ ના દિવસે થઈ હોવાથી દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડઝ ડે ની ઉજવણી થાય છે અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોમગાર્ડઝ જવાનો-કમાન્ડીંગ ઓફિસરો વગેરેનું સન્માન પણ કરવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક સેવાભાવી સંગઠન હોવા છતાં તેની કામગીરી તથા ફરજો પોલીસ જેવી જ હોવાથી તેને લોકો 'છોટે પોલીસ' અથવા તો 'સહાયક પોલીસ' તરીકે પણ ઓળખે છે.
હોમગાર્ડઝ એટલે કે ગૃહરક્ષક દળોની સેવાઓ બહુલક્ષી રહી છે. પોલીસને મદદરૂપ થવાનું હોય કે મોટા મોટા કાર્યક્રમોમાં શાંતિની સાથે વ્યવસ્થા જાળવવાની હોય, હવાઈ સેવાઓ હોય કે સ્થાનિક પરિવહન-જનજીવનમાં જરૂર પડ્યે મદદરૂપ થવાનું હોય, કુદરતી આફતો હોય કે હવાઈ હુમલાઓ-યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, દેશની સુરક્ષા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હોમગાર્ડઝ હંમેશાં જોડાયેલું રહ્યું છે.
હોમગાર્ડઝની શરૂઆત સેવાભાવનાથી થઈ હતી અને આજે પણ તેનું સ્વરૂપ સ્વૈચ્છિક સેવાભાવી સંગઠનનું જ રહ્યું હોવા છતાં તેને પોલીસદળનું અભિન્ન અંગ જ માનવામાં આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે.
પોલીસ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ અને ગેરરીતિઓની ચર્ચા રાજ્ય અને દેશભરમાં હંમેશાં માટે થતી રહે છે, અને તેનો રંગ હોમગાર્ડઝમાં લાગ્યો હોય તેમ કેટલાક સ્થળે હોમગાર્ડઝના જવાનો કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ પણ કેટલીક વખત ઊઠતી રહે છે. તાજેતરમાં જ એક નિવૃત્ત હોમગાર્ડઝ કમાન્ડીંગ ઓફિસરે તેના હોમગાર્ડઝમાં કાર્યરત દીકરાના નામે ૬ હજારની લાંચ લેતા મહીસાગરમાં ઝડપાયા હતાં, તે તેનું તાજુ દૃષ્ટાંત છે. આ પ્રકારની ક્ષુલ્લક મનોવૃત્તિના કારણે આખું સંગઠન બદનામ થતું હોય છે, તેથી આ સ્વૈચ્છિક સંગઠનમાં આ પ્રકારની માનસિક્તા પનપે નહીં, તે માટે તકેદારી પણ રાખવી પડે.
બીજી તરફ વર્તમાન સમયને અનુરૂપ મોંઘવારી, હોમગાર્ડઝ સેવાઓમાં વધેલા પડકારો અને જોખમો તથા જવાનોનો જુસ્સો જળવાઈ રહે, તે માટે માનદ્વેતન અથવા ભથ્થા, સગવડો તથા સેવાનિવૃત્ત થયા પછીની જિંદગીની સુગમતા માટે પણ હજુ વધુ કાંઈક વિચારવું જોઈએ, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

'મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી...' જેવા ફિલ્મી ગીતો અને સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી યોજનાઓ તથા 'વતનની માટીનું મોલ ન થાય...' જેવા ડાયલોગ્ઝ દ્વારા ધરતી અને માટીનું મહત્ત્વ સમજાવવા જ 'અર્થ ડે' અથવા પૃથ્વી દિવસ અને 'સોઈલ ડે' એટલે માટી દિવસની વૈશ્વિક ઉજવણીઓ થતી રહી છે.
એક તરફ માટીનું મૂલ્ય થઈ શકે નહીં, કારણ કે માટીની બુનિયાદ પર જ સૃષ્ટિ પાંગરી રહી છે, તો બીજી તરફ માટી હાલમાં લગભગ મફતમાં ઉપલબ્ધ હોવાથી જ હિન્દી ફિલ્મના ગીતોમાં 'એક દિન બીક જાયેગા, માટી કે મોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ' જેવી પંક્તિઓ ગવાઈ હશે, જો કે હવે કોમર્શિયલ હેતુઓ માટે કે ઘરેલુ ઉપયોગ માટે પણ માટી અને રેતી, પાણીની જેમ વેંચાતી લેવી પડે છે, તેમ છતાં તેની સરળ ઉપ્લબ્ધિના કારણે માટી સસ્તી છે, અને આપણે તેનું મહત્ત્વ સમજતા હોવા છતાં તેના પ્રત્યે ભાવનાત્મક દેખાડો કરવા સિવાય તેના સંરક્ષણ માટે બહુ કાંઈ કરતા નથી, ખરૃં કે નહીં?
માટીનું મહત્ત્વ સમજાવવા, તેનું સંરક્ષણ વધારવા અને તેની સકારાત્મક ઉપયોગિતા વધારીને પર્યાવરણની સુરક્ષા અને સૃષ્ટિના જતન કરવા માટે દર વર્ષે પાંચમી ડિસેમ્બરે 'વિશ્વ માટી દિવસ' અથવા 'વર્લ્ડ સોઈલ ડે' ઉજવાય છે. વર્ષ ર૦ર૪ ની વર્લ્ડ સોઈલ ડે ની ઉજવણીનું થીમ પણ 'મેજર, મેનેજ એન્ડ મોનિટર' છે.
આપણે ધરતીમાતાનું આડેધડ દોહન કરી રહ્યા છીએ અને વિકાસના જંગલો ઊભા કરીને કુદરતી પરિબળોનું નિકંદન કાઢી રહ્યા છીએ, ત્યારે ખાદ્યાન્ન, વનસ્પતિ અને જૈવિક તત્ત્વોની જન્મદાતા પૃથ્વી અને તેની લઘુસ્વરૃપ સમી માટીને પણ પ્રદૂષિત અને તબાહ કરી રહ્યા છીએ, તેમ છતાં આ મુદ્દે હજુ સુધી કોઈ વિશ્વવ્યાપી જનઆંદોલન થયું નથી, જે માનવીની સ્વાર્થી મનોવૃત્તિ અને કુદરતી પરિબળો પ્રત્યે ઉપેક્ષિત વૃત્તિને જ ઉજાગર કરે છે ને...?
દર વર્ષે પાંચમી ડિસેમ્બરે માનવીની આ મનોવૃત્તિને ઉજાગર કરીને વ્યાપક જનજાગૃતિ જગાવવાની સાથે સાથે દર વર્ષે નવા નવા કોન્સેપ્ટ અને લક્ષ્યો પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. માટીના સંરક્ષણ માટે ભૂમિસુધાર, જૈવિક વિવિધતાને પ્રોત્સાહન, જમીન અને જંગલોનું નિકંદન કાઢતી પ્રવૃત્તિઓ સામે કડક અભિગમ, પ્રદૂષણમાં ઘટાડો, જલસંચય, જળસંગ્રહ અને જલબચતને પ્રોત્સાહન, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જાગૃતિ, ટકાઉ અને સરળ કૃષિપ્રણાલિને પ્રોત્સાહન, કાર્બન પૃથ્થકરણ અને ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગને સાંકળી માટી, પાણી અને સૃષ્ટિની સારસંભાળ રાખવાની ખાસ જરૃર છે, અને તે દિશામાં દુનિયાભરમાં વિવિધાસભર પ્રવૃત્તિઓ કરીને દર વર્ષે આજના દિવસે લોકોને જાગૃત કરવાની સાથે સાથે નવા નવા અભિગમો શરૃ થતા હોય છે. આ વર્ષે પણ માટીના સંરક્ષણ માટે 'થ્રી એમ' એટલે કે મેજર, મેનેજ એન્ડ મોનિટરીંગના થીમ હેઠળ નવા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને નવા અભિયાનો શરૃ કરવામાં આવી રહ્યા છે, ત્યારે માટીના મહત્ત્વ વિષે થોડી ચર્ચા કરવી જ પડે ને? ખરૃં કે નહીં?
માટી તમામ જીવો માટે મહત્ત્વપૂર્ણ છે. કાર્બનના ઉપાર્જન અને પર્યાવરણીય સુરક્ષામાં હાનિકર્તા પરિબળોની સામે ગુણવત્તાયુક્ત માટી ઢાલનું કામ કરે છે, તો ફળદ્રુપ માટી થકી જ ખેત-ઉત્પાદન વધે છે. માટીનું ક્ષારણ બધી જ રીતે હાનિકર્તા બને છે, તેથી માટીનું માત્ર રક્ષણ જ નહીં, પરંતુ તેનું સમયાંતરે માપન (મેનેજમેન્ટ), મેનેજમેન્ટ એટલે કે પ્રબંધન અને મોનિટરીંગ એટલે કે દેખભાળ પણ ખૂબ જ જરૃર છે.
જુના જમાનામાં છાણ અને માટીનું લિંપણ ઘરની દીવાલો અને ફર્સ પર થતું હતું, જેના કારણે લોકોના સ્વાસ્થ્યનું કુદરતી રક્ષણ પણ થતું હતું અને પ્રાકૃતિક જીવનશૈલીની મજા પણ રહેતી હતી, તેની સામે વરસાદ, પૂર, કુદરતી આફતોના સમયે કાચા મકાનો તથા ઝૂંપડીઓમાં રહેવું જોખમી અને મુશ્કેલ પણ બનતું હતું. હવે ભલે આપણે સિમેન્ટના જંગલો ઊભા કરીએ, પરંતુ માટીની મહેરબાની વિના આપણી જીવનજરૃરિયાતો સંતોષવી પડકારરૃપ છે. એવું પણ કહી શકાય કે જળ, પ્રકાશ, માટી અને પવન સહિતના કુદરતી પરિબળો વિના માત્ર માનવ જીવન જ નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ અસંભવ છે.
દિવાળીના તહેવારો પછી હવે લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં તંદુરસ્તીની મોસમ ગણાતા શિયાળા સાથે મંગલપ્રસંગોનું આયોજન થયું છે, તો બીજી તરફ આ વર્ષે પહેલેથી જ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની માઠી અસરો પણ વર્તાઈ રહી છે. લા નીનો અને અલ નીનો વચ્ચે હિંચકા ખાતા વિશ્વ જ્યારે કુદરતી આફતો અને વૈશ્વિક અશાંતિની અનુભૂતિ કરી રહ્યું છે, ત્યારે માટીનું મહત્ત્વ સમજીને તેના સંરક્ષણના વાસ્તવિક ઉપાયો કરવા પણ એટલા જ પ્રાસંગિક છે, તેમ લાગે છે ને?
જો કે, વાડ જ ચીભડા ગળી જાય, તેવું અત્યારે માટી (સોઈલ) સાથે થઈ રહ્યું છે. માટીનું મૂલ્ય જ થઈ શકે નહીં, અને માટીને મૂલ્યહીન ગણીને તેની ધરાર અવગણના કરવાની મનોવૃત્તિ નહીં છોડીએ તો આપણે પોતે જ આવનારી પેઢીનું નિકંદન કાઢી નાંખશું. રેઢિયાળ તંત્રો, કરપ્ટ સિસ્ટમ અને નિંભર સરકારો પાસેથી બહુ જાજી અપેક્ષા તો રાખી શકાય તેમ નથી, પરંતુ મૂલ્યવાન 'માટી'ના અસ્તિત્વ અને ગુણવત્તા જાળવી રાખવા માટે આપણે સૌ સાથે મળીને સોઈલ પ્રોટેક્શન તથા પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ આજે લઈએ, તોયે ઘણું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલારના બન્ને જિલ્લામાં લાંબો દરિયા કિનારો છે, અને ગુજરાતની દરિયાઈ સરહદો રાષ્ટ્રીય સરહદો પણ છે, તે ઉપરાંત હાલાર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દ્વારકા-સોમનાથ જેવા વૈશ્વિક યાત્રાધામો, રિલાયન્સ, નયારા, એસ્સાર, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, ટાટા કેમિકલ્સ, સુગર ફેક્ટરીઓ ઉપરાંત પોર્ટસ, વિન્ડફાર્મર્સ તથા ઐતિહાસિક અને હેરીટેઝ મહત્ત્વ ધરાવતા સ્થળો આવેલા છે.
ઘણાં દાયકાઓ પહેલા હાલાર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો સ્મગલીંગ માટે મોટાપાયે ઉપયોગ થતો હતો. તે પછી હથિયારો તથા ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરીની દૃષ્ટિએ પણ આ દરિયાઈ માર્ગ પર સ્મગલરો તથા ગેંગસ્ટરોનો ડોળો રહ્યો હતો. મુંબઈમાં અનેક સ્થળે આતંકી હુમલો કરનાર કસાબ એન્ડ કાું. જેવા આતંકીઓ પણ દરિયાઈ માર્ગનો જ દુરૂપયોગ કરીને મુંબઈ પહોંચ્યા હતાં, તે પછી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાની પટ્ટીમાં સુરક્ષા વધારવાની વાતો પણ થઈ હતી, પરંતુ આ દરિયાઈ માર્ગો સંપૂર્ણપણે ફૂલપ્રૂફ સુરક્ષા હેઠળ હોવાની અનુભૂતિ એટલા માટે થઈ રહી નથી કે હવે આ જ દરિયાઈ માર્ગોનો દુરૂપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે બિન્દાસ થઈ રહ્યો છે, અને આ કારણે જ ગુજરાત દેશમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સનું પ્રવેશદ્વાર બન્યું હોવાના અને 'ઊડતા ગુજરાત' જેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે, અને તેના સંદર્ભે જ રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્રો તથા સુરક્ષા એજન્સીઓ પર તડાપીટ બોલી રહી છે, જેનો કોઈ સંતોષકારક જવાબ પણ મળી રહ્યો નથી.
દરિયાઈ સુરક્ષાની જવાબદારી સહિયારી ગણાય, તટરક્ષણ માટે કોસ્ટગાર્ડ, સ્મગલીંગ અટકાવવા માટે કસ્ટમ્સ અને દરિયાકાંઠાના જમીની વિસ્તારો તથા મરીન નેશનલ પાર્કની સુરક્ષા માટે મરીન પોલીસ કાર્યરત છે, જેમાં જરૂર પડ્યે પોર્ટ, ફિશરીઝ, સ્થાનિક તંત્રો, સ્થાનિક પોલીસ, સ્થાનિક અને કેન્દ્રિય એજન્સીઓ તથા ગુપ્તચર તંત્રો પણ સહયોગી બનતા હોય છે. આટલી બધી સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા અને સંકલન છતાં દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ડ્રગ્સ, વિદેશી અને દેશી શરાબ તથા ગેરકાયદે હથિયારો વગેરેની હેરાફેરી થતી હોય તો તે આપણા કાં તો તંત્રો વચ્ચે સંકલનનો અભાવ દર્શાવે છે, અથવા તો કયાંકને ક્યાંક લાપરવાહી અને ભ્રષ્ટાચારની માઠી અસરો થઈ રહી હોવાની આશંકા પણ જન્મે છે.
આ સુરક્ષા નેટવર્કમાં ભારતીય નૌકાદળ એટલે કે નેવીની સીધી ભૂમિકા કે જવાબદારી નહીં હોવા છતાં ઘણી વખત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરીને નૌસૈનિકો દેશના સુરક્ષા તંત્રોને મદદરૂપ થતા હોય છે. જામનગરના આઈ.એન.એસ. વાલસુરા જેવા નૌકાદળના મથકો ઓખા અને પોરબંદર સુધી વિસ્તરેલા છે, જે હાલાર અને સૌરાષ્ટ્રની સરહદો પર રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈનાત છે.
ભારતીય નૌકાદળ હોય કે તટરક્ષક દળ હોય, જ્યારે દરિયામાં કોઈ ડૂબી રહ્યું હોય કે બીમાર હોય અથવા કુદરતી તોફાનો કે કૃત્રિમ બનાવો દુર્ઘટનાઓના કારણે ફસાયેલા હોય, ત્યારે તેની નાત, જાત, દેશ કે નાગરિક્તા વગેરે જોયા વગર પ્રાયોરિટીમાં તેઓનો જીવ અને વહાણો, હોડીઓ વગેરેને બચાવવાના તમામ પ્રયાસો કરે છે, જે ભારતીય સંસ્કૃતિની મનવતાનું દૃષ્ટાંત બને છે. આમ ભારતીય નૌકાદળની ભૂમિકા બહુહેતુક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની જતી હોય છે. આ કારણે જ દર વર્ષે જ્યારે નૌકાદળ દિવસ ઉજવાય છે, ત્યારે તેમાં દેશની અન્ય દરિયાઈ એજન્સીઓ પણ સહભાગી બની જતી હોય છે.
દરિયાઈ સરહદોની સુરક્ષા વધારવાની આ વ્યવસ્થાઓ તો થઈ છે, પરંતુ દુર્ગમ વિસ્તારો, દરિયાઈ સ્થળો તથા દરિયાની વચ્ચે રહીને કાર્યરત નૌકાદળ-કોસ્ટગાર્ડ-મરીન પોલીસ માટે લોજિસ્ટિક સુવિધાઓ પણ વધારવી જરૂરી છે, તેમ નથી લાગતું? આ ઉપરાંત ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી પર અંકુશો સંપૂર્ણપણે સફળ ક્યારે થશે, તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.
દર વર્ષે ચોથી ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. વર્ષ ૧૯૭૧ માં ચોથી ડિસેમ્બરે ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ ભારતીય નૌસેનાએ પાકિસ્તાની નૌસેનાને હટાવીને પીએનએસ ખૈબર સહિત પાકિસ્તાની જ્હાજોને ડૂબાડી દીધા હતાં. આ દિવસે વર્ષ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા લોકોને પણ યાદ કરવામાં આવે છે.
નૌસેના દિવસની ઉજવણીના ભાગરૂપે દરિયામાં તરણ સ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ, ઉપરાંત વકતૃત્વ-નિંબધ સ્પર્ધાઓ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજાય છે. નૌસેનાના જ્હાજોમાં શાળાના બાળકોને લઈ જવામાં આવે છે, અને નૌસેના કેવી રીતે દેશની દરિયાઈ સુરક્ષા કરે છે, તેનાથી પરિચીત કરાવવામાં આવે છે. હવાઈ કવાયતો, મેરેથોન, પ્રશ્નોત્તરી અને શ્રેષ્ઠ નૌસૈનિકોના સન્માનમાં કાર્યક્રમો યોજાય છે.
આજે નૌસેના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણું ગુજરાત નૌસેનાને પૂરેપૂરો સહયોગ તો કરે જ છે, અને સમર્થન પણ આપ છે, પરંતુ સૌ સાથે મળીને ગેરકાનૂની, આતંકી, ડ્રગ્સની પ્રવૃત્તિઓને અટકાવીએ અને આપણા ગૌરવવંતા ગુજરાતની ગરિમાને સાચવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશમાં રાજકીય ઉથપાથલના માહોલ વચ્ચે શિયાળો જામ્યો છે અને ખેતી આધારિત માર્કેટોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સંસદમાં ભર શિયાળે ગરમીની અનુભૂતિ થાય, તેવો રાજકીય માહોલ છે, તો આ વખતે બોર્ડની પરીક્ષાના વહેલા ટાઈમટેબલના કારણે વિદ્યાર્થીઓ અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. તહેવારો અને તંદુરસ્તીની મોસમ સાથે લગ્નગાળો પણ ધમધમી રહ્યો હોવાથી ત્રિવિધ પ્રસન્નતાનો ત્રિવેણી સંગમ રચાયો હોય તેમ જણાય છે. કહેવાય છે ને કે ખુશી આપણી અંદર જ હોય છે, જે વાર-તહેવાર, મંગલ પ્રસંગે તથા સફળતાઓના સથવારે પ્રગટતી રહેતી હોય છે.
એવી કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા... મતલબ કે મનોબળ મજબૂત હોય, મન પવિત્ર હોય અને વીલપાવર (ઈચ્છાશક્તિ) દૃઢ હોય તો કથરોટમાં ગંગા એટલે કે સિદ્ધિઓ ઘરબેઠા પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે. મન હોય તો માળવે જવાય, એ કહેવતનું હાર્દ પણ કાંઈક એવું જ ગણાય. તેનાથી વિપરિત 'નાચવું નહીં ને આંગણું વાંકુ' એટલે કે કોઈ કામ કરવું જ ન હોય તો તેના માટે હજાર બહાના મળી જતા હોય છે. જેને કાંઈક બનવું છે, જેને કામ કરવું જ છે અને આગળ વધવું છે, તેને કોઈપણ અવરોધ, પડકાર કે વિટંબણાઓ અટકાવી શકતી નથી. મન મજબૂત હોય અને દૃઢ ઈચ્છાશક્તિ હોય તો માનવી અણધારી સફળતાઓ મેળવી શકતો હોય છે, જેના હજારો દૃષ્ટાંતો પણ મળી આવે છે.
કેટલાક લોકોને જન્મથી કોઈ ખોડખાંપણ હોય છે, તો કેટલાક લોકોને કોઈ ગંભીર બીમારી, અકસ્માત કે અન્ય કારણોસર પણ ખોડ-ખાંપણ થતી હોય છે. સરહદે લડતા લડતા, સુરક્ષા બંદોબસ્ત જાળવતી વખતે અને આતંકીઓ, બદમાશો સાથેની અથડામણો દરમિયાન ઘણાં જવાનો, ઓફિસરો તથા ઘણી વખત નિર્દોષ નાગરિકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. આ કારણોસર જિંદગીભરની ખોડખાંપણો ઊભી થઈ જતી હોય છે. આ પ્રકારની ખોડખાંપણો છતાં ઉચ્ચ સિદ્ધિઓ મેળવનાર હસ્તીઓના પણ હજારો દૃષ્ટાંતો મળી આવતા હોય છે, અને તે સમાજ અને ખાસ કરીને નવી પેઢી તથા યુવાવર્ગ માટે પ્રેરણાદાયી હોય છે.
પહેલા ખોડખાંપણ ધરાવતા લોકોને 'અપંગ' કહેવાતા હતાં અને તે પછી સરકારી ચોપડે 'વિક્લાંગ' શબ્દ આવ્યો અને તેની સાથે જ વિક્લાંગો માટેની ઘણી સરકારી યોજનાઓ આવી. તે ઉપરાંત વિક્લાંગ લોકોને મદદરૂપ થવા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી. વિક્લાંગોના સમૂહોએ પણ વિવિધ સંગઠનો રચ્યા અને વિક્લાંગોને મદદરૂપ થવા ઉપરાંત તેઓને સન્માનભર્યું જીવન મળી રહે અને રોજગારીની સમાન તકો પણ મળી શકે, તેવા પ્રયાસો પણ સરકાર અને સંસ્થાકીય કક્ષાએ થવા લાગ્યા, જે અત્યારે ગ્લોબલ બન્યા છે અને યુનોથી ગ્રામ પંચાયત સુધી કેટલીક યોજનાઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વિક્લાંગોને સહાયભૂત થવા લાગી.
વિક્લાંગોને તે પછી સરકાર દ્વારા જ 'દિવ્યાંગ' નામ અપાયું અને વિક્લાંગોને હિતકારી યોજનાઓ ચાલુ રખાઈ. દિવ્યંગોનું માન-સન્માન જળવાય અને હાંસી ન ઊડે, તે માટેના પ્રબંધો પણ થયા અને જનજાગૃતિ પણ ફેલાવાઈ.
દિવ્યાંગોના માન-સન્માન ઉપરાંત રોજગારી અને પુનઃસ્થાપન માટે દર વર્ષ દુનિયાભરના દેશોમાં ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ ઉજવાય છે અને દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં સમાવિષ્ટ કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની શરૂઆત વર્ષ ૧૯૯ર માં થઈ હતી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્દેશો તથા ગાઈડલાઈન્સ મુજબ દર વર્ષે જુદી જુદી થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો, સેમિનારો, સ્પર્ધાઓ, મેડિકલ કેમ્પો, દિવ્યાંગના સર્ટિફિકેટનું વિતરણ તથા દિવ્યાંગોને રોજગારલક્ષી તાલીમ-માર્ગદર્શન સહિતના ઓડિયો-વિઝ્યુલ તથા ટ્રેડિશ્નલ મીડિયા જેવા માધ્યમો દ્વારા વિવિધલક્ષી કાર્યક્રમો યોજાય છે.
વર્ષ ૧૯૮૧ ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિક્લાંગજનો માટે આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. તે પછી વર્ષ ૧૯૮૩ થી ૧૯૯૩ ના દશકને વિક્લાંગજનોનું આંતરરાષ્ટ્રીય દશક જાહેર કરાયું હતું. તે સમયે જ દરવર્ષ આંતરરાષ્ટ્રીય વિક્લાંગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, અને વર્ષ ૧૯૯ર થી વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી આ દિવસ દર વર્ષે ઉજવાય છે.
વર્ષ ર૦ર૪ માં વિશ્વ વિક્લાંગ દિવસનું થીમ છે, 'ટકાઉ અને સમાવેશી ભવિષ્ય માટે વિક્લાંગોના નેતૃત્વને પ્રોત્સાહન' આપવામાં આવ્યો છે. આ સાથે જ પોલિટિકલ સેક્ટરમાં પણ દિવ્યાંગોને અગ્રતાક્રમ આપીને તેઓનું સન્માન વધારવાના વિષય પર આજે મનોમંથન થઈ રહ્યું છે. આવો, આપણે પણ દિવ્યાંગોને આદરપૂર્વક મદદરૂપ થઈને આપણી ફરજ બજાવીએ...
એક અંદાજ મુજબ ભારતમાં દિવ્યાંગોની સંખ્યા પોણાત્રણ કરોડની આસપાસ છે, જે કુલ વસતિના સવાબે ટકા જેટલી થાય છે. દિવ્યાંગોની કુલ સંખ્યા પૈકી મોટાભાગના દિવ્યાંગો ગ્રામ્ય વિસ્તારોમાં છે. એકાદ કરોડ દિવ્યાંગો એવા છે જેને જોવા અને સાંભળવાની તકલીફ છે. કેન્દ્ર સરકાર અને દીનદયાળ વિક્લાંગ પુનર્વસન યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણ ખરીદવામાં મદદની યોજના, દિવ્યાંગોને સ્વરોજગાર સ્થાપિત કરવાની યોજના સહિતની વિવિધ યોજનાઓ ઉપરાંત કેટલીક રાજ્ય સરકારો તથા એનજીઓ પણ દિવ્યાંગોને મદદરૂપ થવાના કાર્યક્રમો ચલાવે છે. શારીરિક, માનસિક અને પ્રકીર્ણ વિક્લાંગોને પારખીને તેમાં મદદરૂપ થવાની યોજનાઓનો લાભ વાસ્તવમાં વિક્લાંગોને પહોંચે અને દિવ્યાંગોના નામકરણની સાથે સાથે તેઓને હકીકતમાં માન-સન્માન અને આદર સાથે સહયોગ મળી રહે એ જવાબદારી સૌ કોઈની છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગ્લોબલ વોર્મીંગ, ક્લાઈમેટ ચેઈન્જ અને લા-નીના, અલનીનાની અસરો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં આવી રહેલો બદલાવ વૈશ્વિક અને રાષ્ટ્રીય કક્ષાએ તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ હાલાર સહિત ગુજરાતમાં પણ છેક નવેમ્બરના અંત સુધી મિશ્ર ઋતુ રહી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ગયા વર્ષે કાંઈક અલગ જ પ્રકારનું હવામાન રહ્યું હતું અને દિવાળી પછી પણ ઘણાં દિવસો સુધી મિશ્રઋતુ રહી હતી.
આ વખતે શિયાળાના આગમન સમયે જ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર વિશ્વનું ધ્યાન તો ખેંચ્યું જ હતું, પરંતુ આપણા દેશની રાજધાની દિલ્હીમાં તો પ્રદૂષણ એટલી હદે વધ્યું હતું કે દિલ્હી સરકારે કેટલાક તાકીદના પગલાં લેવા પડ્યા હતાં. એટલું જ નહીં, આ મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ અવારનવાર સરકારી તંત્રોની ઝાટકણી કાઢી હતી. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેટલી જ ગંભીર સમસ્યા આપણા દેશમાં પ્રદૂષણને લઈને ઊભી થઈ રહી છે અને દિલ્હીમાં તો પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા સળગાવાતી પરાળી (કૃષિ કચરો) ના કારણે દરેક ચોમાસા પછી શિયાળામાં હવાઈ પ્રદૂષણની સમસ્યા વધુ ઘેરી બની જતી હોય છે, અને હવામાં પ્રદૂષણ વધવાના કારણે શાળા-કોલેજોમાં રજા અને વર્ક ફ્રોમ હોમ તથા વહનો માટે ઓડ ઈવનની સિસ્ટમ લાગુ કરવી પડતી હોય છે.
આપણે તાજેતરમાં જ બીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ મનાવ્યો હતો. કૃત્રિમ પ્રદૂષણના કારણે સેંકડો લોકોના જીવ ગયા પછી દર વર્ષે આ કરૂણ સ્મૃતિઓને યાદ કરીને દેશના લોકો તથા ખાસ કરીને ઉદ્યોગક્ષેત્ર તથા પ્રાકૃતિક ગેસ સહિતના કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંકળાયેલા ક્ષેત્રોને જાગૃત અને સતર્ક કરવામાં આવે છે. કુદરતી રીતે પ્રાપ્ત થતી ભૌતિક સંપદાઓનો ઉપયોગ કરતી વખતે નિયમન અને નિયંંત્રણ યોગ્ય રીતે ન થાય તો તે કેટલું ખતરનાક નિવડી શકે છે, તેનું આ ભૂતકાળનું ભયાનક દૃષ્ટાંત છે.
વર્ષ ૧૯૮૪ ની બીજી ડિસેમ્બરની એ કાળરાત્રિ પેઢીઓ સુધી ભૂલાવાની નથી, જ્યારે ભોપાલની કુખ્યાત ગેસ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં અને અસંખ્ય લોકો કાયમી ધોરણે વિક્લાંગ (દિવ્યાંગ) થઈ ગયા હતાં. અનેક પરિવાર બરબાદ થયા હતાં અને આ દુર્ઘટનાના વિશ્વવ્યાપી પડઘા પડ્યા હતાં. એટલું જ નહીં, તત્કાલિન શાસકો તથા તંત્રો પર માછલા ધોવાયા હતાં.
વર્ષ ૧૯૮૪ ની બીજી ડિસેમ્બર અને ત્રીજી ડિસેમ્બર વચ્ચેની રાત્રે બનેલી દુર્ઘટનાની પૂરેપૂરી ખબરો બહાર આપવામાં બે-ત્રણ દિવસ લાગી ગયા હતાં અને છઠ્ઠી ડિસેમ્બર પછી આ દુર્ઘટનાની કરૂણાંતિકાઓને લઈને અધિકૃત સ્વીકૃતિ પછી રાહત-બચાવની તમામ કાર્યવાહીના દાવાઓ સાથે તપાસ અને વળતરની માંગણીઓ પણ થવા લાગી હતી. આ કરૂણાંતિકાથી આખો દેશ હલબલી ઊઠ્યો હતો અને ઘણાં દિવસો સુધી અખબારોના માધ્યમથી આ કરૂણાંતિકાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો ભોપાલના યુનિયન કાર્બાઈડમાંથી મિથાઈલ આઈસોસાઈનેડ નામના ઝેરી રસાયણ સાથેનો ગેસ લીકેજ થતા લાખો લોકોના મૃત્યુ થયા અને લાખો લોકો જિંદગીભર માટે દિવ્યાંગ થઈ ગયા, તેની કડવી સ્મૃતિનો સાથે દર વર્ષે બીજી-ત્રીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવાતો હોવા છતાં આ મુદ્દે આપણે હજુ પૂરેપૂરા જાગૃત થયા જ નથી, એ પણ હકીકત જ છે ને?
ભોપાલની ગેસ દુર્ઘટના તો વાયુ પ્રદૂર્ષિત થતા થઈ હતી, પરંતુ રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસે તો જળ, વાયુ, જમીન અને હવે તો આકાશનું પ્રદૂષણ અટકાવવા માટે દેશભરમાં વ્યાપક જાગૃતિ આવવી જોઈએ, અને આ ઉજવણીનો હેતુ પણ એ જ જાહેર કરાવે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રકારની ઉજવણીઓ હવે માત્ર એક દિવસના પ્રચાર, પ્રસાર, વ્યાખ્યાનો, પ્રેઝન્ટેશનો તથા વર્કશોપો યોજીને ફોર્મોલિટી પૂરી કરવા જેવી જ રહી ગઈ હોય, તેમ નથી લાગતું?
એક રિપોર્ટ મુજબ દુનિયામાં દર વર્ષે સાત મિલિયન લોકોના મૃત્યુ માત્ર વિવિધ પ્રદૂષણના કારણે થાય છે. આ આંકડો તો નોંધાયેલી ઘટનાઓનો હશે. વાસ્તવિક આંકડો તો ઘણો મોટો હશે.
પ્રદૂષણ નિવારણ, ગ્લોબલ વોર્મીંગ, લા-નીના, અલ-નીના, કલાઈમેટ ચેઈન્જ વગેરે સમસ્યાઓને લઈને વિશ્વકક્ષાએ વિવિધ દિવસોએ વૈશ્વિક જાગૃતિના કાર્યક્રમો તો યોજાય છે, પરંતુ તેની અસરો પ્રમાણમાં ઘણી જ ઓછી થતી હોય તેમ જણાય છે. આમ છતાં આ ઉજવણીઓ થકી ધીમે ધીમે મતલબી માનવજાત સુધરશે અને ભાવિ પેઢીની ચિંતા કરશે, તેવી આશા રખાય છે.
આ જ પ્રકારની કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકજાગૃતિ માટે વિશેષ દિવસો નક્કી થયા છે. દર વર્ષે બીજી-ત્રીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉપરાંત દર વર્ષે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે, જેની ઉજવણીની શરૂઆત વર્ષ ૧૯૭ર થી થઈ હતી. દર વર્ષે ર૬ મી સપ્ટેમ્બરે મનાવાતા વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસના ઉદ્દેશ્યો પણ માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પર્યાવરણનું રક્ષણ કરવા સાથે સંકળાયેલા છે. આ ઉજવણીઓ છતાં ધાર્યા પરિણામો આવતા નથી, કારણ કે હમામ મેં સબ નંગે હૈ.
આવો, આપણે સૌ સાથે મળીને જળ, વાયુ, ભૂમિ અને આકાશના પ્રદૂષણોને નિયંત્રણમાં લાવવા જ નહીં, પરંતુ નાબૂદ કરવા માટે સંકલ્પ કરીએ, અને આ માટે નાટકબાજી બંધ કરાવીને વાસ્તવિક રીતે પર્યાવરણને ફૂલપ્રૂફ સુરક્ષા અપાવવાનો સંકલ્પ લઈએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈ-કેવાયસી અંગે લોકોને પડતી હાલાકીની પીડા અત્રેથી વ્યક્ત કરાઈ હતી, અને 'નોબત' સહિતના પ્રેસ-મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં આ અંગે રાજ્ય સરકાર પર તડાપીટ બોલી રહી હતી. આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું એવું છે કે યોજનાકીય લાભો સીધા જ લોકોને મળે, અને ભ્રષ્ટાચારનો અવકાશ જ ન રહે, તે ઉપરાંત વિવિધ યોજનાઓનો લાભ તેના લાભાર્થીઓના બદલે બીજા કોઈ ચાઉ ન કરી જાય, તે માટે સરકાર આ પ્રકારનો આગ્રહ રાખી રહી છે, અને તેમાં જનતા તથા લાભાર્થીઓનું જ હિત છે. તેમણે સર્વર ડાઉન તથા લોકોને પડતી મુશ્કેલી તથા અનેક ધક્કા ખાવા પડતા હોવા અંગે કહ્યું કે આ મુદ્દે સંબંધિત તંત્રો-અધિકારીઓ સાથે પરામર્શ કરીને લોકોને મુશ્કેલી પડે નહીં, અને ખામીઓ તત્કાળ દૂર થાય, તેવા કદમ ઊઠાવાશે. મંત્રી મહોદયે જે કાંઈ કહ્યું છે, તેનું બરાબર પાલન થાય, અને ઈ-કેવાયસી માટે લોકોની પરેશાની ઓછી થાય, તેવું ઈચ્છીએ. આ મુદ્દે કોઈ એવું કહેતું નથી કે ઈ-કેવાયસીનો કોન્સેક્ટ ખોટો કે અયોગ્ય છે, પરંતુ તેન અમલવારી માટે તંત્રો-અધિકારીઓને ઘેર-ઘેર કે મહોલ્લા-સોસાયટીવાર સતત કેમ્પો કરીને આ પ્રક્રિયા ઝડપભેર સંપન્ન કરવી જોઈએ, અને સંલગ્ન કેન્દ્રો તથા સ્ટાફ અને સાધનસામગ્રી, લોજેસ્ટિક સપોર્ટમાં વધારો કરવો જોઈએ. તેના બદલે આ સમગ્ર કામગીરી માટે અલાયદો સ્ટાફ ફાળવવાના બદલે મોજુદ મહેકમ પાસેથી જ વધારાનું કામ કેટલાક સ્થળે લેવામાં આવતું હોય, તે કોઈપણ રીતે યોગ્ય નથી, કારણ કે આ પ્રક્રિયા માટે હજારો નાગરિકો રોજેરોજ ધક્કા ખાઈ-ખાઈને પરેશાન થઈ ગયા છે. આ પ્રકારની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ ટેકનિકલ સાધનસામગ્રી તથા નેટવર્ક વગેરે ઈલેક્શનની તર્જ પર અદ્યતન બનાવીને ગ્રામ્ય રૂટ સુધી વિસ્તારવા જોઈએ, તેના બદલે સર્વર ડાઉન અને કોમ્પ્યુટર ચાલુ નથી કે સ્ટાફ ઓછો છે, તેવી બહાનાબાજી ક્યાં સુધી ચાલી શકે? કહો જોઈએ... હવે મંત્રી મહોદયે ખાતરી આપી છે, ત્યારે જોઈએ, તેનો કેટલો ઝડપી અને સચોટ અમલ થાય છે તે...
હજુ ગઈકાલે જ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે, જેને ખેડૂતલક્ષી ગણાવાઈ રહ્યો છે. આ નિર્ણય મુજબ જે ખેડૂતોની તમામ જમીન વિવિધ પ્રોજેક્ટ્સ માટે સંપાદિત થઈ ગઈ હોય અને તે સમયે ખેડૂત પ્રમાણપત્ર નહીં મળવાના કારણે તેઓ ખેડૂત રહ્યા ન હોય, તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં મુશ્કેલી ન પડે, તે માટેની તક અપાશે. આવી તક મળ્યા પછી પુનઃ ખાતેદાર બનેલા ખેડૂતે ત્રણ વર્ષમાં જમીન ખરીદવી પડશે. આ માટે કલેક્ટરને અરજી કરી શકાશે અને તેની ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઈસ્યૂ થશે, તે પછી આ પ્રકારના ખેડૂતો જમીન ખરીદી શકશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા પછી એટલે કે સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની જમીનો સંપાદિત થઈ ગઈ હોય, તેવા તથા બિનખેતી થયા પછી બચેલો એકમાત્ર સર્વેં નંબર બિનખેતી કરાવનાર ખેડૂતોને પણ તક આપવા અંગે પણ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે, આ નિર્ણય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક અભિગમ દાખવીને લીધો છે.
રાજ્ય સરકાર તમામ નિર્ણયો જે લોકોના હિત માટે લેતી હોય છે, તેની સાથે બ્યુરોક્રેસીનો તાલમેલ થાય, અને ચૂસ્ત તથા ઝડપી અમલ થાય, તે અત્યંત જરૂરી છે, કારણ કે નવા નવા વાંધા કાઢીને અરજદારોને પરેશાન કરતી પણ એક મજબૂત સિસ્ટમ એક્ટિવ છે, અને આ સિસ્ટમે નવા ટ્રાન્સપર્યન્ટ અને ઓનલાઈન અભિગમોમાં પણ બહાનાબાજી કેમ કરવી, તેમાં માસ્ટરી મેળવી લીધી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નવી ટેકનોલોજી સાથે નવી બહાનાબાજીનો તોડ જો સરકાર નહીં કાઢે, તો લોકો એવું જ સમજશે કે આમાં ઉચ્ચ કક્ષા સુધી સરકારની પણ મિલિભગત છે. ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

કેન્દ્રમાં વર્ષ ર૦૧૪ માં સત્તા પરિવર્તન થયું અને મોદી સરકારે સત્તા સંભાળી, તે પછી કેન્દ્રિય એજન્સીઓનો રાજકીય કારણોસર દુરૂપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો વિપક્ષો કરતા રહ્યા છે અને દરેક ચૂંટણીમાં આ મુદ્દો અગ્રીમ હરોળમાં હોય છે. કેન્દ્રિય તપાસ એજન્સીઓ સીબીઆઈ, ઈ.ડી., આઈ.ટી. ઉપરાંત કેટલીક અન્ય બંધારણીય ઓથોરિટીઝ અને સંસ્થાઓનો પણ રાજકીય દૃષ્ટિકોણથી ઉપયોગ (દુરૂપયોગ) થતો હોવાનું અવારનવાર ચર્ચાતું હોય છે, અને તેના પ્રત્યાઘાતો પણ નેશનલ-ઈન્ટરનેશનલ ક્ષેત્રે પડતા હોય છે.
આમ તો સરકારો દ્વારા કેન્દ્રિય તપાસ એજન્સી તથા બંધારણીય સંસ્થાઓના દુરૂપયોગના આક્ષેપો કાંઈ નવા નથી અને ભૂતકાળમાં પણ આ પ્રકારના આક્ષેપો હાલમાં સત્તારૂઢ પાર્ટીઓ તથા નેતાઓ તે સમયની સરકાર સામે કરતા હતાં અને સુપ્રિમ કોર્ટે પણ તે સમયે સીબીઆઈને સરકારનો 'પોપટ' ગણાવીને કટાક્ષ કર્યો હતો, જેનો અત્યારે પણ વરંવાર ઉલ્લેખ થતો રહે છે. હવે સીબીઆઈ ઉપરાંત ઈ.ડી.ને લઈને અદાલતી ટકોરની ચર્ચા પણ થઈ રહી છે, અને અદાલતે ઈ.ડી.ને કરેલી ટકોરના શબ્દાર્થો, ભાવાર્થો તથા સુચિતાર્થો વર્ણવાઈ રહ્યા છે. આ સંદર્ભે થતા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પછી સવાલ એ ઊઠે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ?
તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી ચાલી રહી હતી. હમણાંથી અદાલતોમાં ચાલતા પોલીટિકલ કેસોનો રાજકીય પ્રચાર માટે પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, તેથી પ. બંગાળના એક રાજનેતાએ કરેલી અરજીના સંદર્ભે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન અદાલતે કરેલી ટકોરની ચર્ચા પણ કાનૂની ક્ષેત્ર તથા રાજકીય ગલિયારાઓમાં જોરશોરથી થઈ રહી છે અને જુદા જુદા અર્થઘટનો કરવામાં આવી રહ્યા છે.
હકીકત. બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ગોટાળાના એક કેસની સુનાવણી ચાલી રહી હતી. પ. બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી અને તે પછી તેઓ જેલભેગા થયા હતાં.
હમણાંથી પ. બંગાળ પણ વિવિધ મુદ્દે હેડલાઈન્સમાં રહે છે. કેન્દ્રિય એજન્સીઓ સાથે ઘર્ષણ હોય કે પછી મોદી સરકાર પર તડાપીટ બોલાવવાની હોય, પ. બંગાળના મુખ્યમંત્રી હંમેશાં તેજાબી વક્તવ્યો આપતા હોય છે. તાજેતરમાં પેટાચૂંટણીઓમાં પણ તેમની ઝળહળતી વિજયયાત્રાને ભાજપ ભેદી શક્યો નથી. કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગના મુદ્દે પણ મમતા બેનર્જી તડાપીટ બોલાવતા રહ્યા છે. તેણીએ કોંગ્રેસને પણ ટકોર કરી છે કે હવે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ બદલવું જોઈએ, એટલે કે તૃમણુલ કોંગ્રેસને મળવું જોઈએ.!!!
હવે મૂળ વાત પર આવીએ તો, આ કેસ તો લાંચ-રૂશ્વતનો હતો, પરંતુ તેના અનુસંધાને ઈ.ડી.એ ચેટર્જી સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો હતો, અને આરોપીને જેલમાં મોકલાયા હતાં. આ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા પાર્થ ચેટર્જીએ જામીન અરજી દાખલ કરી હતી, તે અંગેની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલી ટકોર પછી આ મુદ્દો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સર્વોચ્ચ અદાલતે કેસ ચાલુ થયા વિના જ આરોપીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ ઊઠાવ્યો હતો કે 'આરોપીને કેટલા લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય? આ કેસમાં આરોપી બે વર્ષથી લાંબા સમયથી કસ્ટડીમાં છે, અને જો તે દોષિત નહીં ઠરે તો શું થશે? બે-ત્રણ વર્ષ સુધી આરોપી દોષિત ઠરે તેની રાહ જોવી, તે ખૂબ લાંબો સમય કહી શકાય.'
સર્વોચ્ચ અદાલતે આ સુનાવણી દરમિયાન જ ઓગસ્ટ મહિનામાં સંસદમાં અપાયેલા એ નિવેદનને ટાંકીને મની લોન્ડરીંગના કેસોમાં કોન્વિકિશન રેટ નીચો હોવાના મુદ્દે ટકોર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમએલએ હેઠળ પાંચ હજાર જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, અને છેલ્લા દસ વર્ષમાં માત્ર ૪૦ (ચાલીસ) કેસોમાં જ આરોપીઓ સાબિત થયા છે. કોન્વિકિશન રેટ એટલે કે સજાનું પ્રમાણ ઘણું જ ઓછું હોવાની સર્વોચ્ચ અદાલતની આ ટકોરને ટાંકીને એજન્સીઓની કાર્યપદ્ધતિ તથા કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપોને આંકડાકીય સમર્થન મળી રહ્યું હોય, તેમ નથી લાગતું?
જો પાંચ હજાર જેટલા મની લોન્ડરીંગના કેસોમાં અત્યાર સુધીમાં માત્ર ૪૦ કેસોમાં જ સજા થઈ શકી હોય અને લાંબા સમય સુધી આ કેસો ચાલે, તો જ્યાં સુધી આરોપો પૂરવાર ન થાય, અથવા ચાર્જશીટની સુનાવણીઓ સુધી રાહ જોવી પડે, તો તેને 'સિસ્ટમ'ની ખામી ગણવી, એજન્સીઓની કાર્યપદ્ધતિ સામે સ્થાપિત હિતોની મિલીભગત ગણવી, પોલિટિકલ પ્રેસર ગણવું કે સરકારી દબાણ ગણવું, તે મુદ્દે વ્યાપક ચર્ચાઓ ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે.
જો કે, સુપ્રિમ કોર્ટે એજન્સીની રોજીંદી કામગીરી અંગે કોઈ સવાલો ઊઠાવ્યા નથી, પરંતુ સજા થવાનું ઓછું પ્રમાણ અને પ્રક્રિયાત્મક વિલંબ અંગે ટકોર કરી છે, પરંતુ એ પણ હકીકત જ છે કે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા વિપક્ષના નેતાઓ કે તેના નજીકના લોકો પર મહત્તમ દરોડા પડી રહ્યા છે, અને તેથી જ વિપક્ષો સરકારની રીતિનીતિ પર તડાપીટ બોલાવી રહ્યા છે. આજથી દોઢ-બે દાયકા પહેલા આ જ પ્રકારના આક્ષેપો વર્તમાન શાસકોના વર્તુળો-નેતાઓ લગાવતા હતાં, અને હવે હાલના વિપક્ષી નેતાઓ એટલે કે પૂર્વ શાસકો પણ એ જ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે સાચું શું? અને ખોટું શું!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈ-કેવાયસી માટે ઠેર-ઠેર લાંબી લાઈનો લાગી છે અને તંત્રો ઉંધા માથે છે, તેનું કારણ કેટલાક યોજનાકીય લાભો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિન્કીંગ કરાયા પછી રેશનકાર્ડ સહિતના કાર્ડસના લિન્કીંગની પ્રક્રિયા ચાલતી જ હતી, અને હવે ઈ-કેવાયસી માટે પણ અલાયદી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. રેશનકાર્ડના માધ્યમથી મળતા લાભો અને રેશનીંગ સપ્લાઈ (વાજબીદરે પુરવઠો) મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવાયા પછી સસ્તા અનાજની દુકાનો અથવા વાજબી ભાવની દુકાનો અથવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાંથી મળતું અનાજ તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવાની બંધ થતી જતી હોવાના કારણે આ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે, જેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ લાંબી લાઈનો નોટબંધી થયા પછીના કપરા કાળની યાદ અપાવી રહી હોવાના આક્રોશભર્યા કટાક્ષો થઈ રહ્યા છે, તો વિપક્ષી વર્તુળો આ પ્રકારની ઝંઝટ ઊભી કરવાનો ભાજપ સરકારનો વધુ એક તઘલખી અભિગમ ગણાવી રહ્યા છે. કામધંધો બંધ કરીને આખો દિવસ લાઈનમાં ઊભા રહ્યા પછી પણ 'લિન્કીંગ'ની પ્રક્રિયા સંપન્ન થઈ રહી નહી હોવાની બૂમરાણ મચી રહી છે, અને લોકો જ્યાં જુઓ ત્યાં ઈ-કેવાયસી માટે હડિયાપટ્ટી કરી રહેલા જોવા મળે છે.
બીજી તરફ ઈ-કેવાયસીની સિસ્ટમના ફાયદા પણ જણાવાઈ રહ્ય છે. અત્યારે ઈન્ટરનેટ તથા આર્ટિફિશ્યન ઈન્ટેલિજન્સ યુગમાં ખોટી ઓળખ ઊભી કરીને કૌભાંડો કે ક્રાઈમ કરનારાઓના કારણે ઘણાં નિર્દોષ નાગરિકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે, તેથી નાણાકીય કૌભાંડો તથા ક્રાઈમને અંકુશમાં લેવા માટે આ સિસ્ટમ અમલમાં મૂકાઈ છે. ઈ-કેવાયસી કર્યા પછી તમામ પ્રકારના સરકારી કામો સરળ થઈ જાય, યોજનાકીય લાભો, લોન, સહાય કે પાસપોર્ટ-ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે પરવાનાઓ મેળવવા સરળ બની જાય અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ ઈઝી બિઝનેસ તથા ઝડપી વ્યવહારોમાં સુગમતા વધી શકે છે, અને વિવિધ પ્રકારના અન્ય લાભો મેળવવામાં સરળતા વધે છે, તેવો તર્ક પણ અપાઈ રહ્યો છે.
એવી ચોખવટ કરવામાં આવી રહી છે કે આ સિસ્ટમ લોકોની સરળતા અને નાણાકીય, આર્થિક, યોજનાકીય વગેરે વ્યવસ્થાઓની સુરક્ષા વધારવા તથા નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરીને છેતરપિંડીના વધી રહેલા કિસ્સાઓ પર અંકુશ, રાષ્ટ્રીય અને નાગરિકોની સુરક્ષા તથા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે સરળતા વધારવાનો હેતુ છે. ઈ-કેવાયસીના કારણે દેશ ડિજિટલ ભારતની દિશામાં આગળ વધશે. એટલું જ નહીં, ઓનલાઈન અને ડિજિટલ યોજનાકીય લાભો ઉપરાંત ડિજિટલ વ્યવહારો કરવા માટે પણ લોકોને સુગમતા રહેશે. યોજનાકીય લાભો સીધેસીધા લાભાર્થીઓ સુધી પહોંચે અને ગેરરીતિ, ગરબડો તથા તદ્વિષયક ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ થાય, તે દિશામાં આ ઉપયોગી કદમ ગણાવાઈ રહ્યું છે, અને હાલની થોડી પરેશાની પછી જિંદગીભરની ઝંઝટોમાંથી મુક્તિ મળી શકે છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
ઈ-કેવાયસી થયા પછી દરેક વખતે જુદા જુદા દરસ્તાવેજો, ઓળખકાર્ડ તથા અન્ય કાર્ડઝની થતી નકલો, પ્રમાણિત નકલો સાથે ઓરીઝનલ કાર્ડ બતાવીને વિવિધ યોજનાઓ કે પ્રક્રિયાઓ, ડોક્યુમેન્ટ્સ કે સરકારી કામો માટે ફોર્મ્સ ભરવા પડે છે, તેમાંથી ઈ-કેવાયસી થયા પછી છૂટકારો થશે, તેવા દાવાઓને ઘણાં લોકો સપના ગણાવીને કટાક્ષો પણ કરી રહ્યા છે. આ પ્રકારના કટાક્ષ થવા પાછળનું કારણ પણ પ્રવર્તમાન સરકારી સિસ્ટમો જ છે ને?
અવારનવાર સર્વર ડાઉન થવું, વીજ પુરવઠો ખોરવાઈ જવો, ઈન્ટરનેટ નેટવર્ક કે મોબાઈલ સેલ ફોનનું નેટવર્ક ખોરવાઈ જવું, રજિસ્ટર્ડ મોબાઈલ સેલફોનમાં સમયસર ઓટીપી નહીં આવવા તથા લોજિસ્ટિક સપોર્ટ નહીં મળવા અને પૂરતો સ્ટાફ નહીં હોવા જેવા અવરોધોના કારણે આ પ્રક્રિયાઓ ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે, અને પ્રજા પરેશાન થઈ રહી છે.
બીજી તરફ દેશમાં સાયબર ક્રાઈમ અટકાવવા સરકારે લાખો સીમકાર્ડ બ્લોક કરી દીધા હોવાના અહેવાલો પણ છે. સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ કમિટીએ તૈયારી કરેલી એક સિસ્ટમ મુજબ આંતરરાષ્ટ્રીય નકલી કોલને ઝડપીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સાડાછ લાખથી વધુ સીમકાર્ડ એવા હતા જે ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાંથી ગોરખધંધા કરતા કરતા ઝડપાયા પછી ભારતીય નંબરમાંથી ફોન આવે, તો પણ સાવધાની રાખવી પડે તેમ છે. આ તરફ, જુદી જુદી યોજનાઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયા પછી શાળાના નાના-નાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ માટે પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ છે. આ કાર્યવાહી માટે શાળાના આચાર્યોને સોંપાયેલી કામગીરીમાં જામનગર જિલ્લો છેલ્લાથી બીજા ક્રમે આવ્યો હોવાના અહેવાલો પછી શિક્ષણ ક્ષેત્રના વર્તુળોમાં ચર્ચા જાગી છે. એવું કહેવાય છે કે કેટલાક મહિનાઓ પહેલા ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમાંથી હજુ પણ ૪૯ હજાર વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી બાકી હોવાનું જણાવાઈ રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ આ ધીમી ગતિએ ચાલતી કાર્યવાહી માટે ટેકનિકલ કારણો દર્શાવાઈ રહ્યા છે તેથી સમયમર્યાદામાં ઈ-કેવાયસી નહીં થાય તો યોજનાકીય લાભોથી વિદ્યાર્થીઓ વંચિત રહેશે. તો તેનું જવાબદાર કોણ? તેઓ સવાલ પણ ઊઠી રહ્યો છે.
આ ઈ-કેવાયસી પ્રક્રિયાના હેતુઓ ગમે તેટલા ઉમદા હોય અને નાગરિકોને વાસ્તવમાં ભવિષ્યમાં સરળતા થવાની હોય અને બોગસ રેશનકાર્ડ કે અન્ય સરકારી લાભો ખોટી રીતે લેભાગુ તત્ત્વો હડપ કરી લેતા હતાં. તે અટકાવાનો ઉદ્દેશ્ય હોય, પરંતુ હાલમાં જે અંધાધૂંધી ફેલાઈ છે, તેને પહોંચી વળવા જ્યાં સુધી ઈ-કેવાયસી માટે પર્યાપ્ત અને વ્યાપક વ્યવસ્થાઓ ન થાય ત્યાં સુધી કોઈપણ લાભો અટકાવવા ન જોઈએ, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત હાલારમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે લાંબી લાંબી લાઈનો લાગતી હોવાથી બૂમરાણ ઉઠી રહી છે અને એવી જ સ્થિતિ અન્ય સ્થળો પર પણ જોવા મળી રહી છે. રેશનકાર્ડ સાથે આધારકાર્ડનું લીકીંગ અને ઈ-કેવાયસી કરાવવાનું ફરજીયાત થયા છી લોકો આ માટે લાઈનો લગાવી રહ્યા છે. રાશનકાર્ડ પર નિર્ભર ઘણાં એવા શ્રમિકો અને ગરીબ પરિવારો હશે, જેઓ અભણ કે અલ્પ શિક્ષિત હશે, અને તેવા પરિવારો માટે આ કાર્યવાહી કરાવવી ઘણી જ મુશ્કેલ બનતી હોય છે, અને વારંવાર ધક્કા ખાવાથી તેની રોજેરોજની કમાણી (રોજ) પણ નહીં મળતા પુરક સમસ્યાઓ ઉભી થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે આધાર કેન્દ્રો મોટી સંખ્યામાં વધારીને તેને પુરતા પ્રમાણમાં કીટ આપીને તથા સર્વર વગેરે સતત એકટીવી રહે તેવા પ્રબન્ધો કરીને આ સમસ્યા નિવારવી જોઈએ.
આધારકાર્ડ જ નહીં, અન્ય સરકારી સેવાઓમાં પણ જ્યાં જ્યાં ઓનલાઈન કાર્યવાહી કરવાની હોય ત્યાં ત્યાં સર્વર ડાઉન થવું અને સિસ્ટમ ફેઈલ કે સ્થગિત થઈ જવાની કાયમી સમસ્યા છે. આ બધી જ સમસ્યાઓનો ટેકનિકલી ઉપાય પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ સરકારી તંત્રોને કાં તો ખર્ચની મર્યાદિત સત્તા નડતી હશે અથવા તેમાં પણ ક્યાંક કચાશ રહી જતી હશે, લાપરવાહી કે ગોબાચારી થતી હશે, અથવા આ પ્રકારની ડ્રાય અને ઝંઝટવાળી કામગીરીમાં રસ નહીં હોય, જે હોય તે ખરૂ, પણ આ સમસ્યાઓ જાણે કે હવે સાશ્વત બની ગઈ છે અને તેનું તત્કાલ નિવારણ કરવામાં જાણે તંત્રોની ઈચ્છા જ ન હોય, તેવા વલણો પણ ઉચ્ચ કક્ષાએ જોવા મળી રહ્યા છે, આ પ્રકારની બૂમરાણનો ભોગ શહેર કે જિલ્લા કક્ષાએ કાર્યરત તંત્રો બનતા હોય છે અને અરજદારો સાથે ઘણી વખત ઘર્ષણ પણ થતું હોય છે, પરંતુ હકીકત કાંઈક અલગ જ હોય છે પેલી કહેવત છે ને કે 'વાવ માં હોય તો અવેડામાં આવે ને ?'
સરકાર કક્ષાએ થી આ માટે રાજ્ય વ્યાપી સિસ્ટમ સુધરે અને ઝડપી બને, વધુ કાર્યક્ષમ બને, આધાર કેન્દ્રો તથા જરૂરી લેજીસ્ટીક સપોર્ટ અને કીટસ તથા કોમ્પ્યુટર્સ વગેરે સાધનો, ફર્નિચર વગેરેની ઉપલબ્ધિ સાથેની સુવિધાઓમાં વધારો થાય અને આધુનિકરણ થાય તો જ આ પ્રકારની સિસ્ટમો સુધરી શકે તેમ છે, સાચી વાત છે ને ?
આપણાં દેશમાં ડિઝિટલ ક્રાન્તિ આવી ગઈ છે અને સરકારી લાભો ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) થી લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થાય છે, એ ખરૃં, પરંતુ તમામ પ્રકારની ટ્રાન્સપરન્ટ ટેકનોલોજી અત્યાધુનિક અને અપ-ટુ-ડેટ રહેવી જોઈએ. સિસ્ટમની ખરાબીના કારણે જો હજારો લોકોને ધક્કા ખાવા પડે, ધંધા-રોજગાર પડતા મુકીને લાઈનોમાં ઉભુ રહેવું પડે, તો એવું કહી શકાય કે સરકારો બદલે તો પણ સિસ્ટમ બદલતી હોતી નથી. થોડા દાયકાઓ પહેલાં જ્યારે કેરોસીન, સિમેન્ટ, જીવન જરૂરી ચીજવસ્તુઓનું રેશનીંગ થતું ત્યારે તેના માટે લાંબી લાઈનો લગાવી પડતી હતી અને થોડા વર્ષાે પહેલાં નોટબંધી સમયે પોતાના જ રોકડ નાણા મેળવવા લાંબી લાઈનો લાગી હતી, તેમ હવે આધારકાર્ડમાં સુધારા-વધારા કે ઈ-કેવાયસી કરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવવી પડી રહી છે.
આ નવી ટેકનોલોજીના જાણકાર કેટલાક તજજ્ઞો ઈ-કેવાયસી ને નાગરિકો માટે લાંબા ગાળાના ફાયદાના સ્વરૂપમાં પણ મૂલવે છે. એક વખત ઈ-કેવાયસી થઈ જાય, તે પછી કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, નાણાકીય વ્યવહારો કરવા હોય, લોન લેવી હોય કે, ઘરનું ઘર કે વાહન ખરીદવું હોય, એક જ ઈ-કેવાયસીના આધારે તમામ પ્રક્રિયા થઈ શકશે.
આ લાંબા ગાળાનો ફાયદો જ્યારે મળે ત્યારે ખરો પણ અત્યારે તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગ્રાસ રૂટ પર બુનિયાદી કામ કરી રહેલા સરકાર, પાલિકા-પંચાયત, મહાપાલિકાઓ એજન્સીઓના કર્મચારીઓને તથા અધિકારીઓને જવાબ આપવા પડી રહ્યા છે, જેનું કાંઈક નિરાકરણ લાવવાની જવાબદારી તો સરકારની જ કહેવાય ને ?
'સિસ્ટમના વાંકે એકલી પબ્લિક જ પરેશાન થાય તેવું નથી, પોલિટિશ્યનો પણ પોતાને અનુકૂળ ન આવે તેવી' સિસ્ટમ પર ઠીકરૃં ફોડતા હોય છે. સિસ્ટમમાં ખામીને કારણે ભાજપ અને તેના સાથીદાર પક્ષો ચૂંટણી જીતે છે અને એ ખામી નહીં પણ ગરબડ હોય છે, તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ આક્ષેપો પણ થતાં રહેતાં હોય છે. કોઈપણ સિસ્ટમ હન્ડ્રેડ પરસન્ટ ફૂલપ્રૂફ હોતી નથી અને તેમાં નાની-મોટી ખામી સર્જાય ત્યારે તે સ્થળ પુરતું મશીન, કોમ્પ્યુટર કે ચેનલ બદલીને તેનો ઉપાય થતો હોય છે, એ પણ હકીકત છે, પૂરંતુ આ પ્રકારની ગરબડો ઓવરઓલ પરિણામો પર બહુ અસર કરે છે કે કેમ ! તે એક સવાલ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો ઈવીએમથી મતદાન માટે દેશવ્યાપી આંદોલન ચલાવવાની વાત કરી છે, અગાઉ આવું જ જનઆંદોલન શરૂ કરનાર ભાજપનાં જીવીએલ નરસિમ્હારાવ હતાં, જ્યારે સૌ પ્રથમ દેશમાં ઈવીએમનો પ્રયોગ શરૂ થયો હતો.!
એક તરફ દેશમાં બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે જ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગણી કરતાં કોંગ્રેસ કહે છે કે, ભારતીય જનતા પક્ષ ઈવીએમની મદદથી નાની-નાની ચૂંટણીઓ હારીને મોટી-મોટી ચૂંટણી જીતવાના કારસા રચે છે, તેથી જો દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ વાસ્તવિક જનાદેશ મળે, તેના જવાબમાં કેટલાક વિશ્લેષકો કહે છે કે લોકસભામાં બહુમતી જેટલી બેઠકો પણ ન મળે અને કાખઘોડીની સરકાર રચવી પડે, તેટલી ઉંડી રાજનીતિ રમાઈ રહી હોય, તો તે નવા યુગની બલિહારી કહેવાય, પરંતુ તે શક્ય છે ખરૃં ?
બીજી તરફ સુપ્રિમ કોર્ટ ઈવીએમથી ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણીઓ કરતી અરજીઓ ફગાવી દેતા કડક ટિપ્પણી કરી છે. ડો. એ.કે. પૌલની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, હારો ત્યારે ઈવીએમ ખરાબ, અને જીતો ત્યારે સલામત, તેવું વલણ ન ચાલે.
મતદાન સમયે મતદારોને અપાતા વિવિધ પ્રલોભનો અટકાવવા સંબંધિત ઉમેદવારને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે (ચૂંટણી લડવા માટે) ગેરલાયક ઠરાવવા જોઈએ, તેમ માંગણી કરી તેની સામે પણ અદાલતે સવાલો ઉઠાવ્યા હતાં અને પુછયું હતું કે શું બેલેટ પેપરથી ચૂંટણી થાય તો આ બધી બદીઓ દૂર થઈ જશે.? ભ્રષ્ટાચાર બંધ થશે.?
ટૂંકમાં ભારત જેવા વિશાળ દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવી ઘણી જ મુશ્કેલ અને ખર્ચાળ છે, તથા ઈવીએમમાં કોઈ ગરબડ થતી નથી, તેવી દલીલો અદાલતોમાં ગ્રાહ્ય રહેતી હોય છે. જો કે મુદ્દે કોંગ્રેસ હવે જનતાની અદાલતમાં ગઈ છે. જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈંદિરા ગાંધીએ કરેલા બંધારણીય સુધારાઓ તથા બંધારણના આમુખને લઈને સુપ્રિમકોર્ટે જે ચુકાદો સંભળાવ્યો છે, તેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે, અને બંધારણની પ્રસ્તાવના અથવા આમુખને પણ બંધારણનો જ હિસ્સો ગણાવીને તેમાં પણ બંધારણ સુધારાની નિયત પ્રક્રિયાને અનુસરીને સુધારા-વધારા કરી શકાય છે, તે પ્રકારના સુપ્રિમ કોર્ટના ચુકાદાની દુરગામી અસરો પડવાની છે.
કટોકટીકાળના સમયે તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ ભારતના બંધારણના આમુખમાં 'સેકયુલર' 'સોશ્યાલિસ્ટ' અને 'ઈન્ટેગ્રિટી' એટલે કે બિન સાંપ્રદાયિકતા સમાજવાદ અને એકતા જેવા શબ્દો ઉમેર્યા હતાં, જેને લઈને થયેલી વિવિધ અરજીઓની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટે તેનો જે ચુકાદો આપ્યો છે, તેની ચર્ચા કાનૂની ક્ષેત્રો તથા રાજકીય વર્તુળોમાં ગઈકાલથી થઈ રહી છે.
વર્ષ ૧૯૪૯માં બંધારણ ઘડાયું અને વર્ષે ૧૯૫૦માં સ્વીકૃત થયું, તે પછી ર૬ જાન્યુઆરથી લાગુ થયું, તેની પ્રસ્તાવનામાં વર્ષ ૧૯૭૬માં કટોકટી દરમિયાન ઈંદિરા ગાંધીની સરકાર દ્વારા કરાયેલા સુધારા-વધારાને તે સમયની સંસદ તથા મહત્તમ રાજ્યોએ સમર્થન આપ્યું હતું અને બાંધારણીય સુધારાની પ્રક્રિયા અંતર્ગત ભારતીય બંધારણના આમુખમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દો ઉમેરવામાં આવ્યા હતાં. આ બંધારણીય સુધારો ભારતની સંસદે વર્ષ ૧૯૭૬માં કર્યાે હતો અને રાષ્ટ્રપતિ મહોદયની સહી સાથે અમલી બન્યો હતો. તે સમયથી ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જ બિન સાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દો ઉમેરાયા હતાં, જેને પૂર્વ સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામી, વિદ્વાન વકીલ અશ્વિની ઉપાધ્યાય વગેરેએ અદાલતમાં પડકાર્યા હતાં, અને તેની સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી.
જે ત્રણ શબ્દો ઉમેરાયા હતાં તેમાં સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ નહીં હોવાની તથા વાંધાજનક હોવાની દલીલો સાથે અદાલતમાં પીઆઈએલ સહિતની અરજીઓ થઈ હતી, અને આ આખો સુધારો રદ કરવાની માંગણી હતી.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના, ન્યાયધિશ સંજયકુમારની બેન્ચે ગત રર નવેમ્બરે તમામ સુનવાણી પૂરી થયા પછી ચુકાદો અનામત રાખ્યો હતો, અરજદારોને ચીફ જસ્ટીસે આટલા બધા વર્ષાે વીતી ગયા પછી આ મુદ્દો ઉઠાવવાનું કારણ પણ પુછયું હતું.
તે પછી સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદામાં નોંધ્યું કે બંધારણમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દો ઉમેરાયા, તેના ૪૦ વર્ષ પછી વર્ષ-ર૦ર૦માં આ અરજીઓ દાખલ કરાઈ હતી. અગાઉના ચુકાદાઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બિન સાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે. જે દેશના નાગરિકો સાથે કોઈપણ પ્રકારના ભેદભાવને અટકાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. સમાજવાદ શબ્દનું અર્થઘટન કરતા અદાલતે કહ્યું છે કે, સમાજવાદ એટલે સમાજને સમાન તકો અને સુખાકારી વાળુ જીવન આપવાની કટિબદ્ધતા એવો જ અર્થ કરી શકાય. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ શબ્દ કોઈપણ ચૂંટાયેલી સરકારને નીતિઓ ઘડતા અટકાવતો નથી. ભારતમાં સહિયારૃં અર્થતંત્ર છે, જ્યાં ખાનગી ક્ષેત્રોનો પણ સમય બધ્ધ રીતે વિકાસ થયો છે. ખાનગી ક્ષેત્રોનો વ્યાપ વધવાથી વંચિત સમાજોને પણ ઘણી મદદ મળી છે, તેની સમાજવાદ ખાનગી ક્ષેત્રોના અધિકારોની આડે આવતો નથી.
અદાલતે કહ્યું કે ચારદાયકાઓ પછી આ બન્ને શબ્દોનો બંધારણમાંથી હટાવવા તે સુધારો રદ કરવાની માંગણી સાથે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવાને યોગ્ય નહીં હોવાથી આ મામલા સાથે સંલગ્ન તમામ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે છે.
આ ચુકાદાના કારણે અરજદારોને તો ઝટકો લાગ્યો જ હશે અને આ જ પ્રકારની વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો તથા નેતાઓને પણ ઝટકો લાગ્યો હશે, પરંતુ હકીકતમાં આ ચુકાદાના કારણે વર્તમાન અને ભવિષ્યની સરકારો માટે બંધારણની પ્રસ્તાવના અથવા આમુખમાં સુધારા વધારા કરવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો હોવાનું બંધારણીય ક્ષેત્રના નિષ્ણાતો માને છે. સર્વાેચ્ચ અદાલતે બંધારણની પ્રસ્તાવના અથવા આમુખને પણ બંધારણનો જ હિસ્સો ગણીને તેમાં નિયત પ્રક્રિયાને અનુસરીને અન્ય બંધારણીય સુધારાઓની જેમ જ સુધારા-વધારા થઈ શકે છે, તેમ ઠરાવતાં હવે સરકાર, સંસદ અને કેટલીક રાજ્ય સરકારોના સમર્થન સાથે બંધારણના આમુખને પણ બદલી શકાય, સુધારી શકાય કે રદ કરી શકાય, તેવા મુદ્દાઓની નવેસરથી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે અને ભિન્ન-ભિન્ન મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
આ મત-મતાંતરો વચ્ચે એવું તારણ નીકળે છે કે બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર સંભવ છે પણ તેને રદ કરી શકાય નહીં, કારણ કે બંધારણની મૂળભાવના વિરૂદ્ધમાં કોઈપણ કદમ ઉઠાવી શકાય નહીં તેવું પણ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે. હવે બંધારણમાં વર્ષ ૧૯૭૬માં ઉમેરાયેલા સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દોને તો સુપ્રિમ કોર્ટની મહોર લાગી ગઈ છે, તેથી તેને બદલી નહીં, શકાય પરંતુ ભવિષ્યમાં કોઈ વધુ શબ્દો ઉમેરવા કે આમુખનું સ્વરૂપ બદલવાના પ્રસ્તાવો આવી શકે છે, અને તે બંધારણની મૂળભાવનાને અનુરૂપ હોય, તો તે સંસદની મંજુરી ઉપરાંત અન્ય તમામ નિયત પ્રક્રિયાઓ પછી લાગુ પણ પડી શકે છે.
અત્યાર સુધી એવી માન્યતા હતી કે બંધારણના આમુખ અથવા પ્રસ્તાવનામાં ફેરફાર કરી શકાય નહીં, કારણ કે તેમાં બંધારણની મૂળ ભાવનાઓ વ્યક્ત થઈ છે. આ માન્યતાનો છેદ ઉડાડતા સુપ્રિમ કોર્ટની બેન્ચે આમુખમાં પણ સુધારા-વધારા શક્ય છે, પરંતુ તે બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ હોવા જોઈએ, તેવા પ્રકારનો જે ચુકાદો આપ્યો છે, તેની દૂરગામી અસરો પડવાની છે. આ જ આમુખમાં જો અન્ય શબ્દો ઉમેરાય તો તે પણ ગ્રાહ્ય રહી શકે છે, તેવું માની શકાય કે નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે. જો કે, આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે ચાલીસ વર્ષ વિલંબથી અરજીઓ રજુ થઈ તેને પણ મુદ્દો ગણ્યો હોવાથી ભવિષ્યમાં આમુખમાં સુધારો થાય, અને તેને તરત જ નિયત સમય મર્યાદામાં પડકારવામાં આવે, તો તેની સાપેક્ષતા તથા યોગ્યતા અલગ રીતે મૂલવીને અદાલત નિર્ણય અલગ પણ હોઈ શકે છે. તે ઉપરાંત આ ચુકાદાને લાર્જર બેન્ચમાં પડકારી શકાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાની એરણે છે, ત્યારે એમ કહી શકાય કે, સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો દુરગામી અસરો કરશે અને ભૂતકાળની સરકાર દ્વારા આમુખમાં થયેલા સુધારાને મંજુરીની મહોર લાગ્યા પછી વર્તમાન કે ભવિષ્યની સરકારો માટે પણ બંધારણના આમુખમાં સુધારા-વધારાનો માર્ગ મોકળો થયો છે જો કે, આ અંગે હજુ વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ પછી અંતિમ ધારણા બાંધી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારત-ઓસ્ટ્રલિયા વચ્ચેના ટેસ્ટ મેચમાં ભારતના વિજયની જેમ મહારાષ્ટ્ર મહાયુતિનો વિધાનસભાની ચૂંટણીમાં મળેલા વિજયની ચર્ચા થઈ રહી છે, તેવી જ રીતે ઝારખંડમાં હેમંત સોરેનના વટભર્યા વિજયના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. ક્રિકેટ હોય કે રાજકારણ, કોઈ જીત હાર કાયમી નથી હોતી અને એક ઈનિંગમાં ધબડકો થાય તો ટેસ્ટમેચમાં બીજી ઈનિંગમાં જોરદાર વાપશી થઈ શકે છે, તેવું જ લાંબાગાળાની રાજનીતિમાં પણ થતું જ રહે છે. આ કારણે જ વિજય બનેલા તથા હારેલા રાજકીય પક્ષોના નિવેદનો દર વખતે ચૂંટણી પછી લગભગ સમાન જ જોવા મળતા હોય છે, વિજય બનેલા પક્ષો કે ઉમેદવારો પોતાને મળેલા જનાદેશને વધાવતી વખતે પોતાના પર જનતાએ કરેલા વિશ્વાસને સાર્થક કરવાની વાતો કરે છે, જ્યારે હારેલા પક્ષો કે ઉમેદવારો પોતાની હારનું વિશ્લેષણ કરીને જ્યાં ભૂલ રહી ગઈ હોય ત્યાં સુધારો-વધારો કરવાની વાત કરે છે. ઘણી વખત ચૂંટણીમાં ગરબડ થઈ હોવાની અથવા ઈવીએમમાં એક તરફી સિસ્ટમ ફીટ કરાઈ હોવાના આક્ષેપો થાય છે, જો કે, એક રાજ્યમાં હાર થઈ હોય, અને બીજા રાજ્યમાં એ જ પાર્ટી કે ગઠબંધનની જીત થઈ હોય, ત્યારે જે રાજ્યમાં હાર્યા હોય, ત્યાં ઈવીએમ કે ચૂંટણીઓ ગોટાળો હોવાના આક્ષેપો ઘણી વખત હાસ્યાસ્પદ પણ લાગતા હોય છે, જો કે, તે પછી સરકાર રચવાની મથામણ અને વિપક્ષના ગૃહમાં નેતા કોણ બનશે, તેની શોધખોળમાં રાજકીય પક્ષો લાગી જતાં હોય છે.
અત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે રાજકીય ગતીવિધિઓ ચાલી રહી છે તે ઘણી જ રસપ્રદ છે, ઝારખંડમાં તો બધું નક્કી છે, અને મુખ્યમંત્રી પદે હેમંત સોરેન પહેલેથી જ નિશ્ચિત છે, પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિતી કાંઈક અલગ જ છે.
એમ કહેવાય છે કે, 'ઘર ફુટે ઘર જાય'તેવું જ કાંઈક મહારાષ્ટ્રમાં શરદ પવાર સાથે થયું છે. મેજીક પોલિટિક વોશીંગ મશીનમાંથી 'શુદ્ધ' થઈને નીકળેલા અજીત પવારે દાયકાઓથી રાજનીતિના ભિષ્મ પિતામહ ગણાતા કાકા શરદ પવારને પછાડયા છે. આઝાદી પહેલાં વર્ષ-૧૯૪૦માં બારામતીમાં જન્મેલા શરદ ગોવિંદરાવ પવાર રાજનીતિના અઠંગ ખેલાડી મનાય છે, પરંતુ પુત્રી સુપ્રિયા સુલેને પોતાની રાજનીતિની વારસદાર બનાવવાની મહેચ્છાના કારણે એનસીપીમાં ફૂટ પડી અને આ પ્રકારની સ્થિતિ આવી હોવાના તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપરાંત ચૂંટણીઓમાં આવેલા પરિણામોની સિીધી અસર સંસદનું શરૂ થનારા શિયાળુ સત્ર પર થશે, તે પહેલેથી નિશ્ચિત હતું, અને આજથી શરૂ થયેલા સંસદીય સત્રમાં આ વખતે પણ હોબાળો સર્જાશે, તેવી 'સુદ્રઢ' આશંકાઓ પહેલેથી જ વ્યક્ત થઈ રહી હતી. !
આ બધા રાજકીય પ્રયાસો વચ્ચે 'એક્સ' મિડીયા સાઈટના માલિકે પોતાની આ સોશ્યલ મિડીયા સાઈટના માધ્યમથી જે લખ્યું છે, તેની ચર્ચા પણ ટોક ઓફ ધ ગ્લોબ બની છે તેમણે લખ્યું છે કે, ભારતે એક જ દિવસમાં ૬૪ કરોડ મતોની ગણતરી સંપન્ન કરી લીધી છે, જ્યારે અમેરિકાના કોલિફોર્નીયામાં જ હુ પણ મત ગણતરી ચાલી રહી છે !
એલોન મસ્કની આ કોમેન્ટ અમેરિકાની મતગણતરીની ધીમી સિસ્ટમની ટીકા કરે છે કે પછી ભારતની ઈવીએમ દ્વારા થતાં મતદાનની ટીકા કરે છે, તે અંગે મત-મતાંતરો પ્રવર્તે છે, અને આવા પોતપોતાની રીતે અર્થઘટનો કરી રહ્યા છે. અમેરિકામાં બેલેટ પેપરથી મતદાન થાય છે, જ્યારે ભારતમાં ઈવીએમ દ્વારા મતદાન થાય છે આ મૂળભૂત તફાવતનો એલન મસ્કના પોષ્ટમાં ઉજાગર થાય છે, પરંતુ તે કઈ સિસ્ટમને દુઃખદ અથવા અનિશ્ચછનિય ગણાવી રહ્યા છે, તે અંગેના વૈશ્વિક અને રાજકીય રાષ્ટ્રીય મંતવ્યો ભિન્ન-ભિન્ન પ્રકારના છે, આવું થવાનું કારણ એ છે કે આ વર્ષે જ જૂલાઈમાં તેમણે જ 'ઈવીએમ'ની સિસ્ટમને ખતમ કરવાની વકીલાત કરતા કહ્યું હતું કે ઈલેકટ્રોનિક વોટીંગ મશીન તથા ઓનલાઈન પોષ્ટલ વોટીંગ ખતરનાક હોઈ શકે છે, અને તેને ડાયરેકટ વોટિંગ અને બેલેટ પેપર વોટિંગ સાથે બદલી નાંખવું જોઈએ, કારણ કે આ પ્રકારના મશીનો હેકરો કે એઆઈ દ્વારા હેક થઈ શકે છે.
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનનો વિજય થયા પછી એલોન મસ્કનો અભિપ્રાય બદલી ગયો કે પછી મહારાષ્ટ્રમાં મહાયુતિને મળેલી પ્રચંડ સફળતા પર કટાક્ષ કરાયો છે તે સમજાતું નથી. જો કે, એલોન મસ્કની આ ટિપ્પણી કેલિફોર્નિયાની મતગણતરીને કેન્દ્રમાં રાખીને થઈ હતી તે નક્કી છે.
આ વાતને સમર્થન આપતી તથા વિરોધ કરતી કોમેન્ટો પણ સોશ્યલ મિડીયામાં થઈ રહી છે, કોઈ એલોન મસ્કની ટિપ્પણીને ત્યાંની ધીમિ મતગણતરી સિસ્ટમની ટીકા માને છે, તો ઘણાં લોકો ઈવીએમની ટીકા પણ માને છે, પરંતુ હકીકત શું છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને ?
મત ગણતરીના થોડા દિવસો પહેલાં જ શરદ પવારે એવી જાહેરાત કરી હતી કે , હવે તેઓ કોઈ ચૂંટણી નહીં લડે, જો કે, શરદ પવાર ફરીથી રાજય સભામાં જઈ શકે છે, તેવી અટકળો હતી, હવે મહારાષ્ટ્રમાં તો વિપક્ષના નેતા બનાવવાની ક્ષમતા પણ શરદ પવારની એનસીપી ધરાવે છે કે કેમ તે એક પ્રશ્ન છે, ત્યારે રાજ્યસભા માટે ચૂંટાવવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. શરદ પવારની જેમ જ વર્ષ-ર૦ર૦માં રાજ્ય સભા માટે ચૂંટાયેલ પ્રિયંકા ચતુર્વેદીની મુદ્દત પણ એપ્રિલ-ર૦૨૬માં ખતમ થઈ જશે. આમ, શરદ પવારે પોતે કરેલી પોતાના રાજકીય ભવિષ્યની સાંકેતિક જાહેરાત હવે ચોક્કસ ભવિષ્યવાણી પુરવાર થઈ ગઈ છે, જો કે, ઈન્ડિયા ગઠબંધન એક જૂથ હોય તો બીજા કોઈ વિપક્ષી સત્તા ધરાવતા સ્ટેટમાંથી શરદ પવારને રાજ્યસભામાં મોકલી શકે, પરંતુ હવે તેવું બલિદાન કોઈ રાજકીય પક્ષ આપે, તેમ જણાતું નથી.
ભારતનું ન્યાયતંત્ર તદ્દન સ્વતંત્ર છે, અને તેને રાજનીતિ સાથે કોઈ સંબંધ હોતો નથી, તેવી બંધારણીય વિભાવનાને અનુરૂપ ઉચ્ચ ન્યાયતંત્રએ આજ સુધી ઘણાં ઐતિહાસીક ફેંસલા આપીને બંધારણ તથા જનતાના અધિકારો, રક્ષણ કર્યું છે, પરંતુ ઉધ્ધવ ઠાકરેન શિવસેનાના દિગ્ગજ નેતા અને સાંસદ સંજય રાઉતના અભિપ્રાય દેશના નિવૃત થયેલા ચીફ જસ્ટીસને લઈને કાંઈક અલગ જ આવ્યો છે, અને તેના કારણે એક નવો જ વિવાદ પણ સર્જાયો છે. તેમણે એવું કહ્યું હોય કે નિવૃત ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડને ઈતિહાસ માફ નહીં કરે, કારણ કે મહારાષ્ટ્રની તાજેતરની ચૂંટણીના પરિણામો માટે તેઓ જવાબદાર છે, તો તેના તીવ્ર પ્રત્યાઘાતો પડે, તે સ્વાભાવિક જ છે ને ? બીજી તરફ રિટાયરમેન્ટ પછી જજોની સ્વયંભૂ આચાર સંહિતા અંગે ચંદ્રચૂડે આપેલો અભિપ્રાય પણ ચર્ચામાં છે.
મીડિયા અહેવાલો મુજબ નિવૃત્ત ચીફ જસ્ટીસનો ઉલ્લેખ કરીને જે શબ્દ પ્રયોગો થયા છે, તેના પડઘા પણ સંસદમાં પડી શકે છે. જોઈએ, જસ્ટ વેઈટ એન વોચ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ તથા અન્ય કેટલાક રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ધીમે ધીમે વિજય અને સરસાઈના આધારે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન અને મહારાષ્ટ્રમાં મહાયુતિને જનાદેશ મળવા જઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં આમ તો પહેલેથી જ શિવસેના અને ભાજપનું ગઠબંધન રચાયું હતું, પરંતુ હવે ભાજપ અને શિવસેના (શિંદે જુથનું ગઠબંધન થયું અને તેમાં શરદ પવારથી છૂટા પડીને અજીત પવારનું જુથ પણ જોડયું, જે એનડીએનું પ્રાદેશિક સ્વરૂપ છે, જેને મહાયુતિ કહે છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય થશે તેવા દાવા થયા હતાં. તે પછી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં પણ ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (પવાર) સહિતના પક્ષોએ રચેલા મહાયુતિ ગઠબંધનને બહુમતી મળશે, તેવા અનુમાનો બતાવ્યા હતાં, જે સાચા પડી રહેલા જણાય છે.
મહારાષ્ટ્રમાં બાબા સાહેબની ચિરવિદાય પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના સંભાળી હતી તેમાંથી અલગ થયેલા બાલાસાહેબના ભત્રીજા અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રચી હતી, તેની પણ આ ચૂંટણીઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, અને અસદુદીન ઓવૈસીની પાર્ટીએ પણ આ ચૂંટણીમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હતી.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કાર્યરત શિવસેના સાથે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ કરેલા ગઠબંધનને મહાવિકાસ અઘાડી તરીકે ઓળખવામાં આવે છે, જેને રાષ્ટ્રીય કક્ષાના ઈન્ડિયા ગઠબંધનનું પ્રાદેશિક સ્વરૂપ પણ કહી શકાય. મહાવિકાસ અઘાડીએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧૬પ જેટલી બેઠકો મેળવીને પ્રચંડ વિજયના દાવા કર્યા હતાં, જો કે એક્ઝિટ પોલ્સનું તારણ કાંઈક અલગ જ હતું. સંજય રાઉતે ગઈકાલે જ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી આજે (શનિવારે) જ મહાવિકાસ અઘાડીનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે) તે નક્કી થઈ જશે, પણ પરિણામો તદ્ન વિપરીત આવતા હવે ચૂંટણીમાં ગરબડના આક્ષેપો થયા છે. જ્યારે મહાયુતિ ગઠંબધનને પ્રચંડ બહુમતી મળવાના સંકેત છે.
ઝારખંડમાં ભાજપ સહિત એનડીએના રાષ્ટ્રીય સ્વરૂપના ગઠબંધન સાથે ઈન્ડિયા ગઠબંધનની રાષ્ટ્રીય નેતાગીરીના બદલે પ્રાદેશિક નેતાઓ વચ્ચે ચૂંટણી લડાઈ હોય, તેમ જણાય છે, અને મુખ્યમંત્રી હેમંત સોરેને તેના ગઠબંધનના વિજયનો પહેેલેથી દાવો કર્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે પણ પ્રચંડ વિજય સાથે ઝારખંડમાં તેના ગઠબંધનની સરકાર રચાશે, તેવો દવો કર્યો હતો. ઝરખંડમાં ઈન્ડિયા ગઠબંધન અને તેમાં પણ જેએમએમને બહુમતી મળતા હેમંત સોરેન ફરીથી મુખ્યમંત્રી બનશે, તેમ જણાય છે.
આ ચૂંટણીઓની સાથે સાથે અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાની ૧પ બેઠક ઉપરાંત કેટલીક લોકસભા બેઠકોની પેટાચૂંટણીઓ પણ થઈ હતી, જેમાં ઉત્તરપ્રદેશની નવ બેઠકની પેટાચૂંટણી પર સૌની નજરો મંડાયેલી હતી, અને આ પેટાચૂંટણીઓને ઉત્તરપ્રદેશમાં વર્ષ ર૦ર૭ ની વિધાનસભાની સામાન્ય (જનરલ) ચૂંટણીઓની સેમિફાઈનલ પણ ગણાવાઈ હતી. આજે પ્રાદેશિક વલણો મુજબ અહીં એનડીએને જનાદેશ મળી રહ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી તથા ઈન્ડિયા ગઠબંધનને ઝટકો મળે તેમ જણાય છે.
મહારાષ્ટ્ર-ઝારખંડની આ ચૂંટણીઓને રાષ્ટ્રીય રાજનીતિના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ કરતા નબળો દેખાવ કરીને પછડાટ ખાધા પછી ભારતીય જનતા પક્ષ ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરી રહ્યો હતો, જ્યારે મોટાભાગના વિપક્ષો એકજુથ થયા પછી પણ કેન્દ્રની સત્તાથી હાથવેંત દૂર રહી ગયેલું ઈન્ડિયા ગઠબંધન મોદી સરકારને ડગમગાવીને અથવા વર્ષ ર૦ર૦ માં કેન્દ્રમાં સત્તા પ્રાપ્તિ માટે તલપાપડ જણાય છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો જોતા મતદારોએ સમતોલ જનાદેશ આપ્યો હોય તેમ લાગે છે.
આ દરમિયાન રાજકીય કાવાદાવાઓ તથા હલચલ વચ્ચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાઓ ઉપરાંત પેટાચૂંટણીઓના જે પરિણામો આવી રહ્યા છે, તે દૂરગામી અસરો ઊભી કરનારા છે, અને દેશમાં આગામી રાજકીય સ્થિતિ કેવી હશે, અને જનમત કોના તરફી છે?, કન્ફ્યૂઝ્ડ છે, એક તરફી છે, કે વહેંચાયેલો, તેના સંકેતો પણ આવી રહ્યા છે.
આજે થયેલી મતગણતરીમાં વાયનાડથી પ્રિયંકા ગાંધીની લીડ જોતા ત્યાં કોંગ્રેસનો દબદબો રહેશે તેમ જણાય છે,
મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે એનડીએના પ્રાદેશિક સ્વરૂપનો વિજય અત્યારે ભાજપ માટે ઉત્સાહ ઊભો કરનારો છે, પરંતુ હવે ભારતીય જનતા પક્ષ ફરીથી મોટાભાઈની ભૂમિકામાં હશે, તેથી મહારાષ્ટ્રમાં 'કૌન બનેગા મુખ્યમંત્રી'નું સસ્પેન્સ સર્જશે અને ભાજપ ફરીથી ત્યાગની ભાવના રાખે તેમ જણાતું નહી હોવાથી ત્યાં ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર વચ્ચે મુખ્યમંત્રીપદ માટે તીવ્ર સ્પર્ધા થશે, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ ચૂુંટણીઓમાં એકંદરે જોઈએ તો મતદારોએ સમતોલ જનાદેશ આપ્યો છે અને કોઈએ બહું હરખવા કે નિરાશ થવા જેવું નથી, જો કે મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ) ના નેતા સંજય રાઉતે ચૂંટણીમાં મોટી ગરબડના આક્ષેપો કર્યા છે, જ્યારે વિપક્ષના અન્ય નેતાઓ પણ ભાજપ પર ધનબળ, ભયનો માહોલ, એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો વરસાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલથી જ અમેરિકાની અદાલતે અદાણી વિરૂદ્ધ વોરંટની ચર્ચા ભારતીય મીડિયા જ નહીં, ઈન્ટરનેશનલ મીડિયા, કાનૂની વર્તુળો તથા રાજનૈતિક પ્રવાહોમાં પણ કેન્દ્રસ્થાને છે. આ વોરન્ટના સમાચાર અને તેના પછી અદાણી ગ્રુપે કરેલા ખુલાસાને લઈને રાષ્ટ્રીય રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે અને કોંગ્રેસે તો અદાણી વિરૂદ્ધ તપાસ બેસાડવા જેપીસીની માંગણી પણ કરી દીધી છે. રાહુલ ગાંધીએ તો આ મુદ્દે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને રાબેતા મુજબના આક્ષેપો દોહરાવીને આ મુદ્દો સંસદમાં પણ ગજવવાના સંકેતો આપી દીધા છે.
ડીપ ફેઈક અથવા ડીપફેક ટેકનોલોજીના મૂળમાં તો અભ્યાસુ વૃત્તિ જ હતી અને તેનો પ્રયોગ સારા હેતુઓ માટે થાય તો આ નવી ટેકનોલોજી ઘણી જ ઉપયોગી પૂરવાર થઈ શકે છે, પરંતુ હાલમાં ડીપ ફેઈક અથવા ડીપ ફેકની જે ચર્ચા થઈ રહી છે, તે મોટાભાગે આ અદ્યતન ટેકનોલોજીના નકારાત્મક પ્રયોગોને કેન્દ્રમાં થઈ રહી છે. આ કારણે ડીપ ફેક અથવા ડીપ ફેઈક શબ્દનો ટોન જ હવે નેગેટીવ થઈ ગયો છે. એવું કહી શકાય કે ડીપ ફેઈક અથવા ફીપફેક ટેકનોલોજીનો સદુપયોગ ઓછો અને દરૂપયોગ વધુ થઈ રહ્યો હશે, તેથી જ તેની આવી નેગેટીવ છબિ ઉપસી રહી હશે, ખરૃં ને?
અદાણીની ધરપકડના વોરન્ટના સમાચાર અને ગ્રૃપની સ્પષ્ટતાઓ તથા રદિયાઓ પછી ડીપસ્ટેટની ચર્ચા હવે જોરશોરથી ચાલી રહી છે, અને 'ટોક ઓફ ધ વર્લ્ડ' બની ગઈ છે.
આમ તો વિદેશની અદાલતોમાંથી ઘણી વખત મૂળ ભારતીય નાગરિકો કે પછી ભારતના નાગરિકો દ્વારા થયેલા આંતરરાષ્ટ્રીય કાનૂનભંગના સંદર્ભે સમન્સ કે વોરન્ટ નીકળતા હોય છે, અને એક વૈશ્વિક અને રાષ્ટ્રીય રોજ-બરોજ ચાલતી રહેતી કાનૂની પ્રક્રિયા છે, જે ટ્રીટી અને વિવિધ દેશોની પરસ્પર સમજુતિઓ તથા વૈશ્વિક કરારોના આધારે ચાલતી રોજીંદી પ્રક્રિયા છે, પરંતુ જ્યારે અદાણી જેવા ધનાઢ્ય ઉદ્યોગપતિની વાત હોય, અને તેની રાજકીય વર્તુળોમાં પણ કાયમી ચર્ચા રહેતી હોય, ત્યારે તે ગ્લોબલ ટોકીંગનો મુદ્દો બની જાય, તે સ્વાભાવિક છે.
આરોપ એવો છે કે ભારતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ્સના ટેન્ડર પાસ કરાવવા માટે ભારતીય અધિકારીઓને કરોડો-અબજો રૂપિયાની લાંચની ઓફર કરી હતી. તે પછી ઈન્વેસ્ટરો પાસેથી આ સૂચિત પ્રોજેકટો માટે ફંડ મેળવાયું હતું, અને એ ઈન્વેસ્ટરોને લાંચ આપવાની વાતથી અળગા અથવા અજાણ રખાયા હતાં. તે પછી અદાણી ગ્રુપે આ તમામ આક્ષેપોને ફગાવતા ખુલાસા થયા, તે આપણી સામે જ છે ને?
આ આરોપો અમેરિકાની અદાલતમાં પ્રોસિક્યુટર્સ દ્વારા લગાવાયા હોવાનું કહેવા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયા પછી ડીપસ્ટેટની ચર્ચા ફરીથી જોરશોરથી શરૂ થઈ ગઈ છે, અને ડીપસ્ટેટની થિયરી જાણવા સમજવાની જનજિજ્ઞાસા પણ વધી ગઈ હોય, તેમ જણાય છે.
ડીપસ્ટેટની થિયરીના નવનિયુક્ત અમેરિકન રાષ્ટ્રપતિ ઘણાં જ વિરોધી રહ્યા છે, પરંતુ વર્તમાન અને વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનનું વલણ ડીપસ્ટેટ ચાઈનીઝ કંપનીઓ પ્રત્યે કુણુ રહ્યું હતું, તેવી ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી, તેને અદાણીના વોરંટકેસ પછી વેગ મળ્યો છે.
ચીનની સરકાર ડીપસ્ટેટ ચાઈનીઝ કંપનીઓ ચલાવતી હોવાનો અને આ પ્રકારની ચાઈનીઝ કંપનીઓ પ્રત્યે જો બાઈડન સોફ્ટ કોર્નર ધરાવતા હતાં, તેવો આક્ષેપ થયો હતો, અને તેના સમર્થન તથા વિરોધમાં પ્રત્યાઘાતો પણ પડ્યા હતાં.
ચીનની મોટાભાગની કંપનીઓ સરકારી હોય છે, અને પ્રાઈવેટ કંપનીઓ પણ માત્ર કાગળ પર જ ખાનગી હોય છે, જે વસ્તવમાં ચાઈનીઝ સરકારની જ કંપનીઓ હોય છે, અને અલીબાબા જેવી કંપનીઓ દ્વારા જાસૂસી કરાવાતી હોવાની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે ડીપસ્ટેટ કંપનીઓની ફોર્મ્યુલાને અદાણીના પ્રકરણ સાથે સાંકળીને ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. ચીનની તમામ ખાનગી કંપનીઓને પોતાને પૂરેપૂરો ડેટા તો ત્યાંની સરકારને આપવાનો જ હોય છે, પરંતુ ફંડીંગ તથા તદ્વિષયક નિર્ણયો પર પણ ચીનની સરકારનું સીધું નિયંત્રણ હોય છે, અને એવી જ સરકારને સમાંતર કામ કરતી કંપનીઓ દુનિયાના અન્યે દેશોમાં પણ ફેલાયેલી છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના પ્રથમ કાર્યકાળમાં તો ચાઈનીઝ ડીપસ્ટેટ કંપનીઓ સામે એક્શન લીધા હતાં, પરંતુ હવે બીજા કાર્યકાળમાં કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહ્યું...
અદાણી પર થયેલા વર્તમાન આક્ષેપો તથા ભૂતકાળમાં એકાદ વર્ષ પહેલા આવેલા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને સાંકળીને પણ ડીપસ્ટેટને લઈને નવા જ અનુમાનો થઈ રહ્યા છે, અને કેટલાક ભારતીય બ્યૂરોક્રેટ્સને પણ શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે.
એક એવી વાત પણ થઈ રહી છે કે જો બાઈડને જતા જતા વિદેશનીતિ, અર્થનીતિ અને ડિપ્લોમસીના ક્ષેત્રે એવા કદમ ઊઠાવ્યા છે, જેથી ટ્રમ્પને શાસનના પ્રારંભે જ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
એક અન્ય થિયરી મુજબ વિશ્વમાં પ્રચલિત ડીપસ્ટેટ એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકારને સમાંતર કામ કરતી એવી સિસ્ટમ, જેમાં બ્યુરોક્રેટ્સ, વિવિધ દેશોની ઈન્ટેલિજન્સ કે જાસૂસી એજન્સીઓ તથા કેટલાક દેશોના તો સેનાના અધિકારીઓ સામેલ હોય છે. સરકારો બદલતી રહે, તો પણ એ સિસ્ટમ યથાવત્ કામ કરતી જ રહેતી હોય છે.
એક એવો અભિપ્રાય પણ છે કે અમેરિકામાં ડીપસ્ટેટની થિયરી જ ખોટી છે. હકીકતે તો તપાસ એજન્સીઓ, બ્યુરોક્રેટ્સ, સૈન્ય વગેરે અમેરિકાના બંધારણને વફાદાર જ રહે છે, અને અમેરિકાનો પણ દેશના બંધારણને જ અનુસરે છે. બ્યૂરોક્રેસી, સૈન્ય અને દેશની બંધારણીય સંસ્થાઓ બંધારણને વફાદાર રહીને દેશના હિતોની રખેવાળી માટે ચૂંટાયેલી સરકારોને અનુકૂળ ન આવે તેવા કદમ ઊઠાવે, ત્યારે તેને વખોડવામાં આવે છે, અને તેને ડીપસ્ટેટના નેગેટીવ સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે.
પોલિટિક્સ અને જનાદેશ મેળવ્યા પછી રાજનેતાઓ શાસન સંભાળ્યા પછી 'ગવર્નમેન્ટ' તરીકે કાર્યરત થાય છે, જે નિયત મુદ્ત માટે હોય છે, જ્યારે 'ડીપસ્ટેટ' તરીકે ઓળખાતી સમાંતર સરકારો લાંબા સમય સુધી અસ્તિત્વમાં હોય છે. ભારતમાં ડીપસ્ટેટનો પ્રભાવ કેટલો છે, તે અંગે પણ મત-મતાંતરો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે મતદાન પૂરૂ થતાં જ ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ્સની ભરમાર શરૂ થઈ ગઈ હતી, અને એકાદ-બે અપવાદ સિવાયના તમામ એક્ઝિટ પોલ્સ ભાજપ સાથે જોડાયેલા ગઠબંધનોના વિજયનો વર્તારો વ્યક્ત કરતા જણાયા હતાં.
સૌથી પહેલા મેટ્રિઝના એક્ઝિટ પોલ્સ આવ્યા, તે પછી એકાદ-બે કલાકમાં જ ચાણક્ય, ટાઈમ્સ નાઉ-જેવીસી, પીપલ્સ પલ્સ, પી. માર્ક, લોકશાહી, રૂદા સહિતના મરાઠી એક્ઝિટ પોલ્સના તારણો પણ આવ્યા. મહાચાણક્યની પ્રાદેશિક ચેનલો પૈકી ઘણી ચેનલો નેક-ટુ-નેક તારણો બતાવી રહી હતી, જ્યારે જાણીતી નેશનલ ચેનલો પરથી મહાવિકાસ અઘાડીને પછડાટ પડી રહી હોવાના તારણો આવી રહ્યા હતાં. મહારાષ્ટ્રમાં સવારથી બપોર સુધી ધીમુ મતદાન રહ્યું હતું, પરંતુ બપોર પછી મતદાનની ગતિ વધી હતી. તેમ છતાં વિધાનસભાની ચૂંટણી હોવા છતાં મતદાન ૬૦ ટકાની આજુબાજુ જ રહ્યું હતું, અને મુંબઈમાં મતદારોએ લોકસભાની ચૂંટણીની સરખામણીમાં થોડું વધુ મતદાન કર્યું, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓની રસાકસીની દૃષ્ટિએ ઓછું મતદાન થયું હતું, જે બન્ને ગઠબંધનોમાંથી કોને નુક્સાન કરશે, તે અંગે થઈ રહેલા અંદાજોમાં મત-મતાંતરો છે.
પોલ ઓફ ધ પોલ્સ એટલે કે તમામ એક્ઝિટ પોલ્સની સરેરાશ કાઢતા મહારાષ્ટ્રમાં એનડીએ (મહાયુતિ) ને ર૮૮ માંથી દોઢસોથી વધુ બેઠકો મળી રહી છે, અને વર્તમાન શાસક જુથને જ પુનઃ સરકાર રચવાની તક મળશે, તેવા તારણો રજૂ થયા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન (મહાવિકાસ અઘાડી) ને સવાસોની આજુબાજુ બેઠકો મળશે, જ્યારે નાના રાજકીય પક્ષો તથા અન્ય પક્ષો, અપક્ષોને સરેરાશ માત્ર નવ-દસ બેઠકો જ મળશે, તેવું અનુમાન થતા ત્રિશંકુ વિધાનસભાના અનુમાનોનો છેદ ઊડી જાય છે, અને એક્ઝિટ પોલ્સ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે એનડીએની પુનઃ સરકાર રચાશે, તેવો પૂનરાવર્તનનો જનાદેશ મળશે.
ઝારખંડમાં પરિવર્તનનો જનાદેશ મળવાની સંભાવના કેટલાક એક્ઝિટ પોલ્સ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પોલ ઓફ ધ પોલ્સના તારણો કાઢીએ તો નેક-ટુ-નેક પરિણામો આવે, તેમ જણાય છે. ઝારખંડમાં કુલ ૮૧ બેઠકોમાંથી એનડીએને ૩૯ થી ૪૦ અને ઈન્ડિયા ગઠબંધનને ૩૮ થી ૩૯ બેઠકો મળવાના તારણો જોતા અન્યોને જે ૪ થી પ બેઠકો મળશે, તેના પર ઝારખંડમાં નવી સરકાર રચવાનો મદાર (આધાર) રહેવાનો છે. સાતેક જેટલા એક્ઝિટ પોલ્સ પૈકી બે એક્ઝિટ પોલ્સ ઝારખંડમાં પૂનરાવર્તન એટલે કે સ્પષ્ટ બહુમતી સાથે ઈન્ડિયા ગઠબંધનની હેમત સોરેનની સરકારની વાપસી થશે, તેમ બતાવે છે, જ્યારે પાંચ પોલીસ પૈકી બે પોલ્સ તીવ્ર રસાકસીના સંકેતો આપી રહ્યા છે, જ્યારે અન્ય પોલીસ પરિવર્તનની શક્યતા દર્શાવે છે.
આ વખતે એક્ઝિટ પોલ્ીસની વિશ્વવસનિયતા પણ દાવ પર છે. થોડા મહિનાઓ પહેલા જ્યારે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે મહત્તમ એક્ઝિટ પોલીસ સદંતર ખોટા પડ્યા હતાં અને એકાદ-બે અપવાદ રૂપ એક્ઝિટ પોલ્સના પરિણામોની નજીક જણાયા હતાં, તેથી આ વખતે પણ જે એક્ઝિટ પોલ્સથી તદ્ન વિપરીત પરિણામો આવતીકાલે મતગણતરી પછી આવશે, તો પછી એક્ઝિટ પોલીસની વિશ્વસનિયતા તળિયે પહોંચી જશે. એટલું જ નહીં, એક્ઝિટ પોલ્સ મોટાભાગે પ્રાયોજીત અને ઈરાદાપૂર્વક ખોટા અનુમાનો સાથે રજૂ થતા હોવાની માન્યતાને પણ બળ મળશે. એવું થશે તો ભવિષ્યમાં એક્ઝિટ પોલ્સ માત્ર વચગાળાના મનોરંજનનું માધ્યમ બની જશે, તેમ નથી લાગતું?
ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન ઘણી જગ્યાએ હંગામો થયો અને છૂટક હિંસક ઘટનાઓ પણ બની. સત્તાનો દુરૂપયોગ કરતા કેટલાક પોલીસ કર્મીઓને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા, જ્યારે ધગધગતા આક્ષેપો પ્રતિઆક્ષેપો પણ થયા. ઉત્તરપ્રદેશમાં નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઈ, જેમાં એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા ગઠબંધનની પ્રતિષ્ઠા તો દાવ પર લાગેલી જ છે, પરંતુ અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ માટે તો આ પેટાચૂંટણીઓ વર્ષ ર૦ર૭ ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની સેમિફાયનલ જેવી હોવાથી બન્ને નેતાઓએ આ પેટાચૂંટણીઓ જીતવા એડી-ચોટીનું જોર લગાવ્યું હતું.
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવની પીડીએ ફોર્મ્યુલાએ મોદી મેજિકનો ભ્રમ તોડીને ઉત્તરપ્રદેશમાં જે ઝહળતી ફતેહ હાંસલ કરી હતી, તે જોતા યુપી વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણીમાં લોકસભાની ચૂંટણીના પરિણામોનું પૂનરાવર્તન કરવા ઈન્ડિયા ગઠબંધન આશાવાદી છે, જ્યારે પીડીએની ફોર્મ્યુલાને પછાડીને આ પેટાચૂંટણીઓમાં જોરદાર કમબેક કરવા યોગી સરકાર અને એનડીએ ગઠબંધને પણ આકાશ-પાતળ એક કર્યા હતાં. હવે તેના પરિણામો તો આવતીકાલે આવશે, પરંતુ એક્ઝિટ પોલીસના તારણો થોડા ચોંકાવનારા છે.
ઉત્તરપ્રદેશમાં નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઈ, તેમાંથી ૬ બેઠકો એનડીએને મળશે અને બાકીની ત્રણ બેઠકો ઈન્ડિયા ગઠબંધન, અન્ય પક્ષો તથા અપક્ષો વચ્ચે વહેંચાઈ જશે, તેવા અનુમાનો એક્ઝિટ પોલ્સમાં થયા છે. હવે આવતીકાલે પરિણામો આવે ત્યારે વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ જો એક્ઝિટ પોલ્સ ખોટા ઠરશે અને પરિણામો તેનાથી વિપરીત આવશે, તો એક્ઝિટ પોલ્સની વિશ્વનિયતા તો તળિયે જશે જ, પરંતુ યોગી-મોદી-ભાજપ-એનડીએને પણ ઝટકા સ્વરૂપ ગણાશે, તેમ લાગે છે ને?
પરિણામો જે આવે તે ખરા, પરંતુ ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો, રાજકીય પક્ષો અને ગઠબંધનો ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ ભૂલી ન જાય તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેની સાથે સાથે યુ.પી., પંજાબ, કેરલ અને ઉત્તરાખંડ સહિત કુલ ૧પ વિધાનસભા બેઠકો ઉપરાંત એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતદારો પોતાનો જનાદેશ આપી રહ્યા છે. બપોર સુધીનો ટ્રન્ડ જોતા કેટલાક સ્થળે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, તો કેટલાક સ્થળે બપોર પછી મતદાનની ટકાવારી વધી શકે છે. એકંદરે આ ચૂંટણીઓને શાસક ગઠબંધન તથા વિપક્ષી ગઠબંધન બન્ને માટે લિટમસ ટેસ્ટ ગણાવાઈ રહ્યો છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક માટે ૧૩ મી નવેમ્બરે મતદાન સંપન્ન થયું હતું, જેનું પરિણામ પણ મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે જ ર૩ મી નવેમ્બરે આવવાનું છે.
મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ પોલિટિકલ કન્ફ્યુઝન ઊભું થયું છે. મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ જુદા જુદા બે ગઠબંધનોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ બન્ને ગઠબંધનોમાં ડ્રાઈવીંગ સીટ પર પ્રાદેશિક કક્ષાના ગણી શકાય તેવા પક્ષો છે, અને તે પણ વિભાજીત થયેલા છે. આથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રમાં બહુપાંખિયો જંગ છે, જેમાં ભાજપ-કોંગ્રેસ સિવાયના મુખ્ય પ્રાદેશિક પક્ષોના વિભાજીત ઘટકો પણ સામસામે ચૂંટણી લડી રહ્યા છે.
બાલા સાહેબ ઠાકરેના નિધન પછી શિવસેનાનું પહેલું વિભાજન થયું હતું, અને તેમાંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) નો જન્મ થયો, જેના પ્રમુખ રાજ ઠાકરે છે. મૂળ શિવસેના ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષસ્થાને કાર્યરત હતી અને તેનું ભારતીય જનતા પક્ષ સાથે ગઠબંધન તૂટ્યા પછી તેઓ મુખ્યમંત્રી બન્યા.
તે પછી શિવસેનાનું બીજું વિભાજન ત્યારે થયું, જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મહત્તમ સભ્યોએ બળવો કર્યો અને ભાજપના ટેકાથી સરકાર રચી. તે દરમિયાન શરદ પવારના નેતૃત્વમાં કાર્યરત નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પણ બે ભાગલા થયા અને અજીત પવારનું જુથે ભાજપ-શિંદેજુથ સાથે જોડાણ કર્યું. અત્યારે ભાજપ તથા આ શિંદે-અજીત પવારના પક્ષોનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સત્તામાં છે, અને તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રમાં શિવસેના સામે શિવસેના અને એનસીપી સામે એનસીપી લડી રહી છે, જ્યારે ભાજપ તથા કોંગ્રેસ તેના બેકીંગમાં છે.
ઝારખંડમાં પણ આજે અંતિમ તબક્કાનું મતદાન છે. હેમંત સોરેન માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, જ્યારે ભાજપ માટે ઝારખંડ તથા મહારાષ્ટ્રમાં જીતવું અત્યંત જરૂરી છે. આ કારણે ઝારખંડમાં પણ તીવ્ર રસાકસી જોવા મળી રહી છે. કેટલાક વિશ્લેષકોના મંતવ્યો મુજબ હેમંત સોરેનનું પલડું ભારે હતું, પરંતુ આજે મતદારો શું ફેંસલો આપશે, તે હવે રાજકીય પંડિતોના અભિપ્રાયો પણ વહેચાયેલા છે, જેથી ર૩ મી નવેમ્બરે જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે, તેમ જણાય છે, જો કે મતદાન પૂરૃં થયા પછી એક્ઝિટ પોલ્સ પણ રજૂ થશે, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓ પછી એક્ઝિટ પોલ્સમાં જનવિશ્વાસ ઘટી રહ્યો હોય, તેમ જણાય છે.
આજે સૌથી વધુ ચર્ચા તો મહારાષ્ટ્રમાં કથિત 'નોટ ફોર વોટ'ની થઈ રહી છે. મતદાનના નિર્ધારિત સમય પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે, અને ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારોમાં ઘેર-ઘેર જઈને કે બેઠકો યોજીને અંતિમ પ્રયાસો કરતા હોય છે. આ દરમિયાન ઘણી જ સોદાબાજી તથા નાણાકીય લેવડ-દેવડ પણ થતી હોવાનું 'ઓપન સિક્રેટ છે, જે ક્યારેક વિધિવત્' રીતે જાહેર પણ થઈ જતું હોય છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિતના નેતાઓ સામે પ્રચાર ખતમ થયા પછીની આચારસંહિતાના કોઈ મુદ્દે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ પર નાલસોપારામાં મતો મેળવવાના હેતુથી પૈસા વહેંચવાનો આરોપ વિપક્ષ દ્વારા લાગ્યો છે, અને તેથી રાજકીય ગરમાવો આવ્યો છે.
એક વિપક્ષી ધારાસભ્યે તો એક લાલ ડાયરીમાં ૧પ કરોડ રૂપિયાની લેવડદેવડની નોંધ હોવાનો દાવો કરીને તેની સાથે પાંચ કરોડ લઈને વિનોદ તાવડે જથ્થાબંધ મતો ખરીદવા આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો છે, એ પહેલા શિંદે જુથના એક નેતા પર પણ આ જ પ્રકારના આક્ષેપો થયા હતાં. બીજી તરફ ભાજપે સુપ્રિયા સુલે પર બિટકોઈનથી ચૂંટણી ફંડ મેળવવાનો આક્ષેપ કર્યો છે.
જે રાજ્યોમાં ભાજપની સરકારો નથી, ત્યાં સ્થાનિક પાર્ટીઓને તોડવા અને ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓને સામ, દામ, દંડ ભેદની રણનીતિ અપનાવીને, તંત્ર કે તપાસ એજન્સીઓનો ડર દેખાડીને કે મોટા હોદ્દાઓ કે આગામી ચૂંટણીઓની ટિકિટ જેવા પ્રલોભનો આપીને પોતાના પક્ષમાં કે ગઠબંધનમાં ખેંચી લેવાના આક્ષેપો પણ ભાજપ પર સતત થતા રહ્યા છે, અને હવે મતદારોને ખરીદવા કરોડો રૂપિયા વાપરવાના નવા આક્ષેપો થયા છે, ત્યારે આ અંગે તટસ્થ તપાસ થાય તો જ સત્ય બહાર આવી શકે છે, કારણે ભાજપની ટોચ નેતાગીરી તથા ખુદ વિનોદ તાવડેએ આ આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા છે.
વિપક્ષના નેતાઓ ભાજપ પર એવા આક્ષેપો પણ લગાવતા હોય છે કે, ભાજપમાં એક વોશીંગ મશીન છે, જે એવું ચામત્કારિક છે કે વિપક્ષના કોઈપણ નેતા પર કરોડોના કૌભાંડની ફરિયાદો હોય, તપાસ કે કેસો ચાલતા હોય, તો પણ ભાજપમાં પક્ષપલટો કરતા જ તેના તમામ આક્ષેપો (પાપો) ધોવાય જાય છે!
દિલ્હીમાં કેજરીવાલના વરિષ્ઠ સાથીદાર અને મંત્રી ગેહલોતના ભાજપમાં પક્ષાંતર પછી ફરીથી એ જ વોશીંગ મશીન ચર્ચામાં આવ્યું છે, જે અજીત પવાર માટે ચર્ચામાં આવ્યું હતું.
જો કે વર્ષ ર૦૧૪ પછીથી પક્ષપલટા વિરોધ કાનૂને કેવી રીતે 'કાયદેસર' મહાત આપીને 'માન્ય' પક્ષપલટા કરાવવા, તેની નવી નવી રીત-રસમો રાજકીય પક્ષોએ શોધી જ કાઢી છે, અને તેનો સર્વપક્ષીય પ્રયોગ થઈ રહ્યો છે, પરંતુ આજીવન અને અનંતકાળ ગેરંટી આપતું અનોખું પોલિટિકલ વોશીંગ મશીન હમણાથી સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે, ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજનીતિ અને હિંસા જાણે કે એકબીજાના પૂરક થઈ ગયા હોય, તેમ ચૂુંટણીઓ ટાણે થતી મારપીટ અને તકરારો અને ક્યાંક ક્યાંક હત્યા જેવી ઘટનાઓ બને છે, તો અન્ય કારણોસર થતી હિંસક ઘટનાઓનો રાજકીય ફાયદો ઊઠાવવાના પ્રયાસો પણ રાજકીય પક્ષો કરતા જ રહે છે. એક તરફ દેશમાં ચૂંટણીનો ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે, તો બીજી તરફ મણિપુરમાં ફરીથી હિંસક હુમલાઓ થતા એ મુદ્દો ફરીથી ગરમાયો છે.
મણિપુરનો મુદ્દો કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તો અવારનવાર ઊઠાવતા જ રહે છે, પરંતુ હવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ મુદ્દો ઊઠાવ્યો છે અને રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી છે, તે જોતા હવે વિદેશમાં વાહવાહી મેળવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘરઆંગણે નવા પડકારોનો સામનો કરવો પડશે, અને મણિપુરના મુદ્દે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને ચોક્કસ સ્ટેન્ડ લેવું પડશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
ગયા વર્ષે મે મહિનાથી મણિપુર ભડકે બળી રહ્યું છે અને વચ્ચે વચ્ચે થોડા વિરામ પછી ફરીથી હિંસક તોફાનો શરૂ થઈ જાય છે. છેલ્લા પંદરેક દિવસથી મણિપુરમાં અશાંતિ ઊભી થઈ અને ક્રમશઃ વધી રહેલી હિંસક ઘટનાઓને લઈને હવે આરએસએસનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સંઘના મણિપુર એકમ દ્વારા જાહેર કરાયેલું આ નિવેદન આરએસએસના રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરીને વિશ્વાસમાં લઈને જ જાહેર કરાયું હશે અથવા આરએસએસની ટોચની નેતાગીરીના ઈશારે જ આ નિવેદન અપાયું હશે, તેવી અટકળો પણ થઈ રહી છે.
મીડિયા અહેવાલો મુજબ સંઘે કહ્યું છે કે, ગયા વર્ષે ત્રીજી મે થી શરૂ થયેલી મણિપુરની હિંસાને ૧૯ મહિના થવા આવ્યા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારો તેનો કાયમી ઉકેલ લાવી શકી નથી. સંઘે ઉગ્રવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની થઈ રહેલી હિંસાને દુઃખદ ગણાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને શાંતિની સ્થાપના માટે તમામ યોગ્ય અને ઝડપી કદમ ઊઠાવવા અનુરોધ કર્યો છે. આરએસએસના મણિપુર એકમ દ્વારા જણાવ્યું છે કે ૧૯ મહિનાથી ચાલતી હિંસા અંકુશમાં આવી રહી નથી, અને નિર્દોષોનો ભોગ તો લેવાઈ જ રહ્યો છે, સાથે સાથે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જે ખેદજનક છે.
મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળતા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર અધુરો મૂકીને રાજધાની દિલ્હી દોડી જવું પડ્યું, અને હાઈલેવલ મિટિંગો યોજીને ચોક્કસ નિર્ણયો લેવા પડ્યા, તે જ આ વખતે ઊભી થયેલી વિકટ સ્થિતિ રાજ્ય સરકારના કંટ્રોલની બહાર જતી રહી હોવાના સંકેતો આપે છે, અને મણિપુરમાં સીઆરપીએફ અને બીએસએફની વધુ કૂમકો મોકલવી પડી રહી છે, તે પણ સ્થાનિક કક્ષાએ તંત્રો તથા રાજ્ય સરકારની નિષ્ફળતાને જ ઉજાગર કરે છે. ત્યાંના મુખ્યમંત્રી તથા ધારાસભ્યો પર જ જો હુમલા થતા હોય અને નિર્દોષોનો સંહાર થતો હોય ત્યારે સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેવા અભિપ્રાયો વિપક્ષી નેતાઓ તથા પ્રવક્તાઓ પણ આપી રહ્યા છે.
ભાજપની જ વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મણિપુર એકમ દ્વારા પણ એક નિવેદન જાહેર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના તંત્રો મણિપુરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરાયો હોવાના અહેવાલો પછી ત્યાંની રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્રિય નેતાગીરી પણ હવે અવઢવમાં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે. આજે ગુજરાતમાં કેન્દ્રના ગૃહસચિવના સૂચિત પ્રવાસ દરમિયાન મણિપુરના મુદ્દે તેઓ કાંઈ કહેશે કે કેમ? તેની ચર્ચા વચ્ચે આજે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે.
ઝરિબાનમાં મહિલાઓ, બાળકોની હત્યા અને પોલીસદળો તથા સેનાના જવાનો પર પણ હુમલા થઈ રહ્યા છે, ત્યારે આ નિરંકુશ સ્થિતિ માટે જવાબદાર કોણ? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે જો કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ સક્રિય રહી હોત, સ્થાનિક તંત્રો એલર્ટ રહ્યા હોત અને સમયસર કદમ ઊઠાવાયા હોત તો ૬ નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાયા હોત. ઝિરીબાનમાં ૧૧ કુકી આતંકીઓનો ખાત્મો થયા પછી ઉગ્રવાદીઓએ મૈતેઈ સમુદાયના કેમ્પ પર હુમલો કર્યો અને તેના રિએક્શનમાં મણિપુર ફરીથી ભડકે બળ્યું, તેને લઈને વિપક્ષો જ નહીં, હવે તો આરએસએસ તથા એબીવીપી પણ સરાજાહેર કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરતા હોય તો હવે મુખ્યમંત્રીપદને ચિટકી રહેવાના બદલે સત્તા છોડી દેવી જોઈએ, તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે. કોંગ્રેસના જયરામ રમેશે પણ મણિપુરને લઈને કેન્દ્ર-રાજ્ય સરકારોને આડેહાથ લીધી છે.
બીજી તરફ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક હોય તો સેઈફ હૈ'નો રાહુલ ગાંધીએ તિજોરી ખોલીને તેમાંથી એક પોસ્ટર કાઢીને ભાજપ અને પીએમ પર પ્રહારો કર્યા અને તેનો ભાજપે જે જવાબ આપ્યો, તે જોતા એવું નથી લાગતું કે મણિપુરના મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારો ગંભીર હોય, અત્યારે તો શાસક પક્ષ અને વિપક્ષો માટે ચૂંટણીઓ જ ટોચ અગ્રતાક્રમે રહી હશે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં થયેલી જંગી રકમની ઓનલાઈન છેતરપિંડી આજે ટોક ઓફ ધ ટાઉનનો વિષય બન્યો છે, અને ક્રાઈમની સાથે સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે લોભામણી જાહેરાતો અને મેસેજીંગ કે કોલીંગના માધ્યમથી થતી ઠગાઈ, બ્લેક મેઈલીંગ અને ડિજિટલ એરેસ્ટ, હની ટ્રેપ જેવા ચક્રવ્યૂહમાં સપડાઈ જવાથી લોકોએ સ્વયં પણ જાગૃત રહેવું પડે તેમ છે. લોભ-લાલચ કે શોર્ટકટથી ઝડપભેર ધનપતિ થઈ જવાની સામાન્ય રીતે સાર્વત્રિક વ્યાપ ધરાવતી માનસિક્તાનો ગેરલાભ ઊઠાવીને કાવતરાખોરો કરોડો-અબજો રૂપિયાની ઠગાઈ કરીને છૂંમતર થવા લાગ્યા છે, તેનાથી બધાએ ચેતવા જેવું છે.
ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો, ઘેર-ઘેર મોબાઈલ સેલફોન પહોંચ્યા, નેટવર્કનો વ્યાપ વધ્યો અને ટેલિકોમ્યુનિકેશન સરળ અને સસ્તુ બન્યું, તેના કારણે વ્યાપારિક, આર્થિક, ઔદ્યોગિક, સામાજિક વ્યવહારોમાં જાણે ક્રાંતિ આવી અને બિઝનેસ જ નહીં, પારિવારિક અને પર્સનલ, સરકારી અને સંસ્થાકીય, એજ્યુકેશન અને ટ્રેનિંગ તથા રાજકીય-શાસકીય ક્ષેત્રે પણ સરળતા, પારદર્શક્તા, ઝડપ અને વ્યપમાં વધારો થયો, પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ જ ઈન્ટરનેટ ક્રાંતિનો દુરૂપયોગ કરીને સાયબર ક્રાઈમ, ઓનલાઈન ઠગાઈ, હન્નીટ્રેપ, બ્લેક મેઈલીંગ, ખંડણી અને આતંકવાદી-ત્રાસવાદી-નક્સલવાદી તથા એન્ટી સોશ્યલ ગતિવિધિઓ કરનારા નાલાયકોને પણ જાણે મોકળું મેદાન મળી ગયું છે. હવે એવો સવાલ પણ ઊઠવા લાગ્યો છે કે, અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ અને ઓનલાઈન વ્યવહારોનો દુરૂપયોગ અટકાવવા માટે આપણા સરકારી તંત્રો પૂરેપૂરા સક્ષમ છે ખરા? માત્ર પોલીસ, હોમગાર્ડઝ, સ્થાનિક સુરક્ષાદળો જ નહીં, પરંતુ સ્ટેટ-સેન્ટરની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ, તપાસ એજન્સીઓ, સમગ્ર બેન્કીંગ સિસ્ટમ, સેનાની ત્રણેય પાંખો, પેરા-મિલ્ટ્રી ફોર્સિસ અને ખાસ કરીને ટોપ-ટુ-બોટમ બ્યુરોક્રેસ તથા સિસ્ટમ્સને નવા ઈન્ટરનેટ અને અદ્યતન ટેકનોલોજીના યુગને અનુરૂપ અપડેટ કરવાના લેવાઈ રહેલા પગલાં ટૂંકા તો નથી પડી રહ્યા ને? અત્યારે જે રીતે આર્થિક ક્ષેત્રે ગુનાખોરી માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટનો દુરૂપયોગ વધી રહ્યો છે, તે જોતા આપણા તમામ તંત્રો-સિસ્ટમ્સ, બ્યુરોક્રેસી અને ખાસ કરીને સમગ્ર પોલિટિકલ સિસ્ટમ તથા શાસકીય વ્યવસ્થાઓને પણ અપડેટ કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
જામનગરમાં છેતરપિંડીની ચર્ચા થઈ રહી છે, તેવી જ રીતે ગાઝિયાબાદની એક વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ બતાવીને રૂ. ર૦ લાખ પડાવી લેવાયા, તે કિસ્સો પણ લાલબત્તી સમાન છે. ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં હવે તો ફેક ચીફ જસ્ટીસ બનવા સુધીની ગુનાખોરોમાં હિંમત આવી ગઈ હોય, તો દેશના ગૃહવિભાગે અને ન્યાયતંત્રે પણ વધુ સતર્ક થઈને જરૂરી સેફગાર્ડ તથા જનજાગૃતિની સાથે સાથે આ પ્રકારની હરકતો કરતા તત્ત્વોને કડક સજા કરાવીને સબક શીખવવો પડે તેમ છે, અન્યથા લોકોનો તંત્રોમાંથી વિશ્વાસ જ ઊઠી જશે, અરાજક્તા ફેલાવશે, તો શું થશે? જરા વિચારો...
દેશવિરોધી તત્ત્વો પણ આધુનિક ટેકનોલોજી તથા ઈન્ટરનેટનો ભરપૂર દુરૂપયોગ કરી રહ્યા છે, અને ફોન, મેસેજ કે ઈ-મેઈલથી અવારનવાર એરપોર્ટ, જાહેર સ્થળો, નેતા કે સેલેબ્રિટીઝને ઊડાવી દેવાની ફેક ધમકીઓ પછી હવે તો આતંકવાદી સંગઠનના નામે દેશની રિઝર્વ બેંકને જ ઊડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે હવે દેશના તંત્રે પણ વધુ સુસજ્જ થવું જ પડે તેમ છે.
જો કે, મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓમાં વ્યસ્ત નેતાઓને દેશની આ પ્રકારની સમસ્યાઓ માટે ફૂરસદ જ ક્યાં મળે છે! મણિપુર સળગવા લાગ્યું, ત્યાં સુધી દેશના ગૃહમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા, અને જ્યારે રાજકીય કટોકટી ઊભી થઈ ગઈ, ત્યારે મુંબઈથી દિલ્હી તરફ દોડ્યા, તે તાજુ દૃષ્ટાંત છે. ચૂંટણી પ્રચાર કરવા નેતાઓ-મંત્રીઓ જાય, તે સ્વાભાવિક છે, અને જવું જ જોઈએ, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી અગ્રતાક્રમે રહેવી જોઈએ, અને તેથી જ ચૂંટણી પ્રચાર અધુરો મૂકીને દોડવું પડ્યું હશે!
હવે જ્યારે લોકોની હથેળીમાં ઈન્ટરનેટ સાથેના મોબાઈલ સેલફોન ઉપલબ્ધ છે, ત્યારે ઈન્ટરનેટના ઉપયોગ, સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીથી લોકોએ સ્વયં પણ સતર્ક રહેવું પડશે, અને સરકારોએ પણ કડક કદમ ઊઠાવવા જ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક મેડિકલ કોલેજમાં આગ લાગી ગઈ અને ૧૦ બાળકોના કરૂણ મૃત્યુ થયા, તે અહેવાલોએ હાલાર અને ગુજરાતની કેટલીક તાજી અને કેટલીક ભૂતકાળની યાદ તાજી કરાવી દીધી છે. આગ લાગવાની ઘટનાઓને આમ તો અકસ્માત જ ગણવામાં આવે છે, પરંતુ જ્યારે આ પ્રકારની આગ લાગવાના કારણો કુદરતી ન હોય, અને માનવીય બેદરકારી કે કોઈ ષડયંત્ર તેના માટે જવાબદાર હોય, તો તેને ગંભીર ગુન્હો જ ગણવો પડે...?
અમદાવાદના બોપલમાં પણ આગ લાગી અને ભીષણ આગમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરાયું, તે તાજા અહેવાલો જોતાં એમ જણાય છે કે, રહેણાંક એરિયામાં ફટાકડા ફોડવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ, અને રસોઈ ગેસ, ઈલેક્ટ્રિક સાધનો તથા વીજ લાઈનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની લાપરવાહી ન જ ચલાવી લેવાય, તેવી માનસિકતા સામૂહિક રીતે ઊભી થવી જોઈએ.
ગઈકાલે જામનગરના જીઆઈડીસી વિસ્તારની એક સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા તેમાં ફસાયેલા ત્રણેક રહીશોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હોવાના અહેવાલો પણ હતાં અને આ આગ મીટર બોક્સમાં સ્પાર્ક થતા અથવા શોર્ટ સરકીટથી લાગી હોવાનું કહેવાય છે. આમ, નગરથી નેશન સુધી આગ દુર્ઘટનાઓના કારણે ઊભી થયેલી વિકટ સ્થિતી પછી ફાયર સેફટીની ચર્ચા ફરી એક વખત ટોક ઓફ ધ નેશન બની છે.
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં તો નવનિત શિશુ સારસંભાળ કેન્દ્રમાં આગ લાગતા ૧૦ જેટલા બાળકોના જીવ ગયા, તેથી માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ દેશભરમાં જબરદસ્ત જનાક્રોશ જોવા મળી રહ્યો છે, અને યોગી સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાત્રે જ ઝાંસી દોડી ગયા, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાતભર જાગીને સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી હેન્ડલ કર્યો, પરંતુ આ પ્રકારનો અગ્નિકાંડ સર્જાયા પછી જ્યારે દસ-દસ શિશુઓના જીવ ગયા હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ જનાક્રોશ ફાટી નીકળતો હોય છે. હવે આ ઘટનામાંથી બોધપાઠ લઈને જામનગર સહિતની તમામ મેડિકલ કોલેજો તથા પ્રાઈવેટ સરકારી તથા સંસ્થાકીય હોસ્પિટલોના સંચાલકો, તંત્રો ફાયર સેફટીની તપાસણી કરીને જરૂરી સુધારા-વધારા કરશે ખરા...?
મોટાભાગના અગ્નિકાંડો પછી મુખ્યત્વે શોર્ટ સરકીટ થવાનું કારણ અપાતું હોય છે, અને તેને અકસ્માત ગણાવાતો હોય છે, પરંતુ એવી ફૂલપ્રૂફ વીજ વ્યવસ્થા ન થઈ શકે, કે જેથી શોર્ટ સર્કીટ થાય જ નહીં, અથવા થાય તો તરત જ બંધ થઈ જાય અને આગ ફેલાતી ઝડપથી અટકી જાય, તે પ્રકારના પ્રશ્નો હંમેશાં ઉઠતા જ હોય છે, તેવી ટેકનિકલી સુધારા-વધારા કરીને આવું ફૂલપ્રૂફ વાયરીંગ અને ઓછામાં ઓછું જોખમ અને તે પ્રકારની વીજ વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ, તેમ નથી લાગતું...?
ભારે ગરમીના કારણે જંગલો સળગે કે જ્વાળામુખી ફાટી નીકળે, તેને કુદરતી આફતો ગણાય, પરંતુ જ્યારે ઝુંપડપટ્ટી સહિતના રહેણાંક વિસ્તારો, ફેક્ટરીઓ, રિફાઈનરીઓ, વ્યવસાયિક સ્થળો, શાળા-કોલેજો કે હોસ્પિટલોમાં ભીષણ આગ લાગતી જ અટકે, તેવા ફૂલપ્રૂફ ઉપાયો વિચારવાની તાતી જરૂર છે, ખરૃં કે નહીં...?
સિક્કાની બીજી બાજુ એવી છે કે, જ્યારે આગ-અકસ્માતોના કારણોમાંથી બિનજરૂરી રીતે જવાબદારીમાંથી છટકવા કે ભૂતકાળની ભૂલો છાવરવા માટે તંત્રો વધારે પડતા અંકુશો સતત ચાલુ રાખે કે પછી આ બહાને પણ વધુ મલાઈ તારવી લેવાની રીત-રસમો અપનાવાય, ત્યારે સામાન્ય જનતાને અલગ જ પ્રકારની મુંઝવણ ઊભી થતી હોય છે. જ્યારથી રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ થયો છે, ત્યારથી સૌરાષ્ટ્રમાં ફાયર સેફટીના સર્ટિફીકેટો સમયસર નહીં આપવાના ઘણાં મહિનાઓથી રહેણાંક મકાનોમાં પોતે જ ખરીદેલા પોતાના મકાનમાં લોકો રહેવા જઈ શકતા નથી, અને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલા ટેનામેન્ટ-ફલેટો ખાલી પડ્યા રહે છે, તેથી એક અલગ જ સમસ્યા ઊભી થઈ ગઈ છે, તેથી તંત્રોએ ઉભય પક્ષોની ચિંતા કરીને "બેલેન્સ" (સમતુલન) જાળવવું જોઈએ, તેમ કોઈ સમસ્યા ઊભી થાય, કે આગ, અકસ્માત, દુર્ઘટના સર્જાય તો તેના સંદર્ભે વિશેષ કાળજી રાખવાના બદલે તે સુવિધા જ અટકાવી દેવી કે પ્રક્રિયા બંધ કરી દેવી, એ દાઝ્યા પર ડામ જેવું ગણાય, ટ્રેનનો અકસ્માત થાય તો રાહત-બચાવ કાર્ય પછી ત્યાં રેલવે વ્યવહાર તત્કાળ પુનઃ શરૂ કરી દેવાના બદલે ત્યાં ટ્રેન વ્યવહાર જ લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવે તો શું થાય...? કોઈ ફેક્ટરીમાં આગ લાગે તો રાહત-બચાવ-મરામત પછી તે ફેક્ટરી તત્કાળ પુનઃ શરૂ થાય, અથવા ચાલુ ફેક્ટરીને વિપરીત અસર ન થાય, તે માટે જે રીતે કાળજી રાખવામાં આવે છે, તેવી જ રીતે અગ્નિકાંડો સર્જાયા પછી વધુ ચોકસાઈ રાખીને અને તત્કાળ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને પણ નિર્માણ થઈ ગયેલી ઈમારતોને ફાયર સેફટીની એનઓસી આપી દેવી જોઈએ, અને પૂરેપૂરી ચકાસણી પણ કરી લેવી જોઈએ. ફાયર સેફટીના ચેકીંગના બહાને મહિનાઓ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટો ન અપાય, કે ફાયર એનઓસી ન અપાય, તો માંડ-માંડ પોતાનું ઘર વસાવવાનું સપનું જોનારા લોકોની હાલત કફોડી થઈ જતી હોય છે, તેનો પણ તંત્રો અને શાસકોએ વિચાર કરવો જોઈએ, અને સુકા ભેગુ લીલુ ન બળી જાય, તેની કાળજી રાખવી જોઈએ, ખરૃં ને...?
ફાયર સેફટી અત્યંત જરૂરી છે, તેમાં ગોલમાલ ચાલે જ નહીં, અને ફાયર સેફટીના પ્રામાણિકરણની પ્રક્રિયા પણ ઝડપથી બનવી જ જોઈએ, ખરૃં ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઘણી વખત કોઈ પાર્ટી, સંગઠન કે ખુદ સરકાર કોઈ મુદ્દે અવઢવમાં હોય કે પછી કોઈ ચોક્કસ સંકેતો આપવાના હોય, ત્યારે નેતાઓના મૂખેથી 'વ્યક્તિગત' નિવેદનો કરાવતી હોય છે. ભારતીય અને વૈશ્વિક રાજનીતિમાં આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળી રહે છે, અને હવે આ પ્રકારની ગૂપ્ત રણનીતિનો ન્યાય વધી રહ્યો છે.
કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, કોઈપણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન બંધારણીય દિગ્ગજો કે ઉચ્ચ અધિકારીઓ કે પછી રાજ્યો કે કેન્દ્ર સરકારના મંત્રીઓનું કોઈ નિવેદન જ્યારે વિવાદાસ્પદ બને કે પછી અયોગ્ય હોય, અથવા પાર્ટી કે સરકારની છબિને રાજકીય નુકસાન પહોંચાડી શકે તેવું હોય, ત્યારે તે પ્રકારના નિવેદનને લઈને હોબાળો થયા પછી કાં તો તે પ્રકારનું નિવેદન ફેરવી તોડવામાં આવતું હોય છે, અથવા તો તેને જે-તે નેતા, અધિકારી, કાર્યકર કે હોદ્દેદારનું 'વ્યક્તિગત' નિવેદન ગણાવીને 'ડેમેજ કંટ્રોલ' કરવા અથવા 'બચાવ' કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે, હવે તો આ પ્રકારના વ્યક્તિગત નિવેદનો જાણીબુઝીને એક ચોક્કસ રણનીતિના ભાગરૂપે ઉભયપક્ષે કરવામાં આવતા હોય, તેવું લાગે છે, ખરૃં કે નહીં?
તાજેતરનું જ દૃષ્ટાંત લઈએ તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બેન્કરેટ ઘટાવવાના મુદ્દે 'વ્યક્તિગત' નિવેદન કર્યું છે, અને તેના સંદર્ભે રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્તદાસે જે કાંઈ કહ્યું છે, તે પ્રેસ-મીડિયા કે રાજકીય વર્તુળો જ નહીં, પરંતુ અર્થતંત્રના તજજ્ઞો તથા વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે.
આજે પ્રકાશપર્વ છે. ગુરૂનાનક જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ-દુનિયામાં આ ઉજવણીને લઈને ઘણો જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિવેદનિયા નેતાઓની પણ ચોતરફ ચર્ચા થઈ રહી છે, જે આજની રાજનીતિની બદલતી દિશા અને રણનીતિ પણ ઉજાગર થઈ રહી છે. કેનેડાની ટ્રુડો સરકારના બદલેલા સુર અને ખાલિસ્તાનના સમર્થકો અને કેનેડિયનો વચ્ચે તનાવ ઉભો થાય, તેવી સ્થિતિના કારણે હવે કેનેડાના વડાપ્રધાનની સ્થિતિ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આ પ્રકારના વૈશ્વિક પ્રવાહોની વચ્ચે ગુરૂનાનકદેવના ઉપદેશો અને સિદ્ધાંતોને યાદ કરીને 'સબ કો સન્મતિ દે ભગવાન' તથા 'વસુદૈવ કુટુમ્બકમ'ની આપણાં દેશની મૂળભૂત સાંસ્કૃતિક વિચારધારાને યાદ કરાવાઈ રહી છે.
આજના પ્રકાશપર્વે દેશની વિવિધ ક્ષેત્રોની પ્રગતિ, સમસ્યાઓ અને આકાંક્ષાઓને નેતાઓ માત્ર રાજનીતિના ત્રાજવે તોલવાના બદલે માનવીય અને વાસ્તવિક દૃષ્ટિએ મુલવીને કેટલાક મુદ્દે સર્વસંમતિ સાધે અને દેશમાં શાંતિ, સદ્દભાવના અને એખલાસની ભાવનાઓ વધુ બળવત્તર બને તેવું ઈચ્છીએ.
દેશવાસીઓ અત્યારે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓને લઈને રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં સર્વસંમતિ સધાય, અને દેશવાસીઓ આ વિકટતામાંથી વહેલી તકે રાહત મેળવે તેવું ઈચ્છીએ.
પિયુષ ગોયલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ખાદ્યાન્ન ફુગાવા કે મોંઘવારીને ધ્યાનમાં લીધા વગર જ બેન્કરેટ નક્કી કરવા (ઘટાડવા)ની હિમાયત કરી, અને કહ્યું કે વ્યાજદરો ઘટાડવા માટે ખાદ્યાન્ન ફુગાવાને ધ્યાને જ ન લેવો જોઈએ. તેમણે આ પદ્ધતિને જ ખામીવાળી ગણાવી દીધી, અને આ તેમનો પોતાનો વ્યક્તિગત વિચાર છે, અને સરકારનો આ ઓપિનિયન નથી, તેવી ચોખવટ પણ કરી તેથી એવી કોમેન્ટો થઈ રહી છે કે મોઢામાં લોટ રાખવો અને બોલવું - બન્ને એક સાથે કેવી રીતે થઈ શકે ?
બીજી તરફ રિઝર્વ-બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાન્તદાસે પણ આ 'વ્યક્તિગત' અભિપ્રાયનો જે જવાબ આપ્યો છે, તે પણ ઘણો જ રસપ્રદ છે, અને આઝાદી પછી ફુગાવાનો દર મોદી સરકારના દસ વર્ષીય સમયગાળામાં જ સૌથી ઓછો રહ્યો હોવાના કેન્દ્રીય મંત્રીના દાવાનું પણ વિશ્લેષણ થઈ રહ્યું છે. કોંગ્રેસે તો એટલે સુધી કહીં દીધું કે મોદી સરકાર તો પોતાને અનુકૂળ આવે તે રીતે 'ડેટા' જ બદલી નાખવામાં માહીર છે!
આરબીઆઈના ગવર્નર શશિકાન્તદાસે કહ્યું કે વ્યાજદરનો ઘટાડો કે વધારો કરવો એ ઘણી જ સંવેદનશીલ બાબત છે અને કોઈપણ કદમ 'વહેલું કે મોડું' થઈ જાય તો તેની ઘેરી અસરો પડી શકે છે. દુનિયાભરની રિઝર્વબેન્કો જ્યારે ક્રાઈસીસ (કટોકટી)માં છે, ત્યારે બેન્કરો માટે વ્યાજદરમાં થતો બદલાવ ઘણો જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એમ પણ કહ્યું હતું કે ફુગાવામાં વધારાની આગાહી એ કાંઈ રોકેટ સાયન્સ નથી. રિઝર્વ બેન્કના ગવર્નરે આપેલી સ્પીચના સંદર્ભે પણ વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ગોયલે તો આંકડાઓની માયાજાળ રજૂ કરીને તહેવારો, મોસમ, સીપીઆઈ ફુગાવો, માંગ અને પ્રોડકશનનો ઉલ્લેખ કરીને કહ્યું કે જાન્યુઆરી સુધીમાં ફુગાવો નીચે આવી જશે પરંતુ આરબીઆઈના ગવર્નર કાંઈક અલગ જ અભિપ્રાય આપતા હોય તો કહી શકાય કે આરબીઆઈ અને સરકાર વચ્ચેનો વિચારભેદ હવે સપાટી પર આવી રહ્યો છે, તો ઘણાં લોકો આને ગૂપ્ત રણનીતિ પણ માને છે. કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું કે ડબલ ફિગર સુધી પહોંચેલો ફુગાવો ધ્યાને લેવો જ પડે, પરંતુ કેન્દ્રીય મંત્રી જાહેરમાં કાંઈક અલગ જ વાત કરી રહ્યા છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આઝાદી પછી દેશની જનતાની જે અપેક્ષાઓ હતી, તે તો સિદ્ધ ન થઈ, પરંતુ બે ટંકનું ભોજન, માથા પર છત અને અંગ ઢાંકવા માટે કપડાનો અભાવ હંમેશાં ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. આ સ્થિતિને આબેહૂબ વર્ણવતી ફિલ્મ રોટી, કપડા ઔર મકાન દાયકાઓ પહેલા ખૂબ જ પ્રચલીત થઈ હતી અને આજે પણ એટલી જ પ્રસ્તૂત છે, કારણ કે આ ફિલ્મમાં દેશની ગરીબ અને મધ્યમવર્ગીય જનતાની સમસ્યાને લઈને ગીત ગવાયું હતું, તે આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીત જનતાની વેદના અને વાસ્તવિકતા બન્ને રજૂ કરે છે.
જો કે, પ્રણયગીત અને દિલનું દર્દ સંયોજીત કરીને આ ફિલ્મ ગીતમાં મોંઘવારીનું જે વર્ણન કરાયુ છે, તે આજે પણ એટલું જ લાગુ પડે છે, તેમાંની કેટલીક પંક્તિઓમાં મોંઘવારીની પરાકાષ્ટા પણ વર્ણવાઈ છે.
'પહલે મુઠ્ઠીભર પૈસે લેકર થેલાભર શક્કર લાતે થે, અબ થૈલેભર પૈસે લે જાતે હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ.. હાય... મહંગાઈ... હાય... દુહાઈ હૈ દુહાઈ.. મહંગાઈ...મહંગાઈ... તૂ કહાં સે આઈ, તુઝે મૌત કયું ન આઈ, આય મહંગાઈ...શક્કર મેં યે આટે કી મિલાઈ માર ગઈ. પાઉડર વાલે દૂધ કી મલાઈ માર ગઈ, રાશન વાલી લૈન કી લંબાઈ માર ગઈ, જનતા જો ચીખી, ચિલ્લાઈ માર ગઈ, બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ'
આ ગીતની ઉકત પંક્તિઓમાં મોંઘવારી ભેળસેળ અને રાશનની દુકાનો પર લાગતી લાંબી લાઈનોનું વર્ણન છે, અને દાયકાઓ પછી આજે પણ એવું ને એવું જ દૃશ્ય પ્રત્યક્ષ ખડુ થાય છે, તેથી સવાલો તો ઉઠે જ ને ?
આ જ પ્રકારની આ ગીતની અન્ય પંક્તિઓમાં પણ દાયકાઓ પહેલાની સ્થિતિ વર્ણવાઈ છે, અને સરકારો બદલી, નવા નવા વાયદાઓ થયા છતાં હજુ પણ લોકોની વાસ્તવિક સ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી, તે સ્પષ્ટ થાય છે.
'ગરીબ કો તો બચ્ચો કી પઢાઈ માર ગઈ, બેટી કી શાદી ઔર સગાઈ માર ગઈ, કિસી કો તો રોટી કી કમાઈ માર ગઈ, કપડે કી કિસીકો સિલાઈ માર ગઈ, કિસી કો મકાનકી બનવાઈ માર ગઈ, બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ'
જીવન દે બસ તીન નિશાન,
રોટી કપડા ઔર મકાન, હર ઈન્સાન
ખો બેઠા હૈ અપની જાન, જો
સચ બોલા તો સચ્ચાઈ માર ગઈ,
બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.
આ પ્રકારની આ ગીતની પંક્તિઓ અને તેના પ્રત્યેક શબ્દોમાંથી ટપકતી વેદના આજે પણ કયાં ઓછી થઈ છે?
છેક વર્ષ ૧૯૭૪ માં રિલિઝ થયેલી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રસ્તૂત છે. બેરોજગારી અને ગરીબીની સાંપ્રત સમસ્યા દાયકાઓ પહેલા પણ હતી અને આજે પણ મોજુદ છે. વિકાસની હરણફાળ ભરીને ચંદ્ર, મંગળ કે અંતરિક્ષમાં પહોંચવાના તથા મેગા પ્રોજેકટોની ઝાક ઝમાળના દાવાઓ ભલે થતા રહ્યા હોય, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા આઝાદીના ૭૫ વર્ષે પણ આપણે નાબૂદ તો ઠીક, ઘટાડી પણ શકયા નથી. આપણે ભલે આઝાદીનો અમૃતકાળ ગૌરવભેર ઉજવીએ અને દુનિયામાં દેશની પ્રગતિની ગૌરવગાથા ગાતા રહીએ, તદૃુપરાંત વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપના જોતા રહીએ, પરંતુ જ્યાં સુધી બેરોજગારી અને ગરીબી દૂર નહીં થાય, ત્યાં સુધી આઝાદીના સાચા ફળો લોકો સુધી પહોંચવાના નથી અને તમામ દાવાઓ પોકળ ઠરવાના છે, તેમ નથી લાગતું?
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઓકટોબર-૨૦૨૪ માં રિટેલ ફુગાવાનો દર ભારતમાં ૬ ટકાને વટાવી ગયો હતો, તો ખાદ્યચીજોમાં ૧૦ થી ૧૧ ટકા જેવો ફુગાવો રહ્યો હતો. આ આંકડા શું સૂચવે છે?
એક તરફ અતિવૃષ્ટિ, પૂર, માવઠાનો માર, બીજી તરફ તહેવારો અને હવે લગ્નસરાની મોસમ આવી રહી છે, ત્યારે મોંઘવારી લોકોને દઝાડી રહી છે. જનતા મોંઘવારીના ખપ્પરમા હોમાઈને તરફડી રહી છે, ત્યારે વિશ્વનેતા બનવાની દુનિયાભરમાં હોડ લાગી છે. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા દિવસે દિવસે વધુને વધુ વિકટ બની રહી છે, ત્યારે કેટલાક દેશો યુદ્ધે ચડીને આ સમસ્યાને વધુ ઘેરી બનાવી રહ્યા છે, તે નક્કર હકીકત નથી?
એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, તો બીજી તરફ બેરોજગારીની સમસ્યા પણ વિકરાળ બની છે, તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોઈ નક્કર કદમ ઉઠાવાઈ રહ્યા નથી. વિપક્ષી ગઠબંધન કેન્દ્રની સરકાર પર આક્ષેપો કરે છે, તો શાસક ગઠબંધન પ્રતિઆક્ષેપો કરે છે. હકીકતે અત્યારે સત્તામાં છે અને વિપક્ષમાં છે, તે તમામ મુખ્ય રાજકીય પક્ષો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક કક્ષાએ વારાફરતી સત્તા ભોગવી ચૂક્યા છે, છતાં પણ પાંચ દાયકા પૂર્વેની હિન્દી ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન'ના ફિલ્મી ગીતમાં દર્શાવેલી વેદના આજ પર્યંત દેશની જનતા ભોગવી જ રહી છે, તે શું સૂચવે છે? 'હમામ મેં સબ નંગે હૈ... તેરી બી ચૂપ મેરી બી ચૂપ.. હમ નહીં સુધરેંગે, હમ નહીં બદલેંગે... હમ સબ પરદે કે પીછે એક હૈ... નેક નહીં... તેમ રાજકીય ક્ષેત્રની પલટનો માટે કહી શકાય કે નહીં?
મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણીઓના પરિણામ જે આવે તે ખરા, પરંતુ આ ચૂંટણીઓમાં પણ બેરોજગારી અને ગરીબીનો મુદ્દો અગ્રસ્થાને રહ્યો છે. યુપીપીએસસીની પરીક્ષાઓને લઈને ઉમેદવારો સડક પર ઉતરતા હોય, કે પેપરલીકના વિવાદો થતા રહ્યા હોય, નોકરીની ભરતી માટે લાખો ઉમેદવારો ઠેર-ઠેર ઉમટી રહ્યા હોય કે પછી સ્વરોજગારી માટે બેન્કો-કચેરીઓના ધક્કા ખાતો યુવાવર્ગ હોય, આ તમામ દૃશ્યો દેશની ગરીબી અને બેરોજગારીની દાયકાઓ જૂની કાયમી સમસ્યાઓ જ દર્શાવે છે, અને આ મુદ્દાઓ ઉછાળીને ચૂંટણી પ્રચાર કરતા રાજકીય પક્ષો અને ઉમેદવારો વિજેતા બન્યા પછી કે સત્તામાં આવ્યા પછી આ બધું જ ભૂલી જાય છે, તે દાયકાઓ જૂની વાસ્તવિકતા જ છે ને?
આપણાં દેશની કમનસીબી એ છે કે આપણા દેશમાં પનપતી ગરીબી અને બેરોજગારી છતાં આર્થિક ક્ષેત્રે અમીરો વધુ અમીર બનતા હોવાથી એકંદરે જે પ્રગતિ દેખાય છે, તેને જ દેશની સમગ્ર જનતાની સ્થિતિ ગણાવાતી રહી છે, હકીકતમાં દેશમાં અમીરો વધુને વધુ અમીર બનતા જાય, અને અને ગરીબો વધુને વધુ ગરીબ બને, વર્ષ-૧૯૭૪ ના હિન્દી ફિલ્મ ગીતમાં વર્ણવાયેલી મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ એવી ને એવી જ રહી હોય તો આઝાદીનો અમૃતકાળ ઉજવવાની સાથે સાથે દેશની પ્રગતિનું આભાસી ચિત્ર રજૂ કરીને વાહવાહી કરવી કે મેળવવી તે દેશની જનતા સાથે રાજકીય છેતરપિંડી ન ગણાય?.. જરા વિચારો.. અને નક્કી કરો કે કૌન સચ્ચા? કોન જુઠ્ઠા? સબ મિલે હુએ હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સરકારી યોજનાઓમાં કેવું લોલંલોલ ચાલતું હોય છે અને પૈસા માટે લોકોના જીવન સાથે ચેડા કરતા સફેદપોશ લોકોની નિર્દયતા કેટલી હદે પહોંચતી હોય છે, તેનું દૃષ્ટાંત અમદવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું છે, સેવાના નામે રોટલા કાઢતા (રોજગાર મેળવતા) ઘણાં લોકો હશે, પરંતુ સેવાના ક્ષેત્રને માધ્યમ બનાવીને તગડી કમાણી કરવાના કારસા રચતા લોકો જો ડોકટરો અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, તો એમ કહી શકાય કે હળહળતો કળીયુગ આવી ગયો છે, એ નક્કી...
ગુજરાતમાં પીએમજેએવાય યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર ઉજાગર થતાં રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચ્યો છે.
પહેલા તો એવી ખબરો વહેતી થઈ હતી કે હોસ્પિટલની બેદરકારીથી બે લોકોના મૃત્યુ થયા છે, પરંતુ જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હોસ્પિટલની મૂલાકાત લઈને એ કન્ફર્મ કર્યું કે સાત દર્દીઓને સ્ટેન્ડ મૂકાયા હતા અને એન્જિયોગ્રાફી કરાઈ હતી તે પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા હતા, તે પછી આ મુદ્દો વધુ પ્રકાશમાં આવી ગયો અને નીતિનભાઈએ જ જાહેર કર્યું કે આ મુદ્દે આરોગ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા હતા, તે પછી રાજ્યના આરોગ્યમંત્રીએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ જ પ્રકારની જાહેરાત કરી હતી, હવે હકીકતે આ બેદરકારી હતી, કે સમજી-વિચારીને નિયમિત રીતે આચરાતું ષડયંત્ર હતું, તેનો જવાબ તો સરકાર જ આપી શકે, અને કદાચ આ કારણે જ તત્કાળ તપાસનો આદેશો કરી દેવામાં આવ્યા હશે, તેવું માનનારો પણ એક વર્ગ છે. આવું વિચારવા પાછળ કેટલાક મૂળભૂત કારણો પણ છે, જેમાં 'લોજીક' જણાય છે.
એક તો એ કારણ છે કે આ જ હોસ્પિટલ સામે આ જ પ્રકારની ફરિયાદ ભૂતકાળમાં પણ ઊભી થઈ હતી, તેમ કહેવાય છે. જો આવું ભૂતકાળમાં પણ બન્યું હોય, તો આ હોસ્પિટલને તે જ સમયે સરકારી યોજનામાંથી હટાવી કેમ દેવાઈ નહીં, હોય અને કોઈ અસરકારક કદમ કેમ ઉઠાવાયા નહીં હોય તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે અને શંકાની સોય 'ઉપર' સુધી પહોંચે... જો કે, સફાઈ આપવામાં અને થાબડભાણાંમાં હોંશિયાર એક આવી 'સિસ્ટમ' એક્ટિવ થઈ જતી હોય છે, તેથી વાસ્તવિકતાઓ ઘણી વખત સામે આવી શકતી હોતી નથી.
ગુજરાતમાં એક કહેવત છે કે, સુકા સાથે લીલુ ય બળી જાય... કાંઈક એવું જ અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓને લઈને થઈ રહ્યું છે. ઘણાં દાતાઓ નેત્રયજ્ઞો, નિદાન કેમ્પો, સારવાર કેમ્પો, પરીક્ષણ કેમ્પો, રકતદાન કેમ્પો અને શસ્ત્રક્રિયા-ગંભીર રોગોની સારવાર જેવી પ્રવૃત્તિઓ માટે છુટા હાથે દાન આપતી હોય છે અને ઘણાં સેવાભાવિ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સહયોગ, શ્રમદાન તથા સ્વયંસેવકો તરીકે સેવાઓ નિઃસ્વાર્થે આપતા રહેતા હોય છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે વિદેશથી ડોલરમાં આવતા આ પ્રકારના દાનનો દૂરૂપયોગ અથવા પોતાના હિતો માટે ઉપયોગ થતો હોય છે. કેટલાક 'સેવાભાવિઓ' આ પ્રકારના કેમ્પો તો યોજે, પરંતુ તેના વાસ્તવિક ખર્ચ કરતા અનેકગણુ દાન મેળવીને પોતાના વ્યક્તિગત મોજશોખ કે ઘરખર્ચ માટે કરતા હોવાની ચર્ચાઓ પણ સંભળાતી હોય છે, અને આ પ્રકારના મુઠીભર લાલચુઓના કારણે આખો સેવાભાવિ સમુદાય બદનામ થતો હોય છે, ખરું કે નહીં ?
ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને મદદરૂપ થવા નેત્રયજ્ઞો, કેમ્પો કે શસ્ત્રક્રિયાઓ જેવી નિઃશૂલ્ક પ્રવૃત્તિ માટે દાન અને શ્રમ-સહયોગ આપનારા તમામ લોકોને બીરદાવવા જ જોઈએ, અને આ પ્રકારની પ્રવૃત્તિઓ થકી જ આપણું સૌરાષ્ટ્ર અને ગુજરાત દાનવીરોની ભૂમિ ગણાય છે પરંતુ જ્યારે ખ્યાતિ હોસ્પિટલો જેવી ઘટનાઓ અને ત્યારે સવાલ એ ઉઠે કે શું આ પ્રકારના કથિત કૌભાંડ કરનારાઓમાંથી ખરેખર માનવતા મરી પરવારી હશે ? આ પ્રકારના લોકોને શાસકો કે તંત્રો કેમ છાવરતા રહેતા હશે ? શું ઉચ્ચકક્ષા સુધી ભાગબટાઈ થતી હશે ?
ખ્યાતિ હોસ્પિલમાં નીતિનભાઈ પટેલ તરત જ દોડી ગયા, કારણ કે તેમના વિસ્તારના દર્દીઓ હતા, પરંતુ એ જ પ્રકારની સંવેદના કે ગંભીરતા અન્ય નેતાઓ દાખવી રહ્યા છે ખરા ? ખરેખર સરકાર આ મુદ્દે કડક કદમ ઉઠાવશે ખરી ?
મમતા બેનર્જીને એક હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મના કેસમાં ઘેરનારા દિગ્ગજ નેતાઓ ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિનો જીવ હણી લેનાર લાપરવાહો (કે કૌભાંડકારો)ના મુદ્દે પ.બંગાળ જેટલી આક્રમકતા કેમ દેખાડતી નહીં હોય? તે પણ યક્ષપ્રશ્ન જ છે ને?
આ ઘટનાને લઈને ઉગ્ર પ્રત્યાઘાતો આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તસિંહ ગોહિલે કહ્યું કે જ્યારે વર્ષ-૨૦૨૨ માં ત્રણ દર્દીને સ્ટેન્ડ મુકતા એકનું મોત થયું હતું, તે સમયે જ જો કડક કાર્યવાહી થઈ હોત અને આ હોસ્પિટલ જ બંધ કરાવી દીધી હોત તો કડીના નિર્દોષ લોકોના આજે જીવ બચી ગયા હોત !
રાજ્યમાં 'મા' યોજનામાંથી ગેરરીતિના સંખ્યાબંધ કિસ્સા સામે આવી રહ્યા છે, અને હજારો દર્દીઓ એક જ સમયે બે જગ્યાએ બતાવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ તો ત્યાં સુધી કહી દીધું કે આરોગ્ય વિભાગને સેવાઓ સુધરે તેમાં રસ જ નથી. અને માત્ર ખરીદીઓ કરવી અને લોલંલોલ ચલાવવું, તેવી જ માનસિકતા છે. તેમણે તકવાદી તબીબો સામે ફોજદારી રાહે ફરિયાદ કરવાની માંગણી પણ કરી દીધી, અને આ જ પ્રકારના પ્રત્યાઘાતો આમઆદમી પાર્ટીએ પણ આપ્યા, પરંતુ સરકારે 'તપાસ.. તપાસ'નું રટણ કર્યે રાખ્યું અને આ હોસ્પિટલને સરકારી યોજનાઓના દાયરામાંથી હટાવી દીધી, પરંતુ ફોજદારી રાહે કદમ ઉઠાવીને આરોપીઓને જેલભેગા કરવાની તત્પરતા ન દાખવી, તે ઘણું બધું કહી જાય છે, તેવા અભિપ્રાયો સાથે વિપક્ષો ટીકાની ઝડી વરસાવી રહ્યા છે, અને બેકફૂટ પર આવેલા તંત્રો ફીફાં ખાંડી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે, તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

તાજેતરમાં જ્યારે અમારા ભાઈ કિરણભાઈનો સ્વર્ગવાસ થયો, ત્યારે અમારો પરિવાર સખત આઘાતમાં હતો, કારણ કે થોડા વર્ષો પહેલા લાભપાંચમના દિવસે અમારો લાડલો રોનક યુવાવયે અનંતયાત્રાએ નીકળી ગયો હતો, તેમના પિતા અને અમારા બંધુ કિરણભાઈ આ દિવાળી પર્વે જ સ્વર્ગે સીધાવી ગયા હતાં, તેથી અમારો આઘાત બેવડાયો હતો.
આજથી ૬ વર્ષ પહેલા જ્યારે અમારો કુળદીપક બુઝાઈ ગયો, ત્યારે અમારા બધા પર કઠુરાઘાત થયો હતો. પીન્ટુ તરીકે પરિવાર, મિત્ર મંડળ અને સ્નેહીજનોમાં પ્રચલિત થયેલા સ્વ. રોનકનો હસમુખો ચહેરો, આજે પણ અમારા બધાની નજરે તરતો રહે છે.
રોનકની વિદાય થઈ ત્યારે તેમના પિતા કિરણભાઈ, માતા જયોતિબેન, પત્ની અવનીબેન અને બે પુત્રો મન અને મીત તથા સમગ્ર માધવાણી પરિવાર ઉપરાંત નોબત પરિવારના તમામ સહયોગીઓ ચોધાર આંસુએ રડ્યા હતા, તે પછી હવે બીજો વજ્રઘાત થયો અને રોનકના પંથે કિરણભાઈ પણ વૈકુંઠધામ પહોંચી ગયા, પરંતુ પિતા-પુત્રની સ્મૃતિઓ નોબત ભવનના ખૂણે-ખૂણે સચવાયેલી છે, જે અમારા બધા માટે પ્રેરણાદાયી છે.
'નોબત'ના બહુરંગી મેઘધનુષ્યમાંથી બે રંગ જાણે બુઝાઈ ગયા, અને મેઘધનુ જેવા કાર્યક્રમોના સંસ્મરણોના માધ્યમથી તેઓ આપણાં બધાના દિલો-દિમાગમાં વસેલા જ રહેવાના છે.
સ્વ. રોનકનો બહોળો મિત્રવર્ગ પણ આજે તેઓની સ્મૃતિઓને વાગોળી રહ્યો છે. નોબતના આધુનિકરણ અને નવીનતમ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને 'નોબત'ને ઈન્ટરનેટના માધ્યમથી ડિજિટલ મીડિયા, ઈ-પેપર તથા બ્રેકીંગ ન્યુઝના સ્વરૂપમાં ઘરે-ઘરે અને સાત સમંદર પહોંચાડવાની આજની સફળતાના પ્રારંભિક કોન્સેપ્ટ તથા લોન્ચીંગમાં રોનકનો સિંહફાળો રહ્યો હતો. અત્યારે અમે એવી અનુભૂતિ કરી રહ્યા છીએ કે જાણે એક ઝળહળતુ કિરણ તાજેતરમાં લુપ્ત થઈ ગયું અને સ્વ. રોનકના પંથે નીકળી ગયું હોય.
ખેર, ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કંઈ જ ચાલતુ નથી, તેથી ઈશ્વરેચ્છાને બળવાન ગણીને સ્વ.રોનક (પીન્ટુ)ને ભાવભરી શ્રદ્ધાંજલિ-સહ પુષ્પાંજલિ અર્પીએ.
તા. ૧૨-૧૧-૨૦૨૪ જામનગર
નોબત તથા માધવાણી પરિવાર

દેશને આજે નવા ચીફ જસ્ટીશ મળ્યા છે, કેટલાક ઐતિહાસિક અને દૂરગામી ફેંસલાઓ આપીને તથા ન્યાયતંત્રને વધુ પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવાના પ્રયાસો કરીને નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડના સ્થાને આજથી નવા સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ શરૂ થશે. સંજીવ ખન્નાએ તેઓની અત્યાર સુધીની કારકીર્દિમાં ઘણાં મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.
આપણાં દેશમાં ન્યાયતંત્ર સ્વાયત્ત છે અને તે કેન્દ્રની સરકારને નહીં, પરંતુ બંધારણને વફાદાર રહે છે. ન્યાયતંત્રની આંતરિક વ્યવસ્થાઓ તથા નિમણૂકો પણ ન્યાયતંત્રનું કોલેજિયમ તથા સુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટો દ્વારા થતી હોય છે અને ખર્ચનું બજેટ સરકારે ફાળવવાનું હોય છે. સરકાર, ન્યાયતંત્ર, સેના, વહીવટીતંત્ર અને બંધારણીય અન્ય સંસ્થાઓ બંધારણીય દૃષ્ટિએ રાષ્ટ્રપતિ દ્વારા કાર્યરત હોય છે, અને સ્વાયત્ત બંધારણીય સંસ્થાઓ પરસ્પર સહયોગ અને સંકલનથી કામ કરતી રહે, તેવી આપણાં બંધારણની વિભાવના છે, અને તેનું પાલન આઝાદી પછી આજપર્યંત (અપવાદ સિવાય) થતું રહ્યું છે.
અમેરિકામાં વિશ્વની સૌથી જૂની અર્વાચીન યુગની લોકશાહી વ્યવસ્થા છે, અને ભારતમાં અર્વાચીન યુગની સૌથી મોટી લોકતાંત્રિક વ્યવસ્થા છે, તેમ કહેવાય છે, જો કે, ભારતમાં તો હજારો વર્ષ પહેલાં અને રામાયણ-મહાભારતકાળ અગાઉ પણ કોઈને કોઈ સ્વરૂપે લોકતાંત્રિક વ્યવસ્થાઓ મોજુદ હતી, તેવી ચર્ચાઓ પણ અવાર-નવાર થતી રહી છે. ભારતની અર્વાચીન લોકતાંત્રિક વ્યવસ્થાઓનું મજબૂતીકરણ અને સુરક્ષા ન્યાયતંત્ર આઝાદી પછી સતત કરતું રહ્યું છે અને ઘણાં ઐતિહાસિક તથા યુગને અનુરૂપ સુધારણાત્મક નિર્ણયો પણ લેવાયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કાનૂની કાર્યવાહી તથા ન્યાયિક વ્યવસ્થાઓના સમતુલન માટે પરસ્પર થયેલી સમજૂતિઓ તથા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કદમ ઉઠાવાતા હોય છે, અને બીજા દેશોમાં ભાગી ગયેલા દેશના અપરાધીઓને પરત લાવીને અથવા જે-તે દેશના કાયદા-કાનૂન મુજબ ત્યાં જ ન્યાયિક લડત આપવાની પ્રક્રિયામાં પણ ન્યાયતંત્રોની તટસ્થતા, સક્રિયતા અને માનવીય ભાવનાઓ સાથે સંબંધિત દેશોના સાર્વભૌમત્વને જાળવી રાખીને નિર્ણયો લેવાની ક્ષમતા પણ કસોટીની એરણે ચડતી હોય છે. આ સીલસીલા હેઠળ હાલમાં કેનેડામાં પનપતી ખાલિસ્તાની વિચારધારા અને ભારત-કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે ન્યાયિક વ્યવસ્થાઓ માટે પણ અત્યારે લીટમસ ટેસ્ટ હોય તેમ જણાય છે.
ખાલિસ્તાની આંતકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ભારતીય એજન્ટો પર આક્ષેપ મૂકાયા પછી ભારત અને કેનેડા વચ્ચે એટલી હદે સંબંધો વણસ્યા કે બન્ને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ હાંકી કાઢયા હતા. અમેરિકામાં સત્તાપરિવર્તન પછી હવે બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે, તેવા આશાવાદને ઠેંગો બતાવતા કેનેડાની વર્તમાન સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની વિપરીત અસર હજારો ભારતીયોને થશે, તેવા નિવેદનો સાથે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે, તો બીજી તરફ નિજ્જરની હત્યામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હાથ હતો, તેવા અહેવાલો આવ્યા પછી એક વાયરલ થયેલા વીડિયોમાં તો સમગ્ર ઘટનાક્રમનો નવો જ કોન્સેપ્ટ અને ઉદ્દેશ્ય દર્શાવાયો હોવાથી હવે કેનેડાની સરકારનું વલણ કુણુ પડશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે. આઈએસઆઈના એજન્ટ કીયાની પર કેનેડાના તંત્રોની આશંકા અને ભારતમાં થયેલી સંદીગ્ધોની ધરપકડ પછી હવે શું થાય છે, તે જોવાનું રહેશે....
આ તરફ બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો મામલો આંતરરાષ્ટ્રીય ન્યાયની એરણે ચડ્યો છે, અને નેધરલેન્ડમાં કાર્યરત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)માં આ કેસ પહોંચ્યો છે. બાંગલાદેશમાં હિંસક આંદોલનો પછી વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડયો અને બાંગલાદેશમાં વચગાળાની સરકાર રચાઈ, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને અન્ય ૬૧ વિરૂદ્ધ ત્યાંની અવામીલીગે ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાના અહેવાલો પછી માત્ર ભારત અને બાંગલાદેશ જ નહીં, પરંતુ અમેરિકા, પાકિસ્તાન અને બ્રિટન સહિત તેના વિશ્વવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, અને આ મુદ્દો હવે વૈશ્વિક ન્યાયનો વિષય પણ બની ગયો છે. કારણ કે લઘુમતીઓના રક્ષણ માટે હંમેશાં અવાજ ઉઠાવતા રહેતા વિશ્વકક્ષાના કેટલાક નામીચા માનવતાવાદીઓ બાંગલાદેશની લઘુમતી પર થતા અત્યાચારોના મુદ્દે મૌન છે !
મીડિયા અહેવાલો મુજબ અવામીલીગના એક દિગ્ગજ નેતાએ એક વીડિયો સંદેશ વહેતો મુક્યો છે, જેમાં ગત ઓગષ્ટ મહિનામાં વિદ્યાર્થી આંદોલનના ઓઠાં હેઠળ બાંગલાદેશમાં થયેલા નરસંહારમાં બાંગલાદેશની લઘુમતીઓ હિન્દુ, ક્રિશ્ચીયન, બૌદ્યોે તથા તેઓના ધર્મસ્થળોને કેવી રીતે નિશાન બનાવાયા, તેના દસ્તાવેજી પુરાવા સાથે ૮૦૦ પાનાનું ડોઝીયર ઈન્ટરનેશનલ ક્રિમનલ કોર્ટને મોકલવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૧૫ હજારથી વધુ ફરિયાદો વિધિવત રીતે નોંધાવાશે, અને હિંસાનો ભોગ બનેલા પરિવારો, વ્યક્તિઓ અને સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ધા નાંખશે. તેમણે વર્તમાન વચગાળાની સરકાર પણ ફાસીવાદી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ મૂક્યો છે.
જો કે, ભારતમાં જ વિલંબિત ન્યાયિક પ્રક્રિયાની બૂમરાણ મચી રહી છે, અને અન્ય દેશોમાં અલગ-અલગ બંધારણો, કાયદાઓ તથા વૈશ્વિક સમજૂતિઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને રાજનીતિની અસરો હેઠળ તત્કાળ ન્યાય મેળવવો ઘણો જ મુશ્કેલ છે, ત્યારે બાંગલાદેશની લઘુમતીઓને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાય મળે ત્યારે ખરો, પરંતુ આ મુદ્દો હવે વૈશ્વિક ચર્ચાનો વિષય જરૂર બની ગયો છે...
આજે પણ ભારતના ઘણાં ભાગેડૂઓને પ્રત્યાર્પણ દ્વારા દેશમાં પરત લાવીને તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકી નથી, અને જામનગરના આરોપી સહિત માલ્યા, મોદી, ચોકસી જેવા આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કયારે થશે, તે એક સવાલ જ રહ્યો છે, ત્યારે હવે ઈન્ટરનેટ યુગમાં વધેલા સાયબર ક્રાઈમ સહિતના વિવિધ મુદ્દે વૈશ્વિક ન્યાયતંત્ર વધુ અસરકારક બને અને ભારત સહિતના (લોકતાંત્રિક) દેશોમાં કાનૂની અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને, તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલાર અને ગુજરાત સહિત દેશભરમાં માર્કેટો ધમધમી રહી છે. દિવાળીના તહેવારો, વેકેશન અને હવે નાતાલની રજાઓ ઉપરાંત આવી રહેલી લગ્નસરાની સિઝનના કારણે હવે બજારો ધમધમતી જ રહેવાની છે, તેવા સંકેતો વચ્ચે શેરમાર્કેટનો ઉતાર-ચઢાવ જોતાં વૈશ્વિક પરિબળો અને પ્રવર્તમાન ઘટનાક્રમોની અસરો ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રહેવાની જ છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પછી રિકવરીના પ્રયાસો તથા અમેરિકામાં સરકાર બદલ્યા પછીની આગામી કુટનૈતિક અને આર્થિક અસરો તથા હલચલોને સાંકળીને ઉઠાવાઈ રહેલા કદમ પર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે. ગઈકાલે જલારામ જયંતીની ઉજવણી જામનગર હાલાર સહિત દેશભરમાં સંપન્ન થઈ, અને વીરપુરથી જલારામબાપાનો જય જયકાર સાત સમંદર પાર વિદેશોમાં પહોંચ્યો, તેની નોંધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મીડિયા અને સોશ્યલ મીડિયામાં પણ લેવાઈ રહી છે, જે ગુજરાતનું ગૌરવ પણ ગણાય જ ને ?
ગઈકાલે આઠમી નવેમ્બર હતી. વર્ષ-૨૦૧૬ ની રાત્રે આઠેક વાગ્યે વડાપ્રધાને જ્યારે અચાનક નોટબંધી જાહેર કરી હતી, ત્યારે તેઓએ આ કડક કદમ ઉઠાવવાના કારણે પણ વર્ણવ્યા હતાં.
દેશવાસીઓને ટેલિવિઝનના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ૫૦ દિવસ આપો, અને જો ઈરાદો ખોટો પુરવાર થાય તો જનતા જે સજા આપે તે સજા મંજુર છે, વિગેરે...
વડાપ્રધાને તે સમયે જે ઉદ્દેશ્યો જણાવ્યા હતાં, તે સિદ્ધ થયા નથી. ભ્રષ્ટાચાર, કાળુધન અને નકલી ચલણી નોટોના દૂષણને ડામવાનો ઉદ્દેશ્યો જણાવાયા હતાં. તે કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે, અને કેટલા પ્રમાણમાં નિષ્ફળતા મળી છે, તેની ચર્ચાઓ થઈ રહી છે. ભલે, આ પગલાંને લઈને વિગતવાર સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યું હોય, અને વર્ષ-૨૦૧૯ માં દેશની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી હોય, પરંતુ તે પછીના પાંચ વર્ષમાં દેશની જનતાએ છેતરાઈ હોવાની અનુભૂતિ થઈ ગઈ હોવાના તારણો કાઢીને વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીના પરિણામોને પણ સાંકળવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપની બેઠકો ઘણી ઘટી ગઈ હતી.
આજે નોટબંધીને આઠ વર્ષ પૂરા થયા છે, ત્યારે નોટબંધી જાહેર કરતી વખતે વડાપ્રધાને જે ઉદ્દેશ્યો જાહેર કર્યા હતાં, તે સિદ્ધ થયા છે કેમ ? કેટલા પ્રમાણમાં ઉદ્દેશ્યો સિદ્ધ થયા, અને કેટલા પ્રમાણમાં નિષ્ફળ ગયા ? જો ઉદ્દેશ્યો સફળ થવામાં સદંતર નિષ્ફળતા મળી હોય,, તો તેનું જવાબદાર કોણ ? વગેરે સવાલો પણ ઉઠી રહ્યા છે, અને ગઈકાલથી જ આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેસ-મીડિયામાં વિશ્લેષણો થઈ રહ્યા છે. અને સોશ્યલ મીડિયામાં વિવિધ કોમેન્ટો થઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીના કારણે ઉદ્યોગપતિની ઈજારાશાહી મજબૂત બની છે.
નોટબંધીને લઈને કોઈ સર્વે થયો હતો, જેનો રિપોર્ટ પણ આજે ચર્ચામાં છે. નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય બ્લેકમનીની નાબૂદીનો હતો, પરંતુ ચર્ચિત આ તાજા રિપોર્ટ મુજબ દેશના ૯૦ ટકા લોકો માને છે કે હજુ પણ રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં પેરેલલ બ્લેકમની ઈકોનોમી મોજુદ છે, સરળભાષામાં કહી શકાય કે રિઅલ એસ્ટેટ સેકટરમાં આજે પણ કાળાનાણાનું વ્યાપક ઉપાર્જન થઈ રહ્યું છે, જેની સામે જમીન અને મિલકતો માટે સેન્ટ્રલ ડેટાબેઈઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસો વામણાં પૂરવાર થઈ રહ્યા છે.
વર્ષ-૨૦૧૬ ની આઠમી નવેમ્બરની મધ્યરાત્રિથી મોદી સરકારે તે સમયે ચલણમાં રહેલી રૂ. ૧૦૦૦/- અને રૂ. ૫૦૦/- ની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી અને એવો દાવો કરાયો હતો કે કાળું નાણુ પસ્તી બની જશે, પરંતુ વાસ્તવમાં શું થયું, તે ઓપન સિક્રેટ જ છે ને?
દેશમાંથી ભ્રષ્ટાચાર અને કાળંુ નાણુ ખતમ કરવાના ઉદ્દેશ્યો જણાવીને જાહેર કરાયેલી નોટબંધી પછી પોતાના જ નાણા મેળવવા માટે દેશભરની જનતાને ઘણાં દિવસો સુધી લાંબી લાઈનો લગાવવી પડી, ઘણાં લોકોના જીવ ગયા, તો ઘણાં લોકોના ધંધા-વ્યવસાયો ખોરવાઈ ગયા, આજે આઠ વર્ષ પછી નોટબંધીના હેતુઓ પૂરેપૂરા સફળ થયા હોય, તેમ લાગતું નથી, ખરું ને ?.
જો કે , દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વ્યાપ વધ્યો છે, આજે શાકભાજી, રેંકડી, ચા-નાસ્તાના લારીવાળાથી લઈને ઈન્ટરનેશનલ વ્યાપાર સુધી ડિજિટલ નાણાકીય લેવડદેવડ થઈ રહી છે અને ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રેડીંગ અને ઓનલાઈન પર્સનલ નાણાકીય લેવડ-દેવડનો વ્યાપ પણ વધ્યો છે.
ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન નાણાકીય લેવડ-દેવડ ઉપરાંત બેન્કીંગ સિસ્ટમ પણ સુદૃઢ બની હોવા છતાં નોટબંધી વખતે સર્ક્યુલેશનમાં દેશમાં ૧૭ લાખ કરોડની રોકડ હતી, તે આજે વધીને ૩૪ લાખ કરોડ, એટલે કે ડબલ થઈ ગઈ હોવાના આંકડા પણ ચર્ચાઈ રહ્યા છે.
ચર્ચિત રિપોર્ટ મુજબ સૌથી વધુ રોકડ વ્યવહારો રિઅલ એસ્ટેટ સેકટરમાં થઈ રહ્યા છે, અને સંખ્યાબંધ પ્રોપર્ટીના બેનામી વ્યવહારો થતાં હોવાનું કહેવાય છે. એવો દાવો કરાયો છે કે દેશના પોણાચારસો જેટલા જિલ્લાના હજારો નાગરિકોને સાંકળીને તૈયાર કરાવેલા આ રિપોર્ટ મુજબ હજુ પણ ૬૨ ટકા પ્રોપર્ટી માલિકોએ 'આધાર' સાથે પોતાની પ્રોપટી લીન્ક કરાવી નથી, અને સરકારી તંત્રો જ પ્રોપર્ટીના રેકોર્ડસને સંપૂર્ણપણે ડિજિટાઈઝડ કરવામાં ઉદાસિનતા દાખવી રહ્યા છે, નોટબંધી પછી બહાર પડાયેલી રૂ. ૨૦૦૦ ની ચલણી નોટો પાછી ખેંચાઈ અને રૂ. ૫૦૦ ની નવી ચલણી નોટો અમલી બની છે, છતાં બ્લેકમનીનું દૂષણ ઘટવાના બદલે વધી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ ? સરકાર સ્પષ્ટતા કરશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે જામનગર, હાલાર સહિત દેશભરમાં તથા વિદેશોમાં જલારામ જયંતી ઉજવાઈ રહી છે, અને યાત્રાધામ વીરપુરમાં તો શ્રેણીબદ્ધ કાર્યક્રમો, ખાંભીપુજન, શોભાયાત્રા તથા સમૂહપ્રસાદ સાથે ભાવિકોનો મહાસાગર ઉભરાયો હોય, તેવો દૃશ્યો સર્જાયા છે. જલારામ બાપાની રરપમી જયંતીના પર્વે જામનગરમાં હાપા અને સાધના કોલોનીના જલારામ મંદિરો તથા ખંભાળીયા, સલાયા, દ્વારકા, આરંભડા, રાવલ, બેરાજા સહિત ઠેર-ઠેર જલારામ જયંતી ઉજવાઈ રહી છે.
જામનગરમાં બ્રહ્મભોજન અને રઘુવંશી સમાજના સમૂહભોજનની સાથે જ્ઞાતિભોજનના સ્થળે થેલેસેમિયા કેમ્પનું આયોજન તથા જ્ઞાતિજનો માટે ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટેનું જે આયોજન કરાયું છે, તે અનુકરણીય અને પ્રશંસનિય છે. ધાર્મિક, સામાજિક કે અન્ય જાહેર કાર્યક્રમોની સાથે સાથે આ પ્રકારના સેવાકાર્યોની પરંપરા વિકસી રહી છે, અને આજના સમયની માંગ પણ છે. હેલ્થ સિક્યોરીટિ, વિવિધ સરકારી સેવાઓ તથા બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા પરીક્ષણ, વિવિધ રોગ નિદાન કેમ્પોને સાંકળીને જ્યારે કોઈપણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે લોકોને ઘરઆંગણે સેવાઓ મળી રહે છે, ત્યારે જે-તે પ્રસંગની આભા વધુ દીપી ઉઠે છે અને લાભાર્થીઓના અંતરના આશીર્વાદ પણ આયોજકો તથા કેમ્પો માટે સેવાઓ આપતા તમામ લોકોને મળતા જ હોય છે, ખરું કે નહીં ?
આમ તો, રક્ષાબંધનથી જ તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જતી હોય છે, અને જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિપોત્સવી પર્વ પછી છઠ્ઠપૂજન, જલારામ જયંતી અને દેવ દિવાળી સુધી ઉજવાતા તહેવારો તમામ ભારતીયો દ્વારા દેશ-વિદેશમાં ઉમંગભેર ઉજવાય છે અને તેના કારણે રોજગારી, માર્કેટીંગ, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ અને પુરક તથા સેવા વ્યવસાયોને પણ વેગ મળતો હોય છે. ભારતનું વિશાળ માર્કેટ તહેવારો ટાણે વધુ ધમધમી ઉઠે છે અને અબજો રૂપિયાનું ટ્રાન્ઝેકશન થતું હોવાથી દેશ-વિદેશના ઈન્વેસ્ટરોને પણ આકર્ષે છે. ભારતીયોની ઉત્સવપ્રિયતા અને તેમાં પણ ગુજરાતીઓની પર્યટન સાથે મનોરંજન માણવાની બિન્દાસ મનોવૃત્તિના કારણે તમામ તહેવારો આનંદમય અને બહુહેતુક બની જતા હોય છે, આપણાં દેશમાં દિવાળી હોય, ઈદ હોય કે નાતાલ હોય કે પછી કોઈ રાજ્યનું વિશેષ પર્વ હોય, જલારામ જયંતી હોય કે ગુરૂનાનક જયંતી હોય, પારસીઓનું નવું વર્ષ હોય કે વિક્રમ સંવતનો પ્રારંભ હોય, ભારતીયો દેશ-વિદેશમાં સાથે મળીને તમામ પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે, અને તેમાં જ આપણાં દેશની વિવિધતામાં એકતા અને વસુદૈવકુટુમ્બકમ્ની વિશેષતાને પ્રજ્જવલિત કરે છે.
હવે તો ગુજરાતીઓ ગુજરાતના જ પ્રચલીત અને આધુનિક હરવા-ફરવાના સ્થળોની મજા માણવા લાગ્યા છે, તેવી જ રીતે દેશભરમાંથી પ્રવાસીઓ ગુજરાતમાં વેકેશનની રજાઓ માણવા આવવા લાગ્યા છે, આ કારણે હાલારના યાત્રાધામો સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતના રિલિજિયસ અને ટુરિઝમ ડેસ્ટિનેશન્સ ધમધમી રહ્યા છે, દ્વારકામાં 'અનુપમા' જેવી ટેલિવિઝન સિરિયલો તથા કેટલાક ચલચિત્રો માટેના શુટીંગ પછી આ તમામ સ્થળે ગુજરાતીઓ સહિત દેશ-વિદેશના યાત્રિકોનો ધસારો વધ્યો છે, જે અમિતાભ બચ્ચનની 'એક દિન તો ગુજારિયે ગુજરાત મેં..' એડની યાદ અપાવે છે.
એક દૃષ્ટિએ તહેવારો અને ટુરિઝમ પરસ્પર પુરક બની ગયા છે. ટુરિઝમના વિવિધ પ્રકારોમાં રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્ટડી ટુરિઝમ, સ્કુબાડાઈવીંગ, બિઝનેશ ટુરિઝમ, મરીન ટુરિઝમ અને સ્પોર્ટસ ટુરિઝમ સહિત સૌરાષ્ટ્રમાં મોજુદ હોવાથી હવે તો દુનિયાભરના યાત્રિકો અને પર્યટકો આકર્ષાવા લાગ્યા છે.
જામનગરની નજીક જ આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં અઢીસો જેટલા જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે, જે અબાલવૃદ્ધ સૌ કોઈને જોવા ગમે, તો વિદ્યાર્થીઓ, પક્ષીવિદો, પક્ષીપ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે તો આ ડેસ્ટિનેશનનો પ્રવાસ સ્ટડી ટૂર અને જ્ઞાન સાથે આનંદનું માધ્યમ બની જતો હોય છે.
બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ, જે સુદર્શન બ્રીજ તરીકે ઓળખાય છે, તે સ્વયં જ આધુનિક ટેકનોલોજીનું અદ્દભૂત નજરાણું છે, જેથી દ્વારકાદર્શન ઉપરાંત સુદર્શન બ્રીજ, શિવરાજપુર બીચ, પંચકૂઈ બીચ, ઓખામઢી બીચ, હર્ષદનો દરિયાકિનારો પણ લોકોને આકર્ષી રહ્યો છે, જ્યારે કોયલો ડુંગર અને બરડો ડુંગર પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત એડવેન્ચર ટુરિઝમ અને ઈકો-ટુરિઝમના માધ્યમો પણ બન્યા છે. આપણું હેતાળ હાલાર હવે ગ્લોબલ ટુરિઝમના મેપ (નકશા)માં ધ્યાનકર્ષક રીતે ટમટમવા લાગ્યું છે. ભાણવડના બરડા ડુંગરમાં લિમિટેડ લાયન-શો (સિંહદર્શન)ની તાજેતરમાં શરૂ થયેલી સુવિધાના કારણે સોનામાં સુગંધ ભળી ગઈ છે.
આસ્થા, શ્રદ્ધા, ભક્તિ અને કર્મકાંડ સાથે સંકળાયેલા રિલિજિયસ ડેસ્ટિનેશન્સ સાથે સ્કુબા ડાઈવીંગ, એડવેન્ચર, બીચ ટુરિઝમ તથા ઈકો-ટુરિઝમના સંયોજનના કારણે હવે હાલાર સહિત ગુજરાતમાં ટુરિઝમ ડેવલપમેન્ટ ધમધમી રહ્યું છે, અને પર્યાવરણ, એમ્પ્લોયમેન્ટ, બિન પરંપરાગત ઉર્જા તથા બિઝનેશ ટુરિઝમની પૂરક ઉપ્લબ્ધિઓનું પ્ ાોટેન્શિયલ પણ ઉદ્દભવ્યું છે, તેમ કહી શકાય.
હવે આપણું હાલાર, આપણું સૌરાષ્ટ્ર અને આપણું ગુજરાત જ્યારે ગ્લોબલ ટુરિઝમ મેપમાં ટમટમવા લાગ્યુ છે, ત્યારે આપણે પણ અતિથિદેવો ભવની ઉમદા ભાવનાને જાળવી રાખીએ, યાત્રાધામો-પ્રવાસન સ્થળોમાં યાત્રિકો-પ્રવાસીઓનું માન-સન્માન અને સુરક્ષા જળવાઈ રહે, નફાખોર (ઉઘાડી લૂંટ) ન થાય, પ્રવાસીઓ-યાત્રિકો, આનંદ અને સંતોષ લઈને થોડું વધારે રોકાવાનું મન થઈ જાય, તેવો માહોલ ઉભો કરીએ, અને જાળવી રાખીએ... જય જલારામ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી વૈશ્વિક રાજનીતિમાં બદલનારા સમીકરણો અને ટ્રમ્પના વિજયની ભારતીય રાજનીતિ પર અસરોની ચર્ચા ગ્લોબલ ટોકનો વિષય છે, જ્યારે લાભપાંચમથી ખૂલેલા માર્કેટમાં તેજી અને ભારતીય અર્થતંત્રની દૃષ્ટિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશિકાન્તદાસે કરેલા નિવેદન અંગે પણ વ્યાપાર-ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળોમાંથી ભિન્ન-ભિન્ન પ્રત્યાઘાતો અને પથદર્શક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આજે કેન્સર અવેરનેઈસના વિષયને સાંકળીને પણ વિશ્વના દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભારત સહિત એશિયા-આફ્રિકન દેશોમાં કેન્સરના ફેલાવાના કારણોની અલગથી ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પણ કેન્સરની બીમારી થતી જ અટકાવવા અને કેન્સર થઈ જાય તો પ્રારંભમાં જ તેને મટાડવાની પદ્ધતિઓ તથા અનિવાર્યતા અંગે માર્ગદર્શક જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેન્સરના ફેલાવામાં વ્યસનોની વરવી ભૂમિકા અંગે પણ આંકડાઓ સાથેના વિશ્લેષણો પણ રજૂ થઈ રહ્યા છે.
અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટરોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ હોસ્પિટલમાં બે વર્ષથી વધુ સમયમાં ૩૬ હજારથી વધુ દર્દીઓને તપાસાયા, તેમાંથી અઢી હજાર જેટલા દર્દીઓ માટે લ્યુકોપ્લાકિયા, એરિથ્રોપ્લાકિયા, સર્વાઈક્લ ઈન્ફેક્શન જેવી કેન્સર થતા પહેલાની આલબેલ પુકારતા લેબ રિપોર્ટ આવ્યા હતાં. આ દરમિયાન ૧ર૦૦ થી વધુ મહિલાઓની મેમોગ્રાફી થઈ હતી. બ્રેસ્ટ કેન્સર તથા મોઢાના કેન્સર અંગે અલગથી માહિતી અપાઈ હતી, અને સ્ટેજવાઈઝ આંકડાઓ સાથે આ જીવલેણ રોગની ગંભીરતા અને પ્રારંભિક સ્ટેજે તેને મટાડવાની સંભાવનાની વિસ્તૃત ચર્ચાઓ પણ આજે થઈ રહી છે. કેન્સર થવાની સંભાવના જણાવતા લક્ષણો, વ્યસનોની ખતરનાક અસરો, બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને ઉપાયો તથા કેન્સર થતું જ અટકાવવા સ્વયંભૂ લોકજાગૃતિનો વ્યાપ વધારવાની જરૂરિયાત પણ જણાવાઈ રહી છે. આંકડાઓ મુજબ કેન્સર થવાના અનેકવિધ કારણો હોય છે અને જિનેટિક, બાયો-લોજિકલ અને અન્ય કારણો તથા પરિબળો કેન્સર થવા માટે જવાબદાર હોય છે, પંતુ કેન્સરના કુલ કેસોમાં ૪૩ ટકા કેસો તમાકુ સંબંધિત કેન્સરના જ અમદાવાદની સિવિલના કેન્સર વિભાગમાં નોંધાયા હોય તો તે તમાકુની આદતની ભયાનક્તા વર્ણવે છે, તેમ નથી લાગતું?
તબીબી વર્તુળોથી માર્ગદર્શક તથા વખતો-વખત અપાતી એડવાઈઝ મુજબ કેન્સર અંગે જનજાગૃતિનો વ્યાપ વધારવાની ખાસ જરૂર જણાય છે. પ્રારંભિક સ્ટેજે જો નિદાન થઈ જાય, તો કેન્સર મટાડી પણ શકાય છે. જો અચાનક વજન ઝડપભેર ઘટવા લાગે, અવાજ બદલવા લાગે, અવિરત ઉધરસ આવે, મોઢામાં ચાંદા-ચાંદી-ઘાવ કે ફોડલી જેવું દેખાય કે દાંત-પેઢાઓમાં ચેપ જેવું જણાય તો આળસ કર્યા વગર ઝડપભેર નિદાન કરાવી લેવું જોઈએ, કારણ કે ઘણાં દર્દીઓને સાવ સામાન્ય લક્ષણો હોવા છતાં પણ કેન્સરનું નિદાન થતું હોય છે. તમાકુનું વ્યસન છોડી જ શકાતું નથી, તેવી માનસિક્તા દૃઢ બની જાય, તો તે કેન્સરને નોતરવા જેવું છે, અને વર્ષો જુનું વ્યસન ત્યાગીને નિરોગી જીવન જીવતા ઘણાં દૃષ્ટાંતો પણ છે. તેવા દાખલાઓ આપીને આજે કેન્સર જાગૃતિના યોજાયેલા કાર્યક્રમોની સંભવિત ફલશ્રુતિ તથા ઉપયોગિતા અંગે પણ ગંભીરતાપૂર્વક વિચારીને સિસ્ટમ્સ, જનજાગૃતિની પદ્ધતિઓમાં આધુનિક્તા અને વ્યસનો છોડનાર લોકોના પ્રતિભાવો મેળવીને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર પણ સરકારી તંત્રો અને સરકારી મીડિયાએ કરવો જોઈએ, તેમ નાથી લગતું?
કેન્સર જાગૃતિ ઉપરાંત આજે આખી દુનિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની જ ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગઈકાલે વૈશ્વિક માર્કેટની તેજીની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો આવ્યો અને વિવિધ સેક્ટરોમાં હકારાત્મક તથા પ્રોત્સાહક સંકેતો મળ્યા, તે પછી આજે આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પડી રહેલા પ્રત્યાઘાતો આપણી સામે જ છે ને?
આ બધા પરિબળો વચ્ચે ભારતમાં યોજાઈ રહેલી કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ખાલી પડેલી બેઠકોની ચૂંટણીને સાંકળીને અટકળો તથા અનુમાનોની જાણે આંધી આવી છે, તો બીજી તરફ હાલારના યાત્રાધામોમાં યાત્રિકોની ભારે ભીડ તથા દિવાળીની રજા પછી પુનઃ ધમધમતા થયેલા માર્કેટીંગ યાર્ડો, જથ્થાબંધ માર્કેટો તથા વ્યાપાર અને ઉદ્યોગ ગૃહોમાં પ્રારંભિક માહોલની ચર્ચા વચ્ચે હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજી દરમિયાન મગફળીના ભાવો તથા અન્ય જણસોની આવકના સંદર્ભે સંવત ર૦૮૧ ના વર્ષનો પ્રારંભ આશાજનક અને પોઝિટિવ પોટેન્શિયલ દર્શાવે છે. તેવા તારણો પણ નીકળી રહ્યા છે.
બીજી તરફ વીરપુર, જામનગર અને હાલાર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતીની ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે અને વર્ષના પ્રારંભિક અઠવાડિયામાં મળી રહેલા હકારાત્મક સંકેતો તમામ વર્ગો-સમુદાયો-બિઝનેસ અને વિદ્યાર્થીઓ માટે શુભ ફળદાયી બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આજે છઠ્ઠની ઉજવણી પણ થઈ રહી છે, તો ડોલર સામે રૂપિયો નબળો પડતા મોંઘવારી વધુ વધશે, તેવી દહેશત છે.
આજે ભારતીય રિઝર્વ બેંકનું એ નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા વિવિધ ક્ષેત્રે અપાઈ રહેલી જંગી સબસિડીઓ અર્થતંત્રના જીડીપીને માઠી અસર પહોંચાડતી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે મુંબઈના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ જંગી સબસિડીએ જીડીપીને નીચે તરફ ધકેલ્યા પછી પણ સબસિડીમાં થતો વધારો ચિંતાજનક છે, જો કે ન્દ્ર સરકારે વર્ષ ર૦ર૪-રપ માટે ફૂડ સબસિડી માટે ત્રણ ટકા ઓછું બજેટ ફાળવાયું છે. તેમ જણાવી વિવિધ આંકડાઓ આપી કેન્દ્ર-રાજ્ય સરકારોને શક્ય તેટલી સબસિડી ઘટાડવાનો આડકતરો આગ્રહ કર્યો હતો, અને 'રેવડી'ની રાજનીતિ સામે લાલબત્તી ધરી હતી. રાજકીય પક્ષોએ મતો મેળવવા સરકારી તિજોરી લૂંટાવીને 'રેવડીઓ' વહેંચવાના વાયદા ન કરવા જોઈએ, કારણ કે આ વિષચક્રનો ભોગ અંતે તો જનતાએ જ બનવું પડતું હોય છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દીપોત્સવી પર્વ વીતી ગયું અને નવા વર્ષના પ્રારંભે નવી આશાઓ, નવા ઉમંગ અને અર્થતંત્રમાં તેજીના આશાવાદ સાથે માર્કેટનો માહોલ પુનઃ ધમધમ્યો. દિવાળીના ચોપડા પૂજન પછી સામાન્ય રીતે મોટાભાગના છૂટક અને જથ્થાબંધ વેપારીઓ કારતક સુદ ચતુર્થી સુધી વેપારમાં પણ મીની વેકેશન રાખતા હોય છે, અને લાભપાંચમથી પુનઃ બજાર ધમધમવા લાગે છે. લાભપાંચમનું પણ આધ્યાત્મિક, ધાર્મિક અને પારંપારિક જ નહીં, પરંતુ વ્યાપાર, માર્કેટ અને ઋતુચક્રની દૃષ્ટિએ પણ એક અનોખું મહાત્મય છે. લાભપાંચમના દિવસે ઘણાં મંગલ પ્રસંગો, નવા સાહસો, નવા પ્રોજેક્ટો તથા સરકારની મોટી યોજનાઓનો પ્રારંભ પણ કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા કક્ષા સુધી થતો હોય છે.
દીપોત્સવી પર્વે સોના-ઝવેરાતનું માર્કેટ ખૂબ ધમધમ્યું અને લોકોએ સોનાની ખરીદી પણ મન મૂકીને કરી. એક અંદાજ મુજબ સોનાની ખરીદી કરનાર તથા તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરનાર લોકોને ૩૦ થી ૩ર ટકા સુધીનું વળતર મળ્યું. હવે લગ્નસરાની મોસમ ખીલી ઊઠવાની આવી રહી હોવાથી તેના સંદર્ભે પણ સોના-ચાંદી અને ઝવેરાતની ખરીદી વધશે તેવી આશાઓ સેવાઈ રહી છે.
દીપોત્સવી પર્વે તો લોકોએ સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી પ્રાસંગિક અથવા મૂડીરોકાણ, બચત અને સુશોભનના ઉદ્દેશ્યો માટે થઈ હતી. વર્ષના આરંભે વૈશ્વિક સ્તરે સોનું સસ્તુ થયું અને દેશમાં સોના-ચાંદીમાં થયેલા ભાવઘટાડા પછી પણ માર્કેટમાં નવો આશાવાદ ઊભો થયો છે, જ્યારે ઓટોમોબાઈલ્સ સેક્ટર, ટેકસ્ટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં તેજીના એંધાણ પછી નવું વર્ષ શેર માર્કેટમાં ભારે પણ ફળદાયી નિવડશે, તેવા અંદાજો મૂકાઈ રહ્યા છે. આ વર્ષે આઈ.ટી. સેક્ટર વિકાસની હરણફાળ ભરશે, તેવી અપેક્ષા રખાઈ રહી છે.
વિશ્વ બેંકના તારણો મુજબ ભારત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક વૈશ્વિક ખેલાડીના રૂપમાં ઉભરી રહ્યું છે. વિશ્વની જનસંખ્યામાં બે મોટા દેશ ચીન અને ભારતના અર્થતંત્રોની સમીક્ષા સાથે ભારતની આત્મનિર્ભરતા તથા અર્થતંત્રમાં ભરતી-ઓટની ચર્ચાઓ થતી રહે છે, અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે, પરંતુ 'ઈન્ડિયા એટ અ ગ્લાન્સ' અથવા 'ભારત એક નજરમાં'ના મથાળા હેઠળ થઈ રહેલા વૈશ્વિક વિશ્લેષણોનાં કારણે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અને પ્રોત્સાહક અભિપ્રાયો પણ વ્યક્ત થવા લાગ્યા છે.
આ રિપોર્ટમાં આઝાદી પછી ભારતમાં જુદા જુદા સમયે થયેલી હરિયાળી ક્રાંતિઓ તથા ભૂતકાળમાં અનાજની આયાત કરતા ભારતની કૃષિક્ષેત્રે આત્મનિર્ભરતા તથા ભારતમાંથી અનાજની થતી નિકાસનો ઉલ્લેખ થયો છે, જેને ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક ગણવામાં આવે છે.
વિશ્વબેંકે આસામ માટે એક નવા મેગા પ્રોજેક્ટને મંજુરી આપી છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ કનેક્ટિવિટીમાં સુધારણા, માળખાકીય સવલતોમાં વધારો, પુલો, માર્ગો અને એરપોર્ટસ, રેલવે, બંદરોને જોડતી સડકો અને શાળા-કોલેજો, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, જથ્થાબંધ માર્કેટને જોડતા રસ્તાઓ, માળખાકીય સગવડોનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત બિહાર જળસુરક્ષા અને સિંચાઈ આધુનિકરણ પ્રોજેક્ટ, ગુરુગ્રામ મેટ્રો, સાઈબરસિટી, કર્ણાટક જળ સુરક્ષા અને સરળીકરણ, પ. બંગાળ હેલ્થ સિસ્ટમ સુધારણા કાર્યક્રમ, જલવાયુ પરિવર્તનને અનુરૂપ મહારાષ્ટ્રમાં મેગા પ્રોજેક્ટનો દ્વિતીય તબક્કો, ઉત્તરપ્રદેશ સ્વચ્છ જળવાયુ પ્રબંધન યોજના, સી-સીએપી એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જળવાયુને અનુરૂપ વિકાસ, બિનપંરાગત ઊર્જા વિકાસ યોજનાઓ, સુરતની સંવર્ધન યોજના, રાજસ્થાન રાજમાર્ગ આધુનિકરણ, તમિલનાડુ મહિલા રોજગાર અને સુરક્ષા યોજના, કેરળ આરોગ્ય સેવાઓ સુધારણા તથા અમરાવતી રાજધાની વિકાસ કાર્યક્રમ સહિતના અબજો રૂપિયાના પ્રોજેક્ટો મંજુર થયા છે.
આ તમામ હકારાત્મક પરિબળો છતાં રાજકીય અસ્થિરતા જેવો માહોલ, કેન્દ્રમાં કાંખઘોડીની સરકારના સ્થાપિત્ય અંગે આશંકા, દેશભરમાં ચૂંટણીઓનો માહોલ, વિવિધ યુદ્ધોના કારણે વિશ્વમાં અશાંતિ તથા અનિશ્ચિતતાનો માહોલ અને બદલાતા સમિકરણો અને મૂડીપતિઓના સિસ્ટમ પર પ્રભાવની અસરોના કારણે દેશના અર્થતંત્રને આભાસી સ્વરૂપમાં રજૂ કરીને વાસ્તવિક્તા છુપાવાઈ રહી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થતા રહે છે.
આજનો લાભપાંચમનો દિવસ વ્યાપારવૃદ્ધિ, મંગલપર્વો, શુભ કાર્યો, ધાર્મિક, સાંસ્કૃતિક તથા પારંપારિક મહત્ત્વ ઉપરાંત આર્થિક તથા રાજનૈતિક અને કુટનૈતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
વર્ષ ર૦૧૮ ની ૧ર મી નવેમ્બરે લાભપાંચમ હતી, પરંતુ અમારા માટે શોકમય બની ગઈ હતી અને સ્વ. રોનકની યુવાવયે વસમી વિદાય આઘાત આપી ગઈ હતી. એવી જ રીતે દીપોત્સવી પર્વે સ્વ. રોનકના પિતા અને અમારા અનુજ કિરણભાઈને ગુમાવ્યા, તેનું દુઃખ છે. ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરીને નવા વર્ષમાં તેઓના સંસ્મરણોને વાગોળીએ... ઈશ્વરેચ્છા બળવાન... જય શ્રીકૃષ્ણ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિવાળીના તહેવારો પૂરા થયા અને હવે લાભપાંચમે આવશે, પરંતુ ગરમીનો પ્રકોપ તથા ઠંડીના પ્રારંભ વચ્ચે ઋતુ જાણે હિંચકા ખાઈ રહી હોય, તેમ સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે, જો કે, હવે એક સાથે ચાર-પાંચ ડિગ્રી સુધી તાપમાન ઘટી જશે અને ઠંડીના વધારા સાથે દિવસો ટૂંકા થતા જશે, તેવી આગાહીઓ પણ થઈ રહી છે, તેથી લોકો તંદુરસ્તીની ઋતુ ગણાતા શિયાળાને માણવા થનગની રહ્યા છે.
આ ઠંડી-ગરમી વચ્ચે થતાં કમોસમી વરસાદના કારણે યુરોપ જેવું ઋતુચક્ર થઈ ગયું હોય તેમ લાગે છે. આ સ્થિતિ કલાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મીંગના કારણે ઊભી થઈ હોવાનું પણ કહેવાય છે.
આ વર્ષે ઠંડી-ગરમીની ઋતુ વચ્ચે દિવાળી પસાર થઈ ગઈ. દિવાળીના અવસરે જ 'નોબત'ના એક અડીખમ સ્તંભ સમા કિરણભાઈ માધવાણીનું નિધન અમને હચમચાવી ગયું, અને માત્ર નોબત પરિવાર અને માધવાણી પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં પથરાયેલા નોબતના પ્રિય વાચકો, બેન્કીંગ સેકટર અને બહોળા મિત્રમંડળને પણ ઉંડો આઘાત લાગ્યો હતો. દીપોત્સવી પર્વે વૈકુંઠધામની યાત્રાએ નીકળી ગયા. સદ્દગતના આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થનાઓ.
બીજી તરફ નવું વર્ષ શરૂ થયું છે અને ઋતુચક્રના નવા અનુમાનો તથા આગાહીઓ પણ થવા લાગી છે, તાજી વૈશ્વિક કક્ષાની આગાહી થોડી ચિન્તાજનક છે, પરંતુ કુદરતી આફતોના પડકારોને પહોંચી વળવા વિશ્વના દેશો પણ સજ્જ થઈ રહ્યા છે, તેથી પ્રકૃતિના પ્રકોપ સામે ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય, તેવી પ્રાર્થના પણ નૂતનવર્ષે કરવી ઘટે, ખરું ને ?
નવું વર્ષ શરૂ થતાં જ રાજકીય ઉથલપાથલનો દોર પણ શરૂ થયો છે. કેન્દ્રની મોદી સરકાર જે બે રાજકીય પક્ષોના સહારે સત્તારૂઢ થઈ છે, તે બન્ને પક્ષો વફક બોર્ડના મુદ્દે સરળતાથી ભારતીય જનતાપક્ષ સાથે સહમત નહીં થાય, તેવો અંદાજ તો પહેલેથી જ હતો, પરંતુ હવે ચંદ્રાબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીના વરિષ્ઠ નેતાએ ખૂલ્લેઆમ ચેતવણી આપી દીધા પછી મોદી સરકારના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે અને કેન્દ્ર સરકાર હાલક-ડોલક થઈ રહી હોવાના અહેવાલો, અટકળો તથા ન્યુઝ ચેનલોના ડિબેટીંગ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ અનુમાનોના ઘોડાપૂર આવ્યા છે, જો કે, તે પછી જે કાંઈ પ્રત્યાઘાતો આવ્યા, અને આ અહેવાલો પર ઠંડુ પાણી રેડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તે જોતાં મોદી સરકાર ટકી રહેશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે. જોઈએ, શું થાય છે તે...
મહારાષ્ટ્ર-ઝારખંડનો ચૂંટણી પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર પણ સૌ કોઈની નજરો મંડાયેલી છે, ત્યારે હાલાર સહિત ગુજરાતમાં આગામી એકાદ-બે મહિનામાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પણ રાજકીય પક્ષોએ ગૂપચૂપ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીઓમાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીનું પરિણામ, વિવિધ રાજ્યોની તાજેતરની થયેલી અને હવે થનારી ચૂંટણીઓના પરિણામો ઉપરાંત રાજ્ય-કેન્દ્ર સરકારની એન્ટી-ઈન્કમ્બન્સી પણ ભાજપ માટે પડકારરૂપ હશે, તેવી ધારણાઓ વચ્ચે ભાજપનું માઈક્રોપ્લાનીંગ, સંગઠનશક્તિ અને પ્રચંડ પ્રચારના સહારે ડેમેજ કંટ્રોલ થઈ જશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે, જોઈએ, શું થાય છે તે....
વિદેશી ન્યુઝ ચેનલોએ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં સુપર અલનીનોની અસરો થતાં ભયંકર દુષ્કાળની ભવિષ્યવાણી પ્રસારિત કર્યા પછી તેની વ્યાપક ચર્ચા ભારતીય પ્રેસ-મીડિયામાં પણ શરૂ થઈ ગઈ છે અને આગામી ઉનાળા પછી અલ્પવૃષ્ટિના કારણે ઊભી થનારી સંભવિત અસરો અંગે ભિન્ન-ભિન્ન અભિપ્રાયો પણ વ્યકત થઈ રહ્યા છે, આ સાથે જ ગુજરાત સહિત ભારતમાં ભૂતકાળમાં પડેલા ભયંકર દુષ્કાળોની ચર્ચા પણ થવા લાગી છે.
એવું કહેવાય છે કે, અલનીનોની અસર હેઠળ ચાલુ વર્ષે જ મહારાષ્ટ્રમાં દુષ્કાળની અસરો શરૂ થઈ ગઈ છે. વર્ષ-૧૮૭૧ પછી પડેલા દુષ્કાળો પૈકી દેશમાં વર્ષ-૨૦૦૨ અને વર્ષ ૨૦૦૯ સહિતના દુષ્કાળો તથા અન્ય અર્ધ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિઓને અલનીનો સાથે સીધો સંબંધ છે. લાનીનોની અસરથી અતિવૃષ્ટિ અને અલનીનોની અસરથી જ લીલો અને સુકો દુષ્કાળ પડતો હોય છે. જોઈએ હવે શું થાય છે તે...
વિતેલા વર્ષે ઘણાં હકારાત્મક ઘટનાક્રમો સાથે નેગેટિવ ઘટનાઓ પણ બની, અને વર્ષાંતે કેટલાક ઝટકા લાગ્યા, નવા વર્ષે શું થાય છે તે જોઈએ હવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

છોટીકાશીમાં સુશોભન અને રોશનીનો ઝળહળાટઃ દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ
જામનગર તા. ૩૧: આજે દીપોત્સવી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને છોટીકાશી સુશોભન સાથે રોશનીથી ઝળહળી રહી છે. હાલારમાં હર્ષભેર દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દ્વારકા સહિતના યાત્રાધામોમાં ભાવિકો ઉમટી રહ્યા છે. બજારોમાં રોનક છે અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. દેશભરમાં દીપોત્સવી પર્વે વિવિધાસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને રામલીલાથી લઈને વિશેષ નૃત્યોસવો-વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીયોનો વસવાટ છે, તયાં પણ દિવાળીના પર્વે મીઠાઈઓ વહેંચીને તથા દીપોત્સવો યોજીને ભવ્ય ઉજવણી થઈ રહી છે. અમેરિકાનું વ્હાઈટ હાઉસ હોય કે બ્રિટનનું પીએમ હાઉસ હોય, દુનિયાભરમાં દિવાળીઓની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે અને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકને સાંકળીને રામમંદિરોમાં વિશેષ દર્શન સાથે ઉજવણી થઈ રહી છે.
આજે અયોધ્યામાં દીપોત્સવ ઝળહળી ઊઠ્યો છે અને લાખો દિવડાઓના પ્રાગત્ય તથા અદ્ભુત રોશની-સણગારથી અયોધ્યાનગરી દીપી ઊઠી છે. સમગ્ર દેશમાં દિવાળીની શુભકામનાઓ અપાઈ રહીસ છે, અને ઈકો-ફ્રેન્ડલી ફટાકડા ફોડીને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકને વધાવાઈ રહ્યો છે. અયોધ્યામાં દિવાળી પર્વે રપ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવીને નવો વિશ્વરેકોર્ડ પણ નોંધાયો છે.
આ વર્ષે દિવાળીના સમયે કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવાથી આદર્શ આચારસંહિતા અમલમાં છે, અને રાજનીતિ પણ દીપોત્સવીના રંગે રંગાઈ ગઈ છે. આજે દિવાળીના પર્વે દેશની સરહદો પર પણ જવાનો વિશેષ ઢબે દીપોત્સવી પર્વની ઉજવણી કરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ તવાંગમાં જવાનો સાથે દિપોત્સવી પર્વ ઉજવી રહ્યા છે. જ્યારે પીએમ મોદીનો કચ્છની સરહદે જવાનો સાથે આજનો કાર્યક્રમ પણ ધ્યાનાકર્ષક છે.
જામનગરમાં ફટાકડા અને મીઠાઈની દુકાનો, સ્ટોલ્સ અને બજારોમાં લોકોનો ધસારો વધ્યો અને ગઈકાલે નગરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતાં. હાલારના ખંભાળિયા, રાવલ, ધ્રોળ, કાલાવડ, ભાણવડ, જામજોધપુર, ભાટિયા, સિક્કા, સલાયા, ભાડથર, જોડિયા, ફલ્લા, લાલપુર, ઓખા, સૂરજકરાડી, મીઠાપુર સહિતના નગરો-મોટા કેન્દ્રોમાં પણ રહી-રહીને દિવાળીની રોનક જોવા મળી અને માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો થોવા મળ્યો, તેથી દિપોત્સવી પર્વનો ઉમંગ બેવડાયો છે.
યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાથી અને શિવરાજપુર, ઓખામઢી, સુદર્શન બ્રીજ, પંચકૂઈ, આરંભડાનું જલારામ મંદિર, ઈન્દ્રેશ્વર, સીદસર, ઘુમલી, બરડા ડુંગરના પ્રવસાન સ્થળો સહિતના યાત્રાધામો તથા ટુરિઝમ ડેસ્ટીનેશન્સ પણ યાત્રિકો અને પ્રવાસીઓનો પ્રવાહ દિવાળીના પર્વે ધીમે ધીમે વધ્યો હોવાના અહેવાલો આવતા ઉત્સવપ્રિય અને ખુમારીભરી લોક-સંસ્કૃતિને ઉજાગર કરે છે.
આજે દેશભરમાં લક્ષ્મીપૂજનો થઈ રહ્યા છે, અને વેપારીઓ તથા ઉદ્યોગ જગત દ્વારા ચોપડાપૂજન સાથે આધુનિક યુગના કમ્પ્યુટર્સ-લેપટોપ વગેરેનું પૂજન કરીને આવતુુ વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિમય વિતે અને વ્યાપારવૃદ્ધિ થાય તેવી કામના કરવામાં આવી રહી છે.
આજે સરદાર પટેલ જયંતી અને દિપાવલી પર્વનો સુભગ સમન્વય થયો છે, ત્યારે ગુજરાતના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં રાષ્ટ્રીય એક્તા પર્વ પણ ઉજવાઈ રહ્યું છે, અને એક્તા પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મદી પણ ઉપસ્થિત રહ્યા છે. સરદાર પટેલને કોટિ કોટિ વંદન સાથે આપણે પણ રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના ફાઉન્ડર સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણાંજલિ અર્પણ કરીએ...
દિવાળીનું પર્વ એટલે વિક્રમ સંવતના એક વર્ષના સમાપન અને બીજા વર્ષના પ્રારંભનો ઉત્સવ ગણાય. સંવત ર૦૮૦ નું આજે સમાપન થાય છે, અને પરમદિવસથી સંવત ર૦૮૧ ના વર્ષનો પ્રારંભ થશે. આવતીકાલ સુધી સંવત-ર૦૮૦ રહેશે. નૂતનવર્ષના પ્રારંભ સાથે જ નવી ઉમ્મીદો, નવો ઉમંગ-ઉત્સાહ અને નવા લક્ષ્યો સાથે નવા ઉતસવો શરૂ થશે. આપણાં સર્વધર્મપ્રિય સમાજ અને સર્વધર્મ સ્વીકૃત બંધારણની ખુબી જ એ છે કે આપણે ત્યાં વિવિધતામાં જ એક્તા પનપતી રહી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિથી અર્વાચીન ભારત સુધીનો મૂળ મંત્ર 'વૈસધૈવ કુટુમ્બકમ્'નો રહ્યો છે, અને તેથી જ આખુ વિશ્વ આજે વિશવની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતથી પ્રભાવિત છે.
આજથી દિવાળી પછી નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ સુધી તહેવારોની ઝાકઝમાળ રહેશે. મોટી વેપારી પેઢીઓ તથા જથ્થાબંધ વેપારીઓ નૂતન વર્ષની બોણી કર્યા પછી લાભપાંચમ સુધી લિમિટેડ વેકેશન રાખીને હરવા-ફરવા નીકળશે. તે પછી કારતક સુદ-સાતમના દિવસે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, વીડિયો સમાચારના દર્શકો, બ્રેકીંગ ન્યૂઝ ગ્રુપમાં જોડાયેલા વાચકો, 'નોબત'ની વિવિધ સોશ્યલ મીડિયા સાઈટ્સ તથા વેબસાઈટ સાથે સંકળાયેલા ફોલોઅર્સ, નોબતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા શુભેચ્છકો, 'નોબત'ના તમામ ગ્રાહકો, માનવંતા વિજ્ઞાપનદાતાઓ, પત્રકારો, સહયોગીઓ, દેશ-દુનિયામાં ફેલાયેલા શુભેચ્છકો તથા હાલરીઓ સહિત દેશવાસીઓને દિપોત્સવી પર્વની શુભેચ્છાઓ પાઠવે છે અને આજનું નવું વર્ષ સૌ કોઈ માટે શુભ, મંગલમય, સ્વાસ્થ્યમય, સમૃદ્ધિ આપનારૂ તથા શાંતિમય નિવડે, તેવી શુભકામનાઓ વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે કાળી ચૌદશ છે, જેને દેશના જુદા જુદા વિસ્તારોમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે, અને તેને સંબંધિત ભિન્ન-ભિન્ન કથાઓ અને માન્યતાઓ પ્રચલીત છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી, રૂપ ચૌદશ, નાની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને અનુલક્ષીને યમપૂજન, નાની દિવાળીને અનુલક્ષીને લક્ષ્મીપૂજન, રૂપ ચૌદશને અનુલક્ષીને સૂર્યોદય પહેલા સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને કાળી ચૌદશને અનુલક્ષીને મહાકાળી અથવા કાલી માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે.
રમા એકાદશીથી શરૂ થતાં દિવાળીના તહેવારોમાં વાઘ બારસ પછી આપણે ધનતેરસની ઉજવણી કરી. ગઈકાલેે જામનગર, હાલાર સહિત દેશભરમાં ભગવાન ધન્વન્તરિ તથા માતા મહાલક્ષ્મીજી કૂબેરજી અને લક્ષ્મી નારાયણના વિશેષ પૂજનો તથા સંલગ્ન કાર્યક્રમ તથા સેવાકાર્યો પણ સંપન્ન થયા.
આસો વદ ચૌદશ એટલે વિક્રમ સંવતના એક વર્ષની પૂર્ણાહુતિની પહેલાનો દિવસ... આ દિવસે લોકો ઘરમાંથી આખા વર્ષનો કકળાટ કાઢીને ઘરને સાફસૂફ કરે છે, અને બીજા દિવસે પ્રકાશના પર્વ દિવાળીના દિવસે દીપોત્સવ સાથે ઘરમાં લક્ષ્મીપૂજન અને વેપારીઓ ચોપડાપૂજન કરે છે.
રાણવનો સંહાર કરીને અને યુદ્ધ જીતીને ભગવાન શ્રીરામ લંકાની ગાદી વિભિષણને સુપ્રત કરીને ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધારવાના હોય છે, તેના આગલા દિવસે જ અયોધ્યામાં શ્રીરામ, સીતા, લક્ષ્મણને આવકારવાની તૈયારીઓ થવા લાગે છે. તેથી આ દિવસને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે નરકાસુરનો વધ કરાયો હોવાથી તેને નરક ચતુર્દશી કહેવાય, તેવી માન્યતા છે, તો શ્રીકૃષ્ણે ૧૬ હજાર જેટલી મહિલાઓને કેદમાંથી છોડાવી, તેથી પણ નાની દિવાળી કહેવાય, તેમ મનાય છે. આ દિવસે યમરાજાની પૂજા કરવામાં આવે છે, તે ઉપરાંત લક્ષ્મીપૂજન કેટલાક વિસ્તારોમાં આજે પણ થતું હોય છે. નરકમાં જતા યમપૂજન અટકાવે છે, તેવી માન્યતા છે.
એવી માન્યતા છે કે નરકાસુરના વધ પછી ભયમૂકત થયેલા અવાજને નવું સ્વરૂપ મળ્યું, અને સ્વતંત્ર થયા પછી શરીરે સરસવનું તેલ, હળદર વગેરે લગાવીને લોકોએ પોતાના શરીરને સુંદર બનાવીને તથા ઘરોને સ્વચ્છ-સુઘડ અને સુશોભિત કરીને ઉજવણી કરી હતી. આજે માતા મહાકાળીનો પ્રાગટ્ય દિવસ પણ મનાવાય છે.
ગુજરાતમાં તો કાળી ચૌદશના દિવસે ફરસાણ, ભાખરી, ખીર વગેરે બનાવીને ઘરનો કકળાટ કાઢવાનો રિવાજ છે, અને કેટલીક પરંપરાઓને લોકો અંધશ્રદ્ધા તરીકે પણ વર્ણવે છે. જો કે ધીમે ધીમે લોકજાગૃતિ પછી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખાને પણ લોકો સમજતા થયા છે.
આજના દિવસે લોકો માતા મહાકાળીનું પૂજન ખૂબ જ ભક્તિભાવ સાથે કરે છે, અને માતા મહાકાળીના પૂજનથી અનિષ્ટો સાથે લડવાની તાકાત મળે છે, તેવી માન્યતા છે. આ દિવસે મહાકાળી માતાજી, યમરાજા, હનુમાનજી, ભગવાન શ્રીકૃષ્ણ વગેરેનું ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. આજે અંધશ્રદ્ધા નિવારણ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજાય છે, જ્યારે ઋતુચક્રને અનુરૂપ પદાર્થોને સાંકળીને વિવિધ વાનગીઓ બનાવીને સહપરિવાર નૈવૈદ્યનો પ્રસાદ લેવાનો રિવાજ પણ છે.
આપણાં તહેવારોની વિવિધ ઉજવણીઓની પદ્ધતિઓ પાછળ ચોક્કસ પ્રકારનું સાયન્સ અથવા સુધારાત્મક કોન્સેપ્ટ પણ છુપાયેલો હોય છે. તેવું પણ ઘણાં લોકો માને છે. કાળી ચૌદશના દિવસે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવે છે. ઘર-ફળિયું અને ધંધાકીય સ્થળોની સાફસૂફી સંપન્ન કરીને કૂડો-કચરો બહાર ફેેંકવાને કકળાટ કાઢવાની પરંપરા સાથે સાંકળી શકાય, જ્યારે નૈવેદ્ય કે પ્રસાદ-સામગ્રીમાં ઋતુને અનુરૂપ પદાર્થોને સાંકળવા પાછળ પણ સ્વાસ્થ્ય સંરક્ષણને સંબંધિત કોઈ હેતુ સંકળાયેલો હોય, તેવું લાગે. ટૂંકમાં પરંપરાઓ તથા પ્રક્રિયાઓના માધ્યમથી આપણાં પૂર્વજોએ લોકોને સ્વચ્છતા, પોષણ તથા વાતાવરણ શુદ્ધિ માટે પ્રેર્યા હશે, તેવું પણ માની શકાય ખરુંને?
આપણે કાળી ચૌદશના દિવસે અત્યાચાર, ભ્રષ્ટાચાર, કુરિવાજો, વિકૃતિઓ, વ્યભિચાર અને અનૈતિકતા જેવી આસુરી શક્તિઓ સામે લડવાનો, તેને કકળાટ માનીને જીવનમાંથી હટાવવાનો અને તમામ પ્રકારની દુષ્ટતાની હદો ઓળંગતા નરાધમોને કાનૂની રાહે સબક શિખવવાનો સંકલ્પ લઈને અને તેમાં ઈશ્વર અને ઈશ્વરિય શક્તિ ધરાવતા દેવી-દેવતાઓ સૌને તાકાત આપે તેવી પ્રાર્થના કરીએ.
અત્યારે ભારત અને અમેરિકામાં કેટલીક ચૂંટણીઓનો માહોલ છે, તો કુદરતી આફતો તથા ઋતુચક્રનો બદલાવ પણ પરેશાન કરી રહ્યો છે વિશ્વમાં ચાલી રહેલા બે-ત્રણ યુદ્ધોના કારણે આખી દુનિયાને વિપરીત અસરો પડી રહી છે, ત્યારે આજે વૈશ્વિક અશાંતિના કકળાટને ખાત્મો થાય અને સુખ, શાંતિ, સ્વચ્છતા અને સમૃદ્ધિ સાથે દીપોત્સવીપર્વની ઉજવણી સંપન્ન થાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ધનતેરસ એટલે ભગવાન ધન્વન્તરિના પૂજનનો દિવસ. તે ઉપરાંત આજે લક્ષ્મીપૂજન પણ થાય છે, અને તેને સંબંધિત વિવિધ મહાત્મયો પ્રચલીત છે. આજથી લાભપાંચમ સુધીના વિવિધ મહાત્મય અને સંદર્ભો સાથે ઉજવાતા તમામ તહેવારોને દીપોત્સવી પર્વ કહેવામાં આવે છે અને તેનો આજથી આનંદ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ગયો છે.
ભગવાન ધન્વન્તરિએ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ સહિત નૈસર્ગિક અને યૌગિક ઉપચારો શિખવ્યા છે, તેમાં મહત્તમ વિવિધ નૈસર્ગિક ચીજ-વસ્તુઓ સામેલ છે, અને તેમાં પણ નવસ્પતિ, ફળ, ફૂલ અને કુદરતી પંચતત્ત્વ આધારિત વનૌષધિઓની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાનમાં પણ પર્યાવરણના રક્ષણ માટે વનોની જાળવણી, વૃદ્ધિ અને તમામ નૈસર્ગિક તત્ત્વોને સાચવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, તેથી વિશ્વના વિવિધ દેશોમાં વનવૃદ્ધિ તથા નૈસર્ગિક તત્ત્વોની જાળવણી માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવાઈ રહી છે અને તેને સાંકળીને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો પણ ઉજવાતા રહ્યા છે.
આપણે જાણીએ જ છીએ કે માનવ વસ્તીમાં થતો વધારો વન્યસૃષ્ટિ માટે પૂરક બનવાના બદલે ઘાતક પૂરવાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. અને વિકાસની દોટમાં વન્યસૃષ્ટિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. વિકાસ પ્રક્રિયા પણ જરૂરી છે, પરંતુ તેના માટે વૃક્ષોનું સામૂહિક નિકંદન કાઢી નાખવામાં આવે તે કોઈપણ રીતે યોગ્ય નહીં હોવા છતાં આ પ્રવૃત્તિ કાયદેસરતા અથવા શરતી મંજુરીઓની આડમાં થતી જ રહી છે, અને મેગા પ્રોજેકટો માટે વૃક્ષોના સામૂહિક નિકંદનની ઘટનાઓ બેરોકટોક વધતી જ રહી છે. આ પ્રકારના નિકંદનો અટકાવવા માટે ઊભી કરાયેલી સંસ્થાઓ પણ બોદી થઈ ગઈ હોય, તેમ જણાય છે અને 'વાડ જ ચિંભડા ગળે' તે કહેવત મુજબ વનવૃદ્ધિ પાછળ અબજો રૂપિયા ખર્ચવા છતાં નિર્ધારિત લક્ષ્યો વાસ્તવમાં સિદ્ધ થતાં હોય, તેમ જણાતું નથી.
ગુજરાતના ગીરનું સિંહ અભ્યારણ્ય વિશ્વ વિખ્યાત છે, અને હવે સિંહના વસવાટ, રક્ષણ તથા ઉત્તેજન માટે ગીર ઉપરાંત અન્યત્ર પણ સિંહોનો વસવાટ થાય, અને ગીરના સિંહોનો વારસો જળવાઈ રહે, તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, અને તેના અનુસંધાને ગુજરાતમાં ચારેક જગ્યાએ સિંહ સફારી પાર્કના નિર્માણ પછી હવે બીજા આઠ સફારી પાર્ક ઊભા કરવાની પ્રપોઝલ અને ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
આજથી ખુલ્લુ મૂકાયેલુ ગુજરાતનું ચોથુ સિંહ સફારીપાર્ક ભાણવડ નજીક કપુરડી નેશ નજીક કિલેશ્વર તરફ જવાના માર્ગે ટુરિસટો પ્રવેશે, ત્યાંથી શરૂ થઈ જાય છે, જેને બરડા જંગલ સફારી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ર૭ કિલોમીટર જેટલા માર્ગમાં કપુરડીથી ચારણ આઈ બેરિયર, અજમાપાટ અને ભૂખબરા નેશનો વિસ્તાર આવે છે.
બરડો ડુંગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ફેલાયેલો છે, અને તેમાં ઘણાં નેચરલ સ્પોર્ટ્સ આવેલા છે.. આ ડુંગરમાં ઘુમલી, કિલેશ્વર સહિતના ટુરિસ સ્પોર્ટ્સ પણ આવેલા છે.
બરડા ડુંગરમાં સંખ્યાબંધ ધર્મસ્થળો, આસ્થાના સ્થળો તથા કુદરતી સાંૈદર્યના આકર્ષક સ્થળો આવેલા છે. આ બરડા અભ્યારણ્યમાં સિંહ સફારી પાર્કનો એકંદરે આવકાર મળી રહ્યો છે, તો કેટલીક ટીકાઓ પણ થઈ રહી છે. ખાસ કરીને ધનસંપદા અને નૈસર્ગિક અસ્કયામતોને નુકસાન ન થાય, તેના પર ભાર મૂકાઈ રહ્યો છે.
બરડા સિંહ સફારીપાર્કમાં સિંહોની સંખ્યાઓ તેની વ્યવસ્થાઓ અંગે બહુ આધારભૂત રીતે કાંઈ કહેવામાં આવી રહ્યું નથી, પરંતુ મર્યાદિત રીતે સિંહદર્શન સાથે બરડા ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યને નિહળવાની મજા માણી શકાશે, તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, અને સિંહદર્શન માટેની જરૂરી વધુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
જો કે, વિવિધ પ્રકારની વનસ્પતિ દુર્લભ વૃક્ષો અને વેલાઓ તથા ખાસ કરીને ઔષધિમાં વનસ્પતિમાં કુદરતી ખજાનો બરડા ડુંગરમાં છે અને તેની જાળવણી થાય, તે મહત્ત્વપૂર્ણ હોાવથી તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, એટલું જ નહીં, તેની વૃદ્ધિ થતી રહે તે માટે અત્યંત જરૂરી છે. એવું કહેવાય છે કે બરડા ડુંગરમાં ૧૯ મી સદીમાં સિંહો જોવા મળ્યા હતા, પરંતુ કાળક્રમે ઘટી ગયા હતા અને ગીર અભ્યારણ્યમાં સમાવાઈ ગયા હતા હવે ફરીથી અહીં સિંહોનો વસવાટ થવા જઈ રહ્યો છે, ત્યારે તંત્રોની જવાબદારી પણ વધી જશે, કારણ કે સિંહોનું રક્ષણ, માનવ વસાહતોનું રક્ષણ અને ટુરિસ્ટોના રક્ષણની ત્રેવડી જવાબદારી બજાવવી પડશે.
અહેવાલો મુજબ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ અંદાજે એક અબજ રૂપિયાનો મેગા પ્રોજેકટ બનાવ્યો હતો. જૂનાગઢના ગીર અભ્યારણ્યની જેમ સિંહોના શંકાસ્પદ મૃત્યુ વધે નહીં, એટલું જ નહીં, સિંહોની સારી દેખભાળ થાય, તે જરૂરી છે, લાયન સફારીની લાલચમાં સિંહોના અસ્તિત્વ પર જ ખતરો ઊભો થઈ ન જાય, તેની તકેદારી રાખવાની ટકોર પણ થઈ રહી છે. સાથોસાથ ટુરિઝમ ડેવલપમેન્ટના પાછળ દોડવા જતા વનૌષધિ, વન્યજીવો અને વનસૃષ્ટિનું નિકંદન નીકળવાનું શરૂ ન થાય કે 'શિકારીઓની' હિલચાલ વધે નહીં, તે પણ વધુ પડશે. જો નૈસર્ગિક સંપદાને નુકસાન થશે, તો ભગવાન ધન્વન્તરિ નારાજ થઈ જશે હો...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વડોદરાથી મુંબઈ જતી ફલાઈટમાં બોમ્બની ધમકી મળતા સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું તેવી જ રીતે ઉત્તરપ્રદેશમાં બેંગ્લુરૂથી દિલ્હી થઈને ગૌરખપુર જતી ફલાઈટમાં બોમ્બની ધમકી મળતા આ ફલાઈટનું ગોરખપુર એરપોર્ટ પર ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી બની રહી હોવાથી જામનગર સહિતના તમામ એરપોર્ટ પર સતર્કતા વધવાની સાથે સાથે આ મુદ્દે કેન્દ્રીય કક્ષાએ પણ ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે, અને લોકોનું સડક, રેલવે અને હવાઈ માર્ગે પરિવહન વધ્યું છે ત્યારે જુદા જુદા સ્થળે વિમાનમાં બોમ્બની ધમકીઓ તથા ટ્રેનોને ખોરવવાના થતા પ્રયાસો જોતા તહેવારોના સમયે દેશભરમાં ગભરાટ ફેલાવવાનું કોઈ દેશવિરોધી અને શક્તિશાળી પરિબળોનું કાવતરું હોય તેમ જણાય છે. ત્યારે કેન્દ્ર સરકાર આ પ્રકારના પરિબળોને નાથવામાં નિષ્ફળ રહેશે તો દેશભરમાં ફેલાવા લાગેલો આ ગભરાટ (પેનિક) દેશમાં કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ અર્થતંત્ર તથા માર્કેટને પણ માઠી અસર પહોંચશે તેમ નથી લાગતું?
જો આ પ્રકારના પરિબળોને સમયસર નાથવામાં નહીં આવે અને તેની પાછળ કોઈ વ્યાપક ષડયંત્ર હોય, તો તેને છીન્નભીન્ન કરવામાં નહીં આવે તો માત્ર વિમાન, રેલવે જ નહીં, અન્યત્ર પણ અરાજકતા ફેલાવવા ખોટી ધમકીઓનો સીલસીલો પણ શરૂ થઈ જશે, તેવી આશંકા પણ ઊભી થવા લાગી છે.
જો કે, આ મુદ્દે કેન્દ્ર સરકારે ગંભીર વિચારણા કરીને આગામી સત્રમાં જ આ પ્રકારની ધમકીઓ આપનારની સામે કડક કાનૂની કાર્યવાહી થાય અને ઝડપભેર કેસ ચલાવીને સખ્તમાં સખ્ત સજા થાય, તેવો કાયદો ઘડવાનું બીલ રજૂ થશે તેવો દાવો કરાયો છે.
બીજી તરફ દિવાળી ટાણે દેશમાં ખાદ્યતેલોના ભાવોમાં બેફામ વધારો થવાના કારણે સામાન્ય-ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની દિવાળી બગડશે તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે, આ પહેલા ગયા મહિને ક્રુડ ઓઈલ, સોયાબીન, પામઓઈલ, સનફલાવર ઓઈલ પર ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો ઝીંકાયો હતો, તેના કારણે દેશમાં ખાદ્યતેલના ભાવો ક્રમશઃ વધવા લાગ્યા હતા, અને દિવાળી નજીક આવતા જ માંગ વધી જતા ભાવોમાં ઉછાળો આવવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં પામઓઈલ, ક્રુડ, સનફલાવર, સોયાબીન ઓઈલ (તેલ) પર રર ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વધારાઈ હતી જેવી ઈમ્પોર્ટ ડ્યુટી ૨૭.૫ ટકા થઈ જતાં તેની અસરો જેમ જેમ આયાત થતી ગઈ, તેમ તેમ વધવા લાગી હતી અને રિફાઈન્ડ ખાદ્યતેલો પર પણ ૧૩.૭ ટકાથી વધારીને ૩૫.૭ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી થઈ જતાં તેમાં પણ સવાયો વધારો ઝીંકાયો હતો અને તેની સીધી અસરો હવે ખાદ્યતેલોના ભાવો પર પડી છે. બીજી તરફ શાકભાજી અને અન્ય ખાદ્યચીજોના ભાવો વધતાં પણ દિવાળીના તહેવારોમાં જ લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો છે. આ વધારાના કારણોમાં ક્રૂડ ઓઈલ, સોયાબીન, સૂર્યમુખી તેલ જેવા ખાદ્યતેલોના વધેલા ભાવો પણ સામેલ છે. ભારતની ખાદ્યતેલની માંગ સામે લગભગ પપ થી ૬૦ ટકા ખાદ્યતેલોની આયાત કરવામાં આવે છે, તેથી વૈશ્વિક ભાવો પર નિર્ભર રહેવું પડે છે.
આરબીઆઈ વ્યાજના દરો ઘટાડે તેમ લાગતુ નથી અને સરકારે પણ ખાદ્યતેલો પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી છે, તેના કારણે દિવાળી ટાણે જ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી લોકો કહે છે, રહેમ કરે, કાંઈક તો કરે સરકાર...!!
હકીકતે આત્મનિર્ભર ભારતના બણગાં ફૂંકતી સરકાર હજુ સુધી દેશને ખાદ્યતેલોના ક્ષેત્રે આત્મનિર્ભર કરી શકી નથી. તેલિબિયાના સ્થાનિક ઉત્પાદનો તથા ઓઈલ પ્રોસેસીંગને પ્રોત્સાહિત કરીને જો ખાદ્યતેલોમાં દેશને આત્મનિર્ભર બનાવાય, એટલે કે દેશની ખાદ્યતેલની જરૂરિયાતો જેટલું કે તેથી વધુ ખાદ્યતેલોનો પુરવઠો સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય એટલે કે માંગ સામે પૂરતો પુરવઠો દેશમાં જ મળી રહે, તે માટે દેશમાં જ તેલિબિયાનું ઉત્પાદન બે-અઢી ગણુ કરવું પડે, એટલું જ નહીં, તેમાંથી ઓઈલ પ્રોસેસીંગ પણ સરળ અને સસ્તુ થાય, તેવા કદમ ઉઠાવવા પડે. ક્રૂડ ઓઈલના ભાવોની વૈશ્વિક વધઘટની અસરો આમજનતા પર પડતી હોય છે, અને તેના કારણે તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ મોંઘી થતી હોય છે, તેથી પેટ્રોલિયમ પેદાશો લોકોને સસ્તા મળે તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઝડપભેર કદમ ઉઠાવવા જોઈએ, પણ...!?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હમણાંથી 'નકલી'ના કિસ્સાઓ વધી રહ્યા છે અને વિવિધ અધિકારીઓના નામે ઓનલાઈન લાંચ-રૂશ્વત માંગવાની ઘટનાઓ પણ વધવા લાગી છે, તો બીજી તરફ સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. સરકારો સ્વચ્છતા અભિયાનો ચલાવી રહી છે, છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ પ્રકારના મુદ્દે જ અદાલતોની ફટકાર સાંભળવી પડી રહી છે. હવે તો હાઈકોર્ટે ચીફ ઓફિસરો, મ્યુનિસિપલ કમિશનરો તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હોદ્દાજોગ વ્યક્તિગત ઝાટકણી કાઢીને તેની જવાબદારી નક્કી કરવાના સંકેતો આપી રહી હોવાથી નિંભર નેતાઓના ઈશારે નાચતા લાપરવાહ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો જ હશે ને?
ગુજરાત હાઈકોર્ટે ફરી વખત ઓખા નગરપાલિકાની ઝાટકણી કાઢી હોવાના અહેવાલો છે, અને એ દરમિયાન અદાલતે એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ કર્યું છે, જેની ચર્ચા પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વર્તુળોમાં થઈ રહી છે.
મીડિયા અહેવલો મુજબ ઓખા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે કોઈ સંસ્થા સાથે કરેલા કરારોના દસ્તાવેજો અદાલત સમક્ષ રજૂ કર્યા વિના જ એફિડેવિટ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ ઓખાના સંબંધિત ચીફ ઓફિસરની ઝાટકણી કાઢી નાંખી અને તેનો ખુલાસો પણ માંગ્યો, જે અન્ય નગરપાલિકાઓના પ્રમુખો તથા ચીફ ઓફિસરો માટે પણ બોધપાઠરૂપ છે.
કોઈપણ પ્રકારના 'સેટિંગ' કર્યા હોય તો તે અદાલતો સમક્ષ ખુલ્લા પડી જતા હોય છે, અને પૂરતા દસ્તાવેજો વિના એમઓયુ કરવાની પ્રક્રિયા સ્વયં કે બોડીના દબાણ હેઠળ કરી હોય તો પણ અંતિમ જવાબદારી તો સંબંધિત અધિકારીની જ થતી જ હોવાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓએ સ્વયં ગોબાચારી કરવાથી સાવધ રહેવું જોઈએ અને કોઈની કઠપૂતળી બનીને કે ભાગબટાઈ કરીને કરેલા ગોટાળા કે સ્વયં કરેલી ગંભીર ભૂલોની જવાબદારી પોતા પર આવી જશે,તો શું થશે? તેનો વિચાર પણ કરી લેવો જોઈએ, તેમ નથી લાગતું?
એ જ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જૂનાગઢ મનપાના કમિશનરને પણ મંજુરી વિના કોન્ટ્રાક્ટર આપી દેવા બદલ માફી માંગવાનો કરેલો નિર્દેશ પણ રાજ્યની દોઢ ડઝન જેટલી મહાનગરપાલિકાઓ માટે બોધપાઠરૂપ છે. પ્લાસ્ટિકના નિકાલ માટે જૂનાગઢ મનપાના કમિશનરને જવાબદાર ઠેરવવાના આ સંકેતો ખરેખર તો તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા રાજ્ય-કેન્દ્ર સરકારોના સંબંધિત વિભાગો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે પણ પથદર્શક અને નોંધનિય ગણાય. હાઈકોર્ટની આ ફટકાર માત્ર એકાદ નગરપાલિકા કે એક મનપા જ નહીં, સમગ્ર રાજ્યના તમામ તંત્રો માટે વોર્નિંગ છે, તે સમજી લેવું પડે તેમ છે, ખરૃં ને?
જામનગરની મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના તંત્રોએ તથા નેતાઓએ પણ હાઈકોર્ટના આ નિર્દેશોની નોંધ લેવી જોઈએ, અને વગર મંજુરીએ કે નિયમોને નેવે મૂકીને સ્થાનિક હિતો કે રાજકીય નેતાગીરીના દબાણ હેઠળ અયોગ્ય નિર્ણયો લેવાથી બચવું જોઈએ, તેમ નથી લાગતું?
હાઈકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ કર્યું હતું. જો સરકાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ બનાવવા વિચારતી હોય તો મધ્યપ્રદેશના ઈન્દોરમાં વેસ્ટમાંથી સીએનજી બનાવવાની સુવિધાનો અભ્યાસ કરવા માટે ગુજરાતમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થતો હોય, તેવી મનપાને સૂચના કરતા હાઈકોર્ટે કહ્યું છે કે જરૂર પડે તો રાજ્યના સંબંધિત અધિકારીઓ તથા મનપાના તંત્રોના અધિકારીઓને ટ્રેનિંગ અને અનુભવ લેવા ઈન્દોર મોકલી શકાય. ટૂંકમાં, પ્લાસ્ટિકના કન્સ્ટ્રકટીવ ઉપયોગના આ વિકલ્પનું હાઈકોર્ટનું સૂચન જામનગર મનપાએ પણ વિચારવા જેવું ખરૃં... (પણ માત્ર તાલીમ લેવા જવા પૂરતું નહીં, અમલવારી કરવા માટે હો...!)
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની સૌથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કરતી મનપાની માહિતી માંગી, તે પણ ઘણી જ સૂચક છે. રાજ્ય સરકારે રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતો તથા ૧૮ ગામોની પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની વિગતો રજૂ કરી હોય, તો તેનો સંયુક્ત પ્રોજેક્ટ બનાવીને જિલ્લાવાર, તાલુકાવાર કે ગામવાર 'વેસ્ટમાંથી બેસ્ટ'ના અભિગમ હેઠળ પ્લાસ્ટિકના કચરાનો રચનાત્મક રિયુઝ (પુનઃ ઉપયોગ) કરી શકાય, વિચારવા જેવું ખરૃં કે નહીં?
હવે અસલી... નકલીની વાત કરીએ તો ઘણાં સ્થળેથી પોલીસ અધિકારી બનીને વીડિયો કોલ દ્વારા નકલીઓના ઉઘરાણાની રાવ પછી હવે 'ડીપફેઈક' અધિકારીઓ દ્વારા લાંચ માગવાનો કિસ્સો પણ જામનગરમાં ટોક ઓફ ધટાઉન બન્યો છે, અને ટ્રીપફેક અવાજમાં ફૂડ શાખાના અધિકારીના નામે ઉઘરાણાના પ્રયાસ પછી મનપાએ ચોખવટ પણ કરી છે કે નમૂના લીધા પછી ફોસ કરવાની કોઈ સિસ્ટમ જ નથી!
નોંધનિય એ પણ છે કે, રાજકોટમાં તાગડધિન્ના ચલાવનાર બે પૂર્વ મ્યુનિ. કમિશનરોને હાઈકોર્ટમાં કેમ માફી માંગવી પડી, તેનો અભ્યાસ કરીને તમામ મ્યુનિ. કમિશનરોએ ચેતવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈન્ટરનેટનો જમાનો છે. હમણાંથી સોશ્યલ મીડિયાના હાથવગા માધ્યમ થકી લોકોમાં છૂપાયેલા કૌશલ્યો, ડાયનેમિક કોન્સેપ્ટ્સ અને ઈનોવેટિવ ક્ષમતાઓ બહાર આવી રહી છે, તો બીજી તરફ તેનો ભરપૂર દુરૂપયોગ પણ થઈ રહ્યો છે. ઝડપી મેસેજીંગની સુવિધા રાઉન્ડ ધ ક્લોક અને પોર્ટેબલ સ્વરૂપમાં ઉપલબ્ધ હોવાથી માત્ર યુવવર્ગ જ નહીં,પરંતુ અબાલવૃદ્ધ-તમામ વયજુથના લોકો ચેટીંગનો મનોરંજન તથા વિવિધ ઉદ્દેશ્યો માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ચેટીંગ-મેસેજીંગ એવું માધ્યમ છે, તેના દ્વારા તમે ફોનમાં કે રૂબરૂમાં વ્યક્ત કરી શકતા ન હોવ તેવા તમારા અભિપ્રાયો, વિચારો અને લાગણીઓ વ્યક્ત કરી શકતા હોવ છે, તેથી હાલમાંથી ઓનલાઈન ચેટીંગની વ્યાપક્તા એટલી વધી ગઈ છે કે તે જીવનપ્રણાલિનું મહત્ત્વપૂર્ણ અંગ ઘણાં લોકો માટે બની ગયું છે.
ચેટીંગની સુવિધાના જેટલા ગેરફાયદા છે, એટલા જ ફાયદા પણ છે. મેસેજીંગનો વ્યાપક ઉપયોગ સરકારી સેવાઓથી માંડીને આરોગ્ય-તબીબી સુવિધાઓ તથા માર્કેટીંગ માટે થઈ રહ્યો છે, તેવી જ રીતે ચેટીંગનો ઉપયોગ પણ વિવિધલક્ષી અને પ્રોડક્ટિવ પણ થઈ રહ્યો છે. જેટલો ચેટીંગનો પોઝિટિવ પ્રયોગ થાય છે, તેટલો જ નેગેટીવ ઉપયોગ પણ થાય છે, જે ઘણી વખત પ્રોબ્લેમેટિક અને પડકારજનક પણ બની જતો હોય છે.
ઈન્ટરનેટના ઉપયોગ થકી હવે નાણાકીય વ્યવહારો સરળ બન્યા છે, અને ટ્રાન્ઝેક્શન ઝડપી બન્યું છે. ડિજિટલ પેમેન્ટનો નવો યુગ શરૂ થયો છે. જેના કારણે ખરીદ-વેંચાણ જ નહીં, પરંતુ સામાજિક-વ્યવહારિક કારણોસર થતી લેવડ-દેવડ પણ આસાન બની ગઈ છે. આ સુવિધાઓની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં પણ વર્તમાન સોના-ચાંદીના ભાવોની જેમ જ ઉછાળો આવી રહ્યો છે, જેને પહોંચી વળવા પોલીસતંત્રોને પણ અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સોશ્યલ મીડિયાના વપરાશ અંગે તાલીમબદ્ધ કરીને ટેકનોસેવી અને મોર્ડન ટેકનોલોજીના નિષ્ણાત બનાવવામાં આવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા, ઈન્ટરનેટ, વેબસાઈટ્સનો દુરૂપયોગ કરીને કેવા કેવા નતનવા ક્રાઈમ થઈ રહ્યા છે, તે આપણે બધા જાણવા લાગ્યા છીએ અને તંત્રો પણ તેને પહોંચી વળવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, તેમ છતાં ઓનલાઈન અને ડિજિટલ ચિટીંગના કિસ્સાઓ 'દાના' વાવાઝોડાની જેમ ચક્રવાતી બની રહ્યા છે અને આ સીલસીલો ઘણો જ ચિંતાજનક છે. ચિટીંગના નવા નવા નુસ્ખાઓ અજમાવાઈ રહ્યા છે, જેની સાથે પ્રોટેક્ટિવ ઉપાયો કદાચ ટૂંકા પડી રહ્યા છે. આ કારણ નવા નવા એવા પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે, જેના નવા સોલ્યુશન વિચારવા પડે તેમ છે. સાઈબર ક્રાઈમને કંટ્રોલ કરવા માટે માત્ર પોલીસતંત્ર જ નહીં, તમામ તંત્રો, બેન્કીંગ-નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલી સંસ્થાઓ અને પોલિટિકલ ગવર્નમેન્ટના મહાનુભાવોને પણ અદ્યતન ઈન્ટરનેટ અને મોર્ડન ક્રાઈમના નવા સ્વરૂપોથી તાલીમબદ્ધ કરવા પડે તેમ છે. માત્ર બે-ચાર કાયદાઓમાં થોડા ફેરફારો કરીને કે માત્ર કાયદાના નામો બદલીને તેનો ઢંઢેરો પીટવાથી નહીં ચાલે, પરંતુ પબ્લિક, પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને નવા પડકારો સામે લડવા માટે તાલીમબદ્ધ કરવા પડશે. બીજી તરફ સોશ્યલ મીડિયા તદ્ન નિરંકુશ બની ન જાય, તેપણ જરૂરી છે. તાજેતરની બોમ્બ ધમકીઓના અનુસંધાને સોશ્યલ મીડિયા એટલે કે સાથે કેન્દ્ર સરકારે લાલઆંખ પણ બતાવી છે.
ચેટીંગના ફાયદા અને ગેરફાયદા તથા ચિટીંગના નવા નવા સ્વરૂપોને કાઉન્ટર કરવાની તાતિ જરૂરિયાત છે, તે ઉપરાંત 'સેટિંગ'ના સ્વરૂપો પણ ઓળખવા પડે તેમ છે. હમણાંથી આર્થિક ક્ષેત્રે જ નહીં, રાજકીય અને શાસકીય ક્ષેત્રે પણ અવનવા સેટિંગ તૈયાર થયા છે. દાયકાઓથી સામસામે લડતા રહેલા રાજકીય પક્ષોનું મહારાષ્ટ્રમાં અદ્ભુત સેટિંગ (બન્ને તરફ) જોવા મળી રહ્યું છે, અને જાહેરમાં કાંઈક જુદી જાહેરાતો કરીને પડદા પાછળથી ગુપ્ત 'સેટિંગો' કરીને 'સત્તા'ના ખેલ રચાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા સામે સરકારે ભલે લાલઆંખ કરી હોય, પરંતુ તંત્રો 'સેટિંગ' કરી રહ્યા હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે ને?
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ 'સેટિંગ' બદલાઈ રહ્યા હોય તેમ નવા સમીકરણો રચાઈ રહ્યા છે. કેનેડાની તરફદારી કરતા અમેરિકાને ચેતવવા ભારતે ચીન-રશિયા સાથે 'હસ્તધૂનન' કર્યું તેથી વૈશ્વિક કક્ષાએ નવી ડિપ્લોમેટિક ધરી રચાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે જામનગરમાં ચાની રેંકડી કે પાનના ગલ્લે ઊભા ઊભા આમ આદમીઓ એવી ચર્ચા કરતા સંભળાય છે કે રશિયાથી સસ્તા ભાવે ક્રૂડ વધુ પ્રમાણમાં મેળવીને દેશની જનતાને પેટ્રોલ-ડીઝલ સસ્તા મળે તો આ દોસ્તી કામની!!
પોલિટિકલ પાર્ટીઓ જ નહીં, પરંતુ અધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચેના સેટિંગ, કરોડો-અબજો રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ જતા કૌભાંડિયાઓના બેન્કીંગ સેક્ટરના મેનેજરો સાથેના સેટિંગ, કેટલાક અધિકારીઓ અને નેતાઓ, કોન્ટ્રાક્ટરો સાથેના સેટિંગ, પરીક્ષા માફિયાઓના સંબંધિત અધિકારીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રના તંત્રો સાથેના સેટિંગ વગેરેની પણ બોલબાલા છે, જે દેશની જનતાના હિતો તથા સુરક્ષા માટે ઉધઈ જ જેવા છે ને?
ટેલિવિઝન, મોબાઈલ સેલફોન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતના આધુનિક ઉપકરણોમાં 'સેટિંગ'ની ડિફોલ્ટર સુવિધા હોય છે, જે મહત્ત્વપૂર્ણ હોય છે. એમાંથી તમારી ઈચ્છા મુજબના 'સેટિંગ' તમે કરી શકો છો, અને તે સંપૂર્ણપણે બંધારણીય અને કાનૂની પ્રક્રિયા હોય છે, પરંતુ હાલમાં ઉપર જણાવેલા જે વિવિધ પ્રકારના સેટિંગ થઈ રહ્યા છે, તે ક્રાઈમના સર્વોચ્ચ સ્વરૂપો હોવા છતાં તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ, કાનૂની છટકબારીઓ તથા ગુપ્ત પોલિટિકલ અન્ડરસ્ટેન્ડીંગ હેઠળ સંરક્ષણ મળતું રહે છે, તે પણ એક ઓપન સિક્રેટ જ છે ને?
આ પ્રકારના સેટિંગનું તદ્ન તાજુ દૃષ્ટાંત જામનગરમાં બ્લેકલિસ્ટેડ કંપનીને પણ કામો ચાલુ રાખવા દેવા માટે થયેલા ઠરાવોની ચર્ચા છે. આ કિસ્સામાં તો તંત્રના અધિકારીનો અવાજ ઊઠ્યો અને કોઈ નેતાએ તેને કાઉન્ટર કર્યો હોય તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાની ઉલટી ગંગા જ કહેવાય ને?... ઊંડા ઉતરીને વિચારજો...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુક્સાન સામે રાજ્યના કૃષિમંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જ્યારે જામનગરની મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં વરસાદ અને પૂર કે જલભરાવ, લેન્ડસ્લાઈડ વિગેરે કારણે બિસ્માર થઈ ગયેલા માર્ગોની મરામત શરૂ કરાઈ છે. બીજી તરફ ઈપીસી મોડ હેઠળ બંધાતા નેશનલ હાઈ-વેઝનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પાંચ વર્ષથી વધારીને દસ વર્ષનો કરાયો હોવાના અહેવાલો પણ આવ્યા છે.
ખુદ કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરી જ કહે છે કે ઈપીસી મોડ હેઠળ બંધાતા માર્ગની ક્વોલિટી સારી નહીં હોવાથી ત્રણ વર્ષમાં જ તૂટી-ફૂટી જવા લાગે છે, જ્યારે તેનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ એટલે કે જવાબદારી પાંચ વર્ષ સુધીની હોય છે. તેમણે કહ્યું કે, બીઓટી એટલે કે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર સિસ્ટમ અથવા હાઈબ્રિડ સેન્યુઈટી મોડલ (એચએએમ) સિસ્ટમ હેઠળ નિર્માણ થયેલા રસ્તાઓની સારી સ્થિતિ જળવાઈ રહે છે, કારણકે તેના મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે, અને તેના ખર્ચે જ મરામત કરવી પડતી હોય છે. આથી જ સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એન્જિનિયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઈપીસી) પ્રોજેક્ટો માટે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પાંચ વર્ષથી વધારીને દસ વર્ષનો કરવાનું નક્કી કર્યું છે. આ કારણે હવે ઈપીસી હેઠળ માર્ગોનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરોને પણ ઉત્તમ ગુણવત્તાના માર્ગો જ બનાવવા પડશે, તેવો દાવો કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
આ તો વાત થઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની... પરંતુ ગુજરાતમાં તો ભારે પૂર, અતિવૃષ્ટિ અને જલભરાવના કારણે ગ્રામ્ય, શહેરી અને સ્ટેટ હાઈ-વેઝ પણ તદ્ન તૂટી ફૂટી ગયા છે, અને કેટલાક રસ્તાઓ પર તો એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહનો ચલાવવા જ મુશ્કેલ બની રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યભરમાંથી બિસ્માર માર્ગોના તત્કાળ સમારકામની માંગ ઊઠી રહી છે, જો કે જામનગરની મહાનગરપાલિકાના તંત્રોએ નગરમાં આંતરિક મર્ગોને થીંગડા મારવાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ તે હવે કેટલી ઝડપે, કેવી ગુણવત્તાવાળા અને ક્યા ક્યા અને કેટલા વિસ્તારોમાં કામગીરી થાય છે, અને ક્યાં સુધી ટકે છે, તે જોવાનું રહે છે.
તદુપરાંત થીગડા માર્યા પછી આવતા ચોમાસા પહેલા માર્ગોનું મજબૂત નવીનિકરણ કરવા માટે કેટલી ઝડપે આયોજનો થાય છે, તે પણ જોવાનું રહેશે.
ગઈકાલે આવેલા અહેવાલો મુજબ જામનગરમાં ત્રણેક કરોડ રૂપિયાના ખર્ચે શહેરના મેઈન માર્ગોનું રીપેરીંગ શરૂ થયું છે, તે ઉપરાંત જામનગરથી ચારેય દિશામાં બહારથી આવવાના માર્ગો પ્રવેશદ્વારો પાસેના માર્ગોના વિસ્તૃતિકરણ માટે વીસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે, તેવું પણ જાહેર કરાયું છે.
આ વર્ષે છેક નવરાત્રિ સુધી વરસાદ પડ્યો અને હજુ પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વર્ષ દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય, શહેરી અને ધોરીમાર્ગો તહેશ-નહેશ થઈ ગયા છે, તૂટી ફૂટી ગયા છે. આ બિસ્માર માર્ગોની તત્કાલ મરામત કરવાની માંગ ચોતરફથી ઊઠી રહી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સંબંધિત તંત્રો પણ દોડતા થયા છે, તો કેટલાક સ્થળે મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.
વરસાદ ધીમો પડ્યા પછી રાજ્ય સરકારે માર્ગોની મરામતનું પ્રાથમિક આયોજન કર્યું જ હતું, ત્યાં ક્રસર (ભરડીયા), કાંકરી, કપચીના ઉત્પાદકોની હડતાલના કારણે કામો થંભી ગયા હતાં. હવે એ આંદોલન સમેટાઈ ગયું છે અને હડતાલ પાછી ખેંચાઈ ગઈ હોવાથી કાંકરી-કપચીનો જથ્થો મળવા લાગતા જામનગરના કેટલાક મુખ્ય માર્ગોની મરામત શરૂ થઈ ગઈ છે. આ કામગીરી માત્ર થીગડા મારવાની છે, અને સંપૂર્ણ નવીનિકરણ કે આધુનિકરણ થઈ રહ્યું નથી તેવી ચોખવટ પણ થઈ છે.
એવું જાહેર થયું છે કે, મનપા દ્વારા ખંભાળિયા, રાજકોટ, કાલાવડ તરફના નગરના પ્રવેશદ્વારો પાસેના ધોરીમાર્ગોનું વિસ્તૃતિકરણ કરાશે, અને બે-ત્રણ કિલોમીટર સુધીના માર્ગો વધુ પહોળા કરાશે. રાજકોટ તરફના પ્રવેશદ્વારથી ધુંવાવ તરફ સિક્સલેન, ધુંવાવ-ખીજડિયા બાયપાસનો નવો રોડ, સમર્પણ હોસ્પિટલથી નાઘેડી બાય પાસનો સિક્સ લેન અને કાલાવડનાકાથી મહાપ્રભુજીની બેઠક સુધી ફોરલેન, ઠેબા ચોકડી સુધી રિકાર્પેટ અને હરિયા કોલેજથી સાંઢિયા પુલ સુધીના રોડનું નવીનિકરણ કરાશે, એ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત દ્વારા પણ કેટલાક ગ્રામ્ય માર્ગોની મરામત હાથ ધરાઈ હોવાના અહેવાલો આવ્યા પછી હવે આ મરામત ગુણવત્તાયુક્ત થાય અને લોટ પાણીને લાકડા જેવું ન થાય, તે જોવાનું રહેશે.
એક તરફ દિવાળીના તહેવારો ટાણે લોકોમાં ઉત્સાહ છે, તો ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોને મોંઘવારી પણ નડી રહી છે. ખાદ્યતેલનો ડબ્બો મોંઘો થાય કે ક્રૂડ ઓઈલના ભારો ઘટે ત્યારે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધે અથવા સ્થિર રહે, ત્યારે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીનો આમ આદમીને શું ફાયદો? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. તેમ છતાં ગર્વભેર કહેવાય કે મેરા ભારત મહાન... જય જય ગરવી ગુજરાત...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિવાળીના તહેવારોનો માહોલ છે, બજારોમાં ઘરાકી વધી રહી છે. આ વખતે દિવાળી સુધી મેઘરાજા રોકાણા હોય, તેમ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. બીજી તરફ સોનું, ચાંદી અને શરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને સોનાનો ઉછાળો એક લાખના આંકડા તરફ આગળ વધી રહ્યો છે, અને ચાંદી પ્રતિકિલો એક લાખ રૂપિયાની સપાટી વટાવી ગયો છે. ગઈકાલે સોનાનો દશ ગ્રામનો ભાવ ૮૦ હજાર રૂપિયાને પાર પહોંચ્યો હતો. શેરબજારમાં ગઈકાલે સેન્સેક્સ ૮૮૦ હજારથી વધુ પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જો કે ગઈકાલે શેરબજાર ઈન્ટ્રા-ડે મંદીમાં રહ્યું હતું, અને સોનાના ભાવોમાં પણ નજીવો વધારો થયો હતો, પરંતુ આ ત્રણેય પ્રકારના આંકડાઓ વૈશ્વિક પડકારો અને ઉતાર-ચઢાવ છતાં એકંદરે તેજી તથા આગેકૂચ દર્શાવી રહ્યા છે, અને દિવાળી પછી પણ આ જ વલણો ચાલુ રહેશે તો સંવત ર૦૮૧ માં સોનું અને સેન્સેક્સ પણ એક લાખને ઝડપભેર પાર પહોંચી જશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
બ્રિક્સ સંમેલનના માધ્યમથી એક તરફ ચીન સાથે ડિપ્લોમેટિક સંબંધો સુધારવાની કવાયત થઈ રહી છે અને રશિયા,ચીન, ભારતની ધરા રચાઈ રહી હોય, અને અમેરિકન ડોલરને પછાડીને બ્રિક્સ દેશો દ્વારા વૈશ્વિક વ્યાપારની દિશા અને દશા બદલવાનો ખાનગી વ્યુહ ઘડાયો હોય તેવા સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ ચીને પોતાના અર્થતંત્રને ઉગારવા જાહેર કરોલા પ્રોત્સાહનોના કારણે ફોરેન ઈન્વેસ્ટર્સનો ઝુકાવ ચીન તરફ વધી રહ્યો હોય તેમ જણાય છે. ગઈકાલના આંકડાઓ મુજબ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ફોરેન ઈન્વેસ્ટર્સ દ્વારા વેચવાલીના કારણે ભારતીય શેરબજારને વિપરીત અસર થઈ રહી હોય તેમ જણાય છે, જો કે આ પ્રકારના પડકારોનો સામનો કરીને પણ શેરમાર્કેટ મજબૂતીથી ટકી રહ્યું હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. શેરબજારના ઉતાર-ચઢાવના કારણે ક્યારેક રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થાય છે, તો ક્યારેક રિકવરી પણ થતી હોય છે, અને ક્યારેક ઘણો જ મોટો ફાયદો પણ થતો હોય છે. આ સીલસીલામાં જ ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી તૂટતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું હતું, પરંતુ તહેવારો પછી તમામ પ્રકારના ઈન્ડિયન માર્કેટમાં તેજી હશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભારતીય શેરબજારમાં એફપીઆઈની સામૂહિક વેચવાલી વચ્ચે પણ મેટલ અને માઈનીંગ સેક્ટરોમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું હોવાના અહેવાલોને પોઝિટિવ ટ્રેન્ડ ગણવામાં આવી રહ્યો છે. એકંદરે વૈશ્વિક મંદીની અસરોથી ભારતીય શેરબજારને પણ ઝટકા લાગી રહ્યા છે, છતાં આશાવાદી સંકેતો પણ મળી રહ્યા હોવાના તારણો નીકળી રહ્યા છે.
માત્ર ડિપ્લોમેટિક નહીં, પરંતુ આર્થિક અને ભૌગોલિક દૃષ્ટિએ પણ બ્રિક્સના પાંચ દેશોની તાકાત વધે, તો તે પશ્ચિમ દેશો સામે પડકાર ઊભો કરી શકે છે. અમેરિકી ડોલરની પ્રવર્તમાન વૈશ્વિક તાકાત સામે કેટલાક દેશો પરસ્પર રૂપિયાના ચલણમાં લેતીદેતી કરવાનો વ્યૂહ અપનાવી રહ્યા છે, ત્યારે બ્રિક્સના દેશો દ્વારા આ દિશામાં પણ કોઈ કદમ ઊઠાવાશે, તેવી અટકળો પણ બ્રિક્સની બેઠક પહેલા થઈ હતી.
ભારત અને ચીન વચ્ચે સરહદી સમજુતિઓ થયા પછી ચીને ચાલબાજી અને દગાબાજી કરી હોવાથી વિશ્વસનિયતા ઘટી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળ પછી ચીનના અર્થતંત્રને ફટકો લાગ્યા પછીની સ્થિતિમાં જો એશિયન દેશોમાં એક્તા સધાય અને બ્રિક્સ જેવા વૈશ્વિક કક્ષાના જુથોના ઉદ્દેશ્યો સિદ્ધ થાય, તો આગામી સમયમાં વૈશ્વિક સમીકરણો બદલી પણ શકે છે.
દિવાળીના તહેવારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓને વિશેષ બોનસ અપાતું હોય છે, તે ઉપરાંત ખાનગી વ્યાપારી પેઢીઓ, કંપનીઓ, કોર્પોરેટ ક્ષેત્રો પણ તેના સ્ટાફને બોનસ આપતી હોય છે. તે ઉપરાંત દિવાળી પહેલા જ ચાલુ મહિનાનો એડવાન્સ પગાર અપાતા લોકો દિવાળીના તહેવારો માટે ખરીદી માટે ઉમટી પડશે, તેવો આશાવાદ હવે ધીમે ધીમે ફળીભૂત થતો જણાય છે, અને લોકો માર્કેટમાં ખરીદી માટે નીકળવા લાગતા બજારોમાં રોનક આવતી હોય તેમ નથી લાગતું?
જો કે રિટેઈલ વ્યાપારીઓના મતે નવરાત્રિ પછી દર વર્ષે નીકળતી ઘરાકી આ વર્ષે મોડી થઈ છે, અને તેનું કારણ સતત કમોસમી વરસાદ, ઈન્ફ્રાસ્ટ્ર્કચરને નુક્સાન અને વૈશ્વિક અસરો પણ જવાબદાર છે, જો કે હવે દિવાળીના તહેવારોમાં બજારો વધુ ધમધમશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
સ્થાનિક બજારોમાં વધતી ઘરાકી તથા વધી રહેલી મોંઘવારી અંગે થઈ રહેલી ચર્ચાઓ જોતા એવું લાગે છે કે ગુજરાતની ઉત્સવપ્રિય જનતા તહેવારોમાં દેવું કરીને પણ ઉજવણી કરતી હોવાથી બજારો આ વર્ષે દિવાળી પછી પણ થોડા દિવસો સુધી ધમધમતી રહેશે, તેવી આશા રાખવી અસ્થાને નથી. એવા અહેવાલો પણ છે કે સોના-ચાંદીમાં હજુ જોઈએ તેવી ઘરાકી નીકળી નથી, અને તહેવારો માટેની ખરીદી માટે પણ લોકો હવે નીકળી રહ્યા છે, મોંઘવારીની અસરો છતાં તહેવારોમાં તેજી જળવાઈ રહેશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
જો કે, આપણાં સમાજમાં ગરીબ, અતિગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ, ધનિકો અને ધનકુબેરોની તમામ શ્રેણીઓ મોજુદ છે. ગુજરાતીઓ ઉત્સવપ્રિય હોઈ, આ તમામ પ્રકારના આર્થિક વર્ગિકરણો ગોણ બની જાય છે, અને લોકો તમામ તહેવારો હળી મળીને ઉજવતા રહ્યા છે.
હવે દિવાળીના તહેવારોની શ્રેણી શરૂ થવાની છે, ત્યારે સામાજિક સમૃદ્ધિ, રાષ્ટ્રીય એક્તા અને વૈશ્વિક શાંતિની દિશામાં આગેકૂચ થાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મોટાભાગની ફિલ્મોમાં હિરો અને હિરોઈનની આજુબાજુની મેઈન સ્ટોરી હોય છે. જેની સામે વિલન પાત્રો હોય છે. મારધાડ, યુદ્ધ, સ્ટંટના સીન લેવા માટે ઘણી વખત હીરો કે મુખ્યપાત્રો પોતાના ડુપ્લીકેટ્સનો ઉપયોગ કરતા હોય છે. વિશ્વના ઘણાં મોટા મોટા નેતાઓ પણ પોતાના ડુપ્લીકેટ્સ સુરક્ષા કારણોસર રાખતા હોવાની ચર્ચા દાયકાઓથી ચાલતી રહી છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તથા ઉ. કોરિયાના તાનાશાહ કીમ જોંગના ડુપ્લીકેટો હાલમાં મોજુદ હોવાનું કહેવાય છે. ડુપ્લીકેટ અથવા 'નકલી'નો હકારાત્મક પ્રયોગ ઘણો જ ઓછો થયો છે, અને તેના ફાયદાઓ અંગે બહુ ચર્ચા થતી નથી, પરંતુ મોટાભાગે 'નકલી' શબ્દ જ હવે ક્રાઈમ રિલેટેડ થઈ ગયો છે, કારણકે ગેરકાનૂની કૃત્યો માટે 'નકલી' માનવીઓ, સંસ્થાઓ તથા ચીજવસ્તુઓનો ઉપયોગ વધવા લાગ્યો છે.
દાયકાઓ પહેલા જ્યારે તેલમાંથી ઘી બનાવવાનો પ્રયોગ થયો, ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. તે પછી 'ડાલડા' અને 'વનસ્પતિ' ઘી માર્કેટમાં વહેંચાવા લાગ્યું. આ કાનૂનીરીતે માન્ય ઘી ને તે સમયે નકલી ઘી ગણવામાં આવ્યું હતું તેની ભેળસેળ ચોખ્ખા ઘીમાં પણ થતી હતી. આ સિલસિલો હજુ થમ્યો નથી.
ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતો દેશભરમાં બે થી ત્રણ પાક મેળવવા અથાગ પ્રયત્ન કરતા હોય છે. ખેતર-વાડીમાં વાવેલુ અનાજ પંખીઓ ચણી જાય કે અન્ય રીતે નુક્સાન થાય તો ખેડૂતોનો પાક ધાર્યા પ્રમાણે ઉતરે નહીં, તેથી ખેતર-વાડી ફરતે વાડ બાંધવા ઉપરાંત ખેડૂતો ખેતર-વાડીમાં કોઈ માનવી ગોફણ લઈને ઊભો હોય તેવો ચાડિયો ઊભો કરતા હોય છે, જેને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે.
આ ચાડિયો પણ 'ડુપ્લીકેટ' જ હોય છે, પરંતુ તેનો હેતુ કોઈને નુક્સાન કરવાનો નહીં, પરંતુ પોતાનું રક્ષણ કરવાનો હોય છે. યુદ્ધના સમયે દુશ્મન દેશને છેતરવા કેટલાક નકલી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવતા હોય છે. મંગલ પ્રસંગો, ઉજવણીઓ અને વિવિધ પ્રકારના ડેકોરેશન માટે નકલી ફૂલ, નકલી વૃક્ષો અને નકલી ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ પણ થાય છે.
આ બધા 'ડુપ્લીકેટ' અથવા 'નકલી'ના પોઝિટિવ ઉપયોગો છે, જે ગેરકાનૂની કે એન્ટી-સોશ્યલ નથી, પરંતુ હમણાંથી ગેરકાનૂની અથવા અનૈતિક કહી શકાય, તેવા ડુપ્લીકેટ્સની હરકતો તથા ષડ્યંત્રો ક્રાઈમના એવા સ્વરૂપો છે, જેથી આપણા સમાજ, સિસ્ટમ અને દેશ સામે પણ ગંભીર પડકારો ઊભા થયા છે.
જુના જમાનાથી નકલી ચીજવસ્તુઓની ચર્ચા તો થતી જ રહી છે, પરંતુ તે પછી નકલી માનવીઓ, નકલી સંસ્થાઓ, નકલી નેતાઓ, નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી દેશો,નકલી ચલણ,નકલી દસ્તાવેજો અને નકલી સ્ટેમ્પ, નકલી સ્ટેમ્પ પેપર્સ, નકલી આદેશો અને નકલી પાસપોર્ટ સહિતના ડુપ્લેકેટોની બોલબાલા વધવા લાગી છે, અને તેના કારણે નવા પડકારો ઊભા થયા છે.
ગુજરાતના સીએમઓના ડુપ્લીકેટ અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરમાં જલસો કરતા પકડાયેલ એક ડુપ્લીકેટ ઓફિસર પછી તો ઠેર ઠેરથી આ પ્રકારના નકલી ઓફિસરો પકડાવા લાગ્યા પહેલા પોલીસનો ગણવેશ પહેરીને રોડ પર ઉઘરાણા કરતા ડુપ્લીકેટો પકડાતા, હવે તો પી.આઈ. કે પોલીસ કમિશનર બનીને લોકોની છેતરપિંડી કરવાના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે, અને આ પ્રકારે ઓનલાઈન ધાક-ધમકી આપતા નકલી પોલીસ અધિકારીઓથી સાવધ રહેવા સાઈબર ક્રાઈમના તપાસ અધિકારીઓ તથા પોલીસતંત્ર દ્વારા વારંવાર ચેતવણીઓ પણ અપાતી હોય છે.
ગુજરાતમાં આખેઆખી નકલી કચેરી પ્રથમ વખત પકડાઈ, ત્યારે તેના દેશવ્યાપી પડઘા પડ્યા હતાં, પરંતુ હવે તો ગુજરાત સહિત દેશભરમાંથી પણ નકલી કચેરીઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ, નકલી નેતાઓ તથા નકલી ચીજવસ્તુઓનો 'ઉપદ્રવ'વધી રહ્યો હોવાના અહેવાલો ચોંકાવનારા તો હોય જ છે, પરંતુ દેશ અને દેશવાસીઓ માટે ચિંતાજનક પણ ગણાય.
ગુજરાતમાં નકલી ટોલનાકા, આખી નકલી હોસ્પિટલો, નકલી શાળા-કોલેજો, આખેઆખી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નકલી દવાખાના તો પકડાતા જ હતાં, હવે તો અમદાવાદમાં એક નકલી કોર્ટ પણ પકડાઈ હોવાના સમાચારો પછી માત્ર ન્યાયતંત્રને સરકારી તંત્રો જ નહીં, પરંતુ દેશભરની જનતામાં પણ આશ્ચર્યા સાથે ચિંતા ફેલાવા પામી છે.
એક વ્યક્તિએ પોતે જ વકીલ, જજ અને આર્બિટ્રેટર બનીને વાંધાવાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાના ંઅહેવાલોએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધી છે. આ ઉપરાંત એરટેકના માલિક સુનિલ મિત્તલનો ડુપ્લીકેટ બનીને કોઈએ ડીપફેકના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીનો પ્રયાસ કર્યો તે અહેવાલોએ પણ ચકચાર જગાવી છે.
'નોબત'માં તાજેતરમાં એવું સૂચન કરાયું હતું કે ફેક કોલ કરીને વિમાનો-ટ્રેનો-બસો કે કોઈ સ્થળે બોમ્બ મૂક્યો હોવાની ધમકીઓ આપનારા સામે પગલાં લેવા કડક કાયદો બનવો જોઈએ અને આવી ધમકીઓને હળવાસથી લેવી ન જોઈએ. આ જ રીતે કોઈપણ રીતે 'નકલી' કે 'ડુપ્લીકેટ' બનીને છેતરપિંડી કરનારાઓને પણ આજીવન જેલમાં રહેવું પડે તેવી સજાની જોગવાઈ કરતો દેશવ્યાપી કડક કાયદો સંસદે ઘડવો જોઈએ, અથવા વર્તમાન કાયદામાં સુધારા-વધારા કરવા જોઈએ, અને 'નકલી'નો ક્રાઈમ માટે ઉપયોગ કરનારાઓને હળવાસથી લેવા ન જોઈએ, જો કે વિમાનોમાં બોમ્બ મૂક્યાની ખોટી ધમકીઓ આપવા માટે કાયદો બનાવવાની જાહેરાત કેન્દ્રિય નાગરિક ઊડ્ડયન મંત્રીએ કર્યા પછી કેન્દ્રિય ગૃહમંત્રાલયે પણ આ અંગે રિપોર્ટ મંગાવતા હવે 'નકલી'ના મુદ્દે સર્વગ્રાહી અને દેશવ્યાપી કડક કાયદો ઘડાશે, તેવી આશા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial

એક તરફ સલમાન ખાનને ઊડાવી દેવાની ધમકીઓ તથા બિશ્નોઈ ગેંગના અહેવાલો દેશભરમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે,તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં થયેલા સામૂહિક મૃત્યુ તથા ઘાયલોના અહેવાલોએ જમ્મુ-કાશ્મીરમાં બધું બરાબર નથી તેવી આશંકાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરની રાજનીતિને સાંકળીને ત્યાં આવેલી નવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પર પણ માછલા ધોવાઈ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અને એલ.જી. દ્વારા વ્યક્ત કરાયેલા દુઃખ પછી અન્ય રાજનેતાઓના પ્રતિભાવો સામે આવી રહ્યા છે, અને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભયનો માહોલ અને હિંસા ફેલાવવાના પ્રયાસોને સખત હાથે ડામી દેવાની માંગ પણ ઊઠી રહી છે.
આ ઘટનાક્રમો તો ચોક્કસ વ્યક્તિ કે સ્ટેટને ડરાવવાના થઈ રહેલા પ્રયાસોના છે, પરંતુ દેશમાં તાજેતરમાં જે રીતે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેના સંદર્ભે કેટલીક અટકળો થા શંકા-કુશંકાઓ પણ ઊભી થઈ રહી છે. વ્યક્તિગત ધાક-ધમકીઓના કિસ્સામાં પ્રોપાગન્ડા કે પબ્લિસિટી સ્ટંટ હોવાની શંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, જ્યારે જુદી જુદી પ્રકારે ધમકીઓ આપીને હવાઈ પરિવહન ખોરવવાનો તથા રેલવે અકસ્માતો સર્જાય, તે પ્રકારની હરકતો કરવાના પ્રયાસ પાછળ કોઈ આતંકી સંગઠનો કે દેશ વિરોધી તત્ત્વોનું કારસ્તાન છે કે પછી તેમાં કોઈ ઊંડી રાજનીતિ કે રાજકીય ખેલ જવાબદાર છે, તે અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે.
જ્યારે એવા અહેવાલો આવ્યા કે જામનગર-હૈદ્રાબાદની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ફ્લાઈટનું અચાનક ચેકીંગ કરાયું, ત્યારે સ્વાભાવિક રીતે જ મુસાફરો તથા તેના સગા-સંબંધીઓમાં પેનિક (ગભરાટ) ફેલાયો હતો, જ્યારે એવા અહેવાલો આવ્યા કે બોમ્બ સ્ક્વોડ, ડોગ અને ફોરેન્સિક એક્સપર્ટસ સહિતની ટીમે પૂરેપૂરી તપાસ કરી અને કોઈ જ વાંધાજનક ચીજવસ્તુ નહીં મળી આવતા ફ્લાઈટને રવાના કરવામાં આવી હતી.
શનિવારે બનેલી આ ઘટનાના કારણે તંત્રો તો દોડતા થયા જ હતાં, પરંતુ સોશ્યલ મીડિયામાં પણ આ સમાચાર વાયરલ થઈ જતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. ધમકી પણ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલથી અપાઈ હોય, અને તેની વિગતો સોશ્યલ મીડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને તેની અસરો અંગે પણ અલગથી ચર્ચા થઈ શકે તેમ છે, જો કે તંત્રે આ ઘટનાને સમયસર હેન્ડલ કરી લીધી, પરંતુ તે દરમિયાન જે પેનિક ફેલાયો, તે ચિંતાજનક ગણાય, અને આ પ્રકારની બોગસ ધમકીઓને હળવાશથી લેવાના બદલે તેની સામે કડક કાયદો ઘડીને આ પ્રકારની હરકતો કરનારને કકડમાં કડક સજા થવી જોઈએ, તેવી માંગ પણ બળવત્તર બની રહી છે.
જામનગરની જેમ જ અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ધમકીઓના કારણે હવાઈ યાત્રાઓને અસર થઈ હોવાની ઘટનાઓ હમણાંથી વધી ગઈ છે. જામનગરના એરપોર્ટ અને આ ઈન્ડીગો ફ્લાઈટને ઊડાવી દેવાની ધમકી શનિવારે બપોરે મળ્યા પછી ફ્લાઈટને રોકીને મુસાફરોને સુરક્ષિત બહાર લાવવા અને ચેકીંગ પછી કાંઈ મળ્યું નહીં હોવાના અહેવાલો પછી મુસાફરો તથા તેના સ્નેહી મિત્રો, સગા-સંબંધીઓએ હાશકારો અનુભવ્યો હશે, પરંતુ ત્યાં સુધી ફેલાયેલા ગભરાટનું શું? લોકોને પડેલી મુશ્કેલીઓનું શું? કરોડો રૂપિયાના આર્થિક નુક્સાનનું શું? કોણ જવાબદાર?
હવાઈયાત્રાઓ અવરોધીને, રેલવે વ્યવહાર ખોરવીને અને સડક માર્ગે આતંકી હુમલાઓ કરીને દેશને અસ્થિર કરવા અને નબળો પાડવાના વૈશ્વિક કાવતરાની આશંકાઓથી લઈને આંધ્રપ્રદેશના કોઈ મંત્રીના પરિવારને ડરાવવાનો પ્રયાસ અથવા એરલાઈન્સ માફિયાઓનું કરતૂત કે પછી એરલાઈન્સ રાઈવલ્સનું એંગલ પણ હોઈ શકે તેવી લોકચર્ચાઓ પણ થવા લાગી છે.
છેલ્લા એકાદ અઠવાડિયામાં જ ૭૦ થી વધુ ધમકીઓ મળતા હવાઈયાત્રાઓ ખોરવાઈ હોવાના અહેવાલોને હળવાશથી લેવા જેવા તો હરગીઝ નથી જ, પરંતુ કેન્દ્ર સરકારે આ પ્રકારની હરકતો કરીને દેશનું સડક, રેલવે કે હવાઈ પરિવહન ખોરવવાનો પ્રયાસ કરનાર, તેને મદદ કરનાર અને આ પ્રકારની હરકતો પછી તેનો ઉપયોગ દેશમાં ગભરાટ ફેલાઈ જાય, તે રીતે પ્લાનિંગ કરીને સામૂહિક સંદેશાઓ સોશ્યલ મીડિયા દ્વારા થતા હોય તો તેની ઊંડી તપાસ કરીને અપરાધીઓને ખૂબ જ કડક સજા થાય, તેવો કડકમાં કડક કાયદો સત્વરે સંસદમાં પસાર કરીને લાગુ કરવો જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
છેલ્લા અઠવાડિયાથી જ નહીં, છેલ્લા ૪-૬ મહિનામાં આ પ્રકારે મળેલી ધમકીઓ, બોગસ ફોનકોલ્સ, ઈ-મેઈલથી મોકલાતી ધમકીઓ, રેલવે વ્યવહાર ખોરવાઈ જાય, તે પ્રકારે રેલવે લાઈનો સાથે કરાઈ રહેલા ચેડાં તથા શંકાસ્પદ સડક દુર્ઘટનાઓને સાંકળીને કોઈ સંકલિત અને તલસ્પર્શી તપાસ કરીને સખત કદમ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
આ પ્રકારની હરકતો સરકાર તથા સંલગ્ન તંત્રોની સરેઆમ નિષ્ફળતા અને ઢીલાશ પણ ગણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સરકારી 'સિસ્ટમ' સામે હંમેશાં સવાલો ઊભા થતા જ રહ્યા છે. કેટલાક મુદ્દે જનતામાં હાહાકાર મચી જતો હોય છે, અને સમાજમાં ફિટકાર વરસતો હોય છે, છતાં નરાધમો સુધરતા જ હોતા નથી. નગરથી નેશનલ સુધી અનેક શાશ્વત સમસ્યાઓને લઈને વિપક્ષો કકળાટ કરતા રહેતા હોય છે. લોકોની મૂળભૂત મુશ્કેલીઓ-જરૂરિયાતો તથા સમસ્યાઓ માટે જાગૃત નાગરિકો જાહેર હિતની અરજીઓ કરે, ત્યારે રાજ્યોની વડી અદાલતો તથા દેશની સર્વોચ્ચ અદાલત ઘણી વખત તંત્રો, સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો, પંચાયતો તથા ખાનગી સંસ્થાઓ કે ઉદ્યોગોને ફટકાર લગાવતી હોય છે અને દુષ્કર્મ, દુરાચાર, કુરિવાજો, બાળલગ્નો અને સામૂહિક હત્યાચાર કે ભેદભાવના મુદ્દે સંબંધિત સમૂહો કે સમાજોને પણ દેશનું ન્યાયતંત્ર ઝાટકી નાખતું હોય છે, પરંતુ તેમ છતાં આ મુદ્દે 'સુધારો' થવાના બદલે 'વધારો' થવા લાગે છે, તેથી એવો કટાક્ષ પણ થતો હોય છે કે 'હમ નહીં સુધરેંગે...'
થોડા દિવસો પહેલા 'નોબત'માં જે મુદ્દે ઉલ્લેખ થયો હતો,તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના ગામડે માળખાકીય સુવિધાઓના અભાવે એક પ્રસૂતાના મૃત્યુના મામલે રાજ્યની હાઈકોર્ટે રાજ્ય સરકારને જે નિર્દેશો કર્યા છે, તે જોતા એમ કહી શકાય કે આ પ્રકારે ન્યાયતંત્રે સરકારી તંત્રોને નિર્દેશો કરવા પડે, તે પોલિટિકલ ગવર્નમેન્ટ માટે લાંછનરૂપ ગણાય, અને એવો વ્યંગ પણ થાય કે 'હમુ નહીં સુધરેંગે...'
કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક ઘટના હતી. બિસ્માર રસ્તે એમ્બ્યુલન્સ નહીં પહોંચી શકતા પ્રસવની પીડા ઉપડ્યા પછી એક પ્રસૂતાને સમયસર હોસ્પિટલે પહોંચાડી શકાઈ નહીં કે તત્કાળ સારવાર પણ આપી શકાઈ નહીં, તેથી પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી પછી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય બેન્ચે સ્વયં આઘાત સાથે સંવેદના વ્યક્ત કરી, તે 'સિસ્ટમ'ના ગાલે તમાચા સમાન હતી.
હાઈકોર્ટે તિક્ષણ અને ગંભીર ટિપ્પણીઓ સાથે ટકોર કરતા રાજ્ય સરકારને નિર્દેશો આપ્યા હતાં કે રાજ્યના દૂર્ગમ, છેવાડાના, અંતરિયાળ, પછાત અને ટ્રાઈબલ (આદિવાસી) વિસ્તારો સુધી મેડિકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ વધારો, છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચતી કરો, માર્ગો, પરિવહન અને તત્કાળ સારવારની સુવિધાઓમાં સુધારા-વધારા કરવા પર પણ અદાલતે ભાર મૂક્યો હતો.
તુરખેડા ગામે ઘટેલી આ દુર્ભાગ્યપૂર્ણ કરૂણ ઘટના ફરીથી ન બને, તેની વ્યવસ્થાઓ કરવા રાજ્ય સરકારને તાકીદ કરતા હાઈકોર્ટે આ સુઓમોટોની સુનાવણી દરમિયાન આ ઘટનાની તપાસ કરનાર જિલ્લા તંત્રની પણ ઝાટકણી કાઢતા અદાલતે વોર્નિંગ આપી હતી કે કલેક્ટર તંત્રના બચાવનારા જેવો રિપોર્ટ નહીં, પણ નક્કર વાસ્તવિક્તાનું એફિડેવિટ રજૂ કરો, અને સંબંધિત ગામની મુલાકાત લઈને તેના આધારે તલસ્પર્શી વિગતો સાથે ગ્રામીણ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવીને તેના અનુસંધાને કેવા પગલાં લેવાયા, અને લેવાશે, તેનો સુધારાત્મક અને સૂચનાત્મક સંપૂર્ણ અહેવાલ રજૂ કરે.
આ પ્રકારના નિર્દેશો રાજ્યના અન્ય જિલ્લાતંત્રો માટે પણ બોધપાઠરૂપ છે. અદાલતો જેવી રીતે સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને કદમ ઊઠાવવા તંત્રોને તાકીદ કરતી હોય છે, તેવી જ રીતે આ પ્રકારની અદાલતી ટકોરોનું સ્વયં અનુસંધાન લઈને જામનગર અને દ્વારકા જિલ્લાના તંત્રો સહિત સમગ્ર રાજ્ય સરકારની સિસ્ટમે અને સ્વયં સરકારે પણ જરૂરી સુધારા-વધારાઓ કરીને લોકલક્ષી અને સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ, તેમ નથી લાગતું?
એક કહેવત છે કે 'વાવમાં હોય તો અવેડામાં આવે...' ગુજરાતની રાજ્ય સરકારે તાજેતરમાં ઊઠાવેલા એક કદમને અનુલક્ષીને આ કહેવત યાદ આવી જાય તેમ છે. તાજેતરમાં ગુજરાત સરકારે હાઈકોર્ટ તથા અદાલતોમાં પડતી ફટકાર પછી કેટલાક સરકારી રાહે કદમ ઊઠાવ્યા અને કાયદા મંત્રાલય તથા સરકારી પક્ષ રાખતા એડવોકેટો વગેરેમાં તોળાઈ રહેલા ફેરફારોના અહેવાલો વહેતા થયા પછી કાનૂની ક્ષેત્રમાં એવી ચર્ચા છે કે જ્યાં પ્રત્યક્ષ પૂરવાર થાય તેવી નક્કર વાસ્તવિક્તા હોય, તયાં બીચારા સરકારી વકીલો પણ કરે શું?
ગુજરાત સરકારે હાઈકોર્ટની ફટકાર અને નિર્દેશો પછી એક એફિડેવિટ રજૂ કર્યું ત્યારે લોકોને ખબર પડી કે પોલીસ બેડામાં ચાર તબક્કામાં ભરતી થવાની છે. હકીકતે અદાલતે કડક વલણ અપનાવ્યા પછી સરકારે ભરતીનું કેલેન્ડર રજૂ કરવું પડ્યું છે. પ્રથમ તબક્કામાં અંદાજે ચાર હજાર જેટલા હેડકોન્સ્ટેબલ અને એએસઆઈ, બીજા તબક્કામાં ચારસોથી વધુ પીએસઆઈ અને પીઆઈને બઢતી, ત્રીજા તબક્કામાં સપ્ટેમ્બર-ર૦રપ માં બાકીની નિર્ધારિત પ્રક્રિયા મુજબની ભરતી કરાયા પછી ચોથા તબક્કામાં આગળની સીધી ભરતીનું આ સમયપત્રક પણ આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યું છે. ટૂંકમાં એકંદરે કેલેન્ડર વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર-ર૦ર૪ ના અંત સુધીમાં ૩૮૦૦ જેટલા ગ્રાસરૂટના કર્મચારીઓ તથા માર્ચ-ર૦રપ સુધીમાં ૧૪૦૦ થી વધુ પોલીસ અધિકારીઓની જગ્યાઓ પર ભરતી થયા પછી વર્ષ ર૦રપ માં નવી ભરતી માટે પરીક્ષાઓ લઈને મેરીટ મુજબ ભરતી કરાશે, તેવું આ ટાઈમટેબલ આજે પોલીસ બેડા તથા યુવાવર્ગમાં ચર્ચાના કેન્દ્રમાં છે. જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

શરદપૂર્ણિમાની ઉજવણી પછી દિવાળીના તહેવારોની રોનક દેખાવા લાગી છે અને લોકલ માર્કેટમાં થોડી ચહલ-પહલ વધી રહેલી જણાય છે, પરંતુ આ સાથે વરસાદની નવી નવી આગાહીઓ પણ થતી રહે છે, તેથી એવી ચર્ચા થઈ રહી છે કે આ વર્ષે દિવાળી સમયે પણ વરસાદ વરસ્યા રાખશે કે શું?
ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બદલી રહેલા માહોલ અને શિયાળો દસ્તક દેતો હોય તેવા સમયે જોરદાર ગરમી પડે, તેને ઘણાં લોકો ક્લાઈમેટ ચેઈન્જઅને ગ્લોબલ વોર્મીંગ સાથે જોડી રહ્યા છે, જ્યારે સતત પડી રહેલા વરસાદને લા નીનોની અસર ગણાવાઈ રહી છે.
બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરોના આંતરિક માર્ગો જ નહીં પણ ગ્રામ્ય માર્ગોથી લઈને હાઈ-વેઝ અને એક્સપ્રેસ-વે સુધીના તમામ માર્ગો તૂટીફૂટી ગયા છે, તે તત્કાળ મરામત માંગી રહ્યા છે. તગડો ટોલ ટેક્સ ઉઘરાવતી એજન્સીઓ તથા સંલગ્ન સરકારી તંત્રો આ મુદ્દે ચૂપકીદી સેવી રહ્યા છે, જ્યારે સરકાર મોટા મોટા પ્રોજેક્ટોના ભૂમિપૂજનો તથા લોકાર્પણો કરી રહી છે. તેથી સવાલ એ ઊઠી રહ્યો છે કે, મેગા પ્રોજેક્ટના મોટા મોટા આંકડાઓ દર્શાવીને પોતાની પીઠ થાબડતી સરકાર લોકોની આ મૂળભૂત તકલીફો દૂર કરવામાં કેમ ઢીલાસ રાખતી હશે? શું તેઓને માત્ર મલાઈદાર કામોમાં જ રસ લે છે? તૂટેલા માર્ગો માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે નિયમ મુજબના કદમ કેમ ઠાવાઈ રહ્યા નથી?
રાજ્ય સરકારે તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર તથા જલભરાવના કારણે લોકોની ઘરવખરી અને મિલકતોને થયેલા નુક્સાન સામે વળતર આપવાની જાહેરાતો કરી હતી, પરંતુ હાલાર સહિત ઘણાં વિસ્તારોમાં આ સહાય હજુ પણ ચૂકવાઈ નહીં હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. જામનગરની જ વાત કરીએ તો હજારો નાગરિકોને આ પ્રકારની સહાય ચૂકવાઈ ગઈ હોવાના દાવા થઈ રહ્યા છે, અને રપ કરોડથી વધુની ચૂકવણી થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ અનેક લોકોને આ સહાય હજુ સુધી ચૂકવાઈ નહીં હોવાની રાવ પણ ઊઠી રહી છે, જો કે તંત્ર દ્વારા જામનગરમાં ભારે વરસાદ-પૂરના કારણે રોજગારી બંધ રહી હોય તેવા પરિવારોને વળતર, કેશડોલ્સ, ઘરવખરીની સહાય ચૂકવાઈ ગઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આ પહેલા પણ અસરગ્રસ્ત પરિવારોએ સરકારી કચેરીઓમાં આવેદનપત્રો આપીને ધરણાં પણ કર્યા હતાં. આમ, હજુ ભારે વરસાદની પૂરેપૂરી સહાય ચૂકવાઈ નથી ત્યારે વરસાદની આગાહીઓ પડ્યા પર પાટુ (લાત) જેવી લાગી રહી છે, ખરૃં કે નહીં?
બીજી તરફ તાજેતરની ખાતરની સમસ્યા ઉપરાંત ખેડૂતોને નુક્સાનનું વળતર, સહાય તથા એમએસપીના પ્રશ્ને ખેડૂત સંગઠનો પણ દેશના વિવિધ રાજ્યોમાં રજૂઆતો કરી રહ્યા છે, અને ભારે વરસાદ, પૂર, લેન્ડ સ્લાઈન્ડીંગ તથા જલભરાવના કારણે સામાન્ય લોકો, વસાહતીઓ, વેપારીઓ, ખેડૂતો અને નાના-મધ્યમ ઉદ્યોગકારોને થયેલા નુક્સાન સામે અપાતી સહાય પણ ઊંટના મોઢામાં જીરૂ મૂકવા જેવી હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે.
ભારે વરસાદ અને પૂરપ્રકોપે પરિવહનને પણ ખોરવી નાંખ્યું છે. અત્યારે કોઈપણ માર્ગો પર વાહન ચલાવતી વખતે ખાડા-ચીરોડાજ નહીં, છેક હાઈ-વે સુધી અડીંગો જમાવનાર રખડુ અને ધણિયાતા (કોઈની ખાનગી માલિકીના) ઢોરથી પણ સાવધ રહેવું પડી રહ્યું છે. અંતરીક્ષમાં પહોંચવાની સિદ્ધિઓ મેળવનાર દેશો પાસે પણ આ કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં હોય? તેવો વ્યંગ થઈ રહ્યો છે.
આપણાં દેશમાં સોલાર ક્રાંતિ આવી રહી છે, અને ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગની સમસ્યા સામે કેમ લડવું, તે ભારત જ સમગ્ર વિશ્વને શિખવશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સરકારી ધોરણે પબ્લિક પરિવહનમાં હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારાઈ રહી છે, અને ખાનગી ઈલેક્ટ્રીક વાહનો માટે પ્રોત્સાહક સહાય પેકેજો જાહેર થઈ રહ્યા છે, ત્યારે અતિવૃષ્ટિ, જલભરાવ, પૂરની સ્થિતિમાં ઈલેક્ટ્રીક પરિવહનને માઠી અસર થતી હોવાથી નવતર સમસ્યાનો પડકાર પણ ઊભો થયો છે. કેટલાક શહેરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવાઈ રહી છે, અને સારી રીતે ચાલી પણ રહી છે, પરંતુ ભારે વરસાદ, જલભરાવ, પૂર જેવી સ્થિતિમાં કેટલીક બસોને ધક્કા પણ મારવા પડી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
હવે જોઈએ, જામનગર સહિત ગુજરાતના શહેરોમાં ઈલેક્ટ્રીક સિટીબસોનો પ્રયોગ કેટલો સફળ થાય છે તે.....
ટૂંકમાં અતિવૃષ્ટિ, પૂર, જલભરાવ પછી સરકાર ગમે તેટલા દાવા કરે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આ અંગે ઊઠતી ફરિયાદ પછી તંત્રો ફીફાં ખાંડી રહ્યા છે, તે પણ હકીકત જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અત્યારે માનવીની જિંદગી જ ફરજિયાત ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, કારણ કે હવે અદ્યતન ટેકનોલોજીની હજારો આંખો પ્રત્યેક વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મંડરાયેલી જ રહેતી હોય છે. લોકોની પળેપળની ખબર રાખતી અદ્યતન આંખો એટલે કે સીસી ટીવી અને મોબાઈલ સેલફોનના કેમેરાની સાથે સાથે ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ તથા આકાશમાં ગોઠવાયેલા સેટેલાઈટ્સની ટેકનોલોજિકલ આંખો આખી દુનિયા પર નજર રાખી રહી છે, ત્યારે એવું કહી શકાય કે ગમે તેટલા પ્રયાસો કરવામાં આવે તો પણ પૃથ્વી પરની પ્રત્યેક હિલચાલ તથા વ્યક્તિગત મૂવમેન્ટ, વાદ-વિવાદ, સંવાદ વગેરે તત્કાળ જાણતા-અજાણતા પણ કેમેરાઓમાં કંડરાઈ જ જતું હોય છે.
અદ્યતન ટેકનોલોજીના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. આ ટેકનોલોજીનો જેટલો પોઝિટિવ ઉપયોગ થાય છે, તેટલો જ નેગેટિવ ઉપયોગ પણ થઈ રહ્યો છે. આ કારણે જ હવે સાયબર ક્રાઈમને પહોંચી વળવા સાયબર સેલ ઊભા કરવા પડી રહ્યા છે, ખરૃં કે નહીં?
થોડા દાયકાઓ પહેલા પણ નેતાઓ ભાષણોમાં કાંઈક બોલે અને તેમાં ભૂલ થઈ જાય કે બફાઈ જાય તો ફેરવી તોળતા હતાં, અને વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ નેતાઓ ફેરવી તોળે છે, પરંતુ હવે તેવા રેકોર્ડેડ ઓરીજીનલ ભાષણો જ તેમની પોલ ખોલ નાંખતા હોય છે, અને પોતાના જ શબ્દો પુનઃ વાયરલ થતા નેતાઓ ગેંગે...ફેંફે કરવા લાગતા જોવા મળે છે.
અત્યારે તો ધાકધમકી આપતા, બ્લેકમેઈલ કરતા, લાંચ માંગતા કે અંતરંગ વાતચીતના ઓડિયો અને વીડિયો રેકોર્ડીંગ પણ ઘણી વખત નેતાઓની મુશ્કેલીઓ વધારી દેતા હોય છે, અને ગુનાખોરોના ગળાનો ગાળિયો પણ બની જતા હોય છે.
ચૂંટણીઓ સમયે અપાયેલા ભાષણો, કોઈ વિવાદ વકરે ત્યારે કરાયેલા નિવેદનો કે કોઈ સમારોહ, મિટિંગો કે નેશનલ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી ગામડાથી ગ્લોબલ સ્તરે કરાયેલા પ્રવચનોના ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ પણ સોશ્યલ મીડિયામાં હંમેશાં ઉપલબ્ધ થઈ જતા હોય છે, અને વાયરલ પણ થઈ જતા હોય છે. હવે તો પુરક પુરાવા તરીકે અદ્યતન ટેકનોલોજીના સાધનો પણ ખૂબ જ ઉપયોગી બનવા લાગ્યા છે અને કાનૂની માન્યતા પણ મળી હોવાથી કોઈપણ મૂવમેન્ટ કે શબ્દોના પ્રયોગ કરતી વખતે નેતાઓએ સાવધાની રાખવી પડે તેમ છે, ખરૃં કે નહી?
સાદાઈથી રાજનીતિ કરવાના શપથ લીધા પછી સરકારી ખર્ચે વીવીઆઈપી રહેઠાણો સહિતની સગવડો ભોગવતા નેતાઓ હોય કે વાયદાઓ કરીને ફરી જતા જન-પ્રતિનિધિઓ હોય, વિવિધ ક્ષેત્રે નિવેદનો કરતા મહાનુભાવો હોય કે વારંવાર રંગ બદલતા રહેતા ચિટરો હોય, બધાની અસલિયત હવે અદ્યતન ટેકનોલોજી તથા પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવી જ જતી હોય છે.
હમણાંથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનોના કેટલાક નિવદનો પણ ચર્ચામાં છે, જેના સૂર એક જ વર્ષમાં બદલાઈ ગયા છે. ભારતમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી સંપન્ન થયા પછી ત્યાંના વર્તમાન વિધાનસભામાં બહુમતી મેળવેલા ગઠબંધન તથા વિપક્ષી નેતાઓના કેટલાક નિવેદનો પણ ચર્ચામાં છે.
આજે મહારાષ્ટ્રના બોલકા નેતા અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાના નેતા સંજય રાઉતનું કટાક્ષભર્યા શબ્દો ધરાવતું નિવેદન ટોક ઓફ ધ નેશન બન્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ર૦ મી નવેમ્બરે થવાનું છે, ત્યારે એનડીએના પ્રાદેશિક સ્વરૂપ જેવી 'મહાયુતિ' સામે મીની ઈન્ડિયા ગઠબંધન જેવું ''મહાવિકાસ અઘાડી'' ગઠબંધનના નેતાઓ ચૂંટણીની રણનીતિ ઘડવા લાગ્યા છે, તેવા સમયે સંજય રાઉતે ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરી પર કરેલા પ્રહારોએ ખળભળાટ મચાવ્યો છે.
સંજય રાઉતે અમિતભાઈ શાહના એ નિવેદનના પ્રત્યાઘાતો આપ્યા છે, જેમાં અમિતભાઈએ કહ્યું છે કે 'અમે હાર સ્વીકારી લીધી, તમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યા, હવે તમારે જરૂરી પગલાં લેવા જોઈએ.'
ભાજપના ટોચના નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રીનું આ નિવેદન આજે એટલા માટે ચર્ચાસ્પદ બન્યું છે કે, આ નિવેદન તેમણે એકનાથ શિંદેને સંબોધીને આપ્યું છે. અમિત શાહે એમ પણ કહ્યું કે, 'અમારા લોકોએ તમારા માટે બલિદાન આપવું પડ્યું છે.'
મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા પછી જ્યારે મહાયુતિના ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની ટિકિટો ફાળવતા પહેલા અપાયેલા આ નિવેદનનો પ્રત્યાઘાત આપતા સંજય રાઉતે કહ્યું છે કે, 'ભાજપે કોઈ બલિદાન આપ્યું નથી, ભાજપનો હેતુ શિવસેનાને તોડવાનો જ હતો. ભાજપના નેતાઓએ બલિદાન આપ્યું એમ કહેવું એ બલિદાન શબ્દનું પણ અપમાન છે. તેઓ માત્ર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીઓને તોડવા જ મંગતા હતાં.'
આ બન્ને નિવેદનોના કારણે આજે મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને અટકળોનું બજાર ગરમ થયું છે. એવી ચર્ચા પણ થવા લાગી છે કે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ભાજપ મુખ્યમંત્રીપદ માટે પોતાના કોઈ દિગ્ગજ નેતાનો ચહેરો મેદાનમાં ઉતારવા માંગે છે, તેથી એકનાથ શિંદેનું જ રાજકીય બલિદાન લેવાઈ શકે છે. એવું કહેવાય છે કે ભાજપ, અજીત પવારની એનસીપી તથા શિંદેની શિવસેના વચ્ચે છે. વિધાનસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે મડાગાંઠ સર્જાઈ હશે, અથવા તો મુખ્યમંત્રીપદના ચહેરા માટે ખેંચતાણ હશે તેથી જ આવું બની રહ્યું છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં પણ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસના ભોગે વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવાની રેસમાં ઉતરી હોય, તેવું લાગતા જમ્મુ-કાશ્મીરના અનુભવે કોંગ્રેસ પણ એક એક કદમ ફૂંકી ફૂંકીને સાવચેતીપૂર્વક ઊઠાવી રહી હોય તેમ જણાય છે.
સંજય રાઉતે કહ્યું છે કે ભાજપે કોઈ બલિદાન આપ્યું નથી, કે ત્યાગ કર્યો નથી, પરંતુ પોતાના સ્વાર્થે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતાં, પરંતુ હવે તેને હાંસિયામાં ધકેલવાના કદમ ઊઠાવાઈ રહ્યા છે. કેટલાક વિશ્લેષકો એવું અનુમાન કરી રહ્યા છે કે એકનાથ શિંદે પોતે જ હરિયાણાના અનિલ વીજની જેમ રસ્તામાંથી હટી જાય અને તેના સ્થાને ફડણવીસ કે અન્ય કોઈ ભાજપના ચહેરાને આગળ કરે, તે પ્રકારનું પ્રેસર (દબાણ) પણ કરાઈ રહ્યું હશે. આ કારણે જ અમિતભાઈને આ પ્રકારનું નિવેદન કરવાની ફરજ પડી હશે!
આજે તો એવા અહેવાલો પણ આવ્યા છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી સામે ત્રીજો મોરચો પણ ઊભો થઈ શકે છે. રાજ્યના નાના નાના પક્ષો તથા ત્રણેય મુખ્ય પક્ષોના અસંતુષ્ટો મળીને એક ત્રીજો મોરચો રચી રહ્યા છે. જો આવો ત્રીજો મોરચો ઊભો થાય તો બન્ને મુખ્ય ગઠબંધનોનો ખેલ બગડી જાય તેમ છે, જોઈએ, હવેે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હરિયાણા, જમ્મુ-કાશ્મીર પછી હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, તથા આ બન્ને રાજ્યો ઉપરાંત તાજેતરમાં થનારી કેટલીક પેટાચૂંટણીઓમાં પણ ઈન્ડિયા ગઠબંધન સાથે એનડીએના બળાબળના પારખા થવાના છે, તો બીજી તરફ જામનગરમાં જામ્યુકોની સ્થાનિક પદાધિકારીની ચૂંટણીએ પણ નગરજનોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાક્રમોની સાથે ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ટેક્સટાઈલ પોલિસીની પણ ચર્ચા થઈ રહી છે. ગ્લોબલ લેવલ પર ભારતના વિદેશ મંત્રીની પાક.ની મુલાકાત તથા ભારત-કેનેડાના વણસેલા સંબંધો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
ગુજરાત સરકારે નવી ટેક્સટાઈલ પોલિસી-ર૦ર૪ જાહેર કરી છે, જેમાં ૮ વર્ષ માટે ૭ ટકા સબસિડી સહિતની જાહેરાતો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશને વિશ્વમાં ત્રીજા નંબરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યમાં ગુજરાતનું યોગદાન વધે તથા ટેક્સટાઈલના ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ હબ બને તેમાં આ નવી નીતિ સહયોગી બનશે. આત્મનિર્ભરતા મંત્ર સાથે આગળ વધી રહેલા દેશમાં ગુજરાત અડીખમ ઊભું રહેશે, તેવો દાવો પણ તમણે કર્યો હતો.
ગઈકાલે જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીમાં પહેલી વખત રપ ટકા કેપિટલ સબસિડી જાહેર કરી હોવાનો દાવો પણ કરાયો છે. સરકાર દ્વારા જાહેર થયેલી નવી પોલિસી મુજબ જુની નીતિમાં ફેરફાર કરીને નવેસરથી સહાય જાહેર કરાઈ છે. આ ઉપરાંત પાવર સબસિડીની ચર્ચા પણ થઈ રહી છે. એવો દાવો કરાયો છે કે ગુજરાતના સાડાપાંચ હજારથી વધુ ઈન્સ્ટ્રીયલ યુનિટ્સ માટે ૧૧૦૦ (અગિયારસો) કરોડથી વધુ રૂપિયાની સહાયનું પેકેજ અપાશે.
ગુજરાત ઘણાં દાયકાઓથી કાપડના ઉત્પાદન તથા માર્કેટીંગનું કેન્દ્ર રહ્યું છે. આ પહેલા વર્ષ ર૦૧ર માં જાહેર કરાયેલી ટેક્સટાઈલ પોલિસીમાં રૂ. ૩પ હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરાયું હતું, જેના કારણે ગુજરાતના કાપડ ઉદ્યોગે હરણફાળ ભરી હતી. એવો દાવો પણ કરાયો છે કે દેશમાં ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાતનો ફાળો રપ ટકા જેટલો રહ્યો છે.
વર્ષ ર૦૧૯ ની ટેક્સટાઈલ પોલિસીમાં વાર્ષિક રૂ. ર૦ કરોડની કેપ સાથે નવા રોકાણ પર ર થી ૩ રૂપિયા પાવર-સબસિડી, પ્લાન્ટ મશીનરીનું વિસ્તૃતિકરણ કરવા પર સબસિડી અપાતી હતી. વ્યાજ પર ૬ ટકા ઉપરાંત એનર્જી વોટર ઓડિટમાં પ૦ ટકા લેખે વધુમાં વધુ એક લાખ સુધીની સબસિડી, નાની મશીનરીમાં ખરીદી પર ર૦ ટકા લેખે રૂ. ૩૦ લાખ સુધીની સબસિડી આપી હતી.
જો કે, વર્ષ ર૦૧ર માં કેટલીક સબસિડી નહોતી, તેમાં વધારો તથા કેટલાક સુધારાવધારા કરાયા હતાં,અને કેટલીક જોગવાઈઓ યથાવત્ રખાઈ હતી. આ બન્ને પોલિસીઓ તથા તે પછીના અનુભવો તથા ફીડબેકના આધારે રાજ્ય સરકારે આ નવી પોલિસ બનાવી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
અ પોલિસી ગઈકાલે જ જાહેર થઈ છે, અને પ્રારંભિક મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, જ્યારે આ પોલિસીની સંપૂર્ણ વિગતો પબ્લિક ડોમેનમાં આવી ગયા પછી તેના વિગતવાર પ્રત્યાઘાતો પણ આજથી આવવા લાગ્યા છે.
આ પોલિસી જાહેર થઈ ત્યારે ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ પપ૦૦ (સાડાપાંચ હજાર) જેટલા ઔદ્યોગિક એકમોને રૂ. એક હજાર કરોડથી વધુ કિંમતની સાધનસહાયનું વિતરણ કરાયું હોવાથી સરકાર આ નવી પોલિસી સંદર્ભે ગંભીર હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ પોલિસીની જાહેરાતના ટાઈમીંગને મહારાષ્ટ્રની ચૂંટણી સાથે સાંકળીને કટાક્ષ કરી રહ્યા છે કે, 'કહીં પે નિગાહેં... કહીં પે નિશાના'...
મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર થયા પછી આચારસંહિતા લાગુ પડે, તે પહેલા મહારાષ્ટ્રમાં કેટલીક સરકારી જાહેરાતો થઈ અને હવે ત્યાં રાજકીય હિલચાલ સાથે ઉથલપાથલો પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ઘણી બધી રીતે મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું હોવાથી તથા મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ તથા ગુજરાતમાં પણ મરાઠી પરિવારોની નોંધપાત્ર વસતિ હોવાથી બન્ને રાજ્યોની કેટલીક બાબતો બન્ને રાજ્યોની ચૂંટણીમાં અસરકર્તા બનતી હોય છે, તેને કારણે રાજકીય પક્ષો પણ ચૂંટણી સમયે વિવિધ સમુદાયોને રિઝવવાના પ્રયાસોમાં લાગી જતા હોય છે, અને એ જ શ્રેણીમાં ગુજરાતમાં હજુ પણ કેટલીક જાહેરાતો થશે, તેવી અટકળો પણ થવા લાગી છે.
હરિયાણામાં ભલે ભાજપનો ઝંડો ફરક્યો હોય, પરંતુ મહારાષ્ટ્ર તથા ઝારખંડની સ્થાનિક રાજનીતિને અનુરૂપ જ ભાજપે અલગથી જ રણનીતિઓ ઘડવી પડી રહી છે, જ્યારે અન્ય રાજકીય પક્ષો પણ મહારાષ્ટ્રની ગુચવાડાભરી વર્તમાન સ્થિતિમાં અવઢવમાં જણાય છે.
દેશની રાજનીતિની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થવા અને ઉમર અબ્દુલ્લાને બહારથી જ ટેકો આપવાનો કોંગ્રેસનો નિર્ણય ચર્ચામાં છે. આજે નેશનલ કોન્ફરન્સના નેતૃત્વમાં જમ્મુ-કશ્મીરમાં અબ્દુલ્લાની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે જ કોંગ્રેસનો આ કથિત નિર્ણય પણ આજે રાજધાની દિલ્હીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
દેશમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો સહિત કેટલીક પેટાચૂંટણીઓ ર૩ મી નવેમ્બરે યોજાવાની હોઈ, તે રાજ્યોમાં પણ રાજકીય ગતિવિધિ તેજ બની છે, જ્યારે રજવાડી નગર જામનગરના રાજવી પરિવારના ઉત્તરાધિકારી જાહેર થયા પછી હવે તેના સંદર્ભે પણ કેટલીક રસપ્રદ ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના નવા સૂત્રધારોની ચૂંટણી (વરણી) પણ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
શરદ પૂર્ણિમાની ઉજવણીની ધામધૂમથી થયેલી તૈયારીઓ તથાબોર્ડની પરીક્ષાઓનું જાહેર થયેલું ટાઈમ ટેબલ પણ ચર્ચામાં છે, કારણ કે આ વખતે ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાવાની હોવાથી વિદ્યાર્થીવર્ગમા હવે તેની તૈયારીઓમાં લાગી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણું ગુજરાત, આગવું ગુજરાત, ભણે ગુજરાત, વાચે ગુજરાત, ખેલે ગુજરાત જેવા સરકારી નારાઓ બે દાયકાઓ પહેલાથી ગુજરાતમાં ગુંજી રહ્યા છે અને તેમાં દર વર્ષે નવા નવા નારાઓ ઉમેરાઈ રહ્યા છે. આ સરકારી નારેબાજીની અસરો વાસ્તવિક રીતે જનમાનસ પર કેટલી પડે છે, તે સંશોધનનો વિષય છે, પરંતુ તાજેતરમાં વધુ એક સરકારી નારો તેમાં ઉમેરાયો છે, અને રાજ્યમાં ભેળસેળ વિરોધી સરકારી ઝુંબેશની વાહવાહી કરવામાં આવી રહી છે. હકીકતે તાજેતરમાં રાજ્ય સરકારે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવીને 'સલામત ખોરાક... સ્વસ્થ ગુજરાત' નામનો નારો ગૂંજતો કર્યો છે.
આ નારો રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને આપ્યો છે. આ એ જ મંત્રી છે, જેઓ અન્ય એક મંત્રી સાથે કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા ગુસપુસ કરી રહ્યા હતાં, તેને લઈને સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા હતાં, અને તે પછી સમગ્ર રાજ્યમાં 'કાઢી મેલે તો કાઢી મેલે'નો સંવાદ 'નારેબાજી'ની જેમ વાયરલ થયો હતો.
રાજ્યમાં ઉજવાયેલા ફૂડ સેફ્ટી પખવાડિયાની માહિતી આપતા આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની સિઝનમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, અને દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળે, તે આ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે.
આ ઉજવણી હેઠળ રાજ્યભરમાં ફૂડસેફ્ટી અંગે ચેકીંગ હાથ ધરીને રૂ. સાડાચાર કરોડથી વધુ કિંમતનો શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ (ફૂડ એન્ડ ડ્રગ્સ) નિયમન તંત્ર દ્વારા અઢી હજાર જેટલા ઈન્સ્પેક્શન સાથે સાડાપાંચ હજાર જેટલા ખાદ્ય તથા પેય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હોવાનો દાવો કરાયો છે.
આ પખવાડિયા દરમિયાન 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ'ના નવતર અભિગમ હેઠળ નવરાત્રિ દરમિયાન સાડાછસો જેટલા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરીને પપ લાખથી વધુ નાગરિકોને ફૂડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. એવા આંકડાઓ સાથે આરોગ્ય મંત્રીએ માત્ર મહેસાણા તથા પાટણમાં અંદાજે દોઢ કરોડનું ૪પ ટનથી વધુ શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો.
એવી માહિતી પણ અપાઈ હતી કે સ્થળ પર તપાસ કરતા ચેટીંગ કરતી ટૂકડીને પામોલીન તેલ, ફોરેન ફેટ અને નકલી શંકસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો હતો. આ આંકડાઓ સ્વયં જ સૂચવે છે કે આ સ્થળો પર લાંબા સમયથી 'નકલી'નો ગોરખધંધો ધમધમી રહ્યો હશે.
એવો દાવો પણ કરાયો હતો કે ખાદ્ય ફૂટ સેફ્ટી પખવાડિયાની ઝુંબેશ ચલાવ્યા પછી રાજ્યભરમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે, અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પરિબળો સામે રાજ્ય સરકારની આ ઝુંબેશ પછી લોકોમાં પણ આ વિષયે જાગૃતિ આવી છે. લોકો ખાદ્ય અને પેય પદાર્થોની ખરીદી કર્યા પછી તેની શુદ્ધતા અને ગુણવત્તા પારખવા માટેના વિવિધ પરીક્ષણો તથા નુસ્ખાઓ પણ અજમાવતા થયા છે.
આ પ્રકારની ઉજવણીઓ થાય કે ડ્રાઈવ યોજાય ત્યારે ઝડપાતા વિપુલ જથ્થા અને ઝડપાતા ભેળસેળિયા પરિબળોને લઈને પોતાની પીઠ થાબડવા કે વાહવાહી કરાવવાના બદલે શરમ આવવી જોઈએ, તેમ નથી લાગતું?
હકીકતે આંકડાઓ સ્વયં સિદ્ધ કરે છે કે રાજ્યમાં કેટલા વિપુલ પ્રમાણમાં નકલી ખાદ્યચીજો બની રહી હશે. આ તો માત્ર નકલી ઘી ની જ વાત છે, પરંતુ આ જ રીતે નકલી દૂધ તથા નકલી ખાદ્યતેલો વગેરે પણ બનવા લાગ્યા છે. ભેળસેળની તો એટલી બધી સ્થાપક્તા છે કે તદ્ન ૧૦૦ ટકા શુદ્ધ ચીજવસ્તુ તો મળવી જ મુશ્કેલ છે. 'ભેળસેળ' હવે સર્વવ્યાપી બન્યા છે, અને આ 'ભેળસેળિયા' પરિબળોની સરકારી કે પંચાયત-પાલિકા-મહાપાલિકા-નિગમોની 'ભ્રષ્ટાચારી ટોળીઓ' સાથેની સાઠગાંઠ તથા 'ઉપર' સુધીની પહોંચના કારણે ભેળસેળ અને નકલી પદાર્થોની બદી એટલી બધી વધી ગઈ છે કે તેને અંકુશમાં લેવા આ પ્રકારનું એકાદ પખવાડિયું ટૂંકુ પડે તેમ છે.
હકીકતે તગડો પગાર લેતા તંત્રો આખું વર્ષ બેદરકાર રહે છે, અથવા તો હપ્તા પદ્ધતિથી લોલંલોલ ચલાવે છે, તેથી જ સરકારને આ પ્રકારના પખવાડિયા ઉજવવા પડતા હશે, તેમ પણ કહી શકાય, અને એવું પણ માની શકાય કે તમામ પ્રકારની જાણકારી હોવા છતાં અકળ કારણોસર આંખ આડા કાન કરતા પ્રજાની આંખમાં ધૂળ નાંખવામાં આવે છે. વિપક્ષના નેતાઓ પણ (કેટલાક અપવાદોને બાદ કરતા) રહસ્યમય ચૂપકીદી સેવતા હોય છે, તે હકીકત નથી? તેવા જનપ્રત્યાઘાતોમાં પણ દમ છે.
જો તંત્રો બારેમાસ પોતાની ફરજો બજાવતા હોય, અને ભ્રષ્ટાચારીઓ સાથે ભેળસેળિયાઓની સાઠગાંઠ ન હોય તો આ પ્રકારણે જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવાની કે પખવાડિયા ઉજવવાની જરૂર જ ન પડે ને?
હવે રાજ્યનું પોલીસતંત્ર ર૭ મી ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને મકાનભાડાના કરાર વગર મકાન ભાડે આપનાર મકાનમાલિકો સામે કાર્યવાહી કરશે, તેની સાથે સાથે મકાનમાલિકોએ પોતાના વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નિયત પ્રકારે નોંધણી કરવા માટે કાર્યરત ઓનલાઈન સિસ્ટમ અંગે પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરશે. આ માટે પોલીસ તંત્રે જાહેર જનતાને અપીલ પણ કરી છે.
મકાનમાલિકોએ આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવું સરળ હોય અને તેમાં કોઈ ગરબડ થતી ન હોય તો આ પ્રક્રિયા કરવામાં આળસ ન રાખવી જઈએ, અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ક્યાંય પણ લાંચ-રૂશ્વતની ફરિયાદ હોય, તો તેના નિવારણ માટે પણ એક એક્ટીવ અને પ્રોટેક્ટિવ સિસ્ટમ ઊભી કરવાના મુદ્દે પણ ગંભીર વિચારણા થઈ રહી હોય તો તે સમયોચિત અને આવકારદાયક ગણાશે, ખરૃં ને?
આ પ્રકારની ડ્રાઈવ ઝુબેશો અને ઉજવણીઓ બંધ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તેવું કહેવાનો આશય નથી, પરંતુ કાયમી ધોરણે પણ આ જ પ્રકારની સક્રિયતા જળવાય તે જરૂરી ગણાય, ખરૃં કે નહીં?

નોરતા પૂરા થઈ ગયા, અને રાવણનું દહ્ન થઈ ગયું છતાં આ વર્ષે હજુ વરસાદ વરસી જ રહ્યો છે અને નવી નવી આગાહીઓ થતી રહે છે, તેથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે આ વર્ષે વરસાદ દિવાળી સુધી વરસતો જ રહેશે તે શું?
તેવી જ રીતે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ, પરિણામો આવી ગયા, નવી સરકારો રચાવા જઈ રહી છે, છતાં દેશમાં રાજનીતિના રંગ વધુને વધુ ઘેરા બનતા જાય છે, અને શેરબજારની જેમ રાજકીય પક્ષોની લોકપ્રિયતામાં પણ અનિશ્ચિતતાઓનો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સવાલ એ ઊઠે છે આપણા દેશમાં કાયમી ધોરણે કોઈને કોઈ ચૂંટણીઓમાં અનિશ્ચિતતાઓનો નાદ્ ગૂંજતો જ રહેવાનો છે કે શું?
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પૂરી થયા પછી હવે રાજકીય પક્ષોની નજર મહારાષ્ટ્ર પર મંડાયેલી છે. આ રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધનના પ્રાદેશિક સ્વરૂપ સમાન મહાવિકાસ અઘાડી અને એનડીએના મીની એલાયન્સ સમી મહાયુતિ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે. મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) મુખ્ય પક્ષો છે, જ્યારે મહાયુતિમાં ભાજપ, એનસીપી (અજીત પવાર) અને એકનાથ શિંદેની શિવસેના એ ત્રણ મુખ્ય પક્ષો છે.
કમાલની વાત એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને તોડીને તેના બળવાખોર નેતાઓ સાથે ભારતીય જનતા પક્ષે મહાયુતિ બનાવી છે અને તેની જ સરકાર ત્યાં ચાલી રહી છે. એટલું જ નહીં, સંખ્યાબળના આધારે ચૂંટણી પંચે પણ શિવસેના તથા એનસીપીના મૂળ સ્વરૂપે આ જુથોને માન્યતા આપી છે, એટલે કે તે શિવસેના તથા એનસીપીને અસલ પક્ષો ગણાવ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે તથા શરદ પવારના જુથોને અલગ ચૂંટણી પ્રતીકો અપાયા છે. આ કારણે અહીં થનારો બહુકોણીય મુકાબલો ઘણો જ રસપ્રદ અને દરેક પક્ષો માટે પડકારરૂપ રહેવાનો છે.
પહેલા તો એવું લાગતું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપની લોકપ્રિયતા ઘટી છે અને એનડીએને ફટકાઓ પડ્યા પછી મીની એનડીએ એટલે કે મહાયુતિના જુથો બેકફૂટ પર છે, પરંતુ હરિયાણાના ચોંકાવનારા પરિણામો પછી હવે બન્ને તરફના જુથો વધુ સતર્ક થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી, તેથી મહારાષ્ટ્રમાં ભાજપના ટોપ ટુ બોટમ નેતાઓ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીની આગામી રણનીતિ ઘડી રહ્યા છે, જ્યારે સાથીદાર પક્ષો સાથે બાખડી પણ રહ્યા છે. બીજી તરફ અઘાડીમાં અત્યારે તો એક્તા જણાઈ રહી છે.
એવું કહેવાય છે કે, અજીત પવારનો મહાયુતિમાં સમાવેશ થયા પછી આરએસએસની રાજકીય શાખામાં નારાજગી પ્રવર્તી રહી છે અને સંઘની ટોચની નેતાગીરી પણ ભાજપની આ ગોઠવણ સાથે સંપૂર્ણપણે સંમત હોય તેમ જણાતું નથી. આ કારણે મહાયુતિને જો સંઘનો સક્રિય ટેકો નહીં મળે તો ઉત્તરપ્રદેશવાળી થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહે છે. આ કારણે જ દબાયેલા સ્વરે અજીત પવાર પણ કાંઈક નવાજુની કરવાના મૂડમાં હોવાની કાનાફૂસી થતી રહે છે. બીજી તરફ પીઢ રાજનેતા બાબા-સિદ્દીકીની હત્યાને લઈને મહાયુતિ સરકારની કોંગ્રેસ તથા અઘાડીએ ઘેરાબંધી કરી છે.
મહારાષ્ટ્રમાં ગુજરાતની રાજનીતિનો પ્રભાવ પહેલેથી જ રહેતો આવ્યો છે. મુંબઈમાં વસવાટ કરતો મોટો ગુજરાતી સમાજ પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતો રહ્યો છે. ગુજરાતમાં દાયકાઓથી ભારતીય જનતા પક્ષનું શાસન છે, પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય સમિકરણો હંમેશાં બદલાતા રહ્યા છે, તેનું કારણ એ છે કે ગુજરાતમાં વર્ષ ૧૯૭૪ માં જનતા મોરચાની પ્રથમ બિનકોંગ્રેસની સરકાર રચાયા પછી આજે ખૂબ જ મજબૂત થયેલા ભારતીય જનતા પક્ષ અને આઝાદી કાળથી દિગ્ગજ નેતાઓનો વારસો જાળવી રહેલો દાયકાઓ (ઓવરસેન્ચ્યુરી) થી ઊંડા મૂળિયા ધરાવતો કોંગ્રેસ પક્ષ જ મુખ્ય સ્પર્ધકો રહ્યા છે, જ્યારે જ્યારે ત્રીજા પક્ષની રચના કરવાની કોશિશ થઈ ત્યારે ત્યારે તે પક્ષોને કાં તો સફળતા જ મળી નહીં, અથવા અડધી-અધુરી સફળતા મેળવ્યા પછી અન્ય પક્ષમાં વિલિન થઈ જવાનો વારો આવ્યો, અથવા તેને જનસમર્થન ખૂબ જ ઓછું મળતા હાંસિયામાં ધકેલાઈ ગયા. આ કારણે ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે, જો કે ગત્ વિધાનસભામાં વિધાનસભાની કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા હતાં, જેમાં હાલારનો પણ સમાવેશ થાય છે.
હમણાંથી ગુજરાત સરકારના વિભાગો દ્વારા વિશેષ ઝુંબેશો, અભિયાનો તથા ડ્રાઈવ્સ ચાલી રહ્યા છે. તેમાં ફૂડ સેફ્ટીના મુદ્દે ચાલતા અભિયાનનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભેળસેળના મુદ્દે કાંઈક એવું કહીં દીધું કે જેથી ભાજપમાં હલચલ મચી ગઈ અને પોલિટિક્સમાં આ મુદ્દે સુનામી આવી ગઈ હોય તેવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા.
નીતિન પટેલે એવું કહ્યું હોવાની ચર્ચા છે કે એક હજારમાંથી ૬૦૦ ઓઈલમીલોમાં ખાદ્યતેલોમાં ભેળસેળ થતી હોય, અને ખોળમાં પણ ભેળસેળ થતી હોય ત્યારે કડક કદમ ઊઠાવવા જોઈએ. આ મુદ્દે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એસોસિએશનના વર્તુળોમાંથી પણ વિવિધ પ્રત્યાઘાતો પડઘાયા છે.
હવે જ્યારે ભાજપના દિગ્ગજ નેતા જ ૬૦ ટકા જેટલી ભેળસેળનો આક્ષેપ કરતા હોય, ત્યારે 'રાજનીતિ કરે છે' તેવા રટણનો છેદ જ ઊડી જાય ને? આમ પણ ભેળસેળ પણ ભ્રષ્ટાચારનો જ એક પ્રકાર છે અને તેનો પગપેસારો હવે 'ઉચ્ચ' કક્ષાઓ સુધી પહોંચ્યો છે, ત્યારે હવે વ્યાપક જનજાગૃતિ જરૂરી છે, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે દેશભરમાં વિજ્યાદશમીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને ઠેર-ઠેર શસ્ત્રપૂજન, નવા આયોજનો તથા નવી ઘોષણાઓ થઈ રહી છે. આજે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના રાજઘરાનાની મહત્ત્વપૂર્ણ જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જામનગરના રાજવીવંશના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ અજય જાડેજાને પોતાના વારસદાર જાહેર કર્યા છે, અને આ પ્રસ્તાવ અજય જાડેજાએ સ્વીકાર્યો હોવાનું ખુદ જામસાહેબે જાહેર કર્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને આવકારતા પ્રતિભાવો પણ વહેતા થયા છે.
રાજઘરાનાના વારસદાર તરીકે અજય જાડેજા નિમાયા હોવાની ચર્ચાએ પણ હાલારમાં જોર પકડ્યું છે, અને આ કથિત જાહેરાતને દશેરાની વધામણી તરીકે જોવામાં આવી રહી છે.
બીજી તરફ દેશભરમાં રાવણદહ્નના કાર્યક્રમો આજે યોજાવાના છે. રાવણદહ્ન એ એક પ્રતિકાત્મક પરંપરા છે, અને તેના દ્વારા વિશ્વને અસત્ય પર સત્ય તથા નકારાત્મક્તા સામે હકારાત્મક્તાના વિજયનો સંદેશ આપે છે, જો કે સત્ય અને ન્યાય માટે લડવામાં આકરી કસોટી થતી હોય છે, અને ખુદ ભગવાન જો માનવના સ્વરૂપમાં અવતાર લ્યે ત્યારે તેને પણ આ પ્રકારની લડાઈ લડતા લડતા અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે, અને ઘર-પરિવારનો ત્યાગ કરીને તથા દરિયાપાર પહોંચીને યુદ્ધ કરવું પડતું હોય છે.
વર્તમાન યુગમાં પ્રતિકાત્મક રીતે તો આપણે રાવણદહ્ન કરીએ છીએ, પરંતુ હકીકતમાં અનેક રાવણો આજના યુગમાં એવા છે, જે રામાયણકાળના રાવણને ઘણો સારો કહેવડાવે. બે-પાંચ વર્ષની બાળકીઓ તથા સગીરા કન્યાઓને પીંખી નાંખતા દુષ્ટોની સરખામણી જો રાવણ સાથે કરીએ, તો તે રાવણનું પણ અપમાન કર્યું ગણાય. રાવણ અસૂર અને દુરાચારી હતો, છતાં તે કેટલીક લક્ષ્મણરેખા ઓળંગી શક્યો નહોતો, પરંતુ તેણે વેશપરિવર્તન કરીને સીતાજીને છેતર્યા હતાં અને તેનું અપહરણ કર્યું હતું, પરંતુ લંકા ગયા પછી તેમણે સીતાજીને અશોકવાટિકામાં રાક્ષસીઓની વચ્ચે કેદમાં રાખ્યા હતાં, તેવી કથા આપણે બધા જાણીએ છીએ.
વર્તમાન યુગના રાવણો તો સગી દીકરી કે સગી માતા પર પણ કુદૃષ્ટિ કરતા હોય છે અને કેટલાક દરિંદાઓ તો દુષ્કર્મ કરતા પણ અચકાતા હોતા નથી, તેથી એવું કહી શકાય કે અત્યારે અત્ર-તત્ર-સર્વત્ર સંખ્યાબંધ આ પ્રકારના રાવણો અટ્હાસ્ય કરી રહ્યા છે, ત્યારે હવે આ સમાજે જ તેનો સામનો કરવો પડે તેમ છે.
દુરાચાર, દુષ્કર્મ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર પ્રજાદ્રોહ, મિથ્યાચાર, વિશ્વાસઘાત, છેતરપિંડી, ધોખેબાજી, અનૈતિક્તા, ક્રૂરતા અને માત-પિતા પરિવારનો દ્રોહ કરવા જેવા દુર્ગણો સ્વરૂપી માથા ધરાવતા રાવણ જેવી અત્યાચારની વાસ્તવિક્તાનું દહ્ન કરવાનો સંકલ્પ આજના દિવસે લેવો જોઈએ, અને આ માટે જન-આંદોલન ચલાવવું જોઈએ, પરંતુ તેની શરૂઆત સ્વયં (ખુદ) થી જ કરવી જોઈએ, તેમ નથી લાગતું? આજે દશેરા છે, ત્યારે આ કડવી વાસ્તવિક્તાને નકારી શકાય તેમ નથી અને તેના દશ માથાના રાવણ જેવા સ્વરૂપનો વધ કરવા માટે કોઈ એકલ-દોકલ વ્યક્તિ નહીં, પરંતુ સામૂહિક રીતે રામસેના બનીને લડવું પડે તેમ છે, ખરૃં કે નહીં?
દર વર્ષે આપણે રાવણદહ્ન કરીએ છીએ, છતાં એક જ વર્ષમાં ફરીથી રાવણદહ્ન કરવું પડે છે, તે સૂચવે છે કે અસુર રાવણને તો ભગવાન શ્રીરામે રણમાં હણી નાંખ્યો, પરંતુ જે નવો દશ માથાનો રાવણ જનમાનસમાં છવાઈને પગપેસારો કરી રહ્યો છે, તેને હણવો અશક્ય છે, અને તેના માટે પ્રતિકાત્મક રાવણદહ્ન, રામલીલાઓ તથા સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવીને આધુનિક રાવણોને આધુનિક ઢબે જ હણવા પડે તેમ છે, અને રામાયણના રાવણની જેમ આધુનિક રાવણ શરીર ધરાવતો નથી, પરંતુ વિકાર અને વિકૃતિઓના સ્વરૂપમાં પનપી રહ્યો છે, તેને ઓળખીને તેને ખતમ કરવાના નવતર ઉપાયો પણ કરવા પડે તેમ છે, ખરૃં કે નહીં?
આજે રાવણનો વધ થયો અને ભગવાન શ્રીરામનો વિજય થયો, તેની ઉજવણી આપણે કરીએ છીએ, અને મીઠાઈઓ વહેંચીએ છીએ, ત્યારે આજે એવો સંકલ્પ પણ લઈએ કે અદ્યતન રાવણને હણવા માટે આપણે સાથે મળીને પ્રયાસો કરીએ અને ભગવાન શ્રીરામને પ્રાર્થીએ કે રાવણ કરતાયે અનેકગણા શક્તિશાળી આ અદૃશ્ય રાવણોની રાવણવૃત્તિ હણવાની શક્તિ આપે...
આજે દશેરાના પાવન પર્વે જામનગરના રાજવંશજ તરીકે અજય જાડેજાને આવકારીએ. ભગવાન શ્રીરામના જીવન-કવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીને આપણી વચ્ચેના 'રાવણો' પર વિજય મેળવીએ. 'નોબત'ના વાચકો સહિત સૌ કોઈને વિજ્યાદશમીની શુભકામનાઓ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ચોમાસું પૂરૃં થતા જ રિયલ એસ્ટેટના ક્ષેત્રે તેજી આવશે અને ચોમાસા દરમિયાન ધીમી ગતિએ ચાલી રહેલો બાંધકામ ઉદ્યોગ વધુ ઝડપથી ધમધમી ઊઠશે, તેવા સંકેતો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી સહિત ખરીફ પાકો માર્કેટમાં આવ્યા પછી લોકલ માર્કેટમાં પણ તેજી આવશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે, તો બીજી તરફ છેક તામિલનાડુથી મગફળીની ખરીદી માટે છેક હાલાર સુધી ખરીદદારોના આગમનથી મગફળીના સારા ભાવ આવશે, તેવી ધારણાઓ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી મંદીનો માર ઝીલી રહેલા કેટલાક સેક્ટરો પણ મંદીમાંથી બહાર આવી જાય તો આગામી સમયમાં બાંધકામ ઉદ્યોગ પણ બેવડી ગતિથી વેગ પકડશે, તેવી અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદના કારણે ખેતીપાકો ધોવાઈ ગયા હોય, તેવા કૃષિકારોને પણ સરકારી સહાય મળ્યા પછી હવે રવિપાકો માટે પરિશ્રમ કરશે, તેવા ફિડબેક મળી રહ્યા છે, અને સરકારી તંત્રો આ પ્રક્રિયામાં ઝડપ વધારે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે.
ગુજરાતની રેરા ઓથોરિટી એટલે કે ગુજરેરા દ્વારા નવા મકાનો ખરીદનાર લોકોના હિતાર્થે એક આદેશ કર્યો હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે. પોતાના ઘરનું ઘર, દુકાન કે અન્ય હેતુઓ માટે મકાન ખરીદવા ઈચ્છતા લોકો રિયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટોની સચોટ અને આધારભૂત માહિતી મળી રહે અને બિલ્ડરો-ડેવલપર્સને પણ બંધનકર્તા રહે તેવી એક નવી સૂચના આ આદેશના માધ્યમથી અપાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
રિયલ એસ્ટેટમાં નવા બાંધકામો અંગે બિલ્ડીંગ ડેવલપર્સ જાહેરાતો પ્રસિદ્ધ કરતા હોય છે, તે ઉપરાંત પેમ્ફ્લેટ્સ, બ્રોસર્સ, પ્રોસ્પેક્ટ્સ, હોર્ડિંગ્ઝ, વીડિયો-તસ્વીરો વગેરે દ્વારા પણ પોતાના સૂચિત પ્રોજેક્ટ અંગે પ્રચાર-પ્રસાર કરતા હોય છે.
અહેવાલો મુજબ બાંધકામ પ્રોજેક્ટો અંગેની તલસ્પર્શી માહિતી આપતી જાહેરાતો, બ્રોસર્સ, પ્રોસ્પેક્ટ્સ વગેરેમાં ક્યુઆર કોડ ફરજિયાતપણે રાખવાનો આદેશ અપાયો છે. આ મો ગુજરેરા દ્વારા પરિપત્ર જાહેર કરાયો હોવાની ચર્ચા સાથે આ અંગે મિશ્ર પ્રત્યાઘાતો તથા કેટલાક હકારાત્મક પ્રતિભાવો સાથે સૂચનો અને અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે.
કોઈપણ વ્યક્તિને મકાન ખરીદવું હોય, તો તે પોતાના બજેટ મુજબના મકાનો પોતાના ઈચ્છિત વિસ્તારોમાં ઉપલબ્ધ હોય, તેની માહિતી મોટાભાગે વિવિધ માધ્યમોથી થતી જાહેરાતો દ્વારા મેળવે છે, અને સંબંધિત પ્રોજેક્ટની માહિતી રિયલ એસ્ટટની જાહેરાત જોયા પછી જે તે સ્થળની મુલાકાત લઈને મેળવતો હોય છે. મોટાભાગની પ્રોજેક્ટની જાહેરાતોમાં હાઈલાઈટ્સ, સ્થળનું સરનામું તથા સંપર્કના માધ્યમો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી કે વેબ એડ્રેસ વિગેરેની ટૂંકી વગતો અપાતી હોય છે, અને વિગતવાર માહિતી માટે સ્થળ પર જઈને તપાસ કરવી પડતી હોય છે, તેના બદલે આ પ્રકારની તમામ માહિતી ખરીદનારને સરળતાથી ઉપલબ્ધ થાય, તે માટે ગુજરેરાએ આ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સંભવિત ખરીદદારો માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોસરો, પ્રોસ્પેક્ટ્સમાં ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કોડ મૂકવાનો આ પરિપત્રમાં આદેશ કરાયો હોય તો તેનાથી ખરીદનાર અને વેંચનાર, તથા ડેવલપર્સની પણ સરળતા વધશે અને બધા માટે સુવિધાજનક હશે, તેવો જનરલ ઓપિનિયન બંધાઈ રહ્યો છે.
પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયેલો આ નિયમ પ્રોજેક્ટ અંગેની ઝડપી માહિતી મળી રહે તેવો દર્શાવાયો છે. જેથી જાહેરાતોમાં આઠ આંકડાનો રેરા નંબર તથા ગુજરેરા વેબેસાઈટ ઉપરાંત હવે ડેવલપર્સે પ્રોજેક્ટવાઈઝ ક્યુઆર કોડ (ક્વિક રિસ્પોન્સ કોડ) પણ સામેલ કરવો પડશે. રેરાના નોંધણી પ્રમાણપત્રમાં અપાતા ક્યુઆર કોડ ઘર ખરીદનારાઓ તથા હિસ્સેદારો તથા રોકાણકારોને તથા અન્ય રસ ધરાવતા લોકોને તેમના સ્માર્ટ ફોનમાં સ્કેન કરતા જ સંબંધિત પ્રોજેક્ટની સંપૂર્ણ અને વિસ્તૃત તલસ્પર્શી માહિતી મળી શકશે.
એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે એગ્રીમેન્ટ ફોર સેલ, વેંચાણખત અથવા એએફએસ, અન્ય બંધનકર્તા કરારો વગેરે માટે આઠ અંકના કોડના બદલે સંપૂર્ણ રેરા નોંધણી નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે.
એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ પ્રકારની જોગવાઈઓ થતા પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. એટલું જ નહીં, ગંભીર પ્રકારની ગુંચવણનો તથા કાનૂની વ્યવહારોમાં ગંભીર પ્રકારની મુંઝવણો ઊકેલી શકાશે, તથા ખોટી રજૂઆતો અટકશે.
આ પરિપત્રનો ઊંડો અભ્યાસ કર્યા પછી રિયલ એસ્ટેટ ઉપરાંત કસ્ટમર્સ, ઈન્વેસ્ટર્સ તથા સામાન્ય જનતામાંથી વિસ્તૃત અને ઉપયોગી ફિડબેક અપાશે, પરંતુ હાલતુરત જે પ્રતિભાવો અને પ્રત્યાઘાતો આવી રહ્યા છે, તેમાં કેટલીક આશંકાઓ તથા પ્રશ્નો પણ છે અને આ પ્રકારે જ કસ્ટમર્સ, ઈન્વેસ્ટર્સ અને પોતાનું ઘરનું ઘર મેળવવાના સપના સાકાર કરવા મથી રહેલા નિમ્ન અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોના હિતાર્થે અન્ય કેટલીક બાબતે પણ સંબંધિત તંત્રો અને ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે.
દૃષ્ટાંત તરીકે રાજકોટમાં ગેઈમઝોન અગ્નિકાંડ પછી તંત્રોમાં પણ એટલો બધો ગભરાટ જોવા મળી રહ્યો છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મંજુર કરેલા પ્રોજેક્ટો સંપન્ન થયા પછી ફાયરસેફ્ટી તથા અન્ય તમામ સેઈફ ગાર્ડસ પૂરા થયા હોય તો પણ બંધાઈ ગયેલા એપાર્ટમેન્ટ્સ, ટેનામેન્ટ્સ તથા કોમર્શિયલ સંકુલોને ફાયર વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોની જરૂરી મંજુરી તથા એનઓસી વગેરે આપવામાં નિરર્થક વિલંબ થઈ રહ્યો છે, અને બિનજરૂરી રીતે એનઓસીમાં વિલંબ થતા ઘરનું ઘર માંડ-માંડ મેળવવા મથી રહેલા સામાન્ય પરિવારોના ફ્લેટો, ટેનામેન્ટો તૈયાર હોય, તો પણ તેમાં માત્ર એનઓસીના અભાવે કબજો નહીં મળતા કે રહેવાની મંજુરીના અભાવે રહેવા જઈ શકતા નથી. આ કારણે સામાન્ય પરિવારો એક અલગ જ પ્રકારની વિટંબણા, પરેશાની અને મુંઝવણ ઉપરાંત આર્થિક સંકટમાં પણ મૂકાય છે. આથી આ પ્રકારની પ્રક્રિયાઓ ઝડપી બને અને સામાન્ય નાગરિક વિનાવાં કે હેરાન ન થાય, તે માટે નેતાઓ પણ અવાજ ઊઠાવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે રતન ટાટાનું નિધન થયું, તે પછી દેશભરના ઉદ્યોગ જગતમાં શોકનો માહોલ છે, અને પી.એમ. અને પ્રેસિડેન્ટથી લઈને દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના અનેક દિગ્ગજ મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૂળ ગુજરાતી પરિવારે આખા દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે તો બ્રિટિશ કાળથી પેઢી-દરપેઢી અનુપમ યોગદાન આપ્યું જ હતું, પરંતુ સેવાક્ષેત્રે તથા દેશ માટે પણ આ પરિવારનું પ્રદાન સરાહનિય રહ્યું છે.
રતન ટાટાની સાદગી, સરળતા, વિનમ્રતા અને કોઠાસુઝની અત્યારે ચોતરફ ચર્ચા થઈ રહી છે. રતન ટાટાના દાદાનું નામ પણ રતનજી ટાટા હતું. દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં પણ આ સમૂહની ટાટા કેમિકલ્સ કંપની કાર્યરત છે. ટાટા સમૂહ, ટાટા સન્સની જાયન્ટ કંપનીઓ વિષે સૌ જાણે છે, અને આ પરિવારના વિવિધ ક્ષેત્રે યોગદાનથી પણ ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.
ગુજરાતના નવસારીથી ઉદ્ભવેલા ટાટા પરિવારે માત્ર ઉદ્યોગ ક્ષેત્ર જ નહીં, પરંતુ સેવાકીય ક્ષેત્રે પણ પેઢી-દરપેઢી ઉત્તમ યોગદાન આપ્યું છે. નવસારીથી મુંબઈ થઈને દેશભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે ફેલાયેલો ટાટા સમૂહ જમશેદજી ટાટાએ ભારતમાં કરેલી ઔદ્યોગિક પહેલની ફલશ્રૂતિ છે. જમશેદજી ટાટાને ભારતમાં ઔદ્યોગિક વિકાસના જનક પણ કહેવામાં આવે છે. જમશેદજી ટાટા પછી ઉત્તરોત્તર જોઈએ તો સર દોરાબજી ટાટા, સર રતનજી ટાટા-આર.ડી. ટાટા, તે પછી જેઆરડી (જમસેદજી) ટાટા અને ગઈકાલે નિધન થયું તે રતન ટાટા તથા તેના પિતરાઈ ભાઈઓ સુધીના જમશેદજીના વંશજોએ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત સેવાકીય, માનવીય અને સામાજિક સેવાઓનો વારસો પણ જાળવ્યો હોવાની આજે ચર્ચા થઈ રહી છે. જમશેદજી ટાટાથી લઈને રતન ટાટા સુધીના વંશજો તથા હવે નોએલ ટાટા તથા સિમોન ટાટા સહિતના પરિવારજનો સુધી વિસ્તરેલા સેવા, સાહસ, સફળતા અને સાદગીના સંસ્કારો તથા અનેકવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની ચર્ચા પણ આજે ચોતરફ થઈ રહી છે.
ભારતમાં આઝાદી કાળ પછી મુખ્ય ઉદ્યોગપતિઓ તરીકે ટાટા-બિરલા જુથોના નામો પ્રચલિત હતાં. આઝાદી પહેલા બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોની ભેદભાવભરી નીતિ અને ભારતમાં ઉદ્યોગો વિક્સે નહીં, તેવા વલણના કારણે ભારતમાંથી કાચો માલ પાણીના ભાવે મેળવીને તેનું બ્રિટનમાં ઉત્પાદન કરાતું હતું, અને તેના કારણે જ સ્વદેશી ચળવળ તથા વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર જેવા આંદોલનો પણ ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો હિસ્સો બની ગયા હતાં. ભારતીય ખેડૂતો અને વ્યાપારીઓ ઉપર ઊંચા કરવેરા લદાયા હતાં અને ખેતપેદાશો તથા ફળદ્રુપ જમીનો પર પણ અંગ્રેજોની શોષણનીતિ લાગુ કરાઈ હતી. ઊંચુ મહેસુલ વસુલ કરાતું હતું અને તેમાંથી જ વિદેશમાં બનેલી વસ્તુઓ ભારતમાં ખૂબજ ઊંચા ભાવે વેંચીને તે સમયના અંગ્રેજો આપણું શોષણ કરતા હતાં. આ સ્થિતિનું ચિત્રણ 'લગાન' ફિલ્મમાં આબેહૂબ રીતે કરાયું છે, અને તે સમયની અંગ્રેજ અમલદારોની અત્યાચારી અને મનસ્વી રીત-રસમો પણ ઉજાગર થઈ છે.
બ્રિટિશકાળમાં ભારતની વસ્ત્રકલા, કાસ્ટકલા, હસ્તકલા, ભરત-ગુથણ તથા શિલ્પ-સ્થાપત્ય કલાનું વૈશ્વિક માર્કેટીંગ થતું હતું, પરંતુ તેનો લાભ ભારતીયોને મળતો નહીં. ભારતમાંથી કપાસ, રેશમ, ધાતુ, મસાલા તથા ખેતપેદાશોની નિકાસ થતી હતી અને તેના પર બ્રિટનમાં પ્રોસેસીંગ કરીને બાય-પ્રોડક્ટ તરીકે ખૂબ જ ઊંચા ભાવે ભારતમાં મોકલાતી હતી. આ રીતે ભારતીયોનું શોષણ થતું હતું. ભારતમાં પુષ્કળ કાચો માલ (રો-મટિરિયલ્સ) તથા સસ્તો શ્રમ (મજૂરી) ઉપલબ્ધ હોવાના કારણે ભારતમાં ઉદ્યોગોના વિકાસની વિપુલ તકો હોવા છતાં પણ અંગ્રેજોએ ભારતમાં ઉદ્યોગોને પનપવા જ ન દીધા. અંગ્રેજોએ ભારતના હસ્તશિલ્પ ઉદ્યોગો, ગૃહઉદ્યોગો તથા કલાઆધારિત વ્યવસાયોને ખતમ કરી દેવાની નીતિ અપનાવી અને અદ્યતન ઉદ્યોગોનો વિકાસ મંથર ગતિએ જ ચાલે તેવા કારસા રચ્યા હતાં. એટલું જ નહીં, ભારતમાં વિઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોના વિકાસ વિરોધી રણનીતિ અપનાવી હતી.
અંગ્રેજોએ ભારતને આઝાદી સોંપતી વખતે પણ લુચ્ચાઈ કરી અને ભારત તથા પાકિસ્તાનના ભાગલા પાડીને ભારતીય સંસ્કૃતિ જ નહીં, પરંતુ વ્યાપાર-ઉદ્યોગોને પણ ફટકો પડે તેવી નીતિ અપનાવી હતી.
આ કારણે આપણા દેશને આઝાદી મળ્યા પછી ઔદ્યોગિક વિકાસ માટે 'એકડેએક'થી શરૂઆત કરવી પડે, તેવી સ્થિતિ સર્જાઈ હતી. આઝાદીકાળમાં ભારતમાં સુતર, શણ, કાપડ, લોખંડ, સિમેન્ટ અને ખાંડ આધારિત ઉદ્યોગો પા-પા પગલી ભરતા હતાં, અને તેને જોરદાર પ્રોત્સાહન તથા સાહસિક અભિગમની જરૂર હતી.
સ્વતંત્ર ભારતની પહેલી ઔદ્યોગિક નીતિ ૧૯૪૮ માં ઘડાઈ. તે પહેલા બ્રિટિશકાળમાં લોખંડના કારખાના સ્થપાયા તો હતાં, પરંતુ તેનો ફાયદો ભારતને થતો નહોતો, જો કે વર્ષ ૧૮પ૩-પ૪ માં ભારતમાં રેલવે તથા ટેલિગ્રામની સુવિધાઓ ઊભી કરાઈ હતી, પરંતુ તે અંગ્રેજોએ પોતાના સ્વાર્થે વિકસાવી હતી. તેવા સમયે વર્ષ ૧૯૦૭માં જમદેશજી ટાટાએ ટિસ્કો યુનિટ સ્થાપ્યું હતું, અને ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની શરૂ થઈ હતી, જેમાંથી આજે વિશાળ ટાટા એમ્પાયર ખડું થયું છે, જેમાં રતન ટાટાનો આધુનિક ઔદ્યોગિક વિકાસમાં સિંહ ફાળો છે... જમશેદજી ટાટાના વંશવેલાનો ઝળહળતો ચિરાગ બુઝાઈ ગયો છે, ત્યારે તેઓના આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે, તેવું પ્રાર્થી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

થોડા સમય પહેલા જંગી ટોલ ટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ધોરીમાર્ગોની દેખભાળ તથા મરામતની નીતિરીતિને લઈને સવાલો ઊભા થયા હતાં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પશુઓ ન પ્રવેશે, તેવી ચૂસ્ત વ્યવસ્થા કરવાની જરૂર પણ જણાવાઈ હતી. ચોમાસા પછી ઘણાં સ્થળે ધોરીમાર્ગો પર પડેલા ખાડા-ચીરોડા બુરવા ઉપરાંત માર્ગોના તથા પુલ-પુલિયાઓના મજબૂતિકરણની જરૂરિયાત પણ જણાવાઈ હતી. આ મુદ્દે અનુસંઘાન લઈને સરકાર કોઈ ચોક્કસ પોલિસી જાહેર કરશે તેવી માંગ પણ ઊઠી હતી, પરંતુ કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી દ્વારા આ મુદ્દે નક્કર પોલિસીની જાહેરાત નથી થઈ.
જો કે, નીતિન ગડકરીએ પેટ્રોલપંપો પર નેશનલ હાઈ-વેના કિનારે જ લોકોને વિવિધ સુવિધાઓ મળે, તે પ્રકારની એક 'હમસફર પોલિસી'નું લોન્ચીંગ કર્યું છે, અને તેના ફાયદા વર્ણવતું 'એક્સ' પોસ્ટ પર ટ્વિટ પણ કર્યું છે.
આ પોલિસી અંતર્ગત નેશનલ હાઈ-વે પર આવેલા તમામ પેટ્રોલપંપોએ સ્વચ્છ ટોયલેટ, બાળસંભાળ (બેબીકેર) રૂમ્સ, વ્હીલચેર, ઈલેકટ્રીક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનો, પાર્કિંગ તથા મુસાફરો-ડ્રાઈવરો માટે ફ્રેશ થવા, આરામ કરવા કે રાત્રિ મૂકામ કરવા જેવી સગવડો આપવા જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવાનું ફરજિયાત રહેશે, અને તેવી વ્યવસ્થાઓ નહીં કરી શકનાર પેટ્રોલપંપો સામે કાર્યવાહી થશે, તેવી જોગવાઈઓ પણ કરાઈ હોવાનો દાવો કરાયો છે.
કેન્દ્રિય માર્ગ-વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીના ટ્વિટ ઉપરાંત લોન્ચીંગ સમારંભના અહેવાલો પણ પ્રેસ-મીડિયામાં ફરતા થયા છે, જેના જન-પ્રતિભાવો પણ સામે આવવા લાગ્યા છે, અને સોશ્યલ મીડિયા પર પણ આ પોલિસીની તરફેણ ઉપરાંત અનેકવિધ સૂચનો સાથે કોમેન્ટો થઈ રહી છે, તો વ્યંગ પણ કરાઈ રહ્યો છે.
ગઈકાલથી જ લાગુ થયેલી આ પોલિસી અંગે કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રાલયના વર્તુળોએ એવો દાવો કર્યો છે કે, હમસફર પોલિસી ધોરીમાર્ગોનો ઉપયોગ કરતા મુસાફરોને સલામત, અનુકૂળ અને આનંદપ્રદ અનુભૂતિ કરાવશે, તો નવી રોજગારીનું પણ સર્જન થશે. ખાસ કરીને સર્વિસ સેક્ટરને ફાયદો થશે તથા સેવા-વ્યવસ્થાઓ દ્વારા આજીવિકાની તકો પણ વધશે. આ હમસફર પોલિસી પરોક્ષ રીતે પરિવહન ક્ષેત્ર તથા ઉદ્યોગક્ષેત્ર માટે પણ પૂરક બળ પૂરવાર થશે.
સ્વયં ગડકરીને એવો દાવો કર્યો છે કે, 'હમસફર બ્રાન્ડ' વિશ્વકક્ષાના હાઈ-વે નેટવર્ક પર મુસાફરો અને ડ્રાઈવરો માટે આપણા દેશમાં અત્યંત સલામતિ તથા આરામની સુવિધાઓના પર્યાય તરીકે ચિન્હિત થશે. ટોલ-ટેક્સ વસૂલનારે હવે મુસાફરોની સુરક્ષાની તથા આરામની ખાતરી પણ કરવી પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી પણ લેવી પડશે.
તેમણે ત્યાં સુધી કહી દીધું કે નેશનલ હાઈ-વે પર આવેલ પેટ્રોલપંપોએ સ્વચ્છ ટોયલેટ, પાણી તથા પૂરક અન્ય સુવિધાઓ આપવી પડશે, અન્યથા પંપો બંધ કરવાની નોબત પણ આવી શકે છે. તેમણે કહ્યું કે, 'મેં જોયું છે કે ઘણાં પેટ્રોલપંપો પર શૌચાલયો બંધ છે. હાઈ-વેની બાજુમાં આવેલા પેટ્રોલપંપો પર જાહેર જનતા માટે શૌચાલયો સ્વચ્છ અને ખુલ્લા રાખવા અનિવાર્ય છે.'
ગડકરીના મંત્રાલયના વર્તુળો જણાવે છે કે, તમામ મુસાફરો માટે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ નેશનલ હાઈ-વેઝ પર આવેલ પેટ્રોલપંપો પર ઉપલબ્ધ થાય, અને તેમાં પણ મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થાઓ થાય, તથા ટ્રક-ડ્રાઈવર્સની જરૂરિયાતો મુજબની આરામ તથા ફ્રેશ થવાની સગવડો ઉપલબ્ધ થાય તેવો આ પોલિસીનો ઉદ્દેશ્ય છે.
જો કે, હમસફર પોલિસી શરૂ થવા જઈ રહી છે અને હજુ તો માત્ર લોન્ચીંગ જ થયું છે, તેથી તેનો ઊંડો અભ્યાસ કરીને જ કોઈ ચોક્કસ પ્રતિભાવો આપી શકાય કે સૂચનો થઈ શકે, પરંતુ સોશ્યલ મીડિયામાં તો આ પોલિસીને લઈને અનેક પ્રકારની કોમેન્ટો થવા લાગી છે અને મોટાભાગે કટાક્ષો તથા ટિકા-ટિપ્પણીઓ જ થઈ રહી છે.
મોટાભાગના વાહનચાલકો તથા વાહન માલિકો ઉપરાંત રોજ-બરોજ મુસાફરી કરતા હોય તેવા લોકો પણ દરેક પેટ્રોલપંપ પર નિઃશુલ્ક હવા ભરવાની (પૂરવાની) સુવિધા કાયમી ધોરણે ચોવીસેય કલાક ચાલુ રહેવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપી રહ્યા છે. કેટલાક લોકો પેટ્રોલપંપો પર રાઉન્ડ-ધ-ક્લોક પંકચર સાધવાની, ટાયર બદલવાની તથા નાની-મોટી મરામત માટેના જરૂરી સાધનો રાખવાની સુવિધાની જરૂર પણ જણાવી રહ્યા છે.
લોકોને ઉલ્લુ બનાવવા, મિથ્યા પ્રચાર કરવા અને અમલના નામે મીંડુ હોય છતાં નવી નવી યોજનાઓ જાહેર કરવા સામે બળાપો કાઢતા ઘણાં લોકો લખે છે કે હવા ભરવા, પંકચર કરવા અને પીવાનું પાણી, ટોયલેટ જેવી સુવિધાઓ તથા મોબાઈલ રિચાર્જ, બેટરી રિચાર્જ જેવી સુવિધાઓ તો પંપો પર કરાવો, પછી મોટી મોટી વાતો કરજો...
આ પ્રકારના પ્રત્યાઘાતો આપે, તે સ્વાભાવિક પણ છે. અત્યારે માત્ર નેશનલ હાઈ-વે જ નહીં, પરંતુ સ્ટેટ હાઈ-વે, નગરો-ગામોના આંતરિક માર્ગો, મહાનગરોના મુખ્ય માર્ગો તથા શેરી-મહોલ્લાની સડકો હોય કે પછી ગામોને પરસ્પર જોડતા ગ્રામ્ય-સીમ માર્ગો હોય, તમામ માર્ગો ચોમાસા પછી તદ્ન તૂટી-ફૂટી ગયા છે અને તેના કારણે વાહનોમાં થતી નાની-મોટી તકલીફો નિવારવામાં કલાકો કે એક-બે દિવસ નીકળી જાય કે દૂરથી બીજા વાહનમાં મિકેનિક બોલાવવો પડે, તેવી સ્થિતિ છે, ત્યારે પ્રાથમિક જરૂરિયાતોને પણ પ્રાયોરિટી આપવી જોઈએ ને?
પેટ્રોલપંપો પર 'હમસફર' પોલિસી સફળ રહે અને સુવિધાઓ વધે, તો તે આવકારદાયક જ છે, પરંતુ તે પોલિસીમાં જ તમામ પેટ્રોલપંપો પર વાહનોના પંકચર, નાના-મોટા રિપેરીંગ તથા સ્પેરપાર્ટસ વગેરે અત્યંત જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ સમાવેશ કરવો જરૂરી છે, અને તેનો ઉલ્લેખ થયો હોય તો પણ તેનો ઝડપભેર અને ચૂસ્તપણે અમલ થાય તે પણ જરૂરી છે, કારણ કે આ પ્રકારની ઘણી પોલિસીઓ અમલી જ બની ન હોય, કે યોગ્ય અમલ ન થયો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે. કેટલીક જાહેરાતોને તો 'ચૂનાવી' ઝુમલો ગણાવી દેવાઈ હતી, ભૂલી નથી ગયા ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે સવારથી જ સૌ કોઈની નજર હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની મતગણતરી પર હતી અને માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ વિવિધ બિન-રાજકીય માધાંતાઓ તથા દેશવાસીઓ તેમજ દુનિયામાં પથરાયેલા હમવતનીઓ પણ આ ચૂંટણી પરિણામો પર નજર રાખીને બેઠા હતાં. પહેલેથી જ એવું કહેવાતું હતું કે આ ચૂંટણી પરિણામો દેશની રાજનીતિ પર પણ દીર્ઘકાલિન અસરો કરવાના છે, અને નજીકના સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વગેરે અન્ય રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પર પણ અસરો પડવાની છે.
બપોર સુધીનો ટ્રેન્ડ જોતા જમ્મુ-કાશ્મીરમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન તોતીંગ બહુમતી સાથે સરકાર રચવા જઈ રહ્યું હોય તેમ જણાય છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. બન્ને રાજ્યોના અંતિમ પરિણામો આજે સાંજ સુધીમાં આવી જાય, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, પરંતુ જનતાએ સમતોલ જનાદેશ આપીને હરિયાણામાં ભાજપને ફરીથી તક આપી હોય, અને જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા તથા રાહુલ ગાંધીની પાર્ટીઓના ગઠબંધનને જનાદેશ આપ્યો હોય તેમ જણાય છે, જો કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાનો મુદ્દો સરકાર રચાયા પછી પણ ઊભો જ રહેવાનો હોવાથી તેની અલગથી ચર્ચા થઈ રહી છે.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા, સાંસદ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત સહિત કેટલાક નેતાઓ અવારનવાર ઈવીએમ સામે સવાલ ઊઠાવતા રહ્યા હોવાથી તે મુદ્દો પણ ઉછળશે, જો કે જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધનને જનાદેશ મળે તેમ હોવાથી કદાચ આ મુદ્દો બહુ ઉછળે નહીં, તો પણ હરિયાણામાં તમામ એક્ઝિટ પોલ્સ ઉલટા પડે એટલે કે અનુમાનોથી વિપરીત પરિણામો આવે તો તેની સામે પણ સવાલો તો ઊઠવાના જ છે, અને આ મુદ્દે ભાજપ-એનડીએ દ્વારા કેવા જવાબો અપાશે, તે પણ નક્કી જ છે, ખરૃં કે નહીં?
આજના ચૂંટણી પરિણામો પછી ભાજપને થોડો હાશકારો પણ થશે, કારણ કે જો આ બન્ને રાજ્યોમાં જબ્બર પછડાટ ખાધી હોત, તો ભારતીય જનતા પક્ષમાં ટોપ-ટુ-બોટમ નિરાશા વ્યાપી ગઈ હોત અને એનડીએ પણ ઝડપથી વિખેરાવા લાગ્યું હોત, તેથી એમ કહી શકાય કે હરિયાણાની જનતાએ ભાજપના રાષ્ટ્રીય અસ્તિત્વને થોડો ઓક્સિજન આપી દીધો છે, જો કે હવે બન્ને રાજ્યોમાં સરકારો રચાયા પછી પણ આંતરિક ખેંચતાણની શક્યતાઓને નકારી શકાતી નથી, તો બીજી તરફ કોંગ્રેસ પણ આ ચૂંટણીઓ પછી પોતાની રણનીતિ નવેસરથી નક્કી કરશે તેમ જણાય છે.
હરિયાણામાં જેજેપી, બીએસપી વગેરે નાના પક્ષોનું ગઠબંધન, કોંગ્રેસ, ભાજપ તથા અપક્ષોના કારણે મતો વહેંચાઈ જતા એક્ઝિટ પોલ્સવાળાઓની ગણતરીઓ થાપ ખાઈ ગઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જો હરિયાણામાં એક સામે એક એટલે કે વર્તમાન શાસક પક્ષ સામે તમામ વિપક્ષો તરફથી એક જ ઉમેદવાર મેદાનમાં હોત અને બળવાખોર અપક્ષો ઓછા હોત તો પરિણામો કાંઈક અલગ જ હોત, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.
જો કે 'જો જીતા વો હી સિકંદર'ની ઉક્તિ મુજબ હરિયાણા તથા જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દૃષ્ટિએ જોઈએ તો જનતાએ મુખ્ય પક્ષોને રાજી રાખ્યા છે, જ્યારે કેટલાક સ્થાનિક પક્ષો તથા નેતાઓને તેનું સ્થાન પણ બતાવી દીધું છે.
જો કે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવે, તે પહેલાથી મહારાષ્ટ્રમાં સબળ-ડખળ ચાલુ થઈ ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી હર્ષદવર્ધન પાટીલ શરદ પવાર જુથની એનસીપીમાં જોડાયા પછી સંજય રાઉતે એવો સંકેત આપ્યો છે કે હવે મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થતા જ ભાજપમાંથી ઘણાં નેતાઓ અઘાડીમાં જોડાશે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાયા પછી તેના પરિણામોની દીર્ઘકાલિન અસરો પણ રાષ્ટ્રીય રાજનીતિ પર પડશે અને સમીકરણો બદલાઈ, તેવા સંકેતો મળી રહ્યા છે.
બીજી તરફ બિહારમાં એનડીએની સરકાર સત્તારૂઢ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની મિટિંગોમાં નીતિશ કુમારના બદલે સમ્રાટ ચૌધરી મોટાભાગે હાજર રહેતા હોવાથી થઈ રહેલી અટકળો વચ્ચે આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ એવી ભવિષ્યવાણી કરી હતી કે બિહારમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પછી નવા જુની થવાની છે અને રાજકીય ક્ષેત્રે જબરા ઉથલપાથલ થયા પછી નીતિશ કુમારની ખુરશી ડગમગવા લાગશે. બિહારમાં ભારતીય જનતા પક્ષ નીતિશ કુમાર પર મુખ્યમંત્રીપદ છોડવાનું દબાણ કરી રહ્યો હોવાનો આક્ષેપ કરતા તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજ્ય સરકારે ગઈકાલે વર્ષ ર૦૦પ પહેલાના કર્મચારીઓની ઓપીએસની માંગણી સ્વીકારી છે, તો ગુજરાતમાં નવરાત્રિની ધૂમ પણ મચી છે.
હરખીલા હાલારીઓ પણ માતૃશક્તિની આરાધના સાથે મનભરીને રાસ-ગરબાની મોજ માણી રહ્યા છે, જો કે જામનગરના કેટલાક વિસ્તારોમાં જનતાને પડતી તકલીફ કે આજુબાજુના રહીશોને થતી પરેશાનીને અવગણીને જે રીતે માથુ ફાટી જાય તેવા અવાજે લાઉડસ્પીકર ગૂંજી રહ્યા છે અને અવર-જવર ઠપ્પ થઈ જાય, તેવી રીતે જાહેર માર્ગો પર મનસ્વી રીતે આયોજનો થયા છે, તેથી જે-તે વિસ્તારોમાં આયોજકો સામે નારાજગી પણ વધી છે અને તેને અનુલક્ષીને હલચલ પણ મચી હતી.
રાજકીય ક્ષેત્રે પણ હલચલ વધી છે. ભાજપના નેતાઓ હડિયાપટ્ટી કરી રહ્યા છે, તો બીજી તરફ હરિયાણા, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ પછી 'કહી ખુશી કહીં ગમ' જેવો માહોલ સર્જાયો છે.
ગઈકાલે આ બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના એક્ઝિટપોલ્સમાં જુદા જુદા અનુમાનો થયા છે, પરંતુ સમાન બાબત એ છે કે ભાજપના હરિયાણામાં સુપડા સાફ થવા જઈ રહ્યા હોવાના અંદાજો મૂકાયા છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાઓ છતાં ત્યાં પણ ભાજપને વિપક્ષમાં જ બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય, તેવું ચિત્ર ઉપસ્યું છે.
હરિયાણામાં ભારતીય જનતા પક્ષ અને જેજેપીએ સત્તાસુખ સાથે મળીને ભોગવ્યું, પરંતુ લોકસભાની ચટણી પછી ચિત્ર બદલાયું છે. ભાજપ સાથે સત્તા ભોગવીને જેજેપી પણ ડૂબી રહી છે અને વિધાનસભામાં અત્યારે તો રકાસ થશે, પરંતુ ભવિષ્યની રાજનીતિ માટે પણ કપરાચઢાણ જણાય છે.
જો એક્ઝિટ પોલ્સના તારણો સાચા પડે તો એમ કહી શકાય કે દેશમાં કોંગ્રેસનો ઝડપભેર પૂનરોદય થઈ રહ્યો છે. હરિયાણામાં તો ધમાકેદાર સફળતા મેળવીને કોંગ્રેસ સરકાર બનાવશે જ, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં પણ એનસીપી-કોંગ્રેસની જ સરકાર રચાશે તેવા દાવાઓ થઈ રહ્યા છે.
શનિવારે મતદાન થયા પછી સાંજથી જ જુદા જુદા એક્ઝિટ પોલ્સ આવવા લાગ્યા અને બે દિવસથી અખબારો તથા ન્યૂઝ ચેનલોમાં વિશ્લેષણો થઈ રહ્યા છે, ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે, અને જેજેપી હરિયાણામાં તથા પીડીપી જમ્મુ-કાશ્મીરમાં હાંસિયામાં ધકેલાઈ રહી છે, તેવા તારણો નીકળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો હોવાની તર્કબદ્ધ ચર્ચા પણ થઈ રહી છે. ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ક્યાં થાપ ખાધી, તેનું જ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, કારણ કે હરિયાણામાં તો પહેલેથી જ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજકીય માહોલ એકતરફી જણાવાઈ રહ્યો હતો.
હરિયાણાની ૯૦ (નેવું) બેઠકો પર મતદાન થયા પછી વિવિધ એક્ઝિટ પોલ્સના તારણો જોતા જેજેપીએ એકલા હાથે ચૂંટણી લડી, તે તેને નડ્યું છે, અને ખેડૂત આંદોલન વખતે ભાજપની તરફેણમાં વલણ રાખ્યું હતું, તે પણ નુક્સાનકારક પૂરવાર થયું હતું. જેજેપી કોંગ્રેસના મત કાપશે, તેવી ભાજપની ધારણા ખોટી પડી અને જેજેપીને મતો જ ખૂબ ઓછા મળ્યા અને તેમાં પણ ભાજપના કમિટેડ વોટ્સ પણ કપાયા હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ર૦૧પ માં જ્યારે ત્રિશંકુ વિધાનસભા રચાઈ હતી, ત્યારે ભાજપે તદ્ન વિપરીત વિચારધારા ધરાવતી પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું ૫રંતુ પાછળથી બુમરંગ પુરવાર થતા ગઠબંધન તોડ્યું હતું. આ વખતે તો પીડીપીને જ પછડાટ પડી રહી છે. અહીં ભાજપે થાપ ખાધી અને જમ્મુ-કાશ્મીરની ક્ષેત્રિય પાર્ટીઓ એનસીપી-કોંગ્રેસના વોટ કાપશે તેવી ધારણા તદ્ન ખોટી પડી રહેલી જણાય છે.
જો કે, આ બધા અનુમાનો જ છે અને એક્ઝિટ પોલ્સના તારણો છે, છતાં તમામ સર્વેક્ષણો તથા એક્ઝિટ પોલ્સમાં મહત્તમ સમાનતા હોય, તેના નજીકના જ પરિણામો આવતા હોય છે. કેટલીક વખત ચમત્કારિક રીતે આ તારણોથી વિપરીત પરિણામો પણ આવ્યા છે, પરંતુ તેવું જુજ અપવાદરૂપ કિસ્સાઓમાં જ બન્યું છે, તેમ છતાં વાસ્તવિક પરિણામોની આવતીકાલ સુધી રાહ જોવી રહી...
આ બધા કારણે ભારતીય જનતા પક્ષમાં સંતાપ વધી રહ્યો છે. હવે તો વર્ષ ર૦૧૩-૧૪ માં જે રીતે કોંગ્રેસ સામે પડકારો ઊભા થયા હતાં, તેવી જ સ્થિતિ ભાજપની થવા લાગી છે. વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ જેવી ઝળહળતી સફળતા તો દૂર રહી, પરંતુ ભાજપને વર્ષ ર૦ર૪ માં એકલા હાથે બહુમતી નહીં મળતા જેડીયુ-ટીડીપીના સહારે સરકાર રચવી પડી હતી. વર્ષ-૨૦૧૪ અને ૨૦૧૯માં 'મોદી મેઝિક' ચાલ્યો હતો, તેવી રીતે જ શાસનની વિરૂદ્ધમાં પરિવર્તનની હવા આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં ફૂંકાઈ રહી હોય તેમ જણાય છે, તેથી પરિણામો જો એક્ઝિટ પોલ્સની નજીક રહ્યા તો દેશમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે તેવી અટકળો પણ થવા લાગી છે.
ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ ભરતી મેળા દરમિયાન ભાજપમાં આવેલા કોંગીના ભૂતકાળના દિગ્ગજોએ રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઘેરી લીધી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓની ઓપીએસ સહિતની કેટલીક માંગણીઓ સંતોષીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હોય, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં માર્ગોનું નવીનિકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણ ઝડપભેર થઈ રહ્યું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઠેર-ઠેર ફ્લાઈ ઓવરબ્રીજનું માળખું રચાઈ રહ્યું છે, તો કોસ્ટલ હાઈ-વે તથા સ્ટેટ હાઈ-વે ઉપરાંત નગરો-મહાનગરોમાં પણ રેલવે ઓવરબ્રીજ, ફ્લાઈ ઓવરબ્રીજ, અંડરપાસ તથા ફોર લેન, સિક્સલેન ધોરીમાર્ગોને જોડતા એપ્રોચ રોડ, રીંગરોડ અને બાયપાસ રોડના કામો પણ ઝડપભેર ચાલી રહ્યા હોવાના અહેવાલો રોજ-બ-રોજ આવી રહ્યા છે, જો કે સિક્કાની બીજી બાજુ પણ છે.
ગુજરાત હાઈકોર્ટે એક સુઓમોટો કેસની સુનાવણી દરમિયાન કરેલી ટિપ્પણીમાંથી ગુજરાતમાં માર્ગોની સ્થિતિ અંગે સિક્કાની બીજી બાજુની વાસ્તવિક્તા પ્રગટ થતી હોય તેમ જણાય છે, અને અદ્યતન સંકુલોની નજીકમાં જ કેવી દૂર્દશા મોજુદ છે, તેનો પર્દાફાશ પણ થાય છે.
ગુજરાત હાઈકોર્ટે એક સુઓમોટો પીઆઈએલ દાખલ કરીને જે મુદ્દે રાજ્યના મુખ્ય સચિવનો ખુલાસો મળ્યો છે, તે મુદ્દો ઘણો જ ગંભીર છે. છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામે માર્ગ, એમ્બ્યુલન્સ તથા તત્કાળ સારવારના અભાવે એક ગર્ભવતી મહિલાને બચાવી શકાય નહીં, અને જે સંજોગોમાં તે મૃત્યુ પામી, તેને લઈને હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા જે શબ્દો કહ્યા છે, તેમાંથી જ અદાલતની તીવ્ર નારાજગી પ્રગટે છે.
આ સુઓમોટો અખબારી અહેવાલોના આધારે દાખલ થઈ હોવાથી અખબારી અહેવાલોને મહત્ત્વ નહીં આપતા અને તેની અવગણના કરતા નેતાઓ તથા અધિકારીઓ માટે પણ બોધપાઠરૂપ છે. જો અહેવાલોમાં સચોટતા, તથ્ય અને તદ્વિષયક વિગતો ઉપલબ્ધ હોય, તો ઉચ્ચ ન્યાયાલયો પણ તેની નોંધ લેતા હોય છે, અને જનતાની અદાલતમાં પણ તેની નોંધ લેવાતી હોય છે. અદાલતો સરકારને ફટકાર લગાવે, અધિકારીઓને તતડાવે, અને તેમ છતાં સુધારો ન જણાય તો અદાલતો તેઓને બંધારણનું ભાન કરાવે, જ્યારે જનતાની અદાલત વખત આવ્યે (ચૂંટણી ટાણે) પોતાનો ફેંસલો સંભળાવતી હોય છે.
તુરખેડા ગામના કેસમાં અદાલતે કહ્યું કે, 'અમારે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિને જ આ પ્રકારના અહેવાલો વાચવા પડ્યા હતા. આવી ઘટનાથી અમારૂ માથું શરમથી ઝુકી જાય છે, અને અમે આઘાતમાં છીએ.'
અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પર ટનલ, પરોડામાં સુરંગ કાઢીને માર્ગો બનાવી શકીએ છીએ, પરંતુ એક નાનકડા ગામનો પાંચ વર્ષથી રોડ બનાવી શકતા નથી. આ ગામમાં ત્રણ ત્રણ વખત આ પ્રકારની ઘટના બને, છતાં ત્યાં રોડ ન બને, તેને દુઃખદ ગણાવતા અદાલતે કહ્યું કે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું અત્યાધૂનિક વિકસિત સંકુલ હોય ત્યાં આરોગ્ય સેવાઓ નજીકના ગામડા સુધી ન પહોંચે અને પ્રસૂતા મહિલા મોતને ભેટે તે કમનસીબી ગણાય. ગર્ભવતી મહિલાને કપડાના સ્ટ્રેચરમાં લઈને પરિવારજનો રસ્તાના અભાવે જ્યાં દૂરના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી શકી, ત્યાં સુધી લઈ ગયા, ત્યાં બાળકને જન્મ આપીને ગર્ભવતી મહિલાએ છેલ્લો શ્વાસ લીધો હોય તો તે ખૂબ જ શરમજનક જ ગણાય ને?
જે ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકમાં હોય, તેમ છતાં તેને જોડતો યોગ્ય માર્ગ નહીં હોવાથી ત્યાંની કોઈ પ્રસૂતા આ રીતે મૃત્યુ પામી હોય, તો તેને વિકાસની હરણફાળ કહેવાય કે પછી નક્કર વાસ્તવિક્તાનું વરવું દૃષ્ટાંત કહેવાય?
આ ગામમાં કોઈપણ પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ ન હોય, ગામને જોડતો યોગ્ય માર્ગ ન હોય અને આ સ્થિતિ નિવારવા પાંચ વર્ષો દરમિયાન ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ન હોય, તો તેને સુશાસન કહેવાય કે કુશાસન કહેવાય? જો કે, આ અંગે આગામી ૧૭ ઓક્ટોબરે વધુ સુનાવણી થશે, ત્યારે સરકાર અને તંત્રનું બચાવનામું પણ સામે આવશે, અને તે પહેલા કદાચ તંત્રો કે સરકાર ખુલાસા પણ કરશે, પરંતુ તેમ કરવાથી તુરખેડા જેવા નાનકડા ગામની મૃતક મહિલા થોડી પાછી આવવાની છે?
આમ તો મહાનગરોને લઈને અને ખાસ કરીને અમદાવાદને સાંકળીને હાઈકોર્ટે બિસ્માર માર્ગો, રખડતા ઢોર અને ટ્રાફિક નિયમનને લઈને ઘણી વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તંત્રો, સનદી અધિકારીઓ તથા સરકારના કાન ખેંચ્યા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશનની તદ્ન નજીકના એક ગામડાની મહિલાના કમભાગ્યે આ પ્રકારે થયેલા મૃત્યુને લઈને હાઈકોર્ટે જે કડક ભાષા વાપરી છે, તે રાજ્યના સંખ્યાબંધ ગામડાઓની વેદના ઉજાગર કરે છે, તેમ નાથી લાગતું?
સૌરાષ્ટ્રમાં પણ અનેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પછી માર્ગોની દૂર્દશા થઈ છે અને ઘણાં ગામડાઓ તો તુરખેડાની જેમ જ માર્ગ કનેક્ટિવિટીના અભાવે મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ હવે ગામેગામથી માર્ગોની દૂર્દશાના ફોટો-વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને અખબારોમાં તો દરરોજ તસ્વીરો સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતા હોય છે, તો ન્યુઝચેનલોના માધ્યમથી પણ વાસ્તવિક્તા ઉજાગર થતી હોય છે, પણ આત્મશ્લાધાના અતિરેકમાં રાચતા નેતાઓ અને તંત્રોને એ જોવાની ફુરસદ ક્યાં છે? જો હાઈકોર્ટ જેવી ઉચ્ચ ન્યાયિક ઓથોરિટી આ મુદ્દે સુઓમોટો સુનાવણી કરીને લોકોની પીડા સમજી શકતી હોય અને તેના સંદર્ભે પ્રક્રિયા કરી શકતી હોય તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જનપ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ, તગડો પગાર લઈને ફરજો બજાવતા સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને આ જ જનતાના ખોબલે ખોબલે મતો મેળવીને સત્તા ભોગવતી સરકારો જરૂરી કદમ ઝડપભેર કેમ ન ઊઠાવી શકે? શું વિકાસના કામો માટે માપદંડો અલગ છે? જ્યાં માળખાકીય સુવિધાઓના અભાવે મહિલાનું મૃત્યુ થઈ જતું હોય, ત્યાં નજીકમાં વિકાસના માચડાઓ હોય તો પણ તે શું કામના?
હાલાર અને જામનગરની વાત કરીએ, તો અહીં પણ ઘણાં સ્થળે માળખાકીય સુવિધાઓની ઉણપ કે અભાવ છે. અનેક ગામોને જોડતા માર્ગો તદ્ન તૂટી-ફૂટી ગયા છે. કેટલાક ગામો સુધી એસ.ટી. બસો પહોંચી શકતી નહીં હોય, કે એમ્બ્યુલન્સોને પણ તકલીફ પડતી હશે, ત્યાં ઈમરજન્સી પેશન્ટનું શું થતું હશે? જીવના જોખમે જ લોકો જીવતા હશે ને? જામનગરમાં તો નવા બનેલા રેલવે ઓવરબ્રીજો સહિતના ઘણાં માર્ગો પર પડેલા ખાડાઓ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે, ત્યારે અદાલતોની ફટકાર પછી સંવેદનશીલ સરકાર જાગશે, અને તંત્રોને દોડાવશે તેવી આશા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને ગુજરાતમાં તો એક અલગ જ પ્રકારનો આનંદોત્સવ શરૂ થયો છે. ઠેર-ઠેર નવરાત્રિના ધાર્મિક કાર્યક્રમો, માતૃપૂજન અને અનુષ્ઠાનોની સાથે સાથે રાસ-ગરબાના નૃત્યોત્સવોની ધૂમ મચી રહી છે અને ખેલૈયાઓ મધૂર ગીત-સંગીત અને નૃત્યની સાથે સાથે ગરબે ઘૂમી રહ્યા છે. રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે અને નાની-મોટી સેંકડો ગરબીઓમાં લોકો ઉમંગભેર ઉમટી રહ્યા છે. જામનગરમાં પણ ૩૦૦ થી વધુ નાની-મોટી ગરબીઓ ધમધમી રહી છે.
બીજી તરફ રાજકીય ક્ષેત્રે પણ લોકતંત્રનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા પછી હવે હરિયાણામાં મતદાન થવાનું છે. એ પણ યોગાનુયોગ છે કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીઓની સાથે સાથે જ નવરાત્રિ ઉજવાઈ રહી છે, અને દશેરાના પર્વની ઉજવણી થતા સુધીમાં રાજકીય પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે, તેની ખબર પણ પડી જવાની છે. હરિયાણામાં તો ભાજપના કેટલાક દિગ્ગજો છેલ્લી ઘડી સુધી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાથી ત્યાં રાજકીય ઉથલપાથલ મોટા પાયે થઈ રહી છે.
ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતાં કે કેન્દ્ર સરકારે કરેલા રિવ્યૂ મુજબ નિઃશુલ્ક સારવારના ક્ષેત્રે બિહાર દેશભરમાં નંબર વન છે. આ તો એડમિનિસ્ટ્રેટિવ તથા યોજનાકીય સિદ્ધિમાં બિહારની હરણફાળની વાત થઈ, પરંતુ હવે બિહારની રાજનીતિ પણ જાણે હરણફાળ ભરી રહી છે અને દિલ્હી ભણી કૂચ કરી રહી હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. એક તરફ ચિરાગ પાસવાન નજીકના ભવિષ્યમાં એનડીએને ઝટકો આપશે, તેવા અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ જેડીયુના એક દિગ્ગજ નેતાએ કરેલા નિવેદન પછી તેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે અને હલચલ મચી ગઈ છે.
જનતા દળ યુનાઈટેડના મંત્રી જમાખાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. અજય આલોક વચ્ચે થયેલી નિવેદનબાજીએ એનડીએની આંતરિક ખેંચતાણની પોલ ખોલી દીધી છે. જમાખાને નીતિશ કુમારને ભાવિ વડાપ્રધાન ગણાવતા જે કાંઈ કહ્યું તેના કારણે ભાજપની નેતાગીરી તમતમી ઊઠી હતી.
જમાખાને કહ્યું કે નીતિશ કુમાર પર હજુ સુધી કોઈ દાગ લાગ્યો નથી. તેમણે પરિવારવાદ પણ કર્યો નથી. તેઓ બધાને સાથે લઈને ચાલે છે. અત્યારે પણ કેન્દ્રની સત્તાની ચાવી નીતિશ કુમાર પાસે જ છે. જો નીતિશ કુમાર વડાપ્રધાનપદના ઉમેદવાર બને તો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો તો તેને બિનશરતી સમર્થન આપશે જ, પરંતુ એનડીએના મોટાભાગના સાથીદાર પક્ષો પણ સમર્થન આપી શકે છે, તેવા મતલબના જમાખાનના નિવેદન સામે પલટવાર કરતા ભાજપના પ્રવક્તા ડો. અજય આલોકે કહ્યું કે, વડાપ્રધાનપદની જગ્યા ખાલી નથી, અને જમાખાન પહેલા નીતિશ કુમારને તો પૂછે, કે તેઓ શું કરવા માંગે છે, વિગેરે...
બે બિલાડીના ઝઘડામાં ત્રીજો પક્ષ કૂદી પડીને ફાયદો મેળવવાની જુની કહેવત છે. જેડીયુ-ભાજપની આ શાબ્દિક ફાઈટમાં કેટલાક અન્ય પક્ષોના નેતાઓ પણ કૂદી પડ્યા હતાં. આરજેડીના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહી દીધુ કે બિહારના મુખ્યમંત્રીપદેથી નીતિશ કુમારને હટાવવાની ભાજપની હિલચાલની ગંધ જેડીયુને આવી ગઈ હોવાથી જેડીયુ દ્વારા પણ ભાજપને ચેતવણી આપી દેવામાં આવી છે કે, જો બિહારમાં ખેલ પાડવાનો પ્રયાસ થશે તો જેડીયુ મોદી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેશે. જેડીયુ અને ભાજપના આ વાર-પલટવારને સાપ અને નોળિયાની લડાઈ સાથે સરખાવીને આરજેડીએ કટાક્ષ કર્યો કે નીતિશ કુમારને વડાપ્રધાન બનાવવાની વાત તો દૂર રહી, ભાજપના ષડ્યંત્રોથી નીતિશ કુમાર પોતાની અત્યારની પોઝીશન એટલે કે મુખ્યમંત્રીની ખુરશી તો બચાવી શકે તોય ઘણું છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં ચૂંટણીની મોસમ ખીલી ઊઠી હોય તેમ હરિયાણા, જમ્મુ-કાશ્મીરના મતદાનની ખબરોની સીધી અસરો એ રાજ્યો પર પણ પડવા લાગી છે, જ્યાં નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના સોગઠા પણ ગોઠવાઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ગરબાની ધૂમ મચી છે અને હવે નવ દિવસ સુધી ર્માં નવદુર્ગાની નવરાત્રિ ઉજવવામાં માતૃભક્ત ગુજરાતીઓ ડૂબી જવાના છે.
સૌરાષ્ટ્રમાં સર્વાધિક ગરબાના કાર્યક્રમો યોજાતા રહ્યા છે, પરંતુ આ વખતે રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની અસરો હેઠળ ગરબાના કાર્યક્રમો યોજવાની મંજુરી કડક નિયમો-શરતો સાથે જ મળી રહી હોવાથી આયોજકોની કવાયત વધી ગઈ છે, જો કે આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થાઓ તથા પૂરક બાબતોની ચકાસણી થાય, તે જનહિતમાં જ છે ને?
ગુજરાતમાં રાસ-ગરબાનો ઈતિહાસ પ્રાચીન છે અને ભગવાન શ્રીકૃષ્ણના પરિવારે ગુજરાતમાં રાસ રમવાની પરંપરા શરૂ કરાવી હતી, જે આજે દાંડિયા રાસના સ્વરૂપમાં વિશ્વવિખ્યાત બન્યા છે, ત્યારે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર પણ સૌ કોઈને નવરાત્રિની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઈન્ડિયન પિનલ કોડમાં છેતરપિંડી માટે કલમ-૪ર૦ (ચારસો વીસ) લાગુ પડતી હતી, અને તેથી જ ચિટરને આપણે 'ચારસો વીસ' તરીકે નવાજતા હતાં, જ્યારે છેતરપિંડીને 'ચારસો વીસી' ગણાવાતા હતાં. અદાલતોમાં જ્યારે આ કલમ લાગુ કરાતી હતી ત્યારે પણ તેને ચારસોવીસીની ફરિયાદ અને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવતી હતી.
હવે ઈન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) નામનો નવો કાયદો બન્યો છે, જેમાં ઘણી કલમોના ક્રમાંક પણ બદલી ગયા છે. આ ભારતીય ન્યાય સંહિતામાં છેતરપિંડી માટે બીએનએસ સેક્સન (કલમ) ૩૧૮ લાગુ પડે છે, જેમાં જેલ અને દંડ થઈ શકે તેવી જોગવાઈ છે.
સામાન્ય રીતે નાગરિકો છેતરપિંડી કરે ત્યારે આ પ્રકારની કલમો લાગુ પડે, અને દગો, કપટ કે છેતરપિંડી માટે જેલસજા-દંડની જોગવાઈ હોય છે. આ પ્રકારની છેતરપિંડી-દગા માટે પોલીસમાં ફરિયાદ થઈ શકે છે અને અદાલતના દ્વાર ખખડાવી શકાય છે, અને તે માટે બીએનએસની કલમ-૩૧૮ લાગુ પડે છે. આ કલમ હેઠળ કોઈ રકમ, મૂલ્ય કે સંપત્તિની છેતરપિંડી-દગો થયો હોવો જોઈએ તેવો ઉલ્લેખ છે. આ કલમ હેઠળ જ ખુદ સરકાર જ્યારે વચનો આપીને કે વાયદા કરીને તેનો અમલ ન કરે કે સમાધાન કરીને ફરી જાય, તો તેની સામે ફોજદારી કેમ ન થઈ શકે? તેવો વ્યંગાત્મક સવાલ ઊઠી રહ્યો છે. એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે લોકોના ભરોસાથી વધુ મોટી સંપત્તિ કઈ હોઈ શકે? લોકોના વિશ્વાસ તોડવા બદલ પણ કલમ-૩૧૮ હેઠળ સરકાર સામે કેસ ચાલવો જોઈએ, અથવા તેની કોઈ નવી કલમ કે પેટા કલમ ઉમેરવી જોઈએ, તેવી માંગણી પણ ઊઠી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી સમયે જાહેર કરાતા ઘોષણાપત્રો, ચૂંટણી ઢંઢેરાઓમાં જનતાને અપાયેલા વચનોને રાજકીય પક્ષોએ સત્તામાં આવ્યા પછી ફરજિયાત પાલન કરવું જ પડે, તેવી જોગવાઈઓ થવી જોઈએ, તે અંગે જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને તેની તરફેણમાં મોટું જનસમર્થન પણ મળી રહ્યું છે. જો ચૂંટણીમાં વાયદા કરીને તેનું પાલન ન કરવામાં આવે કે પછી મેનિફેસ્ટો અથવા ચૂંટણી ઘોષણા પત્રો-ચૂંટણી ઢંઢેરાઓમાં અપાયેલા વચનોનું પાલન ચૂંટણીઓ પછી સત્તામાં આવેલા રાજકીય પક્ષો ન કરે, તો તેની સામે પણ બીએનએસ-૩૧૮ જેવી કોઈ કલમ હેઠળ ફોજદારી થઈ શકે અને અદાલતમાં ખટલો ચાલી શકે, તેવો મજબૂત નવો કાયદો અમલી બનવો જોઈએ અને તેને બંધારણીય સુધારો કરીને પૂરેપૂરા કાનૂની સેફગાર્ડઝ સાથે સંસદમાં પસાર થવાની સાથે સાથે સુપ્રિમ કોર્ટની મેજર બંધારણીય બેન્ચનું પણ સમર્થન મળવું જોઈએ, તેમ નથી લાગતુ?
સરકારી છેતરપિંડી તો ઉઘાડેછોગ અને વારંવાર થતી જ રહી છે, પરંતુ આ પ્રકારની છેતરપિંડીની કોઈ ચોક્કસ વ્યાખ્યા, કાનૂની જોગવાઈ, બંધારણીય જોગવાઈ કે પ્રબન્ધો કે પરંપરાગત રીતે પણ કોઈ અંકુશ નથી, અને તેથી જ આ પ્રકારે સરકારી છેતરપિંડી છેક આઝાદીના અમૃત મહોત્સવના સમય સુધી એટલે કે ૭પ વર્ષે પણ અટકી તો રહી જ નથી, પરંતુ ઉલટાની વધુ ને વધુ પનપી રહી છે, અને તેના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર આપણે બધા પણ છીએ જ ને?
એક રાજ્યમાં ચૂંટણી પહેલા વાયદાઓ કરનાર પાર્ટી અન્ય રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં તે જ પ્રકારની જોગવાઈઓ કરી શકી ન હોય કે યોગ્ય પાલન કરી રહી ન હોય, તો તે પણ જનતા સાથેની એક પ્રકારની છેતરપિંડી જ ગણાય ને? ખરૃં કે નહીં?
ત્રીજા તબક્કાનું મતદાન પૂરૃં થઈ ગયા પછી કોંગ્રેસ તરફી જબરદસ્ત માહોલ હોવાના દાવાઓ થઈ રહ્યા છે, અને પ્રિયંકા ગાંધીએ તો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સત્તામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી સેનીએ પણ એટલા જ સેલ્ફ કોન્ફીડન્સ સાથે હરિયાણામાં ભાજપની સરકાર રચાઈ રહી હોવાનો દાવો કર્યો છે, ત્યારે કોઈપણ સરકાર સત્તામાં આવે, તો પણ તેના ચૂંટણી પહેલાના વાયદાઓ યાદ રાખીને જો ચાર-છ મહિનામાં તેનું પાલન ન થાય, તો તત્કાળ આવાજ ઊઠાવવાની જાગૃતિ પણ જનતાએ જ રાખવી પડે, અન્યથા ત્યાં પણ 'ગુજરાત'વાળી થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કરેલા વાયદાઓનું પાલન નહીં થતા એક મોટું આંદોલન શરૂ થયું હોવાની ચર્ચા પણ દેશની રાજધાની સુધી પડઘાઈ જ રહી છે ને?
હકીકતે ગઈકાલે દેશભરમાં ગાંધી જયંતી ઉજવાઈ રહી હતી, ત્યારે જ ગુજરાતમાં રાજ્યભરમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકો ગાંધી આશ્રમ સામે સરકારની નીતિ-રીતિઓ સામે આંદોલન કરી રહેલા જોવા મળ્યા હતાં.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષ ર૦રર માં ભારતીય જનતા પક્ષની સરકારે વર્ષ ર૦૦પ પહેલા થયેલી ભરતીના કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાની લેખિત ખાત્રી આપી હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી બબ્બે વર્ષ પછી પણ આ અંગે કોઈ ઠરાવ નહીં થતા કર્મચારીઓ-શિક્ષકો સરકારી છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેવો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.
ગાંધી જયંતીના દિવસે જ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કૂચ કરવાનો મૂળ કાર્યક્રમ હતો, પરંતુ પોલીસની મંજુરી નહીં મળતા શિક્ષકોની કૂચ અલગ અલગ જુથોમાં વહેંચાઈ ગઈ હતી, અને જુદા-જુદા સ્થળે બેનર્સ-પ્લેકાર્ડસ તથા સૂત્રોચ્ચાર સાથે વિરોધ-પ્રદર્શનો કર્યા હતાં. શિક્ષકોના સંગઠનોમાં તડા પડવાની વહેતી થયેલી વાતો વચ્ચે આ આંદોલનને સ્વયંભૂ ગણાવીને મીડિયા સાથેની વાતચીત દરમિયાન આંદોલનકારી શિક્ષકોએ કહ્યું હતું કે, ગાંધી જયંતીના દિવસે જ આ સત્યાગ્રહ શરૂ કરીને જો હજુ પણ માંગણીઓ સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. નિવૃત્ત શિક્ષકોને મળતા ત્રણેક હજાર જેવા પેન્શનનો મુદ્દો પણ ઊઠ્યો છે અને વર્ષ ર૦રર ની ચૂંટણીઓ પહેલા અપાયેલી ખાતરીથી પલટી ગયેલી સરકાર આ આંદોલન પછી હકારાત્મક અભિગમ અપનાવશે, તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી.
આ તો માત્ર શિક્ષકોની જ વેદના છે, રાજ્યમાં આ જ રીતે જુદા જુદા સરકારી વિભાગોમાં જુદા જુદા પ્રશ્નોને લઈને સરકારના વલણ તથા વાયદા કરીને ભૂલી જવાની મનોવૃત્તિ સામે પ્રચંડ આક્રોશ પ્રવર્તી રહ્યો હોય ત્યારે સરકારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા હકારાત્મક બનવું પડશે, અને કમ-સે-કમ વિધાનસભા અને તે છી લોકસભાની ચૂંટણીઓ પહેલા અપાયેલી સત્તાવાર ખાતરીઓ કે થયેલા સમાધાનોનું ચૂસ્ત પાલન કરવું જ પડશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
આ પ્રકારે કર્મચારીઓ જ નહીં, પરંતુ વિવિધ યુનિયનો, સંસ્થાઓ અને પ્રજાજનો સાથે કરાયેલા સમાધાનો કે કરાયેલા વાયદાઓનું પાલન ન થાય, તો આ પ્રકારની 'ચારસોવીસી' સામે બીએનએસ-૩૧૮ જેવી જ કોઈ સખ્ત કલમો લાગુ કરવા માટે પીઆઈએલની પણ સંભાવનાઓ છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એક તરફ નવરાત્રિનો ઉત્સાહ ઉછાળા મારી રહ્યો છે, અને ગામેગામ તથા શહેરોમાં નવલા નોરતાની ધૂમ ચી છે અને ખેલૈયાઓમાં ગરબા અને દાંડિયારાસ રમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક સ્થળે વરસાદની આગાહીઓની ચિંતા પણ જોવા મળી રહી છે. નવરાત્રિના ઉમંગમાં હવે સરકારે પણ ઝંપલાવ્યું હોય તેમ નવરાત્રિ મહોત્સવના વિવિધ આયોજનોમાં મંત્રીઓ તથા બ્યુરોક્રેટો સામેલ થઈ રહ્યા છે.
આ બધી વચ્ચે કેન્દ્રિય ઓઈલ કંપનીઓએ નવરાત્રિ ટાણે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં પચાસ રૃપિયા જેવો ગઈકાલથી થોપી દીધેલો વધારો ટીકાપાત્ર બની રહ્યો છે. નવરાત્રિમાં જ્યાં હોટલ-રેસ્ટોરન્ટ-ઈવેન્ટ્સમાં કોમર્શિયલ ગેસનો વપરાશ વધી રહ્યો હોય ત્યારે જ આ વધારો ઝીંકીને ઓઈલ કંપનીઓએ 'સરકારી નફાખોરી'નું દૃષ્ટાંત આપી દીધું છે, અને તેને લઈને જનતામાં તીવ્ર નારાજગી પણ પ્રવર્તી રહી છે.
છેલ્લા ઘણાં મહિનાઓથી કોમર્શિયલ એલપીજીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, અને ઘરેલુ વપરાશના ગેસના ભાવો સ્થિર રાખવામાં આવી રહ્યા છે. આ મુદ્દે સરકાર તરફી પ્રવક્તાઓ તથા નેતાઓ એવી દલીલ કરતા રહેતા હોય છે કે ઘરેલુ ગેસના બાટલાના ભાવો સ્થિર રહેવાથી સામાન્ય જનતાનો બોજ વધતો નથી. વાસ્તવિક્તા એ છે કે કોમર્શિયલ ગેસના ભાવોમાં થતો વધારો પણ અંતે તો સામાન્ય જનતા પર જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારણ વધારે છે, કારણ કે કોમર્શિયલ ગેસના ભાવો વધતા કૂકીંગ, કેટરીંગ અને અલ્પાહાર જ નહીં, ચા-કોફી તથા મીઠાઈ-ફરસાણ પણ મોંઘા થઈ જતા હોય છે.
હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચૂંટણીઓ તથા પેટા-ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકાર પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી-સીએનજીના ભાવો ઘટાડીને મોંઘવારીને આડક્તરી રીતે આંશિક ઢબે અંકુશમાં લેવાનો પ્રયાસ કરશે, તેવી અટકળો હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે કેન્દ્ર સરકાર મોંઘવારીના મુદ્દે કોઈ જ અસરકારક કદમ ઊઠાવી રહી નથી.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડના ભાવોમાં ધરખમ ઘટાડો થાય, ત્યારે પણ સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડતી નથી, તેને સ્ટેટસ્પોન્સર નફાખોરી ન ગણી શકાય? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
નવરાત્રિના પ્રારંભ પહેલા જ કોમર્શિયલ ગેસના ભાવોમાં વધારો ઝીંકાયો અને પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં અપેક્ષા હતી, તે પ્રકારનો ઘટાડો થયો નહીં, પરંતુ જેટ ફ્યુઅલના ભાવો ઘટાડીને હવાઈ સેવાઓ ચલાવતી કંપનીઓને ફાયદો કરાવવાના પ્રયાસો કરાયા હોવાના આક્ષેપ સાથે એવો કટાક્ષ પણ કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની સરકારી નીતિ-રીતિઓના કારણે કદાચ સદ્ગત મહાનુભાવોનો આત્મા પણ દુભાયો હશે!
આજે બીજી ઓક્ટોબર પૂ. મહાત્મા ગાંધીજીની જયંતી છે. ગરીબો તથા નિમ્ન મધ્યમ વર્ગોના હિતેચ્છુ મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોને ઘોળીને પી ગયેલા રાજકીય પક્ષો માત્ર રાજકીય ફાયદા માટે જ ગાંધીબાપુના નામનો ઉપયોગ કરતા રહ્યા હોવાનો આક્રોશ પણ પ્રગટી રહ્યો છે. એ જ રીતે આપણાં દેશના પૂર્વ વડાપ્રધાન અને વામન છતાં વિરાટનું બિરૃદ પામેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ પણ દેશની સુરક્ષા માટે પોતાના પરિવારોને છોડીને સરહદે કે આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલા જવાનો તથા ફરજ બજાવતા બજાવતા જીવનું બલિદાન આપી દેનાર શહીદો તથા દેશ અને દુનિયાનું પેટ ભરતા જગતના તાત ખેડૂતોને સાંકળીને 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો હતો. આજે આ બન્ને મહાપુરુષોની જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે જ દેશમાં મોંઘવારી ઘટાડવાને બદલે વધારવાના અસંગત અને અણઘડ નિર્ણયો લેવાઈ રહ્યા હોવાનો વસવસો પણ ઘણાં વયોવૃદ્ધ દેશભક્તો વ્યક્ત કરતા હોય છે.
થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતાં કે પેટ્રોલ અને ડીઝલનું ભાવબાંધણુ હવે ક્વાર્ટરલી થશે, મતલબ કે ત્રણ મહિને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક સ્થિતિ અને સંજોગો તથા માર્કેટના પ્રવાહો તથા વૈશ્વિક પ્રવાહોની સમીક્ષા કરીને પેટ્રોલ-ડીઝલના ભાવો નક્કી કરાશે, જેથી માર્કેટમાં સ્થિરતા પણ ટકી રહેશે અને હાલતુરત પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં ઘટાડો પણ થશે. આ પ્રકારનો કોઈ મોટો બદલાવ થતો હોય, તેમ જણાતું નથી તેવી ઘણાં લોકો આ પ્રકારના અહેવાલોને પણ પ્રવર્તમાન રાજકીય પ્રવાહો તથા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે સાંકળી રહ્યા છે. કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે સરકારી તંત્રો અને ગવર્નમેન્ટ અંડરટેકીંગ પીએસયુ તથા સરકારી કંપનીઓને પણ 'ચૂનાવી જુમલાઓનો ચેપ તો નહીં લાગી ગયો હોય ને?'
જે હોય તે ખરૃં, લોકોને આ બન્ને પુરુષોના જન્મદિવસ તથા નવરાત્રિના પર્વે એટલી અપેક્ષા તો છે જ કે રાંધણ ગેસનો બાટલો હકીકતે ફરીથી બધાને ચારસો કે પાંચસો રૃપિયામાં મળવા લાગે અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ ઘટાડો થાય... જોઈએ, હવે શું થાય છે તે...
'નોબત' અને 'માધવાણી' પરિવાર પૂ. મહાત્મા ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિને પ્રિય વાચકો સહિત દેશવાસીઓને શુભેચ્છા પાઠવે છે અને આ બન્ને મહાપુરુષોના આદર્શો પુનઃ ચેતનવંતા બને, તેવી અપેક્ષા વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

યાત્રાધામ દ્વારકા અને રાષ્ટ્રીય કક્ષાના ધોરીમાર્ગ પર જે ભયંકર અકસ્માત થયો અને સ્થળ પર જ સાત અણધાર્યા ગમખ્વાર મૃત્યુ થયા જે કૃરણાંતિકા સર્જાઈ તેનું જવાબદાર કોણ? ટોલ ટેક્સ પ્લાઝા ઊભા કરીને અઢળક ટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈ-વે ઓથોરિટીની તો મુખ્ય જવાબદારી ગણાવી જ જોઈએ, પરંતુ શેરી-ગલીઓથી લઈને નેશનલ તથા એક્ઝિસ હાઈ-વેઝ સુધી ધણિયાતા પશુઓ સહિતના ઢોરના અડીંગાના કાણે જ્યારે ગમખ્વાર મોત થતા હોય અને સતત અકસ્માતો થતા હોય, ત્યારે માર્ગો પર ખુલ્લા છોડી દેવાતા આ ઢોરના 'અસ્સલ' માલિકો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક તંત્રો અને ખાસ કરીને કદાચ વોટબેંકને કારણે આ ન્યુસન્સ પ્રત્યે આંખ આડા કાન કરી રહેલા રાજનેતાઓ તથા શાસકોને પણ સમાન ધોરણે જવાબદાર ગણીને તેઓની સામે પણ કડક કાનૂની કદમ ઊઠાવવા અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
અમદાવાદમાં જ્યારે રખડતા ઢોર તથા આવારા શ્વાનોના મુદ્દે બહુ ઉહાપોહ ઊઠ્યો હતો, અને જ્યારે આ અંગે હાઈકોર્ટે એએમસી ઉપરાત રાજ્ય સરકારને પણ અવારનવાર ફટકાર લગાવી હતી, તેવી જ રીતે હાલારની આ જ પ્રકારની હાલાકીને લઈને સ્વયં હાઈકોર્ટ સ્વયંભૂ અનુસંધાન એટલે કે 'સુઓમોટો' સુનાવણી કરીને તંત્રો-શાસકોની શાન ઠેકાણે લાવવી જોઈએ, તેવો આક્ષેપ વ્યક્ત થવા લાગ્યો હોય અને આ પ્રકારની લોકોની અપેક્ષાઓ વધીરહી હોય, ત્યારે તેની ગંભીરતા પારખવી જોઈએ, પરંતુ નિંભરતંત્રો અને લોકોની જિંદગીના ભોગે પણ માત્ર ને માત્ર રાજકીય લાભો કે નિહિત સ્વાર્થના કારણે આ જીવલેણ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતી નેતાગીરી જ્યારે આ પ્રકારની લોલંલોલ તથા પોલંપોલ છાવરવા માટે આકાશ-પાતાળ કરી રહી હોય ત્યારે હાલારની જનતાને દેશના ન્યાયતંત્ર પાસે જ આશા હોય, તે પણ સ્વાભવિક જ છે ને?
જામનગરમાં તો આખેઆખી પાંજરાપોળ જ જાહેર માર્ગો પર ખોલી દેવામાં આવી હોય, તેમ ઠેર-ઠેર શહેરના મુખ્ય માર્ગો સહિતના તમામ માર્ગો તથા કેન્દ્રવર્તી સર્કલો પર પણ ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે. આ કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો તથા તકરારો તો દરરોજના દૃશ્યો બન્યા છે, પરંતુ દ્વારકા નજીક થયેલા અકસ્માત જેવી કોઈ દુર્ઘટના ઘટે, તે પછી જ (કદાચ દેખાવ ખાતર) તંત્રો હડિયાપટ્ટી કરવા લાગે છે,તે શાણી જનતા સમજવા લાગી છે. પહેલા ઈજા કે મૃત્યુ થાય, તેવા ખતરાઓ-બેદરકારીઓ પ્રત્યે આંખ આડા કાન કરવા અને જો આવી ગમખ્વાર ઘટના સર્જાય, તો મગરના આંસુ સારવાની પરંપરા હવે લગભગ કાયમી બની રહી હોય, તેમ નથી લાગતું?
જામનગર જ નહીં, હાલારના તમામ શહેરો તથા નગરો-મોટા ગામોમાં પણ ઢોરની ઢીંકે ચડીને ગંભીર રીતે ઈજા પામવાની ઘટનાઓ તો વધી જ રહી હતી અને તેના કારણે મૃત્યુ પામવાની ગમખ્વાર ઘટનાઓ પણ સર્જાઈ જ રહી હતી, પરંતુ હવે આ કોઈની માલિકી ધરાવતા ઢોર સહિતના રખડુ ઢોરના અડીંગા, અચાનક આડે આવી જતા ઢોર અને આ કારણે ઉત્પન્ન થયેલી વિટંબણાના કારણે વાહનોના ભયંકર અને જીવલેણ અકસ્માતો પણ સર્જાવા લાગ્યા છે, ત્યારે ન્યાયતંત્રો અમદાવાદ ફેઈમ સ્વયંભૂ નોંધ લઈને તંત્રોને સીધા દોર કરે અને જવાબદાર શાસકોનો પણ કાન પકડે, તેવી લોકોની આશા વધી રહી છે, કારણકે હવે તો રાજ્ય-કેન્દ્ર સરકારોના મેજેસ્ટેરિયલ પાવર્સ ધરાવતા સનદી અધિકારીઓ તથા જિલ્લા તંત્રો પરથી પણ લોકોનો ભરોસો ઊઠી જ ગયો છે ને?
એક તરફ ફ્લાઈ ઓવર બ્રીજોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે, તો બીજી તરફ ટોલટેક્સનું ભારણ પણ વધી રહ્યું છે. વાહનચાલકો તગડો ટોલટેક્સ ચૂકવે, તેમ છતાં તેને જો આ પ્રકારે નેશનલ હાઈ-વે પર પણ આવારા ઢોર-કૂતરાના કારણે જીવના જોખમે વાહનો ચલાવવા પડતા હોય, તો તે તો 'સરકારી' છેતરપિંડી જ ગણાય ને?
તમામ પ્રકારના ધોરીમાર્ગો તથા એકસ્પ્રેસ-વે પર જો રખડુ ઢોર કે કૂતરા પ્રવેશી જ ન શકે તેવી કાયમી વ્યવસ્થા થાય તો જ આ પ્રકારના ગંભીર જીવલેણ અકસ્માતો અટકી શકે, પરંતુ તે પ્રકારની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? કેન્દ્રની, રાજ્યની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની, સુરક્ષા તંત્રોની કે નેશનલ તથા સ્ટેટ હાઈવેઝ ઓથોરિટીઝ, રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટોની કે પછી કોઈની નહીં? તે કોણ નક્કી કરશે? શહેરો-નગરો-મોટા ગામો માટે પણ પંચાયત-પાલિકા-મહાપાલિકાઓની પણ કોઈ જવાબદારી તો ખરી ને?
સ્ટેટ એન્ડ નેશનલ હાઈવેઝ-એક્સપ્રેસ-વેઝ જ નહીં, પરંતુ હવે તો તમામ માર્ગો પર મોટો અકસ્માત થાય, ત્યારે તરત જ જરૂરી તબીબી સારવાર અને એમ્બ્યુલન્સીઝ વગેરે ઉપલબ્ધ થાય, તત્કાળ રાહત-બચાવની કામગીરી શરૂ થાય અને લોજેસ્ટિક સપોૃટ તત્કાળ મળી રહે, તેવી ઠેર-ઠેર વ્યવસ્થાઓ વાસ્તવમાં ક્યારેય થશે ખરી, કે પછી માત્ર વાતોના વડા જ થશે?
અમદાવાદમાંથી તો કેટલાક જાગૃત નાગરિકો રખડુ ઢોર, આવારા કૂતરા, બિસ્માર માર્ગો વગેરે મુદ્દે અવારનવાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ કરતા રહેતા હોય છે, અને તેથી ન્યાયતંત્રોનું ધ્યાન પણ ખેંચાતું રહેતું હોય છે, તેવી જ રીતે જામનગરના જાગૃત નાગરિકોએ પણ પીઆઈએલ કરતી રહેવી જોઈએ, અને જાહેર હિતની અરજીઓ કરીને જવાબદારોને ન્યાય તથા કાયદાનો પાઠ પણ ભણાવવો જોઈએ. માત્ર નિવેદનો કરતા રહેવાથી નાના-મોટા વિરોધ-પ્રદર્શનો કે આવેદનપત્રો નહીં ચાલે, આ માટે હાઈકોર્ટ સુધી લડત પણ આપવી પડે, જે માત્ર નિવેદનિયા નેતાઓનું કામ નથી... જાગૃત નાગરિકોએ જ પહેલ કરવી પડશે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હરિયાણાની ચૂંટણી પછી દેશમાં કોંગ્રેસ તરફી પવન ફૂંકાશે અને વર્તમાન ચૂંટણી જંગમાં વિરોધી પક્ષોનો સફાયો થશે, તેવી યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી તથા કોંગી નેતા સચિન પાયલોટે પીઓકે મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર પર કરેલા પ્રહારોને સાંકળીને ઈઝરાયેલ દ્વારા હમાસ-હિઝબુલ્લાના સફાયાના ઉદ્દેશ સાથે કરાયેલા જંગ પછી હવે અમેરિકાએ સીરીયાના આતંકીઓ પર કરેલી એરસ્ટ્રાઈકની ચર્ચા થઈ રહી છે અને એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે આતંકવાદ વિરોધી આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું ગાણુ ગાતી મોદી સરકાર પીઓકેના મુદ્દે કેમ કાંઈ કરતી નથી ? હાથીના ચાવવા (ખાવા)ના અને દેખાડવાના દાંત જુદા છે ?
ભૂતકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી, અને તે પછી થોડા વર્ષો પહેલા ભારતીય વાયુ સેના સાથે સંકલન કરીને ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી હતી, અને તેમાં સંખ્યાબંધ આતંકીઓને ઠાર કરાયા હતા, તેનો વારંવાર ઉલ્લેખ કરીને મોદી સરકારે વાહવાહી લૂંટી લીધી, રાજકીય ફાયદો મેળવ્યો અને ભારતીય સેનાના પરાક્રમોને બીરદાવવાની સાથે સાથે સરકારે પોતાની પીઠ પણ થાબડી, એટલું જ નહીં, તેની ભાવનાત્મક અસરો હેઠળ જે-તે સમયે ભાજપને તેનો ચૂંટણીલક્ષી લાભ પણ મળ્યો હતો, પરંતુ તે પછી અત્યાર સુધી ચૂપ રહેલી કેન્દ્ર સરકારની પીઓકેના મુદ્દે સત્તાવાર રીતે કોઈ વ્યૂહરચના કે રણનીતિ જાહેર થઈ જ નથી, પરંતુ ચૂંટણી પ્રચારમાં તેનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે, તેથી લોકો કહી રહ્યા છે કે હાથીના ખાવાના અથવા ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય, તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે જો પાકિસ્તાને ભારત સાથે દુશ્મનાવાટ જેવો વ્યવહાર ન રાખ્યો હોત અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા હોત તો અત્યારે બદહાલ પાકિસ્તાનને આઈએમએફ પાસે બેલઆઉટ પેકેજની માંગણી કરવી ન પડી હોત કારણ કે ભારતે તેનાથી પણ મોટું રાહત પેકેજ આપ્યું હોત, ભારત સરકારે જમ્મુ-કાશ્મીર માટે ખોલેલા ખજાના પૈકી રાહત ફંડ ૯૦ હજાર કરોડ સુધી પહોંચ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો, તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીઓકે જમ્મુ-કાશ્મીરનો જ એક ભાગ હોવાનું જણાવી હવે તેને ભારતમાં ભેળવી દેવા મોદી સરકાર રણનીતિ અપનાવશે, તેવા પ્રકારના કરેલા નિવેદનના સંદર્ભે કોંગ્રેસે ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો છે.
સચિન પાઈલોટે કહ્યું છે કે હાથીના દાંતની જેમ જ ભારતીય જનતા પક્ષની રાજ્ય-કેન્દ્રની સરકારો પણ બેવડા ધોરણો અપનાવી રહી છે. પીઓકેમાં ભારતના જ અંગ તરીકે ગણીને તેની બેઠકો અલગ રખાઈ છે, તેનો ઉલ્લેખ કરીને તથા યોગી આદિત્યનાથના નિવેદનને સાંકળીને સચિન પાયલોટે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષથી તો મોદી સરકાર ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં રહી હતી, તો તે દરમિયાન પીઓકેને ભારતમાં સમાવવા કોઈ કદમ કેમ ન ઉઠાવાયા ?
આ પ્રકારના કદમ ઉઠાવવા માટે માત્ર વાતો કે દાવાઓમાં નહીં, પરંતુ વાસ્તવમાં પ૬ ઈંચની છાતી જોઈએ. ઈઝરાયેલે હમાસને ખેદાન મેદાન કર્યા પછી હવે હિઝબુલ્લાને પણ હંફાવી દીધું છે અને પેલેસ્ટાઈન તથા લેબેનોનમાં ઘુસીને બંને આતંકી સંગઠનોને લગભગ ખંઢેરમાં ફેરવી દીધા છે, તેથી તેવી હિંમત દાખવીને પ્રહાર કરાય તો તેને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ કહી શકાય. ભારતીય સેનાના પરાક્રમોને વટાવીને પોલિટિકલ ફાયદો મેળવવાના બદલે ઈઝરાયેલ જેવી પ્રબળ ઈચ્છાશક્તિ બતાવવી જોઈએ, તેવા વ્યંગ્યાત્મક પ્રત્યાઘાતો પણ આ મુદ્દે પડી રહ્યા છે, અને એવો કટાક્ષ થઈ રહ્યો છે કે હાથીના દાંત...?!
હવે અમેરિકાએ પણ સીરીયામાં એરસ્ટ્રાઈક કરીને અલકાયદાની ભગિનિ આતંકી ગેંગોનો ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલ આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાની સેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં ઉત્તર પશ્ચિમ સીરીયામાં ધમધમતા આતંકી ટ્રેનિંગ કેમ્પ ધ્વસ્ત થઈ ગયા છે અને અલકાયદાની શાખા સમા હુર્રસ-અલ-દીન આતંકી સંગઠનના ૯ સહિત કુલ ૩૯ ખૂંખાર આતંકી આકાઓ પણ તેમાં હણાયા છે. હવે એક તરફથી ઈઝરાયેલે હમાસ પછી હીઝબુલ્લા સામે યુદ્ધ છેડીને લેબેનોનની સરહદે ટેન્કો ખડકી દીધી છે, તો બીજી તરફ અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સીરીયાસ્થિત આતંકી સંગઠનોનો સફાયો કરવાનો શરૂ કર્યો છે.
ભારતમાં પાક. પ્રેરિત આતંકવાદ સાથે સાંકળીને એવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ચર્ચા થઈ રહી છે કે જેવી રીતે ઈઝરાયેલ પડોશી દેશોના આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી રહ્યું છે, તેમ ભારત સરકારે પણ પીઓકેના ફરીથી ધમધમવા લાગેલા આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા સેનાને ખુલ્લી છૂટ આપી દેવી જોઈએ, પરંતુ કમભાગ્યે તેમ થતું નથી. એકાદ-બે સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક કર્યે ચાલવાનું નથી, બલ્કે ઈઝરાયેલ અને અમેરિકાની જેમ પરિણામલક્ષી પ્રહારો ચાલુ રાખવા પડે તેમ છે, પરંતુ હાથના દાંત..?!
પીઓકે ભારતનું જે છે અને ગેરકાયદે કબ્જો જમાવીને બેઠેલા પાકિસ્તાનને ત્યાંથી તગેડવાનું જ છે, તો તેમાં એક દાયકાથી વધુ સમયથી સત્તારૂઢ ભાજપની સરકારે કેમ ઢીલાશ રાખી ? પીઓકેમાં ચીનના હિતો પણ સંકળાયેલા હોવાથી તેની બીક લાગે છે કે પછી કોઈ ગૂપ્ત રણનીતિ છે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, અને હાથના દાંત વાળા કટાક્ષો દોહરાવાઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ આતંકવાદ નાબૂદ કરવાની વાતો કરી ભાજપ સરકાર પાક.માં પનપતા આતંકવાદીઓને નાબૂદ કરવાનો વીલ પાવર કેમ બતાવતી નથી ?! ઈઝરાયેલ ફેઈમ રણનીતિ કેમ અપનાવતી નથી? તેવા સવાલો સાથે એવો માર્મિક સવાલ પણ પૂછાઈ રહ્યો છે કે વિશ્વકક્ષાએ 'શાંતિદૂત' બનવાના અભરખા તો કયાંક આડે આવી રહ્યા નથી ને?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રેશનકાર્ડમાં ઈ-કેવાયસીના મુદ્દે હવે રાજ્ય સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન્સ સાથે ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તો રાજકોટમાં આઠેક મહિના પહેલા રૂા. ૧ર૧ કરોડના ખર્ચે નિર્મિત જે જનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું હતું, તેની છત તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષના નેતાઓ તડાપીટ બોલાવી રહ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ કેસો કાઢવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવ્યાંગોની જે સંસ્થાને અપાયો, તેઓને પૂરતું વળતર નહીં મળતું હોવાના તથા આ દિવ્યાંગ કર્મચારીઓને માત્ર પાંચ-સાત હજાર જેટલો જ પગાર મળતો હોવાની ચર્ચાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં કૂતરૂ કે અન્ય કોઈ પ્રાણી કરડાવાના કેસોમાં જે રેબિઝ એટલે કે હડકવા વિરોધી રસી મૂકવામાં આવે છે, તે દર્દીઓનો હિસ્ટ્રી જાણીને શહેરમાં જ્યાં કૂતરૂ કે અન્ય પ્રાણી કરડતું હોય, તે અંગેની પૂરી તપાસ કરીને જો ચેપ લાગ્યો હોય તો તેનું તે મુજબનું કાળજીપૂર્વક ડ્રેસીંગ તથા સારવાર પહેલેથી જ કરવામાં આવે, તો ઈન્ફેક્શનના કારણે લાંબા સમય સુધી ડ્રેસીંગ કરાવવાની દર્દીઓની મુશ્કેલી પણ હળવી થાય, અને હોસ્પિટલ પર ભારણ પણ ઘટે, તેવા પ્રતિભાવો પણ હડકવા વિરોધી દિન મનાવાઈ રહ્યો છે. તેના સંદર્ભમાં સામે આવી રહ્યા છે, કારણ કે હડકવા વિરોધી રસી ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ મૂકવામાં આવે છે.
દર વર્ષે ર૮ મી સપ્ટેમ્બરે વર્લ્ડ રેબીઝ ડે મનાવાય છે, તેના સંદર્ભે જામનગર સહિત હાલારમાં રખડતા કૂતરાઓનો વધેલો ત્રાસ તથા કૂતરા કે અન્ય પ્રાણી કરડવા કે નાના બાળકોને ઊઠાવી જવા જેવી ગ્રામ્ય વિસ્તારોમાં ઘટનાઓ વધી રહી છે. તેની ચર્ચા પણ આજે થઈ રહી છે, અને વિવિધ સૂચનો તથા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. રેબીઝ ડે નિમિત્તે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.
હડકવાને અંગ્રેજીમાં રેબીઝ કહે છે. આ વિષાણુજન્ય ગંભીર રોગ છે, જેનો ચેપ મગજ સુધી પહોંચતા માનવી જીવ ગુમાવે છે. આ પ્રકારના રોગનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તથા વેદોમાં પણ હોવાનું કહેવાય છે.
સામાન્ય રીતે હડકાયું કૂતરૂ કરડવાથી આ રોગ થાય, તેવું મનાય છે, પરંતુ આ પ્રકારનો રોગ મોટાભાગે કૂતરાઓ ઉપરાંત અન્ય સસ્તન પ્રાણીઓમાં વધુ જોવા મળે છે. કૂતરા વરૂ, શિયાળ, બિલાડી, વાંદરા, જંગલી બિલાડી, ચામાચીડિયા સહિતના અનેક સસ્તન પ્રાણીઓ રેબીઝનો ભોગ બનતા હોય છે, પરંતુ માનવી વસતિની વચ્ચે મોટાભાગે રહેતા શ્વાન અને વાંદરા જેવા પ્રાણીઓના કારણે માનવીને આ રોગનો ભોગ વધુ બનવું પડતું હોય છે.
આપણે કોઈપણ પ્રકારનું કૂતરૂ કરડે તે પછી તરત જ રેબીઝની રસી મૂકાવી લઈએ તે હિતાવહ છે, કારણ કે જો કરડેલા કૂતરામાં રેબીઝ હોય તો તે મનુષ્ય માટે જીવલેણ બની શકે છે. હડકાયા પ્રાણીની લાળ દ્વારા જ્ઞાનતંતુઓમાં હડકવાનું ટ્રાન્ઝેક્શન ફેલાતા તે થોડા સમયમાં મૃત્યુ પામે છે, પરંતુ તે દમિયાન કોઈપણ અન્ય પ્રાણી કે મનુષ્યને કરડે તો તેમાં પણ રેબીઝનો ચેપ ફેલાઈ જતો હોય છે, અને તેના પર પણ મૃત્યુનો ખતરો ઝળુંબવા લાગે છે.
હડકવા લાગુ થયા પછી તેને અંકુશમાં લઈ શકાતો નથી, પરંતુ હડકવા વિરોધી રસી જો કૂતરૂ કે જાનવર કરડે કે તરત જ મૂકાવી લેવામાં આવે તો તે રસી હડકવાના જંતુઓને (વિષાણુઓને) મગજ સુધી પહોંચતા અટકાવીને ખતમ કરે છે, જેથી મનુષ્યનો જીવ બચાવી શકાતો હોય છે.
એવું કહેવાય છે કે, આપણા પ્રાચીન ગ્રંથોમાં આ રોગનો ઈલાજ વિવિધ રીતે થતો હોવાના ઉલ્લેખ મળે છે, પરંતુ પ્રવર્તમાન યુગમાં હડકવા વિરોધી રસીની શોધ વર્ષ ૧૮૮પ માં સાયન્ટિસ્ટ લુઈ પાશ્વરે કરી હોવાનો હીસ્ટ્રી છે.
ભારતમાં દર વર્ષે કરોડો લોકોને કૂતરા કે અન્ય પ્રાણીઓએ બચકા ભર્યા હોવાના કેસ નોંધાય છે. દેશમાં હડકવાથી હજારો લોકો દર વર્ષે મૃત્યુ પામતા હોવાનું પણ કહેવાય છે, જો કે સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસી મૂકાવી શકાય છે, પરંતુ આ અંગે અજ્ઞાનતા અને અંધવિશ્વાસની સામે વધુ જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, ખરૃં ને?
તાજેતરમાં ગુજરાતના પ૬ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા જનરલ હોસ્પિટલોમાં રેબીઝની વેક્સિનની તંગીના અહેવાલો આવ્યા હતાં અને ઈમ્યુનોગ્લોબીન ૩૦૦ આઈ.યુ. ઈન્જેકશનનો પૂરતો જથ્થો તમામ આરોગ્ય કેન્દ્રો-જનરલ હોસ્પિટલો, મેગા હોસ્પિટલો તથા એઈમ્સમાં ઉપબ્લધ રહે, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ વિશેષ કાળજી તો લેવી જ જોઈએ ને?
એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે ર૦ થી રપ્ હજાર લોકો હડકવા થતા જીવ ગુમાવતા હોવાના કેસો નોંધાય છે, જેમાં સરકારી ચોપડે નહીં નોંધાયેલા, દુર્ગમ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલે નહીં પહોંચી શકતા વેક્સિન સમયસર નહીં મળવાની કે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતાના કારણે સરકારી ચોપડે નહીં નોંધાયેલા સેંકડો કે હજારો કેસોનો સમાવેશ થતો નથી. આ વેક્સિન માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલમાં જ મળતા હોય, પૂરતો જથ્થો પણ રાખવો જ પડે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

તાજેતરમાં દ્વારકા જિલ્લામાંથી ઈન્કમટેક્સના એક અધિકારી લાંચ-રૂશ્વત લેવા જતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા અને પોલીસ રિમાન્ડ પર મોકલાયા હોવાના સમાચાર હતાં. એસીબીએ થોડા દિવસો પહેલા જ રાજ્યના જુદા જુદા સ્થળે છટકા ગોઠવીને ઝડપી લીધેલા લાંચિયા અધિકારી-કર્મચારીઓ તથા પદાધિકારીઓ અંગે એક વિસ્તૃત અહેવાલ મીડિયા અને અખબારોમાં આવ્યા પછી સોશ્યલ મીડિયામાં પણ ચર્ચાસ્પદ બન્યો હતો. લાંચ-રૂશ્વતની બદી ઘટવાના બદલે વધી રહી છે, અને જે પકડાય છે તે તો ભ્રષ્ટાચારના વિશ્વવ્યાપી મહાસાગરની માત્ર એક બુંદ સમાન પણ નથી, તેમ માનવામાં જરાયે અતિશયોક્તિ નહીં ગણાય, ખરૃં ને? એક આરોગ્ય કર્મી તથા ઘણાં અન્ય વિભાગોના કિસ્સાઓ શું સૂચવે છે?
હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા મોટા ભ્રષ્ટાચારના કેસો નોંધાવા લાગ્યા છે, જેમ જેમ જમીનો મોંઘી થતી જાય છે, અને મકાન-મિલકતના ભાવો પણ વધી રહ્યા છે તેમ તેમ નાના ગામડા તથા કસ્બાઓમાં પણ ભ્રષ્ટ નીતિ-રીતિથી જમીન હડપી લેવાના, ભાયુભાગ નહીં આપવાના, વારસાઈ જમીનના ભાગ પાડવામાં તકરારોના, લેન્ડ ગ્રેબીંગના તથા ખેતર-વાડીના સેઢા તથા સીમ-ગ્રામ્ય માર્ગોને લગતા સિવિલ કેસો અને ક્રિમીનલ કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા જાગૃત બની ગઈ હોવાથી ગ્રામ્ય કક્ષાએથી લાંચ-રૂશ્વતના છટકામાં ગ્રામ્ય કક્ષાના સરકારી કર્મચારીઓ- પદાધિકારીઓ તથા તેના મદદગારો ઝડપાવા લાગ્યા છે.
હમણાંથી ગ્રામ્ય કક્ષાએથી કેટલાક સરપંચો, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચયતના સભ્યો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યો, કર્મચારીઓ કે ગ્રામ-નગરસેવકો પણ લાંચ-રૂશ્વતની ટ્રેપમાં સપડાવા લાગ્યા છે, જે આપણા દેશમાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા પહોંચી ગયા છે, તે ઉજાગર કરે છે. ટોપ ટુ બોટમ પછી હવે આકાશથી પાતાળ સુધી ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, ખરૃં ને?
તાજેતરમાં જ કચ્છના નાનકડા એવા કૂકમા ગામમાંથી દાબેલી વેંચવાવાળો એસીબીની ટ્રેપમાં ઝડપાયો છે. સામાન્ય રીતે પાણીપૂરી, દાબેલી કે લારી-ગલ્લા પર ગાંઠિયા-ભજિયા વેંચતા ધંધાર્થીઓ ભેળસેળ કે અસ્વચ્છતાના કારણે ફૂડ શાખા, આરોગ્ય વિભાગ કે પંચાયત-પાલિકા-મહાપાલિકાની ટીમો દ્વારા થતા ચેકીંગમાં ઝડપાતા હોય છે, પરંતુ એન્ટી-કરપ્શન બ્યૂરોવાળાએ એક દાબેલીવાળાને રંગેહાથ લાંચ સ્વીકારતા પકડ્યો હોવાના સમાચારે રસપ્રદ ચર્ચા પણ જગાવી છે.
પ્રેસ-મીડિયામાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યા પછી સોશ્યલ મીડિયામાં તો આ કિસ્સો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તેના પડઘા રાજધાની ગાંધીનગર સુધી પડ્યા છે. લગભગ ચાર-પાંચ દિવસ પહેલા બનેલો આ કિસ્સો આજે રાજ્યના સચિવાલય તથા મંત્રાલયોના ગલિયારાઓ સુધી પડઘાવા લાગ્યો છે.
કુકમા ગામના બસ સ્ટેન્ડ પાસે દાબેલી વેંચતો શખ્સ જ્યારે એસીબીના છટકામાં રૂ. બે લાખ જેવી મોટી રકમ ત્યાંના તલાટી વતી લાંચ લેતા ઝડપાયો, ત્યારે નાનકડા ગામ સુધી પણ ભ્રષ્ટાચારના ભોરીંગે કેવો ભરડો લીધો, તે બહાર આવ્યું હતું. આ લાંચ જેના વતી સ્વીકારાઈ હતી, તે તલાટી પણ ઝડપાઈ ગયો, પણ ગ્રામ પંચાયતનો સભ્ય અને સરપંચનો પુત્ર ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.
ગ્રામ પંચાયતનો સભ્ય અને તલાટી મળીને જમીનની એન્ટ્રી પાડવા માટે કોઈ પાસે લાંચ માંગે અને તેનો 'વહીવટ' દાબેલીવાળો કરે, તેવી સુઆયોજિત ભ્રષ્ટ વ્યવસ્થા નાના ગામડા સુધી ગોઠવાઈ જાય, તે શું સૂચવે છે?
આ પહેલા આ જ પંથકમાંથી એક કંપનીને બાંધકામની પરવાનગી આપવા માટે એક મહિલા સરપંચ, તેના પતિ અને તેના અન્ય બે મદદગારો ચાર લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા જેલભેગા થયા હતાં, અને એ મહિલા સરપંચનો દિયર પણ ત્રણ વર્ષ પછી એસીબીના છટકામાં ઝડપાતા આખી દાળ જ કાળી હોવાની ચર્ચા થઈ રહી છે. એવું પણ બહાર આવ્યું છે કે આ મહિલા સરપંચને રાષ્ટ્રપતિના હસ્તે કોઈ સન્માન પણ ભૂતકાળમાં પ્રાપ્ત થયું હતું!!
એક તરફ રાજકોટના ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ પછી ફાયર સેફ્ટી, જમીન મજબૂતી અને સંલગ્ન સર્ટીફિકેટો આકરી ચકાસણી પછી અપાતા આ વર્ષે લોકમેળાઓના ચગડોળ, સ્ટોલ્સ વગેરે ઊભા કરવામાં ધંધાર્થીઓને હડિયાપટ્ટી થઈ પડી હતી, તો બીજી તરફ આ જ પ્રકારની પરવાનગીઓ આપવા માટે ભ્રષ્ટ નીતિ-રીતિઓ બંધ થવાના બદલે તેના 'ભાવ' વધી ગયા હોવાની ચર્ચા પણ જાગી હતી. એવું કહેવાય છે કે એક ઈન્ચાર્જ અધિકારી ફાયર સેફ્ટીની એનઓસી આપવા બદલ રૂ. ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતાં!
લાંચ-રૂશ્વતના કિસ્સાઓમાં ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી વતી કોઈ બિન-સરકારી વ્યક્તિ લાંચની રકમ સ્વીકારે, તો તે પણ ગુન્હામાં મદદગાર થવા બદલ સમાન રીતે ગુન્હેગાર બને છે, અને જેલમાં જાય છે, તેમ છતાં અદાલતોમાં કેસ ચાલે ત્યારે કદાચ છટકબારીઓ મળી જાય અને અસલી ગુનેગાર (જેના વતી લાંચ સ્વીકારાઈ હોય તે) ને ફરાર થઈ જવાનો મોકો મળી જાય, અને તે દરમિયાન કોઈ 'ગોઠવણ' થઈ જાય, તે હેતુથી દાબેલીવાળા, પાનના ગલ્લાવાળા, ચાની રેંકડીવાળા કે અન્ય કોઈ બિન-સરકારી વ્યક્તિને લાંચનો 'વહીવટ' સોંપવાની તરકીબ અજમાવાઈ રહી હશે, તેવા તર્કો પણ વ્યક્ત થતા હોય છે.
અહીં આપેલા દૃષ્ટાંતોની જેમ જ ઘણાં બધા ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના 'સેટીંગ' થતા હશે, પરંતુ જેમ જેમ જનતા જાગૃત થતી જાય છે અને એસીબીની સક્રિયતા વધતી જાય છે, તેમ તેમ લાંચિયા લોકોમાં ફફડાટ પણ વધી રહ્યો છે. ગો એહેડ...
સોશ્યલ મીડિયામાં તથા ચોરે ને ચૌટે, ચાની રેંકડીઓ તથા પાનના ગલ્લે એક બીજી રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો કે તેના સગાઓ, સરપંચ પતિઓ, નગરપાલિકાના સભ્યો અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો, કેટલાક સ્થળે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો કે પછી સહકારી સંસ્થાઓના હોદ્દેદારો વગેરે જો સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સાથે સેટીંગ કરીને પોતે જ લાંચ લેતા કે લેવડાવતા ઝડપાતા હોય, તો શું અન્ય પદાધિકારીઓ દૂધે ધોયેલા હશે?
જામનગરના કુખ્યાત લેન્ડ ગ્રેબીંગ કેસ પછી એ તો પૂરવાર થઈ ગયું છે કે, ભ્રષ્ટાચારની સિસ્ટમમાં રાજનેતા, કાયદાનો જાણકાર, અનુભવી સરકારી કર્મચારી અને 'ઈન્વેસ્ટર' કૌભાંડકાર મળીને કેવી રીતે 'જાયન્ટ કરપ્શન'નો ખેલ પાડી શકતા હોય છે. આ પ્રકારના અપવાદ રૂપ દૃષ્ટાંતો પછી એમ પણ માની શકાય કે ઉચ્ચ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચારનો ભાંડો પણ ફૂટી શકે ખરો, પરંતુ તે માટે જનતાની જાગૃતિ સંપૂર્ણપણે પ્રામાણિક નિર્ણાયક અધિકારી, સામાજિક સંગઠીતતા અને વ્યક્તિગત પ્રામાણિક્તાની જરૂર પડે, ખરૃં ને?
એવી રસપ્રદ ચર્ચા છે કે જેવી રીતે તલાટી, સરપંચ, સભ્ય અને તેના મદદગારો લાંચના છટકામાં ઝડપાય, તેવી જ રીતે કોઈ ભ્રષ્ટ સચિવ, કલેક્ટર, મંત્રી, આઈએએસ કે આઈપીએસ અધિકારી, આ બધાના પી.એ., પી.એલ, સનદી અધિકારીઓ, પદાધિકારીઓ, મેજીસ્ટેરિયલ પાવર ધરાવતા અમલદારો, બોર્ડ-નિગમો, કોર્પોરેશનો, સમિતિઓ, સહકારી ક્ષેત્રો કે જાહેર સાહસોના હોદ્દેદારો, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે દ્વારા જો પ્રત્યક્ષ કે પરોક્ષ(!?) રીતે લાંચ માંગવામાં આવે, ત્યારે તે ઝડપાય, અને તે જેલમાં જાય તથા અદાલતો દ્વારા તેઓને આકરી સજા થવા લાગે, અપવાદરૂપ નહીં, પરંતુ એક સાથે દેશવ્યાપી ક્રાંતિના સ્વરૂપે આવું થાય તો કહી શકાય કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થવા લાગી છે, ખરૃં કે નહીં? લોકો પૂછે છે કે નાની માછલીઓ પછી હવે ભ્રષ્ટ મોટા માથાઓ સામે ક્રાંતિ ક્યારે થશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

થોડા દિવસો પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ-સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાની સૂચના અપાઈ હતી અને તે પછી વિદ્યાર્થીઓ તથા વાલીઓ જે પરેશાનીમાં મૂકાયા હતાં અને શિક્ષકો-આચાર્યોનો પણ પ્રક્રિયાત્મક પરેશાનીઓ થઈ હતી, તેનું વિગતવાર વર્ણન કરીને 'નોબત'ના તા. ર૪-૯-ર૦ર૪ ને મંગળવારના તંત્રીલેખમાં આ સમસ્યાને વાચા અપાઈ હતી, અને તેમાં જ વર્ણવાયું હતું કે, એક નાના વિદ્યાર્થીએ તેની શાળાના આચાર્ય તથા વર્ગશિક્ષકને લખેલો ચાર-પાંચ લીટીનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આપણી આધુનિક સિસ્ટમોની વરવી વાસ્તવિક્તા બહાર આવી છે અને પોલ ખુલી ગઈ છે. આ તંત્રીલેખમાં સરકાર અને બેંકો દ્વારા નાની-નાની રકમની યોજનાકીય સહાય માટે આટલી જટિલ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તેવી 'સતર્કતા' જો મોટા માથાઓને કરોડો-અબજો રૂપિયાની લોન આપતી વખતે રાખી હોત, તો કદાચ વિજય માલ્યાઓ, નિરવ મોદીઓ કે મેહુલ ચોક્સીઓ ફાવ્યા ન હોત, તેવો કટાક્ષ પણ કરાયો હતો.
સોશ્યલ મીડિયામાં એ નાના વિદ્યાર્થીના વાયરલ થયેલા પત્રની નોંધ પ્રેસ-મીડિયામાં લેવાઈ અને અખબારો-ન્યુઝ ચેનલો તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એટલી બધી ટીકાઓ થઈ કે રાજ્ય સરકારે પણ આ મુદ્દે તત્કાળ અનુસંધાન લેવું પડ્યું હતું. એવા અહેવાલો પણ આવ્યા કે ઈ-કેવાયસી નહીં થયું હોય, તો પણ હાલતુરત શિષ્યવૃત્તિ નહીં અટકે તેવું નિવેદન રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું છે. તે પછી એવા અહેવાલો પણ આવ્યા હતાં કે આજ નહીં તો ભવિષ્યમાં ઈ-કેવાયસી કરાવવું તો પડશે જ, પરંતુ હાલતુરત તેની મુદ્ત વધારી દેવાશે!
જો મુદ્ત વધારીને થીગડું જ મારવું હોય તો તેને તો વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે છેતરપિંડી જ કહેવાય ને? જો એની એ જ લમણાઝીક કરવાની બાકી રહે, તો તેનો શું મતલબ? જો ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયા કરાવવી જ હોય તો તંત્રે પ્રત્યેક શાળામાં ટીમો મોકલીને શાળા આરોગ્ય તપાસણી તથા શાળા પ્રવેશોત્સવની તર્જ પર વિદ્યાર્થીઓ કે વાલીઓને ક્યાંય ધક્કો ન થાય, તેવી કોઈ સરળ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, અને કેટલાક લોકો તો આ સમગ્ર પ્રક્રિયાને જ નિરર્થક ગણાવી રહ્યા છે. કેટલાક સ્થળે જો શિષ્યવૃત્તિ કે સ્કોલરશીપને લઈને ગરબડ-ગોટાળા થયા હોય તો તેની સામે પગલાં લઈ શકાય, પરંતુ દોઢ-બે હજારની વિદ્યાર્થી દીઠ શિષ્યવૃત્તિ આપવાની હોય, તેમાં ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયાઓ કરાવવી કોઈપણ રીતે યોગ્ય નથી, ખરૃં કે નહીં?
જો કે, મીડિયાના માધ્યમથી ગઈકાલે શિક્ષણમંત્રીને ટાંકીને એવા અહેવાલો આવ્યાકે ઈ-કેવાયસી થયું ન હોય, તો પણ શિષ્યવૃત્તિ પર કોઈ અસર નહીં પડે, તેથી વાલીઓ-વિદ્યાર્થીઓને હાશકારો થયો હશે, પરંતુ આ પ્રકારની જટિલ પ્રક્રિયા જ રદ કરીને ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા કે તેના વિકલ્પે બીજી કોઈ જટિલ પ્રક્રિયા લાગુ નહીં કરાય, તેવી બાહેંધરી પણ સરકારે જાહેર નિવેદનમાં ઉપરાંત તત્કાળ આદેશો જાહેર કરીને તથા પ્રેસ-કોન્ફરન્સો યોજીને પણ આપવી જોઈએ, તેમ નથી લાગતું?
બીજી તરફ ઈ-કેવાયસીની જટિલ કામગીરી શિક્ષકો દ્વારા નહીં કરાવવા જુદા જુદા શહેરો તથા જિલ્લાઓના શિક્ષક સંગઠનો તથા સંઘો પણ અવાજ ઊઠાવી રહ્યા છે, અને શિક્ષકો પાસે આ મામલતદાર કચેરીનું કામ કરાવાઈ રહ્યું હોવાથી શિક્ષણ પર વિપરીત અસર પડશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. શિક્ષકો પાસે પહેલા માત્ર મતદાન-મતગણતરી અને વસતિ ગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જ શિક્ષણેત્તર કામ કરાવાતું હતું તેના બદલે હવે બીએલઓ, ચૂંટણી કાર્ડ, યોજનાકીય પ્રક્રિયાઓ અને હવે ઈ-કેવાયસી જેવા અવિરત ચાલતી રહેતી કામગીરી સુપ્રત કરાતા શિક્ષણ ક્ષેત્રના સંગઠનો તથા સંઘો એવા સવાલો પણ ઊઠાવી રહ્યા છે કે જો શિક્ષકો-અધ્યાપકો આ બધી કામગીરી કરતા રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે ક્યારે? માત્ર કોર્સ માંડ માંડ પૂરા કરાવી શકાતા હોય, ત્યાં શિક્ષણ સાથે સરકારોનું સિંચન તથા ઈત્તર પ્રવૃત્તિ દ્વારા ભાવિ નાગરિકોના મજબૂત અને સંસ્કારી ઘડતરને તો અવકાશ જ ક્યાંથી રહે? સરકાર આ તમામ બાબતો કેમ વિચારતી નથી?
સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સરકારી કાર્યક્રમો તથા અવાર-નવાર ચાલતા વિવિધ પ્રચારાત્મક અભિયાનોમાં પણ શિક્ષકો-અધ્યાપકોને વ્યસ્ત રહેવું પડતું હોય છે, અને હવે તો રાજકીય કાર્યક્રમોમાં પણ આ પવિત્ર ક્ષેત્રનો દુરૂપયોગ વધી રહ્યો હોવાની રાવ ઊઠી રહી છે, પરંતુ એ પણ હકીકત જ છે ને કે 'યે તો પહેલે સે ચલી આતી હૈ... હમામ મેં સબ નંગે હૈ...'
અમને એ વાતનો સંતોષ છે કે, અહીંથી પ્રજાના પ્રશ્નો, પબ્લિકની પીડા, સમાજ અને જાહેર જનતાની સમસ્યાઓ તથા સાંપ્રત પ્રવાહોને સાંકળીને થતા સૂચનો-અભિપ્રાયોને વાચા મળે છે, તેનાથી લોકમત બંધાય છે અને તેનો પડઘો પડતા વિવિધ સંબંધિત કે સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કદમ પણ ઊઠાવાઈ રહ્યા છે. એ વાત અલગ છે કે ક્યારેક ઝડપભેર કદમ ઊઠાવાય છે તો ક્યારેક થોડીવાર લાગે છે... પરંતુ પબ્લિકનો 'પડઘો' બનીને અમને જોબસેટિસ્ફેકશન પણ થાય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પ્રેસ-મીડિયામાં તો અવારનવાર વિદેશમાં રોજગારી મેળવવા કે પછી વધુ નાણા કમાવા માટે પાછલા દરવાજેથી (ગેરકાયદે) ઘૂસવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો પકડાઈ જાય કે ફસાઈ જાય તો કેવી હાલત થતી હોય છે, તેના અહેવાલો અવારનવાર આવતા જ હોય છે, પરંતુ હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી તો એવી ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે કે કાયદેસરના વીઝા લઈને વિદેશ નોકરી-મજૂરી કરવા જતા લોકોની પણ મોટાભાગે સારી સ્થિતિ હોતી નથી, પરેશાન થઈ જતા હોય છે, અને દોઝખભરી જિંદગી જીવવા મજબૂર બની જતા હોય છે.
હમણાંથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલો એક વીડિયો દેશભરમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં એક પલંગમાં બબ્બે, ત્રણ-ત્રણ બેડ, સ્લીપીંગ કોચની ઉપરાઉપર ગોઠવેલી હોય છે અને, એક ટીનનું શેડ (છાપરૂ) ધરાવતા વિશાળ હોલમાં દેશ-વિદેશથી દુબઈ નાણા કમાવા ગયેલા લોકો મહામુશ્કેલીની સ્થિતિમાં આ ગંદી બેડ પર સૂતા હોય છે. ગરમ દેશમાં ઉનાળામાં ટીનના શેડ નીચે જાનવરોની જેમ ખીચોખીચ ભરેલા આ લોકોની હાલત કેટલી દયનિય બનતી હશે, તેની કલ્પના પણ કાળજુ કંપાવનારી છે. એવું કહેવાય છે કે આ રીતે મરવાના વાંકે જીવી રહેલા લોકો પૈકી મોટાભાગના ભારત, પાકિસ્તાન અને ચીન સહિતના દેશોમાંથી ગયેલા કામદારો, મજૂરો તથા છેતરપિંડીથી ત્યાં લઈ જઈને મજૂરી કરાવાતી હોય તેવા ફસાયેલા મજબૂર એઝ્યુકેટેડ લોકો હોય છે. ઢોરના તબેલા જેવા આ સ્થળને વીડિયોમાં જોઈને લોકો તરેહ-તરેહની કોમેન્ટો કરી રહ્યા છે, અને કેટલાક લોકો આકરી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, પરંતુ સવાલ એ ઊઠે છે કે આ લોકોને જો ઘરઆંગણે પૂરતી રોજગારી મળતી હોય, તો તેઓને આ પ્રકારની યાતનાઓ સહન કરીને વિદેશ જવું જ ન પડે ને? જો કે, દુબઈમાં દરેક સ્થળે આવું હોતું નથી, અને આ અંગેના ચોક્કસ નિયમ-કાયદાઓ છે. એટલું જ નહીં, આ પ્રકારના હોલમાં એરકન્ડીશન્ડ મશીનો સહિતની સુવિધાઓ હોય છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ સવાલ તો તેમ છતાં પણ ઊભો જ રહે છે ને કે જો ભારતમાં રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ હોય તો આવી બદહાલીભરી સ્થિતિમાં પણ વિદેશની ધરતી પર કામ-ધંધો કરવા જવાની જરૂર જ પડે નહીં ને?
કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગંધીએ પણ આ જ પ્રશ્ન ઊઠાવ્યો છે અને કહ્યું છે કે જો દેશમાં રોજગારીની વિપુલ તકો મળતી હોય તો હરિયાણાના યુવાનોને વિદેશમાં પલાયન કરવું જ કેમ પડે? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી મોટા મોટા ભાષણો કરે છે, પણ તેઓ બેરોજગારી અંગે કાંઈ બોલતા નથી. દેશમાંય યુવાનોનું પલાયન અટકાવવા રોજગારીની તકો ઘરઆંગણે વધારવાની તથા મોંઘવારી ઘટાડવાની જરૂર છે, પરંતુ તે અંગે તેઓ એક શબ્દ પણ બોલતા નથી. તેઓ મનની વાત કરતા રહે છે, પરંતુ હવે તેમની મનની વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી!
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બેરોજગારીની બીમારી ફેલાઈ રહી છે અને મોંઘવારીની મહામારીની જેમ વધી રહી છે, ત્યારે તેના પર ધ્યાન આપવાના બદલે વડાપ્રધાન મોદી મોટા મોટા ભાષણો કરે છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી નફરત ફેલાવી રહ્યા છે...
રાહુલ ગાંધીએ સેબીને ટાંકીને કહ્યું કે શેરબજારમાં શેર દલાલો અને એક્સચેઈન્જો કરોડોની કમાણી કરી રહ્યા છે, અને એફએન્ડઓની લત લાગી જવાથી ઘણાં લોકો બરબાદ થઈ રહ્યા છે, ખાસ કરીને યુવા પેઢી બરબાદ થઈ રહી છે, તેવું સેબી માનતી હોય તો નાના રોકાણકારોના નાણા આ રીતે હડપ કરી જતા મોટા માથાઓના નામો સેબીએ જાહેર કરવા જોઈએ વગેરે...
વાયદાના જુગારમાં જો સવા કરોડથી વધુ ટ્રેડર્સે ત્રણ વર્ષમાં પોણાબે લાખ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા હોય તો તે ઘણી જ ગંભીર બાબત ગણાય, અને આ રાજનીતિનો નહીં, પણ અર્થનીતિનો વિષય છે, તેમ જણાવી કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે લીગલ ગેમ્બલીંગની આ પ્રકારની છટકબારીઓ તત્કાળ બંધ થવી જોઈએ.
દેશમાં રાજનીતિ કરવટ બદલી રહી છે, તો બીજી રફ લોકતાંત્રિક ઢબે પરિપકવ થયેલા મતદારો આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ભાષણો કે નિવેદનોથી અંજાઈ જાય કે દોરવાઈ જાય તેવા રહ્યા નથી, ત્યારે આગામી પાંચ વર્ષની ચૂંટણીઓ દેશની દિશા અને દશા નક્કી કરવાની છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સરકારી સેવાઓ ડિજિટલ બની રહી છે અને ઓનલાઈન ડેટાબેઈઝ સિસ્ટમો લાગુ કરવામાં આવી રહી છે. કોઈપણ ડોક્યુમેન્ટ્સ કે દાખલા, પ્રમાણપત્રો, જુદી જુદી યોજનાઓના કાર્ડઝ, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ વગેરેમાં પણ હવે ઓનલાઈન સુધારા-વધારા થઈ શકે છે. કેટલીક યોજનાઓના રજિસ્ટ્રેશન પણ હવે ઓનલાઈન થાય છે. યોજનાકીય લાભો પહોંચાડવામાં પારદર્શિતા તથા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં યોજનાકીય લાભોની પૂરેપૂરી રકમ સીધી જમા કરાવવાની ડીબીટી સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના ઉદ્દેશ્યો જેવા ફાયદાઓ પણ થયા છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે.
એક નાનકડા ગામડાના એક વિદ્યાર્થીએ પોતાની શાળાના વર્ગ શિક્ષક તથા આચાર્યને ઉદ્દેશીને લખેલો એક પત્ર સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે, અને પ્રેસ-મીડિયાએ પણ તેની નોંધ લીધી છે. આ ત્રણ-ચાર લીટીનો પત્ર પ્રવર્તમાન સિસ્ટમની કડવી વાસ્તવિક્તા રજૂ કરે છે, અને નાનો સરખો યોજનાકીય લાભ મેળવવા માટે પણ કુમળી વયના બાળકો તથા માતા-પિતા-વાલીઓને કેટલી તકલીફ પડે છે, તેનું આ સચોટ દૃષ્ટાંત અદ્યતન સિસ્ટમના નામે લાદી દેવાયેલા સરકારી ગતકડાની માઠી અસરોને ઉજાગર કરે છે. આ પ્રકારની સિસ્ટમો સામાન્ય જનતાની સગવડો નહીં પણ અગવડો વધારે છે, જે પ્રશાસકીય સિસ્ટમ્સના ગાલે તમાચા સમાન છે.
આ બાળકે તેના વર્ગ શિક્ષક તથા આચાર્યને ઉદ્દેશીને લખ્યું છે કે શિષ્યવૃત્તિ માટે એટલા બધા આધાર-પુરાવા અને અપડેટ માંગવામાં આવે છે કે મારા માતા-પિતા વારંવાર તાલુકા અને બેંકના અનેક ધક્કા ખાઈને થાકી ગયા છતાં પૂરૃં થતું નથી. તેથી કંટાળીને મારી માતાએ કહ્યું કે આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી.
અહેવાલો મુજબ લોઅર પ્રાયમરીના વિદ્યાર્થીઓને રૂ. ૧૬પ૦ અને હાયર પ્રાઈમરી એટલે કે ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને રૂ. ૧૯પ૦ની શિષ્યવૃત્તિની કોઈ યોજના માટે વાલીઓ, માતા-પિતાઓ દર દરની ઠોકરો ખાઈ રહ્યા છે. સરકારના જુદા જુદા વિભાગો દ્વારા બનાવાયેલા નિયમો, ડિજિટલ સિસ્ટમ્સ અને તેના ધાંધિયા તથા બેન્કીંગ પ્રક્રિયાની જટિલતા જોતા એવું જણાય છે કે આ લાભો સરળતાથી ગરીબ-સામાન્ય લોકોને આપવાની નિયત જ નથી.
રેશનકાર્ડના ડેટાબેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઈઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો કોઈ આદેશ થયો હોવાથી આ પ્રકારની જટિલતા સર્જાઈ હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને રેશનકાર્ડના પરસ્પર લિન્કીંગ પછી વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ ખોલાવીને તેનું પણ લિન્કીંગ કરાવવું પડે, તો જ સ્કોલરશીપ મળે તેવા મનઘંડત નિયમો બનાવાયા હોવાની આલોચના પણ થઈ રહી છે.
જો રેશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ ન હોય, તો તે ચઢાવવા મામલતદાર કચેરીમાં જવું પડે, જો વિદ્યાર્થીનો પરિવાર રેશનકાર્ડ ધરાવતો જ ન હોય, તો તેને નવું રેશનકાર્ડ કઢાવવાની અઘરી પ્રક્રિયા કરવી પડે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડે. આધારમાં ન હોય તો વિદ્યાર્થીએ આધારકાર્ડ કરાવવું પડે અને તે બધાનું પરસ્પર લિન્કીંગ કરાવવું પડે. આવકનો દાખલો કઢાવવા અલગથી ધક્કા ખાવા પડે, અને તે પછી જ આ નાના-કુમળી વયના બાળકોને શિષ્યવૃત્તિ કે સ્કોલરશીપ મળે, તેવા નવા નિયમોથી સર્જાયેલી વિકટ સ્થિતિની કડવી વાસ્તવિક્તા રાજ્યના કોઈ જિલ્લાના નાનકડા ગામના વિદ્યાર્થીએ આ રીતે ઉજાગર કરી હોવાની ચર્ચા સોશ્યલ મીડિયામાંથી હવે શિક્ષણ જગત તથા રાજકીય વર્તુળો સુધી પણ પહોંચી ગઈ છે.
સરકારની ઘણી યોજનાઓમાં કારણ વગરની જટિલતાઓ ઊભી કરવામાં આવી રહી છે. શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ કે અન્ય યોજનાઓમાં થતો કથિત ભ્રષ્ટાચાર અટકાવવા ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોય, તે જરૂરી છે, પરંતુ એ સિસ્ટમો એટલી જટિલ પણ ન હોવી જોઈએ કે જેથી મળનાર નાણાકીય લાભો જ ધક્કા ખાવા અને પોતાનું રોજ (દૈનિક રોજગારની આવક) ગુમાવવાના કારણે સવાહા થઈ જાય...!
મોટા મોટા ઉદ્યોગપતિઓને કોઈ પણ નક્કર ગેરન્ટી વગર કરોડો-અબજો રૂપિયાના ધિરાણો આપી દેતી ઘણી બેંકો પણ વિદ્યાર્થીઓ-વાલીઓને સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ કે સરકારી યોજનાની નાનકડી સહાય માટે ખાતું ખોલાવવું હોય, ત્યારે સહયોગ આપતી હોતી નથી અને ધક્કા ખવડાવે છે, તેવી ફરિયાદો પણ ઊઠતી હોય છે, જ્યારે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી રાતોરાત જરૂરી મંજુરીઓ આપીને જાયન્ટ ઉદ્યોગપતિને ઊર્જાનું વૈકલ્પિક માર્કેટ આપી દેવાય છે, તે શું સૂચવે છે?
ડિજિટલ ગુજરાતની સાઈટના ધાંધિયા, વારંવાર એરર, સર્વર ડાઉનની રોજીંદી તકલીફ અને અન્ય સિસ્ટોમેટિક ખામીઓના કારણે શિષ્યવૃત્તિની દરખાસ્તોની એન્ટ્રી પાડવામાં પણ વિલંબ થતો હોય છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા હેઠળ આચાર્ય કે ટિચર્સ (શિક્ષકો) દ્વારા એપ ઓપન કરવામાં આવે, અને વિદ્યાર્થી-વાલીની મોબાઈલ ફોનમાં તેનો ઓટીપી આવે, તે પછી તેના આધારે આધારકાર્ડનું કેવાયસી થાય, અને તેના વિકલ્પો વાચીને રેશનકાર્ડના નંબર દાખલ કર્યા પછી ફરીથી વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં તેનો ઓટીપી આવે, તે પછી તો રેશન કાર્ડમાં પરિવારના જેટલા સભ્યો હોય, તેમાંથી અભ્યાસ કરતા બાળકોના ફોટા કેપ્ચર કરવા, તેની સાથે આધાર અને રેશનકાર્ડ તથા બેંક એકાઉન્ટની વિગતો મેચ થાય, તે પછી જ ઈ-કેવાયસી સંપન્ન થાય અને વિદ્યાર્થીની દરખાસ્ત સબમીટ થાય. આટલી જટિલ પ્રક્રિયા જો કરોડોના ધિરાણો આપતી વખતે બેંકો અપનાવતી હોત કે અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો આપતી વખતે સરકારો અપનાવતી હોય તો કદાચ વિજય માલિયાઓ, નિરવ મોદીઓ, મેહુલ ચોક્સીઓ જેવા ફ્રોડ થયા જ ન હોત, ખરૃં કે નહીં?
ઘણી વખત તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માત્ર દોઢ-બે હજારની મળવાની હોય અને તેના વાલીઓને બેંકો પાંચેક હજાર રૂપિયાની રકમ જમા કરાવવાથી જ ખાતુ ખુલે તેવું જણાવતી હોવાની રાવ પણ સંભળાતી હોય છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિદ્યાર્થીના પત્ર અને તેના અનુસંધાને થતી ચર્ચાની હકીકત જે હોય તે ખરી, પરંતુ આ જ પ્રકારની જટિલતાનો સામનો વયોવૃદ્ધ પેન્શનરો, વિધવા-સહાય કે દિવ્યાંગોની સહાય મેળવતા બુઝુર્ગો તથા પેન્શનરના મૃત્યુ પછી કુટુંબ પેન્શન માટે ટળવળતી વિધવા બહેનો તથા પરિવારોને પણ કરવો પડતો હોય છે. એવું કહેવાય છે કે શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ જેવી યોજનાઓની પ્રક્રિયા સરળ કરવા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો પણ કરી છે, અને ઓનલાઈન પ્રક્રિયાની તકલીફો શાળા સંચાલક મંડળે પણ રજૂ કરી છે. જોઈએ, હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની મૂલાકાત તથા અન્ય વૈશ્વિક પ્રવાહો વચ્ચે દેશની રાજનીતિ પણ ગરમાઈ રહી છે, તો બીજી તરફ જામનગરમાં કેટલાક માર્ગો પહોળા કરવાની કાર્યવાહી તથા ડી.પી. કપાતને લઈને લોકલ પોલિટિકસમાં પણ હલચલ જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સરકારી કમિટી મંદિર સંકુલના વિકાસનો પ્રોજેકટ અને ગગનચૂંબી પ્રતિમાનો આખો પ્રોજેકટ કદાચ પંચકૂઈના ત્રિકોણીયા ભૂભાગ પર જ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધશે, તેવી વાતો વહેતી થઈ છે, જ્યારે જવાહર ચાવડા ફેઈમ આંતરિક વિવાદે પણ સારી એવી ચર્ચા જગાવી છે.
દ્વારકાના વિકાસની વાતો બે-અઢી દાયકાઓ પહેલા શરૂ થઈ હતી, તે જ સમયથી મહાભારતકાળ સાથે સંકળાયેલા પિંડતારક એટલે કે પીંડારાના વિકાસની વાતો પણ શરૂ થઈ હતી, આ પૌરાણિક, ઐતિહાસિક અને વર્તમાન યુગમાં પણ વિવિધ પ્રકારનું મહત્ત્વ ધરાવતું સ્થળ રિલિજયસ પિલગ્રીમ પ્લેસ તરીકે વિકસાવી શકાય તેમ છે, અને તેની ફાઈલો પણ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે-તે સમયે ચાલી હોવાનું કહેવાય છે. અત્યારે તો દેવભૂમિ દ્વારકાના જ ધારાસભ્ય રાજ્ય સરકારમાં પ્રવાસનમંત્રી છે અને કેબિનેટમંત્રી પણ છે, ત્યારે તેની પાસેથી કોઈ પણ લોકોને ઘણી જ અપેક્ષાઓ છે, આમ મૂળુભાઈ બેરા તે સમયે પણ રાજ્ય સરકારમાં અન્ય વિભાગના મંત્રી હતા, તેથી લોકોની અપેક્ષાઓ વધુ રહે તે પણ સ્વાભાવિક જ છે ને?
હમણાંથી રાજનેતાઓ એકબીજાને સવાલો બહુ પૂછી રહ્યા છે. ભાજપવાળા કોંગ્રેસને સવાલો પૂછે છે, તો ખડગે નડ્ડાને પત્ર લખે છે. નડ્ડા જવાબ આપે છે, તો વિપક્ષો તડાપીટ બોલાવે છે. કોઈ ત્રણ સવાલો પૂછે છે, તો કોઈ પાંચ પ્રશ્નો પૂછે છે. નગર અને હાલારમાં માર્ગોની તત્કાલ મજબૂત મરામત તથા જામનગરમાં ટ્રાફિક સમસ્યાઓને લઈને જનતા સ્થાનિક શાસકો-પ્રશાસકો અને તંત્રોને સવાલો પૂછે છે, તો પ્રેસ-મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ સવાલોની ઝડી વરસે છે. આ બધી જ કવાયત પછી તેનું પરિણામ શું આવે છે, અને તેની કોઈ હકારાત્મક અસરો થવાની કોઈ સંભાવના પણ છે ખરી? તે પણ યક્ષપ્રશ્ન છે ખરું ને?
રાષ્ટ્રીય કક્ષાએ બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એવી ભવિષ્યવાણી કરી છે કે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપના તાબૂતમાં છેલ્લો ખીલો પુરવાર થશે. મતલબ કે મહારાષ્ટ્રની ચૂંટણી પછી ભારતીય જનતા પક્ષનો રાષ્ટ્રીય કક્ષાએથી પણ અસ્ત થવાનું શરૂ થઈ જશે.
પ્રખર મોદી વિરોધી નેતા સંજય રાઉત ઉપરાંત અબુ આઝમી વગેરે નેતાઓની હાજરીમાં સત્યપાલ મલિકે એમ પણ કહ્યું કે પરાજયના ડરથી જ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી યોજવામાં વિલંબ કરાયો છે. તેમણે પોતે રાજ્યપાલ પદે હતા, તે સમયના કેટલાંક રહસ્યો ઉજાગર કરીને વટાણા વેર્યા હતાં, જેના પડઘા દેશની રાજધાની દિલ્હી સુધી પડ્યા છે, જેની સામે ભાજપના પ્રવકતાઓએ કહ્યું કે સત્યપાલ મલિક પોતે રાજ્યપાલ હતા, ત્યારે કેમ કોઈ કાર્યવાહી ન કરી ?
સત્યપાલ મલિકે એવી ભવિષ્યવાણી કરી છે કે હરિયાણામાં કોંગ્રેસ લગભગ ૬૦ બેઠકો મેળવીને સરકાર રચશે, જ્યારે ભાજપને ત્યાં માંડ ર૦ બેઠકો જ મળશે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને તેની પડખે રહેલા શિવસેના તથા એનસીપીના વિદ્વોહીઓનો રકાસ થશે, અને મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો દેશને નવી દિશા આપશે. હવે આ સત્યપાલ મલિકની આ 'સત્ય' વાણી કેટલી સાચી પડે છે, તે જોવું રહ્યું.
બીજી તરફ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતને ઉદ્દેશીને 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલે પાંચ પ્રશ્નોની પ્રશ્નાવલિ રજૂ કરી છે, તે પણ ચર્ચામાં છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. આ પ્રશ્નોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ પણ તીખા તમતમતા પ્રતિપ્રહારો કરી રહ્યા છે, ત્યારે દિલ્હીની જનતા વિચારતી હશે કે, 'કૌન સચ્ચા...કૌન જૂઠ્ઠા?'ં
પ્રશ્નાવલિઓ તો હવે ચોતરફ ઊભી થવા લાગી છે. નગર, નેશન અને ઈન્ટરનેશનલ કક્ષા સુધી અનેક સવાલો ઘુમી રહ્યા છે. એક તરફ કવાડની બેઠકમાં ચીનને ચેતવણી અથવા સંદેશ અપાયો હોવાનો દાવો કરાયો છે, તો બીજી તરફ ચીનની તરફેણમાં કેટલાક પડોશી દેશોનું વલણ ભારત માટે ચિન્તાજનક છે, હવે તો પડોશી દેશ શ્રીલંકામાં પણ ડાબેરી વિચારધારાના અને ચીન તરફ ઝુકાવ ધરાવતા દિસાનાયકા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ બાજુ બાંગ્લાદેશમાં નવી સરકાર ભારત સાથે તો સંબંધ બગાડી જ રહી છે, પરંતુ હવે પાકિસ્તાન તરફ ઢળી રહી હોય તેમ જણાય છે. આ સંજોગોમાં ભારતની ચારે તરફ હવે માત્ર દુશ્મનાવટ જ પાંગરી રહી હોય તેમ જણાય છે.
નગરની વાત કરીએ તો જામનગરમાં હવે સ્વામિનારાયણનગર-નવાગામ ઘેડથી ગાંધીનગરના ૩૩૧ મકાનોની ડી.પી. કપાતની આજથી શરૂ થનારી સુનાવણી પછી હવે અન્ય એક ડી.પી. કપાતની તૈયારી થતા તેના પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે. ગોકુલનગર સર્કલથી ખંભાળીયા બાયપાસ વચ્ચેના માર્ગને ર૪ મીટરની પહોળાઈ આપવા માટે ૭૦ થી વધુ લોકોને નોટીસ મળી હોવાનું ચર્ચાય છે, આ પ્રકારે પડતર ડી.પી. કપાતોને પડતી મૂકીને સિલેકટીવ ડી.પી. કપાતોની કાર્યવાહી માત્ર બિલ્ડરલોબીને ફાયદો કરાવવા થઈ રહી હોવાના આક્ષેપો થયા છે, ત્યારે વિજયનગરવાળી ડી.પી. કપાતને લઈને પણ ર૬ મી સપ્ટેમ્બરે સુનાવણી થશે, તેમ જાહેર થયું હોવાથી હવે વિકાસ અને વિવાદ વચ્ચે નગરજનો અટવાઈ રહ્યા હોય તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે સવારથી જામનગરમાં ટાઉનહોલ પાસે લોકોની અવર-જવર વધી રહી હતી, તો ગઈકાલે નગરના કેટલાક સ્થળોએ અવારનવાર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં. ફ્લાયઓવરબ્રીજ તથા અન્ય વિકાસના કામો માટે અવારનવાર કેટલાક માર્ગો આંશિક કે પૂર્ણ રીતે બંધ કરવા, ટ્રાફિક ડાયવર્ટ કરવા અને આડશો ઊભી કરવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો હવે કાયમી થઈ ગયા છે, અને અમદાવાદની જેમ જામનગરની જનતા પણ હવે રોજીંદા ટ્રાફિકજામથી ટેવાઈ ગઈ છે, અને ટ્રાફિકની વ્યવસ્થા જાળવતા તંત્રને પણ હવે બધું ટેન્શન જેવું રહ્યું હોય, તેમ જણાતું નથી, જો કે વધતી જતી જનસંખ્યા અને તેના કરતા પણ વધી રહેલા વાહનોની અસરો પણ જુની-પુરાણી ચીલાચાલુ ટ્રાફિક સિસ્ટમ પર પડી રહી છે, અને તેનો કાયમી ઉકેલ લાવવા તો કદાચ રાજ્યવ્યાપી ચર્ચા કરીને વિધાનસભામાં કોઈ નવો કાયદો પસાર કરવો પડે તેમ છે, ખરૃં કે નહીં?
હાલાર જ નહીં, સમગ્ર રાજ્યના કેટલાક મુદ્દાઓની વિધાનસભામાં ચર્ચા થવી જરૂરી છે. પ્રેસ-મીડિયામાં આવતા અહેવાલોને હવે ગંભીરતાથી ધ્યાને લેવા જ પડે તેમ છે, કારણ કે સોશ્યલ મીડિયામાં ફરતા થતા કેટલાક ન્યૂઝને લઈને કેન્દ્રના કોઈ કાયદાને મુંબઈની હાઈકોર્ટમાં પડકાર અપાયો હોવાના અને આઈટી એક્ટમાં બદલાવ અંગે ત્યાંની હાઈકોર્ટે કરેલી ટિપ્પણીઓ પણ ચર્ચામાં છે.
ગુજરાતના કર્મચારી વર્ગોમાં સૌથી વધુ ચર્ચા તો કર્મચારી પેન્શન યોજનાઓની જ થઈ રહી છે, અને તેના દેશવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. ઓપીએસ લાગુ કરવાના મુદ્દે ગુજરાતમાં શરૂ થયેલી ચળવળ હવે રાષ્ટ્રવ્યાપી બની રહી છે. આ આંદોલન હવે એનડીએ શાસિત અન્ય રાજ્યોમાં પણ ફેલાવા જઈ રહ્યું છે, જો કે વિપક્ષની સરકારો છે, તેમાં પણ ૬ જેટલા રાજ્યોમાં જ ઓપીએસ યોજના અમલમાં છે. ઓપીએસ એટલે કે જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી વ્યાપક બની રહી છે, જે હવે રાષ્ટ્રીય ચળવળનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ઓપીએસ એટલે કે જુની પેન્શન યોજનામાં કર્મચારી નિવૃત્ત થાય કે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવે ત્યારે નિયત કરેલા વર્ષો મુજબની સળંગ સરકારી નોકરી કરી હોય, તેના આધારે આજીવન પેન્શન અને તે પછી ફેમિલી પેન્શન મળે છે, જેના સ્થાને કેન્દ્ર સરકારે એનપીએસ એટલે કે નવી પ્રશ્ન યોજના અમલમાં મૂકી હતી. આ સ્કીમ હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના પગારની ૧૦ ટકા રકમ કપાય, જેમાં ૧૪ ટકા સરકાર ઉમેરતી જાય, અને નિવૃત્તિ સમયે તે રિફંડ મળે તેવી સિસ્ટમ જાહેર થઈ હતી. એ યોજનામાં કર્મચારી વર્તુૃળોનું કહેવું એવું છે કે, હકીકતે નિવૃત્તિ સમયે પૂરેપૂરૂ રિફંડ નહીં, પરંતુ જે રકમનું મ્યુચ્યુલ ફંડમાં રોકાણ થયું હોય, તેના પૂરા ૧૦ ટકા પણ રિટર્ન મળતું નથી. એક તો આ વળતર પર્યાપ્ત હોતું નથી અને બીજી તરફ માર્કેટ રિસ્ક આધારિત હોવાથી વળતરની રકમ ઘણી જ નાની અને અનિશ્ચિત હોય છે.
આ નવી પેન્શન સ્કીમના ફાયદા વર્ણવતા કેન્દ્રિય નાણા મંત્રાલય તથા તંત્રે ઘણાં દાવાઓ કર્યા હતાં, પરંતુ રાષ્ટ્રવ્યાપી જોરદાર વિરોધ ઊઠતા સરકારે એક વિકલ્પ આપતી બીજી પેન્શન યોજના જાહેર કરી દીધી હતી. આ યોજનાને યુપીએસ એટલે કે યુનાઈટેડ પેન્શન સ્કીમ તરીકે ઓળખાવાઈ રહી છે.
જે સરકારી કર્મચારીઓ એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના સ્વીકારવા ન માંગતા હોય, તેઓને એક વિકલ્પ અપાયો, અને આ ઓપ્શનલ સ્કીમમાં નિવૃત્તિ સમયે બેઝિકના પ૦ ટકા રકમ પેન્શન તરીકે અપાય, પરંતુ કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા લેખે જે રકમ કપાઈ હોય, તેના દસ ટકા જેટલું જ વળતર કપાતું હોવાથી તેમાં કર્મચારીઓને લાભ તો થતો નથી, પરંતુ સરવાળે આર્થિક નુક્સાન થાય છે, તેવા તારણો કેટલાક કર્મચારી સંગઠનો તથા તજજ્ઞો દ્વારા કાઢવામાં આવી રહ્યા છે.
હવે સરકારી અધિકારી-કર્મચારીઓ આ બન્ને નવી પેન્શન સ્કીમો નહીં, પરંતુ પહેલા હતી, તે જુની પેન્શન યોજનાની માંગણી કરીને આંદોલનો ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ઓપીએસની માંગણી વધુ મજબૂત રીતે ઊઠ્યા પછી હવે ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોમાં પણ આ ચળવળ પ્રસરી રહી છે, તે ઉપરાંત જ્યાં એનડીએ કે ઈન્ડિયા ગઠબંધનોમાં જોડાયા ન હોય, તેવા જે રાજ્યોમાં પેન્શન સ્કીમો સામે વિરોધ છે અથવા જુની પેન્શન યોજના બંધ કરી દેવાઈ હોય કે પહેલેથી જ અમલમાં ન હોય, તેનો સર્વે કરીને માત્ર ને માત્ર જુની પેન્શન યોજના લાગુ કરવાની ચળવળ દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી રહી હોય તેમ જણાય છે.
આ ઉપરાંત હાલમાં જે સિનિયર સિટીજનો રાજ્ય કે કેન્દ્ર સરકારની જુની પેન્શન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા હોય, તેઓને પણ ફેમિલી પેન્શનને લગતા પ્રશ્નો કેટલાક રાજ્યોમાં ઊભા થઈ રહ્યા છે.
મૃતક પેન્શનરના નિધન પછી તેના પત્ની કે પરિવારને પેન્શન મંજુર કરતી વખતે મૃતક પેન્શનના ડેથ સર્ટીફિકેટના આધારે જ ફેમિલી પેન્શન શરૂ થવું જોઈએ, અને સરકારી કર્મચારીઓ પાસેથી અગાઉથી જ તેના ઉત્તરાધિકારી (જે મોટાભાગે પતિ કે પત્ની હોય છે) નક્કી કર્યા હોય છે, અને તેની બર્થડેઈટ, નામ વગેરે પેનશન પેપર્સ ઓર્ડર્સમાં જ હોય, જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય, તેમ છતાં પણ જાત-જાતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે. તે અંગે પણ રાજ્ય-કેન્દ્ર સરકારે માનવીય ધોરણે જરૂરી સૂચનાઓ આપવી જોઈએ, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં કોઈ કાર્યક્રમમાં મોટા સ્થાનિક નેતાઓની ગેરહાજરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો, પરંતુ આ પ્રકારના દૃશ્યો હવે રાજ્યવ્યાપી બનવા લાગ્યા છે. સોરઠમાં તો આંતર્યુદ્ધ હવે સપાટી પર આવી ગયું છે, તો સુરત જિલ્લામાં પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અવારનવાર સ્થાનિક તંત્રો સાથે બળાપો કાઢતા રહે છે. ભાજપમાં ધીમે ધીમે આંતરિક ખેંચતાણ વધી રહી છે અને કોંગ્રેસના ભૂતકાળના જુથવાદની યાદ અપાવે , તેવા આંતરિક જુથો રચાઈ રહ્યા હોવાનું કહેવાય છે. વિપક્ષી નેતાઓ કહે છે કે કેટલાક લોકો નથી ઘરના કે નથી ઘાટના રહ્યા, તો ઘણાં લોકો એવું પણ કહે છે કે ભાજપના ભરતીમેળામાં પક્ષાંતર કરીને ભાજપમાં ગયેલા નેતાઓને ભાજપના બુનિયાદી કાર્યકર્તાઓ અપનાવી રહ્યા નથી, અથવા ભાજપની સંગઠનાત્મક કાર્યપ્રણાલી સાથે પક્ષાંતર કરીને ગયેલા નેતાઓનો મેળ બેસતો નથી. જે હોય તે ખરૂ, પરંતુ આ સ્થિતિ ભારતીય જનતા પક્ષ માટે તો પડકારરૂપ છે જ...
ભાજપની સભ્યનોંધણી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે લક્ષ્યાંકો સિદ્ધ કરવા કાર્યકર્તાઓ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, અને અદ્યતન ટેકનોલોજીની મદદથી નવા નોંધાતા સભ્યો સહિત તમામને ભાજપના કાર્યકર તરીકે ઓળખકાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા માત્ર મોબાઈલ ફોનમાં મીસકોલ કરીને ચલાવાયેલા સભ્યનોંધણી અભિયાન દરમિયાન જે રીતે ઘણાં એવા સભ્યો બની ગયા હશે જેના કારણે તે પછી પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હશે, પરંતુ હવે 'આઈડેન્ટિડી'નો નુસ્ખો અજમાવાયો છે, જે કેટલો ફૂલપ્રૂફ પૂરવાર થાય છે, તે જોવું રહ્યું.
એવું નથી કે આ પ્રકારની ખેંચતાણ અને આંતરિક ડખ્ખો માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ છે. આ પ્રકારની જ સ્થિતિ ગત્ લોકસભાની ચૂંટણી પછી ઘણાં અન્ય રાજ્યોમાં પણ જોવા મળે છે. તેમાં પણ હરિયાણામાં તો ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામાઓની જાણે અતિવૃષ્ટિ થઈ રહી હોય તેમ નેતાઓનું પલાયન એ રાજ્યમાં ભાજપના અસ્તિત્વનો સવાલ બની ગયું હોય તેમ જણાય છે, તેવું ઘણાં નિષ્ણાતો માને છે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા પહેલા જ જેજેપી સાથેનું ગઠબંધન તૂટી ગયા પછી હરિયાણામાં જે રીતે ટિકિટો અપાઈ છે, તે જોતા ભાજપે પણ જનતાનો મૂડ પારખી લીધો હોવાથી આમ પણ પરાજય નક્કી હોય, ત્યારે પ્રદેશ ભાજપમાં 'સાફસૂફી' થઈ જાય, તો કાંઈ ખોટું નથી, તેવી રણનીતિ અપનાવાઈ હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે.
હરિયાણામાં ભારતીય જનતા પક્ષમાંથી ટપોટપ રાજીનામા પડ્યા, તેમાં ઘણાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો તથા હમણાં સુધી વિશ્વસનિય ગણાતા હતાં, તેવા ઘણાં નેતાઓનો સમાવેશ થાય છે. મોટાભાગના નેતાઓ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, તો કેટલાક અન્ય પક્ષોમાં પણ ગયા છે... વિશ્લેષકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જો જો... ગુજરાતની જેમ ક્યાંક હરિયાણામાં કોંગ્રેસનું પણ ભાજપીકરણ ન થઈ જાય!
તાજા સમાચાર એ છે કે હવે ભાજપને જબરો ઝટકો ખૂબ જ વિશ્વસનિય નેતાએ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનોદ જુનેજાએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે. એવું કહેવાય છે કે તેઓ હરિયાણામાં મોદી બ્રિગેડના અગ્રગણ્ય અને વર્ચસ્વ ધરાવતા નેતા હતાં. આ આંચકો લાગ્યા પછી ભાજપ હાઈકમાન્ડ તરફ બધાની નજર મંડાયેલી છે.
આ ઉપરાંત પટોડી વિધાનસભા મત ક્ષેત્રમાંથી ટિકિટ નહીં મળતા ભાજપના અન્ય એક દિગ્ગજ સુમેરસિંહ તંવરે પણ પાર્ટી છોડી દીધી છે. આ પહેલા ભાજપના ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ પાર્ટી છોડી દીધી હતી. મીડિયા અહેવાલો મુજબ વિનોદ જુનેજાએ તો જાહેરમાં બળાપો પણ કાઢ્યો કે સાડાત્રણ દાયકાથી ભાજપ માટે તનતોડ મહેનત કરી, પણ પાર્ટીએ કદર જ ન કરી...
જો કે, પાકિસ્તાનના મંત્રીએ કરેલા એક નિવેદન પછી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ પણ બચાવની મુદ્રામાં જણાય છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તે ભારતીય છે અને પાકિસ્તાની નથી. પાકિસ્તાનના મંત્રીના નિવેદન સાથે તેને કોઈ લેવાદેવા નથી. બીજી તરફ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે અને ત્યાંની લોકશાહીની ચિંતા કરે, અમે તો ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ, વગેરે.
હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પાકિસ્તાનના મંત્રીનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બનવાનો જ છે અને ભાજપ-એનડીએના નેતાઓ તેનો પૂરેપૂરો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવાના છે, પરંતુ મોંઘવારી, બેરોજગારી અને ગુનાખોરીના મુદ્દાઓ ભારે પડી રહ્યા હોય તેમ જણાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ અને ગાંધીજીની જન્મતિથિને જોડીને સેવા પખવાડિયું તો શરૂ કર્યું, પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ દરમિયાન આંતરિક અસંતોષનો ચરૂ ઉભરાવા લાગ્યો, તેથી ભાજપ વિમાસણમાં હશે, નહીં?
હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્રમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ પીડીપી, કોંગ્રેસ, એનસીપી (પવાર), એનસીપી (અજીત), શિવસેના (ઉદ્ધવ), શિવસેના (સિંદે), જેજેપી અને અન્ય કેટલાક પ્રાદેશિક પક્ષોમાં પણ આંતરિક અસંતોષનો ચરૂ ઓછા-વત્તા પ્રમાણમાં ઉકળી જ રહ્યો છે, અને ડેમેજ કંટ્રોલના પ્રયાસો ચાલી જ રહ્યા છે. આ દરમિયાન મોટાપાયે પક્ષાંતરો પણ થઈ રહ્યા છે, પરંતુ ભાજપમાં સૌથી વધુ ભાંગજડ હોવાના તારણો નીકળી રહ્યા છે.
આ સાથે દિલ્હીમાં આતિશી સરકારની રચના, વન નેશન-વન ઈલેક્શનના પ્રત્યાઘાતો, લેબેનોનમાં અદ્યતન ટેકનોલોજીનો વિસ્ફોટક તરીકે પ્રયોગ કરીને કરાઈ રહેલો વિનાશ તથા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પણ ચર્ચામાં છે, તો બીજી તરફ સેવા પખવાડિયાના કાર્યક્રમો ચીલાચાલુ ધોરણે કેટલાક સ્થળે યોજાતા હોવાનું ચિત્ર ઉપસતા હાલાર સહિત રાજ્યમાં 'ડેમેજ કંટ્રોલ' શરૂ થયું હોય તેમ જણાય છે. જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાષ્ટ્રીય રાજનૈતિક ક્ષેત્રે ધીમે ધીમે કોંગ્રેસનો પુનરોદય થઈ રહેલો જોવા મળી રહ્યો છે, તો સુપ્રિમ કોર્ટની આકરી શરતો પછી સત્તાવિહોણા સી.એમ. રહેવાના બદલે રાજીનામું આપીને જનતાની અદાલત પાસેથી પોતાની ઈમાનદારીનું સર્ટીફિકેટ મેળવીને પુનઃ સત્તાપ્રાપ્તિના સંકલ્પ સાથે દિલ્હીની ગાદીનો ત્યાગ કરનાર અરવિંદ કેજરીવાલની કસોટી થવાની છે. આ સંકલ્પને કેજરીવાલે પોતે જ 'અગ્નિપરીક્ષા' ગણાવી છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે દેશમાં 'વન નેશન... વન ઈલેક્શન'ની ચર્ચા પણ જોરશોરથી થવા લાગી છે. એવું લાગે છે કે દેશમાં રાજકીય ક્ષેત્રે મોટા ઉલટફેર થવા જઈ રહ્યા છે.
કેન્દ્રિય કેબિનેટે 'વન નેશન, વન ઈલેક્શન' અંગે રામનાથ કોવિંદ સમિતિની ભલામણો સ્વીકારી લીધી છે. હવે આ માટે જરૂરી બંધારણીય સુધારાનું બિલ આગામી સમયમાં જ સંસદમાં રજૂ થશે, તેવા સંકેતો વચ્ચે વિપક્ષો કેન્દ્ર સરકારના નિર્ણય સામે તીખા તમતમતા નિવેદનો કરી રહ્યા છે, અને પારોઠના પગલાં ભરી રહેલા ભાજપ સરકાર દ્વારા આ નિર્ણય દેશની જનતાનું દેશની સળગતી સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાની હરકત ગણાવાઈ રહી છે, જો કે આ મુદ્દે દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ જ ગઈ છે, અને એવી કોમેન્ટો પણ થવા લાગી છે કે ક્યાંક કેજરીવાલ અદ્ધર લટકતા ન રહી જાય!!!
બીજી તરફ દેશમાં જનમાનસ ધીમે ધીમે ફરીથી કોંગ્રેસ તરફ વળી રહેલું જણાય છે. ખાસ કરીને હરિયાણામાં તો કોંગ્રેસતરફી પવન ફૂંકાઈ રહ્યો હોવાના તારણો નીકળી રહ્યા છે અને દિલ્હીમાં પણ કોંગ્રેસનો જનાધાર વધી રહ્યો હોય તેમ જણાય છે. ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભાની કેટલીક ખાલી બેઠકોની ચૂંટણીમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડી કમાલ કરવા જઈ રહી છે, અને અખિલેશ યાદવની પીડીએ ફોર્મ્યુલાનો છેદ ઊડી જાય, તેવી કોઈ જડીબુટ્ટી યોગી આદિત્યનાથને મળી રહી નથી. ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધનનો ઝહળતો વિજય થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુ.પી.માં કોંગ્રેસનો જનાધાર પણ ઘણો વધી શકે છે.
'વન નેશન... વન ઈલેક્શન'ના પ્રસ્તાવને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જડમૂળથી ફગાવી દીધો છે, અને કહ્યું છે કે આવી વાત જ અવ્યવહારૂ છે, અને તે ચાલવાની નથી. બીજી તરફ અયોધ્યાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અવધેશપ્રસાદે કહ્યું છે કે મોદી સરકાર નબળી પડી ગઈ છે અને ચૂંટણીઓમાં પરાજય પછી હવે જનતાનું ધ્યાન બીજી તરફ વાળવા માટે આ સગૂફો ભાજપે છોડ્યો છે, જેને વિપક્ષી ગઠબંધને પહેલેથી જ ફગાવી દીધો છે. આ અંગે એનડીએના કેટલાક નેતાઓની ચૂપકીદી પણ ઘણી જ સૂચક છે, તેમ નથી લાગતું?
જમ્મુ-કાશ્મીરમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કોણ સક્ષમ ગણાય, તેનો નિર્ણય જમ્મુ-કાશ્મીરની જનતાએ લઈ લીધો હશે, તેવું અનુમાન પ્રથમ તબક્કામાં થયેલા મતદાન પરથી લગાવી શકાય છે. જો તમામ તબક્કામાં આ જ ટ્રેન્ડ રહ્યો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થઈ જશે, તો જમ્મુ-કાશ્મીરની સ્થાનિક જનતાની અપેક્ષાઓ સંતોષવા માટે નેશનલ કોન્ફરન્સ અને રાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ-કાશ્મીરની જનતાના યોગ્ય પ્રતિનિધિત્વ માટે કોંગ્રેસ પર લોકો પસંદગી ઉતારશે અને જમ્મુ-કાશ્મીરમાં આગામી રાજ્ય સરકાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનની હશે. પીડીપી પણ દ્વિતીય ક્રમે રહેશે, તેવા દાવાઓ કરાઈ રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાના પુત્ર અને કોંગ્રેસ સાથે ગઠબંધન યોજીને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેતૃત્વ સંભાળી રહેલા ઓમર અબ્દુલ્લાએ પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાનને લઈને ઘણાં જ પ્રોત્સાહક પ્રતિભાવો આપ્યા, અને ખુશી વ્યક્ત કરી તે ઘણી જ સૂચક છે. તેમણે કહ્યું કે અમે છેલ્લા ૧૦ વર્ષથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતાં.
જો કે, પ્રથમ તબક્કામાં થયેલા મતદાનના બેઠકવાર અલગ-અલગ વિશ્લેષણો થઈ રહ્યા છે, અને તેટલાક સ્થળે ભાજપ તરફી માહોલ હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોંગ્રેસ વધુ મજબૂત બની રહી હોવાના તારણો નીકળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં જ લોકોએ જે ઉત્સાહ દર્શાવ્યો, તેથી પાકિસ્તાન અને પાક. પ્રેરિત અલગતાવાદીઓને જબરો ઝટકો લાગ્યો છે, તે પણ હકીકત છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, અને દેશમાં એક જ બંધારણ છે. એટલું જ નહીં, એક જ બંધારણ અને રાષ્ટ્રધ્વજ હેઠળ જમ્મુ-કાશ્મીરની આ ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં જ થયેલા જંગી મતદાને એ પણ પૂરવાર કરી દીધું છે કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભલે કોઈપણ પક્ષનું શાસન સ્થપાય, તે સંપૂર્ણપણે ભારતીય જ હશે અને આતંકવાદ કે કટ્ટરવાદી પ્રવૃત્તિઓ થકી જમ્મુ-કાશ્મીરને ભારતને વિખૂટુ પાડી શકાશે જ નહીં...
ભારત સરકારે વોટરટ્રીટી અંગે પાકિસ્તાનને જે નોટીસ ફટકારી છે, તે પણ ઘણી જ સૂચક છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ તથા પંચાયતો જ ઉકરડા-ડમ્પીંગ સાઈટ, ગંદકી સ્થાનિક જાહેર દબાણો અને તેની આડઅસરોથી ઊભી થતી અન્ય સમસ્યાઓ માટે જવાબદાર ગણાય, તે હવે પ્રતિપાદિત થઈ ગયું છે, હવે તો હાઈકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે ઓખા નગરપાલિકાની પણ ઝાટકણી કાઢી હોવાના અહેવાલનો યાત્રાધામોમાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વર્તુળોમાં ચર્ચાપાત્ર બન્યા છે અને ખાસ કરીને સરપંચો, નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા મ્યુનિસિપલ કમિશનરો માટે હાઈકોર્ટે કરેલી ટિપ્પણીઓ શાબ્દિક લપડાક સમાન છે.
છેલ્લા એક અઠવાડિયાથી 'નોબત' સહિત પ્રેસ-મીડિયામાં જામનગરમાં ઠેર-ઠેર ઉકરડા, ગંદકી, મોટા માથાઓના વોર્ડમાં જ કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને અતિવૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત થયેલી સડકો પર ઘણી જગ્યાએ હજુ પણ ખાડા-ચીરોડામાં ભરેલા ગંદા પાણી તથા મહાનગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયો, યુરિનલોમાં માથુ ફાટી જાય તેવી દુર્ગંધ સાથેની ગંદકી વિગેરે મુદ્દે અહેવાલો, લેખો ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ તસ્વીરો સાથેની કોમેન્ટો થઈ રહી છે, તેમ છતાં કોઈ ખાસ નોંધપાત્ર કદમ ઉઠાવાઈ રહ્યા નથી, તેથી આ માટે મ્યુનિ. કમિશનર જ સર્વપ્રથમ જવાબદાર ગણાય, તેવો મતલબ હાઈકોર્ટની અન્ય મુદ્દે થયેલી ટિપ્પણીઓને સાંકળીને કરી શકાય...
હાઈકોર્ટે એક આઈપીએલની અરજીની સુનાવણી દરમિયાન કરેલી ટિપ્પણીઓ અને તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કરેલી ટિપ્પણીઓ જામનગર મહાનગરપાલિકાને પણ લાગુ પાડી શકાય. હાઈકોર્ટે કહ્યું કે હાઈકોર્ટ કયાં સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી તથા સ્થાનિક સત્તામંડળોના કામકાજનું મોનિટરિંગ કર્યા કરે ? આ પ્રકારના શબ્દ પ્રયોગો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-સત્તામંડળોના પદાધિકારીઓ-શાસકો-રાજ્ય સરકારના તંત્રોની ગાલે પણ તમતમતા તમાચા જેવા ગણાય... પરંતુ હવે કયાં કોઈ આ પ્રકારના મુદ્દે સંવેદનશીલ કે ગંભીર રહ્યું છે... એમ પણ કહી શકાય કે જેને લાજ-શરમ જેવું હોય, તેને જ આ પ્રકારના આકરા શબ્દો અસર કરે, પણ...!!
ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી, જેની સુનાવણી થઈ રહી હતી, આ પીઆઈએલની સુનાવણી કરી રહેલ ખંડપીઠનું નેતૃત્વ સ્વયં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કરી રહ્યા હતાં, આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઓખા નગરપાલિકાની પણ ડમ્પીંગ સાઈટના મુદ્દે ઝાટકણી કાઢી નાંખી હોવાના અહેવાલોએ દ્વારકા અને જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓના વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ મુદ્દો માત્ર ટોક ઓફ ધ ટાઉન નહીં, પરંતુ ટોક ઓફ ધ હાલાર બની ગયો છે, અને આની નોંધ તમામ નગરપાલિકાઓ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા તથા તમામ સ્થાનિક સત્તામંડળોએ પણ લેવા જેવી છે.
હકીકતે આ પીઆઈએલના સંદર્ભે ઓખા નગરપાલિકાએ એક એફિડેવિટ અદાલત સમક્ષ રજૂ કર્યુ હતું, જેની હાઈકોર્ટે આકરી ટીકા કરીને ઓખા નગરપાલિકાની ઝાટકણી કાઢી હતી. અદાલતે લાલ આંખ કરતા ઓખા નગરપાલિકાએ આ એફિડેવીટ પાછું ખેંચ્યુ અને અદાલતે નવેસરથી સોગંદનામું રજૂ કરવા તાકીદ કરી હોવાના અહેવાલોના ઓખા મંડળ જ નહીં, જિલ્લા રાજ્યકક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
અદાલતે ઓખા નગરપાલિકાને પુછયુ હતું કે બેટ દ્વારકા જેવા ટાપુ પર ડમ્પીંગ સાઈટ કેવી રીતે બનાવી શકાય ? આવી વ્યવસ્થાથી તો આ ડમ્પીંગ સાઈટનો તમામ કચરો અને ગંદકી ચારે તરફના દરિયામાં જ જતા હોય ને ?
અદાલતે કોઈ એનજીઓને બેટ દ્વારકાના કચરાના નિકાલની જવાબદારી સોંપવા સામે પણ સણસણતા સવાલો કર્યા હતા, અદાલતે કોઈ એનજીઓને કચરાના નિકાલની જવાબદારી સોપાઈ, તે અંગે આશ્ચર્ય વ્યકત કરતા પુછયુ હતું કે પ્લાિટિકના કચરાના નિકાલમાં કોઈ એનજીઓ કેવી રીતે નિષ્ણાત હોઈ શકે ? આ કામ માટે તો ટેન્ડર બહાર પાડીને કચરાના નિકાલના નિષ્ણાતની જ નિયુક્તિ કરવી પડે, અને તેમાં પણ દરિયાની વચ્ચેના ટાપુ પરથી કચરાનો દૂરના સ્થળે નિકાલ કરવા માટે કોઈ નિષ્ણાત એજન્સી કે સરકારી વિભાગ ને જ કામ સોંપવું જોઈએ. જો કે, ઓખા નગરપાલિકા તરફથી એવી બાહેંધરી અપાઈ કે હવે સુદર્શન બ્રીજ બંધાઈ ગયો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ કરાશે !
હાઈકોર્ટે એવી આકરી ટકોર કરી હતી કે ચીફ ઓફિસરોને જ નિયમોની ખબર નહીં હોવાથી એડવોકેટ જનરલે (એટલે કે સરકારે) તેઓને માર્ગદર્શન (તાલીમ) આપવી જોઈએ !
જૂનાગઢ અને ઓખા નગરપાલિકાને લઈને હાઈકોર્ટે કરેલી આ ટિપ્પણીઓ રાજ્યભરની તમામ પાલિકાઓ-મહાપાલિકાઓને તો લાગુ પડે જ છે, પરંતુ ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ પાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાઓના શાસકો અને પ્રશાસકોએ લેવી પડે તેમ છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારો તથા જે ટાપુઓ પર માનવવસ્તી છે, ત્યાંના શાસકો, પ્રશાસકો ઉપરાંત સ્થાનિક આગેવાનો તથા પ્રજાજનોએ પણ અદાલતની આ તીખી-તમતમતી ટિપ્પણીઓ પરથી બોધપાઠ લેવો જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે અનંત ચતુર્દશી છે. ગણેશ ઉત્સવના સમાપન સાથે લોકો 'ગણપતિ બાપામોર્યા... અગલે બરસ તું જલદી આ'ના નારાઓ સાથે ભક્તિભાવપૂર્વક પ્રતિમા વિસર્જન કરી રહ્યા છે. બીજી તરફ ગઈકાલે ઈદનો તહેવાર પણ કોમી એખલાસ અને ઉત્સાહ સાથે શાંતિપૂર્વક ઉજવાઈ ગયો. જૈનોના પર્યુષણ પર્વની ઉજવણીની સંગાથે જાણે તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાયો છે અને આપણાં દેશની વૈવિધ્યપૂર્ણ સહિયારી સાંસ્કૃતિના અનોખા દર્શન પણ થઈ રહ્યા છે, જેમાં આપણાં દેશની એક્તા અને અખંડિતતાનું રહસ્ય પણ સમાયેલું છે.
આજે ૧૭ સપ્ટેમ્બર હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને સાંકળીને દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેની સાથે સાથે જ આજે દિલ્હીના મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે. આજે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે રાજીનામું આપશે અને તેના સ્થાને આમ આદમી પાર્ટીના વિધાયક દળની મિટિંગમાં નક્કી થયેલા નવા નેતા દિલ્હીનું સૂકાન સંભાળશે. આ ઘટનાક્રમે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે, અને કેજરીવાલે જેલમાંથી નીકળતા જ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનો ભાજપ-કોંગ્રેસ પોતપોતાની રીતે જવાબ આપી રહ્યા છે. હરિયાણામાં બહુપાંખિયો અને દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળશે, તેને લઈને પોલિટિકલ પંડિતો ગણિત માંડવા લાગ્યા છે. યોગાનુયોગ આજે જ ગણેશ મહોત્સવના અંતે પ્રતિમાઓનું વિસર્જન પણ થઈ રહ્યું છે, તેથી દેશભરમાં હવે શ્રાદ્ધ પછી નવરાત્રિના તહેવારોની તૈયારીઓ પણ થવા લાગી છે.
જામનગરમાં પણ આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે પ્રતિમા વિસર્જનના પ્રોસેશનો નીકળી રહ્યા છે, અને ગણેશજીને ભાવભીની વિદાય અપાઈ રહી છે, જો કે જે ગણેશજીનું ઘેર-ઘેર સ્થાપન હોય છે, અને તેઓને કાયમી વિદાય આપતી હોતી નથી, પરંતુ પંડાલો, ઘરો, સંકુલોમાં સ્થાપિત ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરીને ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉજવાતો ગણેશ મહોત્સવ હવે દેશવ્યાપી બન્યો છે, અને ગુજરાતમાં તો મહારાષ્ટ્રની જેમ જ ગણેશોત્સવની સાર્વત્રિક ઉજવણી થતી હોય છે. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પ્રતિમા વિસર્જન માટેના પ્રોસેશનો નીકળી રહ્યા હોય, તેવા ભાવવાહી દૃશ્યો સર્જાય છે.
જો કે, જામનગરમાં ધાર્મિક અને માંગલિક પ્રોસેશનોને આ વખતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કારણ કે શહેરમાંથી પસાર થતા ફ્લાય ઓવરબ્રીજના કામોના કારણે ઠેર-ઠેર પતરાઓ લગાવેલા છે અને કેટલાક માર્ગો લાંબા સમયથી ડાયવર્ટ કરાયેલા છે. કેટલાક સ્થળે ફ્લાયઓવર બ્રીજનું કામ પૂરૂ થઈ ગયા પછી પણ માર્ગો ખુલ્લા મૂકાયા નથી કે આડશો હટાવાઈ નથી, તેથી વિના કારણે લોકોને મુશ્કેલી અનુભવવી પડી રહી હોય, તેવી રાવ ઊઠી રહી છે. બીજી તરફ આજે પ્રતિમા વિસર્જનના પ્રસંગે ઘણાં સ્થળોએ જે રીતે ટ્રાફિક જામ અને અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા તે જોતા ફ્લાય ઓવરબ્રીજનું કામ દિવસ-રાત ઝડપભેર ચલાવવાની માંગણી પણ ઊઠી રહી છે.
જો કે, ઉતાવળમાં કામો નબળાં, ગુણવત્તા વગરના કે ખામીયુક્ત રહી ન જાય, તેની તકેદારી પણ રાખવી જ પડે. લોકોમાં હવે ટીકા થઈ રહી છે કે લોકસભાની ચૂંટણી સમયે શરૂ થયેલા મેગા પ્રોજેક્ટો શું ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ માં ચૂંટણી થાય, ત્યાં સુધી ચલાવવાના છે? લોકો યાત્રાધામ દ્વારકાના વિકાસ પ્રોજેક્ટને લઈને એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે દાયકાઓથી થતી જાહેરાતો તથા આયોજન પછી પણ જે પ્રકારના સપના દેખાડાઈ રહ્યા છે, તે પ્રકારની વિકાસ પ્રક્રિયા જમીન પર દેખાતી નથી, તેથી શું હવે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીની રાહ જોવી પડશે?
જો કે, એ હકીકત છે કે યાત્રાધામ દ્વારકા સહિતના યાત્રા-પ્રવાસધામોમાં કેટલાક વિકાસના કામો થયા છે અને સુદર્શન બ્રીજ જેવા મેગા પ્રોજેક્ટો પણ સંપન્ન થયા છે, પરંતુ તેની સામે એ પણ નોંધવું પડે કે કેટલાક નવાનકોર કામોમાં થોડા દિવસોમાં જ દેખાયેલી ક્ષતિઓ અને ઉખડેલા પોપડા ગુણવત્તા સામે પણ સવાલો તો ઊભા કરે જ છે, જેની તપાસ પણ થવી જ જોઈએ ને?
તહેવારોના તાજેતરના ત્રિવેણી સંગમ પછી હવે શ્રાદ્ધથી દેવદિવાળી સુધી અને તે પછી નાતાલ સુધી અનેક તહેવારોની શ્રૃંખલા આવી રહી છે. આ તમામ તહેવારોનું આધ્યાત્મિક-ધાર્મિક-સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે અને આર્થિક મહત્ત્વ પણ છે.
નવરાત્રિ પર્વ હવે એક મેગા ઈવેન્ટ અને જાયન્ટ માર્કેટનું માધ્યમ પણ બની ગયું છે. દશેરાના પર્વે અનેક કંપનીઓ પોતપોતાના પ્રોડક્ટ્સ માટે અવનવી સ્કીમો જાહેર કરતી હોય છે. તે પછી દિવાળીના તહેવારોમાં આ જ પ્રકારે માર્કેટીંગની અવનવી પદ્ધતિઓ અપનાવાતી હોય છે. તહેવારોની આ શ્રૃંખલા આપણાં દેશમાં લાખો પરિવારો માટે રોજગારી મેળવવાનું માધ્યમ પણ છે જ ને?
ગણેશોત્સવના સમાપન પ્રસંગે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવે છે, અને દુંદાળા દેવ ગણેશજીના આશીર્વાદો અહર્નિશ આપણાં બધા પર વરસતા રહે, તેવી મંગલકામનાઓ વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચર્ચા ચોતરફ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને સાંકળીને ભારતીય જનતા પક્ષે સેવા પખવાડિયું ઉજવવાનું શરૂ કર્યું છે, તેવા જ સમયે ભાજપમાં નરેન્દ્ર મોદી પછી કોણ? તેની ચર્ચા મહારાષ્ટ્રથી શરૂ થઈને છેક દેશની રાજધાની સુધી પહોંચી ગઈ છે. કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી તત્કાળ રાજીનામું આપવાના બદલે બે દિવસ પછી તેઓ રાજીનામું આપશે અને બે-પાંચ મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતે જનાદેશ મેળવીને જ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે, તેવી જાહેરાત કરી, પરંતુ પરોક્ષ રીતે સુપ્રિમ કોર્ટની 'કન્ડીશન્સ'ને ચેલેન્જ અપાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, અને હરિયાણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીરની સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજવાનો પડકાર ફેંકીને કેજરીવાલે માસ્ટર સ્ટોક માર્યો હોવાના તારણ પણ નીકળી રહ્યા છે.
બીજી તરફ વર્ષ ર૦ર૧ માં કોરોનાના કારણે નહીં થઈ શકેલી વસતિગણતરી રૂપિયા બાર હજાર કરોડ જેટલા ખર્ચે ટૂંક સમયમાં થશે, અને તેમાં જ મહિલાઓની સંખ્યાને ધ્યાને લઈને મહિલા અનામતના લક્ષ્યને સિદ્ધ કરવાનો પ્રયાસ કરાશે, તો લોકોને આ વખતે વસતિ ગણતરીમાં ૩૦ થી વધુ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, તેવી ચર્ચા વચ્ચે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે પ્રશ્નાવલીમાં જ એવા પ્રશ્નો ઉમેરી દેવાશે, જેથી વિપક્ષોની જાતિ આધારિત જનગણનાની માંગણીનો છેદ જ ઊઠી જશે... જોઈએ, હવે શું થાય છે તે...
આ દરમિયાન વન નેશન વન ઈલેક્શનની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, જે ઘણું જ સૂચક છે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના બોલકા નેતાએ ભાજપના એક વરિષ્ઠ મહારાષ્ટ્રીયન નેતાનું જાહેરમાં સમર્થન કરીને અચંભો સર્જી દીધો છે. ભૂતકાળમાં ભાજપ-શિવસેના એક હતા, ત્યારે મોદીભક્ત ગણાતા અને અત્યારે તેના ઘોર વિરોધી બની ગયેલા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી ભાજપના સર્વમાન્ય નેતા છે, અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે જોવામાં આવતા હોય, તો તેમાં કોઈ ખોટું નથી!... ગડકરી અંગેના આ નિવેદનના પ્રત્યાઘાતો છેક દેશની રાજધાની દિલ્હી સુધી પડ્યા છે.
હકીકતે પી.એમ. મોદીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે નીતિન ગડકરીનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. અત્યાર સુધી તો માત્ર રાજકીય ચર્ચાઓમાં જ આ મુદ્દો ચર્ચાતો હતો, પરંતુ હવે ખુદ ગડકરીએ જ જાહેર મંચ પરથી કહ્યું કે તેઓને પદની કોઈ લાલચ નથી. એક વિપક્ષી વરિષ્ઠ નેતાએ તેને વડાપ્રધાન પદ માટે સમર્થન આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ તેમણે (ગડકરીએ) ઈન્કાર કર્યો હતો. ગડકરીએ ઓફર કરનાર નેતાનું નામ તો લીધું નહોતું, પરંતુ તેઓ કોઈ પદની લાલચમાં ભાજપ સાથે ગદ્દારી નહીં કરે, તેવા પ્રકારની વાત કરી હતી. તે પછી આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોઈ કહે છે કે આ રીતે ગડકરીએ સ્વયં એવું ગતકડું વહેતું મૂક્યું છે, જે 'મોદી પછી કોણ?'ની અટકળોમાં અત્યાર સુધી ચર્ચાતા ત્રણ નામોને ચેલેન્જ કરે છે. આ ત્રણ નામ ક્યા ક્યા છે, તે અંગે પણ જબરદસ્ત ચર્ચા છે, પરંતુ મોટાભાગે મોદીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે પ્રથમ અમિત શાહ, દ્વિતીય યોગી આદિત્યનાથ અને તૃતીય ક્રમે રાજનાથસિંહનું નામ ચર્ચાય છે. બીજી તરફ સ્વયં મોદી તો 'વર્ષ' ર૦ર૯ માં પણ પોતે જ મેદાનમાં હશે, તેવા સંકેતો આપી રહ્યા છે!!!
આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, તે પછી પહેલી વખત ગઈકાલથી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. ગઈકાલે વડસર પહોંચ્યા અને એરફોર્સના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી તેઓના રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી અને મંત્રીઓ તથા ભાજપની પ્રાદેશિક નેતાગીરી સાથે સ્વાભાવિક રીતે જ રાજકીય ગૂફ્તેગુ પણ થઈ જ હશે ને? આજે પણ તેઓના ભરચક્ક કાર્યક્રમો હોવાથી તેઓ જ પ્રેસ-મીડિયા-સોશ્યલ મીડિયામાં છવાયેલા છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વર્ષના થયા અને ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતી એટલે કે બીજી ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસોને સાંકળીને ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાના અહેવાલોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન-કવનને જે રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, તે વર્ષ ર૦૧૩ માં તેઓ જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા હતાં તેની યાદ તાજી કરાવી રહ્યું હોય તેમ લાગે છે. લોકસભાની ચૂંટણીમાં ધારણા મુજબની બેઠકો ભાજપને મળી નહીં. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઢીલા' પડી ગયા હોવાના વિપક્ષી નેતાઓના આક્ષેપો વચ્ચે આ પ્રકારની પ્રસ્તૃતિ પુનઃ ઈમેજ બિલ્ડીંગ માટેનો પ્રયાસ હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
આજના દિવસે દેશની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બન્ને માટે 'ઈમેજ બિલ્ડીંગ'ના પ્રયાસો તેઓની પાર્ટી તથા સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેવું માનનારા લોકો એવું પણ કહે છે કે ચંપઈ સોરેનના દૃષ્ટાંત પછી દિલ્હીમાં 'કામચલાઉ' મુખ્યમંત્રી બનનાર નેતા જ ભવિષ્યમાં ઘોર વિરોધી બની ન જાય, તે માટે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી સુધી 'વચગાળા'ના મંત્રી તરીકે પાર્ટી ઉપરાંત કેજરીવાલને વ્યક્તિગત રીતે પણ વફાદાર (રબ્બર સ્ટેમ્પ) નેતાને જ મૂકશે, અથવા પાર્ટી તથા ધારાસભ્યોના અત્યંત આગ્રહને માન આપીને સુનિતાબેન કેજરીવાલને જ મુખ્યમંત્રી બનાવી દેશે, જેથી કરોડોના ખર્ચે બનાવેલું સી.એમ. હાઉસ ખાલી ન કરવું પડે!!
કેજરીવાલે હરિયાણાના બદલે પહેલા દિલ્હીની ચૂંટણીની જ વાત કરી અને તેના પર જ વધુ ભાર મૂક્યો, તે પણ ઘણો જ સૂચક છે.
કોંગ્રેસના નેતાઓ પણ કેજરીવાલનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે, અને ભાજપના તાનાશાહીથી કંટાળેલી જનતા હવે હરિયાણા પછી દિલ્હીમાં પણ જનાદેશ આપશે તેવો દાવો કરી રહ્યા છે, તની સાથે દિલ્હીમાં પ્રચંડ બહુમત મળે તે સુપ્રિમ કોર્ટની શરતો હટી જાય ખરી? તેવા પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

કોઈપણ સરકારી કામ હોય, વિકાસના પ્રોજેક્ટો હોય, સામૂહિક જનસેવાના કામો હોય કે પછી કરવેરા-બાકી લેણાની વસૂલાતો હોય, હવે તો બધી જ બાબતોમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. હવે સરકારી સેવાઓ માટે આઉટસોર્સીંગથી કર્મચારીઓ નિમવામાં આવે છે, તે પણ ઈજારાશાહી જ છે. નાના-મોટા સરકારી કામોથી માંડીને મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટો પણ કોન્ટ્રાક્ટરોના હવાલે કરાતા રહ્યા છે, જ્યારે હવે પબ્લિક પરિવહનનું પણ ખાનગીકરણ થવા લાગ્યું છે.આ કારણે કોન્ટ્રાક્ટરોનું વર્ચસ્વ પણ વધ્યું છે, અને અનેક સ્થળે મનમાની પણ વધી છે. કોન્ટ્રાક્ટરો પ્રો-પબ્લિક નહીં, પણ પ્રો-પોલિટિક્સ કામ કરી રહ્યા હોય, તેવો માહોલ ઊભો થયો છે, અને મોટા-મોટા કામોથી લઈને નગર કે ગ્રામ્યસ્તરના કામો અને સેવાઓ માટે પણ કોન્ટ્રાક્ટરોની બોલબાલા છે. આ તમામ કોન્ટ્રાક્ટ્સ માટે સરકારી ધારાધોરણો, શરતો અને નિયમો હોય છે, પરંતુ તેને નેવે મૂકીને ઈજારેદારો મનસ્વી રીતે કામો કરતા હોવાની ફરિયાદો દિન-પ્રતિદિન વધી રહી છે. આ અંગે થતી રહેતી નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો તો કોઈ સાંભળતું જ નથી, પરંતુ બહુ હોબાળો થાય, ત્યારે જ દેખાવ ખાતર નોટીસો બજવીને અને નિવેદનબાજી કરીને કડક પગલાં લેવાઈ રહ્યા હોવાનો આભાસ ઊભો કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના હિતોને ઉની આંચ આવતી નથી, કે વાળ પણ વાંકો થતો નથી. તે પણ ઓપન સિક્રેટ જ છે ને? માટે ઘડાયેલા નિયમો, કાયદાઓ, ધારાધોરણો, શરતો, કરારો અને માપદંડો કડક હોય છે, પરંતુ તેનો ઉલાળિયો થતો હોય, અને તેના થાબડભાણા થતા હોય ત્યારે એવી આશંકા પણ જાગે, કે શું પડદા પાછળના માપદંડો અલગ હશે? શું અન્ડર ટેબલ ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક હશે કે વિકાસના ભ્રષ્ટ માચડાઓની પોલંપોલ ખૂલી ગયા પછી પણ શાસકો-પ્રશાસકોએ ભ્રષ્ટાચારીઓને બચાવવા અથવા દોષિતોને છાવરવા એડીચોટીનું જોર લગાવવું પડતું હશે? શું આખી પોલિટિકલ સિસ્ટમ જ એવી ભ્રષ્ટ થઈ ગઈ છે કે શાસકો, સરકાર, બોડી કે બોર્ડ બદલ્યા પછી પણ 'ભ્રષ્ટ' ફાઉન્ડેશન અકબંધ જ રહેતું હશે?
એવું નથી કે બધા જ કોન્ટ્રાક્ટરો અને તંત્રના અધિકારીઓ અને જન-પ્રતિનિધિઓ 'ભ્રષ્ટ' જ હોય છે. ભલે પ્રમાણ ઓછું હોય, પરંતુ એવા ઈમાનદાર કોન્ટ્રાક્ટરો પણ હોય છે, જેઓ પ્રામાણિક્તા અને નિયમ-કાયદા-ધારાધોરણો-ઉત્તમ માપદંડોને અનુસરીને તેનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાના પ્રયાસો કરતા હોય છે. તેઓની ખરેખર તો કદર થવી જોઈએ, અને તેવા પ્રામાણિક કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહિત કરીને અન્ય કામો મટે પ્રાયોરિટી આપવી જોઈએ, તેના બદલે છાપેલા કાટલા, ગરબડદાઓને જ જ્યાં જ્યાં રિપિટ કરવામાં આવતા હોય ત્યાં સમજવાનું કે દાળમાં કાંઈક કાળું છે!
એ પણ હકીકત છે કે સાદુ-સંતોષારક કામ કોનું અને હલકી ગુણવત્તાવાળું કામ કોને કહેવાય તે નક્કી કરવાના 'માપદંડો' પણ કદાચ અલગ જ હશે, અન્યથા ઘણાં કોન્ટ્રાક્ટરો સામે વ્યાપક પ્રમાણમાં જન-ફરિયાદો ઊઠ્યા પછી પણ તેને છાવરવાના પ્રયાસો થતા ન હોત... સાચી વાત છે ને?
પ્રેસ-મીડિયામાં આવી રહેલા અહેવાલો મુજબ અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર અને દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેની ખામીઓ, ખાડા-ખડબાઓ તથા ખરાબ સ્થિતિની સોશ્યલ મીડિયાના માધ્યમથી વ્યાપક ફરિયાદો ઊઠ્યા પછી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોન્ટ્રાક્ટરોને રૂા. પચાસ-પચાસ લાખનો દંડ ફટકાર્યો છે. અમૃતસર-જામનગર કોરિડોર પર રાસીસર-સાંગરિયા સેક્શનના ૩૯ કિ.મી.ના પટ્ટામાં રસ્તો બિસ્માર થઈ ગયો હોવાની ફરિયાદ ઊઠ્યા પછી તેની તત્કાળ તપાસ કરતા તેમાં તથ્ય જણાયું હતું અને બન્ને કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારાયો હોવાનો દાવો પણ તંત્ર તરફથી કરાયો હતો.
વિચારવા જેવું એ છે કે અબજો-કરોડોના કોન્ટ્રાક્ટની ગંભીર ક્ષતિઓ બદલ માત્ર પચાસ લાખનો દંડ કરવો, એ નાટકબાજી નથી? માત્ર દેખાવ ખાતર પગલાં લેવાના બદલે આ પ્રકારની નાની-મોટી ક્ષતિઓ બદલ આ પ્રકારના ગરબડદાઓને બ્લેકલિસ્ટ કેમ કરાતા નથી? તેમની પાસે ક્ષતિઓ તેના ખર્ચે દૂર કરાવીને, માત્ર થીંગડા નહીં, પણ આખું કામ નવેસરથી કરાવીને ભારે દંડ ફટકારવો જોઈએ અને આ ક્ષતિઓ ફરીથી અન્ય સ્થળે થાય, તો તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ ને?
હકીકતે તેવું થતું નથી. બિહારમાં જેના દ્વારા નિર્મિત પૂલો ધરાશાયી થતા હોય, તેને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોટા કોન્ટ્રાક્ટરો અપાય, ત્યારે શું સમજવું? ખંભાળિયાના દેવરિયાથી દ્વારકાના ધોરીમાર્ગ પર થયેલા નુક્સાન પછી કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાયા ખરા? સુદર્શન બ્રીજના ઈજારેદારોનો વાળ પણ વાંકો થયો હશે ખરો? શું આને જ પારદર્શક-લોકલક્ષી-સુશાસન કહેવાતું હશે? ભગવાન જાણે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં કોમર્શિયલ બાંધકામો થઈ જતા વાહનો રોડ પર પાર્ક કરવા પડતા હોવાથી પણ ટ્રાફિક સમસ્યા ઘેરી બને છે. ચોમાસામાં જ્યારે સેલરોમાં પાણી ભરાઈ જાય અને કેટલાક રોડ પણ જળમગ્ન હોય, ત્યારે પાર્કિંગની પળોજણ બ્લડપ્રેસર વધારનારી બની જતી હોય છે.
બીજી તરફ ગુન્હાઓ નોંધાયા પછી થતાં 'આડેધડ બુલડોઝર એક્સન' સામે સુપ્રિમ કોર્ટે લાલ આંખ કરી છે અને કોઈના કાયદેસરના બાંધકામને ખોટી રીતે તોડી પાડવાનો કોઈને અધિકાર નથી, તેવા મતલબની ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં માત્ર ટ્રાફિક નિયંત્રણ માટે નહીં, પરંતુ ખરાબ-તૂટેલા-ફૂટેલા માર્ગો, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર સહિતની તમામ સમસ્યાઓને સાંકળીને ત્વરિત એક્સન લેવાની વ્યવસ્થા સાથેના સક્રિય કન્ટ્રોલ રૂમ તથા કોમન હેલ્પલાઈન શરૂ કરવા રાજ્ય સરકારને તાકીદ કરી છે.
ગુજરાતના ખેડા જિલ્લાનો આવો જ એક કિસ્સો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કઠલાલ ગામના એક શખ્સ સામે દસ-બાર દિવસ પહેલા નોંધાયેલા ગુન્હા પછી એફઆઈઆર થઈ હતી. આ પરિવારે ચાર-પાંચ દિવસ પછી ખેડાના ઉચ્ચ પોલીસ તંત્રને એવી ફરિયાદ કરી હતી કે તેના કાયદેસર રીતે નિર્માણ થયેલા મકાન પર બુલડોઝર ફેરવવાની ધમકી અપાઈ રહી છે. આ મુદ્દે સર્વોચ્ચ અદાલતે સખ્ત ટિપ્પણી કરી હતી કે, કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સામે કાનૂની પ્રક્રિયા હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે, પરંતુ કાયદેસરના મકાન તોડી પાડવાની ધમકી આપવી એ કાનૂનના શાસનની વિરૂદ્ધનું કદમ ગણાય.
આ કિસ્સાની ચર્ચા સાથે પ્રેસ-મીડિયાના અહેવાલો મુજબ આ પહેલા પણ સર્વોચ્ચ અદાલતમાં બે જજોની બેન્ચે 'બુલડોઝર' એક્સન હેઠળ ગુન્હાહિત આરોપોના આધારે લોકોની મિલકતો તોડી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બુલડોઝર એક્સનને પડકારતી અરજીઓના સંદર્ભે જણાવાયું હતું કે શિક્ષાત્મક પગલાં લઈને સત્તાવાળાઓ દ્વારા ઘરો તોડી પાડવાના મુદ્દે સર્વોચ્ચ અદાલત દેશવ્યાપી ગાઈડલાઈન્સ ઘડવાની દિશામાં વિચારણા કરી રહી હોવાના સંકેતો પણ આપ્યા હતાં.
તંત્રો દ્વારા આ પ્રકારના બુલડોઝર એક્સન્સ આમ તો પહેલેથી છૂટક છૂટક ધોરણે લેવાતા રહ્યા હશે, પરંતુ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે નામચીન ગુનેગારો-ગેન્ગસ્ટર્સની મિલકતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું, જેને લોકોમાં પણ જનરલ આવકાર મળ્યો, પરંતુ તે પછી આ પ્રક્રિયા દેશવ્યાપી બનવા લાગી, અને અબજો-ખરબોની ગેરકાયદે મિલકતો ધરાવતા દબંગ અને ઘાતકી માનસિક્તા ધરાવતા ગુનાખોરો તથા સામાન્ય ગુનેગારોને એક લાકડીએ હાંકીને કોઈ શખ્સ સામે ગુન્હો નોંધાય, તે પછી તે તેના પરિવાર સાથે રહેતો જ ન હોય, ઉઠલપાનિયો અને કાબુ બહાર હોય, છતાં તેના પરિવારની મિલકતો પર પણ બુલડોઝર એક્સન લેવાવા લાગ્યા હોવાની રાવ ઊઠવા લાગી. તે પછી તો કઠલાલના કિસ્સાની જેમ કોઈ શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી તેના પરિવારની કાયદેસરની મિલકતો પર બુલડોઝર ફેરવવાની ધમકીઓ અપાતી હોવાની રાવ પણ ઊઠવા લાગી હોવાથી સુપ્રિમ કોર્ટે હવે હસ્તક્ષેપ કરવાનું મન બનાવ્યું હશે, તેમ તદ્વિષયક તજજ્ઞોમાં ચર્ચાઈ રહ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કાયદેસરની મિલકતો પર આડેધડ ફેરવાતુ બુલડોઝર અને કાયદા પર ચલાવાતા બુલડોઝર એક સમાન છે, અને આવું કદમ પણ ગેરકાનૂની જ ગણાય!
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને બિસ્માર-જર્જરિત માર્ગો, ગેરકાયદે પાર્કિંગ વગેરે અંગે અદાલતની અવગણના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ની એક અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખૂબ જ આકરા શબ્દોમાં ખખડાવી નાંખી હતી, અને માત્ર ટ્રાફિક જ નહીં, પણ લોકોને અકળાવતી તમામ સમસ્યઓને સાંકળીને એક્ટિવ, અવિરત અને અદ્યતન હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.
રાજ્ય સરકારે ટ્રાફિક સમસ્યાને લઈને રાજ્યવ્યાપી હેલ્પલાઈન શરૂ કરી દીધી હોવાનો જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે અને જામનગર સહિતના શહેરોમાં અલાયદા ટ્રાફિક કન્ટ્રોલ રૂમના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારનો કાન આમળીને કડક શબ્દમાં કહ્યું છે કે માત્ર ટ્રાફિક જ નહીં, રખડતા ઢોર, બિસ્માર માર્ગો, માળખાકીય સુવિધાઓને સાંકળતી એક હેલ્પલાઈન તૈયાર કરો અને તેનો વાસ્તવિક રીતે અમલ થાય, તે સુનિશ્ચિત કરો.
હાઈકોર્ટની ખંડપીઠે કોમન સર્વગ્રાહી હેલ્પલાઈન શરૂ કરવા ભારપૂર્વક ફરીથી તાકીદ કર્યા પછી હવે રાજ્ય સરકાર અને નગરપાલિક-મહાનગરપાલિકાઓના તંત્રો કેટલા સક્રિય થાય છે અને કેટલી ઝડપથી હાઈકોર્ટની સૂચનાઓનો અમલ કરે છે, તે જોવાનું રહે છે. અદાલતે અમદાવાદ મહાનગરપાલિકાની કાઢેલી ઝાટકણી આખા રાજ્યની તમામ જુની-નવી મહાનગરપાલિકાઓને પણ લાગુ પડે જ છે અને અદાલતે જે તાકીદ કરી છે, તે રાજ્યવ્યાપી છે. સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને અપાયેલા નિર્દેશો રાજ્યવ્યાપી અને સાર્વત્રિક છે, ત્યારે હવે જામનગર સહિતની મનપાઓના મેયરો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રકારની 'કોમન સર્વગ્રાહી, સક્રિય અને સચોટ' હેલ્પલાઈનને લઈને કેટલી પ્રેસ-કોન્ફરન્સો કરે છે, તે જોવું રહ્યું.
જો કે, જામનગરમાં 'જેઅમસી કનેક્ટ' એપનું લોન્ચીંગ થઈ ચૂક્યું છે, અને આ 'એપ' લોકોની ફરિયાદો ઉપરાંત પણ બહુલક્ષી સેવાઓ આપશે, તેવો દાવો કરાયો છે, પરંતુ જોઈએ... બાકી તો નિવડે વખાણ થાય, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારે વરસાદ પછી માર્ગો બરબાદ થયા અને લગભગ તમામ માર્ગો ઉબડ-ખાબડ પડતર જમીન જેવા થઈ ગયા, અને વાહનો ચલાવવા અત્યંત મુશ્કેલ બની ગયા, તે પછી હવે ક્યાંક ક્યાંક થીંગડા મારવામાં આવી રહ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળે લોકો કેટલાક ખાડાઓ સ્વયં બુરીને પોતાના વાહનોને જેમ તેમ કરીને ચલાવી શકાય, તેવી વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાઓમાં આવેલા વિધાનસભા મતક્ષેત્રો માટે રાજ્ય સરકારે ધારાસભ્ય દીઠ બબ્બે કરોડ રૂપિયા ફાળવ્યા હોવાની જાહેરાત કરી હોવાથી હવે શહેરી વિસ્તારોમાં 'થીંગડા' થોડાક ઝડપથી અને મજબૂત લાગશે, તેવી આશા રાખી શકાય, કારણ કે બે કરોડ રૂપિયામાં નવો રોડ કે અદ્યતન માર્ગ તો બનવાના નથી, માત્ર બે કરોડમાં થાય શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા જ છે ને?
જો કે, આ બબ્બે કરોડની વધારાની ગ્રાન્ટ માર્ગ અને મકાન વિભાગમાંથી ફાળવાશે, અને શહેરી વિકાસ વિભાગ માટે તો અલગથી ગ્રાન્ટ અપાય જ છે, અને તે યથાવત્ રહેશે, તેથી ધારાસભ્યોને મળતી શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટ, મહાનગરપાલિકાની માળખાકીય સુવિધાઓ માટેના રેગ્યુલર ફંડ ઉપરાંત આ વધારાની ગ્રાન્ટનું સંયોજન કરીને ઝડપભેર ભાંગી-તૂટી ગયેલા માર્ગોની હાલતુરત મરામત થાય, અને તે દરમિયાન સર્વે કરીને તદ્ન ભાંગી-તૂટી ગયેલા માર્ગો, પૂલ, પૂલિયાનું નવીનિકરણ અથવા ગુણવત્તાસભર મજબૂત પુનઃનિર્માણ થાય, તે પ્રકારનું આયોજન ઘડવાની દિશામાં ઝડપભેર કદમ ઊઠાવાય, તે અત્યંત જરૂરી છે. આ નવી ગ્રાન્ટના ઉપયોગ અંગે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને મેયરે પણ કાંઈક આયોજન વિચાર્યું જ હશે ને?
જામનગરમાં લગભગ તમામ આંતરિક માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે, અને રહેણાંક વિસ્તારો, સોસાયટી વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પરિવહન કેન્દ્રો, કેન્દ્રવર્તી સંકુલો, કોમર્શિયલ અને એજ્યુકેશન સંસ્થાઓના એરિયા તથા હોસ્પિટલો-દવાખાનાઓને સાંકળતા માર્ગો પણ તત્કાળ મરામત માંગે છે, અને તે અંગે મનપાના શાસકોએ શું આયોજન કર્યું છે, તેની વાસ્તવિક જાણકારી પબ્લિકને મળશે, તેવું નગરજનો ઈચ્છે છે.
મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, માહિતી ખાતું અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી હાલારના બન્ને જિલ્લાઓને સાંકળતી ઘણી બધી પ્રેસનોટો રોજેરોજ પ્રેસ-મીડિયાને મોકલવામાં આવે છે, જે જરૂરી છે, અને લોકોને શાસકો-પ્રશાસકો દ્વારા લેવાતા પગલાં અને થતી કામગીરીની જાણકારી મળે, તેમાં કાંઈ હરકત જેવું નથી, પરંતુ માત્ર થયેલી કામગીરીની વાહવાહી, આંકડાઓની માયાજાળ અને જે કામો કે સેવાઓ કાયમી ધોરણે કરવાની જ હોય, અને તેના માટે તોતિંગ પગાર ચૂકવાતા હોય, તેવી કામગીરીને પ્રશંસાત્મક શબ્દોમાં ગુંથીને પ્રસ્તુત કરવાની ચાલાકીભરી યુક્તિઓ અજમાવાય, તે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા સમાન ન ગણાય?
જો ભરપૂર વિશેષ પબ્લિસિટી કરવી જ હોય, તો એવા કામોની કરો, જે વિશેષ સ્વરૂપે અને પ્રવર્તમાન ઊભા થયેલા સંજોગોના કારણે કેટલું, ક્યાં અને ક્યારે નુક્સાન થયું છે, અને તેના માટે તંત્રે તાબડતોબ શું આયોજન કર્યું છે, અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે કેવા પગલાં લેવા જઈ રહ્યા છે, તેની વિશેષ પબ્લિસિટી કરો ને...!
જો વાસ્તવિક્તા સ્વીકારીને અને તેના સંદર્ભે તત્કાળ કદમ ઊઠાવીને તેનો પ્રચાર-પ્રસાર થશે, તો લોકો રસપૂર્વક વાચશે, સાંભળશે અને તેની નોંધ પણ લેશે, પરંતુ કાયમી ધોરણે થતી કામગીરીનું મિશ્રણ કરીને આંકડાબાજીની કરામતોની હવે લોકોને ખબર પડી ગઈ હોવાથી આ પ્રકારના અતિશયોક્તિભર્યા સમાચારોની નોંધ લેવી તો દૂર રહીં, તેના પર નજર પણ નહીં નાંખે... યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...
જામનગર સહિત હાલારમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે. આને માત્ર કુદરતી આફત ગણાવીને જવાબદારી ખંખેરી શકાય નહીં, પરંતુ વાસ્તવિક્તાનો સામનો કરવો પડે. હાલારમાં અતિવૃષ્ટિ પછી દિવસો સુધી જલભરાવ, ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય રહે, અને તેના સંદર્ભે ઊંટના મૂખમાં જીરૂ મૂકવા જેટલી કામગીરી કરીને જાણે ઊંટને ધરવી દીધું હોય, તેવો પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો તેને તો લોકો સાથેની ઉઘાડી છેતરપિંડી જ ગણવી પડે ને?
તાજેતરની અતિવૃષ્ટિ પછી જે બદતર સ્થિતિ સર્જાઈ છે, તેનો વાસ્તવિક ચિતાર આપીને તંત્રો-શાસકો દ્વારા તત્કાળ ક્યા પગલાં લેવાઈ રહ્યા છે, અને કાયમી ઉકેલ માટે શું વિચાર્યું છે, તેની સચોટ અને સાચી માહિતી સાથે કેટલી નગરપાલિકાઓના પ્રમુખો કે ચીફ ઓફિસરોએ પ્રેસ-કોન્ફરન્સો કરી? ગ્રામ્ય વિસ્તારો માટે જવાબદાર જિલ્લા પંચાયતોના પ્રમુખો, કલેક્ટરો, ડી.ડી.ઓ. તો લગભગ ખામોશ જ જણાય છે. મેયર-મ્યુનિસિપલ કમિશનરે આ અંગે પ્રેસ-કોન્ફરન્સો દ્વારા વાસ્તવિક્તા જાહેર કરીને સચોટ માહિતી વખતો-વખત આપી છે ખરી?
સરકારી તંત્રો સરકારની વિરૂદ્ધમાં ન બોલે, કે પ્રેસઆઉટ ન કરે, તે સમજાય, પરંતુ જે વાસ્તવિક્તા છે, તે રજૂ કરીને, તંત્રની ઢીલાશ હોય તો તેનો સ્વીકાર કરીને અને પોતાની સત્તામર્યાદામાં જે તત્કાળ કદમ ઊઠાવ્યા હોય, ભૂલો સુધારી હોય કે 'લાપરવાહી હટાવવાની' પ્રક્રિયા ચાલી રહી હોય, અને પોતાની સત્તા ન પહોંચતી હોય ત્યાં ઉપલી કચેરી કે સરકારમાં દરખાસ્તો કરી હોય, સમસ્યાઓના તત્કાળ હંગામી ઉકેલ પછી તેના કાયમી નિરાકરણ માટે કોઈ ચર્ચા થઈ હોય, સૂચનો કરાયા હોય કે પ્રસ્તાવો મૂકાયા હોય તો તે જાહેર કરવામાં વાંધો શું છે, તે જ સમજાતું નથી... માત્ર વાહવાહી બૂમરેંગ જ પૂરવાર થઈ રહી છે હો...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતમાં જેવી રીતે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેવી જ રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિપદના બન્ને મુખ્ય ઉમેદવારો- ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. કેટલીક ટેલિવિઝન ચેનલોએ આ બન્ને પ્રતિસ્પર્ધીઓની વચ્ચેની ચર્ચા (ડિબેટીંગ) નું લાઈવ ટેલિકાસ્ટ કર્યું તે જે લોકોએ જોયું હશે, તેઓ એ સમજી જ શક્યા હશે કે બન્નેએ પોતપોતાના વિચારો કેટલી શાંતિથી મુદ્દાસર રજૂ કર્યા અને એન્કર્સે પૂછેલા તીખા પ્રશ્નો ના પણ ખૂબ જ શાંતિથી મુદ્દાસર જવાબો આપ્યા. બન્નેએ અમેરિકાને લઈને પોતપોતાનું વિઝન રજૂ કર્યું અને એકબીજાના શાસનગાળાને લઈને આકરી ટીકાઓ પણ કરી, પરંતુ ખૂબ જ શાલિનતાથી પોતાની વાતો રજૂ કરી. આપણી નેતાગીરીએ તેમાંથી ઘણું શિખવા જેવું ખરૃં...
અત્યારે આપણાં દેશમાં તો અમેરિકામાં ભારતીય લોકતંત્રની જે છાપ છે અને પૂર્વ કોંગી પ્રમુખ રાહુલ ગાંધીએ છેલ્લા બે દિવસ દરમિયાન અમેરિકામાં જે-જે સ્પષ્ટ અને તાર્કિક નિવેદનો કર્યા છે, તેની જ ચર્ચા ચાલી રહી છે અને રાહુલ ગાંધીનો 'નવો અવતાર' હોય, તે તેના નિવેનદમાં આવેલા બદલાવ, સચોટતા અને તર્કબદ્ધતાના કારણે હવે તેઓ મોદી સરકાર સામે ફ્રન્ટફૂટ પર લડી શકશે, અને આગામી સમયગાળામાં વિપક્ષી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી લેશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે. બીજી તરફ સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધીની સટાસટીથી સન્ન થઈ ગયેલા ભારતીય જનતા પક્ષના નેતાઓ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે. નોંધપાત્ર એ છે કે ઈન્ડિયા ગઠબંધનના મોટભાગના નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં મજબૂતીથી નિવેદનો આપી રહ્યા છે, તો એનડીએના એકાદ-બે અપવાદોને બાદ કરતા કેટલીક મહત્ત્વપૂર્ણ પાર્ટીના બોલકા નેતાઓ પણ બહુ કાંઈ બોલી રહ્યા નથી.
જો કે રાહુલ ગાંધીએ અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી.માં શીખ સમુદાયને સાંકળીને કરેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ભારતમાં શીખો અને શીખધર્મસ્થાનોના મુદ્દે પંજાબના ભટિંડાથી ચૂંટાયેલા અકાલી દળના સંસદસભ્ય હરશિમરત કૌરે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પ્રત્યાઘાતો આપતી વખતે ભાજપ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે શીખોના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બન્ને દોષિત છે!
ભારતમાં વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ હોત અને તંત્રે (ચૂંટણીપંચે) શાસક પક્ષની તરફ ઝુકાવ ન રાખ્યો હોત તો ભાજપને ર૪૦ બેઠકો પણ મળી ન હોત, તેવા રાહુલ ગાંધીના નિવેદનના દેશવ્યાપી પડઘા તો પડ્યા જ છે, પરંતુ વિદેશી મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ રહી હોવાથી ફરી એક વખત બંધારણીય સંસ્થાઓ સરકારના દબાણ હેઠળ કામ કરતી હોવાની તથા કેન્દ્રિય તપાસ એજન્સીઓનો શાસકપક્ષને ફાયદો થાય, તેવી રીતે દુરૂપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સરખામણીમાં રાહુલ ગાંધીના નિવેદનોની ચર્ચા પણ નોંધપાત્ર રીતે વધવા લાગી છે!
અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનોએ દેશમાં સનસનાટી ફેલાવી દીધી છે, જ્યારે ડોલાન્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની લાઈવ ડિબેટીંગ પછી અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની ચર્ચા અમેરિકા ઉપરાંત ભારતમાં પણ થવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં દાખવેલા અભિગમ અને કોરોના પહેલા-મોદીના સંયુક્ત કાર્યક્રમ તથા તેના પ્રત્યાઘાતોની ચર્ચા પણ તાજી થઈ ગઈ હતી. તે સમયે યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં, તેની ચર્ચા પણ ઘણાંને યાદ આવી ગઈ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ડિબેટીંગ અને અન્ય કેમ્પેઈનની દૃષ્ટિએ આજે સવારથી જ ઈન્ટરનેશનલ મીડિયા સાથે સાથે ભારતીય મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે, અને અમેરિકાને પ્રથમ આફ્રિકી-અમેરિકી-એશિયાઈ મહિલા રાષ્ટ્રપતિ મળી પણ શકે છે, તેવા તારણો નીકળી રહ્યા છે. આમ દેશ-દુનિયામાં ચૂંટણીના ચક્રવ્યૂહો ચર્ચામાં છે.
નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ર૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય રજૂ કરતા હોય છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્યના સંદર્ભે એક આગવો અભિગમ અપનાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં રાષ્ટ્રકક્ષાના નીતિપંચની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરી છે, જેને ટૂંકુ નામ 'ગ્રિટ' આપવામાં આવ્યું છે. વર્ષ ર૦૪૭ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ દર્શાવતો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થયો હોવાનો દાવો કરાયો છે.
'ગ્રિટ'ના અધ્યક્ષસ્થાને હોદ્દાની રૂએ મુખ્યમંત્રી રહેશે. રાજ્યના નાણામંત્રી હોદ્દાની રૂએ 'ગ્રિટ'ના ઉપાધ્યક્ષ રહેશે. તે ઉપરાંત મંત્રીઓ, સેક્રેટરીઓ, વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો સભ્ય તરીકે નિમાશે, તેવું જાહેર થયું છે.
વિકસિત ભારતના લક્ષ્યના સંદર્ભે વિકસિત ગુજરાતના આ વિઝનની પણ રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તેવા જ સમયે ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ રશિયા જઈ રહ્યાં છે, અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ પ્રસ્તાવની દિશામાં આગળ વધશે, તેવા અહેવાલો પછી વૈશ્વિક પ્રવાહોમાં એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે, વિવિધ કારણોસર વિશ્વના મોટાભાગના દેશો રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ થઈ જાય તેમાં રસ ધરાવે છે, તો અમેરિકા અને યુરોપિયન દેશો પણ યુક્રેનને સમર્થન આપી રહ્યાં છે, પરંતુ યુદ્ધ લાંબુ ચાલી રહ્યું હોવાથી મત-મતાંતરો ઊભા થયા હોવાનું કહેવાય છે, ત્યારે ભારતની આ આંતરરાષ્ટ્રીય પહેલ વિશ્વમાં ચર્ચાના કેન્દ્રમાં છે. બીજી તરફ રાહુલ ગાંધીએ અમેરિકામાં કરેલા કેટલાક સ્પષ્ટ નિવેદનો પછી હવે ઘર આંગણે રાજનીતિમાં તેના કેવા પ્રત્યાઘાતો પડે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. વિપક્ષી વર્તુળો તો એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, મણીપુરમાં સ્થિતિ થાળે પાડી શક્યા નથી, તેઓ વિશ્વશાંતિ માટે નીકળ્યા છે...!
રશિયા-યુક્રેનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની તરફેણ પણ થઈ રહી છે અને ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે, તેવામાં ગુજરાતનો તેઓનો સૂચિત પ્રવાસ પણ ચર્ચામાં છે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં હોય, તેવા સમયે જ કર્મચારીઓના સૂચિત આંદોલનના કારણે ઊભી થયેલ વિચિત્ર સ્થિતિના નિવારણ માટે ગૂપચૂપ પ્રયાસો થઈ રહ્યાં હોવાની વાતો પણ વહેતી થઈ છે, તો બીજી તરફ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગાંધી જ્યંતી-બીજી ઓક્ટોબર સુધી દેશવ્યાપી સેવા પખવાડિયુ ઉજવવાની જાહેરાત પણ કરી દીધી છે, જે ઘણી જ સૂચક છે.
આ પખવાડિયા દરમિયાન પેરિસ પેરાલિમ્પિકસમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું સન્માન, દિવ્યાંગોને સાધન-સહાય, "એક પેડ માઁ કે નામ" હેઠળ સામૂહિક વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, વયોવૃદ્ધ મહિલાઓ માટે વિશેષ નિઃશુલ્ક હેલ્થ કેમ્પ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જ્યંતીની ઉજવણી સહિતના વિવિધ કાર્યક્રમો અને સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.
બીજી તરફ ગુજરાત રાજય સરકારના કર્મચારીઓએ પણ ૧૭મી સપ્ટેમ્બરે જ વિવિધ પ્રશ્નોને લઈને તબક્કાવાર આંદોલનની શરૂઆત કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, અને ૧૭મી સપ્ટેમ્બરે જ "પેન ડાઉન" સ્ટ્રાઈક કરશે, તેવા અહેવાલો પછી ભાજપમાં ગૂસપુસ શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે. કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવા, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા, વર્ષ-ર૦રર ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સરકારે કરેલા વાયદાઓનું પાલન કરવા અને ખાતાકીય પરીક્ષાઓ સહિતના મુખ્ય પડતર ૧૦ પ્રશ્નોને લઈને આ આંદોલન શરૂ થવાનું છે. આ કારણે ભાજપ દ્વારા તા. ૧૭-સપ્ટેમ્બરથી બીજી સપ્ટેમ્બર સુધી યોજાનારા વિશેષ દેશવ્યાપી કાર્યક્રમો ટાણે જ ગુજરાતમાં કર્મચારીઓનું આંદોલન થાય, અને તેની વચ્ચે વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતનો સંયોગ રચાય, તો જે સ્થિતિ સર્જાય, તેની દેશવ્યાપી ચર્ચા પણ થઈ અને "ગુજરાત મોડલ" પર વ્યંગ સાથે વિપક્ષો પણ તૂટી પડે તેમ હોવાથી ડેમેજ કંટ્રોલ કરવા અને આંદોલન અટકાવવા રાજય સરકારે પાંચ-પાંચ મંત્રીઓ અને દોઢ ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા હોવાનું બહાર આવ્યું છે.
અહેવાલો તો એવા પણ છે કે, કર્મચારી યુનિયનો સાથે બે કેબિનેટ અને ત્રણ રાજયકક્ષાના મંત્રીઓએ ઉચ્ચ અધિકારીઓની ફોજને હાજર રાખીને માથાપચ્ચી કર્યા છતાં પડતર પ્રશ્નોને લઈને ગોળ-ગોળ વાતો કરી, પરંતુ કોઈ નક્કર ખાતરી કે લેખિત બાહેંધરી નહીં આપતા મંત્રણાઓ ભાંગી પડી હતી. વિધાનસભાની ચૂંટણીઓ સમયે આ જ રીતે "હૈયાધારણા" અને મૌખિક ખાતરીઓ અપાઈ હોવા છતાં તેના સંદર્ભે સંતોષજનક પગલાં જ નહીં લેવાયા હોવાથી હવે કર્મચારીઓ સરકારનો વિશ્વાસ કરે તેમ નથી, અને યોગાનુયોગ (!).
વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અને ગુજરાતના સંભવિત પ્રવાસના સમયે જ કર્મચારીઓએ આંદોલનની ચિમકી આપી હોવાથી રાજયના પાટનગરથી લઈને દેશની રાજધાની સુધી આંતરિક હલચલ મચી ગઈ હોવાની ચર્ચા પછી હવે વિપક્ષી નેતાઓ પણ આ મુદ્દો હાથથી જવા દેવા નહીં દે, અને યોગ્ય "ટાઈમીંગ" ગોઠવાય રહ્યું હોવાની ગપચપ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે, આ સંયોગ છે કે પ્રયોગ છે, તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
આવતા અઠવાડિયા પછી પીએમનો જન્મદિન એવા પખવાડિયાની ઉજવણી માટે હડિયાપટ્ટી થઈ રહી છે, તેવા સમયે જ રાજ્યમાં કોમી તોફાનો થયા અને સુરતમાં હિંસક ઘટનાઓ બની, તેને લઈને પણ ઉચાટ ફેલાયો હતો, પરંતુ રાજય સરકાર અને પોલીસ તંત્રે હિંસાની આગ ફેલાતી અટકાવી દીધી હોવાનો દાવો કર્યો છે, તેમ છતાં હવે રાજયવ્યાપી એલર્ટ અપાઈ ગયું છે, અને તોફાનો કે હિંસા કરતી કોઈપણ વ્યક્તિ સામે કડક પગલાં લેવાની કડક સૂચનાઓ અપાઈ હોવાના અહેવાલો છે, તો બીજી તરફ 'બુલડોઝર' એકશન પણ ચર્ચાસ્પદ બન્યું છે.
સુરતમાં તો હિંસક તોફાનો પછી ગેરકાયદે બાંધકામો હટાવવા બુલડોઝર મોકલાયા હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ જામનગરમાં સાધના કોલોની એરિયા પછી હવે ૧૪૦૪ આવાસોના વધુ બે બ્લોક્સના ડિમોલીશન તથા ૧૦ માળના પાંચ ટાવર કરોડોના ખર્ચે નિર્માણ કરવાના અહેવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે... બીજી તરફ મંકી પોક્સની ગાઈડલાઈન હજુ સુધી ટોપ-ટુ-બોટમ પહોંચી હોય તેમ જણાતું નથી.
ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વિધ્નહર્તા ગણપતિજી સૌને સદ્બુદ્ધિ આપે, બધાની મનોકામનાઓ સંતોષે અને શાંતિ-સદ્ભાવના જળવાય રહે તેવું પ્રાર્થીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશના ઘણાં રાજ્યોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની હકારાત્મક અસરો થઈ છે, અને ર૧ શહેરોમાં વાયુ પ્રદુષણ ૪૦% (ચાલીસ ટકા) સુધી ઘટી ગયું હોવાના અહેવાલો આવ્યા છે, તે ઉપરાંત છેલ્લા સાત વર્ષમાં અમદાવાદ, રાજકોટ સહિત ૧૪ શહેરોમાં પીએમ ૧૦ પોલ્યુશન ૩૦ થી ૪૦ ટકા ઘટી ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ આ સમયગાળામાં વાયુ પ્રદુષણ ર૦ થી ૩૦ ટકા ઘટી ગયું હોવાના અહેવાલો છે. એનસીએપીના રિપોર્ટ મુજબ દેશના ૧૩૧ પ્રદુષિત શહેરોમાંથી ૯પ શહેરોમાં એરક્વોલિટી સુધરી છે, અને તેનો આધાર કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો 'ડેટા' છે. જો હવાઈ પ્રદુષણ, જમીની પ્રદુષણ, ધ્વનિપ્રદુષણ અને જળપ્રદુષણમાં ઘટાડો થતો હોય તો તે આવકાર્ય છે, પરંતુ 'ડેટા' અને 'વાસ્તવિકતા' માં સુસંગતતા હોવી જોઈએ, ખરૃં કે નહીં...?
આપણા દેશમાં ઘણાં બધા ઉત્સવો ઉજવાય છે અને ગણેશોત્સવ સમયે નાચ-ગાન, ગીત-સંગીત સાથે પ્રોસેશનો નીકળે, ઠેર-ઠેર ગણેશ સ્થાપનો થાય અને ધામધૂમથી ઉત્સવ ઉજવાય, તે પણ એક અનોખી વિશેષતા છે ને...?
વિવિધ માન્યતાઓ, ધર્મ-સંપ્રદાયો, વૈવિધ્યપૂર્ણ અને હજારો પ્રકારના રીતિ-રિવાજો હોવા છતાં ભારતમાં જે રીતે નહીંવત અપવાદો સિવાય લોકો હળીમળીને આનંદપૂર્વક તમામ તહેવારો ઉજવતા રહ્યાં છે. અત્યારે ગણેશોત્સવ ઉજવાય રહ્યાં છે, ધામધૂમનો માહોલ છે, ત્યારે પીએસબી અને સુરક્ષાતંત્રો, વહીવટી તંત્રો તરફથી વારંવાર લોકોને જુદા-જુદા પ્રકારની ચેતવણીઓ પણ અપાઈ રહી છે. પ્રોસેશન સમયે વીજળીના વાયરોને સ્પર્શી જવાથી કરૂણ દુર્ઘટના ન સર્જાય. કોઈપણ પ્રકારની આગ-અકસ્માત કે ભાગદોડની ઘટના ન બને અને પર્યાવરણની સુરક્ષા કરીને પ્રદુષણ રહિત અને ઈકો-ફ્રેન્ડલી ઉજવણી થાય, તે માટે જુદા-જુદા તહેવારો સમયે લોકોને સતર્ક કરીને વિવિધ ગાઈડલાઈન્સ પણ અપાતી હોય છે.
ગણપતિ બાપા બધાની રક્ષા કરે જ છે, અને મંગલમય આશીર્વાદ વરસાવતા જ રહે છે, પરંતુ જ્યારે કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન બને, કર્ણપ્રિય ગીત-સંગીત-નૃત્ય અને ભક્તિનાદના સ્થાને ઘોંઘાટ કે ભાગદોડ ન થાય કે દર્દીઓ, વિદ્યાર્થીઓ કે ટ્રાફિકને તકલીફ ન પડે, તેની કાળજી રાખવાની ફરજ તો આપણી જ છે ને...? દુંદાળા દેવ ગણપતિ બાપા પણ આવું જ ઈચ્છતા હશે ને...?
એક તરફ હવાઈ પ્રદુષણની વાતો થઈ રહી છે, તો બીજી તરફ દેશમાં હવે પોલિટિકલ એન્વાયર્મેન્ટ વધુ ગરમી પકડી રહેલું જણાય છે. ખાસ કરીને બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા પછી બૃજભૂષણ શરણસિંહે કોંગ્રેસ અને પહેલવાનો પર પ્રહારો તો કર્યા, પરંતુ હવે ભાજપની ઉચ્ચ નેતાગીરીએ પણ તેને "માપ" માં રહેવા જણાવીને બફાટ કરવા પર નિયંત્રણ રાખવાનું જણાવી દીધું હોવાના અહેવાલો આવ્યા પછી એવા પણ અહેવાલો આવ્યા કે બજરંગ પુનિયાને કોઈએ ધમકી પણ આપી છે, તે પછી વિપક્ષો બૃજભૂષણ પર તડાપીટ બોલાવી રહ્યાં છે અને રાજકીય માહોલ ગરમાયો છે.
હરિયાણામાં તો રાજકીય વાતાવરણ એટલું ગરમાયું છે કે, દેવીલાલ - બંસીલાલ, ભજનલાલના સમયગાળામાં આયારામ, ગયારામની જે શરૂઆત થઈ હતી, તેના પર રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે અંકુશ મૂક્યો ત્યાં સુધીની "ઐતિહાસિક" ઘટનાઓની યાદ તાજી કરવામાં આવી રહી છે, અને ભાજપમાંથી થઈ રહેલું "પલાયન" બદલાવ કોઈ રાષ્ટ્રવ્યાપી બદલાવના સંકેતો હોવાનું ઘણાં રાજકીય પંડિતો માને છે, જે-તે ભાજપવાળા નકારે છે. પક્ષપલ્ટો કરીને કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીમાં જઈ રહેલા હરિયાણા ભાજપના દિગ્ગજો તથા પાર્ટીને વફાદાર રહેલા દિગ્ગજો વચ્ચેની નિવેદનબાજીથી એટલું તો નક્કી જણાય છે કે, આ વખતે ભાજપ માટે હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ અઘરી છે, અને તેમાં પણ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનના અહેવાલો પછી હવે ભારતીય જનતા પક્ષ માટે વધુ કપરાં ચઢાણની સ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે, હવે એર પોલ્યુશનની જેમ જ પોલિટિકલ એન્વાયર્મેન્ટમાં પણ બદલાવ આવી રહ્યો છે, જો કે, આ પ્રદુષણ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે તે હરિયાણાની જનતા નક્કી કરશે, ખરૃં ને...?
જામનગરમાં તો ભારે વરસાદ પછી તમામ પ્રકારના "પ્રદુષણો"વધી રહ્યાં હોય, તેમ જણાય છે. તડકો પડવાથી કાદવ-કીચડ સુકાયા પછીની સ્થિતિના કારણે સાર્વત્રિક અલગ જ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે, અને તમામ માર્ગો, ધોરી માર્ગો અને આંતરિક માર્ગો તદ્દન બિસ્માર અને બરબાદ થઈ ગયા હોવાથી એવું કહી શકાય કે ખાડાઓમાં માર્ગો તો ગાયબ જ થઈ ગયા હોય તેમ જણાય છે...!
અલનીનો અંગે તો ઘણાંએ સાંભળ્યુ હશે, પરંતુ હવે "લા નીનો' શબ્દો પણ પ્રચલીત થવા લાગ્યા છે. અસહ્ય ગરમી પછી ભારેથી અતિભારે વરસાદ, અવિરત મેઘવૃષ્ટિ એન ભારે પૂરની સ્થિતિ પછી હવે લા નીનાની અસરોના કારણે શિયાળામાં કડકડતી ઠંડી પડવાની નવી આગાહી પણ થઈ છે, તો બીજી તરફ દેશમાં "મંકી પોક્સ" નો એક દર્દી દેખાતા નવી જ ચિંતા ઊભી થઈ ગઈ છે, અને હેલ્થ એન્વાયર્મેન્ટ પર પણ ખતરો ઊભો થયો છે.
આ તમામ સમસ્યાઓ, ચિંતાઓ અને રાજકીય ઉથલ-પાથલો વચ્ચે અત્યારે ઉજવાય રહેલા ગણેશોત્સવ પછી હવે મુસીબતોનો અંત આવે અને વિઘ્નો ઝડપભેર દૂર થાય તેવી ગણેશજીને પ્રાર્થના....!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટના કડક વલણ પછી પણ ગુજરાતમાં આ સમસ્યા પૂરેપૂરી ઉકેલાઈ રહી નથી, ત્યાં હવે સમગ્ર રાજ્યમાં ડોગ બાઈટની ભયાનક સમસ્યા વધુને વધુ વકરી રહી છે, અને કરડતા કૂતરાઓની જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે તેના પર અંકુશ માટે સરકાર હવે કોઈ પરિણામલક્ષી કદમ ઊઠાવે, તેવી માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે. જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં આ સમસ્યા ઘેરી બની હોવા છતાં તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ડોગબાઈટના કેસોના આંકડા ચર્ચામાં આવ્યા છે. જાગૃત નાગરિકો પોતાના પરિવારના કોઈપણ સભ્યને સાદુ કૂતરૂ પણ કરડી જાય, તો તુર્ત જ સામૂહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફત સરકારી હોસ્પિટલો સુધી પહોંચે છે અને ડોગ બાઈટની વેક્સિનના ઈન્જેક્શનો મૂકાવે છે, જ્યારે (મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત સાદુ કૂતરૂ કરડી જાય, ત્યારે લોકો ઘરગથ્થુ ઈલાજ પણ કરી લેતા હોય છે કે પછી અંધશ્રદ્ધાના ચક્કરમાં અટવાતા હોય છે, અને હડકાયું કૂતરૂ કરડ્યું હોવાની આશંકા હોય ત્યારે જ સરકારી દવાખાના કે હોસ્પિટલોનો સંપર્ક સાધતા હોય છે, જેથી ઘણી વખત પછીથી મુશ્કેલીમાં પણ મૂકાતા હોય છે.
આમ, સરકારી ચોપડે જે આંકડા નોંધાતા હોય છે, તે માત્ર વેક્સિનના ઈન્જેક્શન મૂકાવવા પહોંચતા લોકોના જ હોય છે. સૌરાષ્ટ્રમાં કૂતરા કરડ્યા પછી વેક્સિનના જિલ્લાવાર આંકડાના અંદાજો પણ ચર્ચામાં આવ્યા હતાં અને દરરોજ પંદર-વીસ લોકો (એવરેજ) ઈન્જેક્શનો મૂકાવવા આવતા હોવાનું બહાર આવ્યું છે.
વિવિધ શહેરોની સરકારી હોસ્પિટલોમાં દરરોજ ડોગ બાઈટ પછી વેક્સિનના ઈન્જેક્શનોની સરેરાશ સંખ્યાના આંકડાઓ મુજબ દરરોજ સરેરાશ ૪૦ થી પ૦ લોકો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અને રપ થી ૩૦ લોકો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઈન્જેક્શનો મૂકાવવા પહોંચે છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ દરરોજ સરેરાશ ૪૦ જેટલા લોકોની ડોગબાઈટની સારવાર થતી હોવાનું અને પોરબંદરની સિવિલ હોસ્પિટલનો આ આકંડો પણ બાર-પંદર દર્દીઓનો છે.
એન્ટી રેબિસ વેક્સિનેશનના આ આંકડા તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે, પરંતુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ઘણાં લોકો ડોગબાઈટ પછી સારવારમાં લાપરવાહી કે અધકચરા કે અયોગ્ય ઉપાયો કરીને ચલાવી લેતા હોવાની વરવી વાસ્તવિક્તા પણ ચર્ચાઈ રહી છે.
બીજી તરફ ડોગબાઈટ સંદર્ભે એન્ટી રેબિસ વેક્સિન મૂકવાની સુવિધા સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ હોવાથી આ પ્રકારે કૂતરા કરડ્યા પછી સારવાર માટે આવતા લોકો સાથે સંવેદનશીલ એપ્રોચ સાથે વેક્સિન ઉપરાંત ડોગબાઈટની સ્થિતિ એટલે કે કૂતરાએ ભરેલું બચકુ, કેવડુ છે અને તેની તીવ્રતા કેટલી છે, તેની ચકાસણી કરીને એન્ટી રેબિસ વેક્સિન મૂકવા ઉપરાંત જરૂરી પાટાપીંડી, સારવાર કરીને જરૂરી દવાઓ પણ તબીબો-નર્સીંગ સ્ટાફે જે-તે દર્દીઓને આપવા જોઈએ, અને ઘણી સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના કિસ્સામાં દર્દીને હૂંફ આપીને ગંભીરતાપૂર્વક સારવાર થતી પણ હશે, પરંતુ હાલાર સહિતની કેટલીક હોસ્પિટલોમાં કોઈપણ ચકાસણી કે સારવાર કર્યા વગર જ દર્દીને માત્ર એન્ટી રેબિસ વેક્સિન આપીને રવાના કરી દેવામાં આવે છે. તે પછી તે દર્દીને ઈન્ફેક્શન કે પાક થઈ જતા ગંભીર પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને લાંબા સમય સુધી ડ્રેસીંગ અને સારવાર લેવાની નોબત આવે છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આ પ્રકારના મુશ્કેલીમાં મૂકાયેલા દર્દીઓની હાલાકી માટે જવાબદાર કોણ?
કરડતા કૂતરાઓને ઘટાડવા માટે કોઈ નક્કર પોલિસી જ નથી. હડકાયા કૂતરાને તો નાછૂટકે મારવા પડે, પરંતુ સાદા કૂતરાઓને મારી નાંખવાની મનાઈ હશે અને આમ પણ આપણી અહિંસક સંસ્કૃતિના કારણે આપણે બધા કૂતરાઓને મારી ન કાઢીએ, તો પણ રખડતા ઢોરની જેમ રખડુ કૂતરાઓને પકડીને કોઈ ડોગ હાઉસ કે એવી કોઈ વ્યવસ્થાઓ રાજ્યવ્યાપી બનાવીને તેમાં ખસેડવા અને વંધ્યીકરણ અથવા ખસીકરણની ઝુંબેશો (માત્ર કાગળ પર જ નહીં, પરંતુ વાસ્તવમાં) સતત ચલાવીને કૂતરાઓની જનસંખ્યા નિયંત્રણના કદમ તો સરકાર ઊઠાવી જ શકે ને? સરકાર અને તેના તંત્રો આ મુદ્દે ગંભીર કેમ નથી?
જો સરકાર અને તેના તંત્રો રખડતા ઢોર અને કરડતા કૂતરાઓની સમસ્યા નિવારવા કે ઘટાડવા માંગતા હોય તો આ માટે જાહેર ચર્ચાઓ, ગ્રુપ ડિસ્કશનો, હેસ-ટેગ ઓપિનિયનો, સોશિયલ મીડિયા તથા ટ્રેડિશ્નલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોના અભિપ્રાયો-માંગણીઓ-ફરિયાદોનું સંકલન કરીને કોઈ રાજ્યવ્યાપી નક્કર પોલિસી તો બજાવી જ શકેને? ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને એક મીશન તરીકે ઉપાડવાની જરૂર છે, જો રાજ્ય સરકાર રખડતા ઢોર અને કરડતા કૂતરાઓની સામેની ઝુંબેશ ભૂતકાળની સ્ત્રીભૃણ હત્યા વિરોધી ઝુંબેશની જેમ (સતત) ઉઠાવશે, તો ભૂપેન્દ્રભાઈ પણ નરેન્દ્રભાઈની જેમ એક સામજિક ક્રાંતિનો હિસ્સો બની શકે છે, ખરૃં કે નહીં?
ડોગબાઈટની જેમ જ બેડ બાઈટની સમસ્યા પણ ખતરનાક બની રહી છે, અને હવે વિકૃત કે ઘાતક હરકતોનુ સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર વહેતા થયા હતાં કે કોઈ વૃદ્ધાને નાના બાળકને રડતું છાનું રાખવા(!) એટલા બધા બટકા ભર્યા કે તે મરી ગયું. આ પ્રકારની હરકતને ઘાતક બેડબાઈટ કહેવાય. ડોગ બાઈટ અને બેડબાઈટના મુદ્દે 'ઉધામા' તો થાય છે, પરંતુ 'ઉકેલ' શોધવાની જરૂર છે, કારણ કે વર્તમાન યુગમાં હવે નાના-કૂમળા બાળકો અને ખાસ કરીને કૂમળી વયની કન્યાઓ, કે જેવો હજુ માંડ ચાલતા-દોડતા કે થોડુ-ઘણું સમજતા શિખી રહી હોય, તેની સાથે વિકૃત હરકતો સાથે આળ-પંપાર કરીને પપ્પીઓ કે નાના બટકા ભરીને વહાલ કરવાની આડમાં બીભત્સ આનંદ(!) મેળવવાનો પ્રયાસ કરતા છૂપા ભેડિયાની માનસિકતા ધરાવતા લોકોથી પણ સાવધ રહેવાની તાતિ જરૂર છે.
આ પ્રકારની બટકા-બટકી ભરવાને 'વિકૃત બેડબાઈટ' કહેવાય, જેનો વ્યાપ તેજીથી વધી રહ્યો હોવાથી નાના બાળકોના માતા-પિતા ઉપરાંત સમાજે જાગવાની જરૂર છે અને સરકારે વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા જ જાણે રાજકીય ધરતીકંપ થયો અને વર્તમાન મંત્રીઓ સહિતના ભાજપના ધારાસભ્યોએ ટપોટપ રાજીનામા આપી દીધા. ભારતીય જનતા પક્ષ માટે આ જબરો ઝટકો હતો, અને કેટલાક નેતાઓએ કોંગ્રેસની દિશા પકડતા હરિયાણામાં કોંગ્રેસ વધુ મજબૂત થઈ રહી હોય તેમ જણાયું. એક તરફ ભારતીય જનતા પક્ષે સદસ્ય અભિયાન આદર્યું છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જે 'મેજિક' અને 'હાઉ' ખતમ થઈ રહ્યા હોવાની નિશાની હોવાના તારણો નીકળી રહ્યા છે.
બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુષ્કરસિંહ ધામીની સુપ્રિમ કોર્ટે એક કેસમાં ઝાટકણી કાઢ્યા પછી પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. ઉત્તરાખંડની હાઈકોર્ટે બે વર્ષ પહેલા જિમ કાર્બેટ વાઘ અભ્યારણ્યમાંથી ગેરકાયદેસર વૃક્ષો કાપવાના આરોપમાં જે અધિકારીને પદ પરથી હટાવી દીધા હતાં, તે જ અધિકારીએ રાજાજી નેશનલ પાર્કમાં પણ આવું જ કૃત્ય કરવાની ગંભીર નોંધ પણ તે સમયે ઉત્તરાખંડ હાઈકોર્ટે લીધી હતી, અને માર્ચ-ર૦ર૪ માં કોઈ સમિતિ દ્વારા તપાસ પણ શરૂ થઈ હતી, પરંતુ ધામીએ તે જ અધિકારીને રાજાજી નેશનલ પાર્કના ડાયરેક્ટર બનાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, આપણે સામંતશાહીના યુગમાં નથી અને મુખ્યમંત્રી એ કોઈ રાજા નથી કે આ રીતે કોઈ અધિકારીને મનસ્વી પોસ્ટીંગ આપી શકે. એક આઈએફએસ અધિકારી, કે જે ભૂતકાળમાં કોઈ કેસમાં આરોપી હોય, તેની આ રીતે ડાયરેક્ટર પદે નિમણૂક આપવી અને ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાના બદલે તેની ટ્રાન્સફર જ કરવી, તે યોગ્ય નથી. સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પુષ્કરસિંહ ધામીની ઝાટકણી કાઢી, તેના રાજકીય વર્તુળોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને વિપક્ષના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે આ દાળમાં કાળુ નથી, પરંતુ પૂરેપૂરી દાળ જ કાળી છે!
ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે. કચ્છમાં રણોત્સવનું ટેન્ડર એક ચોક્કસ કંપનીને અપાયું હતું, જે હાઈકોર્ટે રદ્ કરી નાખતા ગુજરાત સરકારને ઝટકો તો લાગ્યો જ, સાથે સાથે ભારતીય જનતા પક્ષ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો હશે.
જે કંપનીનું ટેન્ડર પાસ કરાયું, તે કંપનીએ છેલ્લા બે વર્ષથી રૂ. ૭પ લાખ જેવી રોયલ્ટી ટુરિઝમ કોર્પોરેશનને ચૂકવી નહીં હોવા છતાં નીતિનિયમોને નેવે મૂકીને ટેન્ડર આપવા બદલ હાઈકોર્ટે સુનાવણી પછી ટેન્ડર જ રદ્ કરી નાંખતા એમ કહી શકાય કે માત્ર દાળમાં કાંઈક કાળુ નથી, પરંતુ આખેઆખી દાળ જ કાળી છે!
ભારતીય જનતા પક્ષનું સદસ્ય અભિયાન પણ ચર્ચામાં છે. આ પહેલા જ્યારે મિસકોલ દ્વારા સભ્યોની નોંધણી થઈ હતી, ત્યારે ઘણાં એવા લોકો પણ સભ્ય બની ગયા હતાં, જેઓ કાં તો વિપક્ષમાંથી આવ્યા હતાં, અથવા તો ગોરખધંધા કે ગુન્હાખોરી સાથે સંકળાયેલા હતાં. આ પ્રકારના ઘૂસણખોરોથી આ વખતે ભાજપ સાવધાન વર્તી રહ્યું છે, અને પાર્ટી અને સંસદ ગૃહ-વિધાનસભાઓના હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને નગરસેવકોને સભ્યોની નામ નોંધણી માટે લક્ષ્યો અપાયા છે. આ સદસ્યતા અભિયાન છેક ૧પ મી ઓક્ટોબર સુધી ચાલશે. હવે નિયત કરેલા લક્ષ્યાંકો પૂરા કરવા માટે ભાજપના નેતાઓ પણ આડેધડ 'ભરતી' કરી શકે છે. બીજી તરફ હરિયાણા સહિત દેશના કેટલાક રાજ્યોમાં ઉલટી ગંગા શરૂ થઈ છે અને ભાજપ છોડીને નેતાઓ-કાર્યકરો બહોળી સંખ્યામાં વિદ્રોહ કરી રહ્યા છે. ભાજપ માટે આ સ્થિતિ વળતા પ્રવાહ જેવી છે, તેમ ન કહી શકાય?
હરિયાણાની જેમ જ મહારાષ્ટ્રમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓને લઈને પણ મહાવિકાસ અઘાડી અને વર્તમાન સત્તાધારી મહાયુતિ ગઠબંધનો વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની છે. તેવા સમયે મહારાષ્ટ્રના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે નહીં દેખાતા ઘણાં તર્ક-વિતર્કો થઈ રહ્યા છે, અને બન્ને પ્રાદેશિક ગઠબંધનો વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું હોવાથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રની રાજનીતિની પૂરેપૂરી દાળ જ કાળી થઈ ગઈ છે, તેથી કદાચ મહારાષ્ટ્રના મતદારો પણ કન્ફ્યુઝનમાં જણાય છે.
ઈન્ડિયા ગઠબંધનના સાથીદાર પક્ષો વિધાનસભાની ચૂંટણીઓમાં સાથે મળીને ભાજપ-એનડીએને ટક્કર આપવા તત્પર હતાં, પરંતુ હરિયાણામાં સીટ શેરીંગને લઈને ઊભા થયેલા મતભેદો તથા પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ટેક્સ વધારીને પેટ્રોલિયમ પદાર્થો મોંઘા કરી દેતા વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસને ડર છે કે પંજાબ સરકારે કેટલીક સબસિડી ઘટાડી કે રદ્ કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા, તેની અસર પડોશી રાજ્ય હરિયાણામાં પણ થઈ શકે છે. તેથી જ કદાચ હરિયાણાના સ્થાનિક ઘણાં કોંગી નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના બદલે માત્ર સીટ શેરીંગ કરવા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં 'ફ્રેન્ડલી' ફાઈટ આપવા વિચારી રહ્યા હતાં, જો કે ભારતીય જનતા પક્ષમાં થયેલા બળવા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો નવેસરથી પ્લાન ઘડી શકે છે. ભાજપની દાળ હરિયાણામાં તો કાળી થઈ જ ગઈ છે, પરંતુ તેની દેશવ્યાપી અસરો ન થાય, તે માટે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હોય, તેમ હરિયાણામાં હડિયાપટ્ટી કરી રહેલા જોવા મળી રહ્યા છે.
ગુજરાત ભાજપની આંતરિક યાદવાસ્થળી તો હવે પબ્લિક મેટર બની ગઈ હોય, તેમ સંગઠન અને સરકાર ગોટે ચડી રહી છે. ક્યાંક ભાજપના નેતાઓ તથા ધારાસભ્યો જ તંત્રો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે (ભાજપનું શાસન હોવા છતાં) આક્ષેપબાજી કરતા જોવા મળે છે, તો ક્યાંક ભાજપના ધારાસભ્ય અને નગરપાલિકા કક્ષાના ભાજપના જ નગરસેવક અને પદાધિકારી વચ્ચે મારામારી થતા પોલીસ બોલાવી પડી રહી છે. રાજ્યની હાલાર સહિતની ઘણી નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં યાદવાસ્થળીની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે, ત્યારે એમ જરૂર કહી શકાય કે હવે આખી દાળ કાળી થવા લાગી છે. કેટલાક વિપક્ષના નેતાઓ ભૂતકાળમાં નદીઓ તથા ડાકુઓની સ્ટોરીઓ સાથે સંકળાયેલા 'ભાદર તારા વહેતા પાણી'ને યાદ કરીને 'ભાદર'ની જગ્યાએ 'ભાજપ' શબ્દ ગોઠવી રહ્યા છે, તો બીજી તરફ કોલકાતા રેપ કાંડ પછી મમતા બેનર્જી રાષ્ટ્રીય ક્ષેત્રે એકલા પડી રહ્યા છે, તેથી કહી શકાય કે દેશની રાજનીતિની દાળ પણ કાળી થવા માંડી છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે મોટા મોટા નેતાઓ, ઉચ્ચ આઈ.એ.એસ અને આઈ.પી.એસ. અધિકારીઓ, લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો, સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અધ્યાપકો, પ્રાધ્યાપકો સહિત સૌ કઈ પોતાના અભ્યાસકાળને યાદ કરીને શિક્ષકોને સ્મરી રહ્યા છે, જ્યારે વર્તમાનમાં અભ્યાસ કરી રહેલા શાળા-કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતપોતાના શિક્ષકો-પ્રોફેસરોનું સન્માન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. શિક્ષક એટલે સંસ્કારો અને જ્ઞાનનું સંયોજન... ભાવિ નાગરિકોનો ઘડનાર શિલ્પી... સાચો રસ્તો દેખાડનાર પથદર્શી...
જો કે, વર્તમાન ઈન્ટરનેટ યુગમાં શિક્ષકો, પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સ વચ્ચેના સંબંધોમાં બદલાવ આવી રહ્યો છે. ભૂતકાળમાં શિક્ષકો-પ્રાધ્યાપકો જે રીતે પૂરેપૂરા સમર્પિત થઈને સ્ટુડન્ટ્સને કેળવતા તેમાં ક્રમશઃ ઓટ આવી રહી હોય, અને તેવી જ રીતે સ્ટુન્ડન્ટ્સ દ્વારા શિક્ષકો-પ્રોફેસરો પ્રત્યેના આદરભાવમાં કમી વર્તાઈ રહી હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં કોઈ શિક્ષિકા બહેન વર્ષોથી વિદેશમાં હોવા છતાં તેઓની શિક્ષિકા તરીકેની નોકરી (કદાચ કપાત પગારે) ચાલુ હતી, તેવો પર્દાફાશ થયો હતો અને તે પછી આ પ્રકારના અન્ય ઘણાં કિસ્સાઓ પણ બહાર આવ્યા હતાં. આપણા દેશની ગુરુ-શિષ્યની પરંપરા તો બાજુ પર રહી ગઈ, પરંતુ આ કારણે એક શિક્ષકની ઘટ હોવાથી શિક્ષણમાં ખામી રહેતા જે-તે શાળાના વિદ્યાર્થીઓનું ઘડતર કેવું ક્ષતિપૂર્ણ થશે, તેની ચિંતા પણ ન તો લાંબા સમય સુધી ગુરહાજર રહેતા શિક્ષકોએ કરી કે ન તો આ ગેરહાજરી ચલાવી લેનાર 'સિસ્ટમે' કરી. શું આને આપણી મૂળ સંસ્કૃતિ પર પ્રહાર ન ગણી શકાય? આપણી જ ભાવિ પેઢી સાથે અક્ષમ્ય છેતરપિંડી ન ગણી શકાય?
આ પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા પછી કેટલાક મહાગુટલીબાજોને નોટીસો અપાઈ, કેટલાકને સસ્પેન્ડ કરાયા, તો કેટલાક શિક્ષકોને બરતરફ કરાયા, પરંતુ આ કવાયત ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ન ગણાય?
આમ પણ અત્યારે કેટલીક શાળાઓના શિક્ષકો જ તમમાકુવાળા માવા-મસાલા ચોળીને ખાતા જોવા મળે, તો કેટલાક શિક્ષકો બીડી-સિગારેટના કસ ખેંચતા જોવા મળે, ત્યારે તેની ગુપચુપ ટીકા થતી હોય છે, પરંતુ પોતાના બાળક સાથે પૂર્વગ્રહ રખાશે, તેવા ડરથી કદાચ વાલીઓ તથા સ્થાનિક નેતાઓ પણ ચૂપકીદી સેવતા હોય છે. હકીકતે સમાજે આ પ્રકારની હરકતો કરતા શિક્ષકોને અટકાવવા જોઈએ, કારણ કે કુમળી વયના વિદ્યાર્થીઓ શાળાના સમય પછી પણ આ પ્રકારની હરકતો કરતા શિક્ષકોને જુએ, તો તેનું તત્કાળ અનુકરણ કરતા હોય છે, કારણ કે માતા-પિતાએ જ શિક્ષકોનું કહ્યું માનવાની શીખામણો આપી હોય છે, તેથી બાળકો શિક્ષકો કે પ્રોફેસરો જે કહે, તે તો કરે જ છે, પરંતુ તેઓ જે હરકતો કરતા હોય, તેનું આંધળુ અનુકરણ પણ કરવા લાગતા હોય છે.
હવે તો ઈન્ટરનેટ યુગ છે, અને સોશ્યલ મીડિયાનો જમાનો છે. સોશ્યલ મીડિયાના ઘણાં ફાયદા છે, પરંતુ તેનો ખતરનાક રીતે દુરૂપયોગ પણ વધી રહ્યો છે, જ્યારે ચાલુ પિરિયડે ખુદ શિક્ષક કે પ્રોફેસર જ મોબાઈલ સેલફોનમાં મશગુલ રહેતા હોય, ત્યારે તેના સ્ટુડન્ટ્સ તો તેનું સવાયું અનુકરણ જ કરતા હોય છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં ચેટીંગના માધ્યમથી ભોળી કન્યાઓને ભરમાવીને જાતિય શોષણ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ઘણાં કિસ્સાઓમાં ખુદ શિક્ષક, પ્રોફેસર કે ટ્યુશન-કોચીંગ ક્લાસીસના સંચાલકો અથવા ટ્રસ્ટીઓ દ્વારા જ વિદ્યાર્થીનીઓનું શોષણ થતું હોવાના કિસ્સા બહાર આવતા હોય છે. આ જ પ્રકારની હરકતો હોસ્ટેલો તથા વિદ્યામંદિરોમાં પણ થતી હોય, ત્યારે એમ લાગે છે કે હવે ખુદ સમાજે જાગવાની જરૂર છે. આધુનિક્તા તથા મોર્ડન લાઈફ સ્ટાઈલના નામે જો બીભત્સ માનસિક્તાનો વ્યાપ વધી રહ્યો હોય, તો તેની સામે વાલીઓ તથા સભ્ય સમાજે જ જાગવાની જરૂર છે, તેમ નથી લાગતુ?
એવું નથી કે આખું વર્તમાન શિક્ષણ જગત જ આવું છે કે તમામ શિક્ષકો, પ્રોફેસરો, ગુરુજનો, શાળા સંચાલકો કે ટ્યુશન વર્ગના સંચાલકો આવી જ મનોવૃત્તિના થઈ ગયા છે, હકીકતે તો એ પ્રકારની વિકૃત અને અનૈતિક કે અયોગ્ય મનોવૃત્તિ ધરાવતા શિક્ષકો, અધ્યાપકો, ટ્રસ્ટીઓ કે સંચાલકોની સંખ્યા હજુ નહીંવત્ જ છે, પરંતુ તે પ્રકારના જુજ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા પછી તેના કારણે જ આખું શિક્ષણ બદનામ થતું હોય છે, તેથી આ પ્રકારના પરિબળો પ્રત્યે આંખ આડા કાન કરવાના બદલે તેઓને સુધારવા અથવા તેની સામે મોરચો માંડવા, તેની સાથે જ કામ કરતા આદર્શ શિક્ષકો, પ્રોફેસરો તથા સંસ્કારી સ્ટુડન્ટ્સ સહિત સૌ કોઈએ આગળ આવવું જોઈએ તેમ નથી લાગતું?
આજે પણ ઘણાં એવા શિક્ષકો છે, જેઓ પોતાના વતનથી ઘણાં જ દૂર કોઈ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક તરીકે કે શહેરી વિસ્તારમાં પ્રોફેસર તરીકે સંપૂર્ણ સમર્પિત ભાવથી અને સ્થાનિક સમાજ સાથે ઓતપ્રોત થઈને બાળકો-વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો કરતા જ હોય છે, પરંતુ ગ્રામજનોની શિક્ષણોત્તર સેવા પણ કરતા હોય છે. ઘણાં શિક્ષકો તથા પ્રોફેસરો નિવૃત્ત થયા પછી પણ શાળા-કોલેજમાં જઈને કે પોતાના ઘરે નિઃશુલ્ક શિક્ષણ અને માર્ગદર્શન પણ આપતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો શિક્ષકો જ ગ્રામ વિકાસ અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે કડીરૂપ કામ કરતા હોય છે. બસ, કેટલોક સુક્ષ્મ સડો શિક્ષણ જગતમાં ઉધઈની જેમ ફેલાવાની કોશિશ કરી રહ્યો છે, તેને અટકાવવાની જરૂર છે, ખરૃં કે ખોટું?
આજે શિક્ષક દિને 'નોબત' અને માધવાણી પરિવાર તમામ વંદનિય ગુરુજનો, શિક્ષકો, પ્રોફેસરો તથા શિક્ષણવિદેને આદરપૂર્વક નમસ્કાર સાથે શુભેચ્છાઓ પાઠવે છે... ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર શહેરમાં ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની અસરો તો હતી જ, અને તેમાં આ વર્ષે થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે નગરમાં વાહનો ચલાવવાનું અને ટ્રાફિક કંટ્રોલ જાળવવાનું તમામ સેલરોમાં જલભરાવ થતાં ત્યાં વાહનો પાર્ક નહીં કરી શકતા હોવાથી રોડ પર જ વાહનોના ખડકલા થઈ રહ્યા છે. આ બધા કારણોસર જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. બીજી તરફ જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના સંખ્યાબંધ થાંભલા જમીનદોસ્ત થઈ જતા વીજળીના ધાંધિયા પણ વ્યાપક બન્યા છે.
જામનગરમાં સેલરોમાંથી પાણી ઉલેચતા તે રોડ-રસ્તા પર ફેલાય છે અને ગટરો છલકાઈ જાય છે, તેથી પણ ગંદકી અને ન્યુસન્સ ફેલાય છે. આ કારણે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જતા લોકોને ટ્રાફિકની વચ્ચેથી ચાલવું પડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધુ ઘેરી બની જાય છે અને ગંભીર પ્રકારના અકસ્માતો થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.
જામનગરમાં સમર્પણ સર્કલ, ખોડિયાર કોલોની, સાત રસ્તા, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી અને ત્રણ દરવાજા વિસ્તાર સહિતના અનેક આંતરિક માર્ગો તથા સર્કલો પર ટ્રાફિક જામ થઈ જતા ઘણી વખત તો દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સો પણ અટવાઈ પડે છે, જ્યારે જી.જી. હોસ્પિટલ, બસ ડેપો, રેલવે સ્ટેશનને સાંકળતા માર્ગો પર અવારનવાર સર્જાતો ટ્રાફિકજામ ઘણાં લોકોના ટાઈમટેબલ ખોરવી નાખે છે.
જામનગર જેવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના ઘણાં શહેરોની છે. ઠેર-ઠેર વિકાસના માચડાઓ ઊભા કર્યા છે, અને તેના કારણે વર્તમાન જિંદગી ખોરવાઈ રહી છે, તેમ છતાં મેગા પ્રોજેક્ટોના કામો મંથર ગતિથી ચાલતા હોવાથી વિકાસ પ્રક્રિયામાં સહભાગી થવાની ભાવનાથી સહયોગી બનતી જનતાની ધીરજનો બંધ હવે તૂટી રહ્યો છે, અને ભયાનક જનાક્રોશમાં તબદિલ થઈ રહ્યો છે. તેમ છતાં (કેટલાક અપવાદો સિવાય) શાસકો-પ્રશાસકો આ વિપત્તિની ઘડીમાં પણ પ્રજાની વચ્ચે જોવા મળતા નથી અને એરકન્ડીશન્ડ ઓફિસો અથવા ઘરેથી જ 'જનસેવા' કરી રહ્યા છે, ત્યારે એ કહેવત યાદ આવી જાય છે કે, 'રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ (વાંસળી) વગાડી રહ્યો હતો?!'
આમ તો જામનગરની ટ્રાફિક સમસ્યા કાંઈ નવી નથી. વિકાસના માચડાઓ ખડકાયા નહોતા ત્યારે પણ અવાર-નવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા જ હતાં, પરંતુ જેમ-તેમ કરીને ટ્રાફિક પોલીસ વ્યવસ્થા જાળવી લેતી હતી, પરંતુ હવે તો ફ્લાય ઓવર બ્રીજના કામોના ખડકાયેલા માચડા, વરસાદના કારણે તૂટી-ફૂટી ગયેલા આંતરિક માર્ગો, સેલરોમાંથી ઉલેચાતા પાણી તથા અન્ય ગંદકી, ઠેર-ઠેર આડેધડ કે સેલરોમાં પાણી હોવાથી રોડ પર પાર્ક કરેલા વાહનો તથા આગળ નીકળી જવાની હોડમાં સામસામે આવી જતા વાહનોના કારણે અત્યારે તો ટ્રાફિકની સમસ્યા એટલી વકરી ગઈ છે કે ફરજ પરના ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક સહાયકોએ પણ હાથ ઊંચા કરી દીધા હોય, તેમ ઘણાં સ્થળે ટ્રાફિક નિયમન કરવાના બદલે સર્કલોના કોઈ ખૂણે કે બાઈકો પર બેસીને ટ્રાફિકની નિરંકુશ સ્થિતિનું જાણે 'નિરીક્ષણ' કરવાની ડ્યુટી હોય, તેવી માનસિક્તા સાથે કામ કરતા જોવા મળી રહ્યા હોય છે.
બીજી તરફ જામનગર જિલ્લા સહિત સમગ્ર હાલાર અને સૌરાષ્ટ્રમાં વીજળીના ધાંધિયાથી લોકો ત્રાસી ગયા છે. વોલ્ટેજની વધઘટના કારણે કેટલાક શહેરોમાં લોકોના રેફ્રિજરેટર, ટીવી, એ.સી. સહિતના સાધનોને નુક્સાન થયું છે, તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો હજી પણ વીજપુરવઠો પૂરેપૂરો પૂર્વવત જઈ શક્યો નથી. તેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ભારે વરસાદે પીજીવીસીએલમાં ચાલતા ઓર્ગેનાઈઝ્ડ કરપ્શનની પોલ પણ ખોલી નાખી છે અને હજારો થાંભલા જમીનદોસ્ત થઈ જતા આરસીસીના ફાઉન્ડેશનની બુનિયાદ પર વીજળીના થાંભલા ઊભા કરવાના બીલો મૂકીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરાઉ જમીનોમાં સીધા જ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હોવાથી જ મોટી સંખ્યામાં થાંભલાઓ જમીનદોસ્ત થયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ વખતે દરિયામાં ઊભું થયેલું વાવાઝોડું કચ્છના દરિયામાંથી જ વિદાય થઈ ગયું અને બહું નુક્સાન થયું નહીં, પરંતુ તૌકતે અને બિપોરજોય વાવાઝોડામાં પીજીવીસીએલના સવાબે લાખથી વધુ થાંભલા સૌરાષ્ટ્ર-કચ્છમાં ધારાશાયી થયા હતાં. તે સમયે જ વીજપોલ્સ મૂળમાં મજબૂત ફાઉન્ડેશન નાંખીને જ ઊભા કરવાનું નક્કી થયું હોવા છતાં તેવું નહીં થયું હોવાથી જ સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે વાવાઝોડુ નહીં આવ્યું હોવા છતાં માત્ર ભારે વરસાદથી જ ૧૧ હજારથી વધુ થાંભલા પડી ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ પ્રકારના આક્ષેપોને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી અને રાજ્યના ઊર્જામંત્રીએ ઉચ્ચકક્ષાની ટેકનિકલ ટીમ મોકલીને તેની સાથે લોકલ રાજનેતાઓ તથા પંચાયત-પાલિકા-મહાપાલિકાના શાસક તથા વિપક્ષના સભ્યોનું સંયોજન કરીને જમીનદોસ્ત થયેલા થાંભલાઓના મૂળમાં ફાઉન્ડેશન ભરેલું હતું કે નહીં, તેની પારદર્શક અને તટસ્થ તપાસ કરાવીને જ્યાં જ્યાં કચાશ કે ગોબાચારી દેખાય, ત્યાં ત્યાં તે થાંભલાઓ ઊભા કરનાર કોન્ટ્રાક્ટરો કે ખાતાકીય જવાબદારો, એન્જિનિયરો અને તેના કમ્પ્લીશન પ્રમાણિત કરનાર અધિકારી-પદાધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેની પાસેથી થાંભલા ફાઉન્ડેશન સાથે ફરીથી ઊભા કરવાનું પૂરેપૂરૂ ખર્ચ વસૂલ કરવા ઉપરાંત સરકાર સાથે (જનતા સાથે) છેતરપિંડી કરવા અને કરપ્શન બદલ ફોજદારી ફરિયાદ નોંધાવી અત્યંત કડક પગલાં લેવા જોઈએ, ખરૃં કે નહીં?
જામનગરમાં કેટલાક સ્થળે રોડ પર મોરમ-થાગડ-થીગડ શરૂ થયા હશે, પરંતુ વરસાદની આગાહીઓ પૂરી થઈ જાય, અને મેઘાવી માહોલ હટી જાય, ત્યારે તૂટેલા-ફૂટેલા રોડ-રસ્તા તાકીદે પૂર્વવત થાય અને શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપભેર વીજપુરવઠો પુનઃ સ્થાપિત થયા પછી તે સતત જળવાઈ રહે, તેવી અપેક્ષા લોકોની છે, તેથી એ.સી. ચેમ્બરોમાંથી અને ઘરોમાંથી બહાર આવીને જનપ્રતિનિધિઓ તથા જનસેવકો દરકાર કરશે, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં ફરીથી વરસાદ વરસવા લાગ્યો છે, અને નવી નવી આગાહીઓ થઈ રહી છે, તો બીજી તરફ દેશના ઘણાં રાજ્યોમાં પણ મેઘપ્રક્રોપ તારાજી મચાવી રહ્યો છે. કેટલાક સેવાભાવી નાગરિકો અને સંપૂર્ણ સેવાભાવનાથી કામ કરતી સંસ્થાઓ-સમાજો દ્વારા આફતગ્રસ્તોને મદદ પહોંચાડાઈ રહી છે, અને જ્યાં તંત્રો ઝડપથી ન પહોંચે ત્યાં સ્વયંભૂ રીતે રાહત-બચાવની કામગીરી પણ થઈ રહી છે અને લોકોને બચાવાઈ રહ્યા છે, તો અનેક સ્થળે રાહત રસોડા ખૂલ્યા છે, અને ફૂડ પેકેટો પહોંચાડાઈ રહ્યા છે, બીજી તરફ લોકોની લાચારીનો લાભ ઉઠાવીને જીવન જરૂરી ચીજવસ્તુઓ, પરિવહન, ટ્રાન્સપોર્ટેશન અને દવાાદારૂ-સારવારના ક્ષેત્રે પણ નફાખોરી થઈ રહી હોવાની રાવ પણ ઉઠી રહી છે.
ગુજરાતીઓ પ્રવાસનના શોખિન હોય છે, અને ઉત્સવ પ્રિય પણ હોય છે આ મૂળભૂત માનસિકતાના કારણે જામનગર સહિત ઘણાં સ્થળે શ્રાવણીયા મેળાઓ ફરીથી જામ્યા છે, અને લોકો મેળાઓની મજા માણી રહ્યા છે, ધ્રોલમાં ભૂચરમોરીનો મેળો ધમધમ્યો છે, તેવી જ રીતે કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે કેન્સલ કરાયેલા મેળાઓ પણ ધમધમશે અને પહેલા કરાયેલી જાહેરાત (મોકૂફ કે રદ કરવાની) પાછી ખેંચી લેવાઈ હોવાની જાહેરાતો પણ થઈ રહી છે. બીજી તરફ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રની ઉત્સવપ્રિય જનતા તો ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા થનગની જ રહ્યા છે, પરંતુ દેશભરમાં ઘણાં રાજ્યો, તથા વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ, મહારાષ્ટ્રીયનો સહિત ભારતીયોનો વસવાટ છે, ત્યાં ત્યાં કોઈને કોઈ સ્વરૂપે ગણેશોત્સવની ઉજવણી થતી રહી છે. વરસાદની વિપત્તિ અને પૂરપ્રકોપ વચ્ચે પણ ધાર્મિક-સાંસ્કૃતિક ઉજવણીઓ અટકતી નથી, એ જ કદાચ આપણી (ભારતીયોની) વિશેષતા પણ છે, ખરું ને?
શ્રાવણ મહિનામાં તો તહેવારોની આખી શ્રૃંખલા હતી, અને રેકોર્ડબ્રેક વરસાદની તારાજી પણ સર્જાઈ હતી અને સતત વરસાદ પણ પડતો રહ્યો હતો હવે ભાદરવામાં યોજાતા તમામ મેળાઓ જુદા જુદા સ્થળે ઉજવાશે અને છેક ભાદરવી પૂર્ણિમા સુધી કેટલાક સ્થળે લોકમેળાઓ-ધાર્મિક મેળાઓ-સાંસ્કૃતિક મેળાઓ સહિતના મનોરંજક ભાતીગળ કાર્યક્રમો ધમધમશે.
જો કે, ભારે પૂર અને સતત કફર્યુ જેવું વાતાવરણ ઊભું થઈ જતાં જેને નુકસાન થયું છે, રોજગારી છીનવાઈ છે કે પછી સ્વજનો ગુમાવ્યા છે, તેઓની ઉપર આફતના ઓળા ઉતર્યા છે. અને આ બરબાદી સમયે તેઓને સધિયારો આપવા તથા મદદ કરવાની જવાબદારી આપણાં સૌની છે. સરકારે પણ સર્વેની જાહેરાતો કરી છે અને કેશડોલ્સ, ઘરવખરી સહાય પછી વિવિધ ક્ષેત્રે નુકસાનીના વળતરનો દાવો કર્યો છે, ત્યારે હવે સર્વગ્રાહ આંકલન કરીને જેને જેને આ કુદરતી આફતના કારણે નુકસાન થયું છે, તેઓ માટે એક મોટું અને ન્યાયી રાહત-પેકેજ જાહેર કરવાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે.... જો કે, હવે કોથળામાંથી બિલાડુ નીકળે છે કે સરકાર હકીકતે જનજીવન થાળે પડે તથા જેના પર વિપત્તિ આવી પડી છે, તેને આર્થિક ટેકો મળી રહે તે પ્રકારનું માતબર પેકેજ જાહેર કરે છે, તે જોવું રહ્યું....
હવે ભાદરવાના તહેવારો ગણેશોત્સવ, શ્રાદ્ધ પછી નવરાત્રિ, શરદપૂર્ણિમા અને દિવાળીના તહેવારો સુધીમાં જનજીવન પૂરેપૂરુ ધબકતું થઈ જશે અને કુદરતી આફતોના કારણે થયેલી હાનિને પાછળ છોડીને ખમીરવંતી જનતા સુદૃઢ ભવિષ્ય તરફ આગળ વધશે, અને તેમાં નાટકીય ધોરણે નહીં, પણ વાસ્તવમાં રાજ્ય-કેન્દ્ર સરકારો સહયોગી બનશે, તેવી આશા રાખીએ.
દિવાળી સુધીના પ્રસંગો-તહેવારોની શ્રૃંખલાના કાઉન્ટડાઉન થવાની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ થઈ જ ગયું છે, ત્યારે ભૂતકાળમાં સર્વેક્ષણ એજન્સીઓનું કામ કરતા કરતા આમ આદમી પાર્ટીના નેતા બનેલા અને હવે સ્વતંત્ર સંગઠન રચનાર યોગેન્દ્ર યાદવે પોલિટિકલ કાઉન્ટડાઉનની આગાહી કરીને રાજકીય ભૂમિમાં ધરતીકંપ સર્જી દીધો છે અને યાદવની તરફેણ અને વિરોધમાં સોશ્યલ મીડિયામાં એક અલગ જ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. યોગેન્દ્ર યાદવે કોઈ ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન મોદી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ હોવાનો પરોક્ષ ઈશારો કરી દેતા તેને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે જો હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએનો કારમો પરાજય થઈ જાય, તો તે પછી કેન્દ્રમાં એનડીએની સરકાર ડગમગવા લાગશે. કોઈ નવો જ ચહેરો ઉદ્દભવશે, તેવા પ્રકારના સંકેતો આ પહેલાં પણ કેટલાક નેતાઓએ આપ્યા હતાં.
યાદવની વાત એકદમ ખોટી પણ લાગતી નથી, કારણ કે અત્યારથી જ બિહારમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાવા લાગ્યા છે, નિતીશકુમારના ડગલેને પગલે સાથ આપનાર કે.સી. ત્યાગીએ પાર્ટીનું પ્રવકતા પદ છોડયુ અને રાજનીતિમાંથી જ જે રીતે સંન્યાસ લેવાની વાત કરી, તેથી એવું જણાય છે કે બિહારમાં નિતીશકુમાર આધારિત રાજકીય રાજનીતિના અંતનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
સોશ્યલ મીડિયામાં એન્ટીનેશનલ પરિબળો તથા મોદી વિરોધી લોબીએ હાથ મિલાવ્યા છે, અને કેટલાક 'લોકો'ને વિદેશમાંથી 'ડોલર' માં જંગી વળતર મળી રહ્યું છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, ત્યારે આપણે આગામી તમામ તહેવારો ઉજવવાના કાઉન્ટડાઉન પર ફોકસ કરવું જોઈએ, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે ને સોમવતી અમાસ પણ છે. આખો શ્રાવણ મહિનો શિવભક્તોએ ભોળાશંભુ મહાદેવની વિવિધ સ્વરૂપે પૂજન-અર્ચન, જલાભિષેક, યજ્ઞયજ્ઞાદિ ધર્મકાર્યો તથા દાન-પૂણ્ય કરીને વિતાવ્યો. આજે પાવન શ્રાવણ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હવે ગણેશોત્સવની ધૂમ મચવાની છે. તે પછી શ્રાદ્ધ, નવરાત્રિ પછી દીપોત્સવીના તહેવારો આવી રહ્યા હોવાથી એમ કહી શકાય કે પાવનપર્વો-ઉત્સવો-તહેવારોની વણજાર આવી રહી છે, અને આ તહેવારો ઉમંગભેર ઉજવવાનો થનગનાટ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ પછી ભલે લીલા દુકાળના ડાકલા વાગતા હોય, પરંતુ ઉત્સવપ્રિય ગુજરાતીઓએ તો ભૂતકાળમાં ત્રણ-ત્રણ સળંગ દુકાળ પડતા, તેવા સમયે પણ ભક્તિપર્વો ઉજવવાનું છોડ્યું નહોતું, તેથી આગામી તહેવારોની ઉજવણી પણ પૂરી શ્રદ્ધા ને અંતરના ઉમંગ સાથે જ ગુજરાતીઓ કરશે, તેમાં શંકાને સ્થાન નથી. જય જય ગરવી ગુજરાત...
આજે સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે, અને અત્ર-તત્ર-સર્વત્ર હર હર મહાદેવ, હર હર ભોલે, બમ્ બમ્ ભોલે, ઓમ નમઃ શિવાયનો નાદ્ ગૂંજી રહ્યો છે, અને 'જય જય શંભુ ભોળા, તારી ધૂન લાગી, પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી' જેવી ધૂન સાથે શિવમંત્રો તથા મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચારો પડઘાઈ રહ્યા છે. આજે સૌ કોઈ જાણે સંકટો-સમસ્યાઓને વિસરીને શિવમય જ બની ગયા છે, અને 'સર્વ મંગલ માંગલ્યે'ના ઉચ્ચારણો સાથે સૌ કોઈના કલ્યાણની કામના કરી રહ્યા છે.
શ્રાવણ મહિનામાં ધાર્મિક તહેવારો, આધ્યાત્મિક વ્રતો ને રાષ્ટ્રીય પર્વનો ત્રિવેણીસંગમ રચાયો હતો, તો શ્રાવણમાં મેઘરાજાએ થોડી વધુ મહેરબાની કરી દેતા ઘણાં સ્થળે સંકટ સર્જાયું, પરંતુ આ વિકટ સંજોગો વચ્ચે પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ થઈ અને કૃષ્ણજન્મોત્સવ પણ ઉજવાયો.
શ્રાવણ મહિનામાં નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શિતળાસાતમ (સુદ-વદ) બન્ને, રજ્ઞક્ષાબંધન, તુલસીદાસ જયંતી, રખપાંચમ (રક્ષાપાંચમ), જન્માષ્ટમી, પારણાં નોમ, અજા એકાદશી, શ્રાવણિયા સોમવારો તથા સોમવતી અમાસ જેવા હિન્દુ ધર્મના તહેવારો ઉજવાયા. પારસીઓનું નૂર્તન વર્ષ ઉજવાયું તથા જૈન પર્યુષણ પર્વ પણ શરૂ થયું. આ વખતે આવતા મહિનાની બે અમાસ હોવાથી આવતીકાલે પણ શિવપૂજન થશે, તેમ કહેવાય છે.
શ્રાવણ મહિનામાં જ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ગરિમાપૂર્ણ ઉજવણી થઈ અને દેશમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય પર્વોનો જાણે ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
આ વખતે શ્રાવણ મહિનામાં જ ભારેથી અતિભારે અને સતત વરસાદ થવાથી જે વિકટ સ્થિતિ ઊભી થઈ હતી તે ધીમે ધીમે હળવી થવા લાગી છે અને જનજીવન પૂર્વવત થઈ ગયું છે.
અનેક વિસ્તારોમાં જાણીતી ટેલિકોમ કંપનીઓના કવરેજના ધાંધિયા હતાં, પરંતુ હાલારના ઘણાં વિસ્તારોમાં ટેલિકોમ નેટવર્ક તો શરૂ થયું છે, પરંતુ વીજપુરવઠો હજુ સુધી સંપૂર્ણપણે પૂર્વવત થયો નથી, તેથી લોકોમાં ઉચાટ પ્રવર્તે છે.
ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં તો લાઈટ ક્યારે આવશે, તે જ પક્ષપ્રશ્ન છે, કારણ કે અનેક સ્થળે પીજીવીસીએલના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હોવાનું ચર્ચાય છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાડી પંથકમાં તો વીજળીના થાંભલા યોગ્ય રીતે મજબૂતીથી ઊભા કરાયેલા નહીં હોવાથી હરોળબંધ વીજલાઈનો ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે વીજ થાંભલા ઊભા કરવામાં ચાલતી ભ્રષ્ટ પલંપોલ પણ બહાર આવી ગઈ છે.
વીજળીના પ્રત્યેક થાંભલાના મૂળમાં આરસીસીનું ફાઉન્ડેશન હોવું જોઈએ, તેના બદલે માત્ર પથ્થર, માટી ખાડામાં નાખીને ઊભા કરી દેવાયેલા વીજળીના થાંભલા વધુ પવન કે ભારે વરસાદમાં ટકી શકતા નથી. ખાસ કરીને ખેતરાઉ જમીનમાં પોચી માટી હોવાથી આ થાંભલા ઝડપભેર ધરાશાયી થઈ જાય છે અને તેના કારણે ઘણાં દિવસો સુધી વીજપુરવઠો પુનઃ સ્થાપિત થઈ શકતો નથી, જેને કહેવાય, પાડાના વાંકે પખાલીને ડામ...!
હકીકતે તો આ ભારે વરસાદ પછી જ્યાં જ્યાં થાંભલા જમીનદોસ્ત થયા છે, તેની થર્ડ પાર્ટી તટસ્થ તપાસ કરાવીને અને ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ પોતે ફિલ્ડમાં જઈને કવર ચકાસણી કરીને જ્યાં જ્યાં નિયમાનુસાર ફાઉન્ડેશન જોવા ન મળે, ત્યાં ત્યાં જે-તે સમયના જવાબદાર એન્જિનિયરો, અધિકારીઓ તથા ખાસ કરીને બુનિયાદી કામ કરતા વીજકર્મીઓ સામે ડિપાર્ટમેન્ટસ અને ફોજદારી રાહે પણ પગલાં લેવા જઈએ તેમ નથી લાગતું?
પૂરગ્રસ્ત સ્થિતિ પછી હવે જાહેર આરોગ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સૂર્યનારાયણ પ્રકાશવા લાગતા ઉપર ઉપરથી કાદવ-કીચડ સૂકાયા હોય, છતાં તેની નીચેની ગંદકી હટાવવા તત્કાળ 'વાસ્તવિક' સફાઈ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. તે ઉપરાંત હજુ પણ જ્યાં જ્યાં પાણી ભરાયેલા હોય, તેમાં મચ્છર-માંખી-દુર્ગંધનો 'વિકાસ' થાય, તે પહેલા જ જલભરાવ ખાલી કરવો ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, આ વખતે જ્યાં જ્યાં જલભરાવ થયો હોય, તે તે સ્થળે આવતા વર્ષે જલભરાવ ન થાય તે માટે જલભરાવના 'અસ્સલ' કારણોની નોંધ 'ઓન પેપર' કરી લેવી જોઈએ અને માત્ર તંત્રે નહીં, પરંતુ જે-તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ જ પ્રકારની નોંધ રાખી લેવી જોઈએ, તેમ નાથી લાગતું?
હવે ગણેસોત્સવ આવી રહ્યો છે, ત્યારે ગણપતિજીની પ્રતિમાઓ ઝડપથી પાણીમાં પીગળી જાય અને પર્યાવરણને જરા પણ નુક્સાન ન પહોંચાડે તેવી જ ઉત્પાદિત કરવી, વેંચવી અને સ્થાપિત કરવી જરૂરી છે. જો લોકો પોતે ભલે મોંઘી હોય, પરંતુ સંપૂર્ણપણે પર્યાવરણની પ્રતિમાઓ જ ખરીદવાનો આગ્રહ રાખશે, તો જ પર્યાવરણ તથા જન-આરોગ્ય માટે અયોગ્ય પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી સ્થિતિમાં સંકટ સમયે જરૂરતમંદોને ગૂપચૂપ સહાયભૂત થવાના, અનેક ભલા અને પરોપકારી લોકોએ પ્રયાસો કર્યા, તો કેટલાક લોકો માટે આ સંકટ સમય પણ સ્વયંપ્રસિદ્ધનું માધ્યમ બન્યો હોય તેમ લાગ્યું. કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ પણ તેમાંથી બાકાત નથી, જો કે કોઈ નોંધપાત્ર સેવા કરી હોય, કોઈના જીવ બચાવ્યા હોય કે પછી જરૂરતમંદ દર્દીઓ કે લોકોને મદદરૂપ થયા હોય, પૂરપીડિતોને નિઃસ્વાર્થ આશરો આપ્યો હોય, તેની પ્રસિદ્ધિ તો થવી જ જોઈએ, અને તેથી અન્ય લોકોને પ્રેરણા મળતી હોય છે, તેવું માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારની નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓની પ્રસિદ્ધિ પણ માપમાં સારી લાગે, ખરૃં કે નહીં?
આ સંકટની સ્થિતિમાં જ્યારે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે અધવચ્ચે ફસાયેલા લોકોને પાણી, ચા-પાણી પહોંચાડતા ગ્રામીણોની સેવા 'નિઃસ્વાર્થ'માં ગણાય. કોઈ દર્દીને જીવની પરવાહ કર્યા વિના હોસ્પિટલે પહોંચાડતા કે પ્રસૂતાને મદદરૂપ થતા લોકોની સેવા અવિસ્મરણિય ગણાય, જ્યારે સ્થાનિક પરિવહન બંધ હતું, ત્યારે પણ જરૂરતમંદ લોકોને નિર્ધારિત સ્થળે પહોંચાડવાની પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં પણ મદદ કરનાર રિક્ષા-ટેક્સીવાળાઓની સેવાની નોંધ લેવી જ પડે, તેવી જ રીતે આડોશ-પાડોશમાં રહેતા કે એકલવાયુ જીવન જીવતા વડીલોને સધિયારો આપનાર, જેના ઘરમાં પાણી ઘૂસ્યા હોય, તેને આશરો આપનાર કે ભોજન-પાણીની વ્યવસ્થા કરી આપનાર પડોશીઓ કે પછી વરસતા વરસાદમાં પગપાળા જતા મહિલા-બાળકો કે વુદ્ધોને લિફ્ટ આપીને મદદ કરનાર લોકોની સેવા-ભાવનાને બિરદાવવી પડે. આ પ્રકારે અનેક રીતે સંકટના સમયે માનવતાવાદી સેવાઓ કરતા એવા અનેક લોકો હશે, જેઓએ પ્રસિદ્ધિ માટે નહી, પણ દિલનો અવાજ-અંતરાત્માનો નાદ્ સાંભળીને આ પ્રકારની સેવાઓ કરી હશે.
તેનાથી તદ્ન વિપરીત એવા લેભાગુ તત્ત્વો પણ સંકટસમયે લોકોની લાચારીનો ફાયદો ઊઠાવતા પણ જોવા મળ્યા. સતત વરસાદના કારણે થયેલા જલભરાવ વચ્ચે પણ અનિવાર્ય સંજોગોના કારણે સ્થાનિક પરિવહન માટે રિક્ષા-ટેક્સીનું મનફાવે તેટલું વધુ ભાડુ પડાવતા, જીવન-જરૂરી ચીજવસ્તુઓ, દૂધ કે શાકભાજીના અનેકગણા ભાવો વસૂલતા અને ખાદ્યચીજો તો ઠીક, પીવાના પાણીના પણ મનફાવે તેટલા ભાવો વસૂલતા લોકો પણ આ સંકટ સમયને 'સિઝન' ગણીને નફાખોરી (લૂંટફાટ) કરતા જોવા મળ્યા.
ગઈકાલે નગરની સ્થિતિ નિહાળવા નીકળેલી 'નોબત'ની ટીમને જામનગરમાં જુદા જુદા સ્થળે શાકભાજી અને ફળોના જુદા જુદા ભાવો સાંભળવા મળ્યા. અપવાદરૂપ કેટલાક વ્યવસાયિકો-રેંકડીઓવાળાને છોડી દઈએ તો મોટાભાગે ઠેર-ઠેર નફાખોરી જ જોવા મળી. ગઈકાલથી જનજીવન તો પાટે ચડવા લાગ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જે લોકોના ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા હતાં, તે પરિવારો તથા દુકાનદારોની સ્થિતિ દયનીય જણાઈ હતી, અને તે પૈકીના ગરીબ લોકોની દશા તો ખરેખર હૃદયદ્રાવક જણાઈ હતી.
જામનગરના ઘણાં બધા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી તો ભરાયા જ હતાં, પરંતુ રંગમતી-નાગમતી નદીના પૂર તથા ડેમમાંથી છોડાતા પાણીના કારણે ઘણાં વિસ્તારો જળમગ્ન થતા અનેક પરિવારો સંકટમાં મૂકાયા હતાં. લોકો એવું કહેતા સંભળાયા હતાં કે કાં તો એવી મજબૂત ટેકનોલોજીથી ડેમો બનાવો કે પાણી છોડવાની કે દરવાજા ખોલવાની જ જરૂર ન પડે, અથવા મહત્તમ જળસંગ્રહનું દબાણ સહન કરી શકે, તેવા જ ડેમો બનાવો, જેથી અવારનવાર ડેમમાંથી છોડાતા પાણીના કારણે માત્ર શહેરો જ નહીં, ગામડાઓના ઘણાં લોકોને થતી કાયમી પરેશાનીનો કાયમી અંત લાવી શકાય. ટેકનિકલી આવું શક્ય નથી, તેવી માનસિક્તામાંથી બહાર આવીને કાંઈક નવું વિચારો તો ખરા... વિચારશો તો જરૂર ઉપાય મળશે.
જામનગરમાં ઠેર ઠેર નહી, પરંતુ લગભગ બધે જ અતિૃષ્ટિમાં રોડ-રસ્તા તૂટી ગયા, ખાડાઓમાં ડામરરોડ જ જાણે ગાયબ થઈ ગયા અને સી.સી. રોડ પણ તૂટી-ફૂટી ગયા. લોકો કહેવા લાગ્યા કે ભ્રષ્ટાચારના પોપડા ખરી રહ્યા છે અને ભ્રષ્ટ લોકોની પોલ ખુલી રહી છે.
એક તરફ અતિવૃષ્ટિ, બીજી તરફ સાતમ-આઠમના મેળાઓ, જન્માષ્ટમી જેવું પર્વ અને રજાઓના માહોલમાં જે દૃશ્યો ઊભા થયા, તે ઘણું બધું શિખવી પણ ગયા છે અને ભ્રષ્ટાચારી જમાતના કરતૂતો પણ ઉજાગર કરી ગયા છે.
જામનગરમાં તો વિકાસના ખડકાયેલા માચડાઓએ પોત પ્રકાશ્યું હતું. ફ્લાય ઓવર બ્રીજના ચાલી રહેલા કામોના માચડાઓએ ઈમરજન્સીમાં પણ ઘણાં અવરોધો ઊભા કર્યા હતાં, તો તાજેતરમાં જ થયેલા ભૂગર્ભ ગટરના કામો દરમિયાન પાઈપલાઈનો બીછાવવા ઠેર-ઠેર ખોદેલા લાંબા-પહોળા ખાડાઓ, જેને માત્ર ધૂળ-માટીથી બૂરી દઈને (કદાચ મોરમ-કાંકરી નાખવાના બીલો મૂકીને) સમતળ કરી દેવાયા હતાં, તેમાંથી સતત પડેલા વરસાદના કારણે ધૂળ-માટી રોડ પર ફેલાઈ જતા સર્વત્ર હજુ પણ કાદવ-કીચડ-ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. બીજી તરફ આ ખાડાઓમાંથી માટી નીકળી જતા તેમાં અનેક વાહનો ફસાયા પછી અન્ય વાહનો તેમાં ફસાઈ ન જાય, તે માટે વરસાદમાં તૂટીને ઠેર-ઠેર રોડ પર પડેલી ઝાડની ડાળીઓ આ મોટી તીરાડો-ખાડાઓમાં રોપીને કેટલાક સેવાભાવી લોકોએ ઉમદા સેવાકાર્ય પણ કર્યું હતું. નગરમાં ફરતી 'નોબત'ની ટીમના ધ્યાને આવ્યું, તે પૈકી કેટલીક તાકીદની બાબતે તંત્રનું તત્કાળ ધ્યાન પણ દોર્યું હતું, અને લોકોની આ સમસ્યાઓને વાચા પણ આપી હતી. આ કારણે કેટલીક અત્યંત જરૂરી મરામતો ચાલુ વરસાદે પણ કરવામાં આવી હતી.
જામનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે સ્થિતિ ઊભી થઈ હતી, તે સાર્વત્રિક હતી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો મોટાભાગનું ટ્રાન્સપોર્ટેશન જ ઠપ્પ થઈ ગયું હતું. આ કારણે શાકભાજી સહિતનો જીવન-જરૂરી વસ્તુઓનો રોજેરોજ બહારથી આવતો પુરવઠો અવરોધાઈ ગયો હતો. તેથી સ્થાનિક ધોરણે ઉત્પાદિત શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હતાં. ભારે વરસાદ દરમિયાન તો સ્થાનિક ધોરણે મનફાવે તેવા ભાવો વસૂલાયા જ હતાં, પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધા પછી જનજીવન થાળે પડ્યું, તે પછી ગઈકાલે સાંજે પણ શાકભાજી અને ફળો ઊંચા ભાવે વેંચાતા હતાં. ગુવાર ૧૦૦ થી ૧૫૦ રૂપિયે કિલો, કારેલા ૮૦, ભીંડા ૮૦, ટમેટા પ૦ થી ૬૦, મરચા ૧૦૦, ટિંડોળા ૬૦, ડુંગળી પ૦ રૂપિયે કિલો વેંચાતી હતી. કોબી-બટેકાના ભાવો થોડા ઓછા હોવાથી લોકો તેની ખરીદી વધુ કરી રહેલા જોવા મળ્યા હતાં.
સંકટના સમયે સેવા કરે તેને સ્વર્ગ મળે તેવી એક કહેવત છે, પરંતુ સંકટના સમયે લૂંટફાટ કે નફાખોરી કરે કે નિર્દયતા દાખવે, તેને લઈને કોઈ કહેવત પ્રચલિત નથી, પરંતુ નિર્દયતા તરફની કેડી, 'વાવો તેવું લણો', 'કરો તેવું ભોગવો' અને 'ભગવાન ક્યારેય માફ નહીં કરે' તેવા શબ્દો દુભાયેલા લાચાર લોકોની મૂખેથી જરૂર સંભળાય... ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

થોડા મહિનાઓ પહેલા માઈક્રોસોફ્ટની સિસ્ટમ ખોરવાઈ જતા ઘણાં એરપોર્ટ થંભી થયા હતાં, બેંકીંગ તથા ઘણી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી અને પરિવહન તથા નાણાકીય વ્યવહાર ખોરવાઈ ગયા હતાં, તે બધાને યાદ જ હશે. તે સમયે કૃત્રિમ કચાશ જવાબદાર હતી, તો હવે કુદરતી કહેર સામે વામણી વ્યવસ્થાઓના કારણે મોટી મોટી ટેલિકોમ કંપનીઓના નેટવર્ક ખોરવાઈ જતા છેલ્લા ચાર-પાંચ દિવસથી હાલારીઓ એક નવી જ પ્રકારની સમસ્યાનો સામનોકરી રહ્યા છે, અને આ કારણે ઘણી સરકારી, સામાજિક, વ્યવહારિક, આર્થિક અને કુદરતી આફતો વચ્ચે રાહત-બચાવની કામગીરીને પણ ખોરવાયેલા નેટવર્કની માઠી અસરો પહોંચી રહી છે. વાયફાય નેટવર્ક પણ નિષ્ફળ જતા લોકોની વિશ્વસનિયતા પણ હવે જાયન્ટ સંચાર કંપનીઓ પરથી ઘટી રહી છે. કુદરતી આફતો વચ્ચે પણ સંચાર વ્યવસ્થા અને વીજ પુરવઠો જળવાઈ રહે, તો જ રાહત, બચાવ અને પૂનર્વસનની કામગીરીને અસરકારક રીતે સમયોચિત ધોરણે ઝડપભેર સંપન્ન કરી શકાય, પરંતુ મોટી અને ખોટી ડિબાંગો હાંકીને કટોકટીના સમયે કામ ન લાગે, તેને કહેવાય, 'દશેરાના દિવસે જ ઘોડા દોડ્યા નહીં.'!!
હજુ તો વરસાદે વિરામ લીધો અને આકાશમાં વાદળો ઘટવા લાગ્યા અને ઉઘાડ નીકળ્યો ત્યાં જ આજે સવારે નવા એલર્ટ આવ્યા અને નવી આગાહીઓ થઈ. હવે તો વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે 'અસના' નામના વાવાઝોડાની અસરોએ પણ સૌરાષ્ટ્ર-કચ્છના અને ખાસ કરીને હાલારીઓના જીવ અદ્ધર કરી દીધા છે, કારણ કે કચ્છીઓને જ્યારે ત્યાંના ઉચ્ચ સનદી અધિકારી આ વાવાઝોડાને લઈને સતર્ક કરી રહ્યા હતાં, ત્યારે તેના શબદોમાં તંત્રની લાચારી અને પ્રશાસનની નિષ્ફળતાની કબુલાત પણ સામેલ હતી. તેમણે કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના જે વિસ્તારો પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યાં કાચા મકાનો-ઝુંપડાઓમાં રહેતા લોકો પરસ્પર મદદ કરીને સલામત સ્થળે પહોંચી જાય... કારણ કે સમય ટૂંકો હોવાથી તંત્ર બધે પહોંચી શકે તેમ નથી!!
આ પ્રકારની કબુલાત કરનાર અધિકારીની સામાન્ય રીતે ટીકા થાય, પરંતુ વાસ્તવમાં તેની પ્રશંસા કરવી પડે, કારણ કે મોટી અને ખોટી ડિબાંગો હાંકવાના બદલે તેમણે લોકોને આ પ્રકારનો અનુરોધ કરતા એકંદરે લકો જ પોતે સતર્ક રહીને સ્થળાંતર કરી શકે. બીજી દૃષ્ટિએ આ પ્રકારની આફતો સમયે લોકોની પોતાની પણ કાંઈક તો જવાબદારી હોવી જ જોઈએ. આ પ્રકારના સમયે સ્થાનિક નેતાગીરીની પણ વિશેષ જવાબદારી રહે છે કે તેઓ લલોકોને મદદરૂપ થાય. નાના-મોટા કાર્યક્રમો કે દર્દીઓને ફ્રૂટકે બિસ્કીટ પહોંચાડતી વખતે પણ ફોટા પાડીને પોતે જ સોશ્યલ મીડિયામાં મૂકતા અને પ્રસ-મીડિયાના સહયોગથી વાહવાહી મેળવવાના પ્રયાસો કરતી સ્થાનિક નેતાગીરીએ આ સંકટની ઘડીમાં આગળ આવીને સહાયભૂત થવું જોઈએ, પરંતુ કેટલાક અપવાદ સિવાય તે પ્રકારની માનસિકતા ધરાવતી પબ્લિસિટીના વ્યસની નેતાગીરી આવા સમયે ગાયબ થઈ જતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે સેવાભાવના ધરાવતી સ્થાનિક નેતાગીરી, સંસ્થાઓ અને સ્વયંસેવકો કોઈના કહ્યા વિના જ સેવા કરવા દોડાદોડી કરતા જોવા મળતા હોય છે, તે પણ નરી વાસ્તવિક્તા જ છે ને?
કચ્છમાં ભારે વરસાદે તારાજી સર્જી, સૌરાષ્ટ્ર-કચ્છને જોડતો સામખ્યારી નજીકનો પુલ ધોવાઈ ગયો, સૌરાષ્ટ્રનો ઘેડપંથક બેટમાં ફેરવાયો, રાવલમાં આર્મી અને મરીન કમાન્ડોની રાહત-બચાવની કામગીરી માટે તૈનાત કરવી પડી, માંડ-માંડ પાટે ચડવા લાગેલી વાહનવ્ય્વહાર તથા એસટી-રેલવે સેવાઓ નવા નવા એલર્ટ અપાતા ફરીથી ખોરવાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ, ત્યારે એવું નથી લાગતું કે, હવે માત્ર હવાઈહવાઈ દાવાઓ, હવાઈ નિરીક્ષણો અને પ્લાનિંગ વગરની હડિયાપટ્ટી કર્યે નહીં ચાલે, કરોડો-અબજોના ખર્ચે નિર્માણ થયેલા અને વિરાટકાય પુલ, ઓવરબ્રીજો, અંડરપાસ તથા ધોરીમાર્ગો બરબાદ થઈ ગયા, તેના જવાબદારોની સામે ફોજદારી કરીને તથા સરકારના નહીં, પરંતુ ઈજારેદારોના ખર્ચે જ આ તમામ નુકસાન પામેલી આંતરમાળખાકીય સુવિધાઓનું (થીંગડા મારીને મરામત કરીને નાટકો કરીને નહીં પણ) મજબૂત 'પૂનનિર્માણ' કરાવવું જોઈએ અને તેવું ન કરે, તે તેઓને કાયમી ધોરણે 'બ્લેક લિસ્ટ'માં મૂકીને તેને દેશમાં ક્યાંય કામ ન મળે તેવી જોગવાઈઓ કરવી જોઈએ, કારણ કે આ પ્રકારે નુક્સાન થાય, તો સ્વખર્ચે રિપેર કરવાની શરતોને સાંકળીને (અનુમાનિત જોખમોની ગણતરીને ધ્યાને લઈને જ) ટેન્ડરો મંજુર થતા હોય છે, તેવું લોકો માને છે. જો લોકોની આ માન્યતા થોડી-ઘણી કે પૂરેપૂરી ખોટી હોય તો એમ જરૂર કહી શકાય કે માત્ર દાળમાં કાનળુ નહીં, આખે આખી દાળ જ કાળી છે. આ પ્રકારની શરતો જો ન રાખી હોય તો હવે રાખવાનું શરૂ કરજો, પણ જે શરતો રખાઈ હોય, તે પૂરી કરવાની સાથે સાથે નબળી ગુણવત્તાવાળા કામો કરનાર સામે કડક કાનૂની તથા ડિપાર્ટમેન્ટલ કદમ તો ઊઠાવવા જ પડશે. જો તેવું નહીં થાય તો વિપક્ષોનો એ આક્રોશ ૧૦૦ ટકા સાચો પડશે કે વિકાસના ખોખલા દાવા થાય છે, બાકી ભરષ્ટાચાર ટોપ ટુ બોટમ સર્વવ્યાપી બન્યો છે!!
જો કે, જામનગરમાં આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા અને તડકો નીકળ્યો તેથી રાહત થઈ. ગઈકાલે મુખ્યમંત્રીએ જામનગરની મુલાકાત લીધી અને એરપોર્ટ પર અધિકારીઓને બોલાવીને પરિસ્થિતિનો 'તાગ' મેળવ્યો. તે પછી તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પર વધુ ફોકસ કર્યું અને ખંભાળિયામાં અધિકારીઓ-પદાધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી. હવે મુખ્યમંત્રી આ બધી 'જાણકારી'ને ધ્યાને લઈને હાલાર માટે હળવું નહીં, પણ હેવી રાહત-બચાવ પેકેજ જાહેર કરે અને તેમાં ખેડૂતો-ખેતમજૂરોને તો અગ્રતાક્રમે સહાય જાહેર કરે જ, પરંતુ આ ભારે વરસાદથી જેને-જેને નુક્સાન થયું છે તે નાના-મોટા ધંધાર્થીઓ અને ગરીબવર્ગને ભૂલે નહીં, કારણ કે આ કુદરતી આફતમાં બધા બરબાદ થઈ ગયા છે અને હજુ પણ અતિવૃષ્ટિ તથા ભારે પવન-વાવાઝોડાની આગાહીઓ થઈ રહી હોવાથી જનજીવન સંપૂર્ણપણે થાળે પડવામાં વાર લાગવાની છે.
ગઈકાલે જ્યારે રાવલ પર ડૂબી જવાનો ખતરો ઊભો થયો હતો, ખંભાળિયામાં સર્વાધિક વરસાદ પડ્યો હતો, દ્વારકા જિલ્લાના ઘણાં રસ્તાઓ બંધ થઈ જતા જામનગરઅને પોરબંદર-દ્વારકા વચ્ચેનો વાહનવ્યવહાર તો જાણે થંભી જ ગયો હતો, અને લક્ઝરી કારમાં ફરનારા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતાં. ઘણાં લોકોને આ સ્થિતિમાં પણ ચાલુ રહેલા રેલવે વ્યવહારનો વિકલ્પ પણ મળ્યો હતો.
મુખ્યમંત્રીએ પણ હાલારના પ્રવાસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્રાધાન્ય આપ્યું હતું, છતાં ઘણાં લોકોને જામનગરનું સંકટ વધુ મહત્ત્વનું લાગ્યું હતું... ખેર, ખયાલ અપના અપના... સોચ અપની અપની...!!
હકીકતે હાલાર પરથી સંકટ હજું હટ્યું નથી. કચ્છમાં કાળો કેર વર્તાઈ રહ્યો છે, અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, વડોદરા સહિત રાજ્યના ઘણાં વિસ્તારો સંકટગ્રસ્ત છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીની હવાઈ યાત્રાઓ, વીડિયો કોન્ફરન્સો તથા સતત મોનીટરીંગ પછી તેવી જ તત્પરતાથી અસરગ્રસ્ત લોકોને ઝડપભેર રાહત-સહાય મળે અને સંકટ વહેલું ટળે તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મેઘરાજાની મહેર હવે કહેર બની ગઈ છે અને મેઘતાંડવ પછી જામનગર સહિત હાલારની સ્થિતિ કફોડી બની ગઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે, જલભરાવ થતાં જનજીવન ખોરવાઈ ગયું છે, પરિવહન અટવાઈ ગયું છે, તમામ સડકો-માર્ગો તૂટી-ફૂટી ગયા છે અને જળાશયો છલકાઈ રહ્યા છે, અનેક માર્ગો બંધ થઈ જતાં લોકો ઘણાં સ્થળે ફસાઈ ગયા છે, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ, પોલીસતંત્ર, હોમગાર્ડઝ ઉપરાંત એરફોર્સ અને આર્મીની મદદ પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે લેવી પડી રહી છે અને લોકો વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ગુજરાતમાં લીલો દુકાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે, કારણ કે અતિવૃષ્ટિ પછી ખેતી બરબાદ થઈ ગઈ હોવાનું ખેડૂતો જણાવે છે. ખેતરોમાં જલભરાવ થતા સરોવરો ભરાયા હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે.
જળાશયોમાં ઓવરફલો કે દરવાજા ખોલવાથી ઘરોમાં ઘુસતા પાણી ઉપરાંત શહેરોમાં જલભરાવનું બીજું કારણ હાલમાં ચાલી રહેલા વિકાસના કામોમાં લોલંલોલ, અણઘડ અને આડેધડ ખોદકામ તથા તંત્રોની તિક્કડમ્બાજી તથા ઈજારાશાહી પણ છે. વિકાસની પ્રક્રિયા જ વિનાશક બની રહી છે અને ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી રહ્યા છે. મગરની પીઠ કરતાંયે ખરબચડા અને ખાડાઓ-ખાબોચિયાંઓથી તૂટી-ફૂટી ગયેલા તમામ ધોરીમાર્ગોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. ડેમો તથા વિકાસના કામો મજબૂત અને ગુણવત્તાસભર થવા જરૂરી છે.
હાલારની હાલાકીની તો વાત જ થાય તેમ નથી. જામનગર જિલ્લાના સ્ટેટ-નેશનલ હાઈ-વે પર પાણી ફરી વળ્યા અનેક સ્થળે વાહન-વ્યવહાર થંભી ગયો છે, તો જિલ્લાના પ૦ જેટલા માર્ગો બંધ થઈ જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે હાલારીઓને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બનવું પડ્યું છે, તેથી લોકડાઉનની યાદ તાજી થઈ ગઈ છે, કારણ કે બજારો-દુકાનો મોટાભાગે બંધ થઈ ગઈ હતી અને સ્થાનિક પરિવહન પણ થંભી ગયું હતું. આજે સૂર્યનારાયણ લાંબા સમય સુધી દેખા દેશે તેવી આશા લોકો રાખી રહ્યા હતા, તો બીજી તરફ નવી નવી આગાહીઓ તથા એલર્ટ વચ્ચે લોકો અટવાયા હતાં.
અનેક ઘરો-દુકાનો-ઓફિસોમાં પાણી ઘુસી ગયા, હાલારના કેટલાક બસ સ્ટેશનો પણ જાણે સરોવરમાં ફેરવાઈ ગયા, તેવી જીનજીવન તો અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ ગરીબ, રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવતા પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે, જ્યારે સલામત સ્થળે ખસેડાયેલા લોકોની હાલત દયનિય બની ગઈ છે.
પ્રિ-મોન્સુન કામગીરીના મોટા મોટા દાવાઓ તથા વિકાસના કામોની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે, અને શહેરોના આંતરિક માર્ગો પણ તૂટી ગયા છે જલભરાવ થતા અનેક શેરી-મહોલાઓ જળબંબાકાર થયા, ઘણાં વિસ્તારો જળમગન થયા અને વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી હવે જાહેર આરોગ્ય પર પણ ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં લોકા અને વાહનો તણાઈ જતાં લોકોના જીવ ગયા છે, તો તંત્રો દ્વારા ઘણાં સ્થળે રાહત-બચાવની કામગીરી પણ થઈ રહી છે, જેથી હેલિકોપ્ટર તથા અન્ય સાધનો-વાહનો અને માનવસાંકળ રચીને પણ ઘણાં લોકોનું રેસ્કયૂ પણ કરાયું છે.
સૌથી વધુ મુશ્કેલી નીચાણવાળા વિસ્તારો અને ઝુંપડાઓ-કાચા મકાનો તથા નદી-તળાવોની આજુબાજુની વસાહતોમાં રહેતા લોકો માટે ઊભી થઈ ગઈ છે, કારણ કે પીવાનું પાણી તથા પેટ ભરવાના ફાંફા પડી રહ્યા છે, તો બીજી તરફ તંત્રો પણ ઘાંઘા-વાઘા થયા છે, ત્યારે ફૂડપેકેટ્સ વગેરે સહયોગ માટે અનેક સેવાભાવિ સંસ્થાઓ તથા સેવાભાવી લોકો પણ આગળ આવ્યા છે. ડેમોમાંથી છોડાતા પાણીને કારણે શહેરોમાં થતા જલભરાવની સમસ્યા નિવારવા કોઈ કાયમી ઉકેલ શોધવો જરૂરી છે.
વીજ પુરવઠો ગ્રામ્ય વિસ્તારોમાંથી તો ગાયબ જ થઈ ગયો છે, અને શહેરી વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી, તો ઘણાં વિસ્તારોમાં વીજ તંત્રો દ્વારા ચાલુ વરસાદે પણ હડિયાપટ્ટી કરીને વીજ પુરવઠો જાળવી રાખવા મથામણ કરી હોવાના અપવાદો પણ છે.
હાલારના ઘણાં માર્ગો બંધ થતા લોકો ફસાયા હતાં. રાવલ-સૂર્યાવદર, ટંકારીયા તથા ભાટીયાથી ભોગાત વચ્ચેના ધોરીમાર્ગો, ખંભાળીયાથી જામનગરનો ધોરીમાર્ગ તથા જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નદી-નાળા છલકાતા માર્ગો પરથી જળપ્રવાહન વહેતો હોવાથી લોકો અધવચ્ચે અટવાઈ પડ્યા હતાં. ખંભાળીયાથી જામનગરના ધોરીમાર્ગ પર દાયકાઓ પહેલા સર્જાતા હતા, તેવા દૃશ્યો સર્જાયા હતા અને નદીઓ હાઈ-વેના ઓવરબ્રિજો સુધી પહોંચી જતાં વાહન-વ્યવહાર થંભી ગયો હતો, તેથી દ્વારકા દર્શને ગયેલા તથા જન્માષ્ટમીના તહેવારો ઉજવવા ગયેલા ઘણાં લોકો અટવાઈ પડ્યા હતાં, તો ઘણાં લોકોને પોતાની કાર ખંભાળીયા મૂકીને રેલવે દ્વારા જામનગર પહોંચવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો હતો. આ જ પ્રકારના દૃશ્યો દાયકાઓ પહેલાં સિંહણ ડેમ, ઓવરફલો થાય અને બેડની સસોઈ નદીમાં ભારે પૂર આવે ત્યારે ખંભાળીયાથી જામનગરના માર્ગે અવાર-નવાર સર્જાતા હતા, જેને વયોવૃદ્ધ લોકો યાદ કરવા લાગ્યા હતાં.
અતિવૃષ્ટિ થતા ઉદ્યોગો-વ્યાપાર અને છુટક મજુરી કરીને કે ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકોના રોજગારને પણ માઠી અસર પહોંચી છે, જ્યારે મેળાઓમાં સ્ટોલ્સ લેનારા અને નાના-મોટા મેળાઓમાં વ્યવસાય કરીને ત્રણ-ચાર મહિનાનું ગુજરાન ચાલે, તેવી દર વર્ષે વ્યવસ્થા કરતા સામાન્ય લોકો, સ્ટ્રીટ વેન્ડર્સ અને રેંકડી, પાથરણાવાળા ગરીબોની હાલત જ દયનીય બની ગઈ છે.
સરકારે હજુ આ પહેલાના કૃષિ રાહત પેકેજ માટે સર્વે કરી પૂરો કર્યો નહોતો, ત્યાં આફતના સ્વરૂપમાં વરસેલા વરસાદે નવી જ વિટંબણા ઊભી કરી દીધી છે, ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે વરસાદ વિરામ લ્યે પછી નવેસરથી સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની વાત કરી છે, જ્યારે અન્ય નાના-મોટા વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા લોકો, વેપારીવર્ગો તથા મેળાઓમાં થયેલા નુકસાન બદલ પણ કોઈ વળતર પેકેજ કે રાહત પેકેજ જાહેર થાય, તેવી માંગ પણ ઉઠી રહી છે. બીજી તરફ પુરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સ અને ઘરવખરીની સહાય પણ ઝડપભેર ચૂકવાય, અને તેમાં પણ કાગળ પરની 'ગોલમાલ'ન થાય, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે. સરકાર આ વર્ષે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો માટે તો વળતર-સહાય જાહેર કરે, પરંતુ અન્ય તમામ નાના-મધ્યમ વ્યવસાયિકો પણ જેના ઘરોમાં પાણી ભરાયા હોય, તેઓના કામ-ધંધાને થયેલા નુકસાન બદલ પણ રાહત-સહાય પેકેજ જાહેર કરે તે અત્યંત જરૂરી જણાય છે.
જન્માષ્ટમીના પર્વે યોજાતા મેળાઓ માટે નિયત દિવસો માટે હરાજી થઈ હતી, પરંતુ માંડ-એકાદ-બે દિવસ મેળો ચાલ્યો અને જન્માષ્ટમીના દિવસથી જ મેઘતાંડવ થતાં મેળા બરબાદ થયા, તેથી માનવતા દાખવીને નાના-મોટા સ્ટોલ ધારકો તથા રાઈડ વગેરેના અન્ય સ્ટોલ્સના ધારકોને થોડંુ-ઘણું રિફંડ અપાય, તે પણ જરૂરી જ ગણાય ને ?
અત્યારે જામનગર સહિતના શહેરો તથા વિસ્તારોમાં અગ્રતાક્રમે રાહત-બચાવ અને તત્કાળ સહાય, ગંદકી હટાવવી, જલભરાવ દૂર કરવો અને પુનઃ સ્થાપન કરીને જનજીવન પુનઃ તબકતું કરવાની પ્રાથમિકતા પછી વિના વિલંબે ક્રમશઃ રાહત-સહાય પેકેજો જાહેર કરીને તેના ચૂકવણાં થાય, તે જરૂરી છે, પરંતુ તે પછી રાજ્યભરમાં તૂટી-ફૂટી ગયેલા ધોરીમાર્ગો પણ અન્ય તમામ રોડ-રસ્તાઓની કામચલાઉ મરામત કરવામાં આવે, અને તાજેતરમાં નિર્માણ થયેલા 'અદ્યતન' માર્ગોના કોન્ટ્રાકટરો પાસે જ તેનું ગુણવત્તાસભર પુનઃ નિર્માણ તેઓના ખર્ચે અને જોખમે જ કરાવવામાં આવે, તે અત્યંત જરૂરી છે, અને તો જ લોટ, પાણીને લાંકડા કરતાં યે 'બદતર' નિર્માણકાર્યો કરનાર 'પહોંચેલા' ઈજારેદારોની શાન ઠેકાણે આવશે, પરંતુ તેમ કરવાની 'ઈચ્છાશક્તિ' પણ દાખવવી પડશે બધી બાબતોમાં 'મુદુ' રહેવું નહીં ચાલે અને હકીકતે 'મક્કમતા'દેખાડવી પડશે, ખરું ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. મેળાઓ ધમધમવા લાગ્યા છે. આજે પાંચમ-છઠ્ઠ ભેગા છે. કાલે શિતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમી છે. આ સંદર્ભે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ પછી નિયમ-કાયદાઓનો સખ્ત અમલ થતો હોવાથી ઘણાં સ્થળે રાઈડ્સનો પ્રશ્ન ઊભો થયો છે. રાજકોટમાં તો રાઈડ્સ વગર જ મેળો યોજવાની વાતો પણ થવા લાગી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, અને હાલાર સહિતના સ્થળોએ વરસાદની આગાહીના કારણે પણ મેળાઓ માણવા ઈચ્છતા લોકો તથા ધંધાર્થીઓમાં ચિંતા વધી છે.
ગઈકાલે જામનગરમાં મેયરના હસ્તે લોકામેળાના ઉદ્ઘાટન પછી આજથી શરૂ થયેલા શ્રાવણિયા તહેવારો છેક અમાસ સુધી ઉજવાશે, અને મનોરંજક માહોલ સર્જાશે. આ વખતે મેળાઓમાં રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની અસરો સ્પષ્ટ જોવા મળી રહી છે, અને તંત્રો એક એક કદમ ખૂબ જ સાવચેતીપૂર્વક ઊઠાવી રહેલા જણાય છે, અને તેથી જ જામનગરમાં ર૦ ઓગસ્ટથી શરૂ થનારા લોકમેળાઓના ઉદ્ઘાટનમાં વિલંબ થયો હશે.
મેયર અને પદાધિકારીઓએ ઉદ્ઘાટન કર્યા પછી થયેલી સ્થળ ચકાસણીમાં પણ આ પ્રકારની વિશેષ સાવચેતી રાખવાની સાથે સાથે નિયમ-કાયદાઓનું ચૂસ્તપાલન કરવા સ્ટોલધારકો, રાઈડ્સવાળા તથા અન્ય ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી હતી, અને નિયમ વિરૂદ્ધ ખડકાયેલી રાઈડ હટાવવાની ફરજ પણ પાડવામાં આવી હતી. પરફોર્મન્સ લાયસન્સ આવતા પહેલા જ શરૂ થયેલો મોતના કૂવાનો ખેલ અટકાવી તેની એન્ટ્રી જ સીલ કરી દેવાઈ હતી, જે આ વખતે તંત્રની તથા સ્થાનિક શાસકો-પ્રશાસનો પર રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓની ગાઢ અસરો દર્શાવે છે.
દ્વારકાનગરી ધમધમી રહી છે અને જગતમંદિર ઝળહળી રહ્યું છે. ભક્તોનો પ્રવાહ આજથી જ દિન-પ્રતિદિન વધતો જશે. સોમવારે ભગવાન દ્વારકાધીશના મંદિમાં શ્રીકૃષ્ણ પ્રાગટ્યના સમયે 'નંદઘેર આનંદ ભયો'ની ગુંજ સાથે દર્શન થશે, જેનું જિવંત પ્રસારણ રેડિયો, મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં નિહાળી શકાશે.
યાત્રાધામ દ્વારકામાં રાજ્ય સરકારે પણ 'દ્વારકા ઉત્સવ'ની થીમ હેઠળ ર૬ મી ઓગસ્ટે રાત્રે શ્રીકૃષ્ણ જીવનને સાંકળતો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને વિશેષ મહાનુભાવો જોડાવાના છે. આ કાર્યક્રમ રાબેતામુજબ માત્ર 'સરકારી' બની ન રહે અને મોટી સંખ્યામાં યાત્રિકો-દર્શનાર્થીઓ તથા ભાવિકો તેમાં જોડાય, તે ઈચ્છનિય રહે, ખરૃં કે નહીં?
દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, શિવરાજપુર, ઈન્દ્રેશ્વર, ભડકેશ્વર, પંચકૂઈ, ચોપાટી સહિતના તમામ સ્થળોએ જ્યારે યાત્રિકો-પર્યટકોની ભીડ વધવાની છે, ત્યારે તંત્રોની પણ કસોટી થવાની છે. કોઈપણ પ્રકારની ભાગદોડ કે આગ-અકસ્માતની દુર્ઘટના ન બને, ખિસ્સાકાતરૂઓ અને ચિલઝડપ, ચોરી કે છેતરપિંડીનો ભોગ યાત્રિકો ન બને, સ્થાનિક પરિવહન, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણી, ભોજન-નિવાસની પેઈડ સુવિધાઓ-સેવાઓ આપતા (વેંચતા) ધંધાર્થીઓ બેફામ નફાખોરી ન કરે, યાત્રિકોને પીવાનું પાણી, ફર્સ્ટ એઈડ, સેનિટેશન વગેરેની સુવિધાઓ 'નિઃશુલ્ક' અને ઠેર-ઠેર મળી રહે તે માટે તંત્રો-આયોજકો દ્વારા ખૂબ જ જાગૃતિ રાખવી અત્યંત જરૂરી છે, જેથી 'દ્વારકાને સાંકળતા યાત્રાધામોમાં ઉઘાડી લૂંટ ચાલે છે, સેનિટેશન-પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, કે તેમાં પણ લૂંટ ચલાવાય છે, ગંદકીનું સામ્રાજ્ય છે' તે પ્રકારની છાપ લઈને આ વખતે પણ લોકો ન જાય...
યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રેલવે તંત્ર તથા એસ.ટી. કોર્પોરેશન દ્વારા વધારાની ટ્રેનો અને બસો દોડાવાય છે, તે દરમિયાન પણ ખાવા-પીવાની વસ્તુઓ તથા પીવાનું પાણી અને સેનિટેશનની સુવિધાઓમાં નફાખોરી ન થાય, તે પણ જોવું જ પડે ને?
તહેવારો દરમિયાન મુસાફરોની હેર ફેર કરતા ખાનગી પરિવહન અને રિક્ષા-ટેક્સી જેવા સ્થાનિક પરિવહન દરમિયાન પણ નફારખોરી ન થાય અને બેફામ ટિકિટ-ભાડા ન લેવાય, તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, કારણ કે કેટલાક પરિબળો લોકોના ધસારાનો લાભ ઊઠાવીને અનેકગણું ભાડું વસૂલતા હોય છે.
માત્ર યાત્રા સ્થળો જ નહીં, પરંતુ આ જ પ્રકારની તમામ તકેદારીઓ આગામી એકાદ મહિના સુધી ચાલનારા વિવિધ ઉત્સવો-ઉજવણીઓ અંતર્ગત યોજાતા લોકમેળાઓ, નાના-મોટા ભાતીગળ કે પ્રાસંગિક લોકમેળાઓ તથા વિશેષ તિથિ-તહેવારોને સાંકળીને યોજાતા મેળાળાઓ-વિશિષ્ટ કાર્યક્રમોના સ્થળો પર પણ એટલી જ લાગુ પડે છે, ખરૃં કે નહીં?
આ વખતે ચગડોળ (ચકડોળ) વાળા પણ ચકચોડે ચડ્યા છે અને છેક હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. એક અરજદારને તો હાઈકોર્ટે સુરક્ષા સંબંધિત નિયમોમાં હસ્તક્ષેપ કરવાની જ ના પાડી દીધી હોવાના અહેવાલો પછી કેટલાક રાઈડ્સવાળા પોતે જ આર્થિક મુશ્કેલીમાં પણ મૂકાઈ ગયા છે.
આવી સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એ છે કે, આ વખતે દર વર્ષ ચાલતી હતી તે પ્રકારની 'વ્યવહારૂ' કે ઢીલી નીતિરીતિ ચાલતી નથી. ધંધાર્થી વર્તુળોમાં થતી ચર્ચા મુજબ દર વર્ષે રાઈડ્સ વગેરે પહેલેથી જ ગોઠવાઈ જતા અને મોતનો કૂવો તથા વિવિધ મનોરંજક અન્ય સ્ટોલ્સ પણ પહેલેથી ગોઠવીને ધંધો શરૂ કરી દેવામાં આવતો હતો, અને મંજુરીની પ્રક્રિયા વગેરે સમાંતર રીતે ચાલતી રહેતી હતી. આમ 'મંજુરીની અપેક્ષા'એ ચાલુ કરી દેવામાં આવતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર આ વખતે વાસ્તવમાં કડક નિયંત્રણોનો અમલ થતો દેખાય છે.
ગુજરાતીમાં કહેવત છે કે 'સૂકા ભેગું લીલું પણ બળી જાય', મતલબ કે સૂકુ ઘાસ સળગી ઊઠે અને આગ લાગે, ત્યારે તેની સાથે લીલું ઘાસ પણ સળગી જતું હોય છે. આવું જ કાંઈક રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ પછી થઈ રહ્યું છે, જેની મોટી અસરો રિયલ એસ્ટેટમાં પડતા અનેક સામાન્ય લોક હેરાન થતા હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે, જ્યાં અગ્નિકાંડ થયો, તે રાજકોટમાં તો જેના બાંધકામો પૂરા થઈ ગયા હોય, અને જરૂરી તમામ સુરક્ષાના માપદંડો જળવાયા હોય, તેવા મકાનોને પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગેરે સમયસર મળતા નથી, તેવું જ સૌરાષ્ટ્રના ઘણાં શહેરોમાં બની રહ્યું છે.
હરખીલા હાલારમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા તેની સાથેના તમામ તહેવારો ઉમંગભેર ઉજવાઈ રહ્યા છે, ત્યારે 'નોબત' અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, વિજ્ઞાનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો, વીડિયો સમાચારના દર્શકો તથા સોશ્યલ મીડિયા-ઈન્ટરનેટના માધ્યમથી 'નોબત' સાથે સંકળાયેલા તમામ હિતેચ્છુઓ સહિત સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

બદલાપુરથી પ. બંગાળના કોલકાતા સુધી હાહાકાર મચ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ માસુમ કન્યાઓને પીંખી છે, જ્યારે કોલકાતાની મહિલા તબીબને તો એક દરિંદાએ પીંખીને ક્રૂરતાથી મારી નાખી હોવાનો સંકેત સીબીઆઈની તપાસ આપી રહી છે. દેશમાં ઘણાં રાજ્યોમાં 'ડબલ' એન્જિનની સરકારો છે, તો ઘણાં રાજ્યોમાં નવા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનની સરકારો છે. કોઈપણ પાર્ટીની સરકાર હોય, 'પોલીસ સિસ્ટમ' લગભગ બધે જ સરખી જ છે અને એટલે જ 'બોટમ ટુ ટોપ' અદાલતોની ફટકાર સંબંધિત સરકારોને પણ પડી રહી છે, કારણ કે તમામ તંત્રો સરકારોના તાબા હેઠળ જ હોય છે.
પ. બંગાળના કોલકાતામાં મહિલા તબીબને દૂષ્કર્મ પછી મારી નાખવાના પડઘા દેશભરમાં પડ્યા, ડોક્ટરોએ હડતાલ પાડી અને હવે સર્વોચ્ચ અદાલતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
તે પછી મહારાષ્ટ્રના બદલાપુરમાં તો ખૂબ જ જઘન્ય કૃત્ય થયું હતું અને તે પછી જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટું આંદોલન થયું, ટ્રેનો રોકી લેવાઈ અને તોડફોડ પણ થઈ. કોઈપણ આંદોલન હિંસક બને, તે ક્યારેય સ્વીકૃત હોય નહીં, પરંતુ પોલીસતંત્ર જે આક્રમક્તાથી આંદોલનકારીઓ પર ત્રાટકી, તેવી જ આક્રમકતા કે ઝડપથી ગુનેગારો સામે રાખતી હોત, તો કદાચ આ પ્રકારની વિકૃત બર્બરતા કરવાની હિંમત જ નરાધમોની થઈ ન હોત, જો કે હવે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરીને ચોતરફ ફેલાઈ રહેલી વિકૃતિઓ તથા તમામ વયજુથમાં વધી રહેલી 'નિડર' ગુનાહિત માનસિક્તા સામે સમાજે પણ જાગવું પડે તેમ છે. હવે લોકોમાં કાનૂનનો ડર ઘટી રહ્યો છે, અને માનવાધિકારો તથા બંધારણીય અધિકારોનો પણ દુરૂપયોગ કરીને થતી અમાનવિય, અત્યાચારી, વ્યભિચારી, વિકૃત, ગેરકાનૂની અને અનૈતિક ગુનાખોરીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ પાર્ટીલાઈનથી ઉપર ઊઠીને આ પ્રકારના ગુનોગારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કે મદદ કરવાથી દૂર તો રહેવું જ જોઈએ, પરંતુ આ પ્રકારના પરિબળો સામે સખ્ત વલણ અપનાવવું જોઈએ, તેમ નથી લાગતું?
હાલાર સહિત ગુજરાતમાં પણ માનસિક વિકૃત લોકોની ગુનાખોરી વધી રહી હોય તેવી ઘટનાઓ થતી રહી છે, અને તેની સામે પગલાં પણ લેવાઈ રહ્યા છે, પરંતુ માત્ર કાનૂની કાયવાહી ઝડપી બનાવવાથી નહીં ચાલે, તેની સામે કેસ ચલાવીને સખ્તમાં સખ્ત સજા પણ ઝડપથી થાય, તો જ આ પ્રકારના લોકોમાં કાનૂનો ડર લાગે, અન્યથા ખૂબ જ ભયંકર સ્થિતિ ઊભી થશે, તેમાં શંકા ખરી?
જામનગર જિલ્લાના જ એક ગામડામાં સગીરવયની છાત્રાની છેડતીનો તાજો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. મીડિયાના અહેવાલો મુજબ જામનગરના જ ગ્રામ્ય વિસ્તારની એસ.એસ.સી.માં ભણતી એક વિદ્યાર્થિનીની એક 'રોમિયો'એ છેડતી કરી હતી. આ 'રોમિયો'એ છાત્રાની પાછળ જ પડી ગયો હતો, અને સ્કૂલે જતા-આવતા તેને પજવતો રહેતો હતો. આ રોમિયોની હિંમત એટલી વધી ગઈ કે દાદીમા સાથે હોવા છતાં મંદિરે જઈ રહેલી છાત્રાની છેડતી કરી હતી. આ પરિવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવી અને એ રોમિયોને પોલીસ પકડી ગઈ. હવે પોલીસ આગળની તપાસ કરશે અને જો ગુન્હો સાબિત થશે, તો અદાલત સજા કરશે, પરંતુ એ છાત્રાની માનસિક સ્થિતિ કેવી થઈ હશે?
વાલીઓ-પરિવારોએ આ પ્રકારના પરિબળો સામે તરત જ અવાજ ઊઠાવવો જોઈએ, જો આ પ્રકારની રોમિયોગીરી વધતી જાય, અને તેને હળવાશથી લેવામાં આવે, તો એ શખ્સોની ગુનાખોર માનસિક્તા એટલી બધી વધી જાય કે તે પછી તેને સમાજનો કે કાનૂનનો ડર જ ન રહે અને બદલાપુર અને કોલકાતા જેવી નિંદનિય ઘટનાઓ વધવા લાગે. આ પ્રકારની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં વધવા લાગે ત્યારે ત્યાંના લોકો, સ્થાનિક નેતાગીરી સહિત સમાજે પણ જાગવું જોઈએ, તેમ નથી લાગતું?
બદલાપુર હોય કે કોલકાતા હોય, બન્ને સ્થળે પોલીસતંત્રની શંકાસ્પદ કાર્યપદ્ધતિ સામે અદાલતોએ સવાલો ઊઠાવ્યા છે. મહારાષ્ટ્રના થાણે નજીક બદલાપુર ગામમાં બે બાળાઓ પર જાતિય અત્યાચાર ગુજારવાની ઘટનાને મુંબઈની હાઈકોર્ટે આઘાતજનક ગણાવીને એફઆઈઆર મોડી દાખલ કરવાને લઈને પલીસતંત્રને ફટકાર લગાવી હતી. તેવી જ રીતે સીજેઆઈ સહિત સુપ્રિમ કોર્ટના ન્યાય મૂર્તિઓએ કોલકાતાની એક હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ પોલીસે મોડી એફઆઈઆર નોંધી, તે સહિતની પોલીસતંત્રની શંકાસ્પદ ભૂમિકા સામે તીખા સવાલો ઊઠાવ્યા છે.
હવે આ દરિંદાઓને સજા પણ અદાલતો કરશે, અને બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ જ નહીં, પરંતુ સંબંધિત સંસ્થાઓ (હોસ્પિટલ અને સ્કૂલ મેનેજમેન્ટ) ના જવાબદારોને પણ દૃષ્ટાંતરૂપ સજા થશે, તેવી આશા રાખીએ.
જ્યારે પોલીસતંત્રની કાર્યશૈલી પર સવાલ ઊઠે છે, ત્યારે મીડિયામાં એવી ચર્ચા પણ થતી જ હોય છે કે આ પ્રકારની ઢીલાઢોમ ત્યારે જ થાય છે, જ્યારે ગુનેગારોને કોઈ મોટા માથાઓનું પીઠબળ હોય, અથવા તો કહેવાતા 'મોટામાથા'ઓ કે તેના નબીરાઓએ જ આ પ્રકારના જઘન્ય કૃત્યો, હીટ એન્ડ રન કે નશાની હાલતમાં ગંભીર ગુનાઓ કર્યા હોય.
હકીકતે આપણાં દેશમાં ગુનાખોરી વધવા પાછળ રાજનીતિ પણ જવાબદાર ગણવી જોઈએ, કારણ કે આ પ્રકારના ગુનાખોરોને બચાવનારા ગોડફાધરો કાં તો રાજનેતાઓ હોય છે અથવા ખૂબ જ ધનવાન લોકો હોય છે, ખરૂ ને?
'નિર્ભયા' કાંડ પછી જે દેશવ્યાપી આંદોલન થયું હતું, તે પછી એવું લાગતું હતું કે હવે દેશમાં આ પ્રકારની ઘટનાઓ પર વિરામ લાગશે, પરંતુ નિર્ભયાઓ પીડાતી જ રહી છે, મરતી જ રહી છે અને નરાધમો તેને પીંખતા જ રહ્યા છે. આ મુદ્દે 'સિલેક્ટીવ પોલિટિક્સ' પણ રમાતું જ રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓને રાજકીય રોટલા શેકવાની સગડી માનવાનું બંધ નહીં થાય અને જઘન્ય, ક્રૂર અને ગેરકાનૂની કૃત્યોને રાજનીતિની રમતના ઓજારો તરીકે વાપરવાની વૃત્તિ બંધ નહીં થાય, એટલું જ નહીં, વધતી જતી માનસિક વિકૃતિઓ તથા નિયમ-કાનૂન તોડવાને 'બહાદુરી' સમજવાનું તથા તેને છાવરવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ વધતી જ રહેવાની છે, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાત વિધાનસભાએ અંધશ્રદ્ધા કાળા જાદુ સામે ગઈકાલે જે બિલ પસાર કર્યું, તેની તથા એક એડીઆરના રિપોર્ટમાં દેશની વિધાનસભાઓ તથા સંસદમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા દોઢસોથી વધુ રાજનેતાઓ સામે મહિલા શોષણને સંબંધિત કેસો ચાલી રહ્યા હોવાની ચર્ચા તથા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડનો મેળો લોકચર્ચાના કેન્દ્રમાં છે. રાજકોટમાં પણ શ્રાવણિયા મેળાઓનો મુદ્દો ડખ્ખે ચડ્યો હતો. કેટલીક કમભાગી દુર્ઘટનાઓ પછી ફાયર સેફ્ટીના મુદ્દે અદાલતોએ લીધેલા આકરા વલણ પછી હવે તંત્રો પણ વધુ સતર્ક બન્યા છે અને સ્થાનિક નેતાગીરી પણ 'હવે' સકારાત્મક રસ લેતી જણાય છે. બીજી તરફ ગુજરાતના ડીજીપીએ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં સાઈબર ક્રાઈમ અને ડ્રગ્સનું દૂષણ મોટો પડકાર બન્યો છે, પરંતુ રાજ્યમાં દુષ્કર્મ અને છેડતી જેવા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં ડ્રગ્સનો વ્યાપ વધતો અટકાવવા કોઈ કાર્યયોજના બનાવી હોવાનું પણ બહાર આવ્યું હતું. માર્ગ અકસ્માતોના વિષયે આ કોન્ફરન્સમાં ચર્ચા થયા પછી સ્થાનિક તંત્રો સાથે સંકલન કરીને એક્સિડન્ટ સ્પોટ નક્કી કરવા અને ત્યાં સતર્કતાના ઘનિષ્ઠ પગલાં લેવાની ચર્ચા થઈ હતી, જો કે આ કોન્ફરન્સમાં કાયદો-વ્ય્વસ્થાની સ્થિતિને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, પરંતુ ડીજીપીએ કરેલી મુખ્ય ચર્ચાઓની વિગતો જ બહાર આવી છે. એવું કહેવાય છે કે આ દરમિયાન સાયબર ક્રાઈમના મુદ્દે સરકાર કક્ષાએ કોઈ પ્રસ્તાવ કરાયો છે.
ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના કારણે લોકોને બરબાદ થતા અટકાવવા અને ધતીંગ કરતા પરિબળોને જેલભેગા કરવાની જોગવાઈઓ કરતું નવું બિલ પસાર થઈ ગયું છે. માનવ બલિદાન, અમાનુષી, અનિષ્ટ, અત્યાચારી પ્રથાઓ, કાળો જાદુ, ડામ દેવા, શારીરિક કે આર્થિક શોષણ કરવું વગેરે કામોને હવે ગુન્હો ગણવામાં આવશે, જો કે કોઈપણ ધર્મની પ્રાર્થના પદ્ધતિ, કર્મકાંડ, કથા-કીર્તન કે કોઈને શારીરિક-માનસિક નુક્સાન ન પહોંડતી હોય કે ગેરમાર્ગે ન દોરતી હોય તેની ઘણી પ્રવૃત્તિઓને આ કાનૂનમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ બિલ ગઈકાલે જ પસાર થયું છે અને હવે રાજ્યપાલ સમક્ષ જશે. આ બિલ લાગુ થયેથી આ નવા કાયદા હેઠળ પાખંડીઓ-અત્યારીઓને ૭ વર્ષ સુધીની સજા થઈ શકતી હોવાની જોગવાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે.
આ નવા કાયદાને લઈને રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તથા આજે ઝીણવટપૂર્વક નવા કાયદાનો અભ્યાસ કર્યા પછી તેના પ્રતિભાવો અને પ્રત્યાઘાતો પણ સામે આવશે. એકંદરે રાજ્ય સરકારની આ પહેલ અંધશ્રદ્ધા સામે પહેલો પ્રહાર હશે, પરંતુ મોટો આધાર તેના અમલીકરણ પર પણ રહેવાનો છે. કદાચ આ મુદ્દે પણ ડીજીપીની કોન્ફરન્સમાં અનૌપચારિક ચર્ચા થઈ હોય, તેવું બની શકે છે.
ગુજરાતમાં મહિલાઓની છેડતી, દુષ્કર્મ, લૂંટની ઘટનાઓમાં ઘટાડો થયો છે, તેવો દાવો ડીજીપીએ કર્યો છે. બીજી તરફ ગુજરાતના ચાર એવા નેતાઓ સામે મહિલા ઉત્પીડનના કેસો ચાલી રહ્યા હોવાનું એડીઆરના તાજા રિપોર્ટમાં બહાર આવ્યું છે.
હકીકતે કોલકાતાની ગમખ્વાર રેપ-મર્ડરની કુખ્યાત ઘટના પછી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તથા નેશનલ વોચ (ન્યૂઝ) ના તાજા રિપોર્ટ મુજબ લોકસભાની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ૪૮૦૦ થી વધુ સોગંદનામાઓનું વિશ્લેષણ કરતા દેશના ૧પ૧ જેટલા એમ.પી.-એમએલએ સામે મહિલા ઉત્પીડનના કેસો ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ વિશ્લેષણ મુજબ ગુજરાતના પણ ચૂંટાયેલા ૪ નેતાઓ સામે આ પ્રકારના કેસ ચાલી રહ્યા છે. આ પ્રકારના નેતાઓની સૌથી વધુ સંખ્યા પ. બંગાળની છે. પક્ષવાર જોઈએ તો દેશમાં ભાજપના પ૪, કોંગ્રેસના ર૩, ટીડીપીના ૧૭, આમ આદમી પાર્ટીના ૧૩, તૃણમુલ કોંગ્રેસના ૧૦, આરજેડી-પ, અપક્ષ-૬, ડીએમકે-ર એસપી (સમાજવાદી પાર્ટી) ના ર એમપી-એમએલએ આ યાદીમાં સામેલ છે, જો કે આ નોંધાયેલા કેસો છે અને વણનોંધાયેલા કે દબાવી દેવામાં આવેલી ઘટનાઓનો તેમાં સમાવેશ થતો નથી. તેવી જ રીતે આ નેતાઓ સામે પણ ગુન્હાઓ નોંધાયા છે, પરંતુ અદાલતમાં પૂરવાર થાય, તો જ તેઓ દોષિત ગણાય. તેથી રાજનીતિનો ભોગ બનેલા કે અન્ય કારણે ખોટા કેસો કરાયા હોય, તેવા નેતાઓ પણ આ યાદીમાં સામેલ હોઈ શકે, પરંતુ આગ લાગી હોય તો જ ધૂમાડો દેખાય ને?
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના મુદ્દે વાસ્તવિક હકીકત તથા લોકોની લાગણીઓ 'નોબત'ના માધ્યમથી વિશેષ સ્વરૂપે પણ રજૂ થતી રહે છે, અને તે મુદ્દાઓ પણ 'ટોક ઓફ ધ ટાઉન' બનતા હોય છે, તો બીજી તરફ ફાયર સેફ્ટીને લઈને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રશાસકો હવે હડિયાપટ્ટી કરતા જોવા મળી રહ્યા છે.
જામનગરમાં આગ લાગ્યા પછી તેને બુઝાવવા માટે કાર્યરત ફાયરબ્રિગેડ હવે આગ લાગતી જ અટકાવવાના પ્રયાસો કરવા જઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના થશે. આ વિંગમાં ૩૭ નો સ્ટાફ હશે, જેમાં એન્જિનિયરો, સ્ટેશન ઓફિસરો, લીગલ ઓફિસર સહિતના અધિકારી-કર્મચારીઓ નગરની બહુમાળી ઈમારતો, શોપીંગ કોમ્પ્લેક્ષ, સંસ્થાકીય સંકુલો, કોમર્શિયલ સંકુલો સહિત શહેરભરમાં સતત ચકાસણી કરતા રહેશે અને આગ લાગે જ નહીં, તે માટે જનજાગૃતિ ઉપરાંત જરૂર પડ્યે કાનૂની કદમ પણ ઊઠાવશે, તેવું જાહેર થયું છે, જો કે વિંગ રચાયા પછી તેને આગ બુઝાવવાનું કામ કરવું નહીં પડે, તેથી આ કાયમી વ્યવસ્થા કદાચ રાજ્યભરના મોટા શહેરોમાં સફળ થશે, તો જ તેના સકારાત્મક પરિણામો આવશે, પરંતુ તેના સ્વરૂપ અને તે પછી ફંડીંગ તથા અમલીકરણ પર બધો આધાર રહેવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વરે તે હાર્યા વરે એટલે કે ઘણાં લોકો પોતાના મદમાં કોઈ સાચી વાત કરતું હોય કે સાચા માર્ગે વાળતું હોય, ત્યારે તેનું ન માને, પરંતુ જ્યારે તે પછડાટ ખાય ત્યારે તેને જ્ઞાન થાય, અને યોગ્ય રાહ પકડે. ઘણી વખત કોઈ ફતેહ એવી પણ હોય છે, જેમાં ખુશીના બદલે અફસોસ કે ગ્લાની થાય. ઊંચી છલાંગ મારીને સૌથી વધુ ટકા કે પર્સેન્ટાઈલ મેળવવા માંગતા વિદ્યાર્થીને તે માટે યોગ્ય દિશા પકડવી પડે અને પાછલી પરીક્ષામાં ભલે શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તો પણ તે પછીની પરીક્ષા માટે તો નવેસરથી જ મહેનત કરવી પડે. પહેલાની સફળતાનો અતિઆત્મવિશ્વાસ જ્યારે અહંકારનું સ્વરૂપ લઈ લ્યે, ત્યારે સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરવાના બદલે માંડ માંડ પાસ થનાર વ્યક્તિને પાસ થવાના આનંદ કરતા વધુ અફસોસ ૯૯.૯૯ પર્સેન્ટાઈલથી યે વધુ ગુણ મેળવવાનો અભરખો પૂરો ન થયો હોવાનો જ થાય. અત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ કાંઈક એવું જ બની રહ્યું છે, ખરૃં ને?
એવી જ રીતે ચાર-પાંચ ટ્રાયલ આપીને પાસ થનારને આગળના વર્ષે શ્રેષ્ઠ દેખાવ કરીને નંબર મેળવવાની આશા જાગે, તો તેમાં ખોટું પણ શું છે?
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી, પરંતુ એનડીએને બહુમતી મળી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભલે વડાપ્રધાન બની ગયા હોય, પરંતુ પહેલી બે ટર્મની જેમ મોદી સરકાર નિર્ણયો લઈ શકતી નથી, અથવા લીધેલા નિર્ણયો બદલવા પડી રહ્યા છે કે કદમ પાછા ખેંચવા પડી રહ્યા છે, તેનું દૃષ્ટાંત યુપીએસસી દ્વારા કેન્દ્ર સરકારના સચિવાલયમાં ઉચ્ચ જગ્યાઓ પર લેટરલ પદ્ધતિથી ભરતી કરવાની બહાર પાડેલી જાહેરાત પાછી ખેંચવી પડી, તે છે. આ પીછેહઠ એનડીએના જ સાથીદાર પક્ષોના વિરોધ તથા પોતાને મોદીના 'હનુમાન' ગણાવતા ચિરાગ પાસવાન જેઓ અત્યારે કેન્દ્રિય મંત્રી છે, તેના દબાણ હેઠળ કરવી પડી હોવાના કટાક્ષો પણ રાજકીય વર્તુળોમાં થઈ રહ્યા છે.
આ પહેલા પણ વકફ બોર્ડનું બિલ મોદી સરકારે ઈન્ડિયા ગઠબંધનની મક્કમતા, એક્તા ઉપરાંત એનડીએના સાથીદાર પક્ષોના આંતરવિરોધના કારણે જ જે.પી.સી.ને મોકલવું પડ્યું હતું. આ મોદી ૩.૦ ની બીજી પીછેહઠ છે. એટલું જ નહીં, મનમોહનસિંહને 'મજબૂર' વડાપ્રધાન કહેનારા શાસક દળના નેતાઓ માટે એ શબ્દો હવે બૂમરેંગ પૂરવાર થઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?
મોદી સરકારનો 'હાઉ' હવે પહેલા જેવો રહ્યો નથી અને હવે સાથીદારો પણ જાહેરમાં પોતાના સ્પષ્ટ અભિપ્રાયો વ્યક્ત કરવાની 'હિંમત' દાખવી રહ્યા છે, તો સુબ્રમણ્યમ્ સ્વામી જેવા પૂર્વ 'સાથીદારો' તો નવી જ ઉપાધી (ચિન્તા) ઊભી કરી રહ્યા છે. સ્વામીએ સેબીના ચીફ માધવી બૂચને લઈને જે ધડાકો કર્યો અને એક્સિસ-મેક્સના કેસમાં દિલ્હીની હાઈકોર્ટે સેબીને જે આદેશ કર્યો છે, તે પછી તો 'સાપે છંછુદર ગાળ્યા' જેવી હાલત કોની થઈ હશે તે કહેવાની જરૂર ખરી? આને 'સ્વામી'ની સિયાસતી 'સુનામી' જ કહેવાય ને?
મોદી સરકારની પહેલી બે ટર્મ દરમિયાન વિપક્ષના કેટલાક નેતાઓ પણ સાવધાનીપૂર્વક નિવેદનો આપતા હતાં, કારણ કે ઈ.ડી.-સીબીઆઈ-આઈ.ટી.નો ડર (દેખાડ્યો) હતો, પરંતુ મોદી ૩.૦ ના વર્તમાન ગાળામાં તો હવે સાથીદાર પક્ષો તથા ભૂતકાળના સાથીઓ જ નહીં, પરંતુ કેટલાક ઉચ્ચ સ્થાને બિરાજમાન બ્યુરોક્રેટ્સ તથા બંધારણીય સ્થાને બિરાજતા કેટલાક ઉચ્ચ અધિકારીઓ, નીતિનિર્ધારકો અને નેતાઓ પણ સ્પષ્ટ અને સાચો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, એવું ઘણાં લોકો માને છે, તમે શું માનો છો? વિચારો...
ગઈકાલે એક હિન્દી ન્યૂઝ ચેનલમાં રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસનો લાંબો ઈન્ટરવ્યૂ જોયો અને સાંભળ્યો, તેમણે આ વખતે કેટલીક સ્પષ્ટ વાતો રજૂ કરી અને દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિને લઈને કેટલાક દાવાઓ પણ કર્યા, સાથે સાથે તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે મોંઘવારીનો દર અનિયંત્રિત થઈ કે વાસ્તવિક મોંઘવારી સતત વધતી જ રહે, તો વર્ષ ર૦૪૭ માં વિકસિત (ધનવાન) ભારતના લક્ષ્યને હાંસલ કરવું અઘરૂ છે. જો મોંઘવારી ૪ ટકાની આસપાસ રહે, તો જ આપણે અર્થતંત્રમાં વધુ ઊંચી છલાંગ લગાવી શકીશું, જો કે તેમણે ભારતની અત્યારની આર્થિક ક્ષેત્રની સ્થિતિ તથા પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હોય, તેવું પણ લાગ્યું.
તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જનતાની દૃષ્ટિએ મોંઘવારી વધતી જણાય, ત્યારે આંકડાઓ વિરોધાભાસી જણાતા હોય છે. ખાદ્યચીજોને મોંઘવારીના માપદંડોમાંથી દૂર કરવાની બાબતમાં પોતાનો અભિપ્રાય આપતા શશિકાંત દાસે આપેલો આ અભિપ્રાય પણ 'ટોક ઓફ ધ કેપિટલ' બન્યો છે.
દેશ માટે ગૌરવની વાત એ છે કે આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસને સતત બીજા વર્ષે 'ગ્લોબલ ફાઈનાન્સ' મેગેઝિનમાં સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ-ર૦ર૪ માં એ (પ્લસ) નું રેટિંગ મળ્યું છે. ગયા વર્ષે પણ આ સન્માન તેમને મળ્યું હતું. દુનિયાભરની કેન્દ્રિય બેંકોના ગવર્નરો (વડાઓ) ની કામગીરીનું મૂલ્યાંકન કરીને આ સન્માન આપવામાં આવતું હોય છે.
મોદી સરકારની આ દ્વિતીય પીછેહઠ પછી વિપક્ષો ગેલમાં છે અને ખડગે-ગાંધીએ એસ.સી.-એસ.ટી.ના હક્કો છીનવાતા અટકાવીને બંધારણની રક્ષા કરી હોવાનો દાવો કર્યો છે. તટસ્થ રીતે જોઈએ તો 'ઘમંડ' હવે એક ગઠબંધનમાંથી બીજા ગઠબંધન તરફ સ્થળાંતર કરી રહ્યો છે, તમને શું લાગે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રક્ષાબંધનના પર્વથી જ તહેવારોની જાણે વણઝાર શરૃ થઈ ગઈ છે, અને હવે તો શ્રાવણિયા મેળાઓની રંગત જામવાની છે. જન્માષ્ટમીના પર્વે વિવિધ તહેવારોની શ્રેણીબદ્ધ ઉજવણી થનાર હોવાથી દ્વારકા, બેટદ્વારકા, ગોકુલ-મથુરા, બરસાના ભાલકાતીર્થ, વિસાવાડા, ડાકોર, શામળાજી, શ્રીનાથદ્વારા, માધવપુર (ઘેડ), પોરબંદર (સુદામાપુરી), કુરુક્ષેત્ર, દિલ્હી (હસ્તીનાપુર), તિરૃપતિ બાલાજી, જગન્નાથપુરી સહિતના ભગવાન શ્રીકૃષ્ણ તથા વિષ્ણુ સાથે સંકળાયેલા દેશભરના સંખ્યાબંધ યાત્રાધામો-પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોમાં રંગભરી રોનક આવવાની છે. બીજી તરફ હરિયાણા વિધાનસભાની ચૂંટણી કુરુક્ષેત્ર અને મહારાષ્ટ્રની ચૂંટણી પણ જાણે મહાભારતની યાદ તાજી કરાવે, તેવી ચહલપહલ વધી રહી છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓ પછી ઝારખંડ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, ત્યારે રાજકીય પક્ષો પણ રાજકીય રંગે વધુ રંગાવા લાગ્યા છે અને વિવિધ મુદ્દાઓ તથા ઘટનાક્રમોને સાંકળીને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ભાજપ-એનડીએને ઘેરી રહ્યા છે, તો બીજી તરફ એનડીએમાં પણ વિખવાદ વધી રહ્યો છે, તેથી લોકોમાં એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે આ સંઘ કાશીએ પહોંચશે ખરો? મોદી સરકાર કેટલી ટકશે? વિવિધ મુદ્દે એનડીએમાં જ વિરોધાભાસી વલણો તથા ભાજપના સાથીદારોના નિવેદનો જોતા એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે દિવાળી સુધીમાં કાંઈક નવાજુની થવાની છે? હરિયાણા-મહારાષ્ટ્રની વિધાનસભાઓની ચૂંટણીઓ પછી મોટી રાજકીય ઉથલપાથલ કે નવાજુની થવાની સંભાવના વધુ દૃઢ બની રહી છે?
મહારાષ્ટ્રમાં એનસીપી (અજીત પવાર) અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી અને હવે એલજીપી (ચીરાગ) ના નેતાઓના નિવેદનો પછી એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે, આવી રીતે પ્રાદેશિક કક્ષાએ થતી ફાટફૂટની સીધી અસર કેન્દ્રની એનડીએ સરકાર પર થયા વગર રહેશે ખરી? ક્યાં સુધી ટકશે સરકાર?
કોંગી નેતા અને લોકસભામાં એલઓપી રાહુલ ગાંધીએ સરકારી કર્મચારીઓની ભરતીનો મુદ્દો ઊઠાવ્યો છે, અને લેટરલ એન્ટ્રી દ્વારા થતી અધિકારીઓની નિમણૂકોને બંધારણ વિરોધી ગણાવી છે. તેમણે આ કદમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું છે. રાહુલ ગાંધીને ઈન્ડિયા ગઠબંધનના ઘણાં નેતાઓનું સમર્થન છે અને હવે તો આ મુદ્દો કેન્દ્રની ભાજપ સરકાર માટે ગળાની ફાંસ જેવો બની રહેલો જણાય છે.
હવે તો આ મુદ્દે માત્ર ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ જ નહીં, પરંતુ શાસક ગઠબંધન એનડીએમાંથી પણ એવા સૂર ઊઠી રહ્યા છે, જેથી કેન્દ્રની ભાજપ સરકારની બુનિયાદ જ હલબલી શકે છે. જો આ મુદ્દો આગળ વધશે, તો રાજકીય સ્થિરતા પણ જોખમાઈ શકે છે, તેથી કદાચ ભાજપની હાઈકમાન્ડ પણ ચિંતિત હશે, ખરૃ ને?
કેન્દ્ર સરકારના જ મંત્રી અને એલ.જે.પી. નેતા ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે, અનામતની જોગવાઈ વિનાની કોઈપણ સરકારી નિમણૂકો ન જ થવી જોઈએ, અને તેમાં 'ઈફ એન્ડ બટ'ને કોઈ સ્થાન જ નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે તેની પાસે આ મુદ્દો ઊઠાવવા માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ છે, ત્યાં તેઓ આ મુદ્દો ઊઠાવશે, મતલબ કે ચિરાગભાઈ કેન્દ્રિય કેબિનેટમાં આ મુદ્દો ઊઠાવી શકે છે.
લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન) લેટરલ એન્ટ્રીથી નિમણૂકોના મુદ્દે કેન્દ્રને સમર્થન નથી, તેમ જણાવીને ચિરાગભાઈએ ચાલાકીપૂર્વક એવું પણ કહ્યું છે કે, તેઓ કેન્દ્રિય મંત્રીના સ્વરૃપમાં તો એનડીએ સરકારના યોગ્ય પ્લેટફોર્મની મર્યાદામાં જ રહીને રજૂઆત કરશે, પરંતુ તેની પાર્ટી આ મુદ્દે સરકારની તરફેણમાં નહીં રહે.
હકીકતે કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારના કેટલાક વિભાગોમાં લેટરલ એન્ટ્રીથી ૧૦ સંયુક્ત સચિવો અને ૩પ નાયબ સચિવો અને ડાયરેક્ટરોની લેટરલ પદ્ધતિથી કરાર આધારિત નિમણૂકો માટેની જાહેરાત પ્રસિદ્ધ કર્યા પછી રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરીને કહ્યું હતું કે, આમ મારીને સરકાર એસ.સી., એસ.ડી., પછાત વર્ગોનો અનામતનો હક્ક છીનવવા માંગે છે. ઊંચા હોદ્દાઓ પર 'એકસ્પર્ટસ'ની કરાર આધારિત નિમણૂકોની પરંપરા તદ્ન નવી નથી, પરંતુ પ્રવર્તમાન સરકાર દ્વારા આ પરંપરાને જ પ્રોસીઝર બનાવવાના પ્રયાસનો વિરોધ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ તો એવું પણ કહ્યું હોવાના અહેવાલો છે કે આ રીતે સરકાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના બદલે આર.એસ.એસ. દ્વારા ભરતી કરીને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. સરકાર દેશની પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર આ રીતે તરાપ પણ મારી રહી છે, તેવા સામાજિક ન્યાયની વ્યવસ્થા પર હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આઈએએસનું ખાનગીકરણ કરીને અનામતને ખતમ કરવાની મોદીની ગેરંટી છે.
હવે આ કથિત જાહેરાતની જોગવાઈઓ કે તેની પ્રક્રિયાની ઊંડી તપાસ કર્યા વિના જ નિવેદનો કરવાની ટેવ પડી ગઈ હોવાના આક્ષેપ સાથે પ્રતિપ્રહારો પણ થઈ રહ્યા છે, જો કે મહારાષ્ટ્ર પછી હવે બિહારમાં પણ એનડીએના જ ઘટક પક્ષો પરસ્પર વિરોધાભાસી વલણો અપનાવે, તો 'મજબૂત' સરકારે 'મજબૂર' બનીને રાજીનામું આપવું પડી શકે છે. એવું થાય તો ફિલગૂડ ફેક્ટરની જેમ 'અચ્છે દિન'ની પણ ઘરવાપસી થઈ શકે છે, ખરૃ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વર્ષ ૧૯પ૯ માં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ 'છોટી બહન' માટે લતા મંગેશકરે ગાયેલું હિન્દી ગીત રક્ષાબંધન પર્વ, રક્ષાબંધનની કહાની પર ભજવાતા નાટકો, સિરિયલો તથા ફિલ્મોમાં અગ્રતાક્રમે આજે પણ ગવાતું રહે છે.
'ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહન કો ન ભૂલાના' જેવી મધૂર કર્ણપ્રિય પંક્તિઓથી પ્રારંભ થતા આ આખાગીતમાં ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ પ્રગટે છે. શૈલેન્દ્ર દ્વારા રચાયેલું આ ગીત શંકર જય કિશને સંગીતબદ્ધ કર્યું હતું.
'છોટી બહન'ની જેમ જ ઘણી હિન્દી ફિલ્મોમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાબંધનના તહેવારને સાંકળવામાં આવ્યો છે. વર્ષ ૧૯૬ર માં રિલિઝ થયેલ ફિલ્મ 'રાખી'માં ણ અશોકકુમાર અને વહીદા રહેમાને ભાઈ-બહેનની યાદગાર ભૂમિકા અદા કરી છે. મિથુન ચક્રવર્તીની 'પ્યારી બહેના' ફિલ્મમાં પણ આ પવિત્ર પ્રેમની ગાથા વણી લેવાઈ છે. 'રક્ષાબંધન' નામની ફિલ્મમાં ચાર બહેનો અને ભાઈની કહાની છે, જેમાં અક્ષયકુમારની ભૂમિકા વખણાઈ હતી, તેવી જ રીતે 'ઈકબાલ' 'ફિઝા', 'સરબજીત', 'જોશ', 'હમ સાથ સાથ હૈ', 'રેશમ કી ડોરી', 'સિકંદર', 'દિલ ધડકને દો', 'હરે રામ હરે કૃષ્ણ' સહિતની ભાઈ-બહેનનો પ્રેમ અને રક્ષાબંધનના પર્વને સાંકળતી ઘણી ફિલ્મો લોકપ્રિય બની છે, તો 'ફૂલો કા તારો કા, સબ કા કહેના હૈ, એક હજારો મેં મેરી બહના હૈ' જેવા ગીતો હંમેશાં રક્ષાબંધનના પર્વે ઠેર-ઠેર ગુંજતા સંભળાય છે.
ગુજરાતીમાં તો ટ્રડિશ્નલ મીડિયાથી લઈને ફિલ્મો સુધી ઘણી જ રચનાઓ ભાઈ-બહેનના પાવન પ્રેમ અને રક્ષાબંધનને સાંકળીને પ્રસ્તુત થઈ છે. તે પૈકી કેટલીક કરૃણ કહાનીઓ ઘણી જ પ્રચલિત થઈ છે, પરંતુ ઢગલાબંધ રચનાઓમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને વિવિધ સ્વરૃપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં 'કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી'ની કરૃણ કહાની વધુ પ્રચલિત બની છે.
આજે રાખડી બાંધવા તથા જનોઈ બદલવાના કાર્યક્રમોની સાથે સાથે આવી રહેલા સાતમ-આઠમના મેળાઓની તૈયારી પણ થવા લાગી છે, અને આ વખતે હજુ પણ વરસાદ પડી રહ્યો હોવાથી તહેવારો સમયે ભારે વરસાદની દહેશત પણ વર્તાઈ રહી છે, અને આગાહીઓ પણ થઈ રહી છે. બીજી તરફ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માર્કેટમાં ઘરાકી વધી રહી છે, અને હવે જન્માષ્ટમીના તહેવારોની ચહલપહલ ધીમે ધીમે દેખાવા લાગી છે
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પછી દેશમાં રાજકીય ચહલચહલ પણ વધી જવાની છે, અને કેટલીક પાર્ટીઓ તૂટી રહી હોવાથી રાષ્ટ્રીય રાજનીતિમાં પણ નવા સમિકરણો રચાય, તેવી સંભાવનાઓ વધી રહી છે. હરિયાણામાં જેજેપી તૂટવા લાગી, તેનો ફાયદો કોંગ્રેસને વધુ અને ભાજપને ઓછો થશે, તેવી અટકળો વચ્ચે ઝારખંડમાં સોરેન ફેમિલીમાં ખેંચતાણના કારણે જેએમએમ તૂટે તો તેનો વધુ ફાયદો કોને થાય, તેવી અટકળો પણ થઈ રહી છે, અને આજે ચંપકભાઈ કાંઈક નવો ધડાકો કરશે, તેમ જણાય છે.
જો કે, કોલકાતામાં મહિલા તબીબ પર રેપ અને મર્ડરના કેસમાં દેશવ્યાપી પડઘા પડ્યા, જેની અસરો હાલાર સહિત ગુજરાતમાં પણ થઈ છે, અને દર્દીઓની પરેશાની તથા ડોક્ટરોની ન્યાયની આ લડતની ચર્ચાઓ પણ થઈ રહી છે, જેના મિશ્ર પ્રતિભાવો સાંપડી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી તે પછી પણ રેપ, ગેંગરેપ અને ઠેર-ઠેર હત્યાની ઘટનાઓનો સીલસીલો વધી રહ્યો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સકારોએ કોઈ રસ્તો કાઢવો જ પડે તેમ છે, પણ...!?
હમણાંથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સર્વાધિક ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું સિંહાસન ડોલી રહ્યું છે, તો હરિયાણામાં નાયબસિંહ સૈની સામે ભાજપને વિધાનસભાની ચૂંટણીઓ જીતાડવાનો પડકાર છે. કલમ ૩૭૦ હટાવ્યા પછીની પહેલી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈને પણ જનાદેશ મળે, પણ લોકતંત્ર વધુ મજબૂત અને બહોળુ મતદાન થાય, તે આવકાર્ય ગણાય, રાઈટ?
રક્ષાબંધનના દિવસે રાજકીય ક્ષેત્રે પણ રાજનીતિમાં સક્રિય એવા રાહુલ-પ્રિયંકા ફેઈમ ઘણાં ભાઈ-બહેનો રક્ષાબંધનના પાવન પર્વે જનતાને અને પરસ્પર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો જામનગરની બહેનોએ દેશની સરહદો પર તૈનાત જવાનોને રાખડી મોકલીને જાણે કે અભય વરદાન આપ્યું છે.
ચંપાઈ સોરેન, મમતા બેનર્જી, કેજરીવાલ, સિદ્ધારમૈયા, નાયબસિંહ સૈની, એકનાથ શિંદે, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વગેરે મુખ્યમંત્રીઓનો અત્યારે કસોટીકાળ ચાલી રહ્યો છે, જ્યારે કરૃણાનીધિની ૧૦૦ મી જયંતી પ્રસંગે કેન્દ્ર સરકારે સિક્કો બહાર પાડતા તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન ગદ્ગદ છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતાડવાની જવાબદારી આવી પડી છે, કારણ કે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ભાજપના પ્રદેશ પ્રમુખોનું કોકડુ તો ગૂંચવાયેલું જ છે ને હજુ...?
રક્ષાબંધન પર્વે કેટલીક રાજ્ય સરકારોએ વિશેષ જાહેરાતો કરી છે, તો ઘણાં શહેરોમાં સિટીબસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પણ અપાતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે કોઈ તકલીફ પડે તો 'ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, તેને પોસ્ટકાર્ડ લખજો' તેવું કહેતા, તેવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ હવે રાજ્યની બહેનોને 'વ્હોટ્સએપ'ની સુવિધા આપીને બહેનોની રાવ સાંભળશે? તેવી કોમેન્ટો થઈ રહી છે!
આજે રક્ષાબંધનના પાવન પર્વે માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, લાખો ચાહકો, 'નોબત'ના સોશિયલ મીડિયામાં વિવિધ સેવાઓનો લાભ લેતા વાચકો-દર્શકો, વીડિયો સમાચારના દર્શકો, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપ મેમ્બર્સ, 'નોબત' દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકો, દેશ-વિદેશમાં પથરાયેલા 'નોબત'ના શુભેચ્છકો, પ્રતિનિધિઓ, વિજ્ઞાનપન દાતાઓ, પત્રકારો સહિત સૌ કોઈને મંગલ શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જેઠમાં જોર કરે, અષાઢે અંધાધૂંધ, શ્રાવણમાં સરવણિયો, ભાદરવે હાથિયો અને આસોમાં આખરી બુંદ, કાંઈક આવી જ પ્રકારની વડીલોની શબ્દાવલી અને મહાવરા મોટી ઉંમરના ઘણાં લોકોએ પોતાના વરિષ્ઠો પાસેથી ઘણી વખત સાંભળી જ હશે, અને શબ્દો વરસાદ પડવાની ગતિ, પ્રગતિ અને પદ્ધતિ દર્શાવે છે, તે સ્વયં સ્પષ્ટ છે. ગુજરાતી ભાષાના મહાવરા, કહેવતો, ઉખાણા, ચાબખા, છપ્પા વગેરે ઘણાં જ અર્થસભર હોય છે, અને થોડા શબ્દોમાં ઘણી મોટી વાત, સંકેતો કે સંદેશ આપી દેતા હોય છે. જેઠ મહિનામાં વરસાદ શરૂ થાય અને ભીમ અગિયારસથી જોર કરે, અષાઢી બીજથી અંધાધૂંધ એટલે કે (મૂશળાધાર, સુપડાધાર, અનરાધાર) ભારેથી અતિભારે વરસાદ પડે. શ્રાવણમાં સરવણિયા અથવા સરવડા એટલે કે ધીમો ધીમો વરસાદ, ઝરમર-ઝરમર વરસ્યા કરે, કાંઈક એવો જ વરસાદ આ વખતે અત્યાર સુધી પડ્યો છે.
હાથી પોતાની સૂંઢમાં પાણી ભરીને જ્યાં ફેંકે, ત્યાં ધોધની જેમ પડે તેવી જ રીતે ભાદરવામાં વરસાદ જ્યાં પડે ત્યાં ધોધમાર પડે, તેવું કહેવાય છે, અને તે પછી આસો મહિના કે તે પહેલા સામાન્ય રીતે વરસાદ વિદાય લઈ લે છે, જો કે ક્યારેક ક્યારેક આસો મહિનામાં પણ વરસાદ પડે, તો તેને ચોમાસાની આખરી બુંદ ગણવામાં આવે છે. અત્યારે તો 'સાવન કા મહિના, પવન કરે શોર'ના ફિલ્મ ગીત જેવી મોસમ ખીલી ઊઠી છે.
જો કે, ગ્લોબલ વોર્મીંગના કારણે હવે આ પ્રકારની વરસાદી સિસસ્ટમ જળવાતી નથી, પરંતુ આ વર્ષે મહાવરાઓને અનુરૂપ હોય, તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક સ્થળે થયેલા ભારે વરસાદથી તબાહીના દૃશ્યો પણ સર્જાયા છે. ચોમાસા પછી ઋતુચક્ર બદલાશે અને શિયાળો આવશે.
ઋતુચક્રમાં જેમ મોસમ બદલે છે, અને ચોમાસામાં વરસાદ,શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીની મોસમ આવે છે, તેમ આપણાં રાજ્ય અને દેશમાં પણ હવે બદલીઓની મોસમ આવી રહી છે. જેથી કહીં ખુશી, કહી ગમ જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી હોય તેમ લાગે છે ને?
રાજ્ય સરકારે શિક્ષકોની 'જિલ્લા આંતરિક બદલી કેમ્પો' યોજવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાનો કેમ્પ પહેલી સપ્ટેમ્બરથી રર મી સપ્ટેમ્બર અને બીજો કેમ્પ ર૮ સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબરના યોજાશે. વધઘટ બદલી કેમ્પ ર૦ થી રર ઓગસ્ટમાં યોજાશે. પહેલા તબક્કાના કેમ્પ માટે ર૪ થી ર૮ ઓગસ્ટ અને બીજા તબક્કા માટે ર૪ સપ્ટેમ્બરથી ર૭ સપ્ટેમ્બર સુધીના દિવસે પૂર્ણ તૈયારી માટે નક્કી કરાયા હોવાની ચર્ચા ગઈકાલથી જ શિક્ષણ ક્ષેત્રના વર્તુળો તથા શિક્ષકગણમાં થઈ રહી છે.
આ કેમ્પોની જાહેરાત થતા બદલીની રાહ જોતા અને ઓન રિકવેસ્ટ કે વતનમાં અથવા અનુકૂળ સ્થળે બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકગણમાં ખુશીની લહેર દોડી ગઈ હશે, પરંતુ વધ-ઘટને રાખીને નવો ઓવરસેટઅપ હશે, ત્યાંથી કેટલાક શિક્ષકોને ડિસ્ટર્બ થવું પડી શકે તેમ હોવાથી થોડી ચિંતા પણ હશે, જો કે આ તમામ કેમ્પો મોટાભાગે શિક્ષકોને અનુકૂળ સ્થાને પોસ્ટીંગ આપીને સહાયભૂત થવા માટે જ યોજાતા હોવાની ધારણા છે, અને પોતાની પસંદગીના સ્થળે બદલી થયા પછી શિક્ષકો વધુ નિષ્ઠા, લગન સાથે નિયમિત સેવાઓ આપે, તેવી અપેક્ષા પણ શિક્ષણ વિભાગ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખે, તે સ્વાભાવિક જ છે ને?
થોડા સમય પહેલા રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલીઓ થઈ હતી, તો કેટલાક વિભાગોમાં આંતરિક બદલીઓનો દોર પણ ચાલ્યો હતો, તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ બદલીની મોસમ ખીલી ઊઠી હોય તેમ ઘણાં વિભાગોમાં તથા કેટલાક રાજ્યોમાં, પણ આંતરિક, સ્વૈચ્છિક અને જાહેર હિતમાં બદલીઓના આદેશ થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભા માટે ચૂંટણીઓની જાહેરાત થઈ, તે પહેલા જ ત્યાં મોટાપાયે વિવિધ સ્ટાફની બદલીઓના આદેશ થયા હતાં, તો કેન્દ્રિય સચિવાલયમાં સચિવ (સેક્રેટરી) કેડરની મોટાપાયે હજુ વધુ બદલીઓ થશે, તેવા સંકેતો પણ ચર્ચાઈ રહ્યા છે.
હરિયાણા અને જમ્મ-કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થતા જ ત્યાં આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી હવે ચૂંટણીપંચ જરૂર જણાશે, ત્યાં અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓનો ગંજિપો ચીપશે, તો બન્ને રાજ્યના સંખ્યાબંધ અધિકારીઓને ચૂંટણીઓની જવાબદારી સુપ્રત કરાતા તેના સંદર્ભે પણ બદલીઓનો દોર આવશે.
એક તરફ બદલીઓનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં આંદલનોની રફ્તાર પણ શરૂ થવા લાગી છે. જુની પેન્શન યોજના લાગુ થવાના મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકોના દેખાવોના અહેવાલો હતાં, તો ગુજરાતમાં જિલ્લા પંચાયતો હેઠળના વર્ગ-૩ ના કર્મચારીઓએ પણ સમાન કામ-સમાન વેતનના મુદ્દે રાજ્ય સરકારને આંદોલનની ચિમકી આપી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે રાજ્યના પંચાયત વિભાગ હેઠળ નોકરી કરતા તલાટી, ક્લાર્ક, ગ્રામ સેવકો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, વેબ. ટેકિનિશ્યનો, નાયબ ચિટનીશ અને ફાર્માસિસ્ટ સહિતની વિવિધ કેડરોમાં સમાન લાયકાત ધરાવતા કર્મચારીઓનું પાંચમા પગાર ધોરણમાં સમાન ક્વોલિફિકેશન હોવા છતાં સમાન પગાર અપાતો નહીં હોવાથી આ વિસંગતાઓ દૂર કરવા મુખ્યમંત્રી, પંચાયતમંત્રી, સચિવો તથા હાયર ઓથોરિટીઝને રજૂઆતો કરવા છતાં ભાજપ સરકાર દાદ નહીં આપતી હોવાથી આંદોલનની તૈયારી કરી હોવાના તથા કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય, તેવા અહેવાલો પછી અને આ મુદ્દે સંબંધિત વિભાગોમાં સળવળાટ થયો હોવાના સંકેતો છે. જોઈએ હવે રાજ્ય અને દેશની રાજધાનીમાં બદલીઓનો દોર કયાં સુધી ચાલે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પ. બંગાળની આર જી કર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઘૂસી ગયા અને તોડફોડ કરી. એટલું જ નહીં, પ્રોટેસ્ટ કરી રહેલા તબીબોને માર્યા અને નર્સોને પણ ભાગવું પડ્યું કે સંતાઈ જવું પડ્યું, તે ઘટનાના દેશવ્યાપી પડઘા પડ્યા છે, અને સીબીઆઈને પ. બંગાળની આ જ હોસ્પિટલમાં એક મહિલા તબીબ પર દુષ્કર્મ કરીને હત્યા કરવાના આરોપોની તપાસ કોલકાતા હાઈકોર્ટે આપ્યા પછી અપરાધીઓ અને તેને છાવરવા માંગતા મોટા માથાઓએ જ આ હોસ્પિટલમાં તોડફોડ અને તબીબી કર્મચારીઓ તથા તબીબો પર હુમલો કરવા મોકલ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો મમતા બેનર્જીએ જુદો જ આક્ષેપ કર્યો છે.
પ. બંગાળની પોલીસે હોસ્પિટલમાં તોડફોડ કરનાર ડઝનેક લોકોને પકડીને સ્થાનિક કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે, તો પીડિતાનો પરિવાર, પ્રદર્શનકારી તબીબો તથા તેના એસોસિએશનો પોલીસ પર ઢીલી અને પક્ષપાતી કાર્યવાહીના આરોપો લગાવી રહી છે. બીજી તરફ હોસ્પિટલ પર હુમલાના દોષનો ટોપલો પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાબેરીઓ તથા ભાજપ પર ઓઢાળ્યો છે, અને તેણીએ કરેલું નિવેદન પણ વિવાદાસ્પદ બન્યું છે, જેમાં તેણીએ કહ્યું કે આ હુમલા પાછળ 'વામ અને રામ' જવાબદાર છે. ડાબેરીઓએ મમતા બેનર્જી પર વળતો શાબ્દિક હુમલો કર્યો, અને ભાજપે તો મમતા બેનર્જીના રાજીનામાની જ માંગણી કરી લીધી, પરંતુ પ. બંગાળની કોંગ્રેસે પણ હવે તૃણમુલ કોંગ્રેસની સરકારની ટીકા કરવાનું શરૂ કર્યું છે, જ્યારે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના આક્ષેપો સાથે આ ઘટનામાં 'રામ'ને ઢસડવાની શું જરૂર હતી, તેવા પણ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.
આઈએમએ એટલે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આવતીકાલે સમગ્ર દેશમાં હડતાલનું એલાન કર્યું હોવાથી તા. ૧૭ મી ઓગસ્ટે સવારે ૬ વાગ્યાથી ૧૮ મી ઓગસ્ટ સવારે ૬ વાગ્યા સુધી દેશભરમાં તબીબી સેવાઓ ખોરવાઈ જશે, અને તેમાં આ રાષ્ટ્રીય એસો.ના તમામ સંગઠનો જોડાનાર હોવાથી આવતીકાલે દેશભરમાં તબીબી સેવાઓ ઠપ્પ થઈ શકે છે, અને આજે કોઈ નક્કર એલાન નહીં થાય તો આવતીકાલે ૧૭ મી ઓગસ્ટે દેશમાં કલ્પના નહીં કરી હોય, તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેની અસરો દર્દીઓ તથા તેના પરિવારો પર પણ થવાની છે. બીજી તરફ આજે પણ આયુષ ડોક્ટરો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. જ્યારે જામનગર સહિતના જિલ્લાઓમાં જુનિયર, ઈન્ટર્નશીપ કરતા રેસિડેન્ટ ડોકટરો આજે હડતાલ પાડી છે.
ફોરડા પછી હવે આઈએમએ દ્વારા પણ હડતાલનું એલાન થયા પછી મમતા સરકાર પર ભીંસ વધી છે, તો આઈએમએ દ્વારા સેન્ટ્રલ ડોક્ટર્સ પ્રોટેક્શન એક્ટ પ. બંગાળમાં લાગુ કરવા તથા દવાખાના-હોસ્પિટલોને સેઈફ ઝોન જાહેર કરીને ત્યાં વિશેષ પરમેનેન્ટ બંદોબસ્ત ગોઠવવાની માંગણી કરી હોવાથી હવે કેન્દ્ર સરકાર સીધો હસ્તક્ષેપ કરશે, તેવી સંભાવનાઓ પણ વધી ગઈ છે.
મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને આત્મહત્યા ગણાવીને છાવરવાના પ્રયાસો પછી વિરોધ-પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોએ સ્થાનિક પોલીસ પર વિશ્વાસ નહીં હોવાથી સીબીઆઈ તપાસની માંગણી કરી હતી, જે ત્યાંની રાજ્ય સરકારે તત્કાળ નહીં સ્વીકારીને પોલીસને અઠવાડિયાનું એલ્ટિમેટમ આપ્યું, તે પછી કોલકાતા હાઈકોર્ટે કડક આદેશ કરતા સીબીઆઈને તુરત તપાસ સોંપાઈ, પરંતુ તે પછી તરત જ હોસ્પિટલ પર હુમલો કરીને કોમ્પ્યુટર્સ, સીસી ટીવી કેમેરા સહિતના સાધનોની તોડફોડ એક ટોળાએ કર્યા પછી પુરાવાનો નાશ કરવાનો આ પ્રયાસ હોવાની શંકા વધુ દૃઢ બની છે અને માંડ માંડ શાંત થયેલા સ્થાનિક આંદોલનકારી, તબીબોને ક્રમશઃ રાજ્ય અને સુરક્ષાના તબીબોનું સમર્થન દેશભરના તબીબોનું સમર્થન પ્રાપ્ત થયું છે, અને ફરી વધુ ઉગ્ર લડતના દેશવ્યાપી મંડાણ થયા છે.
એક તરફ હોસ્પિટલ પર હુમલાના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ રેપ-મર્ડરના મૂળ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, ત્યારે આઈએમએ દ્વારા દેશવ્યાપી હડતાલના એલાનની મુખ્ય માંગણીઓ પ્રત્યે પશ્ચિમ બંગાળની સરકાર આજે કેવું વલણ અપનાવે છે, અને કેન્દ્ર સરકાર સીધો હસ્તક્ષેપ કરે છે કે નહીં, તેના પર આવતીકાલની હડતાલનો આધાર રહેવાનો છે.
કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા જ લોકસભામાં 'પ્રિવેન્સન ઓફ વાયોલન્સ અગેઈન્સ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ એન્ડ ક્લિનિકલ એસ્ટામેન્ટ્સ બિલ-ર૦રર' રજૂ કર્યું હતું, જેને 'સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક્ટને તત્કાળ પ. બંગાળમાં લાગુ કરવાની ડોક્ટરો તથા હેલ્થસ્ટાફ-નર્સીંગ સ્ટાફની માંગણી છે.
જો કે એ બિલ કોઈ કારણે અધવચ્ચે લટકી ગયું હોવાથી જ પ. બંગાળની વર્તમાન ઘટના પછી ઈન્ડિયન મેડિકલ એસો.ને આ બિલ તત્કાળ લાગુ કરવાની માંગણી ઊઠાવતા હવે કેન્દ્ર સરકાર આ મુદ્દે કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું.
એવું કહેવાય છે કે કોરોનાકાળમાં મહામારી રોગ (સંશોધન) વટહુકમ-ર૦ર૦ માં આ બિલના મહત્તમ મુદ્દા સામેલ હોવાથી નવું વર્ષ ર૦રર નું બિલ અધવચ્ચે અટકી ગયું હતું.
મહામારી રોગ (સંશોધન) એટલે કે 'ધ એપિડેમિક ડિસીઝ (એમેડમેન્ટ) ઓર્ડિનન્સ-ર૦ર૦' નું સ્થાન તે પછી સંસદના બન્ને ગૃહોમાંથી પાસ થઈને અમલી બનેલા સુધારેલા કાયદાએ લીધું હતું, જેના હેઠળ તબીબોને રક્ષણ પ્રાપ્ત હોવાનો દાવો કરાયો હતો. તે પછી સરકારે વર્ષ ર૦રર નું બિલ અટકાવી દીધું હતું.
જો કે, હવે આઈએમએ દ્વારા અલગથી ડોક્ટર પ્રોટેક્શન એક્ટની માંગણી કરી હોવાથી આ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારો પણ આજે કોઈને કોઈ આશ્વાસન આપે, કે જાહેરાત કરે, તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
જામનગર સહિત દેશમાં ઘણાં સ્થળે એડવોકેટોની હત્યાઓ થયા પછી ડોક્ટરોની જેમ જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી દેશભરના વકીલો પણ કરી રહ્યા છે, અને આ મુદ્દો પણ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, જો કે આ અંગેનો મુસદે ઘડીને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કેન્દ્રના કાયદા મંત્રાલયને કદાચ ગયા વર્ષે જ સુપ્રત કરી દીધો હતો, અને કેન્દ્ર સરકારે તે અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની ખાત્રી પણ આપી હતી, તેથી ડોક્ટરો તથા વકીલો માટેના આ બન્ને કાયદાઓ સંસદ દ્વારા એવી રીતે લાગુ કરાય, કે તેનો અમલ રાજ્ય સરકારોએ પણ ફરજિયાત કરવો પડે, તે પ્રકારની માંગ પણ ઊઠી રહી છે, કારણ કે પ. બંગાળ સહિતની કેટલીક રાજ્ય સરકારો કેટલીક કેન્દ્રની યોજનાઓ તો લાગુ કરતી નથી, પરંતુ દેશના કાયદાઓના અમલ માટે પણ ઢીલાઢોળ કરતી હોવાથી આ પ્રકારની માંગણીઓ ઊઠી રહી હશે, તેમ કાનૂની નિષ્ણાતો માને છે. હવે નેશનલ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને ડોક્ટર્સ (હેલ્થસ્ટાફ) પ્રોટેક્શન એક્ટ્સનો દેશના ખૂણે ખૂણે અમલ કરવાના મુદ્દે કેન્દ્ર-રાજ્યોનું વલણ કેવું રહે છે, તે જોવું રહ્યું!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે, જેને આપણે ગૌરવપૂર્વક દર વર્ષે ઉજવતા આવીએ છીએ અને નાના ગામડા-કસબાઓથી દેશની રાજધાની દિલ્હી સુધી દેશવાસીઓ હર્ષોલ્લાસથી આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. દેશની આન, બાન અને શાન સમો તિરંગો રાષ્ટ્રધ્વજ ગગનમાં ગરિમાપૂર્વક ફરકી રહ્યો છે, અને દુનિયાભરમાં ફેલાયેલા પ્રત્યેક ભારતીયોની છાતી આજે ગજ-ગજ ફૂલી રહી હોય તે સ્વાભાવિક છે.
ગઈકાલે આઝાદદિન, ઈન્ડિપેન્ડસ ડે અથવા સ્વતંત્રતા (સ્વાતંત્ર્ય) દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને સંબોધન કર્યું, અને આજે સવારે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને ત્યાંથી દેશને વડાપ્રધાને સંબોધન કર્યું, તેની ચર્ચા પણ આજે દેશ-વિદેશમાં થઈ રહી છે, અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયેલા ધ્વજવંદનના કાર્યક્રમો દરમિયાન પણ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. આજે જામનગરનું જિલ્લાકક્ષાનું ધ્વજવંદન જામજોધપુરમાં યોજાયું હતું. દ્વારકાથી દિલ્હી સુધી બસ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ધૂમ મચી છે.
રાજનીતિને બાજુ પર મૂકીને વાત કરીએ, તો આપણો દેશ સ્વતંત્ર થયો, ત્યારથી જ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે, અને આવડા મોટા દેશમાં વિવિધતામાં એક્તા અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને પરંપરાઓ પણ જળવાઈ રહી છે. વખતોવખત દેશની જનતાએ જનાદેશો બદલીને કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પરિવર્તનો કર્યા છે, છતાં દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ અકબંધ રહ્યો છે. લોકતંત્ર હોવાથી મત-મતાંતરો હોય, પરંતુ દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે, ત્યારે ત્યારે આખો દેશ બધા મતભેદો ભૂલીને એકજુથ થઈ જાય છે, તે આપણે આઝાદી પછી લડેલા યુદ્ધો તથા કુદરતી આફતો સહિતના પડકારોના સમયે અનુભવ્યું જ છે ને?
આજના ગરિમામય દિવસે આપણે સ્વાભાવિક રીતે જ નવી આશાઓ, અપેક્ષાઓ તથા દેશનો ડંકો આખી દુનિયામાં વાગે, તેવા સપનાઓ સેવીએ, અને પ્રવર્તમાન પડકારો સામે વિજય મેળવીને આપણો દેશ પ્રગતિની હરણફાળ ભરે, તમામ વિટંબણાઓ દૂર થાય અને પ્રત્યેક દેશવાસીને સ્વસ્થ અને સુખી જિંદગી મળે, તેવી મંગલ કામનાઓ કરીએ.
એવા અહેવાલો હતાં કે સ્વાતંત્ર્ય પર્વે આતંકી હુમલાઓનો ખતરો હોવાથી એલર્ટ અપાયું છે. આપણે અપેક્ષા રાખીએ કે આ સ્થિતિમાંથી બહાર આવીએ, અને એવો સમય પણ આવે, જ્યારે આપણાં દેશના સ્વાતંત્ર્ય પર્વો પર કોઈ એલર્ટ આપવા ન પડે, કોઈ ખતરો નહોય, આપણાં દેશ સામે ઊંચી આંખ કરીને જોવાની કોઈ હિંમત જ ન કરે!
આતંકવાદ જ્યાંથી વકર્યો, તે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દીધી, પરંતુ આતંકી હુમલાઓ સતત થતા રહે છે અને તેના ખતરાની ઘંટડી દેશની રાજધાની સુધી વગડતી રહે છે. એવું ઈચ્છીએ આતંકવાદનો અંત આવે, અને દેશમાં પૂર્વવત સ્નેહ, પ્રેમ, ભાઈચારો અને અહિંસા-માનવતાની ભાવનાઓ પ્રસરે. જમ્મુ-કાશ્મીર પહેલાની જેમ પૃથ્વી પરનું સ્વર્ગ બને અને દુશ્મનો પરાસ્ત થાય...
જો આતંકવાદ પનપતો જ રહેવાનો હોય અને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર ભયના ઓથાર હેઠળ રહેવાનું હોય, એટલું જ નહીં, રોજ-બ-રોજ આપણાં વીર જવાનો અને સેનાના અધિકારીઓ શહીદ થતા રહે, તો કલમ ૩૭૦ હટાવવાનો શું ફાયદો? તેવા સવાલો ઊઠાવનાર લોકોની ભાવના પણ સમજવી પડે, અને ખૂબ જ ઝડપથી જમ્મુ-કાશ્મીર સહિતના આતંકગ્રસ્ત વિસ્તારો ભયમુક્ત થાય, તેવું આજના પાવન પર્વે ઈચ્છીએ.
દેશ આઝાદ થયો ત્યારે આપણાં વડવાઓએ જે સપના સેવ્યા હોય, તે સાકાર થાય અને દેશવાસીઓને પ્રવર્તમાન વિવિધ પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી ઝડપભેર મુક્તિ મળે, તેવી અભિલાષા રાખીએ...
ગાંધીજીએ સ્વાતંત્ર્ય મળ્યા પછી કહ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો, હવે તેને 'આબાદ' કરવાનો છે, તેને યાદ કરીને આજે પણ આ જ પ્રકારની અપેક્ષાઓ રાખવામાં આવતી હોય, તો આપણે બધાએ એ વિચારવું જોઈએ કે આઝાદી મળી તેને ૭પ વર્ષ થયા હોય અને અમૃત મહોત્સવ ઉજવાતો હોય, તેવા સમયે પણ આઝાદીકાળથી 'આબાદ' થવાની યાત્રા હવે ક્યારે પૂરી થશે?
દેશને આઝાદી અપાવવા અનેક દેભક્તોએ બલિદાનો આપ્યા છે. આજે સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અને આઝાદી પછી દેશની સુરક્ષા માટે શહીદી વ્હોરી લેનાર તમામ શહીદવીરો, પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરી દેનાર અને ઝઝુમનાર તમામ દેશભક્તો તથા તેઓના પરિવારોને સ્મરીયે અને તમામ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પીએ.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર આજના ગરિમામય પર્વે 'નોબત'ના પ્રિય વાચકો, 'નોબત'ની વિવિધ સોશ્યલ મીડિયા મારફત અપાતી સેવાઓ તથા વીડિયો સમાચાર વગેરેના દર્શકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત દેશ-વિદેશમાં વસવાટ કરતા તમામ ભારતીયોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવે છે... 'અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં... સર કટા શકતે હૈ લેકિન સર ઝુકા શકતે નહીં...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

એવા અહેવાલો છે કે ગુજરાત હાઈકોર્ટે વીઆઈપી કલ્ચર સામે લાલઆંખ કરી છે અને નિયમ વિરૂદ્ધ જઈને વાહનો પર લાલલાઈટ લગાવતા ઉચ્ચ અધિકારીઓને સબક શીખવ્યો છે. અદાલતે તત્કાળ લાલ લાઈટો હટાવવાનો આદેશ કર્યો છે, તેવા અહેવાલોએ ફરી એક વખત વીઆઈપી કલ્ચરની ચર્ચા જગાવી દીધી છે, તો બીજી તરફ સરકારે ફરજ પર લાંબા સમયથી હાજર નહીં રહેલા સવાસોથી વધુ શિક્ષકોને ઘરભેગા કરી દીધા હોવાનો મુદ્દો પણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એવા અહેવાલો છે કે રાજ્યભરમાં સર્વે કરાયા પછી મળેલી તાજી માહિતી મુજબ સતત ગેરહાજર જણાયેલા ૧૩૪ શિક્ષકોને સરકારે બરતરફ કરી દીધા છે, જો કે મોડે મોડે જાગેલી સરકારની ટીકા પણ થઈ રહી છે.
હકીકતે માત્ર શિક્ષણ વિભાગ જ નહીં, પરંતુ બીજા અનેક વિભાગોમાં આ જ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય છે, તેમાં પણ જેમાં વધુ ક્ષેત્રિય કામગીરી (ફિલ્ડવર્ક) રહેતું હોય, તેવા ઘણાં વિભાગોમાં તો ઘણી બધી ગરબડો થતી હોવાની વાસ્તવિક્તાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ અજાણ્યા નહીં જ હોય, પરંતુ 'તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ'ની નીતિ અપનાવાઈ રહી હોય તેમ જણાય છે.
ગુજરાત જ નહીં, દેશભરમાં સરકારી નોકરીઓમાં આ પ્રકારના એડજેસ્ટમેન્ટ ઠેર-ઠેર થતા જ હશે. 'નકલી'નો જમાનો છે. નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી ઓફિસરો અને નકલી એજન્સીઓ પછી હવે નાણાકીય ક્ષેત્રે પણ 'નકલીઓ'ની ઘૂસણખોરી વધી રહી છે. દુનિયામાં કેટલાક વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ પણ 'નકલી' હોઈ શકે છે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના બે-ત્રણ ડુપ્લીકેટ તેમણે પોતે જ પોતાની સુરક્ષા માટે રાખ્યા હોવાની વાતો ઘણી વખત થતી રહે છે. આવું જ વિશ્વના અન્ય કેટલાક દેશોના વડાઓ પણ કરતા હશે, પરંતુ તેવું છેતરપિંડી માટે નહીં, પણ સુરક્ષા માટે થતું હોવાથી ક્ષમ્ય છે!
સરકારી તંત્રોમાં પણ 'પ્રોક્સી'ના કર્મચારીઓથી કામ ચલાવવાના કારસા રચાતા હોય છે અને આ પ્રકારના કૌભાંડોમાં ઉચ્ચકક્ષા સુધીની ગોઠવણો થતી હોય છે. શિક્ષકોની જેમ જ ઘણાં અન્ય કર્મચારીઓ પણ લાંબા સમયથી રજા વગર ગેરહાજર હશે, કે વિદેશોમાં ફરતા કે રહેતા હશે, જેની ઊંડી તપાસ કરવી જરૂરી છે. એટલું જ નહીં, બાયોમેટ્રિક હાજરી પુરવા જેવા અદ્યતન ઉપાયો કોઈને ગમે કે ન ગમે, તો પણ કરવા જ જોઈએ. અન્યથા હવે આખેઆખા તંત્રો જ 'ભૂતિયા' થઈ જશે, તેવી આશંકા અસ્થાને નથી.
ગુજરાત સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કેટલી સ્થાવર મિલકત છે, તેની માહિતી કદાચ દર વર્ષે નિયત કરેલા ફોર્મેટમાં માંગે છે, પરંતુ તેની ખરાઈ કરવાની કદાચ કોઈ વ્યવસ્થા પણ નથી અને તંત્રોને ફૂરસદ પણ નથી. એમ પણ કહી શકાય કે 'હમામ મેં સબ નંગે હૈ'ની જેમ આ પ્રકારની કડક જોગવાઈઓનો રેલો ક્યાંક પોતાના જ પગની નીચે ન આવી જાય, તે માટે અમલીકરણ કરતા તંત્રો અને અધિકારીઓ આ પ્રક્રિયાને પરિણામલક્ષી કે પારદર્શક બનાવવાનું ઈચ્છતા નહી હોય, ખરૃં ને?
જો રાજ્ય સરકાર પોતાના તાબા હેઠળના તમામ સંવર્ગના કર્મચારીઓ તથા તેના સગા-સંબંધીઓના નામે હકીકતે કેટલી સ્થાવર અને જંગમ મિલકતો છે, તથા કેટલા વાહનો, શેરબજાર કે બચત ફંડોમાં રોકાણો છે અને જીવનધોરણ કેટલું ખર્ચાળ છે, તેની તપાસ એસીબી કે સીબીઆઈ જેવી એજન્સીઓ તથા તેના જેવું કામ કરતી અન્ય એજન્સીઓ પાસે બેવડા દોરે કરાવે, તો સંખ્યાબંધ અધિકારી-કર્મચારીઓ એવા નીકળે જેની આવક કરતા મિલકતો અનેકગણી વધુ હોય, જો કે ખેતી કે અન્ય ધંધા-રોજગારની પારિવારિક આવક વધુ હોય, તેવા કેટલાક કિસ્સા પણ નીકળે, પરંતુ 'સંખ્યાબંધ' એવા કિસ્સા મળી આવે, જેની જંગી આવક ક્યાંથી આવી તેની તપાસ કરવી જરૂરી જણાતી હોય!
અત્યારે તો એવો યુગ છે કે સરકારી નોકરી કરતા હોય કે તાજેતરમાં નોકરી મળી હોય તેવી વ્યક્તિઓને લોકો મોટાભાગે એવો પ્રશ્ન પૂછતા સંભળાય કે 'પગાર ઉપરાંત બીજું શું મળે?' મતલબ કે ઉપરની આવક, (ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કરીને) ટેબલ નીચેથી કેટલી કમાણી થાય?
આપણે ભ્રષ્ટાચારીઓ ગમતા નથી, પરંતુ આપણી વાત આવે ત્યારે ભ્રષ્ટાચાર કરતા, કરાવતા, લાંચ દેતા કે ગરબડ-ગોબાચારી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવાનું પણ સ્વીકારી જ લઈએ છીએ ને? સાચું કે' જો...
જો જનતા જાગૃત હોય તો ગામેગામ ચાલતી લાલિયાવાડીઓ જરૂર બંધ થઈ જાય, પરંતુ 'આપણે શું?' અને 'આપણને ક્યાં નડે છે?' જેવી નેગેટીવ ફિલોસોફી જ લોલંલોલને પ્રોત્સાહિત કરે છે, તે પણ નક્કર હકીકત જ છે ને?
સ્વમાનથી જીવવું, ગૌરવભેર વર્તવું અને ગરિમામય પ્રવૃત્તિઓ કરવી એ આવકારદાયક ગણાય, પરંતુ તેમાં ઘમંડ રાખવો, 'વીઆઈપી' માનસિક્તા રાખવી અને 'વટ' પાડી દેવાની મનોવૃત્તિ સાથે સિન-સપાટા કરવા, તે યોગ્ય નથી.
ગમે તેટલા મોટા નેતા, અધિકારી કે પદાધિકારી હોઈએ, પરંતુ જો વીઆઈપી કલ્ચરથી પીડાતા હોઈએ, ઘમંડને સદ્ગુણ માનતા હોઈએ કે જમીન છોડીને આકાશમાં ઊડ્યા પછી જમીન સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી જાય તેવી હરકતો કરતા કોઈએ ત્યારે ૫તનનો પવન ઝડપથી ફૂંકાવા લાગે છે, અને તેના દૃષ્ટાંતો પણ આપણી નજર સામે જ હોય છે, ખરૃં કે નહીં? સિસ્ટમ અને આપણી નિયત સુધરશે તો જ કલ્ચર સુધરશે, અન્યથા ભેંસ પાસે ભાગવત વાંચવા જેવું પરિણામ આવશે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં સરકારી સેવાઓના ક્ષેત્રે ગ્લોબલ ગોબાચારી ચાલી રહી છે અને કેટલાક સરકારી વિભાગોમાં ગુટલીબાજો ગુટલી અથવા ગુલ્લી મારતા હોય છે, અને તે માટે 'સિસ્ટોમેટિક સેટીંગ' પણ થતું હોય છે. ઘણાં જિલ્લા કક્ષાના અધિકારીઓ પોતાના આસિસ્ટન્ટ તથા ઉપરી અધિકારી સાથે સેટીંગ કરીને એકાંતરા હાજરી આપીને 'અપડાઉન' કરતા હોય છે, તો કેટલાક ખાતાઓમાં 'ટૂર' બતાવીને અઠવાડિયે એકાદ આંટો મારવાની પ્રથા પણ હવે વધી રહી છે. આ પ્રકારના જિલ્લા કક્ષાના અધિકારીઓનું નિયંત્રણ તેના તાબા હેઠળ કાર્યરત કચેરીઓ તથા કર્મચારી પર કેવું રહેતું હશે, તે સમજી શકાય તેવું છે. હેડક્વાર્ટર પર જ રહેવાનો સરકારી નિયમ તો હવે માત્ર કાગળ પર જ રહી ગયો છે, અને પોતાનો હક્ક માનીને અપડાઉન કરતા અધિકારી-કર્મચારીઓ પૈકી ઘણાં હવે ગુટલીબાજીને પણ પોતાનો અધિકાર સમજીને દાદાગીરી કરતા હોવાના કિસ્સાઓમાં પણ તેના ઉપરી અધિકારીઓ કે નિયંત્રકોની પોતાની અનિયમિતતા જ જવાબદાર હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં પોલિટિકલ પ્રેસર, હપ્તાખોરી કે ખુલ્લી દાદાગીરી પણ કારણભૂત હોય છે.
'છીંડે ચડ્યો તે ચોર' એવી એક કહેવત છે, તે મુજબ ગુજરાતના શિક્ષણ વિભાગમાં ચાલતા લોલંલોલની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને તેમાં પણ વિદેશમાં રહેતા એક શિક્ષિકાની નોકરી ગુજરાતની સરકારી સ્કૂલમાં ચાલુ હોવાની ચર્ચા પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો અને તેની ચોખવટ પણ ખુદ શિક્ષણમંત્રીએ કરવી પડી છે.
આ મુદ્દો ઉછળ્યા પછી ગુજરાતની સરકારી અને મહાપાલિકાઓ સંચાલિત સ્કૂલોમાં લાંબા સમયથી રજા પર કે રજા વગર ગેરહાજર રહેલા શિક્ષકોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે, અને સતત ત્રણ મહિનાથી વધુ ગેરહાજરી ધરાવતા ૧૭ જિલ્લાના ૩૧ શિક્ષકો જ્યારે ૩ર શિક્ષકો વિદેશમાં (રજા મંજુર કરાવીને કે રજા વગર?) ગયા હોવાથી તેની સામે નિયમાનુસાર પગલાં લેવાશે, તેવું જાહેર કરાયું છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આ પ્રકારના જડ નિયમો સુધારવાની પહેલ સરકાર કેમ કરતી નથી? બીસીએસઆરના અંગ્રેજી સલ્તનતની અસર ધરાવતા નિયમોનું માત્ર નામ બદલીને જીસીએસઆર કરી દેવાથી નહીં ચાલે, તેમાં વર્તમાન યુગને અનુરૂપ ફેરફારો પણ કરવા પડશે, તેવી જન-પ્રત્યાઘાતોને પણ લક્ષ્યમાં લેવા જ પડે તેમ છે ને?
હવે તો જિલ્લાવાર ગુટલીબાજ શિક્ષકો, રજા વગર ગેરહાજર રહેલા શિક્ષકો, બોગસ શિક્ષકો, લાંબી રજા પર રહેલા શિક્ષકો, નોટીસો બજાવવા છતાં ગેરહાજર રહેતા શિક્ષકો, સતત ગેરહાજરી કે રજા ન ગણાય, તે માટે વચ્ચે વચ્ચે છૂટક હાજરી પુરાવીને નિયમોની છટકબારીઓનો લાભ ઊઠાવતા શિક્ષકો તથા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ફરજ પરથી દિવસો સુધી ગાયબ રહેવાની ટેવ ધરાવતા શિક્ષકોની સારણી (યાદી) બનાવઈ રહી હોવાની ચર્ચા પછી શિક્ષકગણમાં ફફડાટ પણ વ્યાપ્યો છે. આ પ્રકારના શિક્ષક ભાઈ-બહેનોની એકંદરે ટકાવારી કદાચ સિંગલ ડિજિટમાં હોવા છતાં તેના કારણે નિષ્ઠાપૂર્વક, નિયમિત અને જાહેર રજાઓના દિવસે પણ હેડક્વાર્ટરમાં ઉપલબ્ધ રહેતા શિક્ષક ભાઈ-બહેનોના બહોળા સમુદાયને પણ કલંક લાગી રહ્યું છે અને સૂકા સાથે લીલું બળી રહ્યું છે, તેમ નથી લાગતું? કેટલાક વર્તમાન અને નિવૃત્ત શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવાઓ પણ કરી રહ્યા છે, તેની નોંધ લેવી જ પડે ને?
ગ્રામ્ય અને હવે તો શહેરી વિસ્તારોમાં પણ 'પ્રોક્સી' શિક્ષકોથી કામ ચલાવાતું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. ક્યાંક મધ્યાહ્ન ભોજનના સંચાલક તો ક્યાંક શિક્ષકના પરિવારજન કે મિત્ર દ્વારા બાળકોને (ગેરહાજર, શિક્ષકના સ્થાને) શિક્ષણ અપાતું હોવાનું અને તે 'ચલાવી' લેવા માટે સિસ્ટોમેટિક સેટીંગ થતું હોવાનું હવે તો 'ઓપન સિક્રેટ' બની ગયું છે, ખરૃં કે નહીં?
ગુજરાતમાં કેટલી ભૂતિયા શાળાઓ, કેટલા ભૂતિયા વિદ્યાર્થીઓ અને દરરોજ ખુલતી ન હોય, તેવી શાળાઓનો સ્વતંત્ર સર્વે થાય તો ચોંકાવનારા આંકડા બહાર આવી શકે છે.
ગુજરાતમાં શિક્ષક તરીકે નોકરી ચાલુ બતાવીને ભલે કપાત પગારથી રજા બતાવાતી હોય, પરંતુ જો આ પ્રકારની ગેરહાજરી લાંબો સમય સુધી રહે તે તેની માઠી અસરો તે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે તે સ્વાભાવિક છે, ત્યારે એક વર્ષ સુધી ગેરહાજરીને 'નિમાનુસાર' ગણી લેવાની જો કોઈપણ જોગવાઈ કરાઈ હોય તો તે કોઈપણ રીતે યોગ્ય નથી અને નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાથી ગેરબંધારણીય પણ છે, તેમ ન માની શકાય?
જ્યારે આ પ્રકારે વિદેશમાં વસાવટ કરતા શિક્ષકો કે અન્ય કર્મચારીઓની નોકરી ગુજરાતમાં ચાલુ રાખીને ઘણાં લાંબા સમય સુધી તેઓને 'રજા' પર બતાવાતા હોય, તો તે કોઈપણ રીતે યોગ્ય નથી, જો કે વર્ષ ર૦૦૬ ના નોટીફિકેશનના સંદર્ભે જાગેલી ચર્ચા પછી રાજ્યના શિક્ષણ મંત્રીએ જે ચોખવટ કરી અને કડક કદમ ઊઠાવવાની વાત કરી છે, તેનો અમલ થશે અને નિયમ-કાયદાઓની છટકબારી બંધ કરાશે, તેવી આશા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ફરી એક વખત હિંડનબર્ગે બુચ ફેમિલી તથા અદાણીઝને સાંકળીને બોમ્બ ફોડ્યો છે, અને ગઈકાલથી જ આ મુદ્દે સિયાસત તથા શેરબજાર પર કેવી અસરો પડશે, તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. આ વખતે એક્શન સાથે ત્વરીત રિએક્શન આવ્યું હોવાથી અટકળો અને વિવિધ આશંકાઓ પણ કસોટીની એરણે ચઢી હોય, તેમ અભિપ્રાયો બદલાઈ રહ્યા હતાં,તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને રાહુલ ગાંધીએ આ માટે જેપીસી તપાસની માંગ ઊઠાવી છે, પરંતુ છેલ્લા દસ વર્ષની 'મજબૂત' સરકાર હવે 'મજબૂર' સરકાર બની ગઈ હોવાની ચર્ચાએ અવધારણાઓ તથા આશંકાઓની આગમાં જાણે ઘી હોમવાનું કામ કર્યું હોય તેમ નથી લાગતું?
હાલાર સહિત સૌરાષ્ટ્રમાં આંખ ઊઠવાની બીમારી વધી રહી છે જેને કન્ઝકરિવાઈટિસ પણ કહે છે. સરકારી આરોગ્ય તંત્રો તથા કેન્દ્રો આ અંગે એલર્ટ રહે તે જરૂરી છે અને આ રોગચાળો ફેલાતો અટકાવવા તંત્ર લોકોને પણ સતર્ક કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય ક્ષેત્રે પણ મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીઓને લઈને 'અખિયાં મિલાકે... અખિયાં ચૂરાકે' જેવો રાજકીય રોગચાળો ફેલાવા લાગ્યો છે. તેનો વાયરસ પણ કોરોનાના વાયરસની જેમ દિન-પ્રતિદિન સ્વરૂપો બદલી રહ્યો જણાય છે. આ રોગચાળાના રાજ્યવાર વાયરસની અલગ-અલગ પ્રકારની અસરો પણ જુદા જુદા રંગરૂપ ધારણ કરી રહી છે અને ઘણાં લકો આ મુદ્દે ઉપહાસ કરી રહ્યા છે અને કેટલાક 'ઢોલક' બન્ને તરફ વાગી રહ્યા છે, તેથી કુરુક્ષેત્રનું યુદ્ધ અને છત્રપતિ શિવાજી ફેઈમ છાપામારીના ઐતિહાસિક સામર્થ્યો પુનઃ જાગૃત થઈ રહ્યા હોય તેવા ઘટનાક્રમોની હારમાળાઓ સર્જાઈ રહી છે.
એવું કહેવાય છે કે, 'વકફ' સુધારા બિલ લોકસભામાં પસાર કરવા એનડીએ સરકારે પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી અને આ બિલ લોકસભામાં રજૂ થવાનું હતું, તે જ દિવસે સવારે એનડીએ સરકારની એક લાઈફલાઈનમાંથી વોર્નિંગ એલાર્મ વાગ્યું, તો બીજી લાઈફલાઈન પણ લાલ સિગ્નલ આપવા લાગી હતી, તેથી જ પીછેહઠ કરીને કિરણ રિજ્જુએ આ બિલ રજૂ કર્યા પછી જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો, કારણ કે જો તે દિવસે 'ડિવિઝન' એટલે કે આ બિલ પર ગૃહમાં મતદાન થયું હોત, તો નાયડુ-નીતિશના સાંસદો સમર્થન ન કરે, તો બિલ જ ઊડી ગયું હોત અને સરકાર પણ કાયદેસર રીતે લઘુમતીમાં આવી ગઈ હોત! આમ, દસ વર્ષથી મજબૂત ગણાતી મોદી સરકાર હવે મજબૂર સરકાર બની ગઈ છે, તેવું નથી લાગતું?
હવે તો ટીકાકારો ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી પર પણ કટાક્ષ કરવા લાગ્યા છે અને એવી ટકોર થઈ રહી છે કે, 'મગરૂર'ને હટાવીને 'મૃદુ' શાસન ભલે આવ્યું હોય, પરંતુ હજુ પણ બધું ઠીકઠાક નથી... રિમોટ કંટ્રોલથી ચાલતી ડબલ એન્જિનની સરકારોનું મુખ્ય એન્જિન નબળું પડે, તો બીજા એન્જિનને તો જોર કરવું જોઈએ ને?
ગઈકાલે બનેલી દિલ્હીની રાજનીતિને લગતા સમાચારો પણ હેડલાઈન્સમાં રહ્યા હતાં અને સિસોદિયાની સટાસટીની ચર્ચા થઈ રહી હતી, તેવામાં હરિયાણાના મુખ્યમંત્રીની હાજરીમાં જ દિલ્હીના એક નેતા ભાજપમાં જોડાયા અને તેને બે-ત્રણ કલાકમાં જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તે સમાચારો તો ટોક ઓફ ધ નેશન બન્યા હતાં અને વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં પણ કેટલી હદે લોલંલોલ ચાલે છે, તેની ચર્ચાઓ થવા લાગી હતી. હકીકતે આમ આદમી પાર્ટીની સરકારમાંથી જે મંત્રીને પાંચ-છ વર્ષ પહેલા કેજરીવાલે ગંભીર આરોપો હોવાથી તગેડી મૂક્યા હતાં, તેને જ ભાજપે પાર્ટીના સભ્ય બનાવી લીધા હતાં!!
આ ચોખવટ થઈ પછી ભલે ભાજપે તે વિવાદાસ્પદ નેતા પર કેટલીક પોતાની વિગતો છૂપાવવાનો આક્ષેપ કર્યો હોય, પરંતુ દેશમાં તે પછી ભારતીય જનતા પક્ષમાં ચાલતો 'આડેધડ ભરતી મેળો' અને ચૂંટણીઓ જીતવા માટે 'સેલ્ફ ગોલ' થઈ જાય, તેટલી હદે નિમ્નકક્ષાની રીતિનીતિ અપનાવવાના આક્ષેપો અને તેની સામે અપાતા જવાબોએ હરિયાણા-દિલ્હીની રાજનીતિની પોલ પણ ખોલી નાંખી હતી.
બીજી તરફ ક્રિમીલેયરના મુદ્દે ખડગેએ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. હકીકતે કેન્દ્રિય મંત્રી મેઘવાલે એવી ચોખવટ કરી છે કે ક્વોટાની અંદર ક્વોટાની સુપ્રિમકોર્ટે માત્ર ટિપ્પણી કરી છે, અને રાજ્યો ઈચ્છે તો તેનો અમલ કરી શકે છે. આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી. આદેશ અને ટિપ્પણીમાં તફાવત છે... હવે આ સર્વોચ્ચ અદાલતમાં ફરીથી આ મુદ્દો જશે કે મોદી સરકાર કોઈ વટહુકમ બહાર પાડશે, તે અંગે મત-મતાંતરો વચ્ચે મજબૂતાઈનું સ્થાન હવે મજબુરી લઈ હોવાથી તેની અસરો હેઠળ આગામી કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને તે પહેલા પેટાચૂંટણીઓમાં ભાજપ રિવાઈસ કરશે કે વળતા પાણી થવાની ગતિ વધશે, તે જોવાનું રસપ્રદ રહેશે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર હોય કે દિલ્હી હોય, હાલાર હોય કે હિમાલય હોય, ગીરનું જંગલ હોય કે દરિયા-નદી-તળાવોના પટ હોય, ચોતરફ ગેરકાયદે બાંધકામો થતા રહે છે, અને તેને કાયદાની ભાષામાં 'એન્ક્રોચમેન્ટ'એટલે કે 'દબાણ'કહેવામાં આવે છે. આ પ્રકારના સ્થાયી અથવા કાયમી દબાણોમાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે. ઘણી વખત આપણે લોકોને સળતાથી સમજાય, તે માટે ગેરકાયદે 'દબાણો' એવો શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ કાનૂની ભાષામાં એન્ક્રોચમેન્ટે એટલે કે દબાણો હંમેશાં ગેરકાયદેસરના જ હોય. જો મંજુરી લેવામાં આવી હોય અને નડતરરૃપ હોય, તો તેને દબાણ જ કહેવાય નહીં, પરંતુ તેને કાયદાની અલગ જોગવાઈઓ લાગુ પડે. ખરું ને ?
જો કે, કેટલાક સરકારી યુનિટો, જાહેર સાહસો, સરકારી કચેરીઓ કે તંત્રો દ્વારા પણ જો લોકોને અસુવિધા થાય, તેવી રીતે કોઈપણ કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવે કે પછી કોઈ સરકારી હેતુઓ માટે કોઈપણ સ્ટ્રકચર (માળખું) કે બાંધકામ એવી રીતે કરવામાં આવે, કે જેથી મોટા જનસમુદાયની મૂળભૂત સુવિધાઓ ઝુંટવાઈ જાય, લોકો હેરાન-પરેશાન થઈ જાય કે સામાન્ય લોકોને કાયમી ધોરણે મોટું નુકસાન વેઠવું પડે તેમ હોય તો તેને 'કાયદેસરનું દબાણ' ગણવું, તંત્રની તિક્કડમબાજી ગણવી, સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે સરકાર વહીવટદાર, ઓથોરિટી, સત્તામંડળની જોહુકમી ગણવી તે મુદ્દે વ્યાપક ચર્ચાની જરૃર છે, તેમ નથી લાગતું ?
તાજેતરમાં એક ઉચ્ચ અદાલતે તળાવો-નદીનાળા-જળાશયો-સરોવરો-બુરીને થતાં કાચા-પાકા બાંધકામો સહિતના દબાણો સામે લાલ આંખ કરી હોવાના અહેવાલો હતાં. દેશને આઝાદી મળી, તે પહેલા રાજા-રજવાડાઓ તથા બ્રિટિશ શાસનમાં જે મોટા તળાવો, વાવો, સરોવરો તથા જળાશયોનું દીર્ધદૃષ્ટિથી નિર્માણ થયું હતું, તે પૈકીના આઝાદી પછી કેટલા બુરાઈ ગયા અને આઝાદી પછીની સ્વતંત્ર ભારતની સરકારોએ નિર્માણ કરેલા આ જ પ્રકારના કેટલાક તળાવો-જળાશયો બુરીને તેના પર બાંધકામો થઈ ગયા, તેનો જો પારદર્શક અને તદ્દન તટસ્થ સર્વે કરવામાં આવે તો ચોંકાવનારા તથ્યો બહાર આવે તેમ છે અને 'ટોપ ટુ બોટમ' શાસકો-પ્રશાસકોની લોલંલોલ અને પોલંપોલ ખુલ્લી પડી જાય તેમ છે. તેથી જ કોઈપણ રાજય કે કેન્દ્રની સરકાર આ પ્રકારનો સર્વે કરવાની હિંમત દાખવી શકે તેમ નથી.
જામનગરમાં દરબારગઢ, શાક માર્કેટ, બર્ધનચોક અને માંડવી ટાવરના વિસ્તારોમાં રેંકડીઓ તથા પથારાવાળાઓના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અને તેના કારણે હોબાળો થાય, પછી પાલિકાનું તંત્ર દોડે છે. કેટલાક લારીઓ, પથારાવાળાઓની ચીજ-વસ્તુઓ વગેરે જપ્ત કરવામાં આવે છે અને નિયમાનુસાર કાર્યવાહી કરાઈ હોવાની તસ્વીરો અખબારોમાં ફોટોગ્રાફરો-મીડિયાના કેમેરામેનોને બોલાવીને પ્રસિદ્ધ અને પ્રકાશિત કરવામાં આવે છે, અને તે પછી થોડા દિવસો વીતી જતાં જ ફરી 'જૈસેથે' સ્થિતિ ઊભી થઈ જાય છે, અને ફરીથી એ જ નાટક ભજવાય છે. આ સમયે એવી દલીલો પણ સાંભળવા મળે છે કે આ હંગામી દબાણો હોબાળો થયા પછી હટાવવાની તાલાવેલી દેખાડતા તંત્રો કેટલાક કાયમી અને મજબૂત પ્રકારના બાંધકામો સામે આંખ મિચામણા કેમ કરે છે? મોટી મોટી કંપનીઓ, શોપીંગ સેન્ટરો, મોલ્સ, રેસ્ટોરન્ટો વગેરે દ્વારા પોતાના પ્રચાર માટે કે લોકોને આકર્ષવા માટે ફૂટપાથો દબાવીને ખડકાતા હોર્ડીંગ, બોર્ડ, ટેબલ-ખુરશી કે વેંચાણ કરવાની વસ્તુઓ જપ્ત કરી લેવા તંત્રો કેટલી વખત નીકળે છે ?
નગરના કેટલાક ચોક્કસ વિસ્તારોની આ પ્રકારની કાયમી સમસ્યાઓમાં હિતોનો ટકરાવ પણ છુપાયેલો હોય છે. રેંકડી-પથારાવાળાઓ આડા ઊભી જતાં તે વિસ્તારના દુકાનદારોની ઘરાકી ઘટી જતી હોય છે, તેથી તેની રોજગારીનો પ્રશ્ન તથા સડક પર રેંકડી-પથારા, ફેરી કરીને પેટિયુ રળતા (ગુજરાન ચલાવતા) લોકોની રોજગારીનો પ્રશ્ન સામસામે ટકરાય છે, તેથી મનપા દ્વારા 'નોન હોકીંગ' ઝોન જાહેર કરવાની સાથે સાથે દુકાનદારોને નડે નહીં, તેવી રીતે કોઈ હોકીંગ ઝોન આ ચોક્કસ વિસ્તારોની નજીકમાં જ કયાંક ઊભા કરીને આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ કરવો જોઈએ તેમ નથી લાગતું ?
બે દિવસ પહેલાં જ (એક વખત ફરીથી) બર્ધનચોક અને સુભાષ માર્કેટ, પાસેથી કેટલીક રેંકડી અને પથારા જપ્ત કર્યા હતાં. તે પહેલાં માંડવી ટાવરથી શાકમાર્કેટ સુધીના વિસ્તારોના તમામ વેપારીઓએ બાઈક રેલી કાઢીને કલેકટરને આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું. હવે ઉભય પક્ષોની રજૂઆતો સાંભળીને મનપાના શાસકોએ 'રાજધર્મ' બજાવવો જોઈએ અને તંત્રે તેમાં તાલમેલ જાળવવો જોઈએ, તેમ નથી લાગતું ?
અમદાવાદમાં વાહનો અને શટલ રિક્ષાઓને લઈને હાઈકોર્ટે કરેલી ટિપ્પણી કદાચ જામનગર સહિતના રાજ્યના તમામ શહેરો તથા દ્વારકા-સોમનાથ જેવા યાત્રાધામોને પણ અંશતઃ કે સંપૂર્ણપણે લાગુ પડે છે, જેમાં તેમણે શટલ રિક્ષાઓના આડેધડ પાર્કીંગ, ટ્રાફિકને અડચણ અને નિયમોની ઐસીતૈસી કરવાના મુદ્દે તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે. અદાલતે કહ્યું કે ઘણી શટલ રિક્ષાઓમાં પોલીસકર્મીઓએ રોકાણ કરેલું હોય છે અને આ પ્રકારની રિક્ષાઓને કોડવર્ડથી ઓળખવામાં આવે છે અને તેની સામે નિયમભંગ, નફાખોરી કે મુસાફરો કે અન્ય તંત્રો-કર્મચારીઓ સાથે દાદાગીરી કરે તો પણ કોઈપણ પગલાં લેવામાં આવતા હોતા નથી. હાઈકોર્ટે આ ટિપ્પણીઓ 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'ની એક સુનાવણી દરમિયાન કરી હતી જેની નોંધ રાજ્યના તમામ શહેરોએ લેવા જેવી છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અદ્યતન ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. સંદેશા વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે પળવારમાં તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો, મેઈલથી પત્ર મોકલી શકો છો કે પછી વ્હોટ્સએપથી ડોક્યુમેન્ટ્સ મોકલી શકો છો. ઘરે બેઠાં બેઠાં શોપીંગ કરી શકો છો, નાસ્તા-ભોજનનો ઓર્ડર કરી શકો છો અને નેટ બેન્કીંગ દ્વારા ઓનલાઈન નાણાકીય વ્યવહારો પણ ગણત્રીની સેકન્ડો કે મિનિટોમાં કરી શકો છો ! સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ તસ્વીરો, વીડિયો અને તમારા વિચારો પોષ્ટ કરી શકો છો અને કોઈપણ મુદ્દે ગ્રુપ રચીને પબ્લિક ઓપિનિયન પણ હેઝ-ટેગના માધ્યમથી મેળવી શકો છો. ટૂંકમાં સંચાર-વ્યવહાર, સંદેશા વ્યવહાર અને નાણાકીય વ્યવહારો ખૂબ જ ઝડપી બની ગયું છે. વીડિયો કોન્ફરન્સ, ફોન કોન્ફરન્સ અને વીડિયો કોલની સુવિધાના કારણે વિશ્વ જાણે કે વિરાટ ગામડુ બની ગયું છે... ગ્લોબલ વિલેજ...!
જૂના જમાનામાં રંગભૂમિ પર નાટકોનું મંચન થતું સરકસો અને કઠપૂતળીના ખેલ, ભવાઈ, ઢાઢીલીલા, રામલીલા, લોકડાયરા, સંતવાણી, કથાઓ તથા શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખેલસ્પર્ધાઓ-ટેડિશ્નલ મીડિયા દ્વારા લોકો મનોરંજન મેળવતા તે પછી ફિલ્મોનો યુગ આવ્યો. પહેલા માત્ર થિયેટરોમાં જઈને જ ફિલ્મો જોવી પડતી, તે ટેલિવિઝનના માધ્યમથી ઉપલબ્ધ બની અને હવે સેલફોનમાં પણ નિહાળી શકાય છે. લોકગીતો, ફિલ્મગીતો, વગેરે સાંભળવા તથા માહિતી-મનોરંજન માટે રેડિયો ઉત્તમ માધ્યમ હતું, તે પછી ગ્રામોફોન રેકર્ડઝનો યુગ પણ આવ્યો હતો, અને ટેપ-રેકોર્ડર દ્વારા ગીત-સંગીત સાંભળવાનો પણ એક યુગ હતો, જે પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ઉપલબ્ધ છે.
જો કે, આપણાં દેશમાં ઉકત તમામ માધ્યમો હજુ પણ ઉપલબ્ધ અને પ્રચલીત છે, પરંતુ મોબાઈલ સેલફોનમાં ફિલ્મો નિહાળવી, ગીતો સાંભળવા, સતત ચેટીંગ કરવું અને ઓનલાઈન મનોરંજનનો ક્રેઝ વધી રહ્યો છે અને ધીમે ધીમે એટલો વધી ગયો છે કે અબાલવૃદ્ધ ઘણાં બધા લોકો જ્યારે જૂઓ ત્યારે મોટાભાગે મોબાઈલ સેલફોન દ્વારા કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે, આ કારણે વયોવૃદ્ધ લોકો ઘણી વખત ટકોર પણ કરતા સંભળાય છે કે ચોવીસેય કલાક મોબાઈલમાં જ મોઢું હોય, તો આજુબાજુની દુનિયાની કયાંથી ખબર હોય?.
આ પ્રકારની સતત થતી પ્રવૃત્તિનો બિનજરૂરી વ્યાપ વધતા તેના માઠા પરિણામો પણ આવી શકે છે. કાનમાં ઈયરફોન, હેન્ડ ફ્રી ભરાવીને ચોવીસેય કલાક 'મસ્ત કે વ્યસ્ત'રહેતા લોકો અને ખાસ કરીને યુવાવર્ગ માટેે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે ચેતવણી જાહેર કરી છે અને સંભાવનાઓ વ્યકત કરી છે, તે ઘણી જ ચિન્તાજનક અને ચોકાવનારી છે. ડબલ્યુએચઓએ જે અંદાજ મૂકયો છે, તેનો અર્થ, તો એવો થાય કે થોડા દાયકાઓ પછી દુનિયાનો યુવાવર્ગ તદ્દન બહેરો જ થઈ જશે !
ઈયર ફોન, ઈયર બડ, હેન્ડ ફ્રી વગેરે સાંભળવાના ઉપકરણોનો ઉપયોગ એટલો વધી ગયો છે કે યુવાનોને આજુબાજુનું કાંઈ જ સંભળાતું નથી અને દુનિયાથી જાણે અલિપ્ત જ હોય, તેવો તેનો વ્યવહાર થવા લાગે છે, પરંતુ ડબલ્યુએચઓની ભવિષ્યવાણી એવી છે કે આ પ્રકારનું કોઈપણ ઉપકરણ કાનમાં ભરાવેલું નહીં હોય, તો પણ લોકો બહેરા થઈ ગયા હશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક વોર્નિંગ રિપોર્ટ જાહેર કરાયો છે. 'મેક હિયરીંગ સેફ ગાઈડલાઈન્સ'માં એવો અંદાજ લગાવાયો છે કે વર્ષ-ર૦પ૦ સુધીમાં દુનિયાના ૧૦૦ કરોડ એટલે કે એક અબજથી વધુ બહેરાશ ૧ર વર્ષના કિશોરોથી લઈને ૩પ વર્ષના યુવાનોમાં આવી ગઈ હશે. આ ગાઈડ લાઈન્સ મુજબ આપણી 'સાંભળવાની ખરાબ આદતો' તથા ઉપકરણોના બિનજરૂરી તથા અયોગ્ય ઉપયોગના કારણે આ પ્રકારની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.
આ ગાઈડલાઈન્સનો રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે અત્યારે જ આ વયજૂથના લગભગ પ૦ કરોડ લોકો વિવિધ કારણે સાંભળવાની તકલીફ અથવા બહેરાશથી પીડાઈ રહ્યા છે, અને તેમાંથી ચોથા ભાગના લોકો હેડફોન, ઈયરફોન, ઈયરબડ, હેન્ડ ફ્રી વગેરે ઉપકરણો દ્વારા મોટા અવાજે કાંઈકને કાંઈક સાંભળવાની આદત ધરાવે છે, તો ઘણાં હોટલ-રેસ્ટોરન્ટો-મનોરંજનના સ્થળો, કલબો, મેળાઓ, થિયેટરો, બાર ડાન્સ કલાસીઝ, જાહેર કાર્યક્રમોમાં ખૂબ જ મોટા અવાજે ગીત-સંગીત વગાડવા, સાંભળવા અને ઘોંઘાટીયા નાચ-ગાન દરમિયાન પણ કાનને હાનિકર્તા ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે, જેનો સતત ઉપયોગ અને તેને સાંભળવાથી કાયમી બહેરાશ આવી શકે છે.
આપણા રાજ્ય અને દેશમાં માન્ય વેલ્યુમના નિયમોનું કોઈ પાલન થતું નથી, અને તેના ઉપયોગની સમયમર્યાદા પણ ધ્યાને રખાતી નથી, તેથી કયારેય મટી ન શકે તે પ્રકારની કાયમી બહેરાશ આવી શકે છે, કારણ કે ઉચ્ચ આવર્તનના જ્ઞાનતંતુઓને જ મોટું નુકસાન થતાં તેનો કોઈ નક્કર ઉપચાર થઈ શકતો નથી. તદ્દન બહેરા થઈ જવું કોઈને ગમતું હોતું નથી અને બહેરા લોકો પણ કોઈને ગમતા હોતા નથી. કાનના ટેડિયા પણ કાયમી ઉપાય કે સંતોષ આપતા નથી, તેથી ચેતજો.... સાવધાન રહેજો... કયાંક બહેરા થઈને બધાને અણગમતા ન થઈ જઈએ... જોજો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દ્વારકા અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય પૂ. સ્વામી સ્વરૂપાનંદજી બ્રહ્મલીન થયા પછી દ્વારકાના શંકરાચાર્ય પદે પૂ. સ્વામી સદાનંદજી પીઠાધિશ બન્યા છે, અને પૂ. અવિમુક્તેશ્વરાનંદજી જ્યોતિર્મઠના શંકરાચાર્ય બન્યા છે. ગુજરાતના મહિલા સાંસદે સંસદમાં ઊઠાવેલા ગૌરક્ષાના મુદ્દાને અવિમૂક્તેશ્વરાનંદજીએ સમર્થન આપ્યું હોવાના અહેવાલો પછી દેશમાં ગૌરક્ષાનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવી ગયો છે, અને મહિલા સાંસદે સંસદમાં કરેલી ધારદાર રજૂઆતની ચોમેર પ્રશંસા પણ થઈ રહી છે.
ગુજરાતના મહિલા સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો જે રીતે ઊઠાવ્યો અને પાર્ટીલાઈનથી ઉપર ઊઠીને આ પ્રકારની રજૂઆત કરી છે. સૌને ચોંકાવી દીધા જ હતાં, પરંતુ તેણીએ આ માંગણી ઊઠાવવાની સાથે સાથે બીજું જે કાંઈ કહ્યું તેના પણ ગુજરાતમાં વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એકંદરે આ રજૂઆત પછી ગેનીબેન ઠાકોરે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે પણ આ મુદ્દે ગેનીબેન ઠાકોરે જે વાયદો કર્યો હતો, તેનું પાલન કર્યું છે, તેથી તેઓ માત્ર પોતાના મતવિસ્તારના જ નહીં, પરંતુ દેશના ૧૦૦ કરોડ સનાતનધર્મીઓના પણ લીડર બની ગયા છે, વિગેરે...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી, પરંતુ વર્ષ ર૦ર૪ માં ભાજપના ગઢમાં ગાબડું પાડીને ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. ગેનીબેને ચૂંટણી પહેલા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના પ્રયાસો કરવાનું વચન આપ્યું હતું, તેનું પાલન કરી બતાવ્યું અને બેધડક રીતે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગણી કરી, તેની શંકરાચાર્યજી ઉપરાંત પણ ઠેર-ઠેરથી આવકાર સાંપડી રહ્યો છે, તેથી ગેનીબેનને ગૌપ્રેમીઓનો પણ આવકાર મળી જ રહ્યો હોય ને?
ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી તો કરી જ હતી, પરંતુ પાંચમી ઓગસ્ટે જ આ મુદ્દો ઊઠાવીને ભારતીય જનતા પક્ષને કોઈ સંકેત આપ્યો હોવાની પણ અટકળો થઈ રહી છે, અને દેશના ગૃહમંત્રી સાથેની કથિત મુલાકાત પણ ચર્ચામાં છે.
લોકસભામાં ગેનીબેને પશુપાલકોને સંબંધિત કેટલાક પ્રશ્નો પણ ઊઠાવ્યા હતાં અને ગૌવંશ તથા અન્ય પ્રાણીઓનો જીવનવીમો તથા સુરક્ષાવીમો પશુપાલકો દ્વારા લેવામાં આવે, તેના પર પણ વસુલવામાં આવતો ૧૮ ટકા જીએસટી હટાવવાની માંગણી લોકસભામાં જ ઊઠાવી હતી, અને આ મુદ્દો હવે જીએસટી કાઉન્સિલમાં પણ કોંગ્રેસ જોરશોરથી ઊઠાવશે તેવા સંકેતો વચ્ચે હવે કોંગ્રેસ ફરીથી સોફ્ટ હિન્દુત્વની રણનીતિ અપનાવશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે. એકંદરે ગેનીબેને લોકસભામાં રજૂ કરેલા આ મુદ્દાઓ બધાને ગમ્યા હશે અને સર્વસ્વીકૃત હશે, તેવું કહી શકાય ખરૂ...!
લોકસભામાં ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સંસદસભ્ય એવા ગેનીબેન ઠાકોરે એવો સણસણતો સવાલ ઊઠાવ્યો હતો કે કતલખાનાના સંચાલકો પાસેથી ફંડ (બોન્ડ) લેનાર કોણ છે? તેના નામ જાહેર કરવાની પણ તેણીએ માંગણી ઊઠાવી હતી. ગામેગામ ફાળવાયેલ ગૌચરની જમીન ક્યાં ગાયબ થઈ ગઈ? તેવા કટાક્ષ સાથે જે સવાલો હંમેશાં ઊઠી રહ્યા છે, તેને લોકસભા સુધી પહોંચાડતા ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં જંગલી પશુઓને તથા પશુપાલકોને પડી રહેલી મુશ્કેલીઓ વર્ણવી હતી, અને તેના માટે ગુજરાતમાં ગૌચરની ઘણી જમીનો ઉદ્યોગપતિઓને ફાળવી દેવાઈ હોવાનો વેધક આક્ષેપ પણ સરકાર સામે મૂક્યો હતો, ટૂંકમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું મજબૂત પ્રતિનિધિત્વ લોકસભામાં હવે મોજુદ છે અને ગુજરાત અને ગુજરાતીઓનો અવાજ હવે લોકસભામાં ગુંજતો રહેશે, તે પણ પૂરવાર કરી દીધું હતું.
શંકરાચાર્ય પૂ. અવિમુક્તેશ્વરાનંદજી મહરાજના નેજા હેઠળ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે પદયાત્રા કાઢી હતી, અને તમામ રાજનેતાઓને આ મુદ્દો ઊઠાવવા પડકાર ફેંક્યો હતો, તેનો ઉલ્લેખ કરીને ગેનીબેનના ગૌપ્રેમને બીરદાવાઈ રહ્યો છે.
આ મુદ્દે કેટલાક મતમતાંતરો પણ છે, અને કેટલાક આ મુદ્દો રાજનીતિનો નહીં પણ ભાવનાત્મક તથા સાંસ્કૃતિક ગણાવી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં ઠેર-ઠેર કચરો-ઉકરડા અને કેટલાક સ્થળે પાથરાતા છૂટક-છૂટક ઘાસચારા માટે હડિયાપટ્ટી કરતી અને હડધૂત થતી ગાયોના દૃશ્યોનો ઉલ્લેખ કરીને લોકો તથા પોતાની માલિકીના ગૌવંશ અને ગાયો ધરાવનારા કેટલાક પરિબળોની ટીકા પણ થઈ રહી છે. ગાયમાતાને માત્ર રાષ્ટ્રમાતા ઘોષિત કરી દેવાથી નહીં ચાલે, પરંતુ હકીકતમાં ગાય અને ગૌવંશ પ્રત્યે દેશના તમામ લોકોનો આદર, પ્રેમ અને સન્માન મળે તથા સ્વાર્થ પૂરો થયા પછી કે નિર્વાહખર્ચ બચાવવા ગાય માતાઓ સહિત ગૌવંશને રોડ પર દિવસે છૂટા મૂકીને રાત્રે ઘેર લઈ જતા લોકોમાં કરૂણા, દયા અને સમજદારી આવે તેવું ઈચ્છતા લોકોને પણ સાંભળવા અને સમજવા જ પડે ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં ભાજપની સરકાર છે, અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર સતત ત્રીજી વખત સત્તામાં છે, તે હકીકત છે, પરંતુ એ પણ હકીકત છે કે ડબલ એન્જિનની સરકારો એટલે કે રાજ્ય અને કેન્દ્રમાં એનડીએની સરકાર સત્તામાં હોય, ત્યાં વિકાસની ગતિ વધી રહી છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે મળીને કેટલાક લક્ષ્યો સિદ્ધ કરી રહી છે, તેવા થતા દાવાઓમાં ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે, અને ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે મજબૂત બની રહી છે, તેવો દાવો પણ લોકસભામાં ગેનીબેન ચૌધરીના વિજય પછી કરવામાં આવી રહ્યો છે, અને હવે રાહુલ ગાંધી મોરબીથી નવી ન્યાયયાત્રા શરૂ કરીને ભાજપને ગુજરાતમાં પંચાયત-પાલિકાઓથી માંડીને પાર્લામેન્ટ સુધી (વિધાનસભા સહિત) પાંચ વર્ષમાં હરાવવાના મનસુબા સેવી રહ્યા છે, તે મુદ્દો અત્યારે ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ તાલમેલની જરૂર જણાવાઈ રહી છે, તેથી ફેડરલ સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની કવાયત વધુ મજબૂત બની રહી છે, ત્યારે કેટલાક પોકળ દાવાઓની પોલ ખોલતો નીતિ આયોગનો એક રિપોર્ટ પણ ટોક ઓફ ધ નેશન બન્યો છે, અને તેના સંદર્ભે ત્રણેક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમરેલીના જિલ્લા તંત્રને પાઠવેલી એક નોટીસનો સંદર્ભ આપવામાં આવી રહ્યો છે.
એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે આ નોટીસ ફટકારી હતી, જેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયા કિનારે ક્રિકેટ પીચ બનાવવા માટે મેન્ગ્રુવ્સ હટાવી દેવાયા હોવાની રાવ કરવામાં આવી હતી. અરજદારે એવી દલીલ કરી હતી કે આ વિસ્તાર સીઆરઝેડ હેઠળ આવતો હોવાથી ત્યાંથી મેન્ગ્રુવ્સ હટાવી શકાય નહીં. આ અંગે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં હોવાની ફરિયાદ પણ અરજદારે કરી હતી.
પ. બંગાળના સુંદરવન પછી ગુજરાત મેન્ગ્રુવ્સના ક્ષેત્રે બીજા નંબરે હોવાના દાવા થઈ રહ્યા હતાં, ત્યારે આ પ્રકારની પીઆઈએલ થાય, તે જ ઘણું ઘણું કહી જાય છે.
તે પહેલા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દ્વારકા જિલ્લાના કુરંગા સ્થિત એક ખાનગી કંપની દ્વારા થતા જમીન-હવાઈ અને જળ પ્રદૂષણના મુદ્દે રૂપિયા વીસ લાખનો દંડ ફટકાર્યો હતો, અને પોતાની ફરજોમાં બેદરકારી રાખવા બદલ સંબંધિત અધિકારીઓને ફટકાર પણ લગાવી હતી. એટલું જ નહીં, આમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુક્સાન બદલ વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો, અને બેદરકાર અધિકારીઓ સામે તપાસ યોજીને તેની સામે કડક પગલાં લેવાની તાકીદ પણ કરી હતી. દ્વારકા જિલ્લામાં તળાવો, સરોવરો બૂરાઈ જવાના મુદ્દે હાઈકોર્ટે કલેક્ટર, ફોરેસ્ટ ઓફિસર્સને કરેલા આદેશો સાથે કરેલી ટિપ્પણીઓ પણ ઘણી જ સૂચક છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ રીતે અદાલતની ફટકાર એટલા માટે પડી હતી કે તે કેસમાં સ્પષ્ટ રીતે સંબંધિત અધિકારીઓની મિલીભગત જણાઈ હતી, જેને કાનૂની અથવા સારી ભાષામાં 'બેદરકારી' અને 'લાપરવાહી' કહેવી પડે છે. હકીકતે જ્યારે રક્ષક જ ભક્ષક બને અને વાડ ચીભડાં ગળે, ત્યારે આવું થતું હોય છે. ગુજરાતમાં ચેરના જંગલો વિષે થતા દાવા અને વાસ્તવિક્તા વચ્ચે પણ સ્વયં સ્પષ્ટ અને દેખીતો તફાવત જણાઈ રહ્યો છે.
નીતિ આયોગનો રિપોર્ટ એટલે તે કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ ગણાય. આયોગનો એક રિપોર્ટ કહે છે કે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન ચેર (મેન્ગ્રુવ્સ) ના જંગલો ઉત્તરોત્તર ઘટી રહ્યા છે, જ્યારે રાજ્ય સરકારનો દાવો એવો છે કે રાજ્યમાં દરિયા કિનારે મેન્ગ્રુવ્સમાં વધારો થયો છે, અને દરિયાકાંઠાને સુરક્ષિત રાખતા તથા જમીનનું ધોવાણ અટકાવતા ચેરના જંગલો વધ્યા છે. ગુજરાતમાં મેન્ગ્રુવ્સ કવર વધવા પામ્યું હોવાના રાજ્ય સરકારના આ દાવાને ડબલ એન્જિન સરકારના મુખ્ય એન્જિન કેન્દ્ર સરકારના નીતિ આયોગે જ છેદ્ ઊડાડ્યો હોય તો તેને શું સમજવું? કાં તો નીતિ આયોગનું આંકલન યોગ્ય ન હોય, કાં તો રાજ્ય સરકારનો દાવો ખોટો હોય, તો જ વિરોધાભાષી 'ફેક્ટ' ચર્ચાસ્પદ બની શકે ને?
હકીકતે નીતિ આયોગે મન્ગ્રુવ્સના જંગલોના મુદ્દે નક્કી કરેલા ૧૬ માપદંડોમાંથી માત્ર બે જ માપદંડોમાં ગુજરાત શ્રેષ્ઠ છે, જ્યારે બાકીના ૧૪ માપદંડોમાં ગુજરાત બીજા રાજ્યો કરતા પાછળ રહી ગયું હોવાના તારણો નીકળ્યા છે.
નીતિ આયોગના તારણો મુજબ ગુજરાત કેટલાક ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે, તો કેટલાક ક્ષેત્રે પાછળ છે. લાઈફ અન્ડર વોટર કેટેગરીમાં ગુજરાત ઘણું જ પાછળ છે. ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું હોવા છતાં દરિયાકાંઠે વસતા લોકોના વિકાસ-કલ્યાણ અને એકવા કલ્ચર ડેવલપમેન્ટમાં પાછળ રહી ગયું છે. પશ્ચિમ બંગાળને ૧૦૦ માંથી પૂરેપૂરા ગુણ મળે, અને ગુજરાતને માત્ર પાંચ જ માર્ક મળે, ત્યારે કેટલાક દાવાઓની પોકળતા પરખાઈ જતી હોય છે, જ્યારે મૂલ્યાંકન માટે ૧૬ માપદંડો નક્કી થયા હોય, અને તેમાંથી ૧૪ માપદંડોમાં બે રાજ્ય પાછળ રહી ગયું હોય, અને માત્ર બે માપદંડોમાં જ શ્રેષ્ઠ રહ્યું હોય, તો તે બે મુદ્દાઓને જ રાજ્યની સર્વશ્રેષ્ઠ સફળતા ગણાવીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ શું જનતા સાથેની છેતરપિંડી ન ગણાય? આ પ્રકારના પ્રશ્નો ઊઠી રહ્યા હોય ત્યારે તેમાં તથ્ય ન હોય, તો તો સરકારે તરત જ સ્પષ્ટતાઓ કરી હોય ને? તે પ્રકારની ચર્ચા પણ ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને કોણ સાચું ને કોણ ખોટું તેની ચર્ચા થઈ રહી છે.
ગુજરાત કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવે, સિદ્ધિ મેળવે તો કોઈપણ ગુજરાતીને ગૌરવ થાય, પરંતુ બે આના કમાઈ ને ૧૪ આના ગુમાવ્યા હોય તો તેને ૧૬ આના સિદ્ધિ કેવી રીતે ગણી શકાય? કહો જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

બાંગલાદેશમાં અનામત વિરોધી આંદોલને સંસદમાં જંગી બહુમતી ધરાવતી સરકારનો તો ભોગ લીધો જ, સાથે-સાથે દેશના વડાપ્રધાનને ભાગીને ભારત આવવું પડ્યું, આ મુદ્દો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે અને શેખ હસીનાને કયો દેશ શરણાગતિ આપશે, તેની ગઈકાલથી જ ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો આજે ટોક ઓફ ધ ગ્લોબ છે.
ત્યાં અનામત વિરોધી આંદોલનના મૂળમાં વધી રહેલી બેરોજગારી હતી, જેથી પરાકાષ્ટાએ પહોંચેલા જનાક્રોશનો ફાયદો પણ ત્યાંના દબાવી દેવાયેલા વિપક્ષે લીધો હોય કે, તેને મળી ગયો હોય, તેમ જણાય છે. ઘણાં લોકો આખી મૂવમેન્ટને જ પોલિટિકલ માને છે, અને યુવાવર્ગને રાજકીય કારણોસર ઉશ્કેરાયો હોવાનું માને છે, તો ઘણાં લોકો શેખ હસીનાના વલણને પણ કારણભૂત ગણે છે, સુરક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો પૈકી ઘણાં લોકો આને ત્યાંની સેના દ્વારા કરાયેલો ખેલ પણ માને છે. આમ પણ પાકિસ્તાન આઝાદ થયા પછી આ બન્ને દેશોમાં અવારનવાર સૈન્ય હસ્તક્ષેપ થતા રહ્યાં છે, અને આઝાદ બાંગ્લાદેશમાં તો આઝાદીના પ્રારંભિક વર્ષોમાં જ દાયકાઓ પહેલા વર્ષ-૧૯૭પ માં બળવો થયો હતો અને શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન સહિતના પરિવારને રહેંસી નંખાયો હતો, ત્યારે વિદેશમાં હોવાથી બચી ગયેલ શેખ હસીનાએ ભારતમાં જ આશ્રય લીધો હતો. તે પછી તેણીએ વર્ષો પછી સ્વદેશ પાછા ફરીને સત્તા સંભાળી હતી અને વર્ષ-ર૦૦૯ થી બાંગ્લાદેશના વડાપ્રધાન હતાં. સંસદની ગત્ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષોએ ભાગ નહીં લેતા શેખ હસીનાની પાર્ટી અવામી લીગને પ્રચંડ બહુમતી મળી હતી. તે પછી મુખ્ય વિપક્ષી નેતા ખાલીદા જીયા સામે કેસ ચલાવીને જેલમાં ધકેલાયા હતાં. આ બધા ઘટનાક્રમોનું તારણ એ નીકળે છે કે, "અતિ" ને "ગતિ" નથી હોતી, પરંતુ "અદ્યોગતિ" તથા "પડતી" જ પ્રાપ્ત થતી હોય છે...
કવિ ઉમાશંકર જોષીએ એક કવિતામાં લખ્યું છે કે, "જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ખંડેરની ભસ્મકણી ન લાધશે"... કાંઈક એવું જ બાંગ્લાદેશમાં થયું છે. જ્યારે જનાક્રોશ જાગે છે, ત્યારે સદામ હુશેન જેવા સરમુખત્યારો હોય કે જંગી બહુમતી ધરાવતા લોકતાંત્રિક દેશોના વડાપ્રધાનને પણ દેશ છોડીને ભાગવું પડી શકે છે. ગમે તેમ કરીને જંગી બહુમતી મેળવ્યા પછી વાસ્તવિક જનાધાર નહીં હોવાથી જ આવી દશા થઈ હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે.
જો કે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ચીન અને પાકિસ્તાનની આઈએસઆઈનું ષડયંત્ર હોવાની દૃઢ સંભાવનાઓ છે, કારણ કે, બાંગ્લાદેશની સુપ્રિમકોર્ટે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોની અનામત રદ્દ કરી દીધા પછી પણ આંદોલન ચાલુ રહ્યું અને વધુ હિંસક બન્યુ, તેની પાછળ ઉંડુ કાવતરૂ હોવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે, અને તેમાં ભારતને ચોતરફથી ઘેરી લેવા તલપાપડ ચીન અને ભારતને યુદ્ધના મેદાનમાં હરાવવાની ત્રેવડ નથી. તેવા પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈએ હાથ મિલાવ્યા હોવાની પૂરેપૂરી શક્યતાઓ જણાવાઈ રહી છે.
ભારતને આ ઘટનાક્રમ પછી ચિંતા વધે, તે સ્વાભાવિક છે. એક તરફ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના હસીના સરકારના સમયગાળાના સુમેળભર્યા સંબંધો તેની ઘોર વિરોધી ભાવિ સરકાર જાળવી રાખશે કે નહીં, તે પ્રશ્નનો જવાબ ઓપન સિક્રેટ જેવો છે, તો બીજી તરફ ભારતના બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરાટકાય પ્રોજેક્ટો, દ્વિપક્ષી વ્યાપાર તથા સાંસ્કૃતિક - શૈક્ષણિક તથા આર્થિક ક્ષેત્રે પણ ઘણી જ વિપરીત અસર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ સ્પષ્ટ જણાય છે. જોઈએ... હવે શું થાય છે તે... ભારતની લોકતાંત્રિક તાકાતનું એ દૃષ્ટાંત છે કે, આ ઘટનાક્રમના મુદ્દે (હજુ સુધી) ભારતમાં રાજનીતિ શરૂ થઈ નથી.
બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, તો ભારતમાં રાજકીય પક્ષોએ આ મુદ્દે એકજૂથતા દેખાડી છે. મમતા બેનરજીએ કહ્યું કે, આ બે દેશો વચ્ચેના સંબંધોની વાત છે, અને તેમાં કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે, તેને તેઓ અનુસરશે.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી બાંગ્લાદેશના આ ઘટનાક્રમની કેટલીક પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો આપણને પણ થવાની છે. જો કે, બાંગ્લાદેશની અરાજકતા લાંબી ચાલે તો બાંગ્લાદેશને મળતા કપડા (ટેક્ષટાઈલ્સ) ના વૈશ્વિક ઓર્ડર ગુજરાત સહિત ભારતને મળી શકે છે. જો કે, તે માટે વિવિધ દેશોને અનુકૂળ હોય તેવી ક્વોલિટી અને ડિઝાઈન્સ આપવા તથા નાણાકીય લેવડ-દેવડની સિસ્ટમ બદલાવવા માટે ગુજરાત સહિત ભારતના ઉદ્યોગોએ તૈયાર રહેવું પડે તેમ છે.
એક તરફ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, અને હવે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે અને તેમાં અમેરિકા, રશિયા ઝંપલાવે તો વૈશ્વિક સ્થિતિ સ્ફોટક બની શકે. તેમ છે, તેવામાં બાંગ્લાદેશના ઘટનાક્રમે વૈશ્વિક અશાંતિમાં વધારો કર્યો છે, ત્યારે જોઈએ... હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને શિવાલયો ઓઉમ્... બમ બમ ભોલે અને હર હર મહાદેવ હર જેવા ભક્તિનાદ્થી ગૂંજી રહ્યા છે. આ વખતે શ્રાવણ મહિના સાથે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાના સંગમ ઉપરાંત અન્ય કેટલીક વિશેષતાઓ પણ છે. શ્રાવણ-ઓગસ્ટના સમાગન થકી ભક્તિભાવનાની સાથે રાષ્ટ્રીય ભાવના તથા પ્રભુભક્તિ સાથે દેશભક્તિનું અનોખું સંયોજન થયું છે. આ મહિનામાં જ વર્ષ ૧૯૪૭ ની મધ્યરાત્રિએ ૧પ મી ઓગસ્ટે આપણાં દેશને મળેલી આઝાદીના સંભારણા સાથે સ્વાતંત્ર્ય દિન પણ ઉજવાશે.
આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને શ્રાવણ મહિનાના અંતે સોમવતી અમાસ આવે છે. આજે પહેલા સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. બીજા સોમવારે રામચરિત માનસના રચિયાતા સંત ગોસ્વામી તુલસીદાસજીની જયંતી છે. ત્રીજા સોમવારે ભાઈ-બહેનાના પ્રેમનું પર્વ ક્ષાબંધન છે. શ્રાવણના ચોથા સોમવારે ભગવાન દ્વારકાધીશના યાત્રાધામ દ્વારકા તથા જ્યોતિર્લિંગ નાગેશ્વરમાં આ વખતે માનવ-મહેરામણ ઉમટી પડવાની સંભાવના છે, કારણ કે ચોથા સોમવારે જ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્યોત્સવ હોવાથી જન્માષ્ટમીનું પર્વ ઉજવાશે, જ્યારે શ્રાવણિયો સોમવાર હોવાથી કૃષ્ણ-ભક્તિ અને શિવભક્તિનો અનોખો સંગમ રચાશે. સુદર્શન બ્રીજના કારણે બેટદ્વારકામાં પણ આ વખતે ઘણાં લોકો જન્માષ્ટમીના દર્શને પહોંચી શકે છે. આમ, ચોથા સોમવારે દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામોમાં ભક્તસમુદાય મોટા પ્રમાણમાં ઉમટી પડે, તેવી પૂરેપૂરી સંભાવનાઓ જણાય છે.
શ્રાવણ વદ તેરસના દિવસે ઓગસ્ટ મહિનો પૂરો થાય છે અને સપ્ટેમ્બર મહિનો બેસે છે. ઓગસ્ટ મહિનામાં ૧પ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન ઉજવાશે, જેમાં લાલ કિલ્લા પરથી થનારા આ વખતેના વડાપ્રધાનના ભાષણ પર સૌની નજર રહેવાની છે. આ કારણે પ્રભુભક્તિ સાથે દેશભક્તિ અને ભક્તિભાવના સાથે રાષ્ટ્રીય ભાવનાનો પણ સંગમ થવાનો છે.
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પણ સોમવતી અમાસ છે, જે બીજી સપ્ટેમ્બરે છે. એ શ્રાવણ મહિનાનો પાંચમો અને છેલ્લો સોમવાર હશે. તે પહેલા પહેલી સપ્ટેમ્બરે પર્યુષણ (પંચમી પક્ષ) નો પ્રારંભ પણ થશે.
આમ આ વખતે શ્રીરામ-કૃષ્ણ-શિવને સાંકળતા પાવનપર્વો તથા ભાઈ-બહેનનું પાવન પર્વ, પર્યુષણ પર્વ, પારસીઓનું નૂતન વર્ષ, પાંચ સોમવાર સાથે શ્રાવણ મહિનો જાણે પવિત્ર તહેવારોનું પંચામૃત હશે અને તેમાં ભળશે ગૌરવ, શૌર્ય, સ્વાભિમાન, સાર્વભૌમત્વ અને દેશભક્તિથી તરબતર સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય ઉજવણી... રાષ્ટ્રીય ભાવનાઓથી ભીંજાયેલા પંચપર્વો અને પંચામૃતનો સંગમ...
પાંચ સમોવાર, પંચપર્વો, ભાઈ-બહેનોના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, પારસીઓનો તહેવાર, ભગવાન શ્રીકૃષ્ણનો પ્રગટ્યોત્સવ એટલે જન્માષ્ટમી અને ગોકુલાષ્ટમી, નંદ મહોત્સવ, સંત તુલસીદાસજીની જન્મતિથિ, ઉપરાંત શ્રાવણ મહિનામાં મંગલા ગૌરીનું પૂજન, હરિયાળી-ઠાકુરાણીત્રીજ, વિનાયક ચતુર્થી, સુદ નાગપાંચમ અને વદ નાગપાંચમ, કલ્કી જયંતી, ભાનુ સપ્તમી, દુર્ગોષ્ટમી, નકુલનોમ, પવિત્ર એકાદશી, વરદ્લક્ષ્મીવ્રત, દામોદર બારસ, હયગ્રીય જયંતી, કાજલી ત્રીજ, સંકટ ચતુર્થી, બાળચોથ, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, અજા એકાદશી, જૈન પર્યુષણ (ચતુર્થી પક્ષ અને પંચમી પક્ષ) અને અઘોરા ચતુર્દશી વગેરે તહેવારો-પવિત્ર પર્વો આવે છે. શ્રાવણના અંતે અમાસની વૃદ્ધિ થતા ત્રીજી સપ્ટેમ્બરે પણ શિવ પૂજનનો મહિમા રહેશે, તેમ કહેવાય છે.
આ ઉપરાંત શ્રાવણ મહિનો અમરનાથ યાત્રા, દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા, શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ રાખવા, બાલ-દાઢી નહીં કરાવવા, શિવજીને દરરોજ કે સોમવારે જલાભિષેકનું વ્રત રાખવું, દર સોમવારે શિવાલયોમાં વિશેષ દર્શનના આયોજનો શિવયાત્રાઓ તથા શિવકથાઓનું આયોજન કરવું વગેરે શ્રાવણ મહિનાની અલગ જ ભાત પાડે છે. તેવી જ રીતે જન્માષ્ટમી પર્વે સાતમ-આઠમના તહેવારોમાં તથા દર સોમવારે શ્રાવણિયા મેળાઓ, જુદી જુદી તિથિના દિવસે યોજાતા હોય છે. જામનગરમાં રંગમતી-નાગમતી નદીના કાંઠે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાઓ યોજાશે, તો દ્વારકા-નાગેશ્વર, ઈન્દ્રેશ્વર, બેટદ્વારકા, સોમનાથ, વિસાવાડા (મૂળ દ્વારકા) વગેરે યાત્ર સ્થળોમાં ભક્તો ઉમટી પડતા ત્યાં પણ શ્રદ્ધાભક્તિના મેળાવડાઓ જામશે, તેમ કહી શકાય. જન્માષ્ટમી પર્વ નાગપાંચમથી શરૂ કરીને અમાસ દરમિયાન જુદી જુદી તિથિઓએ સાંકળીને ખંભાળિયા, કાલાવડ, ભાણવડ સહિતના ઘણાં સ્થળે નાના-મોટા લોકમેળાઓ યોજાય છે. રાવલમાં ઘણાં દાયકાઓથી વર્તુનદીના કાંઠે ભાતીગળ લોકમેળો યોજાય છે.
હમણાંથી સર્જાયેલી કેટલીક દુર્ઘટનાઓને લક્ષ્યમાં લઈને સરકારે, તંત્રોએ, આયોજકોએ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા મંદિરો-ધર્મસ્થળોના સંચાલકોને વિશેષ કાળજી પણ રાખવી પડશે. યાત્રાધામોમાં દર્શનાર્થીઓની ભીડને માત્ર કંટ્રોલ કરવા નહીં, પરંતુ તમામ દર્શનાર્થીને દર્શન સંતોષકારક રીતે થઈ જાય, અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યવહારૂ અભિગમ દાખવીને, અદ્યતન ટેકનોલોજી સાથે માનવીય વ્યવસ્થાઓનો તાલમેલ બેસાડીને તેનો ભરપૂર ઉપયોગ કરીને તથા પહેલેથી અંદાજ કરીને તે મુજબની વ્યવસ્થાઓ કરવી પડશે. નદીઓ પરના તમામ પુલો, અન્ય બ્રીજ, તમામ ફ્લાય ઓવર બ્રીજ, અંડરપાસ, રેલવેમાં પાટા ઓળંગવાના ફૂટબ્રીજ, રેલવે ફાટક બ્રીજ, ઝુલતા પુલ તથા મુખ્ય મંદિરો, શિવાલયો અને ત્યાંના પ્રવેશ તથા બહાર નીકળવાના (એન્ટ્રી-એક્ઝીટ) અનેક વિકલ્પો, ફાયર સેફ્ટી, તત્કાળ તબીબી સુવિધા, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પૂરતા પાણીની વ્યવસ્થા સાથે તરત સ્ટાર્ટ થઈ જાય તેવી અગ્નિશામક ગાડીઓ, યાત્રિકો, પર્યટકો તથા દર્શનાર્થીઓને સચોટ અને વિવેકપૂર્ણ માહિતી-માર્ગદર્શનની વ્યવસ્થા વગેરે પણ કરવી પડશે. એટલું જ નહીં, સુદર્શન બ્રીજ સહિતના મોટા પુલોની પૂરેપૂરી ચકાસણી એક વખત ફરીથી કરી લેવી પડશે... હર હર મહાદેવ હર... ઓઉમ્... બમ...બમ...ભોલે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

'પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સૂત્રો પોલીસ ચોકીઓ-પોલીસ સ્ટેશનો પર લખેલા હોય છે, અને ઘણાં સ્થળે 'હું આપને શું મદદ કરી શકું?' તેવા સૂત્રો પણ લખેલા હોય છે. સામાન્ય રીતે પોલીસતંત્રની છાપ સામાન્ય જનતામાં કેવી હોય છે, તે ઓપન સિક્રેટ છે, પરંતુ ઘણી વખત પોલીસના માનવીય અભિગમ અને પ્રામાણિક્તા તથા ફરજનિષ્ઠના કિસ્સાઓ સાંભળીએ ત્યારે એમ થાય કે હકીકતે પોલીસ પ્રજાનો મિત્ર જ છે, અને તેની માનવીય સેવાઓ, ફરજો અને કાયદા-કાનૂનની આંટીઘુંટીના બદલે ઈન્સાનિયત તથા આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ અભિગમ સાથે ઝળહળી ઊઠતી હોય છે. એવી જ જ્યારે જ્યારે પોલીસતંત્ર દ્વારા ઉમદા માનવતાવાદી કાર્ય થાય છે અને કોર્ટ કચેરીથી ઉપર ઊઠીને તથા લોકોને મદદરૂપ થઈને કાયદાનો અમલ કરાવવાનું કેટલુંક ઉમદા કાર્ય પણ થતું હોય છે. પોલીસની ફરજો કઠીન હોય છે, તેમ છતાં ઘણાં પોલીસ-જવાનો તથા અધિકારીઓ શિસ્તબદ્ધ રીતે પ્રામાણિક્તાથી કામ કરતા કરતા કાંઈક એવું ઉમદા કદમ પણ ઊઠાવતા હોય છે, જે ખૂબ જ લોકપ્રિય બની જતું હોય છે.
આપણને ઘણી વખત અખબારો-મીડિયાના મારફતથી એવી જાણકારી મળતી હોય છે કે કોઈનો જંગી રકમનો થેલો ખોવાઈ ગયો હોય, અને ફરિયાદ કર્યા પછી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો થેલો શોધી આપ્યો હોય કે પછી કોઈની ચોરાયેલી ગાડી, ખોવાયેલી ચીજવસ્તુ કે ચીલઝડપ કરીને કે ખિસ્સામાંથી ચોરી લેવાયેલા આભૂષણ, મોબાઈલ કે ઘરેણાં વિગેરેને ઝડપભેર શોધીને ફરિયાદીને પરત સોંપાયા હોય, આ પ્રકારની રોજીંદી લોકલક્ષી પ્રવૃત્તિઓ પૈકી કેટલાક કિસ્સાઓ જ સામે આવતા હોય છે, જ્યારે ઘણાં સિદ્ધાંતનિષ્ઠ પોલીસકર્મીઓ ગૂપચૂપ આ પ્રકારની લોકલક્ષી અને પ્રામાણિક પ્રવૃત્તિઓ હંમેશાં કરતા રહેતા હોય છે.
હમણાં એવા અહેવાલો આવ્યા હતાં કે પોલીસતંત્રે કોઈ બાળકને સમયોચિત રીતે હોસ્પિટલે પહોંચાડ્યું હતું તેવી જ રીતે પોલીસ ઘણાં બાળકો સહિત ગૂમ થયેલા લોકોને શોધી કાઢીને તેના પરિવારજનો સાથે મિલન કરાવી દેતા હોય છે. અભય-૧૮૧ ના માધ્યમથી પારિવારિક ઝઘડા સમાધાનપૂર્વક ખતમ કરવાનું તંત્રોનું સંકલિત કાઉન્સીલીંગ ઘણું જ લોકપ્રિય બન્યું છે.
તાજેતરમાં એવા સમાચાર હતાં કે પોલીસ તંત્રે બાળમજૂરી કરતા કેટલાક બાળકોને છોડાવ્યા, તો કેટલાક ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના પુનર્વસનની જવાબદારી વ્યક્તિગત રીતે ઊઠાવી લીધી. વ્યાજખોરોનો આતંક ઘટાડવાની સાથે સાથે જરૂરતમંદોને જરૂર પડ્યે રોકડ ધિરાણ મળી રહે કે સહાય પ્રાપ્ત થાય તે માટે બેંકોની મદદથી લોનમેળાઓ યોજવા અને મહિલા સુરક્ષા, બાળકલ્યાણ તથા વ્યસનમુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટે વિવિધલક્ષી આયોજનો કરવા, લોક-દરબારો યોજવા અને તદ્વિષયક લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા વગેરે પ્રવૃત્તિઓ પણ પોલીસ બેડામાં વિસ્તરી રહી છે, જે ઘણાં જ સારા સંકેતો છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસતંત્રના કેટલાક દૃષ્ટાંતો આપ્યા છે, જેમાં પોલીસ તંત્રની ફરજનિષ્ઠા ઝળકતી હોય અને સિસ્ટમ સુધારવાના પ્રયાસો થયા હોય.
સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં આખા બેંક એકાઉન્ટને બદલે છેતરપિંડી થઈ હોય, તેટલી જ રકમ ફ્રીઝ કરવા અને હજારો બેંકખાતાઓ અનફ્રીઝ કરવા જેવા કદમ પોલીસતંત્રે ઊઠાવ્યા છે. પોલીસતંત્રે પોતાની પોલિસીમાં કરેલા આ પ્રકારના ફેરફારોને લોકો આવકારી પણ રહ્યા છે.
સિક્કાની બીજી બાજુ એ પણ છે કે કેટલાક લાંચિયા અને લેભાગુ પરિબળોના કારણે આખુ તંત્ર બદનામ થાય છે. અવારનવાર હપ્તાખોરી અને પક્ષપાતી વલણના આરોપો પણ થતા રહેતા હોય છે. અદાલતોની ફટકાર પણ ઘણી વખત આ જ કારણે આખા તંત્રને સાંભળવી પડતી હોય છે. ઘણાં સ્થળે પોલીસ સ્ટેશનો અને પોલીસ ચોકીઓમાં વપરાતી અયોગ્ય ભાષા, ઘણી વખત ફરિયાદી સાથે પ્રારંભથી જ થતો આરોપી જેવો વ્યવહાર, બૂટલેગરો-ગુન્હેગારો સાથેની સાંઠગાંઠ, ભયંકર ગુનાખોરી સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ, લાપરવાહી-બેદરકારી અને કાનૂની રાહે 'સોપારી' લેવા જેવી હરકતો થતી હોવાના આક્ષેપો પણ થતા રહે છે. તાજેતરમાં જ કચ્છ અને રાજ્યની અન્ય સરહદે ગુનાખોરો સાથે સાઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓ દારૂના જથ્થા સાથે પકડાયા, તેની સાથે લોકલ લીડર અને પોલીસકર્મીઓ પણ હતાં, તેવા અહેવાલોના કારણે પોલીસતંત્રની છબિ વધુ ખરડાઈ રહી છે, તેમ નથી લાગતું?
તાજા સમાચાર આજે ટોક ઓફ નેશન બન્યા છે, ઉત્તરપ્રદેશના વારાણસી ઝોનના એડીજી અને ડીઆઈજી ગત્ મધ્યરાત્રિ પછી પોતે ટ્રક-ડ્રાયવર અને ક્લીનર બનીને ઉત્તરપ્રદેશ અને બિહારની સરહદ પર ભરૌલી બ્લોક પાસે પહોંચ્યા અને ત્યાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ 'હપ્તો' માંગ્યો અને ઝડપાઈ ગયા. કેટલાક પોલીસ અધિકારી-કર્મચારીઓ ભાગ્યા પછી પકડાઈ ગયા તો કેટલાક ફરાર છે.
એવું કહેવાય છે કે ત્યાં ટ્રક દીઠ રૂા. પ૦૦ ઉઘરાવીને રેડ સેન્ડ (લાલરેતી), દારૂ અને પ્રાણીઓની હેરાફેરી કરવા દેવામાં આવતી હતી અને સ્મગલીંગનું મોટું રેકેટ ચાલતું હતું. દરરોજ એકાદ હજાર ટ્રક પસાર થતા હતાં, જેનું ચેકીંગ કરીને નિયમિત ભ્રષ્ટાચાર આચરાતો હતો. બલિયામાં વારાણસી- આઝમગઢના ઉચ્ચ અધિકારીઓએ આ રેકેટનો પર્દાકાશ કર્યો છે, તેની પ્રશંસા થઈ રહી છે, અને આ હપ્તાખોરીને લઈને અખિલેશ યાદવે યોગી સરકાર પર તડાપીટ પણ બોલાવી છે, જ્યારે સ્થાનિક મીડિયા કહે છે કે યે તો પહેલે સે ચલી આતી હે...!!
આ જ મોડસ ઓપરેન્ડી સાથે ગુજરાતની સરહદો પરથી ડ્રગ્સ-શરાબની ગેરકાયદે હેરાફેરીને મોકળુ મેદાન મળતું હશે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે પોલીસ તંત્રની બન્ને તરફની વાસ્તવિક્તાઓ આજે ટોક ઓફ ધ નેશન બની છે!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર હોય કે અમદાવાદ હોય, કે પછી કોઈ યાત્રધામ-પ્રવાસધામ હોય, જ્યારે જ્યારે જંગી ગેરકાયદે બાંધકામો હટાવવા પૂરતા બંદોબસ્ત સાથે બુલડોઝરો અને ટ્રેક્ટરો પહોંચે, ત્યારે સામાન્ય રીતે બધાને તે સમયે તો એવો વિચાર આવતો જ હશે ને કે આટલી મોટી જગ્યામાં વિશાળકાય બાંધકામો બંધાઈ રહ્યા હશે, ત્યારે આ તંત્રો-નેતાઓ ક્યાં ગયા હશે? એની શું ગેરંટી છે કે અહીંથી ગેરકાયદે બાંધકામો હટાવાયા પછી અન્યત્ર ક્યાંય આ પ્રકારના બાંધકામો નહીં જ થાય? આ જ પ્રકારના કે તેનાથી પણ મોટા અને મોકાની જગ્યામાં ખડકાયેલા અન્ય કેટલાક બાંધકામો ગેરકાયદે હોવા છતાં તેને હટાવવામાં કેમ તંત્રો અવઢવમાં રહેતા હશે?
આ 'ઓપન સિક્રેટ'ને પૂરવાર કરતો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઈતિહાસમાં નોંધી શકાય તેવી આ અભૂતપૂર્વ ઘટના આજે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
અમદાવાદના એક સજ્જને વડિલોપાર્જીત જમીન પર બનાવાયેલી કેટલીક દુકાનો તથા સંલગ્ન ઈમારતોને મહાનગપાલિકાના તંત્રે તોડી પાડ્યા પછી તેનું 'ઓપ્શન' શોધવા માટે અમદાવાદની સંબંધિત શાખાના અધિકારીનો સંપર્ક કર્યો, તો સંલગ્ન અધિકારીએ આ માટે અડધા કરોડ રૂપિયા માંગ્યા. આટલી મોટી રકમની વ્યવસ્થા કોઈ સંજોગોમાં થઈ શકે તેમ નહીં હોવાનું સમજ્યા પછી એ અધિકારીઓએ વીસ લાખ રૂપિયાનો સોદો કર્યો!
એ સજ્જને એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ નોંધાવી. છટકું ગોઠવાયું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના બે અધિકારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા. એવું કહેવાય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આટલી મોટી રકમની લાંચ લેવામાં આવી હોય, તેવો આ પ્રથમ કિસ્સો છે.
આજે આ મુદ્દો 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે. ઘણાં લોકો એવું પણ કહે છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વખત જ નહીં બની હોય, પરંતુ આટલી મોટી રકમની લાંચ લેનારાઓ પહેલા પકડાયા નહીં હોય, કે પછી કોઈએ ફરિયાદ નહીં કરી હોય. એવું પણ બની શકે કે આનાથી પણ મોટી રકમની લાંચ ભૂતકાળમાં લેવાઈ પણ ગઈ હોય અને હજમ પણ થઈ ગઈ હોય. આ તો જેની પાસે લાંચ માંગવામાં આવી હતી, તે કાં તો સિદ્ધાંતવાદી હશે, અથવા તેનો અંતરાત્મા જાગ્યો હશે, અથવા તો આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ શકી નહીં હોય, તેથી તેમણે મજબૂરીવશ ફરિયાદ કરી દીધી હશે. જે હોય તે ખરૃં, પરંતુ તેમણે જે હિંમત બતાવી, તેને બીરદાવવી જ પડે. જો લાંચિયાઓ સામે આ જ રીતે તમામ લોકો ફરિયાદો કરવા લાગે, તો ભ્રષ્ટાચારીઓ પણ ફફડવા લાગે, ખરૃં કે નહીં?
હવે અમદાવાદના એ બન્ને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણના એન્ટી કરપ્શન એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થશે. આ લાંચિયા ટીડીઓને ત્યાંથી લાખો રૂપિયાની રોકડ પણ ઝડપાઈ છે, ત્યારે પાલિકા-મહાપાલિકાઓમાં સમયાંતરે આંતરિક બદલીઓની પ્રક્રિયા વારંવાર થવાની જરૂર પણ જણાવાઈ રહી છે.
ઘણી વખત આ પ્રકારના લાંચ-રૂશ્વતના કિસ્સામાં છટકું ગોઠવાયા પછી ઝડપાયેલા લોકો છૂટી પણ જતા હોય છે, તેથી લોકોને લાંચ-રૂશ્વતને છાવરવા કે કેસ નબળો કરવા માટે પણ જંગી ભ્રષ્ટાચાર આચરાતો હશે, તે શંકા જાગતી હોય છે, પરંતુ બધા કિસ્સામાં તેવું થતું હોતું નથી.
ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે લોકોની જિંદગીઓ સાથે પણ ખેલ ખેલવામાં આવી રહ્યો છે, અને કાંઈપણ જોયા વિના આડેધડ કેટલીક મંજુરીઓ આપી દેવામાં આવે છે, અથવા ગેરકાનૂની પ્રવૃત્તિઓ, બાંધકામો કે હરકતો સાથે આંખ આડા કાન કરવામાં આવે છે.
દિલ્હીમાં બેઈઝમેન્ટમાં તરન ગેરકાનૂની ઢબે ચાલતી લાયબ્રેરીમાં અચાનક પાણી ભરાઈ જતા ત્રણ કોડભર્યા યુવાનોના જીવ ગયા હોય કે પછી રાજકોટનો ભયાનક જીવલેણ ગેમઝોન અગ્નિકાંડ હોય, કે પછી લગભગ દરેક નગરો-મહાનગરોમાં થયેલા દબાણો કે ગેરકાયદે બાંધકામ હોય, ફાયર સેફ્ટી સહિતની જરૂરી સૂચનાઓનો અભાવ હોય કે નીતિ-નિયમો-કાયદાનો સરેઆમ ભંગ હોય, એ બધામાં લોભ, લાલચ અને ભ્રષ્ટાચાર જ જવાબદર હોય છે. આ પ્રકારના ભ્રષ્ટાચારી ભોરીંગોને નાથવા અત્યંત જરૂરી હોય છે, અને તેથી જ જામનગમાં પણ મનપા, જાડા તથા અન્ય કચેરીઓ સામે ભ્રષ્ટાચારી નીતિરીતિ અપનાવવાની આશંકાઓ ઊઠતી હશે ને? આગ લાગે ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને?
અમદાવાદની જેમ જ રાજ્યની અન્ય તમામ પાલિકા-મહાનગરપાલિકાઓમાં લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચારની જ બોલબાલા છે. જામનગરમાં પણ લાખોટા તળાવના વિકાસ માટે ૩૦ કરોડના ખર્ચે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે 'તીસ કરોડ કી ભેંસ ગઈ પાની મેં'ના સૂત્રો સાથે વિપક્ષના કોર્પોરેટરોએ કરેલા ધરણાં શું સૂચવે છે?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં ફરી એક વખત ખેતીની જમીનનો ઝોનફેરનો મુદ્દો ગૂંજ્યો છે. આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયા ઘણી જ લાંબી છે અને કોઈ નિર્દોષને અન્યાય ન થઈ જાય, તે માટે અદાલતોમાં દરેક પક્ષોને પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી તકો પૂરી પાડવામાં આવે છે, અને બન્ને તરફના વકીલોને પણ તેમની દલીલો રજૂ કરવાનો પૂરેપૂરો અવસર મળે છે, પરંતુ માત્ર આ કારણે જ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થાય છે, તેવું માનવું ભૂલભરેલુ છે. જો પક્ષકારો, વકીલો, સિસ્ટમ અને જજો વચ્ચેનો તાલમેલ બેસી જાય તો ઘણાં કેસોમાં ધારણા કરતા વહેલો અને સચોટ ફેંસલો પણ આવતો હોય છે. આપણાં દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે અને અત્યંત ગરીબ પક્ષકારોને નિઃશુલ્ક ન્યાય માટે કાનૂની સહાય મળી રહે તે દિશામાં ઘણાં પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. તેવી જ રીતે ખેતીની જમીન ઝોનફેર કરવાના નિયમો પણ થોડા વધુ કડક બનાવા જોઈએ તેમ નથી લાગતું?
એક હિન્દી ફિલ્મમાં સની દેઓલના મૂખેથી બોલાયેલો 'તારીખ પે તારીખ'વાળો ડાયલોગ ઘણો જ પ્રચલિત થયો હતો, અને તેવી જ રીતે અંગ્રેજી ભાષાની એક કહેવત પણ ઘણી જ પ્રચલિત છે, જેમાં કહેવાયું છે કે 'જસ્ટિસ ડિલેય્ડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ'... મતલબ કે ન્યાયમાં વિલંબ થાય, તે ન્યાય નહીં મળવા બરાબર છે, અથવા ન્યાયનો નનૈયો ભણવા જેવું છે!
વિશ્વની સૌથી વધુ દોઢ અબજ (૧પ૦ કરોડ) ની જનસંખ્યા ધરાવતા દેશ તરીકે આપણું ભારત આગળ વધી રહ્યું છે, અને ચીનને વિધિવત રીતે પાછળ છોડવાની તૈયારીમાં છે, ત્યારે આટલા મોટા દેશમાં ન્યાયતંત્ર વધુને વધુ સુદૃઢ અને વ્યાપક બને તે પણ અનિવાર્ય ગણાય... આથી જ નીચલી અદાલતો, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધીના વિવિધ પ્રકારની અદાલતોના માળખાને વધુ સારૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્રિડમ પૂરૃં પાડવાની રાજ્ય-કેન્દ્ર સરકારોની જવાબદારી છે, તો કેસોના ઝડપી નિકાલ માટે 'સિસ્ટમ'માં ઉત્તરોત્તર સુધારણા થતા રહે, તે પણ અત્યંત જરૂરી જ ગણાય ને?
આપણાં દેશમાં કેટલાક સિવિલ કેસો તો એટલા લાંબા ચાલે છે કે તેનો અંતિમ નિર્ણય આવતા-આવતા બે-ત્રણ પેઢી વીતી જાય અને દાદાએ કરેલો કે તેની સામે થયેલો કેસ તેનો પૌત્ર બૂઢો થઈ જાય ત્યારે આવે, તેવા દૃષ્ટાંતો ઘણી વખત અપાતા હોય છે. કેટલીક વખત તો વાદી-પ્રતિવાદી કે આરોપી અને ફરિયાદીના નિધન થઈ ગયા પછી નિવેડો આવતો હોય છે. ઘણાં કેદીઓ કેસ બોર્ડ પર આવે ત્યાં સુધીમાં જેલમાં રહે છે અને કેટલાક કેદીઓ નિર્દોષ પૂરવાર થાય, તે પહેલા વર્ષો સુધી જ્યુડિશ્યલ કસ્ટડી કે જેલમાં વિતાવતા હોવાની ચર્ચા અવાર-નવાર થતી રહેતી હોય છે.
અદાલતોમાં તારીખ એટલે કે મુદ્ત પડવાના ઘણાં કારણો હોય છે અને કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓને પણ અનુસરવું પડતું હોય છે, પરંતુ જો પક્ષકારો, વકીલો, ન્યાયવિંદે અને કોર્ટટાફનું સંકલન વધુ સુદૃઢ થાય, તો સમયોચિત ન્યાય અવશ્ય સુલભ બની શકે છે, તેમાં સંદેહ નથી.
તાજેતરમાં એક કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પણ કહ્યું હતું કે 'તારીખ પે તારીખ' ન્યાયમાં વિલંબનું કારણ હોય છે અને તેના કારણે મોડેથી મળેલો ન્યાય પણ અન્યાય બરાબર જ ગણાય, વગેરે...
અત્યારે જેટલી સરળતા અને સહજતાથી મોટા મોટા નેતાઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને મોટા કોન્ટ્રાક્ટરો વગેરે પ્રક્રિયા કરતા હોય છે કે તેનો સામનો કરતા હોય છે, તેટલું સરળ ગરીબ-મધ્યમ વર્ગિય અને સીધા-સાદા લોકો માટે રહેતું નથી. અદાલતોના આંગણેથી ન્યાય મેળવવા માટે ઘણાં લોકોની જીવનભરની બચત ખર્ચાઈ ગઈ હોય, જમીન-મકાન વેંચવા પડ્યા હોય કે ઊંચા દરે વ્યાજે નાણા લેવા પડ્યા હોય, તેવા ઘણાં કિસ્સા આપણી વચ્ચે જ જોવા મળતા હોય છે. આ પ્રકારની સ્થિતિમાં પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ થાય અને નવા કેસોની પ્રક્રિયામાં ઝડપ વધે, તે માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ, ખરૃં કે નહીં?
હવે જામનગરમાં ઝોનફેરના 'ગેમ્બલીંગ'ની વાત કરીએ. જામનગરના લેન્ડ ગ્રેબીંગના કેટલાક કેસો ઘણાં જ પ્રચલિત છે, જો કે જમીન કૌભાંડો માત્ર દેશવ્યાપી નહીં, પરંતુ વિશ્વવ્યાપી છે, પરંતુ ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગના સંદર્ભે કડક કાનૂન અમલી બન્યા પછી પણ જમીન કૌભાંડો સતત આચરી શકાતા હોય, તો તે અંગે માથાપચ્ચી કરવી જ પડે... શું ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ અંગેનો કડક કાયદો નિષ્ફળ ગયો છે? જો હા... તો તેના કારણો શું? સરકારે તેના સંદર્ભે શું કર્યું અને જો ઉક્ત પ્રશ્નનો જવાબ 'ના' હોય તો મોટા મોટા દાવાઓ હકીકતે પોલંપોલનો પર્દાફાશ થયો જ ગણાય ને? એવી જ રીતે 'ઝોનફેર'ના ક્ષેત્રે પણ લોલંલોલ ચાલે જ છે ને?
'જાડા' દ્વારા બે વર્ષ પહેલા ખેતીની કિંમતી જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કદાચ તેવી જ માનસિક્તાથી જાડાની છેલ્લી સામાન્ય સભામાં કેટલાક સર્વે નંબરની ખેતીની જમીન ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તબદીલ કરવાના કથિત નિર્ણય સામે મ્યુ. વિપક્ષી નેતાએ વિરોધ દર્શાવી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિજિલન્સ તપાસની માંગણી કરી છે, તે પછી એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે ચોક્કસ સ્થાપિત હિતોને ફાયદો કરાવવા લેન્ડ ગ્રેબીંગની તર્જ પર 'લેન્ડ ગેમ્બલીંગ'ના કારસા ઘડાઈ રહ્યા હોવાની શંકા જાગે, ત્યારે તટસ્થ-ઊંડી તપાસ થવી જ જોઈએ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો અને જામનગરના અનેક વિસ્તારો ફરીથી રબડીરાજમાં ફેરવાયા, તો હાલારના કેટલાક સ્થળે વરસાદજન્ય ગંદકીની ફરિયાદો હવે લોકોની પ્રચંડ નારાજગી દર્શાવી રહી છે. આ સંજોગોમાં સોમવારે જામનગરના મેયરે નગરમાં સફાઈના મુદ્દે જ વિશેષ બેઠક બોલાવી તે સારૂ કર્યું. નગરજનોને એ વાતનો તો સંતોષ થયો જ હશે કે ભલે ગંદકીનું નિરીક્ષણ કરવા કે સ્થળ પર જઈને સાફસફાઈની સૂચનાઓ આપવાનો ટાઈમ મળ્યો નહીં હોય, પરંતુ કમ-સે-કમ બેઠકના માધ્યમથી આ મુદ્દે થોડી ચિંતા તો દેખાડી!
હવે આ બેઠકમાં અપાયેલી સૂચનાઓનો અમલ કેટલોક થાય છે અને સૂચનાઓ આપ્યા પછી તેને સારી રીતે યાદ રાખીને તેનું અનુકરણ કેટલુંક થાય છે, તે જોવાનું રહે છે.
બેઠક યોજાઈ તેને બે દિવસ થવા આવ્યા છે, ત્યારે સોમવારની બેઠકની સૂચનાઓનો કેટલોક અમલ નગરમાં થયો છે, તેને લઈને કેટલાક કોર્પોરેટરોએ પોતાના વોર્ડની સ્થિતિની જાણ મેયર, કમિશનર અને સંબંધિત અધિકારીઓ-ઈજનેરોને કરી? જો કોઈ કોર્પોરેટરોએ રજૂઆત કરી હોય તો તેના સંદર્ભે સંબંધિત અધિકારી-પદાધિકારીએ કેવા, કેટલા પગલાં ક્યારે લીધા અને તેનું પરિણામ શું આવ્યું? તેવા પ્રશ્નોનો જવાબ કદાચ કોઈની પાસે નહીં હોય, કારણ કે જવાબદરીની ફેંકાફેંકી કરવી, કાના-માત્રા વગરના નિરસ કામો પ્રત્યે દુર્લક્ષ રાખવું અને 'હોતી હૈ, ચલતી હૈ'ની માનસિક્તા સાથે 'તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ'ની રણનીતિ હેઠળ એકબીજાને છાવરવામાં મૂળભૂત રીતે બધા ગુપ્ત રીતે એક જ હોય છે. આ સિક્રેટ હવે ઓપન થઈ ગયું છે, અને તેથી જ ઘણાં શાણાં તટસ્થ લોકો કહેતા હોય છે કે, 'હમામ મેં સબ નંગે હૈ... કાગળા બધે કાળા'...!
જો કે નગરના કેટલાક વિસ્તારોમાં મંથરગતિથી સફાઈ થતી હોય કે દુર્ગંધ મારતા ખાબોચિયાઓ પાસે દવા છંટકાવ થતો હોય તેમ જણાય છે, પરંતુ આભ ફાટ્યું હોય ત્યારે થીંગડા મારવા જેવી આ પરંપરા હવે બદલવી જ પડશે, કારણ કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાની આંખો મંડાયેલી છે અને રાજ્યકક્ષાએથી પણ દિશા-નિર્દેશો આવ્યા જ હશે. જામનગર જેવી જ સ્થિતિ હાલારના અન્ય નગરોની પણ છે, અને યાત્રાધામોની તો વધુ બદતર સ્થિતિ છે, રાઈટ?
જામનગરના ઘણાં વ્યૂહાત્મક સ્થળો એવા છે, જ્યાં જાહેર મૂતરડી, પુરુષો-મહિલાઓ માટે નિઃશુલ્ક શૌચાલયો અને પીવાના સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. નગરના એવા ઘણાં સ્થળો છે, જ્યાંથી લોકોની અવર-જવર વધુ રહેતી હોય, બહારગામથી આવતી-જતી બસોના સ્ટોપ હોય, વિવિધ પ્રકારની સ્થાનિક નાની-મોટી બજારો તથા હોસ્પિટલો, શાળા-કોલેજો, સર્કલો, બાયપાસ-રીંગરોડ પરના એવા સ્થળો પર જાહેર મૂતરડી-શૌચાલયો ઊભા કરીને તેના નિભાવ-રખરખાવની વ્યવસ્થા કરવામાં કોઈ અબજો-કરોડોનો ખર્ચ થવાનો નથી, પરંતુ તે જાહેર આરોગ્ય અને મહિલાઓની સલામતિ, અને સન્માન જાળવવાની દૃષ્ટિએ ઘણું જ જરૂરી છે, ખરૃં કે નહીં?
જામનગરમાં સ્વચ્છતા અને સેનીટેશનની વ્યવસ્થા પહેલેથી જ પડકારરૂપ છે અને મનપાની સેનિટેશન કમિટીના અધ્યક્ષાના વોર્ડ સહિત શહેરના ચોતરફ વિક્સેલા વિસ્તારોમાં પબ્લિક સેનીટેશનની વ્યવસ્થા તો દૂર રહી, નિયમિત સફાઈના પણ ફાંફા છે, એટલે જ વોર્ડ નં. ૭ ના નાગરિકો અને જન-પ્રતિનિધિઓને મનપામાં આવેદનપત્ર આપવા જવું પડ્યું હશે ને?
નગરમાં અત્યારે જે મોજુદ જાહેર યુરિનલ અને શૌચાલયો છે, તેની સ્થિતિ પણ એવી હોય છે કે, જેને નાછૂટકે તેનો ઉપયોગ કરવો પડે તેને પણ બીમાર પડી જવાનો ડર લાગે! નર્કાગાર જેવા શૌચાલયો અને તેની આસપાસની દુર્ગંધ મારતી ગંદકી, છલકાતી ગટરો, ઉકરડા જેવા કચરાના કન્ટેનરો અને કચરાટોપલીઓની આજુબાજુ જ્યારે સફેદ કલરની દવાનો છંટકાવ થાય, ત્યારે તે ઘણું જ હાસ્યાસ્પદ લાગે અને લોકો કહેતા સંભળાય કે, 'કોઈ વીઆઈપી આવવાનું લાગે છે'!
નગરમાં તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી 'નારીવંદના' સપ્તાહ ઉજવાનાર છે, ત્યારે નારી સુરક્ષા, સલામતી માટે નગરમાં પબ્લિક શૌચાલયોની નિઃશુલ્ક અને સ્વચ્છ-સ્વસ્થ સેવાઓને વિસ્તારવાના મુદ્દે પણ ચર્ચા ન થવી જોઈએ?
લાખોટા તળાવ રાજશાહીના સમયનું નજરાણું અને નગરની ડંકીઓને જીવંત રાખતી નગરની જીવાદોરી સમુ છે, પરંતુ તેમાં કચરો અને અવાર-નવાર સાંપડતા માછલાના મૃતદેહો, વર્ષાઋતુમાં કીચડ અને પાછલા તળાવ પાસે ઉકરડાની સમસ્યા વર્ષોથી ચર્ચાતી જ રહી છે, પરંતુ આટલી નાની સરખી કાળજી પણ રાખી શકાતી ન હોય, ત્યારે વિકાસના મેગા પ્રોજેક્ટોના બણગાં ફૂંકવાનો કોઈ મતલબ ખરો?
સેનીટેશન અને સ્વચ્છતા એ લોકસુવિધા અને જન-આરોગ્યની મૂળભૂત જરૂરિયાતો ગણાય. મોટા-મોટા ઓવરબ્રીજ, સુશોભિત સંકુલો, કોરિડોર અને વિરાટકાય સેવાસદનોની સાથે સાથે સેનીટેશન સંકુલો, તેની નિયમિત અને વાસ્તવિક સાફસફાઈ કરીને 'હકીકતે' સ્વચ્છતાનો વ્યાપ વધારવાની ખાસ જરૂર છે. એવું કહવાય છે કે લોકસભાની ચૂંટણીમાં ઘણાં યાત્રાધામોમાં ભાજપનો પરાજય થયો, તેની પાછળનું મોટું કારણ સંકુલો અને કોરિડોરો માટે જે લોકોના ઘર, મકાનો અને જમીનો ગઈ, તે લોકોને કેટલુંક વળતર મળ્યું હોવા છતાં ભારે અસંતોષ અને નારાજગી તથા તમામ પ્રવાસધામો-યાત્રાધામોમાં ગંદકી, સેનીટેશનની પર્યાપ્ત સુવિધાઓનો અભાવ અને વિકાસના તકલાદી કામોનું નિર્માણ પણ હતું. જ્યારે જનતા વારંવાર તક આપ્યા પછી પણ અસંતુષ્ટ હોય, તો તે નારાજગી સ્પ્રીંગની જેમ ઉછળે છે અને શાસન કાંખઘોડી પર આવી જાય છે, તે યાદ રાખવું પડે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

છેલ્લા ત્રણ-ચાર દિ'થી વરસાદે હાલારમાં વિરામ લીધો હતો. વરાપ નીકળતા ખેડૂતો ખેતીકામમાં લાગ્યા, ભક્તજનો શ્રાવણમાં શિવપૂજન અને યજ્ઞયજ્ઞાદિની તૈયારી કરવા લાગ્યા, તો સંસદમાં બજેટસત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષો વચ્ચે સટાસટી બોલી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિને લઈને મંત્રી-મહોદયો અને ઉચ્ચ અધિકારીઓ શ્રેણીબદ્ધ મિટિંગો યોજી રહ્યા છે, તો અનેક પ્રકારની મુશ્કેલીઓ તથા સમસ્યાઓનો સામનો કરતી રૈયત (જનતા) પરેશાન છે. ખાસ કરીને શાસન-પ્રશાસનની કાર્યપદ્ધતિ તથા રીતિનીતિ સામે સવાલો ઊઠી રહ્યા છે, તો બીજી તરફ ઠેર-ઠેર સડકોના ધોવાણ,માર્ગોની બદહાલત તથા પુલો-પુલિયાઓ પર ગાબડા, ભૂવા, ખાડાઓના કારણે જબરો જનાક્રોશ પ્રજ્જવલિત થયેલો જણાય છે.
બેટદ્વારકાને જોડતા સુદર્શન બ્રીજ પર પડેલા ખાડાના સમાચારોની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં અન્ય ઘણાં સ્થળે આ જ પ્રકારના મોટા મોટા ખાડા તથા પુલો-પુલિયાઓમાં તીરાડો પડી હોવાની રાવ સોશ્યલ મીડિયામાં ગામેગામથી અને શહેરોની શેરી-ગલીઓ-મહોલ્લાઓમાંથી વહેતી થઈ રહી છે, અને ઘણાં સ્થળે તો નવાનકોર બાંધકામો પણ તકલાદી નીકળી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે, જે ભ્રષ્ટાચારના ભોરીંગે કેવો ભરડો લીધો છે, તે દર્શાવે છે.
જામનગર હોય કે ભાવનગર, નગર હોય કે મહાનગર, ગામડું હોય કે શહેર હોય, તમામ સ્થળે જનપ્રતિનિધિઓ સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, અને પંચાયતથી પાર્લામેન્ટ અને નગર-મહાનગરથી નેશન સુધી જુદા જુદા હોદ્દાઓ માટે લોકોએ ચૂંટીને મોકલેલા જન-પ્રતિનિધિઓની સંકટ સમયે લોકો પ્રત્યેની ફરજો યાદ કરાવાઈ રહી છે. ભારે વરસાદ પછી ઊભી થયેલી સ્થિતિમાં કેટલાક અપવાદો સિવાય જન-પ્રતિનિધિઓએ પોતાના મતવિસ્તારોમાં લોકોની વચ્ચે જઈને વેદના નહીં સાંભળતા હવે લોકોએ પોતાના જ ચૂંટેલા જન-પ્રતિનિધિઓ સામે વિરોધ પ્રદર્શનો કરવા પડતા હોય તો તેનાથી ક્ષોભજનક બીજુ શું હોઈ શકે? શું આ લોકતાંત્રિક માનસિક્તા ગણાય ખરી?
વડોદરામાં કેટલાક લોકોએ 'હું કોર્પોરેટર છું', 'હું કામ નહીં કરૂ', 'હું મુખ્યમંત્રી છું', 'હું કામ નહીં કરૂ', 'હું ધારાસભ્ય છું', 'હું કામ નહીં કરૂ' જેવા પોષ્ટર પોતાના ગળામાં ટીંગાળીને જે રીતે વિરોધ પ્રદર્શિત કર્યો, તેથી આખા રાજ્યનું ધ્યાન ખેંચાયું છે, અને લગભગ આવી જ રીતે હવે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો ઠેર-ઠેર થવા લાગે તો નવાઈ જેવું નહીં હોય, કારણ કે તાજેતરના ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં ત્યાંથી ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ ફરક્યા જ નથી!
વડોદરામાં નદીમાં પૂર નહીં હોવા છતાં શહેર જળબંબાકાર થઈ ગયું, અને ઠેર-ઠેર ગંદકી-ઉકરડાના ઢગલા દેખાયા, છતાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો કે અન્ય જનપ્રતિનિધિઓ સળવળ્યા નહીં, તેની સામે વડોદરાની જનતાએ આ રીતે જનાક્રોશ વ્યક્ત કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, અને ત્યાંના વોર્ડ નં. ૧ર મા આ પ્રકારનો વિરોધ થયા પછી શહેર-જિલ્લામાં પણ વિરોધનો વંટોળિયો ઊઠ્યા પછી નેતાઓ-અધિકારીઓએ હળિયાપટ્ટી કરી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ વડોદરાના એકાદ વોર્ડની નહીં, પણ રાજ્યવ્યાપી છે અને તમામ નગરો-મહાનગરોમાં ભારે વરસાદ પછીની સ્થિતિને લઈને સ્થાનિક જન-પ્રતિનિધિઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો પણ નિષ્ક્રિય રહ્યા હોય, તો તેને 'જનસેવક' કે 'નગરસેવક' કેવી રીતે ગણી શકાય?
વરસાદે ભલે થોડા દિવસ પૂરતો વિરામ લીધો હોય, પરંતુ મેઘાવી માહોલ યથાવત્ છે, અને દિવસમાં દર ત્રણ કલાકે જુદી જુદી આગાહીઓ પણ આવતી રહે છે, ત્યારે લોકોને વધુ મુશ્કેલી ન પડે, વર્તમાન પરેશાનીઓ હળવી થાય અને કાયમી બની ગયેલી કેટલીક સમસ્યાઓનો ઉકેલ નીકળે, તે માટે વોર્ડવાર કે વિસ્તારવાર જનસંપર્ક કેટલા કોર્પોરેટરો કે ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતોના સભ્યો તથા વિવિધ સમિતિઓના અધ્યક્ષો, વિપક્ષના નેતા કે વિવિધ પદો પર બિરાજમાન પદાધિકારીએ કર્યો? પોતાના જ વોર્ડમાં કે વિસ્તારમાં વિકટ સ્થિતિનું નિવારણ કરવા કેટલા જનપ્રતિનિધિઓ જનતાની વચ્ચે ગયા?
ઘણાં નેતાઓ એવી દલીલ કરતા હોય છે કે, અમારા વિસ્તારમાં ઊભી થતી સમસ્યાની અમને ખબર પડી જ જતી હોય છે અને અમે સંબંધિત અધિકારી, તંત્ર કે જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ ફોન દ્વારા સંપર્ક કરીને પણ આ પ્રકારની સમસ્યાઓ નિવારવા અમે સક્રિય જ હોઈએ છીએ, અને અમારે દેખાડા કરવા કે ફોટા પડાવવા લોકોની વચ્ચે જવાની જરૂર જ નથી, વિગેરે...
જો આવી જ સકારાત્મક માનસિક્તા સાથે તત્કાળ સક્રિયતા દાખવવામાં આવતી હોય, તો તેનાથી રૂડુ શું? આ પ્રકારે જનતા માટે ચોવીસેય કલાક જાગૃત રહેતા નેતાઓ પણ દૃષ્ટાંતરૂપ હોય છે, પરંતુ તેની સંખ્યા નહીંવત્ ગણાય, કારણ કે જો આ જ પ્રકારે સક્રિયતા રખાતી હોય તો તો સમસ્યાઓનો તત્કાળ ઉકેલ જ આવી જાય ને? જો પ્રશ્નો ઊભા થતા જ ઉકેલાઈ જતા હોય તો લોકોને વિરોધ પ્રદર્શનો કરવાની જરૂર જ ન પડે ને?
રાજ્યમાં ઘણાં સ્થળે પુલ, રોડ કે પુલિયા-નાળાઓ પર ખાડા પડે, કે આરસીસીનું બાંધકામ હોવા છતાં સળિયા દેખાઈ જાય, તેવા જાહેર બાંધકામોની તસ્વીરો વાયરલ થાય કે પછી આંગણવાડીના મકાનની છતમાંથી મોટું પોપડું ખરી પડ્યા પછી તેના પણ સળિયા દેખાતા હોય ત્યારે એવું કહી શકાય કે વરસાદમાં ભ્રષ્ટાચારના પોપડાં ખરી રહ્યા છે અને સાંઠગાંઠના સળિયા દેખાવા લાગ્યા છે. નેતા-અધિકારી-કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠના આ જીવતા-જાગતા અને પ્રત્યક્ષ પુરાવા છે. કૌભાંડો અને લાપરવાહીના આ ઉઘાડા દૃષ્ટાંતો છે... હવે હદ થઈ ગઈ છે... હવે નહીં જાગો તો પસ્તાશો... લોકતંત્રમાં જનતા સર્વોપરિ છે અને તેની પાસે મતાધિકારનું ઓજાર છે, તે ભૂલતા નહીં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial

'સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરીટી એન્ડ ન્યુટ્રિશન ઈન ધ વર્લ્ડ'ના મથાળા હેઠળ યુનાઈટેડ નેશન્સનો એક તાજો રિપોર્ટ આપણા દેશ માટે ચિંતાજનક છે, જેમાં એવું કહેવાયું છે કે, ભારતની અડધીથી વધારે એટલે કે પપ.૬૦ ટકા વસતિ પૌષ્ટિક આહારનો ખર્ચ ઊઠાવવા સમર્થ નથી. દેશમાં કોરોના અને તે પછીના બે વર્ષો એટલે કે વર્ષ ર૦ર૧ થી ર૦ર૩ દમિયાન ૧૯.૪૬ કરોડ લોકો કુપોષિત જણાયા હતાં, જો કે એશિયાના દેશોની સરેરાશ પણ પ૩ ટકાથી વધુ હતી. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, વર્ષ ર૦૧૭ માં ભારતમાં પૌષ્ટિક આહાર (હેલ્ધી ફૂડ) નો ખર્ચ ઊઠાવવામાં અસમર્થ લોકોનો હિસ્સો ૭૦ ટકાની આસપાસ હતો, તેથી આંકડાકીય દૃષ્ટિએ ભલે થોડો સુધારો દેખાય, પંતુ વાસ્તવમાં પપ ટકાથી વધુ લોકો જો પૌષ્ટિ આહાર પણ ન લઈ શકતા હોય, અને બીજી તરફ આપણો દેશ વિશ્વની પાંચમી ઈકોનોમી હોવાનો દાવો થઈ રહ્યો હોય, અને ત્રીજી ઈકોનોમી બનવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે આ વિરાધાભાસ પણ સંશોધનનો વિષય છે, ખરૃં કે નહીં?
તાજેતરમાં એક ન્યૂઝ સ્ટોરી ઘણી પ્રચલિત બની હતી, જેમાં કોઈ દેશના એક વ્યક્તિએ રિટાયરમેન્ટ સુધીમાં ચોક્કસ રકમની બચત સુનિશ્ચિત કરવા માટે વર્ષો સુધી પેટ ભરીને ખાધું પણ નથી, ક્યાંક આપણે આ પ્રકારની અણઘડ માનસિક્તા સાથે તો આગળ વધી રહ્યા નથી ને? વિચારવા જેવું ખરૃં કે નહીં?
તાજેતરમાં જ બીજો એક વિશ્વકક્ષાનો રિપોર્ટ બહાર પડ્યો હતો. લગભગ બે મહિના પહેલા પ્રસિદ્ધ થયેલા 'ગ્લોબલ ફૂડ પાલિસી રિપોર્ટ-ર૦ર૪ ફૂડ આઈટમ્સ ફોર હેલ્ધી ડાયટ્સ એન્ડ ન્યુટ્રિશન'ના મથાળા હેઠળ બહાર પડેલા આ રિપોર્ટ મુજબ અત્યારે પણ ૩૮ ટકા ભારતીયોને બિનપૌષ્ટિક આહાર મળી હ્યો છે.
આ રિપોર્ટ મુજબ ઓછામાં ઓછું એક સ્ટાર્ચયુક્ત ભોજન, એક દાળ, એક ફળ, અખરોટ સહિતના સૂકા મેવા જેવું ડ્રાયફ્રૂટ વગેરે પૌષ્ટિક આહારના પાંચ ખાદ્યપદાર્થો દેશના માત્ર ૩૮ ટકા લોકોને જ પ્રાપ્ત થાય છે, જ્યારે ૬ર ટકા લોકોને આ પાંચેય પોષણ નિયમિત રીતે પ્રાપ્ત થતા નથી!
આ પ્રકારની સ્થિતિ દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોઈ શકે અને કટલાક સમૃદ્ધ રાજ્યોમાં આ માપદંડો મુજબના અલગ અલગ હોઈ શકે, પરંતુ એકંદરે આપણો દેશ એક તફ ત્રીજી ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ પૌષ્ટિક આહારના પણ અડધાથી વધુ વસતિને ફાંફા પડી રહ્યા હોય, ત્યારે થોડું આત્મમંથન કરી લેવું જરૂરી છે, તેમ નાથી લાગતું?
હકીકતે આપણા દેશની કુપોષણની સમસ્યા અને ગરીબીને પારખીને જ એક સમયે ગાંધીજીએ કહ્યું હતું કે, આપણે 'આઝાદ' જરૂર થયા છીએ, પરંતુ હવે આપણી સામે 'આબાદ' થવાનો પડકાર છે, મતલબ કે આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થવાની જરૂર છે, તેવા ગાંધીજીના તે સમયના તારણો આજે પણ એટલા જ સુસંગત છે, એ સનાતન સત્ય છે.
કુપોષણ અને ગરીબીમાંથી જ ગુનાખોરી અને અરાજક્તા જેવી વિકટ સ્થિતિ અને વિવિધ બદીઓ જન્મ લેતી હોય છે, તેથી આપણા દેશમાં પૌષ્ટિક અને પૂરતા આહારની પર્યાપ્ત વ્યવસ્થા થવી જરૂરી છે. આ માટે જ કોરોનાકાળ સમયથી દેશના ૮૦ કરોડ લોકોને અનાજ આપવાની ચાલતી યોજનાને લંબાવાઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. તેની સામે સવાલ પણ ઊઠી રહ્યો છે કે મોંઘવારી દિવસે દિવસે રાફેલની ગતિથી વધી રહી છે, તેનું શું? દેશમાં બૂલેટ ટ્રેન તો હજુ અમદાવાદ-મુંબઈ વચ્ચે જ લટકી અને અટકી ગઈ છે, પરંતુ બૂલેટ ટ્રેનની ગતિથી બેરોજગારી વધી રહી છે, તેનું શું?... જવાબ જ નહીં હોય- આ પ્રકારના પ્રશ્નોનો... કોઈ પાસે!
એવા અહેવાલો આવ્યા છે કે સિંગતેલના ડબ્બે રૂ. ૮૦ વધી ગયા છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે, મોંઘવારીના મારના કારણે અત્યંત દયનીય સ્થિતિમાં મૂકાયેલા ફિશરમેનો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે, તેવી માંગણી પોરબંદર અને હાલારના માછીમારોએ કરી છે, તો ભારે વરસાદથી ધોવાયેલા પાક માટે સહાય પેકેજની માંગણી ખેડૂતો પણ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને સાગરખેડૂઓની આ વેદના સરકાર ક્યારે સાંભળશે?
સિંગતેલના ભાવો વધે એટલે અન્ય ચીજોના ભાવ પણ વધે. તેલના ભાવોમાં વધારો થતા ફરસાણ, મીઠાઈ અને અલ્પાહાર-ભોજનના ભાવો પણ વધી જાય. આ ભાવવધારાની સખામણીમાં ગરીબ-મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધતી નહીં હોવાથી લોકો ખર્ચમાં કાપકૂપ મૂકે, અને તેના કારણે લોકોને પૌષ્ટિક આહાર કાં તો ઓછો મળે અને ગરીબોને તો મળે જ નહીં... આમાંથી કુપોષણની સમસ્યા વધુ ઘેરી બને છે. તેલના ભાવો વધતા જનાષ્ટમીના તહેવારો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો કેવી રીતે ઉજવશે?
જો કે, સિંગતેલ કે ખાદ્ય તેલોના ભાવો ઘટે, ત્યારે ફરસાણ-મીઠાઈના વિતરકો કે અલ્પાહાર-ભોજનના રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા કે ભોજનાલયો દ્વારા ભાવો ઘટાડવામાં આવતા હોતા નથી, તે પણ વખોડાવાલાયક વાસ્વતિક્તા જ છે ને?
મોંઘવારી બધાને નડે, પરંતુ કેટલાક એવા પરિવારોની સ્થિતિ દયનીય થઈ જતી હોય છે, જેઓ પોતાની ગરીબી અથવા ખર્ચ કરવાની અસમર્થતા જાહેર કરી શકતા હોતા નથી. જેઓ બાપ-દાદાના પાકા મકાનમાં તો રહેતા હોય, પરંતુ બેરોજગારી અને રોજગારીની વર્તમાન વિષમતામાં ફસાયેલા હોય છે. જેઓને કોઈપણ પ્રકારના પછાતપણાની અનામતનો લાભ પણ મળી શકે તેમ ન હોય, તેવા ઘણાં સ્વમાનભેર જીવન જીવતા પરિવારો ઘણી વખત રાક્ષસી પ્રકૃતિના વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈને પોતાનું જીવનચક્ર જ સમાપ્ત કરવા માટે મજબૂર થઈ જતા હોય છે. આ પ્રકારની સ્થિતિ નિવારવા માટે સરકાર, સમાજ અને સંસ્થાઓએ સાથે મળીને વાસ્તવિક રીતે જમીન પર ઉતરીને કામ કરવું પડશે, અને આંકડાઓની પાંખે આકાશમાં ઊડતા રહેવાની માનસિક્તા ત્યાગવી પડશે. અતિ આત્મવિશ્વાસ પણ પડતીનું કારણ બની શકે છે, અને સત્તા પણ ગમે ત્યારે ઝુંટવાઈ શકે છે, તે સૌ જાણે જ છે ને?
કોરોના પછી કેન્દ્ર સરકારે શરૂ કરેલી અન્ન યોજના હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને અનાજ પૂરૃં પાડવાનો દાવો તો થાય છે, પરંતુ તે તમમ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે છે કે પછી ક્યાંક 'પગ' કરી જાય છે? તેવો સવાલ એટલા માટે ઊઠે છે કે સરકારી અનાજનો આ પ્રકારે સગે-વગે કરાતો જંગી જથ્થો અવારનવાર પકડાતો હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ઝડપેલો લાખો રૂપિયાના હજારો કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો શું સૂચવે છે? ગરીબો માટે મોકલાતું અનાજ બારોબાર વેંચાય જાય છે? આ પ્રકાર કૌભાંડો કોણ કરે છે? આ પ્રકારના જથ્થાઓ પકડાયા પછી શું થાય છે, તે કોઈને બખર છે? નર્મદા જિલ્લામાં આ પ્રકારે સગેવગે કરાતું સરકારી અનાજ ઝડપાયું ત્યારે ભાજપ સાથે સંકળાયેલા એક રાજ્યવ્યા૫ી કૌભાંડિયા ગણાતા વ્યક્તિનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
નગરને પીવાનું પાણી પૂરૃં પાડતા જળાશયો અને લાખોટા તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયા હોવાથી કમ-સે-કમ લોકોને મોંઘવારી-બેરોજગારીના કારણે પરશેવો વળી જાય, ત્યારે પીવાનું પાણી તો મળી જ જશે... ડોન્ટ વરી...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર હોય કે ગાંધીનગર, મુંબઈ, બેંગ્લુરૂ, દિલ્હી કે કોલકાતા, કુદરતી આફતો હોય કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હોય, સરકારી યોજનાનું અમલીકરણ હોય કે જનતાને લગતી સેવા-સુવિધાઓ હોય, લોકલ ઈશ્યુ હોય કે નેશનલ- ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સનું આયોજન હોય, સંબંધિત જિલ્લાના તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષા સુધીના અગ્રણીઓ, નેતાઓ અને સ્થાનિકોનું સંકલન જ બુનિયાદી સ્ટ્રક્ચર હોય છે. આ માળખુ જેટલું સક્રિય, જાગૃત અને મજબૂત હોય, તેટલું જ શાસન-પ્રશાસન સફળ અને સંતોષજનક ગણાય, રાઈટ?
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની શહેર કક્ષાની સંસ્થા મહાનગરપાલિકા છે, અને તેના મેયર, બોડી, કોર્પોરેટરો તથા ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર તથા તેના તાબા હેઠળનું તંત્ર શહેરીજનોની સુખાકારી, યોજનાકીય લાભો પહોંચાડવાની પ્રક્રિયા તથા શહેરના વિકાસ-નગરજનોના કલ્યાણ માટે જવાબદાર હોય છે. આ માળખું જેટલું સક્રીય રહે, તેટલા પ્રમાણમાં નગરજનોને સંતોષ થાય, અને તેમાં જેટલી ખામી રહે, તેટલી નારાજગી વધે, તે સાદુ સીધુ ગણિત પણ છે અને ચૂંટણીઓ સમયે લોકમત વધારવા કે ઘટાડવાનું 'પૂર્વાનુમાન' પણ છે, તેમ માની શકાય, ખરૃં કે નહીં?
ભારે વરસાદ પછી નગરમાં ખદબદતી ગંદકી તથા વધી રહેલા રોગચાળાના કારણે તડાપીટ બોલી રહી હતી અને માછલા ધોવાઈ રહ્યા હતાં, ત્યારે જામનગરના મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે ચાલી રહેલા આધારકાર્ડના કેન્દ્રની મુલાકાતે ગયા અને અરજદારો સાથે વાતચીત કરી, તેવા અહેવાલો આવ્યા, તેથી નગરજનોને થોડું સારૂ લાગ્યું હશે, અને તેઓ આ જ રીતે નગરની સ્થિતિ નિહાળવા નગરચર્યા માટે વારંવાર નીકળતા રહે, તેવી ઈચ્છા પણ રાખતા હશે, ખરૃં કે નહીં?
જન્મ-મરણની નોંધ કરાવવાની હોય કે લગ્ન રજિસ્ટર્ડ કરાવવાના હોય, આવકનો દાખલો કઢાવવાનો હોય કે નળ-ભૂગર્ભ ગટર કે સ્ટ્રીલાઈટને લગતા પ્રશ્નો હોય, નગરજનોને મહાનગરપાલિકાની 'સરળ', 'સહજ' અને 'ઝડપી' સેવાઓનો સ્વાનુભવ થતો હશે જ. અને તેના આ પ્રકારના 'વ્યંગાત્મક પ્રત્યાઘાતો' તંત્ર અને શાસકોને પણ સાંભળવા મળતા જ હશે ને?
'દેર આયે... દુરસ્ત આયે'ની જેમ જામનગરની તમામ સેવા-સુવિધાઓને લઈને મ્યુનિ. કમિશનરશ્રી અને તેનું તંત્ર દિન-પ્રતિદિન વધુને વધુ સક્રીય રહે, અને લોકોને મહત્તમ સંતોષ આપવાનો અભિગમ અપનાવે તો તેનાથી રૂડુ શું હોય?, જો કે, લોકપ્રશ્નો લઈને ગયેલા વિપક્ષના નેતાઓને મળવાના બદલે કમિશનરશ્રી મિટિંગમાં ચાલ્યા ગયા હોવાની રાવ પણ ઊઠી!
જેવી રીતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નગરજનોની સુખાકારી માટે જવાબદાર છે, તેવી જ રીતે જિલ્લાના પ્રજાજનોની જન-સુખાકારી માટે જિલ્લા-તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતો, તેના શાસકો તથા તંત્રો જવાબદાર હોય છે. જામનગર જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર ગણાય અને રાજ્ય-કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના અમલીકરણ અને જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન અને સંયોજનની કડીરૂપ ફરજો પણ કલેક્ટર બજાવે છે, અને આ માટે તેઓને વ્યાપક સત્તાઓ પણ આપવામાં આવે છે. તે ઉપરાંત તેઓને જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તાઓ અપાઈ હોવાથી તેઓ કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ પણ પણ જિલ્લાના હેડ ગણાય છે, તો જિલ્લા પોલીસ વડા કાયદો-વ્યવસ્થા માટે જવાબદાર ગણાય છે. જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને લોકકલ્યાણની યોજનાઓ માટે જવાબદાર હોય છે, તો નગરપાલિકાઓમાં આ જવાબદારી ચીફ ઓફિસરો પર હોય છે. તેવી જ રીતે વિવિધ વિભાગોના અધિકારીઓની નિશ્ચિત જવાબદારીઓ હોય છે.
તાજેતરમાં ભારે વરસાદ અને તે પછી ઊભી થયેલી સ્થિતિમાં આ તમામ જવાબદાર સત્તાધારી ઉચ્ચ અધિકારીઓ કેટલા સક્રીય રહ્યા, કેટલા પ્રમાણમાં લોકોની વચ્ચે ગયા, કેટલાક પ્રમાણમાં ફિલ્ડમાં જઈને સ્વયં સ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી જરૂરી પગલાં ઝડપભેર લેવડાવ્યા અને કેટલા પ્રમાણમાં નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી, તે લોકોએ સ્વયં અનુભવ્યું જ હશે ને?
કેટલાક નેતાઓ અને અધિકારીઓ એવા પણ છે, જેઓ લોકોની વચ્ચે ગયા અને જરૂરી કદમ ઊઠાવ્યા, પરંતુ તેની વ્યાપક પબ્લિસિટી થઈ નહી, તો કેટલીક ગુમનામ સેવાઓ પણ થઈ, પરંતુ તે પ્રકાશમાં ન આવી. તેથી સવાલ એ ઊઠે કે એકાદ-બે મુલાકાત લઈને તેની વ્યાપક પ્રસિદ્ધિના વખાણ કરવા કે ગુમનામ ઢબે નિષ્ઠાપૂર્વક લોકસેવા બજાવતા રહેતા અધિકારીઓ-કર્મચારીઓને બીરદાવવા?
નેતાઓ અને તંત્રોની પણ એ મુશ્કેલી હોય છે કે જો તેઓ સક્રીયતાથી નિષ્ઠાથી ફરજો બજાવે અને તેની નોંધ ન લેવાય (પબ્લિસિટી ન થાય) તો તેઓ પર નિષ્ક્રિય રહેવાના આરોપો લાગે, અને જો પબ્લિસિટી થાય, તો એવી ટીકા થાય કે 'ફોટોસેશન' થાય છે, કરવું શું? છે ને દ્વિધા?
વાસ્તવમાં આ પ્રકારની દ્વિધામાં રહેવાની જરૂર જ નથી, કારણ કે હવે માત્ર સરકારી વાજીંત્રો કે લિમિટેડ પીઆરઓ જ નહીં, પરંતુ જાગૃત પબ્લિક અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતા જાગૃત નાગરિકો પણ નેતાઓ-અધિકારીઓની તમામ કામગીરીઓ, હલચલ, હિલચાલ અને પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખતા હોય છે, તેથી સાચું શું અને ખોટું શું, પ્રોપેગેન્ડા અને સત્ય રિપોર્ટીંગ તથા દેખાડા ખાતર થતી કામગીરીને અનેકગણી વ્યાપક બનાવીને તેની થતી પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત સારી રીતે જાણતા હોય છે. 'અબ યે ટેકનોસેવી એન્ડ એલર્ટ પબ્લિક હૈ... યે સબકુછ જાનતી હૈ... પરદે કે આગેભી... ઔર પરદે કે પીછેભી...'
દ્વારકા જિલ્લામાં ચાંદીપુરાનો એક શંકાસ્પદ કેસ નોંધાતા જ ત્યાંનુ તંત્ર તરત હરકતમાં આવ્યું હોવાના અહેવાલો આવ્યા. જાહેર સ્થળો, શાળા-મહાશાળાઓ, આંગણવાડીઓ સહિત તમામ સ્થળે દવા છંટકાવ, માખીના ઉપદ્રવ સામે જનજાગૃતિ ફેલાવાઈ. જામનગર જિલ્લામાં પણ આ પ્રકારની કમગીરી (મંથર ગતિથી) શરૂ થઈ, પરંતુ ચાંદીપુરાનો કેસ નોંધાતાની સાથે જ દ્વારકા જિલ્લામાં ઝડપભેર કાર્યવાહી તો થઈ જ, સાથે સાથે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દરેક તાલુકામાં ફિલ્ડમાં ગયા અને લોકોની વચ્ચે જોવા મળ્યા. તે પહેલા સુદર્શન બ્રીજમાં ખાડો પડ્યો-તીરાડો દેખાઈ તેવા અહેવાલો વહેતા થયા પછી જિલ્લાનું તંત્ર ત્યાં દોડી ગયું હતું. નેતાઓ ફિલ્ડમાં સક્રીય દેખાયા... હવે તે પરિણામલક્ષી બને છે કે નહીં, તે જોવાનું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ ભૂગર્ભ ગટરોની સાફસફાઈની ફરિયાદો મનપાનું તંત્ર સ્વીકારે, સાંભળે અને તેનો નિકાલ કરે, તથા આ કામ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓના ભરોસે છોડવામાં ન આવે, તે પ્રકારનું જે વલણ અખત્યાર કર્યું છે, તેને લોકલક્ષી નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારનું સૂચન 'નોબત'ના તંત્રીલેખ તથા અહેવાલોમાં વારંવાર કરાતું હતું અને તે પ્રકારના લોકપ્રત્યાઘાતો પણ સંભળાતા હતાં. વિકાસના કામો કોન્ટ્રાક્ટરો કરે, તે સમજી શકાય, પરંતુ સફાઈ અને માળખાકીય સેવાઓ (મૂળભૂત અને જીવન જરૂરિયાતની સેવાઓ) કોન્ટ્રાક્ટરોના ભરોસે ન છોડી શકાય, તેવી તકેદારી તંત્રો જો કાયમી ધોરણે રાખે તો કદાચ પ્રવર્તમાન અસંતોષ અને નગરજનોની નારાજગી ઘટી પણ જાય!
માત્ર ફરિયાદો કોન્ટ્રાક્ટરના સ્ટાફના બદલે તંત્ર દ્વારા નોંધવા કે સાંભળવામાં આવે, તેથી નહીં ચાલે, પરંતુ ફરિયાદોના સ્વરૂપ પ્રકાર અને જરૂરિયાત મુજબ તેનો તત્કાળ ઉકેલ આવે, તે જરૂરી છે. કોઈપણ ફરિયાદ આવે, તે 'અમારામાં આવતું નથી' તેમ કહીને ફરિયાદ ફાઈલ કરી દેવા, પરત કરી દેવા કે લટકતી રાખવાના બદલે, જેને એ ફરિયાદ લાગુ પડતી હોય, તે તંત્ર તરફ તાકીદે સંબંધિત ઈજનેરને સક્ષમ અધિકારી દ્વારા જ મોકલી દેવાય, અને તેની જાણ અરજદારને કરાય, તેવી સિસ્ટમ સુધારણા ન થઈ શકે?
અત્યારે અદ્યતન ટેકનોલોજીના યુગમાં અને લોકોની વ્યસ્ત જિંદગીમાં કોઈ ફરિયાદ (અરજી) લખી કે લખાવીને મનપામાં પહોંચાડે અને તે ઈન્વર્ડ થાય, જે-તે ટેબલ પર જાય અને પછી તેના પર યોગ્ય કાર્યવાહી થાય, તેવી અંગ્રેજોના વખતની સિસ્ટમો હવે ચાલે તેમ નથી. હવે તો તેમાંથી બહાર આવો!
જો કે, હવે મોબાઈલ સેલફોન દ્વારા ફરિયાદ નોંધાવવાની સિસ્ટમ કેટલીક સેવાઓમાં મોજુદ છે, પરંતુ તેના ઉકેલની સિસ્ટમ એ જ જુના જમાનાના રગશિયા, ગાડા જેવી છે, જેથી સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરીને તેમાં મૂળભૂત સુધારા થઈ શકે છે.
આપણા ઘરની છતમાં ચૂવાક થતો હોય અને તે એકાદ રૂમ ઉપરાંત રસોડામાં પણ થતો હોય, અને આપણે ધ્યાનમાં આવ્યું ન હોય, અને રીપેરીંગ વખતે ધ્યાનમાં આવે, તો રસોડાનો ચુવાક પણ બંધ કરી દઈએ, અથવા આખી છતમાં વોટરપ્રૂફીંગ પેઈન્ટ કરાવી લઈએ છીએ, તેવી જ રીતે કોઈ સ્થળેથી ગટર છલકાવાની, પાણીનું લીકેજ હોવાની, એકાદ થાંભલે વાંધો હોવાથી કોઈના ઘરમાં વીજળી પુરવઠો બંધ થવાથી, ગંદકી કે કચરાના ઢગલાની, ખાડો કે ચિરોડો પડ્યો હોવાની કે પછી વૃક્ષ કે થાંભલો જમીનદોસ્ત થવાની વ્યક્તિગત ફરિયાદ આવે, ત્યારે તેની મરામત માટે ગયેલી કોઈપણ વિભાગ, તંત્ર કે કોન્ટ્રાક્ટરની ટીમે તે શેરી-ગલી, મહોલ્લામાં-આજુબાજુમાં આવી જ ફરિયાદ હોય કે ટીમની નજરે પડે, તો તેની સામે ચાલીને સ્વયંભૂ મરામત કરી દેવી જોઈએ, પરંતુ કમનસીબે તેવું થતું હોતું નથી.
અત્યારે તો કોઈ વ્યક્તિ ભૂગર્ભ ગટરની ફરિયાદ કરે તો તે વ્યક્તિની ફરિયાદનો માંડ માંડ નિકાલ (ઉકેલ?) થાય, પરંતુ તેના પડોશીએ સમાન પ્રકારની તકલીફ માટે અલગ ફરિયાદ નોંધાવી હોય તો જ તેની મરામત થાય, તેવી વર્તમાન ૧૮ મી સદીથી પણ બદતર સિસ્ટમ છે. વીજકંપનીમાં કે સ્ટ્રીટલાઈટ અંગે જે નાગરિકે ફરિયાદ કરી હોય, તેને ત્યાં જ વહેલા મોડી ટીમ પહોંચે, પરંતુ તેની તદ્ન પડોશમાં આ જ પ્રકારની તકલીફ હોય, તો એવું કહેવામાં આવે કે પહેલા ફરિયાદ નોંધાવો, પછી ટીમ આવશે... આવું દરેક મૂળભૂત સેવાઓમાં થતું હોય છે... બોલો...
આ પ્રકારની માનસિક્તાથી એક તરફ તો તંત્રનું કામ બેવડાય છે, બીજી તરફ લોકોની તકલીફો વધે છે, જે ધીમે ધીમે અસંતોષ અને નારાજગીમાં ફેરવાય છે, અને ગમે તેટલી લોકલક્ષી યોજનાઓ હોય છતાં શાસકો પ્રત્યેનો જનાક્રોશ પણ વધે છે, કારણ કે તેઓ અકળ કારણોસર (બધું જાણતા હોવા છતાં) આવું લોલંલોલ ચલાવી લેતા હોય છે!
અંગ્રેજો તો ભારતીયોને ગુલામ જ સમજતા હતાં, અને એ કારણે જ વીઆઈપી કલ્ચર પણ સર્જાયું હતું, જેમાં સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ માટે અલગ વ્યવસ્થાઓ તથા બ્રિટીશ અધિકારી-કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા હતી, તેમ કહેવાય છે. કદાચ, આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે પણ હજુ આપણા તંત્રો અને શાસકો (વારાફરતી) પણ ગુલામીની માનસિક્તા તથા વીઆઈપી કલ્ચરમાંથી બહાર આવ્યા હોય તેમ જણાતું નથી., તફાવત માત્ર એટલો જ છે કે રૈયત (જનતા) એ ની એ જ રહી છે, પરંતુ અંગ્રેજોનું વીઆઈપી કલ્ચર આપણાં તમામ નેતાઓ-શાસકોએ અપનાવી લીધું છે, જે માત્ર લાલ લાઈટો ફાળવવાથી દૂર નહીં થાય, સમગ્ર સિસ્ટમને ધરમૂળથી સુધારવી પડે તેમ છે, સાચી વાત છે ને?
જામનગરમાં કોલેરાનો ઉપદ્રવ વધતા જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે, અને ચાંદીપુરામાં ત્રણ બાળકોના જીવ ગયા છે, ત્યારે તંત્રો સફાળા જાગ્યા અને કેટલાક વિસ્તારોમાં ટીમો પહોંચી પણ ખરી... પરંતુ આ બધું રિહર્સલ પછીના ત્રિઅંકી નાટક જવું નથી લાગતું?... જેમાં વચ્ચે વચ્ચે પ્રહસનના એપિસોડ ભજવાતા હોય છે!
હવે જામનગરમાં વિપક્ષની મોજુદગી હોય તેવું લાગે છે, કારણ કે એકાદ-બે એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર અને નેતાઓ ઉપરાંત હવે લોકોને જોડીને બુનિયાદી અવાજ ઊઠાવવા અન્ય વિપક્ષી નેતાગણ પણ આગળ આવવા લાગ્યો છે. નગરના વોર્ડ નં. ૬ ની સોસાયટીઓ-ટાઉનશીપોમાં શેરી-ગલ્લીઓથી લઈને રીંગરોડ સુધીના તમામ માર્ગો પર પડેલા ભૂવા (મોટા મોટા ખાડા) ભૂગર્ભ ગટરના કામોમાં વેઠ, વિવિધ વિકાસકામો માટે થયેલા ખોદકામ પછી તેને માત્ર ધૂળ-માટીથી બૂરી દેવાયા હતાં, ત્યાં વરસાદ પછી લપસણી ભૂમિ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય, દુર્ગંધ-ગંદકીની પરાકાષ્ટા સાથે ખાડાઓ પડી જતા ઊભી થયેલ સ્થિતિનો અઠવાડિયામાં ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારના કોર્પોરેટરો લોકોને સાથે રાખીને મહાનગરપાલિકા સામે મોરચો માંડશે અને ગાંધીચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ કરશે, તેવી ચિમકી પણ આપવામાં આવી છે, અને તે મતલબનું આવેદનપત્ર મ્યુનિ. કમિશનરને સોંપ્યું છે.
હવે જો અઠવાડિયામાં તંત્રો પૂરેપૂરી સફાઈ, માર્ગોની મરામત અને તમામ ફરિયાદોનો ઉકેલ નહીં લાવે તો 'ભૂખ હડતાલ' શરૂ થશે. અહીં આવેદનપત્ર આપનારાઓનો પણ લિટમસ ટેસ્ટ થવાનો છે. માત્ર તંત્ર કામ શરૂ કરે તેથી સંતોષ માનવાના બદલે ફરિયાદોના સંતોષકારક ઉકેલ લાવવામાં ન આવે, તો આંદોલન કરવું જ પડશે, અન્યથા લોકો આને પણ 'ફોટોસેશન' જ માનશે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલથી બેટદ્વારકાને જોડતો સુદર્શન બ્રીજ રાજ્યભરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. બીજી તરફ ભારે વરસાદ પછી હાલારના ઘણાં માર્ગો બંધ થઈ ગયા અને નગરપાલિકા ધરાવતું જામ-રાવલ ચારે તરફ પૂરના પાણીથી ઘેરાઈ જતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હોવાના અહેવાલો છે, તેવી જ રીતે ઘણાં વિસ્તારો જળબંબાકાર થયા છે, તથા મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
રાવલ નજીક એક તરફથી વર્તુ નદી અને બીજી તરફથી સાની નદીનું પાણી એકઠું થતું હોવાથી વર્ષોથી ઊભી થતી આ પ્રકારની સ્થિતિ નિવારવા કોઈ કાયમી ઉપાયો થવા જોઈએ, ખરૃં કે નહીં?
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકારને આડે હાથ લીધી હોવાના અહેવાલો છે. તેમણે ગુજરાતના ભ્રષ્ટાચારના મોડેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી ટીકા અને તેના અપાઈ રહેલા જવાબો પછી રાજકારણ ગરમાયું છે. અમિત ચાવડાએ બેટદ્વારકાને જોડતા સુદર્શન બ્રીજમાં પડેલ ગાબડા અને તીરાડોને ટાંકીને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
હકીકતે ઓખાથી બેટદ્વારકા જવા માટે રૂ. ૯૭૯ કરોડ જેટલા જંગી ખર્ચે દરિયામાં બંધાયેલા સુદર્શન બ્રીજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધમાકેદાર લોકાર્પણ કરાયું હતું, પરંતુ તેને પાંચ જ મહિના થયા છે, ત્યાં જ તેમાં પડેલા ખાડા તથા તીરાડોના અહેવાલો પ્રેસ-મીડિયાના માધ્યમથી ગઈકાલે વહેતા થતા જ એક તરફ દરિયામાં બંધાયેલા આ બ્રીજ પરથી દર્શનાર્થે જતા યાત્રિકો તથા સ્થાનિક રહીશોમાં ગભરાટ-ઉચાટ વર્તાયો હોવાની વાતો વહેતી થઈ, તો બીજી તરફ તેના રાજકીય પડઘા પણ પડ્યા છે. બહુહેતુક નજરાણા સમા આ બ્રીજમાં ગાબડું-તીરાડો પડે તે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ન ગણાય?
આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવાયો હતો અને વસ્તવમાં તેઓ મુખ્યમંત્રી હતાં, ત્યારથી જ આ બહુહેતુક બ્રીજ માટે તેમણે પ્રક્રિયા શરૂ કરાવી હતી, પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટના નિર્માણ પછી તેમાં પડેલા ગાબડા-તીરાડોએ એ પૂરવાર કરી દીધું છે કે, ભ્રષ્ટાચારનો ભોરીંગ કેટલો મજબૂત છે, અને વ્યાપક છે. આ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તો તે ગંભીર ગણાય, તેથી જ રાજ્યના ભાજપના ઉચ્ચ વર્તુળોમાં પણ ઘેરા પડઘા પડ્યા છે, અને દ્વારકા અને જામનગરથી ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની રાજધાની દિલ્હી સુધી આ મુદ્દે તત્કાળ ટેલિફોનિક રજુઆતો થઈ હશે ને?
લોકોને આ અહેવાલો પછી વધુ ગભરાટ એટલા માટે થયો કે જે કોન્ટ્રાક્ટર કંપનીએ આ બ્રીજનું નિર્માણ કર્યું છે, તે જ સિંગલા કન્સ્ટ્રક્શન દ્વારા નિર્માણ થયેલો ગંગાનદી પરનો એક પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો, લાંબા અને મોટા પુલો બનાવવા માટે જાણીતી આ કંપની મૂળ હરિયાણાની હોવાનું કહેવાય છે, અને તેના દ્વારા નિર્માણ થયેલો બિહારનો પુલ ધરાશાયી થયો, તે સમયે સુદર્શન સેતુનું કામ ચાલી રહ્યું હતું, તેથી એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે જો આ કંપનીએ અન્ય રાજ્યમાં કરેલા કામો નબળા પૂરવાર થયા હોય, તો બીજા રાજ્યમાં તેને નવા કામો કેવી રીતે મળી શકે? એટલું જ નહીં, બિહારમાં ગંગાનદી પરનો પુલ ધરાશાયી થયો હોવા છતાં પણ દરિયામાંનું એ જ કંપની દ્વારા બંધાઈ રહેલા પુલની ગુણવત્તાને લઈને ચોક્કસાઈ કેમ રાખવામાં ન આવી? જો એ સમયે જ તકેદારી રખાઈ હોત તો પહેલા વરસાદમાં જ દરિયા પરના આ બ્રીજની આ હાલત થઈ ન હોત.
આ ગંભીર મુદ્દો છે. આ બ્રીજ ઊંડા દરિયા પર બંધાયેલો છે અને તેના પરથી દરરોજ હજારો લોકો અને સેંકડો વાહનો અવર-જવર કરી રહ્યા છે, તેથી આ પુલનો કોઈ હિસ્સો ધરાશાયી થઈ જાય, તો પણ સંખ્યાબંધ લોકો પર ડૂબી જવાનો ખતરો ઊભો થાય તેમ છે. આ કારણે અહીં તાલીમબદ્ધ, તરવૈયાઓ સાથેની એનડીઆરએફની એક ટીમ કાયમી ધોરણે તૈતાન રાખવી જોઈએ. તેવું સૂચન પણ થઈ રહ્યું છે, અને આ મુદ્દે કેન્દ્રિય કક્ષાએ નોંધ લેવાઈ અને 'નોબત'માં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તેના પડઘા પડ્યા, અને તંત્ર દોડતું થયું. મરામતની કામગીરી શરૂ કરાઈ, પરંતુ આ બ્રીજ કેન્દ્ર સરકાર હેઠળ હોવાથી રાજ્ય સરકારના તંત્રો લાચારી વ્યક્ત કરી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઈ એવા સવાલો પણ ઊઠ્યા કે જો કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણ થતાં તમામ બ્રીજ માટે રાજ્ય સરકારના તંત્રએ હાથ ઊંચા કરી દેતા હોય તો ન કરે નારાયણ ને કોઈ સ્થળે સંભવિત કરૂણ દુર્ઘટના થાય તો તે પછીના રાહત-બચાવવાનું કામ કરવા માટે પણ કેન્દ્રના નિર્દેશોની રાહ જોવી પડે?
એવું કહેવાય છે કે, જિલ્લાના કલેક્ટર તંત્રે એજન્સી પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે, ત્યારે સવાલ એ ઊઠે કે એજન્સીએ સરકારને આ બ્રીજ સુપ્રત કરી દીધો હોય, તે પછી આ પ્રકારના ગંભીર મુદ્દે કેન્દ્રના સંબંધિત વિભાગે તત્કાળ દોડવું ન જોઈએ? આ બ્રીજ નેશનલ હાઈ-વે ઓથોરિટી હેઠળ હોય કે અન્ય કોઈ વિભાગ સંકળાયેલો હોય, તો પણ હજારો લોકોની જિંદગી સાથે સંકળાયલા મુદ્દે પણ 'બાઈ બાઈ ચારણી દે... ઓલા ઘરે જા' જેવી ચીલાચાલુ માનસિક્તા અપનાવાઈ રહી હોય તો તે પૂરવાર કરે છે કે 'ખોખલી' સિસ્ટમ પાસે 'મજબૂત' ગણાતી સરકારો પણ કેટલી લાચાર છે?!
આ મુદ્દો એનડીએના સાથીદાર નીતિશ કુમારના રાજ્યમાં ધરાશાયી થયા ડઝનેક બ્રીજને સાંકળીને આજે સંસદના ગલિયારા સુધી પડઘાયેલો છે, અને 'મોદીના ગુજરાતનું ભ્રષ્ટાચાર મોડલ'- જેવા શબ્દપ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે તંત્રો લૂલો બચાવ કરી રહ્યા છે, તો વિપક્ષો જવાબદાર ઈજારેદાર કંપનીને નહીં, પરંતુ તેને પ્રમાણિત કરનાર સંબંધીત ઈજનેરો તથા અધિકારીઓ સામે પણ કડક કદમ ઊઠાવવા અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માંગણી ઊઠાવે, તો તેમાં ખોટું શું છે? તેવા સવાલો સાથે જનાક્રોશ જ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ રાવલમાં હોડીઓ ફરતી થઈ અને નિચાણવાળા વિસ્તારો ડૂબ્યા હોય, ત્યારે હવે સાની ડેમના નવનિર્માણના કામમાં ઝડપ આવે અને આવતા ચોમાસા પહેલા પુલ બંધાઈ જાય તેવી માંગણી વધુ તીવ્ર બની રહી છે. હાલારમાં જ્યાં જ્યાં માર્ગો બંધ થયા છે, ત્યાં ત્યાં હાલમાં ઝડપભેર મરામત અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થતી અટકાવવા કેટલાક કોઝ-વે, પુલ ઊંચા લેવા જરૂરી હોવાની લોકલાગણી પણ સંભળાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલાર પર મેઘરાજાની મહેરબાની આ વખતે કાંઈક વધુ હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે, અને કેટલાક સ્થળે મેઘરાજાની મહેર હવે કહેરમાં ફેરવાઈ રહી હોય, તેમ જણાય છે, તો બીજી તરફ મોદી સરકારની ત્રીજી ઈનિંગનું પ્રથમ પૂર્ણકક્ષાનું બજેટ ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યા પછી તેના દેશવ્યાપી મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ એનડીએના નેતાઓ બજેટની વાહવાહી કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ આ બજેટને છેતરમાણું, નિરાશાવાદી અને ચીલાચાલુ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ તો આ બજેટને કોંગ્રેસના મેનિફેસ્ટોની નકલ ગણાવીને એક નવી જ પ્રકારની ચર્ચા જગાવી દીધી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો માટે કોઈ જોગવાઈ નથી અને બિહારનું પૂર મોદી સરકારને દેખાય છે, તેવા કટાક્ષ સાથે ભાજપ પર તડાપીટ બોલાવી હતી. તો પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ મોદી સરકારના બજેટને માલેતુજારો માટેનું બજેટ ગણાવ્યું હતુ, તો રાહુલ ગાંધીએ આ બજેટને 'ડબલ એ' ને ફાયદો કરાવનારૃં ગણાવ્યું, અને ખડગેએ આ બજેટને દેશનું પ્રગતિનું નહીં, પણ મોદી સરકારને બચાવવાનું બજેટ ગણાવીને આંધ્રપ્રદેશ તથા બિહાર માટે કરાયેલી વિશેષ ફાળવણીઓની ટીકા કરી હતી.
ઉદ્યોગપતિઓ તથા વ્યાપારી વર્ગોમાંથી પણ મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે થયેલી રૂા. ૧.પર લાખ કરોડની જોગવાઈઓમાં ખેત-ઉત્પાદનો ઉપરાંત શાકભાજીના સ્ટોરેજ અને માર્કેટીંગની જાહેરાતોને પણ આવકાર મળી રહ્યો છે. જ્યારે મત્સ્યોદ્યોગ માટે પાંચ એકવા પાર્ક સ્થાપવાની જાહેરાતને પણ આવકાર મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડપ્રધાનની 'ગ્યાન'ની સંકલ્પનાને અનુરૂપ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યુ, તો યમલ વ્યાસે રોજગારીની નવી તકો આપતું બજેટ ગણાવીને મુદ્દા લોનની મર્યાદા વધારાઈ, તેને અવકારી હતી. 'આપ'ના નેતા ઈશુદાન ગઢવીએ તો આ બજેટને ગુજરાતના લોકો માટે અપમાનજનક ગણાવી દીધું.
વડાપ્રધાને તો બજેટને આવકારતી એક વિશેષ સ્પીચ આપી, જેમાં બજેટના ભારોભાર વખાણ કરાયા, તો અખિલેશ યાદવ અને માયાવતીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું બીજી તરફ નાયડૂ-નિતિશની જોડીને એનડીએની સાથે રહેવાનું 'વળતર' મળી ગયુ હોવાના કટાક્ષો પણ થયા.
સોશ્યલ મીડિયામાં તો આ બજેટને લઈને કોમેન્ટોનો દરિયો જ ઉભરાયો હોય, તેમ બજેટના વિરોધ અને સમર્થનમાં મંતવ્યો આપ્યા, તો બીજી તરફ વાણીવિલાસ અને મસ્તી-મજાક પણ થતાં જોવા મળ્યા. આ સોશ્યલ મીડિયાના માધ્યમથી જે પ્રત્યાઘાતો આવ્યા, તેનો નિચોડ એવો જ નીકળે છે કે બજેટનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ બજેટના સમર્થનમાં પણ ઘણી કોમેન્ટો થઈ રહેલી જણાઈ.
રાષ્ટ્રીય મહિલા આયોગે બજેટમાં નારી શક્તિ માટે થયેલી જોગવાઈઓને આવકારી, તો એમ.ડી. તપન રે એ ગિફટ સિટીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકો આપતું બજેટ ગણાવ્યું. કેટલાક નિષ્ણાતોએ ૮૦ કરોડ લોકોને અનાજ આપવા સહિતની નવી યોજનાઓ તથા રોજગાર વધારવાના અભિગમ સાથે કરાયેલી જોગવાઈઓને તો આવકારી, પરંતુ એનડીએની સરકારને ટકાવી રાખવા બિહાર અને આંધ્રપ્રદેશને અપાયેલા વિશેષ પેકેજોની ટીકા પણ થઈ, કેન્દ્ર સરકારે બિહારને સ્પેશ્યલ સ્ટેટ (વિશેષ રાજ્ય) નો દરજ્જો તો ન આપ્યો, પરંતુ વિશેષ ફંડ જરૂર આપી દીધું હોવાના કટાક્ષો પણ થયા.
જો કે ઈન્ડિયા ગઠબંધને બજેટનો ગઈકાલે જ વિરોધ જાહેર કરી દીધો હતો અને આજે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર તથા સંસદમાં પ્રચંડ વિરોધ કરવાની જાહેરાત, કરી હતી, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
સરકારે કૃષિક્ષેત્રે રૂા. રપ હજાર કરોડનો વધારો ગત બજેટની સરખામણીમાં કર્યો, અને કિસાન ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર શાકભાજીની સપ્લાઈ ચેઈન, પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માનનિધિ વગેરે અંગે જોગવાઈઓ કરી, તેને એકંદરે આવકાર મળ્યો, પરંતુ નાણામંત્રીએ એમએસપીના મુદ્દે સ્પષ્ટ જોગવાઈ જ નહીં થતાં નારાજગી પણ વ્યકત થઈ રહી છે.
એક તરફ કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણ વિવિધ જાહેરાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ ગુજરાતમાં અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજી હતી, તથા સ્થાનિકોના અભિપ્રાયો પણ મેળવ્યા હતા, હવે રાજ્ય સરકાર કોને, કેવી અને કેટલી રાહત-સહાય આપશે, તે જોવું રહ્યું.
કેન્દ્રીય બજેટ અને ભારે વરસાદના ગુજરાત સહિતના દેશવ્યાપી અહેવાલો વચ્ચે ગઈકાલે નીટ-યુજીના મુદ્દે સુપ્રિમ કોર્ટે આ પરીક્ષા પુનઃ લેવાની ૪૦ જેટલી અરજીઓ ફગાવી દીધી અને સીબીઆઈની તપાસ ચાલુ રાખવા તથા કાઉન્સેલીંગની પ્રક્રિયા પણ ચાલુ રાખવા હૂકમ કર્યો અને પટણા તથા હજારીબાગમાં પેપર લીક થયા હોવાને આખા દેશનું પેપરલીક માન્યુ નહોતું, તે મુદ્દે પણ આજે અલગથી ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મેઘમહેર હવે ઘણાં સ્થળે જાણે કહેરમાં ફેરવાઈ રહી હોય તેમ હાલારમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ઘણાં માર્ગો બંધ થયા, રસ્તાઓ ધોવાયા, ધંધા-રોજગારને માઠી અસર પડી, તો પૂરના કારણે ફસાયેલા લોકોને ક્યાંક હોડીઓ ચલાવીને, ક્યાંક ટ્રેક્ટરથી તો કલ્યાણપુર તાલુકામાં તો હેલિકોપ્ટરની મદદથી લોકોને રેસ્ક્યૂ કરાયા. ભારે વરસાદ પછીની સ્થિતિમાં કોહવાતો કચરો, ઉભરાતી ગટરો અને બેસુમાર ગંદકીના કારણે મચ્છર-માખી-હવા અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો. ચાંદીપુરાના વાયરલ થયેલા વાયરસ વચ્ચે સિઝનલ બીમારીઓ તથા ભારે વરસાદ પછીની સ્થિતિમાં વકરેલી બીમારીઓનું સંયોજન થતા હવે શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો ઊભો થયો છે, અને જામનગર સહિતના શહેરોમાં તો ઉપદ્રવ વધવા લાગ્યો છે, ત્યારે તંત્ર પણ સફાળું જાગ્યું છે, અને રાહત-બચાવ, સ્થળાંતર, મદદ ઉપરાંત તૂટેલ-ફૂટેલા માર્ગોની મરામત,માર્ગો પર પડેલા વૃક્ષો-થાંભલાને હટાવવા અને વીજપુરવઠાના પુનઃસ્થાપન સહિતના કામો થઈ રહ્યા છે, જેથી જ્યાં વરસાદ થંભી ગયો છે, અને વરાપ નીકળ્યો છે તેવા કેટલાક વિસ્તારોમાં જનજીવન થાળે પડવા લાગ્યું છે, તો ઘણાં સ્થળે હજુ તંત્ર પહોંચ્યું નહીં હોવાની રાવ પણ સંભળાઈ રહી છે.
જામનગરમાં તો પરંપરાગત ગંદકી, રાબેતામુજબની રેઢિયાળ વૃત્તિ અને ઓવરકોન્ફીડન્સ(!) ની માનસિક્તા તથા 'હોતી હૈ... ચલતી હે...'ની મનોવૃત્તિ હેઠળ 'સબસલામત'ની છડી પોકારતા રહેતા શાસકો-પ્રશાસકોની પોલ ખૂલી ગઈ છે, અને આખું નગર જાણે નર્કાગારમાં ફેરવાયું છે, અને તેના પરિણામે ભયંકર રોગચાળો ફેલાવા લાગ્યો છે. નગરમાં કોલેરા ફેલાવા લાગતા મ્યુનિસિપલ કમિશનરે રાબેતામુજબ 'મિટિંગ' યોજી અને તાબા હેઠળના અધિકારીઓ-કર્મચારીઓને 'તોડપાડ' સહિત કેટલીક સત્તાઓ આપી, તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છર-માખી તથા જંતુજન્ય વાહક રોગચાળો પણ પ્રસરવા લાગ્યો અને એક જ વોર્ડમાં ગઈકાલે કોલેરાના ૭ જેટલા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરે રણજીતસાગર ડેમનો ઓવરફ્લો કેટલો ઉપયોગી છે, અને આવતા જુલાઈ-ઓગસ્ટ સુધીની જામનગરની જરૂરિયાતનો જળરાશિ સંગ્રહ થઈ થયો છે, તેની ખુશી વ્યક્ત કરી તો બીજી તરફ રોગચાળા સંદર્ભે તંત્રે લીધેલા પગલાંની (સ્ટીરિયોટાઈપ) માહિતી પણ આપી, અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન દોહરાવીને નગરજનોને પણ કેટલીક શીખામણો આપી, પરંતુ 'શેઠની શિખામણ ઝાપા સુધી' જ રહેશે કે પછી તેનો ગંભીર પ્રતિભાવ સાંપડશે, તે તો થોડા દિવસો પછી જ ખબર પડશે, ખરૂ કે નહીં?
જો કે, મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નગરમાં કેટલાક સ્થળે ટીમો સક્રિય જણાય છે, પરંતુ તે સમગ્ર નગરવ્યાપી હોય તેમ જણાવ્યું નહીં. ઉચ્ચ કક્ષાએથી આપેલા આદેશને અનુસરીને કેટલાક સ્થળે ટીમો માંડ માંડ પહોંચી તો કેટલાક સ્થળે કોઈ ફરક્યું જ નહીં હોવાની રાવ પણ સંભળાઈ, તો એક હેલ્થ સેન્ટરના તબીબ તો વિવિધ વિસ્તારોમાં જઈને સ્વયં લોકોને જાગૃત કરી રહેલા અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યાપક જનજાગરણ કરી રહેલા પણ જણાયા.
જામનગર જેવી જ સ્થિતિ ખંભાળિયા, દ્વારકા, ઓખા, રાવલ, સલાયા, કાલાવડ, ભાણવડ, ધ્રોળ, જામજોધપુર, મીઠાપુર-સૂરજકરાડી સહિતના શહેરી વિસ્તારો તથા મહત્તમ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઠેર-ઠેર જલભરાવ, તૂટેલા માર્ગો, પુલિયા, કોઝ-વે અને ધોરીમાર્ગો તેમજ શહેરોના આંતરિક માર્ગોના અધઃપતનના દૃશ્યો અખબારો અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી આપણે નિહાળી જ રહ્યા છીએ. સ્વાભાવિક રીતે જ અત્યારે તંત્રનું ફોકસ લોકોના રાહત-બચાવ, સ્થળાંતર, નિભાવ અને તેને આનુસાંગિક સેવાઓ પર કેન્દ્રિત હશે, પરંતુ પૂરના પાણી ઓસરી જાય અને થાગડથીગડ કરીને એટલે કે કામચલાઉ મરામત કામો કરાવીને જનજીવનને પાટે ચઢાવવામાં આવે અને સાર્વત્રિક સર્વે કરાવીને વિવિધ ક્ષેત્રો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાન સામે પુનઃસ્થાપનના કદમ ઝડપભેર ઊઠાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રનું બજેટ રજૂ કર્યું, અને ગઈકાલે સંસદમાં આર્થિક સર્વે રજૂ થયો હતો, તેને સાંકળીને જે પ્રતિભાવો તથા પ્રત્યાઘાતો આવી રહ્યા છે, તેમાં પણ કુદરતી આફતો, અતિવૃષ્ટિ, પૂર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ખેતીવાડીને થયેલા નુક્સાન સામે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો સત્વરે રાહત-પેકેજો જાહેર કરશે, તેવો આશાવાદ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પડઘાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદની સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી રહી છે, તો દેશના કેટલાક અન્ય રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કુદરતી આફતોએ કહેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસોથી મેઘતાંડવ, અતિવૃષ્ટિ અને પૂર-જલભરાવના કારણે થયેલી તબાહીને લક્ષ્યમાં લઈને શાસકો-પ્રશાસકો 'ડ્રામેટિક્સ' નહીં, પરંતુ 'પ્રેકટિકલ' અભિગમ અપનાવીને પીડિત લોકોની પડખે સતત ઊભા રહેશે, તેવી આશા સેવાઈ રહી છે.
જો કે, આ માત્ર 'કહેર' નથી, પરંતુ 'મહેર' પણ છે... નદી-નાળા છલકાયા છે, ચેકડેમો ભરાઈ ગયા છે, એક પછી એક નાના-મોટા તમામ જળાશયો-ડેમો ઓવરફ્લો થવા લાગ્યા છે, તેના કારણે આવતા વર્ષની પીવાના પાણીની ચિંતા તો હળવી થઈ જ ગઈ છે, સાથે સાથે કૃષિ અને સિંચાઈની દૃષ્ટિએ પણ આ જળરાશિ ખૂબ જ ઉપયોગી પૂરવાર થવાની છે. આ ખરીફ સિઝન ખૂબ જ સારી ઉતરે અને જેના પાક ધોવાઈ ગયા હોય, તેઓ પણ તેની રિકવરી ઝડપભેર કરીને નવા પાકો ઉગાડે, અને ખેતીવાડીની દૃષ્ટિએ મબલખ ખેત-ઉત્પાદન થાય, તેવી ઈચ્છા રાખવી અસ્થાને તો નથી જ ને?
લોકોમાં એક એવી ધારણા છે કે વિવિધ પ્રકારની સરકારી સહાય મેળવવાની લાલચમાં સારૂ ઉત્પાદન થયું હોવા છતાં ઘણાં સ્થળે ખોટી બૂમરાણ મચાવવામાં આવે છે, પરંતુ એ ધારણા પૂરેપૂરી સાચી નથી. પરશેવો પાડીને પાક ઉગાડતો જગતનો તાત ક્યારેય ખોટું ન બોલે, કે ખોટું ન કરે... નહીંવત્ અપવાદોને બાદ કરીએ, તો જગત આખાનું પેટ ભરતો ખેડૂત કોઈની પાસે 'માંગવા' માટે નહીં, દુનિયાને 'આપવા' માટે જ હાથ લંબાવતો રહ્યો છે જે સનાતન સત્ય છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સંસ્થાપક-પથદર્શક પૂ. પિતાશ્રી,
રતિલાલભાઈ માધવાણીને શ્રદ્ધાંજલિ
વર્ષ ૧૯૮૭ ની રર મી જુલાઈનો એ દિવસ અમારા માટે વજ્રઘાત સમાન હતો, જ્યારે આપ અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપની અનુભૂતિ અમને આજે હરેક ક્ષણે થઈ રહી છે, કારણ કે આપે આઝાદીના પ્રારંભિક કાળમાં જ્યારે અખબાર ચલાવ્યું અને વિક્સાવ્યું એ ઘણું જ પડકારરૂપ હતું અને તેમાં પણ નીડર પત્રકારત્વના અભિગમ સાથે હંમેશાં પ્રજાની પડખે રહીને શાસન-પ્રશાસનને દર્પણ દેખાડવા તથા સારા કાર્યોની સરાહના કરવાની નીતિ સાથે આગળ વધતા જવું એ ઘણું જ કઠીન હતું, તેમ છતાં આપે સિંચેલુ 'નોબત' સાંધ્ય 'દૈનિક' આજે વટવૃક્ષ બન્યું છે.
આપ સત્ય અને ન્યાયની માંગણીઓને હંમેશાં વાચા આપતા રહ્યા હતાં. અખબારના પ્રકાશનની સાથે સાથે લેખક તરીકે પુસ્તકો પ્રસિદ્ધ કરવા અને કુદરતી આફતો, દુર્ઘટનાઓ કે મુશ્કેલીના સમયે લોકોને મદદરૂપ થવું, સામાજિક સેવાઓમાં હંમેશાં સહયોગી બનવું અને કોઈનાથી ડર્યા વગર કે કોઈના પણ પ્રલોભનમાં આવ્યા વગર અખબારી ધર્મનું પાલન કરવું, એ આપનો કુદરતી સ્વભાવ હતો. આપના આ સંસ્કારો અમને હંમેશાં પથદર્શન કરતા રહ્યા છે.
આપે પ્રતકારિત્વના માધ્યમથી સમાજસેવા, માનવસેવા અને દેશસેવાનો જે રાહ અમને ચિંધ્યો છે, તેના પર જ આગળ વધવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અને એ જ અમારી આપને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે, તેમ અમે માનીએ છીએ.
'નોબત' આજે પ્રિન્ટેડ ન્યુઝપેપર (સાંધ્ય દૈનિક) ઉપરાંત હવે યુટ્યુબ-વીડિયો સમાચાર, વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યૂઝ, ઈ-પેપરની અદ્યતન આવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓના કારણે પણ ખૂબજ લોકપ્રિય બની રહ્યું છે, જે આપના પથદર્શન અને આશીર્વાદને આભારી છે.
આજે 'નોબત' અખબારના સ્વરૂપ ઉપરાંત લોકોની હથેળીમાં મોબાઈલ સેલફોનના માધ્યમથી પણ સીમાડાઓ ઓળંગીને દેશ-વિદેશમાં પહોંચી રહ્યું છે, તો વેબસાઈટ, ફેસબુક અને સોશ્યલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા પણ સમગ્ર હાલાર, રાજ્ય અને દેશ-વિદેશમાં પહોંચી રહ્યું છે. 'નોબત' દ્વારા ચૂંટણી સ્પર્ધાઓ, મેઘધનુ અને વિવિધ પ્રાસંગિક પ્રવૃત્તિઓ તથા મીડિયા પાર્ટનરના સ્વરૂપમાં સમયાંતરે ભૂતકાળમાં યોજાયેલી અને સમય અને સંજોગો તથા પ્રસંગોને અનુરૂપ યોજાતી રહેતી વિવિધ ઈત્તરપ્રવૃત્તિઓ પણ આપના આશીર્વાદથી ઘણી જ લોકપ્રિય બની છે.
આજે આપની પુણ્યતિથિ નિમિત્તે આપના આદર્શો અને પરિણામને સ્મરીને ગૌરવ અને વિનમ્રતા સાથે આપને ભાવભરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આપની સ્મૃતિઓ જ અમારી પ્રેરણા છે, અને અમારૂ ગૌરવ પણ છે.
જામનગર તા. રર-૦૭-ર૦ર૪
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર

ગાજ-વીજના કડાકા ભડાકા સાથે હાલારના બન્ને જિલ્લાઓ સહિત રાજ્યવ્યાપી મેઘવૃષ્ટિ થઈ અને યાત્રાધામ દ્વારકામાં તો નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘણાં પરિવારો મુશકેલીમાં પણ મૂકાયા હતાં. એક તરફ ઠેર-ઠેર જલભરાવ અને બીજી તરફ વરસાદ પછીની ગંદકી તથા કાદવ-કીચડની સ્થિતિ ઊભી થતા જામનગર સહિત અનેક સ્થળે પાણીજન્ય, મચ્છરજન્ય, હવાજન્ય ઉપરાંત ગંદકીજન્ય ભયંકર રોગચાળો વધવાનો ખતરો પણ ઊભો થયો છે. રાજ્યમાં ફેલાઈ રહેલા ચાંદીપુરાના રોગચાળાએ પણ હાલારમાં દસ્તક દીધી અને એક શ્રમજીવી પરિવારના માસુમ બાળકનો ગઈકાલે જીવ ગયો અને ગઈકાલ સુધીમાં બીજા ત્રણ બાળકો સારવાર હેઠળ હોવાના સમાચારોએ પણ ચિંતા જગાવી છે.
જામનગરમાં વરસાદ પછીની ગંદકીની તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થયા. નગરની રંગમતી-નાગમતી નદીઓમાં તો જાણે કાદવ-કીચડ અને કચરાનું જ પૂર આવ્યું હોય, તેવા દૃશ્યો સર્જાયા. નગરની હોસ્પિટલો તથા આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં જ ફેલાયેલી ગંદકી અને રબડી જેવા કીચડમાં પગપાળા નીકળવું પણ મુશ્કેલ બની ગયું. જામનગરના લગભગ તમામ માર્ગો પર ખાડા-ચીરોડાઓમાં ભરાયેલા પાણીના ખાબોચિયાઓના કારણે વાહનચાલકો પણ પરેશાન થયા, તો પરિવહન પણ અવરોધાયું. સોસાયટી વિસ્તારોમાં તો ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામો પછી ફક્ત ધૂળ-માટીથી બૂરી દેવાયેલા ખોદકામો ખુલ્લા થઈ ગયા અને ભયંકર કાદવ-કીચડ ફેલાયો, તો એ ખાડાઓમાં વાહનોના વ્હીલ ફસાઈ જવાની ઘટનાઓ પણ બની. આ પ્રકારની હાલાકીઓ હોવા છતાં દિલેર નગરજનો 'ગુપચૂપ' ગરમી ઓછી થઈ અને વરસાદ આવ્યો તેનો આનંદ માણી રહ્યા છે, અને એકાદ-બે વખત વિરોધ-પ્રદર્શનો કર્યા પછી વિપક્ષની નેતાગીરી પણ અકળ કારણોસર ચૂપ થઈ ગઈ છે, અને નિંભર તંત્રો તથા સૂસ્ત અને મસ્ત શાસકો-પ્રશાસકો પણ મિટિંગો યોજીને મન મનાવી રહ્યા છે. હકીકતે જમીની વાસ્તવિક્તા નિહાળવા તો માત્ર અખબારોના ફોટોગ્રાફરો અને ટીવી ન્યૂઝ ચેનલોના વીડિયોગ્રાફને જ હડિયાપટ્ટી કરતા જોવા મળી રહ્યા છે. સરકારી સિસ્ટમનો ચેપ ચોતરફ ફેલાવા લાગ્યો હોય તેમ 'હોતી હૈ ચલતી હૈ' અને 'વર્ક ફ્રોમ એ.સી. ઓફિસ ચેમ્બર્સ' તથા 'મિટિંગ્ઝ ઈન એરકન્ડીશન્ડ મિટિંગ હોલ્સ'નું 'અદ્યતન' વર્કીંગ કલ્ચર ચોતરફ પગપેસારો કરી રહ્યું હોય, તેમ જણાય છે.
આ પ્રકારની સમસ્યાઓ હોય કે કોઈ દુર્ઘટના બને, કોઈ ગંભીર ક્રાઈમ હોય, ભાગદોડ થાય, અગ્નિકાંડો સર્જાય કે કૌભાંડો થાય, પ્રવર્તમાન સિસ્ટમ પાસે તેઓ અનુચિત, અયોગ્ય અને અનૈતિક, પરંતુ પૂરેપૂરી રીતે બંધારણીય અને કાયદેસર ગણાય, તેવી રીતે ઢાંકપીછોડા કરવાના ઘણાં બધા નુસ્ખાઓ મોજુદ હોય છે.
દૃષ્ટાંત તરીકે જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી માટે ઘણાં સરકારી વિભાગો તથા મનપાએ તોતીંગ ખર્ચા કર્યા, તેમ છતાં જામનગરમાં પ્રારંભિક વરસાદ થતા જ જે બદહાલી થઈ રહી છે, તેના અહેવાલો આવવા લાગ્યા અને દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ભીડના દૃશ્યો પ્રકાશિત અને પ્રસારિત થવા લાગ્યા, તેમજ ચાંદીપુરાના દર્દીઓ વધ્યા, તેની સાથે જ મિટિંગોનો ધમધમાટ શરૂ થયો. મનપાથી માંડીને મંત્રી-મહાનુભાવોની મિટિંગો થઈ, તો વિવિધ તંત્રોએ તાકીદની બેઠકો યોજી... પણ જમીન પર કાંઈ જ ફેર પડ્યો નહીં... કોઈ વીવીઆઈપી આવવાનું હોય, ત્યારે જે ઝડપથી સામાન્ય સંજોગોમાં પણ તેઓ પસાર થવાના હોય તે વિસ્તારો સાફસુફ થઈ જાય, તેવી ઝડપથી વરસાદ પછીની અને રોગચાળાની વર્તમાન સ્થિતિમાં કામ થવું જોઈએ, તેના બદલે કોઈ જ હલચલ દેખાઈ નહીં. ચૂંટણીના સમયમાં મતો મેળવવા રાત-દિવસ શેરી-ગલી, મહોલ્લા-સોસાયટીઓમાં દિવસ-રાત દોડતા નેતાઓ જાણે ક્યાં ગાયબ થઈ ગયા... અને બેફિકર બ્યુરોક્રેસી તો સરકારી વાજીંત્ર સમા સરકારી પ્રચાર ખાતા તથા પોતાના પીઆરઓ દ્વારા પ્રેસનોટો પ્રેસ-મીડિયાને મોકલીને સંતોષ માનવા લાગી છે, તેથી નગરજનોમાં પણ તીવ્ર અસંતોષ ફેલાયો છે.
હવે, માત્ર દેખાવ ખાતર એકાદ-બે સ્થળોની મુલાકાત લઈ, મિટિંગો યોજીને કે પ્રેસનોટ પ્રસિદ્ધ કરાવીને લોકોને સંતોષ આપી શકાય તેમ નથી, કારણ કે હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, અને તે બધું જ જાણે છે, ખરૃં ને?
પ્રવર્તમાન સિસ્ટમ સમસ્યા, ફરિયાદો, દુર્ઘટનાઓ, કૌભાંડો કે ગોબાચારી-ગરબડો માટે ઘણી વખત તપાસના નાટકો કરે, તો ઘણી વખત મિટિંગો યોજે કે પછી દેખાવ ખાતરના નિરીક્ષણો કરવા નીકળે, અસરગ્રસ્તોની મુલાકાતે જાય, પરંતુ તે બધું માત્ર તરકટ જ હોય છે. આ જ પગલાં જો ગંભીરતાથી લેવાય અને મિટિંગો-મુલાકાતો પછી જરૂરી કાર્યવાહી ઝડપભેર થાય, તો તે પરિણામલક્ષી બને. કોઈ તપાસ સમિતિ, એસઆઈટી કે તપાસપંચ પૂરેપૂરી તટસ્થતા અને સક્રિયતાથી નિષ્ઠાપૂર્વક તપાસ કરે, તો જ તેનો હેતુ સરે, પરંતુ હકીકતે મિટિંગ, મુલાકાતો, તપાસના નાટકો માત્ર દેખાવ ખાતર જ થતા હોય છે. બહું ઉહાપોહ થાય તો કોઈને નોટીસ આપીને કે પછી અદાલતમાં મુકદમો કે એફઆઈઆર પછી કાનૂની કાર્યવાહી થાય, અને તે પણ મામલો ઠંડો પડે, ત્યાં સુધી જ ચર્ચામાં રહે છે. આ જ સિસ્ટમથી આપણે બધા પણ ટેવાઈ ગયા છીએ તેમ નથી લાગતું?
જો કે, લોકસભા અને ત પછીની પેટાચૂંટણીઓના પરિણામોએ એ પણ બતાવી જ દીધું છે કે 'ગૂપચૂપ' સહન કરતી જનતા પાસે એવી લોકતાંત્રિક તાકાત છે કે તે ભલભલાના પાણી ઉતારી શકે છે, તેથી બહાનાબાજી છોડો... અબ નહીં ચલેગા..., નહીં સુધરેગા ઉસે જવાબ ભી જરૂર મિલેગા... ઈવીએમ સે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલારના ઘણાં વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને જામનગરમાં પણ આજે સવારે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એક તરફ સિઝનલ રોગચાળો વધી રહ્યો છે, તો બીજી તરફ બાળકો માટે ખતરારૂપ ચાંદીપુરા વાયરસ પ્રસરી રહ્યો છે.
'નીટ'નો મુદ્દો સોમવાર સુધી પાછળ ઠેલાયો છે. જામનગર તથા હાલાર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. નવી આગાહીઓ પણ થઈ રહી છે, અને ઘણાં વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે. રાજકીય ક્ષેત્રે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષનો આંતરિક ગજગ્રાહ તથા ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલના મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, અને ફરીથી એકવખત થયેલા ટ્રેન અકસ્માત પછી રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ તડાપીટ બોલાવી છે, તેની ચર્ચા અગ્રીમ હરોળમાં છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આર.એસ.એસ.ના પ્રમુખ મોહન ભાગવતનું એક નિવેદન વિપક્ષના નેતાઓને પણ ગમી ગયું હોય, તેમ લાગે છે, અને તે નિવેદન આજે 'ટોક ઓફ ધ નેશન' બન્યું છે.
હકીકતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તે સંસ્થાના કાર્યકરોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, વિકાસ-એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, અને તે માટે સતત એક્ટિવ રહેવું જોઈએ, અને કોઈ સફળતા મેળવ્યા પછી હજુ પણ ઘણું કરવાનું બાકી છે, તેમ વિચારવું જોઈએ.
આ પ્રવચન દરમિયાન મોહન ભાગવતે એવું નિવેદન કર્યું, જે આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે, અને ખાસ કરીને વિપક્ષી વિચારધારા ધરાવતા લોકોને પણ ઘણું જ ગમી ગયું હોય, તેવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે. મોહન ભાગવતે કોઈનું નામ લીધા વિના કરેલું આ નિવેદન કોને સાંકળીને બોલાયું હશે,તે અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં એ એક 'ઓપન સિક્રેટ' પણ છે.
મોહન ભાગવતે લાંબુ પ્રવચન કર્યું હતું, પરંતુ તેમાંથી જે વાક્યોને સૌથી વધુ પબ્લિસિટી મળી રહી છે, તે ઘણાં જ સૂચક છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, 'ઘણાં લોકો કીર્તિની લાલસા રાખ્યા વિના દેશના વિકાસ અને કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. ભારતમાં ભિન્નતા હોવા છતાં આપણું મન એક છે, જે આપણાં દેશની વિશેષતા છે. આંતરિક અને બાહ્ય વિકાસનો કઈ અંત નથી, જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે હજુ ઘણું કરવાનું બાકી છે.'
મીડિયા અહેવાલો મુજબ આ ઉપરાંત પણ મોહન ભાગવતે ઘણું બધું કહ્યું, પરંતુ તેમના જે વાક્યો આજે વધુ ચર્ચામાં છે, તે ઘણાં જ સૂચક અને દેશની બદલતી રાજનીતિને પણ કદાચ સાંકળે છે. તેમણે આગળ વધીને કહ્યું કે, 'માણસ સુપરમેન, પછી દેવ અને પછી ભગવાન બનવા માંગે છે, પરંતુ ભગવાન કહે છે કે તે વિશ્વરૂપ છે કોઈ નથી જાણતું કે તેનાથી મોટું કોઈ છે કે નહીં'
મોહન ભાગવતના આ વાક્યોના દેશવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને અખબારો-ન્યૂઝ ચેનલોમાં આજે સર્વાધિક ન્યૂઝ સ્ટોરીઓનો પણ મુખ્ય વિષય આ વાક્યો જ હોય તેમ જણાય છે, અને સોશ્યલ મીડિયામાં તો આ મુદ્દે કોમેન્ટોના જાણે ઘોડાપૂર આવ્યા હોય, તેમ લોકો વિવિધ પ્રતિભાવો આપી રહ્યા છે.
કોંગ્રેસના એક્ટિવ નેતા જયરામ રમેશે તો મોહન ભાગવતના આ ભાષણના અંશોને જ રિટ્વિટ કરીને પોતાની કોમેન્ટ (કેપ્શન) માં લખ્યું કે, 'મને વિશ્વાસ છે કે 'ઝારખંડના નાગપુર'થી લોકકલ્યાણ માર્ગ પર છોડાયેલી આ નવી અગ્નિ મિસાઈલના સમાચાર સ્વયંભૂ નોન બાયોલોજિકલ પ્રધાનમંત્રીને મળી જ ગયા હશે.'
મીડિયા ડિબેટીંગ મુજબ થોડા મહિનાઓ પહેલા એક પ્રવચન ઘણું જ વાયરલ થયું હતું, જેમાં કહેવાયું હતું કે, 'જ્યાં સુધી માતા હયાત હતા ત્યાં સુધી લાગતું હતું કે મારો જન્મ બાયોલોજિકલ રીતે થયો હતો, પરંતુ તેઓના (માતાના) નિધન પછી એવી અનુભૂતિ થાય છે કે મને ભગવાને મોકલ્યો છે, આ શક્તિ મારા શરીરની નથી, આ તાકાત મને ઈશ્વરે આપી છે. આ માટે ભગવાને મને આવું કરવાની ક્ષમતા, શક્તિ, શુદ્ધ હૃદય અને પ્રેરણા પણ આપી છે. હું ભગવાન દ્વારા મોકલાયેલું એક ઈન્સ્ટ્રુમેન્ટ માત્ર છું.' ઉપરોક્ત વાક્યોને ટાંકી એવી વળતી દલીલ થઈ રહી છે કે આ શબ્દપ્રયોગોમાં 'ભગવાનનું ઈન્સ્ટ્રુમેન્ટ' હોવાની વાત થઈ છે, અને તેમાં ક્યાંય દેવતા કે ભગવાનની સમકક્ષ ગણાવાયા નથી, તેથી માત્ર 'બાયોલોજિકલ' શબ્દને પકડીને વિપક્ષના નેતાઓ પ્રહારો કરે છે, પરંતુ મોહન ભાગવતના નિશાન પર કદાચ પી.એમ. મોદી નહીં, પરંતુ કોઈક બીજું જ હશે! વિગેરે...
આના જવાબમાં એવું કહેવાય છે કે, આ તો લૂલો બચાવ માત્ર છે. જે હોય તે ખરૃં, પરંતુ આ મુદ્દો અત્યારે ઉપરાછાપરી થતા રેલવે અકસ્માતોની આલોચના કરતાયે આગળ નીકળી ગયો છે અને આ અંગે સંઘ તરફથી કોઈ ચોખવટ થાય, તેવી શક્યતા પણ ઓછી છે, પરંતુ ઉત્તર ભારતમાં લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાધી અને આ કાર્યક્રમ પણ ઝારખંડમાં યોજાયો હતો, તેથી ભાગવતના આ કટાક્ષને લઈને ભાજપના વર્તુળોમાં પણ ગણગણાટ થવા લાગ્યો હોય એ સ્વાભાવિક છે, અને હવે આ મુદ્દો વિપક્ષોએ ઊઠાવી લેતા તેના પડઘા કદાચ સંસદના બજેટસત્રમાં પણ પડી શકે છે. જોઈએ, આ મુદ્દે કોઈ બાયોલોજિકલ પ્રત્યુત્તર આવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

નીટ-પીજીના કેસમાં ૪૦ અરજીઓ થઈ છે, જેની આજની સુપ્રિમ કોર્ટની સુનાવણી પર આખા દેશની નજરો મંડાયેલી જ હતી, અને સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય આવે, તે સૌ કોઈએ સ્વીકારવો જ પડે, તેમ હોવાથી આજનો સુપ્રિમ કોર્ટનો નિર્ણય આખરી રહેવાની અવધારણાઓ પહેલેથી જ હતી.
કોઈપણ મુકદમામાં જ્યારે પણ ચૂકાદો આવે, ત્યારે તેમાં ન્યાય થયો હોય તો પણ તમામ પક્ષકારોને સંતોષ આપી શકાતો હોતો નથી, અને તેથી જ ભારતીય ન્યાયતંત્રમાં નીચલી અદાલતથી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી અપીલ કરવાની જોગવાઈ પણ આપણાં બંધારણે કરી છે, જ્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો હોય, ત્યારે ઉચ્ચ અદાલતો પણ ખૂબ જ ઊંડા ઉતરીને અંતિમ ચૂકાદો આપતી હોય છે, અને આપણાં દેશમાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો અંતિમ ગણાય છે, જો કે પુનઃ વિચારવાની અરજી અને લાર્જર બેન્ચમાં અપીલ કરવાની જોગવાઈઓ પણ હોય છે, પરંતુ તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને બંધારણીય અર્થઘટનોને સંબંધિત હોય કે રેર ઓફ ધ રેર કેસમાં જ થઈ શકે છે.
આપણા ન્યાયતંત્રની શાખ સમગ્ર વિશ્વમાં ઉજળી છે અને ખાસ કરીને ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોએ તો ઘણી વખત શાસન-પ્રશાસન દ્વારા અતિરેક ગેરબંધારણીય મુદ્દાઓને લઈને પણ તદ્ન નિષ્પક્ષ સંરક્ષણ આપ્યું છે.
અદાલતો હંમેશાં તટસ્થ ન્યાય આપવાના લક્ષ્ય સાથે જ કામ કરતી હોય છે, તેમ છતાં બન્ને પક્ષોને સંતોષ ન થતો હોય, તેવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા કેસોમાં પણ જ્યારે ચૂકાદો આવે, ત્યારે સ્વાભાવિક રીતે પરાજીત પક્ષને સંતોષ થતો હોતો નથી, પરંતુ અદાલતોની બંધારણીય ફરજ નગરિકોને 'ન્યાય' આપવાની છે, નહીં કે 'સંતોષ' આપવાની!
જો કે, ટોપ-ટુ-બોટમ અદાલતોમાં અનેક પ્રકારના કેસોનો ભરાવો થયા પછી હવે પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ કરવા ઉપરાંત અદ્યતન ટેકનોલોજી અને પ્રવર્તમાન સુધારેલા કાયદાઓ અંતર્ગત ઝડપભેર કેસો ચલાવવાનો અભિગમ ન્યાયતંત્ર અપનાવી રહ્યું છે, અને બિનજરૂરી, રાજકીય, આર્થિક કે અન્ય લાભ મેળવવા માટે મલિન ઈરાદાથી થતી અરજીઓ અને જાહેર હિતની અરજીઓ ફગાવાઈ રહી છે, તે સાચી દિશાનું વલણ છે.
જો કે, બન્ને પક્ષો એટલે કે ફરિયાદી અને આરોપી તથા વાદી અને પ્રતિવાદીને બન્નેને સંતોષ થાય, તે પ્રકારના સમાધાનકારી અને ઝડપી અભિગમ સાથે છેલ્લા કેટલાક દાયકાઓથી લોકઅદાલતોનો અભિગમ પણ સફળતાપૂર્વક અપનાવાઈ રહ્યો છે, અને ટોપ-ટુ-બોટમ અદાલતો દ્વારા સમયાંતરે યોજાતી રહેતી લોકઅદાલતોના માધ્યમથી પણ સંખ્યાબંધ કેસોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, તે ઘણો જ પરિણામલક્ષી અને જનહિતમાં છે.
લોકઅદાલતમાં થતા સમાધાનકારી ઉકેલો પછી અપીલો નહીં થતી હોવાથી ઉપલી અદાલતોનું સંભવિત ભારણ પણ ઘટે છે, અને સમાધાનકારી ઉકેલ થયા પછી બન્ને પક્ષકારો વચ્ચેના પારિવારિક અને સામાજિક સંબંધોમાંથી પણ વૈમનસ્ય, વેરઝેર, ધ્રુણા અને વિવાદો હટી જતા કે ઘટી જતા આ અભિગમના કારણે સામાજિક સૌહાર્દ અને પરસ્પર આદર-સન્માનની ભાવનાઓ વધે છે, જે એકંદરે સમાજ અને દેશ હિતમાં હોય છે.
લોકઅદાલતોમાં સામાન્ય રીતે અદાલતોમાં પેન્ડીંગ કેસો પૈકી જેમાં સમાધાનકારી ઉકેલ શક્ય હોય તેવા કેસો જ મૂકાતા હોય છે, તેથી કાનૂની ક્ષેત્રના વર્તુળો મુજબ લોકઅદાલતોમાં કરન્ટ કેસો અને ખાસ કરીને કોઈ નિર્ણય પર પહોંચાય ત્યાં સુધીની સુનાવણી ન થઈ હોય તેવા કેસો જ મૂકાતા હોય છે. 'ફેંસલ'ના તબક્કે પહોંચેલા કેસો લોકઅદાલતોમાં મૂકવાના બદલે અદાલતી નિર્ણય અપાય, તો પણ તેમાં અપીલોની જોગવાઈઓ હોવાથી ભવિષ્યનું ભારણ વધતું હોય છે, તેથી જો ફેંસલના તબક્કે પહોંચેલા કેસોમાં બન્ને પક્ષકારો સહમત હોય તો તેને લોકઅદાલતોમાં મૂકીને સમાધાનકારી ઉકેલ લાવવામાં હરકત જેવું નથી, તેવા મંતવ્યો પણ વ્યક્ત થતા હોય છે. ટૂંકમાં લોકઅદાલતોનો અભિગમ જેટલો વ્યાપક બનશે, તેટલા પ્રમાણમાં અદાલતોનું ભારણ ઘટશે અને ન્યાય ઝડપી બનશે, તેવો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટે વર્ષ ૧૯૭૯ થી પેન્ડીંગ કેસના સંદર્ભે ૧ર જુલાઈના આદેશમાં મકાનમાલિક-ભાડૂતના વિવાદમાં માત્ર ર૦ થી ૩૦ કલાકમાં નિર્ણય લેવાઈ શકે, તેને ચાર દાયકાથી વધુ સમયથી પેન્ડીંગ સિવિલ કોર્ટના કેસને સીપીસીની કલમ-ર૪ નો પ્રયોગ કરીને સ્થળાંતરિત કરીને સ્વહસ્તક લીધો, તે મીડિયામાં ચર્ચિત કિસ્સો વિલંબિત ન્યાયનું તાજુ દૃષ્ટાંત છે. આથી જ ઘણાં કેસોમાં હવે ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતો જે કદમ ઊઠાવી રહી છે, તે સરાહનીય અને સમયોચિત ગણાય, ખરૂ ને?
લોકઅદાલતોના અભિગમ હેઠળ હવે ભારતીય ન્યાયતંત્રે પ્રિ-લિટિગેશન લોકઅદાલતો શરૂ કરી છે. તેનું તાજુ ફળદાયી દૃષ્ટાંત દેવભૂમિ દ્વારકાના ન્યાયતંત્રે આપ્યું છે. 'ઉજાસ-એક આશાની કિરણ'માં પાંચ પરિવારોને કેવી રીતે આ અભિગમ હેઠળ છૂટા પડતા અટકાવાયા, તેનું વિવરણ 'નોબત'ના ગઈકાલના અંકમાં પ્રસિદ્ધ થયું છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ૧૯ મી એપ્રિલથી વૈવાહિક તકરારોના ત્વરિત અને ખર્ચરહિત ઉકેલ માટે દરેક જિલ્લામાં શરૂ થયેલી પ્રિ-લિટિગેશન અદાલતોના અભિગમ હેઠળ દ્વારકા જિલ્લામાં આ પ્રકારની અદાલતમાં પતિ-પત્ની વચ્ચેની વિવિધ કારણોસર થતી તકરારોમાં છૂટાછેડાની કક્ષાએ પહોંચેલા પાંચ દંપતીઓને કાઉન્સિલીંગ કરીને સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું. આ પ્રકારના કેસોમાં 'ઉજાલા-એક આશાની કિરણ' પ્રિ-લિટિગેશન લોકઅદાલતની ભૂમિકા પરિવારોને તૂટતા તો અટકાવે જ છે, સાથે સાથે અદાલતો સુધી પહોંચતા પહેલા જ સર્વસંમતિથી, સુખ-શાંતિથી અને સમજાવટપૂર્વક ઉકેલ આવી જતા કેસોનું સંભવિત ભારણ પણ અદાલતો પર આવતું અટકી શકે છે. દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય તે દિશામાં આ પ્રશંસનિય પહેલ છે, ખરૂ ને?
આપણા દેશમાં જ્યારે વિલંબિત ન્યાયિક પ્રક્રિયા અને દાયકાઓથી પેન્ડીંગ કેસોનો ભરાવો થાય છે, ત્યારે આ ભારણ વધતું અટકાવવામાં લોકઅદાલતોની આ ભૂમિકા આવકારદાયક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સામાન્ય રીતે જ્યારે ઢોલ વાગે ત્યારે શુભ પ્રસંગ કે કોઈ ઉજવણી જ થતી હોય છે, તો ચૂંટણીમાં વિજેતા થયા પછી પણ ઢોલ ઢબૂકતા હોય છે, પરંતુ જામનગરમાં એવા ઢોલ ઢબૂક્યા, જેમાંથી જનતાની વેદના ગૂંજતી હતી અને લાચાર નગરજનોની અંતરવ્યથા પડઘાતી હતી. જુના જમાનામાં ઢોલ વગાડીને જનતાને શાસકો કોઈ સૂચના કે આદેશ પહોંચાડતા હતાં, અને હવે જનતાને ઢોલ વગાડીને શાસન-પ્રશાસનને ઢંઢોળવા પડી રહ્યા છે, તેથી સવાલ એ ઊઠે કે શું લોકતંત્ર આને કહેવાતું હશે?
જામનગરમાં છેલ્લા બે દિવસથી 'ઢોરના ડબ્બા'નો મુદ્દો ચર્ચામાં છે, તેવામાં હવે આ મુદ્દે સરકાર સુધી પડઘા પડ્યા અને છે...ક ગાંધીનગરથી એક ઉચ્ચકક્ષાની ટીમ જામનગર દોડી આવી, અને તેમાં લોલંલોલની પોલંપોલ ખુલી ગઈ... આ ટીમ પણ કૃષિમંત્રીએ મોકલી (ધકેલી) હોવાનું કહેવાય છે.
એક મહિલા કોર્પોરેટર જનતા રેડ પાડે, અને તે પછી તંત્રો સફાળા જાગે કે પછી મેયર-મહાનુભાવો ઢોરના ડબ્બાની ઓચિંતી મુલાકાત લઈને ગંધાતી નર્કાગાર જેવી ગંદકી વચ્ચે રખાયેલા પશુઓની દયનીય સ્થિતિ નિહાળ્યા પછી તેની અખબારો-મીડિયા મારફત પબ્લિસિટી થયા પછી તેના રાજ્યકક્ષાએ પડઘા પડે, તે શાસકો-પ્રશાસકો માટે શરમજનક જ ગણાય ને? મહત્તમ ગૌવંશને સાચવતા આ ઢોરના ડબ્બાઓની આ દયનીય સ્થિતિ કોઈપણ ગૌપ્રેમી કે સંવેદનશીલ વ્યક્તિનું હૈયુ કકળાવે તેવી હોવા છતાં આજ પર્યંત આ લોલંલોલ અને લાલિયાવાડી કેવી રીતે ચાલી અને સંબંધિત લોકોએ તે શા માટે ચલાવી લીધી? તેવા પ્રશ્નોના જવાબ 'ઓપન સિક્રેટ' જેવા છે. રખડતા ઢોરના મુદ્દે કોઈ રાજ્યવ્યાપી સ્પષ્ટ નીતિ કે મહાનગરપાલિકાની કક્ષાએ પણ કોઈ સ્પષ્ટ રોડમેપ માસ્ટરપ્લાન કે યોજના નહીં હોવાના આ દુષ્પરિણામોનું જવાબદાર કોણ?
એવા અહેવાલો છે કે રાજ્ય સરકાર દેવાના ડુંગરમાં દબાઈ ગઈ છે, તેથી રાજ્યની અનેક નગરપાલિકાઓના કર્મચારીઓના પગાર પણ અટકી પડ્યા છે, અને તેની આડઅસરો નાના શહેરોમાં પણ વર્તાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે પણ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને લઈને કોઈ 'પેકેજ' જાહેર કરવું જોઈએ તેમ નથી લાગતું? જો એવું ન હોય અને રાજ્ય સરકાર કે મનપાને ફંડની સમસ્યા જ નહોય, તો પછી આ પ્રકારની બદહાલી માટે સ્થાનિક શાસકો-પ્રશાસકો જ જવાબદાર ગણાય ને?..... કે પછી 'રસ અને કસ' વિનાની 'સેવા' કરવી ગમતી નહીં હોય?
જામનગરમાં લાલબંગલા સર્કલમાં ઘણી સરકારી કચેરીઓ, અદાલતો અને સરકીટ હાઉસ છે, અને તેની બાજુમાં જ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેડ ક્વાર્ટર એટલે કે જામનગર મહાનગરપાલિકાનું કાર્યાલય આવેલું છે, ત્યાં ગઈકાલે ઢોલ ઢબુકવા લાગ્યા, તેથી રાહદારીઓ થોડું થોભીને જોવા લાગ્યા, તો કેટલાક વાહનો પણ આ જોવા માટે ધીમા પડવા લાગ્યા. કોઈ કહેતું હતું કે કોઈના લગ્નની નોંધણી થઈ હશે, તેની ઉજવણી થતી હશે, તો કોઈને અનંત અંબાણીના લગ્નની ઉજવણી યાદ આવી ગઈ, પરંતુ પૂછપરછ કરતા ખબર પડી કે એ ઢોલ તો કોંગ્રેસવાળા વગાડે છે, તો કોઈએ કહ્યું કે આ વખતે ઈન્ડિયા ગઠબંધનની લોકસભામાં તાકાત વધી છે, તેની ઉજવણી થતી હશે, તો કેટલાક લોકોએ ઊંડા ઉતરીને જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે આ તો જનતાની વેદનાના ઢોલ વાગે છે... આ ઉજવણી નથી... તંત્રને જગાડવાનો નાદ્ છે...!
હકીકતે ગઈકાલે કોંગ્રેસવાળાઓએ જામનગરમાં વધી રહેલા રોગચાળા છતાં ઘોર નિદ્રામાં પોઢી રહેલા શાસકો-પ્રશાસકોને જગાડવા 'એ' ઢોલનાદ્ કર્યો હતો, અને રાબેતામુજબ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપીને શહેરમાં વરસાદ પછીની તથા પહેલાની ગંદકી હટાવીને મચ્છરજન્ય, માખીજન્ય, પાણીજન્ય, હવાજન્ય અને ગંદકીજન્ય રોગચાળો અટકાવવા વાસ્તવિક રીતે સઘન પગલાં લેવાની જોરદાર રજૂઆત કરી હતી. નગરમાં કોલેરાના વધતા કેસો ઉપરાંત ઝાડા-ઉલટી, તાવ, કળતર, શરદી સહિતની બીમારીઓ વધતા તમામ હોસ્પિટલો, દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને શેરી-મહોલ્લામાં પ્રેક્ટીશ કરતા સ્થાનિક ડોક્ટરોની ક્લિનિકોમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. નગરમાં મચ્છર-માખીનો ઉપદ્રવ ઘટાડવા સાર્વત્રિક સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ, ફોગીંગ તથા ગંદા તથા સ્વચ્છ પાણીના જલભરાવ કે સંગ્રહ સામે જનજાગૃતિ સહિતના સઘન કદમ ઊઠાવવા અને સફાઈ કામદારોને લગતા પ્રશ્નોનું નિવારણ કરવા મનપાના સત્તાવાળાઓ હવે તાકીદે પગલાં નહીં ભરે અને વોર્ડવાઈઝ સેનેટરી વ્યવસ્થાઓ સંભાળતા નિરીક્ષકો-કર્મચારીઓની સમયાંતરે અદલાબદલી નહીં થતી રહે, તો જે સ્થિતિ ઊભી થશે, તેનો જવાબ પણ જનતા લોકતાંત્રિક ઢબે આપી જ દેશે, અને તાજેતરની પેટાચૂંટણીઓના પરિણામો જેવા 'રિઝલ્ટ' આવશે, તે શાસકો ધ્યાનમાં રાખે, અને પેધી ગયેલા અધિકારી-કર્મચારીઓએ પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે હવે અદાલતો પણ 'વાસ્તવિક જવાબદાર' કર્મચારીઓ સામે 'ન્યાય'નો ચાબૂક ચલાવીને જેલભેગા કરવા લાગી છે, મતલબ કે કડક નિર્ણયો લઈને બેદરકારોને પાઠ ભણાવી રહી છે!
આપણે જ્યારે કોઈના તરફ આંગળી ચિંધીએ ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય જ છે, અને તેને 'અંગૂઠા'ને દબાવીને રાખી હોય છે. કોઈપણ લોભ-લાલચ, ડર, પ્રલોભન, ભાઈબંધી કે ભાગબટાઈ જેવા તત્ત્વોથી બનેલો આ 'અંગૂઠો' હટાવીને બાકીની ત્રણેય આંગળીઓનો સંકેત સમજીને સૌ કોઈએ પ્રવર્તમાન સમસ્યા હળવી કરવામાં સહભાગી થવું જોઈએ. તંત્રો, ડોક્ટરો કે નિષ્ણાતો દ્વારા અપાતી ગાઈડલાઈન્સનું પાલન પણ કરવું જોઈએ... ગંદકી થઈ જવી અને ગંદકી કરવી- એનો ભેદ સમજીને ગંદકી હટાવવાની સાથે સાથે ગંદકી થતી જ અટકાવવામાં સૌ કોઈને સહભાગી થવું જ જોઈએ, તેમ નથી લાગતું?
વિપક્ષો કે જાગૃત નાગરિકો તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડે, વિરોધ પ્રદર્શનો કરે, જનતા રેડ પાડે, ઢોલ વગડાવે અને આવેદનપત્રો આપે તે અત્યંત જરૂરી છે, અને લોકતાંત્રિક ફરજ પણ છે, પરંતુ તેની સાથે સાથે સ્વયં પણ મૂળ મુદ્દો ઉકેલવામાં સહયોગી બનવું જ પડે ને? પક્ષ-વિપક્ષના કેટલા કોર્પોરેટરોએ વરસાદ પછીની સ્થિતિ નિહાળવા પોતપોતાના વોર્ડના તમામ વિસ્તારોની મુલાકાત લીધી? કેટલા નેતાઓ જનજાગૃતિ માટે નગરમાં નીકળ્યા, કેટલા પદાધિકારીઓએ સમગ્ર નગરમાં નિરીક્ષણ કર્યું? મ્યુનિ. કમિશનર અને તેના તાબાના કેટલા અધિકારીઓ નગરની સમસ્યાઓ નિહાળવા નીકળ્યા? મેયર અને સમગ્ર બોડીએ કમ-સે-કમ વધુ સમસ્યા-ફરિયાદો હોય, તેવા વિસ્તારોની દૈનિક વિઝિટ તો ક્રમશઃ કરવી જ જોઈએ ને? જનતાની વચ્ચે જઈને જ તેથી સમસ્યાઓની ખબર પડે ને?
વિરોધપક્ષે પણ પ્રદર્શનો-દેખાવો કરીને કે એકાદ જનતા રેડ કરીને પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ હોવાની માનસિક્તા ન રાખવી જોઈએ. લોકોને ગંદકી નહીં કરવા સમજાવવા, ગાઈડલાઈન્સનું પાલન કરવા અને ક્યાં શું તકલીફ છે, તે નિહાળવા સમગ્ર નગરમાં નિરીક્ષણ કરવા નીકળવું પડે..... 'અંગૂઠો' ઊંચો કરીને ચૂંટણી ટાણે થતી હડિયાપટ્ટીની જેમ જ ડોર-ટુ-ડોર તકલીફો પૂછવા નીકળવું પડે. બાકી, સમજદાર કો ઈશારા બહોત!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હમણાંથી રાજકારણમાં નાચવાવાળા ઘોડા અને રેસના ઘોડાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને ઉદ્દેશીને એક પ્રવચનમાં લગ્નમાં નાચવાવાળા ઘોડા અને રેસના ઘોડાની જે વાત કરી હતી, તેના સંદર્ભે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક કાર્યક્રમમાં જે કટાક્ષ કર્યો અને તેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જે કાંઈ કહ્યું, તેની ચર્ચા રાજ્યકક્ષાએ જોરશોરથી થઈ રહી છે, તો રાષ્ટ્રીય કક્ષાએ પણ સમીકરણો બદલાઈ રહ્યા છે, તેથી આગામી એકાદ-બે વર્ષમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે,તેવી અટકળો થવા લાગી છે, અને રાષ્ટ્રીય રાજનીતિમાં પલટો આવશે, તો વર્ષ ર૦ર૭ માં ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પણ તેની અસર થઈ રહી છે, તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે, તો તેનો છેદ ઊડાડતા તાકીદે જવાબો પણ અપાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને રાજકીય મુદ્દાઓ વર્તમાન શાસકો માટે પડકારરૂપ થઈ શકે છે, તેવા વિશ્લેષણો થઈ રહ્યા છે, અને શાસક પક્ષના સંગઠનમાં પણ આ જ પ્રકારની ગુસપુસ થઈ રહી હોવાનું ચર્ચાય છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો, તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની રચના જ સ્થાનિક વિકાસ, વ્યવસ્થાઓ અને જન-સુખાકારીની સેવાઓ માટે થઈ છે. જો પ્રશ્નો જ ન હોય, તો પંચાયતોની શું જરૂર અને જો સમસ્યાઓ જ ન હોય તો સુધરાઈની શું જરૂર? તેવા તર્કો પણ સ્થાનિક સ્વરાજ્યની શું જરૂર? તેવા તર્કો પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મહત્ત્વ સમજાવવા માટે વ્યક્ત થતાં હોય છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે પણ જો જનાક્રોશ વધતો રહે, તો ત્યાં પણ સત્તાપલટો ઈવીએમના માધ્યમથી સરળતાથી થઈ શકે છે, અથવા 'અંકુશ' લગાવીને મર્યાદિત જનાદેશથી પૂનરાવર્તનનો જનાદેશ પણ આવી શકે છે, તે વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીઓએ બખૂબી પ્રતિપાદિત કરી જ દીધું છે ને!
જામનગરની મહાનગરપાલિકામાં ત્રણેક દાયકાઓ પછી પણ કેટલીક સમસ્યાઓ પ્રતિવર્ષ રિપિટ થતી રહી છે, છતાં તેનો કોઈ કાયમી ઉકેલ તો થતો નથી, પરંતુ કેટલીક સમસ્યાઓ વધુ વકરી છે, તો કેટલીક નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે, ત્યારે શાસકો-પ્રશાસકોએ વર્ષ ર૦૪૭ સુધીનું નેશનલ વિકાસ મોડલની સાથે સાથે પાછલા રપ-૩૦ વર્ષથી વણઉકેલાયેલી સમસ્યાઓનું સંકલન કરીને તેને ઉકેલવાનો પ્રયત્ન કરવો ન જોઈએ?
જામનગરમાં ગંદકી, તળાવમાં કચરો, ટ્રાફિક, પાર્કિંગ, વીજળી-પાણી-ગટરના પ્રશ્નો પૈકી કેટલાક પ્રશ્નો દાયકાઓ જુના છે, તો કેટલાક પ્રશ્નો-સમસ્યાઓ તો ઘટવાના બદલે વધી છે. માર્ગોના નવીનિકરણ છતાં તેમાં ખાડાઓ-ચીરોડાઓ કેમ પડે?, કરોડોના ખર્ચ પછી પણ ગટરો કેમ ઉભરાય?, આધુનિકરણના ઢોલ પીટવા છતાં આરોગ્ય-તબીબી સેવાઓ કેમ ન સુધરે? 'નળે સે જલ'ના દાવાઓ છતાં નિયમિત-સમયસર જળવિતરણ કેમ ન થાય? તેવા પ્રશ્નોનો છે કોઈ જવાબ?
જામનગર હોય કે બીજું કોઈપણ નગર હોય, સુધરાઈ એટલે કે પાલિકા-મહાનગરપાલિકાઓ ઉપરાંત પંચાયતોની સર્વિસ સીસ્ટમ ધરમૂળથી સધારા માંગે છે. અત્યારે જે સિસ્ટમ છે તે પ્રશ્નોનો 'ઉકેલ' નહીં, પણ 'નિકાલ' કરીને આંકડાઓ દર્શાવીને સબસલામતની પિપૂડી વગાડતી હોય છે. હકીકતે સમસ્યાઓ અને પ્રશ્નો ઠેરના ઠેર જ રહે છે.
દૃષ્ટાંત તરીકે ઢોરના ડબ્બાઓની સફાઈ કરીને તેનો કચરો-ગંદકી જાહેર માર્ગોની આજુબાજુ પાથરી દીધી, તેવી ફરિયાદ ઊઠી. આ જ રીતે સમસ્યાઓનું નિરાકરણ કરવાના બદલે સમસ્યાઓનું સ્થળાંતર કરી દેવાની માનસિક્તાથી ચાલતી ટોપ ટુ બોટમ સિસ્ટમો ધરમૂળથી બદલી નાખવી પડે તેમ છે, પણ!?
કોઈ શેરીમાં લાઈટ ગઈ હોય અને કોઈ ગ્રાહક કમ્પ્લેઈન કરે, તો પીજીવીસીએલવાળા માત્ર તે ગ્રાહકની ફરિયાદનો જ (અનુકૂળતાએ) નિકાલ કરે, પરંતુ તેની તદ્ન પડોસના થાંભલે વાંધો હોય, તો તે માટે નવી ફરિયાદ કરવી પડે, અને તે પછી વારો આવે ત્યારે ફરીથી ટીમ આવે, તેવું જ ગટર, પાણી, સ્ટ્રીટલાઈટના મુદ્દે થાય. આ સિસ્ટમને સુધારવી જ પડે... આમ નહીં ચાલે... સમસ્યાનું સ્થળાંતર નહીં, નિરાકરણ લાવો, પ્રશ્નો ઉકેલો, 'નિકાલ' બતાવીને ટીંગાળી ન રાખો... હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, અને પોતાના 'મત'ની તાકાત સમજતી થઈ ગઈ છે, તે સમજી લેવું જરૂરી છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયા પછી ત્યાંના ખતરનાક ગનકલ્ચર ઉપરાંત અમેરિકાના ચાર પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના બે પૂર્વ વડાપ્રધાનો સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓની થયેલી હત્યાઓ તથા શંકાસ્પદ મૃત્યુના વિવરણો ચર્ચાઈ રહ્યા છે, અને ગ્લોબલ ગનકલ્ચર પર અંકુશ લાવવાની વાતો થઈ રહી છે. એટલું જ નહીં, અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આ નિંદનિય ઘટનાનો ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો રાજકીય ફાયદો થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં રાજનીતિ જાણે કરવટ બદલી રહી છે, અને પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ભારત હોય કે અમેરિકા, કોઈપણ સ્થળે, કોઈપણ રાજ્યમાં હિંસક ઘટના બને કે રાજકીય પ્રતિસ્પર્ધીઓને પાડી દેવા માટે જીવલેણ હુમલા થાય, તો તે કોઈને સ્વીકૃત હોતા નથી, અને તેથી જ દુનિયભરના પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે.
આપણાં દેશમાં લોકતાંત્રિક ઢબે રાજનીતિ કરવટ બદલી રહી છે અને એનડીએની સત્તા માંડ માંડ બચાવ્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં એનડીએને જે ઝટકો લાગ્યો છે, તેનું હવે પોલિટિકલ પોસ્ટમોર્ટમ થઈ હ્યું છે, અને ખાસ કરીને ભાજપની પીછેહઠના કારણે વિપક્ષો અતિશય ગેલમાં છે.
ભારતમાં મુખ્ય ચૂંટણીઓમાં આજ પર્યંત વિવિધ મુદ્દે થતું ધ્રુવીકરણ હંમેશાં રાજકીય પક્ષોને ફળ્યું છે. લોકસભાની ચૂંટણીઓ પછી ૧૩ બેઠકોની રાજ્યોની પેટાચૂંટણીમાં પણ વિધાનસભાઓમાં માત્ર બે બેઠકો જ ભાજપને મળી અને ઉત્તરાખંડ જેવા દેવભૂમિ ગણાતા યાત્રા સ્થળોને સાંકળતી બેઠકો પણ ભાજપે ગુમાવી, તે માટેના વિવિધ કારણોમાં સૌથી વધુ મતદારોની નારાજગીમાં યાત્રાધામોના વિકાસ માટે જમીન-મિલકતોના અધિગ્રહણ અને તેના વળતર, વિકાસ સંકુલોના નિર્માણ માટે જેને સ્થળાંતર કરવું પડ્યું હોય તેની વેદના, પોતાના બાપ-દાદાના મકાનો છોડીને અન્યત્ર રહેવા જવું પડ્યું હોય તો તેનું દર્દ અને અદ્યતન વિકાસ પ્રોજેક્ટોના કારણે યાત્રાધામો-પ્રવાસન સ્થળોના સ્થાનિકોની ખોરવાઈ ગયેલી જીવન-વ્યવસ્થાઓ વિગેરેના કારણે દબાઈ ગયેલો તીવ્ર અસંતોષ ઈવીએમ મારફતે પ્રગટ્યો હોય તેમ જણાય છે. તે ઉપરાંત ચાર શંકરાચાર્યજીના વિરોધ છતાં તેઓના મંતવ્ય મુજબ અયોધ્યાના અધુરા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા માટે અપનાવાયેલી રીતરસમો અને મનસ્વી વલણ, સમગ્ર અયોધ્યા પંથકમાં પણ સ્થાનિકોની છૂપી નારાજગી, જમીન સંપાદનના પ્રશ્નો તથા જોહુકમીના આક્ષેપોની અવગણના, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જમીની વાસ્તવિક્તા અને પ્રચાર-પ્રસાર વચ્ચેનું મોટું અંતર, પરંપરાઓને તોડીને થયેલી કેટલીય પ્રક્રિયાઓ અને વિધિઓ તથા સંત-સમાજના ઈમ્પોરન્ટન્સને ઘટાડતી નીતિરીતિને લઈને થયેલા આક્ષેપોને પણ આ પછડાટના મૂળભૂત કારણોમાં ગણાવાઈ રહ્યા છે, અને પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા નિર્માણાધીન 'રામપથ'ના પ્રયાગરાજ, ચિત્રકૂટ ઉપરાંત અયોધ્યા અને ઉત્તરપ્રદેશ સિવાયના બહારના ભગવાન શ્રીરામ અને રામાયણને સાંકળતા નાશિક અને રામેશ્વરમ્માં પણ ભાજપની ભૂંડી હાર થઈ છે, અને તે પછી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ઉત્તરાખંડની બદ્રીનાથની બેઠક ભાજપે ગુમાવી તેની પાછળ આધુનિક યાત્રાધામ સંકુલોના નિર્માણ પછી તેમાં જેના જમીન, દુકાન, મકાન સંપાદિત થયા હોય, તેને વળતરના પ્રશ્નો તથા અદ્યતન સંકુલોના નિર્માણ દરમિયાન આચરાયેલા ભયંકર ભ્રષ્ટાચારને પણ કારણભૂત ગણાવાઈ રહ્યા છે.
યાત્રાધામોમાં નવા કોરિડોર બન્યા પછી નવેસરથી જે દુકાનો, શોપીંગ સેન્ટરો તથા વ્યવસાયિક સંકુલોનું નિર્માણ થયું, તેની ફાળવણી પછી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોના બદલે 'મળતિયાઓ'ને આપી દેવાયા હોવાના વિપક્ષના આક્ષેપો, મોટા મંદિરોનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની પેરવી અને ધાર્મિક પરંપરાઓને ગણકાર્યા વગર કેટલાક અનધિકૃત નેતાઓ દ્વારા વિવાદાસ્પદ ચેસ્ટાઓ તથા આરતી, મહાઆરતી, પૂજન વગેરે સંદર્ભે જીદ્દી માનસિક્તાને પણ ઘણાં લોકો હિન્દુ સમાજની નારાજગીનું કારણ ગણાવી રહ્યા છે. હવે દેશમાં રાજકીય ક્ષેત્રે મોટા પાયે નવાજુનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
જો કે, ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ તથા એનડીએના ગઠબંધન ઉમેદવારોની સંખ્યાબંધ યાત્રાધામો-પ્રવાસનને સાંકળતા મતવિસ્તારોમાં ભવ્ય જીત પણ થઈ છે, તે ગણાવીને એવો દાવો કરી રહ્યા છે કે વાસ્તવમાં યાત્રાસ્થળો અને પ્રવાસન સ્થળોને સાંકળતી દેશની લોકસભાની બેઠકોમાં ભાજપ-એનડીએના ઉમેદવારોના પરાજય કરતા જીતેલા ઉમેદવારોની સંખ્યા ઘણી વધુ છે, અને જ્યાં જીત્યા છે, ત્યાં પણ લોકોને ભરમાવીને તથા બંધારણ-અનામતને લઈને જુઠ્ઠો પ્રચાર કરીને મોટાભાગે પાતળી સરસાઈથી જીત્યા છે, અને હજુ સત્તામાં તો એનડીએ જ છે અને પીએમ મોદી જ છે!? જોઈએ, આગળ દેશની કરવટ બદલતી રાજનીતિના ખેલ...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પૂ. બા ના મમત્વનો શિતળ છાંયો ગુમાવ્યા પછી આજે પણ તેઓની સ્નેહાળ અનુભૂતિ થઈ રહી છે. તેઓની સ્મૃતિઓને મળાવીને તેઓએ આપેલા સંસ્કારોને અનુસરીને અમો તેઓના આદર્શો-ઉમદા વિચારોને અનુરૂપ જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને તેઓએ કરેલા પથદર્શન મુજબ સત્કાર્યો અને સેવાકાર્યો સ્વરૂપે તેઓને સ્મરણાંજલિ અર્પણ કરતા રહીએ છીએ.
'નોબત'ના આદ્ય સ્થપક અને અમારા સૌના પથદર્શક સ્વ. રતિલાલ માધવાણીના જીવનસંગિની તરીકે તથા અમારા માતુશ્રી તરીકે તેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એટલું જ નહીં, 'નોબત'ની પ્રગતિયાત્રામાં પણ તેઓ સહભાગી બન્યા, તે યોગદાને અને સમર્પણ ક્યારેય વિસરી શકાય તેમ નથી. પરિવારને એક તાંતણે બાંધીને અમારામાં કરેલા સંસ્કારનું સિંચન જ અમારૃં આત્મબળ બન્યું છે.
માયાળુ મમતાની મિશાલ સમા પૂ. બા સૌ કોઈને પોતાના સ્નેહાળ મમત્વથી પોતાના કરી લેતા હતાં અને તેઓનો પ્રેમાળ સ્વભાવ, હસમૂખો ચહેરો અને સાદગીપૂર્ણ જીવનને માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર ક્યારેય વિસરી શકે તેમ નથી.
પૂ. બા એ વર્ષ ર૦૦૭ ની ૧૩ જુલાઈના વૈકુંઠગમન કર્યું, ત્યારે અમને કારમો આઘાત લાગ્યો હતો, અને અમને ન પૂરાય તેવી ખોટ પડી ગઈ હતી. તેઓ આજે પણ અમારા બધાના અંતરમનમાં સ્મૃતિ અને પ્રેરણા સ્વરૂપે હરહંમેશ જિવંત જ છે. તેઓને માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર ભાવભરી સ્મરણાંજલિ સાથે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, અને તેઓ વૈકુંઠમાંથી આપણા બધા પર હરહંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના કરીએ...
તા. ૧૩-૦૭-ર૦ર૪
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર

એવું કહેવાય છે કે, દેશમાં વ્યાપક બેરોજગારી અને અગ્નિવીર યોજના એનડીએ-ભાજપની લોકસભાની ચૂંટણીમાં થયેલી પીછેહઠના મુખ્ય મુખ્ય કારણો પૈકીના મુખ્ય બે કારણો હતાં, જો કે ગુજરાત રોજગારીના ક્ષેત્રે દેશમાં અગ્રીમ હરોળમાં હોવાનો દાવો પણ અવારવાર કેટલાક આંકડાઓ સાથે કરવામાં આવતો હોય છે, પરંતુ બેરોજગારીની વાસ્તવિક્તા કાંઈક અલગ જ હોય છે, અને તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા તો પ્રતિવર્ષ વધતી જ રહી છે.
કેટલીક ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પડે કે તરત જ સેંકડોની સંખ્યામાં ઉમેદવારો તૈયાર થઈ જતા હોય છે અને અરજીપત્રકોના ઢગલા થઈ જતા હોય છે, તે નક્કર હકીકત છે. આ સ્થિતિ જ દેશમાં બેરોજગારીની વિકટ સમસ્યાની સાબિતી છે. સરકાર અને તંત્રોના દાવા ગમે તે હોય, પરંતુ શિક્ષિત બેરોજગારીનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જ રહ્યો, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
ગુજરાતમાં બેરોજગારીને લઈને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા તે પછી આ મુદ્દે જ બનેલી એક ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે અને તેમાં પણ રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ કરેલો હસ્તક્ષેપ પણ આજે 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 'એક્સ' પર કરેલી કથિત પોસ્ટના અહેવાલોએ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં એવું કહેવાયું હતું કે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ગુજરાતને બદનામ કરવા માટેનો પ્રયાસ છે. જે કંપનીમાં નોકરીવાંચ્છુઓની ભીડ જામી હતી, તે કંપનીએ જે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યા હતાં, તેની જાહેરાતમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે, કંપનીને માત્ર ચોક્કસ વર્ગોના અનુભવી લોકોની જરૂર છે, તેથી નોકરીનો અનુભવ ધરાવતા લોકોએ જ ઈન્ટરવ્યૂમાં આધારો સાથે આવવું. આથી આ ખાનગી કંપની માટે ઉમટેલા ઉમેદવારો બેરોજગાર નહોતા, પરંતુ અનુભવી નોકરિયાતો જ હતાં!
બન્યું એવું હતું કે, અંકલેશ્વરમાં એક કેમિકલ કંપનીએ ૪ર જેટલી જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યા હતાં, અને તેમાં ૧૮૦૦ થી વધુ ઉમેદવારો ઉમટી પડતા જે હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રખાયા હતાં, ત્યાં વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી અને ઉમેદવારો વચ્ચે ધક્કામૂક્કી થતાં રેલીંગ પણ તૂટી ગઈ હતી, જેમાં કેટલાક ઉમેદવારો નીચે પડી ગયા હતાં અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને આ ઘટનાને કોંગ્રેસ દ્વારા ગુજરાતની વ્યાપક બેરોજગારીનો પ્રત્યક્ષ પુરાવો ગણાવાયો હતો અને રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર સણસણતા આક્ષેપો કર્યા હતાં.
એ પછી આ વીડિયોના સંદર્ભે જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ હસ્તક્ષેપ કરીને ટ્વિટર (એક્સ) પર એક પોસ્ટ દ્વારા રાજ્યમાં બેરોજગારીના કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, જ્યાં માત્ર વર્ષોના અનુભવી ઉમેદવારોનો જ વોક ઈન ઈન્ટરવ્યૂ રખાયો હોય ત્યાં હાલમાં સમકક્ષ પ્રકારની નોકરી કરતા હોય તેવા જ ઉમેદવારો આવતા હોવાથી તેને બેરોજગારો કેવી રીતે કહી શકાય?
ઘણાં અનુભવી નોકરિયાતો બીજી કંપનીમાં જમ્પ મારતા હોય છે, જેને પ્રગતિકૂચ કહી શકાય અને આ રીતે સાયકલ ચાલતી રહે, તો જ નવા નવા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી થતી રહે અને તેઓ પણ અનુભવ મેળવીને મોટા પેકેજથી નોકરી મેળવી શકતા હોય છે, જે જરૂરી અને સ્વાભાવિક પ્રક્રિયા હોય છે, તેવા તર્કો સાથે ગૃહરાજ્યમંત્રીએ કરેલી આ ચોખવટ પછી વિવાદનો મધપૂડો વધુ છંછેડાયો છે અને રાજ્યમાં રોજગારીના દાવા અને બેરોજગારી વધી રહી હોવાના આક્ષેપોની સામે દલીલો સાથે રાજ્યવ્યાપી ચર્ચા છેડાઈ ગઈ છે. હવે તેમાં રાજનીતિના રંગો ભળી જતા આખો મુદ્દો માત્ર એડમિનિસ્ટ્રેટિવ રહ્યો નથી, પરંતુ સંપૂર્ણપણે પોલિટિકલ પણ બની ગયો હોય તેમ નથી લાગતું? આ વાસ્તવિક્તા પર ઢાકંપીછાડો છે કે પછી રાજકીય આક્ષેપબાજી? છે કોઈ જવાબ?
ભરૂચ જિલ્લો આમ તો રોજગારીનું હબ ગણાય છે અને ત્યાં વિરાટકાય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન લગભગ અઢીસો-ત્રણસો ઔદ્યોગિક યુનિટો વિવિધ કારણે બંધ પડી જતા હજારો કર્મચારીઓ અને કામદારો બેકારીના ખપ્પરમાં હોમાયા હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ અઢી હજારથી વધુ ઔદ્યોગિક યુનિટો આ જીઆઈડીસીઓમાં ધમધમી રહ્યા છે, તે ઉપરાંત દહેજ-સાયખા-ગંધારની પટ્ટી પર કાર્યરત ઉદ્યોગોમાં પણ હજારો કામદારો અને કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા હોવાના દાવાઓ પણ થતા રહે છે. ભરૂચ જિલ્લામાં જીઆઈડીસી અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા જ દોઢથી બે લાખ લોકોને રોજગારી મળી રહી હોવાના દાવાઓ પણ થતા રહે છે, અને સેંકડો ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી હોવાના દાવાઓ પણ રજૂ થતા રહે છે.
ભરૂચ ઉપરાંત સુરત, વાપી, વલસાડ, નવસારી, વડોદરા સુધીની ગોલ્ડન પટ્ટીમાં હજારો ઉદ્યોગો દ્વારા લાખો લોકોને રોજગારી મળતી હોવા ઉપરાંત સુરતના ડાયમન્ડ માર્કેટ અને હીરા ઘસવાના કામ તથા ગૃહઉદ્યોગો-કુટિર ઉદ્યોગો અને નાના-મધ્યમ ઉદ્યોગો દ્વારા પણ રોજગારી મળી રહી હોવાની દલીલો થતી હોય છે.
હકીકત એ છે કે શ્રમિકો, કારીગરો તથા ટેકનિકલ અથવા કૌશલ્ય ધરાવતા રોજગારવાંચ્છુ લોકોને તો હજુ પણ રાજ્યમાં કામ મળી રહે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવનાર ડીગ્રીધારીઓને અનુરૂપ નોકરીઓ મળી રહી નથી અને હવે છટણીઓ તથા કેટલાક ઉદ્યોગો બંધ થવાના કારણે શિક્ષિત બેરોજગારી વધુ વધી રહી છે, ત્યારે સરકારે હવે શ્રમ, કૌશલ્ય અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતોને અનુરૂપ રોજગારીની સાર્વત્રિક અને સર્વક્ષેત્રિય તકો વધે, તેવા પ્રયાસો વધારવા ન જોઈએ?
વિધાનસભામાં અપાયેલી માહિતીને ટાંકીને ચર્ચાઈ રહેલા આંકડાઓ મુજબ રાજ્યમાં અઢી લાખ જેટલા શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારો છે, ત્યારે ગુજરાત સરકારે આત્મશ્લાધા અને આભાસી દાવાઓમાંથી ઉપર ઊઠીને રાજ્યમાં વધી રહેલી બેરોજગારીને ઘટાડવા અને તમામ ક્ષેત્રે રોજગારીની તકો વધારવા ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવા જરૂરી છે. માત્ર દાવાઓ કે વાદાઓ કરીને હવે નહીં ચાલે, વાસ્તવિક રીતે રાજ્યમાં શિક્ષિત બેરોગારી ઘટાડવાના સંનિષ્ઠ પ્રયાસો કરવા પડશે, અન્યથા નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોંઘવારી-બેરોજગારીના મુદ્દાઓ પડઘાઈ શકે છે, તે ભૂલવું ન થોઈએ, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મોટા શહેરો (મેટ્રોપોલિટન સિરીઝ)માં ફાયર સેફટી સહિત પબ્લિક સેફટીના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરો તથા નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોને જવાબદાર ઠેરવવાનું વલણ દાખવ્યા પછી હવે જનતા પણ જાગૃત થઈ ગઈ છે અને વિવિધ પ્રકારની અવ્યવસ્થાઓ, ગોબાચારી અને લોલંલોલને અખબારો-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ખુલ્લી પાડવામાં આવી રહી છે. આ પ્રકારની જાગૃતિના કારણે મોજથી નોકરી કરતા અને બેફિકર થઈને જવાબદારીઓને પોતાના તાબા હેઠળના કર્મચારીઓ પર ઢોળી દેતા ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરાના હરણીકાંડ માટે જેવી રીતે બબ્બે મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠેરવાયા, તેવી જ રીતે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની જવાબદારી પણ રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરોની જ ગણાય, છતાં તેને 'કલીનચીટ' અપાઈ રહી હોવાના અહેવાલો આવ્યા પછી લોકોની નારાજગી વધી રહી છે અને સરકાર પ્રત્યે પણ છુપો આક્રોશ હવે પ્રગટ થવા લાગ્યો છે, તો બીજી તરફ માત્ર મહાનગરપાલિકાઓ જ નહીં, પરંતુ નગરપાલિકાઓ તથા યાત્રાધામો ધરાવતી સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓના અધિકારીઓને પણ સેફટી, સુરક્ષા અને વ્યવસ્થાઓ માટે જવાબદાર ગણવા જોઈએ, તે પ્રકારની જનલાગણીઓ અને લોકમાંગણીઓ પણ પ્રગટ થવા લાગી છે, તેમ છતાં સરકાર અને તંત્રો હજુ સૂસ્ત છે!
ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ તથા અન્ય કચરાના મુદ્દે જૂનાગઢની પ્રશાસનિક ઓથોરિટીઝને જે રીતે તતડાવી છે, અને જૂનાગઢના મ્યુનિ. કમિશનરે પ્લાસ્ટિક વેસ્ટ તથા કચરાના નિકાલની વ્યવસ્થા અને રિસાયકલીંગની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવા જે આદેશ કર્યો છે, તે યાત્રાધામો ધરાવતી પાલિકા-મહાપાલિકા-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓ (અને પદાધિકારીઓ માટે પણ) બોધરૂપ છે.
અદાલતે ગીરનાર પર્વતની ગંદકી તથા જાહેર આરોગ્યને જોખમાવતા ઉકરડાઓ-કચરાના ઢગલાઓને લઈને થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કરેલી કડક ટિપ્પણીઓની નોંધ હાલારના યાત્રાધામોમાં કાર્યરત સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ એટલે કે પાલિકા-મહાપાલિકા-પંચાયતોએ પણ લેવી પડે તેમ છે.
વડી અદાલતે આ મુદ્દે માત્ર જૂનાગઢ મ્યુનિ. કમિશનર જ નહીં, પરંતુ જૂનાગઢની સંબંધિત કચેરીઓ, કલેકટોરેટ તથા રાજ્ય સરકારનો પણ જવાબ માંગ્યો હોવાના અહેવાલો જોતા હવે ન્યાયતંત્રોએ બ્યુરોક્રેસીની બેફિકરાઈ અને શાસકોના સૂસ્ત વલણ સામે લાલ આંખ કરી છે, અને જવાબદારીઓ નક્કી કરવાનું શરૂ કર્યંુ છે, તે સારા સંકેતો છે.
ગીરનારમાં ગંદકીની સુનાવણી દરમિયાન વડી અદાલતે જે રીતે નળ સરોવરમાં તો પર્યટકો જાણે કે પ્લાસ્ટિકની બોટલો અને કચરો ફેંકવા જ ત્યાં જતાં હોય, તેવા દૃશ્યોનો ઉલ્લેખ કર્યો તે જોતા હાલારના દ્વારકા, બેટદ્વારકા, શિવરાજપુર, નાગેશ્વર, ગોપીતળાવ, હર્ષદ માતાજી, પીંડારા, પોશીત્રા, નરારા ટાપુ, પીરોટન, વિવિધ ટાપુઓ, કાલાવડ, શીતળા, હાથલા, બરડો ડુંગર, કિલેશ્વર, ગોપ, ઘુમલી, નવલખો, ભાણવડ-ઈન્દ્રેશ્વર, જામનગર (છોટીકાશી), સીદસર, સપડા સહિતના તમામ યાત્રાધામોમાં પ્લાસ્ટિકના વેસ્ટના રિસાઈકલીંગ અને ગંદકી નિવારણ તથા સ્વચ્છતા માટે જો સંબંધિત સત્તાવાળાઓ પૂરેપૂરી નિષ્ઠા અને જાગૃતિ સાથે પ્રયાસો નહીં કરે, તો વડી અદાલતમાં કોઈ પણ જાગૃત પીઆઈએલ કરીને સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકો-પ્રશાસકોનો જવાબ માંગી શકે છે, અને જો ખામી કે લોલંલોલ, પોલંપોલ પુરવાર થાય તો બ્યુરોક્રેટસની સામે પણ કડક કાર્યવાહીના આદેશો થઈ શકે છે.
અદાલતોના આ કડક અભિગમ પછી પણ જો નોંધપાત્ર સુધારો નહીં થાય, તો અદાલતો હવે સરપંચ, નગરપાલિકાની પ્રમુખ અને બોડી, મેયર અને તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરો-સભ્યોને પણ જવાબદાર ઠેરવવાની દાદ પણ જાગૃત નાગરિકો માંગી શકે છે, ચેતજો...
જો કે, પોતાના જ આંગણેથી ગંદકીની શરૂઆત કરતા અને જયાં ત્યાં પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકીને ઉકરડા ઊભા કરતા રહેતા અને માર્ગો પર પાણી અને ગંદુ પ્રવાહી રેલાવીને ગંદકી ઊભા કરતા રહેતા આપણે પણ ઓછા જવાબદાર નથી હો...., જો સ્વછતા અને પ્રર્યાવરણ સુરક્ષાના મુદ્દે આપણે પોતે જ જાગૃત ન રહીએ અને બીજાના વાંક કાઢતા રહીએ તે કોઈપણ રીતે યોગ્ય છે ખરું? સલાહ આપવાના બદલે સ્વચ્છતાની સ્વયંથી શરૂઆત કરીએ, તો જ આપને બીજા કોઈને ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર મળે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત રાજ્યમાં ઘણાં સ્થળોએ ગઈ રાત્રે વરસાદ પડ્યો અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હજુ આ અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રાજ્યના મહત્તમ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયા છે અને નદી-નાળા-તળાવો-ડેમો ભરાઈ જાય, તેવો વરસાદ થશે, તેવી આગાહી થઈ છે. લા-નીનાની અસર હેઠળ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ જણાવાઈ રહી છે. ખેડૂતો હવે ખેતીકામોમાં લાગી ગયા છે અને કૃષિ આધારિત વ્યવસાયો પણ ધમધમવા લાગ્યા છે. ખેતમજૂરોને મળતી રોજગારી અને વેતનમાં વૃદ્ધિ થઈ રહી છે, તો બીજી તરફ કૃષિખર્ચ વધી રહ્યો હોઈ ખેત-ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળશે, તેવી આશા પણ સેવાઈ રહી છે.
વરસાદની સાઈડ ઈફેકટસ પણ દર ચોમાસે રિવિઝ થતી રહેતી હોય છે. વીજ પુરવઠો ખોરવાઈ જાય, તો ગોકુલનગરવાસીઓની જેમ લોકો વીજકચેરીએ પહોંચી જતાં હોય છે, જ્યારે કાદવ-કીચડનું સામ્રાજ્ય ચોતરફ ફેલાઈ જતું હોય છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ચેકીંગ દરમિયાન કોઈના ઘર કે વ્યવસાયના સ્થળેથી મચ્છરના પોરા ભરાયેલું પાણી મળી આવે, તો તેને દંડ કરવા સુધીની ચેતવણી આપી છે, અને 'ભય વિના પ્રિતી નહીં' તે કહેવત મુજબ લોકો પણ પોત-પોતાના ઘરો, વ્યવસાયના સ્થળો કે સંસ્થાકીય સંકુલોમાં આ પ્રકારે પાણી ભરાયેલા ન રહે અને ઓવરહેડ ટેન્ક, ભૂગર્ભ ટાંકીઓ કે વાસણોમાં ભરેલા પાણીમાં મચ્છરના પોરા ન થઈ જાય, તેની તકેદારી રાખશે, એટલું જ નહીં, અગાસી, ફળિયા કે ખુલ્લામાં પડેલી બિનઉપયોગી ચીજવસ્તુઓ, ટાયરો, વાસણો વગેરેમાં વરસાદી પાણી કે અન્ય પાણી ભરાયેલા ન રહે, તે માટે નિયમિત ચેકીંગ કરીને તેવા ભરાયેલા પાણી ફેંકી દઈને સ્વયં સ્વચ્છતા જાળવશે, તેવી આશા રાખી શકાય, પરંતુ જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટના ખાડા-ચીરોડા, કાદવ-કીચડ અને ગંદકી માટે કોને જવાબદાર ઠેરવાશે, તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. આ પ્રકારની જાહેર ગંદકી માટે મહાનગરપાલિકા સ્વયં પોતાને દંડ ફટકારશે ખરી? તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે. જો કે, રોગચાળો થતો અટકાવવા નગરજનોએ પણ મનપાના તંત્ર સાથે સહયોગી બનવું જ પડે, અન્યથા 'નગરદ્રોહ' કર્યો ન કહેવાય?
જો કે, અદાલતો હવે કેટલાક મુદ્દે તગડો પગાર લેતા અને મહત્તમ સત્તાઓ ભોગવતા ઉચ્ચ અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા લાગી છે. વડોદરાના હરણી બોટ કાંડના મુદ્દે હાઈકોર્ટે જે-તે સમયગાળામાં વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકે રહેલા બે મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠેરવીને તેની સામે શિસ્તભંગના પગલાં લેવા સરકારને આદેશ આપ્યો હોવાના અહેવાલોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ આદેશને આવકાર સાંપડી રહ્યો છે, તેની સાથે સાથે આ પ્રકારના કૌભાંડોમાં આંખ આડાકાન કરતા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-મહાપાલિકા-પંચાયતોના હોદ્દેદારો તથા જે-તે વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ, તેવા અભિપ્રાયો પણ વ્યકત થઈ રહ્યા છે.
એક તરફ વડોદરાની હરણી બોટ દુર્ઘટના માટે જે-તે સમયગાળાના બબ્બે મ્યુનિ. કમિશનરોને હાઈકોર્ટે જવાબદાર ગણાવ્યા છે, તો બીજી તરફ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ માટે જે-તે સમયના મ્યુનિ. કમિશનરને તપાસ સમિતિ દ્વારા કલીનચીટ મળી હોવાના અહેવાલોએ પણ ચર્ચા જગાવી છે, એવું કહેવાય છે કે તપાસ રિપોર્ટમાં એવું કહેવાયુ છે કે દરેક બાબતોમાં મ્યુનિ. કમિશનર વ્યક્તિગત ધ્યાન આપે, તે શકય નથી. શું મ્યુનિ. કમિશનર ડે. મ્યુનિ. કમિશનર તેની કચેરીના કોઈ જવાબદાર અધિકારીને આવડું મોટું ગેમઝોન ધમધમતું દેખાતું નહીં હોય ? શું તેની જ કચેરીમાં પનપતા ભ્રષ્ટાચારની ગંધ સુદ્ધા મ્યુનિ. કમિશનર, મેયર કે અન્ય સત્તાધીશો-હોદ્દેદારોને આવી નહીં હોય? આ બધો 'કુલડીમાં ગોળ ભાંગવા' નો ખેલ હોય તેમ નથી લાગતું?
ટીઆરપી ઝોનના અગ્નિકાંડ પછી હવે સત્તાધીશો સફાળા જાગ્યા છે અને રાજ્યની ફાયર બ્રિગેડોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા આદરી છે, તે સારી વાત છે, પરંતુ તમામ તંત્રો પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક અને દરકાર રાખીને બજાવે તે જરૂરી છે, કારણ કે બેદરકારી રાખવી એ તો ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપતી મનોવૃત્તિ જ ગણાય અને ઘણી વખત ભ્રષ્ટાચારીઓ પણ બેદરકારીનો આંચળો ઓઢીને પોતાનો શકય તેટલો બચાવ થાય ? તેવી પેરવીઓ પણ કરતા હોય છે, જે ઓપન સિક્રેટ જ છેને?
ભાગદોડની દુર્ઘટનામાં સામૂહિક મૃત્યુના મુદ્દે ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા પણ હાથરસના 'ભોલેબાબા' ને તપાસમાં કલીનચીટ મળી ગઈ હોવાના અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે આપણાં દેશમાં મોટી મોટી દુર્ઘટનાઓ માટે નાની નાની માછલીઓને પકડીને તથા ડ્રામેટિક ઈન્કવાયરીઝ તથા ફેકટ ફાઈડીંગ નહીં પરંતુ ફેકટ હાઈડીંગ રિપોર્ટીંગના કારસા કયાં સુધી ચાલતા રહેશે, અને કયાં સુધી પરસ્પર કટ્ટર વિરોધી નેતાઓ પણ આ પ્રકારની ઘટનાઓ પછી એકબીજાને છાવરતા રહેશે? મહારાષ્ટ્રમાં 'હીટ એન્ડ રન'નો તાજો કિસ્સો પણ એ જ પ્રકારની ડ્રામેબાજી દ્વારા ફેકટ હાઈડીંગનો પ્રયાસ જ હતો ને ? જો કે, અહીં આપણે પણ કોઈને દોષિત કે નિર્દોષ ઠરાવીને કોઈ જજમેન્ટ ન આપીએ, પરંતુ લોકોના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબો તો જવાબદારોએ જ દેવા પડે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મુંબઈ જળબંબાકાર થઈ ગયુ અને ગુજરાત સહિતના દેશના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયાનો પ્રવાસ ચર્ચામાં છે અને કોંગી નેતા રાહુલ ગાંધી મણીપુરના પ્રવાસ પછી રાયબરેલીની મૂલાકાતે જઈ રહ્યા છે. કુદરત અને રાજનીતિએ કરવટ બદલી છે અને દેશભરમાં નવી જ હવા ચાલી રહેલી જોવાય છે. મેઘાવી માહોલ અને બફારા-ઉકળાટ-ગરમી વચ્ચે જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં ત્યાં ખુશીની લહેર દોડી જાય છે અને ભીની માટીની મહેક દિલો-દિમાગને તાજગીથી ભરી દેતી હોવાથી એક અલગ જ પ્રકારની પ્રસન્નતા ફેલાઈ રહી છે. હાલારમાં પણ એકંદરે સારો વરસાદ પડી રહ્યો છે. જેથી જગતનો તાત અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા પછી ખેતીવાડીના કામે લાગી ગયો છે.
આપણાં દેશમાં લોકોનો દૃઢ વિશ્વાસ ન્યાયતંત્ર પર છે અને તેમાં પણ ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતોની વિશ્વસનિયતા ટોચ પર છે, તેથી જ જ્યારે જ્યારે કોઈને અન્યાય થતો હોય ત્યારે ત્યારે ઉચ્ચ અદાલતો તથા સર્વોચ્ચ અદાલતે ન્યાયની પુનઃ સ્થાપના કરતા નિર્ણયો આપ્યા છે, અને અનેક સદીઓ જુના વિવાદો પણ જ્યારે જ્યારે ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતે ઉકેલ્યા છે, ત્યારે ત્યારે દેશની જનતાએ તેને માથે ચડાવ્યા છે. ઘણાં સામૂહિક અને અન્યાય કે હત્યાકાંડોના કેસો તથા વિવાદાસ્પદ બાબતોમાં કોઈની પણ શેહ શરમમાં આવ્યા વિના માત્ર બંધારણીય અને ન્યાયસંગત ફેંસલાઓ અદાલતોએ આપ્યા છે, અને તેથી જ દેશની જનતાનો સર્વાધિક વિશ્વાસ અદાલતો તથા દેશની સેનાની ત્રણેય પાંખો પ્રત્યે અડગ જ રહ્યો છે કારણ કે દેશની સેનાએ પણ અણીના સમયે ઘણી વખત રાષ્ટ્રહિત માટે નિર્ણાયક ભૂમિકાઓ અદા કરી છે.
'નીટ'ની પરીક્ષાએ અત્યારે સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દો છે અને તેની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે, અત્યારે નીટની પરીક્ષા પૂરી રીતે રદ કરવા અંગે બે પ્રકારના અભિપ્રાયો મુખ્યત્વે અપાઈ રહ્યા છે, 'નીટ'ની સંપૂર્ણ પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવી તેવો એક અભિપ્રાય છે, અને બીજો અભિપ્રાય એવો છે કે સંપૂર્ણ પરીક્ષા રદ કરીને પુનઃ પરીક્ષા લેવાથી 'નીટ'માં ખૂબ જ પરિશ્રમ કરીને હાઈરેન્ક મેળવ્યા છે, તે વિદ્યાર્થીઓને અન્યાય થતો રોકવા માટે જયાં જ્યાં પેપરલીકની ફરિયાદો ઉઠી છે કે શંકા ઊભી થઈ છે, ત્યાંની પુનઃ પરીક્ષા લેવી અને બાકીના વિદ્યાર્થીઓની કાઉન્સીલીંગની પ્રક્રિયા આગળ વધારવી. આ બન્ને તર્કોની સામે મજબૂત દલીલો અપાઈ રહી છે. જો કે, સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે સમૂળગી પરીક્ષા રદ કરીને પુનઃ પરીક્ષા લેવાનો છેલ્લો વિકલ્પ રહેશે.
જો કે, સુપ્રિમ કોર્ટે આ સુનાવણી દરમિયાન સરકાર અને 'નીટ' ને જે રીતે વેધક સવાલો પૂછ્યા છે, અને ટકોરો કરી છે તે જોતાં સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ઘણો જ કડક અને સિમાચિન્હરૂપ ફેંસલો જ સંભળાવશે, તેમ જણાય છે.
હવે સુપ્રિમ કોર્ટે સીબીઆઈને પણ 'નીટ'ની તપાસના મુદ્દે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને સરકારને તતડાવીને 'નીટ' સંદર્ભે વિસ્તૃત જવાબ માંગ્યો છે, તથા કડક સવાલો પૂછ્યા છે, ત્યારે હવે પછીની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટ કેવો ફેંસલો આપે છે, તે જોવાનું રહે છે, જો કે, સુપ્રિમ કોર્ટે 'રેડ ફલેગ્સ'ની તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાનું જે સૂચન કર્યું છે, તે પણ ઘણું જ સૂચક છે, પરંતુ સરકાર શું કરે છે, તે પણ જોવાનું રહેશે.
સુપ્રિમ કોર્ટે પં.બંગાળ સરકારને પણ આયનો દેખાડયો છે અને અપરાધીઓને બચાવવાના પ્રયાસોને પણ કડક શબ્દોમાં વખોડી નાંખ્યા છે. હકીકતે પ.બંગાળની રાજ્ય સરકારે સ્વયં છાણે વિંછી ચડાવ્યો હોય, તેમ હાઈકોર્ટના કેટલાક એવા નિર્ણયોને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપવાની ભૂલ કરી હતી, કારણ કે પં.બંગાળ સરકારના પોતાના હાથ જ ખરડાયેલા હોવાના આક્ષેપોમાં દમ હતો અને ભેદભાવભરી નીતિરીતિ સ્વયં સ્પષ્ટ પણ જણાતી હતી.
રાશનકૌભાંડના મુદ્દે તો કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ કર્યો જ હતો, પરંતુ સંદેશખાલીમા મહિલાઓના યૌનશોષણ તથા જમીન કૌભાંડની સામે પણ સીબીઆઈ તપાસના હૂકમો કર્યા હતા, જેની સામે પં.બંગાળ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટના નિર્ણયોને રદ કરવાની માંગણી કરી હતી.
સુપ્રિમ કોર્ટે પં.બંગાળની અપીલને ફગાવી તો દીધી જ, સાથે સાથે પં.બંગાળ સરકારના પક્ષપાતી વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને પં.બંગાળ સરકાર 'કોઈને બચાવવાના પ્રયાસો શા માટે કરી રહી છે?' તેવો વેધક સવાલ કોર્ટે પૂછ્યો હતો.
'સંદેશખાલી' કેસ તરીકે ઓળખાતા આ કેસના સંદર્ભે ટીએમસી નેતા શાહજહા શેખ સામે તપાસ કરવા ગયેલા ઈડીના અધિકારીઓ પર તે સમયે ટોળાએ હુમલો કર્યા પછી જે કાંઈ થયું તે સૌ જાણે જ છે, અને આ બન્ને કિસ્સા આપણા તટસ્થ ન્યાયતંત્રના તાજા ઉદાહરણો પણ છે.
આ તરફ પાક વીમાના મુદ્દે ગુજરાત સરકારને તતડાવવા ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદની સાબરમતી નદીના પ્રદુષણના મુદ્દે સુઓમોટો સુનાવણીના મુદ્દે રાજ્ય સરકારની જે ઝાટકણી કાઢી છે, તે શાસકોને તમાચા રૂપ જ છે ને?
આ પ્રકારના કેસોના સંદર્ભે રાજનીતિ વધુ થતી હોવાથી તે વધુ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ તેની ટકાવારી દશ ટકાથી પણ ઓછી હોવાનું કહેવાય છે, પરંતુ બાકીના ૯૦ ટકા કેસોમાં પણ ન્યાયતંત્ર દ્વારા કાનૂની અને બંધારણીય ચુકાદાઓ અપાતા હોય છે, જો કે, દેશના ચીફ જસ્ટીસ સુધીના ન્યાયિવિંદેએ ન્યાયતંત્રને પણ ભ્રષ્ટાચાર ભરખી ન જાય, તે માટે વધુ સચોટ અને ફૂલપ્રૂફ વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, કારણ કે આપણા દેશમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ વધુને વધુ શક્તિશાળી થવા લાગ્યો છે ખરું ને?
'ન્યાયની દેવડીએ સર્વ સમાન' એ આપણા ન્યાયતંત્રનો મક્કમ સિદ્ધાંત છે, પરંતુ ધનાઢય લોકોની જેમ જ સામાન્ય કે ગરીબ નાગરિકોને પણ સમાન ધોરણે ખ્યાતનામ વકીલોની સેવા તથા ઝડપી પ્રક્રિયાની સિસ્ટમને વધુ મજબૂતી તેમ જ કેટલાક રિફોર્મ્સની ખાસ જરૂર છે, ન્યાયની દેવડીએ તો ભલભલાના ગુમાન ઉતરી જતા હોય છે, અને અદાલતની અટારીએ જ 'સત્ય' કસોટીમાંથી પાર ઉતરતું હોય છે, તેથી જનભાવનાઓ તથા લોકોની વિશ્વસનિયતાને ટકાવી રાખવામાં આ પ્રકારના ફેંસલા દૂરગામી અસરો કરતા હોય છે. સારી વાત છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત રાજયમાં શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના ઘણાં કામો થાય છે, તેવી જ રીતે દેશભરમાં ઠેર-ઠેર નદીઓ જ નહીં પણ ગીચ વિસ્તારો કે રેલવેલાઈનો વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકને અવરોધ ન આવે તે માટે ફલાય ઓવરબ્રિજ તથા અંડરપાસ બની રહ્યા છે. જામનગરમાં વિકટોરીયાપુલથી સાત રસ્તા સુધી ફલાઈ ઓવરબ્રિજનું કામ તબક્કાવાર ચાલી રહ્યું છે, તેવી જ રીતે રાજ્યના ઘણાં સ્થળે આ પ્રકારના પુલોની શ્રૃંખલા ઊભી કરવામાં આવી રહી છે, જેમાં ઘણી બધી તકલીફો વેઠીને પણ નગરજનો-પ્રજાજનો સહકાર પણ આપી રહ્યા છે., અને તે જ પ્રકારે સમગ્ર દેશમાં આ જ પ્રકારના કામોનું નિર્માણ થઈ રહ્યું છે.
આ કામોમાં લોટ પાણી લાકડા ન વપરાય અને પૂરેપૂરી ચકાસણી સાથે મજબૂત અને ગુણવત્તાસભર બ્રિજ, અંડરપાસ તથા ધોરીમાર્ગોનું નિર્માણાધિન કે મરામત થઈ રહી હોય કે મરામત સંપન્ન થઈ ગઈ હોય, તેવા કામોમાં ખામી રહી જાય, બ્રિજના સ્લેબ કે કોઈ ભાગ જમીનદોસ્ત થઈ જાય, તાજેતાજો ડામરરોડ ઉખડવા લાગે, નવાનકોર પુલોમાં તીરાડો પડવા લાગે કે આ પૈકીના કોઈપણ કારણે જીવલેણ દુર્ઘટના સર્જાય, તો તે માટે જવાબદાર વ્યક્તિગત રીતે, સંસ્થાકીય રીતે અને શાસકીય-પ્રશાસકીય દૃષ્ટિએ કોણ કોણ જવાબદાર ઠરશે અને તેની સામે કઈ-કઈ દંડાત્મક અને જેલસજા જેવી કાર્યવાહી થશે, તેના કાનૂની પ્રબન્ધો હોય, આ માટે જરૂર પડ્યે રાજ્ય અને કેન્દ્ર સરકારે કોઈ કડક નવો કાયદો ઘડીને પણ દેશના નાગરિકોને આ પ્રકારના જોખમો સામે રક્ષણ આપવું જોઈએ, તેવી માંગણી ઉઠી રહી છે.
જામનગરમાં પણ હમણાંથી લોકો એવી દહેશત વ્યકત કરતા સંભળાય છે કે શહેરમાંથી પસાર થતો ફલાય ઓવર બ્રીજ બની રહ્યો છે અને તબક્કાવાર કામો ચાલી રહ્યા છે, ત્યારે આ કામ ચાલી રહ્યું હોય, ત્યારે અચાનક જ કોઈ સ્લેબ ધરાશાયી તો નહીં થઈ જાય ને? કોઈ પીલોર જમીનદોસ્ત થઈ જતાં દુર્ઘટના તો નહીં સર્જાય ને?
જો કે, આ માટે જ કદાચ કેટલાક માર્ગો બંધ કરીને કામ કરાતું હશે, પરંતુ લોકોનો ભય દૂર ક રવો પણ જરૂરી છે. લોકોમાં આ પ્રકારનો ડર વ્યાપ્યો, તેનું કારણ કેટલાક પુલો જમીનદોસ્ત થવાની ઘટનાઓમાં થતો વધારો છે. હમણાંથી દેશભરમાંથી કોઈને કોઈ સ્થળેથી માર્ગો તૂટવા, પૂલો જમીનદોસ્ત થવા અને તેના કારણે ગમખ્વાર દુર્ઘટનાઓ અથવા તેવી સંભાવનાઓના અહેવાલો આવતા જ હોય છે અને તેના કારણે સ્વાભાવિક રીતે જ લોકોમાં પેનિક (ભય) ફેલાય જતો હોય છે.
બિહારમાં તો એક જ પખવાડિયામાં એક ડઝન જેટલા પુલો ધરાશાયી થયા છે, એન તેના કારણે ૧પ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આ પ્રકારે ધડાધડ... ધડાધડ... પુલો પડવા પાછળ ભુંડો ભ્રષ્ટાચાર જ જવાબદાર ગણાયને ?
બિહારમાં થયેલી પુલ દુર્ઘટનાઓ માટે ત્યાંની બદલતી રહેલી સરકારો તો જવાબદાર ગણાય, પરંતુ મુખ્યમંત્રી નિતીશકુમાર તો બધી સરકારોના વડા હતા, તેથી બિહારમાં ટપોટપ ધરાશાયી થઈ રહેલા મોટાભાગના પુલો માટે તેઓને જ જવાબદાર ન ગણવા જોઈએ?... તે પ્રકારના સવાલો ઉઠે એ પણ સ્વાભાવિક જ છે ને?
અહેવાલો મુજબ વર્ષ-ર૦૧ર થી અત્યાર સુધીમાં બિહારમાં લગભગ સવા બસો જેટલા બ્રીજ જમીનદોસ્ત થયા છે, અને તેમાં રાજ્ય સરકારો બદલતી રહી હતી, પરંતુ મુખ્યમંત્રી તો નિતીશકુમાર જ રહ્યા હોવાથી આ તમામ પુલોના નિર્માણમાં થતા ભ્રષ્ટાચાર સામે પણ નિતીશકુમારને સાંકળીને પ્રહારો થઈ રહ્યા છે, જો કે, ત્યાંના વિપક્ષી નેતાઓ આ પ્રકારનો ઉહાપોહ બહુ કરતા નથી, કારણ કે બિહારની મુખ્ય પ્રાદેશિક પાર્ટીઓ અને બન્ને રાષ્ટ્રીય પક્ષોએ પણ છેલ્લા બે દાયકાથી બિહારમાં સત્તાસુખ ભોગવ્યું છે ને ? જો કે, ધરાશાયી થયેલા કેટલાક પુલો રાજાશાહી વખતના પણ હતાં.
ગુજરાતમાં બિહારવાળી ન થવા લાગે અને ભાજપ અને ભૂપેન્દ્ર પટેલ સરકારને નિતીશકુમાર જેવી કાળી ટીલી લાગી ન જાય, તે માટે નિર્માણાધિન બ્રીજો માટે વિશેષ ચોકસાઈ રાખવા ઉપરાંત નિર્માણ થયેલા અને હાલમાં મોજૂદ જુના નવા તમામ બ્રિજો,-અંડરપાસના રખરખાવ (નિભાવ) સામે સમયાંતરે નિરીક્ષણ અને મરામત માટે કોઈ સંપૂર્ણ સરકારી મિકેનિઝમ ઊભુ કરવું જોઈએ, કારણ કે તેમાં ઈજારેદારોના ભરોસે રહેવા જેવું નથી. ગુજરાતમાં તો આ પ્રકારની દુર્ઘટના માટે ત્રણ દાયકાથી સત્તા ભોગવતી ભાજપ સરકારો જ જવાબદાર ગણાશે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અષાઢી બીજના અવસરે ગુજરાતમાં ધાર્મિક-રાજકીય પ્રવૃત્તિઓનું સંયોજન થયું છે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ઘણો જ મજબૂત થયો અને એક સદીથી વધુ જૂની કોંગ્રેસ પાર્ટીમાં ૫ુનઃ ચેતના આવી ગઈ છે. લોકસભાની ત્રણ ચૂંટણીઓ સુધીમાં કોંગ્રેસે ભરતી-ઓટની અનુભૂતિ કરી અને હવે મૂળ રાજનીતિ તથા રણનીતિ મુજબ કોંગ્રેસને પૂર્વવત દેશવ્યાપી ફલર પર ૫ુનઃ વિસ્તારવાના પ્રયાસો કોંગ્રેસની અનુભવી થિન્ક કરી રહી હોય તેમ જણાય છે. ફ્રન્ટ-ફૂટ પર રાહુલ ગાંધી મોદી સરકારને પડકાર આપે અને તેનું બેકીંગ આ અનુભવી થિન્ક રેન્ક કરતી રહે છે. હવે કોંગ્રેસે પોતાની શક્તિ પર આગળ વધીને દેશવ્યાપી જનાધાર ૫ુનઃ પ્રાપ્ત કરવાના પ્રયાસો ઉપરાંત પ્રવર્તમાન નવીનત્તમ રાજનૈતિક અને વ્યૂહાત્મક રાજનીતિ પણ પ્રારંભી દીધી હોય તેમ જણાય છે, અને ફરીથી "એકલો જાને રે..." ની રણનીતિ અપનાવી લીધી હોય તેમ જણાય છે.
એક તરફ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં ગાબડુ પાડવાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ તેલંગણામાં ૬ ધારાસભ્યો પછી હવે ૬ એમએલસી બીઆરએસ છોડીને કોંગ્રેસમાં જોડાઈ જતા પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ જબરો ઝટકો આપી દીધો છે... લોકસભા પહેલાં જ્યારે વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી ત્યારે તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ને હરાવીને કોંગ્રેસની સરકાર રચી હતી અને હવે તેલંગણાની રાજય સરકાર વધુ મજબૂત બની ગઈ છે, જેની પાછળ બેકડોરથી કોંગ્રેસની થિન્ક ટેન્ક જ કારણભૂત હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે, અને તેમાં તથ્ય પણ જણાય છે.
રાહુલ ગાંધીની હાથરસની દુર્ઘટનાના પિડીતોને મળ્યા પછી હવે ગુજરાતમાં ટીઆરપી ગેમઝોનના પિડીતોને મળવાની છે જે વ્યવસ્થા ગોઠવાઈ, તેમાં પણ કોંગ્રેસની અનુભવી થિન્ક ટેન્કની જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાથી તેના પર હવે ભાજપ પણ ગંભીરતાથી બાજ નજર રાખી રહ્યાં હોય તેમ જણાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે, ભાજપના ગુંડાઓએ અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર હૂમલો કર્યો, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બનીને રક્ષણ કર્યુ. બીજી તરફ રાજ્યભરમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ તેમના સંસદમાં કરેલા હિન્દુ વિરોધી નિવેદન પ્રત્યે રાજ્યમાં પ્રચંડ આક્રોશ હોવાનો પ્રતિઆક્ષેપ કરીને ભાજપ ઉપરાંત પીએચપી, બજરંગદળ વિગેરે સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં હોવાથી પોલીસતંત્ર માટે પણ રાહુલ ગાંધીની સંભવિત મુલાકાત સમયે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનું પહેલેથી જ પડકારજનક જણાયું હતું, અને તે મુજબની પૂર્વ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી જ હશે.
તાજેતરમાં કેટલીક ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ સામે પણ કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે, અને કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કેટલીક ખાનગી કંપનીઓએ ટેરિફ રેઈટમાં વધારો કર્યો તેની ટીકા કરી છે, જ્યારે ભૂતકાળમાં સેઝ માટે અપાયેલી ગૌચરની જમીનને પરત આપવા થયેલા અદાલતી આદેશને સાંકળીને પણ વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.
કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન લોકોને પરત કરવાનો હાઈકોર્ટનો આદેશ અને તેમના સૂચિતાર્થોએ પણ રાજકારણમાં હલચલ મચાવી દીધી છે, અને ગૌચરની જમીન પર સરકાર નહીં, પણ લોકોનો અધિકાર છે, તેવું ન્યાયની દેવડીએથી પ્રસ્થાપિત થયા પછી તેની દુરોગામી અસરો પડવાની છે, જો કે, અદાલતના આદેશને અનુરૂપ હાલમાં તો ર૩૧ એકર જમીન 'સેઝ' પાસેથી પરત લેવાનો ઠરાવ પણ રાજય સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો છે. પરંતુ આ જ પ્રકારે અન્યત્ર જો ગૌચરની જમીનો આપી દેવાઈ હશે, તો તે પણ તબક્કાવાર પરત આપવી પડી શકે છે, ખરૃં કે નહીં...?
યોગાનુયોગ દેશના ગૃહમંત્રી ૫ણ આજે ગુજરાતના પ્રવાસે છે અને આજે દિવસભર તેના સહકાર ક્ષેત્રના કાર્યક્રમો યોજવાના છે. આવતીકાલે મંગલ પ્રભાતે તેઓ ભગવાન જગન્નાથજીની મંગલા આરતીમાં જોડાશે, તે પછી આવતીકાલે સવારે અમદાવાદમાં પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર ફરશે.
પરંપરાગત રીતે આ તમામ પ્રક્રિયાઓ થશે અને તે પહેલાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ભગવાન જગન્નાથના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે, ત્યારે એક તરફ રાજ્યમાં જય જગન્નાથના જયઘોષ સાથે અષાઢી બીજના અવસર ભક્તિભાવ બન્યો છે, તો બીજી તરફ વિવિધ રાજકીય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે, ત્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર ગુજરાત રાજ્ય પર ઉતરે, વર્ષ સારૃં જાય, વરસાદ અને પાક-પાણી સારા થાય અને રાજ્યમં સુખ-શાંતિ અને સમન્વય જળવાય રહે, તેવી પ્રાર્થનાઓ પણ ઉભયપક્ષે કરવામાં આવી રહી છે અને તમામ દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, તેવી ભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
આવતીકાલે જગન્નાથપુરી અને અમદાવાદની મુખ્ય રથયાત્રાઓ ઉપરાંત હાલાર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશભરમાં ઠેર-ઠેર રથયાત્રાઓ, શોભાયાત્રાઓ નીકળશે, તેના સંદર્ભે આજથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે નોબત પરિવાર અને માધવાણી પરિવાર સૌ કોઈને અષાઢી બીજની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ટી-ર૦ વર્લ્ડકપમાં વિજય મેળવીને સ્વદેશ પરત આવેલી ટીમ ઈન્ડિયાનું ગઈકાલે જે રીતે મુંબઈમાં સ્વાગત થયું અને રોડ-શોમાં લાખો લોકો ઉમટ્યા, તેમાં આપણાં દેશવાસીઓનો ક્રિકેટ પ્રેમ તો દેખાય જ છે, પરંતુ સાથે સાથે દેશપ્રેમ પણ પ્રગટ થાય છે. આપણાં દેશનું દુનિયાભરમાં ગૌરવ વધે તેથી દેશવાસીઓની છાતી ગજ ગજ ફૂલતી હોય છે. આ જ રીતે દેશની ગરિમાને લાંછન લાગે કે દેશ વિરોધી કોઈ પણ હરકત વિદેશની ધરતી પર કે દેશમાં થાય, તો તેવી માનસિકતાને પણ દેશવાસીઓ સ્વીકારતા હોતા નથી, જેના ઘણાં દૃષ્ટાંતો મળી રહે છે.
ભારતીયતા અને માનવતાના સંયોજન સમી આપણી સંસ્કૃતિ અને ઉમદા સંસ્કારોનો પ્રવાહ એટલો બધો અસરકારક હોય છે કે વિદેશની ધરતી પર પેઢીઓથી સ્થાયી થયેલા મૂળ ભારતીય પરિવારોમાં પણ તે પનાપતો રહેતો હોય છે. અને તેથી જ ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની પાર્ટી હારી રહી હોવાના સંકેતો મળતા પરિણામો આવતા પહેલાં જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની પેશકશ કરી દીધી હોવાના અહેવાલો વહેલી સવારથી જ આવવા લાગ્યા છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારનું નેતૃત્વ ઋષિ સુનક કરી રહ્યા હતા, અને સામાન્ય યુનાઈટેડ કિંગ્ડમની સામાન્ય ચૂંટણીઓમાં પરાજયના તારણો નીકળતા સુનકે કરેલી પેશકશને મૂળભૂળ લોકતાંત્રિક સંસ્કારો સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. લેબર પાર્ટીને પ્રચંડ બહુમત મળી રહ્યો છે, તે ઘણાં જ સૂચક છે.
હવે લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે, અને ૬પ૦ માંથી ૪૦૦ થી વધુ બેઠકો મેળવાના અણસાર બતાવાઈ રહ્યા હોવાથી એમ કહી શકાય કે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ પારનો નારો લગાવ્યા છતાં સત્તાધારી પક્ષ પોતાના બળે બહુમતી મેળવી શકયો નહીં, અને પ્રિ-પોલ એલાયન્સના આધારે એનડીએને બહુમતી મળતા સત્તા માંડ માંડ જાળવી શકાઈ, જ્યારે બ્રિટનમાં લોકતાંત્રિક ઢબે થયેલા પ્રચાર પછી પણ ત્યાંના વિપક્ષને ૪૦૦ થી વધુ બેઠકો મળવા જઈ રહી હોવાના અહેવાલો છે.
જો કે, ભારતીય મૂળના ઋષિ સુનક પોતે વ્યક્તિગત રીતે પણ ઘણાં જ 'લોકતાંત્રિક' છે અને પૂરેપૂરા પરિણામો આવતા પહેલાં જ રાજીનામાની પેશકશ કરીને તેઓ હારીને પણ જીતી ગયા છે, સુનકે જે સ્થિતિમાં શાસનધૂરા સંભાળી હતી, તે વિકટ સ્થિતિ તો પસાર થઈ ગઈ, પરંતુ તેમને કદાચ એનડી -ઈન્કમ્બન્સી મોંઘવારી અને કેટલીક આંતરિક ગડમથલો નડી ગઈ હશે. આમ પણ બ્રિટનના ઈતિહાસમાં દાયકાઓ સુધી એક જ પાર્ટીનું અખંડ શાસન રહ્યું નથી અને કમાનુસાર બદલાવ થતાં રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ઈન્ગલેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડનો સમાવેશ થાય છે. જેમાં ૬પ૦ બેઠકો છે.
સુનક ભારતીય મૂળના હોવાથી આપણે તેના પરાજયનું દુઃખ થાય અને ભારત-બ્રિટન વચ્ચે અત્યારે ચાલી રહેલ કેટલાક વાટાઘાટો તથા મૂકત વ્યાપાર સમજૂતિઓ પર અસર થશે, તેવી સંભાવના પણ રહે છે, પરંતુ સૂચિત વડાપ્રધાન કીર સ્ટાર્મરની નીતિઓ કેવી હશે અને તેની પાર્ટી પણ ભારત સાથેના સંબંધો વિષે કેવું વલણ દાખવે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.
મતદાન પૂરૂ થયા પછી અને એકઝીટ પોલ્સ જેવી બ્રિટનની સિસ્ટમ અનુસાર જ જ્યારે લેબરપાર્ટીની પ્રચંડ જીત થઈ હોવાના તારણો નીકળ્યા, ત્યારે મતગણતરીના પૂરેપૂરા પરિણામો આવતા પહેલાં જ સત્તા છોડવાની તૈયારે બતાવવી. એ બ્રિટનની પૂખ્ત લોકશાહીનું પ્રત્યક્ષ પ્રમાણ ગણાવાઈ રહ્યું છે, અને ત્યાં ગમે તેમ કરીને સત્તા પર ચીપ્કી રહેવાના પ્રયાસો કન્ઝર્વેટિવ પાર્ટી કે વડાપ્રધાન ઋષિ સૂનકે કર્યા નથી, તેની નોંધ પણ દુનિયાના દેશોએ લીધી જ હશે.. ખરું ને?
ભારતને બે સદી સુધી ગુલામીમાં રાખનાર યુનાઈટેડ કિંગ્ડમમાં ઔપચારિક રીતે રાજાશાહી અને ત્યાં પ્રિન્સ ચાર્લ્સ કીંગ (રાજા) હોવા છતાં ત્યાં લોકતંત્ર જે રીતે પનપી રહ્યું છે, અને બ્રિટનની રાજનીતિમાં પણ મૂળ ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે, તેની પ્રતિતી પણ આ ચૂંટણીઓ દરમિયાન થઈ રહી છે અને નવા વડાપ્રધાન પણ ભારતીયો તથા ભારત પ્રત્યેની નવી નીતિ ચાલુ રાખીને મિત્રતાપૂર્ણ વલણ જ દાખવશે, તેવી આશા સેવાઈ રહી છે.
બ્રિટનમાં થયેલું સત્તાપરિવર્તન વિશ્વની પ્રવર્તમાન રાજનીતિ પર બહુ મોટી અસર નહીં કરે, કારણ કે યુનાઈટેડ કિંગ્ડમ યુરોપીયન સંઘ સાથે જોડાયેલું છે અને યુનાઈટેડ કિંગ્ડમની વિદેશનીતિમાં સત્તાપરિવર્તન થવાની સાથે બહુ બદલાવ આવતો હોતો નથી, તેમ છતાં કેટલાક નવા કરારોની દિશામાં પ્રગતિ તથા જુના કરારોની પૂનર્વિચારણા જેવા મુદ્દાઓ અત્યારે ત્યાંની રાજનીતિમાં ચર્ચામાં છે.
જો કે, આ સત્તા પરિવર્તન થાય તો તે પછી કન્ઝર્વેટિવ પાર્ટીની વિચારધારા લાગુ થઈ જવાની વૈશ્વિક વ્યવહારો તથા રણનીતિ પણ બદલાઈ જશે, તેવું માનનારા વિશ્લેષકોનો એક વર્ગ છે, અને આ વર્ગ પણ ભારત સાથેના બ્રિટનના સંબંધોના કોઈ મોટો બદલાવ થવાની શકયતા ઓછી હોવાના અભિપ્રાય વ્યકત કરી રહ્યો છે ત્યારે હવે પૂરા પરિણામો આવ્યા પછી અને નવી સરકાર રચાયા પછી શું થાય છે, તે જોઈએ... જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

છોટીકાશી જામનગરમાં રોગચાળાએ દસ્તક દીધી અને કોલેરાના પાંચ-છ કેસ નોંધાયા તે પછી મનપા અને સરકારી તંત્રો સામે જનાક્રોશ છે. ચોમાસું શરૂ થયું અને ચોતરફ વરસાદ પડતો હતો, પરંતુ જામનગરમાં ઝરમર છાંટાછુટી કે ઝાપટું જ પડતું હતું અને મેઘાવી માહોલ જામ્યા પછી પણ વરસાદ પડતો ન હોતો, ત્યાં સુધી વરસાદમાં થતા વિલંબની ચર્ચા 'ટોક ઓફ ધ ટાઉન' બની રહી હતી, અને જ્યારે તે પછી એકાદ-બે દિવસમાં વરસાદ પડવાનો શરૂ થયો, ત્યારે હવે નગરમાં કાદવ-કીચડ, રોગજન્ય ગંદકી, જલભરાવ કે પાણીનું વહેણ અટકી પડે, તેવી અડચણો ઊભી થઈ હોવાની ફરિયાદો ઊઠી રહી છે. હજુ તો વરસાદ મન મૂકીને થયો પણ નથી, ત્યાં જ જે ફરિયાદો ઉઠી રહી છે, તેમાંથી અનેક આશંકાઓ અને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, અને હવે રોગચાળાએ દસ્તક દીધા પછી તકલાદી તંત્રો હડિયાપટ્ટી કરવા લાગ્યા છે. નગરમાં કેટલાક વિસ્તારોમાં જલભરાવ થતાં નાળું તોડવું પડ્યું હોય કે પાણીનો પ્રવાહ અટકાવતી અડચણો હટાવવી પડી હોય, તે પ્રકારની કાર્યવાહી આગ લાગે ત્યારે પાણી માટે કૂવો ખોદવા જેવી તો ગણાય જ, સાથે સાથે તંત્રોની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. રવિપાર્ક જેવા નગરના કેટલાક વિસ્તારોમાં કાદવ-કીચડના મુદ્દે 'નોબત' દ્વારા ધ્યાન ખેંચ્યા પછી પણ તંત્રો નિંભર રહ્યા છે.
જામનગરમાં તો હવે મહાનગરપાલિકાના તંત્રો સામે એટલી બધી ફરિર્યાદીઓ ઉઠવા લાગી છે કે તેના ફોલો-અપ માટે પણ ફરિયાદીઓને હડિયાપટ્ટી કરવી પડી રહી છે અને અખબારો, મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વિવિધ પ્રકારની ફરિયાદો અને રજુઆતોનું જાણે પૂર આવી રહ્યું હોય, તેમ જણાય છે, છતાંયે તકલાદી તંત્રોની તિક્કડમ બાજી પણ નવા નવા રેકોર્ડ ઊભા કરીને નિંભરતામાં ચેમ્પિયન બનવું હોય, તેમ દિવસે દિવસે વધી રહી છે. સમગ્ર મનપાનો વહીવટ કથળી ગયો હોવા છતાં શાસકો પણ સૂસ્ત છે, તે નવાઈ પમાડે તેવું નથી લાગતું?
મનપાની જૂની ઈમારત હજુ મોજુદ હોવાથી અદ્યતન મનપાનો 'વહીવટ' પણ ખોડંગાઈ રહ્યો છે અને કેટલાક ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ ખામીઓ ધરાવતા નિર્ણયો લેવાયા પછી તે પાછા ખેંચવા પડી રહ્યા છે, ત્યારે કેટલાક કદમ પક્ષપાતપૂર્ણ કે ભેદભાવ રાખીને ઉઠાવાઈ રહ્યા હોવાની રાવ પણ ઉઠી રહી છે, અને કટાક્ષમય આક્ષેપો પણ થઈ રહ્યા છે, કે મનપાના જૂના સંકુલની જેમ તેનો વહીવટ પણ જર્જરિત થઈ ગયો છે!
તાજેતરમાં સંખ્યાબંધ કેડર હોવા છતાં માત્ર પાંચ-સાત કેડર ધરાવતી જગ્યાઓ માટે જ પગાર વધારો કરાયો હોવાની રાવ ઉઠી હતી, તો એક કોમન સેન્સ ધરાવતી વ્યક્તિ કયારેય ભૂલ ન કરે, તેવી ભૂલ ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓ કરી બેઠા અને પછી રોલબેક એટલે કે પીછેહઠ કરવી પડે, તે મુદ્દો પણ નોકરિયાતવર્ગમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પહેલા નોકરીઓની જાહેરાતો કરવી અને ભરતી માટે અરજીઓ મંગાવવી અને પછી તેને અચાનક રદ કરવી, તે તો શંકાસ્પદ જ ગણાય, પરંતુ તેની પાછળના જે કારણો બહાર આવ્યા, તે તો વધુ ચોંકાવનારા અને ગળે જ ન ઉતરે તેવા છે. હેરત પમાડે તેવા છે!
એવા અહેવાલો આવ્યાકે એન્જિનિયર અને કલેરિકલ કક્ષાની લગભગ ૧૪૦ જેટલી જગ્યાઓ માટે પહેલા ભરતી કાર્યક્રમ જાહેર કરાયો હતો, પરંતુ તેનો ટેકનિકલ કારણોસર રદ કરાયો હોવાનું જણાવી સંખ્યાબંધ રોજગારવાંચ્છુઓને નિરાશ કરી દીધા તે પછી એવું પણ જાહેર થયું કે આ ભરતી પ્રક્રિયા રદ કરવી પડી તેની પાછળ મુખ્ય બે કારણો છે. એક તો આ સંદર્ભે એક કેસ સબ-જયુડીસ છે અને બીજું એ કે આ સંદર્ભે એક ઈન્કવાયરી બાકી છે!!
આ મુદ્દે ઉંડા ઉતરતા જાણવા મળ્યું કે ઈન્ડસ્ટ્રિયલ એકટ હેઠળ કર્મચારી યુનિયને ઉઠાવેલા વાંધા-તકરારનો નિવેડો લાવવાનો બાકી હોવાથી આ ભરતી પ્રક્રિયા આડે અડચણ ઊભી થઈ છે. તો આ મુદ્દે બીજું મજબૂત કારણ એ પણ બહાર આવ્યું કે વર્ષ-ર૦૧પ માં સેટ-અપમાં જે સુધારો કરાયો હતો, તેના સંદર્ભે કોર્ટમાં મેટર પેન્ડીંગ હોવાથી પણ આ ભરતી પ્રક્રિયા રદ કરી નાંખવી પડી છે, છેને લોલંલોલ અને પોલંપોલ?
અહીં એ સવાલ ઉભો થાય કે આઈએએસ કેડરના મ્યુનિસિપલ કમિશનર તથા વર્ગ-૧ અને વર્ગ-ર કક્ષાના સંબંધિત અધિકારીઓને ભરતી પ્રક્રિયા જાહેર કરતા પહેલા આ બન્ને બાબતોની શું ખબર જ નહોતી?
જો આ અંગે પાછળથી ખબર પડી હોય કે કોઈએ ધ્યાને દોર્યું હોય, અને ભરતી પ્રક્રિયા રદ કરાઈ હોય, તો તે શાસકો અને પ્રશાસકો માટે ખૂબ જ શરમજનક કહેવાય અને આને ગંભીર પ્રકારની લાપરવાહી નહીં પણ લાલિયાવાડી જ કહેવાય, અને જો પહેલા આ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં કે જાહેર થયા પછી તેને રદ કરવામાં જો કોઈ 'દબાણ' હોય કે પછી સ્થાપિત હિતોનો હસ્તક્ષેપ હોય, તો એક પ્રકારનું અક્ષમ્ય કૌભાંડ જ કહેવાય અને નગરજનો તથા ખાસ કરીને નોકરીવાંચ્છુઓ સાથેની છેતરપિંડી જ ગણાય, ખરું કે નહીં?
નગરમાં મનપા સંચાલિત ત્રણ અર્બન હેલ્થ સેન્ટરો હેઠળ આવતા વિસ્તારોને કોલેરા ભયમૂકત જાહેર કરાયા પછી પણ યથાવત રહેલ સ્થિતિની ટીકા થઈ રહી છે. ધરારનગર-ર, રવિપાર્ક ટાઉનશીપ, ખોજાવાડ, લાલાખાણ, બેડીબંદર રીંગ રોડ વગેરે વિસ્તારો તથા આજુબાજુના બે કિલોમીટરના એરિયાને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરીને ડેપ્યુટી કમિશનરને 'કોલેરા નિયંત્રણ અધિકારી'ની જવાબદારી સોંપી દેવાઈ, પરંતુ જમીન પર હકીકતે કોલેરા નિયંત્રણ તો ઠીક, પ્રારંભિક કામગીરી પણ થઈ રહી જણાતી નથી.
મ્યુનિ. કમિશનરે જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, અન્ય ઉચ્ચ તબીબી અધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી પરંતુ મનપા હેઠળના આરોગ્યતંત્રને સંભવિત તમામ વિસ્તારો સુધી દોડતું કર્યું હોય તેમ જણાતું નથી.
'નોબત' ના માધ્યમથી જ્યારે નગરના કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય હટાવવા અને કલોરિનેશન, કાદવ-કીચડની સફાઈ, દવા છંટકાવ વગેરેની જરૂર જણાવાઈ હતી, તેની કોઈ ગંભીર નોંધ પણ લેવાઈ નહીં અને હવે 'ભયગ્રસ્ત' જાહેર કરવાની કાગજી કાર્યવાહી થઈ રહી છે, પરંતુ સમય આવ્યે આ નગરજનો જ પોતાના લોકતાંત્રિક અધિકારોનો પ્રયોગ કરશે, તે ભુલવું ન જોઈએ એવી આશંકાઓ પણ ઉઠી રહી છે કે ચૂંટણીમાં (મનપાની) જે વિસ્તારોમાં ઓછું સમર્થન મળ્યું હોય, તેની સાથે ભેદભાવો તો રખાઈ રહ્યો નથી ને? બદલાની ભાવનાથી તો 'વહીવટ' નથી ચાલી રહ્યોને ?... એવું ન હોય તેવું ઈચ્છીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણે પરિવારમાં કોઈ નાનો પ્રસંગ મંગલ હોય, વસ્તુ, યજ્ઞ કે કથા-પૂજાનું આયોજન કરવું હોય કે ભૂમિપૂજન-ઉદ્દઘાટન જેવા પ્રાસંગિક આયોજનો હોય, તો ઘણાં દિવસો સુધી તેની પૂર્વ-તૈયારીઓ કરતા હોઈએ છીએ અને મહેમાનો સહિત પરિવારજનોના ભોજન-નિવાસ અને ઋતુને અનુરૂપ અન્ય પૂરક વ્યવસ્થાઓ પણ કરતા હોઈએ છીએ., પરંતુ જ્યારે કોઈ સ્થળે હજારો-લાખો લોકો એકત્ર થતા હોય, ત્યાં યોગ્ય આયોજનના અભાવે સંખ્યાબંધના લોકોના મૃત્યુ થાય, ત્યારે જવાબદારી કોની? તેવા પ્રશ્નો દરેક સમયે ઉઠતા હોય છે, અને આવી કરૂણાંતિકાઓ સર્જાયા પછી કેટલાક સમય સુધી તેના પર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ સમય જતાં બધું ભુલાઈ જાય, અને ફરીથી આવી ઘટના બને ત્યારે તેના પડઘા સડકથી સંસદ સુધી પડતા હોય છે, તેવું જ કાંઈક ગઈકાલે સંસદની ચાલુ કાર્યવાહી દરમિયાન પડઘાયું હતું.
બન્યુ હતું એવું કે સંસદનું સત્ર શરૂ થયા પછી બંધારણીય પ્રક્રિયા અનુસાર તેની કાર્યવાહી શરૂ થઈ, અને સંસદના બન્ને ગૃહોને રાષ્ટ્રપતિ મહોદયાએ કરેલા સંબોધન બદલ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા હતા તે દરમિયાન પોતાના ભાષણની અધવચ્ચે તેઓએ ગૃહને અને દેશને ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી કરૂણ ઘટના અને તેમાં થયેલા સંખ્યાબંધ મૃત્યુની જાણ કરી તથા સાથે સાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, ઈજાગ્રસ્તોને યુ.પી. સરકાર તરફથી કરાઈ રહેલી મદદ તથા ઉચિત કાર્યવાહીની પણ જાણ કરી,
બીજી તરફ હાથરસમાં યોજાયેલા એક સત્સંગના કાર્યક્રમમાં થયેલી ભાગદોડના કારણે ઈજાગ્રસ્તો-મૃતકોના આંકડો વધતો જ રહ્યો છે, અને ઉત્તરપ્રદેશ, સરકારના બે મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તત્કાળ દોડી ગયા હોવાના અહેવાલો પછી દેશભરમાં હાહાકાર મચી ગયો અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પડઘા સડકથી સંસદ સુધી પડ્યા છે. આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા પછી આ ઘટના અંગે તપાસ-કડક કાર્યવાહી અંગે સમીક્ષાઓ થશે, પરંતુ એફઆઈઆર ફાડયા પછી હવે તંત્ર કેવા, કેટલા અને કયારે કડક કદમ ઉઠાવે છે, તે જોવું રહ્યું.
સંસદના બન્ને ગૃહોમાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે તનાતની ચાલી રહી હતી, તેમાં લોકસભાનું સત્ર ગઈકાલે અનિશ્ચિત સમય માટે એટલે કે નવું સત્ર બોલાવાય ત્યાં સુધી સ્થગિત થઈ ગયું, પરંતુ તે દરમિયાન નવા નવા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પરમ દિવસે લોકસભામાં કેટલા ભાષણ અને તે પછી તમામ પક્ષોના નેતાઓના પ્રવચનોનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષોના સુત્રોચ્ચાર વચ્ચે ગઈકાલે પોતાની આગવી શૈલીમાં આપ્યો. રાહુલ ગાંધીના કેટલાક નિવેદનો સંસદની કાર્યવાહીના રેકોર્ડમાંથી તો દૂર કરી દેવાયા, પરંતુ તેમના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનો થઈ રહ્યા છે, તેથી રાહુલ ગાંધીના કેટલાક વિવાદાસ્પદ શબ્દપ્રયોગો પછી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના આપેલા જુસ્સેદાર જવાબની ચર્ચા પણ આજે ટોક ઓફ ધ નેશન બની ગઈ છે, પરંતુ હાથરસની ઘટના પછી સરકાર સામે એક નવો જ પડકાર પણ ઊભો થયો છે.
આજે પણ બપોરે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા નિવેદનને દોહરાવવા ઉપરાંત જે કાંઈ કહ્યું હોય અને તેના દેશવ્યાપી કેવા પડઘા પડે છે, તે અંગે પણ અલગથી ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ગુજરાત સહિત દેશમાં ભાગદોડના કારણે ભૂતકાળમાં બનેલા બનાવો અને તે પછી થયેલી કાર્યવાહીઓ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે, અને આ મુદ્દે રાજકીય પક્ષો એક-બીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવા લાગશે. પરંતુ હકીકતે આ પ્રકારના કોઈપણ કાર્યક્રમોમાં સ્થાનિક તંત્રોએ પણ આયોજકોને મંજુરી આપતા પહેલા અને પછી અપેક્ષિત સંખ્યા અને તેના સંદર્ભે ઋતુ તથા સંજોગો મુજબ કરાયેલ વ્યવસ્થાઓમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે ચોક્કસાઈ કરવી જોઈએ, અને આવી ઘટના બને, અને તેમાં જો વ્યવસ્થા લોકોની સુરક્ષાના પ્રબંધોની દૃષ્ટિએ કોઈ ખામી તપાસ દરમિયાન જણાય, તો મંજુરી આપનાર સંબંધિત સાઈનીંગ ઓથોરિટી (સહી કરનાર અધિકારી) તથા તેના ઈનિશ્યલ ઓફિસર્સ એટલે ટેબલ સંભાળતા જવાબદાર અધિકારી સામે પણ કડક કદમ ઉઠાવવા જોઈએ, તપાસ પછી દોષિત જણાય, ત્યાં સુધી સસ્પેન્ડ અને અંતે ડીસમીસ કરવા સુધીના પગલાં લેવા ઉપરાંત સંખ્યાબંધ જીવો ગયા હોવાથી સંબંધ અધિકારીઓ સામે કડક કદમ ઉઠાવવા જોઈએ તથા સામૂહિક હત્યાની કલમો લગાડીને ક્રિમીનલ કેસ કરીને જેલભેગા કરવા જોઈએ, તેમ નથી લાગતું?
દેશની રાજધાની હોય કે દેશનું કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, બધે જ રાજકોટ ટીઆરપી ગેમઝોન ફેઈમ ભ્રષ્ટાચારી ભોરીંગો સર્વવ્યાપી છે, અને ભ્રષ્ટાચારના મૂળીયા 'ટોપ ટુ બોટમ' ફેલાયેલા છે, ત્યારે હવે આ પ્રકારના ભ્રષ્ટાચારને ભેદવા સ્વયં લોકોએ જ જાગૃત થવું પડશે. ગઈકાલે જે રીતે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના દોષિત સાગઠિયાને ત્યાંથી કૂબેરનો ખજાનો ઝડપાયો, તે જોતા અધિકારી-કર્મચારીઓની કેડર (વર્ગ ૧ થી ૪, સનદી કે અન્ય કોઈપણ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સંવર્ગ) જોયા વિના તપાસ કરીને તેઓને નશ્યત કરવી જોઈએ, તેમ નથી લાગતુ? ગઈકાલે સાગઠિયાને જેલમાં મળવા કયા પક્ષના કયા નેતાઓ ગયા હતા, તેની બ્રેકીંગ સ્ટોરી પણ આજે ચર્ચામાં છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે લીડર ઓફ ઓપોઝીશન એટલે કે એલઓપી તરીકે કોંગી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું અને એવી સટાસટી બોલાવી કે ઈન્ડિયા ગઠબંધન ગેલમાં આવી ગયું, તો એનડીએના નેતાઓ તમતમી ઊઠ્યા. તેમણે તેઓ ગુજરાતમાં પણ ભાજપને હરાવવા જઈ રહ્યા છે, તેવી ભવિષ્યવાણી પણ કરી અને સમગ્ર પ્રવચન દરમિયાન ફૂલ કોન્ફીડન્સ તથા જુસ્સામાં જણાયા... તે પછી છેક મધ્યરાત્રિ સુધી ચાલેલી લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહમાં એક્તા દર્શાવી અને મોદી સરકાર પર એવા તીખા-તમતમતા પ્રહારો કર્યા કે ટ્રેઝરી બેન્ચ હચમચી ગઈ. લાંબા સમયે સંસદમાં મોદી સરકાર બેકફૂટ પર હોય, તેવા દૃશ્યો સર્જાયા.
રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જે પ્રથમ પ્રવચન આપ્યું, તેનું જ વિશ્લેષણ ચોતરફ થઈ રહ્યું છે. તેમણે જે રીતે સીધેસીધા વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ અને આરએસએસ-બીજેપીને સાંકળીને શાબ્દિક પ્રહારો કર્યા, તેની કલ્પના કદાચ વિપક્ષી નેતાઓએ પણ નહીં કરી હોય, જો કે કેટલાક મુદ્દે તેમની રજૂઆત સામે ખુદ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી શિવરાજસિંહ, રક્ષામંત્રી રાજનાથસિંહ તથા સંસદીય મંત્રી રિજિજુ સહિતના મંત્રીઓએ 'કરેક્શન' કરવા ઊભું થવું પડ્યું, તો એનડીએના કેટલાક સાંસદોએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊઠાવ્યા, જેથી કેટલાક મુદ્દે તથ્યાત્મક અજ્ઞાનતા પણ દેખાઈ, પરંતુ પહેલા જ પ્રવચનમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો, તેને કોંગ્રેસ અને વિપક્ષો રાહુલ ગાંધીની રાજકીય સિદ્ધિ તથા આક્રમક ઓપનીંગ બેટીંગ ગણાવીને ગૌરવ લઈ રહ્યા છે!
ટૂંકમાં એવું કહી શકાય ખરૃં કે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 'મોદી સામે કોણ'ની વિટંબણા ખતમ થઈ ગઈ છે, અને હવે મોદી સામે રાહુલ ગાંધીને વડાપ્રધાનપદના ચહેરા તરીકે રજૂ કરી શકાય તેવી સંભાવનાઓ વધી રહી છે?
જો કે, રાહુલ ગાંધીએ ગઈકાલે પોતાના ભાષણમાં ''પોતાને હિન્દુ કહેનારા હિંસક હોય છે,'' તેવું નિવેદન કરીને સેઈફ ગોલ કરી લીધો હતો, જેની સામે દેશભરમાં મીડિયા, સોશિયલ મીડિયા અને અખબારોમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયામાં તેમનો ટ્રોલ થઈ રહ્યા છે. આવું કરીને તેમણે એલઓપી તરીકે અપરિપક્વતાના દર્શન કરાવ્યા છે.
જોકે રાહુલ ગાંધીએ પછીથી ચોખવટ કરી હતી કે તેમણે સંઘ અને બીજેપી માટે આ શબ્દો વાપર્યા હતાં, પરંતુ તેમનું નિવેદન આજે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યું છે અને ટોક ઓફ ધ નેશન બન્યો છે.
સંસદમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડે, હોદ્દાને અનુરૃપ વર્તવું અને બોલવું પડે અને જે કાંઈ બોલવામાં આવે, તે પૂરવાર કરવા જરૃરી પ્રમાણો આપવા પડે, તે અંગે થોડી પરિપકવતા આવી જાય, પછી રાહુલ ગાંધી હકીકતે ભાવિ વડાપ્રધાન બની શકે તેવી ક્ષમતા પ્રાપ્ત કરી લેશે, તેવું ઈન્ડિયા ગઠબંધનની થિન્ક ટેન્ક માને છે. બસ, બોલવામાં થોડું સંભાળવું પડશે, અન્યથા ગઈકાલે જે વિવાદ થયો અને સમગ્ર હિન્દુ સમાજના અપમાનનો આક્ષેપ થયો, તેવો કોઈ એકાદ મુદ્દો પણ સેઈફ ગોલ બનીને મોટું રાજકીય નુક્સાન પહોંચાડી શકે છે. સંસદમાં લીડર ઓફ ઓપોઝિશન તરીકેની ગંભીરતા, સચોટતા અને નિયમબદ્ધતા પણ કેળવવી પડશે, જો કે એલઓપી (લીડર ઓફ ઓપોઝિશન) તરીકે તેમનું લોકસભામાં આ પહેલું જ પ્રવચન હતું અને તેમાં જ તેમણે શાસક પક્ષને ટોપ ટુ બોટમ હચમચાવી દીધો, તેમાં કોઈ સંદેહ નથી અને થોડી પરિપકવતા પછી રાહુલ ગાંધીની મજાક ઉડાવતા રહેતા કેટલાક ઘમંડી નેતાઓ પણ તેમને ગંભીરતાથી લેતા થઈ જશે, ખરૃં ને?
રાહુલ ગાંધી પછી શાસક પક્ષ અને વિપક્ષના ઘણાંબધા નેતાઓ સંસદમાં બોલ્યા અને સરકારની ખૂબીઓ અને સિદ્ધિઓ તથા ખામીઓ અને નિષ્ફળતાના વિવરણો ગૂંજતા રહ્યા, પરંતુ કેટલાક પીઢ અને અનુભવી નેતાઓએ સંસદની ગરિમાને શોભે તેવી રીતે સચોટ, તથ્યાત્મક અને ઉપયોગી હકીકતો પણ રજૂ કરી.
કોંગી નેતા મનિષ તિવારીએ કહ્યું કે, મોદી સરકારે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટમાં સુધારા-વધારા કરીને તેને અમલમાં તો મૂકી દીધા, પરંતુ હવે જુના કાયદાઓ તથા નવા કાયદાઓનું મિશ્રણ ન્યાયિક પ્રક્રિયામાં અડચણો અને દ્વિધા ઊભી કરવાનું છે, કારણ કે અદાલતોમાં પેન્ડીંગ લાખો ક્રિમિનલ કેસો જુના કાયદા મુજબ ચાલશે, અને પહેલી જુલાઈ-ર૦ર૪ કે તે પછી નોંધાયેલા કેસો નવા ક્રિમિનલ કાયદાઓ મુજબ ચાલશે. આ કારણે જ્યુડિશ્યરી અને વકીલો જ નહીં, પરંતુ પક્ષકારો, સાક્ષ્યો અને સરકારી તંત્રો પણ ગુંચવણમાં પડી જશે.
તૃણમુલ કોંગ્રેસની મહિલા નેતા મહુઆ મોઈત્રાએ કહ્યું કે, 'મને ગૃહમાં બોલવા ન દીધી, પરંતુ મને બેસાડી દેવાના ચક્કરમાં ભાજપના ૬૩ સાંસદોને ઘેર બેસી જવું પડ્યું અને તેઓ ૩૦૩ થી ર૪૦ પર આવી ગયા!'
વિપક્ષના કેટલાક સાંસદોએ 'નીટ'ના મુદ્દે સરકારની આલોચના કરી, તો કેટલાકે અગ્નિવીર, મોંઘવારી, પેપરલીક, અર્થનીતિ, બેરોજગારી જેવા મુદ્દા ઊઠાવ્યા, કેટલાક સાંસદોએ આંકડાકીય વિગતો સહિત જનહિતના મુદ્દાઓ ઊઠાવી સરકારની નિષ્ફળતાઓ વર્ણવી, પરંતુ મોટાભાગની ચર્ચા પોલિટિકલ તથા ભાવનાત્મક મુદ્દાઓ પર જ થતી જણાઈ.
રાહુલ સહિત વિપક્ષી સાંસદોએ નીટ, પેપરલીક, મણિપુર, મોંઘવારી, બેકારી, કેન્દ્રિય એજન્સીઓનો દુરૃપયોગ વગેરે મુદ્દાઓ જોરશોરથી ઊઠાવ્યા હતાં.
એનડીએ તરફથી સાંસદોએ પોતાના વક્તવ્યોમાં મોટાભાગે મોદી સરકારની વાહવાહી કરી, જો કે કેટલાક સાંસદોએ ખૂબ જ તથ્યાત્મક, આંકડાકીય વિગતો સાથે ગરિમાપૂર્વક વક્તવ્યો આપ્યા. રાજનાથસિંહે અગ્નિવીરો શહીદ થાય તો એક કરોડ રૃપિયાની સહાય તેના પરિવારને અપાય છે, તેમ કહીને રાહુલ ગાંધીએ કરેલા આરોપોનો છેદ ઊડાડ્યો તો ખેડૂતોને એમએસપી મળતી નથી, તેવી રજૂઆત સામે શિવરાજસિંહે તથ્યો રજૂ કર્યા. ગૃહમંત્રી અમિત શાહ તો ત્રણ-ચાર વખત કરેક્શન કરવા ઊભા થયા હોય, તો વડાપ્રધાને પણ એકાદ-બે વખત ઊભા થઈને હસ્તક્ષેપ કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને વિપક્ષો રાહુલ ગાંધીની સફળતા ગણાવે છે, તો શાસક પક્ષ સંસદની ગરિમા પર લાંછન અને એલઓપીની પદને શોભે નહીં તે પ્રકારની અપરિપકવતા ગણાવે છે. આમાં સાચું શું અને ખોટું શું તે જનતા પર છોડીએ, પરંતુ સરકાર સામે મજબૂત વિપક્ષી ગઠબંધન અને પડકારરૃપ એલઓપી હોય તે લોકતંત્ર માટે તો ફાયદાકારક જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે સવારે જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ અને ક્રિકેટ ટી-ર૦ માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની તેની ખુશી જામનગર સહિત સમગ્ર દેશમાં છવાયેલી છે, તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં મેઘો મહેર વરસાવી રહ્યો છે,. આજથી દેશમાં મુખ્ય ત્રણ દાયકાઓ બદલાયેલા સ્વરૂપે લાગુ થઈ જશે અને આઈપીસી, સીઆરપીસી તથા એવિડેન્સ એકટ નવા નામ તથા વ્યાપક સુધારા-વધારા સાથે આજથી લાગુ થયા છે, તો મેઘગર્જના તથા ગાજવીજની જેમ જ સંસદ સંકુલમાં પણ શાસક પક્ષ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે સિયાસી સંગ્રામ છેડાઈ ગયો છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં સ્થળે પ્રારંભિક વરસાદ થતાં જ પ્રગટ થયેલી 'પરંપરાગત' પરેશાનીઓનો હોબાળો પણ થવા લાગ્યો છે... જામનગરમાં હજુ તો પ્રારંભિક ઝાપટાં જ પડ્યા છે, ત્યાં જ જે રીતે લોકોની પરેશાનીઓ વધી છે, તથા કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે, તે આપણી સામે જ છે ને?
વાવાઝોડા-વરસાદના ફોરકાસ્ટના કારણે ટીપ-ઈન્ડિયાને સ્વદેશ ફરવામાં વિલંબ થઈ રહ્યો હોવાના અહેવાલો છે, ત્યારે પ્રથમ અથવા થોડાક વરસાદમાં જ જલભરાવ થતા ગુજરાતના અમદાવાદ સહિત ઘણાં વિસ્તારોમાં લોકો પોત-પોતાના કામ-ધંધા-નોકરી-વ્યવસાયના સ્થળે જવામાં પણ હાલાકી ભોગવી રહ્યાના અહેવાલો છે.
જામનગર સહિત આજે ચોતરફ વરસાદ પડી રહ્યો છે, પરંતુ જામનગરમાં અત્યાર સુધી માત્ર ઝાપટાં જ પડ્યા હતા, અને આજે સવારથી મેઘાના મંડાણ થયા છે, પરંતુ નગરમાં વરસાદના પ્રતિવર્ષ થતાં વિલંબને ચોતરફ ખેતીની જમીનો એન.એ. કરીને ત્યાં ઊભી કરાયેલી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ટાઉનશીપોના કારણે ઘટી ગયેલા વૃક્ષોની સાથે સાંકળવામાં આવી રહ્યો છે, તો તેની સામે મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરાયા હોવાની દલીલો પણ થઈ રહી છે. આમાં સાચું તથ્ય શોધવા તો ઉડું સંશોધન કરવું પડે કારણ કે પ્રતિવર્ષ નગરમાં વૃક્ષોની અધિકૃત રીતે ગણત્રી થતી હોય તેવું જાણમાં નથી, અને તેવી કોઈ સિસ્ટમ અમલમાં હોય તો તે પબ્લિક ડોમેનમાં નથી, એવી દલીલ પણ કરવામાં આવે છે, તે જામનગરમાં જ્યારે ભારે વરસાદ થાય, અને જળબંબાકાર થાય, ત્યારે કોઈ આ પ્રકારના સવાલો કેમ ઉઠાવતું નથી? શું વૃક્ષો જ વરસાદ આવે છે કે કુદરતની લીલા કાંઈક અલગ જ છે! આજે સવારથી જામનગર પર થયેલી મેઘમહેર તેનો પ્રત્યક્ષ પુરાવો છે ને?
હકીકતે જામનગરમાં ચોમાસામાં વરસાદ થતાં જ ઘણાં વિસ્તારો જળબંબાકાર થઈ જાય, તેની પાછળ તમામ ગલી-મહોલ્લા-સડકો સી.સી. રોડ અને ડામર રોડથી મઢી દેવાયા અને વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાઓમાં ક્ષતિના કારણે ઊભી થતી સ્થિતિ જવાબદાર ગણાય, જામનગરમાં આ વર્ષે તો એક વિશેષ વિટંબણા ઊભી થઈ ગઈ છે. નગરમાં ભૂગર્ભ, પાણીની પાઈપલાઈનો, ગેસલાઈનો સહિતના વિવિધ વિકાસના કામો માટે ખોદકામ થયા પછી ત્યાંની જમીન કામ પૂર્ણ થયા પછી અમુક જગ્યાએ સમતળ તો કરાઈ, પરંતુ માત્ર માટી-ધૂળથી ખાડા-ચિરોડા બૂરી દેવાયા, તે પછી ચોમાસાનો પ્રારંભિક વરસાદ થતાં જ ઘણાં વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ઉનાળાની બળબળતી બપોરે પણ ઘેર-ઘેર ફરી રહેલા નેતાઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો અત્યારની સ્થિતિ નિહાળવા કેમ ફરકી રહ્યા નથી? તેવા સવાલો પણ નગરજનો ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારની સ્થિતિ માત્ર જામનગરમાં જ ઊભી થઈ છે તેવું નથી. પ્રારંભિક વરસાદી ઝાપટાં આવતા જ વિકટ સ્થિતિ ગુજરાતના લગભગ તમામ નગરો-મહાનગરોમાં ઊભી થઈ ગઈ છે, હવે તો ઘણાં બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ પ્રકારના દૃશ્યો મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં તો પ્રારંભિક વરસાદે ઘણી જ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. ત્યાં પાંચ અંડરબ્રીજ તો બંધ કરી દેવા પડ્યા છે, જ્યાં ફૂલપ્રૂફ નિર્માણનો દાવો થયો હતો, તે આઈકોનીક રોડ જ ડૂબી ગયો છે. ઠેર-ઠેર ઉભરાતી ગટરો-જલભરાવમાં ભળી જતાં ત્યાં પણ જાહેર આરોગ્ય પર ખતરો ઊભો થયો છે, ઘણાં ગરનાળાઓ ડૂબી ગયા છે, એએમટીએસની બસો પણ ફસાઈ ગઈ છે, તેવા સંજોગોમાં એકલ-દોકલ અપવાદ સિવાય કોઈ નેતાઓ ફરક્યા નહીં હોવાની બુમરાણ મચી છે, હવે એવું થશે કે ઉહાપોહ પછી નેતાઓ (વરસાદના વિરામ લીધા પછી) નીકળી પડશે અને ફોટા પડાવશે !
આજે જામનગરમાં સવારથી વરસાદ શરૂ થયો છે, તેથી સારો વરસાદ થાય અને થોડી ઘણી ગંદકી ધોવાય જાય, તેવી કટાક્ષયુકત અપેક્ષા વ્યકત કરતા નગરજનો કહે છે કે નપાણીયા નેતાઓ કે તકલાદી તંત્રો થી કાંઈ થવાનું નથી...!!
આજ સવાર સુધીમાં રાજ્યના સવા બસો જેટલા તાલુકાઓ પર મેઘાડંબર વચ્ચે ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૧ થી ૬ ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે, પરંતુ તેની આનંદદાયક અનુભૂતિ વચ્ચે કેટલીક ઊભી થયેલી પ્રચંડ પરેશાનીઓ હળવી કરવા નેતાઓ-તંત્રો હાઈટેક વાતાનુકૂલિત સંકુલો તથા એરકન્ડીશન્ડ મોટરકારોમાંથી જમીન પર (ઈલેકશન પ્રોપાગન્ડાની જેમ નહીં પણ) વાસ્તિક રીતે કયારે પ્રગટશે, તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
રાજકોટનું પોપટપરાનું નાળું દર વર્ષે થોડાક વરસાદમાં જળભરાવ થતાં બંધ થઈ જાય છે, અને ઠેર-ઠેર પ્રતિવર્ષ જલભરાવ થતો રહે છે, છતાં આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું, તે પણ એક 'ઓપન સિક્રેટ' જ છેને ?
અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, મોરબી, ખંભાળીયા, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભરૂચ સહિત મોટાભાગના નગરો-મહાનગરોમાં જલભરાવની સમસ્યાઓ દરવર્ષે તો ઊભી થતી જ હોય છે, પણ વર્ષ-પ્રતિવર્ષ તેમાં ઘટાડો થવાના બદલે વધી રહી હોય તો જવાબદારી કોની ! શાસકોની, પ્રશાસકોની કે પછી દરેક ચૂપકીમાં ઢગલાબંધ મતો વરસાવીને સત્તાસોંપતી કરતા મતદારોની?
આજથી દેશમાં ત્રણ સુધારેલા કાયદા અમલમાં મુકાયા, તેથી હવે 'નવી ઘોડી.... નવો દાવ...' જેવી સ્થિતિ ઊભી થવાની છે. કયાંય ગેઈટ ન દેખાતો હોવા છતાં 'બેડી ગેઈટ' કહેવાય છે, તેવી જ રીતે સુધારેલા ત્રણેય કાયદાઓની મુખ્ય મુખ્ય કલમોની ઓળખ તો લોકસભામાં લાંબા સમય સુધી એ જ રહેશે તેમ જણાય છે,.. આવો મેઘરાજા ના વધામણાં કરીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેએ મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, અને ગુજરાતના મોરબી સહિત વિવિધ સ્થળે સર્જાયેલી કેટલીક જીવલેણ દુર્ઘટનાઓ માટે ભારતીય જનતા પક્ષની સરકારોના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો, તે પછી દેશભરમાં આ મુદ્દો ગરમાયો છે, અને તેમાં પણ ખડગેએ અયોધ્યાના રામમંદિરમાં થતા ચુવાકને પણ સાંકળી લેતા તેના ઘણાં જ વ્યાપક અને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, બીજી તરફ દિલ્હીના એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનો જીવ ગયો તથા કેટલાક ઘાયલ થયા, તે માટે પણ ખડગેએ મોદી સરકારને જવાબદાર ગણાવી, અને તેનો એનડીએના નેતાઓએ જવાબ આપ્યો, તેના પરથી એ પણ પુરવાર થઈ ગયું કે કાગડા બધે જ કાળા છે, અને કયાંક ધોળો કાગડો અસ્તિત્વમાં હોય, તો પણ તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે, અથવા દબાવી દેવામાં આવે છે, અને તેની કદર થતી નથી !
બન્યું છે એવું કે દિલ્હીના એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેએ ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું, તે છતનું નિર્માણ તકલાદી થયું હતું અને તેથી જ આ દુર્ઘટના સર્જાઈ છે. મોદી ઉદ્દઘાટન કરે છે, ત્યાં તકલાદી કામો જ થયા હોય છે, તેવો ગર્ભિત ઈશારો કરતા કરતા તેમણે ઘણાં દૃષ્ટાંતો આપ્યા, જેમાં ગુજરાતનો મોરબીનો તકલાદી ઝુલતાપુલ તથા અયોધ્યાનું રામમંદિર પણ સામેલ હતું!
જો કે, તે પછી એનડીએ તથા ભાજપના નેતાઓ-પ્રવકતાઓએ પણ કેટલીક હકીકતો સામે વળતા પ્રહારો કર્યા હતા અને પ્રતિ આક્ષેપો કરીને લૂલો બચાવ કર્યો હતો, તેવી ટિપ્પણીઓ સંભળાઈ રહી છે.
ખડગેએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જે કાંઈ કહ્યું તે ઘણું જ ચર્ચાસ્પદ બન્યું તેમણે લખ્યું કે 'મોદી સરકારના છેલ્લા ૧૦ વર્ષોમાં નબળા સ્ટ્રકચરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યા છે, તેમાં ભ્રષ્ટાચાર તથા ગુનાહિત બેદરકારી જવાબદાર છે. દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતા, જબલપૂરમાં એરપોર્ટની છત ધરાશાયી થવી, અયોધ્યાના નવા નકોર રસ્તાઓની બદહાલી, રામમંદિરમાં છતમાંથી પાણી ટપકવંુ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કમાં તીરાડો પડવી, પ્રગતિ મેદાન ટર્મિનલમાં વારંવાર જલભરાવ, ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના થવી, વર્ષ-ર૦ર૩-ર૪ માં બિહારમાં નવનિર્મિત ૧૩ બ્રિજ તુટી જવા વિગેરે એવા દૃષ્ટાંતો છે, જે મોદીજી અને ભારતીય જનતા પક્ષ દ્વારા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલ ખુલી પાડે છે. દિલ્હીના એરપોર્ટ પર મોદીજીએ જ્યારે ટર્મિનલ-૧નું ઉદ્દઘાટન કર્યુ, ત્યારે પોતાને જુદી માટીના માનવી ગણાવ્યા હતાં, પરંતુ તે પ્રોપાગન્ડા અને ખોટી વાહવાહી મેળવવાનો પ્રયાસ જ હતો. દિલ્હી એરપોર્ટ પર થયેલી દુર્ઘટનાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના છે, તેઓએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું છે.
બીજી તરફ મોદી-૩.૦ સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ રાબેતા મુજબ તપાસ, કોઈને છોડવામાં નહીં આવે, સહાયની જાહેરાત વગેરે ફોર્માલિટી નિભાવીને ચોખવટ પણ કરી કે વડાપ્રધાને ૧૦ મી માર્ચે જે ટર્મિનલનું ઉદ્દઘાટન કર્યું હતું, તે ઓરપોર્ટમાં બીજી તરફ છે, અને સલામત છે. જે ટર્મિનલ ધરાશાયી થયું છે, તેનું નિર્માણ વર્ષ ર૦૦૯માં થયું હતું અને તે સમયે યુપીએનું શાસન હતું!
જો કે, મીડિયા અહેવાલો મુજબ નાયડૂના આ નિવેદન પછી એનડીએની સરકાર ભેરવાઈ પડી હતી કારણ કે વર્ષ-ર૦૦૯માં યુપીએ સરકારમાં જે નાગરિક ઉડ્ડયનમંત્રી હતા, તે પ્રફુલ્લ પટેલ અત્યારે એનડીએમાં છે અને કેન્દ્રીય કક્ષાએ એનસીપીના દિગ્ગજ નેતા છે. તેમણે કહ્યું કે દોઢ દાયકા પહેલા ટર્મિનલ બન્યું હોય અને તે ધરાશાયી થાય, ત્યારે તેના કારણોની તપાસ થવી જોઈએ.
તે પછી તો ત્રણ ત્રણ સરકારો બદલી ગઈ હોવાથી આ દુર્ઘટનાની જવાબદારીની ભલે ફેંકાફેંકી થઈ રહી હોય, પરંતુ તે હકીકત છે કે સરકારો બદલાય તો પણ ભ્રષ્ટાચારી સિસ્ટમો બદલાતી નથી અને રાજનીતિ અને બ્યુરોક્રસીમાં બધા દુધે ધોયેલા પણ નથી અને બધા ભ્રષ્ટ પણ નથી. જો કે, ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો તાકાતવર છે કે તેને નાથવાની ત્રેવડ જ શાસકોમાં જણાતી નથી.
ખડગેએ અયોધ્યાના રામમંદિરમાં ચુવાકનો ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને સંસદમાં થયેલી એક ચર્ચા પણ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યા, રામેશ્વરમ્, રામટેક, બસ્તી, પ્રયાગ રાજ વગેરે ભગવાન શ્રીરામને સાંકળતા સ્થળોમાં જ ભાજપનો પરાજ્ય થયો હોવાની વાત ભાજપના સાંસદ સ્વીકારી રહ્યા છે, તેઓ આને 'રામલીલા' તરીકે વર્ણવતા કહી રહ્યા છે કે જેઓ ભૂતકાળમાં રામના અસ્તિત્વને જ સ્વીકારતા નહોતા, તેઓને ભગવાન શ્રીરામે પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવી દીધો છે!!
સોશ્યલ મીડિયા તથા પ્રેસ-મીડિયામાં બોલિવુડના બોલકા અભિનેતા કે.કે.આર.નું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે ભારત જેવો ભ્રષ્ટાચાર કયાંય જોયો નથી. ધર્મના અને દેશભક્તિના નામે લોકોનું બ્રેઈનવોસ કરાઈ રહ્યું છે. કોઈપણ કર વગર ઉઘાડી લૂંટ ચાલી રહી છે. વગેરે...વગેરે...
ભ્રષ્ટાચાર, આંતર્વિરોધ અને પાતળી બહુમતી ધરાવતી વર્તમાન કેન્દ્ર સરકાર સામે ઘણાં પડકારો છે, અને કયાં સુધી ટકે છે, તે જોવાનું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતે ટી-ર૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચ જીતી લીધી છે અને હવે ર૯ મી જૂને દ.આફ્રિકા સાથે ફાઈનલ મેચ રમવાની છે. આ સમાચાર સવારથી જ મોખરે રહ્યા છે, તો બીજી તરફ જામનગર, હાલાર સહિત ગુજરાતમાં મેઘવૃષ્ટિ તથા આગાહીઓની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. આ દરમિયાન રાજકીય ક્ષેત્રે એક વાત એવી વહેતી થઈ રહી છે કે નીતિશકુમાર એક વખત ફરીથી પલટી મારીને ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જશે, અને તે પછી એનડીએમાં ક્રમશઃ ભંગાણ પડતા થોડાક મહિનામાં જ મોદી સરકાર લઘુમતીમાં મુકાઈ જશે, અને રાહુલ ગાંધીનો પી.એમ. બનવાનો માર્ગ મોકળો થઈ જશે.
જો કે, ગઈકાલથી સંસદમાંથી સેંગોલને હટાવીને ત્યાં બંધારણની પ્રતિકોપી મૂકવાની માંગણી જોર પકડી રહી છે. સમાજવાદી પાર્ટીના એક સંસદસભ્યે આ માંગણી ઉઠાવ્યા પછી તેને વિપક્ષી નેતાઓનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. અને ઈન્ડિયા ગઠબંધન તરફથી સંયુકત પ્રસ્તાવ સંસદમાં રજૂ થયા પછી તેના પર સરકારે પણ ગંભીરતાથી વિચારવું પડશે.
આ દરમિયાન સેંગોલને કોઈ રાજદંડ ગણાવી રહ્યું છે, તો કોઈ ધર્મછડી ગણાવે છે કોઈ તેને હિન્દુ સંસ્કૃતિ સાથે સાંકળી રહ્યું છે, તો કોઈ સેંગોલને ન્યાયનું પ્રતીક ગણાવે છે. સેંગોલને તામિલનાડૂની ભાવનાત્મક સંસ્કૃતિ સાથે જોડવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે સંેગોલ મ્યુઝીયમમાંથી ખસેડીને નવી સંસદમાં અધ્યક્ષની સીટ પાસે જ ગોઠવવાની શું જરૂર હતી? એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે સેંગોલ સંસદમાં ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે પણ વિરોધ પ્રતિકાત્મક જ થયો અને આટલી બધી તીવ્રતાથી મુદ્દો કેમ ન ઉઠાવાયો?
ઘણાં લોકો એમ કહે છે કે જો આ 'સંેગોલ' રાજાશાહી કે સરમુખત્યારીનું પ્રતીક હતું, દંડ કરનારું હતું કે લોકતંત્ર વિરોધી હતું તો અંગ્રેજો પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સ્વીકાર્યું જ શા માટે ?
વિપક્ષના નેતાઓ તેના જવાબમાં કહે છે કે સત્તા હસ્તાંતરણના પ્રતિક સમુ આ સેંગોલ ભારતીય સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલું હોવાથી પંડિત નહેરૂએ તે સ્વીકારી તો લીધું, પરંતુ મ્યુઝીયમમાં રાખ્યું હતું, પરંતુ પી.એમ. મોદીએ તેને સંસદમાં શા માટે રાખ્યું? દેશ બંધારણથી જ ચાલતું હોવાથી ત્યાં ખરેખર તો બંધારણની પ્રતિકૃતિ જ શોભે.
બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે આ સંેગોલને શાસન કે સત્તાનું પ્રતીક ગણી લઈએ, તો પણ તેને એ સંસદમાં ગોઠવ્યું છે, જ્યાં દેશભરના જનપ્રતિનિધિઓની દેશની સૌથી મોટી પંચાયત બેસે છે અને તેનું સંચાલન લોકસભાના અધ્યક્ષ કરે છે, તેથી સત્તાનું આ પ્રતીક સંસદમાં ગોઠવાયું હોવાથી તે લોકોની સત્તાનુ જ પ્રતીક બન્યુ છે, જો આ સેંગોલને વડાપ્રધાને પોતાની ઓફિસ (પીએમઓ)માં સ્થાપિત કર્યું હોત તો વિપક્ષોનો વિરોધ વાજબી હતો, પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતી સંસદમાં આ સેંગોલ ગોઠવાયો હોય તો તેમાં વાંધો શું છે?
કેટલાક તટસ્થ લોકો વચલો માર્ગ કાઢવાની સલાહ આપી રહ્યા છે અને સેંગોલને યથાવત રાખીને અધ્યક્ષની ખુરશીની બીજી બાજુ અથવા સંસદના મોટા ગૃહ રાજ્યસભામાં ચેરમેનની બેઠકની જમણી બાજુ બંધારણની નકલ (પ્રતિકૃતિ) ગોઠવીને આ મુદ્દો સર્વસંમતિથી ઉકેલવાની હિમાયત કરી રહ્યા છે.
સેંગોલનો મુદ્દો ઉઠાવીને હકીકતે ઈન્ડિયા ગઠબંધને સરકારને મહત્ત્વના અન્ય મુદ્દાઓ સામે ઢાલ આપી દીધી છે, તેવું માનનારો વર્ગ જણાવે છે કે વિપક્ષોએ 'નીટ' અને બેરોજગારી, અગ્નિવીર, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવી જોઈએ, જે સીધી રીતે સામાન્ય જનતાને સ્પર્શે છે. જો કે, આજે 'નીટ'નો મુદ્દો તો સંસદના ગલીયારાઓમાં+ધ ગુંજ્યો છે, અને અન્ય મુદ્દે પણ સંગઠીત વિપક્ષો સરકારને ઘેરવા જઈ રહ્યા છે, ત્યારે તેની સામે ભાજપે કોટકટિનો મુદ્દો ઉઠાવીને પ૦ વર્ષ પૂરા થયા હોવાના બહાને ઈન્ડિયા ગઠબંધનમાં પણ તીરાડ પાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે સેંગોલના મુદ્દે હવે શું થાય છે, તે જોઈએ...
વાસ્તમાં સિમ્બોલિક મુદ્દાઓના બદલે પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને સરકારને ઘેરવી જોઈએ, તેવો મહત્તમ લોકમત જણાય છે.
ગુજરાતમાં તો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને આજે તેનો છેલ્લો દિવસ છે. રાજ્યની કેટલીક સરકારી શાળાઓ સારૃં શિક્ષણ આપતી હોય અને ખાનગી સ્કૂલોને ટક્કર મારતી હોય, તો તે આવકારદાયક છે, પરંતુ તેની વ્યાપક પ્રસિદ્ધિ કરીને તેની આડમાં રાજ્યના મહત્તમ વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષા કક્ષા સુધીના સરકારી શિક્ષણની બદતર સ્થિતિ, ખુટતી સુવિધાઓ તથા શિક્ષકો-પ્રોફેસરોની ઘટ તથા અનિયમિતતાઓ વરવી વાસ્તવિકતા છુપાવાઈ રહી હોવાના આક્ષેપો પણ થતા હોય છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે સૌ સાથે મળીને હકીકતમાં શ્રેષ્ઠ પ્રયાસો કરીએ તો કેવું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે આકાશમાં મેઘરાજાનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં શાળા-પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, દેશમાં નવી સરકાર રચાયા પછી જનતા પોતાના જનાદેશને અનુરૂપ સંસદમાં થઈ રહેલા અકલ્પનિય બદલાવોને ખૂબ જ ઉત્કંઠ અને કુતૂહલ સાથે નિહાળી રહી છે, તો ટોપ ટુ બોટમ નેતાઓની નિવેદનબાજીની દિશા અને દશા બદલાઈ રહી છે. ભારતમાં ધબકતા લોકતંત્રની ખૂબસુરતી વસંતઋતુની જેમ પુરબહારમાં ખીલી ઉઠી છે, તો બીજી તરફ કેટલાક મુદ્દે ચાલી રહેલી તપાસો, કાનૂની કાર્યવાહીઓ તથા અદાલતી સુનાવણીઓ પણ હવે સંસદમાં પડઘાશે, તેથી સંસદીય કાર્યવાહી પર પણ સૌ કોઈને નજર રહેવાની છે... મેરા ભારત મહાન...
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો હોવાથી ઘણાં સ્થળે મેઘાવી માહોલ જામવા છતાં વરસાદ જાણે હંગામી ધોરણે થંભી ગયો હોય તેમ જણાય છે. જો કે, આજે ઘણાં સ્થળે ભારે વરસાદની આગાહી પણ છે. કોડિનારમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ત્યાંના પોલીસખાતાએ શાળામાં પ્રવેશ અપાવ્યો તે પ્રકારના પ્રેરણાત્મક અહેવાલો પણ આવ્યા, જ્યારે કેટલાક સ્થળે મેઘવૃષ્ટિ થવાથી શાળા-પ્રવેશોત્સવના કાર્યક્રમો 'ઈન્ડોર' યોજવા પડ્યા કે ટૂંકાવવા પડ્યા હોવાના પણ વાવડ છે. એવા ગૂડન્યુઝ પણ આવ્યા કે કેટલીક સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર એટલું ઊંચું છે કે ત્યાં એડમિશન મેળવવા માટે પડાપડી થતી હોય છે. બીજી તરફ કેટલીક શાળાઓમાં સુવિધાઓનો અભાવ, શિક્ષકોની ઘટ અને અન્ય ખામીઓ હોવાની રાવ પણ ઉઠી છે, એકંદરે કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવો હવે પ્રેકટીકલી ડ્રામેટિક અને પ્રચારાત્મક ઈવેન્ટ બની રહ્યા હોય તેમ નથી લાગતું?
મેઘો ભલે સંતાકૂકડી રમે કે વિવિધ આગાહીઓ કસોટીની એરણે ચડે, પરંતુ વિશ્વની સૌથી મોટી અને તંદુરસ્ત લોકશાહીના દૃશ્યો ગઈકાલે સંસદમાં દેખાયા, જ્યાં પી.એમ. નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવા ચૂંટાયેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના આસન (સીટ) પર આરૂઢ થવા દોરીને લઈ ગયા, ત્યારે પરસ્પર હાથ મિલાવતા (સેકહેન્ડ કરતા) જોવા મળ્યા !!!
તે પહેલાં વિપક્ષે મૂકેલી ફોર્મ્યુલા સરકારે નકારતા કોંગ્રેસે લોકસભાના અધ્યક્ષપદ માટે ઉમેદવાર ઊભો કર્યો, પરંતુ વોટીંગ ન થાય, અને ધ્વનિમતથી લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા, તેમાંથી શરૂ થયેલી ચર્ચા અને વિવાદ ઉપરાંત નવા અધ્યક્ષે કટોકટિમાં જીવ ગુમાવનાર લોકો માટે બે મિનિટનું મૌન પળાવ્યુ, તે જોતા હંગામેદાર સંસદની ભવિષ્યવાણીઓ ગઈકાલથી જ થવા લાગી હતી, ખરું ને?
સંસદમાં વિપક્ષના નેતાનું પદ મળ્યા પછી કોંગીજનો રાહુલ ગાંધીને ભવિષ્યના વડાપ્રધાન તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારે હવે શાસક ગઠબંધનમાં પણ 'વિકલ્પ' ની વાતો વહેતી થવા લાગી હોય તો તેમ કહી શકાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના મતદારો પણ ખૂબ જ પૂખ્ત થઈ ગયા છે. એવી ફિલોસોફી પણ હવે ચર્ચાઓમાં આવી ગઈ છે કે કોઈને અંડર એસ્ટીમેન્ટ કરવા એ સૌથી મોટી ભૂલ છે, અને ઓવર કોન્ફિડન્સમાં રહીને હવેલી લેવા જતા ગુજરાત ગુમાવવા જેવી હરકત કરવી, તે મૂર્ખામી જ ગણાય !
આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ, તેના પર ચર્ચા અને તે પછી તેના પર વડાપ્રધાનનો જવાબ અને વિપક્ષના નેતાની ટિપ્પણીની ગઈકાલથી થતી અટકળો અને કાલ્પનિક અંદાજો પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
લોકસભામાં જો ડેપ્યુટી સ્પીકરનું પદ મજબૂત બનેલા વિપક્ષને અપાયુ હોત તો બન્ને પદની ચૂંટણી બિનહરિફ થાત અને લોકતંત્રની ગરિમા જળવાઈ રહેત, પરંતુ કેટલાક રાજ્યોમાં વિપક્ષની સરકારો છે, ત્યાં ડેપ્યુટી સ્પીકરનું પદ શાસક પક્ષોએ જ રાખ્યું છે, અને ત્યાંના વિપક્ષને અપાયું નથી, તેવી દલીલો થઈ રહી છે, ત્યારે સાથીદાર પક્ષોની કાંખઘોડી પર ઊભેલી મોદી સરકાર માટે સૌને સાથે લઈને ચાલવાની આ ઉત્તમ તક હોવાથી એનડીએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારની પહેલ કરી હોત, તો શાસન કરવું સરળ રહ્યું હોત, તેવા અભિપ્રાયો પણ વ્યકત થવા લાગ્યા છે, તેવી જ રીતે વિપક્ષોની સરકારો જયાં જ્યાં છે ત્યાં ત્યાં વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ત્યાંના વિપક્ષોને અને લોકસભામાં કોંગ્રેસ અથવા વિપક્ષ ગઠબંધન નક્કી કરે તેને ડેપ્યુટી સ્પીકરનું પદ આપીને તંદુરસ્ત અને સકારાત્મક રાજનીતિનું દૃષ્ટાંત પણ બેસાડી શકાયુ હોત, પરંતુ લોકસભાના અધ્યક્ષપદે બિરાજતા જ ઓમ બીરલાએ પ્રથમ પ્રસ્તાવ કટોકટિને સાંકળીને રજૂ કરતા ગઈકાલથી જ સંઘર્ષમય રાજનીતિના સંકેતો મળી ગયા હતા, જે કદાચ શાસક એનડીએ ગઠબંધન માટે પગ પર કૂહાડો મારવા જેવી રણનીતિ પણ ગણી શકાય... જોઈએ... હવે શું શું થાય છે તે....
સક્રિય રણજનીતિ સાથે બહુ લેવાદેવા ન હોય કે રસ ન હોય, તેવા ઘણાં લોકો પણ 'અંકુશિત સત્તા' સોંપવાના જનાદેશને આવકારી રહ્યા છે, આ પ્રકારના જનાદેશ પછી 'કોઈ' કૂણું પડ્યું તો 'કોઈ' અતિ ઉત્સાહમાં આવી ગયુ, તે બન્ને પ્રકારની મનોભાવનાઓને કેન્દ્રમાં રાખીને રાજકીય વિશ્લેષકો દ્વારા એક અલગ જ પ્રકારની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે !
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં તોતીંગ બહુમતી ધરાવતી રાજ્ય સરકારે પણ હવે રાષ્ટ્રીય રાજનીતિની દિશા અને દશા જોઈને ચેતી જવા જેવું છે. દાયકાઓથી શાસન ચલાવતા ભાજપે હવે 'સિસ્ટમ'માં પેધી ગયેલા સ્થાપિત હિતોને હટાવવા જ પડશે અને વાસ્તવમાં પ્રો-પબ્લિક સુશાસન આપવું જ પડશે.
મધ્યાન્હેથી સૂર્ય જ્યારે પશ્ચિમ તરફ ગતિ કરે છે, ત્યારે ધીમે ધીમે સૂર્યાસ્તની દિશામાં જાય છે. સૂર્યોદય થાય, ત્યારે પણ આહ્લાદક અને રમણીય લાગે અને સૂર્યાસ્ત થાય ત્યારે પણ દર્શનીય અને નયનપ્રિય હોય છે. આ ભૌગોલિક અને નૈસર્ગિક પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો જણાશે કે સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તની નિયત સિસ્ટમ કદાચ રાજનીતિ સહિત અન્ય ક્ષેત્રોને પણ એટલી જ લાગુ પડે છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સડકથી સંસદ સુધી સંઘર્ષનો માહોલ છે. સિયાસતની સ્પર્ધામાં શત્રુત્વના સંયોજન થકી સત્તાનો સંગ્રામ સર્જાયો છે. લાલિયાવાડી, લાપરવાહીના કારણે ચોતરફ ચાલતા લોલંલોલની પોલંપોલ ખુલી રહી છે, તો લફરાંબાજીના કેવા દુષ્પરિણામો સર્જાઈ શકે છે. તેના નતનવા દૃષ્ટાંતો પણ પ્રગટી રહ્યા છે.
હમણાંથી આત્મહત્યાઓના આંકડાઓની જેમ જ હત્યાકાંડો તથા સામૂહિક નરસંહાર જેવા ઘાતકી બનાવો ઉપરાંત વ્યક્તિગત, ખારદાવડે, અંગત રંજીશ કે વેરઝેર થકી, પ્રેમપ્રકરણોના કારણે તેમ જ અદાવતોના કારણે બદલો લેવાની ભાવનાથી પણ એકલ-દોકલ કે સામૂહિક હત્યાઓ થઈ રહી છે, તદૃુપરાંત ધંધાખાર, નાણાકીય લેવડદેવડ, વ્યાજંકવાદ, વ્યવસાયિક વર્ચસ્વ તથા રાજકીય-સામાજિક ખૂન ખરાબા પણ વધી રહ્યા છે, તો બીજી તરફ ઉશ્કેરણીજનક હરકતો, ત્રાસવાદ, નકસલવાદ, આતંકવાદ, સરહદો પર ઘર્ષણ તથા વૈશ્વિક યુદ્ધોના કારણે તથા જીવલેણ અથડામણોમાં હજારો લોકોના કમોતે મૃત્યુ થઈ રહ્યા છે. તેની પણ વિશેષ ચર્ચા થઈ રહી છે, અને આંકડાઓ અપાઈ રહ્યા છે.
દેશભરમાં એકંદરે શાંતિપ્રિય ગણાતા આપણાં ગરવા ગુજરાતમાં પણ હવે હત્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તે ઉપરાંત રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ, મોરબીના ઝુલતા પુલની જીવલેણ માનવસર્જિત દુર્ઘટના તથા હરણી દુર્ઘટના જેવા દુર્ભાગ્યપૂર્ણ બનાવોમાં તો લાપરવાહી કરતાં યે લોભ, લાલચ, અને લોલંલોલ રાજનીતિ તથા તંત્રોની તિક્કડમબાજી ના પાપે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે, ટીઆરપી અગ્નિકાંડના મુદ્દે રાજકોટ બંધનું એલાન, ઠેર-ઠેર હલ્લાબોલ તથા દેખાવો, ધરણાં, વિરોધ-પ્રદર્શન થયા પછી પણ હજુ એવી કોઈ ગેરંટી ખરી કે ફરીથી આવી જીવલેણ ઘટના રાજ્યમાં કયાંય નહીં જ બને?
હવે તો ન્યાયક્ષેત્રે પણ અસુરક્ષાની સ્થિતિ ઊભી થવા લાગી છે, જો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ નિર્ભયતાથી પોતાની કાનૂની, બંધારણીય અને વ્યવસાયિક-ન્યાયિક ફરજો મૂકતપણે નહીં બજાવી શકે, તો દેશની જનતાને જેનામાં સૌથી વધુ દૃઢ વિશ્વાસ છે, તેવું ન્યાયતંત્ર નબળું થઈ જશે, જે લોકોની સુરક્ષા, ન્યાય અને આપણી ગરવી લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે ઘાતક પૂરવાર થશે, ખરું ને?
દૃષ્ટાંત તરીકે ગઈકાલે જ 'નોબત' માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ-મુજબ જામનગરનું બાર એસોસિએશન કલેકટર કચેરીએ પહોંચ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
સામાન્ય રીતે કલેકટર કચેરી, મ્યુનિ. કમિશનરની કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પોલીસ વડા (એસ.પી.) અથવા મોટા શહેરોમાં પોલીસ કમિશનરો કે ડી.જી. એ.ડી.જી. તથા જિલ્લા-તાલુકા કક્ષાની સંબંધિત તંત્રોની કચેરીઓ, પીજીવીસીએલ, પ્રદુષણ નિવારણ બોર્ડ કે અન્ય બોર્ડ-નિગમો-સરકારી તંત્રોને આવેદનપત્રો પાઠવવા દરરોજ કોઈને કોઈ સંગઠનો, સંસ્થાઓ, રાજકીય પક્ષો, સમાજો કે આંદોલનકારીઓ તથા જાગૃત નાગરિકો પહોંચતા હોય છે, તેથી તેમાં બહુ કાંઈ નવું ન લાગે, પરંતુ જ્યારે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા કાનૂનના રક્ષક સહયોગીઓ એવા વકીલો કલેકટરને આવેદનપત્ર પાઠવવા જાય અને રાજ્ય-કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની રજૂઆતો કરવા લાગે, ત્યારે સૌ કોઈનું ધ્યાન વિશેષ રીતે ખેંચાય જ ને?
આ અહેવાલ મુજબ જામનગર બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સાથે ઘણાં બધા વકીલોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વકીલોની સુરક્ષાના મુદ્દે સરકારને ઉદ્દેશીને જે રજૂઆતો કરી હતી, અને જે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, તેમાં એડવોકેટ પ્રોટેકશન એકટ તત્કાળ લાગુ કરવાની ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.
જામનગરમાં લેન્ડ ગ્રેબીંગના કૂખ્યાત થયેલા કેસ સાથે સંકળાયેલા વકીલ કિરીટ જોશીની થોડા વર્ષો પહેલા સરાજાહેર હત્યા થઈ હતી. અને તે પછી તેના સંદર્ભે 'તે સમયની' ભાજપ સરકારે જે કડક કદમ ઉઠાવવા પડ્યા અને જે કાંઈ થયું, તે આપણે જાણીએ જ છીએ, તે પછી અંદાજે ત્રણેક મહિના પહેલા જામનગરમાં વધુ એક વકીલની સરાજાહેર હત્યા થતાં સુરક્ષાની લાગણી અનુભવતા વકીલોની વેદના જામનગર બાર એસોસિએશને કલેકટર મારફત સરકાર સુધી પહોંચાડીને એડવોકેટ પ્રોટેકશન એકટ તત્કાળ લાગુ કરવાની માંગણી કરવી પડી છે, તે શું સૂચવે છે?... જરા વિચારો...
બેડી વિસ્તારમાં થયેલી એડવોકેટની હત્યાના સંદર્ભે એક માથાભારે ગેન્ગ સામે કાનૂની કાર્યવાહી થઈ, એ ખરું પરંતુ જ્યારે કોઈ મહિલા શિક્ષિકાને આત્મહત્યાની પ્રેરણા જેવા કેસના સંદર્ભે આ પ્રકારે વકીલની હત્યા થવા લાગે, ત્યારે અન્ય વકીલોને પણ સ્વતંત્રપણે નિડરતાથી કાનૂન અને ન્યાયની પોતાની સેવાઓ તથા જવાબદારીઓ નિભાવવામાં વિક્ષેપ પડે કે ડર લાગે તે સ્વાભાવિક છે. જો માથાભારે તત્ત્વો આવા કૃત્યો કરતા જ રહે, તો આપણાં દેશના ગૌરવસમા ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અન્ય લોકો તથા જજો સુધી પણ તેની અસરો પહોંચી શકે છે, જે લોકતંત્ર તથા ન્યાયપ્રણાલિ માટે કોઈપણ રીતે અનુકુળ કે યોગ્ય ગણી શકાય નહીં.
એ પણ હકીકત છે કે જામનગરમાં અદાલતી કેસોના કારણે જુદા જુદા સમયે અને જુદા જુદા કેસોના સંદર્ભે બબ્બે એડવોકેટોની હત્યા પછી બન્ને વખતે રાજ્યભરના વકીલમંડળોએ ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો અને વકીલ-જજોની વધુ સુદૃઢ સુરક્ષાની માંગ ઉઠી હતી.
જામનગર બાર એસોસિએશને રાજ્ય-કેન્દ્ર સરકારોને, સ્ટ્રોંગ એડવોકેટ પ્રોટેકશન એકટ ઘડીને તેને રાજ્ય અને સમગ્ર દેશમાં લાગુ કરવાની માંગણી કરી હોય કે પછી કલેકટર મારફત માત્ર રાજ્ય સરકારને આ સંદેશો પહોંચાડ્યો હોય, તો પણ આ બાબત જ ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવી ગણાય, કારણ કે આપણાં દેશના ન્યાયતંત્ર સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના ડર, દબાણ કે અસુરક્ષાની ભાવનાથી મૂકત રાખવા અત્યંત જરૂરી છે, અને તેની સંપૂર્ણ જવાબદારી પણ સરકારોની જ છે ને?
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાના મુદ્દે આગળ વધે, અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ચાલતી લાલિયાવાડી, લાપરવાહી, લોલંલોલ લફરાંબાજી પર અંકુશ લાવે તેવું ઈચ્છીએ, અન્યથા થતું રહેશે હલ્લાબોલ...હલ્લાબોલ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરના કેટલાક વિસ્તારોમાં ફૂટપાથો પર રેંકડી-પાથરણાવાળા દ્વારા થતા વ્યવસાયિક કામચલાઉ દબાણો સામે અવારનવાર ઝુંબેશ ચલાવાય છે. તે ઉપરાંત જાહેર માર્ગો પર ખાણી-પીણી માટેની બેઠક વ્યવસ્થાઓ સ્ટુલ, ખુરશીઓ તથા છાપરાંઓ ઊભા કરવામાં આવે છે, તેમ જ વિવિધ ચીજ-વસ્તુઓ વેંચતા વેપારીઓ દ્વારા ફૂટપાથ જ નહીં, જાહેર માર્ગો સુધી પોતાના જાહેરાતના બોર્ડ, વેચાણની ચીજવસ્તુઓ તથા પોતાના વાહનો વગેરે રાખીને માત્ર પગપાળા નહીં, પરંતુ વાહનો લઈને જતા લોકો માટે પણ અવરોધ ઊભા કરતા લોકો સામે પણ વિશેષ ઝુંબેશ હેઠળ કાર્યવાહીઓ થાય છે, જેની પ્રેસનોટો નીકળે છે, વીડિયા ઉતરે છે, ફોટા છપાય છે અને પ્રિન્ટ-ઈલેકટ્રોનિક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેનો બહોળો પ્રચાર-પ્રસિદ્ધિ થાય છે.
આ પ્રકારની પ્રચાર-પ્રસિદ્ધિ કોઈ પણ રીતે વાંધાજનક નથી, બલ્કે ઉલટાની આવકાર્ય છે, કારણ કે તેમ થાય તો જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા લોકો પર કાયદાનો ડર બેસે અને મનસ્વી રીતે સામાજ્ય જનતાને પરેશાની ઊભી થાય, તેવી રીતે વ્યવસાય કરતા અટકી શકે, પરંતુ સવાલ ત્યારે ઊભો થાય છે, જ્યારે આવી ઝુંબેશ પૂરી થાય, પબ્લિસિટી થઈ જાય, તેના ગણત્રીના દિવસો કે કલાકોમાં જ ફરીથી 'જૈસે થે' સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. આ મુદ્દે પ્રેસ-મીડિયા દ્વારા જ્યારે તંત્રોનું ધ્યાન ખેંચવામાં આવે કે વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકવામાં આવે ત્યારે ત્વરીત કોઈ કડક કદમ ઉઠાવવાના બદલે ચાર-પાંચ મહિને ફરી આ પ્રકારની ડ્રાઈવ કે ઝુંબેશ ચલાવાય, તેની રાહ જોવી પડે છે, આ કારણ કે જ આ પ્રકારની ઝુંબેશો ડ્રામેબાજી જેવી જણાય છે.
આવું માત્ર જામનગર કે હાલારમાં જ બને છે, તેવું નથી, પરંતુ રાજ્ય અને દેશના અન્ય શહેરોમાં પણ બને છે, જેનું તાજુ દૃષ્ટાંત મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને બોમ્બે કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ને લગાવેલી ફટકારમાંથી પ્રતિત થાય છે, અને આ ફટકાર કદાચ દેશની તમામ સરકારોને લાગુ પડે છે.
મીડિયામાં પણ આ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટે બીએમસી અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન કે કોઈ વીવીઆઈપી આવતા હોય, ત્યારે જો રસ્તા સાફસૂફ અને ફૂટપાથો ખાલી કરાવી શકાતી હોય તો સામાન્ય નાગરિકો માટે કેમ નહીં?
અદાલતે કહ્યું કે સાફસુથરા માર્ગો અને ચાલવા માટે ખુલ્લી ફૂટપાથ એ પ્રત્યેક વ્યક્તિનો મૌખિક અધિકાર છે, અને તે ઉપ્લબ્ધ કરાવવાની જવાબદારી રાજ્યના તંત્રોની છે, રાજ્ય અને બીએમસી કાયમ માટે શહેરી ફૂટપાથો પર દબાવ કરનારા સામે કેવી રીતે લડવું અથવા તેઓને કેવી રીતે અટકાવવા, તેવું વિચારીને બેસી રહી શકે નહીં, આ મામલામાં યોગ્ય કદમ ઉઠાવવા જ જરૃરી હોય છે.
કોર્ટે પુછયુ કે જ્યારે વડાપ્રધાન કે કોઈ વીવીઆઈપી આવવાના હોય ત્યારે માર્ગો સાફ સુથરા અને ફૂટપાથો તરત જ ખાલી કરાવી દેવામાં આવે છે, એટલું જ નહીં, વીવીઆઈ જ્યાં સુધી (જેટલા કલાકો કે દિવસો સુધી) રોકાય ત્યાં સુધી તો ત્યાં ફરીથી દબાણ થઈ જતુ નથી, તો પછી ઝુંબેશ પછી 'જૈસે થે'ની સ્થિતિનું સર્જન કેવી રીતે થઈ શકે ? સામાન્ય લોકો માટે પણ પગપાળા ચાલવા માટે સાફ સુથરો રસ્તો તથા સુરક્ષિત જગ્યા હોવા જ જોઈએ ને?
હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે ફૂટપાથ એક મૌલિક અધિકાર છે, તથા આપણે માત્ર ફૂટપાથ પર જ ચાલીને પોતાની જાતી ને સુરક્ષિત રાખવી જોઈએ, તેવું આપણે બાળકોને શિખવીએ અને ભણાવીએ છીએ. પરંતુ જો ફૂટપાથો જ નહીં બચે, તો બાળકો ચાલશે કયાં ? આપણે તેઓને શું જવાબ આપીશું?
જો કે, બીએમસીએ કરેલી સ્પષ્ટતા પણ દરેક નગરો-મહાનગરોના તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓએ પણ વિચારવા જેવી છે. બીએમસીએ કહ્યું કે સમયાંતરે કડક કાર્યવાહી થાય જ છે, પરંતુ તેઓ (ફેરીયાઓ) ફરીથી ફૂટપાથો પર વ્યવસાય કરવા લાગે છે, તેથી બીએમસી તમામ પ્રકારના વેન્ડર્સ માટે એકથી વધુ અન્ડરગ્રાઉન્ડ માર્કેટ ઉપ્લબ્ધ કરાવવા અંગે વિચારી રહ્યું છે. આ રીતે અંડરગ્રાઉન્ડ વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા પછી પણ જો ફૂટપાથો પર કબ્જો જમાવવામાં આવે, તો અત્યંત કડક દંડ-સજાનો વિચાર પણ કરવો જ પડે, અન્યથા પોથીમાંના રીંગણા જેવો ઘાટ સર્જાય છે.
સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ વેન્ડર્સ પૈકીના મોટાભાગના ધંધાર્થીઓ ગરીબ અથવા અતિગરીબ હોય છે, જેના પરિવારો તેમના પર જ નભતા હોય છે, તેથી તેઓનું ગુજરાન ચાલે, પેટ પર લાત ન પડે અને તેઓના પરિવારો રઝળી ન પડે, તેવી રીતે કોઈ એવો માર્ગ કાઢવો જોઈએ કે ફૂટપાથો-જાહેર માર્ગો કે સંકુલો પર ધંધો-વ્યવસાય કરવાથી તેઓ આપોઆપ જ દૂર રહે, તે પ્રકારનો સ્વીકૃત વિકલ્પ પણ તેઓને મળી જાય.
મોટા રેસ્ટોરન્ટ કે ધીંગી કમાણી કરતા અલ્પાહાર, ઠંડાપીણા, આઈસ્ક્રીમના વિતરકોને રોડ-રસ્તા ફૂટપાથો દબાવવા દેવાથી જે ન્યૂસન્સ ફેલાય છે, તે સૌ જાણે જ છે, તેવી જ રીતે પોતાની વસ્તુઓ એકઝીબીટ કરવા કે વેઈટીંગવાળાને બેસાડવા માટે જાહેરમાર્ગો, ફૂટપાથો નો થતો મનસ્વી ઉપયોગ અટકાવવા તો હવે બોમ્બે હાઈકોર્ટની જેમ અદાલતો પણ ફટકાર લગાવી રહી છે, ત્યારે શાસકો, તંત્રો જાગશે, કે પછી નવે નાકે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

માતૃતુલ્ય પૂ. સ્વ. ઉર્મિલાબેનને શ્રદ્ધાંજલિ...
વૈકુંઠવાસ તા. ર૪-૬-ર૦૧૯
'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની અને અમારા માતૃતુલ્ય ઉર્મિલાબેન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી સમગ્ર પરિવારને આપની ખોટ વર્તાઈ રહી છે.
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ કાવ્યપંક્તિઓ યથાર્થ છે અને સંસારમાં જનનીની સાથે સરખાવી શકાય, તેવો કોઈ જ પાવન અને સમર્પિત સંબંધ અસ્તિત્વમાં નથી આપ સમગ્ર પરિવારની પ્રેરણાનું ઝરણું હતા, અને હંમેશાં અમારા બધામાં સદ્દગુણો, સંસ્કાર અને સદ્દવૃત્તિનું સિંચન કર્યા હતાં. આપનું સમગ્ર જીવન પથદર્શક રહ્યું હતું.
આપે જીવન પર્યંત ઘણાં પડકારોનો સામનો કર્યો અને સૌ કોઈને સ્નેહથી ભીજવતા રહ્યા હતાં. આપની વિદાય પછી અમને આપની સ્નેહાળ સ્મૃતિઓ પણ ઘણી જ હૂંફ અને પ્રેરણા આપી રહી છે.
એ સનાતન સત્ય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરને આધિન હોય છે, અને જે જન્મે છે, તેની વિદાય નિશ્ચિત જ હોય છે, પરંતુ આપ ભલે સદેહે અમારી વચ્ચે નથી, પરંતુ આપનો સદૈવ હસતો ચહેરો, પ્રેમાળ સ્વભાવ અને સાદગીભર્યું જીવન અમને આપની અનુભૂતિ હરહંમેશ કરાવતું જ રહેવાનું છે.
આપ વૈકુંઠવાસી થયા પછી આપના પગલે પગલે ચાલીને અમે અમારા કર્તવ્યોની સાથે સાથે સંભવતઃ પરિવાર, સમાજ અને સૌ કોઈને સાંકળીને સત્કાર્યો તથા સેવાકાર્યો કરતા રહીએ અને આપના આશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના સાથે અમો બધા આપને અંતરની ઉર્મિઓ સાથે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને આપની સ્મૃતિઓને વાગોળતા વાગોળતા આપને ભાવાંજલિ, સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ.
જામનગર
તા. ર૪-૬-ર૦ર૪
- માધવાણી પરિવાર
- નોબત પરિવાર

વરસાદમાં વિલંબ, મહારાજ ફિલ્મ હાઈકોર્ટની કલીનચીટ પછીની સ્થિતિ, કેજરીવાલના જામીનનો કેસ અને વિશ્વ યોગ દિવસની ઉજવણીના વિલંબની હેડલાઈન્સ વચ્ચે કેટલાક અન્ય કાનૂની મુદ્દા અને અદાલતી ફેસલાઓ-સુનાવણીઓ પણ જનચર્ચામાં મોખરે છે, જેમાં ગૌચરની જમીનને લઈને ઉઠેલો વિવાદ પણ સામેલ છે.
પ્રેસ-મીડિયા તથા બુદ્ધિજીવી વર્ગોમાં થતી ચર્ચાઓ મુજબ ગુજરાત સહિત દેશમાં ઔદ્યોગિક વિકાસના નામે ગૌચરની જમીન, સીઆરઝેડમાં આવતા વિસ્તારોમાં બાંધકામ, દરિયાઈ સુરક્ષા પટ્ટી અને મરીન નેશનલ પાર્કને નુકસાન કરે તેવી પ્રવૃત્તિઓને મંજુરી વગેરે વિષયો હંમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.
ખાસ કરીને નદી-તળાવો તથા દરિયાને પ્રદુષિત કરતી પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ કેટલીક જાહેર આરોગ્યને પ્રભાવિત પ્રવૃત્તિઓ પણ તકલાદી તંત્રો તથા શુષ્ક શાસકોના પાપે પનપતી રહેતી હોય છે. જામનગર જેવા શહેરમાં દિવસો સુધી ઉકરડા કે ડમ્પીંગ સાઈટ સળગતી રહેતી હોય, અને તંત્રો કે શાસકોનું રૃવાડું યે ફરકે નહીં, ત્યારે સવાલ એ ઉઠે કે જાયે તો જાયે કર્હાં?
એવું કહેવાય છે કે, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જે 'પેલેસ'બનાવ્યો છે, તે સીઆરઝેડમાં હોવા છતાં તેને કેન્દ્ર સરકારની મંજુરી એટલા માટે મળી ગઈ, કારણ કે તે સમયે રાજ્યસભામાં કેટલાક બીલો પાસ કરાવવા માટે જગનમોહન રેડ્ડીની પાર્ટીના ટેકાની મોદી સરકારને જરૃર હતી, હવે ટીડીપીના ટેકા પર ટકેલી કેન્દ્ર સરકાર આ મુદ્દે ફિકસમાં મૂકાઈ ગઈ અને આંધ્રપ્રદેશનું બીજેપી યુનિટ ચૂપ થઈ ગયું!
ગુજરાતમાં પણ દરિયાકાંઠે આ જ પ્રકારની કેટલીક મંજુરીઓ અપાઈ રહ્યાની ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા ઔદ્યોગિક વિકાસના નામે અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના બહાને ગૌચરની જમીનો હડપ કરી લેવાની મનોવૃત્તિની થઈ રહી છે.
ગુજરાત સરકારના જ રેવન્યુ રેકર્ડને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ રાજ્યમાં લાખો ચો.કિ.મી. ગૌચરની જમીન મુંગાપશુધનના ભોગે કાં તો વેંચી મારવામાં આવી છે, અથવા તો ભાડાપટ્ટે આપી દેવામાં આવી છે. માત્ર ગૌચર જ નહીં, રાજ્યની સરકાર હસ્તકની કેટલીક જમીનો પણ આ જ રીતે વિકાસના બહાને મોટા માથાઓને ફાળવી દેવામાં આવી છે.
અહેવાલો મુજબ રાજ્યમાં એક અબજ કરોડ ચોરસમીટરથી પણ વધુ જમીન ભાડાપટ્ટે (લાંબાગાળાના) અથવા વેંચાણથી આપી દેવામાં આવી છે, જેમાં ગૌચરની ૧૮ લાખ ચોરસમીટરથી વધુ ગૌચરની જમીન, ૩૩ લાખ ચોરસમીટરથી વધુ ખરાબો તથા ૧૦૪ કરોડ ચોરસમીટર જેટલી સરકાર હસ્તકની પડતર જમીનનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ભાજપના શાસનને અઢી દાયકાથી વધુનો સમય થયો છે, તે પહેલા એટલે કે વર્ષ ૧૯૯પ સુધી રાજ્યમાં ૭૦૦ ગામડાઓ એવા હતા, જ્યાં ગૌચરની જમીન આ રીતે ફાળવાઈ જતાં કે પછી દબાણો ના કારણે ગાયબ થઈ ગઈ હતી, જે હવે સંખ્યા ચાર ગણી વધીને ર૮૦૦ ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે. વર્ષ ૧૯૯૦થી ર૦૦૦ દાયકામાં ભારતીય જનતા પક્ષ તરફી જૂવાળ હતો ત્યારે ગૌરક્ષા, ગૌવંદન, ગૌસેવા અને ગૌસંવર્ધનના ભાવનાત્મક મુદ્દાઓ ઉછળતા હતા, અને આજે પણ આ પ્રકારના મુદ્દાઓ સંસ્થાઓ તથા સંગઠનોના માધ્યમથી ગુંજતા રહે છે, પરંતુ નવાઈની વાત એ છે કે એ જ સરકારના શાસનગાળામાં જો ગૌચરની જ લાખો ચોરસમીટર જમીન કોઈને વેચાણ કે ભાડેથી પધરાવી દેવામાં આવી હોય તો પણ કોઈનું રૃવાડું યે ફરકતું નથી!
આ તો સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ભાડાપટ્ટે કે વેચાણથી આપેલી જમીનોના આંકડાઓ હશે, પરંતુ તે ઉપરાંત ગૌચરની જમીન પર થયેલા દબાણો તથા ગેરકાયદે કબજાની ફરિયાદો પણ વધી રહી હોય તો એવું કહે શકાય કે ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે, ખરી વાત છે કે ખોટી?
અહેવાલો તો એવા પણ છે કે દર વર્ષે પણ પ૦ જેટલા ગામોનું ગૌચર ઘટી રહ્યું છે એટલું જ નહીં, નવ હજારથી વધુ ગામોમાં એવાં છે, જ્યાં સો ગાયો સામે ચાલીસ એકર ગૌચરના માપદંડથી પણ ઓછું ગૌચર બચ્યું છે!
ગુજરાત હાઈકોર્ટે પણ કચ્છમાં ગૌચરની જમીન ઉદ્યોગોને આપવાના મુદ્દે તંત્રને ફટકાર લગાવી હોવાની ચર્ચા અને જગનમોહન રેડ્ડીના પેલેસની માન્યતાના મુદ્દાની ચર્ચામાં સમાનતા એ છે કે સરકારો રાજકીય હિતો માટે જનહિતોની બલી ચડાવવામાં જરાયે અચકાતી હોતી નથી, જે તે આ કિસ્સાઓમાંથી ફલિત થાય છે.
દક્ષિણ ગુજરાતના એક આઈએએસ સસ્પેન્ડ થયા પછી ગુજરાતમાં ઘણાં જમીન કૌભાંડોની ચર્ચા થવા લાગી છે, અને હવે તો આ પ્રકારના કૌભાંડો અદાલતની અટારીએ પણ પહોંચવા લાગ્યા છે.
ગુજરાતની હાઈકોર્ટે કચ્છના કલેકટર તંત્ર દ્વારા નાળ ગામના ૧૦૭ હેકટર ગૌચરની જમીન અદાણી ગ્રુપને એસઈઝેડ (સેઝ) માટે આપવાના મુદ્દે સરકાર અને કલેકટરતંત્રની જે ઝાટકણી કાઢી છે, તે જોતાં આ પ્રકારની ગોબાચારીની સિસ્ટમ હવે ખૂબ જ મજબૂત બની ગઈ હોવાનું પુરવાર થાય છે. અહેવાલો મુજબ અદાલતે ગૌચરની જમીનનો વિકલ્પ આપ્યા વિના ઔદ્યોગિક જૂથને ફાળવાયેલી જમીનના મુદ્દે થયેલી જાહેર હિતની અરજીના મુદ્દે એડિશનલ એડવોકેટ જનરલને સરકારના પ્રતિનિધિ હોવા છતાં ઉદ્યોગપતિની વકિલાત કરવાના મુદ્દે કથિત ફટકાર લગાવી હોવાનો મુદ્દો રાજકીય વર્તુળોમાં પણ પડઘાઈ રહ્યો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે જાયે તો જાયે કર્હાં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે વિશ્વ યોગ દિવસ છે, અને દુનિયાભરમાં સંયુકત રાષ્ટ્રસંઘમાં ૧૭૭ દેશોના સમર્થન સાથે શરૂ થયેલા ઈન્ટરનેશનલ યોગા ડે એટલે કે વિશ્વ યોગ દિવસનો દાયકો પણ ઉજવાઈ રહ્યો છે. કારણ કે આ દસમો વિશ્વ યોગ દિવસ છે.
આજે રાષ્ટ્રીયકક્ષાનો વિશ્વ યોગ દિવસ જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયો, તે પહેલાં ત્યાં મેઘ મહેર પણ થઈ, તો બીજી તરફ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે યોજાઈ રહેલા યોગાના કાર્યક્રમોના અહેવાલો પણ ઘણાં જ પ્રેરણાદાયી છે. આજે 'યોગા' વૈશ્વિક કક્ષાએ ઉજવાઈ રહ્યો છે, જે આજે જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી સમગ્ર વિશ્વને યોગ દિવસની શુભકામનાઓની સાથે સાથે વસુદ્યૈવકુટુમ્બકમ્નો સંદેશ પણ વહેતો કરાયો જે ઘણો જ સાંકેતિક અને સૂચક છે.
ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થઈ અને જામનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી ક્રિકેટ બંગલામાં તથા શહેરની ઉજવણી તળાવની પાળે થઈ, અને તેમાં મંત્રી, સાંસદ, મેયર સહિતના સ્થાનિક મહાનુભાવો જોડાયા, તેવી જ રીતે હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર યોગ દિવસ ઉજવાયો, અને યોગગુરૂનો તથા ધર્મગુરૂઓ દ્વારા દેશભરની ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં પણ યોગ દિવસ ઉજવાયો.
આ વખતે યોગ દિવસનું થીમ પણ ઘણું જ પ્રેરણાદાયી અને સમયોચિત રખાયુ છે. 'યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી' એટલે કે 'સ્વયં અને સમાજ માટે યોગ' એ વિષય પર આજે વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે.
યોગથી વ્યક્તિગત રીતે તો ઘણાં જ ફાયદા થાય છે અને શરીર, મન, મગજ અને મનોવૃત્તિની જમબૂતિ વધે છે, તથા વ્યક્તિત્વ પણ વિકસે છે, તે તો હવે સર્વવિદિત છે, પરંતુ આ બાબતે 'સ્વયં' અથવા 'સેલ્ફ'ની સાથે સાથે 'સોસાયટી' એટલે કે 'સમાજ' માટે યોગાનો જે નવો વિષય રખાયો છે, તે ઘણો જ વ્યાપક છે તથા વર્તમાન સંઘર્ષમય અને યુદ્ધ, અશાંતિ, હિંસા, આતંકવાદ, નકસલવાદ તથા કુદરતી આફતો સમયે ઝઝુમતા વિશ્વ માટે આ સબ્જેકટ ઘણો જ સાંપ્રત, પ્રસ્તૂત અને સમયોચિત પથદર્શક છે.
'યોગ ભગાયે રોગ' ના મર્યાદિત સુત્રમાંથી હવે યોગા વૈશ્વિક સંદર્ભોમાં બહુહેતુક બની ગયો છે. યોગ રોગ ભગાડવા ઉપરાંત રોગ થતાં જ અટકાવવા, તન ને દુરસ્ત કરવાની સાથે સાથે મનને પણ દુરસ્ત બનાવે છે. વ્યક્તિગત શારીરિક અને માનસિક ક્ષમતા વધારે છે, એટલું જ નહીં, યોગ અને મેડિટેશનના માધ્યમથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ભેદભાવ વગર પોતાની પરિવારની અને સમગ્ર સમાજને સાંકળીને સમગ્ર સંસારની તંદુરસ્તી તથા મનદુરસ્તી પણ વધારે છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
આજે શ્રીનગરમાં યોગદિનના પ્રારંભે વડાપ્રધાને યોગાના ફાયદા વર્ણાવ્યા અને મનની એકાગ્રતા, શારીરિક સ્વાસ્થ્ય તથા સામાજિક એકતા માટે યોગાની ભૂમિકા વર્ણવીને વિશ્વના ઘણાં દેશોમાં યોગાની વિસ્તરેલી પ્રવૃત્તિઓ, છેલ્લા દશ વર્ષથી યોગાની રેકોર્ડબ્રેક આગેકૂચ, આર્મી, સ્પોર્ટ્સ , સ્પેસ અને એજ્યુકેશનમાં યોગાની વધેલી પ્રવૃત્તિઓ, યોગાના ઉપયોગ અને સફળ પ્રયોગની સાથે પ્રાકૃતિકનો સંયોગ વ્યક્તિ અને સમાજમાં યોગા, મેડિટેશનના કારણે વધતી સકારાત્મકતા તથા એકતા, યોગા ઈકોનોમિ, યોગ ઈન્સ્ટિટ્યુશન્સ અને યોગાનું ઈન્ટરનેશનલ સંચલન, વ્યક્તિ અને સમાજમાં પ્રોડકિટવિટી, સહનશીલતા તથા પોઝિવિટીના વિકાસનું વર્ણન કરીને જમ્મુ-કશ્મીરમાં પ૦ થી ૬૦ લાખ લોકોના સામૂહિક યોગા સહિત આજે થઈ રહેલા વૈશ્વિક ઉજવણીનો ચિતાર આપ્યો તે, ઘણો જ સૂચક, દિશાસૂચક અને ચિંતનયોગ્ય જણાયો, ખાસ કરીને 'સ્વ અને સમાજ' માટે યોગનંુ થીમ વધુ પથદર્શક જણાયુ.
ભારત-પાકિસ્તાનની સરહદે નડા બેટ પર ગુજરાત સરકારે રાજ્યકક્ષાની ઉજવણી કરી, તેવી જ રીતે વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરમાં વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં ભાગ લીધો, અને દેશના સરહદી વિસ્તારો, હિમાલય અને દરિયાઈ વિસ્તારોમાં પણ યોગા દિવસની ઉજવણી થઈ, અને 'સ્વયં અને સમાજ માટે યોગ' ના માધ્યમથી સકારાત્મકતા અને એકજૂથતાનો સંદેશ અપાયો તે પણ ઘણો જ પ્રેરક, સૂચક અને સામયિક છે, ખરું ને?
માધવાણી પરિવાર અને નોબત પરિવાર પ્રિય વાચકો, 'નોબત' ની સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની વેફરના પેકેટમાંથી ફ્રાઈ દેડકા જેવું કાંઈક મળ્યાની ફરિયાદ ઉઠી અને તપાસ શરૂ થઈ. એ પહેલા એક ખ્યાતનામ પીઝામાં જંતુ નીકળવાની રાવ પણ ઉઠી હતી. જો કે, તે સમયે પણ તપાસની વાતો થઈ હતી. તાજેતરમાં મીડિયામાં કોઈને કોઈ ખાદ્ય પદાર્થો કે ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરેમાંથી મરેલા જીવ-જંતુ કે અન્ય ચીજો નીકળી રહી હોવાના અહેવાલો છાશવારે આવતા રહે છે. રાજ્યના એક પ્રતિષ્ઠિત કંપનીની આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાની ચર્ચા પણ તાજેતરમાં જ ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
આ પ્રકારની ફરિયાદો ઉઠે છે, નમુના લેવાય છે, લેબોરેટરીમાં તપાસ માટે મોકલાય છે, ત્યાં સુધી તો આ પ્રકારની ઘટનાઓ ચર્ચામાં રહે છે. જૂજ કિસ્સાઓમાં એવા અહેવાલો પણ આવે છે કે ફરિયાદ તથ્યપૂર્ણ નીકળી અને વિતરક, પ્રોડકટના ઉત્પાદક કે જવાબદારો સામે કેસ નોંધાયો, પરંતુ કન્વીકશન એટલે કે પુરવાર થયેલા કિસ્સામાં કોને કેટલી સજા અને દંડ થયા, તેની ખબર નહીંવત જ પડે છે, કારણ કે જેટલી તીવ્રતાથી આવી ગરબડ કે બેદરકારી પકડાય, ત્યારે ઉહાપોહ કે રજૂઆતો થાય છે, તેટલી તીવ્રતા તેના પછી રહેતી જણાતી નથી, આમાં લોકોની ભૂલી જવાની આદત, ખૂબી કે ખામી ને જવાબદાર ગણાવી કે આવી ઘટના પછી તેને 'કવર' કે 'મેનેજ' કરીને ડેમેજ કંટ્રોલ કરવાની 'આવડત'ને 'યશભાગી' ઠેરવવી, તે વિચારવું પડે તેમ છે, ખરું ને?
આ પ્રકારે ખાવા-પીવાની ચીજોના ભેળસેળ જ નહીં, પરંતુ આરોગ્યને જોખમાવે તેવી ઘોર બેદરકારીના ઘણાં કિસ્સાઓ આપણે વર્ષોથી સાંભળતા રહીએ છીએ, અને આ ધૃણાસ્પદ બેદરકારી પાત્ર આપણાં નગર કે નેશન સુધી મર્યાદિત નથી,પરંતુ ભ્રષ્ટાચારની જેમ જ વિશ્વવ્યાપી છે.
માર્કેટમાં પેકીંગમાં મળતી ચીજ-વસ્તુઓમાંથી મરેલા જીવડા, ઉંદર, ગરોળી, કાનખજૂરો, દેડકો, વંદો, ફુગ વગેરે નીકળવાની ઘણી બધી ઘટનાઓ ચર્ચાસ્પદ બની હતી. પહેલાં તો લોકલ પ્રોડકટ અને સ્થાનિક કક્ષાએ બનતા બરફ, ઠંડાપીણા, કૂલ્ફી, આઈસ્ક્રીમ કે ભોજનની થાળી કે અલ્પાહારમાં આવી રીતે જીવડા કે મરેલા જીવો નીકળે, તેની ફરિયાદો થતી હતી, પરંતુ હવે તો વિખ્યાત બ્રાન્ડેડ અને વિવિધ એવોર્ડ મળ્યા હોય, તેવી કંપનીઓના પ્રોડકટ પણ આ ગોઝારી ગરબડમાંથી બાકાત રહ્યા નથી.
જામનગરમાં જ નહીં, ગુજરાત અને દેશના વિવિધ સ્થળેથી ઠંડાપીણા, આઈસ્ક્રીમ કે પેક્ડ ફૂડ, પીઝા, કેન્ડી વગેરે ખાદ્યચીજો તથા બરફ, ચા-કોફી કે અલ્પાહારમાંથી મરેલા જીવ-જંતુઓ મળવાની ઘટનાઓ અત્યારે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગઈ છે, અને દેશના વિવિધ સ્થળે બનેલી આ પ્રકારની ઘટનાઓ અત્યારે પ્રેસ-મીડિયામાં મુખ્ય ચર્ચાનો વિષય છે.
થોડા સમય પહેલાં એક બેંગ્લુરૂનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં એવી ફરિયાદ ઉઠી હતી કે એક કસ્ટમરે ઓનલાઈન એકસબોકસ કંટ્રોલર મંગાવ્યું હતું, અને તેનું પાર્સલ આવ્યુ તો તેમાંથી ફૂંફાડા મારતો સાપ નીકળ્યો હતો. પ્રારંભમાં ગલ્લા-તલ્લા કર્યા પછી સંબંધિત કંપનીએ આ બોસક પરત મંગાવી કસ્ટમરને વળતર પણ આપવું પડ્યું અને સાપને સલામત સ્થળે છોડવા પણ જવું પડ્યું!
આમ, ખાવા-પીવાની ચીજો જ નહીં, પરંતુ અન્ય પ્રોડકટ્સમાં પણ જીવતા કે મરેલા જીવ-જંતુઓ નીકળી શકે છે. ઘણી વખત ઓર્ડર કર્યા પછી ફોન કે રિસ્ટવોચના બદલે કાંઈક બીજું જ નીકળી પડે કે ઈંટ-પથ્થરનું પાર્સલ મોકલી દેવાયું હોય, તેવી ફરિયાદો પણ ઉઠતી જ હોય છે ને?
પહેલાના જમાનામાં જ્યારે અખબારો મર્યાદિત હતાં, ફોટોગ્રાફી લિમિટેડ હતી અને ગ્રાહકોની જાગૃતિ પણ નહીંવત હતી, ત્યારે આ પ્રકારના ગોરખધંધા કે બેદરકારી ચાલી જતી હતી અને બહુ ઉહાપોહ થતો નહોતો, પરંતુ જ્યારે આ પ્રકારની તસ્વીરો અખબારોના પાને છપાતી, ત્યારે પ્રચંડ જનાક્રોશ જાગતો હતો. હજુ પણ અખબારોમાં છપાતી તસ્વીરો વધુ વિશ્વસનિય ગણાય છે, કારણ કે વીડિયોઝ વગેરે ફોલ્સ હોઈ શકે ડોકટર્ડ કરી શકાય, પરંતુ અખબારી તસ્વીરો દસ્તાવેજી પુરાવા જેવી જ ગણાય છે, તેથી વધુ વિશ્વસનિય હોવાનો દાવો થતો રહે છે, તેમાં તથ્ય પણ છે. બીજી તરફ ફોલ્સ કે ડોકટર્ડ વીડિયોનું ટેસ્ટીંગ પણ થઈ શકતું હોય છે અને 'ફેક ન્યૂઝ'નો સિક્કો મારીને તે પણ પ્રદર્શિત કરવામાં આવતું હોય છે, તેવી દલીલ પણ થતી હોય છે જે હોય તે ખરું, પરંતુ ભ્રામક અને ફેઈક ન્યૂઝ પણ પ્રવર્તમાન સમયની ટેકનોલોજીકલ ભેળસેળ જ ગણી શકાય, ખરું ને?
અત્યારે સોશ્યલ મીડિયાના યુગમાં તો હવે કાંઈ પણ છુપુ રહી જ શકતું હોતું નથી, અને અનેક પ્રકારના ઘટસ્ફોટ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ થઈ રહ્યા છે. કેટલાક ઘટસ્ફોટ તો એવા હોય છે કે સરકારોને પણ હચમચાવી દેતા હોય છે, તો ઘણાં વિસ્ફોટ તથ્યો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવતા હોય છે. આમ, સોશ્યલ મીડિયાની પણ સિક્કાની જેમ જ બે બાજુ છે.. નેગેટીવ એન્ડ પોઝિટિવ... રાઈટ?
તાજેતરમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી જ પ્રકાશમાં આવેલી એક ઘટના ઘણી જ ચર્ચાસ્પદ બની હતી, જેમાં એક ચોક્કસ બ્રાન્ડની સીરપની બોટલમાંથી મરેલો ઉંદરડો નીકળી પડ્યો હતો!
મહિલા કસ્ટમરે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો, અને આ ઉંદરડો સંબંધિત કંપનીને સોશ્યલ મીડિયાના માધ્યમથી જ દેખાડ્યો, ત્યારે કંપનીએ દિલગીરી વ્યક્ત કરી હતી, અને મરેલો ઉંદરડો અને સીરપની બોટલ પરત મંગાવી લીધી હતી.
અત્યારે કોઈ ચીજવસ્તુ શુદ્ધ મળતી નથી, તેવું આપણે બધા રોજેરોજ બોલીએ છીએ. મરી-મસાલા, દૂધ-દહીં-છાસ, ફળો, શાકભાજી, ખાદ્યચીજો, ઠંડા પીણા, પેક્ડ પ્રોડકટ્સ.. બધામાં ભેળસેળની ફરિયાદો તો દાયકાઓથી ક્રમશઃ વધી રહી છે, તેમાં હવે આ પ્રકારની લોકોના જીવન સાથે ખિલવાડ કરતી ઘટનાઓ વધી રહી છે, ત્યારે જંગી પગાર ખાતા સંબંધિત વિભાગોના અધિકારીઓ, અને તેનો સ્ટાફ, લોકોએ વિશ્વાસ મૂકીને ચૂંટેલા જનપ્રતિનિધિઓ અને તેમાંથી બનેલા હોદ્દેદારો, પક્ષ-વિપક્ષ તથા સરકાર કરે છે શું? તેવો સવાલ પણ ઉઠે છે.
પોલિટિકલ, ભાવનાત્મક મુદ્દે રેલીઓ કાઢતા, પૂતળા બાળતા અને આક્રમક બનતા અહિંસક ચળવળકારોએ આ પ્રકારની લાપરવાહી, ભેળસેળ તથા લોકોની જિંદગી સાથે ખેલતા પરિબળો સામે પણ એટલી જ તીવ્રતા દેખાડવી જોઈએ, અને માત્ર પોલિટિકલ વેન્ડેટા માટે કઠોર બનતી 'સિસ્ટમો તથા આઈટેમો'ને પણ આ પ્રકારની લોકહિતની ચળવળોના માર્ગે વાળવી જોઈએ, તેમ નથી લાગતું? સબ કો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ચોમાસું આવે અને વરસાદ શરૂ થાય, ત્યારે મજા પડી જાય, પરંતુ પ્રારંભિક વરસાદ પછી દર વર્ષે ઉત્પન્ન થતી કેટલીક શાશ્વત સમસ્યાઓ સળવળવા લાગે, ત્યારે થોડી ઘણી પરેશાની થાય કે વધુ હાલાકી ભોગવવી પડે. ઘણી વખત આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી અને પંચાયતોથી પાર્લામેન્ટ સુધી પડઘાયો હશે, પરંતુ સત્તાપરિવર્તનો પછી પણ શાશ્વત રહેતી કેટલીક સમસ્યાઓ જાણે કે અમરપટ્ટો લખાવીને આવી હોય તેમ યથાવત જ રહેતી હોય છે, અને પ્રજા પરેશાન જ થતી રહેતી હોય છે.
જલભરાવ, ગંદકી, કાદવ-કીચડ અને ગટરો છલકાવા જેવી સમસ્યાઓથી તો જાણે જનતા ટેવાઈ જ ગઈ છે,પરંતુ હવે તો ઋતુચક્રની સાથે સાથે કેટલીક નવી નવી સમસ્યાઓ પણ ઊભી થવા લાગી છે, જે સરળતાથી ઉકેલી શકાય તેવી હોવા છતાં તકલાદી તંત્રો, સૂસ્ત શાસકો અને બોદી સિસ્ટમ્સના કારણે હંમેશાં માટે અટ્ટહાસ્ય કરતી જ રહે છે, જેમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહીનું અનોખું સંયોજન જવાબદાર હોય છે, ખરી વાત છે ને?
હવે તો વિકાસની આડઅસરોમાંથી નવી સમસ્યાઓ પણ જન્મી રહી છે, વિવિધ કામો માટે થયેલા ખોદકામ પછી તે જગ્યાને પુનઃ સમતળ કરવામાં ચાલતી પોલંપોલના કારણે પ્રથમ વરસાદ થતાં જ ત્યાં પુનઃ ખાડા-ચીરોડા પડી જાય અને તેમાં વરસાદી પાણી ભરાઈ જાય, જેથી પરિવહન અને આવાગમન તો અવરોધાતું જ હોય છે, પરંતુ આ નવસર્જિત ગંદકી નવી બીમારીઓ અથવા રોગચાળાનું માધ્યમ બનતી હોય છે, પરંતુ કોઈ વીઆઈપી આવે, ત્યારે તેઓ જે માર્ગેથી પસાર થવાના હોય, તેવા સ્થળો-માર્ગો ચોખ્ખા-ચણાક જેવા સાફ કરીને ત્યાં કોઈપણ કારણ વગર દેખાડો કરવા ખાતર જ દવાઓનો છંટકાવ કરતા તંત્રો પ્રારંભિક વરસાદ પછી ઊભી થતી સ્થિતિમાં તત્કાળ સાફસફાઈ કરાવીને સાર્વત્રિક જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ફોગીંગ કરવા અંગે તત્કાળ કોઈ કાર્યવાહી કરતા હોતા નથી, અથવા દેખાવ ખાતર થોડી નાટકબાજી કરીને કામ ચલાવી લેવામાં આવતું હોય તેમ જણાય છે.
દેશમાં લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રીય કક્ષાએ જનતાની તાકાત રાજનેતાઓએ જોઈ જ લીધી હશે, અને હવે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે શાસકપક્ષો તથા વિપક્ષોએ એ સમજી લેવું પડશે કે માત્ર ગ્લોબલ સિદ્ધિઓ કે ભાવનાત્મક મુદ્દાઓના સથવારે હવે ચૂંટણીઓ જીતી શકાતી નથી, પરંતુ મૂળભૂત જમીની સમસ્યાઓ લોકોની પાયાની જરૂરિયાતો તથા અપેક્ષાઓને પણ ધ્યાને લેવી જ પડે અને તેના સંદર્ભે લોકોને સંતોષ થાય તેવા કદમ ઉઠાવવા જ પડે તેમ છે.
ગુજરાતમાં તો રાજ્યના મતદારોએ વિધાનસભામાં ૧પ૬ બેઠકો આપ્યા પછી લોકસભામાં નેશનલ કક્ષાએ બદલાયેલા માહોલ વચ્ચે પણ ભાજપને ર૬ માંથી રપ બેઠકો આપી છે, ત્યારે રાજ્ય સરકારની જ નહીં, પરંતુ ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ત્રિસ્તરિય પંચાયતો, પાલિકાઓ તથા મહાનગર પાલિકાઓની જવાબદારી પણ જનતા પ્રત્યે વધી જાય છે, અને લોકોની મૂળભૂત જરૂરિયાતો, માળખાકીય સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટે પણ ઈલેકશન ફેઈમ ચેતના જાગવી જરૂરી છે, તેમ નથી લાગતુ?
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી ગ્રામ પંચાયતોમાં તો રાજકીય ધોરણે ચૂંટણી નહીં લડાતી હોવા છતાં તેમાં હવે મોટાભાગે રાજકીય પક્ષો પ્રેરિત પેનલો જ ભાગ લેતી હોય છે, તેના સહિત પાલિકા-મહાપાલિકાઓ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થાય, ત્યારે જો વિપક્ષી ગઠબંધનો રખડતા ઢોરની સમસ્યા, આવારા કૂતરાઓનો ત્રાસ અને સિઝનલ ગંદકી તથા સ્થાનિક ભ્રષ્ટાચાર-હપ્તા પદ્ધતિ નાબૂદ કરવાની 'ગેરંટી' આપે તો તે કદાચ જંગી બહુમતીથી જીતી જશે, કારણ કે આ તમામ શાશ્વત સમસ્યાઓનો તોડ ત્રણ-ચાર દાયકાથી રાજ્યમાં ટોપ-ટુ-બોટમ સત્તા ભોગવતા શાસકો કાઢી જ શકયા નથી!
એક કહેવત છે કે 'તમે બધા જ લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકતા નથી', આ કહેવત સાંપ્રત સંજોગો તથા પ્રવર્તમાન સમસ્યાઓના પરિપેક્ષ્યમાં આબેહૂબ બંધ બેસતી થાય છે, ખરૃં ને?
છેલ્લા બે દિવસથી યાત્રાધામ દ્વારકામાં એક મહિલા સફાઈકર્મીને એક ઢોરે મોટા શિંગડાથી ફંગોળીને કેવી રીતે ઈજાગ્રસ્ત કરી, તેના દૃશ્યો તથા અહેવાલોની સાથે સાથે જામનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં જાહેર માર્ગો પર પરસ્પર શિંગડા ભેરવીને યુદ્ધે ચડેલા આખલા, રખડૂ ઢોરના કારણે કેટલાક લોકોએ ગુમાવેલા જીવ તથા આવારા કૂતરાઓ કરડતા માસુમોની દયનીય સ્થિતિના અદૃશ્ય સમાચારો પણ પ્રસારિત અને પ્રસિદ્ધ થઈ રહ્યા છે, આ સમસ્યા કાયમી ધોરણે ઉકેલવાની 'ગેરંટી' કોઈ આપી શકશે ખરું અને તે પછી તેનું પાલન કરી શકશે ખરૃં?
અત્યારે પંચાયતો-પાલિકા-મહાપાલિકાઓમાં જેનું શાસન છે, તે શાસકો લોકોની આ મૂળભૂત સમસ્યાઓ ઉકેલીને તથા બુનિયાદી જરૂરિયાતો-સુવિધાઓ પૂરી પાડીને વધુ પાંચ વર્ષ શાસનની 'જનગેરંટી' મેળવી શકે છે, પરંતુ છેલ્લા ઘણાં દાયકાઓથી શાસનમાં રહેલા પ્રવર્તમાન શાસકો જો આ સમસ્યાઓ ઉકેલી શકતા ન હોય, તો આ સમસ્યાઓ ઉકેલવાની વિશ્વસનિય રીતે 'ગેરંટી' જો વિપક્ષી ગઠબંધનો કે પેનલો આપશે, તો તેને પાંચ વર્ષ માટે શાસનધૂરા સોંપવાનો જનાદેશ આપવાની 'જનગેરંટી'પણ મળી શકે છે, વર્તમાન શાસકો માટે આ અવસર છે અને વિપક્ષ માટે આ સત્તા મેળવવાનું ઓજાર બની શકે છે. ખરૃં ને?
વીઆઈપી તથા વીવીઆઈપીને કેન્દ્રમાં રાખીને જ આપણી સિસ્ટમો ચાલતી હોય તેમ જણાય છે. સત્તારૂઢ થયેલા લોકો કેજરીવાલની જેમ 'શિશ મહેલો'તથા જગનમોહન રેડ્ડીની જેમ 'પેલેસો' બનાવે છે, પરંતુ રસ્તા રઝળતા લોકોને રહેવાનું ગમે, તેવા સેલ્ટર હાઉસ બનાવીને કે બન્યા પછી સંચાલિત કરાવી શકતા નથી. એક ચેક લેવા પ્રજાના પૈસે ચાલતી અલગ-અલગ ગાડીઓ લઈને ગાંધીનગર જતાં મહાનુભાવો શહેરોમાં લોકોને હડફેટે લેતા રખડતા ઢોરની સમસ્યા હલ કરી શકતા હોતા નથી. 'વિશેષ મહાનુભાવો'ની આડે એકાદું કૂતરૃં, વાંદરો કે રખડતુ ઢોર આવી ન જાય, તેના માટે સુરક્ષા જવાનોના ખડકલા કરતા તંત્રો નાના કર્મચારી કે સામાન્ય નાગરિકોના જીવ જાય, તેવા જોખમી સ્થળો પર પૂરતો બંદોબસ્ત કરી શકતા નથી, કે આખલા, આવારા કૂતરા અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપી શકતા નથી, હવે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની જ રાહ જોવી પડશે, કે તે પહેલાં આંખ ઉઘડશે??
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વરસાદની આગાહીઓ થવા લાગી છે અને હાલાર સહિત રાજ્યમાં ઘણાં સ્થળે વરસાદ વરસી પણ રહ્યો છે. મેઘમહેર થતા કેટલાક વિસ્તારોમાં ઠંડક થઈ ગઈ તો કેટલાક સ્થળે જનજીવનને થોડી ઘણી અસર થઈ, પરંતુ મીઠા મધ ને મીઠા મેહુલા રે લોલ' મુજબ ચોમાસાના પડઘમે સૌને પ્રફુલ્લિત તો કરી જ દીધા હશેને!
હજુ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે અને આજથી હળવો-મધ્યમ વરસાદ આવતીકાલે આગળ વધશે અને ર૦-ર૧ તારીખ સુધીમાં સાર્વત્રિક ચોમાસુ જામશે, તેવા અનુમાન સાથે એવું ફોરકાસ્ટ થયું છે કે કેરળ અને સૌરાષ્ટ્ર નજીકના દરિયામાં બે સાયકલોનિક સરક્યૂલેશન સિસ્ટમ્સ સર્જાઈ હોવાથી આગામી ૬ દિવસમાં કાંઠાળ રાજ્યોમાં દે ધનાધન વરસાદ પડશે.
એક તરફ ચોમાસાના પડઘમ ગુંજી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં રાજનીતિ પણ કરવટ બદલી રહી છે, ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ હવે કેન્દ્રીય મંત્રી બની ગયા છે, તેઓને જળશક્તિ મંત્રાલય, સોંપાયુ છે.
દિલ્હીથી તેઓ ગુજરાતમાં પરત આવ્યા પછી એક તરફ તેઓ હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની ભૂમિકા પણ ભજવી રહ્યા છે, તો બીજી તરફ મેઘરાજાનું પણ ગુજરાતમાં આગમન થતાં જળમંત્રી અને મેઘરાજાનો આગમનનો અજબ-ગજબ સંયોગ પણ રહ્યો છે, તેવી વ્યંગવાણી સાથે રાજ્યમાં હાલની પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ રાજ્યમાં વર્તમાન જળસ્થિતિ, જરૂરિયાતો તથા વોટર મેનેજમેન્ટનો કોઈ નેશનલ રોડમેપ રાષ્ટ્રીય સંદર્ભમાં બનાવ્યો હશે કે કેમ, તે હવે ખબર પડે, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે તેઓએ પોતાની સક્રિયતા જરૂર દેખાડી દીધી છે, જેથી એમ પણ કહી શકાય કે પાટીલ સાહેબ અત્યારે ડબલ રોલમાં છે!
દેશમાં એકંદરે વરસાદ ઓછો થયો છે અને કેટલાક રાજ્યોમાં ઘણો વધુ વરસાદ તો ઘણાં રાજ્યોમાં વરસાદની ઘટ હોવાથી ઊભી થનારી સ્થિતિ અંગે કેન્દ્રીય જળમંત્રાલયે કોઈ સમીક્ષા કરી છે કે પ્રિ-પ્લાન બનાવ્યો છે કે નહીં, તેની તો ખબર નહીં, પણ રાજ્યમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા પ્રવકતાઓએ કેવી રીતે વર્તવું, શું બોલવું અને શું ન બોલવું, તેની જો ચોક્કસ સૂચનાઓ અપાઈ હોય તો એવું કહી શકાય કે બેવડી ભૂમિકામાં રહેતા ફિલ્મ અદાકારોનો ઝુકાવ પણ 'અસલ પાત્ર' સાથે જ રહેતો હોય છે, તેવું જ પોલિટિકસમાં પણ હોવું જોઈએ.
જો કે, રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રજાની પરેશાનીઓ, સાંપ્રતા, સમસ્યાઓ અને લોકોની અપેક્ષાઓ કરતા વધુ ઝુકાવ રાજનીતિ તરફ જ જોવા મળી રહ્યો હોય તેમ કેટલાક રાજ્યોની આગામી વિધાનસભાઓની ચૂંટણીઓની તૈયારી થવા લાગી છે. ભારતીય જનતાપક્ષે તો કેટલાક રાજ્યોમાં પ્રભારીઓ સહ-પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે, હવે સવાલ એ ઉઠે છે કે પ્રભારી-સહપ્રભારી તરીકે નિમાયેલા મંત્રીઓ પોત-પોતાની મંત્રી તરીકેની ફરજો ને પ્રાયોરીટી આપશે કે પછી પાર્ટીને વિધાનસભામાં જીતાડવાની ગોઠવણો કરવાનું કામ અગ્રતાક્રમે કરશે? જવાબ બધા જાણે જ છે... ખરું ને? ઓપન સિક્રેટ...!
અહેવાલો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પણ ભૂમિકા અદા કરી હતી. એવું કહેવાય છે કે આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના જીતેલા સાંસદો તથા હારેલા એક ઉમેદવાર સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે કલાકો સુધી માથાપચ્ચી કરી હતી. આ પ્રકારની સમીક્ષા થાય તે સ્વાભાવિક છે, પરંતુ એ દરમિયાન જે કાંઈ સૂચનાઓ અપાઈ હોવાની ચર્ચા છે તે ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
એવું કહેવાય છે કે આ બેઠકમાં સાંસદો-નેતાઓને એવી સૂચના અપાઈ કે મીડિયા સમક્ષ પાર્ટી કે સરકાર અંગે કાંઈ બોલવાનું નથી. લોકસંપર્ક કરીને ફરિયાદો-પ્રશ્નો અને પ્રજાકીય પ્રશ્નો સરકારને તથા પાર્ટીના પ્રશ્નો સંગઠન સમક્ષ જ રજૂ કરવા જોઈએ, અને પદની, પક્ષની તથા સરકારની ગરિમા જળવાઈ રહે, તેવા જ નિવેદનો કરવા જોઈએ આને કહેવાય માઉથલોક એટલે કે મોઢે તાળા!!
એવું પણ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કદમ ઉઠાવવાનું નક્કી થયંુ હતું અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનાર સામે લેખિત રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
જો કે આ બેઠક વિષે સંગઠન, સરકાર કે પ્રવકતાઓ તરફથી કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ આ વિષય રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હવે જળશક્તિ મંત્રી તરીકે સી.આર.પાટીલના અભિગમ તથા સક્રિયતાનો મુદ્દો ઉછળ્યો છે, તેના સંદર્ભે પાર્ટી કે સરકાર તરફથી કેવા નિવેદનો આવે છે, તે જોવાનું રહ્યું!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વર્ષાઋતુના પ્રારંભે એક તરફ કેટલાક સ્થળે સારો વરસાદ પડ્યો છે પરંતુ ગુજરાતના દ્વારકા તરફના દરિયાકાંઠેથી વિશાળ પ્રમાણમાં ડ્રગ્સના કોથળા મળી આવે, લાખો રૂપિયામાં 'નીટ' ના પ્રશ્નપેપરો વેચાયા હોવાના આક્ષેપોની તપાસ મંગાય, દેશના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પણ તીવ્ર તંગી હોય, મણીપુરના મુદ્દે હવે સંઘપ્રમુખે પણ સવાલો ઉઠાવ્યા હોય, ઈવીએમની વિશ્વસનિયતા પર એક વખત ફરીથી આક્ષેપો થઈ રહ્યા હોય, અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં અબજોના કૌભાંડના તાજા અને તમતમતા આક્ષેપો કરી રહ્યા હોય, ત્યારે બીજી તરફ સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે કે યે સબ કયા હો રહા હૈ?
રાજકીય ક્ષેત્રે થતી ઉથલપાથલોના કેટલાક ચોક્કસ સમાચારો પ્લાન્ટ થતા હોય, નેરેટીવ સેટ થતા હોય, ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક સંકુલોનો સંબંધિત કયા અહેવાલો વધુ ઉછાળવા અને કયા અહેવાલો દબાવી દેવા, તેના નીતિનિર્ધારણો પ્રત્યે અંગૂલીનિર્દેશો ઉચ્ચસ્તર સુધી થતા હોય અને પ્રચાર અને પ્રસિદ્ધિના નામે ફોલ્સ ફેફટ અને પ્રોપાગન્ડાના કારસા રચવાના પ્રયાસો કે પ્રયોગો થતા હોય, ત્યારે કોઈ પણ સાચા દેશભકતોની આંતરડી કકડતી જ હોય, પરંતુ એ પ્રકારે વિચારતા અને પોતાનું વ્યક્તિગત જીવન પણ એ જ વિચારોને અનુરૂપ જીવતા હોય, તેવા દેશ ભકતો કેટલા! આ યુગમાં અલ્પમતમાં હોય, તેને જીવ બાળવા સિવાય કાંઈ કરવાનું કયાં રહે છે, ખરુંને?
દેશમાં હજુ પણ અદાલતો, ન્યાયતંત્ર, બંધારણીય સંસ્થાઓ તથા પ્રેસ-મીડિયા દ્વારા દેશના હિતો, રાષ્ટ્રીય ભાવનાઓ તથા લોકલક્ષી તથા ન્યાયલક્ષી અભિગમો ધબકી રહ્યા છે, અને તે કારણે જ બંધારણ તથા આપણા ગૌવવંતા ભારત ની ગરિમા આજપર્યંત જળવાઈ રહી છે, અને દેશની પરિપકવ જનતા પણ ચૂંટણીઓના માધ્યમથી યોગ્ય રીતે શાસકો તથા વિપક્ષોને તેની યોગ્યતા મુજબના જ જનાદેશ આપતી રહી છે. આમ છતાં જનતાની આ સમજદારીને પોત-પોતાની રીતે મૂલ્યાંકન કરીને હજુ પણ પોતાની જ રેકર્ડ (કેસેટ) વગાડતા રહેતા એ નેતાઓએ સમજી લેવું જોઈએ કે આ દેશની જનતા પૂરેપૂરી પરિપકવ છે અને દેશની આઝાદીની તથા દેશહિતોની રક્ષા કરવા માટે પૂરેપૂરી સક્ષમ છે.
એક તરફ લોકસભાના અધ્યક્ષ કોણ થશે તેની માથાપચ્ચી થઈ રહી છે, અને બીજી તરફ મહારાષ્ટ્રમાં વિકાસ અઘાડી અને એનડીએની સ્પર્ધામાં એનડીએને મહારાષ્ટ્રની જનતાનો જનાદેશ મળશે, તેવી પ્રફુલ્લ પટેલની ભવિષ્યવાણીને ઈન્ડિયા ગઠબંધનવાળા ફગાવી રહ્યા છે, તો બીજી તરફ શિવસેના ઉદ્વવજૂથના બોલકા નેતા સંજય રાઉતે એક અલગ જ પ્રકારની ભવિષ્યવાળી કરીને સનસાટી ફેલાવી દીધી છે. તેમણે એવી ભવિષ્યવાળી કરી છે કે કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર થોડા દિવસોની મહેમાન છે, અને ટૂંક સમયમાં ગબડી પડવાની છે. તેમણે ભાજપ પોતાના સાથીદાર પક્ષોને જ તોડી રહ્યો હોવાનું જણાવી નાયડૂ અને નિતીશકુમાર પણ થોડા સમયમાં ભાજપનો સાથ છોડી દેશે, તેવા મંતવ્ય સાથે તીખાતમતમતા પ્રહારો પણ કર્યા હતાં.
એલન મસ્કે ઈવીએમને મેનેજ કરી શકાય છે, તેવું નિવેદન આપ્યુ, જ્યારે રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લેકબોકસ ગણાવ્યું, ત્યારે ભાજપની બ્રિગેડ આ બન્ને પર તૂટી પડી અને ત્યાં સુધી કહી દીધુ કે એલન મસ્કને ભારતના ઈવીએમ વિષે કાંઈ જ ખબર નથી, અને જો ઈવીએમ બ્લેકબોકસ હોય તો રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં જીત્યા, ત્યાં શું બેલેટપેપરથી મતદાન થયું હતું કે પછી ઈવીએમ 'મેનેજ' કરવાનું તેઓ પણ શિખી લાવ્યા છે? ઘણી વખત બે બુનિયાદ આક્ષેપ સામે સવાલો ઉઠાવતા નેતાઓ વિશ્વસનિય નથી, તેવું જણાવતા નેતાઓ સ્વયં પણ એવા નિવેદનો આપતા હોય છે કે 'સેલ્ફ ગોલ' થઈ જાય, ખરું ને ? એનડીએ ના હાલના સાથીદારના પક્ષોને પોતાની આપવીતિ સંભળાવતા ભૂતકાળના સાથીદારો વ્યંગ્યમાં એવું પણ કહેતા સંભળાય છે કે 'ઐસા કોઈ સગા નહીં, જિસે ઉસને (ભાજપને) ઠગા નહીં!!?
જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આંતકવાદી ઘટનાઓ વધવા લાગી તો વિપક્ષોએ પ્રશ્ન કર્યો કે યે કયા હો રહા હૈ? જેનો જવાબ આપતા અમિત શાહે આ અંગેની એક બેઠકમાં કહ્યું કે આતંકવાદીઓ અને તેના સમર્થકોને કડક હાથે ડામી દેવામાં આવશે, ત્યારે જનતા સવાલ ઉઠાવે છે કે રાહ કોની જૂઓ છો? પીઓકે ક્યારે પાછું લેશો?
એક તરફ એલન મસ્ક અને રાહુલ ગાંધીના નિવેદનો પછી તમામ વિપક્ષી નેતાઓએ પણ નિવેદનો કર્યા, તો ચૂંટણીપંચે સ્પષ્ટપણે ભારપૂર્વક આક્ષેપોને નકારી કાઢ્યા, ત્યારે લોકોને પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અબ કયા હોગા ? એનડીએના પ્રવકતાઓ કહી રહ્યા છે કે આપણા દેશના નેતાઓને આ વિષયમાં કાંઈ પણ જાણતા નથી, તેવા વિદેશી ઉદ્યોગપતિ પર વિશ્વાસ છે, પણ દેશના એ ચૂંટણીપંચ પર નથી, જેમણે એક વખત ફરીથી તટસ્થ ચૂંટણીનું પ્રમાણ આપ્યુ છે અને વિપક્ષોને મજબૂતી મળી છે,..!
ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજ્ય સરકાર પર કરેલા નવા આક્ષેપો તથા રાષ્ટ્રીય રાજનીતિની સાર્વત્રિક ચર્ચા છે, પરંતુ રાષ્ટ્રીયકક્ષાએ પીવાના પાણીની સ્થિતિની વધુ ચર્ચા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં લોકો વરસાદના પડઘમ અને મેઘો મંડાયા પછી હવે ચોમાસું કેવું રહેશે, અને વર્ષ કેવું જશે, તેની વધુ ચર્ચા કરી રહ્યા છે... અને સવાલ પૂછે છે કે 'અબ કયા હોગા?'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તપાસ પહેલાં જ કલીનચીટ કેમ ? લાંચ આપનારને પણ ટ્રેપમાં પકડાવો... ભ્રષ્ટાચારની પકડ ઢીલી કરવાના ઉપાયો...

સુરજકરાડી જેવા નાના ટાઉનમાં સીબીઆઈનો દરોડો પડે. કે દેશમાં પાંચ રાજ્યોની ૧૪ જગ્યાએ તપાસ કરીને પ૭૦૦ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ર૬ કૌભાંડિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર ફાટે, ત્યારે ભ્રષ્ટાચાર કયાં કયાં સુધી ફેલાયેલો છે, તેથી ખબર પડે. ભ્રષ્ટ તંત્રોના પાપે જ હરણી, ઝુલતો મોરબીનો બ્રિજ, રાજકોટના ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટનાઓમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ જાય, છતાં 'સિસ્ટમ' સુધરવાનું નામ જ લેતી નથી.
આ 'સિસ્ટમમાં માત્ર સરકારી-અર્ધસરકારી તંત્રો જ નહીં, બેન્કીંગ સેકટર, શાસકો-પ્રશાસકો, સંસ્થાઓ, રાજકારણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનો અને હવે તો એનજીઓઝ સુધી આ સડો વ્યાપી રહ્યો છે, અને ટોપ-ટુ-બોટમ વ્યવસ્થાઓને ભ્રષ્ટ કરે છે.
એવું નથી કે સિસ્ટમમાં પ્રમાણિકતા, નૈતિકતા અને ઔચિત્યનો સદંતર અભાવ છે, પરંતુ કૌભાંડિયો સડો સમગ્ર સિસ્ટમને ભ્રષ્ટ બનાવીને ખોખલી કરવા જઈ રહ્યો છે, ત્યારે જો આપણે ચૂપ બેસી રહેશું તો ભવિષ્યમાં આપણે ખૂબ પસ્તાવુ પડશે અને ભાવિપેઢીને સહન કરવું પડશે, ખરું ને ?
એન્ટી કરપ્શન બ્યુરો, સીબીઆઈ, વિજિલન્સ તથા ખાતાકીય તપાસ એજન્સીઓ કાર્યરત હોવા છતાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવવાના બદલે વધુને વધુ ફેલાતો જ જતો હોય તો આત્મમંથન કરવાની કોને જરૂર છે ? તે કહેવાની જરૂર ખરી?
પંચાયતોથી માંડીને કેન્દ્રીય કક્ષા સુધી ભ્રષ્ટાચારના આટલા બધા કેસ નોંધાતા હોય, છતાં જો કન્વેકશન રેઈટ એટલે કે તેઓને સજાનું પ્રમાણ જેટલું વધવું જોઈએ, તેટલું વધતું ન હોય, તો ખામી કયાં છે? તે શોધીને તેના ઉપાયો કરવા જોઈએ. ગયા વર્ષે સંસદમાં થયેલી એક પ્રશ્નોત્તરી દરમિયાન એવો દાવો કરાયો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં સીબીઆઈ દ્વારા કરાયેલા કેસોમાં ૬૮ થી ૭પ ટકા આરોપો સાબિત થયા હતાં, પરંતુ તે પૈકી ભ્રષ્ટાચારના કેસો કેટલા હતા અને તે પૈકી કેટલા કેસોમાં સજા થઈ, તેમાં ઉંડા ઉતરીયે તો આશ્ચર્યજનક તારણો નીકળી શકે.
જમીન કૌભાંડમાં દક્ષિણ ગુજરાતના એક જિલ્લાના કલેકટર સસ્પેન્ડ થયા પછી એક બીજા આઈએએસ સામે પણ એ જ પ્રકારના કૌભાંડની તપાસ તોળાઈ રહેલી હોય અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રેવન્યૂ સેક્રેટરીઓને સાથે રાખીને કરાયેલી સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મામલતદાર કક્ષાએ થતી ગોબાચારી પણ પકડાતી હોય, અને રાષ્ટ્રીય કક્ષાએ 'નીટ' ના કૌભાંડના દેશવ્યાપી પડઘા પડી રહ્યા હોય, ત્યારે ભ્રષ્ટાચારના ભોરીંગની પકડ કેટલી મજબૂત અને વ્યાપક છે, તેનો ખ્યાલ આવી જવો જોઈએ, અને સ્વયં લોકોએ હવે આ ભોરીંગની પકડ ઢીલી કરવા આગળ આવવું જોઈએ તેમ નથી લાગતું ?
'નીટ' જેવા કેસમાં હજુ તપાસ ચાલી રહી હોય, સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હોય અને જવાબ મંગાયો હોય, તેવા તબક્કે કેન્દ્રીય મંત્રી દ્વારા 'કલીનચીટ' અપાઈ રહી હોય, તેવા નિવેદનો શું સૂચવે છે? જરા વિચારો...
ભારતમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિ નિયમ-૧૯૮૮ હેઠળ ભ્રષ્ટાચાર નિવારણના કાયદાઓ-નિયમો ઘડાયા છે અને રાજ્ય તથા કેન્દ્રીય કક્ષાએ તપાસ એજન્સીઓ પણ કાર્યરત છે. આ કાયદાઓમાં વર્ષ -ર૦૧૮ માં વ્યાપક સુધારાઓ કરાયા હતા અને લાંચ આપનાર તથા લેનાર બન્નેને દોષિત ઠરાવીને ભ્રષ્ટાચારના આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા સુધીના પ્રાવધાનો કરાયા હતા, તેમ છતાં ભ્રષ્ટાચાર ઘટવાના બદલે દિન-પ્રતિદિન વધી જ રહ્યો છે, તેના કેટલાક કારણો તો 'ઓપન સિક્રેટ' જેવા જ છે, પરંતુ કેટલાક નીતિગત કારણો તથા જનમાનસમાં જ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનીને આ બદીને મળી રહેલી સ્વીકૃતિ પણ એટલી જ જવાબદાર છે, તેમ નથી લાગતું?
જેવી રીતે ભ્રષ્ટાચારીઓને વધુમાં વધુ પ્રમાણમાં પકડાવી દેવા માટે જનતાએ જાગૃત થઈને એસીબી તથા સીબીઆઈ જેવી એજન્સીઓમાં ફરિયાદો નોંધાવવા આગળ આવવું જરૂરી છે, તેવી જ રીતે ભ્રષ્ટાચારની રીતરસમો અપનાવીને પોતાનું કામ કઢાવવા માંગતા પરિબળો-કૌભાંડિયાઓ દ્વારા જયારે કોઈપણ સરકારી અધિકારી, કર્મચારી, પદાધિકારી, બેન્કીંગ ક્ષેત્રના અધિકારી, અર્ધસરકારી તંત્રો-નિગમો-કોર્પોરેશનો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કે મંત્રી સમક્ષ લાંચ-રૂશ્વત કે પ્રલોભનની ઓફર થાય, ત્યારે તેવા કૌભાંડિયાઓને લાંચ આપવાના ગૂન્હામાં 'છટકાં' ગોઠવીને પકડી ન શકાય?
જ્યારે લાંચ આપવી અને લેવી એ બન્ને પ્રક્રિયા ગુન્હો બનતી હોય ત્યારે લાંચ આપવા માંગતા ઈસમો-પરીબળોની સામે એસીબી, સીબીઆઈ કે વિજિલન્સમાં ફરિયાદ કરવાની ઝુંબેશ પણ સતત ચલાવવી જોઈએ, તો જ ભ્રષ્ટાચારના ભોરીંગની પકડ ઢીલી પડી શકે છે.
જો અમરેલીમાં સ્વૈચ્છિક બદલી ઈચ્છતા શિક્ષકે જી.જી. હોસ્પિટલના પટાવાળા સામે ફરિયાદ જ ન કરી હોત, તો એક ઓર્ગેનાઈઝ્ડ કૌભાંડ બહાર જ આવ્યું ન હોત, જ્યાં સુધી લાંચ લેનારા ઉપરાંત લાંચ આપનારા પરિબળોમાં પણ કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી લાંચિયા બાબુઓ (અને હવે નેતાઓ પણ) લાંચ લેતા જ રહેશે. 'સિસ્ટમ'માં મોજુદ 'પ્રામાણિકો' એ પણ કૌભાંડિયાઓ તથા લાંચ આપવા ઈચ્છતા લોકોને ચાલાકીપૂર્વક એસીબી જેવી એજન્સીઓના માધ્યમથી જ સપડાવીને તેઓને સજા કરાવવાનું દેશવ્યાપી અભિયાન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?
આ પ્રકારનું અભિયાન ચલાવવું સરળ પણ નથી. ઘણું જ મુશ્કેલ અને પડકારરૂપ આ અભિયાન સાહસ અને પ્રબળ ઈચ્છાશક્તિ માંગી લ્યે તેવું છે. એમ પણ કહી શકાય કે ફાટેલા આભમાં થીંગડાં મારવા જેવું છે, પરંતુ અસંભવ તો નથી જ ને? આ પ્રકારના અભિયાનો જ જનક્રાન્તિમાં ફેરવાઈને આખા ફાટેલા નભને બદલાવી નાખવાની તાકાત પણ ધરાવે છે, તે ઈતિહાસમાં લખાયેલું જ છે ને? લાંચ આપનારાઓને પણ પકડાઈને જેલમાં જવાનો ડર લાગે તેવો માહોલ ઊભો ન થઈ શકે?
જ્યારે આજુબાજુ, ઉપર નીચે, અત્ર-તત્ર-સર્વત્ર ભ્રષ્ટાચારનો ભોરીંગ જ વિંટળાયેલો હોય ત્યારે તેની પકડ ઢીલી કરવા માટે સાર્વત્રિક અને ચોતરફી જોર લગાવવું જ પડે, આ માટે જનતા જાગૃત બને, ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદો અને તેઓને સજા થવાનું પ્રમાણ વધે, કાનૂની અને ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ વધે. લાંચ આપવી અને લેવી એ 'પાપ' છે તેવો સંદેશ ધર્મગુરૂઓ તથા કથાકારો આપવા લાગે, સિસ્ટમમાં રહેલી અને મુંઝારો અનુભવતી 'પ્રામાણિકતા' ને પ્રોત્સાહન અને સહયોગ મળે અને ભ્રષ્ટાચારીઓ (લાંચ આપનાર અને લેનાર) સામે સામાજિક જનચેતના જાગે, તો જ ભ્રષ્ટાચારનો ભોરીંગ નાથી શકાય, અને તે પછી તેને ખતમ કરી શકાય. અન્યથા ભ્રષ્ટાચારનો ભોરીંગ ફૂંફાડા મારતો જ રહેવાનો છે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય સેનામાં અગ્નિપથ યોજનાની ઘોષણા વર્ષ-ર૦રર માં થઈ અને તે પછી ચારવર્ષની મુદ્દત માટે ૩૦ થી ૪૦ હજાર ફિકસ પગારમાં અગ્નિવીરોની ભરતી શરૃ થઈ. આ મુદ્દે વિરોધ ઉઠ્યો અને વિપક્ષોએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. સુપ્રિમકોર્ટ સુધી પહોંચ્યા પછી અગ્નિપથ યોજનાના મુદ્દે સેના અને સરકારના પ્રતિભાવો લેવાયા અને આ યોજના ચાલુ રહી.
લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવ્યો અને ઈન્ડિયા ગઠબંધનના ઘણાં પક્ષોએ તેમાં જોરદાર સુર પુરાવ્યો રાહુલ ગાંધીને જાહેર કર્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે, તો અગ્નિપથ યોજનાને ડસ્ટબીનમાં ફેંકી દેશે એટલે કે રદ કરવો તેમના આ નિવેદનનો પણ જે-તે સમયે જબરદસ્ત વિરોધ થયો, પરંતુ અગ્નિપથ યોજનાનો મુદ્દો યુવાવર્ગમાં વધુ ચર્ચાયો અને આક્રોશ વધ્યો.
તે પછી લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને તેમાં ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાનમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો અને ભારતીય જનતા પક્ષને માત્ર ર૪૦ બેઠકો મળી, તેના મુખ્ય કારણોમાં અગ્નિપથ યોજનાને લઈને યુવાવર્ગમાં પ્રવર્તી રહેલો અસંતોષ પણ સામેલ છે.
જ્યારે આ યોજના લાગુ થઈ હતી ત્યારે પણ દેશભરમાં પ્રબળ વિરોધ થયો હતો ટ્રેનો સળગાવાઈ હતી અને યુવાનો સડકો પર ઉતર્યા હતાં. હિંસક આંદોલનો થયા હતા જેને દબાવી દેવાયા હતા અને સત્તાના જોરે યુવાવર્ગનો આક્રોશ કચડી નખાયો હોવાના આક્ષેપો થયા હતા પરંતુ કાનૂની જંગ જીત્યા પછી બધું શાંત થઈ ગયું હોય તેમ લાગ્યુ અને અગ્નિવીરની જગ્યાઓ પર ભરતી થવા માટે હજારો યુવાનો આગળ આપવા લાગ્યા અને ભરતી પણ શરૃ થઈ ગઈ, જો કે તે પછી એકજૂથ થયેલા વિપક્ષોએ તથા ખાસ કરીને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ઉછાળ્યો, જેમાં આમ આદમી પાર્ટી સહિતના અન્ય વિપક્ષોએ પણ સૂર પુરાવ્યો, જેનું રાજકીય નુકસાન ભારતીય જનતા પક્ષને થયું. એટલું જ નહીં.. હવે ગઠબંધનની મજબૂરીના કારણે આ મુદ્દે જ મોદી સરકારને પારોઠના પગલાં ભરવા પડી રહ્યા છે અને આ યોજનાની પુનઃ વિચારણા કરીને તેમાં સુધારા-વધારા કરાશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.
આ પીછેહઠ એ સૂચવે છે કે ભારતની જનતા લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ મનસ્વી, જીદ્દી અને તાનાશાહી વલણ સાથેના શાસનને પાઠ ભણાવી શકે છે. એટલું જ નહીં, જનહિતની વિરૃદ્ધમાં ચકાચોંધ ભર્યા પ્રચાર માત્ર ભાવનાત્મક મુદ્દા કે વાયદાઓ (ગેરંટીઓ) પણ કામ લાગી શકે નહીં, અને જનતાની અદાલતમાં અંતિમ ચુકાદો આવે છે, જેનું આ નોંધપાત્ર દૃષ્ટાંત છે, કહેવત છે ને કે વાર્યા ન વરે તે હાર્યા વરે!!
એવું કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી પરત ફરે તે પછી અગ્નિપથ યોજનાનો રિવ્યૂ થશે તે પછી આગામી સંસદીય સત્રમાં જ આ સમગ્ર યોજનામાં ધરમૂળથી બદલાવની જાહેરાત સંસદમાં કરી દેશો તેવા સંકેતો મળી રહ્યા છે.
અગ્નિવીરનો મુદ્દો નીતિશકુમારે તેના પ્રવકતા કે.સી. ત્યાગીના માધ્યમથી લોકોની વચ્ચે ઉઠાવ્યો અને હવે કેન્દ્ર સરકારના દસ સંબંધિત વિભાગોને આંતરિક સમીક્ષાના નિર્દેશો અપાઈ ચૂક્યા છે, સેનામાં રેગ્યૂલર ભરતી થયેલા સૈનિકો તથા અગ્નિવીરોને મળતા લાભો, વેતન, નિવૃત્તના લાભો, રજાઓ, સુવિધાઓ વગેરેનો તફાવત ઘટાડવા અને ટ્રેનીંગ પીરિયડ તથા ચાર વર્ષના બદલે સાત વર્ષની મુદ્દત અને શહીદનો દરજ્જો અપાય તથા નિવૃત્તિ પછી તેઓને અન્યત્ર ચોક્કસપણે સરકારી નોકરી અગ્રતાક્રમે મળે તથા પોષણક્ષમ વળતર પણ મળે, તેવી કોઈ નવી જોગવાઈઓ ઉમેરીને અસંતોષ ખતમ કરવાની ચર્ચા ચાલી રહી છે.
એવું પણ કહેવાય છે કે ભારતીય સેનામાં પણ અગ્નિપથ યોજનાના અમલ પછી તેની અસરો, પરફોર્મન્સ અને જરૃરી સુધારા-વધારાને લઈને આંતરિક સર્વે શરૃ થઈ ગયો છે. સેનાનો સર્વે કેન્દ્રીય મંત્રાલયોની સમીક્ષા અને વિપક્ષોની ધારદાર રજૂઆતો પછી અંતિમ નિર્ણય સંરક્ષણ મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન, સેનાની ત્રણેય પાંખોના વડા તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભલામણોના આધારે લેવાશે તેમ જણાય છે.
આ અંગે કેટલાક પૂર્વ સૈનિકો-અફસરોના પ્રત્યાઘાતો એવા છે કે 'યુવાસેના'ના વાઘા પહેરાવીને કેન્દ્ર સરકારે હકીકતે સેનાના જવાનોને નિવૃત્તિ પછી આપવા પડતા આજીવન પેન્શન અને ભથ્થાનો ખર્ચ ઘટાડવા આ યોજના લાગુ કરી છે. હકીકતે 'યુવાસેના'નો અભિગમ જ નથી, પરંતુ બજેટમાં સંરક્ષણના તોતીંગ ખર્ચમાં કાપ મૂકવાનો આ કિમિયો છે!
યુવાવર્ગના પ્રત્યાઘાતો એવા છે કે દેશ સેવાની સાથે રોજગારીની તકો મળે અને આજીવન દેશની સુરક્ષા માટે યોગદાન આપી શકાય તેવા વિવિધ હેતુઓ સાથે સેનામાં ભરતી થવાનો જુસ્સો કાંઈક ઓર જ હોય છે! માત્ર રોજગારી મેળવવા નહીં પણ દેશભક્તિની ભાવનાથી તરબતર યુવાનોને જો ૬ મહિનાની ટ્રેનીંગ અને ચાર વર્ષની ફરજો બજાવીને તે પછી માત્ર રપ ટકા યુવાનોન જ સેનામાં સેવા કરવાની સંભાવના રહેતી હોય, તો તેથી યુવાવર્ગમાં દ્વિધા પણ ઉત્પન્ન થાય છે, અને દેશભક્તિની મૂળભૂત ભાવનાને પણ ઠેસ પહોંચે છે. એટલું જ નહીં, તે પછી ૭પ ટકા યુવાનોનું ભાવી પણ અનિશ્ચિત રહે છે.
સેનાના પૂર્વ વડાઓએ લખેલા પુસ્તક તથા અન્ય પ્રત્યાઘાતોને ટાંકીને એવી ચર્ચા પણ થઈ રહી છે કે મૂળ પ્રસ્તાવમાં તો અગ્નિવીરોમાંથી ૭પ ટકાને રેગ્યુલર ભરતીમાં સમાવવાની વાત હતી, પરંતુ પાછળથી તેનાથી ઉલટું કરાયું હતું.
હવે અગ્નિવીરોના મુદ્દે સરકારની પીછેહઠ પછી હવે જાતિગત જનગણના અને આરક્ષણના મુદ્દે પણ મોદી સરકારને ઝુકવુ પડી શકે છે. લોકતંત્રમાં સરકારની સત્તાની ચોટલી જનતાના હાથમાં રહે છે, તેના આ દૃષ્ટાંતો છે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સ્ટુડન્ટ સેફટીની ચિંતા અને ફાયર સેફટીના ચેકીંગ વચ્ચે વેકેશન ખુલ્યુ અને શાળાઓ ગુંજતી થઈ પરંતુ કૂવૈતના અગ્નિકાંડે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાનક યાદ તાજી કરાવી દીધી, અને ફાયર સેફટીનો ઈશ્યૂ ઈન્ટરનેશનલ છે, અને આ એક ગ્લોબલ ગોબાચારી છે, તેની સાથે વૈશ્વિક જાગૃતિ અને અત્યંત કડક અંકુશો જરૂરી છે, તે પુરવાર થયુ છે, આ વિષય પર ઈન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા વૈશ્વિક ધોરણે કોઈ માપદંડો નક્કી થવા જોઈએ, તેમ નથી લાગતું ?
આજથી શાળાઓ શરૂ થઈ હોવા છતાં સ્ટુડન્ટ સેફટી અને ફાયર સેફટીના ચાલી રહેલા ચેકીંગ તથા વાલીઓ-શાળા સંચાલકોને સ્ટુડન્ટ સેફટીની વધેલી ચિન્તાના કારણે એક અજીબ પ્રકારની 'દ્વિધા' પ્રવર્તી રહી છે. ફાયર એનઓસી તથા બીયુસી પરમીટ ન હોય, તેવી તમામ ઈમારતો, સંકુલો તથા મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, અને રાજ્યભરમાં આ ઝુંબેશ હેઠળ ર૦૦ થી વધુ શાળાઓ સીલ કરાવી દેવાતા હજારો વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલા શિક્ષણથી વંચિત રહેશે. અને તેના કારણે અભ્યાસમાં ખામી રહેશે તેની જવાબદારી કોની ?
આ પ્રકારના સવાલો વચ્ચે સ્કૂલબસ, સ્કૂલવાન અને સ્કૂલ ઓટોરિક્ષા જેવા પબ્લિક અને પ્રાઈવેટ પરિવહન માધ્યમના સાધનોનું કડક ચેકીંગ થઈ રહ્યું છે. આ ચેકીંગ અનિવાર્ય છે અને તેમાં કોઈપણ બાંધછોડ ચલાવી જ ન લેવાય, પરંતુ આ પ્રકારનું ચેકીંગ કરતા તમામ ટ્રાફિકકર્મીઓ કે ટ્રાફિક સહાયકોને બોડી કેમેરાથી સજજ કરવા, આ પ્રકારનું ચેકીંગ ઠેર-ઠેર પબ્લિકલી લગાવાયેલા સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ જ થાય અને તમામ બોડી કેમેરા તથા સીસીટીવી કેમેરા અને સંલગ્ન સાધનો અપ-ટુ-ડેટ ચાલુ હાલતમાં રહે, તેવી વ્યવસ્થા થાય, તો જ સ્કૂલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું પરિવહન સુરક્ષિત અને સલામત બનશે, અન્યથા ભ્રષ્ટાચારના ભોરીંગો આ તમામ વ્યવસ્થાઓને ઘોળીને પી જશે, તે પણ નક્કી છે.
એક અહેવાલ મુજબ રાજ્યમાં ૩૧ હજારથી વધુ ગવર્નમેન્ટ પ્રાયમરી સ્કૂલ્સ ઉપરાંત આઠ હજાર જેટલી ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ ૪૦ હજારથી વધુ ગવર્નમેન્ટ કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે. તેની જ રીતે સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળીને ૧ર હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. તે પૈકી જે શાળા-મહાશાળાઓ સીલ કરવામાં આવી છે, તેના વિદ્યાર્થીઓના શિક્ષણનો સવાલ ઊભો થયો છે, અને પાડાના વાંકે પખાલીને ડામની કહેવત મુજબ તંત્રો અને શાળા-સંચાલકોના પાપે વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થાય, તેવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે 'ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે' જેવા ઘસાયેલા-પિટાયેલા વાયદાઓ કરતી સરકાર આ તમામ મુદ્દે કોઈ કાયમી કડક અને અસરકારક પોલિસી બનાવીને 'નફ્ફટ સિસ્ટમ' સુધારશે ખરી?
વિદ્યાર્થીઓનું પરિવહન કરતા વાહનોમાં ફાયર સેફટી ઉપરાંત સ્ટુડન્ટ સેફટીનો પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. ખીચોખીચ બાળકોથી ભરેલી ઓટોરિક્ષા કે વેન અને તેની ફરતે ટીંગાયેલા દફતરો, સ્કૂલવેન કે સ્કૂલબસમાં પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ કે પછી તેને ચલાવવાની આવડત ધરાવતા કર્મચારીઓની ઉણપ, આ પ્રકારની તાલીમનો અભાવ, આ પ્રકારના સાધનોની રેગ્યુલર ચકાસણીનો અભાવ તથા એકસ્પાયરી ડેઈટ ધરાવતા અગ્નિશામક સાધનો અંગેની પોલંપોલ દરરોજ ન્યૂઝ ચેનલો અને અખબારો ઉપરાંત સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ ખુલ્લી પડી રહી છે, ત્યારે આ તમામ પ્રકારની સલામતીઓ સુનિશ્ચિત કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ આ કારણે બગડે નહીં, તેની કાળજી પણ લેવી જ પડે તેમ છે, અને આ માટે તંત્રો જ નહીં, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ જાગૃત રહેવું જ પડે છેે.
કૂવૈતની બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક આગના દૃશ્યો કાળજુ કંપાવે તેવા હતા, ત્યાં રોજી રોટી માટે ગયેલા મોટાભાગના ગરીબ શ્રમિક ભારતીયોનો ભોગ લેવાયો, અને આ ઘટનાએ પુરવાર કરી દીધું કે કાગડા બધે જ કાળા છે, અને સ્થળાંતરિત કાળા કાગડા જયાં હોય ત્યાં કાળા કરતૂતો પણ સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે. કાળિયા સાથે ધોળિયો બાંધો, વાન ન આવે, પણ શાન તો આવી જ જાય, તે કહેવત તો સૌએ સાંભળી જ હશેને?
વિદેશમાં કમાવા જવું કે બિઝનેસ, કામ-ધંધો વિસ્તારવો એમાં કોઈ ખોટું નથી, પરંતુ તેના મોહમાં આડેધડ ગમે ત્યાં ગેરકાનૂની કે કાનૂની રીતે દોટ મૂકવી અને પછી શોષણ, અસલામતી અને છેતરપિંડીનો ભોગ બનવું, એ એક પ્રકારની મૂર્ખામી છે, તેમ નથી લાગતુ ?
વિશ્વના જુદા જુદા દેશોમાં જુદા જુદા કારણે થતી આગ-દુર્ઘટનાઓ અને તેમાં માનવી દ્વારા કૃત્રિમ કારણોસર થતી જાનહાનિના દોષિતો કોણ, તે ઓપન સિક્રેટ છે, અને આ એક ગ્લોબલ ગોબાચારી પણ છે, જેનો ઉકેલ સમગ્ર વિશ્વ સમુદાયે સવેળા શોધવો જ પડશે.. કારણ કે જ્યારે જિંદગી અને પ્રકૃતિની સુરક્ષા અને સલામતીના ભોગે વિકાસ થાય છે, ત્યારે તે ભયંકરરીતે વિનાશક પણ બની શકે છે, અને તેના દૃષ્ટાંતો ગુજરાતથી ગ્લોબલ સુધી આપણી સામે જ છેને?
ભણવું જ છે, આગળ વધવું જ છે, ચલો સ્કૂલ ચલે હમ... બસ એટલું જ વિચારીએ કે સાર્વત્રિક સુરક્ષા અને સલામતિ જળવાઈ રહે.. .અને કયાંય પણ ઉણપ જણાય તો તે ચલાવી લેવાના બદલે અવાજ ઉઠાવીએ.. આપણી ચિન્તા આપણે નહીં કરીએ, તો કોણ કરશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજકોટના ટીઆરપી ગેમઝોનની ગમખ્વાર અને રાજનેતાઓ-પ્રશાસકો માટે ક્ષોભજનક ઘટના પછી રાજ્યભરમાં ફાયર સેફટીનું ચેકીંગ થઈ રહ્યું છે અને આડેધડ સિલીંગ કરવામાં આવી રહ્યું છે. તેવા આક્ષેપો સાથે વ્યવહારૃ અભિગમ અપનાવવાની માંગણી થઈ રહી છે, તો બીજી તરફ ફાયર એનઓસી નહી ધરાવતા એકમોનું સિલીંગ ખોલાવવા માટે આંદોલનો પણ થઈ રહ્યા છે, ત્યારે આ કાર્યવાહી કરતા તંત્રોની કચેરીઓમાં જ લોલંલોલ ચાલી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
બીજી તરફ એસઆઈટી દ્વારા હજુ પણ તપાસ ચાલી રહી છે અને હાઈકોર્ટની સખ્ત ટિપ્પણી પછી પણ આ ઘટનાના સંદર્ભે કોઈ મોટા માથા સામે નોંધપાત્ર પગલા લેવાયા નથી, ત્યારે લોકોને આશંકાઓ જાગે તે સ્વાભાવિક છે.
તંત્રો, નેતાઓ અને કૌભાંડિયાઓ વચ્ચે સાંઠગાંઠ હોય, ત્યારે સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી ઘણાંએ એવા શબ્દો સાંભળ્યા જ હશે કે, 'થોડું ટાઢું પડવા દ્યો ને... હમણાં થોડા મહિના થંભી જાવ... પછી જોઈશું...!'
ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાની વાત હોય, દબાણો દૂર કરવાની ઝુંબેશ હોય, ખાનગી શાળાઓ દ્વારા ચલાવાતી લોલંલોલ હોય, મંજુરી કે લાયસન્સ વગર ચાલતા વાહનો હોય, પ્રદુષણ ફેલાવતા એકમોને નિયંત્રણમાં લાવવાનું અભિગમ હોય, ટ્રાફિક ડ્રાઈવ હોય કે પછી ફાયર સેફટી-વાહન સેફટીનું ચેકીંગ હોય, આ પ્રકારના શબ્દપ્રયોગો ઘણાં એ ઘણી વખત સાંભળ્યા જ હશે ખરું ને?
હકીકતે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી ઢાંકપિછોડો કરવાની મનોવૃત્તિ આઝાદી પછી આપણા દેશમાં અવિરત પનપતી જ રહી છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના, હરણી દુર્ઘટના, તક્ષશીલાની ઘટના, મોરબીનો ડેમ તૂટવાની ઘટના, ભોપાલ ગેસ દુર્ઘટનાથી ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સુધીની સંખ્યાબંધ દુર્ઘટનાઓને કેવી રીતે છાવરી શકાય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
આ પ્રકારની દુર્ઘટનાઓ પછી તપાસના નાટકો થાય, થોડી ઘણી ધરપકડો થાય, મીડિયાવાળાઓ દરરોજ એકટીવ જર્નાલિઝમનો પરિચય કરાવે અને કયારેક બહુ ઉહાપોહ થાય તો કેસ ઝડપથી ચલાવી શકાય, તેવા પ્રયાસો થાય, પરંતુ ભૂલી જવાની જનતાની વિશેષતા (કે બીમારી)ના કારણે થોડા સમયમાં બધંુ 'જૈસે થે' થઈ જતું હોય છે. આ બધું આપણે જાણીએ જ છીએ, પરંતુ આપણે બધા પણ પરોક્ષ રીતે એટલા માટે સહયોગી બનીએ છીએ કે આપણે પણ 'આપણે શું'ની મનોવૃતિ ધરાવીએ છીએ, અથવા તો આપણા પગ તળે રેલો આવે, ત્યારે આપણી ક્રાન્તિકારી વિચારધારા પણ અચાનક આંદોલન કરવા લાગે છે, ખરું કે નહીં ?
'દીવા તળે અંધારૃં'ની જેમ જો આ કાર્યવાહી, ચેકીંગ, સિલીંગ વગેરેની ટીમો મોકલતા ઉચ્ચ અધિકારીઓની પોતાની કચેરીઓમાં તપાસ કરવામાં આવે, તો પણ ઘણાં સ્થળે ફાયરસેફટીના કોઈ ઠેકાણા જ હોતા નથી. એવું કહેવાય છે કે જામનગર મનપાની બિલ્ડીંગમાં પણ ફાયરસેફટીના સાધનો બેકાર પડ્યા છે. જો કે, હવે તેના તરફ તંત્રનું ધ્યાન જતાં થોડી હલચલ થઈ હોવાનું કહેવાય છે.
રાજ્યમાં આ મુદ્દે મોટાભાગના રાજનેતાઓ બહુ કાંઈ બોલતા નથી, અને શાસકો બચાવની મુદ્રામાં છે, ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યમાં ફાયરસેફટીને લઈને સવાલો ઉઠાવ્યા અને જામનગર મનપામાં ફાયર વિભાગની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા છતાં ઓર્ડર અપાયા નથી, તે મુદ્દાઓ ઉઠાવીને શાસકોને આડે હાથ લીધા છે.
તેમણે જામનગરના બ્રાસ ઉદ્યોગની વિશાળતાને અનુરૃપ ફાયર સેફટીની નગરમાં વ્યવસ્થાઓ ચાકસોબંધ રાખવી જોઈએ, તેવું જે સૂચન કર્યું છે તે પણ તંત્રો અને શાસકોએ ગંભીરતાથી લેવું જોઈએ, ખરું ને ?
તમામ સરકારી કચેરીઓ, મનપા, નગરપાલિકાઓ, બોર્ડ-નિગમો, અદાલતી સંકુલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ખાનગી-સરકારી હોસ્પિટલો, આરોગ્યકેન્દ્રો, સહકારી ક્ષેત્રની ઓફિસો, એનજીઓની ઓફિસ તથા બેન્કીંગ સંકુલોમાં ફાયરસેફટી, ઈમરજન્સી એકઝીટ, હવા-ઉજાસ તથા પીવાનું પાણી તથા શૌચાલયોની વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ ? તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, તો ચોંકાવનારી હકીકતો પ્રગટે, તંત્રો આ ઝુંબેશ નહીં ચલાવે, તો પ્રેસ-મીડિયા સાથે મળીને આ પ્રકારની ઝુંબેશ જરૃર ઉપાડશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અદેખાઈ કે અસંતોષ...? એનડીએમાં અડચણ...! હવે હાલાર ગુંજશે સંસદમાં... ગુજરાતમાં કાંઈક મોટું થવાનું છે ?

પહેલા કોળિયે માખી આવે, તેમ અનેડીએ ૩.૦ ના મંત્રીમંડળની શપથવિધિ થઈ અને ખાતાઓની ફાળવણી થઈ, ત્યાં જ વિરોધના સુર ઉઠવા લાગ્યા છે, તો ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ પણ સરકાર અને સંગઠનમાં ધરમૂળથી ફેરફારો થશે, તેવી અટકળો તેજ બની ગઈ છે. હાલારમાં તો લોકસભાની બેઠક જીત્યા પછી ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેટ્રિકની ઉજવણી કરી રહ્યો છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો રોડમેપ પ્રદેશકક્ષાએથી અત્યારથી જ તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા છે.
રાષ્ટ્રીય કક્ષાએ મોદીમંડળ રચાયા પછી અત્યારે ચોતરફ એક જ ચર્ચા છે કે મુખ્યમંત્રી બન્યા ત્યારથી નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારો જ ચલાવતા આવ્યા છે, અને તેઓની કાર્યશૈલી પણ સ્પષ્ટ બહુમતી ધરાવતી એક જ પક્ષની સરકારને અનુરૂપ છે, તેથી હવે ગઠબંધન સરકાર તેઓ સફળતાપૂર્વક ચલાવી શકશે કે કેમ ? તેઓને વી.પી. સિંહ, વાજપેયી, ચરણસિંહ, દેવગૌડા, ચંદ્રશેખર, મનમોહનસિંહની જેમ અન્ય પક્ષોના ટેકાથી સરકાર ચલાવવાની મજબૂરીમાં મક્કમ નિર્ણયોના બદલે બાંધછોડ કરવી જ પડશે ને ? જો તેઓ સર્વસંમતિથી એનડીએની સરકાર ચલાવવામાં સફળ રહેશે, તો સમાન સિવિલ કોડ, પીઓકે પર કબ્જો અને એનઆરસી જેવા મુદ્દે પીછેહઠ પણ કરવી પડશે કે પછી આ તમામ મુદ્દે સાથીદાર પક્ષોને તેઓ વિશ્વાસમાં લઈ શકશે ? વગેરે સવાલો પડઘાઈ રહ્યા છે.
એનસીપીના અજીત પવારે પહેલા કોળિયે માખીની જેમ રોન કાઢી કે પ્રફુલ્લ પટેલ પહેલા કેબિનેટ મિનિસ્ટર હતા, તેથી હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો નહીં સંભાળે, પછી ભલે તે કેબિનેટની સમકક્ષ હોય.
એવી ચણભણ પણ હતી કે પ્રફુલ્લ પટેલને તો સ્વતંત્ર હવાલા સામે પણ વાંધો નહીં હોય, પરંતુ એક મંત્રીપદુ મળવા સામે અજીત પવાર જૂથની અંદર જ એકથી વધુ ઉમેદવારો તલપાપડ હતા, તેથી આંતરવિગ્રહને પ્રફુલ્લભાઈના સ્વાભિમાનનું આવરણ ચઢાવીને અને હાલતુરત હસતા મૂખે રાહ જોવાનું કહીને ઢાંક પિછોડો કરી લીધો, અન્યથા એટલો બધો અસંતોષ જ હોય તો એનડીએમાંથી જ નીકળી ને શરદકાકા સાથે અજીતભાઈ બેસી ગયા હોય ને ? સિમ્પલ..!
ઘણાં લોકો એવું પણ કહે છે કે અજીત પવારને હજી પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓની બીક છે, અન્યથા તેઓ તો કયારના યે એનડીએ છોડીને વર્તમાન સંજોગોમાં શરદકાકાના શરણે ચાલ્યા ગયા હોત... મે બી પોસિબલ...!
અજીતભાઈ એ ભૂલી જાય છે કે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવાની હાયવોયમાં જ બિચારા દેવેન્દ્રભાઈને નાયબ મુખ્યમંત્રી પદે બેસવા મજબૂર કરી દેવાયા, તેમાં તેઓ પણ સહભાગી જ છે ને ? તે કિસ્સામાં પૂર્વ મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રીના પદે હાઈકમાન્ડના આદેશથી (બળજબરીથી) બેસાડી દેવાયા, ત્યારે સાથીદાર પક્ષના સર્વોચ્ચ નેતાનું સ્વાભિમાન આડે ન આવ્યું ? આ બધું જ કયાંક શરદકાકાના ઈશારે તો થઈ રહ્યું નથી ને?
હજુ મંત્રીમંડળને ખાતા જ સોંપાયા છે, ત્યાં એનડીએમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, હવે દેવેન્દ્ર ફડણવીસને 'નૈતિક ક્રૂરતા'થી નાયબ મુખ્યમંત્રી પદે બસાડીને અને પોતાની પાર્ટીને તોડીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેના જૂથે પણ અસંતોષ પ્રગટ કર્યો છે.
મીડિયા અહેવાલો મુજબ શિંદેની શિવસેનાએ ૭ લોકસભા બેઠકો જીતી હોવા છતાં તેમને રાજ્યકક્ષાના મંત્રીનું એક જ પદ મળ્યું, તેનો વસવસો શિંદે ગ્રુપ વ્યકત કરી રહ્યું છે. સ્વતંત્ર પ્રભાર સાથેનું રાજયકક્ષાનું મંત્રીપદ કેબિનેટની સમકક્ષ ન ગણાય, તેમ છતાં શિંદેજુથની નારાજગી કેબિનેટમાં સ્થાન નહીં મળવાના કારણે છે, અને એકાદ-બે બેઠકો ધરાવતી પાર્ટીઓ પૈકી કોઈને કેબિનેટમાં સ્થાન મળ્યું તેનું દૃષ્ટાંત અપાઈ રહ્યું છે, ત્યારે સવાલ એ ઉઠે કે શિંદેગ્રુપને ખરેખર એનડીએના સાથીદાર પક્ષો પ્રત્યે અદેખાઈ થઈ છે કે પછી પીએમ મોદી સામે અસંતોષ છે?
એવું કહેવાય છે કેરળના એક સાંસદને મંત્રી નહોતું બનવું પરંતુ તેઓને પર્સનલી બોલાવીને ધરાર મંત્રી બનાવાયા છે, તો ભાજપના કેટલાક એવા મંત્રીઓને પડતા પણ મૂકાયા છે, જેઓ એનડીએ ર.૦ ની ટર્મમાં પ્રખર મોદી સમર્થક રહ્યા હતા, એટલું જ નહીં ચોવીસેય કલાકના પ્રશંસક પણ રહ્યા હતાં !!
કેન્દ્રીય મંત્રી મંડળમાં સીઆર પાટીલને સ્થાન મળ્યું, તે અપેક્ષિત હતું અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૬ બેઠકો પર વિજય અને કેટલીક સળગતી સમસ્યાઓના સમયે પણ પ્રાદેશિક કક્ષાએ ભાજપને ગતિશીલ રાખવાની પાટીલની કૂનેહના કારણે તેમને કેન્દ્રમાં લઈ જવાયા, તેવો અભિપ્રાય વ્યકત થઈ રહ્યો છે, તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે તેઓને પ્રદેશ પ્રમુખ પદે રિપિટ કરાયા પછી હવે અધવચ્ચેથી કેન્દ્રમાં એટલા માટે લઈ જવાયા કે તેઓ ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદ અને પ્રજાનો પક્ષ પ્રત્યેનો વધતો અણગમો નાથવામાં નિષ્ફળ ગયા છે !
એ જે હોય તે ખરું, પરંતુ હવે પ્રાદેશિક કક્ષાએ ભારતીય જનતા પક્ષનું સુકાન કોને સોંપાશે તેવા સવાલો વચ્ચે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પણ મોટા ફેરફારો તોળાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનું આંદોલન, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના જેવા કારણોસર સરકારની તથા પ્રદેશ ભાજપની છબિને લાગેલો દાગ ભૂંસવા પ્રદેશ કક્ષાએ પણ ધરમૂળથી ફેરફારો થશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, અને પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે મૂળ જામનગરના દિગ્ગજનું નામ પણ ચર્ચામાં છે, તેમ કહેવાય છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલતુરત ભલે જામનગર/હાલારને સ્થાન ન મળ્યું હોય, પરંતુ હાલારની સમસ્યાઓ, માંગણીઓ અને અપેક્ષાઓને લક્ષ્યમાં લઈને સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના ગુજરાતમાંથી ચૂંટાયેલા સભ્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અવાજ ઉઠાવશે, અને હાલારનો અવાજ સંસદમાં અને વિધાનસભામાં વધુ ગુંજતો રહેશે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે અમેરિકાના ન્યૂયોર્કમાં ટોસ હાર્યા પછી બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા ૧૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ ભારતીય બોલરોની કાતિલ બોલીંગના કારણે ટીમ ઈન્ડિયાએ ખૂબ જ રોમાંચક મેચમાં પાકિસ્તાનની ટીમને ૧૧૩ રનમાં પેવેલિયન ભેગી કરીને ૬ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આમ પાકિસ્તાનની ટીમ જીતતા જીતતા હારી ગઈ અને ટીમ ઈન્ડિયા હારતા હારતા જીતી ગઈ તેમ કહી શકાય.
ગઈકાલે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-ર૦ વર્લ્ડકપની મેચ રમાઈ રહી હતી, તે સમયે જ એનડીએ ૩.૦ સરકારની શપથવિધિ પણ થઈ હતી. શપથવિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે જ સમયે ભારત-પાક. ક્રિકેટ મેચનો ટોસ હારીને ટીમ ઈન્ડિયા બેટીંગમાં ઉતરી હતી, તેથી એક અદ્દભુત સંયોગ પણ રચાયો હતો !
ભારતની પોલિટિકસ પીચ પર તો એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે રમાયેલી ઈલેકશન-ર૦ર૪ ની ટુર્નામેન્ટમાં એનડીએ ગઠબંધન બહુમતી ધરાવતું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સળંગ ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચાઈ, પરંતુ અગાઉની બે ટર્મ જેવો ચેમ્પિયને થવાનો આનંદ જણાયો નહોતો કારણ કે આ પહેલાની એનડીએની સરકારમાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે આ વખતે બહુમતીથી ભાજપ ઘણું જ પાછળ રહી ગયું, જેથી નાયડુ-નીતિશના સહારે મોદી સરકારની રચના થઈ છે.
એક તરફ ક્રિકેટમેચનો રોમાંચ હતો, બીજી તરફ ભાજપને બહુમતી નહીં મળી હોવાના વસવસા સાથે મોદી સરકારની ત્રીજી ટર્મ એનડીએના નેજા હેઠળ શરૂ થઈ રહી હતી, તે જ સમયે ગમખ્વાર ખબર આવી કે જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થતા બસ ખાઈમાં પડી ગઈ અને ૧૦ યાત્રિકોના જીવ ગયા, જ્યારે બીજા ૩૩ને ઈજા થઈ હતી.
આ ગમખ્વાર ઘટના પછી કેન્દ્રીય એજન્સીઓ હૂમલાખોરોની તપાસમાં લાગી ગઈ અને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ, અને અમિત શાહે રાબેતા મુજબ આતંકીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે 'તેવું નિવેદન કર્યું, તો બીજી તરફ આતંકવાદ અંકુશમાં હોવાના દાવા કરતી મોદી સરકાર પર પ્રહારો પણ શરૂ થઈ ગયા છે.
ગુજરાતના વિધાનસભા દ્વારા રાજ્યસભાના સભ્ય બનેલા ડો. સુબ્રમણ્યમ્ જયશંકર અને જે.પી. નડ્ડા ઉપરાંત લોકસભામાં ચૂંટાયેલા અમિત શાહ અને મનસુખ માંડવિયા ફરીથી કેન્દ્રીય મંત્રી બન્યા છે. આ ચારેય રિપિટ થશે, તે તો અપેક્ષિત જ હતું, પરંતુ ભાવનગરથી સાંસદ તરીકે પ્રથમ વખત વિજયી બનેલા નીમુબેન બાંભણિયાને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું તે એક સરપ્રાઈઝ ગણાય છે. ગુજરાતમાંથી કોઈ મહિલા સાંસદને મંત્રપદુ મળશે, તેવી વાર્તા થતી હતી, ત્યારે એવો અંદાજ હતો કે જામનગરમાંથી ત્રીજી વખત (ક્ષત્રિય આંદોલનની અસરો વચ્ચે) સારી એવી સરસાઈથી વિજયી બનેલા પૂનમબેન માડમનો ચાન્સ લાગશે, પરંતુ ભાવનગરના સાંસદ નીમુબેનની પસંદગી થઈ. વિશ્લેષકોના મતે નીમુબેન સાડાચાર લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા છે, અને તેઓને બે વખત મેયર તરીકે કામ કરવાનો અનુભવ છે, તેથી તેઓની પસંદગી થઈ હશે, તેથી હવે ગુજરાતના અન્ય મહિલા સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ કે પુનર્ગઠન વખતે ચાન્સ મળે કે સંગઠનમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાય, તેવું પણ બની શકે છે.
ભાજપના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા-બન્ને મોદી મંડળમાં સમાવાયા હોવાથી બન્ને 'સમકક્ષ' બની ગયા છે. એ પણ લોકતંત્રની વિશેષતા જ છે ને ? હવે કોનું મહત્ત્વનું ખાતું છે, તેના પરથી પણ મૂલ્યાંકન થશે, ખરું કે નહીં?
ભારતીય જનતા પક્ષની સિસ્ટમ મુજબ હવે પ્રદેશ ભાજપ પ્રમુખની જગ્યા પાટીલ ખાલી કરશે, તેથી હવે પછી પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ બનશે, તેવી જ રીતે જે.પી. નડ્ડાના સ્થાને રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતાપક્ષનું સુકાન કોણ સંભાળશે, તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. અને થોડા દિવસોમાં જ આ બન્ને જવાબદારીઓ કોઈને સોંપાઈ જશે, તે નક્કી છે.
ગુજરાતના વર્તમાન મંત્રીઓ પૈકી પરસોત્તમ રૂપાલાને પડતા મૂકવાનું કારણ તો બધાને સમજાઈ શકે તેવું છે, પરંતુ દેવુસિંહ ચૌહાણને લઈને અટકળો થઈ રહી છે.
ગઈકાલે હજુ તો મંત્રીમંડળની શપથવિધિ પણ થઈ નહોતી, ત્યારે જ અખિલેશ યાદવે ટ્વીટ કરીને ધડ-માથા વગરની સરકાર બહુ નહીં ટકે - તેવા મતલબની કોઈ શાયરી વહેતી કરી હતી, જ્યારે વિપક્ષો વ્યંગ કરી રહ્યા છે કે આ કાંઈ ભાજપની સરકાર નથી, પરંતુ એનડીએની સરકાર છે, જેનું રિમોટ કંટ્રોલ આંધ્રપ્રદેશ અને બિહારમાં હશે !
એનડીએને બહુમતી મળી, પરંતુ ભાજપ પાછળ રહી ગયુ તેમ છતાં સૌથી મોટો પક્ષ બન્યો હોવાથી ભાજપે પરિણામોના દિવસે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પર ઉજવણી કરી હતી, તે સમયે પોતાના પ્રવચનનો પ્રારંભ 'જય જગન્નાથ'ના ઘોષ સાથે ઓડિસાને યાદ કરીને કર્યો હતો. એ જ જગન્નાથપુરીના એક સન્માનીય સંતને ટાંકીને આજે એવા અહેવાલો આવ્યા છે, જેના દેશવ્યાપી પડઘા પડ્યા છે. લોકસભાના પરિણામોના સંદર્ભે એવું કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રીય નિયમો અને પરંપરાની અવગણના કરીને કરવામાં આવી, તેથી જ અયોધ્યામાં જ ભાજપ હારી ગયુ અને કેન્દ્રમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, અને યોગી-મોદીએ અહંકારની પરાકાષ્ટા પાર કરી હોવાના શબ્દપ્રયોગો સાથે સર્વોચ્ચ કક્ષાના સંતની આ વ્યંગવાણી આજે 'ટોક ઓફ ધ નેશન' બની છે જોઈએ હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બધેલે એવી ચોંકાવનારી આગાહી કરી છે કે આગામી ૬ મહિનાથી એકવર્ષમાં જ દેશમાં મધ્યાવધિ ચૂંટણી થઈ શકે છે, મતલબ કે લોકસભાની ફરીથી ચૂંટણી થઈ શકે છે. મોદી સરકાર સફળ નહીં રહે અને એનડીએ વિખેરાઈ જશે, તેવો સંકેત કરતા તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં યોગીની ખુરશી ખતરામાં છે, તો મહારાષ્ટ્રમાં ફડણવીસ નાયબ મુખ્યમંત્રીપદ છોડવા માંગે છે. જનતાદળ(યુ)ના પ્રવકતા અગ્નિવીર યોજના રદ કરવાની માંગણી કરી રહ્યા છે, તથા જાતિ આધારિત જન ગણના કરવાની માંગણી કરી રહ્યા છે, ઘણાં રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું છે, અને આંતર્વિરોધ વકરી રહ્યો છે તેના તરફ ઈશારો કરતા બધેલે કહ્યું છે કે, વર્તમાન એનડીએ ૩.૦ ની સરકાર પૂરૃં એક વર્ષ પણ નહીં ટકી શકે અને પોતાના ભારથી જ તૂટી પડશે, તે પછી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે મધ્યાવધિ ચૂંટણીઓ થવાની બધેલની ભવિષ્યવાણીના પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પી.એમ.પદેથી મોદીની વિદાય એક વર્ષમાં નક્કી હોવાની કોમેન્ટો પણ થવા લાગી છે.
જો કે, ભારતીય જનતા પક્ષે વળતો પ્રહાર કરતા કહ્યું કે બધેલ ઉઘાડી આંખે સપના જોઈ રહ્યા છે, તે જોયા કરે, પણ એનડીએ ૩.૦ ની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે, અને રાષ્ટ્રના હિતમાં જે નિર્ણયો લેવા પડશે, તે 'વટ'થી લેશે બધેલ છત્તીસગઢમાં પોતાનું ઘર (પક્ષ) સંભાળે વિગેરે...
મીડિયા અને સોશ્યલ મીડિયામાં તો એવા અહેવાલો પણ ચાલી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડિયામાં સામેલ નહોતા તેવા ૧૦ જેટલા સાંસદોએ એનડીએને સમર્થન જાહેર કરી દેતા એનડીએની સંખ્યા ૩૦૩ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મહારાષ્ટ્રના એક નવા અપક્ષ સાંસદે કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસ પણ ત્રણ આંકડામાં પહોંચી ગઈ છે અને સાંસદોની સંખ્યામાં સદી ફટકારીને વધુ મજબુત બની ગઈ છે, એવું કહેવાય છે કે, એનડીએ હજુ પણ પોતાનું બળ વધારવા ઈન્ડિયાના કેટલાક નાના-નાના પક્ષોને ખેંચવાનો પ્રયાસ કરશે તેવી જ રીતે એનડીએના કેટલાક નાના પક્ષો ઈન્ડિયા તરફ ખેંચવાના પ્રયાસો પણ થશે, તેથી હાલમાં તો રાજકીય સ્થિતિ પ્રવાહી જ રહેવાની છે.
મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું સમયસર આવી પહોંચશે, તેવી આગાહીઓ થઈ રહી છે. તથા રાજ્યમાં સુરત સહિતના કેટલાક સ્થળે પ્રિ-મોન્સુન વરસાદ પણ પડી રહ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ પણ બદલાઈ રહ્યો છે, લોકસભાની ચૂંટણીના પરિણામો પછી શરદ પવારની એનસીપીને વધુ બેઠકો મળતા અજીત પવાર જૂથના કેટલાક નેતાઓ 'શરદચાચા' ના શરણે જવા તૈયાર છે અને કેટલાક ધારાસભ્યો પણ પસ્તાઈ રહ્યા છે તેવા અહેવાલો પછી મહારાષ્ટ્રમાં એનડીએ માટે માઠા સમાચાર ગમે ત્યારે આવી શકે છે, તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે, જેને એનડીએના નેતાઓ નકારી રહ્યા છે.
જો કે, શિવસેનાના શિંદેજૂથના સાંસદો તથા ધારાસભ્યો પણ દ્વિધામાં છે અને ઉદ્ધવ ઠાકરે માફ કરી દેશે, તેવા નિવેદનો પણ આવવા લાગ્યા છે. તેથી શિંદે જૂથમાં ગયેલા કેટલાક ધારાસભ્યો ઘરવાપસી કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ગમે ત્યારે જોડાય જાય, તેવા સંકેતો મળી રહ્યા છે.
ભારતીય જનતાપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના ઉપમુખ્યમંત્રી ફડણવીસે કરેલી રાજીનામાની ઓફરને આ ઘટનાક્રમોને સાંકળીને જોઈએ તો મહારાષ્ટ્રની એનડીએની સરકારનું ગમે ત્યારે પતન થાય તેમ છે. આ ઘટનાક્રમોને સાંકળીને પણ લોકસભાની મધ્યાવધિ ચૂંટણીની સંભાવનાઓ જણાવાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના બે ફાડિયા થયા પછી ચૂંટણીપંચે અજીત પવારની એનસીપીને અસલ પાર્ટી ગણાવીને શરદ પવારના જૂથને અલગ નામ અને નિશાન ફાળવ્યા, તેવી જ રીતે શિવસેનાના ફાડિયા થયા પછી પણ ચૂંટણીપંચે શિંદે જૂથની શિવસેનાને અસલ શિવસેના ગણાવીને ઉદ્ધવ જૂથને અલગ નામ અને નિશાન ફાળવ્યા હતાં. બન્ને પાર્ટીના અસલ નામ અને નિશાન અજીત પવાર અને શિંદેજૂથ પાસે જ રહેવા દીધા હતાં.
જો કે, લોકસભાની ચૂંટણીના પરિણામો પછી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તરફી મતદારોનો ઝોક એ પૂરવાર કરે છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે, અને જે નિર્ણયો લીધા છે તે પણ દેશના કાયદાઓ-પરંપરાઓ-બંધારણીય જોગવાઈ મુજબ યોગ્ય હોય, તો પણ આ દેશમાં જનતાની અદાલત સર્વોપરિ છે... રાઈટ?
મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે, તેની ચર્ચા પણ થવા લાગી છે, તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થશે, ત્યારે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષો એકજૂથ રહી શકશે કે કેમ ? તેવા સવાલો પણ આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી પછી ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડ્યા પછી ઉઠવા લાગ્યા છે.
આ વખતે ચોમાસાનો સમયસર પ્રારંભ થશે, અને સારો વરસાદ થશે, તેવી આગાહીઓ થઈ રહી છે અને ગુજરાતમાં પણ ચોમાસું સારું રહેશે, તેવી આગાહીઓ થઈ છે, જ્યારે દેશની રાજનીતિમાં સર્જાઈ રહેલા ઘટનાક્રમો જોતા આગામી એકાદ વર્ષ દરમિયાન જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તેના પરિણામો પછી રાજકીય ક્ષેત્રે પણ પરિવર્તન આવશે કે પછી પૂનરાવર્તન પાક્કુ થઈને પાંચ વર્ષ પૂરા કરશે, તે જોવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે જ જાહેરાત થઈ હતી કે ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત આરબીઆઈના ગવર્નર દ્વારા થશે. મોદી સરકારની બીજી ટર્મ પૂરી થઈ છે અને હવે ગઠબંધન સરકારના વડા તરીકે તેઓ રવિવારે શપથગ્રહણ કરવાના છે તેવા સમયે રેપોરેટ સહિતના ભારતીય રિઝર્વ બેન્કે લીધેલા નિર્ણયો ઘણાં મહત્ત્વપૂર્ણ બની ગયા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી નાખ્યાના સમાચાર પણ ચર્ચામાં છે. 'આપ'ના ગોપાલરાયે જાહેરાત કરી કે અમારું જોડાણ લોકસભાની ચૂંટણી પૂરતું હતું !
આજે આરબીઆઈએ રેપોરેટમાં કોઈ ફેરફાર થયો નહીં હોવાની જાહેરાત કરી છે જેથી રેપોરેટ ૬.પ૦ ટકા યથાવત રહેશે.
એક તરફ આરબીઆઈએ રેપોરેટ સહિત લીધેલા નિર્ણયોની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ કોંગી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર દ્વારા કથિત રીતે આચરાયેલા શેરબજાર કૌભાંડના ગંભીર આક્ષેપો અને તેના જવાબની ચર્ચા પણ પડઘાઈ રહી છે.
ગઈકાલે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના એકઝીટ પોલ્સના દિવસે શેરબજારનો રેકોર્ડબ્રેક ઉછાળો અને પરિણામો આવ્યા તે દિવસે શેરબજારમાં જબરદસ્ત કડાકાને સાંકળીને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને એવો સવાલ ઉઠાવ્યો હતો કે લોકસભાની ચૂંટણી દરમિયાન લોકોને શેરબજારમાં રોકાણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શા માટે કહ્યું હતું ? પરિણામોના દિવસે ચોથી જૂને લોકોના ૩૦ લાખ કરોડથી વધુ રૃપિયાનું ધોવાણ થયું તેની જવાબદારી કોની? આ એક ઈરાદાપૂર્વક આચરાયેલુ કૌભાંડ હતું, અને તે કોના ફાયદા માટે આચરાયુ, તેની તપાસ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટની કમિટીને સોંપવાની માંગણી પણ રાહુલ ગાંધીએ કરી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, અને મોદી સરકાર-૦૩ માટે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે હજુ શપથ નથી લીધા, ત્યાં ગંભીર આક્ષેપો થયા છે.
આ પહેલા પણ મોટા મોટા શેરબજાર કૌભાંડો થયા છે અને તે પછી તેના પર અંકુશ માટે કેટલીક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી અને મોનિટરીંગ તથા મેનેજીંગ સંસ્થાઓની રચના પણ થઈ હતી.
દેશમાં વર્ષ-૧૯૯ર માં આર્થિક ઉદારીકરણનો પ્રારંભ થયો હતો. તે સમયે હર્ષદ મહેતાએ એક મસમોટું શેરબજાર કૌભાંડ કર્યું હતું અને તે પછી વર્ષ-ર૦૦૧ માં પણ કેતન પારેખે શેરબજાર કૌભાંડ કર્યું હતું. આ બન્ને કૌભાંડો માટે જેપીસી દ્વારા તપાસ કરાઈ હતી. કેતન પારેખ કૌભાંડમાં બેન્કો તથા સ્ટોક બ્રોકરોની સાંઠગાંઠના આક્ષેપો થયા હતા. તો હર્ષદ મહેતા કૌભાંડ સંદર્ભે જેપીસીની તપાસ પછી એક વિશેષ કોર્ટની જાહેરાત પણ થઈ હતી, તે પછી એક જેપીસી ની તપાસ વર્ષ-ર૦૦૩માં એક અલગ વિષય સંદર્ભે થઈ હતી, જેમાં સોફટડ્રીન્ક પેસ્ટીસાઈડ્ઝના મુદ્દે આક્ષેપોની તપાસ થઈ હતી. તે પછી તો ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડ, અગસ્તા વેસ્ટ લેન્ડ કૌભાંડની જેપીસી દ્વારા તપાસ મનમોહનસિંહના કાર્યકાળમાં થઈ હતી.
એવું કહેવાય છે કે લોકસભા અને આંધપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી કેન્દ્ર સરકારમાં કિંગમેકર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડૂ પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં આવી ગયા છે, તે પછી કેટલાક શેરોમાં વીસ ટકાનો ઉછાળો આવી ગયો છે, જેથી એવું પુરવાર થાય છે કે રાજકીય હિલચાલની સીધી અસરો સીધી જ શેરબજાર પર થતી હોય છે! અને ભૂતકાળમાં પણ ઘણી વખત, રાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમો, વૈશ્વિક રાજકીય પ્રવાહો, યુદ્ધ, કુદરતી આફતો તથા ઈન્ટરનેશનલ માર્કેટની અસરો પણ સીધી શેરબજાર પર થતી હોય છે, જો કે, પરિણામો પહેલા એકઝીટ પોલ્સના આધારે થયેલો ઉછાળો અને પરિણામો પછી જ્યારે મોદી સરકારને ફટકો પડ્વા લાગ્યો, ત્યારે ૪ થી જૂને શેરબજારમાં થયેલો કડાકો અસાધારણ હતો, તે એક સુઆયોજીત કૌભાંડ હતું તેવો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો.
એક ખાસ પ્રેસકોન્ફરન્સમાં તેમણે કહ્યું કે પી.એમ. નાણામંત્રી અને ગૃહમંત્રીને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે ભાજપને રર૦ ની આજુબાજુ જ બેઠકો મળી રહી છે, તેમ છતાં એકઝીટ પોલ્સ દ્વારા જૂઠાણું ફેલાવાયુ અને એકઝીટ પોલ્સના આધારે શેરબજારે છલાંગ લગાવી અને પરિણામો પછી ધડામ દઈને શેરબજાર પછડાયું, તેથી પાંચ કરોડ જેટલા ઈન્વેસ્ટર્સના ૩૦ લાખ કરોડનું નુકસાન થયું તેથી ફાયદો કોને થયો ? તે જાણવા જેપીસીની તપાસ જરૃરી છે, કારણ કે આ માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં વિગેરે.
રાહુલ ગાંધીના તીખા તમતમતા આક્ષેપોથી તમતમી ઉઠેલા ભારતીય જનતા પક્ષ તરફથી વિપુલ ગોયલ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને રાહુલ ગાંધી પર ઈન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ પરાજ્યને પચાવી શકવાની ક્ષમતા ધરાવતા નથી!
ગોયલે કહ્યું કે દેશભરમાં ભારતીય રોકાણકારો વધ્યા છે, જ્યારે ૧૦ વર્ષ પહેલા યુપીએના શાસનકાળમાં વર્ષ -ર૦૧૪ ના પ્રારંભ સુધી દેશમાં શેરબજારની માર્કેટ કેપ માત્ર ૬૭ લાખ કરોડ આજે વધીને ૪૧પ લાખ કરોડ રૃપિયા છે, અને દસ વર્ષમાં માર્કેટ કેપ વધી છે. ભારત વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને પીએસયુનું માર્કેટ કેપ પણ ચાર ગણુ વધ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો કે એકઝીટ પોલ્સ જાહેર થયા ત્યારે વિદેશી રોકાણકારોએ ઊંચા ભાવે શેરો ખરીદતા તેનો ફાયદો ભારતીય રોકાણકારોને જ થયો હતો.
આ ખુલાસા પછી પણ એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો શેરબજારમાં કોઈ કૌભાંડ થયું જ ન હોય તો યોગ્ય ઓથોરિટી કે જેપીસીની તપાસ સામે વાંધો શું છે? કરી દ્યો નવી સરકાર રચાતા જ પહેલી તપાસની જાહેરાત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો, અને ટી-ર૦ વર્લ્ડકપમાં ભારતે આયર્લેન્ડને હરાવીને બોણી કરી, ગઈકાલે મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવશે, તે નક્કી થઈ જતાં શેરબજાર સુધરી અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ હાલતુરત મજબૂત વિપક્ષ તરીકે કામ કરીને યોગ્ય તકની રાહ જોવાનું નક્કી કર્યું, અને બંધારણને બચાવી લેવાની ખુશી વ્યકત કરી, તે પ્રકારના સકરાત્મક સમાચારો સાથે આજે શનેશ્વરી અમાસની શુભપ્રભાતે ગુજરાતમાં પણ વરસાદની આગાહીના અહેવાલો પણ આવ્યા છે, જો કે, કોંગ્રેસે બંધારણ બચાવી લીધુ હોવાનું જણાવીને એકલા ભાજપને બહુમતીનો આંકડો પ્રાત્ત થયો નથી, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક હાર પણ ગણાવી છે.
લોકસભાની ચૂંટણી પરિણામો, એનડીએના પક્ષો એકજૂથ રહેતા સ્પષ્ટ થતું રાજકીય ચિત્ર અને ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારની થનારી શપથવિધિના સમાચારોની સાથે સાથે કેન્દ્રના મંત્રીમંડળમાં હવે જામનગરને સ્થાન મળશે અને ત્રીજી વખત ચૂંટાયેલા ભાજપના મહિલા સાંસદ પૂનમબેન માડમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેન્દ્રના નવા મંત્રીમંડળમાં સોરાષ્ટ્ર અને ગુજરાતમાં કોને કોને સ્થાન મળી શકે છે અને વર્તમાન મંત્રીઓમાંથી ફરીથી ચૂંટાયેલા કેન્દ્રીયમંત્રીઓમાંથી કોને રિપિટ કરાશે અને કોણ કોણ પડતું મૂકાશે, તેની ચર્ચા પણ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા વિવાદમાં આવેલા કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાનો જંગી બહુમતીથી વિજય થયા પછી તેઓને મંત્રીમંડળમાં રિપિટ કરાશે કે પછી સંગઠનમાં જવાબદારી સોંપાશે, તે અંગેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રખાયેલા ક્ષત્રિય આંદોલન વિષે પણ અટકળો થઈ રહી છે, જોઈએ હવે શું થાય છે તે...
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ જોતા તેઓને ચંદ્રાબાબુ નાયડૂ અને નીતિશકુમાર સાથે કામ કરવું અઘરું પડશે, અને ગમે ત્યારે એનડીએમાં વિઘટન થાય, તો ઈન્ડિયા ગઠબંધનને કેન્દ્રમાં સત્તા મળી જાય, તેવો આશાવાદ છે, તો બીજી તરફ ભાજપ પણ એનડીએને વધુ મજબૂત બનાવવા ઈન્ડિયા ગઠબંધન સાથે રહેલા વિપક્ષો પૈકી ભાજપ સાથે સમાન વિચારધારા અથવા કોંગ્રેસ સાથે જામતુ ન હોય, તેવા પક્ષો સાથે તાલમેલ કરીને કેટલાક નાના-મોટા રાજકીય પક્ષોને એનડીએમાં સમાવવાનો પ્રયાસ કરી શકે છે. આ કારણે વર્તમાન મોદી સરકાર પાંચ વર્ષ પૂરા કરી શકશે કે કેમ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
રાજકીય નિષ્ણાતો એવું માને છે કે કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને જોડ-તોડ કરીને સરકાર રચવાની ઉતાવળ નહીં કરીને શાણપણ દાખવ્યું છે અને એનડીએના વર્તમાન સાથીદાર પક્ષો અને ભાજપ-સંઘની વિચારધારાઓ વચ્ચે આસમાન-જમીનનું અંતર હોવાથી વહેલા-મોડા પણ તીવ્ર મતભેદો ઊભા થવાના જ છે, તેથી થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવાઈ રહી છે, તેને 'પોલિટિકલ વિસ્ડમ' ગણાવાઈ રહ્યું છે. બીજી તરફ નાયડૂ અને નીતિશે મચક નહીં આપી હોવાથી ઈન્ડિયા ગઠબંધનને ના છૂટકે વિપક્ષમાં બેસવાનું હાલ તુરત નક્કી કર્યુ હશે, તેમ જણાવી 'પનો ટૂંકો પડ્યો' અને 'છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે' જેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે. એનડીએ સિવાયના બધા પક્ષો સાથે મળીને પણ બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચતા નથી, અને ઈન્ડિયા ગઠબંધનનો આંકડો પણ ભાજપના ર૪૦ કરતા ઓછો રહી ગયો છે, ત્યારે ૯૯ બેઠકોવાળો પક્ષ પી.એમ. પદના સપના જોઈ રહ્યો છે, તે પ્રકારના વ્યંગ્ય સાથે ભાજપના પ્રવકતાઓ પણ ધાર્યા પરિણામો નથીં આવ્યા હોવાથી બળાપો કાઢી રહ્યા છે. જો કે, કોંગ્રેસને ૯૯ બેઠકો મળી જતા હવે લોકસભામાં 'વટ'થી વિપક્ષના નેતાનું પદ મળશે, તેવો સંતોષ પણ વ્યકત થઈ રહ્યો છે.
હજુ તો એનડીએની બેઠક ખતમ જ થઈ હતી, ત્યારે જ ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડૂની ડીએમકેના વડા સ્ટાલિનની દિલ્હી એરપોર્ટ પર થયેલી મૂલાકાત પણ ચર્ચામાં છે, તેમણે કરેલું ટ્વીટ પણ ઘણું જ સાંકેતિક માનવામાં આવી રહ્યું છે. તે પહેલા પટણાથી એક જ ફલાઈટમાં દિલ્હી આવેલા નીતિશકુમાર-તેજસ્વીની મુલાકાત પણ ચર્ચામાં હતી. આ પ્રકારની આકસ્મિક મુલાકાતોનો પણ રાજકીય ઉપયોગ થઈ શકતો હોવાથી અટકળો થાય, તે સ્વાભાવિક પણ છે ખરું ને?
મહારાષ્ટ્રમાં તો એનડીએમાં જ જબરી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે, ફડણવીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીપદ છોડવાની ઓફર, શિંદેનો જવાબ, અજીત પવારની અવઢવ અને ઉદ્ધવ જૂથને લોકસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સમિકરણો બદલાઈ ગયા છે, અને એનડીએનો સ્વાભાવિક અને જૂનો સાથીદાર રાજકીય પક્ષ શિવસેના એકજૂથ થઈ જાય, કે પછી કેન્દ્રમાં બન્ને શિવસેના એનડીએના સમર્થનમાં આવી જાય, તો વડાપ્રધાન મોદીની સ્થિતિ વધુ મજબૂત થાય અને હિંમતભર્યા નિર્ણયો લઈ શકે, તેવી વાતો વહેતી થઈ છે, ત્યારે અજીત પવાર અને શરદ પવાર ફરી એક થઈ જાય તો ઈન્ડિયા ગઠબંધન વધુ મજબૂત થઈ, તેવી સંભાવનાઓ પણ વ્યકત થઈ રહી છે... એવરી થીંગ ઈઝ પોસીબલ ઈન લવ એન્ડ વોર.. જસ્ટ વેઈટ એન્ડ વોચ... એવી અંગ્રેજી કહેવત અહીં લાગુ પડે કે કેમ? ... વિચારવા જેવું ખરું કે નહીં ?
ગુજરાતમાં મુખ્ય ફાઈટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે છે અને ત્રીજા પક્ષને બહુ સફળતા મળતી નથી, તે ફરી એકવખત પુરવાર થઈ ગયું છે, અને ઈન્ડિયા ગઠબંધન રચાયા પછી કોંગ્રેસને ર૪ અને આમઆદમી પાર્ટીને ર બેઠકો અપાઈ હતી, કોંગ્રેસે તો હેટ્રિકની ભાજપની સંભાવના તોડીને એક બેઠક જીતી લીધી, પરંતુ આમ આદમી પાર્ટી બન્ને બેઠકો હારી ગઈ, તેથી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર રહેવું કે ઈન્ડિયા ગઠબંધનમાં રહેવું, તે નક્કી કરવું પડશે, અને તેવી વિચારણા શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
બીજી તરફ વર્ષ-ર૦૧૪ ની સરખામણીમાં નોટામાં મતદાન વધી રહ્યું હોવાના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ-ર૦૧૪, ર૦૧૯ અને વર્ષ-ર૦ર૪ ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં નોટામાં પડેલા મતોની વધઘટની સમીક્ષા પણ થઈ રહી છે. જો કે, જામનગર બેઠક પર ત્રણેય ચૂંટણીમાં નોટામાં પડેલા મતોમાં ઉત્તરોત્તર વધારો થયો અને આ વખતે પણ ૧૧ હજારથી વધુ મતો નોટામાં ગયા છે, તેની નોંધ લેવી જ પડે, પછી ભલે તેની અસરો પરિણામો પર પડતી હોય છે કે ન હોય!
ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે બળબળતા ઉનાળામાં ખાલી થયેલા જળાશયો અને પાણીની વધતી જરૂરિયાતને ધ્યાને લઈને માસ્ટર પ્લાન અમલમાં મૂકવો જ જોઈએ હાલારની ૧૬ સહિત જ્યારે અઢી ડઝન જેટલા જળાશયો ખાલી હોવાના અહેવાલો તથા ટેન્કરો શરૂ કરવા પડ્યા હોવાના સમાચારો જોતા એવો સવાલ પણ ઉઠે કે નર્મદા ડેમમાં પાણી હોવા છતાં પાણીની તંગી કેમ પડે? આ મિસમેનેજમેન્ટ નથી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશની જનતાએ ફરીથી એક વખત લોકતાંત્રિક સમજદારી અને મતની તાકાતનો પરિચય આપી દીધો છે, અને ભલે પરિવર્તન નહીં, પરંતુ એકંદરે નિરંકુશ શાસન પર લગામ સાથેનો જનાદેશ આપ્યો છે. દેશના મતદારોએ વર્ષ-ર૦૧૪ તથા વર્ષ ર૦૧૯ ની જેમ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી ન આપી અને એનડીએને સાધારણ કહી શકાય તે પ્રકારની બહુમતી આપીને રાજકીય પરિપકવતા અને શાસનના મૂલ્યાંકનની નિપુણતા દર્શાવી છે. વિશ્વભરમાં આ કારણે આપણાં દેશની લોકતાંત્રિક વ્યવસ્થાની ગૌરવપૂર્ણ ચર્ચા પણ થવા લાગી છે.
એવું કહી શકાય કે ભલ અત્યારે વડાપ્રધાન તરીકે મોદી શપથગ્રહણ કરી લેશે, તો પણ જે રીતે તમામ નિર્ણયો તેઓ લઈ શકતા હતા, તેવા નિર્ણયો હવે લઈ શકશે નહીં, અને ગઠબંધનને વિશ્વાસમાં લેવું જ પડશે, ચંદ્રાબાબુ નાયડુ વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી, ત્યારે જે રીતે વર્ત્યા હતા, તેને યાદ કરીને ઘણાં વિશ્લેષકો એવું પણ માને છે કે મોદી અને ચંદ્રબાબુની કાર્યપદ્ધતિ, માનસિકતા અને વિચારધારા વચ્ચે તો મેળ જ નથી, તે ઉપરાંત વ્યક્તિગત રીતે પણ આ બન્ને મહાનુભાવો વચ્ચે તાલમેલ બેસવો અઘરો છે.
બીજી તરફ પલટુરામ અને પલટીમાર નેતા તરીકે ઓળખાતા (વગોવાયેલા) નીતિશ કુમાર પણ ગમે ત્યારે પોતાના રાજકીય હિતો માટે બંધારણ કે જાતિ ગણના જેવા મુદ્દા આગળ ધરીને એનડીએ છોડીને ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જાય તેવા છે, આ કારણે કેટલાક પોલિટિકલ પંડિતો એવું માને છે કે કાં તો મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી ભાજપનું કદ વધારવા માટે ઓપરેશન લોટ્સ ચલાવશે અથવા તો પોતાની આગવી ઢબે શાસન ચલાવી નહીં શકે...
ગઈકાલે કોંગ્રેસે તો એવા સંકેતો આપી જ દીધા હતા કે કેટલાક એનડીએના હાલના મિત્રોને મનાવીને ઈન્ડિયામાં લાવી શકાય તેમ છે, તેથી ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર રચી શકે છે.
એ નક્કી છે કે ભારતીય જનતા પક્ષ હવે આ પ્રકારની પીછેહઠનું ગૂપચૂપ મૂલ્યાંકન કરશે અને એનડીએના અન્ય સાથીદારોને સાચવી રાખવા ઉપરાંત ઈન્ડિયાના કોઈ સાથીદારોને એનડીએમાં સામેલ કરવાના પ્રયાસો પણ થશે, તેથી હજુ પણ પ્રવાહી સ્થિતિ છે અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, તેમ માની શકાય.
ભાજપને હુંકાર અને ઘમંડ નડી ગયો છે અને શિવસેના, અકાલીદળ જેવા સાથીદારો તથા બીજેડી જેવા જરૂર પડ્યે પડખે ઊભા રહેતા પક્ષો સાથે ભાજપે કરેલા વ્યવહાર પછી કોઈ અન્ય પક્ષને ભરોસો બેસે તેમ નહીં હોવાનો અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે.
જો કે, હાલ તુરત તો કેન્દ્રમાં 'થ્રી એન'ની બોલબાલા રહેવાની છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોતાની કાર્યપદ્ધતિ બદલવી પડશે, તેવી ટકોર થઈ રહી છે, જો વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, તો નરેન્દ્ર-નીતિશ-નાયડૂની 'થ્રી એન'ની ત્રિપુટીના નેતૃત્વમાં એનડીએ શાસન કરશે, તેવા એંધાણ ગઈકાલે મળ્યા હતા, હવે આજે સાંજ સુધીમાં શું થાય છે, તે જોવાનું રહે છે, કારણ કે મોદીને શપથ લેતા જ અટકાવવા ઈન્ડિયા ગઠબંધને પણ કોઈ ગૂપ્ત રણનીતિ અપનાવી છે અને શપથવિધિ થાય તે પહેલાં જ ચોંકાવનારો ધડાકો કરશે તેવી વાતો ગઈકાલે વહેતી થઈ છે.
અહીં જામનગરમાં ત્રીજી વખત વિજય મેળવ્યા પછી પૂનમબેન માડમે દ્વારકાધીશને દ્વારકા જઈને શિશ નમાવ્યુ, અને સન્માનભરી લીડથી જીતીને ક્ષત્રિય આંદોલન જેવા અવરોધો છતાં દબદબો જાળવી રાખ્યો, તેની ચર્ચા થઈ રહી છે, અને હવે કેન્દ્રના મંત્રીમંડળમાં પૂનમબેન માડમને સ્થાન મળી શકે તેવી શકયતાઓ વ્યકત થઇ રહી છે, તો કોંગ્રેસ ગુજરાતમાં ગેનીબેન ચૌધરીના વિજયથી ઉત્સાહિત છે, અને કમ-સે-કમ ગુજરાતની તમામ ર૬ બેઠકો પર કલીનસ્વીપની ભાજપને હેટ્રીક લગાવવા ન દીધી, તેનું ગૌરવ લઈ રહી છે!
દેશમાં કોંગ્રેસે ૯૯ બેઠકો મેળવી અને લગભગ પાંચથી છ ટકા જેટલો વોટશેર વધાર્યો, તે પછી લોકસભામાં માન્ય વિપક્ષના નેતા તરીકે જરૂરી બેઠકો મેળવવા ઉપરાંત મજબૂત વિપક્ષના સ્વરૂપમાં ઈન્ડિયા ગઠબંધન એકજૂથ રહેશે તો એનડીએની સરકારને હવે પછી શાસન ચલાવવું મુશ્કેલ બનશે, તે નક્કી જણાય છે તેવી જ રીતે જો નીતિશકુમાર, ચંદ્રાબાબુ નાયડૂ વગેરેને એનડીએમાંથી ઈન્ડિયા ગઠબંધનમાં ખેંચ્યા પછી કદાચ વિપક્ષી ગઠબંધનની સરકાર રચાઈ પણ જાય, તો તેના માટે પણ ભાજપ જેવા મજબૂત વિપક્ષનો સામનો કરવો પડી શકે છે, એ પણ હકીકત છે કે એકત્રિત થયેલા વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનના બધા પક્ષોએ મેળવેલી બેઠકો કરતા ભાજપની બેઠકો વધુ છે, જો કે, કોઈપણ સરકાર રચે, અને તેની સામે વિરોધપક્ષ ખૂબ જ મજબૂત હોય, તો તે લોકતંત્રના અને દેશના હિતમાં જ ગણાય... ખરું કે નહીં?
ગઈકાલે દિલ્હીમાં જે રીતે ભાજપ કાર્યાલયમાં જશ્ન મનાવાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જૂસ્સેદાર ભાષણ આપ્યું તેથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પક્ષને હવે એનડીએના સાથીદાર પક્ષોને સાથે લઈને જ ચાલવું પડશે અને મનસ્વીપણે નિર્ણયો નહીં લઈ શકાય. તેમણે વારંવાર એનડીએ ગઠબંધનની ત્રીજી વખત સરકાર રચાશે, તેવો કરેલો ઉલ્લેખ પણ ઘણો જ સાંકેતિક છે.
હજુ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે અને કોઈપણ સરકાર રચાશે, તો તે કાંખ ઘોડી પર જ ટકેલી હશે, તેથી અસ્થિર શાસનની સ્થિતિમાં દેશની આર્થિક ગતિવિધિ અને ઈન્વેસ્ટરોના વિશ્વાસ પર પણ વિપરીત અસરો પડી શકે છે, આ કારણે જ ગઈકાલે શેરબજાર અભૂતપૂર્વ રીતે ધડામ દઈને પછડાયું હતું.... દેખતે હૈ... આગે આગે હોતા હૈ કયા..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

૧૭ મી લોકસભાની મુદ્દત પૂરી થવા જઈ રહી છે, અને ૧૮ મી લોકસભાની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. નવી સરકારની રચનાના ચક્રો આજથી જ ગતિમાન થઈ જશે અને અત્યારે આવી રહેલા ટ્રેન્ડ પછી સાંજ સુધીમાં સ્પષ્ટ પરિણામો આવી જશે અને નવી સરકાર રચાયા પછી તેની સામે કેવા અને કેટલા પડકારો છે, તેની ચર્ચા પણ શરૃ થઈ જશે, પ્રારંભમાં ઈન્ડિયા ગઠબંધન મજબૂત ફાઈટમાં જણાતા શેરબજારમાં કડાકો થયો છે.
જો કે, કેટલાક રાજકીય અને શાસકીય વિશ્લેષકોના અભિપ્રાયો મુજબ જનતાની આકાંક્ષાઓ તથા પ્રવર્તમાન સમસ્યાઓ, જરૃરિયાતો તથા વૈશ્વિક પરીપેક્ષ્યમાં નીતિ-નિર્ધારણના પડકારો તો સરકાર સામે રહેવાના જ છે, અને તે માટે ઝડપભેર કામે પણ લાગી જવું પડશે, ખરું કે નહીં?
૧૮ મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા પછી આચારસંહિતા લાગુ પડી ગઈ, અને સાત તબક્કામાં ચૂંટણી થઈ, તેના લાંબા સમયગાળા દરમિયાન કાળઝાળ ગરમી તથા બદલતા ઋતુચક્રનો સામનો પણ ચૂંટણીપંચે કરવો પડ્યો, તેમ છતાં એકંદરે મતદારોનો સારૃં મતદાન કર્યુ અને ચૂંટણીપંચે પણ પડકારો છતાં સૌકોઈના સહયોગથી દેશવ્યાપી સૌથી મોટી ચૂંટણીનો પ્રક્રિયા સંપન્ન કરી, તેની નોંધ લેવાની સાથે સાથે કેટલીક રજૂઆતો પણ થઈ, સૂચનો પણ થયા અને કેટલીક શંકા-કૂશંકાઓ વ્યકત થઈ તથા ચૂંટણીપંચ તરફથી તેના જવાબો પણ અપાયા અને ઉપયોગી સૂચનો સ્વીકારાયા પણ ખરા... હવે પરિણામો આવ્યા પછી રાજકીયપક્ષો કેવા પ્રત્યાઘાતો આપે છે, તે પણ આજે જ ખબર પડી જશે.
ગઈકાલે દેશના ત્રણેય ચૂંટણી કમિશનરોની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જે કાંઈ કહ્યું અને માહિતી આપી, તેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ હતી અને હજુ પણ કેટલા સુધારા-વધારાની જરૃર છે, તેનો સંકેત પણ સાંપડ્યો.
ચીફ ઈલેકશન કમિશનર રાજીવકુમારે મતદાનનો વિશ્વ રેકોર્ડ, મહિલા મતદારોની જાગૃતિ, આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન ઝડપાયેલી જંગી રોકડ રકમ અને કેફી દ્રવ્યો વગેરેની વિગતો આપી અને એકંદરે શાંતિપૂર્વક અને મોટી હિંસક ઘટનાઓ સિવાય ગરમી હોવા છતાં થયેલા મતદાનને વખાણ્યુ અને મતદારોનો આભાર માન્યો તથા ચૂંટણીતંત્રને બિરદાવ્યું, સાથે સાથે આ વખતની ચૂંટણીના અનુભવના આધારે આગામી ચૂંટણીઓમાં જરૃરી સુધારા-વધારા કરવાનો સંકેત પણ આપ્યો તેમણે કહ્યું કે અમે અનુભવ પરથી એ બોધપાઠ લીધો છે કે આટલી ગરમીમાં મતદાન કરવાનું ઠીક જણાતુ નથી, અને એક મહિના પહેલાં જ એટલે કે એપ્રિલમાં જ લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પૂરા થઈ જાય, તો તે યોગ્ય ગણાશે.
વર્ષ-૧૯પર પછી લોકસભાની ચૂંટણીઓમાં કદાચ પહેલી વખત એવું થયું હશે કે ચૂંટણીપંચે મતગણતરીના આગળના દિવસે પ્રેસ-કોન્ફરન્સ યોજી હોય, આ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન રાજીવકુમારે રાજકીય પક્ષોને કરેલા કેટલાક ઉપયોગી સૂચનો સ્વીકાર્યા અને જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી વિધાનસભાની ચૂંટણીઓ યોજવાના જે સંકેતો આપ્યા છે, તે પછી પડોશી દેશ પાકિસ્તાનમાં ભારતની લોકસભાની ચૂંટણીઓની ચર્ચા વધુ જોરશોરથી થવા લાગી છે, જે ઘણી જ સાંકેતિક છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તીખા-તમતમતા પ્રવચનો થતા હોય છે, અને હવે તો પર્સનલ બેરેક પણ થવા લાગ્યા છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપોની જાણે કે આંધી ફૂંકાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી તેના સંદર્ભે કોઈ વ્યક્તિગત કે સામૂહિક કડવાશ કે નફરત ઉચ્ચ નેતાઓ વચ્ચે રહેતી નથી, પરંતુ કાર્યકરોની કક્ષાએ પરિણામો પછી પણ સંઘર્ષ, તકરાર કે હિંસાની ઘટનાઓ ભૂતકાળમાં ઓછા-વત્તા અંશે થતી રહી છે, જે સીલસીલો આ વખતે અટકી જશે અને જનાદેશને માથે ચડાવીને રાજકીયપક્ષો પોતપોતાની લોકતાંત્રિક ફરજો અને જવાબદારીઓ નિભાવવા લાગશે, તેવી આશા રાખીએ, કારણ કે ચૂંટણીઓનો હેતુ જ જનાદેશ મેળવવાનો હોય છે અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા પછી તેના સંદર્ભે વેરઝેર કે કડવાશ-નફરત રાખવાનો કોઈ મતલબ જ નથી, ખરું ને?
નવી સરકાર સામે સૌથી મોટો પડકાર દેશની યુવાપેઢીને યોગ્ય રોજગાર પૂરો પાડવાનો રહેવાનો છે. બેરોજગારોમાં પણ શિક્ષિત બેરોજગારો, કૌશલ્યવાન બેરોજગારો, બેરોજગાર કારીગરો, બેરોજગાર શ્રમિકવર્ગ, પોષ્ટ ગ્રેજ્યુએટ, આઈઆઈટી, એસએલએમ, પીએચડી, આઈઆઈએમ, એમબીએ, એમ.ડી. આઈઆઈએમ જેવા ઉચ્ચત્તમ અભ્યાસક્રમોની ડિગ્રીઓ મેળવ્યા પછીના ઉચ્ચ શિક્ષિત બેરોજગારો તથા ટેકનિકલ-મેડિકલ-કોમર્શિયલ-ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રના બેરોજગારો જેવા જુદા જુદા બેરોજગાર જૂથો વધી રહ્યા છે, તેની સામે કોઈ એક જ પ્રકારની એમ્પ્લોયમેન્ટ પોલિસી ચાલે તેમ જ નથી, તેથી નવી સરકારે રોજગારક્ષેત્રે તો નક્કર પોલિસી બનાવવી જ પડે તેમ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી બધી ગેરંટીઓ અપાઈ, વાયદાઓ કરાયા અને ઘોષણાપત્રો પ્રસિદ્ધ કરાયા, તેને યાદ રાખીને સરકારે તબક્કાવાર પૂરા કરવા પડશે, કારણ કે હવે જનતા પહેલાની જેમ ભૂલી જવાની નથી અને નિષ્ફળ જવાની સ્થિતિમાં સરકારે જવાબ આપવો પડી શકે કે અને તેથી ભાવિ રાજકીય ક્ષતિ પણ થઈ શકે છે... રાઈટ?
દેશ અને સરકાર સાથે પહેલીથી ચાલ્યા આવતા પડકારો તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ હવે નવા પડકારો પણ આવી રહ્યા છે, વિદેશનીતિના સંદર્ભે વર્તમાન ગ્લોબલ પોલિટિકસમાં ભારત સરકારે પોતાની વધુ સ્પષ્ટ અને નક્કર નીતિ સાથે આગળ વધવું પડશે અને તેમાં ઢીલીનીતિ ચાલશે નહીં, ખાસ કરીને પડોશી દેશો પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, બાંગ્લાદેશને લઈને વર્તમાન પોલિસીની સમીક્ષા કરીને જરૃરી ફેરફાર કરવા પડશે, તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાહોને અનુરૃપ અને દેશના હિતમાં યોગ્ય અને સચોટ નિર્ણયો પણ લેવા જ પડશે, ખરું કે નહીં ?
લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાત વિધાનસભાની જે બેઠકો પર પેટાચૂંટણી થઈ છે, તેનો અત્યાર સુધીનો ટ્રેન્ડ આપણી સામે જ છે, અને તેમાં તેના સહિતના આજે આવી રહેલા પરિણામોની ચર્ચાઓ ચાલી જ રહી છે. ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલીક વિધાનસભાઓની સામાન્ય ચૂંટણીઓ તથા પેટા ચૂંટણીઓમાં વિજયી બનવા જઈ રહેલા તમામ ઉમેદવારોને અભિનંદન અને પરાજીત થયેલા ઉમેદવારોને પણ જનતાની સેવા કરતા રહીને દેશ સેવાની શુભકામનાઓ પાઠવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન થઈ ગયુ અને વિવિધ ચેનલો તથા સર્વે એજન્સીઓના એકઝીટ પોલ્સનો સીલસીલો શનિવારે સાંજથી જ ચાલુ થઈ ગયો. તે પછી દસેક કરોડ લોકોને સાંકળીને સૌથી મોટા આર્ટિફિશ્યલ ઈન્ટેલિઝન્સ એટલે કે એ.આઈ. દ્વારા પણ સોશ્યલ મીડિયાના સહયોગથી એકઝીટપોલના તારણો ગઈકાલે જાહેર થયા, ત્યારે ગુજરાતની પ્રાદેશિક ન્યુઝ ચેનલો દ્વારા રાજ્યવ્યાપી પત્રકાર પોલ પણ થયો. એકંદરે મોદી સરકારની હેટ્રિકનું અનુમાન કરાયું અને ભાજપનો ૪૦૦ પારનો દાવો પુરવાર નહીં થાય તેવું અનુમાન કરાયું ભાજપ ૩૬૦ થી વધુ બેઠકો એકલા હાથે જીતશે, તેવા દાવાઓને પણ એકંદરે સમર્થન મળ્યું નહીં, જો કે, એક એકઝીટ પોલમા ઈન્ડિયા ગઠબંધનને રપપ થી ર૯૦ બેઠકો મળશે, તેવું અનુમાન પણ થયું હોવાની વાતો વહેતી થઈ.
જુદી જુદી સટ્ટાબજારોના મોટાભાગના તારણો શનિવારે તો ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની સંભાવના તથા એનડીએના પરાજયના સંકેત સાથે એકઝીટ પોલ્સથી વિપરીત ધારણાઓ દર્શાવતા હતા અને તેને લઈને પણ એક અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તે પછી ગઈકાલે સટ્ટાબજારોના તારણો પણ સરકાર તરફી ઝોક ધરાવતા દેખાયા હતાં. તે ઉપરાંત આજે સવારથી જ શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો અને રૂપિયો મજબૂત થયો હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ નેશન બની છે.
ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભાની તમામ ર૬ બેઠકો મેળવતા ભારતીય જનતા પક્ષને આ વખતે કેટલી બેઠકો મળશે, તેની રસપ્રદ ચર્ચા થઈ રહી છે. ક્ષત્રિય આંદોલનનો કેટલો પ્રભાવ પડ્યો અને ઈન્ડિયા ગઠબંધનના કારણે વિપક્ષોને કેટલો ફાયદો થયો, તે અંગે બન્ને તરફથી તર્કો અપાઈ રહ્યા છે અને દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ એકઝીટ પોલ્સમાં કેટલાક તારણો એવા હતા કે રાજ્યની તમામ બેઠકો જીતીને ભાજપ ફરીથી હેટ્રીક મારશે તો બીજી તરફ કેટલાક એકઝીટ પોલ્સ ભાજપને ૧૯ થી ર૦ બેઠકો અને બાકીની બેઠકો ઈન્ડિયા ગઠબંધનને આપતા જણાયા હતાં. એવી ચર્ચા પણ થઈ કે ગેમઝોન અગ્નિકાંડ ગુજરાતમાં મતદાન પહેલા થયો હોત તો ભાજપના સુપડા સાફ થઈ ગયા હોત!
રાજકોટની રૂપાલાની બેઠક પર પહેલેથી જ સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી, અને પત્રકારપોલમાં તો સટીક કારણો અને તારણો સાથે પત્રકારોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં. એકંદરે રૂપાલા ચાર-પાંચ લાખ તો નહીં, પરંતુ એક-દોઢ લાખ મતથી વિજયી થશે, તેવા સંકેતો અપાયા હતાં.
જામનગરની બેઠક પર ક્ષત્રિય આંદોલનનો સૌથી વધુ પ્રભાવ થયો હોવાની સાથે સાથે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આહિર વર્સીસ આહિરની ફાઈટ નહોતી અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતાં, તેથી પ્રારંભમાં ભાજપની સરળ જણાતી જીત નેક-ટુ-નેક ફાઈટમાં પરિણમી હતી, અને હવે છેલ્લા તારણો એવા નીકળે છે કે પાંચ લાખથી વધુ મતોથી વિજયના બદલે સાંકડી બહુમતીથી ભાજપના ઉમેદવાર જીતી શકે છે, જો કે, કેટલાક જ્ઞાતિકીય સમીકરણો, ક્ષત્રિય આંદોલન તથા આંતરિક જૂથવાદના કારણો ભાજપના ઉમેદવારને થતું નુકસાન સીધુ જ કોંગ્રેસને ફાયદો કરાવશે તેથી કોંગ્રેસના ઉમેદવાર મારવિયા પણ જીતી શકે છે, તેવા તારણો રજૂ કરનારા પત્રકારોએ પણ આ બેઠક પર હાર-જીત ખૂબ જ સાંકડી બહુમતીથી થશે, તેવા અભિપ્રાયો વ્યકત કર્યા હતાં. બન્ને પક્ષો અને ઉમેદવારો વિજયનો દાવો ખૂબ જ આત્મવિશ્વાસથી કરી રહ્યા છે, ત્યારે કેટલાક અભિપ્રાયો કાંટે કી ટક્કર હોવાનું જણાવીને આ બેઠકનું પરિણામ જે-આવે તે ખરું, પરંતુ સરસાઈ સાંકડી રહેશે. તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે.
બીજી તરફ પરિણામો આવ્યા પછી ભારતીય જનતા પક્ષ બે-ત્રણ નેતાઓ સામે શિસ્તભંગના પગલા લઈ શકે છે, તેવી વાતો પણ વહેતી થઈ છે.
રાષ્ટ્રીય કક્ષાએ પણ એકઝીટ પોલના વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તો મોદી મીડિયા પોલ છે, તો જયરામ રમેશે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનને ર૯પ થી ઓછી બેઠકો આવે તો અસંભવ છે, ઈન્ડિયા ગઠબંધને એવું પણ નક્કી કર્યું હોવાનું કહેવાય છે કે ઈન્ડિયા ગઠબંધનને બહુમતી મળશે તો જે પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી હશે, તે પક્ષના સંસદસભ્ય જ વડાપ્રધાન બનશે. બીજી તરફ સર્વોચ્ચ કોંગી નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદનો ચહેરો બનાવવા માંગે છે. આ બધા તારણો વચ્ચે બન્ને ગઠબંધનોમાં આંતરિક હલચલ તેજ બની રહી છે.
ફરીથી જેલમાં જતા પહેલા 'આપ'ના સંયોજક કેજરીવાલે તો એકઝીટ પોલ્સને નકલી બતાવીને ભારતીય જનતા પક્ષ દ્વારા નકલી તારણોના આધારે કોને કોને ફાયદો થઈ શકે છે. તેની ભવિષ્યવાણીઓ કરી, તેના જવાબમાં ભાજપે આ પ્રકારની વાતોને હતાશાનું પ્રતીક અને હાસ્યાસ્પદ ગણાવી હતી.
આરજેડીના તેજસ્વી યાદવે ફરીથી ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું હોવાનો દાવો કરીને કહ્યું કે જનાદેશ મોદી સરકારની વિરૂદ્ધમાં જ આવશે, તો શક્તસિંહ યાદવે સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે આકરી ગરમી વચ્ચે થયેલી ચૂંટણી દરમિયાન એરકન્ડીશન્ડ રૂમોમાં બેસીને તૈયાર કરાયેલા આ એકઝીટ પોલ્સ તદ્દન જુઠ્ઠુ છે, જેની પોલ ચોથી જૂને ખુલી જવાની છે, એકઝીટ પોલ્સ અને વાસ્તવિક પરિણામો વચ્ચે આસમાન-જમીનનું અંતર હશે.
અનુમાનો, દાવાઓ અને સર્વેક્ષણોની આંધી વચ્ચે જામનગરમાં તો કોણ જીતશે અને કોણ હારશે, તેના કરતાંયે વધુ શિસ્તભંગના કડક પગલાની ચર્ચા 'ટોક ઓફ ધ ટાઉન બની છે.'
કેજરીવાલે જેલમાં જતા પહેલાં જે ત્રણ-ચાર મુદ્દા જણાવ્યા, તેની વિશેષ ચર્ચા થઈ રહી છે તો ઈવીએમ-વીવીપેટની વિશ્વસનિયતિને લઈને પણ નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ ચૂંટણી સંપન્ન થતાં જ ટોલટેકસ તથા અમુલ દૂધના ભાવમાં કરાયેલા વધારાની ટીકા થઈ રહી છે. આ તમામ કવાયત ચોથી જૂને આવનારા પરિણામો સુધીનું માત્ર મનોરંજન છે, કે પછી તેમાં રહેલા તથ્યોના આધારે રાજકીય પક્ષો કોઈ રણનીતિ તૈયાર કરી લેતા હશે ?
પરિણામો સુધીની આ મોજ ઘણી વખત ર૦૦૪ ની જેમ યૂ-ટર્ન પણ લેતી હોય છે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પાપનો ઘડો ફુટી ગયો, પાપ છાપરે ચડીને પોકાર્યુ, પાપનો ઘડો છલકાયો વગેરે તળપદી કહેવતો ભ્રષ્ટચારીઓની સામે અત્યંત કડક કાર્યવાહી થાય અને અદાલતો દ્વારા તેઓને સજા થાય ત્યારે પણ યાદ આવે અને આ પ્રકારના ભ્રષ્ટાચારીઓને કુદરતી રીતે કોઈ મોટો ફટકો લાગે ત્યારે પણ આ પ્રકારના શબ્દપ્રયોગો સાંભળવા મળે. અત્યારે રાજકોટના ટીઆરપી ગેમઝોનની તપાસ દરમિયાન નાની માછલીઓ પછી થોડી મોટી માછલીઓ પકડાઈ રહી છે અને તેમાંથી જ ભ્રષ્ટાચારનો ભાંડો ફુટી રહ્યો છે, ત્યારે કહી શકાય કે પાપનો ઘડો છલકાયો છે. જ્યારે આ પ્રકારના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના છુપા માસ્ટર માઈન્ડ પકડાશે ત્યારે કહી શકાશે કે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે, અને ભ્રષ્ટાચારથી ભેગી કરેલી સંપત્તિ જ હવે ગળાની ફાંસ બની ગયો છે. હવે આ પ્રકારના તમામ કરતૂતો બને કૌભાંડો ચલાવતા અને તેને છાવરતા સમગ્ર ગોડફાધરોનો ચહેરો બેનકાબ થશે, ત્યારે કહી શકાશે કે હવે પાપનો ઘડો ફુટી ગયો...
જામનગરમાં ભૂતકાળમાં ઝડપાયેલા જમીનકૌભાંડ સમયે પણ નેતા, અધિકારી, ઈન્વેસ્ટર, કાનૂનના જાણકાર અને પ્રજાના પ્રતિનિધિઓની ગૂપ્ત સાઠગાંઠનો પર્દાફાશ થયો હતો અને તે પછી જે કાંઈ થયું તે આપણે સૌ જાણીએ જ છીએ.
રાજકોટમાં અત્યારે એસઆઈટીને ખુલ્લો દોર અપાયો છે અને ટીઆરપી કૌભાંડમાં સંડોવાયેલા લોકો, ભાગીદારો, જમીનમાલિક વગેરે ફરતે કાનૂનનો ગાળિયો કસાયા પછી આ મોતના માચડાને આંખ આડા કાન કરીને ધમધમવા દેનાર તંત્રના સંબંધિત અધિકારી-કર્મચારીઓને પણ કાનૂની રાહે પાઠ ભણાવાઈ રહ્યો છે, અને એ દરમિયાન જ ભ્રષ્ટ, લાંચીયા અને લેભાગૂ અધિકારી, કર્મચારીઓ પૈકી સાગઠિયા જેવા કેટલાક લોકોની બેસુમાર સંપત્તિનો ઘટસ્ફોટ પણ થયો છે, અને તે પછી જનતાનો તંત્રોમાંથી ભરોસો ઉઠી ગયો હોય તેમ જણાય છે.
આટલે પહોંચ્યા પછી પણ હજુ કદાચ તપાસ કરતી ટીમોએ માત્ર ડાળીઓ જ કાપી છે. આ પ્રકારના કૌભાંડોમાં સંડોવાયેલા મોટા માથાઓ સ્વરૂપી મૂળિયા સુધી હજુ પહોંચવાનું બાકી છે, તેમ નથી લાગતું? આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ પણ આવા જ સવાલો ઉઠાવ્યા છે ને ?
જો મહાનગરપાલિકાના ટીપીઓ, આસિસ્ટંટ ટીપીઓ, ફાયર બ્રિગેડના અધિકારીઓ વગેરેએ આ લાલિયાવાડી ચલાવી લીધી હોય અને તેના બદલામાં હપ્તા કે અન્ય રીતે વળતર લીધુ હોય, તો તેની સામે અત્યંત કડક કાર્યવાહી કરીને સખ્ત સજા થવી જ જોઈએ, પરંતુ સવાલ એ ઉઠે છે કે આ અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે જ નગરજનોએ જેઓને ચૂંટ્યા હોય, તેવા મનપાના પદાધિકારીઓ તથા જે-તે વિસ્તારના કોર્પોરેટરો પણ કેમ ચૂપ રહ્યા ? શું આ ભ્રષ્ટાચારી જમાતની કરતૂતોથી તેઓ તદ્દન અજાણ હતા, કે પછી તેઓ પણ 'સ્લીપીંગ પાર્ટનર' હતા, કે પછી પડદા પાછળના મુખ્ય ખેલાડીની ભૂમિકામાં કોઈ મોટું માથુ હતું ? આ તમામ સવાલોનો જવાબ પણ એસઆઈટીએ લેવો જ જોઈએ, અને તપાસ દરમિયાન કોઈ નેતા કે અન્ય મોટામાથાની સંડોવણી જણાય, તો તેની સામે પણ વધુ કડક વલણ દાખવવું જોઈએ, તેમ નથી લાગતુ ?
રાજકોટમાં ચાર અધિકારીઓના રિમાન્ડ મંજુર થયા પછી હવે તેની પાસેથી મોટા મગરમચ્છનું નામ ખૂલે અને તે ગમે તે હોય તેને પણ રિમાન્ડ પર લેવા જોઈએ.. ખરું ને?
રાજકોટના અગ્નિકાંડ પછી જામનગર સહિત રાજ્યભરના તંત્રો સફાળા જાગ્યા અને કાર્યવાહીઓ શરૂ થઈ, પરંતુ કોઈ રેસ્ટોરન્ટ બપોરે સીલ થાય અને સાંજે તે ધમધમતું જોવા મળે, તો તેને શું સમજવું ? આ ગોલમાલ મીડિયાની નજરે પડી પછી તેને છાવરવા બહાનાબાજી થતી હોય કે પછી તંત્રની ટીમો ડ્રામેબાજીનું 'રિ-ટેક' કરતી હોય, તેમ ધસી જાય, તો તેને શું સમજવું? આ બધી ભ્રષ્ટ ગેંગો ગુજરાતની જનતાને સમજે છે શું ? લોકોના જીવન સાથે ખેલ ખેલીને કમાણી કરવાના કારસા કરતા આ આધુનિક અસુરોને અંકુશમાં લેવાની ત્રેવડ દેખાડીને ભૂપેન્દ્ર પટેલ સરકારે પોલિટિકલ વીલપાવર એટલે કે રાજકીય ઈચ્છાશક્તિનો ચમત્કાર દેખાડી દેવો જોઈએ તેમ નથી લાગતું?
રાજકોટ મહાનગરપાલિકાના પોતાના કામ માટે જો કોઈ સાંસદે ભૂતકાળમાં લાંચ આપી હોય અને તેઓ સાંસદ બન્યા પછી જે-તે કર્મચારીએ તેને પાછી આપી દીધી હોય, તો એમ કહી શકાય કે આ આખો ઘટનાક્રમ ભ્રષ્ટાચારને છાવરવા અને તેને પ્રોત્સાહન આપવાનો જ ગણાય, પણ નવાઈની વાત એ છે કે જે પાર્ટી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા કરીને સત્તારૂઢ થઈ હોય, તેના જ સંસદસભ્ય આવી કબૂલાત જાહેરમાં કરે, અને તે પછી પણ એસીબી ચૂપકીદી સેવે, તો એ પુરવાર જ થઈ જાય ને કે... હમામ મેં સબ નંગે હૈ....
ગુજરાતમાં ત્રણેક દાયકાથી ભાજપનું શાસન છે, તેથી કેટલાક નેતાઓ, અધિકારી-કર્મચારીઓ તથા કૌભંડિયાઓની સ્થાપિત હિતોની ગેન્ગો રચાઈ ગઈ છે અને તમામ ક્ષેત્રે તેનો ભ્રષ્ટ પ્રભાવ પથરાઈ ચૂક્યો છે, તેથી આ પ્રકારના કારસા રચાય છે, તેમ માનનારા પણ ઘણાં છે, અને તેનાથી ભિન્ન અભિપ્રાયો પણ આવતા રહે છે. જો કે, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં મોટાભાગે દરેક ટર્મ (પાંચ વર્ષ પૂરા થાય) પછી રાજ્ય સરકાર બદલી જતી હોય છે, છતાં ભ્રષ્ટાચારનો ભોરીંગ એવો ને એવો જ રહે છે, તેથી ભ્રષ્ટાચારની ગટર બ્યુરોક્રેસીથી શરૂ થાય છે, અને નેતાઓ તેના પ્રોત્સાહક હોય છે, તેવું પ્રતિત થાય છે. સિસ્ટમ જ સડી ગઈ છે અને ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે, કદાચ તેથી જ ભૂતકાળમાં પણ દેશના ઉચ્ચ નેતાએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે !!
હકીકતે સરકારો બદલતી રહે ઉચ્ચ અને સનદી અધિકારીઓ બદલાતા રહે, પરંતુ ભ્રષ્ટાચારનો ભોરીંગ મદમસ્ત થતો રહે, તેમાં નિમ્ન કેડર્સના પેધી ગયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓની ભૂમિકા પણ બુનિયાદી અને મહત્ત્વપૂર્ણ રહેતી હોવી જોઈએ, તેથી તલસ્પર્શી અને તળિયા સુધી તપાસ થાય, તો જ અસલ અપરાધીઓને નાથી શકાશે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારી તંત્રો ધડાધડ ચેકીંગ કરી રહ્યા છે અને ફાયર સેફટી વિનાના ગેમઝોન જ નહીં, પણ હોટલ, રેસ્ટોરન્ટ, એપાર્ટમેન્ટ અને લોકો એકત્રિત થતા હોય તેવા ધંધાદારી સ્થળોને પણ સીલ લગાવાઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારીઓની ધરપકડ કરાઈ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં સંપન્ન થઈ ગઈ અન્યથા ક્ષત્રિય આંદોલન ઉપરાંત રાજકોટનો અગ્નિકાંડ પણ ભાજપને રાજકીય નુકસાનનું માધ્યમ બની ગયો હોત. બે દાયકા પહેલાં રાજકોટમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદી ધારાસભ્ય તરીકે પ્રથમ ચૂંટણી જીત્યા હતા, અને તે પછી રાજકોટ સતત ભાજપનો ગઢ રહ્યું હતું, પરંતુ હવે એ જ રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદને ભારતીય જનતાપક્ષને ફિકસમાં મૂકી દીધો અને ક્ષત્રિય આંદોલને રાજકીય નુકસાન પહોંચાડ્યું અને હવે એ જ રાજકોટમાંથી જ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે ફરીથી ભાજપના નેતાઓ તથા રાજ્ય સરકારને જનતાની અદાલતમાં આરોપીના કઠેડામાં ખડી કરી દીધી હોય, તેવો ઘાટ સર્જાયો છે.
ગુજરાતમાં ભલે મતદાન સંપન્ન થઈ ગયું હોય, પરંતુ આ અગ્નિકાંડના રાષ્ટ્રવ્યાપી પડઘા તો પડ્યા જ છે અને આ મુદ્દો સાતમા તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે, તે વિસ્તારોની ચૂંટણી સભાઓમાં પણ વિવિધ સ્વરૂપે પ્રગટ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થયા પછી પણ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો અરોપીઓને કડકમાં કડક સજા થઈ ન જાય, ત્યાં સુધી જાગતો રહેવાનો છે, તો બીજી તરફ અત્યારે કડકાઈ દેખાડતી રાજ્ય સરકાર અને તેના તંત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ઢીલા પડી નહીં જાય અને ફાયર સેફટી જ નહીં, પરંતુ જનવિરોધી તમામ પ્રકારના પરિબળો અને ભયંકર ભ્રષ્ટાચાર આચરતા લોકોની ગેન્ગ સામે કડક વલણ ચાલુ રાખશે, તેવી આશા પણ ગુજરાતની જનતા રાખી જ રહી હશે. જોઈએ, હવે રાજ્યની શાંતિપ્રિય જનતાની સહનશીલતા તથા સૌજન્યતાની વધુ કસોટી થાય છે કે પછી નિંભર તંત્રો અને સત્તાના મદમાં રાચતા નેતાઓ ફરીથી 'જૈસે થે'નું વલણ અપનાવે છે...!
લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત થયા પછી હવે પ૭ બેઠકો માટે ડોર-ટુ-ડોર પ્રચાર થઈ રહ્યો છે અને ગઈકાલે છેલ્લા રાઉન્ડમાં તમામ નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારી જઈને વિવવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન ધરશે તેવી પહેલેથી થયેલી જાહેરાતની ચર્ચા જ ચોતરફ થઈ રહી છે.
ગઈકાલે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૌન ધરીને ધ્યાન કરવાની ચર્ચા થઈ રહી હતી તે જ સમયે 'મૌની બાબા' તરીકે જેની ટીકા થતી રહી છે, તેવા મનમોહનસિંહે સટાસટી બોલાવી છે. તેઓએ છેલ્લા તબક્કાના મતદાન પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે પ્રહારો કર્યા છે, તેના રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ચૂંટણી પ્રચાર તથા પોલિટિકલ ડિબેટીંગમાં પણ મનમોહનસિંહ બોલ્યા તો મન મૂકીને બોલ્યા, તેવા મંતવ્યો સાથે વિશ્લેષણો થઈ રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશવાસીઓને ઉદ્દેશીને કહ્યું છે કે સમાજના કોઈ ચોક્કસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે કોઈ વડાપ્રધાને આ પ્રકારની નફરતભરી અને સંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી. મનમોહનસિંહે કહ્યું કે, આટલી નિમ્નકક્ષાની અને અપમાનજનક ભાષાનો પ્રયોગ વડાપ્રધાને ચૂંટણીસભાઓમાં કર્યો હોવાથી વડાપ્રધાનની ગરિમા પણ ઝંખવાઈ છે, તે ઉપરાંત દેશમાં હિંસા અને નફરતનો માહોલ સર્જાય તો તે લોકતંત્ર માટે પણ ખતરો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 'મૌનીબાબા' ની છાપને ભુંસી નાંખવી હોય તેવી રીતે વાયા-મીડિયા આ પ્રકારનો સંદેશ દેશવાસીઓને આપ્યા પછી તેના રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ભાજપના નેતાઓ તમતમી રહ્યા છે. આ નિવેદનનું ટાઈમીંગ જોતા ઘણાં રાજકીય પંડિતો આને કોંગ્રેસનું સમયોચિત કદમ માને છે, કારણ કે છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ આ પ્રકારનું વિસ્તૃત નિવેદન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પાસે કરાવવાથી કોંગ્રેસને રાજકીય ફાયદો થાય કે ન થાય, તો પણ વડાપ્રધાને વિપક્ષો અને કોંગ્રેસ પર કરેલા શાબ્દિક પ્રહારોને મક્કમ અને નક્કર જવાબ આપી દીધા પછી વિપક્ષના નેતાઓ તથા કાર્યકરોનો જુસ્સો વધશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
બીજી તરફ રાજકોટમાં ભાજપના સાંસદે રાજકોટ મનપામાં ભ્રષ્ટાચારની 'સિસ્ટમ'ને લઈને કરેલું નિવેદન, પત્રકારો સાથેની વાતચીતનો વિવાદ અને કોંગ્રેસે લાંચ લેનાર તથા આપનાર બન્નેની ધરપકડ કરવા કરેલી માંગણી વગેરેના પડઘા પણ દેશભરમાં પડ્યા છે, અને સોશ્યલ મીડિયા, મીડિયા તથા અખબારોના માધ્યમથી ઈન્ટરનેટ યુગમાં મતદાનના સ્થળો સુધી આ ઘટનાક્રમો પહોંચ્યા છે, ત્યારે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ જણાય છે. જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

તુલસીદાસજીની ચોપાઈઓ અને દૂહા ઘણાં જ પ્રચલીત છે અને તે સમકાલિન સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ પણ છે. તદ્દુપરાંત પ્રવર્તમાન યુગમાં પણ ઘણાં જ સુસંગત અને પ્રસ્તૂત છે. તુલસીદાસજી લિખિત એક ચોપાઈ ઘણી જ પ્રચલીત છે.
સમરથ કો દોષ નાહીં ગોંસાઈ...
રવિ પાવક સુરસરિ કી નાઈ...
શ્રીરામ ચરિત માનસના બાલકાંડમાં લખાયેલી આ પંકિતનો સરળ અર્થ એવો થાય છે કે સૂર્ય, અગ્નિ અને ગંગાજીની જેમ સમર્થ વ્યક્તિને કોઈ દોષ નથી લાગતો મતલબ કે જેનામાં દોષ હોય, તેવી વ્યક્તિ સમર્થ ન ગણી શકાય....
આમ તો આ પંકિતના અનેક અર્થઘટનો થયા છે અને હકારાત્મક તથા નકારાત્મક ગૂઢાર્થ પણ થતા રહ્યા છે, પરંતુ મોટા ભાગે મોટા માણસોના ગુણદોષની ચર્ચા કોઈ કરતું નથી, અથવા 'મોટા કરે તે લીલા અને નાના કરે તે ભૂલ' જેવા કટાક્ષમય અર્થઘટનો પણ થયા છે. અને તે સર્વવિદિત છેે.
'દીવા તળે અંધારું' કહેવતની જેમ ઘણાં મોટા માણસો માટે તેનો પુત્ર, પરિવાર કે નજીકનો સ્નેહિ-મિત્ર જ નબળી કડી બની જતો હોય છે, અને ઈમોશનલ બ્લેકમેઈલ કે પછી અઘટિત રહસ્યોના રાજદાર દ્વારા બ્લેકમેઈલ થઈને ઘણી વખત લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ માત્ર કોઈની કઠપૂતળી બનીને રહી જતાં હોય છે.
ગઈકાલે સાંસદ બ્રીજભૂષણ શરણસિંહના પુત્ર અને ઉત્તરપ્રદેશની કેસરગંજ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા કરણસિંહના કાફલાની એક કારે બે બાઈકને ટક્કર મારી અને ત્રણને કચડ્યા, તેમાંથી બે વ્યક્તિના જીવ ગયા, એ પછી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ ઘટનાને ભૂતકાળમાં કેન્દ્રીયમંત્રી અજયમિશ્ર ટેનીના દીકરાએ ખેડૂતોને કચડ્યા હતા, તેની સાથે જોડીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા, જેનો મતલબ કાંઈક એવો થતો હતો કે સમરથ કો દોષ નહીં ગોંસાઈ...!
આ એ જ બ્રીજભૂષણ શરણસિંહ છે, જેની સામે મહિલા પહેલવાનોએ યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો અને આ કારણે જ તેમની લોકસભાની ટિકિટ કપાઈ હતી, જો કે, તેમના પુત્રને ભાજપે ટિકિટ આપી છે...!!
ધૃતરાષ્ટ્રે પુત્રમોહમાં મહાભારતનું યુદ્ધ નોતર્યુ હતું, તેમ આપણાં ઘણાં રાજનેતાઓ પણ પુત્ર-પરિવારના કારણે 'ફિકસ'માં મૂકાયા હોય, તેવા દૃષ્ટાંતો છે, અને તેઓ માટે પોતાના પુત્ર પરિવાર જ નબળી કડી (વીક પોઈન્ટ) પુરવાર થતાં હોય છે, અને પતન ભણી દોરી જતા હોય છે, તે પણ હકીકત છે !
આ પહેલા રાજ્ય અને દેશમાં હીટ એન્ડ રન કેસમાં કેટલાક મોટા માથાઓના નબીરાઓને બચાવવા કેવા કેવા વાહિયાત અને નિંદનીય પ્રયાસો થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, મોટા માથાઓના માથા ફરેલા સંતાનોના કરતૂતોને જે રીતે છાવરવાના પ્રયાસો થાય છે, તે જોતા કહી શકાય કે 'સમરથ કો દોષ નહીં ગોંસાઈ..!'
તાજેતરનો પૂણેનો કિસ્સો ઘણો જ વિવાદાસ્પદ બન્યો છે. પૂણેના કેસમાં તો શ્રીમંત પરિવારના નબીરાએ પુષ્કળ દારૂ ઢીંચીને ર૦૦ કિલોમીટરની ઝડપે કાર ચલાવી, જેમાં આશાસ્પદ એન્જિનિયર યુવક અને યુવતીને કચડી નાખ્યા. આ કાર ચલાવી રહેલા કિશોરને લોકોએ માર્યો અને પછી પોલીસને સોંપી દીધો, તે પછી જે કાંઈ થયું, તે આપણી ન્યાયિક વ્યવસ્થા અને 'સિસ્ટમ' માટે કલંકરૂપ હતું.
આ સગીરવયના આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે માત્ર ૩૦૦ શબ્દોનો નિબંધ લખવાની તથા કાઉન્સિલીંગ કરાવવા સહિતની મામુલી શરતો સાથે જામીન આપી દીધા હતાં. એવું કહેવાય છે કે ધનવાન બિલ્ડરના આ નબીરાને બચાવવા 'સિસ્ટમ' કામે લાગી ગઈ અને આરોપી નબીરાના બ્લડ સેમ્પલ બદલી નાખવાનો કારસો પણ રચાયો. આ મુદ્દો મીડિયામાં જોરશોરથી ઉછળ્યા પછી એ કિશોરના પિતા અને દાદા તથા જયાં દારૂ પીધો હતો, તે કલબના મેનેજર વિગેરેની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી કરવાનો દેખાડો કરાયો.
તે પછી ઉહાપોહ વધી જતાં જુવેનાઈલ બોર્ડે આરોપી કિશોરના જામીન રદ કરીને બાલસુધાર ગૃહમાં મોકલ્યો અને આ કેસનું પુખ્ત રીતે ચલાવવાનું નક્કી થયું. આ કિસ્સામાં મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી ગ્રુપના એક મોટા નેતાએ આરોપીને બચાવવા ભરપુર પ્રયાસો કર્યા હોવાના આક્ષેપો થયા. આરોપી કિશોરનો કેસ ગરમાયો અને કેટલાક પોલીસવાળા તથા તબીબ વગેરે સસ્પેન્ડ થયા, હવે આ આરોપી કિશોરના દાદાનું કથિત અન્ડરવર્લ્ડ કનેકશન પણ ચર્ચામાં છે.. આને કહેવાય સમરથ કો દોષ નહીં ગુંસાઈ....
મોટા માણસોની માયાજાળ પણ ભેદી જ હોય છે, કેન્દ્રીયમંત્રી ટેનીના દીકરાને બચાવવા કેટલા પ્રયાસો થયા હતા, તે સૌ જાણે જ છે. તેવી જ રીતે અમદાવાદ હીટ એન્ડ રન કેસમાં પણ એક કથિત પોલિટિકલ સિસ્ટમ આરોપીને બચાવવા મેદાને પડી હતી, પરંતુ મીડિયા-અખબારો અને લોકોની જાગૃતિથી અંતે સાચા તથ્યો બહાર આવ્યા અને આરોપી 'તથ્ય' તથા તેના પિતા 'અંદર' ગયા!
મોટા માણસોની ભેદી વાતોમાં ઘણી વખત આજીવન બ્લેકમેઈલીંગની ગંધ પણ આવતી હોય છે, અને તે પ્રકારના આક્ષેપો પણ થતાં હોય છે. એવું કહેવાય છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના રાજકીય ઉત્તરાધિકારી મનાતા પૂર્વ આઈ.એ.એસ. અધિકારી વી.કે. પાંડિયને એક ચૂંટણીસભામાં પટનાયકનો ધ્રુજતો હાથ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો...
ભૂતકાળમાં નવીન પટનાયકના અંગત સચિવ રહી ચૂકેલા આઈએએસ પાંડિયને ગયા વર્ષે જ વીઆરએસ લઈને બીજેડીનું સભ્યપદ સ્વીકાર્યું અને આજે પાર્ટીમાં નંબર-ર ના સ્થાને છે. કોઈ પોતાના જાણીતા પરિવારજન કે ઓડિશાની વ્યક્તિના બદલે દક્ષિણભારતના પાંડિયનને રાજકીય વારસો સોંપવાનું આ વલણ પણ એક જબરૃં સસ્પેન્સ છે. સમરથ કો દોષ નાહીં...!?
એવું કહેવાય છે કે બહુજન સમાજવાદી પાર્ટીના સ્થાપક કાંશીરામ પર માયાવતીનો એટલો પ્રભાવ હતો કે તેણીએ કાંશીરામના પરિવારજનોને પણ છેક સુધી કાંશીરામથી અળગા રાખ્યા હતાં, તેમ છતાં કોઈ હ્યુમન રાઈટ્સ બ્રિગેડે અવાજ ઉઠાવ્યો નહોતો.. સમરથ કો દોષ નાહી ગોંસાઈ..!
જો કે માયાવતીએ કાંશીરામને પિતાતુલ્ય ગણીને તેઓની જીવનભર દેખભાળ કરી અને તેઓનો રાજકીય વારસો સન્માનજનક રીતે જાળવ્યો હોવાનો દાવો પણ થતો રહ્યો, પરંતુ તે મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો...
વર્તમાનમાં સ્વાતી માલીવાલના આક્ષેપો પછી પણ કેજરીવાલે પોતાના પી.એ. વિભવને છાવરવાના ભરપૂર પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ થયો છે, સમરથ કો દોષ નાહીં ગોંસાઈ...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જમ્મુ-કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં ગરમી બે-અઢી દાયકાનો રેકોર્ડ તોડી રહી છે અને રાજસ્થાનમાં તાપમાનનો પારો પ૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે, આ હીટવેવ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે અને તેને સાંકળીને ગ્લોબલ વોર્મીંગ તથા કલાઈમેટ ચેઈન્જની વાતોના વડા થાય છે, પરંતુ તેની સામે વિશ્વસમુદાય કોઈ નક્કર કદમ ઉઠાવી રહ્યો નથી, કારણ કે દુનિયાના બધા દેશોને પોતપોતાના સ્વાર્થ ખાતર કોઈ બાંધછોડ કરવી જ નથી.
આગ ઝરતી ગરમી વચ્ચે દેશમાં ઠેર-ઠેર સર્જાતી આગ-દુર્ઘટનાઓ અને માનવસર્જિત અગ્નિકાંડો પછી કુદરતી અને કૃત્રિમ આગ-દુર્ઘટનાઓની ચર્ચા ગ્લોબલ ટોકનો વિષય બની છે, તેમાં પણ રાજકોટના ટીઆરપી ઝોન અને દિલ્હીની બેબી કેર હોસ્પિટલના અગ્નિકાંડોને હત્યાકાંડો ગણીને તેના જવાબદારો સામે માનવહત્યાની કલમો લગાડીને ઈરાદાપૂર્વકના જઘન્ય કૃત્ય બદલ કેસ ચલાવવો જોઈએ, એટલું જ નહીં, આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને તમામ જવાબદારોને ફાંસીએ ચઢાવવા જોઈએ, તેવી ઉગ્ર જનભાવનાઓ પણ ઉઠી રહી છે, જે સ્વાભાવિક પણ છે.
રાજકોટના આ અગ્નિકાંડ પછી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના દિગ્ગજ અગ્રણી વજુભાઈ વાળાએ થોડા દિવસો પહેલા આપેલા પ્રત્યાઘાતો પછી ભાજપના જ સાંસદ રામભાઈ મોકરિયાએ પણ કહ્યું કે હવે ચેકીંગ કરવા હડિયાપટ્ટી કરવી એ તો રાંડ્યા પછીનું ડહાપણ છે. આવડો મોટો મોતનો ગેરકાયદે માચડો ખડકાયો હોય અને મનપા, પોલીસતંત્ર સહિતના તંત્રવાહકોને ખબર જ પડે નહીં, તે શકય જ નથી. આ ગેરકાનૂની ગેમઝોનમાં પાર્ટી કરવા ગયેલા અધિકારીઓની ટીકા કરતા મોકરિયાએ હવે માત્ર આ પ્રકારના મનોરંજન સ્થળો જ નહીં પરંતુ શાળા-કોલેજો, ટ્યુશન કલાસીઝ સહિતના કોમ્પ્લેક્ષોમાં ફાયર સેફટી વગેરે તમામ નિયમોનું પાલન થાય, તે પણ જોવું પડે.
સાંસદની વાત સાવ સાચી છે, અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને તેઓ વધુ બોલી શકયા નહીં હોય, તેમ છતાં તેમણે જે અંગુલીનિર્દેશ કર્યો છે, તે સચોટ અને સમયોચિત છે. જો કે, આ જ ટકોર તેઓ સ્થાનિક રાજનેતાઓ માટે પણ કરી શકયા હોત, કારણ કે આ મોતનો માચડો ગેરકાયદે ધમધમતો હોવા છતાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ, લોકલ નેતાગીરી અને વિધાનસભા-લોકસભા અને રાજ્યસભામાં રાજ્યના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા નેતાઓને પણ નજરે ચડ્યો નહીં હોય? જો નજરે ચડ્યો હોય તો તેઓએ પણ ચૂપકીદી કેમ સેવી? શું આ અગ્નિકાંડમાં જ મૃત્યુ પામેલા એક ભાગીદાર પર દોષનો ટોપલો ઢોળીને આખા પ્રકરણને છાવરવાના થઈ રહેલા પ્રયાસો પણ નેતાઓને નહીં દેખાતા હોય? આ ગોરખધંધાને ચલાવનારા કરતાં પણ તેને પોષનારા અને હવે તેને ચતુરાઈપૂર્વક છાવરવાના થઈ રહેલા પ્રયાસો કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ તે માટે પ્રબળ ઈચ્છાશક્તિ (ત્રેવડ) પણ હોવી જોઈએ ને ? આ મુદ્દે માનવ અધિકાર પંચે પણ રિપોર્ટ માંગ્યા પછી રાજ્ય સરકાર ફિકસમાં મૂકાઈ ગઈ છે?
આ અગ્નિકાંડ સર્જાયો, તે સ્થળની બિનખેતી થઈ અને જે હેતુ દર્શાવાયો, તેનું પાલન થયું નથી, અને પાર્ટી પ્લોટના નામે વીજકનેકશનો તથા ફાયર સેફટી સહિતની વ્યવસ્થાઓ વિના જ મોતનો માચડો ઊભો કરાયો હોવા છતાં હેતુફેર સહિતના કોઈ કદમ ન ઉઠાવવા, તે શું સૂચવે છે?
રાજકોટના અગ્નિકાંડમાં ૪૦ થી વધુ મોત થયા હોવાનો દાવો પરેશ ધાનાણીએ કર્યો તો અન્ય એક નેતાએ ૩૦ ના મોત જણાવ્યા.. સાચું શું?
અત્યારે અગ્નિકાંડો અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે કહ્યું કે મતની અવેજીમાં લોકોને મોત મળી રહ્યું છે. તેઓનો ઈશારો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ૧પ૬ બેઠકો અને ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી તમામ ર૬ બેઠકો તરફ હોવો જોઈએ. લોકોએ ઢગલાબંધ મતો આપ્યા તેની સામે લોકોને ઢગલાબંધ મોત અપાયા હોવાનો આ કટાક્ષમય સંકેત પછી અત્યારે હડિયાપટ્ટી કરીને ડેમેજ કંટ્રોલ કરી રહેલી રાજ્ય સરકાર સામે લોકોનો તૂટી રહેલો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવાનો પણ મોટો પડકાર છે, અને ક્ષત્રિય આંદોલન પછી આ અગ્નિકાંડના કારણે રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરોઠના પગલાં પણ ભરવા પડી શકે છે, કારણ કે 'યે પબ્લિક હૈ... યે સબ જાનતી હૈ...'
આ તો ગુજરાતની હાઈકોર્ટે તત્કાળ સુઓમોટો સુનાવણી કરી અને રાજ્યના તમામ ગેમિંગ ઝોનની તપાસ કરાવી, તેની સાથે સાથે સરકારી સંકુલો, શાળા-કોલેજો, ટયુશન કલાસીઝ, થિયેટરો, વોટરપાર્કસ, એમ્યુઝમેન્ટ પાર્ક, રોપ-વે, મનોરંજન સ્થળો, હોટલ-રેસ્ટોરન્ટો, હોસ્પિટલો, સભાગૃહો, ટાઉન હોલ, રિસોર્ટસ, બોટિંગ, સ્કૂબા ડાઈવીંગ, એડવેન્ચર સ્કૂલ્સ, સમાજવાડીઓ સહિત વધુ લોકો એકત્રિત થતા હોય તેવા કામચલાઉ કે કાયમી તમામ સ્થળે ફાયર સેફટી, પીવાનું શુદ્ધપાણી, છાંયડો, વરસાદથી બચવાના શેડ, ઉનાળામાં એરકુલર કે પંખા, ફર્સ્ટએઈડની સગવડો તથા મોટા કાર્યક્રમો માટે એમ્બ્યુલન્સ તથા અગ્નિશામક ટેન્કર્સ તથા મોટા અને પૂરતા પ્રમાણમાં એકઝીટ્સ (બહાર નીકળવાના સ્થળો)ની પણ ચકાસણી થઈ રહી છે, તે માત્ર આ ઘટનાક્રમ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તે જરૂરી છે, આ માટે રાજ્ય સરકાર કોઈ નવી પોલિસી ઘડી રહી હોવાની વાતો પણ થઈ રહી છે, અને એ માટે રાજ્યકક્ષાએ મેરેથોન મિટિંગો પણ યોજાઈ રહી છે. પોલીસ એકટ-૧૯પ૧ની વિવિધ કલમોની સમીક્ષા પણ થઈ રહી છે અને સંબંધિત અન્ય તંત્રોની અત્યારસુધીની ભૂમિકા પણ તપાસાઈ રહી છે, આ નવી નીતિ પારદર્શક રહે અને વધુ મોટા ભ્રષ્ટચારનું માધ્યમ ન બની જાય, તેનો ખ્યાલ રાખીને સર્વગ્રાહી નીતિ ઘડતર માટે સંબંધિત લોકોના, તદ્દવિષયક નિષ્ણાતોના, પાલિકા-મહાપાલિકા-પંચાયતોના અને ખાસ કરીને સામાન્ય જનતાના અભિપ્રાયો લેવાય, જે અક્ષરસ : સરકારની વેબસાઈટમાં મૂકાય અને કુલડીમાં ગોળ ભાંગવાની તરકીબને તિલાંજલિ આપીને મોટામાથાઓની પરવા કર્યા વગર સામાન્ય જનતાના જ હિતમાં નવી પોલિસી બનાવી જોઈએ ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ધોમધખતા ઉનાળામાં થયેલા અગ્નિકાંડોએ રાજકીયક્ષેત્રે પણ તાપમાન વધારી દીધુ છે અને ગુજરાત સરકારે ૬ જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા પછી ઉચ્ચ અધિકારીઓની બદલી કરીને હાઈકોર્ટમાં કાંઈક નક્કર બચાવ થઈ શકે, તેવી કાર્યવાહી કરી છે, અને ત્રણેક આરોપીઓને પકડી લઈને અદાલતમાંથી રિમાન્ડ પણ મેળવ્યા છે, બીજી તરફ કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓએ આ ઘાતકી દુર્ઘટનાના થોડા કલાકોમાં જ સ્થળ પર ધસી જઈને જનાક્રોશમાં સુર પુરાવ્યો છે. દિલ્હીમાં પણ કેજરીવાલે 'ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે' તેવી 'સરકારછાપ' દંભી ખાતરીઓ આપી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે નિંભર તંત્રો અને નિર્લજ નેતાઓની આ સાઠગાંઠ તથા ભ્રષ્ટાચારની માયાજાળ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને સાર્વત્રિક તથા ઉચ્ચકક્ષા સુધી ફેલાયેલી જ રહેશે ? શું 'પાર્ટી વિથ ધ ડિફરન્સ'નો દાવો કરતું ભાજપ અને કટ્ટર ઈમાનદારીનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ પણ સડેલી સિસ્ટમનો વારસો જાળવ્યો છે ? એક સમયે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર અનેક પ્રકારના આક્ષેપોની રાજનીતિ કરીને સત્તા પર આવ્યા પછી વર્તમાન કેન્દ્ર-રાજ્ય સરકારોના શાસકોએ તેમનામાં પ્રચંડ વિશ્વાસ મૂકનાર લોકોનો નિર્દોષ વિશ્વાસઘાત કર્યો હોય તેવું નથી લાગતું? હવે આ પ્રકારની પૂર્વ આયોજીત અને નફફટ લાપરવાહી દેશમાં કોઈપણ રાજ્યમાં નહીં જ રખાય, તેની કોઈ 'ગેરંટી' ખરી?
દિલ્હી અને ગુજરાતના આ અગ્નિકાંડના ઉહાપોહ ઉપરાંત દેશમાં એક બીજી સળગતી સમસ્યા પણ સળવળી રહી છે અને તેના તરફ હજુ કોઈનું બહુ ધ્યાન ગયુ નથી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોથી લઈને ગ્લોબલ કક્ષા સુધી વોટર સ્કેરસિટીની વિકટ સ્થિતિ ચિંતાજનક હોવાનો રિપોર્ટ એક સ્ટડી પછી પ્રસ્તૂત થયો છે, જેની ચર્ચા પણ ટોક ઓફ ધ નેશન બની છે.
નેધરલેન્ડની યુટ્રેકટ યુનિવર્સિટીના સંશોધનો દરમિયાન કરાયેલા સ્ટડીના તારણો તથા ચેતવણીઓને સમાવી લેતો આ રિપોર્ટ 'નેચર કલાયમેન્ટ ચેઈન્જ'ના માધ્યમથી પ્રકાશમાં આવ્યો છે.
માનવજીવન તથા જીવસૃષ્ટિ જ નહીં, પરંતુ નેચરલ સાઈકલ અને સમગ્ર ઈકો સિસ્ટમ પર ખતરો ઝળુંબી રહ્યો હોવાની આલબેલ પ્રકારનો આ રિપોર્ટ પૃથ્વીના પેટાળમાં ઘટી રહેલી અને પૃથ્વીની ઈકો સિસ્ટમને ખોરવી રહેલી તથા પ્રદુષિત થઈ રહેલી જળસપાટી સામે લાલબત્તી ધરે છે.
આ સ્ટડી એવું સૂચવે છે કે વધી રહેલી વસ્તી અને વિકાસની દોટ પછી જરૃરી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વિશ્વ સમુદાયે બિનજરૃરી રીતે થતો પાણીનો વપરાશ ઘટાડવા, વેડફાટ અટકાવવા અને જળપ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૃર છે, અન્યથા આગામી વર્ષોમાં પૃથ્વીનો કેટલોક હિસ્સો સ્વચ્છ જળથી વંચિત થઈ જશે અને ગંભીર સ્થિતિ ઊભી થશે, જે વિસ્ફોટક હશે.
આ રિપોર્ટ મુજબ ગ્લોબલ સાઉથ કન્ટ્રીઝમાં ભયંકર વોટર સ્કેરસિટીનો ખતરો ઝળુંબી રહ્યો છે અને તેમાં પણ આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને એશિયા તથા ઓશિનિયાના કેટલાક દેશોમાં જ સ્વચ્છ જળ જ દુર્લભ થઈ જશે, તેવી ચેતવણી પણ અપાઈ છે.
વસ્તી વિસ્ફોટ, જળવાયુ પરિવર્તન અને જળપ્રદુષણના કારણે ખતરનાક વોટર સ્કેરસિટી (પાણીની તીવ્ર તંગી) સામે અંગૂલી નિર્દેષ કરતો આ રિપોર્ટ ભારત સરકારે પણ લક્ષ્યમાં લેવા જેવો છે, ખરું કે નહીં ?
આઝાદીના અમૃતકાળ સમયે છેલ્લા ૭પ વર્ષમાં ભારત સહિત દુનિયામાં ભૂગર્ભ જળ સપાટી જો પપ ટકા જેવી ઘટી ગઈ હોય, તો તેમાંથી ઊભી થનારી વોટર સ્કેરસિટી પણ વૈશ્વિક વિવાદો વધારશે અને તેમાંથી ઊભી થનારી વિસ્ફોટક પરિસ્થિતિ અકલ્પનિય હશે, તેવો સંકેત આપતો આ રિપોર્ટ દુનિયાને સમયસર જાગૃત થઈને સ્વચ્છ પાણીના સંરક્ષણ, ભૂગર્ભ જળસપાટીમાં વૃદ્ધિ અને જળપ્રદુષણ તથા વપરાશ ઘટાડવાની દિશામાં સહિયારા તથા નક્કર કદમ ઉઠાવવાનો સંકેત આપે છે... જાગો... સરકારો... જાગો...
ગુજરાતમાં અત્યારે પણ પ્રાકૃતિક જળ ઉપલબ્ધિની દૃષ્ટિએ સ્થિતિ કાંઈ બહુ સારી નથી અને બળબળતા ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી ઘણાં સ્થળે ઊભી થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો અત્યારથી જ પીવાના સ્વચ્છ પાણી માટે વલખાં મારી રહ્યા છે.
અત્યારથી જ રાજ્યના ૧૦ જિલ્લાઓમાં સેંકડો ટેન્કર દોડાવીને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું હોય તો હજુ ચોમાસું બેસે અને સારો વરસાદ થાય. ત્યાં સુધીનો કપરોકાળ કેવી રીતે પસાર થશે, તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. એવા અહેવાલો આવ્યા કે રાજ્યના ગીરસોમનાથ અને બનાસકાંઠા સહિત દસ જિલ્લાઓમાં પીવાના પાણીની સ્કેરસિટી ઊભી થઈ છે અને ફરીથી ત્યાં 'ટેન્કરરાજ'નો રાજ્યાભિષેક થયો છે!
ટેન્કર્સ દ્વારા પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું છે. તેમાં હાલારના બન્ને જિલ્લાના કેટલાક વિસ્તારો પણ સામેલ છે. સરકાર ટેન્કર દ્વારા પણ પાણી પૂરૃં પાડી રહી છે, તે સારી વાત છે, પણ આવી સ્થિતિ ઊભી જ કેવી રીતે થઈ અને નર્મદા યોજના તથા સરદાર સરોવર ડેમ ન હોત તો ગુજરાતનું શું થાત? તેનો વિચાર કરીને જળપ્રદુષણ ખતમ કરવા અને જળવપરાશમાં કરકસર કરવાની દિશામાં માત્ર સરકારે જ નહીં, પણ આપણે સૌએ સાથે મળીને તાકીદના પગલાં લેવા જોઈએ, તેમ નથી લાગતું ? શું આ માટે સરકારને ઢંઢોળવી પડશે ?
જામનગર શહેરને પાણી પુરૃં પાડતા લોકલ સોર્સ અને નર્મદાના નીરના કારણે પાણી પુરવઠામાં કાપકૂપ નહીં થાય, તેવું જણાવાય છે અને જુલાઈ સુધી નગરને વર્તમાન વ્યવસ્થા મુજબ જ પાણી પુરવઠો મળતો જ રહે તેટલી પૂરેપૂરી વ્યવસ્થા કરાઈ છે, તેવા દાવાઓ થાય છે, પરંતુ આગ લાગીને બધું બળીને ખાખ થઈ ગયા પછી અવશેષો શોધવા નીકળતી આપણી સડેલી સિસ્ટમ, નિંભર નેતાગીરી અને ગુલામીકાળની માનસિકતામાં જીવતી રૈયતના આ ત્રિકોણીયા સંગમનો ભરોસો થાય તેમ નથી. આગ ઝરતી ગરમી, અગ્નિકાંડો અને ઉતરતી ભૂગર્ભ જળસપાટીના મુદ્દે હવે ક્રાન્તિકારી લોક ચેતનાની જરૃર છે, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજકોટના ગેઈમ ઝોનની આગ અઢી ડઝન જેટલી જિંદગીઓને ભરખી ગયા પછી દેશની રાજધાની દિલ્હીમાં પણ એક બેબી કેર હોસ્પિટલમાં લાગેલી આગથી આઠ નવજાત શિશુઓના કરૂણ મૃત્યુ થયા હોવાના અહેવાલોએ આખા દેશને હલબલાવી નાખ્યો છે, અને જનાક્રોશ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. તો જામનગર સહિત ઘણાં શહેરોમાં ગેઈમઝોન બંધ કરાવાયા છે !
રાજકોટના ગેમઝોનના સંચાલકોએ તો નિર્દોષ લોકો પાસેથી નાણા પડાવીને પછી અસુરક્ષિત માળખામાં જ મોતનો ખેલ રચ્યો, જેને 'ગેઈમ ઓફ ડેથ' પણ કહી શકાય, એટલું જ નહીં, વર્ષોથી ફાયર સેફટી કે રાજકોટ મનપાના ફાયર વિભાગના જરૂરી સર્ટિફીકેટ વિના ધમધમતા આ હત્યારા ગેમઝોનની કરૂણાંતિકા પછી ગઈકાલે રવિવારની રજા હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી કરી અને જે કાંઈ કહ્યંુ, તે શાસન અને પ્રશાસન માટે અત્યંત ક્ષોભજનક હતું, અને 'નવે નાકે દિવાળી' ની જેમ આ પહેલાની હરણી દુર્ઘટના તથા મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના પછી પણ સુસ્ત સરકાર કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ કોઈ જ બોધપાઠ લીધો નથી અને નાણા કમાવા માટે નિર્દોષોના જીવન પર ખતરો ઊભો કરતા આ પ્રકારના ગેમઝોન, બોટીંગ કે અન્ય પ્રકારની રમત-ગમત કે પ્રવાસન પ્રવૃત્તિઓના નામે ચાલતા ગોરખધંધા સામે કોઈ પગલા લેવાયા નથી, તેથી દેશભરમાં જબરો જનાક્રોશ ફાટી નીકળ્યો છે.
હજુ તો રાજકોટની કરૂણાંતિકાના અહેવાલો આવી જ રહ્યા હતા, અને કમભાગી મૃતકોના ડીએનએ તથા પોષ્ટમોર્ટમ થઈ રહ્યું હતું અને પ્રેસ-મીડિયા દ્વારા પણ આ સમગ્ર ઘટનાક્રમનું રોષ અને વ્યથા સામેનું પોષ્ટમોર્ટમ થઈ જ રહ્યું હતું, ત્યાં દિલ્હીથી પણ ગમખ્વાર અને અકળાવનારા અહેવાલો આવ્યા, તેથી એ પુરવાર થઈ ગયું કે કાગડા બધે જ કાળા છે... સિસ્ટમ સડેલી છે અને કોઈપણ સરકારની આ સિસ્ટમને સુધારવાની ત્રેવડ જ રહી નથી. બીજા શબ્દોમાં કહીએ તો વાડ જ ચીભડાં ગળી રહી છે. મોટાભાગે પ્રશાસનની ભૂમિકા ધૂર્તરાક્ષસો જેવી થતી જાય છે અને શાસકોની ભૂમિકા ધૃતરાષ્ટ્ર જેવી જતી જાય છે. ધૃતરાષ્ટ્રો અને ધૂર્ત રાક્ષસોની ધરીના પાપે દેશના જુદા-જુદા ભાગોમાં જિંદગીઓ હોમાઈ રહી છે, ભરખાઈ રહી છે, ભુંજાઈ રહી છે, અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને સહાય તથા તપાસ માટે ટીમો રચવાની જાહેરાતો કરીને દરેક વખતે છુટી થતી સંવેદનહીન સરકારો હડિયાપટ્ટીના નાટકો કરી રહી છે, તેવા ઉગ્ર જનપ્રત્યાઘાતો પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયામાં પડઘાઈ રહ્યા છે. આજે પણ વિવિધ માધ્યમોથી લઈને અદાલતની અટારી સુધી પડી રહેલા પડઘા અને હાઈકોર્ટમાં સુનાવણીના સંદર્ભે જે કાંઈ બની રહ્યું છે, તે આપણા સૌની સામે જ છે.
શું વડી અદાલતની ઝાટકણીઓ તથા ટિપ્પણીઓ શાસન-પ્રશાસન માટે શરમજનક નથી? વિપક્ષી વર્તુળો દ્વારા આ પ્રકારની ઘાતકી ધંધાદારી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ મોટામાથાઓ સંડોવાયેલા હોવાના તથા 'મળતિયાઓને માલામાલ' કરવાની તંત્રો તથા શાસકોની મનોવૃત્તિ હોવાના થતા રહેતા આક્ષેપોમાં દમ છે, તેમ નથી લાગતું?
દેશની રાજધાની દિલ્હીમાં પણ રાજકોટની ગેમઝોનની જેમ કે જાણી જોઈને રખાતી બેદરકારીના ગમખ્વાર બનાવે આપણા દેશની ખોખલી પોલિટિકલ અને પ્રશાસનિક સિસ્ટમની પોલ ખોલવાની સાથે સાથે 'હમામ મેં સબ નંગે હૈ' ની કહેવતની જેમ દંભ રાજકરણીઓનો નકાબ પણ ચીરી નાંખ્યો છે.
દિલ્હીમાં પાંચ બેડની ક્ષમતા હોવા છતાં અને દસ બેડ રાખીને બેબી કેર હોસ્પિટલ ચલાવી રહેલા તબીબો પાસે એકસ્પાયરી ડેઈટ પરવાનો હોવા છતાં તેની સામે આંખમિચામણા કરવામાં આવતા કટ્ટર ઈમાનદાર શાસનની આંખ નીચે ચાલતા ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો છે. આ બેબી કેર ન્યૂબોર્ન ચાઈલ્ડ વિવેકવિહાર હોસ્પિટલના તબીબો યોગ્ય ડિગ્રી પણ ધરાવતા નહોતા. આ હોસ્પિટલના અગ્નિકાંડે પણ સાત બાળકોનો જીવ લીધો હતો.
એવું કહેવાય છે કે આ બેબી કેર હોસ્પિટલના જે તબીબની પોલીસે ધરપકડ કરી છે તેની સામે વર્ષ-ર૦ર૧ માં પણ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ નવીન ખીચી નામના તબીબની ડિગ્રી કઈ હતી અને તે બેબી કેર હોસ્પિટલ ચલાવવા માટે સક્ષમ હતો કે નહીં તેની તપાસ દરમિયાન પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હોવાના અહેવાલો છે.
કેટલાક માસુમ બાળકો સહિતના રાજકોટના ર૮ લોકો અને દિલ્હીના ૭ માસુમોનો દર્દનાક મોતનું જવાબદાર કોણ?
આ પ્રકારનો ગૂન્હો કરનાર તમામ લોકોને તો કડકમાં કડક સજા થવી જ જોઈએ, પરંતુ આ લોલંલોલ ચલાવી લેનાર, કથિત રીતે હપ્તાઓ ઉઘરાવનાર, આંખ આડા કાન કરનાર, રાજકીય કે અન્ય રીતે સંરક્ષણ આપનાર અને શાસન-પ્રશાસનના સંબંધિત અધિકારી-પદાધિકારીઓ સામે પણ હત્યાના પ્રયાસ સહિતની કડક કલમો લગાડીને અદાલતો મારફત સબક શિખવવો જોઈએ, તેમ નથી લાગતું?
રાજકોટની દુર્ઘટના પછી તેના સંદર્ભે મીડિયા સાથે હાસ્ય સાથે વાત કરી રહેલા એક નેતાની ટીકા થઈ રહી છે, તો લોકોમાં આક્રોશ છે
આ દિલ્હી અને રાજકોટની આ કરૂણાંતિકાઓ પછી જામનગર સહિત ગુજરાતના તમામ મોટા શહેરોના તંત્રો જાગ્યા, અને સંખ્યાબંધ ગેઈમઝોન બંધ કરાવી દીધા, પરંતુ સક્ષમ નહીં હોવા છતાં વિશેષ પ્રકારની હોસ્પિટલો ચલાવતા કથિત તબીબો, વિવિધ પ્રકારના કલાસીક ફુડડઝોન્સ તથા શાળા-કોલેજો, બાળકો-યુવાવર્ગ, જનસમુદાય એકત્રિત થતો હોય, તેવી રોજીંદી કોમર્શિયલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પણ રાજયભરમાં સકંજો કસવો જોઈએ તેમ નથી લાગતું?
તક્ષશિલા અગ્નિકાંડથી ટીઆરપી ગેમઝોન સુધીના અગ્નિકાંડોની તપાસોનું શું થયું? મગફળીના ઘણાં ગોડાઉનો સળગી ગયા તેની તપાસોનું શું થયું? આ તમામ અગ્નિકાંડો ના અસલ જવાબદારો કોણ છે ? શું દરેક ઘટનામાં નાની માછલીઓને પકડીને મગરમચ્છોને છાવરી લેવામાં આવે છે ? આ પ્રકારની દુર્ઘટનાઓ પછી થોડા દિવસો સુધી કડક વલણ અપનાવ્યા પછી ઢીલું મૂકી દેવાની 'મલાઈદાર' મનોવૃત્તિ પર શું કયારેય અંકુશ નહીં આવે? તેવા વ્યાંગાત્મક પ્રશ્નો ઉઠી રહ્યા છે, તેનો છે કોઈ જવાબ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિવિધ રાજકીય પક્ષોના ઘણાં દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. આ પછી એક જ તબક્કો બાકી રહેશે. તે પછી પહેલી જૂનના મતદાન બાદ નિર્ધારિત સમય પછી એકઝીટ પોલ્સનો સીલસીલો શરૂ થશે, પરંતુ રાજકીય પક્ષો અત્યારથી વિજયના દાવાઓ અને પ્રતિદાવાઓ કરવા લાગ્યા છે, તેથી કોની સરકાર આવશે, તેની દેશવ્યાપી ચર્ચાઓ સાથે કુતૂહલ પણ વધી રહ્યું છે.
છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલાં જ કોંંગ્રેસે એવો ધડાકો કર્યો છે કે રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને સ્પષ્ટ અને નિર્ણાયક બહુમતી મળશે, અને પરિણામને જાહેર થયા પછી માત્ર ત્રણ-ચાર દિવસમાં જ વિપક્ષી ગઠબંધન વડાપ્રધાનપદે કોણ રહેશે તેની જાહેરાત કરી દેશે અને એ જ વડાપ્રધાન પાંચ વર્ષ પૂરા કરશે, તેવો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે આ પ્રત્યાઘાતો ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્રભાઈ મોદીના કેટલાક નિવેદનો તથા દાવાઓના જવાબમાં આપ્યા છે. વડાપ્રધાન ચૂંટણી સભાઓમાં ભાજપનો પ્રચાર કરતી વખતે અવારનવાર કહે છે કે ભાજપને તોતીંગ જનાદેશ મળવાનો છે અને એનડીએની જ સરકાર બનવાની છે, તેઓ, અવાર-નવાર વિપક્ષી ગઠબંધનની સરકાર આવી પણ જાય, તો પણ દર વર્ષે વડાપ્રધાન બદલવાની રણનીતિ હોવાથી તે સરકાર અસ્થિર રહેશે, જેથી દેશનો વિકાસ રૃંધાશે અને દેશવાસીઓ આ વાત બરાબર સમજતા હોવાથી ઈન્ડિ એલાયન્સને બહુમતીથી ઘણી બધી ઓછી સીટો મળશે, તેવો ઉલ્લેખ પણ વારંવાર પ્રચારસભાઓમાં કરતા રહે છે.
કોંગ્રેસે આ પ્રકારની સંભાવનાઓને ફગાવી દીધી છે, કોંગી નેતા જયરામ રમેશને ટાંકીને એવી ચર્ચા થઈ રહી છે કે જેવી રીતે વર્ષ-ર૦૦૪ માં બાજપેયી સરકાર દ્વારા ચૂંટણી પ્રચારમાં ફિલગૂડ ફેકટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો, અને ઈન્ડિયા સાઈનીંગ દાવાઓને ફગાવી દઈને દેશની જનતાએ યુપીએને જનાદેશ આપ્યો હતો, તે ઈતિહાસ બે દાયકા પછી દોહરાશે અને ઈન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે.
આજે છઠ્ઠા તબક્કામાં પ૮ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૮૮૯ ઉમેદવારોમાં ભારતીય જનતા પક્ષના પ૧, કોંગ્રેસના રપ, સમાજવાદી પાર્ટીના ૧ર, તૃણમુલ કોંગ્રેસના ૯, બીજુ જનતાદળના ૬, આમ આદમી પાર્ટીના પ અને રાષ્ટ્રીય જનતાદળના ૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગઈકાલે સાંજથી દિલ્હીમાં પોલીસ તંત્ર દ્વારા ધીમુ મતદાન કરવાની પેરવી થઈ રહી હોવાના 'આપ' સરકારની મહિલા મંત્રીએ લગાવેલા આક્ષેપોએ પણ વિવાદ જગાવ્યો હતો.
ભાજપના સ્ટાર પ્રચારક તરીકે અમિતભાઈ શાહે કહ્યું કે દેશની જનતા ભાજપને ૩૭૦ અને એનડીએને ૪૦૦ થી વધુ બેઠકો આપશે, જેથી પછાતવર્ગોની અનામત છીનવીને ધર્મના આધારે બીજાને આપી દેવાનો વિપક્ષી ગઠબંધનનો કારસો સફળ નહીં થાય, તેની સામે કોંગ્રેસ પ્રમુખ મલિક્કાર્જુન ખડગેએ કટાક્ષ કર્યો કે જ્યારે ભાજપની બધા રાજ્યોમાં પીછેહઠ થઈ રહી છે ત્યારે એનડીએને ૪૦૦ બેઠકો કેવી રીતે મળી શકે ? તેમણે કહ્યું કે એનડીએ સામે હવે દેશની જનતા જ ચૂંટણી લડી રહી છે, ત્યારે વિપક્ષી ગઠબંધનની સરકાર રચાવા જઈ રહી છે, તે પણ નક્કી છે. મોદી સરકાર પ્રત્યે જનતાની નારાજગી સત્તામાં પરિવર્તન લાવશે તેવો દાવો ખડગેએ કર્યો હતો.
ચોથી જૂને જે પરિણામ આવે અને કોઈપણ ગઠબંધનની સરકાર કે પછી ત્રિશંકૂ સ્થિતિમાં 'ખીચડી' સરકાર રચાય, અથવા થઈ રહેલા દાવાઓ મુજબ સ્પષ્ટ બહુમતી કે તોતીંગ બહુમતિ સાથેની મજબૂત સરકાર રચાય, તે સરકારને સત્તાપ્રાપ્તિ પછી પ્રારંભથી જ કેટલાક કઠીન પડકારોનો સામનો કરવો પડવાનો છે, અને તેમાં સૌથી અગ્રતાક્રમે વધી રહેલી 'ઉચ્ચકક્ષાની શિક્ષિત બેરોજગારી'ની સમસ્યાનો ઉકેલ લાવવો પડે તેમ છે, જે નવી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ રહેવાની છે.
એક અહેવાલ એવો આવ્યો છે કે દેશમાં ઘણી જ મુશ્કેલીઓ અને અથાગ પરિશ્રમ પછી જ યુવાવર્ગને આઈઆઈટીમાં ગ્રેજ્યુએશનની તક મળતી હોય છે, એટલું જ નહીં, મહામહેનતે તેની ડિગ્રી મળતી હોય છે, આઈઆઈટીમાં સ્નાતક થતા પહેલાથી જ ઘણી કંપનીઓ કે બિઝનેસમેનો વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા અને સ્નાતક થતાં જ તેઓને મોટાભાગે જોબ મળી જતું હતું, તેમ કહેવાય છે. જો કે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિઝન્સ સહિતના કારણોસર આઈઆઈટીની ડિગ્રી મેળવેલા ૩૮ ટકા યુવક-યુવતીઓ બેકારીના ખપ્પરમાં હોમાયા હોવાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે.
લગભગ સાડાપાંચ દાયકા પહેલા આઈઆઈટીની ડિગ્રી મેળવેલા એન્જિનિયરો, આઈઆઈટીમાંથી ઉચ્ચકારકિર્દી મેળવનાર સફળ ઉદ્યોગપતિઓ અને આઈટી ક્ષેત્રના તજજ્ઞોના કેટલાક અભિપ્રાયોને ટાંકીને કરાયેલા એક વિશ્લેષણ મુજબ હવે વિવિધ ક્ષેત્રની કંપનીએ નિમ્નકક્ષાની કેડર્સમાં નિમણૂકો જ બંધ કરી દીધી છે, અને આ પ્રકારે નિયૂક્તિઓ ઘટી જતાં દેશની જોબમાર્કેટને જબરો ઝટકો લાગ્યો છે.
આ વિશ્લેષણ પ્રમાણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ નવી નોકરીઓના સર્જન માટે અવરોધક બની રહ્યું છે, અને નિમ્નકેડરના કામો એ.આઈ. દ્વારા કરાવાઈ રહ્યા હોવાની આઈઆઈટી કવોલિફાઈડ ઉમેદવારોની માંગ જ ઘટી રહી છે. આ કારણે દિધા ઊભી થતા તેની સીધી માઠી અસર આઈઆઈટી જેવી ઉચ્ચ લાયકાત મેળવનાર યુવાવર્ગને થઈ રહી છે, જેથી 'ઉચ્ચ શિક્ષિત બેરોજગારીની વિકટ સમસ્યા આપણા દેશમાં ઊભી થઈ રહી છે.'
માંગ અને પુરવઠાના નિયમ મુજબ જે વસ્તુની માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય, તેની કિંમત વધે, પરંતુ આઈઆઈટી એન્જિનિયરોની બાબતમાં તેનાથી વિપરીત ડિમાન્ડ ઘટી રહી છે અને પુરવઠો વધી રહ્યો છે. મતલબ કે પ્લેસમેન્ટ ઓછું થાય છે અને દરવર્ષે હજારો યુવક-યુવતીઓ આઈઆઈટી થયા પછી યોગ્ય જોબ નહીં મળતા બેરોજગાર બની રહ્યા છે આ સ્થિતિમાં નવી સરકારે સત્તા સંભળવાની સાથે જ ઉચ્ચ શિક્ષિત બેરોજગારી, અસહ્ય મોંઘવારી અને વધી રહેલા ડ્રગ્સના વેપલાને અંકુશમાં લેવાનો કઠણ પડકાર ઉઠાવવો પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગોંડલના રાજવી વૃક્ષપ્રેમી હતાં, અને તેના જમાનામાં ઉછેરેલા વૃક્ષોએ પ્રકૃતિનું જતન કર્યું હતું, તેમ જો દેશના ૧૦૦ કરોડ પુખ્ત અબાલવૃદ્ધ નાગરિકો જો વૃક્ષોના વાવેતર કરીને ઉછેરે તો દેશમાં પ્રકૃતિનું સંરક્ષણ વધે અને દેશની સિકલ બદલી જાય, તે પ્રકારના બોધવાક્યો સાથે બુદ્ધપૂર્ણિમાના દિવસે દેશવાસીઓને કમ-સે-કમ એક-એક વૃક્ષ વાવીને ઉછેરવાની જે અપીલ થઈ, તે પ્રવર્તમાન પ્રચંડ ગરમીના પ્રકોપના સંદર્ભે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, અને તે લાકડિયા તારની જેમ લોકોમાં સ્વયંભૂ આવકાર પામી રહી છે, તે પર્યાવરણ, પ્રકૃતિ અને પૃથ્વીના સંરક્ષણ માટે સારા સંકેત ગણાય...
ભીષણ ગરમીના કારણે રાજસ્થાનમાં ૮ મૃત્યુ થયા છે, ત્યારે દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો, અને ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઈમેટ ચેઈન્જના દુષ્પરિણામોનું આ પરિણામ હોવાના તારણો નીકળી રહ્યા છે. આ સંદર્ભે જ ગોંડલ, જામનગર, પોરબંદર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના રજવાડાઓના જમાનામાં સામૂહિક વૃક્ષઉછેર અને જંગલોના જતનના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ગઈકાલે લગભગ સમગ્ર રાજ્યમાં હીટવેવના કારણે બપોર ટાણે કુદરતી કર્ફયુ હોય તેવા દૃશ્યો સર્જાયા હોવાના અહેવાલો આવ્યા, અને ઘણાં વિસ્તારોમાં રેડએલર્ટ જાહેર કરાયું હતું. તે ઉપરાંત યેલો-ઓરેન્જ એલર્ટ પણ ઠેકઠેકાણે અપાયા હતાં, અને રાજ્યના ડઝનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ થી ૪૭ ડીગ્રી વચ્ચે નોંધાયું હતું, તે સંદર્ભે પૃથ્વી અને પર્યાવરણ સંરક્ષણની જરૂર જણાવાઈ રહી છે. આ સંદર્ભે જ કથાકાર મોરારીબાપુએ બુદ્ધપૂર્ણિમાના પર્વે વૃક્ષારોપણ અને જતન અંગે લોકોને જાગૃત કર્યા હશે. આમ પણ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેઈન્જના કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોય તો તેની સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવામાં આવે અને પ્રવર્તમાન જંગલોનું જતન અને વૃદ્ધિ કરવામાં આવે, તે હવે આપણી જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે, ત્યારે આ પ્રકારની ચર્ચાઓ અને ઉપદેશો માત્ર હવામાં જ રહીં ન જાય કે પોથીમાના રીંગણાની કહેવતની જેમ માત્ર ક્ષણિક ઉપદેશોમાં જ રહી ન જાય, તે પણ જોવું પડે... કારણ કે આ વાસ્તવિક્તા સૌ જાણે છે, પરંતુ નિજના સ્વાર્થે તેના પ્રત્યે ધરાર દુર્લક્ષ સેવવામાં આવે છે, તેમ નથી લાગતું?
આપણા દેશમાં દર વર્ષે વન-મહોત્સવો ઉજવાય છે, અને કરોડો વૃક્ષો વવાય છે, પરંતુ જો તમામ વૃક્ષો ઉછરતા હોય અને તેનું જતન થતું હોય, તો આખો દેશ જ વનવિસ્તાર બની જાય, તેવી તસ્વીર ઊભી થાય, પરંતુ કમભાગ્યે તેવું થતું નથી, અને વનવૃદ્ધિના આંકડાઓ કદાચ કાગળ પર જ રહી જાય છે, જેને કાગળ પરના નકલી જંગલો પણ કહી શકાય, ખરૂ કે નહીં? હકીકતે જંગલો 'સફાચટ' થઈ રહ્યા છે, તે વાસ્તવિક્તા નથી?
અત્યારે 'નકલી'નો યુગ છે, અને ચૂંટણીમાં નવા નવા દાવાઓ પણ 'ફટાફટ' થતા રહે છે. ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધીએ એક વખત 'ખટાખટ' શબ્દનો પ્રયોગ કરીને કેટલાક વાયદાઓ કર્યા, તો તેના રાજકીય પ્રત્યાઘાતો પણ આવ્યા. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ચૂંટણીસભાઓમાં જ કટાક્ષો કરવા માટે 'ખટાખટ' શબ્દનો પ્રયોગ કર્યો. તે પછી તો ચૂંટણીના સમરાંગણમાં જુદા જુદા નેતાઓએ ખટાખટ, ફટાફટ, સટાસટ જેવા શબ્દાનુપ્રાસ સર્જીને ભાષણોને રોચક બનાવ્યા. તેજસ્વી યાદવે તો એવો દાવો કરી દીધો કે ચોથી જૂને ભાજપ 'સફાચટ' થઈ જશે!
આ રીતે શબ્દોની નકલ અને નકલી શબ્દપ્રયોગો દરમિયાન પણ નકલી નેતાઓ, નકલી વાયદાઓ અને નકલી ચલણી નોટોના મુદ્દાઓ પણ પ્રચાર દરમિયાન પડઘાતા રહે છે, જેને મતદારો કેવી રીતે મુલવતા હશે, તે તો તેઓ જ જાણે... પરંતુ ઘણી વખત આ સીલસીલો મનોરંજક જરૂર બની જતો હોય છે.
હવે જ્યારે 'નકલી'ની વાત આવી જ છે, ત્યારે ગુજરાતમાં વધુ એક વખત 'નકલી' કચેરીની ચર્ચા 'ટોક ઓફ ધ સ્ટેટ' બની ગઈ છે, અને આ ચર્ચાનો ઉદ્ભવ ભાજપના જ એક નેતા થકી થયો છે...
બન્યું એવું કે ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક 'જનતારેડ' પાડીને સિંચાઈ વિભાગની એક નકલી કચેરી મોડાસામાં ધમધમી રહી હોવાનો દાવો કર્યો અને આ 'નકલી' કચેરીમાંથી નિવૃત્ત થયેલા કેટલાક અધિકારીઓ બોગસ બીલો વગેરે બનાવીને કૌભાંડ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થાય. આ મુદ્દો ગરમાતા ત્યાંના કલેક્ટરે એક તપાસ સમિતિની રચના પણ કરી છે અને તેના રિપોર્ટીંગના આધારે કાર્યવાહી થશે, તેમ પણ જાહેર થયું છે.
આ દરમિયાન રિયાલિટી ચેકના દાવાઓ થયા અને એવું બહાર આવ્યું કે, જે ઈમારતમાં આ નકલી કચેરી હોવાનો દાવો થયો છે, તે ભાજપે જેની ટિકિટ કાપી નંખાઈ તે ભાજપના જ દિગ્ગજ નેતાના વેવાઈનો બંગલો છે. આ બંગલામાં અરજદારો નહીં પણ નિવૃત્ત અધિકારીઓ 'માર્ગદર્શન' મેળવવા ગયા હોવાની વાતો પણ વહેતી થઈ... હવે આ મુદ્દે તપાસ સમિતિનો અંતિમ રિપોર્ટ જે આવે તે ખરો... પરંતુ ભાજપની આંતરિક ભાંગજડ તો બહાર આવી જ ગઈ...
ભારતીય જનતા પક્ષમાં ઊભી થયેલી યાદવાસ્થળી અને ભરતી મેળામાં પક્ષાંતર કરીને આવેલા અન્ય પક્ષોના નેતાઓ તથા વર્ષોથી ભાજપમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચેની કથિત ખેંચતાણ ૧પ૬ બેઈઝ મોદી મેઝીક પર કેટલી ભારે પડી છે તે હવે ચોથી જૂને જ ખબર પડશે... 'ફટાફટ' 'ફટાફટ'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે રોકાયેલા ફિલ્મ એકટર શાહરૂખ ખાનને લૂ લાગી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવી પડી, તેવા અહેવાલોએ ગઈકાલે સૌનુ ધ્યાન ખેંચ્યુ, એટલું જ નહીં આ બળબળતા ઉનાળામાં ગરીબો તથા શ્રમિકોની કેવી માઠી દશા થતી હશે, તેની ચર્ચાને પણ સ્થાન મળ્યું, ધોમધખતા તડકામાં પરસેવો પાડતા ઘણાં લોકોની કઠણાઈ પણ ચર્ચામાં આવી ગઈ !
શાહરૂખખાનને લૂ લાગ ગઈ, ડિહાઈડ્રેશન થયુ અને ન્યૂમોનિયાની અસર થઈ, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના સંદર્ભે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
ખગોળીય દૃષ્ટિએ વૈશાખ મહિનો મહત્ત્વપૂર્ણ હોય છે અને સાયન્ટિફિક દૃષ્ટિએ મે મહિનામાં પૃથ્વી સૂર્યથી ખૂબ નજીકથી પસાર થતી હોવાથી સન-રે એટલે કે સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી પર પડતા હોવાથી આ સમયગાળામાં ગરમીનો પ્રકોપ ઘણાંને વધી જતો હોય છે, અને આ જ ગરમીના કારણે આગામી ચોમાસાની બુનિયાદ વધુ મજબૂત બની જતી હોય છે.
જયોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ વૈશાખના અંતિમ દિવસો તથા જેઠ મહિનાના પ્રારંભના દિવસોમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોવાનું કહેવાય છે. સૂર્યનો કૃત્રિકા નક્ષત્ર છેડીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થાય છે, તે તા. રપ મી મે થી બીજી જૂન સુધીના નવ દિવસ સુધી આકરી ગરમી એટલે કે હીટવેવ રહેવાનો છે, આ નવ દિવસના સમયગાળાને જયોતિષની ભાષામાં નૌતપા કહે છે, આ નૌપતાના નવ દિવસ માં ખૂબ જ આકરી ગરમી પડે છે, અને નૌતપાના દિવસોનું ગણિત બરાબર હશે, તો આ વર્ષે ચોમાસુ સારુ જવાના એંધાણ પણ મળશે, તેવું જયોતિષ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે.
આ પ્રકારની આગઝરતી ગરમીમાં આઈપીએલ ક્રિકેટ જ નહીં ક્રિકેટ ટુર્નામેન્ટોમાં બપોરની મેચો રમાવી જ ન જોઈએ અને તમામ મેચો ડે-નાઈટ રાખવી જોઈએ, તેવા અભિપ્રાયો હવે આવવા લાગ્યા છે, જો કે, મેદાનમાં રમતા ખેલાડીઓના બદલે તેને નિહાળવવા કે પ્રોત્સાહિત કરવા આવતા શાહરૂખખાન જેવા લોકોને આ ગરમીએ બીમાર કરી દીધા, તે આપણાં ખેલાડીઓની ફીટનેશ પુરવાર કરે છે, તેવા દાવાઓ પણ થતાં હોય છે, પરંતુ આ વખતે ગરમીનો પ્રકોપ જોતા ક્રિકેટ સહિતની રમતો માટે નૌતપા જેવા દિવસો કે મે મહિનાના છેલ્લા તથા જૂન મહિનાના પહેલા પખવાડિયામાં ખુલ્લા મેદાનમાં રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ શકય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ, તેમ નથી લાગતું ?
ગુજરાતમાં બપોરે ૧ થી ૪ સુધી ફિલ્ડના શ્રમિકોને આરામ આપવાની સૂચના અપાઈ, તે આવકાર્ય છે, પરંતુ અન્ય ક્ષેત્રે જાગૃતિ જરૂરી છે.
અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ-સ્ટારપ્રચારકો ઠેર-ઠેર રોડ-શો, રેલીઓ તથા ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, અને બીજી તરફ કેટલાક દિવસોમાં ક્રિકેટ જેવી ટુર્નામેન્ટો બળબળતી બપોરે પણ રમાઈ રહી છે, જેના પર લીગલી નિયંત્રણો પણ મૂકાવા જોઈએ અને બપોરના ત્રણ-ચાર કલાક માટે આવી પ્રવૃત્તિઓ થંભાવી દેવી જોઈએ, તેવા અભિપ્રાયોને પણ હળવાશ થી લેવાના બદલે ગંભીરતાથી વિચારવા જોઈએ તેમ નથી લાગતું ?
એક તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા સરકારી વિભાગો તથા બંધારણીય પદો શોભાવતા કેટલાક નેતાઓ પણ બપોરના સમયે અનિવાર્ય કારણો સિવાય બહાર નહીં નીકળવાની એડવાઈઝ આપતા હોય અને બીજી તરફ બળબળતા બપોરે પણ પ્લેગ્રાઉન્ડ અને પ્રચારકાર્યોની દોડધામ ચાલતી રહે, તે વિરોધાભાસ જ છેને?
હીટવેવના કારણે રાજકીય પક્ષો તથા નેતાઓ પોતાના કાર્યકરોને બપોરના સમયે ઘેર-ઘેર પ્રચાર માટે નહીં જવાની અપીલો કરતા હોય, અને પ્રચારસભાઓ, રેલી-રોડ-શો વગેરે સવાર-સાંજના સમયે જ યોજતા હોય તો પણ તેના આયોજન તથા જંગી મેદની ભેગી કરવાની લ્હાયમાં લોકોને સમય પહેલાં જ ભરબપોરે જ સંબંધિત નિર્દેશિત સ્થળે એકઠા કરવાના કારણે ત્યાં સંખ્યાબંધ લોકોને ચક્કર, પેટનો દુઃખાવો અને ડિહાઈડ્રેશનની તકલીફો ઊભી થવાના અહેવાલો શું સૂચવે છે? ઘણાં બધા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્થળ પર સારવાર મળી જાય, ઘણાંને દવાખાને જવું પડે અને કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તેવી સ્થિતિ સર્જાવા પાછળ આ પ્રકારે બળબળતા ઉનાળામાં પણ બપોરે ટાણે લોકોને ભેગા કરતા કે ટુર્નામેન્ટો રમાડતા આયોજકોને જવાબદાર ન ગણવા જોઈએ?
શાહરૂખખાન જેવી સેલિબ્રિટીને આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે ડિહાઈડ્રેશન થઈ જાય, અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે, ત્યારે જ બળબળતી ગરમી અને તેવા સમયે ભરબપોરે લોકો એકત્ર થાય તેવી પ્રવૃત્તિઓ ટાળવાની ચર્ચા ઉઠે, પરંતુ તે પહેલાના દિવસોમાં પણ આ જ પ્રકારના કારણોસર ઘણાં લોકોની તબીયત બગડી હોય, છતાં તેની ખાસ નોંધ પણ ન લેવાય, તે શું સૂચવે છે?
જાહેરમંચ પરથી લોકોને બપોરટાણે બહાર નહીં નીકળવા અપીલો કરવામાં આવે, અને એ જ નેતાઓના કાર્યક્રમો માટે કલાકો પહેલાથી લોકોને એકઠા કરવામાં આવે, તેને બેવડા વલણો ન કહી શકાય ? કોઈપણ ચૂંટણીસભામાં જંગી મેદની એકત્ર થાય, અને કોઈપણ કારણે નાસભાગ મચે, ત્યારે તેની ચિન્તા કર્યા વગર નેતાઓ સ્ટેજ પર બેસીને મીડિયા ઈન્ટરવ્યૂની ડ્રામેબાજી કરે, તે જનતાનું અપમાન નથી? ઉચ્ચકક્ષા સુધીના તમામ નેતાઓએ આત્મમંથન ન કરવું જોઈએ?
આઈપીએલમાં શાહરૂખખાનની ટીમનો દેખાવ સારો રહ્યો, પરંતુ ગ્રાઉન્ડમાં ચક્કર લગાવ્યા પછી ચક્કર આવી ગયા અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હોવાના અહેવાલોની સાથે સાથે જ એવા અહેવાલો પણ આવ્યા કે છેલ્લા એકાદ મહિનામાં ગરમીના કારણે થતી બીમારીઓના કારણે અમદાવાદમાં ૪૯ર જેટલા લોકોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવા પડ્યા હતાં, પરંતુ આ ગંભીર ગણી શકાય તેવી સ્થિતિની ગંભીરતાથી નોંધ તો શાહરૂખખાનને દાખલ કર્યા પછી જ લેવાઈ હોય તો તો કિંગખાનને ગુજરાતની જનતાએ 'થેન્કયૂ' પણ કહેવું પડે, ખરુંને ?
જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતત એડવાઈઝરી અપાઈ રહી છે અને રાજ્યના તમામ તબીબી અને આરોગ્યતંત્રો સાબદા કરાયા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે.
અમદાવાદમાં ગઈકાલે તાપમાન પણ ૪પ.૯ ડિગ્રીને આંબી ગયું હતું, એવી જ રીતે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો., આ સ્થિતિમાં ટોપ-ટુ-બોટમ તમામ લોકો પૂરતી કાળજી રાખે અને સાવચેત રહે તે જરૂરી છે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ફલોરિડાની એક વ્યક્તિએ દરિયાના ઉંડાણમાં કેટલાક મહિનાઓ માટે જીવન વ્યતિત કરતા તેની ઉંમર ૧૦ વર્ષ જેટલી ઘટી ગઈ એટલે કે તે દસ વર્ષ પહેલાની શારીરિક-માનસિક સ્થિતિમાં પહોંચ્યો, તેવી સાયન્ટિફિક એડવેન્ચર ઓન ટ્રાયલ બેઈઝ સ્ટોરીએ સૌનું ધ્યાન ખેંચ્યું અને તેની વૈશ્વિક ચર્ચા પણ શરૂ થઈ ગઈ. અત્યારે વિદેશી મીડિયામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ અદાલત સમક્ષ મજબૂત પુરાવા રજુ કરાયા હોવાના અહેવાલો અને ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર અકસ્માત પાછળના સંભવિત ષડયંત્રની મહત્તમ ચર્ચા થઈ રહી છે. જ્યારે ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી સંબંધિત અહેવાલો પણ દેશ-વિદેશના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ છવાયેલા છે.
દેશ-વિદેશના અખબારે તથા મીડિયામાં ભારતે પાંચ લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ મેળવી તેના અહેવાલોને સાંકળીને આ પ્રકારની પાંચ લાખ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ચીન, અમેરિકા, હોંગકોંગ અને જાપાનમાં ભારત ઉમેરાતા આ કલબ પાંચ દેશોની બની છે, તેવા વિશ્લેષણોને પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના ટ્રેન્ડ સાથે જોડીને વિવિધ દાવાઓ પણ થઈ રહ્યા છે, તો અન્ય ચાર દેશો પૈકી ત્રણ દેશોથી ભારત હજુ ઘણું પાછળ છે, અને માત્ર હોંગકોંગની પ.૪૭ લાખ કરોડ ડોલરની માર્કેટકેપની નજીક પહોંચ્યું છે, તેવો કટાક્ષ પણ થવા લાગ્યો છે!
પ્રાથમિક અહેવાલો મુજબ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની સંપત્તિ એટલે કે એકંદરે ટોટલ માર્કેટ કેપિટલાઈઝેશને ગઈકાલે ઈન્ટા-ડે તેજી દેખાડી અને આ માઈસસ્ટોન પસાર કર્યો હતો. ભારતીય શેરબજારનું આ માર્કેટકેપ વર્ષ-ર૦૦૭માં એક લાખ કરોડ ડોલરમાંથી નવેમ્બર-ર૦ર૩માં ચાર લાખ કરોડ ડોલર થયું હતું, જે વધીને મે-ર૦ર૪ માં પાંચ લાખ કરોડ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પાંચ લાખ કરોડ ડોલરમાં ભારતીય ઈન્વેસ્ટરોની સંપત્તિ ૪૧પ લાખ કરોડને આંબવા જઈ રહી હોવાના આંકડા પણ આવ્યા છે. જેના સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના ઈકોનોમિસ્ટો અને અભ્યાસુઓ જુદા જુદા વિશ્લેષણો, તારણો અને કારણો સાથે વિવિધ અભિપ્રાયો પણ વ્યકત કરી રહ્યા છે. જોઈએ, આજે સાંજ સુધીમાં આ અંગે લોકલ-નેશનલ પ્રતિભાવો કેવા આવે છે તે ... જો કે, આને 'સ્માર્ટ' રિપોર્ટીંગ પણ ગણાવાઈ રહ્યું છે!
ભારતમાં લોકસભાની ચૂંટણીના અવનવા પ્રચારરંગ જોવા મળી રહ્યા છે, અને નેતાઓની જીભ લપસી જાય તો તેનું કેટલું રાજકીય નુકસાન ઉઠાવવું પડતું હોય છે, તેની ખબર ચોથી જૂને પડશે, કારણ કે જે નેતાઓએ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, તેને જાગૃત મતદારો વોટીંગ દ્વારા નકારશે, તો તેના કારણે છેલ્લી ઘડીએ બાજી પલટાઈ પણ શકે છે, કારણ કે ઘણી બેઠકો પર કલોઝ ફાઈટ થતાં સાંકડી બહુમતીથી હારજીત થતી હોય છે, ભાજપના બોલકા પ્રવકતા સંબીત પાત્રાની જીભ લપસ્યા પછી તેને વારંવાર માફી માંગવી પડી રહી છે, તે તાજુ દૃષ્ટાંત છે.
દેશના રાજકીય વર્તુળોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પરંપરાગત મર્યાદા ઓળંગીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ વિના મોદીમેજીકથી ભાજપ જીતી શકે છે, તેવા પ્રકારના કરેલા કથિત નિવેદને હલચલ મચાવી દીધી છે. રાજકીય પંડિતો માને છે કે કદાચ નડ્ડાના આ નિવેદનના શબ્દો કોઈના ઈશારે ઉચ્ચારાયા હોઈ શકે છે, કારણ કે સ્વયંભૂ રીતે નડ્ડા આવું બોલે તેમ નથી. આ મુદ્દો પણ નેશનલ કક્ષાએ હેડલાઈન્સની હરોળમાં છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ યોગી-હેમંતા બિશ્વા સર્માને લઈને કરેલી ટકોર પણ ચર્ચામાં છે. ટૂંકમાં નડ્ડાએ આ પ્રકારની વાતો સ્વયંભૂ કરી છે કે કોઈના ઈશારે કરી છે, તે મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે, એવું કહેવાય છે કે ભાજપમાં પણ હવે ઉચ્ચકક્ષાએ મોદી પછી કોણ? ની ચર્ચા થવા લાગી છે અને જેલમાંથી કામચલાઉ ધોરણે બહાર આવેલા કેજરીવાલે મોદી પછી અમિત શાહનો જે નૂસ્ખો અજમાવ્યો છે, તે સફળ થઈ રહેલો જણાય છે, અને તીર નિશાન પર લાગ્યુ છે, આ કારણે જ પી.એમ. મોદી ચૂંટણીસભાઓમાં તેની વારસદાર ભારતની જનતા છે, તેવા નિવેદનો વારંવાર કરીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહેલા જણાય છે, જો કે, ભાજપના પ્રવકતાઓ ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવીને આ બધા તૂક્કા વિપક્ષો એટલા માટે ઉઠાવી રહ્યા છે કે તેઓ પાસે કોઈ નક્કર મુદ્દા જ નથી, અને હાર ભાળી ગયા હોવાથી આવા નિવેદનો કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપો કરીને આ પ્રકારના આક્ષેપોને જ ફગાવી રહ્યા છે.
જો કે, પ.બંગાળમાં અધિરરંજન ચૌધરી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ જાહેર વાકયુદ્ધ છેડાયુ હતું અને તેને પ્રિયંકા ગાંધીએ ફોન કરીને અટકાવ્યું હોવાના અહેવાલોનો સંદર્ભે આપીને એનડીએ તરફથી વળતા પ્રહારો પણ થઈ રહ્યા છે, ત્યારે હજુ બે તબક્કા બાકી છે, ત્યારે ઘણાં નવા નવા રાજકીય ઘટનાક્રમો અને 'સ્માર્ટ' નિવેદનો આવશે તેમ જણાય છે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ ગયા પછી લોકોનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ પર દોરાયું છે, અને રાજ્યમાં મનસ્વી રીતે 'સ્માર્ટ' મીટરો ફીટ કરવાનું શરૂ થતા ઉહાપોહ ઉઠ્યો છે, જામનગરથી આ મુદ્દે વિરોધનો પ્રારંભ થયા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે, અને એવું કહેવાય છે કે ગ્રાહકોને હાલપૂરતુ બીજુ (જુનું) મીટર પણ નાંખી અપાશે, જેથી તેની શંકાનું સમાધાન થાય, એવું પણ કહેવાય છે કે, આ માટે જનતાને જાગૃત કરાશે, ત્યારે સવાલ એ ઉઠે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું અતાર્કિક કદમ કોના ઈશારે ઉઠાવાયુ હશે ? આ યોજના કેન્દ્રની છે કે રાજ્ય સરકારની? શું કેન્દ્ર સરકારની યોજના હોવાથી રાજ્યની સરકાર ગુજરાતની જનતાની વેદના નથી સાંભળતી? છે કોઈ જવાબ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તાપમાનનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે, બળબળતી ગરમીનો અસહ્ય તાપ લોકોને અકળાવી રહ્યો છે, અને હવે 'ગરમીજન્ય' રોગચાળાની ચિન્તા પણ વધી રહી છે. આ ધોમધખતા તડકામાં પણ દેશના આઠેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભાની ૪૯ બેઠકો માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું છે, તેનું વિશ્લેષણ અલગથી રજૂ થઈ રહ્યું છે.
અસહ્ય ગરમીને ગ્લોબલ વોર્મિંગ, મનુષ્યની બગડી રહેલી આદતો, પ્રકૃતિ પ્રત્યેની નિર્દયતા અને સિમેન્ટ-લોખંડથી ભરપૂર ઈમારતો, સંકુલો, માળખાકીય સુવિધાઓ તથા ભવનોના નિર્માણ જેવા વિકાસલક્ષી પ્રોજેકટોના કારણે થતી આડઅસરોનું માઠું પરિણામ ગણાવીને કલાઈમેટ ચેઈન્જના તારણો નીકળી રહ્યા છે, તો બીજી તરફ આધુનિક પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ પરોક્ષ રીતે જવાબદાર ગણાવાઈ રહ્યું છે, અસહ્ય ગરમી માટે દુનિયાભરમાં વૃક્ષોનું થતું આડેધડ નિકંદન અને વિકાસના નામે વનો-જંગલોમાં કરાઈ રહેલો ઘટાડો જવાબદાર હોવાના તારણો સાથે સી.સી. (સિમેન્ટ-કોંક્રીંટ)ના રોડ, ફળિયાં અને વિવિધ સંકુલો, કોરિડોર તથા પબ્લિક પ્રોપર્ટીઝ (બસ મથકો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરે) ના આધુનિકરણમાં વપરાતો સિમેન્ટ લોખંડનો જંગી જથ્થો પણ ગરમીને રિફલેકટ કરતો હોવાના તારણો નીકળી રહ્યા છે.
શહેરીકરણો, લોકોની બદલેલી લાઈફસ્ટાઈલ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના વગરવિચાર્યે થતા અયોગ્ય આધુનિકરણ તથા વાહનોમાં થયેલા જંગી વધારાને પણ બળબળતી ગરમી માટે જવાબદાર ગણાવાય છે.
અત્યારે નાના-મોટા શહેરો જ નહીં, પરંતુ ગામડા-કસબાઓમાં પણ ઠેર-ઠેર સી.સી. રોડ બની રહ્યા છે, જે લોકોની સુવિધા તથા સ્વચ્છતા માટે ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે, પરંતુ સાથે સાથે ગરમીને રિફલેકટ કરતા હોવાથી ગરમીના વધારાનું આ પણ એક કારણ હોઈ શકે છે, ડામરના રોડના સ્થાને હવે ઘણાં ધોરીમાર્ગો પણ સિમેન્ટ કોંક્રેટ (આરસીસી) ના બની રહ્યા છે, તેને પણ ગરમી વધવાનું મહત્ત્વનું કારણ બતાવાઈ રહ્યું છે. વિશ્વના કેટલાક દેશોમાં આ પ્રકારના સિમેન્ટના રોડ પર ટાર-ડામરનું પડ પાથરવામાં આવે છે, તેનો અભ્યાસ કરીને આપણાં દેશ-પ્રદેશોને અનુકૂળ હોય, તો તેનો પ્રયોગ કરવાની જરૂર પણ જાણકારો જણાવી રહ્યા છે. જો કે, આ બધા ટેકનિકલ અને એન્જિનિયરીંગના વિષયો છે, પરંતુ તે દિશામાં વિચારી તો શકાય જ ને? યોગ્ય લાગે તો આગળ પણ વધી શકાયને?
હવામાન ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો અને અભ્યાસુઓ નેચરલ સાયકલ ડિસ્ટર્બ થવા પાછળ કુદરતી આફતો તથા બદલાઈ રહેલા ઋતુચક્રને જવાબદાર ગણાવે છે, અને તેના મૂળમાં પણ ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે થઈ રહેલા કલાઈમેટ ચેઈન્જની સમસ્યા જ રહેલી હોવાનું તારણ નીકળે છે.
વાહનોમાં વધારો, ડીઝલ-પેટ્રોલનો વધી રહેલો વપરાશ તથા પ્રકૃતિનું થઈ રહેવું દેહન પણ ગરમીમાં વધારો કરે છે, એટલું જ નહીં, વિકાસની દોટમાં વપરાતા તોતીંગ મશીનો તથા કાર્બન ઉત્પન્ન કરતા સાધનોને પણ ગરમીવર્ધક કારણ ગણવામાં આવી રહ્યું છે. આ તમામ પોઈન્ટને ગંભીરતાથી વિચારીને તેના એવી રીતે સોલ્યુશન કાઢવા જોઈએ, કે જેથી વિકાસ પ્રક્રિયા તથા લોકોની સુખ-સુવિધાઓ પણ પ્રગતિશીલ રહે અને ગરમીવર્ધક પરિબળોમાં ઘટાડો થાય. આ પહેલ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો ઉપરાંત ઔદ્યોગિક-કોર્પોરેટ ક્ષેત્રના માધાંતાઓ તથા જાહેરક્ષેત્રની સંબંધિત સંસ્થાઓએ પણ કરવી જોઈએ, તેમ નથી લાગતું?
ઈરાનની હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્યાંના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુના વૈશ્વિક પ્રત્યાઘાતો પડ્યા કે તેની અસરો વિવિધ વૈશ્વિક માર્કેટો પર પણ પડી. એક જ દિવસમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૭ હજારને વટાવી ગયો, તો ચાંદીનો એક કિલો ગ્રામનો ભાવ પણ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચીને ૯૧ થી ૯૩ હજારની વચ્ચે હતો. એટલું જ નહીં, શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, આજે સવારે જ સેન્સેકસ ફરીથી ૭૪ હજારની સપાટીને આંબી ગયો હતો.
કેટલાક નિષ્ણાતો પ્રવર્તમાન વૈશ્વિક ઘટનાઓના કારણે આંતરરાષ્ટ્રીય શેરબજારમાં કડાકો બોલી શકે, તેવું અનુમાન લગાવી રહ્યા હતા, ત્યારે પી.એમ.મોદીએ બેન્કીંગ સેકટરની મજબૂતીનો ઉલ્લેખ કરીને ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભારતીય શેરબજારમાં જબ્બર ઉછાળો આવશે અને નવા રેકોર્ડ બનાવશે, તેવો દાવો કર્યો હોવાના અહેવાલો પણ વહેતા થયા હતાં, જોઈએ હવે શું થાય છે તે..
સોના-ચાંદીના ભાવો તથા શેરબજાર મોટાભાગે વૈશ્વિક પરિબળો પર આધાર રાખતા હોય છે, પરંતુ સ્થાનિક ઘટનાક્રમો, માંગ, પુરવઠો અને શાસકીય તથા રાજકીય ઘટનાક્રમો તથા સંકેતોની અસર પણ તમામ પ્રકારની માર્કેટો પર પડતી હોય છે. જુદા-જુદા તબક્કાની લોકસભાની ચૂંટણી દરમિયાન વિવિધ માર્કેટોમાં થઈ રહેલો ઉતાર-ચઢાવ તેનો સાક્ષી છે. હવે ચોથી જૂને લોકસભાની ચૂંટણીની સાથે સાથે તમામ પ્રકારના માર્કેટો પર પણ સૌની નજર રહેશે, કારણ કે ચૂંટણીના પરિણામોની સીધી અસરો વિવિધ ક્ષેત્રે પડતી હોય છે, જેમાં આ તમામ પ્રકારની માર્કેટો પર તત્કાળ પ્રભાવ પડતો હોય છે.
ધગધગતી ગરમી, ચૂંટણી, વૈશ્વિક ઘટનાક્રમો, ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેટ ચેઈન્જ, સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો, શેરબજારમાં તેજી, વૈશ્વિક પ્રવાહો સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સાથે થતાં વિશ્લેષણોમાંથી તૈયાર થયેલું આ સંભાવનાઓનું 'ઉંધિયુ' કેટલું ટેસ્ટી નિવડે છે તે જોવું રહ્યું ખરૃં ને?!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, અને આ પછી બીજા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. પહેલી જૂને મતદાન સંપન્ન થયા પછી ચૂંટણી પંચના નિયમ મુજબના સમયગાળા પછી એક્ઝીટ પોલ શરૂ થઈ જશે અને ચોથી જૂને પરિણામો આવશે, જો કે તે પહેલા ઈન્ડિયા ગઠબંધન તરફથી તેજસ્વી યાદવે ૩૦૦ બેઠકો સાથે તેમનું ગઠબંધન સત્તામાં આવી રહ્યું હોવાની ભવિષ્યવાણી કરી દીધી છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, અને એનડીએના ૪૦૦ પ્લસના દાવાને દોહરાવી રહ્યા છે. આ મહત્ત્વના તબક્કે સટ્ટાબજારો તથા નિષ્ણાતો-તજજ્ઞોના અભિપ્રાયોને ટાંકીને બન્ને તરફના અનુમાનો પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં જ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, પરંતુ હવે પડોશી રાજ્યો માટે ગુજરાતના નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર અને ગુપ્ત ગોઠવણો કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઘણી જ સાંકેતિક છે.
જામનગરનો ચર્ચાસ્પદ સ્માર્ટ મીટરનો મુદ્દો હવે રાજ્યવ્યાપી બન્યો છે. એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિખાલસતાથી સ્વીકાર્યું કે આ ચૂંટણીમાં બુથ લેવલે રહી ગયેલી કચાશ નિવારવા પાર્ટીમાં આંતરિક રીતે યોગ્ય કદમ ઊઠાવાઈ રહ્યા છે, તો બીજી તરફ સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર અને વીજકંપની પર પ્રહારો કર્યા છે.
શક્તિસિંહ ગોહિલે પણ સરકારી વીજકંપની દ્વારા સ્માર્ટ પ્રી-પેઈડ ઈલે. મીટરો સામે અવાજ ઊઠાવ્યો છે. તેથી જામનગરમાં ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો મુદ્દો હવે રાજ્યકક્ષાએ પડઘાયો છે, તેથી સરકારી વીજકંપનીઓએ પારોઠના પગલા ભરવા પડે કે પછી નવેસરથી લોકોને તાલીમબદ્ધ કરીને અને સમજાવીને જ આ પ્રક્રિયા શરૂ થઈ શકે, તે માટે હાલતુરત કાર્યવાહી સ્થગિત થઈ જાય, તેવું પણ બની શકે, ખરૂ કે નહીં?
શક્તિસિંહે કહ્યું કે સ્માર્ટ મીટરના નામે ભાજપ સરકાર જે કાંઈ કરે છે, તે જનતા પર બોજો વધારે છે. સ્માર્ટ મીટરના નામે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણ કરી રહી હોવાની ટીકાઓ વચ્ચે શક્તિસિંહે કહ્યું કે, સરકાર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદીને ગ્રાહકોને લૂંટી રહી છે. સ્માર્ટ મીટર અંગે તેમણે સવાલ ઊઠાવ્યો કે જે વસ્તુ ખરીદી જ ન હોય, તેનો એડવાન્સમાં જીએસટી ભરવો પડે, તે કેવી ઉલટનીતિ કહેવાય? બીજી તરફ બાયડના ધારાસભ્યે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાના હેવાલો પણ ચર્ચામાં છે. શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું કે વીજગ્રાહકોને સ્માર્ટ મીટરો ફરજિયાત પધરાવવાના બદલે વિકલ્પ આપવો જોઈએ અને જો ગ્રાહકો જુના (વર્તમાન) મીટરની પ્રથા યથાવત્ રાખવા માંગતા હોય તો તેઓની ઉપર સ્માર્ટ મીટરો થોપવા ન જોઈએ. સમગ્ર રાજ્યમાં આ મુદ્દે રાજ્ય સરકાર સામે સવાલ ઊઠી રહ્યા છે.
ચાર તબક્કાના મતદાન પછી ચૂંટણી પંચે ઘણાં શહેરી વિસ્તારોમાં મતદારોની ઉદાસિનતા અથવા ઓછા મતદાન અંગે ખાસ બેઠક યોજીને પાંચમા તબક્કામાં શહેરી વિસ્તારોમાં પણ સર્વાધિક મતદાન થાય, તેવા પ્રયાસો કર્યા છે અને આ માટે વ્યૂહાત્મક રીતે મતદારોને અવશ્ય મતદાન કરવાની પ્રેરણા આપવાના વિવિધ ઉપાયો તથા અભિગમો અમલમાં મૂક્યા હોવાના અહેવાલો પછી આજે સાંજ સુધીમાં કેટલું મતદાન થશે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે, અને ઘણાં લોકો તો પાંચમા તબક્કાના મતદાનની ટકાવારીનો વિવિધ રાજકીય પક્ષો માટે ટર્નિંગ પોઈન્ટ પૂરવાર થઈ શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.
ચાર તબક્કાના મતદાનમાં ર૩ રાજ્યો યુટીની ૩૭૯ બેઠકો માટે મતદાન સંપન્ન થઈ ગયું છે. અમિત શાહનો દાવો છે કે એનડીએને આ ચાર તબક્કામાં જ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને હવે પછીના ત્રણેય તબક્કા (આજના તબક્કા સહિત) માં ભાજપ ૩૭૦ અને એનડીએ ૪૦૦ પ્લસના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ઈન્ડિયાના ઘટક પક્ષો જુદી જુદી સંખ્યાના દાવાઓ કરીને ભાજપની મોદી સરકાર આ ચૂંટણીના પરિણામો પછી ઘરભેગી થઈ જવાની છે અને ઈન્ડિયા ગઠબંધનને પૂર્ણ બહુમતિ મળવાની છે, તેવો હુંકાર ભરી રહ્યા છે. તેજસ્વીએ તો ૩૦૦ પારનો દાવો કરી નાંખ્યો છે, જોઈએ, હવે શું થાય છે તે...
આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં મતદારોને ડરાવવા ગઈકાલે આતંકી ઘટનામાં એક સરપંચની પણ હત્યા થઈ છે.
જમ્મુ-કાશ્મીર ઉપરાંત બિહાર, લદ્દાખ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ અને ઓડિશામાં લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી ઉપરાંત ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. લગભગ નવ કરોડ જેટલા મતદારોએ જનાદેશ કઈ તરફ જાય છે, અને આજે કેટલા ટકા મતદાન થાય છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
રાજધાની દિલ્હીમાં એક અનોખી અને અભૂતપૂર્વ સ્થિતિ ઊભી થઈ રહી છે, જે લોકતાંત્રિક મૂલ્યો, લોકતંત્રના હાર્દ અને પ્રો-પબ્લિક રિસ્પોન્સિબિલિટી માટે ઘાતક છે. હવે આગામી બે તબક્કાના ગણિત પણ મંડાઈ રહ્યા છે. જોઈએ... હવે આગળ શું શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણે ત્યાં દાયકાઓથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે જુદા જુદા કેમ્પો, કાર્યક્રમો અને સિસ્ટોમેટિક ઝુંબેશો થતી હોય છે, અને તેમાં લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ કરવાના દાવાઓ પણ થતા હોય છે. વર્ષો પહેલા 'લોકદરબાર'ના નામે શરૂ થયેલી આ પદ્ધતિના નવા નવા નામો અપાતા રહે છે. સ્થળ પર પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને સિસ્ટોમેટિક રીતે જુદી જુદી કક્ષાએ ફરિયાદ અને સંકલન સમિતિઓ દ્વારા લોકોના પ્રશ્નો આધાર-પુરાવા સાથે પહેલેથી મંગાવીને તેની અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી તેનું નિવારણ 'સ્થળ' પર કરવાની આ તમામ પદ્ધતિઓ કેટલી સફળ થઈ છે, તે ઓપન સિક્રેટ છે, એ તમામ તંત્રો-શાસકો જાણે છે, પરંતુ 'આગેસે ચલી આતી હૈ'ની જેમ બધું ચાલ્યા કરે છે!
હકીકતે આ પ્રકારના કાર્યક્રમોમાં રજૂ થતા પ્રશ્નોનો 'નિકાલ' તો કરી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે જે-તે પ્રશ્ન કે સમસ્યાનો સંપૂર્ણપણે ઉકેલ આવ્યો હોય, તેવા પ્રશ્નોની ટકાવાર ઘણી જ ઓછી રહેતી હશે, અને તે પણ તમામ તંત્રો જાણતા જ હોય ને? આવું થતું હોય તો તેને નાટકબાજી કે ડ્રામેબાજી ન કહી શકાય!ં
હકીકતે આ પ્રકારના કાર્યક્રમોમાં રજૂ થતા પ્રશ્નો જે-તે વિભાગ કે રાજ્ય કક્ષાએ મોકલીને પ્રશ્નોનો 'નિકાલ' બતાવીને વાહવાહી કરવાની ચેષ્ટા જ અયોગ્ય છે. આ પ્રશ્નો સંપૂર્ણપણે ઉકેલાય જાય, અને જ્યારે અરજદાર કે પ્રશ્ન રજૂ કરનાર તરફથી સંતોષકારક ઉકેલ આવી ગયો છે, તેવી લેખિત સ્વીકૃતિ મળી ન જાય, ત્યાં સુધી એ પ્રશ્નના નિકાલ નહીં બતાવતા 'પેન્ડીંગ' ગણાવીને જ્યાં સુધી તેનો સંબંધિત વિભાગ કે યોગ્ય સ્તરેથી સંપૂર્ણપણે અને સંતોષકારક ઉકેલ આવે નહીં, ત્યાં સુધી જ્યાંથી પ્રશ્ન રજૂ થયો હતો, ત્યાંથી જ સતત 'ફોલો-અપ' કરવું જોઈએ, અને અરજદારની લેખિત સ્વીકૃતિ પછી જ તે પ્રશ્નનો સંતોષકારક ઉકેલ આવ્યો છે, તેમ ગણીને 'નિકાલ' દર્શાવવો જઈએ, ખરૂ કે નહીં?
હકીકતે આ પ્રકારના તમામ ફરિયાદ નિવારણ કાર્યક્રમોએ લોકઅદાલતો જેવી સિસ્ટમ અપનાવવી જરૂરી છે. લોક-અદાલતોમાં સ્થળ પર જ પ્રશ્નોનો (કેસોનો) સમાધાનકારી ઉકેલ આવતો હોય છે અને સ્થળ પર જ લેખિત સમાધાન, હુકમ કે ચૂકવણા પણ કરી દેવામાં આવતા હોય છે. આ પદ્ધતિથી 'નિકાલ' થતા કેસોમાં સંબંધિત કેસ સંપન્ન થઈ જતો હોય છે, અથવા સમસ્યા સંતોષકારક રીતે સંપૂર્ણપણે ઉકેલાઈ જતી હોય છે. લોકઅદાલતોમાં હજુ સુધી સરકારી સિસ્ટમ જેવું 'હલક ચલાણું' ઘૂસ્યું નથી, તેથી તેની આ સિસ્ટમને સુરક્ષિત રાખવાની તકેદારી પણ રાખવી પડે તેમ છે. એટલું જ નહીં, એ સિસ્ટમનું અનુસરણ ફરિયાદ નિવારણ કાર્યક્રમો માટે પણ થવું જ જોઈએ, ખરૂ ને?
ન્યાયતંત્રમાં પણ આમુલ સુધાર-વધારા થઈ રહ્યા છે, અને તે જરૂરી પણ છે. આપણા દેશમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા મોંઘી, કઠીન અને લાંબી હોવાની ચર્ચા થતી રહે છે, અને તેના ઉકેલની દિશામાં શ્રેણીબદ્ધ કદમ પણ ઊઠાવાતા હોય છે. આ માટે દેશની નીચલી અદાલતોથી લઈને સુપ્રિમ કોર્ટ સુધીના ન્યાય તંત્રમાં પેન્ડીંગ રહેલા કરોડો કેસોનો ત્વરિત નિકાલ અને નવા કેસોમાં પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો પણ વધી રહ્યા છે. આ ઝુંબેશના ભાગ રૂપે જ લોકઅદાલતો, નાઈટકોર્ટ, ફાસ્ટટ્રેક કોર્ટ તથા ફેમિલી કોર્ટોનો અભિગમ અપનાવાઈ રહ્યો છે. ગુજરાતમાં ફેમિલી કોર્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે, તે સારા સંકેતો છે.
ગુજરાતના તમામ જિલ્લાઓ પછી હવે દરેક તાલુકામાં તબક્કાવાર ફેમિલી કોર્ટો સ્થાપવાનો હુકમ હાઈકોર્ટે કર્યો હોવાના અહેવાલો પછી તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની જરૂરિયાતને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અહેવાલો મુજબ ગુજરાત હાઈકોર્ટે દરેક જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજોને તેના જિલ્લામાં એક ફેમિલી કોર્ટ માટે અલગ રૂમ ફાળવવા અને મરામતના કામો ર૪ મી મે સુધીમાં સંપન્ન કરી લેવાના આદેશો આપ્યા છે, તે ઉપરાંત દરેક જિલ્લા-તાલુકા મથકે ફેમિલી કોર્ટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની વિગતો પણ જિલ્લા અદાલતો પાસેથી માંગી હોવાનું જાણવા મળે છે.
આ સંદર્ભે બહાર આવેલી વિગતો મુજબ હાલારમાંથી પણ ઈન્ફ્રાસ્ટ્રકચરની કેટલીક સુવિધાનો રિપોર્ટ કરાયો છે, તેવી જ રીતે રાજ્યભરના જિલ્લા અદાલતોએ આ અંગેની વિગતો એકત્ર કરીને વડી અદાલતને સમયમર્યાદામાં મોકલવાની તજવીજ હાથ ધરી હોય તેમ જણાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ ફેમિલી કોર્ટ માટે દ્વારકા જિલ્લાના જામ-કલ્યાણપુર તાલુકા મથકે બે રૂમ ઉપલબ્ધ છે, જેમાંથી એક જ રૂમમાં જરૂરી ફર્નિચર છે. ભાણવડમાં બે રૂમ છે, પણ ફર્નિચર લાવવું પડે તેમ છે. આ જ રીતે જ્યાં જ્યાં થોડી-ઘણી સુવિધાઓ વધારવાની જરૂર છે, તેવા વિરમગામ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ, વંથલી, ગાંધીધામ, નલિયા, માંડવી વગેરેની યાદી પણ બની રહી છે. ટૂંકમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના વિસ્તરણની જે ઝુંબેશ હાથ ધરી છે, તે આવકારદાયક છે, અને આપણા દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય, તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. સરકારી તંત્રોના ફરિયાદ નિવારણના અભિગમો સારા છે, પણ તેમાં લોકઅદાલતો જેવી પદ્ધતિ જરૂરી છે, ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરના ઘણાં વિસ્તારોમાં એકાંતરા પાણી પુરવઠો તો અપાય છે, પરંતુ કોઈપણ ટાઈમ-ટેબલ વિના, ગમે ત્યારે અને ઓછા-વત્તા ફોર્સથી પાણી પુરવઠો અપાતો હોવાથી માત્ર ગૃહિણીઓનો જ નહીં, પરંતુ ઘણાં આખા પરિવારોનાં રોજિંદા ટાઈમ-ટેબલ ખોરવાઈ જતા હોય છે, એટલું જ નહીં નળ ખૂલ્લો રહી જાય ત્યારે પાણી વેડફાય છે અને પાણી આવી જાય, પણ ખબર પડે નહીં, ત્યારે છતાં છતે પાણીએ તરસે મરવાનો વારો આવતો હોય છે, આ "ઘર-ઘર કી કહાની" છે અને નગરના મોટા માથાંઓ તથા તંત્રોના તવંગરોને તેની પૂરેપૂરી ખબર જ હશે, પરંતુ આ "ઓપન સિક્રેટ" નો કોઈ કાયમી ઉકેલ તેઓ લાવી શકતા નથી, તેથી તેઓને પોતાના જ વર્તુળોમાંથી "સાંભળવું" પણ પડતું જ હશે, તો કેટલાક જવાબદારોને તો પોતાના જ ઘર-પરિવારમાંથી પણ ટકોર થતી જ હશે, જો કે, તેની કેટલી અસર થતી હશે, તે તેઓ જ જાણે...
ગુજરાતીમાં એક તળપદી અને પ્રચલીત કહેવત છે, "બાઈ બાઈ ચારણી... ઓલા ઘરેજા"...
મતલબ કે ચારણી લેવા (માંગવા) નીકળેલી મહિલાને દરેક ઘરેથી બીજાના ઘરે જવાનું કહેવું. આ કહેવતનો ગુઢાર્થ એવો થાય છે કે કોઈ કામ માટે વ્યક્તિને ઠેર-ઠેર ધક્કા ખવડાવવા, સામાન્ય રીતે સરકારી, અર્ધસરકારી અને પાલિકા, પંચાયતો, મહાપાલિકાના તંત્રોનું કામ પડ્યું હોય, તેઓને આવા અનુભવો ઘણી વખત થયા હશે અને તેઓને આ કહેવતનો ગૂઢાર્થ પણ સરળતાથી ગળે ઉતરી જતો હશે.
આ કહેવતનો બીજો અર્થ બહાનાબાજીની કરામત દર્શાવે છે. કોઈ પણ ફરિયાદ કે ભૂલ (ક્ષતિ) માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાની મનોવૃત્તિને પણ "બાઈ-બાઈ ચારણી" જેવી કહેવતો આબેહૂબ લાગુ પડે, ખરૃં કે નહીં...?
જામનગરમાં પાણી પુરવઠો અનિયમિત, ટાઈમટેબલ વગર, ઓછા કે વધારે ફોર્સથી અને મનસ્વી રીતે અપાય ત્યારે કેટલાક જાગૃત નાગરિકો ફરિયાદો પણ કરતા જ હશે, અને તંત્રો દ્વારા તેના જવાબો પણ અપાતી હશે, આ પ્રકારના સવાલ-જવાબમાંથી પણ દુઃખદ રમુજ પણ પ્રગટતી જ હશે... મેરા નગર મહાન...!
જામનગરમાં અનિયમિત પાણી-પુરવઠાની ફરિયાદનો સામાન્ય રીતે તો કોઈ જવાબ કે સ્વીકૃતિ નહીં મળતી હોય, પરંતુ લોકોમાં થતી ચર્ચા મુજબ મહાનગરપાલિકાની વોટર સપ્લાઈ વ્યવસ્થાની આ ખામી માટે એકલું મનપાનું તંત્ર જ જવાબદાર નથી... હમણાંથી નગરમાં વીજ પુરવઠાના ધાંધિયા એટલા વધી ગયા છે કે તેની સીધી અસર વોટર સપ્લાઈ પર થાય છે, કારણ કે, વોટર સપ્લાઈથી તબક્કાવાર વ્યવસ્થાઓ તથા ટાઈમીંગ, વીજ પુરવઠાની અનિયમિતતાના કારણે તદ્દન ખોરવાઈ જતી હોય છે, જે ઘણાં દિવસો સુધી નિયમિત થઈ શકતી જ નથી...!
આ પ્રકારના "સચોટ" કારણોના સંદર્ભે જ્યારે વીજ કંપનીમાં ફરિયાદ કરવામાં આવે કે ધ્યાન દોરવામાં આવે, ત્યારે લોકોને ભાગ્યે જ સંતોષકારક જવાબ મળતો હશે, પરંતુ જ્યારે કોઈ નેતા કે મોટું માથું આ અંગે ઉંડા ઉતરે ત્યારે ખબર પડે કે અત્યારે વીજ કંપનીઓ દ્વારા પણ પ્રિ-મોન્સુન કામગીરી અને જરૃરી મરામત કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનું કારણ અપાતું હોય છે.
આ રીતે જ્યારે સાચા કે ખોટા કારણો બતાવીને છટકબારીઓ શોધવામાં આવે, અથવા એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે, ત્યારે સવાલ એ ઉઠે કે, આમાં ટેક્સ ચૂકવતા નાગરિકોનો શું વાંક...?
એક બીજી કહેવત પણ અહીં આબેહૂબ લાગુ પડે છે. જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે, વીજ પુરવઠો ખોરવાતા પાણી પુરવઠો ખોરવાય, કે પછી પ્રિ-મોન્સુનના નામે ગમે ત્યારે વીજળી લબૂક...ઝબૂક થવા લાગે, તો તેમાં જનતાનો શું વાંક...? આ સ્થિતિમાં કહીં શકાય કે સંકલનનો અભાવ, લાપરવાહી કે ઢંગ-ધડા વગરની વ્યવસ્થા માટે જવાબદારોને છાવરવા શા માટે જોઈએ...? અહીં "પાડાના વાંકે પખાલીને ડામ" જેવી કહેવતો પણ યાદ આવી જાય... ખરૃં ને...?
હવે સુશાસન અને પ્રો-પબ્લિક વહીવટ જેવી શબ્દાવલી સાથે ખોખલા દાવાઓ ચાલવાના નથી... જો તંત્રો સમયસર સેવાઓ આપી શકતા ન હોય અને શાસકો તેનું કાંઈ કરી શકતા ન હોય તો કહી શકાય કે, 'હમામ મેં સબ નંગે હે...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ રાજ્ય સરકાર કેટલીક જીવનજરૃરી મૂળભૂત સેવાઓનું ખાનગીકરણ કરવાની હોવાના અહેવાલો વહેતા થયા છે પછી લોકોમાં તીવ્ર અસંતોષ પ્રગટવા લાગ્યો છે, અને આ દિશામાં પ્રારંભિક પ્રક્રિયા શરૃ થતા જ કર્મચારીગણ તથા સંભવિત સંલગ્ન અધિકારીગણમાં પણ અજંપો ઊભો થયો છે.
એવું કહેવાય છે કે, લોકોની રોજીંદી જરૃરિયાતો સાથે સંકળાયેલી કેટલીક સેવાઓ આપતા તંત્રોનું ખાનગીકરણ કરવાની દિશામાં રાજ્ય સરકાર ગુપચૂપ આગળ વધી રહી છે, અને લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ કેટલાક જનસેવાઓનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરી દેવાશે, જ્યારે કેટલીક સેવાઓમાં વિભાગીય કે પાલિકા-પંચાયતો દ્વારા થતી કામગીરી પણ ખાનગી ઈજારેદારોને સોંપીને અંશતઃ ખાનગીકરણની હિલચાલ થઈ રહી છે.
ગુજરાતમાં પી.જી.વી.સી.એલ. સહિતની સરકારી વીજકંપનીઓના સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાના ઈરાદાથી સરકારે આદરેલી પ્રક્રિયા સામે વીજકર્મીઓના યુનિયનો અથવા એસોસિએશનો દ્વારા તીવ્ર વિરોધ શરૃ થઈ ગયો છે, અને પી.જી.વી.સી.એલ. સહિતની રાજ્યની વીજકંપનીઓમાં સેન્ટ્રલાઈઝ કોલ એન્ડ ફોલ્ટ સેન્ટરનું ખાનગીકરણ કરવા માટે એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડરો પણ પ્રસિદ્ધ થઈ ગયા હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો મુજબ ઊર્જા ક્ષેત્રના કર્મચારીઓના એસોસિએશન પ્રેરિત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ તો આ પ્રકારના ટેન્ડરો તાત્કાલિક અસરથી કેન્સલ કરવા અને આ પ્રકારની પ્રક્રિયા રદ્ કરવાની ચિમકી પણ આપી દીધી છે. આ કારણે ઊર્જા વિભાગમાં હલચલ વધી ગઈ હોવાનું કહેવાય છે. અહેવાલો તો એવા પણ આવ્યા છે કે આ સમગ્ર પ્રક્રિયા રદ્ નહીં થાય તો વીજકર્મચારીઓ આંદોલન કરશે અને કામગીરીનો બહિષ્કાર પણ કરશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ કંપની લિ.ના આ પ્રકારના કહેવાતા ટેન્ડરોની વિરૃદ્ધમાં વીજ ક્ષેત્રના અધિકારી-કર્મચારીઓમાં ભભૂકતો રોષ જો આંદોલનમાં પરિણમશે, તો વીજસેવાઓ જાળવી રાખવી મુશ્કેલ બનશે, તેવી ચેતવણી પણ અપાઈ રહી હોવાનું કહેવાય છે.
અખિલ ભારતીય ગુજરાત વિદ્યુત કામદાર સંઘના વર્તુળોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ વીજ કંપનીઓમાં કસ્ટમરોની સેવાઓ સુધારવાના નામે ખાનગી એજન્સીઓએ નિમાઈ હતી, પરંતુ તે સદંતર નિષ્ફળ ગઈ હતી અને અંતે બધું કામ વીજકંપનીના કર્મચારીઓએ જ કરવું પડતું હતું, અને તે સમયે પણ વિરોધ ઊઠ્યો હતો. એવું કહેવાય છે કે, તે સમયે ખાનગીકરણ નહીં કરવા અંગે સરકાર અને એસોસિએશન વચ્ચે કોઈ શરતો સાથેની સમજુતિ પણ સધાઈ હતી, પરંતુ તાજેતરમાં ફરીથી આ જ પ્રકારની સેવાઓ માટે ટેન્ડરો પ્રસિદ્ધ થતા વિરોધનો વંટોળ ઊઠ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કર્મચારી સંગઠનોએ યુ.જી.વી.એન.એલ.ની નીતિ-રીતિ અને કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો સામે પણ સવાલો ઊઠાવીને તીવ્ર અસંતોષ દર્શાવાયો છે.
વીજ ક્ષેત્રના યુનિયનોનું કહેવું એવું છે કે ખાનગી ક્ષેત્રની એજન્સીઓ અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક વધતા જ ભ્રષ્ટાચાર માજા મૂકશે અને જે ફરિયાદોનું નિરાકરણ નહીં થાય, તેના દોષનો ટોપલો વીજ કંપનીના રેગ્યુલર સ્ટાફ પર જ ઓઢાડી દેવામાં આવશે. ટૂંકમાં 'ખેલ કરે વાંદરો ને માલ ખાય મદારી' જેવો ઘાટ સર્જાશે, તેવા પ્રકારની આ રજૂઆત પછી સરકાર આ મુદ્દે સીધો હસ્તક્ષેપ કરશે, તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.
માત્ર વીજસુવિધાઓ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોની સ્ટ્રીટલાઈની સેવાઓ, નાના શહેરોની સ્વચ્છતા વ્યવસ્થાઓ, પરિવહન, ફેરી સર્વિસ, નાગરિક પુરવઠા ક્ષેત્રની પણ કેટલીક સરકારી સેવાઓનું રાજ્ય સરકાર સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા જઈ રહી હોવાની જે વાતો વહેતી થઈ છે, તેમાં તથ્ય હોય, તો તે ખતરનાક નિવડી શકે છે, તેવા અભિપ્રાયો પણ અપાઈ રહ્યા હોય તો રાજ્ય સરકારે આ મુદ્દે જરૃરી સ્પષ્ટીકરણ પણ કરવું જોઈએ, ખરૃ કે નહીં?
જામનગરમાં પણ વીજક્ષેત્રની સેવાઓ ચર્ચામાં રહે છે. હજુ પણ ઘણાં વિસ્તારોમાં લો-વોલ્ટેજ, વોલ્ટેજમાં અચાનક વધ-ઘટ અને વીજ સપ્લાઈમાં વિક્ષેપ સહિતની ફરિયાદો ઊઠી જ રહી છે, અને ખાસ કરીને શહેરની ચોતરફ વિસ્તરી રહેલા વિસ્તારોમાં ધડાધડ કનેક્શનો તો આપી દેવામાં આવે છે, પરંતુ તેને અનુકૂળ ક્ષમતા વધારતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરાતા વીજપુરવઠો નિયમિત રહેતો નથી. આ અંગે સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લેવો જોઈએ, ખરૃ કે નહીં?
વીજકંપનીના અધિકારીને એક પ્રતિનિધિ મંડળે સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હોવાના અહેવાલો પછી આ મુદ્દો 'ટોપ અફ ધ જામનગર' બન્યો છે, અને મીડિયા-અખબારો-સોશ્યલ મીડિયામાં પણ તેના પડઘા પણ પડી રહ્યા છે.
એવું કહેવાય છે કે, વીજકંપની દ્વારા જ્યાં જ્યાં સ્માર્ટમીટરો લગાવાયા છે, ત્યાં ત્યાં ફરીથી જુના એટલે કે પહેલા હતાં, તેવા જ પોસ્ટપેઈડ વીજ મીટરો લગાવવાની માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
નગરના કેટલાક વિસ્તારોમાં લોકો (ગ્રાહકો) ની મંજુરી વિના જ ડિજિટલ વીજમીટરો લગાવાતા લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે. એવી રાવ કરાઈ છે કે જુના મીટર કે નવા મીટરને લઈને લોકોને કોઈ જ માહિતી અપાતી નથી કે લોકોને યોગ્ય જવાબ પણ મળતો નથી, તેથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે એવી ફરિયાદ પણ ઊઠી છે કે કોઈપણ કારણે રિચાર્જ ન થાય, તો તેવા સંજોગોમાં વીજકંપની દ્વારા 'એડવાન્સ નાણા' સ્વીકારવાનો વિકલ્પ પણ અપાતો નથી, તેથી વીજપુરવઠો બંધ થઈ જાય છે, તેની જવાબદારી કોની? આ તમામ મુદ્દે વીજકંપની અને સરકાર જરૃરી સ્પષ્ટતા કરશે ખરી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

કુદરત કોપાયમાન થઈ હોય, કે ગ્લોબલ વોર્મીંગની ઘાતક અસરો હોય કે પછી પ્રકૃતિ પર માનવીના પ્રહારોના પરિણામો હોય, હાલમાં દુનિયાભરમાં આંધી, તોફાન, અતિવૃષ્ટિ, વાવાઝોડાં અને ભૂકંપના કારણે તારાજી સર્જાઈ રહી છે. આપણા દેશમાં ઋતુચક્ર જાણે ખોરવાઈ જ ગયું હોય, તેમ બળબળતા ઉનાળા વચ્ચે પણ માવઠાં થઈ રહ્યાં છે, અને કરા પડી રહ્યાં છે, તો બીજી તરફ યુએઈ સહિતના રણપ્રદેશોમાં પણ પૂર આવવા લાગ્યા છે...!
પ્રકૃતિના પ્રકોપ વચ્ચે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે અને કુલ ૭ તબક્કામાંથી ૪ તબક્કા પૂરા થયા છે અને અત્યાર સુધીમાં ૩૭૯ બેઠકો પર મતદાન થયું છે, ત્યારે ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એવો દાવો કર્યો છે કે, અત્યાર સુધીની ચૂંટણીમાં જ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે અને ર૭૦ થી વધુ બેઠકો પર વિજય મળવાનો છે. હવે પછીના ત્રણ તબક્કા પછી ભાજપ ૩૭૦ પ્લસ અને એનડીએ ૪૦૦ પ્લસનો લક્ષ્યાંક પૂરો કરશે, તેવો દાવો પણ ભાજપના નેતાઓ તથા પ્રવક્તાઓ કરી રહ્યાં છે, ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર આવવાની સાથે જ સરકાર એક્ટીવ મોડમાં આવીને પ્રાયોરિટીમાં કયા-ક્યા કામો હાથ ધરશે, તેનો ૧૦૦ દિવસનો રોડમેપ તૈયાર હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
બીજી તરફ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ ભાજપ અને એનડીએ ભૂંડી રીતે હારી રહ્યાં હોવાનો દાવો કરી રહ્યાં છે, અને એનડીએને સ્પષ્ટ બહુમતી તો ઠીક પણ ર૦૦ બેઠકો પણ નહીં મળે, તેવો અંદાજ લગાવી રહ્યાં છે. ભારતીય જનતાપક્ષની હાર થનાર હોવાથી જ પીએમ મોદીએ કેટલાક હાસ્યાસ્પદ મુદ્દાઓ ચૂંટણી પ્રવાહમાં ઉઠાવ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
રાજસ્થાનની ફલોદા સટ્ટાબજારની ચર્ચા ખૂબ થઈ રહી છે અને આ સટ્ટાબજારના ભૂતકાળમાં ક્યા-ક્યા અનુમાનો લોકસભાની ચૂંટણી તથા અન્ય ચૂંટણીઓને લઈને મહદ્અંશે સાચા પુરવાર થયા હતાં, તેવા દાવાઓ પણ થઈ રહ્યાં છે.
ફલોદા સટ્ટાબજારને સાંકળીને ભારતીય જનતાપક્ષ અને એનડીએ માટે ચિંતાજનક અહેવાલો પણ આવી રહ્યાં છે. તાજા અનુમાનો મુજબ ફલોદા સટ્ટાબજારની ગણતરીએ ભાજપને ૩૭૦ થી વધુ બેઠકો તો ઠીક, વર્ષ-ર૦૧૯ જેટલી એટલે કે, ૩૦૩ બેઠકો પણ નહીં મળે, તો એનડીએને પણ ૪૦૦ થી વધુ બેઠકો મળે, તેવી સંભાવનાઓ નથી. તે પછી નવા ભાવ નીકળતા ભાજપને ૩૦૦ થી વધુ અને એનડીએને ૩પ૦ થી વધુ બેઠકો અપાઈ. જો કે, આ સટ્ટાબજાર દ્વારા અનેક ક્ષેત્રે સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે, ક્રિકેટ, અન્ય ખેલો, વરસાદ, ગરમી, પાકપાણીથી લઈને ખૂંટિયાઓની લડાઈને લઈને પણ સટ્ટો રમાતો હોય, તો તે સટ્ટાબજારના અંદાજો કેવી રીતે નીકળતા હશે તે તો કોઈને ખબર નથી, પરંતુ કેટલાક અંદાજો સાચા પડી ગયા હોય, તો તેનો વધારે પ્રચાર થતો હોવાનું પણ ઘણાં લોકો માને છે.
આ ફલોદા સટ્ટાબજાર તદ્દન ગેરકાયદે હોવાથી પોલીસ તથા તંત્રો તેના પર અંકુશ લાવવા દરોડા પાડતી હોય છે, જે હોય તે ખરૃં, પરંતુ આ સટ્ટોડિયાઓએ લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા પછી જે અનુમાનો કર્યા છે, તેને સંપૂર્ણપણે ભાજપ કે એનડીએ જ નહીં, પરંતુ વિપક્ષો પણ સાચી માનતા નથી, કારણ કે, ચોથા તબક્કા પછી ભાજપને ૩૭૦ પ્લસ કે એનડીએને ૪૦૦ પ્લસ બેઠકો મળવાની સંભાવના નહીં હોવાનું તો જણાવાઈ રહ્યું છે, પરંતુ ભાજપને ચાર તબક્કાના મતદાન પછી ર૯૬ થી ૩૦૦ બેઠકો (ર૦૧૯ થી ઓછી) અને એનડીએને ૩ર૯ થી ૩૩ર બેઠકો મળી શકે છે, અને મોદીની સરકાર જ ત્રીજી વખત સત્તા મેળવી શકે છે. તેવા તારણો આ સટ્ટાબજારને ટાંકીને કાઢવામાં આવી રહ્યાં છે, જે સ્વાભાવિક રીતે જ બન્ને તરફના ગઠબંધનો સ્વીકારે નહીં... બીજી તરફ કોંગ્રેસને માત્ર પ૦ થી પર બેઠક જ અપાઈ રહી છે.
બીજી તરફ દિલ્હીમાં કેજરીવાલના પર્સનલ સ્ટાફે આમઆદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતી માલિવાલ સાથે કરેલા દુર્વ્યવહારની કબૂલાત પછી આ મુદ્દો રાજધાનીમાં ચર્ચાસ્પદ બન્યો હતો, તો બીજી તરફ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ મહિલા નેતા અને બબ્બે ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા કુરૂક્ષેત્રના પૂર્વ સાંસદ ડો. કૈલાશો સૈનીએ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા, એટલું જ નહીં, ભાજપ સામે સણસણતા આક્ષેપો કર્યા તે પછી ચૂંટણી ટાણે જ આ પ્રકારની ઘટનાઓ બનતા તેની રાજકીય અસરો પણ પડશે, તે નક્કી જ છે. આમઆદમી પાર્ટીએ કલાકો સુધી ચૂપકીદી સેવ્યા પછી આ ઘટના બની હોવાની પુષ્ટિ કરીને કસુરવાન પી.એ. સામે કદમ ઉઠાવવાનું જાહેર કર્યુ હોવા છતાં આ મુદ્દાને ભૂતકાળમાં એક સેક્રેટરીની દિલ્હીના સીએમ હાઉસમાં મારપીટ સાથે સાંકળીને પ્રતિસ્પર્ધીઓ દ્વારા કરાઈ રહેલા આક્ષેપોના કારણે 'આપ' બેકફૂટ પર આવી ગઈ છે, આ મુદ્દે કોંગ્રેસે પણ પહેલીથી જ સ્વાતી માલિવાલ તરફી વલણ અપનાવ્યું હોવાથી જ આમઆદમી પાર્ટીએ માલીવાલ સાથે દુવ્યવહાર થયો હોવાની જાહેરમાં પુષ્ટિ કરી હશે, તેવી અટકળો છે, તો એવી ચર્ચા પણ છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કદાચ એલજીએ મંગાવી પણ લીધા હોય... જે હોય તે ખરૃં..., પરંતુ ભાજપ અને 'આપ' આ મહિલા નેતાઓના કારણે બેકફૂટ પર જરૂર આવી ગયા છે, તેવા તારણો નીકળી રહ્યાં છે. હકીકતે હવે 'પાર્ટી વીથ ધ ડીફરન્સ" કે "કટ્ટર ઈમાનદાર પાર્ટી" જેવા શબ્દ પ્રયોગો અંગે ફેર વિચારણા કરવી પડે તેમ હોવાની સાથે માલિવાલના મુદ્દે ભાજપ, કોઈએ અપનાવેલા વલણની સરખામણી પણ થઈ રહી છે...!
લોકસભાની ચૂંટણીમાં ભાજપ હારી રહ્યું હોવાના વિપક્ષોના દાવા વચ્ચે દિલ્હી અને ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે, તેની ચર્ચા પણ થઈ રહી છે. રાજસ્થાનના ફલોદા સટ્ટબજારે ગુજરાતમાં ભાજપને તમામ રપ બેઠકો તથા દિલ્હીમાં પણ ભારતીય જનતાપક્ષને ૬ થી ૭ બેઠકો મળશે, તેવા અનુમાનો કર્યા હોવાનું કહેવાય છે, જે હોય તે ખરૃં, પરંતુ આ તમામ અનુમાનોનો કોઈ મતલબ જ નથી, અને સાયન્ટિફિક રીતે થોડા-ઘણાં વિશ્વસનિય સર્વેક્ષણોના એક્ઝિટ પોલ્સના પરિણામો પણ છેલ્લા (સાતમા) તબક્કાના મતદાન પછી જ આવે તેમ છે, ત્યારે આ પ્રકારની ગેમ્બલીંગના તારણો માત્ર મનોરંજક બની રહેતા હશે, ખરૃં કે નહીં...?
આ પ્રકારની ગેમ્બલીંગ કે સટ્ટાબાજીને મહત્ત્વ પણ ન આપી શકાય. સાચી ખબર તો ૪થી જૂને જ પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલારનું સર્વાધિક લોકપ્રિય સાંધ્ય દૈનિક 'નોબત' નવા નવા રંગરૂપ, અદ્યતન ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના સંયોજન સાથે આજે ૬૮ મા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કરી રહ્યું છે. ૬૭ વર્ષની શાનદાર સફળ સફર સંપન્ન કરીને પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરી રહેલું સૌના હૈયે વસેલું 'નોબત' હવે હાઈટેક થઈ ગયું છે અને તેની પૂરક અદ્યતન અને ડિજિટલ આવૃત્તિઓ પણ ખૂબજ લોકપ્રિય બની રહી છે. આ કારણે 'નોબત' હવે સીમાડા તોડીને સાત સમંદર પાર પહોંચ્યું છે, તેથી હાલારીઓની છાતી ગજ ગજ ફૂલે છે.
આઝાદી પછી જ્યારે એક તરફ દેશમાં રાષ્ટ્રીય ભાવનાઓ ચરમસીમાએ હતી, અને બીજી તરફ અંગ્રેજોની અવળચંડાઈના કારણે ભાગલા પડ્યા પછી ભારત અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું, તેવા સમયે અમારા પથદર્શક આદરણીય પૂ. સ્વ. રતિલાલભાઈ માધવાણીએ રાજ્યા સર્વપ્રથમ સાંધ્ય ગુજરાતી અખબારનો પ્રારંભ કર્યો અને સાપ્તાહિકને સાંધ્ય દૈનિકનું સ્વરૂપ આપીને ટાંચા સાધનો તથા આર્થિક સંકડામણ વચ્ચે અનેક અવરોધોનો સામનો કરીને આ અખબાર ચલાવ્યું, વિક્સાવ્યું અને આ અખબારના માધ્યમથી નિડર પત્રકારિત્વનો દાખલો બેસાડ્યો. એટલું જ નહીં, આ અખબારી માધ્યમની સાથે સાથે દેશસેવા, સમાજસેવા, માનવસેવા અને નગરસેવાને સાંકળીને સમગ્ર હાલાર પંથકની જનતાનો અવાજ બનવા સુધીની સંઘર્ષમય અને પડકારરૂપ પ્રગતિયાત્રા સંપન્ન કરી, જે આપણાં સૌ માટે પ્રેરણાદાયી અને પથદર્શક છે.
અદ્યતન ટેકનોલોજીની સાથે પરંપરાગત પદ્ધતિનો સમાગમ કરીને મૂળ પ્રિન્ટેડ અખબારની સાથે સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઈ-પેપરના સ્વરૂપમાં પણ 'નોબત' હવે હથેળીમાં રહેલા મોબાઈલ સેલફોન મારફત પણ પ્રસ્તુત થઈ રહ્યું છે, જે ઘણું જ લોકપ્રિય થયું છે. કોમ્પ્યુટર, લેપટોપ અને સેલફોનના માધ્યમથી ઈ-પેપર ઉપરાંત બ્રેકીંગ ન્યૂઝ, વેબસાઈટ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમથી 'નોબત' ગ્લોબલ બન્યું છે, અને વિશ્વના ખૂણે ખૂણે વસેલા હાલારીઓ સહિત ગુજરાતીઓ જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના ગુજરાત સાથે સંકળાયેલા લોકો સુધી ઈ-પેપર, યુટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વ્હોટ્સએપના માધ્યમથી બ્રેકીંગ ન્યૂઝ તથા વેબસાઈટની લીન્ક દ્વારા 'નોબત' હવે ચોવીસેય કલાક ઉપલબ્ધ બન્યું છે, અને તેમાં માધવાણી પરિવારની ત્રણ ત્રણ પેઢીનો સંયુક્ત પરિવાર પરિશ્રમ રેડી રહ્યો છે, જે 'નોબત'ના આદ્યસ્થાપક આદરણીય પૂ. રતિલાલ માધવાણી અને પૂ. બાના સંસ્કારોને આભારી છે.
જુના જમાનામાં પણ કોઈપણ અગત્યના સમાચારો માટે સાંજના સમયે 'નોબત' પ્રસિદ્ધ થઈ ગયા પછી પણ એડિશન અથવા 'વધારો' પ્રસિદ્ધ કરાતો હતો, જેનું સ્થળ હવે 'નોબત'ની બ્રેકીંગ ન્યૂઝ અવિરત સેવાએ લીધું છે. 'નોબત'ના ગ્લોબલ ફીડબેક એપને પ્રોત્સાહિત કરે છે, અને વિજ્ઞાપનદાતાઓ, વાચકો તથા શુભેચ્છકોનો આ રિસ્પોન્સ જ અમારી મહામૂલી મૂડી છે, અને આ વિકાસ યાત્રામાં વખતોવખત અમારી સાથે જોડાયેલા તમામ વિભાગના કર્મચારીઓ, પત્રકારો, લેખકો અને વિતરકો-પ્રતિનિધિઓ પણ એટલા જ યશભાગી છે. 'નોબત'નો બહોળો વાચક વર્ગ તો હતો જ, તેમાં હવે બ્રેકીંગ ન્યૂઝ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાથી ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ જેવા માધ્યમો તથા વેબસાઈટના માધ્યમથી હવે વિશાળ વાચકવર્ગની સાથે શ્રોતાવર્ગ પણ વધ્યો છે.
'નોબત'નો અભિગમ પહેલેથી જ લોકોની સમસ્યાઓને વાચા આપવાનો રહ્યો છે, અને સાથે સાથે કુદરતી આફતો, યુદ્ધ કે મહામારી જેવા કઠીન સમયે પણ લોકોની સાથે ખભેખભા મેળવીને જનસેવા તથા સમાજ સેવા કરવાનો રહ્યો છે, તે ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, નગરના આંગણે કોઈ વિશેષ કાર્યક્રમો હોય, હાલારને ગૌરવ અપાવે, તેવી ઉપ્લબ્ધિઓ હોય કે ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક વિકાસના કાર્યક્રમો હોય, 'નોબત' હંમેશાં પોતાની પ્રત્યક્ષ ભૂમિકા અદા કરતું જ રહ્યું છે.
'નોબત'નું પ્રકાશન વાચકોની વાચનભૂખ સંતોષે છે, અને મનોરંજન સાથે જ્ઞાન પીરસે છે, એટલું જ નહીં, ઉદાસિન તંત્રોને જગાડવા, સામૂહિક જનચેતના જગાડવા, મહત્ત્વના મુદ્દે લોકમત ઘડવા અને સત્કાર્યોને બિરદાવવાનું કામ પણ કરે છે.
'નોબત' માત્ર હાલાર જ નહીં, પરંતુ રાજ્ય, દેશ અને દુનિયાની તમામ તાજામાં તાજી ખબરોથી વાચકોને માહિતગાર રાખે છે. નગરથી નેશન અને ઈન્ટરનેશનલ બાબતોને આવરી લઈને તટસ્થ વિશ્લેષણો તથા રસપ્રદ આંકડાકીય માહિતી સાથે સામાન્ય લોકોના મનની વાતને સાંકળીને રજૂ થતો તંત્રીલેખ, દર શનિવારે સંગત વિભાગમાં રજૂ થતા 'મન હોય તો માળવે જવાય', સંવેદના, મિલન મસ્તની મસ્તી, સહિતના લેખો, શુક્રવારે રજૂ થતા એન્જિયોગ્રાફી અને કટાક્ષકણિકા ઉપરાંત અઠવાડિયા દરમિયાન નિયત કરેલા દિવસોમાં ચૂડી-ચાંદલો, ઘોર-અઘોરી, માર્કેટ સ્કેન, દૈનિક રાશિફળ, સાપ્તાહિક જ્યોતિષ, જેવા લેખો, સંક્ષિપ્ત સમાચાર, પ્રાસંગિક લેખો, ઈન્ટરવ્યૂ અને મુલાકાતો આધારિત લેખો, સાફલ્ય ગાથાઓ, ફોટોસ્ટોરીઝ, કાર્ટૂન કોર્નર, સોના-ચાંદીના ભાવો, શુભવિવાહ તથા ચિરવિદાય જેવા વિભાગો, વાચન વિશેષ સહિતની અઢળક જીવનોપયોગી અને માહિતીપ્રદ-રસપ્રદ વાચનનું સામગ્રી પીરસે છે.
આજે જ્યારે 'નોબત'ની યાત્રા ૬૮ મા વર્ષમાં પ્રવેશી છે, ત્યારે અમે હજુ પણ અમારા વાચકો, દર્શકો અને 'નોબત'ના ચાહકોની અપેક્ષાઓને અનુરૂપ 'નોબત'ને પ્રિન્ટ મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વધુને વિસ્તારીને આજના યુગને સુસંગત, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટના મહત્તમ ઉપયોગ સાથે વખતો-વખતના સુધારા વધારા સાથે પ્રસ્તુત કરતા રહીશું, તેવી ગેરંટી આપીએ છીએ.
આજના આ ગૌરવપ્રદ પ્રસંગે 'નોબત' અને 'માધવાણી' પરિવાર પ્રિય વાચકો, દર્શકો, ફોલોઅર્સ, વીડિયો સમાચારના શ્રોતાઓ, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપમેમ્બર્સ, આ તમામ માધ્યમોના સહભાગીઓ, સહયોગીઓ તથા માનવંતા વિજ્ઞાપન દાતાઓ, આકર્ષક ઈનામી ડ્રો સહિતની યોજના હેઠળના વાર્ષિક લવાજમના ગ્રાહકો, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને મંગલ શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ચોથા તબક્કાના મતદાન પછી લોકસભાની ચૂંટણીમાં ત્રણસોથી વધુ બેઠકો પર જનાદેશ મળી ચૂક્યો હશે અને પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે, તેનો અંદાજ આવી જશે, તેવી ધારણાઓ વચ્ચે હવે મોદીની ગેરંટીઓ સામે જેલમાંથી કામચલાઉ ધોરણે બહાર આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી ૧૦ ગેરંટીઓ આપી દીધા પછી હવે વિશ્લેષણોની દિશા પણ બદલી ગઈ છે.
અત્યારે જુદા જુદા રાજકીય પક્ષો તરફથી અપાતી ગેરંટીઓથી ગગન ગૂંજી રહ્યું છે, અને વાદા, દાવા, કાવા-દાવા અને મતદારોને રિઝવવા અથવા ભરમાવવાના નવા નવા કીમિયા અજમાવાઈ રહ્યા છે. આઝાદી પછીથી ચૂંટણી ટાણે વાયદાઓ કરીને, વચનો આપીને કે ચૂંટણી ઢંઢેરાઓમાં મતદારોને નવા સપના બતાવીને મતો મેળવવાની પરંપરાઓ ચાલતી જ રહી છે, પરંતુ હવે તેમાં પણ આધુનિકરણ આવ્યું છે અને આપ, ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ વચનોનો વરસાદ કરવા લાગ્યા છે, જેને હવે 'ગેરંટી'નું નામ અપાયું છે.
કેજરીવાલની નવી દસ ગેરંટીઓને સુક્ષ્મ નજરે જોવામાં આવે, તો તેમાં રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ તથા ભારતીય સેનાને સાંકળતા વિષયો ઉપરાંત લોક-લુભાવન જાહેરાતોનું મિશ્રણ જોવા મળે છે, જે દર્શાવે છે કે, કેજરીવાલને આમ આદમી પાર્ટીએ કે ઈન્ડિયા ગઠબંધને નહીં, પણ સ્વયં પોતે જ પોતાને વિપક્ષ તરફથી વડાપ્રધાનપદનો ચહેરો પ્રસ્થાપિત કરી રહ્યા છે. તેમનો આ ગેરંટી પૂરી કરવાનો નિર્ધાર જ એ સૂચવે છે કે, તેઓ મોદીનો વિકલ્પ બનીને દેશને નવી દિશા આપવાના મનસુબા ધરાવે છે, જેને કોંગ્રેસ સહિત તમામ સાથી પક્ષોનું સમર્થન છે.
કેજરીવાલની નવી દસ ગેરંટીએ 'મોદીની ગેરંટી' સહિતની એનડીએની ગેરંટીઓની હવા કાઢી નાંખી છે અને આખા દેશમાં કેજરીવાલ તરફી પવન ફૂંકાઈ રહ્યો છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
આજે રાજકીય પંડિતોનું સૌથી વધુ ધ્યાન જમ્મુ-કાશ્મીર પર હશે, કારણ કે કલમ-૩૭૦ હટાવાયા પછી ત્યાં લોકસભાની ચૂંટણીમાં થનાર મતદાનની ટકાવારી, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો ઘણાં જ મહત્ત્વપૂર્ણ બનવાના છે. જેથી શ્રીનગરની લોકસભા સીટ પર થઈ રહેલું મતદાન ધ્યાનાકર્ષક બન્યું છે.
આજે ૧૦ રાજ્યોની જે ૯૬ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યાં કેટલાક રાજ્યોમાં પડતી ભિષણ ગરમીમાં મતદારોને મતદાન માટે પ્રેરણા આપવા છતાં ઓછા મતદાનની શક્યતાએ રાજકીય પક્ષોની ચિંતા તો વધારી જ દીધી છે, સાથે સાથે ચૂંટણીપંચ માટે પણ આ સ્થિતિમાં ધોમધખતા તાપમાં મતદાન મથકો પર જરૂરી તમામ વ્યવસ્થાઓ જાળવવાનો પડકાર છે, જો કે પ્રથમ ૩ તબક્કાઓમાં આ પ્રકારની પૂરક વ્યવસ્થાઓ ચૂંટણીપંચે જાળવી છે, અને મહદ્અંશે તેમાં સફળતા મેળવી છે, પરંતુ આજે થઈ રહેલી ચૂંટણીઓમાં કેટલાક સ્થળે વિશેષ વ્યવસ્થાઓ તથા બંદોબસ્તની જરૂર ઊભી થતાં ચૂંટણી તંત્રની હડિયાપટ્ટી વધી છે. કેટલાક સ્થળે ગરમી ઓછી રહેવાનું ફોરકાસ્ટ છે ત્યાં વધુમાં વધુ મતદાન કરાવવા તંત્ર અને ઉમેદવારો પ્રયાસો કરી રહ્યા છે.
આજે ચોથા તબક્કામાં ૧૭ કરોડથી વધુ મતદારો ૧૭૦૦ થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણીના ઉત્તરાર્થમાં ચૂંટણી પ્રચારની હવા બદલી ગઈ હોવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે.
આજે લોકસભાની ૯૬ બેઠકોની સાથે સાથે ઓડિસા અને આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ રહી છે, અને દેશમાં કેટલાક સ્થળે જંગી મતદાન થાય, તેવા એંધાણ સવારથી જ મળી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે પાંખુ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
પહેલા ત્રણ તબક્કામાં ર૮૩ બેઠકોનું જે મતદાન થયું છે, તેમાં આજની ૯૬ બેઠકો ઉમેરાયા પછીના ત્રણ તબક્કામાં જે મતદાન બાકી રહેવાનું છે, તેમાં પણ આ વખતે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે, જ્યારે એનડીએએ સત્તા બચાવવા તો ઈન્ડિયા ગઠબંધને સત્તા ખૂંચવવાના ઈરાદાથી બેક ધ ડોર પણ તડજોડ શરૂ કરી દીધી હોવાની વાતો પણ વહેતી થઈ ગઈ છે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના કેટલાક આક્ષેપો સામે ચૂંટણી પંચે નારાજગી દર્શાવવ્યા પછી મતદાનના આંકડાઓ પ્રસિદ્ધ કરવાનો મુદ્દો વધુ ગરમાયો છે અને હવે તો કેટલીક પ્રેસ-મીડિયા સાથે સંકળાયેલી સંસ્થાઓએ પણ ચૂંટણી પંચ દરરોજ પ્રેસ કોન્ફરન્સો કરે તેવી માંગણી ઊઠાવી છે અને કમ-સે-કમ મતદાનનો તબક્કો પૂરો થયા પછી સમયોચિત રીતે તમામ આંકડાઓ સાથે પ્રેસકોન્ફરન્સ યોજવી જરૂરી હોવાની માંગણી થઈ હોવાના અહેવાલો છે. આ મુદ્દે કેટલાક સંગઠનોએ ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ પીઓકેમાં ચાલી રહેલી પાકિસ્તાનની સરકાર વિરોધી ચળવળનો પણ ભારતની તમામ ચૂંટણીઓના પ્રચાર સાથે સાંકળીને તેને બાકીના પણ તબક્કાના પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવી દેવાશે, તેવા સંકેતો વ્યક્ત થઈ રહ્યા છે.
કેજરીવાલનો જેલમાંથી હંગામી ધોરણે છૂટકારો થતા તેમણે પ્રચારનું સૂકાન એવી રીતે સંભાળી લીધું છે કે તેઓ જ સમગ્ર વિપક્ષનો ચહેરો બની ગયા છે, માત્ર આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ અન્ય વિપક્ષી કાર્યકરોમાં નવું જોમ અને જુસ્સો આવ્યા છે. આ વખતે દિલ્હી, પ. બંગાળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની કેટલીક બેઠકો પર ચોંકાવનારા પરિણામો આવશે અને જબરો ઉલટફેર થશે. એટલું જ નહીં, ભાજપને ઉત્તર ભારતમાં થનારૂ નુક્સાન દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાંથી સરભર થઈ જશે, તેવા દાવાઓ વચ્ચે ઈન્ડિયા ગઠબંધનની સરકાર કેજરીવાલના નેતૃત્વમાં યોજાશે, તેવા દાવાઓની સામે એવા અનુમાનો પણ થઈ રહ્યા છે કે મોદી રિટર્ન તો થશે, પરંતુ બહુમતીના ફાંફા વચ્ચે તડજોડ કરવી પડશે. જોઈઅ શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ગુજરાતમાં એસએસસીનું પરિણામ સારૃ આવ્યું, તો ગઈકાલે સુપ્રિમ કોર્ટે પહેલી જૂન સુધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા પછી તેઓ ગઈકાલે સાંજે જ ચૂંટણીના મેદાનમાં આવી ગયા તથા ગઈકાલે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ જીત્યુ, તેની મહત્તમ ચર્ચા થઈ રહી છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે કેજરીવાલ બહાર આવી જતા બાકીના ચાર તબક્કાના સમિકરણો બદલી ગયા છે અને કેજરીવાલની રાજકીય નિપુણતા તથા હિંમતને લક્ષ્યમાં લઈને ઈન્ડિયા ગઠબંધનની સાથે નહીં, ભળેલા અન્ય વિરોધી પક્ષો પણ પોસ્ટ પોલ એટલે કે ચૂંટણી પછીના વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે, અને કેજરીવાલને મોદી સામે પી.એમ. પદના ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે. પી.એમ. મોદી પણ ભૂતકાળમાં જે સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે જ તેઓને એન.ડી.એ. તરફથી વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતાં, અને તે સમયે તેઓની પી.એમ. પદના ઉમેદવાર તરીકેની પસંદગી સામે ભાજપ અને એનડીએના કેટલાક સાથીદાર પક્ષોના નેતાઓ સહમત નહીં હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ તેઓ પી.એમ. પદના ઉમેદવાર તરીકે ચૂંટણી પહેલા જ જાહેર થયા હતાં, જ્યારે આ વખતેની ચૂંટણીમાં પણ તેઓ એન.ડી.એ.નો સી.એમ. પદનો ચહેરો છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધને એવો નિર્ણય લીધો હતો કે ચૂંટણી પછી પરિણામો આવે ત્યારે પોસ્ટ પોલ એલાયન્સમાં નવા અન્ય પક્ષોને સામેલ કરીને વડાપ્રધાન કોણ બને તે નક્કી કરવું ઈન્ડિયા ગઠબંધનની સામૂહિક ફાઈટ પછી આ વખતે એન.ડી.એ.ની માંડ ૧પ૦ બેઠકો આવશે અને ભાજપ સરકાર ઘરભેગી થશે, તથા વિપક્ષો એકજુથ થઈને સરકાર બનાવશે, તેવા દાવા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ થઈ રહ્યા છે.
ગઈકાલે માત્ર ચૂંટણીપ્રચાર માટે સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા પછી ગઈકાલથી જ ચૂંટણી પ્રચારના મેદાનમાં આવી ગયેલા કેજરીવાલ પોસ્ટપોલ વિપક્ષી ગઠબંધનના પી.એમ. પદનો ચહેરો પણ બની શકે છે, તેવો દાવો પણ થઈ રહ્યો છે. તે કારણે ત્રણ તબક્કા પછી જ્યારે એવું લાગ્યું કે આ વખતે અંડરકરન્ટ જનાદેશ એન્ટી ગવર્નમેન્ટ થઈ રહ્યો છે, ત્યારે અત્યારથી જ વિપક્ષી ગઠબંધનનો વડાપ્રધાનપદનો ચહેરો કોણ હશે, તેની ચર્ચા થવા લાગી છે.
આ પદ માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે જેવા કેટલાક નામો ઉપરાંત ફરીથી પલટી મારીને નીતિશકુમાર પણ વિપક્ષી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકે છે, તેવી અટકળો પહેલેથી થતી હતી તેમાં હવે કેજરીવાલનું નામ ટોપના ક્રમે ચર્ચાઈ રહ્યું છે, અને વિપક્ષોમાં મોદીના વિકલ્પ તરીકે એનડીએને ટક્કર મારે તેવો એક માત્ર ચહેરો કેજરીવાલ જ હોવાના તારણો પણ અત્યારથી જ નીકળવા લાગ્યા છે.
જો કે, સુપ્રિમ કોર્ટે જે શરતો રાખી છે, તે જોતા કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કોઈપણ કદમ ઊઠાવવાની છૂટ મળી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના વડા તરીકે તેઓ છૂટથી દેશવ્યાપી પ્રચાર કરી શકશે, તે જોતાં તેની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી તેને વડાપ્રધાનપદની રેસમાંથી બહાર પણ ધકેલી શકે છે, પરંતુ જો વિપક્ષી ગઠબંધનને પૂર્ણ બહુમત મળી જાય તો સમિકરણો અને સ્થિતિ બદલી પણ શકે છે અને કેજરીવાલનો માર્ગ મોકળો પણ થઈ શકે છે, પરંતુ અત્યારે તો ચોથી જૂનની રાહ જોવી રહી અને બીજી જૂને કેજરીવાલ સરન્ડર કરે તે પછીની સ્થિતિની વાટ જોવી રહીે, ખરૃ કે નહીં?
કેજરીવાલના કેસમાં સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલો અને કેજરીવાલના પક્ષે રોકાયેલા વકીલોની તર્કબદ્ધ દલીલો પછી સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ગુજરાતના એક વર્તમાન ધારાસભ્યને સાંકળીને એવો સવાલ ઊઠાવ્યો કે જો કેજરીવાલ ચૂંટણી પ્રચાર માત્ર એટલા માટે ન કરી શકતા હોય કે તેની સામે કોઈ તપાસ કે કેસ ચાલી રહ્યો છે, તો ગુજરાતમાં કોર્ટે સજા સંભાળાવ્યા પછી પણ હાર્દિક પટેલ કેવી રીતે ચૂંટણી લડ્યો?
રાજકારણની આ જ ખૂબી અથવા ખામી છે કે એક સમયે પાટીદાર આંદોલન સમયે જેની તરફેણમાં ગુજરાત સુધી હળિયાપટ્ટી કરતા નેતા-કમ-વકીલને હવે તેનું જ ઉદાહરણ એ નેતાની તરફેણમાં આપવું પડી રહ્યું છે, જે નેતા ભૂતકાળમાં ઘોર-વિરોધી હતાં!
ગઈકાલે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સત્યનો વિજય થયો છે, તાનાશાહીને તમાચો લાગ્યો છે, મોદી સરકારના વળતા પાણી થવાના છે, વગેરે કોમેન્ટો સોશ્યલ મીડિયામાં પણ ફરતી થઈ ગઈ હતી. તેની સામે એનડીએના પ્રવક્તાઓ કહેતા સંભળાયા કે આ માત્ર ચૂંટણીપ્રચાર માટે વચગાળાના જામીન જ આપ્યા છે, કેજરીવાલ નિર્દોષ ઠર્યા નથી, અને દોષિત ઠરશે તે પછી હજુ લાંબી જેલ ભોગવવાની બાકી છે... વગેરે...
એ પછી આજે બપોરે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ તેવું જાહેર થયા પછી સૌ કોઈની નજર કેજરીવાલના નવા રણકાર, પડકાર અને આહ્વાન પર જ મંડાયેલી હતી, અને તેના પ્રત્યાઘાતો પણ એટલા જ આક્રમક હતાં.
પોસ્ટપોલ પી.એમ. પદના ઉમેદવાર તરીકે હવે વિપક્ષી ગઠબંધનમાં કેજરીવાલ પણ અગ્રીમ હરોળમાં આવી ગયા હોય, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે ધોરણ ૧ર ના ઊંચા પરિણામ પછી હવે આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડનું એસ.એસ.સી. (ધો. ૧૦) નું પરિણામ પણ ઊંચુ આવશે, તેવી આશા પ્રગટી છે, તો બીજી તરફ એક સહકારી સંસ્થાની રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીના પરિણામોમાં થયેલા ઉલટફેર અથવા નિર્ધારિત ઉથલપાથલના કારણે હલચલ મચી ગઈ છે, જેની અસરો સીધી જ પ્રદેશ ભાજપની કાર્યપદ્ધતિ તથા ઉચ્ચ કક્ષાની અટપટ્ટી તથા અનિર્ણાયક આંતરિક વ્યવસ્થાઓ પર પણ પડી છે. આજે કેજરીવાલનો મુદ્દો પણ સવારથી જ ચર્ચામાં હતો, તે ઉપરાંત હરિયાણામાં ઉલટફેરના એંધાણે પણ નેશનલ ટોક જગાડી છે, અને ત્યાં ભાજપ સરકારના વળતા પાણી જણાય છે.
સૌથી વધુ ચર્ચા સહકાર ક્ષેત્રે થયેલી ઉથલપાથલની છે. બન્યું છે એવું કે તાજેતરમાં જ ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. એટલે કે ઈફકોની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. આ ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ તો સપાટી પર આવી જ ગયો, પરંતુ તેના કરતા યે વધુ ભાજપનો મેન્ડેટ મેળવનાર ઉમેદવારની ભાજપના જ એક દિગ્ગજ નેતા સામે કારમી હાર થતા પ્રદેશ ભાજપની આ મુદ્દે અનિર્ણાયક્તા અથવા ગુપ્ત બેવડી નીતિ પણ બહાર આવી ગઈ હોવાના તારણો રાજકીય પંડિતો કાઢી રહ્યા છે.
બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં પણ પ્રદેશ ભાજપનું બુથ મેનેજમેન્ટ આ વખતે સદંતર નિષ્ફળ ગયું અને આ દાયકાનું એવરેજ સૌથી ઓછું મતદાન થયું, તથા રાજ્યમાં બે કરોડ જેટલા મતદારો મત નાંખવા જ ન ગયા, તેથી પ્રદેશ ભાજપના શક્તિકેન્દ્રો, મતવિસ્તારવાઈઝ કાર્યાલયો, પેજ પ્રમુખો તથા બુથ મેનેજમેન્ટના મોટા મોટા દાવાઓનું સૂરસૂરિયું જ થઈ ગયેલું જણાય છે.
ઈફકોની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યો હતો, છતાં બળવાખોર ઉમેદવાર, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ૧૧૩ મતો મેળવીને વિજય મેળવતા પ્રદેશ ભાજપના નેતૃત્વનો નિર્ણય બૂમરેંગ પૂરવાર થયો હતો.
ઈફકોના ડિરેક્ટર પદ માટે ભારતીય જનતા પક્ષે ગોતાના બિપીન પટેલને મેન્ડેટ આપ્યા પછી પણ જયેશ રાદડિયા અને પંકજ પટેલે ફોર્મ ભર્યા હતાં, પરંતુ છેલ્લી ઘડીએ પંકજ પટેલ સ્પર્ધામાંથી ખસી ગયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે ચર્ચાસ્પદ બન્યો હતો.
અંતે બળવાખોર રાદડિયાનો નોંધપાત્ર લીડથી વિજય થયો. આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું કે, પહેલાના સમયમાં કેટલાક પરિબળો અલગ અલગ પાર્ટી સાથે ભળીને સહકારી ક્ષેત્રને નુક્સાન કરતા હોવાથી ભારતીય જનતા પક્ષે સહકાર ક્ષેત્રની કેટલીક ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું અને સાડાત્રણસોમાંથી બે-ત્રણ અપવાદ સિવાય તમામ ચૂંટણીઓ ભાજપે જેને મેન્ડેટ આપ્યો હોય, તેઓ જ જીત્યા છે. ભાજપે શક્ય હોય ત્યાં સુધી એક જ વ્યક્તિ પાસે બે હોદ્દા ન રહે, તે પ્રકારની મેન્ડેટ અપાતા હોય છે. ભાજપના નિયમોનુસાર નિર્ણય લેવાતો હોય છે.
સી.આર. પાટીલની આ ગોળ-ગોળ વાતો અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું અસ્પષ્ટ વલણ જોતા આ મુદ્દે ઘીના ઠામમાં ઘી પડી રહેશે તેમ જણાય છે, જો કે એવી વાતો પણ વહેતી થઈ છે કે અમિત શાહે વિનંતી કરવા છતાં રાદડિયા મેદાનમાંથી હટ્યા નહીં, અને ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારને માત્ર ૬૬ મતો જ મળ્યા હોય, તો તે રાષ્ટ્રીય નેતાગીરીના નિર્ણય સામે પણ સવાલો ઊભા કરે જ છે. સામાન્ય રીતે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પક્ષના ધોરણે લડાતી હોતી નથી, પરંતુ મેન્ડેટ પ્રથા પછી તેમાં પણ પક્ષીય રાજકારણ રમાતું થયું છે.
સહકારી ક્ષેત્રના આ રાજકારણમાં આ ક્ષેત્રના દિગ્ગજ અને ભાજપના જ સિનિયર નેતા દિલીપ સંઘાણીનું સમર્થન રાદડિયાને મળતા આ પરિણામ આવ્યું હોવાની ચર્ચા છે, અને હવે તો એક ઓપન સિક્રેટ પણ છે, ત્યારે આ મુદ્દો હવે ભાજપની રાષ્ટ્રીય સર્વોચ્ચ નેતાગીરી સુધી પહોંચશે, તેમ જણાય છે.
ઈફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની કારમી હાર થઈ હોય, અને તે પણ પાર્ટીના સહકાર સેલના પ્રમુખ હોય, તો હવે સવાલ એ ઊઠે છે કે 'શિસ્તબદ્ધ' પાર્ટી શિસ્તભંગના પગલાં લ્યે છે કે પછી 'ઘીના ઠામમાં ઘડી પડી રહ્યું' હોવાનું કહીને ડેમેજ કંટ્રોલ કરી લેવાશે? જસ્ટ વેઈટ એન્ડ વોચ...
એક જાણીતી કહેવત મુજબ 'ઘર ફૂટે ઘર જાય'ની જેમ હવે ભાજપમાં જબરદસ્ત આંતરવિગ્રહ સપાટી પર આવી રહ્યો હોવાથી આ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાજપના વળતા પાણીના એંધાણ છે કે શું? તેવા અણીવાળા પ્રશ્નો પણ વિપક્ષના વર્તુળોમાંથી ઊઠી રહ્યા છે, ત્યારે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧ર ના બન્ને પ્રવાહો અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. આજે સવારે નવ વાગ્યાથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પોતાનું રિઝલ્ટ મેળવીને હવે પછીનો પ્લાન ઘડી રહ્યા છે. કોને કેટલા પરસેન્ટાઈલ મળ્યા અને કોણ ઉત્તીર્ણ-અનુત્તીર્ણ થયું, તેવી જિજ્ઞાસા સંતોષાયા પછી હવે આગળના ઉચ્ચ અભ્યાસ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે, અને વિદ્યાર્થીઓની રૂચિ મુજબ જ આગળની કારકિર્દીનો નિર્ણય લેવા દેવા વાલીઓને સલાહ અપાઈ રહી છે. આ વખતે ધોરણ ૧ર ના બન્ને પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ પણ સારૂ આવ્યું, તેથી વિદ્યાર્થીઓ અને તેના પરિવારોમાં ખુશીનો માહોલ છે.
વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પણ ગાડરિયા પ્રવાહની જેમ કે પોતાના ગ્રુપને વિના વિચાર્યે અનુસરીને પોતાના આગળના અભ્યાસ કે કારકિર્દીનો નિર્ણય લેવાના બદલે પોતાની અંદર પડેલા કૌશલ્ય અને રૂચિને અનુરૂપ જ નિર્ણય લેવો જોઈએ અને પોતાના વાલીઓ-પરિવારને તેની વિવેકપૂર્વક જાણ કરીને આગળ વધવું જોઈએ. ખરૂ કે નહીં?
વાલીઓ અને પરિવારે પોતાના સંતાનોનું પરિણામ આવ્યા પછી તેની સાથે શાંતિથી ચર્ચા કરીને અને તેની રૂચિ તથા ઈચ્છા જાણીને તેને સપોર્ટ કરવો જોઈએ, અને જો તેઓ ગાડરિયા પ્રવાહની જેમ કે માત્ર પોતાના દોસ્તોની સાથે રહેવા માટે કોઈ અયોગ્ય નિર્ણય લેતા હોય તો તેને વઢીને નહીં, પણ શાંતિથી સમજાવીને યોગ્ય નિર્ણય લેવડાવવો જોઈએ, ખરૂ કે નહીં?
ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પછી આ પરિણામો જાહેર થયા છે, જેથી હવે એક તરફ તો પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ અંગે પરામર્શ થતો હશે, તો બીજી તરફ તમમ પરિવારો વેકેશન કેવી રીતે માણવું અને ક્યાંનો પ્રવાસ કરવો, તેની ચર્ચા કરતા હશે.
આ વખતે હિટવેવની આગાહીઓ ઉપરાછાપરી આવી રહી હોવાથી તેને લક્ષ્યમાં રાખીને સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહો પણ અપાઈ જ રહી છે.
ઘણાં પરિવારો વેકેશનમાં પણ વિદ્યાર્થીઓને આગળના સ્ટાન્ડર્ડની તૈયારી કરાવતા હોય છે, અને ખાસ કરીને ધોરણ ૯ અને ધોરણ ૧૧ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં પણ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરાવાતી હોય છે. આ માટે વેકેશનમાં પણ ટ્યુશનો તથા વેકેશન બેન્ચીઝના વિકલ્પો પણ વિચારાતા હોય છે!
વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તો પૂરી થઈ ગઈ હતી, પરંતુ રાજકીય પક્ષો તથા ઉમેદવારોની પરીક્ષા હજુ ચાલી રહી છે. તેઓએ ત્રણ પેપર આપી દીધા છે અને હજુ ચાર પેપર આવવાના બાકી છે, મતલબ કે ત્રણ તબક્કાનું મતદાન પૂરૂ થઈ ગયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે... લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાના સભ્ય બનવા માટેની આ પરીક્ષામાં કોણ ઉત્તીર્ણ થશે અને કોણ ફેઈલ થશે, તેનું પરિણામ છેક ચોથી જૂને આવવાનું હોવાથી જે પરીક્ષાર્થી ઉમેદવારોની પરીક્ષા (મતદાન) પૂર્ણ થયેલ છે, તેઓ કાં તો આરામ ફરમાવશે, અથવા પોલિટિકલ વેકેશન માણવા ઉપડી ગયા હશે. અત્યારે તો પ્રથમ ત્રણ તબક્કાના ઉમેદવારો પોતાને કેટલી ટકાવારી મળશે, તેના અંદાજો પેપર સોલ્યુશન પ્રક્રિયાની જેમ જ કરતા હશે, ખરૂ ને?
આવતીકાલે અક્ષય તૃતીયા પણ છે, જે અનોખો યોગાનુયોગ છે. અખાત્રીજના દિવસે કોઈપણ શુભકાર્ય આરંભવામાં આવે, તો તેમાં સફળતા મળતી હોય છે, તેથી આજે ઘણાં મંગલ પ્રસંગો યોજાશે તથા શુભકાર્યો સંપન્ન થશે. ખેડૂતો ખેતીકાર્યનું પ્રતિકાત્મક મુહૂર્ત કરશે તો ગૃહિણીઓ સોના-ચાંદી-જ્વેલરી કે મનપસંદ ચીજવસ્તુઓ ખરીદી રહી હશે. ઘણાં લોકો બિલ્ડરોએ તાજેતરમાં જ સોંપેલા નવા ભવનો (મકાનો) માં ગૃહપ્રવેશ પણ કરી રહ્યા છે. લોકતંત્રના ઉત્સવ, બોર્ડની પરીક્ષાઓનું ઉત્તમ પરિણામ અને અક્ષયતૃતીયાના આ ત્રિવેણી સંગમનો આ યોગાનુયોગ પણ કેટલો અદ્ભુત અને પ્રાસંગિક જણાય છે?
એક તરફ બોર્ડની પરીક્ષાઓના પરિણામ પછી વિદ્યાર્થી ભાઈ-બહેનોની કારકિર્દી નક્કી થવાની છે, તો બીજી તરફ ચોથી જૂને આવનારા ચૂંટણીના પરિણામો પછી ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે, જેમાં અક્ષયતતીયા જેવા શુભ દિનોનું સંયોજન થયું છેે... અદ્ભુત!
આજે સવારે જ ધોરણ ૧ર નું બન્ને પ્રવાહનું જે પરિણામ આવ્યું છે, તેની છણાવટની સાથે ઉચ્ચ પર્સેન્ટાઈલ લઈ આવનાર વિદ્યાર્થીઓની વાહવાહી થઈ રહી છે, અને તેઓની આ સિદ્ધિ સખત મહેનતનું પરિણામ હોવાથી તેને બિરદાવવા પણ જોઈએ જ ને! 'નોબત' પરિવાર/માધવાણી પરિવાર પણ તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવે છે.
જે પરીક્ષાર્થીઓનું પરિણામ ધાર્યા મુજબનું ન આવ્યું હોય કે અનુત્તીર્ણ થયા હોય, તેઓએ જરાયે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે અનુત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓ માટે પુનઃ વધુ મહેનતે ધાર્યા કરતાયે વધુ સારૂ પરિણામ મેળવવાના અવસરો છે, તો ધાર્યા મુજબના પ્રર્સેન્ટાઈલ ન આવ્યા હોય, તેઓ માટે પણ ઉજ્જવળ કારકિર્દી ઘડવાના ઘણાં વિકલ્પો મોજુદ છે, ડોન્ટ વરી...
એમ પણ કહી શકાય કે સ્ટુડન્ટ્સ અને પોલિટિશ્યન્સ માટે ઉજ્જવળ ભવિષ્યની નવી દિશાઓ ખુલી રહી છે, આગળ વધો...
ધોરણ ૧ર મા સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડબ્રેક ૯૧.૯ર ટકા અને ધોરણ ૧ર ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮ર.૪પ આવ્યું છે. આ સારૂ પરિણામ પ્રસિદ્ધ થયા પછી હવે પરીક્ષાર્થીઓને ચોતરફથી અભિનંદન અપાઈ રહ્યા છે. તે ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ સારૂ આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તો સારૂ આવ્યું જ છે, ત્યારે ઓવરઓલ વધુ પર્સેન્ટાઈલ મેળવનારા પરીક્ષાર્થીઓ પણ વધ્યા છે. તેથી હવે તમામ વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી મેળવે એવી શુભેચ્છાઓ પાઠવીએ, અને ઢગલાબંધ અભિનંદન પણ આપીએ... ગો એહેડ.... આગળ વધો... આગળ વધો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ધોમધખતા તડકામાં પણ ઘણાં સ્થળે લોકો મતદાન કરવા જતા દેખાયા અને હીટવેવની આગાહી વચ્ચે પણ ચૂંટણીતંત્ર તથા સુરક્ષા જવાનોએ ચૂંટણી પ્રક્રિયાઓ સંભાળી, તે કાબિલેદાદ છે. એકંદરે શાંતિ જળવાઈ રહી. કેટલાક રાજકીય વિવાદો તથા રાજી-નારાજીનો માહોલ હોવા છતાં દેશમાં કેટલાક અપવાદોને બાદ કરતા કોઈ હિંસક તોફાનો કે ગરબડો થઈ નહીં, અને ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું, તેથી લોકસભાની ચૂંટણી હવે લગભગ મધ્યાંતરે પહોંચી છે, તેમ કહીં શકાય. ખાસ કરીને ક્ષત્રિય સમાજના આંદોલનના એલાન વચ્ચે ગુજરાતમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું તેના પર સૌની નજર મંડાયેલી હતી.
ગઈકાલે સોનિયા ગાંધીનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેણીએ મોદી સરકાર અને એનડીએ પર માછલા ધોયા છે. તેણીએ કહ્યું કે દેશના ખૂણે ખૂણે યુવાવર્ગ બેરોજગારીના ખપ્પરમાં હોમાયેલો દેખાય છે. મહિલાઓને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. દલિતો, પછાત વર્ગો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આવું પીએમ મોદી તથા ભાજપની મહત્ત્વાકાંક્ષાઓના કારણે થઈ રહ્યું છે. રાજકીય લાભ માટે નફરતને પ્રોત્સાહિત કરાઈ રહી છે.
તેણીએ દાવો કર્યો કે કોંગ્રેસે હંમેશાં સૌની પ્રગતિ, વંચિતોને ન્યાય તથા દેશને મજબૂત કરવાની લડાઈ લડી છે. કોંગ્રેસ સહીત ઈન્ડિયા ગઠબંધન લોકતંત્રની રક્ષા માટે કટિબદ્ધ છે. તેણીએ લોકોને જૂઠાણાંઓ, ભ્રમ અને નફરત ફેલાવતા લોકોને સત્તામાંથી ખદેડવા માટે લોકોને કોંગ્રેસને મત આપવાની અપીલ પણ તે વીડિયોના માધ્યમથી કરી હતી.
કોંગ્રેસના ન્યાયપત્રમાં દેશના ગરીબો, વંચિતો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને શ્રમિકોને ન્યાયની ગેરંટી અપાઈ છે. તેણીએ કહ્યું કે ગરીબોને તરછોડવા અને સમાજના તાણાંવાણાને નબળા પાડવાના દૃશ્યોથી પીડા થાય છે. બંધારણ અને લોકતંત્ર ખતરામાં છે... વિગેરે.. સોનિયા ગાંધીનો આ સંદેશ ટોક ઓફ ધી નેશન બન્યો છે.
અત્યાર સુધીમાં ત્રણ તબક્કાના મતદાનનો સરવાળો કરીએ તો એકંદરે ૬૧ ટકાથી વધુ મતદાન થયું છે, તે કદાચ નવો રેકોર્ડ હશે. આ સાથે અત્યાર સુધીમાં ૨૮૩ બેઠક પર મતદાન સંપન્ન થયું છે, જ્યારે હજુ ૨૬૦ બેઠક માટે મતદાન થવાનું બાકી છે. ગુજરાત સહિત એક જ તબક્કામાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે તો કેટલાક રાજ્યોમાં એકથી વધુ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાત ઉપરાંત તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, દીવ-દમણ-દાદરાનગર હવેલી, ગોવા, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરામાં લોકસભાની ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી તથા કેટલાક રાજ્યોમાં વિધાનસભાની જનરલ ચૂંટણી સંપન્ન થઈ છે.
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે સતત દેશવ્યાપી પ્રવાસો કર્યા છે તો કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન તથા ભાજપ સહિત એનડીએ ગઠબંધન, તમામ દિગ્ગજોએ પણ પોતાની તમામ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે અને તે પૈકીના કેટલાક નિવેદનો ''ટોક ઓફ ધ નેશન'' બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો ચૂંટણીના દરેક તબક્કામાં અલગ અલગ રહ્યા અને જે-તે રાજ્ય, પ્રદેશ અને લોકસભા મત વિસ્તારને અનુરૂપ રહ્યા હતાં. કેટલાક સ્થળોનો વિશેષ ઉલ્લેખ કરીને કે કોઈ સ્થળે સ્થાનિક વિભૂતિને બીરદાવીને તેઓ મોટાભાગે કોંગ્રેસ પર પ્રહાર કરતા હોય છે. આ કારણે તેઓના ભાષણોના કેટલાક મુદ્દાઓ હંમેશાં 'ટોક ઓફ ધ નેશન' બની જતા હોય છે.
જામનગરમાં રાજવી જામસાહેબ, સંતો-મહંતો અને લબ્ધ-પ્રતિષ્ઠિત નાગરિકોએ ગઈકાલે મતદાન કરીને વધુમાં વધુ મતદાનનો સંદેશ આપ્યો, તેની નોંધ પણ લેવાઈ હતી.
ગઈકાલે ગુજરાતમાં મતદાન હતું, અને વોટીંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઘણાં દિગ્ગજોએ ગુજરાતમાંથી મતદાન કર્યું હતું. તે ઉપરાંત ગઈકાલે જુદા જુદા રાજ્યોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યા પછી પોતપોતાની પાર્ટી અને ગઠબંધનના દાવા કર્યા હતાં, જે ''ટોક ઓફ ધ નેશન'' બન્યા છે.
હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ બહુમતિ કરતા વધુ એટલે કે ૨૮૩ બેઠક પર મતદાન થઈ ચૂક્યું છે. હવે ચોથી જૂને મતગણતરી થાય તેની રાહ જોવાની છે. જો કે સુરતની લોકસભાની બેઠક બિનહરિફ થતા ભાજપે ગુજરાતમાંથી વિજયનું મુહૂર્ત કરી દીધું છે. હવે ચોથી જૂને મતદારોનો જનાદેશ પુનરાવર્તન માટે હશે કે પછી પરિવર્તન માટે હશે તે જોવાનું રહે છે. આ અંગે અટકળોનું બજાર ગરમી પકડવા લાગ્યું છે.
બીજીતરફ રાજસ્થાનમાં ફ્લોદા સટ્ટાબજાર સહિત સટોડીયાઓના અનુમાનો પણ ચર્ચાઈ રહ્યા છે, તો રાજકીય પક્ષો પણ પોતપોતાની રીતે આકલન કરી રહ્યા છે. હજુ ચાર તબક્કાનું મતદાન બાકી હોવાથી ધૂંઆધાર પ્રચાર પણ થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતમાં આ વખતે શું થશે, તેની ચર્ચા ચોતરફ થઈ રહી છે. ક્ષત્રિય સમાજના આંદોલનકારી વર્તુળો ભાજપ ગુજરાતમાં ૭ બેઠક ગુમાવશે અને ૪ બેઠક પર રસાકસી હશે તેવો દાવો કરી રહ્યા છે જેને એનડીએના વર્તુળો નકારી રહ્યા છે, હવે જોઈએ ચોથી જૂને શું થાય છે તે...
લોકસભાની ચૂંટણીઓના માહોલ વચ્ચે હરિયાણામાં રાજકીય ખેલ થઈ ગયો અને અચાનક જ ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લેવાની જાહેરાત કરતા હરિયાણાની ભાજપ સરકાર લઘુમતિમાં આવી ગઈ અને ઉત્તરપ્રદેશમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશને તમામ પદો પરથી હટાવી દીધો, તેની ચર્ચાઓ પણ 'ટોક ઓફ ધ નેશન' બની ગઈ છે.
ગઈકાલે ત્રીજા તબક્કામાં સરેરાશ ૬૧ ટકાથી વધુ મતદાન થયું હોવાના હંગામી આંકડાઓ આવ્યા છે જે ફેરફારને આધિન છે. આસામમાં સૌથી વધુ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું હોવાનું કહેવાય છે. ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પોરબંદર સહિતની બે-ત્રણ બેઠક પર અપસેટ સર્જાઈ શકે તેમ હોવાના અનુમાનો થઈ રહ્યા છે.
ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે જાહેર કરેલા કેટલાક આંકડાઓ પછી નવેસરથી અટકળો થવા લાગી છે, અને ઉમેદવારો તથા રાજકીય પક્ષો પોતપોતાની રીતે ગણિત માંડી રહ્યા છે, વર્ષ-૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં ગુજરાતની ૨૫ લોકસભાની બેઠક પર સરેરાશ સાડાચારથી પાંચ ટકા ઓછું મતદાન થયું હોય, તો તેનો ફાયદો કોને થાય અને નુકસાન કોને થાય તેની ગણતરીઓ પણ મંડાઈ રહી છે અને રાજ્યમાં એકંદરે ૫૯ થી ૬૦ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો પછી હવે ગુજરાતમાં ભાજ૫ આ વખતે કેટલી બેઠકો જીતશે, તેની ચર્ચા પણ હવે ''ટોક ઓફ ધ નેશન'' બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આપણો દેશ આઝાદ થયો તે પછી વર્ષ ર૦ર૪ માં ૧૭ મી લોકસભાની ચૂંટણી થઈ રહી છે, જેના સાત સ્ટેપ (પગથિયા) છે, જે પૈકી આજે આપણે ત્રીજું પગથિયુ ચડી રહ્યા છીએ, એટલે કે આજે સાત તબક્કા પૈકી ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. કેટલાક સ્થળે સવારથી જ લાંબી લાઈનો લાગી હોવાના અહેવાલો આવ્યા, તો કેટલાક સ્થળે ધીમે ધીમે લાઈનો વધી રહી હોવાના ખબર પણ આવ્યા, તો પાંખુ મતદાન થઈ રહ્યું હોય તેવા સ્થળે મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું. બપોરે મતદાનની ગતિ વધુ ધીમી પડ્યા પછી સાંજે ૪ થી ૬ વચ્ચે મતદાનની ઝડપ વધી જતી હોય છે. સાંજે ૬ વાગ્યા સુધીનો સમય હોવાથી કોઈપણ કારણે મોડું થઈ ગયું હોય, તેવા મતદારો માટે પણ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં મતદાન કેન્દ્રમાં પહોંચી જવાનો અવસર રહેતો જ હોય છે. સવારે બે કલાક સુધીમાં સરેરાશ ૧૦ ટકાની આજુબાજુ મતદાન થયા પછી ઉમેદવારો, નેતાઓ, કાર્યકરોની દોડધામ વધી હતી.
આજે ગુજરાતની રપ સહિત કુલ ૧૧ સભ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૯૩ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ છે.
આજે મતદાન થઈ ગયા પછી હજુ બીજા ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે, અને ચોથી જૂને એક સાથે તમામ બેઠકો માટેની મતગણતરી થવાની છે, જે સર્વવિદ્તિ છે. હવે પછીનું ચોથા તબક્કાનું મતદાન ૧૩ મી મે, પાંચમા તબક્કાનું મતદાન ર૦ મી મે, છઠ્ઠા તબક્કાનું મતદાન રપ મી મે અને અંતિમ ૭ મા તબક્કાનું મતદાન ૧ લી જૂને થવાનું છે.
સત્તરમી લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં ૧૦ર બેઠકો અને બીજા તબક્કામાં ૮૯ બેઠકો માટે મતદાન થયું છે. આજે પણ ૯૪ માંથી ૯૩ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, અને એક બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ચોથા તબક્કામાં ૯૬, પાંચમા તબક્કામાં ૪૯, છઠ્ઠા તબક્કામાં પ૭ અને સાતમા તબક્કામાં પણ પ૭ બેઠકો માટે મતદાન થવાનું છે.
ગુજરાતમાં લોકસભાની રપ બેઠકો ઉપરાંત આજે પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંણી માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે. તે ઉપરાંત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ખાલી બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. તદુપરાંત આંધ્રપ્રદેશમાં ૧૩મી ના તમામ ૧૭પ વિધાનસભા બેઠકો માટે, અરૂણાચલ પ્રદેશમાં ૬૦ તથા સિક્કિમની ૩ર બેઠકો માટે વિધાનસભાની સામાન્ય (જનરલ) ચૂંટણીઓ પણ યોજાઈ છે, જેથી ત્યાં નવી સરકારો રચાશે.
આજે પોરબંદર, ખંભાત, વિજાપુર, વાઘોડિયા અને માણાવદર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે, જેથી આ વિસ્તારોના મતદારો વિધાનસભા અને લોકસભાના ઉમેદવારો માટે પોતાની પસંદગી દર્શાવશે, મતલબ કે વિધાનસભા માટે તથા લોકસભા માટે અલગ-અલગ મતદાન એકસાથે કરી રહ્યા છે.
ગુજરાત ઉપરાંત બિહારમાં એક વિધાનસભા બેઠક, ઉ.પ્રદેશમાં ૪, હરિયાણામાં એક, પ. બંગાળમાં એક, કર્ણાટકમાં એક અને તામિલનાડુમાં એક બેઠક પર પણ વિધાનસભાની પેટાચૂંટણી આજે યોજાઈ છે, અને લોકસભાની સાથે સાથે આ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે.
આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે યોજાઈ હતી, ત્યારે કેટલાક કિસ્સાઓમાં લોકસભામાં તથા જે-તે વિધાનસભાઓ માટે મતદારોએ અલગ અલગ પસંદગી બતાવી હતી, અને કેન્દ્ર તથા રાજ્યમાં અલગ-અલગ પાર્ટી અથવા ગઠબંધનની સરકાર રચાઈ હતી. ઓડિશામાં આ પ્રકારનું મતદાન કરવાની મતદારોની પુખ્તતાની ચર્ચા ઘણી વખત થતી જ હોય છે. તેવું જ દિલ્હીમાં થયું છે. દિલ્હીમાં વિધાનસભામાં વર્ષ ર૦૧પ માં જે પક્ષને બમ્પર સફળતા મળી હતી, તેને વર્ષ ર૦૧૯ માં દિલ્હીમાં લોકસભાની એક પણ બેઠક મળી નહોતી. આવું થતું હોવાનું કારણ ત્યાંના મતદારોએ કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ જનાદેશ આપ્યો હોય, તે છે ત્યાંના મતદારો કેન્દ્ર અને રાજ્યોની સરકારોને અલગ-અલગ રીતે મુલવતા હોય છે અને કેન્દ્રિય તથા રાજ્યકક્ષાના મુદ્દાઓ તથા આકાંક્ષાઓ પણ અલગ અલગ હોય છે.
આજે મતદાન દરમિયાન આચારસંહિતા ભંગની થતી ફરિયાદો, ઘટનાક્રમો તથા મતદાનની ટકાવારીની ચર્ચા પણ થઈ રહી છે. શાંતિપૂર્વક મતદાનને ખલેલ પહોંચાડવાના, ઈવીએમ બગડવા કે અન્ય કોઈ અવરોધોના સમાચારો આજે સ્વાભાવિક રીતે જ દિવસભર ચાલતા રહેવાના છે, પરંતુ મતદાન થઈ ગયા પછી તેના પરિણામોની ખબર તો ચોથી જૂને મતગણતરી પછી જ પડશે, અને દેશની જનતાએ પૂનરાર્વતન માટે મતો આપ્યા છે કે પરિવર્તનનો જનાદેશ આપ્યો છે, તે પણ સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત દેશની જે ચાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે, ત્યાં પણ પૂનરાર્વતન થશે કે પરિવર્તનનો પવન ફૂંકાયો હશે, તેની વાસ્તવિક ખબર તો મતગણતરી દિવસે એટલે કે ચોથી જૂને પડવાની છે. છેલ્લા તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી નિર્ધારિત કરેલા સમયગાળા પછી જ સર્વેક્ષણો, એક્ઝિટ પોલ્સ બહાર આવી શકે તેમ હોવાથી બધાએ ચોથી જૂન સુધી ઈન્તેજાર કરવો જ રહ્યો...
ગુજરાત સહિત દેશભરમાં આજે સવારથી એકતરફ ઉત્સવ જેવો માહોલ છે, તો બીજી તરફ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો હડિયાપટ્ટી કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં થનારૂ મતદાન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સાત તબક્કાની ચૂંટણીમાં લગભગ મધ્યે પહોંચેલી લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી થયેલું મતદાન અને હવે થનારૂ મતદાન કેવું અને કેટલું થાય છે, તેના પરથી ભવિષ્ય નક્કી થવાનું છે. કોઈપણ કારણે નગરના જે મતદારોએ અત્યાર સુધી મતદાન ન કર્યું હોય, તેઓ હજુ પણ ઝડપભેર મતદાન મથકે પહોંચીને પોતાનું મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ અવશ્ય બજાવે, તેવી નમ્ર અપીલ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઢોલ ઢબુકતા હોય, મંગલ ગીતો ગવાતા હોય, શરણાઈઓ વાગતી હોય, નવા-નવા કપડા પહેરીને તથા શ્રૃંગાર અથવા બ્યુટીપાર્લર દ્વારા તૈયાર થઈને મહિલાઓ હોંસભેર ભાગ લેતી હોય, તો અબાલવૃદ્ધ સૌ કોઈ અનન્ય આનંદ સાથે એકઠા થઈ રહ્યા હોય, ત્યારે ખબર જ પડી જાય કે કોઈના શુભલગ્ન કે સગપણનો પ્રસંગ હશે. આ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે જેને ત્યાં પ્રસંગ હોય, એના પરિવારજનો જ નહીં, પરંતુ સગા-સંબંધી-સ્નેહી મિત્રો વગેરે તમામ લોકો તેમાં સામેલ થયા હોય, તો નવા યુગને અનુરૂપ જે નોકરી-ધંધા-વ્યવસાય કે ઉદ્યોગો સાથે વરરાજા કે કન્યા સંકળાયેલા હોય, તેના કલીગ્ઝ, ઓનર્સ, પાર્ટનર્સ વગેરે પણ આ પ્રસંગમાં સામેલ થયા જ હોય. આ પ્રકારના પ્રસંગો માટે ગમે તેમ ટાઈમ કાઢીને કે થોડું એડજેક્ટ કરીને પણ, ભલે થોડા કલાકો કે મિનિટો માટે પણ, હાજરી આપવાની પરંપરા નિભાવાતી જ હોય છે, અને તેને સામાજિક કે પારિવારિક અનિવાર્યતા સમજવામાં આવતી હોય છે, આવી વાત છે ને?
આવતીકાલે આપણે આ જ પ્રકારે ગમે તેમ કરીને થોડી કલાકો નહીં, પણ થોડી મિનિટો સવારે અગ્રતાક્રમે જ કાઢીને એક મહામંગલમય અને આપણાં દેશના મહામૂલા પ્રસંગમાં જવાનું છે. આવતીકાલે સાતમી મે છે, અને દેશમાં ત્રીજા તબક્કા માટે ૯૩ બેઠકો, એક બિનહરિફ થઈ છે, તે સિવાય ગરવા ગુજરાતમાં રપ બેઠકો પર મતદાન થવાનું છે, અને આ આપણા ઘરના આંગણે જ લોકતંત્રનો માંડવો છે, જેમાં આપણે ગમે તેમ કરીને મતદાન કરવાનું જ છે, અને આવતીકાલે સવારથી સાંજે મતદાન પૂરૂ થવાના સમય દરમિયાન અગ્રતાક્રમે અને મહત્તમ પ્રયાસો કરીને સવારે જ આપણો કિંમત અને પવિત્ર મત આપણા ગૌરવવંતા ભારત દેશ તથા લોકતંત્રની મજબૂતી માટે આપવાનો જ છે. આવતીકાલે મતદાન કરવાની એવી જ તાલાવેલી જોઈએ, જેવી તાલાવેલી આપણને મંગલ પ્રસંગોમાં સામેલ થવા માટે જાગતી હોય છે, ખરૃં કે નહીં?
મતદાન માટે આટલી બધી અપીલો કરવી પડે, ચોતરફના જોરદાર પ્રયાસો છતાં મતદાનનો સરેરાશ આંકડો બહુ વધે નહીં, રેકોર્ડ તોડે નહીં, અને મતદાનની પ્રાયોરિટી આપણી રોજીંદી પ્રક્રિયાઓમાં સૌથી છેલ્લી આપવામાં આવતી હોય તો એવો સવાલ ઊઠવો જ જોઈએ ને કે આપણે ખરેખર આ લોકતંત્રને લાયક છીએ ખરા? શું આપણે દેશની સૌથી લોકશાહીનું અપમાન નથી કરી રહ્યા? શું આપણે એક સાચા નાગરિકની ફરજો બજાવીએ છીએ ખરા? બીજા અધિકારો જેટલું જ ઈન્પોરટન્સ આપણે મતદાનના અધિકારને આપીએ છીએ ખરા? મતદાન એ હક્ક પણ છે અને કર્તવ્ય પણ છે, તે સમજીએ તો છીએ, પરંતુ આ સમજદારી બીજા માટે જ હોય છે અને જ્યારે આપણો વારો આવે ત્યારે જે મતદાનના દિવસે કોઈ અન્ય કામ માટે ગૌણ બની જાય, તો આપણે દેશપ્રેમી કે સાચા નાગરિક તરીકે ગૌરવ કેવી રીતે લઈ શકીએ?
જેવી રીતે આપણા ઘરમાં કે સગા-સંબંધીને ત્યાં પ્રસંગ હોય, તો આપણે ગમે તેમ કરીને થોડો સમય કાઢી લઈએ છીએ. એટલું જ નહીં, આ શુભ પ્રસંગે વધુમાં વધુ આમંત્રિતો ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તેવી જ રીતે આપણે પોતે તો મતદાન કરી જ છીએ, પરંતુ તે ઉપરાંત આપણા પરિવારના તમામ સભ્યો, સગા-સંબંધીઓ, સ્નેહી-મિત્રો વગેરે અવશ્ય મતદાન કરે, તે નિશ્ચિત કરીએ, અને તેમાં પણ આપણે કોઈની તરફેણ કે વિરોધ સૂચવ્યા વગર તમામ લોકોને તેઓની ઈચ્છા મુજબ જ પસંદગીના પક્ષ કે ઉમેદવારને મત આપવાની પ્રેરણા તદ્દન તટસ્થ રીતે આપીએ, તો તે એક દેશસેવા થઈ ગણાશે, ખરૂ કે નહીં? દરેક મતદારે કોઈપણ ડર વગર કે લોભ-લાલચ વિના માત્ર પોતાની પસંદગી મુજબ જ મતદાન કરવું જોઈએ, રાઈટ?
એક કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન આવે, તો લોકતંત્રના આ મહાપ્રસંગમાં પણ નાની-મોટી તકલીફો કે અડચણો તો આવવાની જ છે, પરંતુ આપણે તેનો સામનો કરીને તથા ઉકેલ લાવીને આવતીકાલે મહત્તમ મતદાન કરીને એ બતાવી દેવું જ જોઈએ કે આપણે મન આપણા દેશનું ગૌરવ કેટલું છે?
આજે મતદાનકર્મીઓ પોતપોતાના મથકો પર પહોંચી રહ્યા છે. ચૂંટણીતંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે, તો પ્રચાર-પડઘમ ગઈકાલે સાંજે શાંત થયા પછી હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર પ્રચાર અને છેલ્લી ઘડીની ગોઠવણો કરી રહ્યા છે. લોકતાંત્રિક પ્રક્રિયાનો આ તબક્કે કાળઝાળ ગરમીની સમસ્યા સામે પણ લડવું જ પડી શકે છે, પરંતુ આ ચૂંટણી તંત્રમાં જોડાયેલા લાખો કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ જ્યારે આ જ કાળઝાળ ગરમીમાં આજથી બે દિવસ સુધી પોતાના ઘર-પરિવારો છોડીને છેક અંતરિયાળ વિસ્તારો સુધી ઘણી તકલીફો વેઠીને આ લોકતાંત્રિક વ્ય્વસ્થાને મજબૂત બનાવી રહ્યા હોય, ત્યારે આપણે આપણી રોજીંદી પ્રક્રિયામાં થોડું-ઘણું એડજેસ્ટમેન્ટ કરીને પણ આવતીકાલે મત નાખવા તો પ્રાયોરિટીમાં જ જઈ શકીએ ને? જરા વિચારીએ અને કાલે અમલ કરીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હવે ત્રીજા તબક્કાનું મતદાન થવાને ગણત્રીના દિવસો જ આડે રહ્યા છે, ત્યારે એક તરફ ચૂંટણી પ્રચારમાં ગરમી આવી રહી છે, તો બીજી તરફ અત્યારે ત્રીજા તબક્કા કરતાયે વધુ પાંચમા-છઠ્ઠા તબક્કાની ચર્ચા વધુ થઈ રહી છે, કારણ કે રાહુલ ગાંધીએ રાયબરેલીથી ફોર્મ ભર્યા પછી ઉત્તર ભારતના રાજકીય સમીકરણો બદલી ગયા છે. એટલું જ નહીં, રાયબરેલીમાં રાહુલ ગાંધી જ્યારે ફોર્મ ભરવા ગયા, ત્યારે લોકોમાં જોવા મળેલો ઉત્સાહ તથા સમાજવાદી પાર્ટીના ઉમટી પડેલા કાર્યકરો સાથે કોંગી કાર્યકરોનું સંયોજન જોતા ભાજપ સામે ત્યાં પડકાર ઊભો થયો છે અને ફિરોઝ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી મોટાભાગે ગાંધી પરિવાર પાસે જ રહેલી રાયબરેલીની લોકસભાની બેઠક કદાચ રાહુલ ગાંધી જાળવી રાખશે, તેવી આશા પણ ઊભી થઈ છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સંયોજન ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના સમર્થન કારણે પણ અહીંથી રાહુલ ગાંધીને સરળતાથી વિજય મળશે, તેવો વિશ્વાસ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ જો રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીની બન્ને બેઠકો જીતી જાય કે બન્ને બેઠકો હારી જાય, તો કેવી સ્થિતિ ઊભી થાય. એટલું જ નહીં, બન્ને બેઠકો જીતી જાય તો કઈ બેઠક છોડે, તેની અલગથી ચર્ચા થઈ રહી છે, અને કોંગ્રેસના વર્તુળો મુજબ રાહુલ ગાંધી પરિવારની રાયબરેલીની પરંપરાગત સીટ જ જાળવી રાખે, અને વાયનાડની જનતાનો આભાર માનીને ત્યાંની બેઠક છોડી શકે છે, જો કે આ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ કાંઈ અધિકૃત રીતે સ્પષ્ટ કરાયું નથી, પરંતુ અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાઈ રહી હોય તેમ જણાય છે.
સિક્કાની બીજી બજુ એ પણ છે કે અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાનીને પણ હવે રાહુલ ગાંધી ઉમેદવાર હોત તો જેવો મળ્યો હતો, તેવો પડકાર નહીં મળે અને સરળતાથી તેણી જીતી જવાની શક્યતાઓ વધી ગઈ છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે, જો કે સોનીયા ગાંધીના વફાદાર અને ચૂસ્ત કોંગી નેતા પણ મજબૂત ફાઈટ આપશે, અને જો અમેઠીની જનતામાં સ્મૃતિ ઈરાની પ્રત્યે એન્ટીઈન્કમ્બન્સી હોય તો જીતી પણ શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે.
અહીં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે એક તરફ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો જુસ્સો વધ્યો હોવાની છાપ ઊભી થઈ છે, તો બીજી તરફ ક્ષત્રિયોનું આંદોલન મોદીના પરોક્ષ ડેમેજ કંટ્રોલ છતાં સમેટાયું નથી. એટલું જ નહીં, પૂર્વ રાજવીઓ પૈકીના કેટલાક રાજપરિવારોએ ભાજપને સમર્થન આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી પણ ખીજડિયા પાસે ગઈકાલે જે જંગી સંખ્યામાં ક્ષત્રિય સંમેલનમાં ક્ષત્રિયો ઉમટ્યા, તે પછી ભાજપ સામે આ પડકાર જરાયે ઘટ્યો નથી, તેવું તારણ પણ નીકળી રહ્યું છે.
હવે મતદારની આડે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે એવું જણાય છે કે ભારતીય જનતા પક્ષે પણ એક વ્યૂહાત્મક જોખમ ઊઠાવીને રૂપાલાને મેદાનમાંથી હટાવ્યા નથી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પછી પણ ક્ષત્રિયોનો આક્રોશ સંપૂર્ણપણે ઠર્યો નથી, તેથી હવે શું થઈ શકે છે અને એકાદ-બે દિવસમાં ક્યો ચમત્કાર થઈ શકે છે, તેની તર્કબદ્ધ ચર્ચા પણ થઈ રહી છે.
ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો પર નુક્સાન થાય છે અને ક્ષત્રિય આંદોલનને સામાજિક ગણવાઈ રહ્યું છે, અને અસ્મિતાની લડત હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે આ આંદોલન ભાજપને કેટલુ, ક્યાં અને કેવું નુક્સાન કરશે, તેની ગણત્રીઓ પણ મંડાઈ રહી છે. કોઈ કહે છે કે આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો જીતવી ભાજપ માટે સરળ નથી, તો કોઈ કહે છે કે બહું બહું તો પાંચ બેઠકો ભાજપને ઓછી મળશે, તો કેટલાક એવું પણ કહે છે કે, અંડરકરન્ટના કારણે ભાજપને ચોંકાવનારો ઝટકો લાગવાનો છે, કેટલાક લોકો એવું પણ માને છે કે ભાજપના ઉમેદવારોની લીડ ઘટશે, અને પાંચ લાખની લીડથી જીતવાના સપના બધી બેઠકો પર સાકાર નહીં થાય, પરંતુ ભાજપને બહુ જાજુ રાજકીય નુક્સાન થશે નહીં. આ બધા તર્કો-વિતર્કો વચ્ચે મતદારો પણ મન કળવા દેતા નથી અને ઉભય પક્ષે ચૂંટણી સભાઓ કે કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ મતોમાં પરિવર્તિત જ થશે, તેવું પણ કહી શકાય તેવું નથી. તેથી ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં હવે તો ચોથી જૂનની રાહ જ જોવી રહી.
ખીજડિયામાં વિરાટ સંમેલન પછી ભારતીય જનતા પક્ષના એક હોદ્દેદારે રાજીનામું આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી ભાજપ સામે સૌરાષ્ટ્રમાં નવો પડકાર ઊભો થઈ રહ્યો છે, અને ક્ષત્રિય આંદોલનનો પડઘો હવે ઈવીએમમાં પડશે, તેવી ચિમકીની સાથે સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ આખું આંદોલન સ્વયંભૂ છે, અને ભાજપ કે મોદી વિરોધી નથી. એટલું જ નહીં, ભાજપે રૂપાલાને ચૂંટણીમાંથી નહીં હટાવતા હવે કોંગ્રેસને મત આપવાની કથિત જાહેરાત પછી હવે ૭ મી મે સુધીમાં શું થાય છે, તે જોવાનું રહે છે, અને મતદાન યોજાઈ ગયા પછી શું થશે, તેની કેટલીક ભવિષ્યવાણીઓ પણ થવા લાગી છે. કોઈ કહે છે કે તમામ બેઠકો જીતવાના સપના તો કોઈ કહે છે કે આંદોલનનો પરોક્ષ ફાયદો લેવાના સપના સાકાર નહીં થાય!
આ તરફ દેશની અગ્રીમ સહકારી સંસ્થા ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ પાછું નહીં ખેંચતા ત્રિકોણિય સ્પર્ધા સર્જાશે અને ભાજપના માન્ય ઉમેદવાર સામે રાદડિયાએ પડકાર ઊભો કરતા આવતીકાલે થનારા મતદાનમાં શું થશે અને આ ઘટનાક્રમનો ૭ મે ના દિવસે થનારી લકસભાની ચૂંટણી પર કેટલો પડશે, તેની ચર્ચા પણ થઈ રહી છે... આ તો રાજનીતિ છે, પરંતુ આ પછી દેશનીતિ લોકતંત્રને વધુ મજબૂત બનાવવાની છે, અને તેના માટે ૭ મેના દિવસે બધાયે ભૂલ્યા વિના મતદાન કરવું પડશે, ખરૂ ને?
આજે વલ્લભાચાર્યજી પ્રાગટ્યોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ વૈષ્ણવોને શુભેચ્છાઓ પાઠવે છે.. જય શ્રી વલ્લભ... જય શ્રીકૃષ્ણ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાહુલ ગાંધી રાયબરેલીથી પણ ચૂંટણી લડશે તેવું આજે સરપ્રાઈઝ મળ્યું છે, તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વિજય વિશ્વાસ સભાને સંબોધીને જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા તથા પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયા સહિત રાજ્યના તથા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી એ તો સ્વાભાવિક હતું, પરંતુ તે પહેલા તેઓ જામસાહેબને મળ્યા, પાઘડી પહેરી અને સભામાં પ્રવચન દરમિયાન જે કાંઈ કહ્યું તેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આપેલા પ્રત્યાઘાતો પણ ચર્ચામાં છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા સુનિતા કેજરીવાલના રોડ-શો તથા તેના નિવેદનો પણ ગઈકાલના ચૂંટણી પ્રચારના ઝંઝાવાતનો હિસ્સો રહ્યા હતાં, અને અન્ય પક્ષો તથા અપક્ષ નેતાઓના પ્રચારની ગૂંજ પણ સંભળાઈ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષના સ્ટાર પ્રચારક તરીકે બે દિવસમાં ૬ ચૂંટણીસભાઓને સંબોધી, અને પ્રત્યેક સભામાં કરેલા પ્રવચનોમાં કેટલીક બાબતો તો સમાન હતી, પરંતુ કેટલીક બાબતો વિવિધ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીની રણનીતિને અનુરૂપ વ્યૂહાત્મક રીતે વર્ણવાઈ હોવાના તારણો નીકળી રહ્યા છે.
ગઈકાલે સવારે વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રવચન કર્યું, તેમાં મહત્તમ પ્રહારો કોંગ્રેસ પર કર્યા અને ભાજપ સરકારની કેટલીક જનલક્ષી યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો. આણંદની બેઠક પર અમિત ચાવડા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગણાય છે, અને રૂપાલા પ્રકરણ પછી ક્ષત્રિયો જો મહત્તમ રીતે ભાજપ વિરોધી મતદાન કોંગ્રેસની જ તરફેણમાં કરે, તો આ બેઠક ભાજપ પાસેથી ઝુંટવાઈ શકે છે, તેમ કેટલાક વિશ્લેષકો માને છે, કારણ કે ત્યાં ક્ષત્રિય મતદારો પણ વધુ છે. આ કારણે વડાપ્રધાને રામમંદિર, દેશની સુરક્ષા અને વિકાસની રાજનીતિ સાથે વણીને કોંગ્રેસ પર મહત્તમ પ્રહારો કર્યા, અને પાકિસ્તાનનો રાહુલપ્રેમ અને લઘુમતીઓને આરક્ષણ જેવા મુદ્દા ઊઠાવ્યા હોવા જોઈએ, તેવું રાજકીય પંડિતો માનતા હોવાની ચર્ચા છે.
વડાપ્રધાને સુરેન્દ્રનગર અને જૂનાગઢની ચૂંટણી સભાઓમાં ઓબીસીની અનામતમાંથી કાપકૂપ કરીને ખાસ કરીને મુસ્લિમોને આરક્ષણ આપવાની કોંગ્રેસની હિડન રણનીતિની વાત કરી. સુરેન્દ્રનગરમાં કોળીસમાજો તથા જૂનાગઢમાં પણ આહિર, મહેર વગેરે ઓબીસીના મતદારો ઉપરાંત પોરબંદરની લોકસભા ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઓબીસી મતદારો બહોળી સંખ્યામાં હોવાથી ત્યાં વડાપ્રધાને ઓબીસી સમાજના મુદ્દા પર વધુ ભાર મૂક્યો હોય તેમ જણાયું હતું. આ તમામ મુદ્દા તમામ સભાઓમાં વણી લીધા, પરંતુ ક્યા વિસ્તારમાં ક્યા મુદ્દા પર ભાર મૂક્યો તે ખૂબ જ વિચારપૂર્વક નક્કી કરીને જે-તે વિસ્તારને અનુરૂપ હોય તે મુદ્દાઓ પર વડાપ્રધાને વધુ ભાર મૂક્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. ખાસ કરીને જામનગરમાં જે કાંઈ કહ્યું, તે વધુ ચર્ચામાં છે.
પહેલા બે તબક્કામાં ભલે ચૂંટણી પંચે મોડે મોડેથી પણ ૬૬ ટકા જેવા મતદાનની વિગતો જાહેર કરી હોય, તેમ છતાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનોની ધારણા મુજબનું ઊંચુ મતદાન થયું નહીં, અને કેટલાક ચોક્કસ વિસ્તારોમાં મતદારોમાં તદ્ન નિરાશા અથવા ઉદાસિનતા જોવા મળ્યા પછી તેને કવર કરવા માટે આ વખતે ત્રીજા તબક્કામાં ઉભય પક્ષે નવા મુદ્દાઓ તથા તેના પલટવારમાં નવા આરોપો-પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. જેમાં 'લવ જેહાદ'ની સામે 'વોટ જેહાદ', તેના પ્રત્યાઘાતમાં 'લેન્ડ જેહાદ' જેવા નવા શબ્દપ્રયોગો ઉમેરાયા છે. શાસક પક્ષને રામમંદિર, વિકાસ યોજનાઓ, ત્રિપલ તલાક પ્રતિબંધ તથા ભારતની આક્રમક રણનીતિ વિદેશનીતિ, કલમ-૩૭૦ નાબૂદી વગેરે મુદ્દે એનડીએની તરફેણમાં જબરદસ્ત મતદાનની અપેક્ષા પહેલા બે તબક્કામાં બહું ફળી નહીં, તો વિપક્ષો દ્વારા મોદી સરકારની તાનાશાહી, કેન્દ્રિય એજન્સીઓનો દુરૂપયોગ, 'જેલ'નો જવાબ મતદારો દેશે, બેરોજગાર, મોંઘવારી વગેરે મુદ્દાઓને લઈને મતદારો સરકાર અથવા ભાજપ વિરોધી મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડશે, તેવી જે ધારણા બંધાઈ હતી, તે પણ ખૂબ જ ઊંચી કે રેકોર્ડબ્રેક મતદાનની ટકાવારીમાં તબદિલી થઈ નથી, તેથી શાસક અને વિપક્ષ બન્ને તરફથી ત્રીજા તબક્કામાં પ્રચારના મહત્તમ મુદ્દાઓ બદલી ગયા હોય તેમ નથી લાગતું?
ત્રીજા તબક્કામાં કોંગ્રેસે શિવ ડિફિટ રામ, માયનોરિટી ઈશ્યુ અને બંધારણને ખતમ કરવાની સરકારની મુરાદ જેવા મુદ્દા ઉછાળ્યા, તો ભાજપે કલમ-૩૭૦, ત્રિપલ તલાક, રામમંદિર જેવી ઉપલબ્ધિઓ વર્ણવીને કોંગ્રેસને ત્રણ બાબતે લેખિત ગેરંટી આપવાનો પડકાર ફેંક્યો, તે પછી પ્રચારની સમગ્ર દિશા જ બદલી ગઈ છે, જે એકંદરે કોને ફાયદો કરશે, તે કહેવાની કાંઈ જરૂર ખરી?
રાજ્યસભાના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપને કોંગ્રેસના ન્યાયપત્રના મુદ્દે ચર્ચાનો પડકાર ફેંકંયો તો મોદીએ તેમાં મુસલમાનની છાપ હોવાનું કહ્યું છે.
જામનગરમાં સભાને સંબોધનના પ્રારંભે જ વડાપ્રધાને પોતે જામ શત્રુશલ્યસિંહજીને મળીને આવ્યા અને જામસાહેબે પાઘડી બાંધીને 'વિજયી ભવ'ના આશીર્વાદ આપ્યા, તેવું હળવાશથી કહીને ભૂચર મોરીમાં ક્ષત્રિયોના બલિદાનની કથા વર્ણવી, તથા ક્ષત્રિયની પ્રશંસા કરી, તેને રૂપાલા પ્રકરણના ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને ચતૂરાઈપૂર્વક એમ પણ કહી દીધું કે થોડી રાજી-નારાજી હોવાથી જે પાર્ટી લોકસભામાં જરૂરી બહુમતી જેટલી બેઠકો પર પણ ચૂંટણી લડતી ન હોય, તેને મત આપવાનો કોઈ અર્થ ખરો?
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે બંધારણ ઘડનાર જ કોંગ્રેસ હતી, અને ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું હતું. તે પછી કોંગ્રેસે ૬૦ વર્ષ દેશમાં શાસન કર્યું, પરંતુ બંધારણ બદલ્યું નથી, તેથી કોંગ્રેસ પર બંધારણને લઈને આક્ષેપો જુઠ્ઠા છે. તેમણે કહ્યું કે મોદી મહત્ત્વના મુદ્દા છોડીને ભેંસો જેવી હાસ્યાસ્પદ વાતો કરે તે ઠીક નથી, વિગેરે... આ બદલતા મુદ્દાઓ અને ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પછી સવાલ એ ઊઠે છે કે, હવે ત્રીજા તબક્કામાં મતદાન વધશે ખરૂ?
ચૂંટણીઓ દરમિયાન એક્ઝિટપોલ કરવાની મનાઈ હોય છે, પરંતુ સટ્ટાબજાર કે વિશ્લેષણોના માધ્યમો અથવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ઉભય પક્ષે વિજયના દાવાઓ થતા રહે છે, તથા કોને કેટલી બેઠકો મળવાની શક્યતા છે, તેના દાવાઓ પણ થતા હોય છે. કોઈ કહે છે કે, આ ચૂંટણીમાં અંડર કરન્ટ છે, અને ભાજપના સુપડા સાફ થવા સાથે મોદી સકારની હાર પાક્કી છે, તો કોઈ કહે છે કે સરકાર તો એ જ રહેશે, પરંતુ એનડીએને સાદી બહુમતી જ મળશે. કોઈ કહે છે કે એનડીએ ૪૦૦ ને પાર નહીં જાય, પરંતુ ૩રપ થી ૩પ૦ બેઠકો તો મળશે જ. કોઈ કહે છે કે મોદીતરફી અપરકરન્ટ છે, તો કોઈ કહે છે તાનાશાહી શાસન સામે અંડર કરન્ટ છે. ઉભય પક્ષે નિવેદનો-જીભ લપશે, તો ડેમેજ કંટ્રોલના પ્રયાસો થાય છે, તો માફામાફી પણ કરવી પડતી હોય છે. હવે રાજ્યગુરુએ ગાંધીજી વિષે કરેલી ટિપ્પણીની ટીકા થઈ રહી છે.
જે થાય તે ખરૂ, પણ આપણે ૭ મે ના દિવસે સવારના પહોરમાં મતદાન જરૂર કરી દેવાનું છે હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ત્રીજા તબક્કાના મતદાનમાં હવે પાંચ દિવસ બાકી રહ્યા છે અને જાહેર પ્રચાર માટે હવે માંડ ત્રણેક દિવસ જ બચ્યા છે, ત્યારે ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો જીતવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને ચૂંટણી પ્રચારનું જાણે કે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય તેમ ઠેર-ઠેર રોડ-શો, ચૂંટણીસભાઓ, નેતાઓ તથા કાર્યકરોની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તે ઉપરાંત વિવિધ સ્વરૂપે યોજાતા સંમેલનોના માધ્યમથી પણ પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ચૂંટણીનો પ્રચાર ધમધમી રહ્યો છે.
આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહીના અહેવાલો પછી રાજ્યના ચૂંટણીતંત્રો તથા રાજકીય પક્ષો દ્વારા વહેલી સવારથી જ મતદાન કરવાની અપીલો કરવામાં આવી રહી છે, તો ચૂંટણી પ્રચારની ગરમી સાથે કુદરતી ગરમીનું સંયોજન થતા કેટલાક ધગધગતા નિવેદનો થઈ રહ્યા છે, તો ડોર-ટુ-ડોર સંપર્ક જેવા પ્રચારકાર્યો સવાર-સાંજ જ કરવાની અપીલો કાર્યકરોને ઉદ્દેશીને કેટલાક રાજકીય પક્ષોએ કરી છે. કાર્યકરોની બેઠકો, સંમેલનો તથા ઉચ્ચ નેતાઓની મિટિંગો પણ હવે શક્ય હોય ત્યાંથી સમીસાંજ પછી રાત્રિના સમયે જ રાખવામાં આવી રહી હોવાથી હીટવેવની અસરો સ્પપષ્ટપણે અત્યારથી જ વર્તાવા લાગી છે.
ગુજરાતમાં મોટી લીડથી તમામ રપ બેઠકો જીતવાના નારા સાથે ભાજપે ચૂંટણીપ્રચાર વેગીલો બનાવ્યો છે, તો આ વખતે કમ-સે-કમ દસ-બાર બેઠકો જીતવાની ગોઠવણો કરીને ઈન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે. સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ ગઈ છે, તે સૌ જાણે છે.
ચૂંટણી પ્રચાર માટે ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના ધુરંધરો તથા સ્ટાર પ્રચારકો ગુજરાતને ધમરોળી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ગુજરાતમાં તેજીલો ચૂંટણી પ્રચાર પણ આદર્યો છે. ગઈકાલથી જ એન.ડી.એ.ના મુખ્ય સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીસભાઓ ગજવી રહ્યા છે, અને રોડ-શો યોજી રહ્યા છે. આજે પણ તેઓ વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ચૂંટણીસભાઓ ગજવીને આજે જામનગરમાં પ્રચંડ પ્રચારાર્થે પહોંચી રહ્યા છે, તેથી નગરમાં આજે સવારથી જ ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ભાજપના રાજકીય કક્ષાના નેતાઓ પણ બે-ત્રણ દિવસ માટે વારાફરતી ગુજરાતની મુલાકાતે આવ્યા છે કે આવી રહ્યા છે, તે પૈકી પી.એમ. મોદી, અમિત શાહ વગેરે મૂળ ગુજરાતના નેતાઓ એક દિવસથી વધુ દિવસ માટે ગુજરાતમાં ધૂઆંધાર પ્રચાર કરી રહ્યા છે અથવા કરવાના છે. વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના ખૂણે ખૂણે વ્યૂહાત્મક ઢબે માઈક્રોપ્લાનીંગ કરીને પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રિય મંત્રીઓના પ્રચાર કાર્યક્રમો પણ ચર્ચામાં છે, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં સભાઓ ગજવી હતી અને ઈન્ડિયા ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો, તે પછી હવે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના પ્રચાર કાર્યક્રમો પણ જાહેર થઈ રહ્યા છે. કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત સહિત ત્રીજા તબક્કાની ચૂંટણી માટે વ્યાપક પ્રવાસ ખેડી રહ્યા છે.
આમ આદમી પાર્ટી તરફથી હવે સુનિતાબેન કેજરીવાલે ચૂંટણી પ્રચાર આદર્યો છે, અને તેઓ ગુજરાતમાં રોડ-શો, ચૂંટણીસભાઓ સંબોધવાના છે, તો સંજયસિંહ, ભગવંત માન તથા દિલ્હી સરકારના કેટલાક મંત્રીઓ પણ ગુજરાત માટે સ્ટાર પ્રચારકો છે, જેઓ ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન માટે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી માટે ચૂંટણી પ્રચાર કરે, તેવી વ્યૂહરચના ગોઠવાઈ ગઈ છે.
ગુજરાતમાં રૂપાલા પ્રકરણમાં આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય આંદોલનકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમો દરમિયાન આંદોલન કે દેખાવો વિગેરે નહીં કરે અને તેના સંદર્ભે જ સંમેલન કે મિટિંગ પણ એક દિવસ પાછળ ઠેલી હોવાના અહેવાલો છે. ઉલ્લ્ખનિય છે કે, ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોઈને કોઈ નેતાના કથિત નિવેદનોની નારાજગી પણ ચર્ચાસ્પદ બની રહી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
અત્યારે તો નેતાઓના નિવેદનોને લઈને નવો જ વિવાદ છેડાયો છે, અને અમિત શાહના પ્રચલિત થયેલા અનામત અંગેના ફેક વીડિયોના વિવાદ પછી આ મુદ્દો પણ ચૂંટણીના અગ્રીમ હરોળના પ્રચારમાં ગૂંજી રહ્યો છે, તેથી સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતા વીડિયોમાં ક્યો સાચો અને ક્યો વીડિયો ફેઈક હશે, તે પારખવું મુશકેલ છે.
જામનગરમાં આજે વડાપ્રધાનનું આગમન થનાર હોઈ સવારથી જ કરાયેલી સજ્જડ સુરક્ષા વ્યવસ્થાના કારણે બપોર પછી કેટલાક મુખ્ય માર્ગો ડાયવર્ટ કરાયા છે, અને કેટલાક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે, પરંતુ ચાક-ચોબંધ સુરક્ષા વ્ય્વસ્થા તથા ટ્રાફિક નિયમન માટે પણ જરૂરી પ્રબંધો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નગરમાં એ.ટી.એસ. તથા એસ.પી.જી. કમાન્ડો સહિત વ્યાપક સુરક્ષા પ્રબંધો અને રિહર્સલો પછી હવે વડાપ્રધાનના આગમન તથા સ્પીચ પર સૌની નજરો મંડાયેલી છે.
આજે વડાપ્રધાનની સૌરાષ્ટ્રની મુલાકાત ભાજપ માટે કદાચ જડીબુટ્ટીનું કામ કરે તેમ છે, કારણ કે છેલ્લા કેટલાક ઘટનાક્રમો તથા વિવાદો પછી ભાજપના નેતાઓ-કાર્યકરોમાં આવેલી દ્વિધા ઘટી જશે અને જુસ્સો વધી જશે, તેવી આશા સ્થાનિક નેતાગીરી રાખી જ રહી હશે.
બીજી તરફ અત્યારે એક વખત ફરીથી ચૂંટણી ઢંઢેરાઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને ક્યા રાજકીય પક્ષે આઝાદી પછી અત્યાર સુધી કેટલા વાયદાઓ ચૂંટણી ઢંઢેરાઓમાં કર્યા અને તે પૈકી કેટલા પૂરા થયા તથા કેટલા અધુરા રહ્યા, તેના રજૂ થઈ ગયલા વિશલેષણો ઘણાં જ રસપ્રદ હોય છે અને જેવા રંગના ચશ્મા પહેર્યા હોય, તેવા કલરના દેખાતા હોય છે, જે હોય તે ખરૂ, ૭ મી તારીખે મતદાન કરવાનું ભૂલતા નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત રાજ્ય સ્થાપના દિન... જય જય ગરવી ગુજરાત... અવશ્ય કરો મતદાન...શું આચરાયું આંતરરાષ્ટ્રીય કૌભાંડ?

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. એવી જ રીતે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે, કારણ કે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ) માંથી વર્ષ ૧૯૬૦ ની પહેલી મે ના દિવસે આ બન્ને રાજ્યો છૂટા પડ્યા હતાં, એટલે કે મુંબઈ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરાયું હતું, અને તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોની રચના થઈ હતી, જો કે આ માટે ગુજરાતીઓએ મોટું આંદોલન કર્યું હતું અને મરાઠાઓએ પણ ચળવળ આદરી હોવાનો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ ગુજરાતીઓ તથા ગુજરાતના રહીશોને ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવે છે... જય જય ગરવી ગુજરાત... જય જય ગરવી ગુજરાત...
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આદર્શ આચારસંહિતાના કારણે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણીમાં નેતાઓના સ્થાને તંત્રો દ્વારા ઔપચારિક રીતે થઈ રહી હશે, પરંતુ એમ પણ કહી શકાય કે આ વર્ષે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં રાજ્યના સ્થાપના દિનની ઉજવણી પણ સમાવિષ્ટ થઈ ગઈ છે. તેથી ૭ મી મે ના દિવસે રેકોર્ડબ્રેક મતદાન કરીને ગુજરાતના મતદારો ગુજરાતની ગરિમા વધારશે, તેવી શ્રદ્ધા રખાઈ રહી છે. આમ પણ ગુજરાત રાજકીય ક્ષેત્રે હંમેશાં જાગૃત રહ્યું જ છે ને?
જો કે, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં જામનગરની બેઠક માટે હાલારમાં તો મતદાનનો પ્રારંભ થઈ ગયો છે અને મુહૂર્ત થઈ ગયું છે. ગઈકાલે હાલારના બન્ને જિલ્લાઓમાં ચૂંટણીની ફરજો બજાવનાર પોણાચાર હજાર જેટલા ચૂંટણીકર્મીઓનું બેલેટ વોટીંગ ગઈકાલે સંપન્ન થયું છે. હવે ઈવીએમથી ૭ મી મે ના આપણે બધાએ અવશ્ય મતદાન કરવા જવાનું છે, એ ભૂલાય નહીં.
લોકતંત્રના આ મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા દિગ્ગજો અપીલો કરી રહ્યા છે, અને ચૂંટણી પંચ પણ ૭ મી મે ના દિવસે વધુમાં વધુ મતદાન થાય, તે માટે 'સ્વીપ' કાર્યક્રમ ચલાવી રહ્યો છે, ત્યારે ગઈકાલે સાંસદ અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણી પરિમલભાઈએ પણ ૭ મી મે ના દિવસે શાંતિપૂર્વક અને ચોક્કસપણે મતદાન કરવા મતદારોને 'તટસ્થ' અપીલ કરી છે. આ જ રીતે વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો, સંતો-મહંતો તથા સમાજના લબ્ધપ્રતિષ્ઠિત લોકો, સેલિબ્રિટીઝ સહિત મહાનુભાવો દ્વારા અવશ્ય મતદાન કરવાની અપીલ થઈ રહી છે.
આજથી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ શરૂ થયો છે, અને આવતીકાલે બપોરપછી જામનગરમાં ચૂંટણી સભાને સંબોધવાના છે, તેથી જામનગરમાં ચહલ-પહલ વધી ગઈ છે.
ચૂંટણીના સોરબકોર વચ્ચે એક વિશ્વવ્યાપી ચર્ચા (ટોક ઓફ ધ વર્લ્ડ) બનેલા ચિંતાજનક રિપોર્ટની ચર્ચા પ્રમાણમાં ઓછી થઈ રહી છે. બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકાએ કબુલાત કરી કે કોરોનાની રસીથી કાર્ડિયાક એરેસ્ટ અને બ્રેઈન સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. તે પછી એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હતું અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા તથા આ વેક્સિનને માન્યતા આપનાર વિવિધ દેશોના તંત્રો સામેલ હતાં. ઘણાં લોકો એનાથી આગળ વધીને કોરોનાની વિવિધ વેક્સિનોના વેપલામાં વિશ્વની ઘણી કંપનીઓએ અબજો રૂપિયા બનાવી લીધા હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને વિશ્વની કઈ કંપનીએ કેટલી કમાણી કરી તેના આંકડાઓ પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ આ અહેવાલો પછી ભારતમાં એસ્ટ્રાઝેનેકા બેઈઝ્ડ કોવિશિલ્ડ વેક્સિન કરોડો લોકોને અપાઈ હોવાથી તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે ભારતમાં હવે કાનૂની કાર્યવાહીઓ વધી શકે છે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે, અને હવે આ મુદ્દો પણ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જશે, તો દેશની સર્વોચ્ચ અદાલત આ મુદ્દે પણ પતંજલિ ફેઈમ કડક વલણ અવશ્ય અપનાવશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોને ટાંકીને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે એસ્ટ્રાઝેનેકાએ જે કબુલાત કરી છે, તે મુજબનો ખતરો કોવિશિલ્ડ રસી લીધાના એકાદ મહિના માટે જ રહેતો હોવાથી ઘણાં મહિનાઓ કે વર્ષો પહેલા કોવિશિલ્ડ રસી મૂકાવી હોય, તેઓએ ડરવાનું કોઈ કારણ નથી!
બીજી તરફ ગુજરાતમાં કોરોનાકાળ પછી નાની ઉંમરના કે યુવાવયના મુખ્યત્વે પુરુષ વર્ગોમાં હાર્ટએટેકના કેસો અને અચાનક હૃદય બંધ પડી જવાથી થતા સંખ્યાબંધ મૃત્યુ પાછળ કોવિશિલ્ડ સહિતની કોરોનાની રસી કારણભૂત છે કે પછી એસાઈએમએ તથા તબીબી વર્તુળોના થતા રહેતા દાવા મુજબ ખોટા ખાન-પાન તથા અનિયમિત લાઈફસ્ટાઈલ વગેરે અન્ય કારણો જવાબદાર છે? તેનું વૈજ્ઞાનિક સંશોધન તો થવું જ જોઈએ, તેમ નથી લાગતું?
આવા કારણો પછી બ્રિટન ફેઈમ સાયન્ટિક ઈન્વેસ્ટીગેશન કરાવીને કોવિશિલ્ડના કારણે તો આ પ્રકારના પ્રાણઘાતક કેસો વધી રહ્યા નથી ને? તેની તટસ્થ, ઊંડી તપાસના પરિણામો પણ જનતા સમક્ષ મૂકવા જ જોઈએ, અને કસુરવારો સામે પૂરી તપાસ થયા પછી પતંજલિફેઈમ કાનૂની કાર્યવાહીની સાથે સાથે બાબા રામદેવની જેમ દેશની માફી પણ સંબંધિત કંપનીઓ સહિતના કસુરવારો પાસે મંગાવવી જોઈએ, તેવો જનમત પણ ઘડાવા લાગ્યો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

બળબળતો ઉનાળો અને હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષાની જેમ ચૂંટણી પ્રચારની ગરમીની સાથે સાથે લોકતંત્રના મહાપર્વ માટે લોકોની મતદાન પ્રત્યેની જાગૃતિ પણ વધવા લાગે, તો કેવું સારું?
અત્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને તમામ રાજકીય પક્ષોના ટોપ ટુ બોટમ નેતાઓ અને દેશભરના કાર્યકરો ગામડે-ગામડે અને શહેરોના મહોલ્લા-ગલીઓમાં મતદારોને રિઝવવા મથી રહ્યા છે. તો ચૂંટણીપંચ પણ આ કપરી કામગીરી ખૂબ જ ધીરજપૂર્વક ચોક્સાઈથી કરી રહ્યું છે. હવે ત્રીજા તબક્કાના મતદાન પછી એટલે કે ૭ મી મે પછી ગુજરાતમાં તો ચૂંટણીનો આ કોલાહલ પણ સમી જશે અને નવમી મે થી વેકેશન પણ પડી જશે. જો કે, સાતમી મે ના દિવસે મતદાન કરીને જ વેકેશનમાં બહારગામ કે હરવા ફરવા જવાની જે સ્વયંભૂ ચર્ચાઓ થઈ રહી છે, તે માત્ર રાજકીય પક્ષ કે ઉમેદવારો માટે નહીં પરંતુ લોકતંત્ર અને દેશ માટે પણ ખૂબ જ સારા સંકેતો ગણાય, ખરું કે નહીં ?
જો કે, આ વખતે ચૂંટણી પ્રચારની ગરમી તો બળબળતા ઉનાળાને પણ પાછળ રાખી દે તેટલી ધગવા લાગી છે અને હવે તો વિવિધ પક્ષોના સર્વોચ્ચ નેતાઓ પણ ગરમા ગરમ નિવેદનો આપવા લાગ્યા છે, તો કાર્યકર્તાઓ-નેતાઓમાં પણ જુસ્સો વધી રહ્યો છે તેથી પ્રથમ બે તબક્કા કરતા ત્રીજા તબક્કામાં વધુ મતદાન થશે, તેવી આશા પણ જાગી છે.
ગુજરાતમાં તો રૂપાલા પ્રકરણ પછી રાહુલ ગાંધીના રાજા-રજવાડાના મુદ્દે તાજેતરના નિવેદનનો વિરોધ પણ થયો છે, તે ઉપરાંત હવે 'આપ' ના કોઈ નેતાએ પણ કાંઈક અયોગ્ય બફાટ કરતા 'આપ' સામે પણ ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓએ જે નિવેદનો આપ્યા છે, તે જોતા આ મુદ્દો હવે ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા સમી જાય, તેવું લાગતું નથી, તેમાં હવે પરેશ ધાનાણીના કેટલાક શબ્દોપ્રયોગ પણ ચર્ચામાં ચગડોળે ચડ્યા છે, તો લોકોમાં પણ કુતૂહલ સાથે કન્ફયૂઝન જાગ્યુ અને કહેવા લાગ્યા કે, યે કયાં હો રહા હૈ.
ગઈકાલે ચૂંટણી સભાઓ ગુંજી, અને પાટણમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે પ્રહારો કર્યા તેમણે ભાજપ સરકાર બંધારણને ખતમ કરી દેવા માંગે છે, તેવું ભાષણ કર્યુ અને પત્રકારોના પ્રશ્નના જવાબમાં પણ મોદી સરકાર સામે આક્ષેપો કરતા કહ્યું કે ભાજપ અને આરએસએસ અનામત પ્રથા જ ખતમ કરી દેવા માંગે છે. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
હકીકતે અમિત શાહ એસ.સી. અને એસ.ટી. સહિતના વર્ગોની અનામત ખતમ કરવાનું કહેતા હોય, તેવો વીડિયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો. તે પછી ભાજપે સાચો વીડિયો અને તેમાં ચેડા કરીને બનાવાયેલો વીડિયો એક સાથે વાયરલ કરીને ફેઈક વીડિયો સામે ફરિયાદ નોંધાવી, દિલ્હી પોલીસે પણ તત્કાળ તપાસ શરૂ કરી દીધી અને તેલંગાણાના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યું હોવાની વાતો વહેતી થતાં જ આ મુદ્દો ગઈકાલે 'ટોક ઓફ ધ નેશન' થયો હતો, એટલું જ નહીં, આ વીડિયો રિલિઝ કરનાર સામે ઉંડી તપાસ કરીને તેને કાનૂની રાહે દંડ-સજા કરવા અને સંબંધિતો સામે આદર્શ આચાર સંહિતા હેઠળ પણ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા લાગી, તો અવાજ ઉઠ્યો કે યે કયા હો રહા હૈ..
એક તરફ રાહુલ ગાંધીએ પાટણમાં ભાજપ પર પ્રહારો કર્યા તો બીજી તરફ દેશના વિવિધ રાજ્યોમાં પણ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ભાજપ અનામત ખતમ કરવા માંગે છે, અને બંધારણને ફાડીને ફેંકી દેવા માંગે છે, તેવા પ્રહારો કર્યા આ ભાષણોને ફેઈક વીડિયો સાથે સાંકળીને પી.એમ. મોદી તથા અમિત શાહ સહિતના ભાજપની સર્વોચ્ચ નેતાગીરીએ પણ વળતુ શાબ્દિક આક્રમણ કર્યું. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એવો સવાલ પણ ઉઠ્યો કે યે કયા હો રહા હૈ..?
બીજી તરફ કોંગી નેતા પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકના જેડીએસ નેતાના કથિત સેકસ સ્કેન્ડલને લઈને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા અને સરકારને સવાલો પુછ્યા, તેણીએ પુછયું કે પ્રજવલ જેવો ખુંખાર આરોપીને દેશ છોડીને ભાગી કેમ જવા દીધો? તે પછી ભાજપના નેતાઓના બદલે જે.ડી.એસ. ના નેતા એચ.ડી. કુમાર સ્વામીએ દાવો કર્યો કે સેકસ સ્કેન્ડલમાં ફસાયેલા જે.ડી.એસ.ના સાંસદ પ્રજવલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે, અને તેને ભાજપ કે પી.એમ. મોદી સાથે કાંઈ દેવા દેવા નથી.
કુમાર સ્વામીએ કહ્યું કે જેડીએસના સાંસદ સામે ફરિયાદો ઉઠતા તેઓને સસ્પેન્ડ કરવાનો ત્વરીત નિર્ણય લીધો અને તપાસ તથા કાનૂની કાર્યવાહી દરમ્યાન તે દોષિત ઠરે, તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેની સામે કોંગ્રેસે કહ્યું કે પ્રજવલ રેવન્ના તો વિદેશ ભાગી ગયો છે, તેથી હવે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવાનું નાટક થાય છે. પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પરિવાર માટે આ ક્ષોભજનક સ્થિતિ છે, પરંતુ 'અબ પછતાને સે કયા ફાયદા, જબ ચીડિયા ચુભ ગઈ ખેત..'
જો કે, પ્રજવલ રેવન્ના તરફથી દલીલ કરનારાઓ એવો દાવો કરે છે કે આ વીડિયો પાંચ વર્ષ જુનો અને ડોકટર્ડ છે, પરંતુ આ સ્કેન્ડલ બહાર લાવનારનો દાવો છે કે તેની પાસે પૂરતા પુરાવા છે જે હોય તે ખરું, પરંતુ આ એક ચૂંણીનો ધગધગતો મુદ્દો બની જ ગયો છે, ખરું કે નહીં?
એક એડવોકેટ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાથી ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતા અરજી જ ઉડી ગઈ હતી. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર પોતે જ એવો દાવો કરે છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે, તેથી આ મુદ્દો ચૂંટણીપંચનો છે, અને અરજદારે ચૂંટણીપંચનો સંપર્ક સાધ્યો જ છે, તેથી એ સ્વતંત્ર રીતે વિચારશે, અને જરૂરી કાર્યવાહી કરશે, પણ અદાલત ચૂંટણીપંચને વિશેષ વલણ અપનાવવાના નિર્દેશો આપી શકે નહીં. એ જ રીતે પં. બંગાળ-સરકારને રાહત આપતા સુપ્રિમ કોર્ટે શિક્ષક ભરતી કૌભાંડ સંદર્ભે સીબીઆઈ તપાસ કરવાના કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. જો કે, સંદેશ ખાલી મુદ્દે મમતા સરકારને સુપ્રિમ કોર્ટે રાહત આપી નથી અને સુનાવણી ત્રણ મહિના પાછળ ઠેલી દીધી છે. આમ વિવિધ મુદ્દે અદાલતી કાર્યવાહી સાથે પણ રાજનીતિને સાંકળવામાં આવી ત્યારે સવાલ ઉઠે કે યે કયાં હો રહા હૈ... યે કયા હો રહા હૈ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશમાં ચૂંટણીનો માહોલ છે, અને હવે જામનગર સહિત હાલારમાં પણ ચૂંટણી પ્રચાર વેગીલો બની રહ્યો છે, મે મહિનો બેસતા જ ચૂંટણી પ્રચાર જેટ ગતિએ થવા લાગશે, અને તેના પર જ સૌ કોઈનું ધ્યાન રહેશે. ચૂંટણીની આ મોસમમાં કેટલાક બિન-રાજકીય પણ મહત્ત્વપૂર્ણ વિષયો અને ખબરોની ચર્ચા જ ઓછી થાય છે, અથવા તો ચૂંટણી પ્રચારની આંધીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ વિષયો ઉડી જતા હોય છે, કે પછી ચૂંટણી પ્રચારના કોલાહલમાં દબાઈ જતાં હોય છે, તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
એવી આગાહી થઈ છે કે ચોમાસું સારું થશે અને વરસાદ પણ સંતોષજનક પડશે. કેટલાક સ્થળે વધુ વરસાદ પણ થઈ શકે. આ સમાચાર પ્રકાશમાં આવ્યા પછી આરબીઆઈ અને શેરમાર્કેટમાંથી પણ હકારાત્મક પ્રતિભાવો આવ્યા. આ ખુશીના સમાચાર અંગે કેટલાક ભિન્ન પ્રત્યાઘાતો પણ સામે આવ્યા, પરંતુ જો ચૂંટણીનો માહોલ ન હોત તો જેટલી ચર્ચા થઈ હોત, તેટલી ચર્ચા ન તો પ્રેસ-મીડિયામાં થઈ, કે ન તો સંબંધિત ક્ષેત્રોમાંથી ત્વરીત પ્રતિભાવો જાણવા મળ્યા. જો કે પાંચ વર્ષે આવતા લોકતંત્રના મહોત્સવનું મહત્ત્વ પણ જરાયે ઓછું નથી, અને આદર્શ આચારસંહિતા પણ અમલમાં છે, ત્યારે કેટલાક મહત્ત્વપૂર્ણ અને બિન-રાજકીય મુદ્દાઓ દબાઈ જાય, તે સ્વાભાવિક પણ ગણાયને?
ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની જે ચાર ફેકટરીઓ ઝડપાઈ છે તે સામાચાર ગઈકાલે ફલેશ થયા, પરંતુ તેના વિશ્લેષણો જેટલા સામાન્ય સમયગાળામાં થતા હોય છે, તેટલા થયા નથી. હકીકતે ડ્રગ્સના પ્રોડકશન, હેરાફેરી અને વેંચાણનું જંકશન જો ગુજરાત બની રહ્યું હોય, અને તેનું વાહક રાજસ્થાન બની રહ્યું હોય, તો તે ઘણો જ ચિંતાનો વિષય છે અને આ બન્ને રાજ્યોની યુવાપેઢીમાં જો ડ્રગ્સની લત વધી રહી હોય, તો તે માત્ર બે સરકારો જ નહીં, પરંતુ સમાજ અને આજુબાજુના રાજ્યોની સરકારો તથા કેન્દ્ર સરકાર માટે પણ ઘણો જ ચિન્તાજનક ગણાય, પરંતુ હવે ચૂંટણીઓ સંપન્ન થાય, તેની રાહ જોવી રહી....
અત્યારે રોજગારી, મોંઘવારી, વિકાસ, તાનાશાહી, તુષ્ટિકરણ, જનકલ્યાણ, યોજનાઓ, કેન્દ્રીય અને રાજ્યની બ્યુરોક્રેસી તથા એજન્સીઓનો દુરૂપયોગ વગેરે મુદ્દાઓ તો ચૂંટણીમાં ચર્ચાઈ જ રહ્યા છે, અને કોનો ભ્રષ્ટાચાર મોટો અને કોનો ભ્રષ્ટાચારી ખોટો તેની રમુજ ઉપજાવે તેવી ચર્ચાઓ પણ થતી જ રહે છે, પરંતુ ડ્રગ્સનો વધી રહેલો વ્યાપ અને તેના કારણે ગુજરાત, રાજસ્થાન જ નહીં, દેશભરના રાજ્યોની યુવા પેઢીની થઈ રહેલી બરબાદીને ચુંટણીપ્રચારનો મુદ્દો બનાવાઈ રહ્યો નથી, કારણ કે આ મુદ્દે કદાચ 'તેરી બી ચૂપ' 'મેરી બી ચૂપ' ની રાજનીતિ અપનાવાઈ રહી હશે. આ પહેલાં જ્યારે પંજાબમાં ડ્રગ્સની બદી વધી હતી, ત્યારે 'ઉડતા પંજાબ' ના કટાક્ષાત્મક સુત્ર સાથે ડ્રગ્સનો મુદ્દો ચૂંટણીનો મુખ્ય વિષય બન્યો હતો, અને તે પછી ત્યાં ડ્રગ્સની બદી કેટલી ઘટી તે હજુ સસ્પેન્સજ રહ્યું છે, પરંતુ પંજાબની જેમ જ ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ તાજેતરમાં જ પકડાઈ, અને પોરબંદર નજીક જ કાલે જ ૯૦ કિલો ડ્રગ્સ સાથે ૧૪ પાકિસ્તાની પકડાયા, તેવા અહેવાલો આવ્યા, તે જોતાં આ મુદ્દો ચૂંટણીમાં અગ્રતાક્રમે ઉઠાવાઈ રહ્યો કેમ ઉઠાવાઈ રહ્યો નથી? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને?
ઈવીએમ, ઈલેકશન બોન્ડસ, કેજરીવાલ વગેરે સંબંધિત અદાલતી કર્મચારીઓ, કોર્ટની ટિપ્પણીઓ તથા ચુકાદાઓની ચર્ચા તો ચૂંટણી હોવા છતાં ખૂબ જ વ્યાપક રીતે થઈ રહી છે, કારણ કે તેનાથી મતની ખેતી થતી હોય, પરંતુ ન્યાયક્ષેત્રના જ કેટલાક પ્રેરણાત્મક, હકારાત્મક અને પોઝિટીવ ઘટનાક્રમો, નિવેદનો, ટિપ્પણીઓ કે ચુકાદાઓની બહુ ચર્ચા થઈ રહી નથી. પરંતુ નિકમને મહારાષ્ટ્રમાં ભાજપની ટિકિટ મળી તે સિવાય અન્ય સમાચારો ગૌણ બની ગયા, તેનું કારણ ઓપન સિક્રેટ જ છે ને?
ન્યાયક્ષેત્રના એક સમાચાર હેડલાઈન્સની સમકક્ષ હતા અને કેટલાક પ્રેસ-મીડિયામાં તેને ઈમ્પોર્ટન્સ પણ અપાયું પરંતુ આટલા મોટા સમાચારની બહુ ચર્ચા કદાચ ચૂંટણીના માહોલના કારણે જ થઈ નહીં હોય, ગુજરાતમાં કોમર્શિયલ કોર્ટોમાં પેન્ડીંગ કેસોના ઝડપી ઉકેલ માટે ૩૩ પૈકી ૧૯ જિલ્લાના ૪પ તાલુકાઓમાં ગુજરાત હાઈકોર્ટે અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ સુનિતાબેને જે કાંઈ કહ્યું તે ઘણું જ દિશાસૂચક હતું, ન્યાયક્ષેત્રના રાજ્યકક્ષાના કદાચ આ સૌથી મોટા સમાચાર હતા, જે ચૂંટણીના માહોલમાં બહુ ચર્ચાયા નહીં.
આપણા દેશમાં સરળતાથી ઝડપથી સસ્તો ન્યાય મળતો થાય અને પેન્ડીંગ કેસોનો શકય તેટલી ઝડપે ઉકેલ આવે તે માટે તાલુકાકક્ષાની રાષ્ટ્રીયકક્ષા સુધી અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટથી લઈને દેશના ચીફ જસ્ટિસ સુધીના ન્યાયવિંદો હંમેશાં પ્રયત્નશીલ રહ્યા છે, પરંતુ હવે તેમાં નવા નવા અભિગમોને અપનાવીને વિલંબિત ન્યાયનું કલંક મિટાવવાના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપેુ જ લોકઅદાલતો પણ યોજાતી રહી છે, અને ગરીબોને નિઃશુલ્ક કાનૂની સહાયના અલાયદા પ્રબન્ધો પણ થયા છે, તેમ છતાં હજુ પણ ન્યાયિક પ્રક્રિયા વધુ સરળ બને, સુલભ બને, ન્યાય મેળવવો સસ્તો હોય અને ઝડપભેર ન્યાય મળતો થાય, તે માટે ઘણું કામ કરવાનું બાકી છે, ખરું કે નહીં?
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સમિતિના પેટ્રન ઈન ચીફ પણ છે. મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરતા તેઓએ કહ્યું કે, પ્રોફેશનલ મીડિએટર તરીકે વકીલો પોતાની સેવાઓ સાથે સમાજસેવા કરી શકે છે. મીડિયેટર મારફત થતું સમાધાન બન્ને પક્ષકારોને માન્ય રહેતું હોવાથી રાજ્ય અને જિલ્લાકક્ષાએથી હવે છેક તાલુકાકક્ષા સુધી મધ્યસ્થીકરણ સમાધાન કેન્દ્રોનો અભિગમ અપનાવ્યો છે, જે જનલક્ષી અને હેતુલક્ષી છે.
એવું કહેવાય છે કે કોમર્શિયલ કેસોને ઝડપી અને સમાધાનકારી ઉકેલ માટે તાલુકા કક્ષા તથા હાઈકોર્ટ લેવલના ૭પ વકીલોને તાલીમબદ્ધ કરાયા છે. આ નવા ૪પ મધ્યસ્થીકરણ કેન્દ્રોમાં માત્ર કોમર્શિયલ નહીં, પરંતુ લગ્નજીવનની તકરારો, રિકવરી-લેણાં, દિવાની પ્રકારના ફોજદારી ગૂન્હા, વીમાના દાવા વગેરે સમાધાનની સંભાવના હોય તેવા કેસોનો પણ મીડિયેટર દ્વારા નિકાલ (ઉકેલ) થઈ શકશે ગુજરાતમાં અત્યારે આ પ્રકારના ૭૯ કેન્દ્રો છે જે રપ૧ સુધી ઈ જવાનું લક્ષ્ય છે. છે ને મહત્ત્વપૂર્ણ મુદ્દો?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વેગીલો બની રહ્યો છે અને ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીતંત્ર પણ તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાના મતદાન પછી વોટર ટર્ન આઉટ અને વિવિધ રાજ્યોમાં થયેલા ઓછા-વત્તા મતદાનના આંકડાઓને લઈને માથાપચ્ચી પણ થઈ રહી છે. જયાં વધુ મતદાન થયું છે, ત્યાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તો જે રાજ્યોમાં ગત વર્ષની સરખામણીમાં ઓછું મતદાન થયું છે, ત્યાં પ્રવર્તમાન શાસન પ્રત્યેની નારાજગી દર્શાવાઈ હોવાના અંદાજો પણ થઈ રહ્યા છે, તો વધારે મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી ગણાવીને જ્યાં ઓછું મતદાન થયું છે, ત્યાં વિપક્ષી ઉમેદવારો જ સક્રિય નહીં હોવાના તથા કન્ફયૂઝનના કારણે વિવિધ પક્ષોના કાર્યકરો સ્થાનિક નેતાઓમાં પણ ઉદાસિનતા હોવાથી તેનો ફાયદો પ્રવર્તમાન શાસક ગઠબંધનને થવાનો છે, તેવા દાવાઓ પણ થઈ રહ્યા છે, હવે જ્યારે ઈવીએમ ખુલશે, ત્યારે ચોથી જૂને જ સાચી ખબર પડશે કે વાસ્તવમાં જનતાનો ઝુકાવ કઈ તરફ હતો, કોણ સિલેકટ થયું હતું અને કોણ રિજેકટ થયું હતું!
જો કે, બીજા તબક્કાનું એવરેજ મતદાન ૬૪ ટકાની આસપાસ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ૪૦૦ પાર ના નારાને અનુરૂપ પ્રો-ઈન્કમ્બન્સી કે ઉત્સાહ આ આંકડાઓ પ્રતિપાદિત કરી રહ્યા નથી, તેવી જ રીતે આ ટકાવારી શાસન વિરોધી જબરદસ્ત મતદાન થયું હોવાના દાવાઓને પણ પૂરેપૂરુ સમર્થન આપતી નથી. તેથી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવાઈ રહી છે.
એવો તર્ક રજુ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે જબરદસ્ત મતદાન થાય, ત્યારે પરિવર્તનના સંકેત હોય છે, તેવી જ રીતે ખૂબ જ ઓછું મતદાન થાય, તે પણ પરિવર્તનની તરફ અંગુલીનિર્દેશ કરે છે, પરંતુ કેટલીક ચૂંટણીઓમાં તાજેતરના ભૂતકાળમાં આ તર્ક બંધબેસતો રહ્યો નથી, અને આ લોજીકથી વિપરીત પરિણામો પણ ઘણી વખત આવ્યા છે, તેથી પહેલા બે તબક્કાનો જનાદેશ ભરેલા નાળિયેર જેવો છે તેમ કહી શકાય.
જો કે દ્વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા માટે આશાનું કિરણ પણ પ્રગટ્યું છે, તો એનડીએ માટે આ મતદાનના આંકડા આંતરિક મંથન કરીને હવે પછીના તબક્કાઓમાં ઓવરકોન્ફિડન્સમાં નહીં રહેવાનો ગર્ભિત ઈશારો પણ કરે છે, તેમ નથી લાગતું ?
જો કે, મોટી હિંસા કે વ્યાપક ગરબડો વિના ગઈકાલે એકંદરે શાંતિપૂર્વક મતદાન સંપન્ન થયું હોવાના અહેવાલો આવ્યા છે. ત્રિપુરા-મણીપુરમાં તો ૭૬ ટકાથી વધુ મતદાન થયું છે, જે મુખ્ય રાજકીય પક્ષો માટે આશા અને આશંકાઓના 'કેમિકલ્સ લોચા' જેવું જણાય છે.
મણીપુરનો મુદ્દો ઘણો જ ચર્ચામાં હતો અને વિપક્ષોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી, તેથી ત્યાં થયેલું ભારે મતદાન કઈ તરફ ગયુ હશે, તેની અટકળો વચ્ચે ગત ચૂંટણીમાં ખોબલે-ખોબલે એનડીએને મતો મળ્યા હતા, તેવા ઘણાં વિસ્તારોમાં થયેલા પાંખા મતદાન અંગે પણ ઉભય પક્ષે આશા તથા આશંકાઓ બન્ને વ્યકત થઈ રહ્યા છે. આ બધા સવાલોના જવાબ તો ચોથી જૂને જ મળશે, પરંતુ વાસ્તવિકતા એ છે ક પહેલા બે તબક્કા પછી વર્ષ-ર૦ર૪ ની ચૂંટણી તદ્દન એકતરફીનો નથી જ, પરંતુ કયાંક જનતાએ ચોંકાવનારા પરિણામો આપવાનું મન તો બનાવી લીધું નથી ને ? તેવો સંશય પણ ઉત્પન્ન કરે છે. આ ચોંકાવનારા પરિણામો પ્રો-ગવર્નમેન્ટ પણ હોઈ શકે છે અને એન્ટી-ગવર્નમેન્ટ પણ હોઈ શકે છે, તેવું પણ ઘણાં વિશ્લેષકો માને છે, જે રાજ્યોમાં બે થી વધુ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, ત્યાં પ્રથમ કે દ્વિતીય તબક્કાના મતદાનથી સમગ્ર રાજ્યનો આખરી અંદાજ કાઢી શકાય નહીં, એ હકીકત છે, પરંતુ કેટલીક ચોક્કસ બેઠકોમાં જનમત કઈ તરફ જઈ રહ્યો છે, તેનું અનુમાન તો થઈ જ શકે છે ને ?
બીજા તબક્કામાં સૌથી ઓછું ઉત્તરપ્રદેશમાં માત્ર પર.૬૪ ટકા જ મતદાન થયું છે, જેને એનડીએવાળા વિપક્ષોની નિસ્ક્રિયતા, અનિશ્ચિતતાઓ અને આંતરકલહની સામે મોદી-યોગીના પ્રો-પબ્લિક, પ્રો-ઈન્કમ્બન્સીનો વિજય ગણાવી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ આ વખતે ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકારનો આભાષી ફુગ્ગો ફૂટી જવાનો છે, તેવો દાવો કરીને જે રાજ્યોમાં ઓછું મતદાન થયું છે, ત્યાં ભાજપ સહિત એનડીએના ઉમેદવારો હારવાના છે, તેવો દાવો કરી રહ્યા છે, જોઈએ, ચોથી જૂને શું થાય છે તે...
બિહાર, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં એનડીએને વધુ આશાઓ હતી, ત્યાં જ મતદાન ઓછું થયું છે, તો જ્યાં થોડું જોખમ કે ઓછું વર્ચસ્વ હોય તેવા પં.બંગાળ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં ૬૦ થી ૭૬ ટકા વચ્ચે મતદાન થયું હોવાથી જનાદેશ કઈ તરફ વળ્યો હશે તે અંગે વિરોધાભાસ દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ આસામ, ત્રિપુરા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં થયેલું ઊંચુ મતદાન કદાચ એનડીએ તરફી ઝુકાવના કારણે હોય, તો તેમાં મોદી-વેઈવ કારણભૂત હોય, કે પછી જે-તે રાજ્યોમાંથી સ્થાનિક નેતાગીરીનું મિશ્રણ થયું હોય, તે અંગે મત-મતાંતરો છે, ટૂંકમાં કહીએ તો પ્રથમ બે તબક્કાનું મતદાન ભરેલા નાળિયેર જેવું છે, પરંતુ વિપક્ષો માટે આશાના કિરણ જેવું પણ છે, તેથી ૪૦૦ પારના નારાને સાર્થક કરવા હવે અનેડીએ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી...
જો કે, જયાં ૬૦ ટકાથી ઓછું મતદાન થયું છે, ત્યાં ત્રિકોણીય કે બહુકોણીય મુકાબલો હોવાથી મતદારો કન્ફયૂઝમાં હોવાની દલીલ પણ વિચારવા જેવી ખરી.
ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ અને ગ્રામ્ય તથા કેટલાક શહેરી વિસ્તારોમાં થઈ રહેલા દેખાવોના કારણે ભાજપના પ્રચારાત્મક કાર્યક્રમો પણ અવરોધાઈ રહ્યા છે, ત્યારે ત્રીજા તબક્કાના પ્રારંભે ભાજપનું હાઈકમાન્ડ રૂપાલા મુદ્દે વ્યૂહ બદલશે કે પછી મચક નહીં આપે તેની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર સૌની નજરો મંડાયેલી છે. રૂપાલાએ ફરીથી એક વખત જાહેરમાં ક્ષમાયાચના કરતા જે કાંઈ કહ્યું છે, તે ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સાંકેતિક છે, ખરું કે નહીં ?
ગુજરાતનો પ્રત્યેક મતદાર ઉનાળાની ગરમી, પારિવારિક જવાબદારીઓ, અભ્યાસ, તહેવારો, પ્રસંગો અને મુખ્ય પરીક્ષાઓ સંપન્ન થયા પછીના વેકેશન જેવા માહોલમાં પણ ૭ મી મે ના દિવસે પ્રાયોરિટીમાં મતદાન કરે, અને વધુમાં વધુ મતદાન થાય, તે માટે ચૂંટણી પંચના પ્રયાસોમાં સહયોગી બનીએ, અને આવો મતદાનના બધા રેકોર્ડ તોડી નાંખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને ચૂંટણી પ્રચારના મુદ્દા બદલી ગયા. પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારમાં એનડીએ તરફથી મોદી સરકારના દસ વર્ષના સમયગાળાની સિદ્ધિઓ યોજનાઓ અને સર્જીકલસ્ટ્રાઈક એરસ્ટ્રાઈક, ઈકોનોમી અને વિશ્વમાં ભારતની વધેલી વિશ્વનિયતા વગેરેના ગુણગાન ગવાઈ રહ્યા હતા, જ્યારે ઈન્ડિયા ગઠબંધન તથા અન્ય વિપક્ષી નેતાઓ મોદી સરકાર પર તાનાશાહી, કેન્દ્રીય તપાસ એજન્સીઓને દુરૂપયોગ, બદલાની ભાવના, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાના આક્ષેપો લગાવીને બેરોજગારી, મોંઘવારી તથા ખેડૂતોને લગતા પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા હતાં.
પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થતા જ બન્ને તરફથી ચૂંટણી પ્રચારના મુદ્દા જ બદલી ગયા. કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરા (ન્યાયપત્ર)માં પાંચ ન્યાય અને રપ ગેરંટીના જે વાયદા કર્યા, તેને આગળ કરીને નીતિ આધારિત વસ્તીગણત્રીની વકીલાત કરી... એટલું જ નહીં, કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર રચાયા પછી પ્રાયોરિટીમાં કયા કદમ ઉઠાવાશે, તેની ચોખવટ પણ કરી એ પછી ચૂંટણી પ્રચારની દિશા જ બદલી ગઈ, કારણે કે બેરોજગારી, મોંઘવારી અને તાનાશાહીના મુદ્દાઓની સાથે કોંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનના કેટલાક ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ પણ ચર્ચામાં આવી ગયા.
ભારતીય જનતા પક્ષના સંકલ્પપત્રની છણાવટ થઈ રહી હતી. ત્યાં લોકો પાસે રહેલી સંપત્તિનો એકસ-રે કરાવવાના રાહુલ ગાંધીના ચૂનાવી ભાષણને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સાથે જોડીને ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ચર્ચાને અલગ જ દિશામાં વાળી દીધી. હવે આજે મતદાન સંપન્ન થયા પછી ત્રીજા તબક્કાની તૈયારી થઈ રહી છે, ત્યારે મતદાનના આંકડાઓના આધારે ત્રીજા તબક્કામાં કયા કયા મુદ્દાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુંજે છે, અને ગુજરાતમાં સુરતની બિનહરીફ થયેલી ચૂંટણી પછી હવે ક્ષત્રિય આંદોલન-રૂપાલા પ્રકરણના સંદર્ભે ભાજપનું વલણ કેવું રહે છે, તેના પર સૌની મીટ મંડાયેલી રહેવાની છે. કોંગ્રેસ કહે છે કે અમારા ચૂંટણી ઢંઢેરાથી ભાજપ સરકાર ડરી ગઈ છે !
ગુજરાતમાં સાતમી મે ના દિવસે મતદાન થવાનું છે, અને બીજી મે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં સભા થવાની છે, તેથી જામનગરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, અને રાજનેતાઓ તથા કાર્યકરોમાં અચાનક જ સળવળાટ થતો જોવા મળે છેે. એક તરફ ધૂંઆધાર પ્રચાર થઈ રહ્યો છે, તો બીજી તરફ 'વોટ સાથે નોટ'ની અપીલ કરીને ચૂંટણી ફંડની ટહેલ પણ નાખવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલથી જ ગુજરાતમાં પ્રચાર રથો બમણાં વેગથી દોડવા લાગશે, તેમ જણાય છે.
આપણે સાતમી મે ના દિવસે મત નાખવા અવશ્ય જવાનું છે, કારણ કે આપણે એક-એક મત અમૂલ્ય તો છે જ, પરંતુ મતદાન કરીએ કે ન કરીએ, તો પણ આપણાં મતદાન માટે થયેલી વ્યવસ્થાઓ પાછળનો સરેરાશ ખર્ચ તો થઈ જ જવાનો છે, જે સમજવા માટે કેટલાક રસપ્રદ અને માહિતીપ્રદ આંકડાઓ અંગે જાણકારી મેળવીએ....
ભારતમાં થતી ચૂંટણીઓને લઈને લગભગ સાડા ત્રણ દાયકાથી કાર્યરત સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ વખતે ભારતનો ચૂંટણીખર્ચ અમેરિકામાં સામાન્ય ચૂંટણીઓ માટે થતા સરેરાશ ખર્ચને પણ ઓળંગી જવાનો છે. ભારતમાં વર્ષ-ર૦૧૯ ની ચૂંટણીમાં લગભગ ૬૦ હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સવાલાખ કરોડથી પણ વધી જાય તેવી ધારણા છે.
આ સંસ્થાના અધ્યક્ષે કરેલા દાવા મુજબ વર્ષ-ર૦ર૪ ની ભારતની આ સામાન્ય ચૂંટણીઓ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી પુરવાર થવાની છે, અને રેકોર્ડબ્રેક રૂ. ૧.૩પ લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. અમેરિકામાં વર્ષ -ર૦ર૦ ની રાષ્ટ્રપતિપદના જનરલ ઈલેકશન્સમાં ભારતીય ચલણ મુજબ લગભગ રૂ. ૧.ર૦ લાખ કરોડ ખર્ચાયા હતા, જયારે ભારતીય ચૂંટણીખર્ચ આ વખતે ૧.૩પ લાખ કરોડને ઓળંગી જશે, તેવી ધારણા દર્શાવાઈ છે.
એક ઈન્ટરવ્યૂમાં આ સંસ્થાના અધ્યક્ષ ભાસ્કર રાવે આ ચૂંટણીખર્ચના અંદાજોમાં ચૂંટણીપંચ તરફથી થતા ખર્ચ ઉપરાત કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી થઈ રહેલા, થઈ ચૂકેલા અને હવે પછી થનારા ખર્ચના આ સંભવિત આંકડાઓમાં સમાવેશ થતો હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે તેમની સંસ્થાએ વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીનો ખર્ચ રૂ. ૧.ર૦ લાખ કરોડ એટલે કે અમેરિકાની સમકક્ષ થવાની ધારણા રાખી હતી, પરંતુ ચુંટણી બોન્ડનો ડેટા જાહેર થયા પછી આ અંદાજોમાં ૧પ લાખ કરોડનો વધારો કરાયો છે!!
આ અંદાજો મુજબ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી માટે એક મતદાર દીઠ લગભગ દોઢેક હજાર (રૂ. ૧૪૦૦ ની આસપાસ) ખર્ચ થવાનો છે. આ અંદાજો મુજબ દર્શાવેલા આંકડાઓમાં મહત્તમ ખર્ચ રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા દર્શાવાતા હિસાબો આધારિત હોય છે. રાવના કહેવાનો મતલબ એવો પણ થાય કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે થતા ખર્ચ કરતા ઘણો વધુ ખર્ચ ચૂંટણી પ્રચાર માટે થાય છે.
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુમાનો ઉપરાંત ભાસ્કરરાવના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'નેકસ્ટ બિગ ગેમ ચેન્જર ઓફ ઈલેકશન્સ'માં 'મનીપાવર'ના ચૂંટણીઓ પર વધી રહેલા પ્રભુત્વ, ધનાઢય ઉમેદવારો દ્વારા થતા ખર્ચ અને જુદી જુદી વિચારધારાઓના સ્થાને વિનેબિલિટી અને 'ગોઠવણો' જેવા હથકંડાઓ તરફ અંગૂલિનિર્દેશ કરાયો હોવાનો દાવો કરાયો છે!
એ તો સર્વવિદિત છે કે ચૂંટણીપંચના ચોપડે નોંધાતો ઉમેદવારોનો ખર્ચ તદ્દન વાસ્તવિક હોતો નથી. રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા થતાં વણ નોંધાયેલા ખર્ચનો આંકડો તો કયારેય બહાર આવતો નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો તથા કેટલાક રાજનૈતિક અર્થશાસ્ત્રીઓ તેનું વિશ્લેષણ જરૂર કરતા હોય છે.
આમ તો આપેણો પ્રત્યેક મત અમૂલ્ય હોય છે, કારણ કે આપણે આગામી પાંચ વર્ષ માટે દેશની સરકારની પસંદગી કરતા હોઈએ છીએ, પરંતુ તે ઉપરાંત પ્રત્યેક મતદારની વ્યવસ્થા માટે થતાં ખર્ચનો વિચાર કરીને પણ મતદાન અવશ્ય કરવું જ જોઈએ. કારણ કે જો મતદાર દીઠ દોઢેક હજારનો બુનિયાદી ખર્ચ થતો હોય, તો તે પણ આપણાં જ ગજવામાંથી ટેકસ કે અન્ય ચાર્જીસના સ્વરૂપમાં જતો હોય છે, દેશની આ મોંઘી ચૂંટણીના ખર્ચનો ભાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણી પર જ આવે છે, તેથી અવશ્ય મતદાન કરીને યોગ્ય ઉમેદવાર અને પાર્ટીને જ મત આપવો જોઈએ ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે છેક છેલ્લી ઓવર સુધી રોમાંચ પછી અંતે આઈપીએલની ક્રિકેટ મેચમાં ભલે દિલ્હીની ટીમનો વિજય થયો હોય, પરંતુ લગભગ હારી ચૂકેલી બાજી વિજયના દ્વાર નજીક લઈ જનાર ગુજરાત ટાઈટન્સની ટીમ પણ સમોવડી જ ગણાય, કારણ કે છેલ્લા બોલે સિકસર લાગી ગઈ હોત તો ગુજરાતની ટીમ જીતી હોત. ક્રિક્રેટની રમત જ એવી છે, કે તેમાં ગમે ત્યારે કાંઈ પણ બની શકે છે, અને ઘણી વખત ચમત્કારિક ઢબે વિજય કે પરાજય થતાં હોય છે. ટી-ર૦ વર્લ્ડકપ માટેની ટીમ નક્કી થશે, ત્યારે આઈપીએલના પરફોર્મન્સને ધ્યાને લેવાતું હશે તો કેટલાક નવા અને કેટલાક પીઢ ખેલાડીઓનો નંબર પણ લાગી શકે છે.
અત્યારે લોકસભાની ચૂંટણી પણ આજની દિલ્હી ગુજરાતની ટીમો વચ્ચેની આઈપીએલ ક્રિકેટ ટીમ જેવી રોમાંચક બનવા લાગી છે. પહેલાં તબક્કામાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોમાં ઊભી થયેલી દ્વિધા પછી મનોમંથનો થયા હશે, ચિંતનો થયા હશે, માથાપચ્ચી થઈ હશે, ગૂપ્ત રીતે નવી રણનીતિઓ ઘડાઈ હશે, તેથી બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષોએ આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે, અને ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારની સફળતા-નિષ્ફળતા, સિદ્ધિઓના દાવાઓ તથા તે સંદર્ભે માત્ર ગુણગાન કે ટીકાઓ કરવાના બદલે હવે ઉભય પક્ષેથી ભાવનાત્મક અને વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યા છે, વડાપ્રધાને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ પર કરેલા આક્ષેપો અને રાહુલ ગાંધીના તાજેતરમાં ભાષણોના આપેલા સંદર્ભો તથા તેની સામે કોંગ્રેસે અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજોએ આપેલા જવાબો પછી ચૂંટણી પ્રચારનો માહોલ ગરમાયો જ હતો, ત્યાં અમેરિકામાં ત્યાંના નાગરિકોના મૃત્યુ પછી સરકાર પપ ટકા સંપત્તિ વારસાઈ ટેકસ તરીકે લઈ લ્યે છે, તે પ્રકારનું કોઈ કથિત નિવેદન સામપિત્રોડાએ કરતાં નવો મુદ્દો એવો ઉછળ્યો કે કોંગ્રેસે ઝડપભેર સ્પષ્ટતા કરવી પડી કે સામપિત્રોડાના આ વિચારો તેમના વ્યક્તિગત હશે, પરંતુ કોંગ્રેસના નથી!
આવતીકાલે બીજા તબક્કાનું મતદાન કેવું થાય છે અને ટકાવારી વધે છે કે ઘટે છે, તેના પર તમામ રાજકીય પક્ષો તથા ત્રીજા તબક્કાના ઉમેદવારોની રણનીતિનો આધાર રહેવાનો છે. હવે ત્રીજા તબક્કામાં ગુજરાતની બિનહરિફ થયેલી સુરતની સીટ સિવાયની તમામ (રપ) બેઠકો માટે મતદાન થવાનું છે, તેથી હવે રાજકીય પક્ષોના ધાડેધાડા ગુજરાતમાં ઉતરી પડવાના છે અને ઝંઝાવાતી પ્રચાર થવાનો છે, જે ખૂબ જ રસપ્રદ પણ બનવાનો છે.
સુરતની બેઠક બિનહરિફ થયા પછી ભાજપ અને એનડીએ દ્વારા વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં વિજયના શ્રીગણેશ તો થઈ ગયા છે, પરંતુ ૪૦૦ પાર નો નારો સિદ્ધ કરવા માટે ભાજપ સહિત એનડીએના તમામ નેતાઓ એડીચોટીનું જોર લગાવવાના છે, તો પહેલા તબક્કામાં જે ઓછું મતદાન થયું છે, તે નુકસાન ભાજપ અને એનડીએને થયું છે, તેવું માનતા વિપક્ષો પણ બેવડી તાકાતથી ભાજપ વિરોધી પ્રચારમાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી, તેથી લોકસભાની ચૂંટણી દિવસે દિવસે રોચક બની રહી છે.... ઘણાં લોકો તો એવી ચર્ચા પણ કરવા લાગ્યા છે કે વર્ષ ર૦૦૪ની જેમ ઈન્ડિયા સાઈનીંગ અને ફિલગૂડ ફેકટર જેવા પ્રમોદ મહાજન ફેઈમ ઓવર કોન્ફીડન્સમાં રહેવાથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં અણધાર્યા વિપરીત પરિણામોનો સામનો પણ કરવો પડી શકે છે!
બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં ખામી એ છે કે તેમાં સામેલ કેટલાક પક્ષો કેટલાક રાજ્યોમાં પરસ્પર સામસામે પણ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં એકબીજા પર પ્રચારાત્મક કાદવ ઉછાળી રહ્યા છે ત્યારે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા-ઈલેકટ્રોનિક મીડિયા તથા અદ્યતન થઈ ચૂકેલા પ્રિન્ટ મીડિયાના યુગમાં બધું જે-તે રાજ્ય કે પ્રદેશ પૂરતું મર્યાદિત રહેતું નથી, અને તેથી વિપક્ષી ગઠબંધનની એકજૂથતા ઢીલી પડી જતાં તેની દેશવ્યાપી અસરો થતી હોય છે, અને મતદારોમાં વિશ્વસનિયતા ઊભી કરવામાં પણ અડચણો આવતી હોય છે, તેવું માની શકાય.
હવે કોંગ્રેસના દિગ્ગજો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે અને અન્ય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઝંઝાવાતી પ્રવાસો કરશે, તેવા અહેવાલો આવી રહ્યા છે, તો 'આપ' ના સંજયસિંહ, ભગવંત માન, સુનિતા કેજરીવાલ વગેરે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસો તો નક્કી જ થઈ ગયા છે અને તેમાં પણ જામનગરની બેઠક માટે વડાપ્રધાન મોદી હાલારમાં આવવાના છે, તેવા અહેવાલો પછી અચાનક જ ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. જોઈએ ચૂંટણી કેવા કેવા રંગો દેખાડે છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ર૬ મી એપ્રિલે થવાનું છે અને તેના સંદર્ભે આજે સાંજથી ત્યાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે, જ્યાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ કારણે હવે રાજકીય પ્રચારકો આવતીકાલથી મતદાન જયાં જયાં થવાનું છે, ત્યાં ધસી જવાના છે, પહેલા તબક્કામાં ગત ચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન થયા પછી તેના કારણો શોધવાની માથાપચ્ચી થઈ રહી છે અને બીજા તબક્કામાં મતદાન વધુમાં વધુ થાય, તે માટે તટસ્થ પ્રયાસો ચૂંટણીપંચ તો કરી જ રહ્યું છે, પરંતુ રાજકીયપક્ષો પણ વધુમાં વધુ મતદાન કરાવીને પોતાનો સ્થિતિ મજબૂત કરવાની વેતરણમાં જણાય છે. ખાસ કરીને શાસક ગઠબંધન એનડીએમાં વધુ ચિન્તા જણાય છે અને ભાજપમાં તો આ મુદ્દે મિટિંગો પણ થઈ અને છેક પેઈજ પ્રમુખો સુધી સૂચનાઓ પહોંચાડાઈ રહી હોવાના અહેવાલો પણ આવ્યા છે.
બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી કયાં કેટલું મતદાન થયું છે, તેની સમીક્ષા થશે અને કેટલાક મોટા મોટા દાવાઓ અને નારાઓની હવા પણ ફૂસ્સ કરીને નીકળી જાય, તેવું પણ બની શકે છે, એવું પણ બની શકે કે બીજા તબક્કા પછી હવાઈ ફુગ્ગા વધુ ઊંચા ઉડવા લાગે... બધું દેશની શાણી જનતા અને સમજદાર મતદારોના હાથમાં જ છે, ખરું ને?
ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની તમામ રપ સીટો પર પણ પ્રચાકાર્ય વેગીલો બનશે. સુરતની બેઠક ભાજપને નિર્વિરોધ (બિનહરિફ) મળી ગઈ હોવાથી સુરતમાં હીરા-વ્યવસાય સાથે સકંળાયેલા અને રિયલ એસ્ટેટ-ઉદ્યોગ-ધંધા માટે સુરત સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના નેતાઓ હવે ત્રીજા તબક્કાના મતદાન માટે પોત-પોતાના વતનમાં પ્રચાર કરતા પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓના અગ્રણીઓ સુરતમાં હોવાથી હવે બિનહરિફ બેઠક માટે પ્રચાર કરવાનો નહીં હોવાથી તેઓને સૌરાષ્ટ્રમાં પ્રચારાર્થે મોકલવામાં આવી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઈ છે. ઘણાં લોકો એવું પણ માને છે કે સુરતની બેઠક ભાજપને બિનહરિફ મળી જાય, તે માટે જે વ્યૂહ અપનાવાયો, તેની પાછળ સૌરાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારને વધુ વ્યાપક અને આક્રમક કરવાનું ગણિત પણ હોઈ શકે છે. ખાસ કરીને રૂપાલા પ્રકરણ પછી ક્ષત્રિય સમાજના પ્રબળ વિરોધની સૌથી વધુ અસરો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થાય તેમ હોવાથી ભાજપ તરફી માહોલ ઊભો કરવા માટે હવે સુરત જિલ્લામાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને કામે લગાડાશે, તેવી રણનીતિ રચાઈ હોવાનું કહેવાય છે.
ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષ કોઈ પણ બંધારણીય અને વાજબી રણનીતિ અપનાવવા સ્વતંત્ર છે, તેથી ભાજપની જેમ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ આ જ પ્રકારનો સમાન અવસર મળી શકે તેમ હોવાથી સુરતની બેઠક બિન હરિફ થઈ તેથી માત્ર ભાજપ નહીં, પરંતુ ઈન્ડિયા ગઠબંધનને પણ પરોક્ષ પ્રચારાત્મક ફાયદો થશે, તેવો અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે, ત્યારે કહેવતની ભાષામાં એમ પણ કહી શકાય કે 'શેરડી સાથે એરડી પણ પી લેશે'..!
એવા અહેવાલો આવ્યા છે કે ગુજરાતના કોંગી ઉમેદવારોના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તા. ર૭ મી એપ્રિલે વલસાડના ધરમપુરમાં સભાને સંબોધશે, તે જ દિવસે દમણમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાશે, અને ચૂંટણી સભાને સંબોધન કરશે. ગુજરાતમાં રાહુલ ગાંધી ઉપરાંત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આવવાના છે, તે બીજી તરફ ભાજપના સ્ટાર પ્રચારકો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત એનડીએના અન્ય પક્ષોના નેતાઓ પણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર માટે આવશે તા. ર૭ થી ર૯ સુધી અમિત શાહનો રાજયવ્યાપી પ્રવાસ થશે, ને ગુજરાત રાજ્ય સ્થાપનાદિનને સાંકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીયકક્ષાના વિવિધ પક્ષોના નેતાઓના ઝંઝાવાતી પ્રવાસો અને રોડ-શો, ચૂંટણીસભાઓ અને રેલીઓના માધ્યમથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જાણે ફરી આંધી ફૂંકાશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય જનસંઘના સમયથી ભાજપની પ્રયોગભૂમિ ગણાતા ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧પ૬ બેઠકો મેળવ્યા પછી ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર૬ બેઠકો પર ભારતીય જનતા પક્ષને વિજય મળશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા અને તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી હતી, પરંતુ ગુજરાતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમજૂતિ અને ઈન્ડિયા ગઠબંધન રચાયા પછી આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામ ર૬ બેઠકો જીતવી એનડીએ (ભાજપ) માટે સરળ નહીં હોય,, તેવા અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા હતાં. જો કે, ભાજપે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતવાનું લક્ષ્ય રાખીને આક્રમક રણનીતિ અપનાવ્યા પછી માહોલ થોડો બદલાયો હતો અને ભલે દરેક સીટ પર પાંચ લાખથી વધુ મતોની લીડ ન મળે તો પણ તમામ ર૬ લોકસભાની બેઠકો તો ભાજપ જીતી જ જશે. તેવો આશાવાદ પણ મજબૂતીથી વ્યકત થઈ રહ્યો હતો. તેમાં સુરતની બેઠક બિનહરિફ થતાં હવે રપ બેઠકો જીતવાનો લક્ષ્ય રહેવાનો છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલએ કરેલા એક નિવેદને નવો પડકાર ઊભો કરી દીધો છે, અને ક્ષત્રિય સમાજે બીજા તબક્કામાં હવે માત્ર રૂપાલા નહીં, પરંતુ ભાજપ વિરોધી આંદોલન આદર્યું છે, તો બીજી તરફ ફોર્મ પરત ખેંચવાની મુદ્દત વીતી ગઈ હોવાથી ભાજપે પણ આ મુદ્દે મચક નહીં આપવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. આમ, એક નિવેદનની કેટલી અસરો થતી હોય છે, તે જોતા નેતાઓએ પ્રત્યેક્ષ શબ્દ સમજી વિચારીને બોલવો જોઈએ, તેમ નથી લાગતું ?
હવે રૂપાલાએ બે વખત માફી માંગી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બે હાથ જોડ્યા અને ક્ષત્રિય સમાજની સાથે બેઠકો યોજ્યા પછી પણ હજુ ક્ષત્રિય સમાજની આંદોલનકારી સમિતિ મચક આપી રહી નથી, ત્યારે હવે ૭મી મે ના દિવસે ગુજરાતમાં મતદાન થતા સુધીમાં ઘી ના ઠામમાં ઘી પડી રહેશે કે પછી કાંઈ નવાજૂની થશે, તે તો કહી શકાય તેમ નથી, પરંતુ વચલો રસ્તો કાઢીને સમાધાનના પ્રયાસો હજુ 'બેક ધ ડોર' ચાલી જ રહ્યા હોવાના સંકેતો પણ મળતા રહે છે, જોઈએ, હવે શું થાય છે. તે...
જો કે, ક્ષત્રિય સમાજ દ્વારા જામનગર સહિત રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો અને ક્ષત્રિય સમાજમાં આ મુદ્દે આંતરિક ભાગલા પડ્યા હોવાના અહેવાલો અને તેને અપાતા રદીયાઓ જોતા આ મુદ્દે હજુ સ્થિતિ પ્રવાહી જ છે, તેમ કહી શકાય ખરું....
કોઈપણ નેતાએ કરેલું નિવેદન વર્ષો પછી પણ પીછો છોડતું હોતું નથી, દૃષ્ટાંત તરીકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે યુપીએની સરકાર હતી, ત્યારે રાષ્ટ્રીય સંસાધનો પર લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોનો અધિકાર હોવાનું કથિત નિવેદન અત્યારે વર્ષ-ર૦ર૪ની ચૂંટણીના પ્રચારમાં મુદ્દો બન્યું છે, અને તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વર્તમાન સમયના તાજેતરના જ એક નિવેદન સાથે સાંકળીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની સામે કોંગ્રેસના નેતાઓ આગબબૂલા થઈ રહ્યા છે, મોદીએ કહ્યું કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો તે દેશના તમામ પરિવારો પાસે કઈ-કઈ મિલકતો અને સંપત્તિ છે, તેનો સર્વે કરાવશે, જેમાં મકાન, જમીન, વાહનો, આભૂષણો, જંગમ મિલકતો, સોનું-ચાંદી-હીરા-ઝવેરાત વગેરે સામેલ હશે. આ સર્વે કરાવ્યા પછી કોંગ્રેસ જે-તે પરિવારની જરૂરિયાત ઉપરાંતની સ્થાવર-જંગમ મિલકતો રિડિસ્ટ્રીબ્યુશન કરીને બીજાને આપી દેશે. આ નિવેદન દરમિયાન વડાપ્રધાને બહેનોના મંગલસુત્ર સહિતના આભૂષણો પર પંજો પડશે, તેવું કથિત નિવેદન કર્યું હોવાના આક્ષેપ સાથે સખ્ત વાંધો લીધો છે. વિશ્લેષકોના અભિપ્રાયો મુજબ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તો આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ તેના સંદર્ભે રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં જે નિવેદન કર્યુ, તેના શબ્દોને પકડીને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે મોદીએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની સામે હવે કાગારોળ થઈ રહી છે. મોદીના આ પ્રવચનને લઈને કોંગ્રેસે કદાચ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે.
આમ, મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને ભાજપના સ્ટારપ્રચારકના નિવેદનોને સાંકળીને હવે પોલિટિકલ, પંડિતો પણ જુદા જુદા અર્થઘટનો સાથે માથાપચ્ચી કરી રહ્યા છે. આ બધા ઘટનાક્રમો એવું સૂચવે છે કે આપણાં જ શબ્દતીરો સ્વઘાતી બની શકે છે, તેથી સમજી વિચારીને બોલવું જોઈએ.
થોડા મહિનાઓ પહેલા તમિલનાડૂના ડીએમકેના નેતા અને મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્રએ સનાતનને લઈને જે કથિત નિવેદનો કર્યા હતા, તેને સાંકળીને પણ પ્રત્યક-પરોક્ષ રીતે સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરીને જે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તે પણ શિખવાડે છે કે નેતાઓના નિવેદનો ઘણી વખત બૂમરેંગ પુરવાર થતાં હોય છે એટલું જ નહીં ઘણી વખત તો ખૂબ જ મોટા રાજકીય નુકસાનનું કારણ પણ બની શકે છે. હવે જુનાગઢના કોઈ નેતાનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પણ વાયરલ થયો છે.
જો જીભ લપસી પડે, અને કાંઈ અયોગ્ય, અનૈતિક, અરૂચિકર, બિન સંસદીય કે કોઈનું પણ દિલ દુભાય, તેવું બોલાઈ પણ જાય તો પણ વિના વિલંબે ક્ષમાયાચના કરી લેવી જોઈએ તેમ નથી લાગતું?
આજે સવારે જ એક ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના પ્રસ્થાનના અહેવાલો છે, તો બીજી તરફ સંકલન સમિતિના કેટલાક સભ્યો ભાજપમાં જોડાશે, તેવી વાતો પણ વહેતી થઈ છે.
બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ રહે તો પણ ક્ષત્રિય સમાજનો ભાજપ સામેનો રોષ ઓછો થાય, અને રાજકીય નુકસાન થાય, તે માટે જિલ્લે-જિલ્લે ફરી રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કેટલી સફળતા મળશે, તેની ચર્ચા પણ થઈ રહી છે, ત્યારે રૂપાલાએ જાહેર મંચ પરથી ફરીથી પોતાના નિવેદનને લઈને માફી માંગી હોવાના અહેવાલો પણ ઘણાં જ સાંકેતિક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતમાં ગજબની ઘટનાઓ બની રહી છે, ગુજરાતની ત્રણેક બેઠકો પર કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિઓ હોવાની ફરિયાદો ઊભી થઈ હતી, અને રિટર્નીંગ ઓફિસરોએ ઘણી મથામણ કરવી પડી હતી. રાજકીય ક્ષેત્રે અજંપો ઊભો કરતા ઘટનાક્રમો વચ્ચે હવામાન ખાતાએ ખુશીનો અહેસાસ કરાવતી આગાહી પણ કરી હતી.
અને આગામી ચોમાસુ સારું જશે, તથા વરસાદ સારો થશે, તેની સંભાવના દર્શાવી હતી, તેથી ઉનાળાની બળબળતી ગરમી અને ચૂંટણીના તેજાબી ગરમાવા વચ્ચે ખેડૂતો સહિત સૌ કોઈને થોડીક ઠંડકની અનુભૂતિ પણ થઈ જ હશે ને?
આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી આજે સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે, અને તે પછી ચૂંટણીનો પ્રચાર વધુ વેગ પકડશે, એ ખરું? પરંતુ ગઈકાલથી સુરતની બેઠક માટેની ચૂંટણીના સંદર્ભે જે પોલિટિકલ ડ્રામા શરૃ થયો છે, તે ટોક ઓફ ધ સુરતમાંથી સ્ટેટ અને હવે ટોક ઓફ ધ નેશન બની ગયો છે. આજે પણ જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સૌની સામે જ છે અને હવે ૭મી મે ના દિવસે કોને જનાદેશ આપવો, તે જનતાએ જ નક્કી કરવાનું છે, ત્યારે હજુ સાતમી મે સુધીમાં ચૂંટણીના કાવાદાવા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો કેવા કેેવા રંગરૃપ ધારણ કરશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, રાજનીતિમાં ઘણી વખત ઉપરથી દેખાતું હોય, તે હકીકતમાં હોતું નથી, અને જે વાસ્તવમાં હોય છે, તે દેખાતું હોતું નથી, તે પણ સનાતન સત્ય જ હોવું જોઈએ, રાઈટ?
ગઈકાલે જ્યારે સુરતના ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવ્યું, ત્યારે રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો અને ગઈકાલથી જ કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવાઈ રહી હતી. આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણે સૌ જોઈ જ રહ્યા છીએ, પરંતુ આ આખો ઘટનાક્રમ પ્રિ-પ્લાનેડ હતો કે પછી ઉભય પક્ષે કોઈ ખેલ રચાયો હતો, તેની અટકળોનું બજાર પણ ગઈકાલથી જ ગરમ હતું. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પીઢ અને દિગ્ગજનેતા તથા પૂર્વ અંદોલનકારી યુવા નેતાના નામો પણ આ સમગ્ર પોલિટિકલ ઘટનાક્રમોના સંદર્ભે ઉછળ્યા, તે પછી આક્ષેપો-પ્રત્યાક્ષેપોનો દોર શરૃ થઈ ગયો હતો. ભાજપને એક બેઠક ચૂંટણી લડ્યા વગર જ સરળતાથી મળી જાય કે વન સાઈડેડ ચૂંટણીના પરિણામે ગુજરાતમાં એક બેઠકનું ભાજપનું ખાતુ ખૂલી જાય, તે માટે જ આ કારસો રચાયો હોવાના આક્ષેપો સાથે ગઈકાલથી જ કોંગ્રેસના નેતાઓ પણ આકરા પાણીએ હતાં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ભાજપની રીતિનીતિ પર આકરા પ્રહારો કર્યા હતાં. અને આ ઘટનાક્રમ પાછળ કોંગ્રેસના આંતરકલહને જ જવાબદાર પણ ગણાવાયો હતો.
એક તરફ ક્ષત્રિય સમાજ આંદોલનકારીઓ દ્વારા રૃપાલા વિરોધી આંદોલનને હવે ભાજપ વિરોધી ચળવળના સ્વરૃપમાં અન્ય રાજ્યોમાં લઈ જવાની જાહેરાતો થવા લાગી છે, તો બીજી તરફ ક્ષત્રિયો દ્વારા અન્ય સમાજોને પણ આંદોલનમાં જોડાવાનો વ્યૂહ અપનાવાઈ રહ્યો હોવાનું કહેવાય છે. ઘણાં લોકો કહે છે કે ક્ષત્રિયોનો આ છૂપો અસંતોષ અને ધગધગતો આક્રોશ ચૂંટણીમાં ભાજપને ભારે પડી જવાનો છે અને ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ તેની અસરો થવાની છે. બીજી તરફ રૃપાલા આજે ફોર્મ પાછું ખેંચશે કે નહીં, તેની ચર્ચા સાથે અટકળો પણ આજે સવારથી જ થઈ રહી હતી.
અત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભાજપના કાર્યક્રમો હોય ત્યાં કેટલાક ક્ષત્રિય આંદોલનકારીઓ સુત્રોચ્ચાર કરતા કરતા વિરોધ પ્રદર્શિત કરે છે અને પોલીસ અટકાયત કરે છે, હવે આ ચળવળ વાયા-વિરમગામ થઈને રાજ્ય વ્યાપી બની રહી છે, અને જો આવું જ ચાલ્યું તો આ ચળવળ દેશવ્યાપી બની જાય, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જો તેવું થાય, તો પણ ભાજપને બહું વાંધો આવે તેમ નથી., તેવું માનનારો વર્ગ પણ ઘણો જ મોટો છે, પરંતુ જો દેશવ્યાપી ચળવળ થાય અને તેમાં અન્ય સમાજોનું વાસ્તવિક રીતે ક્ષેત્રિયોને સમર્થન મળે, તો કાંઈ પણ થઈ શકે છે, તેવું પણ ઘણાં માને છે, જોઈએ હવે શું થાય છે તે....
એક તરફ ક્ષત્રિય સમાજનો અસંતોષ ઠારવા ભાજપ પીછેહઠ કરે તો કદાચ પાટીદાર સમાજ નારાજ થઈ જાય, તેવી સંભાવનાઓને લઈને ભાજપ દ્વિધામાં હોવાની ચર્ચા હતી, તો બીજી તરફ હવે જો કોંગ્રેસ કે વિપક્ષોને પણ એવો જ ડર સતાવી રહ્યો હોવાથી તેઓ મગનું નામ મરી પાડતા જણાતા નથી, તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
હવે આજે ઉમેદવારી ફોર્મને લગતો પોલિટિકલ ડ્રામા ઓવર થયા પછી રાજકીય પક્ષો અને ઉમેદવારો લોકોના મૂળભૂત મુદ્દાઓ ઉઠાવીને ચૂંટણી પ્રચાર કરશે, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે, આવી ગુંચવણભરી સ્થિતિ ઊભી થવા પાછળ કોણ જવાબદાર? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે અને આક્ષેપો કરનારના હાથની બીજી ત્રણ આંગળી પોતા તરફ હોય છે, અને તેના પર અંગુઠાનું દબાણ હોય છે, તે પણ હકીકત જ હોવાની દલીલો પણ થઈ રહી છે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા?
અત્યારે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતમાં રૃપાલાનો વિરોધ, બિહારમાં ચિરાગ પાસવાનના પરિવારને નિશાન બનાવીને બોલાયેલા કથિત અપશબ્દો, તિહાડ જેલમાં બંધ કેજરીવાલનું ડાયાબિટીસ, ડાયેટ અને ખોરાક, ઉમેદવારીપત્રકોમાં ક્ષતિની ફરિયાદો અને રદ કરાયેલા ફોર્મ્સનો વિવાદ જેવા મુદ્દાઓ ઉપરાંત રામાયણ-મહાભારતના પાત્રો, સનાતન-હિન્દુધર્મને સાંકળીને થતા શબ્દપ્રયોગો અને તેનો વિરોધ અને બેફામ નિવેદનબાજીના ઘોંઘાટ જ સંભળાઈ રહ્યા છે અને આ તમામ મુદ્દાઓમાં જનતાના જીવન, ઉત્થાન અને સુખ-સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થાનિક મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના ભોરીંગ વગેરે વિષયો કયાંક દબાઈ ગયા છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ધોમધખતા તડકા અને ઘણાં સ્થળે ગરમીના પ્રકોપ વચ્ચે ગઈકાલે લોકસભાની ૧૦ર બેઠકો માટે ૬ર ટકાથી વધુ મતદાન થયું.
કેટલાક સ્થળે ભારે મતદાન થયું, તેથી હવે તેનાથી કયા સ્થળે કયા પક્ષને ફાયદો થશે, મુખ્ય બે ગઠબંધનોમાં કોને વધુ ફળશે અને કોને નુકસાન થશે, તેના બેઠકવાર, રાષ્ટ્રવાર અને જનરલ વિશ્લેષણો થઈ રહ્યા છે. ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય, તે ઉમેદવારો અને રાજકીય પક્ષો તો સ્વાભાવિક રીતે જ પોતાના વિજયના દાવાઓ કરે, પરંતુ કેટલાક રાજકીય પંડિતો આ વખતે નવાજુની થવાના એંધાણ દર્શાવી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય વિશ્લેષકો જ્યાં ભારે મતદાન થયું છે, ત્યાં પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે પ્રવર્તમાન શાસન તરફી મતદાન થયું હોવાના તારણો પણ કાઢી રહ્યા છે. જો કે, પ્રો-ઈન્કમબન્સીનું અર્થઘટન કેન્દ્ર સરકાર તરફી મતદાન થયું હોય, તેવું પણ થઈ શકે અને જે-તે પ્રદેશ (રાજ્ય)માં જે રાજકીય પક્ષ કે ગઠબંધનની સરકાર હોય, તેની અસર હેઠળ મતદાન થયું હોવાનું અર્થઘટન પણ કેટલાક વિવેચકો કરતા હોય છે. જો કે, હવે તો રાજકીય વિશ્લેષણો તથા તારણો તથા કોઈને કોઈ રાજકીય પક્ષની પ્રાદેશિક અને રાષ્ટ્રીય અસરો હેઠળ પણ થતા હોય તેવું પણ લાગે, પરંતુ વર્ષોના અનુભવી અને વિશ્વસનિય વિવેચકો, વિશ્લેષકો અને રાજકીય પંડિતોના તારણો મોટાભાગે તટસ્થ રહેતા હોય છેે એ હકીકત છે હવે મતદારો પણ પોતાનું મન કળવા દેતા હોતા નથી અને આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણીની વચ્ચે ઓપિનિયન પોલ કે એકઝીટ પોલ પણ થઈ શકતા નથી, તેથી આ પ્રકારની અટકળો કે અનુમાનો માત્ર જિજ્ઞાસા સંતોષવા ખાતર કે પછી પોત-પોતાના દવાઓને મજબૂત બનાવવા માટે પણ ઉમેદવારો અને રાજકીય પક્ષો કરતા હોય છે, ખરું કે નહીં ?
ગઈકાલે ૬ર ટકાથી વધુ મતદાન થયું તેમાં સૌથી વધુ મતદાન ત્રિપુરા અને પં.બંગાળમાં થયું, તેને પરિવર્તન માટેનો જનાદેશ ગણવામાં આવી રહ્યો છે, તો સામા પક્ષે પં.બંગાળની જનતાએ કેન્દ્રીય શાસક ગઠબંધન તરફી મતદાન કર્યું હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક વિશ્લેષકો આ વખતે પણ મતદાનમાં એક વખત ફરીથી મમતા બેનર્જીનું પલ્લુ ભારે હોવાના સંકેતો આપી રહ્યા છે, જ્યારે એવા અભિપ્રાય પણ આવી રહ્યો છે કે ત્રિપુરા અને પં.બંગાળના પરિણામો આ વખતે ચોંકાવનારા હશે. જો કે, ત્રિપુરામાં એનડીએ તરફી માહોલ હોવાના દાવા પણ થઈ રહ્યા હતાં.
બિહારમાં થયેલું ઓછું મતદાન ભાજપના નેતૃત્વમાં રચાયેલા સ્થાનિક ગઠબંધન માટે ચિંતા ઉપજાવનારું હોવાનો મત વ્યકત થઈ રહ્યો છે, અને બિહારની જનતાને નીતિશકુમારે છેલ્લી ઘડીએ કરેલો પક્ષપલ્ટો પસંદ આવ્યો નથી, તેમ જણાવાઈ રહ્યું છે. બીજી તરફ તેજસ્વી યાદવ અને ઈન્ડિયા ગઠબંધનની રેલીઓમાં ઉમટતી જંગી જનમેદની 'વોટ'માં પરિવર્તિત થઈ હોય તેમ લાગતું નથી, તેવા તારણો કાઢીને બિહારમાં થયેલું ઓછું મતદાન ઈન્ડિયા ગઠબંધનને નુકસાન કરશે, તેવા દાવો પણ કરાઈ રહ્યો છે. જો કે તટસ્થ વિશ્લેષકોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો એમ જણાય છે કે એન.ડી.એ. અને ઈન્ડિયા ગઠબંધનો વચ્ચેની ખેંચતાણ અને વારંવાર બદલતા રહેલા સમીકરણોના કારણે કન્ફયૂઝનમાં મૂકાયેલા ઘણાં મતદારો મતદાન કરવા નીકળ્યા જ નહીં હોય, તો કંગાળ મતદાન પાછળ ગરમી કારણભૂત હોવાનો પણ મત વ્યકત થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણાં વિસ્તારોમાં થયેલું કંગાળ મતદાન એનડીએ માટે ચિંતાજનક જણાવાઈ રહ્યું છે, તો યુપીમાં થયેલા સરેરાશ મતદાનના આંકડા પણ ચર્ચામાં છે.
બિહાર અને ઉત્તરપ્રદેશના સંખ્યાબંધ લોકો અન્ય રાજ્યોમાં નોકરી-ધંધા માટે ગયા છે અને તેમાં શ્રમિકોનું પ્રમાણ વધારે છે. આ અન્ય રાજ્યોમાં અસ્થાયી ધોરણે રોજગાર મેળવવા ગયેલા ઘણાં મતદારો મતો આપી શકયા નહીં હોય, તેવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે. ટૂંકમાં ઓછું મતદાન તમામ રાજકીય પક્ષો માટે અજંપો તો લાવ્યું જ છે.
મહારાષ્ટ્રમાં પણ ધાર્યા મુજબ ઉંચું મતદાન થયું નથી, તેની પાછળ મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ કારણભૂત મનાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના અને એનસીપીના ભાગલા પડી ચૂક્યા છે, અને કોંગ્રેસના કેટલાક દિગ્ગજો પણ પક્ષપલ્ટો કરીને અન્ય પક્ષોમાં જોડાઈ ગયા છે. તેથી મહારાષ્ટ્રના મતદારો પણ કન્ફ્યૂઝનમાં હોવાથી કેટલીક બેઠકો પર કંગાળ અથવા અપેક્ષાથી ઓછું મતદાન થયું હોવાનુ મનાય છે. એકંદરે વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૬૯.૪૩ ટકા મતદાન થયું હતું, તેની સરખામણી પણ થઈ રહી છે.
ગુજરાતમાં તો હવે ક્ષત્રિય સમાજે માત્ર રૂપાલા નહીં, પરંતુ હવે ભાજપનો બહિષ્કાર કરવા અને અહિંસક આંદોલન, ઉપવાસ વગેરે દ્વારા પાર્ટ-રમાં ચૂંટણીમાં ભાજપને હરાવવાનું નક્કી કર્યું હોવાનો દાવો કોરકમિટીને ટાંકીને કરાઈ રહ્યો છે, તો દિલ્હીમાં કેજરીવાલને જેલમાં જીવનું જોખમ હોવાના આક્ષેપો સાથે કેજરીવાલની ડાયાબિટીસની બીમારી, ડાયેટ અને કેળા-કેરી-આલુ-પૂરી અને ઈન્સ્યૂલનનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીના મુદ્દાઓ પર હાવી થઈ ગયો હોય, તેમ જણાય છે, આમ આ વખતે ચૂંટણી પણ ચટાકેદાર બની રહેલી જણાય છે, નહીં ?!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રામ જન્મોત્સવ સંપન્ન થયો અને આજથી લોકતંત્રનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. જામનગરમાં ગઈકાલે સાંજના સમયે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોના અલગ-અલગ સ્થળે આયોજનો થયા હતા, અને તેના સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ દરમિયાન કેટલાક મુખ્ય માર્ગો તથા સર્કલો નજીક ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં, અને થોડા સમય માટે તો તંત્રોએ પણ હડિયાપટ્ટી કરવી પડી હતી.
આજે લોકતંત્રનો મહોત્સવ શરૂ થયો છે અને પહેલા તબક્કામાં ૧૦ર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ત્રીજા તબક્કા માટે આજે જામનગરના ભાજપના ઉમેદવારના નામાંકન પછી હવે હાલારમાં ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડશે. કોંગ્રેસના ઉમેદવાર આ પહેલા - ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે. આપણે પણ ૭ મી મે ના દિવસે ગમે તેમ કરીને મતદાન કરવાનું જ છે, એ ભૂલાય નહીં.... હો...
આજે એક તરફ પહેલા તબક્કા માટે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ર૧ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે, અને બીજી તરફ ત્રીજા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે, તો ચૂંટણી પંચે ગઈકાલે જ ચોથા તબક્કાના મતદાન માટે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. ચોથા તબક્કાનું મતદાન પણ લોકસભાની ૧૦ૅર બેઠકો માટે થવાનું છે, જે નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં થશે.
જામનગર બેઠકનું મતદાન ૭ મી મેના દિવસે ત્રીજા તબક્કામાં થવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજથી જ ખરાખરીનો પ્રચારજંગ જામશે, તેમ જણાય છે. આજે બપોરે ફોર્મ ભરાયા પછી પણ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા બાદ જ ગુજરાતમાં કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, તેનું ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે.
આજે પ્રથમ તબક્કામાં ૧૦ર બેઠકો પર ૧૬રપ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ લોકતંત્રના મહાપર્વમાં અવશ્ય મતદાન કરીને આ લોકતાંત્રિક યજ્ઞમાં આહુતિ આપવા મહાનુભાવો, સેલિબ્રિટીઝ અને રાષ્ટ્રપતિ તથા પી.એમ. દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ર૬ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ૧ર રાજ્યોની ૯૪ લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. આવતીકાલે ફોર્મની ચકાસણી પછી રર મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે. જેથી રર મી એપ્રિલની સાંજે એ સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની ર૬ બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહ્યું છે, આ વખતે રર મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોઈ, રાજકોટની બેઠક પરથી પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચે છે કે નહીં, તેના પર પણ બધાની નજર રહેવાની છે. જો કે, અત્યારે તો એવું લાગે છે કે ભાજપ રૂપાલાનું ફોર્મ પાછું ખેંચાવવાના મૂડમાં નથી, પરંતુ રાજનીતિમાં કાંઈ પણ બની શકે છે, તેથી રરમી એપ્રિલ પછી ક્ષત્રિય સમાજનું વલણ કેવું રહે છે અને આંદોલનકારીઓની રણનીતિ કેવી રહે છે તે જોવાનું રહ્યું.... ખરું ને?
રાજકોટની બેઠક પરથી જ આજે કોંગ્રેસના પરેશ ધાનાણીની ઉમેદવારી નોંધાયા પછી હવે તેઓ પરસોત્તમ રૂપાલાને ટક્કર આપવાનું જાહેર કરી ચૂક્યા છે, ત્યારે મૂળ ફાઈટ ઘણી જ રસપ્રદ રહેવાની છે, તે ઉપરાંત ક્ષત્રિય સમાજનું રૂપાલાને લઈને હવે પછીનું વલણ પણ મહત્ત્વપૂર્ણ રહેવાનું હોઈ, રૂપાલાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની ચર્ચા પણ થઈ રહી છે, જોઈએ હવે શું થાય છે તે...
આ વખતે ધોમધખતો તડકો અને અસહ્ય ગરમી પણ ચૂંટણીતંત્ર, ઉમેદવારો અને પક્ષો માટે પડકારરૂપ બનવાની છે. ચૂંટણીપંચે તો મતદાન મથકો પર વિવિધ વ્યવસ્થાઓ કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ ગરમીનો પ્રકોપ હોય, ત્યારે બપોરના બે-ત્રણ કલાક પાંખુ મતદાન થાય, તેવી શકયતા હોવાથી વહેલી સવારથી જ અગ્રતાક્રમે મતદાન કરી આવવાની અપીલો પણ જોરશોરથી કરવામાં આવી રહી છે.
એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ જળાશયોમાં જળસંગ્રહ ઝડપભેર ઘટી રહ્યો છે. કેટલાક જળાશયો તો ખાલીખમ થવાના આરે છે. હાલારના ચાર-પાંચ જળાશયો સહિત સૌરાષ્ટ્રના ૧પ જેટલા ડેમો તો તદ્દન ખાલી થઈ ગયા છે. જ્યારે માંડ એકાદ ટકા જ જળસંગ્રહ વધ્યો હોય તેવા ખાલી થવાના આરે પહોંચેલા દસેક ડેમોમાં પણ હાલારના ચારેક જળાશયો છે. આમ, ચૂંટણી પ્રક્રિયાની સાથે સાથે તંત્રોએ પીવાના પાણીની જન-જરૂરિયાતો મુજબનો પાણી પુરવઠો જાળવી રાખવા નર્મદાના નીર લાવવા સહિતના પ્રયાસો પણ કરવા જ પડશે, ખરું ને ?
આજે પ્રથમ તબક્કાના મતદાનના અનુભવે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ગરમીના પ્રકોપની વિપરીત અસરો મતદાન પર કેટલી અને દિવસ દરિમયાન કયારે થાય છે, અત્યારે દિવસ વહેલો ઉગી જતો હોવાથી વહેલી સવારથી જ મતદાનની લાઈનો લાંબી થતી જોવા મળે, તો નવાઈ જેવું નહીં હોય, અને તે જરૂરી પણ છે જ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલારમાં રામનવમીની ઉમંગભેર ઉજવણી થઈ, શોભાયાત્રાઓ નીકળી અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. હાલારમાં આવેલા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાની પાવનભૂમિ પર હનુમાનદાંડીનું મંદિર, દ્વારકાના અખંડ રામધૂન મંદિર અને જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન સાથે રામનવમીની ઉજવણી કાંઈક વિશેષ મહત્ત્વપૂર્ણ બની હતી.
હાલારની આ જ પાવન ભૂમિ પરથી હવે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાઈ રહ્યો હોવાથી ચિન્તાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે, અને કયાંક 'ઉડતા પંજાબ'ની જેમ 'ઉડતા હાલાર' ની દિશામાં તો આ વિસ્તાર ધકેલાઈ રહ્યો નથી ને ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
દેવભૂમિમાંથી લાખો રૂપિયાનો નશીલા પદાર્થોનો બિનવારસુ જથ્થો ઝડપાયાના અહેવાલો આવ્યા પછી એસ.ઓ.જી.એ ચરસનું સ્મગલીંગ કરનારાઓની શોધખોળ આદરી હતી. બીજી તરફ ખંભાળીયા નજીકથી પણ દારૂનો જંગી જથ્થો ઝડપાયો, ત્યારે એક શખ્સ પકડાયો અને ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હોવાના અહેવાલો હતાં, તો દ્વારકા જિલ્લાના બાટીશા પાસેથી પણ શરાબનો જંગી જથ્થો ઝડપાયા પછી અને ભાણવડના મોરઝરમાંથી પણ એક મકાનમાંથી દારૂનો જંગી જથ્થો મળ્યા પછી એક શખ્સ ઝડપાયો હોવાના અહેવાલો હતાં. જામનગરમાંથી પણ તાજેતરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા વઢવાણના શખ્સને ઝડપી લીધો હોવાના અહેવાલો હતા, અને તે શખ્સ જામનગરના જ કોઈ શખ્સને જથ્થો પહોંચાડવા આવ્યો હોવાનું કહેવાય છે.
તે પછી ગઈકાલે સાંજે એવા અહેવાલો આવ્યા કે રાજસ્થાન તરફથી જામનગર તરફ આવી રહેલી કોઈ કારમાંથી એક કિલોથી વધુ વજનનું એટલે કે ૧૦૪૭ ગ્રામ ડ્રગ્સ અમીરગઢ ચેકપોષ્ટ પર બનાસકાંઠા પાસે કડક ચેકીંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યું હતું, અને પકડાયેલા ત્રણ શખ્સો સામે એનડીપીએસ એકટ હેઠળ ગુન્હા નોંધાયો છે. એવું કહેવાય છે કે આ કારનું પાર્સીંગ પણ જામનગરનું હતું અને ઝડપાયેલા શખ્સોનું પગેરૃં પણ જામનગર તરફ નીકળ્યું હતું. ગુજરાત-રાજસ્થાન સરહદેથી ઝડપાયેલા આ જથ્થા અંગે ઉંડી અને વિસ્તૃત તપાસ તો થઈ જ રહી હશે, પરતુ સમગ્ર હાલારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ, શરાબ જેવા નશીલા પદાર્થો ઝડપાવાનું વધી રહેલું પ્રમાણ એક તરફ તો પોલીસ અને એસઓજીની ચોકસાઈ અને સક્રિયતા પુરવાર કરે છે તો બીજી તરફ છોટી કાશી, યાત્રાધામ દ્વારકા સહિતના વિવિધ યાત્રાસ્થળો જેવી પાવન ભૂમિ પર નશીલા પદાર્થોનો વેપલો અને તેનું સેવન વધી રહ્યું હોય તો તે ગંભીર ચિન્તાની બાબત પણ ગણાય. આ માત્ર કાયદો-વ્યવસ્થાની જ બાબત નથી પરંતુ આપણી જ નવી પેઢી કયાંક બરબાદી તરફ તો ધકેલાઈ રહી નથી ને ? તેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે.
રાજસ્થાનની ગુજરાત સરહદેથી ડ્રગ્સ પકડાયું હતું અને હવે એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજસ્થાનમાં સુરક્ષાકર્મીઓને બોર્ડર નજીક તોડી પાડેલા ડ્રોનમાં ડ્રગ્સનો જથ્થો હતો. તેથી એવી આશંકા પણ જાગે છે કે પાકિસ્તાનથી આ બધો દોરીસંચાર થતો હોવો જોઈએ. પંજાબ અને કાશ્મીરની સરહદેથી ડ્રોન દ્વારા જે રીતે હથિયારો અને ડ્રગ્સ મોકલવાના કારસા થયા છે, તેવી જ રીતે રાજસ્થાનમા ડ્રોન દ્વારા ડ્રગ્સ ઘુસાડીને તેને ગુજરાત તરફ મોકલવામાં આવતું હોવાથી આ ડ્રગ્સ રેકેટ સમગ્ર રાજ્ય માટે તો ખતરનાક બનતું જ જાય છે પરંતુ હવે તેનું પગેરૃં હાલાર તરફ નીકળતા હાલાર અને સૌરાષ્ટ્રમાં પણ આ નેટવર્ક વિસ્તરી રહ્યું હોય, તો તેને તત્કાળ ભેદવું પણ જરૂરી છે, ખરું કરે નહીં ?
એવું પણ બની શકે કે ડ્રગ્સની હેરાફેરી માટે હાલાર જંકશન બની રહ્યું હોય અને હાલારના કાંઠાળ વિસ્તારો તથા જમીન માર્ગોનું સંયોજન કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોય અથવા તે દિશામાં ડ્રગ્સ માફિયાઓ આગળ વધી રહ્યા હોય....
ડ્રગ્સ અને વિદેશી દારૂનો જંગી જથ્થો ઠેર-ઠેરથી ઝડપાય, તે જરૂરી છે અને તેને આપણા પોલીસતંત્ર તથા સરહદી સુરક્ષા દળો-પેરા મિલ્ટ્રી ફોર્સીસ તથા દરિયાઈ એજન્સીઓ, પોર્ટ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ અને ફિશરીઝ વચ્ચે વધુ સુદૃઢ સંકલનથી ગુજરાતમાં પ્રવેશતું જ અટકાવવાના વ્યૂહાત્મક પ્રયાસો પણ આજના સમયની માંગ છે, પરંતુ ડ્રગ્સ અને શરાબની લતે આપણી જ નવી પેઢી અને હાલારીઓ સહિત ગુજરાતીઓ ન ચડી જાય, તે માટે આપણે સૌએ (સમાજ), પણ વાસ્તવિક અને અસરકારક પ્રયાસો કરવા પડે તેમ છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે રામનવમી છે અને દેશ-વિદેશમાં વિવિધ સ્વરૂપે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે, અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર નવનિર્મિત બાલસ્વરૂપ શ્રીરામના દર્શને પણ લાખો ભકતો પહોંચ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામના દર્શને પણ હજારો ભકતો પહોંચ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં જામનગરના બાલા હનુમાનજી તથા બેટ દ્વારકાના હનુમાનદાંડી તરીકે ઓળખાતા મંદિરોનો સમાવેશ થાય છે. બપોરે ૧ર વાગ્યે ભગવાન શ્રીરામના જન્મના પ્રસંગો વિશેષ દર્શન સાથે મહાઆરતીઓ પણ થઈ છે. આજે જામનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાં સ્થળે રામનવમીના પર્વે વિશેષ શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે.
રામાયણમાં માનવજીવનને સંબંધિત ઘણી પથદર્શક ઘટનાઓ વર્ણવાઈ છે અને શ્રીરામનામનો મહિમા ગણાવ્યો છે. રામાયણમાં વચનપાલનનો મુખ્ય સંદેશ સમગ્ર રામકથાની બુનિયાદ છે, અને મૌખિક રીતે અપાયેલું વચન પાળવા માટે પોતાના પ્રિય જયેષ્ઠપુત્રને વનમાં જવા દેવાના આઘાતમાં પ્રાણ ત્યજી દેનાર દશરથરાજા તથા પિતાના વચને વનમાં જનાર ભગવાન શ્રીરામની સમગ્ર કથા રઘુકૂળની વચનબદ્ધતામાંથી પ્રગટી છે, અને એક ઝટકામાં રાજપાટ છોડીને ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારનાર રામ માટે પિતાનું 'વચન' કેટલું મૂલ્યવાન હશે, તે સ્વયંસ્પષ્ટ છે.
રામનવમીનો પાવન સંદેશ વચનપાલન પર નિર્ભર છે અને તેની સાથે સંકળાયેલી એક ચોપાઈ પણ ઘણી જ પ્રચલીત છે....
રઘુકુલ રીતિ સદા ચલી આઈ...
પ્રાણ જાય પર વચન ન જાઈ...
રઘુકુળમાં વચન પાલનનું મહત્ત્વ રાજપાટ અને પોતાના પરિવાર જ નહીં, પોતાના જીવન કરતાં પણ વધુ છે, તેવું આ ચોપાઈ સૂચવે છે.
આજના આ યુગમાં પણ વચનો અપાય છે, અને તેનું પાલન પણ થતું હોય છે, પરંતુ તેમાં બાંધછોડ પણ થતી હોય છે અને અપાયેલા વચનો પર પરિવાર, સ્વાર્થ, મોહ કે જીવનમાં સુખ-સુવિધાના પ્રલોભનો હાવી થઈ જતાં હોય છે, અને તે હવે સમગ્ર માનવજાત માટે પડકારરૂપ અને વિશ્વસનિયતા સામે ખતરારૂપ બનીને વિશ્વાસઘાતના ઉદ્દભવસ્થાનો બની રહ્યા છે, તેમ નથી લાગતું ?
અત્યારે દેશમાં ચૂંટણીની મોસમ છે અને કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઘટના હોય, તેના પર ચૂંટણીઓના પ્રચારનો પ્રભાવ પડતો જ હોય છે, અને તેમાં રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, ગીતાજી વગેરેના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે... દાયકાઓથી અયોધ્યાની રામજન્મભૂમિ પણ ચૂંટણી પ્રચારનો એક મુદ્દો હતો અને હવે ત્યાં બાલ સ્વરૂપના ભગવાન શ્રીરામના નવનિર્મિત રામ મંદિરનો ઉલ્લેખ પણ કોઈન્ને કોઈ સ્વરૂપે રાજકીય પક્ષો કરી જ રહ્યા છે ને ?
ગયા અઠવાડિયાથી વિવિધ રાજકીય પક્ષોએ ઘોષણાપત્રો પ્રસિદ્ધ કર્યા, અને તેની હવે સમીક્ષાત્મક ચર્ચાઓ પણ થઈ રહી છે. આ ઘોષણાપત્રમાં મતદારોને રાજકીય પક્ષોએ ઢગલાબંધ વાયદાઆ કર્યા છે, અથવા 'વચનો' આપ્યા છે, ત્યારે આ વચનોનું પાલન રાજા દશરથ કે પિતાના વચને ૧૪ વર્ષ માટે જંગલમાં જનાર શ્રીરામની જેમ જ રાજકીય પક્ષો કરશે ખરા ? જે પક્ષ કે ગઠબંધનને સત્તા મળશે, તે આ ઢગલાબંધ વાયદાઓ મુજબ પ્રજાલક્ષી નિર્ણયો લેશે ખરા ? આઝાદી મળી, ત્યારથી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાઓમાં કરેલા વાયદાઓ પૂરા કર્યા છે ખરા ? વચનોનું પાલન થયું છે ખરું? હવે ચૂંટણી ઢંઢેરાઓને રાજકીય જુદા જુદા નામો અપાઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો- ઉમેદવારો દ્વારા આડેધડ વાયદાઓ કર્યા પછી તેને ભૂલી જવાની કે પછી પૂરેપૂરું પાલન નહીં કરવાની કોઈ સજા કે દંડની જોગવાઈ પણ થવી જોઈએ તેમ નથી લાગતું ?
ગુજરાતમાં તો ક્ષત્રિયોની સંકલન સમિતિએ આજ (રામનવમી)થી જ બીજા તબક્કાના આંદોલનની શરૂ કરવાની જાહેરાત કરી હોવાના અહેવાલો પછી ભાજપ માટે રાજ્યમાં પ્રચારસભાઓ, રેલીઓ વગેરે કાર્યક્રમ દરમિયાન પણ રૂપાલાના વિરોધનો સામનો કરવો પડી શકે છે, તો બીજી તરફ ચૂંટણીતંત્ર સામે પણ આ નવો પડકાર હશે, કારણ કે ચૂંટણીપ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થાય, તેની જવાબદારી ચૂંટણીપંચની જ રહે છે. જો કે, ૧૯ મી સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચી શકે, તેવી મુદ્દત પણ અપાઈ છે, ત્યારે આ મુદ્દે હવે 'દિલ્હી'થી શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.
ચૂંટણીઓ તો આવે અને જાય, આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓ મુજબ તમામ પ્રકારના ભેદભાવો ભૂલી જઈને સાથે મળીને આજે રામનવમી ઉજવીએ. નોબત પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત' ની સાથે સંકળાયેલા તથા સૌકોઈને રામનવમીની શુભકામનાઓ પાઠવે છે... જય સીયારામ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

વર્ષ-ર૦ર૪ ની શરૂઆત થઈ, ત્યારે જાન્યુઆરી મહિનાથી જ લોકસભાની ચૂંટણીની આહટ સંભળાવા લાગી હતી અને તે પછી ગુજરાત સહિત દેશભરમાં એક એવી માન્યતા પ્રસરી રહી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની સમજૂતિ પણ થઈ શકશે નહીં, અને મોદી મેજીક પર રાષ્ટ્રીય કક્ષાએ તો એનડીએ બહુમતી મેળવી જ લેશે, પરંતુ ગુજરાતમાં પણ ફરીથી તમામ ર૬ બેઠકો ભાજપને મળશે, કારણ કે, વિધાનસભાની ર૦રર ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો આપી હતી.
તે પછી ગુજરાતમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ભાજપનો નવો લક્ષ્યાંક આવ્યો અને દેશમાં ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપ દ્વારા ટોપ-ટુ બોટમ માઈક્રો પ્લાનીંગ થવા લાગ્યું. તે પછી રાજય અને દેશમાં એકતરફી રાજકીય માહોલ ઊભો થઈ રહ્યો હોવાનો આભાસ પણ ઊભો થયો, તો ગુજરાતમાં કેટલીક બેઠક તો પાંચ લાખથી પણ વધુ લીડથી જીતવાના દાવા થવા લાગ્યા હતાં.
ચૂંટણીપંચે તારીખો જાહેર કરી અને ભાજપે તબક્કવાર ઉમેદવારોની જાહેરાતો શરૂ કરી, તે પછી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ ઉમેદવારો જાહેર કર્યા અને કેટલાક નેતાઓના પક્ષાંતરો પણ થયા.
ઉમેદવારોની જાહેરાત થયા પછી ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાના છૂટક-છૂટક અહેવાલો આવી રહ્યાં હતાં, પરંતુ પ્રારંભમાં કોઈએ ગંભીરતાથી લીધા નહીં, અને શિસ્તપાલનના નામે આ પ્રકારની આંતરિક ગડમથલોને છાવરી લેવામાં આવી.
તે પછી કેટલાક નેતાઓએ હિંમતપૂર્વક પોતાના અભિપ્રાયો સોશ્યલ મીડિયાના માધ્યમથી કે અન્ય પ્લેટફોર્મ પરથી વ્યક્ત કરવાનું શરૂ કર્યુ, તો કેટલાક નારાજ નેતાઓએ પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ભાજપમાં ભરતી મેળો જામ્યો હોય, તેમ વિપક્ષના ઘણાં નેતાઓને ભાજપમાં સમાવાયા, અને તે પછી કેટલાક લોકોને વર્ષો જૂના કાર્યકર્તાઓ અને નેતાઓ કરતાં યે વધુ મહત્ત્વ મળ્યુ, તેથી પાર્ટીમાં ગુપચૂપ નારાજગી વધી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી.
કેટલાક પક્ષાંતર કરીને આવેલા નેતાઓને ભાજપે વર્તમાન ચૂંટણી-પેટા ચૂંટણીઓ માટે મહત્ત્વ આપ્યુ, તો કેટલાક નેતાઓને ટિકિટ ફાળવી. ભાજપમાં પણ સિનિયર નેતાઓની અવગણના કરીને જુનિયરોને ટિકિટો ફાળવી દેવાઈ હોવાની બૂમ ઉઠી, પરંતુ આ બધી જ નારાજગી શિસ્તબદ્ધ પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે સમાપ્ત થઈ ગઈ અથવા તો દબાઈ ગઈ.
આ દરમિયાન રૂપાલા પ્રકરણે એક તરફી જણાતી ગુજરાતની ચૂંટણીઓને રસાકસીભરી બનાવી દીધી. ક્ષત્રિયોની એકજૂથતા અને રતનપુરના રણટંકાર પછી એવી સ્થિતિ ઊભી થઈ ગઈ કે હવે શું થશે...? તેવા સવાલોના જવાબ આજની તારીખે તો કોઈ પાસે નથી.
અત્યારે ચોતરફ ચર્ચાઈ રહેલા રૂપાલા પ્રકરણ ઉપરાંત ભાજપની અડધા ડઝનથી વધુ લોકસભાની બેઠકો પર ભાજપના જ નેતાઓ - કાર્યકરોનો છુપો અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે. વડોદરાથી અસંતોષ અને નારાજગી પ્રગટ થવાની શરૂઆત થઈ, જે હવે સાત-આઠ લોકસભાની બેઠકો સુધી વિસ્તરી હોવાની વાતો વહેતી થઈ છે. ક્યાંક નેતાઓની અંગત વ્યક્તિએ જ પોલ ખોલી હોવાનું કહેવાય છે, તો કેટલાક વીડિયો, સીડી એન ઓડિયો ક્લીપો ફરતી થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને તેમાં તથ્ય હોય તો તે ભાજપ માટે પડકારરૂપ છે. અત્યારે કચ્છ, અમરેલી, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા વિગેરે બેઠકો પર ભાજપમાં પ્રગટેલો અસંતોષનો ચરૂ ઠારવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાનું કહેવાય છે, અને પોરબંદર, જુનાગઢ સુધી અસંતોષની આ કથિત આગ ફેલાઈ હોવાનું કહેવાય છે, જેને વિપક્ષ તો પ્રોપાગન્ડા પણ ગણાવી રહ્યો છે.
જો કે, કોંગ્રેસમાં પણ બધું બરાબર તો નથી જ, કોંગ્રેસમાં પણ ઉમેદવારો જાહેર થયા પછી કેટલાક સ્થળેથી નારાજગી અને વિદ્રોહની આશંકાઓ ઉઠવા પામી હોવાનું ચર્ચાય છે, પરંતુ જંગી લીડથી તમામ બેઠકો જીતવાનો અભરખો લઈને ચાલી રહેલા ભાજપના નેતાઓ સામે નવા પડકારો તો ઊભા થયા જ છે ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial

ગઈકાલે ભારતીય જનતા પક્ષે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો જેને 'મોદી કી ગેરંટી-સંકલ્પપત્ર' તરીકે ઓળખાવાઈ રહ્યો છે તે પહેલા કોંગ્રેસે ન્યાયપત્રના નામે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો. એવી જ રીતે જુદા જુદા રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરાના જુદા જુદા નામકરણ કર્યા છે. ભાજપના ચૂંટણી ઢંઢેરા સાથે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાની સરખામણી થઈ રહી છે અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નવી ગેરંટીઓ કરતાં યે વધુ વર્તમાન યોજનાઓના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ પર ભાર મૂકયો છે તેવા તારણો સાથે ૭૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને પણ આયુષ્માન ભારત કાર્ડની યોજના હેઠળ આવરી લેવાની કરાયેલી જાહેરાતની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
લગભગ અઠવાડિયા દસ દિ' પહેલા કોંગ્રેસે જાહેર કરેલા ન્યાયપત્ર નામક ચૂંટણી ઢંઢેરામાં દસ પ્રકારની ગેરંટી અપાઈ હતી. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તીગણત્રી, એમએસપી, દેવામાફી, નવી નોકરીઓ, મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાયના ઢગલાબંધ વાયદા તેમના ઘોષણાપત્રમાં કર્યા હતાં.
સમાજવાદી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું નામ 'જનતાનું માંગપત્ર, અમારો અધિકાર' રાખ્યું છે. સપાએ પણ જાતિ આધારિત જનગણના, ઓપીએસ એમ.એસ.પી., દેવામાફી, કિસાન આયોગ, આરક્ષણ, ઘઉંનો લોટનું વિતરણ, સ્વાસ્થ્યની ગેરંટી અને વર્ષ-ર૦ર૯ સુધીમાં ગરીબી નાબૂદીના વાયદા કર્યા છે.
ગઈકાલે ભારતીય જનતાપક્ષે જાહેર કરેલા ઘોષણાપત્રમાં સમાન સિવિલ કોર્ડ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રૂ. પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર, ગરીબો માટે ત્રણ કરોડ ઘર, ગરીબોને વર્ષ-ર૦ર૯ સુધી મફત અનાજ, વન નેશન વન ઈલેકશન, એમ.એસ.પી., વૃદ્ધિ, કિસાન સમ્માનનિધિ, મુદ્રા યોજનાની મર્યાદામાં વધારો, પેપરલીક સામે કડક કાનૂન, સી.એ.એ. નો અમલ અને બુલેટ ટ્રેનનું સમગ્ર દેશમાં નેટવર્ક વધારવા ઉપરાંત હાલની તમામ યોજનાઓ સુધારા-વધારા સાથે ચાલુ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. તે ઉપરાંત પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ ફ્રી વીજળીનો વાયદો કરાયો છે. આ ઘોષણાપત્રના એક ભાગમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાકીય સિદ્ધિઓ વર્ણવાઈ છે.
આ ઘોષણાપત્રમાં નારી સશક્તિકરણ, ગરીબોની યોજનાઓ, કિસાનો માટેની જાહેરાતો, સિનિયર સિટીઝનો માટેની જાહેરાતો તથા મિડલકલાસ, શ્રમિકો, ઉપરાંત દિવ્યાંગો, માછીમારો, ટ્રાન્સજેન્ડરો, દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના રોડ-મેપ તથા કેટલીક વિદેશી નીતિને લગતી ઘોષણાઓ પણ થઈ છે.
ભાજપના ઘોષણાપત્રની તત્કાળ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટીકા કરી કે આ ઘોષણાપત્રમાં મોંઘવારી અને બેરોજગારી જેવા શબ્દો ભૂલાઈ ગયા લાગે છે. પહેલા જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તે પછી ભાજપે પણ તેને જુઠાણાનું પોટલું ગણાવ્યું હતું, અને વડાપ્રધાને પણ ચૂંટણી સભાઓમાં શાબ્દિક પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રપ ગેરંટી આપી હતી, તો ભાજપે ર૪ ગેરંટીઓ આપી છે. કોંગ્રેસે યુવાનો, મહિલાઓ, શ્રમિકો, આર્થિક વગેરેને આવરી લીધા હતા, અને સંવિધાનની રક્ષા તથા ન્યાયની ગેરંટી અપાઈ હતી.
એક તરફ ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આર.જે.ડી. સહિતના રાજકીય પક્ષોએ જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાઓની વિસ્તૃત ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ચૂંટણી ઢંઢેરાઓની જાહેરાતો મુજબ આગામી શાસનગાળા દરમિયાન અમલવારી ન થાય, તો શાસનકર્તા પક્ષ કે ગઠબંધન સામે ચૂંટણીપંચ દ્વારા તે પછીની ચૂંટણી માટે આંશિક પ્રતિબંધ કે પછી કોઈ દંડાત્મક કાર્યવાહી જેવી સજા થઈ શકે કે કેમ ? તેવી પ્રશ્નાવલી સાથેની ચર્ચા ફરી એક વખત શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાજપના ઘોષણાપત્ર કરતાં યે વધુ ચર્ચા રતનપુરમાં યોજાયેલા ક્ષત્રિઓના સંમેલનમાં સમગ્ર રાજ્ય ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા અને જંગી મેદની એકઠી થઈ, અને જે તેજાબી ભાષણો થયા તેની જ ચર્ચા સર્વાધિક થઈ રહી છે.
આ સંમેલનમાં ૧૯ મી એપ્રિલ સુધીનું તમામ એલ્ટિમેટમ અપાયુ અને તે પછી ગુજરાતની તમામ ર૬ બેઠકો પર ભાજપને હરાવવાના અભિગમનો સંકેત આપ્યો, તે પછી એવો સવાલ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ? રૂપાલા સ્વયં હટીને ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મુકાતુ અટકાવશે કે પછી અમરેલીના જ બે દિગ્ગજ રાજનેતાઓ વચ્ચે રાજકોટ બેઠક પરથી જંગ ખેલાશે ? કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને મનાવીને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે જો રૂપાલા હટી જાય કે હારી જાય, તો ધાનાણીને તો બગાસુ ખાતા મોઢામાં પતાસું આવી જશે, તેમ કહી શકાય ખરું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હાલારમાં ઘણી જગ્યાએ માર્ગો, પુલ, ઓવરબ્રીજ, પાણી પુરવઠો, વીજકંપની, ભૂગર્ભગટર વગેરેના કામો ચાલી રહ્યા છે અને જામનગર શહેરમાં તો વિવિધ પ્રકારના વિકાસના કામોને લઈને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવાના કે પછી ચોક્કસ સમય માટે કેટલાક માર્ગો બંધ પણ કરવા પડી રહ્યા છે, અને તેના સંદર્ભે જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, આ પ્રકારના કામો ઝડપભેર સંપન્ન થાય અને લોકો તે નવી સુવિધાઓની સાથે સાથે અત્યારની સ્થિતિ કારણે ઊભી થતી પરેશાનીઓમાંથી છુટકારો મેળવે તેવા પ્રત્યાઘાતો પણ સંભળાવા લાગ્યા છે.
આ વિવિધ પ્રકારના મેગા પ્રોજેકટોથી લઈને શેરી-ગલીઓ સુધીની માળખાકીય સુવિધાઓ માટે ઠેર-ઠેર ખોદકામો કરવા પડી રહ્યા છે અને આ ખોદકામોની સાઈડ ઈફેકટ સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપે તો પરિવહન, અવર-જવરમાં અવરોધ અને કામો પૂરા થયા પછી પૂર્વવત સ્થિતિમાં વ્યવસ્થાઓ અને માર્ગોને લાવવામાં બેદરકારીમાં વિલંબ જેવી હાલાકી લોકોને સ્વાભાવિક રીતે જ ભોગવવી જ પડતી હોય છે, પરંતુ આ ઉપરાંત ખોદકામના કારણે કે અન્ય કોઈ કારણે જ્યારે પ્રવર્તમાન ગેસ, પાણીની પાઈપલાઈનો તૂટી જાય, લીકેજ થાય કે ભૂગર્ભ ગટર જેવી જ ઊભી થતી હાલાકીના કારણો પણ છે. નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.
જો પાણીની પાઈપલાઈન કે કોઈના ઘરનું કનેકશન આ ખોદકામોના કારણે કે તે માટે વપરાતા વાહનોની ઠોકર, ઘરોની તદ્દન નજીક સુધી ટ્રેકટર-ટોલી જેવા વાહનો લઈ જવાના કારણે વ્હીલ ખૂંચી જતા કનેકશનો તૂટી જતા કે પછી ભૂગર્ભ પાઈપલાઈનો તૂટવાના કારણે ચોક્કસ વિસ્તારમાં જતો પાણી પુરવઠો કે ગેસ પુરવઠો ખોરવાઈ જતા અથવા ગટરો છલકાતા જે સ્થિતિ ઊભી થાય છે, તેની પરવાહ કદાચ આ પ્રકારના કામોનો ઈજારો લેતા કોન્ટ્રાકટરો કે તેના માણસોને નથી હોતી. આ કારણે મહાનગરપાલિકા કે અન્ય સંબંધિત સરકારી તંત્રોએ પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી રીતે કામો કરવા માટે કોન્ટ્રાકટરો-કે સંબંધિત વિભાગના ક્ષેત્રિય અધિકારી-કર્મચારીઓને કડક નિયંત્રણમાં રાખવાની સુરક્ષાઓ આપવી જોઈએ, તેમ નથી લાગતું ?
જો કે, પાણી પુરવઠો કે ગેસનો પુરવઠો ખોરવાઈ જાય, તે પ્રકારની ક્ષતિ ઊભી થાય કે ફોલ્ટ સર્જાય તો સંબંધિત તંત્રો કે કંપની તરફથી તત્કાળ કાર્યવાહી કરીને પુરવઠો તો મોટાભાગે ઝડપથી પૂર્વવત કરી દેવાતો હોય છે, પરંતુ આ પ્રકારની ક્ષતિઓ વારંવાર ન સર્જાય, તે માટે અનુભવો અને સૂચનો, ફરિયાદો આધારિત સુધારા-વધારા સાથે આગમચેતીના તમામ કદમ ઉઠાવીને તમામ વ્યવસ્થાઓ તથા માળખાકીય સુવિધાઓને વધુ ફૂલપ્રૂફ અને ગુણવત્તાયુવક કરવી જોઈએ તેમ નથી લાગતુ ? સમસ્યા ઊભી થાય પછી થીગડા મારવા દોડવા કરતા પાણી પહેલા મજબૂત પાળ બાંધવી એ વધુ શાણપણ ભર્યું ન ગણાય ?
અત્યારે શહેરમાં ચાલી રહેલા કામો માટે ઘણાં રહેણાંક વિસ્તારોમાં ઘણી વખત અચાનક પહોંચીને લોકોના ઉંબરા, ઓટલા અને ઘરઆંગણે ઉછરેલા નાના-મોટા વૃક્ષો વગેરેને જાળવવા માટે ખર્ચા કરીને સ્વખર્ચે લોખંડની નેટ નંખાવી હોય તેની ઓચિંતી તોડફોડ કરવાના બદલે આ પ્રકારનું કામ હાથ ધરવાનું હોય તેના એકાદ-બે દિવસ પહેલા તે વિસ્તારમાં માઈક ફેરવીને અને સાથે સાથે નોટીસ બોર્ડ મૂકીને લોકોને જાણ કરી દેવામાં આવે, તો નગરજનો પોતે જ સ્વખર્ચે ઊભી કરેલી સુવિધાઓને અને વસ્તુઓને પોતાની રીતે ત્યાંથી હટાવીને સાચવી શકે, તે પ્રકારના જનસૂચનો પણ ધ્યાને લેવા અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
આ પ્રકારના કોન્ટ્રાકટ આપતી વખતે જે શરતો ટેન્ડર મંજુર કરતી વખતે રાખવામાં આવતી હોય, તેની પૂરેપૂરી અમલવારી કરાવાય, અને તેમાં આ પ્રકારની નવી શરતો પણ જરૂર પડ્યે ઉમેરીને પબ્લિકને ઓછામાં ઓછી પરેશાની થાય, તેવા કદમ ઉઠાવવા જરૂરી છે ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકસભાની ચૂંટણીની વિધિવત પડઘમ વાગ્યા છે અને નોટિફિકેશન મુજબ આજથી રાજ્યમાં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત સાથે જ જેને ટિકિટ મળી છે, તે ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ધીમે ધીમે વિધિવત રીતે ફોર્મ ભરીને ચૂંટણીજંગમાં ઝંપલાવશે. તા. ૧૯ મી સુધી ફોર્મ ભરાયા અને તે પછી તેની ચકાસણી થયા પછી પણ જે ઉમેદવારોનું મન બદલી જાય, કે ગોઠવણ થઈ જાય, તો તેઓ ફોર્મ ખેંચે, તે પછી તા. રર મી એપ્રિલની સાંજે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ઘણી વખત તો ઉમેદવારીપત્રો પરત ખેંચાઈ જાય, તે પછી પણ ઘણાં ઉમેદવારોનો 'અંતરાતમા' અચાનક જાગી ઉઠે અને પોતે મેદાનમાં નથી, તેવો પ્રચાર કરવા લાગે છે. જો કે, મતપત્રકમાં તો તેનું નામ પડી જ જાય છે, પરંતુ તે પછી ભાગ્યે જ કોઈ તેને મત આપતું હશે. આઝાદી પછી સતત આ પ્રકારની ભ્રમિત કરવાની પ્રવૃત્તિ થતી જ રહી છે, તેના પર પણ ચૂંટણી પંચની બાજ નજર રહેતી જ હશે ને ?
આજથી ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે, તેમાં ગુજરાતની તમામ ર૬ બેઠકોનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ૭ મી મે ના દિવસે મતદાન થવાનું છે, ત્યારે ૧૯ એપ્રિલ પછી તમામ રાજકીય પક્ષોના ઉચ્ચ સ્ટાર પ્રચારકોના પ્રયાસો ગુજરાતમાં વધુ થવાના છે.
ગુજરાતમાં ઉમેદવારીપત્રો ભરાઈ જાય, અને રર એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી હાલાર સહિત સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ થઈ જશે અને ૮ મી મે પછી ત્રીજી જૂન સુધી ગુજરાતમાં પ્રચાર-પડઘમ શાંત થઈ જશે અને ઉમેદવારો ઉચાટ વચ્ચે એ દરમિયાન આરામ ફરમાવશે, રાજકીય પક્ષોના ઉચ્ચ નેતાઓ તથા કેટલાક ઉમેદવારો પણ બાકી રહેલા તબક્કાઓ દરમિયાન અન્ય રાજ્યોમાં પોતાના પક્ષ કે પછી કોઈ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા જશે. ટૂંકમાં આજથી પહેલી જૂને છેલ્લો તબક્કો પૂરો થતા સુધી દેશનો માહોલ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના કારણે ગરમાગરમ રહેશે. આ દરમિયાન જ આ વખતે બોર્ડની પરીક્ષાઓના પરિણામો પણ વહેલા આવવાના હોવાથી તે પછી ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન વગેરેની હડિયાપટ્ટી પણ શરૂ થવાની છે.
એ સમયની બલિહારી જ કહેવાયને કે થોડા વર્ષો પહેલા ચૂંટણીમાં ભાજપને હરાવવા મેદાને પડેલા હાર્દિક પટેલ હવે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા, ત્યારે તેને રૂપાલા વિરોધી આંદોલન કરનારા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આ પ્રકારની ભાજપના નેતાઓની ઘેરાબંધી વખતે તેને પોતાના આંદોલનકાળની સ્મૃતિઓ પણ તાજી થઈ જ ગઈ હશે ને?
જુદા જુદા આંદોલનોમાંથી ઉભરેલા ઘણાં યુવાનો સહિતના નેતાઓ આજે જુદા જુદા પક્ષમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના યુવા નેતાઓ ભાજપમાં છે, તો કન્હૈયાકુમાર કોંગ્રેસમાં છે. અન્ના આંદોલનમાંથી ઉભેરલા કિરણ બેદી, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ કુમાર વિશ્વાસ જેવા નેતાઓ હાંસ્યિામાં ધકેલાઈ ગયા છે, જ્યારે કેજરીવાલ, સિસોદીયા વગેરે ભ્રષ્ટાચારના કથિત આરોપો હેઠળ જેલમાં છે !
આ વખતે પ્રારંભથી જ લોકસભાની ચૂંટણીનો કાંઈક અલગ જ રંગ દેખાઈ રહ્યો છે, અને કેટલીક રમુજ ઉપજે તેવી ઘટનાઓ પણ રાજકીય પ્રચારનું કેન્દ્ર બની રહી છે. બિહારમાં તો લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતીએ કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેલમાં પૂરી દેવાની ચીમકીની ચર્ચા થઈ રહી છે, તો દીકરા તેજસ્વી યાદવે માછલી અને પછી સંતરુ ખાતા હોવાનો વીડિયો વાયરલ થયા પછી ભાજપ અને નિતીશ કુમારને વળતો જવાબ આપ્યો, તેની ચર્ચામાંથી જ બિહાર ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ પ્રગટ્યો!
હજુ તો પ્રથમ તબક્કાનું મતદાન થયું નથી, ત્યાં જ આ પ્રકારનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી સમાપ્ત થતા સુધીમાં હજુ ઘણું બધું અવનવું બોલાશે અને ઘણાં ખેલ થશે આ દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં થઈને તૃણમૃલ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્નસિંહાએ કહ્યું કે એનડીએ પરાજયના ભયથી ગભરાય છે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

માનવ શરીરમાં સૌથી કોમળ 'જીભ' એટલી તાકાતવાળી છે કે તે શરીરની ઈમ્યુનિટી વધારી પણ શકે છે, અને બગાડી પણ શકે છે. જીભના કારણે જ માનવીને સ્વાદની પરખ થાય છે. જીભ મારફતે ઉચ્ચારાતા શબ્દો પણ માનવીની જિંદગી સુધારી પણ શકે છે, અને બરબાદ પણ કરી શકે છે, ગમે તેટલી જીંદાદિલી, ઉદાર અને પ્રામાણિક વ્યક્તિ હોય, પરંતુ તેની જીભ કડવી હોય અને હંમેશા કોઈને ન ગમે તેવા શબ્દો જ ઉચ્ચારતા હોય, તો તે કોઈને ન ગમે અને ઘણાં ચતુર લોકો મીઠું મીઠું બોલીને ધાર્યંુ કામ કઢાવી શકતા હોય છે. કારણ કે તેઓની 'જીભ' મીઠી હોય છે !
ઘણાં મોટા માણસો, નેતાઓ અને સેલિબ્રિટિઝની જીભ પણ ઘણી વખત લપસી જતી હોય છે, ત્યારે ઘણી વખત લોકો પોતાની 'જીભ'નો પણ દુરૂપયોગ કરીને જુઠાણાં ચલાવતા હોય છે, ઘણી વખત જીભ લપસી જાય, ત્યારે તેના કેવા પરિણામો આવતા હોય છે, તેના ઘણાં દૃષ્ટાંતો દરેક ક્ષેત્રમાં મળતા હોય છે, પરંતુ હમણાંથી રૂપાલા પ્રકરણ વાણી વિલાસના દુષ્પરિણામોનું સૌથી તાજું દૃષ્ટાંત 'ટોક ઓફ ધ સ્ટેટ' માંથી હવે 'ટોક ઓફ ધ નેશન' બની રહ્યું છે.
સામાન્ય રીતે રૂડુ અને મોજ કરાવે તેવું બોલતા વ્યક્તિની પણ અનાયાસે જીભ લપસી જાય, તો તેના ગંભીર પરિણામો આવતા હોય, તેના અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ છે અત્યારે જેલ ભોગવી રહેલા અરવિંદ કેજરીવાલે પણ કેટલાક બદનક્ષીના કેસોમાં અદાલતોમાં જઈને જાહેરમાં માફીઓ માંગવી પડી હતી, આવું અન્ય પણ ઘણાં રાજનેતાઓ તથા સેલિબ્રિટીઝ સાથે પણ થયું છે જે સર્વવિદિત છે.
જેવી રીતે જુદા જુદા સ્વાદ માણવા જતા બીમાર પડી જવાય અને 'સ્વાદ'નો ચટાકો ચડે અને કાયમી ધોરણે આહારમાં કાળજી ન રખાય તો ગંભીર પ્રકારના રોગ થઈ જાય, તેવી જ રીતે જો 'જીભ' લપસી જાય કે બેકાબૂ બની જાય તો ઘણી વખત બધાના અણમાનીતા થઈ જવાય, પ્રશ્ચાતાપ પણ સ્વીકૃત ન થાય, વારંવાર માંગવા છતાં માફી ન મળે અને ઘણી વખત તો મોટી તકરારો પણ થઈ જાય. મહાભારતની કથા મુજબ દુર્યોધનને કટાક્ષ કરતી વખતે દ્વૌપદીની જીભ લપસી ન હોત, તો કદાચ આ મહાયુદ્ધની બુનિયાદ જ રચાઈ ન હોત, ખરું ને ?
વર્ષ-ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં યોગાનો પ્રચાર-પ્રસાર કરીને ખ્યાતનામ બનેલા બાબા રામદેવ પણ આજકાલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, અને તેઓને પણ સુપ્રિમ કોર્ટની કોઈ કેસમાં માફી માંગવી પડી છે, તે બધા જાણે છે. કોરોના સમયે પતંજલિની કોઈ દવાઓની જાહેર ખબરોને સંબંધિત કેસના ગુણદોષમાં આપણે પડવું નથી, પરંતુ પતંજલિ સામે સુપ્રિમ કોર્ટે અપનાવેલું કડક વલણ પોતાના પ્રોડકટ વેંચાણ માટે મોટી મોટી અને ખોટેખોટી જાહેરાતો કરતી અન્ય કંપનીઓ માટે પણ બંધનકર્તા બનવાનું છે. એવું કહેવાય છે કે સર્વોચ્ચ અદાલતે મોટી મોટી જાહેરાતો અને પબ્લિસિટી કરીને માત્ર દવાઓ જ નહીં, પરંતુ અન્ય ખાવાપીવાના પ્રોડકટ્સ વેચતી એફએમસીજી કંપનીઓ એટલે કે ફાસ્ટ મૂવીંગ કન્ઝયુમર ગુડ્ઝ વેચતી તમામ કંપનીઓ-પેઢીઓ સામે પણ આ પ્રકારની જ કાનૂની કાર્યવાહીના સંકેતો પણ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે પતંજલિ દ્વારા કોરોનાની સારવારની જાહેરાતોના કેસમાં ઉત્તરાખંડ સરકારને પણ ફટકાર લગાવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા પતંજલિ પ્રોડકટ્સ અંગે થતી પબ્લિસિટી સામે વાંધો લેવાયો હોય તો તેનો અર્થ એવો નથી કે આઈએમએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનું વિરોધી છે. હકીકતે આઈએમએ માત્ર એલોપેથી નહીં, પરંતુ અન્ય ચિકિત્સા પદ્ધતિનું પણ સન્માન કરે છે તેવા પ્રકારનો દાવો થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જેવી રીતે પતંજલિ દ્વારા થતી તેની કેટલાક પ્રોડકટ્સની પબ્લિસિટી સામે વિરોધ કરનારા અને કોર્ટમાં જનારા લોકો અથવા સંગઠનો હવે એફએમસીજી કંપની સામે પણ એટલી જ તીવ્રતાથી કદમ ઉઠાવે છે. કે નહીં, અને સરકારી તંત્રો આ મુદ્દે જાગૃત બને છે કે નહી.... કારણ કે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોના આરોગ્ય તથા જીવનની સુરક્ષા સાથે ખીલવાડ થતો હોય તો કોઈપણ ગેરમાર્ગે દોરતી વ્યક્તિ કે કંપની સામે પતંજલિ ફેઈમ કડક વલણ નહીં અપનાવાય, તો તેના અર્થઘટનો અને આશંકાઓ ઘણાંના પગતળે રેલો પણ લાવી શકે છે. કેટલાક ઔષધો, પ્રોડકટ્સ અને ખાવા-પીવાની ચીજોથી બાળકોની લંબાઈ વધી જાય, બાળકો તંદુરસ્ત અને શક્તિશાળી બની જાય, ગંભીર બીમારીઓ મટી જાય, અમુક પ્રકારના પદાર્થો રસોઈમાં વાપરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય, તેવા પ્રચારની વાસ્તવિકતા પણ તપાસવી જરૂરી જ ગણાયને ? સંબંધિત તંત્રો શું કરે છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશભરમાં ચૂંટણીપ્રચારનો માહોલ છે, અને તમામ રજકીય પક્ષો વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉમેદવારો, નેતાઓ, સ્ટાર પ્રચારકો અને કાર્યકર્તાઓ દ્વારા રેલીઓ, રોડ-શો, જૂથ ચર્ચાઓ, ઘેર-ઘેર સંપર્ક, મેરેથોન મિટિંગો, બાઈક રેલીઓ, જાહેરસભાઓ ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ, સોશ્યલ મીડિયા દ્વારા વીડિયો, ઓડિયો, અને મેસેજીસ દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો અને ટ્રેડિશ્નલ મીડિયા, લોક-કલાકારો, અભિનેતાઓ-અભિનેત્રીઓ, ભજનિકો, સંગીતકારો, ચિત્રકારો તથા વિવિધ ક્ષેત્રના મહારથીઓને સાંકળીને દિવસ-રાત ધૂંઆધાર પ્રચાર થઈ રહ્યો છે. આ માહોલમાં કેટલાક સ્થળે ઘર્ષણ, સંઘર્ષ કે તકરારો જ્યારે હિંસક બને છે, ત્યારે સુરક્ષાકર્મીઓની કસોટી થાય છે, અને લોકતંત્રને કલંક પણ લાગે છે.
ચૂંટણીનો પ્રચાર થતો હોય, ત્યારે ઉમંગ હોય, ઉત્સાહ હોય, તંત્રોની મંજુરીઓ મેળવીને વિવિધ કાર્યક્રમો યોજાતા હોય. ત્યારે રોજીંદા માહોલમાં પરિવર્તન દેખાય, એ સ્વાભાવિક છે. થોડો-ઘણો કોલાહલ થાય, લોકોની અવર-જવર વધે, કેટલીક રોજીંદી પ્રક્રિયાઓેને ખલેંલ પહોંચે અને જાહેર વ્યવસ્થાઓ, પરિવહન, સામાન્ય સેવાઓમાં પણ થોડી-ઘણી અડચણો દેખાય, તેને લોકતંત્રના આ મહોત્સવનો હિસ્સો ગણીને આપણે અવગણીને ચૂંટણીઓના માહોલમાં ઓતપ્રોત થઈ જતાં હોઈએ છીએ, અને તે પ્રશંસનિય પણ છે. આપણા ઘરે કોઈ મંગલ પ્રસંગ હોય, ગામમાં કોઈ મોટો ઉત્સવ ઉજવાતો હોય કે તહેવારો હોય, ત્યારે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે, તેને આપણે ખૂબ જ સહજ રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ, તેવી જ રીતે આ મહાપર્વમાં પણ રોજીંદા જીવનમાં થોડી તકલીફ પડે, તો ચલાવી લેવું જ પડે. આ આઝાદ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકની પવિત્ર ફરજ પણ છે, ખરું ને?
જો કે, આપણે જવાબદાર નાગરિક તરીકે વખતોવખત તંત્રો તરફથી અપાતી ગાઈડલાઈન્સ, સૂચનો અને સલાહોને લક્ષ્યમાં પણ લેવી જ જોઈએ, એટલું જ નહીં, પ્રચાર-પ્રસારના આ કાર્યક્રમો દરમિયાન સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન પણ રાખવું જ જોઈએ, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપાલન થાય, દર્દીઓ, બુઝુર્ગો, રાહદારીઓને પરેશાની ન થાય, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વાચનમાં ખલેલ ન પહોંચે તેથી પૂરેપૂરી કાળજી પણ ઉમેદવારો,નેતાઓ, કાર્યકરો, સ્ટાર પ્રચારકો અને વિવિધ કાર્યક્રમોના આયોજકો-ઈવેન્ટ મેનેજરોએ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ? આ અંગે ચૂંટણી તંત્રે પણ કડક વલણ કાયમ રાખવું જોઈએ, તેમ નથી લાગતું ?
ચૂંટણી પ્રચાર દરમિયાન નારેબાજી થાય, સુત્રોચ્ચાર થાય, પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફત લોકોને ઉદ્દેશીને એનાઉન્સીંગ થાય, રોડ-શો દરમિયાન ગીત-સંગીત, નાચ-ગાન વગેરે થાય, એ સ્વાભાવિક છે, પરંતુ એ બાબતની કાળજી લેવી જ જોઈએ, કે આ પ્રવૃત્તિઓ જન-સામાન્ય માટે અસહ્ય ઘોંઘાટ ન બને.
ખાસ કરીને રાજકીય પક્ષો-ઉમેદવારો-કાર્યકર્તાઓએ ભરબપોરે કે મોડી રાત્રે લોકોના રોજીંદા જીવનને અસર ન થાય, અને વિદ્યાર્થીઓને વાચન-અભ્યાસમાં ડિસ્ટર્બ ન થાય, તે માટે વિશેષ જાગૃત રહેવાની જરૂર હોય છે, ખરું ને ?
ચૂંટણીતંત્ર દ્વારા વખતોવખત જે કોઈ આદેશો થાય, જાહેરનામા પ્રસિદ્ધ થાય કે સૂચનાઓ-માર્ગદર્શિકાઓ અપાય, તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે, અન્યથા એ કવાયતનો કોઈ મતલબ જ રહેતો નથી. સાચી વાત છે ને ? કારણ કે તંત્રો મોટા ભાગે કાગળ પર જ દોડતા હોય છે.
પ્રચાર કાર્ય માટે રેલીઓ કે રોડ-શો યોજાય, ત્યારે ધ્વનિ નિયંત્રણ, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટેની સાવચેતી, છાંયડો, પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે તમામ નિયમ-કાનૂનોનું પાલન થવું પણ એટલું જ જરૂરી છે, દૃષ્ટાંત તરીકે રોડ-શો, બાઈક રેલીઓ, પ્રદર્શનો, સરઘસો વગેરે યોજાય, ત્યારે ટ્રાફિકના નિયમો વિસરાય ન જાય, અને સામાન્ય લોકોની પરેશાની વધી ન જાય, તેનું પણ ધ્યાન રાખવું જ પડે ને ?
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં અવિવેક ન થઈ જાય, ન બોલવાનું બોલાઈ ન જાય અને જીભ લપસી ન જાય, તેનું દૃષ્ટાંત તો આપણી સામે જ છે ને ?
ચૂંટણી પ્રચાર દરમિયાન એ યાદ રાખવું જરૂરી છે કે લોકતંત્રમાં 'કોમન મેન' ટોચ ઉપર હોય છે અને વીઆઈપી કે વીવીઆઈપીની સરભરા-સુવિધા દરમિયાન સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી ન જોઈએ. ભલે ચૂંટાયા પછી નેતાઓ વીઆઈપી ટ્રિટમેન્ટ મેળવે અને મોજ કરે, પરંતુ ચૂંટણી ટાણે તો મતદાતા જ સર્વોચ્ચ વીવીઆઈપી હોય છે, તે ભૂલવું ન જોઈએ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદી દરરોજની ત્રણ-ચાર રેલીઓ, એકાદ-બે રોડ-શો તથા સંલગ્ન પ્રચારાત્મક કાર્યક્રમો માટે દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે, તો હવે રાહુલ ગાંધીએ પણ રફ્તાર પકડી છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ચૂંટણીસભાઓ ગગન ગજવી રહી છે, તેવી જ રીતે એનડીએ, ઈન્ડિયા ગઠબંધનો તથા અન્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વિવિધ રાજ્યોમાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ અલગ જ અંદાજથી ચૂંટણી ઝુંબેશ ચલાવી રહી છે.
આ ચૂંટણી પ્રચારની સાથે સાથે મીડિયા-અખબારો અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમાજના વિવિધ વર્ગો, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો જ નહીં, પરંતુ સ્ટુડન્ટ્સ, યુવાવર્ગ, મહિલાઓ તથા બુદ્ધિજીવી વર્ગો અને નોકરિયાતોથી લઈને સ્ટ્રીટ થેન્ક્સ, લેબર્સ સુધીના વર્ગોમાં પણ જબરદસ્ત ચર્ચાઓ, કોમેન્ટો અને સંવાદ-વિવાદો પણ થઈ રહ્યા છે.
દેશમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને લોકોની વિવિધ સ્થાનિક સમસ્યાઓના કારણે જે જમીની હકીકતો છે, તેની ચર્ચા થઈ રહી છે, તો એનડીએના સ્ટાર પ્રચારકો અને પ્રવક્તાઓ છેલ્લા દસ વર્ષમાં દેશની પ્રગતિ, ભાજપે કરેલા વાયદાઓ અને એનડીએ સરકાર દ્વારા તેની પૂર્તતા, અયોધ્યામાં રામમંદિર, સર્જિકલ અને એરસ્ટ્રાઈક અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે, તો વિપક્ષો મોદી સરકારને તદ્ન નિષ્કામ ગણાવીને તાનાશાહી, એજન્સીઓના દુરૂપયોગ તથા ભાજપના પ્રોપાગન્ડાથી દેશની વાસ્તવિક સ્થિતિ ભિન્ન હોવાના દાવા સાથે એનડીએ પર પ્રહારો કરી રહ્યા છે.
વડાપ્રધાન ચૂંટણીસભાઓમાં ઘણીબધી વાતો કરે છે, તેમાં ગરીબી હટાવવાની વાત ભારપૂર્વક કરે છે. વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે કે દેશમાંથી જ્યાં સુધી ગરીબી દૂર નહીં કરી દઉં, ત્યાં સુધી ઝંપીશ નહીં, વગેરે...
દાયકાઓ પહેલા કોંગ્રેસના શાસન દરમિયાન ઈન્દિરા ગાંધીએ પણ 'ગરીબી હટાવો'નો નારો આપ્યો હતો અને તેને મુદ્દો બનાવીને કેટલીક ચૂંટણીઓ પણ જીતી હતી. તે સમયે પણ ગરીબલક્ષી યોજનાઓ અમલી બની હતી અને ક્રમશઃ ગરીબી ઘટી રહી હોવાના દાવા પણ થયા હતાં, પરંતુ ગરીબી તો જાણે અમરપટ્ટો લગાવીને આવી હોય તેમ મોજુદ જ રહી હતી.
અત્યારે પણ ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા સાથે જણાવાઈ રહ્યું છે કે, છેલ્લા દાયકા દરમિયાન લગભગ ર૦ થી રપ કરોડ ગરીબો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ આંકડાઓની માયાજાળને કેન્દ્રમાં રાખીને પણ રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે.
તટસ્થ વિશ્લેષકો, રાજકીય પંડિતો, વિચારકો અને વિવેચકો દ્વારા એવું એક સર્વસામાન્ય તારણ નીકળી રહ્યું છે કે, આઝાદી મળી પછી તમામ સરકારોએ ગરીબી હટાવવાના દાવાઓ કર્યા, યોજનાઓ બનાવી અને ગરીબી ઘટાડવાના પ્રયાસો પણ કર્યા, એવી જ રીતે પ્રવર્તમાન સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબલક્ષી યોજનાઓ બનાવી રહી છે, અને અમલ પણ કરતી જ રહી છે. જુના સમયમાં સરકાર દ્વારા એક રૂપિયો મોકલાય, તો ૧પ પૈસા ગરીબો સુધી પહોંચતા હોવાના રાજીવ ગાંધીના નિવેદનને વારંવાર ટાંકવામાં આવે છે, પરંતુ હવે તો ડાયરેક્ટ બેનિફિટ પારદર્શક રીતે મળે, અને લાભાર્થીના બેંક ખાતામાં પૂરેપૂરી સહાય ડીબીટીથી જમા થઈ જાય, તેવી વ્યવસ્થા વિસ્તરી રહી છે, ત્યારે ગરીબોની સંખ્યા ઘટવા છતાં ગરીબી કેમ ઘટી રહી નથી, તેવા સવાલના રસપ્રદ અને સોલીડ તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ તટસ્થ કારણો મુજબ હકીકતમાં 'ગરીબી' રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે પ્રચારનો મુદ્દો હોવા કરતા યે વધુ એક વોટ-પ્રોડક્ટર ઓજાર અથવા મશીન જેવી છે, જે મતોનું જથ્થાબંધ ઉત્પાદન કરીને ચૂંટણીઓ જીતાડે છે. તેથી રાજકીય પક્ષોનો કદાચ આ ગુપ્ત એજન્ડા પણ હોઈ શકે કે ગરીબોની સંખ્યા ભલે યોજનાકીય લાભો કે પછી તેઓના પોતાના પ્રયાસો અને પરિશ્રમના કારણે થોડી-ઘણી ઘટે, પરંતુ ગરીબી તો અમર જ રહેવી જોઈએ, કારણ કે આ વોટ-પ્રોડક્ટર યંત્રની બધાને જરૂર છે... હમામ મે સબ નંગે હૈ...
હકીકતે સમસ્યા અને સિયાસન પરસ્પર પૂરક ગણાય, સમસ્યા સર્જાય, ત્યારે તેને વગોવીને વિપક્ષો રાજનીતિ કરે, અને થોડી-ઘણી સમસ્યાઓ ઉકેલાય, ત્યારે તેનો ઢોલ પીટીને વાહવાહી કરીને શાસક પક્ષો રાજનીતિ કરે, અને ભોળી જનતા તેમાં અટવાયા કરે...
એક તરફ પચીસેક કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા હોય, બીજી તરફ દેશમાં ૮૦ કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવું પડતું હોય અને કરોડો ગરીબ લોકોને શૌચાલયો અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો લાભ અપાતો હોવાના દાવા થાય ત્યારે સવાલ એ ઊઠે કે, આપણા દેશમાં હકીકતે ગરીબો કેટલા છે? આઝાદીનો અમૃત કાળ આવ્યો છતાં ગરીબી નાબૂદ કેમ થઈ નથી?... મતોનું મશીન છે એટલે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને દેશના કેટલાક રાજ્યોમાં માવઠું થવાની આગાહી થઈ છે. એક તરફ કમોસમી વરસાદથી સામાન્ય જનજીવન તથા ખેતીવાડી પર વિપરીત અસર પડતી હોય છે, તો બદલતું રહેતું હવામાન જુદી જુદી બીમારીઓ પણ વધારતું હોય છે. આ ઉપરાંત અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ચૂંટણીસભાઓ, રેલીઓ, રોડ-શો સહિત વિવિધ પ્રકારે પ્રચાર કરતા નેતાઓ, કાર્યકર્તાઓએ પણ ભીષણ ગરમીના સમયે વધુ સાવધાન રહેવું પડે તેમ છે, એટલું જ નહીં, જનમેદની એકઠી કરતા રાજકીય પક્ષો તથા ઉમેદવારો વગેરે આયોજકો દ્વારા પણ ગરમીને લક્ષ્યમાં લઈને કાર્યક્રમોના સ્થળે પૂરતા પ્રમાણમાં છાંયડો, ગરમીમાં રાહત આપતા ઉપકરણો અને પીવાનું પાણી વગેરે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ. હકીકતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનું ફરજીયાત હોવું જોઈએ. અને આ મુદ્દાનો સમાવેશ આદર્શ આચાર સંહિતામાં કરીને ચૂંટણી પ્રચારના કાર્યક્રમો દરમિયાન ગરમીના કારણે થતી અસરો, દુર્ઘટના કે જન-સામાન્યના સ્વાસ્થ્યની જવાબદારી પણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ પ્રબન્ધો થવા જોઈએ, તેમ નથી લાગતું !
અત્યારથી જ ધગધગતા તડકા પડવા લાગ્યા છે, ત્યારે એપ્રિલ એન્ડીંગ અને મે મહિનામાં કેવી ગરમી હશે, તેની કલ્પના જ ભયાવહ બની રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા દરમિયાન ભીષણ ગરમી અને કમોસમી વરસાદની પણ સંભાવનાઓ-આગાહીઓ જોતા ઉમેદવારો, પક્ષો જ નહીં, ચૂંટણી તંત્રે પણ આ વખતે વિશેષ વ્યવસ્થાઓ ચોક્કસપણે કરવી જ પડશે, તે નક્કી જણાય છે.
આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગના વડા મહાપાત્રાને ટાંકીને આ મુદ્દે એક નવી જ ચર્ચા થઈ રહી છે અને તેને 'વન નેશન-વન ઈલેકશન'ના કોન્સેપ્ટ સાથે સાંકળીને વિવિધ અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આઈએમડી દ્વારા ચૂંટણીના તબક્કાઓ દરમિયાન તીવ્ર ગરમી, થશે, તેવી આગાહીઓ થઈ છે અને તેને લક્ષ્યમાં લઈને ચૂંટણીપંચ જરૂરી વ્યવસ્થાઓ કરશે, તેવી આશા સેવાઈ રહી છે. જો કે, આઈએમડીએ મતદાનના સમયમાં ફેરફાર કરવા કે પછી ચૂંટણી કાર્યક્રમો, રોડ-શો, જાહેરસભાઓ વગેરેને લઈને કોઈ ચોક્કસ દરખાસ્ત પણ કરી નથી, પરંતુ આ વર્ષે જો આટલી ભીષણ ગરમી પડવાની જ હોય તો ભરબપોરે બે-ત્રણ કલાકનો ભીષણ ગરમીનો સમયગાળો નક્કી કરીને તેટલા સમય માટે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકીને તેટલો સમય વહેલી સવારે તથા મોડી રાત્રે છૂટછાટ આપીને સરભર કરી દેવો જોઈએ, તે દિશામાં ગંભીરતાથી વિચારીને ભારતીય ચૂંટણીપંચે (ઈસીએ) કોઈ નિર્ણય ઝડપભેર લેવો જોઈએ. ખરું કે નહીં ?
મૃત્યુંજય મહાપાત્રાએ તો 'વન નેશન - વન ઈલેકશન' નો નિર્ણય લેવાય તો તે માટે પહેલાં હવામાનની સ્થિતિ તથા વિવિધ પ્રદેશોમાં ચાલતા ઋતુચક્રને અનુરૂપ ચૂંટણીના (મતદાન અને પ્રચાર માટે) તબક્કાઓ નક્કી કરવા જોઈએ. જો કે, આ વખતે પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતા પહેલાં ચૂંટણીપંચે તારીખો જાહેર કરતા પહેલા આઈએમડી (હવામાન ખાતા)ની સલાહ લીધી હતી.
હીટવેવ કે માવઠા જેવા સંજોગોમાં મતદારો અને ઉમેદવારો, રાજકીય પક્ષો ઉપરાંત ગ્રાસ રૂટ સુધીના ચૂંટણીતંત્રોએ પણ વિવિધ પ્રકારની સાવધાનીઓ રાખવી જ પડે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું જોખમ પણ રહેતું હોય છે. તેથી ચૂંટણીપંચે તેને સંબંધિત સાવચેતી પણ વિશેષ રીતે રાખવી પડતી હોય છે. ગરમીની આગાહીને લઈને જાહેર રેલીઓ, રોડ-શો, સભાઓમાં શિતળ છાંયડો, ઠંડુ પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ રાખવાની તો હવામાન વિભાગના વડાએ જરૂર જણાવી જ હતી, સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારો, ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ માટે આ જ પ્રકારની વ્યવસ્થાઓ કાળજીપૂર્વક કરવામાં આવે, તે આવશ્યક ગણાવ્યું હતું.
હવે દસેક દિવસ પછી મતદાનના તબક્કાઓ શરૂ થઈ જશે અને પહેલી જૂન સુધીમાં સાત તબક્કામાં ચૂંટણીઓ માટે મતદાન થશે, ત્યારે જે રાજ્યોમાં હવામાન વિભાગે ભીષણ ગરમી કે માવઠાની આગાહીઓ કરી છે, અને હવે પછી સમયાંતરે જે આગાહીઓ થાય, તેને અનુરૂપ રાજકીય પ્રચાર અને ચૂંટણીતંત્ર દ્વારા મતદાન તથા તે પછીની પ્રક્રિયાઓ માટે કાળજીપૂર્વક પ્રબન્ધો થાય, તે અત્યંત જરૂરી હોવાથી આ મુદ્દાને આદર્શ આચારસંહિતાનો હિસ્સો ગણીને યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશમાં તો લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કાના મતદાનની તારીખો વચ્ચેના સમયગાળામાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચશે, તેમ જણાય છે. તેનું કારણ એ છે કે એક તરફ રૃપાલા પ્રકરણના કારણે ભાજપ અટવાયો છે, તો ભાજપ અને કોંગ્રેસમાં છુપા અસંતોષ અને નારાજગીના કારણે કદાચ આંતરિક રીતે રિસામણા-મનામણાનો દોર પણ ચાલી રહ્યો છે., આ ઘટનાક્રમો વચ્ચે અદાલતી કાર્યવાહીઓ, ચુકાદાઓ, નેતાઓની નિવેદનબાજી અને તેના પ્રત્યાઘાતોની ચર્ચાઓમાં અત્યારે દેશની રાજનીતિ વ્યસ્ત જણાય છે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૃપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૃ કરી દીધો, પોતાનું રાજકોટનું નિવાસસ્થાન બદલ્યુ અને સુરક્ષા વ્યવસ્થામાં વધઘટ થઈ, તે પ્રકારન અહેવાલોની સાથે સાથે આજની અમદાવાદની પ્રેસ કોન્ફરન્સ, મેરેથોન મિટિંગ, ક્ષત્રાણીઓ દ્વારા જાહેર કરવાની વોર્નિંગ અને દેશભરના રાજધરાનાઓના કેટલાક પ્રતિનિધિઓના ગુજરાતમાં સંભવિત આગમનના અહેવાલો પછી ગુજરાતમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને રૃપાલાના સમર્થનમાં પાટીદારોએ પણ પ્રદર્શનો શરૃ કરી દેતા રાજ્યમાં કયાંક વર્ગવિગ્રહ શરૃ ન થઈ જાય, તેવી આશંકાઓ વચ્ચે આજે સવારથી જે કાંઈ આ મુદ્દે બની રહ્યું છે, તે આપણી સૌની સામે જ છે અને લોકોના મનમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે હવે શું થશે ?
ગઈકાલે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેને 'ન્યાયપત્ર' નામ આપ્યું છે. આ ઘોષણપત્રમાં પાંચ પ્રકારના ન્યાય સાથે ૨૫ પ્રકારની ગેરંટી અપાઈ છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓ, જાતિ જનગણના, અનામતનો દાયરો વધારવો, ખેડૂતોને સંતોષકારક એમએસટી, મનરેગાની દૈનિક મજુરી ૪૦૦ રૃપિયા, પીએમએસએ કાયદામાં ફેરફાર, કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ થતો અટકાવવાના પ્રબન્ધો, ગરીબ મહિલાઓને વર્ષે એક લાખ રૃપિયાની સહાય, સ્વામીનાથન કમિટીની ભલામણો મુજબ ખેડૂતોને લાભો તથા સચ્ચર કમિટીની ભલામણો લાગુ કરવા સહિતના વાયદાઓ કરાયા છે. કોંગ્રેસે પાંચ પ્રકારની ન્યાયની વાત પણ કરી છે. આ ઘોષણાપત્રના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓનું ન્યાય તથા આર્થિક, સામાજિક પછાતવર્ગોને અનામત અંગે મહત્ત્વપૂર્ણ પાંચ વાયદાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
આમ તો આઝાદી પછી ચૂંટણી ઢંઢેરા દરેક જનરલ ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા ઘણાં દાયકાઓથી રજૂ થતા રહ્યા છે. પરંતુ હવે ચૂંટણી ઢંઢેરાઓ, અથવા મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર ને સંકલ્પપત્ર, ન્યાયપત્ર, ગેરંટીપત્ર જેવા નવા નામ પણ અપાઈ રહ્યા છે, તેની સાથે સાથે આ ચૂંટણી ઢંઢેરાઓમાંથી કેટલા વાયદાઓનું પાલન થાય છે અને કેટલા વચનો વર્ષોવર્ષ રિપિટ થતા રહે છે, તેની ચર્ચા પણ ઠેર-ઠેર થઈ રહી છે. અને આ ચર્ચાઓમાં વજુદ પણ છે. આ કારણે જ એવી માંગ પણ ઉઠી રહી છે કે આ પ્રકારના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદા પૂરા કરવા જ પડે, તેવો કોઈ કાયદો ઘડાયો કે કાનૂની પ્રબંધો થાય, તે દિશામાં વિચારવું જોઈએ. આ વિચાર (કોન્સેપ્ટ) પણ ચર્ચાની એરણે ચડ્યો છે.
અત્યારે પબ્લિકમાં એવી ચર્ચા પણ વેગ પકડી રહી છે કે ચૂંટણી ટાણે પક્ષાંતરો કરીને બીજા પક્ષમાં જતા નેતાઓ-કાર્યકરોનો આંતરાત્મા વહેલો કેમ નહીં જાગતો હોય ? પોતાને કે પોતાની ઈચ્છા મુજબની વ્યક્તિને ટિકિટ મળે નહીં, ચૂંટણી પ્રચારની કામગીરીમાં પોતે ધારેલી જવાબદારી કે ઈચ્છિત હોદ્દો મળે તેમ ન હોય કે પછી કોઈ દબાણ કે પ્રલોભન લલચાવતું હોય, તેવા કારણોસર મોટાભાગે પક્ષાંતર બરાબર ચૂંટણી ટાણે જ થતું હોવાની એક સર્વસામાન્ય માન્યતા છે. તેથી એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા પછી કોઈપણ નેતા કે કાર્યકરના પક્ષાંતર પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવો જોઈએ.... વિચારવા જેવું ખરું .... નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય જનતા પક્ષ સામે પડકાર ઊભો કરનાર રૂપાલા પ્રકરણના પડઘા જામનગરમાં પણ પડ્યા અને ક્ષત્રિય સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ, તથા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું, તે ઘટના પછી હાલારમાં વધી રહેલો આ વિરોધ ટોક ઓફ ધ હાલાર બન્યો છે. તો બીજી તરફ પ.બંગાળના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકાય, પરંતુ ભાજપ નો ભરોસો થઈ શકે નહીં, તેવા શબ્દપ્રયોગો કરતા વિવાદ જાગ્યો છે, તેણીએ ચૂંટણીપંચને પણ કેન્દ્રીય એજન્સીઓને દુરૂપયોગ બદલ ભાજપ સામે પગલા લેવાની હિમાયત કરી, તે પછી પ.બંગાળમાં ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે.
મહારાષ્ટ્રમાં પૂર્વ કોંગી નેતા સંજય નિરૂપમે કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટરોની વાત કરીને તેમાં ગાંધી પરિવારને પણ સાંકળી લીધા પછી ત્યાં રાજકારણ ગરમાયુ છે, અને હેમામાલિની અંગે સુરજેવાલા પર અભદ્ર ટિપ્પણીનો મુદ્દો પણ ગરમાયો છે જો કે, રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો પછી રાજ્યમાં તેમની તરફેણમાં પણ પ્રદર્શનો શરૂ થતાં ગુજરાતમાં રાજનીતિ ફરીથી જ્ઞાતિવાદના ભમ્મરમાં અટવાઈ જશે, તેવી આશંકાઓ વચ્ચે ક્ષત્રિયો આ મુદ્દો રાષ્ટ્રીયકક્ષાએ લઈ જશે, તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે, ત્યારે ભાજપનું મોવડીમંડળ, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. કદાચ એવું પણ બને કે પાર્ટીને ધર્મસંકટમાંથી ઉગારવાના નામે ખુદ રૂપાલા જ ચૂંટણીમાંથી ખસી જાય... જસ્ટ વેઈટ એન્ડ વોચ !
રાષ્ટ્રીય કક્ષાએ રોબર્ટ વાડ્રા હવે સક્રિય રાજકરણમાં ઝંપલાવશે અને કોંગ્રેસ ટિકિટ આપે, તો તેઓ અમેઠીથી લડવા પણ તૈયાર છે. તેવા સંકેતો તેમણે પોતે જ આપતા આ અહેવાલો ગઈકાલે 'ટોક ઓફ ધ નેશનલ પોલિટિકલ સેકટર' બની ગયા હતા અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી અને અમેઠીથી રોબર્ટ વાડ્રા લોકસભાની ચૂંટણી લડે, તો તેની અસરો કોંગ્રેસ અને રાષ્ટ્રીય રાજનીતિ પર કેટલી પડે અને ભાજપના અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કેટલો મોટો પડકાર ઊભો થાય તેની ચર્ચા પણ વ્યાપક બની છે.
આરબીઆઈએ આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી છે, જેમાં રેપોરેટ યથાવત રખાયા છે તેવા અહેવાલો વચ્ચે સોનુ, ચાંદી અને ગુજરાતમાં સીંગતેલના ભાવોમાં ગઈકાલના ઉછાળાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતંુ, તો શેરબજારમાં આવતી ભરતી-ઓટ વચ્ચે ગઈકાલની તેજીની ચર્ચા ઈન્વેસ્ટર્સ અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રોમાં પણ થઈ રહી છે, એટલું જ નહીં, માર્કેટની આ તેથીને આશ્ચર્યજનક રીતે રાજકીય ક્ષેત્રની સંભાવનાઓ સાથે તથા જાહેર થઈ રહેલા કેટલાક ઓપિનિયન પોલના તારણો સાથે પણ સાંકળવામાં આવી રહી છે !
ચૂંટણી ટાણે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીને લઈને કરેલી ટિપ્પણીઓ અને મમતા સરકારને કરેલી ટકોર પણ 'ટોક ઓફ ધ નેશન' બની છે અને આ મુદ્દે મમતા બેનર્જી બેકફૂટ હોય તેમ જણાય છે, તથા કોંગ્રેસ અને ભાજપ પ.બંગાળમાં ફ્રન્ટફુટ પર આવીને નિવેદનો આપી રહ્યા છે.
ચૂંટણી સમયે કોઈપણ હિલચાલ થાય, કાનૂની કાર્યવાહીના ફેંસલા આવે, અદાલતો દ્વારા ટિપ્પણીઓ થાય કે પછી સોશ્યલ મીડિયામાં કોમેન્ટ થાય, તો તે બધું જ ચૂંટણીપ્રચારના ઝંઝાવાતમાં લપેટાઈ જતું હોય છે. આ કારણે જ કેજરીવાલની ધરપકડ અને તેનો વિરોધ, કે.કવિતાની જામીન અરજી, પ.બંગાળમાં હાઈકોર્ટની ટકોર વગેરે કાનૂની કાર્યવાહીઓની સીધી અસર ચૂંટણી પ્રચાર પર પડી રહી હોય તેમ નથી લાગતું ?
એવા અહેવાલો પણ વહેતા થયા છે કે રૂપાલાના મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું તા. ૬ અને ૭ એપ્રિલનું મહાસંમેલન મોકૂફ રહ્યું છે અને જો રૂપાલા ફોર્મ ભરે તો જ આ મહાસંમેલન યોજાશે, તેવું જાહેર થયું છે, તો ગઈકાલે યોજાનારી પાટીદાર સમાજની કોઈ બેઠક પણ રદ થઈ હોવાનું કહેવાય છે. આ તાજા ઘટનાક્રમો પણ ઘણાં સૂચક જણાય છે. જોઈએ એક અઠવાડિયામાં આ મુદ્દે ઉપરથી કોઈ નિર્ણય લેવાઈ જશે તેમ જણાય છે તેથી આગળ શું થાય છે તે....
અત્યારે ચૂંટણી પ્રચાર અને તેના અહેવાલો એટલા બધા વ્યાપક બન્યા છે કે અત્યારે ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રભાવ પણ થોડો ઘટી ગયો હોય તેમ જણાય છે. એવું કહેવાય છે કે જિવંત પ્રસારણોના વ્યૂસર્સમાં પણ આ વખતે ઝડપભેર વધઘટ થઈ રહી છે !
જો કે, ગઈકાલે ગુજરાત ટાઈન્ટન્સ અને પંજાબ વચ્ચેની રસાકસીભરી મેચની ચર્ચા ક્રિકેટ રસિયાઓ વચ્ચે જરૂરથી થઈ રહી છે, અને પોઈન્ટ ટેબલની રસપ્રદ સારણી પણ રજુ થઈ રહી છે, પરંતુ જો લોકસભાની ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાતી ન હોત, તો આ ટુર્નામેન્ટના અહેવાલો પણ હેડલાઈન્સમાં હોત, ખરું કે નહીં ?
આ વખતે ચૂંટણી એકતરફી છે અને એનડીએ ૪૦૦ પ્લસનો લક્ષ્યાંક સિદ્ધ કરી લેશે, તેવી અટકળો ધીમે ધીમે બદલાઈ રહી છે, અને એનડીએ માંડ માંડ સરકાર રચી શકશે, તેવા દાવાઓ થવા લાગ્યા છે, ત્યારે ચૂંટણી આવતા આવતા લોકસભાની ચૂંટણી પણ આઈપીએલ ટુર્નામેન્ટની જેમ રોમાંચક, રોચક અને રસાકસી ભરી બની જાય, તો નવાઈ જેવું નહીં હોય.... રાઈટ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગઈકાલે સાંજે તિહાડ જેલમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ છુટ્યા અને બહાર આવતા જ સિંહની જેમ ગર્જના કરી. તેમણે કહ્યું કે જેલના તાળા તૂટશે અને તમામ નેતા છૂટી જશે. તેમણે એમ પણ કહ્યું કે આ જશ્ન મનાવવાનો સમય નથી, પણ સંઘર્ષ કરવાનું ટાણું છે.
સંજયસિંહના આ આક્રમક વલણના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તો જોશમાં જણાયા, પરંતુ ઈન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓમાં પણ જુસ્સો વધ્યો, અને કેન્દ્ર સરકાર અને ભાજપ પર વધુ એગ્રેસીવ થઈને તડાપીટ બોલાવવા લાગ્યા.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવો માહોલ ઊભો થવા લાગ્યો હતો કે આ વખતે ચૂંટણી એકપક્ષીય થવા જઈ રહી છે અને એનડીએ સામે વિપક્ષી એકતા નબળી પડી રહી છે. વિપક્ષો પાસે મોદી જેવો ચહેરો નથી અને કોમન મીનીમમ પ્રોગ્રામ કે તમામ રાજ્યોમાં પૂરેપૂરી બેઠકો માટે સમજૂતિ પણ થઈ નથી. આ કારણે ભાજપની ૩૭૦ પ્લસ અને એનડીએની ૪૦૦ પ્લસ બેઠકો જીતવાની જે મહેચ્છા, તે પૂરી ન થાય તો પણ એનડીએની જ સરકાર ફરીથી સત્તારૃઢ થવાની છે, અને તેની સામે વિપક્ષોમાં નિરાશા ફેલાઈ રહી છે, જેના કારણે લોકસભાની ચૂંટણી હવે માત્ર એનડીએનો ૪૦૦ પ્લસનો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં, અને દરેક બેઠક પરથી એનડીએના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવાના લક્ષ્યો પૂરા થાય છે કે કેટલાક વિવાદાસ્પદ એપિસોડો અને કેટલીક કાનૂની પ્રક્રિયાઓમાં લાગતા ઝટકાઓના કારણે લીડ કપાય છે, તે જ જોવાનું રહે છે.
સંજયસિંહનું જામીન પર છુટવું, દેશના કેટલાક રાજ્યોમાં ઓછું વર્ચસ્વ હોવાથી એનડીએની કવાયત, ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપે જેને ટિકિટો ફાળવી છે, તેની સામે અસંતોષ, બોલકા નેતાઓના બફાટના કારણે ગુજરાત સહિત કેટલાક સ્થળે ભાજપ સામે ઊભા થયેલા પડકારો અને ખાસ કરીને કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ, બેરોજગારી, મોંઘવારી અને તાનાશાહી જેવા મુદ્દાઓ વગેરેના કારણે ધીમે ધીમે માહોલ બદલાઈ રહ્યો છે અને હવે કેટલીક બેઠકો પર ભાજપના પાંચ લાખની લીડથી વિજયના સપના અધૂરા રહી જવાના છે, તે પ્રકારના અનુમાનો પણ થવા લાગ્યા છે. જો કે ઈન્ડિયા ગઠબંધનમાં પણ તમામ રાજ્યોમાં બેઠકોની સમજૂતિ થઈ નથી, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનમાં જે જુસ્સો વધ્યો છે અને સંજયસિંહને જામીન મળ્યા પછી કાર્યકરોમાં પણ જોશ વધી રહ્યું છે, તથા વિપક્ષો પરસ્પર વધુ નજીક આવવા લાગ્યા છે, તે જોતાં એવું કહીં શકાય કે રાજકીય ક્ષેત્રે હવે પોલિટિકલ ટ્વીસ્ટ આવ્યું છે અને પોલિટિકલ નેરેટીવ પણ સ્વીફટ થવા લાગ્યું છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોમાં તીરાડો કે તૂટ તડવાની ઘટનાઓ પણ વધી રહી છે. બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટીના રર નેતાઓએ પાર્ટી છોડીને ઈન્ડિયા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં બળવો પોકારનાર કોંગીનેતા સંજય નિરૃપમને કોંગ્રેસે તગેડી મૂક્યા અને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી, વાયનાડમાં રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યુ તો ઈન્ડિયાના સાથી પક્ષ સીપીઆઈના ઉમેદાર એની રાજાએ વિરોધી સૂર વ્યકત કર્યા તો રાષ્ટ્રીય કક્ષાના સામ્યવાદી નેતાઓએ પણ કોંગ્રેસની આલોચના કરી !
ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ ભાજપે કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા હતા અને તેવું જ કેટલાક વિપક્ષોએ પણ કર્યું હતું, પરંતુ ગુજરાતમાં તમામ ર૬ બેઠકો જંગી લીડથી જીતવાનું ભાજપને જેટલું સરળ લાગતુ હતું, તેટલું જ હવે મુશ્કેલ બની રહ્યું છે, અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો સામે અસંતોષનો ચરૃ ઉકળતો હતો તેમાં રૃપાલા પ્રકરણ પછી બળતામાં ઘી હોમાયું, હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળ ગયા પછી રાજકોટ બેઠકને લઈને ભાજપ કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહે છે. આમ પણ છેલ્લી ત્રણ ટર્મથી લોકસભાની ચૂંટણીમાં ક્રમશઃ ઘટી રહેલા પ્રતિનિધિત્વ અને કેટલાક દિગ્ગજોને હાંસિયામાં ધકેલાયા પછી ભાજપમાં અસંતુષ્ટોનો એક વર્ગ ઉભો થયો હોવાના તારણો વચ્ચે હવે ચૂંટણી સુધીમાં રાજ્ય અને દેશમાં કેટલાક પોલિટિકલ ટ્વીસ્ટ આવેે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સુપ્રિમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને જામીન આપ્યા પછી મીડિયામાં નિવેદનોની જાણે સુનામી આવી ગઈ છે, અને ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ સર્જનાર રૂપાલા એપિસોડને લઈને આજે બપોરની મિટિંગ પર સૌની નજર છે, તો તાઈવાનમાં આવેલા ૭.પ ની આજુબાજુની તીવ્રતાના ભૂકંપે સર્જેલી તારાજીની સાથે સાથે અડધો ડઝન જેટલા દેશોમાં પણ ધરતી ધ્રુજી અને કેટલાક દેશોમાં સુનામીની ચેતવણી અપાઈ, તેવા અહેવાલોએ પણ ચિન્તા જગાવી દીધી છે.
તાઈવાનના તાઈપેમાં સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને જે વિનાશ વેરાયો, તેના બિહામણાં દૃશ્યો પણ સામે આવી રહ્યા છે, અને ભારત સહિત વિશ્વના કેટલાક દેશોએ તાઈવાનની આ મૂશ્કેલ ઘડીમાં તાઈવાનની પડખે હોવાની હૈયાધારણ આપી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
આ વર્ષે એપ્રિલથી જ પ્રચંડ ગરમી અને લૂ લાગવાની આગાહીઓ થવા લાગી છે, અને દેશના કેટલાક સ્થળે તો હવે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને આંબવા લાગ્યો છે, તેથી લોકસભાની ચૂંટણીની ગરમી સાથે કુદરતી મહત્તમ તાપમાનનો સંયોગ થતા આ વખતે ચૂંટણીપંચે મતદાન મથકોમાં છાયડો, પીવાનું પાણી અને જરૂરી પડ્યે મતદારોની મદદ માટે પ્રાથમિક સારવાર ઉપરાંત સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડશે તેમ જણાય છે. આ કારણે કદાચ ચૂંટણીતંત્રનું ટેન્શન પણ વધી રહ્યું હશે, ખરું ને ?
ભયંકર ભૂકંપ પછી સમુદ્રમાં સુનામી (ત્સુનામી) તો આવે, તેવી સંભાવના રહેતી હોય છે, પરંતુ ચૂંટણીનો પ્રચાર શરૂ થતાં જ નેતાઓના નિવેદનોની સુનામી તો આવી જ ગઈ છે અને સિયાસતની આ સુનામીમાં અવનવા વિવાદો તથા સંવાદોના ઊંચા ઊંધા મોજાઓ પણ ઉછળવા લાગ્યા છે.
ખાસ કરીને આડેધડ નિવેદનોની સુનામીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા બરાબરના સપડાઈ ગયા છે....ખરું ને ?
ગઈકાલે આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજયસિંહને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા પછી, તો સિયાસતની સટાસટ પરાકાસ્ટાઓ પહોંચી ગઈ છે, અને સંજયસિંહ આજે જેલમાંથી બહાર આવ્યા પછી તેની આગવી ભાષા શૈલીમાં જે સિયાસતની સટાસટી બોલાવશે, અને તેજાબી ભાષણો કરશે, તેથી ભાજપ-એનડીએની જમીન ધ્રુજી જવાની છે, તેવા દાવાઓ પણ ગઈકાલથી જ થવા લાગ્યા હતા, તો બીજી તરફ કેજરીવાલની ગેરહાજરીમાં 'આપ'ની કમાન્ડ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંજયસિંહ સંભાળી લેશે, તેવી અટકળો પણ થવા લાગી છે. જો કે, સંજયસિંહને અદાલતે તેમના લીકર કેસ અંગે બોલવા પર મનાઈ ફરમાવી છે, પરંતુ તેને પાર્ટીનું કામકાજ કરતા કે સરકારની ટીકા કરતા અટકાવી શકાશે નહીં, તેવો સ્પષ્ટ અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણી ટાણે જ સંજયસિંહ (ભલે જામીન પર પણ) જેલની બહાર આવી જશે. આમ આદમી પાર્ટીને સંજીવની મળી હોવાના અભિપ્રાયો વ્યકત થઈ રહ્યા છે તો બીજી તરફ એવી અટકળો પણ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીની કમાન્ડ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પાસે જ રહેશે, તેમ માનવાનોપણ મોટો વર્ગ છે. ઘણાં એવું પણ માને છે મિસિસ કેજરીવાલ મુખ્યમંત્રી કેજરીવાલની જેલમાંથી મળતી સૂચના મુજબ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવશે, અથવા વિધિવત મુખ્યમંત્રી બની જશે, જ્યારે સંજયસિંહ 'આપ' ના ઈન્ચાર્જ વડા બની શકે છે, જે થાય તે ખરું, સુપ્રિમ કોર્ટે સંજયસિંહને જામીન આપી દીધા પછી ઈડી અને એનડીએ પર વિપક્ષો દ્વારા જબરદસ્ત પ્રહારો થઈ રહ્યા હોવાથી ભાજપ-એનડીએના નેતા-પ્રવકતાઓ બેકફૂટ પર આવી ગયા હોય તેમ નથી લાગતું ?
સંજયસિંહના જામીન પર છૂટ્યા પછી નેતાઓની નિવેદનોની જે સુનામી આવી છે, તે પણ ઘણી જ રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના નેતા, પ્રવકતા અને મંત્રી આતિશીએ ઈડી પર પ્રહારો કર્યા અને ભાજપની પોલ ખુલી પડી ગઈ હોવાની વાત કરી તો સૌરભ ભારદ્વાજે પણ એવા જ તેજાબી આક્ષેપો કર્યા. અખિલેશ યાદવે ફરીથી કહ્યું કે ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત થઈ ગઈ હોવાનો ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, વિપક્ષી નેતાઓએ એક વખત ફરીથી મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવ્યા અને કહ્યું કે સંજયસિંહ સામે મની ટ્રેઈલ પુરાવા જ નહોતા, તો જેલભેગા કેમ કર્યા ?
એનડીએ-ભાજપના પ્રવકતાઓએ કહ્યું કે જે લોકો પીએમએલએ કાયદામાં જામીન મળે જ નહીં, તેવો ભ્રમ ફેલાવી રહ્યા હતા, તેઓ ને જવાબ મળી ગયો છે, અને જે લોકો ભાજપ, એનડીએની સરકાર એજન્સીઓનો દુરૂપયોગ કરતા હોવાની ભ્રામક વાતો કરી રહ્યા હતા, તેને પણ જવાબ મળી ગયો છે. એવું પણ કહેવાયું કે સંજયસિંહને જામીન મળ્યા છે, નિર્દોષ ઠર્યા નથી. અદાલતે પણ કહ્યું છે કે આ જામીનને દૃષ્ટાંત તરીકે ટાંકી નહીં શકાય. જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

બળબળતો ઉનાળો શરૂ થયો છે, અને વાતાવરણમાં ગરમીનો પ્રકોપ ઉનાળાના પ્રારંભથી જ શરૃ થઈ ગયો છે. આ ઋતુપરિવર્તનની સાથે સાથે હાલાર સહિત રાજ્યમાં રોગચાળો પણ ઝડપભેર વધી રહ્યો છે, દવાખાના, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને કેમિસ્ટોને ત્યાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, અને લેબોરેટરીઝમાં રિપોર્ટ કરાવનારા દર્દીઓની પણ લાઈનો લાગી રહી છે. આ કુદરતી ગરમીમાં ચૂંટણીની કૃત્રિમ ગરમીનો પણ સંયોગ થતા માહોલ ગરમાઈ રહ્યો છે.
રાજ્યમાં હોળી પહેલા શરદી-ઉધરસ-તાવ-કળતર સાથે વાયરલ બીમારી વધી રહી હતી અને હોળી પછી ઝાડા-ઉલટીના કેસોનો તેમાં ઉમેરો થયો હતો હવે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળે સ્વાઈનફલૂના કેસો ઝડપભેર વધી રહ્યા છે, તો કોરોનાના નવા કેસો પણ નોંધાવા લાગ્યા છે, તેથી સ્વાઈનફલૂના લક્ષણો તથા દર્દીને થતી તકલીફો વર્ણવીને તેનાથી સાવધ રહેવાની ચેતવણીઓ પણ તંત્ર દ્વારા અપાઈ રહી છે,અને આ પ્રકારના લક્ષણો જણાય તો તત્કાળ જરૂરી સારવાર લેવાની કાળજી રાખવા અંગે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિને બહાર નહીં નીકળવા અને માસ્ક તથા વારંવાર હાથ ધોવાની સલાહ પણ અપાઈ રહી છે.
મીડિયા અહેવાલો મુજબ ગઈકાલથી કેટલીક દવાઓના ભાવોમાં ૧ર ટકાનો વધારો થયો છે. એક તરફ બીમારીના ઘેર-ઘેર ખાટલા હોય અને ગરીબ-મધ્યમવર્ગના પરિવારો માંડ માંડ સારવાર કરાવી શકતા હોય અને તેમાં દવાઓના ભાવોમાં વધારો થાય તો પડ્યા પર પાટુ પડ્યા જેવું જ ગણાયને ? આ પ્રકારની સમસ્યાઓ તરફ અત્યારે રાજનેતાઓનું ધ્યાન જવાનું નથી, કારણ કે નેતાઓ ચૂંટણી પ્રચારમાં મસ્ત છે, અને મોટા ભાગના તંત્રો પણ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ કારણે અત્યારે બીમારીના ભરડા વચ્ચે પીસાતી જનતા ત્રસ્ત છે.
જો કે, એપ્રિલમાં વાતાવરણ સામાન્ય રહેશે અને છેલ્લા અઠવાડિયામાં ગરમી વધુ વધશે, તેવી આગાહી થઈ છે, પરંતુ ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર અને તેની જનજીવન પર થતી અસરોના કારણે એપ્રિલ મહિનો 'ગરમાગરમ' જ રહેશે, તે નક્કી છે.
જામનગરના માણેકપરમાં ઊભી થયેલી સ્થિતિની જેમ રાજ્ય અને દેશમાં હજુ પણ અનેક એવા સ્થળો હશે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ પીવાનું સ્વચ્છ પાણી મળવું દુર્લભ હશે અથવા ઓછું મળતું હશે, અને તેમાં આ બળબળતા ઉનાળામાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ જાળવી રાખવાનું કામ તંત્રો માટે પણ પડકારરૃપ બનવાનું છે. કારણ કે ચૂંટણી તથા તેને સંલગ્ન કામગીરીમાં રોકાયેલા મહત્તમ સ્ટાફના કારણે અન્ય કામકાજ પર તેની અસરો પડતી જ હોય છે, જો કે, આવશ્યક સેવાઓના સ્ટાફને મોટાભાગે ચૂંટણીની કામગીરીમાં રોકવામાં આવતો હોતો નથી, પરંતુ નિર્ણાયક અને સંચાલનની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે. જો કે, આ લોકતંત્રના મહાપર્વનું મહત્ત્વ જોતા થોડી ઘણી તકલીફ તો થોડા દિવસો માટે ચલાવી લેવી જોઈએ, ખરું ને ?
જો કે, જામનગર સહિત હાલારમાં આગામી ચોમાસાના પ્રારંભ સુધી પીવાનું પાણી મળતું રહે અને જરૃર પડ્યે નર્મદાના નીર આ હેતુ માટે ઉપલબ્ધ કરાવી શકાય, તેવી વ્યવસ્થાઓ તથા આગોતરા આયોજનો તંત્રોએ કરી રાખ્યા હોવાના દાવાઓ થયા છે, પરંતુ જોઈએ, આગામી દિવસોમાં આ દાવાઓ કેટલા સાચા પડે છે તે....!
જામનગરમાં પણ ધગધગતી ગરમી અને મચ્છરોનો ત્રાસ વધી જતાં રોગચાળો વધુ વકરવાની સંભાવના છે, જેથી મનપાના તંત્રે રિક્ષા દ્વારા ફોગીંગ શરૃ કર્યું છે. લોકોને ખુલ્લા વાસણોમાં પાણી ભરી રાખવા કે ટાંકીઓ ખુલ્લી રાખવાનું ટાળવા સલાહ અપાઈ રહી છે. જો કે, માત્ર લિમિટેડ ફોગીંગ કરીને બેસી રહેવાથી ચાલે તેમ નથી અને મચ્છરો મારવાની સાથે સાથે મચ્છરો ઉત્પન્ન થતા જ અટકાવવા સહિયારા, સક્રિય અને સાચુકલા પ્રયાસો કરવા જરૂરી છે, ખરૂ કે નહીં ?
આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અડધોડઝન જેટલા રાજ્યોમાં આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતા વધુ ગરમી પડશે અને લૂ નો પ્રકોપ રહેશે, તેવી જે આગાહી કરી છે, તેની સામે આગોતરી સાવચેતી અત્યંત જરૃરી છે, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું એક મંતવ્ય ફરી એક વખત ભારતમાં ચર્ચાના ચાકડે ચડ્યું છે, અને ચૂંટણીની મોસમમાં કોઈપણ નિવેદન જ્યારે ચૂંટણીનો મુદ્દો બની જતું હોય છે, ત્યારે રઘુરામ રાજનનો આ અભિપ્રાય પણ ચૂંટણીમાં ચર્ચાશે, તે નક્કી છે, જો કે, આ અભિપ્રાયનો રિવર્સ ફાયદો શાસકપક્ષને પણ મળી શકે તેમ હોવા છતાં વિપક્ષી ગઠબંધન આ મુદ્દાને ચગાવશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
હકીકતમાં રઘુરામ રાજને આપણાં દેશમાં સેમિકન્ડકટરના ચિપ્સના ઉત્પાદનની શરૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે, અને આડકતરી રીતે કહ્યું છે કે આ પ્રકારની ઘેલછાના સ્થાને આપણાં દેશમાં શિક્ષણની સિસ્ટમ સુધારવા પાછળ નાણા અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ.
રઘુરામ રાજને કહ્યું છે કે ભારતે સેમિકન્ડકટરના ઉત્પાદનની હરિફાઈમાં ઉતરવું ન જોઈએ, કારણ કે તેવું કરવા જતાં આપણો દેશ બરબાદ થઈ જશે, દેશમાં અગ્રતાક્રમે કરવા જેવા બીજા ઘણાં કામ છે તે કરવાના બદલે સેમિકન્ડકટરની ચિપ્સના ઉત્પાદનની પાછળ દોટ લગાવવી અનુચિત છે ભારતે ચિપ્સના પ્રોજેકટની બદલે શિક્ષણની સિસ્ટમ સુધારવી જોઈએ તેમ જણાવી રઘુરામ રાજને કહ્યું કે ભારત સરકાર ઉચ્ચ શિક્ષણના વાર્ષિક બજેટ કરતા પણ વધુ સબસિડી ચિપ મેન્યુફેકચરીંગ માટે આપી રહી છે, તે અયોગ્ય છે.
જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ એમ નથી કહેતા કે ભારતે કયારેય પણ ચિપ્સનું ઉત્પાદન ન કરવું જોઈએ, પરંતુ દુનિયાના ઘણાં દેશો આ ક્ષેત્રે હરિફાઈ કરી રહ્યા છે ત્યારે ભારતે આ રેસમાં જોડાવું ન જોઈએ. આ રેસમાં જોતરાવાથી દેશ બરબાદ થઈ શકે છે.
તાજેતરમાં જ ગુજરાતના સાણંદ અને ધોલેરા તથા આસામમાં એક મળીને ત્રણ સ્થળે સેમિકન્ડકટર પ્લાન્ટ મંજુર કરાયા છે. જેમાં સવાલાખ કરોડ રૂપિયાથી વધુ ઈન્વેસ્ટમેન્ટ થશે, જેમાં ભારત સરકાર ૪૮ હજાર કરોડની સબસિડી આપશે, તેવી જાહેરાત થઈ હતી, અને એવો દાવો કરાયો હતો કે આ ત્રણેય પ્લાન્ટ ચિપ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ હશે, સેમિકન્ડકટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગારી મળશે, એટલું જ નહીં, ઈલેકટ્રોનિકસ, ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ પુરક રોજગારીની વિપુલ તકો ઊભી થશે.
ગુજરાતના ધોલેરામાં ૯૧ હજાર કરોડના મૂડીરોકાણ સાથે બની રહેલા પ્લાન્ટ ઉપરાંત આસામના મોરીગાંવ અને ગુજરાતના આણંદમાં બીજા બે પ્લાન્ટ બની રહ્યા છે, જેને સેમિકન્ડકટર ક્ષેત્રે દેશની હરણફાળ ગણાવાઈ રહી છે અને આ પ્લાન્ટ સામેના તર્કોને વિદેશનો પ્રોપાગન્ડા ગણાવાઈ રહ્યો છે !
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પોતાના અભિપ્રાયો નિડરતાથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતા છે અને અત્યારે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમના આ અભિપ્રાયોના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, જેને કેટલાક વિવેચકો વિદેશી પ્રચાર (પ્રોપાગન્ડા) સાથે સાંકળી રહ્યા છે, જ્યારે ઘણાં વિવેચકો ભારત વિરોધી લોબીનો પ્રભાવ ગણાવી રહ્યા છે, તો ઘણાં વિવેચકો રઘુરામ રાજનની વાતમાં દમ છે, તેમ કહીને તેના પર વિચાર કરવો જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યકત કરી રહ્યા છે, કેટલાક લોકો સાહિત્યની ભાષામાં કહી રહ્યા છે કે મજબૂત ઈમારત બનાવવાનું લક્ષ્ય રાખવું જ જોઈએ, પરંતુ તે માટે (શિક્ષણ સિસ્ટમ જેવો) પાયો તો પાક્કો કરવો જ પડે ને ?
બીજી તરફ લદાખમાં ચીને ભારતની જમીન હડપ કરી લીધી હોવાનો મુદ્દો કરી એક વખત ગરમાયો છે, અને ચીનનો ચક્રવ્યૂહ ચર્ચામાં છે.
ગઈકાલે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની તાકાત દેખાડાઈ અને વિપક્ષો એકજૂથ જોવા મળ્યા. તે પછી વિપક્ષી પ્રચારમાં પણ જુસ્સો વધ્યો છે અને ચિપ્સ તથા ચીનના મુદ્દા હવે ચૂંટણી પ્રચારમાં પણ જોરશોરથી ગુંજશે, તેમ જણાય છે. બીજી તરફ ગુજરાત ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરૂ અને કેટલાક વિવાદો વચ્ચે રૂપાલા પ્રકરણ પણ હવે દિલ્હી દરબારમાં પહોંચ્યું હોય તેમ જણાય છે. આ તમામ ઘટનાક્રમો જોતા લોકસભાની ચૂંટણીમાં તિવ્ર રસાકસી વધી જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છેે. બીજી તરફ અમેરિકાએ એ.આઈ. ચિપ્સની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી ચિપ્સનો મુદ્દો આંતરરાષ્ટ્રી ક્ષેત્રે પણ ગરમાયો છે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેરઠમાં જંગી રેલીને સંબોધન કર્યુ અને વિપક્ષ પર ચાબખા માર્યા, અને વિપક્ષી એકતાને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાનું પરિણામ ગણાવ્યું હતું એકંદરે સુપર સન્ડેમાં ગઈકાલે ઈન્ડિયા ગઠબંધન અને એનડીએના ચૂંટણી લક્ષી શક્તિપ્રદર્શનો જોવા મળ્યા હતા, જેમાં તમિલનાડુના કચ્ચાથિવુ ટાપુનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.
પર્યાવરણવાદી સોનમ વાંગચૂકે એવો દાવો કર્યો છે કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ચાર હજાર કિલોમીટરથી વધુ જમીન પચાવી પાડી છે. લદાખના પશુપાલકોને ઢોર ચરાવવા ચીનાઓ જવા દેતા નથી, વાંગચૂકે ના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. વાંગચૂકે સત્યાગ્રહ કરી રહ્યા છે આ તાજેતરમાં ર૧ દિવસના ઉપવાસ કર્યા હતાં. તેમણે હજારો લોકો સાથે માર્ચ કાઢવાની પણ વાત કરી છે આમ, ચિપ્સ અને ચીન અત્યારે 'ટોક ઓફ ધ નેશનલ એન્ડ વર્લ્ડ' બની ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જેમ જેમ ઉમેદવારો જાહેર થતા જાય છે, તેમ તેમ પ્રચાર અભિયાનના મંડાણ થઈ રહ્યા છે જો કે, માત્ર ભાજપ-કોંગ્રેસ જ નહીં, પરંતુ મોટાભાગના રાજકીય પ્રાદેશિક પક્ષોમાં પણ ટિકિટ વહેંચણી પછી આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, તેથી છેલ્લી ઘડીએ ટિકિટ નહીં મળતા કેટલાક અસંતુષ્ટો બળવો પોકારે અને અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાને લઈને રાજકીય પક્ષો પરેશાન છે.
કેટલાક વિરોધપક્ષોની પરેશાનીનું કારણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહી પણ છે. કેજરીવાલ સામે ઈડીની કાર્યવાહી ચર્ચામાં છે, તો યુપીમાં મુખ્તાર અન્સારીના મોતના મુદ્દાએ પણ હવે રાજકીય રંગ પકડી લીધો છે, આ ઘટનાક્રમો વચ્ચે કોંગ્રેસ સૌથી વધુ પરેશાન જણાય છે કારણ કે કોંગ્રેસને ઈન્કમટેક્ષ વિભાગે ૧૮ર૩ કરોડ રૂપિયા વસુલવા માટેની નોટીસ ફટકારી દીધી છે.
કેન્દ્રીય આવકવેરા વિભાગે નવી નોટીસ વર્ષ-ર૦ર૦-ર૧ સુધીના ત્રણ વર્ષ માટે ફટકારી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં આઈટી વિભાગે રૂા. ર૧૦ કરોડની પેનલ્ટી ફટકારીને કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતાં. આ મુદ્દે કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં, પરંતુ સફળતા મળી નહીં, તે પછી કોંગ્રેસ આ મુદ્દો જનતા સમક્ષ પ્રસ્તૂત કરી રહી છે, અને બળાપો કાઢી રહી છે.
આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં અગ્રીમ સ્થાને રહેશે, તેના સંકેત કોંગ્રેસની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાંથી મળી ગયા હતાં. કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને અજય માકન આ મુદ્દે કેન્દ્ર સરકાર પર ધગધગતા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય એજન્સીઓની પણ ઝાટકણી કાઢી હતી. એવો આક્ષેપ કરાયો કે ભાજપે ઈલેકટોરલ બોન્ડ દ્વારા આઠ હજાર કરોડથી વધુ રૂપિયા શેલ કંપનીઓનો ઉપયોગ કરીને ભેગા કર્યા અને રેડ લાંચ પ્રિ-પોસ્ટ પેઈડ જેવા નુસખા અજમાવ્યા, તેની સામે આ કેન્દ્રીય એજન્સીઓ કોઈ કદમ ઉઠાવી રહી નથી અને પક્ષપાતી વલણ અપનાવી રહી છે.
કોંગ્રેસે તીખો તમતમતો આક્ષેપ કર્યો છે કે ટેકસ ટેરેરિઝમ દ્વારા કોંગ્રેસને ખતમ કરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દિલ્હીના કોંગ્રેસના હેડકવાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગી નેતાઓએ કહ્યું કે આ પ્રકારના જુલમ સામે અમે ઝુકવાના નથી, અને નોટીસોથી ડરવાના નથી. અને જનતા સમક્ષ વધુ આક્રમકતાથી આ મુદ મૂકીશું અને તાનાશાહીનો અંત લાવીશું વિગેરે.
અજય માકને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સાથે રહેલા સમાન વિચારધારાના અન્ય રાજકીય પક્ષોને પણ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 'સિલેકટીવલી' ટાર્ગેટ બનાવીને પરેશાન કરી રહ્યો છે.
તે પછી સુત્રોને ટાંકીને એવા અહેવાલો પણ આવ્યા કે સીપીઆઈને પણ ઈન્કમટેક્ષ વિભાગે જુના પાનકાર્ડનો ઉપયોગ કરવા બદલ મોટી રકમનો દંડ ફટકારીને જંગી રકમની ઉઘરાણી કરતી નોટીસ ફટકારી છે.
તૃણમુલ કોંગ્રેસના પ્રવકતાએ પણ કહ્યું કે ત્રણ દિવસમાં તેમના પક્ષને એક ડઝન જેટલી નોટીસો મળી છે, જે સૂચવે છે કે ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએની સરકાર વિપક્ષોને ખતમ કરવા માંગે છે, અને ટેકસ ટેરેરિઝમ ફેલાવાઈ રહ્યો છે.
જામનગરમાં પણ ટેકસ ટેરેરિઝમ જેવી જ ફરિયાદો ઉઠી રહી છે, અને વિવિધ પ્રકારના વેરાના તોતીંગ બીલોએ નગરજનોને પરેશાન કરી દીધા છે. મિલકતો આધારિત મોટી રકમના બાકી બીલોની ફરિયાદો તો ટોક ઓફ ધ ટાઉન બની જ હતી, પરંતુ ગયા વર્ષનો વેરો ઓનલાઈન ભરપાઈ કરી દીધો હોવા છતાં તેને બાકી બતાવીને પૂરા થયેલા વર્ષના બીલમાં બાકી બતાવીને વ્યાજ સાથેના બેવડા બીલ ફટકારાયા હોય, તો તેને ટેકસ ટેરેરિઝમ જ કહેવાય ને ?
વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવતી અને ઢોલ વગડાવતી મનતા બેવડા અને જંગી બીલો સુધારીને નવા યોગ્ય બીલો મોકલવાની અથવા નગરજનોની આશંકાઓ દૂર કરવામાં તત્પરતા કેમ દેખાડતી નથી ? તેવો સવાલ ઉઠે છે.
જે નગરજનોને બીલો જંગી રકમના આવ્યા હોય કે જે નગરજનોને બેવડા બીલો આવ્યા હોય, તેઓને એડવાન્સ બીલો ભરવાની પ્રેરણા મળે, તે માટે સમયસર બીલો સુધારીને પેમેન્ટ સ્વીકારવા અને તેટલી મુદ્દત વ્યાજમાફી સ્કીમની વધારવાની જરૂર હોય, તેમ નથી લાગતું !!
આ મુદ્દે મનપાના તંત્રો ચૂપકીદી સેવે, તેના કરતા જે હકીકત હોય તે સ્વીકારીને સુધારા-વધારા કરે અને વિવાદના બદલે સંવાદનો અભિગમ અપનાવે તે અત્યંત જરૂરી છે. મહત્તમ વેરાવસુલાતની વાહવાહી કરવાની સાથે સાથે નગરજનોની ફરિયાદો આવે, તેની રાહ જોયા વગર ક્ષતિઓની સ્વયંભૂ સુધારણાની દરકાર પણ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ?
એમ કહી શકાય કે દેશના મુખ્ય રાજકીય પક્ષો તથા મોટા નેતાઓ કેન્દ્રીય ટેક્ષ ટેરેરિઝમની બૂમરાણ મચાવી રહ્યા છે, જ્યારે નગરમાં ટેકસના તમામ બીલોની પુનઃ ચકાસણી કરવાની બાબતે જનમત ઘડાઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ તો ઈ.ડી. અને સીબીઆઈને વોર્નિંગ આપી રહ્યા હોય, તેમ કહી દીધુ કે ભવિષ્યમાં જ્યારે સત્તા પરિવર્તન થશે, ત્યારે આ એજન્સીઓ સામે પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવવા બદલ કાર્યવાહી થશે. તેમણે આ એજન્સીઓ ભવિષ્યમાં કયારેય આવું કરવાની હિંમત પણ નહીં કરી શકે તેવી ગેરંટી પણ આપી દીધી !
નેશનલ કક્ષાએ તો રાહુલ ગાંધી તથા કોંગી નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ નગરમાં આવી જ રીતે અવાજ કોઈ ઉઠાવશે ખરું ? તેની નગરજનો રાહ જોઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાત સરકારના ગૃહ વિભાગે સાઉન્ડ લિમિટર ન ધરાવતા હોય, તેવા ડી.જે., લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાના અહેવાલો પછી કાનફાડી નાંખે તેવા અવાજોથી પરેશાન જનતાએ હાશકારો અનુભવ્યો હશે. જો કે, સરકાર કે તંત્રો દ્વારા આદેશો, પરિપત્રો, જાહેરનામાઓ, પ્રસિદ્ધ કરી દેવાયા પછી તેનો કેટલો અને કેવો અમલ થતો હોય છે, તે પણ લોકો જાણે જ છે, અને તેથી જ એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે આ સૂચિત પ્રતિબંધોનો ચૂસ્ત અમલ થાય તો સારું...ધ્વનિ પ્રદુષણના માપદંડો અને તેના નિયમો ઉપરાંત હવે આ પ્રકારના સ્પષ્ટ આદેશો પણ થયા હોય, તો હવે આ ન્યુસન્સમાંથી લોકોને રાહત મળશે, તેવી આશા પણ જાગી છે.
જો કે, આ પ્રકારના સરકારે કોઈ આદેશો કર્યા હોય, તેમ જણાતુ નથી, કે પછી આ પ્રકારના સ્પષ્ટ આદેશો માત્ર કાગળ પર કરીને તેનો બહુ પ્રચાર ન કરાયો હોય, તેવું પણ બની શકે છે, પરંતુ રાજ્ય સરકારના ગૃહવિભાગે ગુજરાતની વડી અદાલતમાં કરેલા એક સોગંદનામામાં આ પ્રકારનો પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જણાવતા આ અહેવાલો વાયુવેગે વહેતા થયા હોય તેમ લાગે છે.
અહેવાલો મુજબ રાજ્યભરમાં સાઉન્ડ લિમિટર વિનાના કોઈપણ સ્પીકર, પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. ટ્રક વગેરેના ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન પર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.
અહેવાલો મુજબ રાજ્ય સરકારે અદાલતને એવી બાહેંધરી પણ આપી છે કે, જાહેર સ્થળો, શાળા-કોલેજો, હોસ્પિટલો, રહેણાંક વિસ્તારોની નજીક આ પ્રકારના સાધનો દ્વારા ઘોંઘાટ કરીને ત્રાસ ઊભો કરતા પરિબળોને નાથવા અને કડક પગલાં લેવા નિર્દેશો અપાયા છે. જાહેર સ્થળો, રહેણાંક વિસ્તારોના લોકોને ડી.જે. સાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકર દ્વારા ઘોંઘાટ કરીને ખલેલ નહીં પહોંચાડવાની તાકીદ કરતી સૂચનાઓ સાથે સતત ધ્યાન રાખીને નિરીક્ષણ કરતા રહેવા પણ તંત્રોને સૂચના અપાઈ છે.
પોલીસતંત્રો દ્વારા સાઉન્ડ સિસ્ટમ, ડી.જે., લાઉડસ્પીકરો દ્વારા થતા અવાજની ચોક્કસ માપણી થઈ શકે તે હેતુથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરો ફાળવવાની શરૂઆત પણ અમદાવાદથી થઈ ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
સરકારે રજૂ કરેલા એફિડેવિટને ટાંકીને આવી રહેલા વિસ્તૃત અહેવાલો મુજબ રાજ્યના ગૃહમંત્રાલયે રાજ્યના તમામ પોલીસ સત્તાધીશો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા ગ્રામપંચાયતોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડિસેમ્બર-ર૦૧૯ માં જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ તથા નોટિફિકેશન્સનો ચૂસ્ત અને કડક અમલ કરવાની તાકીદ કરી છે, આ નિર્દેશો મુજબ સાઉન્ડ લિમિટર વિનાની કોઈપણ સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકર, મ્યુઝિક સિસ્ટમ, ડી.જે. ટ્રક વિગેરેના ઉત્પાદકો, ડિલર્સ, દુકાનદારો કે કોઈપણ એજન્સી ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલેશન નહીં કરી શકે. આ ઉપરાંત હાલમાં વપરાતા આ પ્રકારના તમામ સાધનો-સિસ્ટમ-સામગ્રીમાં પણ સાઉન્ડ લિમિટર ફીટ કરાવવાનું ફરજીયાત કરી દેવાયુ છે, જેથી હવે સાઉન્ડ લિમિટર વિના આ પ્રકારની કોઈપણ સાધન-સામગ્રી કે સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે જ નહીં.
આ મુદ્ે એટલા કડક આદેશો અપાયા છે કે જે કોઈ ટ્રક-ટેમ્પો-રિક્ષા કે અન્ય વાહનોમાં પણ જો સાઉન્ડ લિમિટર વિનાના સાઉડ-સ્પીકર્સ કે સિસ્ટમ હશે, તો તે વાહનો સહિત આ પ્રકારની તમામ સાધન-સામગ્રી તત્કાળ જપ્ત કરી લેવાશે.
આ પ્રકારની કાર્યવાહી ઉપરાંત આ પ્રકારનું વાહન ચલાવનાર ડ્રાઈવર લિમિટર વિનાની સાઉન્ડ સિસ્ટમ અને સંલગ્ન સાધન-સામગ્રીના ઉત્પાદકો, માલિકો, સંચાલકો સામે પણ કાનૂની પગલા લેવાશે, તેવું જાહેર કરાયું છે, હવે જામનગર, હાલાર સિહત રાજ્યમાં આ સૂચનાઓનો કેટલો અમલ થાય છે, તે જોવાનું રહે છે.
આ કાનૂની કાર્યવાહીનો અમલ અમદાવાદથી શરૂ થયો છે અને અમદાવાદના સંદર્ભે આ સુનાવણી પછી રાજ્ય સરકારના ગૃહવિભાગે આ અંગેના રાજ્યવ્યાપી આદેશો-નિર્દેશો કર્યા હોય તો તે આવકારદાયક ગણાય, પરંતુ સૌથી મોટો સવાલ જ એ છે કે આ આદેશો-નિર્દેશો માત્ર કાગળ પર જ નહીં રહી જાય ને ?
આવી આશંકા ઉઠવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણીની મોસમમાં વપરાતી આ પ્રકારની તમામ સાધન-સામગ્રીને પણ આ નિયમો લાગુ થવાના હોવાથી તેની અસર તમામ રાજકીય પક્ષોને પણ થવાની છે, તેથી 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવો ઘાટ તો નહીં સર્જાય ને ? તેવી સ્વાભાવિક રીતે જ શંકાઓ ઉઠી રહી છે.
અમદાવાદ પોલીસે આ પ્રકારના આદેશો જાહેર કરી દીધા હોય તો તેનો અભ્યાસ કરીને હાલાર સિહત રાજ્યના તમામ પોલીસ સત્તાવાળાઓ તો આ પ્રકારના આદેશો કરશે જ, પરંતુ આ પ્રકારની હરકતને ચૂંટણીની આદર્શ આચારસંહિતામાં સમાવેશ કરી શકાય, તો અમલવારી વધુ અસરકારક અને સરળ બનશે, તેમ નથી લાગતું ?
જો કે, આ પ્રકારના પ્રતિબંધોનો ચૂસ્ત અને કડક અમલ થાય, તે બધા ઈચ્છે છે, પરંતુ જ્યારે પોતાના ઘરના આંગણે પ્રસંગ હોય, પોતાની સંસ્થા કે રાજકીય-સામાજિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવાનો હોય, ત્યારે આ પ્રકારના સ્વયંભૂ અંકુશો રાખવાનું ભુલાઈ જવાતું હોય છે, તેથી કાનૂની પ્રબંધોની સાથે સાથે આ મુદ્દે વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હુતાશણી પછી હવે ગરમી વધી રહી છે અને બપોરે ધગધગતા તડકા પડી રહ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણાં વિસ્તારોમાં હીટવેવની આગાહીઓ થઈ રહી છે અને વિવિધ પ્રકારના એલર્ટ અપાઈ રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પ્રચારની ગરમી પણ વધી રહી છે અને જેમ જેમ ઉમેદવારોની યાદીઓ જાહેર થતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોનો આંતરકલહ પણ સપાટી પર આવી રહ્યો છે. કુદરતી ગરમીની સાથે ચૂંટણી પ્રચારની ગરમી ભળી જતા માહોલ વધુને વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે હાલાર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ જેટ ગતિએ વધી રહી છે. આ ગરમીના દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે રેલીઓ યોજવી, ઘેર-ઘેર જઈને પ્રચાર કરવો અને મતદારોને રિઝવવાનું કામ પડકારરૂપ બનવાનું છે, એ નક્કી છે.
અત્યારે ચૂંટણી પ્રચાર અને કુદરતી ગરમીમાં કેટલીક તપાસ એજન્સીઓ દ્વારા ઠેર ઠેર પડી રહેલા દરોડાઓ તથા વીવીઆઈપી આરોપીઓ સામે ચાલી રહેલી અદાલતી કાર્યવાહીના અહેવાલો વધારો કરી રહ્યા છે, અને કાનૂની કાર્યવાહી તથા રાજકીય પ્રવૃત્તિઓની ભેળસેળ થઈ રહી છે, કારણ કે આ કાર્યવાહીની સીધી અસર દેશની રાજનીતિ પર પણ પડતી હોય છે, જો કે ન્યાયતંત્રની કાર્યવાહીને દેશની રાજનીતિ સાથે લેવાદેવા હોતી નથી, પરંતુ અદાલતી ફેંસલાઓને મુદ્દો બનાવીને ચૂંટણી પ્રચાર થતો હોવાથી અત્યારે ચાલી રહેલા હાઈ પ્રોફાઈલ કેસો પણ સતત ચર્ચામાં રહે છે, અને લોકતંત્રમાં તે સ્વાભાવિક પણ છે.
અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તે ઉપરાંત કેટલીક અન્ય પરીક્ષાઓ પણ દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહી છે. શાળા-કોલેજોની પરીક્ષાઓ પૂરી થઈ જાય, તે પછી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથકો, વગેરેની તૈયારીઓ ઝડપી બની જશે. ચૂંટણીઓની આદર્શ આચારસંહિતાનો અમલ, ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં બંદોબસ્ત, વીઆઈપી, વીવીઆઈપી અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ, અદાલતી કાર્યવાહી દરમિયાન જરૂરી સુરક્ષા અને રાજકીય પક્ષો દ્વારા યોજાતા રહેતા ધરણાં-પ્રદર્શનો તેમજ જુદા જુદા મુદ્દે જનઆંદોલનો વગેરેની સુરક્ષા વ્યવસ્થાઓમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વ્યસ્ત રહે છે, તથા આ માટે વ્યૂહાત્મક સ્થળે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવતા હોય છે. આ કારણે રાજ્યો તથા દેશની સુરક્ષા એજન્સીઓની કામગીરી વધી જતી હોય છે.
દેશના જુદા જુદા વિસ્તારોમાં હમણાંથી માર્ગ-અકસ્માતના ગમખ્વાર કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો રોગચાળો વકર્યા પછી કેટલાક કોરોનાના કેસો નોંધાયા છે. તે ઉપરાંત સિઝનલ અને વાયરન બીમારીઓના કારણે તમામ દવાખાના-હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
આ પ્રકારના પડકારો વચ્ચે ચૂંટણી તંત્ર લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી કેટલીક બેઠકો માટે પણ મતદાન થવાનું છે, ત્યારે આપણે સૌએ (ખાસ કરીને મતદારોએ) મતદાનના દિવસે પ્રાયોરિટીમાં મતદાન કરવાનું જ છે,તે અત્યારથી જ યાદ રાખી લેવાનું છે, તે ભૂલાય નહીં...
જો કે, હાલાર-સૌરાષ્ટ્ર સહિત રાજ્ય અને દેશમાં કેટલાક સ્થળે ગુનાખોરી વધી રહી છે. હમણાંથી ઘરફોડ ચોરીના બનાવો પણ સતત નોંધાઈ રહ્યા છે, અને આજે જ અમદાવાદમાં જાહેરમાં ફાયરીંગની ઘટના બની છે, તો મારામારી, જીવલેણ હુમલા, જુથ અથડામણો, હત્યા કે હત્યાનો પ્રયાસ, આત્મહત્યા, મહિલાઓ સંબંધિત અપરાધો ઉપરાંત સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ નોંધાઈ રહ્યા છે. તેથી ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટનાઓ પણ ચર્ચાના ચાકડે ચડી રહી છે. આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોય, તો તેના પર અંકુશ લાવવાની જવાબદારી પણ સંબંધિત તંત્રોની જ હોય છે, ખરૂ ને?
ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ થઈ રહ્યો છે, ત્યારે સુરક્ષા બંદોબસ્તો પણ વધુ કડક બની જતા હોય છે, તેથી વિદેશી શરાબના જંગી જથ્થા કે દેશીદારૂના અડ્ડાઓ પર તૂટી પડવાની સાથે સાથે નશો કરીને રાજપાઠમાં નીકળી પડતા નશાબાજો ઉપરાંત નિશાચરો-તસ્કરો પર પણ કડક અંકુશ જરૂરી છે, ખરૂ કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજનીતિમાં ઘણી વખત નેતાઓ સેલ્ફગોલ કરી લેતા હોય તેવું કદમ ઊઠાવી લેતા હોય છે કે પછી કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી તેમાં પોતે જ ફસાઈ જતા હોય છે. અત્યારે ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં વિવિધ સ્થળે જોવા મળી રહેલી સ્થિતિ તથા છૂપો આંતરિક અસંતોષ બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો હોય અને હવે આ અસંતોષ સપાટી પર આવી રહ્યો હોવાથી પ્રદેશ ભાજપની નેતાગીરી માટે આ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે, તો બીજી તરફ ઈ.ડી. દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનું ટાઈમીંગ લોકસભાની ચૂટણી સાથે સંકળાઈ ગયા પછી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીઓ સામે પણ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે.
ઈ.ડી. દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી સામે થઈ રહેલી કાર્યવાહી ચર્ચામાં છે અને શાસક પક્ષ માટે તે બૂમરેંગ પૂરવાર થઈ રહી હોય તેમ જણાય છે. કેજરીવાલની ધરપકડની વિરૂદ્ધમાં એક તરફ કાનૂની કાર્યવાહી થઈ રહી છે અને મામલો અદાલતોની અટારીએ પહોંચ્યો છે, તો બીજી તરફ ઈ.ડી.ની કસ્ટડીમાં હોવા છતાં બે દિવસમાં બે પ્રકારની સૂચનાઓ દિલ્હી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને મોકલીને તથા તે અંગેની જાહેરાત વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજીને જેલમાંથી સરકાર ચલાવવાની પહેલેથી કરેલી હુંકારને અનુરૂપ આમ આદમી પાર્ટીએ મોદી સરકારને જાણે પડકાર ફેંક્યો છે કે થાય, તે કરી લ્યો- અમે ડરવાના નથી!
બીજી તરફ રાજકીય વર્તુળોમાં પણ એવી વાતો વહેતી થઈ છે કે કેજરીવાલની સામે ચૂંટણી જાહેર થયા પછી થયેલી કાનૂની કાર્યવાહીનો રાજકીય ગેરફાયદો તો ભાજપને જ થવાનો છે, કારણ કે હવે જે કાંઈ બની રહ્યું છે, તેનો સીધો રાજકીય ફાયદો આમ આદમી પાર્ટીને જ મળી રહ્યો છે, અને કેજરીવાલના કારણે ઉત્તર ભારતમાં અને કે. કવિતાની સામે લેવાયેલ કાનૂની પગલાંના કારણે દક્ષિણ ભારતમાં સહાનુભૂતિની લાગણી ઉભરી રહી છે, જ્યારે વિપક્ષો સામે ચૂંટણી ટાણે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા લેવાઈ રહેલાં પગલાંની વિપરીત અસરો સામાન્ય જનમાનસ પર પણ વિપરીત રીતે પડી રહેલી જણાય છે. આ સ્થિતિ ભાજપ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકારક થઈ શકે છે, પરંતુ જો એનડીએ અને મોદી સરકાર લોકોને એવું સમજાવવામાં સફળ થાય કે આ તમામ કાનૂની પગલાં ભ્રષ્ટાચારી પરિબળોની વિરૂદ્ધમાં સરકારનું સાહસિક કદમ છે અને રાજકીય નુક્સાનની પરવાહ કર્યા વિના મોદી સરકાર ભ્રષ્ટાચારીઓને નાથવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે જનમાનસ બદલી પણ શકે છે. આમ પણ વિપક્ષી ગઠબંનના વિવિધ પક્ષોના મોટામાથાઓ સામે ઈ.ડી., સીબીઆઈ, આઈ.ટી. કે એનઆઈએ જેવી કેન્દ્રિય એજન્સીઓની તપાસ તો પહેલેથી ચાલી જ રહી છે, અને આ બધા ભ્રષ્ટાચારી પરિબળો એકત્રિત થઈ ગયા હોવાનો આક્ષેપ પણ એનડીએ તરફથી થતો રહ્યો છે, તેથી ચૂંટણી ઘણાં તબક્કામાં થનાર હોવાથી ત્યાં સુધીમાં કાંઈપણ થઈ શકે છે, તેવું માનનારા રાજકીય વિશ્લેષકો 'વેઈટ એન્ડ વોચ'ની સલાહ આપી રહ્યા છે.
માત્ર વિપક્ષી ભ્રષ્ટ નેતાઓની સામે જ કેન્દ્રિય એજન્સીઓ કેમ કદમ ઊઠાવી રહી છે, અને ભાજપમાં સામેલ થઈ જતાં વિપક્ષી નેતાઓની સામે થયેલા આક્ષેપો ક્યા વોશીંગ મશીનમાં ધોવાઈ જાય છે. તેવા સવાલો ઊઠી રહ્યા છે. કેજરીવાલની ધરપકડના દેશમાં જ નહીં, વિદેશમાં પણ પડઘા પડી રહ્યા છે.
જો કે, ભારત સરકાર કેજરીવાલની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો ભારતનો આંતરિક મામલો ગણી રહી છે, તેમ છતાં હવે વિશ્વની મહાસત્તા તરફથી પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાયા પછી મોદી સરકાર સામે કેજરીવાલના મુદ્દે વૈશ્વિક જનમત પણ ઊભો થઈ રહેલો જણાય છે.
જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ સામે વિરોધ દર્શાવ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયે જર્મનીના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવી જર્મનીને ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી હતી, પરંતુ હવે અમેરિકાએ પણ આ મુદ્દો ઉછાળતા મોદી સરકાર અને ભાજપ સામે એક નવી વિટંબણા ઊભી થઈ ગઈ છે, કારણ કે આ મુદ્દો જો વૈશ્વિક જનમત ઘડવા લાગે તો તેની સીધી અસર મોદી સરકારે વિદેશોમાં ઊભી કરેલી ઝળહળતી છબિ અને ઝગમગતી આભા પર પડી શકે છે, ખરૂ ને?
અહેવાલો મુજબ જર્મની પછી અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડને લઈને નારાજગી વ્યક્ત કરી છે, જો કે, અમેરિકાએ સમતોલ નિવેદન આપતા કહ્યું છે કે, કેજરીવાલના કેસમાં અમે નિષ્પક્ષ, પારદર્શિક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખી રહ્યા છીએ, અને ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છીએ.
ભારતનો આ મુદ્દે સ્પષ્ટ અભિગમ છે કે આ તમામ બાબતો અમારા દેશની આંતરિક છે, જેમાં અન્ય દેશોએ હસ્તક્ષેપ કરવો ન જોઈએ. ભાજપ કહે છે કે દારૂ વેંચનારાઓનું કમિશન વધારીને કરોડોની કટકી કરનાર કેજરીવાલ ભલે વિક્ટીમ કાર્ડ ખેલે, પણ સફળ નહીં થાય... જોઈએ... જનતા જનાર્દન શું ફેંસલો આપે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સ્વ. શેખર રતિલાલ માધવાણી
(દેહવિલય તા. ૨૫-૦૩-૧૯૯૬)
તા. રપમી માર્ચ-૧૯૯૬ નો એ દિવસ અમને સૌને આંચકો અને આઘાત આપનારો તો હતો જ, પરંતુ સમગ્ર હાલારમાં શોક વ્યાપી ગયો હતો કારણ કે મિલનસાર સ્વભાવના શેખરભાઈ હાલારીઓના હૈયે વસેલા હતાં.
શેખરભાઈએ અચાનક આ દુનિયામાંથી જ્યારે અંતિમ વિદાય લીધી ત્યારે માધવાણી પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હતો અને અશ્રૂઓનો દરિયો ઉભરાયો હતો. શેખરભાઈ નગરની સંખ્યાબંધ સેવાભાવિ અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા, અને બહોળું મિત્રમંડળ ધરાવતા હતાં. સૌ કોઈના સુખ-દુઃખમાં ભાગ લેવો અને જરૃર પડ્યે અડધી રાત્રે પણ વિના કહ્યે મદદે દોડી જવું તેવો તેમનો ઉમદા સ્વભાવ હતો.
તેઓએ પિતા સ્વ. રતિલાલ માધવાણીના પગલે ચાલીને 'નોબત'ની વિકાસની યાત્રાને આગળ ધપાવી હતી. તેમની કુશળતા અને ઓલ રાઉન્ડ કાબેલિયતના કારણે અખબારના તમામ વિભાગોની રોજીંદી જરૃરિયાતો પ્રક્રિયાઓ, સમસ્યાઓ અને રોજ-બ-રોજના કામકાજો તેઓ એટલી સરળતાથી નિપટાવી લેતા હતાં કે એકંદરે અખબારનું સંચાલન ઘણું જ સરળ બની જતું હતું. તેઓની સેવા પ્રવૃત્તિઓ પણ આજ પર્યંત ઘણાં બધા લોકોની સ્મૃતિઓમાં જિવંત હશે.
આ સાંધ્ય દૈનિકને લોકોના દિલ સુધી પહોંચાડવા અને તેની નિયમિતતા, ગુણવત્તા, આધુનિકતા તથા અબાલવૃદ્ધ, સૌને ગમે તેવી વાચનસામગ્રી પીરસવાની માધવાણી બંધુઓની સહિયારી પોલિસીમાં તેઓની મહત્તમ ભૂમિકા નોંધપાત્ર રહેતી હતી.
તેઓ એક સામાજિક જીવ પણ હતા અને સહૃદયતા અને સેવાભાવના તેમની રગ-રગમાં દોડતી હતી અને એવા ઘણાં લોકો અને પરિવારો હશે, જેને તેઓ વ્યક્તિગત રીતે મુશ્કેલીના સમયે મદદરૃપ થયા હશે, અને તેની કોઈને કાનોકાન ખબર પણ નહીં પડી હોય, તેઓ કોઈને મદદ કરતા તો પણ તેનું પૂરેપૂરું આત્મસન્માન જળવાઈ રહે તેની કાળજી રાખતા હતા, જે તેની વિશેષતા પણ હતી અને મહાનતા પણ હતી.
તેઓની કારમી વિદાયના સમયે માધવાણી પરિવાર અને નોબત પરિવાર, નગરજનો તથા હાલારીઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા તેમના ચાહકવર્ગ અને 'નોબત'ના વાચક વર્ગને પણ જબરો આંચકો લાગ્યો હતો.
તેઓની કારમી વિદાય કાયમી આઘાત આપી ગઈ હતી, પરંતુ કુદરતના ઘટનાક્રમ પાસે આપણું કાંઈ ચાલતું નથી, તેથી હૃદય પર પથ્થર રાખીને પણ આ વાસ્તવિકતા સ્વીકારી પડતી હોય છે. તેઓની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેઓને હૃદયપૂર્વક સ્નેહભરી શ્રદ્ધાંજલિ અર્પીએ.
જામનગર. તા.૨૬-૦૩-૨૦૨૪
- માધવાણી પરિવાર, નોબત પરિવાર

મોસ્કોના કોન્સર્ટ હોલ પર પાંચ આતંકીઓએ કરેલા હુમલામાં અનેક લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા પછી હાહાકાર મચ્યો અને તેના વૈશ્વિક પડઘા પડ્યા પછી દુનિયામાં ફરી એક વખત આતંકવાદને વૈશ્વિક પડકાર માનીને તેની સામે સમગ્ર વિશ્વે આંતરિક ભેદભાવ ભૂલી જઈને સહિયારી લડત આપવી જ પડશે, તેવો વૈશ્વિક જનમત ઊભો થઈ રહ્યો છે.
વિશ્વના કોઈપણ દેશમાં નિર્દોષ લોકોની સામૂહિક હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસને વખોડવો જ જોઈએ અને આતંકવાદીઓને લઈને વિશ્વમાં કોઈ સમાન વ્યૂહરચના ઘડીને સમગ્ર વિશ્વે કોઈપણ પ્રકારના આતંકવાદ સામે સમયબદ્ધ રીતે, સતત અને પ્રબળ ઈચ્છાશક્તિથી લડવું પડશે, તેવા અભિપ્રાયો પણ વ્યકત થવા લાગ્યા છે.
રશિયા જેવા શક્તિશાળી દેશની રાજધાનીમાં જ આ પ્રકારનો ખતરનાક આતંકી હૂમલો થાય અને આટલા બધા લોકોના જીવ જાય, તે દર્શાવે છે કે કોઈપણ દેશે આતંકવાદને અન્ડરએસ્ટિમેટ કરીને અવગણના કરવા જેવી નથી. એવું કહેવાય છે. કે અમેરિકાએ આ પ્રકારના આતંકી હૂમલાની આશંકા પહેલેથી જ વ્યકત કરી હતી પરંતુ રશિયાએ કદાચ આ પ્રકારની આશંકાની અવગણના કરી હોય કે પછી આતંકવાદીઓને અન્ડરએસ્ટિમેટ કર્યા હોય, તેથી આ હુમલો થતો અટકાવી શકાયો નહીં હોય, તેવા અનુમાનો થઈ રહ્યા છે. બીજી તરફ વિશ્વના દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે અને મૃતકો-ઘાયલો તથા તેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. ભારત પણ રશિયાની પડખે ઊભું છે અને આતંકી હુમલાને વખોડીને દુઃખની ઘડીમાં ભારતીયો તરફથી સંવેદના વ્યકત કરવામાં આવી રહી છે.
આ હુમલા પાછળ યુક્રેનનો હાથ નથી, તેવી યુક્રેનના રાષ્ટ્રપતિની ચોખવટ તથા મોસ્કો ટાઈમસને ટાંકીને જણાવ્યું કે હુમલો આઈએસએસ દ્વારા કરાયો હતો, તેવા અહેવાલો પછી આ હુમલાની વૈશ્વિક અસરોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
હકીકતે થોડા દિવસો પહેલા જ અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયામાં સાવચેત રહેવા અને ભીડભાડ થતી હોય, તેવા સ્થળોમાં જવાનું ટાળવાની એડવાઈઝરી આપી હતી, અને આ પ્રકારના આતંકી હુમલાની સંભાવના જણાવી હતી, જેને ગંભીરતાથી લઈને જરૂરી સાવચેતીના પગલાં લેવાયા નહીં, તેની પણ ટીકા થઈ રહી છે.
એક તરફ પાંચેય આતંકવાદીઓ હુમલો કરીને સહી સલામત પોતાના દેશમાં પહોંચ્યા હોવાના અહેવાલો આવ્યા, તો બીજી તરફ એક સંદિગ્ધ પકડાયો હોવાની વાત પણ સામે આવ્યી. આ વિરોધાભાસી અહેવાલો પછી આજે રશિયામાં જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
રશિયામાં ભારત-અમેરિકા કે બ્રિટન જેવું લોકતંત્ર નથી, તેથી ખુલ્લેઆમ ટીકા થતી હોતી નથી, પરંતુ વૈશ્વિક ચર્ચાઓ મુજબ જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય ત્યાં મોસ્કોમાં શું તદ્દન પોલંપોલ ચાલતી હશે ? હજારો લોકો એકઠા થતાં હોય કે અવર-જવર રહેતી હોય, ત્યાં સુરક્ષા અને સલામતીના પ્રબન્ધો જ નહીં હોય, કે પછી આ વ્યવસ્થા એટલી તકલાદી હશે કે પાંચ બંદુકધારીઓ-આતંકીઓ આવીને માનવસંહાર કરીને સહી સલામત બહાર નીકળી જાય ? એવું પણ બની શકે કે આખી ઘટનાની સંપૂર્ણ વિગતો અને સત્ય તથ્યો પ્રારંભમાં બહાર જ આવી ન હોય ?
આ હૂમલાની જવાબદારી આઈએસઆઈએસ જેવા ખતરનાક સંગઠને લીધી હોય, તે ભારત સહિત અન્ય દેશોએ પણ એકદમ એલર્ટ થઈ જવા જેવું છે, અને ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. આતંકવાદીઓને કયારેય અંડર એસ્ટીમેટ કરી શકાય નહીં. ભારતમાં આતંકવાદી હુમલાઓ ઘટી ગયા છે, અને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત થઈ ગયા છે, તેમ છતાં રશિયાની આ ઘટના પછી ભારતીય એજન્સીઓએ પણ સતર્ક થઈ જવા જેવું ખરું...
રશિયામાં આતંકી હૂમલાએ નવો વૈશ્વિક પડકાર પણ ઊભો કર્યો છે. આઈએસઆઈએસના ચીફ માર્યા ગયા હોવાના અહેવાલો ઘણી વખત આવે છે, તેનું સ્થાન કોણે લીધું તે પણ જાહેર કરવામાં આવે છે અને ફરીથી મરેલા આતંકીઓ પ્રગટ થતા હોવાના ચોંકાવનારા અહેવાલો પણ આવતા હોય છે તેથી આઈએસઆઈએસના ખાત્મા માટે માત્ર આતંકીઓ કે તેના ચીફ, કમાન્ડરો કે માસ્ટર માઈન્ડ ને ઠાર કરવામાં આવે તે પૂરતું નથી, આ વિચારને જ જડમૂળથી ખતમ કરવો પડે તેમ છે. આ માટે વિશ્વે એકજૂથ થવું પડે અને નિર્દોષોને સંહાર કરનાર તમામ આતંકીઓને એક દૃષ્ટિએ મુલવીને જ સામૂહિક વૈશ્વિક પ્રહાર સતત કરતા રહેવું પડે, ખરું કે નહીં...?
ભારતમાં હોળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, તેવા સમયે રશિયામાં હત્યાની હોળી પ્રગટી છે, અને ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે, ત્યારે મૃતકો અને ઘાયલોના પરિવારો પર આવી પડેલા દુઃખ સામે લડવાની તેઓને ઈશ્વર શક્તિ આપે અને વિશ્વના દેશો હવે આતંકવાદના અસુરનો સંહાર કરવા એકજૂથ થઈને નૃસિંહ સ્વરૂપ ધારણ કરે, તેવું ઈચ્છીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજથી આઈપીએલની ટકાટક ટુર્નામેન્ટનો રોમાંચ શરૃ થશે, જામનગરની લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા હવે હાલારમાં હોળી-ધૂળેટીની સાથે ચૂંટણીનો જંગ પણ જામશે અને લોકોને ધૂળેટી પર્વે રંગભર્યા ઉત્સવની સાથે ચૂંટણીના અવનવા પ્રચારના કલર્સ પણ જોવા મળશે. બીજી તરફ દેશની રાજધાનીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગત રાત્રે ઈડી દ્વારા ધરપકડ કરાયા પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે.
કેજરીવાલની ધરપકડ પછી ઈન્ડિયા ગઠબંધનના ધટકપક્ષો ફરીથી એકજૂથ થઈ રહ્યા છે અને ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને તીખા-તમતમતા પ્રહારો કરી રહ્યા છે, તે જોતાં લોકસભાની ચૂંટણીમાં પણ વિપક્ષો આવી જ એકતા દેખાડીને ભાજપ સામે જંગ માંડશે, તેમ જણાય છે, એકંદરે કેજરીવાલની ધરપકડને તાનાશાહી અને રાજકીય ઈરાદાઓ સાથેની ગણાવાઈ રહી છે અને મોદી સરકાર પર વિપક્ષોને ખતમ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓના બેફામ દૂરૃપયોગની આક્ષેપબાજી થઈ રહી છે, તો બીજી તરફ કેજરીવાલની ધરપકડ વિપક્ષી ગઠબંધનને વધુ મજબૂત બનાવશે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. બીજી તરફ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે, તેથી મુખ્યમંત્રી જેલમાં હોય કે, કસ્ટડીમાં હોય તે પણ કદાચ સ્વતંત્ર ભારતની પ્રથમ ઘટના હશે નહીં ?
એક અભિપ્રાય એવો પણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી કેજરીવાલની આ રીતે રાતોરાત ધરપકડ કરવાથી આમ આદમી પાર્ટી તથા કેજરીવાલને જનતાની સહાનુભૂતિનો રાજકીય ફાયદો પણ મળવાનો છે અને આમ આદમી પાર્ટીને તમામ વિપક્ષોની પણ સહાનુભૂતિ મળનાર હોવાથી તેને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ પણ થઈ શકે છે.
કેજરીવાલની ધરપકડના પ્રત્યાઘાતો દેશની રાજધાનીમાં પણ વ્યાપક સ્વરૃપમાં પડી રહ્યા છે. લગભગ તમામ વિપક્ષી નેતાઓએ આ ધરપકડને લોકતંત્રની હત્યા, રાજાની તાનાશાહી, બદલાની ભાવના, લોકસભાની ચૂંટણી સમયે જ વિપક્ષોને કચડી નાંખવાનું ષડયંત્ર અને ગેરબંધારણીય કૃત્ય ગણાવીને મોદી સરકારની આકરી ટીકા કરી છે,
હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશની રાજધાની દિલ્હી અને દેશભરમાં ભાજપ સામે જે સંગ્રામ શરૃ કર્યો છે, તેની અસરો પણ દૂરગામી પડવાની છે અને વિરોધપક્ષો એકજૂથ થઈ જતાં એનડીએ સામે પણ રાજકીય પડકારો વધવાના છે. બીજી તરફ એનડીએના નેતાઓ - પ્રવકતાઓ પણ કેજરીવાલની ધરપકડ લીકર કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે થઈ છે, ત્યારે તેના સમર્થનમાં બોલી રહેલા તમામ રાજકીય પક્ષોનો ભ્રષ્ટાચારના સમર્થકો ગણાવી રહ્યા છે.
કેટલાક લોકો એવા અભિપ્રાયો પણ આપી રહ્યા છે કે દિલ્હીની હાઈકોર્ટે ગઈકાલે ઈડીની ફાઈલ જોયા પછી કેજરીવાલને ધરપકડ સામે સંરક્ષણ આપ્યું નહીં હોવાથી કાં તો દાળમાં કાળુ છે, અથવા તો આખી દાળ જ કાળી છે, તે હકીકત છે. આ જ પ્રકારના અભિપ્રાય સાથે કેટલાક લોકો આ કદમ ઉઠાવાયું, તેના ટાઈમીંગ સામે આશંકા વ્યકત કરી રહ્યા છે, અને ઘણાં સમયથી તોળાઈ રહેલી કેજરીવાલની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે એસબીઆઈ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ઈલેકટોરલ બોન્ડની સંપૂર્ણ વિગતો આપ્યા પછી તેની પ્રસિદ્ધિ ચૂંટણીપંચ દ્વારા થવાની હતી. મતલબ કે ઈલેકટોરલ બોન્ડનું મહાકૌભાંડ છાવરવા અને આ ફંડમાંથી શાસક પક્ષોને કઈ કંપની-લોકો-સમૂહોએ કેટલું ચૂંટણીફંડ આપ્યુ છે તે જાહેર થયા પછી તેના તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા આ ધરપકડનું ટાઈમીંગ નક્કી થયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
જો કેજરીવાલની ધરપકડ ગઈકાલે થઈ ન હોત, તો આજે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની ચર્ચા સર્વાધિક થઈ રહી હોત અને હાલારમાં પણ જામનગરની લોકસભાની બેઠકને લઈને ચર્ચા થઈ રહી હોત, એટલું જ નહીં, ગઈકાલે કોંગ્રેસે પોતાના બેન્કીંગ ખાતા ફ્રીઝ કરીને વિપક્ષના ચૂંટણીપ્રચારનું ગળું ઘોટવાના જે આક્ષેપો કર્યા તેના પણ વ્યાપક પડઘા પડી રહ્યા હોત, પરંતુ કેજરીવાલની ધરપકડ પછી આ બધું દબાઈ ગયું હોય તેમ જણાય છે અને તેથી જ એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ તથા વિપક્ષોના ચૂંટણી પ્રચારને વેરવિખેર કરવા અને લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનું સમયબદ્ધ અને સમજપૂર્વકનું આ ષડયંત્ર રચાયું છે !
જામનગરની બેઠક પરથી કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.પી. મારવીયાને ઉમેદવાર બનાવ્યા પછી ભાજપના પૂનમબેન માડમ સાથે ચૂંટણી જંગ જામશે.... જોઈએ... આગે આગે હોતા હે કયા ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હૂતાશણીનું પર્વ આવ્યુ અને હોળીની જાર બેસી ગઈ. લોકતંત્રના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આ વખતે આચારસંહિતાના અમલ દરમિયાન જ કેટલાક તહેવારોની ઉજવણી થવાની છે.
હૂતાશણી પ્રર્વે હોલિકાદહન થતું હોય છે, અને ગામેગામ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. છાણાં અને લાકડાથી પ્રગટતી હોળીમાં લોકો શ્રીફળ વગેરે પધરાવે છે. ધાણી-દાળીયા-ખજુર વગેરેની આહૂતિ સાથે હોળીની પરિક્રમા કરે છે અને તેમાંથી ઘેર-ઘેર સળગતો દેવતા લઈ જઈને ઘરના આંગણે પણ નાની હોળી પ્રગટાવીને તેનું પૂજન કરતા હોય છે. આ પરંપરા સૌરાષ્ટ્રમાં ગામેગામ જોવા મળે છે.
આ વર્ષે ભરૂચમાં પ્રગટતી વૈદિક હોવાનું અનુકરણ રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ થનાર હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે વૈદિક હોળી અને તેના પર્યાવરણલક્ષી ફાયદાઓને લઈને પણ લોકોની ઉત્કંઠા વધી છે.
ભરૂચની એક સંસ્થા દ્વારા માત્ર ગૌવંશના ગોબરમાંથી બનાવાયેલા છાણાંઓની હોળી જ પ્રગટાવવામાં આવે છે, જેને વૈદિક હોળી તરીકે વર્ણાવવામાં આવે છે. લાકડાના બદલે માત્ર છાણાંઓ દ્વારા પ્રગટાવાતી આ હોળીના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે અને વૃક્ષોના લાકડાઓની બચત થાય છે, તેવો દાવો કરવામાં આવે છે, આ પ્રકારની હોળીને વૈદિક હોળી ગણાવાય છે, જ્યારે આ પ્રકારની પર્યાવરણની સુરક્ષા સાથેના હોળી પ્રાગટ્યની દિશામાં રાજ્યમાં અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વિવિધ પ્રયોગો થતા હોવાના અહેવાલો પણ વિવિધ માધ્યમો દ્વારા આવતા હોય છે. એકંદરે આપણી પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પરંપરાઓ પણ જળવાઈ રહે, જંગલો કપાતા અટકે, પર્યાવરણ જળવાઈ રહે અને લોકોની આસ્થા પણ જળવાઈ રહે, તેવા પ્રેરણાત્મક સુધારાઓ હવે મોટાભાગના લોકો સ્વીકારતા થયા છે, તે શુભસંકેત છે અને ભરૂચ તથા અન્ય કેટલાક જિલ્લાઓમાં થયેલા આ દિશાના પ્રયાસોને આ વર્ષે વધુ વેગ મળશે, તેમ જણાય છે.
આપણા પ્રાચીનકાળમાં હોળીને 'નવા ન્નેષ્ટિયજ્ઞ' કહેવામાં આવતી હતી, અને ખેતીમાંથી અનાજ છૂટુ પાડ્યા પછી આ તહેવાર ઉજવાતો હતો વૈદિક કાળમાં હોળીના વિવિધ વર્ગનો છે. હોળી ઉત્સવને 'મદનોત્સ' પણ કહેવાય છે.
જો કે, વૈદિક હોળીના ગૂઢાર્થ વીતી ગયેલી બુરી વાતોને ભૂલીને અને રાગ-દ્વેષને અગ્નિમાં હોમી દઈને અચ્છાઈ તરફ આગળ વધવાનો સંદેશ પણ આપે છે. હોળીમાં બુરાઈઓ હોમી દઈને બીજા દિવસે સુંદરતા અને નિખાલસતાના રંગો ઉડાડીને જીવનને આનંદમય બનાવવાનો ગૂઢ સંદેશ પણ આ ઉજવણીમાંથી મળે છે.
દેશમાં વિવિધ રીતે હોળી રમવામાં આવે છે, ગોકુલ-મથુરાની લઠ્ઠામાર હોળી, રાજસ્થાનના જાલૌરની કાંકરામાર (પથ્થરમાર) હોળી, ઢોલવાદન હોલી, ફૂલડોલ ઉત્સવ, ફાલ્ગુનિયા હોલી વગેરે પ્રચલીત હોળી ઉત્સવો છે.
અત્યારે આપણો દેશ એક તરફ લોકસભાની ચૂંટણીઓના માહોલમાં રંગાઈ રહ્યો છે, તો બીજી તરફ રંગભર્યો હોળીનો તહેવાર પણ આવ્યો છે. હોલિકા દહન પણ થવાનું છે, ત્યારે લોકલ માર્કેટમાં પણ હૂતાશણી પર્વને લઈને ધમધમાટ વધી રહેલો જોવા મળી રહ્યો છે.
જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ તેમ પરંપરાઓ, રીત-રિવાજો અને ઉજવણીની પદ્ધતિઓ પણ બદલતી રહી છે. વર્તમાન યુગ, હાલના સંજોગો, પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને પડકારોને ધ્યાને રાખીને તમામ પ્રકારની ઉજવણીઓમાં બદલાવ થઈ રહ્યો છે, અને તે જરૂરી પણ છે, હવે પર્યાવરણને અનુરૂપ તથા બદલતા ઋતુચક્ર અને પૃથ્વી પર વધી રહેલા ભારણને ધ્યાને રાખીને જ આપણે વિવિધ ઉજવણીઓ કરવી પડશે, પરંતુ સાથોસાથ આપણી ગરિમામય પ્રાચીન સંસ્કૃતિ અને જીવોપયોગી પરંપરાઓ જળવાઈ રહે તથા જનસામાન્યની આસ્થા પણ અંકબંધ રહે, તેની કાળજી પણ રાખવી પડશે, ખરું ને ?
આપણી સહિયારી સંસ્કૃતિના તમામ તહેવારો, ઉત્સવો અને ઉજવણીઓની પાછળ મજબૂત ઉદ્દેશ્યો, આરોગ્યલક્ષી આયામો, સર્વજન હિતાય... સર્વજન સુખાય... ના હેતુઓ તથા વૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ માનવકલ્યાણ અને જીવકલ્યાણના લક્ષ્યો રહેલા હોય છે અને તે પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે તે અંતે માનવકલ્યાણ, પૃથ્વી, પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હિતવર્ધક જ પુરવાર થતા હોય છે, બસ, તેને પારખવાની દૃષ્ટિ હોવી જોઈએ, ખરું કે ખોટું ?
આજથી હોળી-ધૂળેટીના પર્વની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને તદ્દવિષયક ખરીદી માટે પણ બજારો ઉભરાઈ રહી છે ત્યારે હાલારીમાં પણ હૂતાશણી પર્વની ઉજવણીનો હર્ષોલ્લાસ વધી રહ્યો છે. દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ માટે પદયાત્રીઓનો પ્રવાહ રાજ્યના મોટાભાગના માર્ગો પરથી વહીને દ્વારકા પહોંચી રહ્યો છે, સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, અને અત્યારે તો હાલાર હૂતાશણીના રંગે રંગાવા જઈ રહ્યું છે... સૌરાષ્ટ્રમાં રંગભર્યો માહોલ સર્જાયો છે, ત્યારે આવો, આપણે પણ તહેવારોને મન ભરીને માણીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

અત્યારે દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણીપ્રચારની ધગધગતી ગરમી અનુભવાઈ રહી છે, તો પ્રચંડ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે અને ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો હોવાથી લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે.
કચ્છના કેટલા વિસ્તારોમાં તો ભારે પવનો સાથે વંટોળિયો સર્જાતા અફરાતફરીના દૃશ્યો જોવા મળ્યા અને કેટલીક વસ્તુઓ હવામાં ફંગોળાઈ રહી હોવાના વીડિયો પણ વાયરલ થયા છે. આંધી-વંટોળિયાના કારણે લોકોની ચીજવસ્તુઓ ઉડવા ઉપરાંત ખેતીપાકોને પણ નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.
અત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશ અને દુનિયામાં પણ મિશ્ર ઋતુ તથા બદલતા રહેતા હવામાનના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે.
યુનોના વર્લ્ડ મિટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના તાજા રિપોર્ટમાં પૃથ્વી લૂપ્ત થઈ જવાની સંભાવના હોવાનો ખતરો મંડરાઈ હોવાની ચેતવણી આપ્યા પછી સમગ્ર વિશ્વમાં ચિન્તા પ્રસરી ગઈ છે અને આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટમાં ઘણી જ ચિન્તાજનક સ્થિતિ તરફ વિશ્વ ધકેલાઈ રહ્યું હોવાની કડવી વાસ્તવિકતા જાહેર કરવામાં આવી છે. ગયું વર્ષ એટલે કે વર્ષ-ર૦ર૩ સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું અને રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. વાતાવરણમાં ગરમીના મોજા એટલા ઉછળ્યા હતા કે તેની અસરો સમુદ્રથી લઈને ઊંચામાં ઊંચા ગ્લેશિયરો સુધી વર્તાઈ હતી અને ગ્લેશિયરો અસધારણ ઝડપે પીગળવા લાગ્યા હતાં. આ કારણે સમુદ્રની સપાટીમાં પણ વધારો નોંધાયો હતો, જે જીવસૃષ્ટિ માટે વોર્નિંગ એલાર્મ જેવી સ્થિતિ ગણાય.
આ રિપોર્ટ મુજબ ગયા વર્ષે સરેરાશ કરતા તાપમાનનું સ્તર ૧.૪પ ડિગ્રી સેલસિયસ વધુ હતું જેની મર્યાદા પૃથ્વીની સપાટીની સરેરાશ એવરેજ કરતા ૧.પ વધુની હોવાથી અત્યારે તાપમાનની દૃષ્ટિએ પૃથ્વી રેડએલર્ટ પણ ગણાય, તેવી ચેતવણી પણ તેમણે આપી છે.
ગયા વર્ષે દરિયાઈ હીટવેવથી વિશ્વના ત્રીજા ભાગના મહાસાગરો પ્રભાવિત થયા હતા, જે વર્ષના અંતે મહત્તમ સપાટીએ પહોંચી ગયા હતા અને મહાસાગરોનો મોટાભાગનો હિસ્સો દરિયાઈ હીટવેવ્ઝની લપેટમાં આવી ગયો હતો, જેને પણ ભયજનક સ્થિતિ ગણાવાઈ રહી છે.
આ રિપોર્ટ મુજબ વર્ષ ર૦૧૪-ર૦ર૩ ના દાયકામાં તે પહેલાના દાયકા કરતા ડબલ ઝડપે દરિયાની સપાટી વધી રહી છે, જેને પણ પૃથ્વી પર આવી રહેલા ખતરા તરીકે ગણાવાઈ રહી છે.
આ તમામ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે જ ભારે ગરમી, ભારે પૂર, કયાંક જલપ્રલય તો કયાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ઋતુચક્ર પણ ખોરવાઈ રહ્યું છે.
એક તરફ યુનોના વડા કલાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ખતરામાં હોવાની ચેતવણી આપી રહ્યા છે, તો ભારતમાં વિપક્ષો લોકતંત્ર તથા બંધારણ ખતરામાં હોવાનો ઉહાપોહ મચાવી રહ્યા છે, અને તેની સામે શાસક એનડીએ દ્વારા થઈ રહેલા આક્રમક શાબ્દિક પ્રહારો અને વર્ણવાઈ રહેલી દેશની વિકાસયાત્રાના કારણે દેશનો રાજકીય માહોલ પણ ગરમાયો છે, અને દેશના પોલિટિકલ એન્વાયરમેન્ટમાં પણ ઈલેકટોરલ વોર્મિંગની અનુભૂતિ થઈ રહી છે.
ચૂંટણીનો માહોલ જામ્યો છે, અને રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ તમામ ઉમેદવારો જાહેર થઈ જાય, તે પછી જ ચૂંટણી ઝંઝાવાત વેગ પકડશે, તેમ જણાય છે. હજુ રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, અને તેની સાથે રિસામણા-મનામણાની મોસમ પણ પુરબહારમાં ખીલી રહી છે. ઘણાં લોકોના અંતરાત્મા જાગે છે ત્યારે કોઈ કદમ ઉઠાવે છે, પરંતુ તે પછી એ કદમ પાછું ખેંચે, ત્યારે ઘણાં લોકો કટાક્ષમાં કહેતા સંભળાય છે કે, 'અંતરાત્મા પાછો ફરીથી પોઢી ગયો હશે, નહીં ?'
આ વખતે મીડિયાકર્મીઓની સેવાઓનો સમાવેશ 'આવશ્યક'માં ગણીને પોષ્ટલ બેલેટની જે જોગવાઈ થઈ છે, તેને સામાન્ય રીતે આવકાર મળી રહ્યો છે, અને હવે આ સુવિધાનો અવશ્ય લાભ લઈને ચોક્કસપણે પોષ્ટલ બેલેટની સમયોચિત ફરજો બજાવવાની જવાબદારી પણ રહેવાની છે, ખરું કે નહીં ?
ભરૂચમાં આમ આદમી પાર્ટીને બેઠક ફાળવી દેવાના અહેમદભાઈ પટેલના પરિવારને થયેલો અસંતોષ ખાળવા કોંગ્રેસ નવસારી બેઠક પરથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ ફાળવી શકે છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે મજબૂત પડકાર ઊભો કરી શકે છે, તેવા અહેવાલો પછી દક્ષિણ ભારતના રાજકારણના ગણિત નવેસરથી મંડાઈ રહ્યા છે, અને ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવાની બુનિયાદ મજબૂત બની રહેલ જણાય છે, તો બીજી તરફ સતત ત્રણ વખતથી નવસારીની બેઠક પરથી ચૂંટાઈ રહેલા અને ગત ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ ધરાવતા પટેલને નવસારીની બેઠક પરથી હરાવવા મુશ્કેલ હોવાના તારણો પણ નીકળી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

'હમામ મે સબ નંગે હૈ..' જેવી જ ગુજરાતીમાં તળપદી કહેવત છે, 'આવ ભાઈ હરખા, આપણે બેય સરખા' અથવા 'કાચના ઘરમાં રહેનારા બીજા પર પથ્થર ન ફેંકે'...
અત્યારે કાંઈક આવું જ દેશ અને દુનિયાની રાજનીતિમાં બની રહ્યું છે. રશિયામાં ચૂંટણી થાય છે, રાષ્ટ્રપતિ પુતિનનો વિજય થાય છે, તેને અમેરિકા ડ્રામેબાજી ગણાવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ જ લઈ રહ્યું નથી. ચીનની અવળચંડાઈ અને પાકિસ્તાનની અકડાઈની અસરો દક્ષિણ એશિયાના દેશો પર વિપરીત રીતે પડી રહી છે, આ વૈશ્વિક અસમંજસની સ્થિતિ વચ્ચે કેટલાક દેશોમાં ચૂંટણીઓ થતાં સત્તા પરિવર્તનો કે પછી સત્તા પુનરાવર્તનોની સંભવિત અસરો પણ વૈશ્વિક રાજકરણ પર પડવાની જ છે, આ કારણે જ પાકિસ્તાનમાં ગઠજોડ કરીને રચાયેલી શાહબાજ સરકાર પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે.
ભારતમાં તો હવે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્રચાર-યુદ્ધના મંડાણ થઈ ચુક્યા છે, ત્યારે દેશમાં કોઈપણ ક્ષેત્રે કોઈપણ ઘટના ઘટે, તો તેની રાજનૈતિક અસરો પણ થવાની જ છે અને ચૂંટણી પ્રચારના સમયગાળામાં મુદ્દાઓ પણ રોજ-બ-રોજ ફરતા જ રહેવાના છે, નેતાઓની બયાનબાજી પણ હવે મહત્ત્વપૂર્ણ બનવાની છે, અને એકાદ શબ્દપ્રયોગ કે વાક્યને પકડીને સમગ્ર ચૂંટણીસંગ્રામ તેના આધારે લડાયો હોય, તેવા અનેક દૃષ્ટાંતો આપણા લોકતાંત્રિક ઈતિહાસમાં મોજુદ છે, જેથી રાજનેતાઓ તથા તેના પ્રવકતાઓએ અને ખાસ કરીને સ્ટારપ્રચારકોએ ઘણું જ સમજી વિચારીને બોલવાની ટેવ પાડવી પડશે. અને ચૂંટણીના સમયગાળા દરમિયાન આચાર-વિચાર-વ્યવહાર અને રોજીંદી પ્રચાર શૈલીમાં પણ સાવધાની રાખવી પડશે.
અત્યારે પહેલેથી જ ઘણી બાબતો જુદા જુદા ન્યાયલયોમાં પેન્ડીંગ હશે, અને પીઆઈએલના માધ્યમથી કેટલીક અરજીઓ પણ વિચારાધિન હશે, કે પછી આગામી સમયમાં થશે. આ તમામ અરજીઓ, કેસો વગેરેની સુનાવણી અદાલતોમાં ચાલશે, અને જે કાંઈ નિર્ણયો આવશે, દલીલો થશે કે ટિપ્પણીઓ કે ઓફિડેવીટ થશે, તેની સીધી અસર રાજનીતિ પર પણ પડવાની છે, અને રાજકીય પક્ષો તેના આધારે પોતાના પ્રચારની રણનીતિ બદલતા રહેવાના છે, તે પણ નક્કી જણાય છે.
દૃષ્ટાંત તરીકે સુપ્રિમ કોર્ટની સૂચના મુજબ એસબીઆઈએ ચૂંટણીપંચને ઈલેકટોરલ બોન્ડ અથવા ચૂંટણી બોન્ડની વિગતો તો આપી, પણ અધુરી આપી, તેથી સુપ્રિમ કોર્ટે તેને ફટકાર લગાવી, હવે ફરીથી ચૂંટણીપંચને વિગતો આપવાની સાથે સાથે સર્વોચ્ચ અદાલતમાં એવું એફિડેવીટ પણ કરવું પડશે કે ચૂંટણીબોન્ડને લગતી કોઈ જ માહિતી આપવાની હવે બાકી રહી જતી નથી. એસબીઆઈ ગુરૃવાર સુધીમાં તમામ માહિતી પૂરી પાડે, તે પછી ચૂંટણીપંચ તે માહિતી વેબસાઈટ પર મૂકશે, તે પછી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યુ છે, અને કયારે મળ્યુ છે. આ માહિતી એટલી વિસ્ફોટક હશે કે ભારતીય રાજનીતિની બુનિયાદ હલાવી દેશે, તેવા દાવા પણ થઈ રહ્યા છે.
કેન્દ્ર અને રાજ્યોમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મળ્યુ છે અને એકાદ-બે અપવાદ સિવાય તમામ મુખ્ય મુખ્ય પક્ષોને આ પદ્ધતિ હેઠળ ફંડ મળ્યુ છે, તેને લઈને મીડિયામાં 'ચંદા કા ધંધા' ની થીમ હેઠળ ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.
એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર અને રાજ્યોની તપાસ અને અન્ય એજન્સીઓના વ્યાપક દરોડા પડ્યા હોય, અને તે પછીના સમયમાં તરત જ જેને ત્યાં દરોડા પડ્યા હોય, તે કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓ ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી જંગી ચૂંટણી ફંડ જમા કરાવે, તો તેને શું સમજવું ?
જો ચૂંટણીબોન્ડ દ્વારા મોટી રકમ કોઈ રાજકીય પક્ષને દાનમાં આપી હોય અને તે પછી તેને જાયન્ટ કોન્ટ્રાકટ મળ્યા હોય તો તેને શું સમજવું ?
આ પ્રકારની ઘટનાઓ દરેક વખતે યોગાનુયોગ ન હોઈ શકે, અને તેમાં રાજ્યો અને કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોનું કોઈ દબાણ કે પ્રભાવ બીલકુલ હોય જ નહીં, તેવું બની શકે ખરું ?
દેશવ્યાપી ચર્ચાઓ દરમિયાન એક એવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો રાજકીય પક્ષો એટલા બધા ચોખ્ખાચણક હોય તો પોતે જ તેઓને મળેલા ફંડની વિગતો જાહેર કરી દેવાની પહેલ કેમ નથી કરી રહ્યા ? તમામ રાજકીય પક્ષોને પોતાને ચૂંટણીફંડ દ્વારા કોના તરફથી કેટલું ફંડ કયારે મળ્યુ તે તો ખબર જ હશે ને ? પરંતુ હમામ મેં સબ નંગે હૈ...
આ પહેલા એસબીઆઈએ જે કાંઈ માહિતી આપી છે, તેના આધારે પણ વિવિધ રાજ્યોમાં કેન્દ્રીય અને રાજ્યોની એજન્સીઓ દ્વારા પડેલા દરોડા પછી થયેલું ફંડીંગ, અપાયેલા કોન્ટ્રાકટરો, અન્ય લાભો તેમજ રાજકીય ક્ષેત્રે થયેલી ઉથલપાથલોને સાંકળીને જે અનુમાનો થઈ રહ્યા છે, તે જોતા એમ ચોક્કસ કહી શકાય કે એસબીઆઈ દ્વારા અપાયેલી સંપૂર્ણ માહિતી ચૂંટણીપંચ જાહેર કરે, તે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ યક્ષપ્રશ્ન એ પણ છે કે તે પછી શું થશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને આદર્શ આસારસંહિતા લાગુ થઈ ગઈ, તેની સાથે જ ગઈકાલે મુંબઈ, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન પ્રસંગે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનું જાણે શક્તિ પ્રદર્શન થયું અને જુદા જુદા પક્ષોના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રમાંથી એનડીએની સરકાર હટાવવાનું આહ્વાન કર્યું. નારાઓ ગુંજ્યા કે, 'અબકી બાર... બીજેપી તડીપાર'...
હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો 'અબકી બાર ચારસો કે પાર' નો નારો આપ્યો છે, તેની સામે આ નારો ગુંજતો થયો છે. વિપક્ષી નેતાઓએ આ રેલીમાં જે શક્તિ પ્રદર્શન કર્યું, તે પછી દેશમાં લોકસભાની ચૂંટણીનો વિપક્ષ તરફથી પણ મજૂત રણટંકાર થઈ ગયો છે, અને એનડીએ તો પહેલેથી જ 'ચારસો પાર'ના નારા સાથે મેદાનમાં જ છે.
વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં જે એકજૂથતા દેખાઈ, તેમાં કોણ સાથે છે અને કોણ નથી, તેના પણ પારખા થઈ ગયા હકીકતે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન મહારાષ્ટ્રમાં થયું તે પ્રસંગે વિપક્ષી ગઠબંધનના દિગ્ગજોને મુંબઈમાં બોલાવાયા હતાં.
આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે ગઠબંધનના અન્ય રાજકીય પક્ષોના દિગ્ગ્જો પણ જોવા મળ્યા હતાં, જેમાં ઉદ્ધવ ઠાકરે, મહેબુબા મૂફતી, શરદ પવાર, એમ.કે. સ્ટાલિન, તેજસ્વી યાદવ, પ્રકાશ આંબેડકર સહિતના ઘણાં દિગ્ગજ વિપક્ષી નેતાઓ જોડાયા હતાં. આ રેલીમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લહે જે નિવેદન આપ્યું તે રાજકીય વર્તુળોમાં ઘણું જ ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે ઈવીએમને લઈને જે શબ્દપ્રયોગો કર્યા તે ચર્ચામાં છે.
બેલેટપેપરથી મતદાનની જરૂર જણાવતા ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે દેશની જનતા જો ઈન્ડિયા ગઠબંધનને જનાદેશ આપશે, અને કેન્દ્રમાં અમારી (ઈન્ડિયા ગઠબંધનની) સરકાર આવશે, તો ઈવીએમ હટી જશે, અને ચૂંટણીપંચ સ્વતંત્ર હશે, તેમણે આ લડત દેશવાસીઓ, બંધારણ અને દેશને બચાવવાની હોવાથી વિપક્ષી એકતાની મજબૂતી અંગે આશાવાદ વ્યકત કર્યો હતો.
રાહુલ ગાંધીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર ઈલેકટોરલ બોેન્ડને ગણાવીને તીખા તમતમતા સવાલો ઉઠાવ્યા છે, રાજાનો અવાજ ઈવીએમ, સીબીઆઈ, ઈડી અને આઈટીમાં છે, તેવો નામ લીધા વગર કરવામાં આવેલો કટાક્ષ પણ ગઈકાલથી ચર્ચામાં છે, રાહુલ ગાંધીના મંતવ્ય મુજબ વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષાંતર કરાવાઈ રહ્યું છે તેમણે તો એક નવો વિવાદ પણ ઊભો કરી દીધો છે અને વડાપ્રધાનની કાર્યશૈલીની ટીકા કરી અને તેઓને મહોરું ગણાવ્યા, તે પછી તેના સંદર્ભે ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ તેમનો જવાબ આપી રહેલા જણાયા હતાં એકંદરે ચૂંટણીના સંગ્રામમાં નિવેદનબાજી, આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને પોષ્ટર યુદ્ધના મંડાણ હવે થઈ ચૂક્યા છે.
તેજસ્વી યાદવે કહ્યું કે અમારી લડાઈ મોદીજીને હરાવવાની નથી, પણ વિચારધારાની છે, અમે વિભાજનકારી વિચારધારાની વિરૂદ્ધમાં છીએ. બેરોજગારીઓ અને મોંઘવારીના મુદ્દે અમો લડી રહ્યા છીએ.
ઈવીએમ સામે આમ તો પહેલેથી જ સવાલો ઉઠતા રહ્યા છે, અને તેના જવાબો પણ અપાતા રહ્યા છે, પરંતુ ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જે ગરબડ થઈ, તે પછી ફરીથી ઈવીએમનો મુદ્દો ઉછળ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને પછાડીને વિપક્ષોએ સત્તા મેળવી હતી, તેમાં ઈવીએમ સાચા અને ભાજપ જીતે ત્યાં ખોટા ? તેવા પ્રતિસવાલોનો સ્પષ્ટ જવાબ પણ મળી રહ્યો અને અદાલતની અટારીએ પણ આ મુદ્દો ફરી હજુ પહોંચ્યો નથી તેથી આ વિવાદ હવે માત્ર પ્રચારના મુદ્દોઓ પૈકીનો જ એક મુદ્દો બની ગયો હોય, તેમ જણાય છે.
વિરોધપક્ષો ઈવીએમ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દે એનડીએને ઘેરી રહ્યા છે, તો એનડીએ બે ટર્મની સિદ્ધિઓ વર્ણવીને વિપક્ષ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણની રાજનીતિના આરોપો લગાવી રહ્યું છે ત્યારે હવે જનતાએ નક્કી કરવાનું છે કે આમા સાચું કેટલું અને ખોટું કેટલું ?
ચૂંટણીપંચે ડેટા જાહેર કર્યા તે પછી ઈલેકટોરલ બોન્ડનો મુદ્દો પણ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો છે. આ તમામ માહિતીનું હજુ ઉંડુ અધ્યયન થઈ રહ્યું છે, અને સૌથી વધુ ઈલેકટોરલ બોન્ડથી ભાજપને ફંડ મળ્યું છે, તેવી જ રીતે તૃણમુલ કે કોંગ્રેસ, સમાજવાદી સહિત અન્ય રાજકીય પક્ષોને પણ કેટલું ફંડ આ રીતે મળ્યું છે તેનું અધ્યયન થઈ રહ્યું છે, જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

લોકતંત્રનો મહોત્સવ આવી ગયો, હવે ડેમોક્રેસી ફેસ્ટીવલની ઉજવણી દેશના તમામ લોકોએ સાથે મળીને કરવાની છે, એટલું જ નહીં, કોઈપણ લોભ, લાલચ, ડર, પ્રલોભન કે આળસ વગર દરેક મતદારે મતદાન અવશ્ય કરવાનું છે, કારણ કે જેટલો મતદાર જાગૃત હશે, જેટલું વધુ મતદાન થશે અને જેટલી પારદર્શક, તટસ્થ, ન્યાયી અને મૂકત વાતાવરણમાં ચૂંટણી થશે, તેટલી લોકતાંત્રિક મૂલ્યોની સફળતા ગણાશે, તથા દેશનું ઉજજવળ ભાવિ નક્કી કરી શકાશે.
લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીઓ પણ થવાની છે, ત્યારે મતદારો પાસે પોતાનું જ ઉજજવળ ભવિષ્ય અને મનપસંદ શાસન સ્થાપિત કરવાની સોનેરી તક મળવાની છે, જે કોઈપણ સંજોગોમાં મતદાન કરીને ઝડપી લેવાની જ છે, તેવો નિર્ધાર આજથી જ કરી લેવો જોઈએ, ખરું કે નહીં ?
આદર્શ આચાર સંહિતાનો અમલ થાય, તે પહેલાં જ છેલ્લા એક મહિનાથી ઘણી બધી જાહેરાતો થઈ, ઉપરાછાપરી બેઠકો યોજીને ધડાધડ વિવિધ પ્રકારની મંજુરી અપાઈ, લોકર્પણો અને ખાતમુહૂર્તો થયા, હવે તંત્રો ચૂંટણીના કામે લાગી જશે અને રાજકીય પક્ષોનો ધૂંવાધાર પ્રચાર શરૂ થઈ જશે. મતદારોને રીઝવવા અનેક પ્રકારની રીતરસમો ઉપરાંત મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જોરદાર પ્રચાર થશે. હવે અખબારો, ન્યૂઝચેનલો અને સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ચૂંટણીપંચ દ્વારા થતી કામગીરી અને રાજકીય ગતિવિધિઓના અહેવાલો લોકો સુધી પહોંચશે, જેથી દેશમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે.
લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી થવાની હોવાથી મતદારોએ રાજ્ય અને કેન્દ્ર માટે અલગ-અલગ પસંદગી કરવાની થશે, જેથી મતદારોએ પણ મતદાનનો દિવસ રિઝર્વ રાખીને પોતાનું તથા પોતાના પરિવારનું મતદાન સુનિશ્ચિત કરવાની માનસિકતા અત્યારથી જ કેળવવી પડશે, કારણ કે, અત્યંત અનિવાર્ય કારણો હોય, તે સિવાય મતદાન અહીં કરનારને તે પછીથી કોઈપણ ફરિયાદ કરવાનો 'નૈતિક' અધિકાર નથી અને હોવો પણ ન જોઈએ, ખરું કે નહીં ?
આજે ચૂંંટણીની તારીખ જાહેર થવાની છે, તેવું ગઈકાલે જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તદ્દપરાંત આજથી આદર્શ સંહિતા લાગુ થયા પછી જાહેર સહકારી કાર્યક્રમો, લોકાર્પણો, ખાતમુહૂર્તોનું સ્થાન હવે જંગી ચૂંટણી સભાઓ, રોડ-શો, રેલીઓ, યાત્રાઓ વગેરે લેશે, જો કે, તેની રાજકીય પક્ષ ઉમેદવારના ખર્ચમાં ચૂંટણીપંચ દ્વારા નોંધ અને નિગરાની પણ થશે.
આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી જિલ્લા મેજીસ્ટ્રેટો જિલ્લા ચૂંટણી અધિકારી બની જતા હોય છે અને તેની પાસે વ્યાપક સત્તાઓ આવી જતી હોય છે. આ સંજોગોમાં નાના-મોટા તમામ ચૂંટણી અધિકારીઓએ કોઈપણ રાજકીય પક્ષ, નેતા કે અન્ય પરીબળોના પ્રભાવમાં આવ્યા વગર મૂકત, ન્યાયી અને સુરક્ષિત ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે સજજ થવું પડતું હોય છે, અને તે માટે અલાયદી તાલીમ પણ વખતોવખત અને તબક્કાવાર અપાતી હોય છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓની સત્તા એટલી વધી જતી હોય છે કે ચૂંટણીની સભાઓ, રોડ-શો કે રેલીઓ વગેરે માટે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવનાર હોય, તો પણ આયોજકોએ જિલ્લા ચૂંટણી અધિકારીની જ મંજુરી લેવી પડતી હોય છે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી વિજેતા ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કર્યા પછી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હોવાનું ચૂંટણી પંચનું સર્ટિફીકેટ પણ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જ આપતા હોય છે, આમ આજથી જિલ્લા કલેકટરોની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની સત્તાઓની સામે જવાબદારીઓ પણ વધી જવાની છે.
ગત ચૂંટણીમાં જામનગર લોકસભાની બેઠક પરથી પૂનમબેન માડમ ર.૩૬ લાખથી વધુ મતોના માર્જીનથી જીત્યા હતા, તે સમયે પૂનમબેન સામે હારેલા ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા અત્યારે ભાજપમાં સામેલ થઈ ગયા છે, અને વિપક્ષમાંથી કોણ ફાઈટ આપશે તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આજથી જ વેગીલો બની જશે, એટલું જ નહીં, નેતાઓ તથા કાર્યકરો પણ ચૂંટણી પ્રચારની નવી નવી રીતરસમો આજમાવતા જોવા મળશે, રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારીત માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોવાથી આદર્શ આચાર સંહિતા હેઠળ નિરીક્ષણ માટે એમ.સી.સી.,એમ.સી.એમ.સી. અને ફલાઈંગ સ્કવોર્ડની સામે નવા પડકારો ઊભા થવાના છે, તે નક્કી છે.
આવો, આપણે બધા આજથી જ પોતપોતાના મતદાન ઉપરાંત પરિવાર અને અડોશી-પડોશી પણ પોતાની ઈચ્છા અને અંતરાત્માના અવાજ મુજબ સ્વસ્થ મતદાન કરે, તે માટે સજજ થઈને લોકતંત્રના આ મહોત્સવને ઉમંગભેર ઉજવવાનો નિર્ધાર કરી લઈએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગયા વર્ષે રાજસ્થાન સરકારે વકીલોની સુરક્ષા માટે એક કાયદો બનાવ્યો હતો. એ પહેલાં રાજસ્થાનના વકીલોએ આ માંગણીને લઈને કાનૂની કાર્યવાહીનો બહિષ્કાર કરવા સહિતની લડત આપી હતી. ગયા વર્ષે ર૧મી માર્ચે રાજસ્થાનના વકીલોએ આ સંદર્ભે ધન્યવાદ દિવસ પણ મનાવ્યો હતો. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનો કાયદો ઘડનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ કાયદાનું વિહંગાવ લોકન કરતા જણાય છે કે વકીલો તેમની ફરજ નિડરતાથી બજાવી શકે અને વકીલાતની ફરજો સંદર્ભે તેની સાથે કોઈપણ પ્રકારની તકરાર, હૂમલો, મારપીટ, બળપ્રયોગ, અપહરણ કે અવમાનના થાય તો તેની સામે કડક સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે, અને આરોપીને ૭ વર્ષની જેલ ઉપરાંત દંડની જોગવાઈ પણ થઈ છે. જો વકીલની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો તેનું વળતર આરોપી દ્વારા અપાવાય તેવી વ્યવસ્થા પણ એ કાયદામાં કરાઈ હોય તેમ જણાય છે. આ પ્રકારની જોગવાઈમાં આખા રાજ્યમાં લાગુ કરવાના અહેવાલો પણ જે-તે સમયે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યા હતા, અને તેની અસરો હેઠળ અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારનો કડક કાયદો વકીલોની સુરક્ષા માટે ઘડવાની માંગણી ઉઠવા લાગી હતી. રાજસ્થાન સરકારે આ પ્રકારના પહેલાના કાયદામાં આ ઉપરાંત પણ કેટલાક સુધારા-વધારા કર્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતાં.
ઉત્તર પ્રદેશમાં પણ એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાની વકીલોની માંગણીને લઈને ત્રણ સભ્યોની એક કમિટી બનાવી હતી, જ્યારે કેન્દ્ર સરકારે પણ વર્ષ ૧૮૭૯ ના લીગલ પ્રેકટીશનરો એકટ રદ કરવા અને વર્ષ ૧૯૬૧ ના એડવોકેટ એકટમાં સુધારા વધારા માટે સંસદમાં પહેલ કરી હતી.
એડવોકેટ એકટ ૧૯૬૧ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સીલની વ્યાખ્યા, સ્થાપના અને તેની કાર્યપદ્ધતિ તથા વકીલની વ્યાખ્યા વગેરેની ચર્ચા થઈ હતી, અને તદ્દનુસાર નિયમો બન્યા હોવાનું કહેવાય છે તે ઉપરાંત વર્ષ-ર૦ર૧ મા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા એડવોકેટ પ્રોટેકશન અંગે તૈયાર કરાયેલો મુસદે પણ દેશના કાનૂની અને ન્યાય ક્ષેત્રમાં ચર્ચાયો હતો, અને આ માટે નિમાયેલી સમિતિની ભલામણોની વ્યાપક ચર્ચા થઈ હતી, અને વકીલોને કાનૂની, સામાજિક અને વ્યક્તિગત સુરક્ષાની જોગવાઈઓ સૂચવાઈ હતી.
સંયુકત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદે પણ વર્ષ-ર૦૧૭ માં ન્યાયવિદ્દો, વકીલો, પક્ષકારો અને માનવાધિકારો સાથે સંલગ્ન અન્ય લોકો તથા સંબંધિત અધિકારીઓની સાર્વત્રિક સુરક્ષા માટે એક પ્રસ્તાવ મુકાયો હતો, જેમાં સભ્યદેશોને તદ્દવિષયક પ્રબન્ધો કરવાનું સૂચવાયું હોવાની વ્યાપક ચર્ચા થઈ હતી. અને તેના સંદર્ભે કેટલાક દેશોમાં પ્રક્રિયા શરૂ થઈ હોવાની સાથે સાથે મત-મતાંતરો પણ ચર્ચામાં આવ્યા હતાં.
જામનગરમાં વકીલ કિરીટ જોશીની સરાજાહેર હત્યા થયા પછી ભારે ઉહાપોહ થયો હતો, અને તે સમયે ગુજરાતમાં કડક એડવોકેટ પ્રોટેકશન એકટની જરૂર જણાવાઈ હતી અને ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થઈ હતી. તે પછી હવે સિનિયર એડવોકેટ હારૂન પલેજાની હત્યા પછી તો માત્ર જામનગર કે હાલાર જ નહીં, પરંતુ રાજ્યભરના વકીલો તથા બાર એસોસિએશનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર પણ જરૂરી સુધારા-વધારા સાથે કડક કાયદો ઘડે અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો વર્ષ ર૦ર૧ નો ડ્રાફટ, રાજસ્થાને ગયા વર્ષે ઘડેલો કાયદો તથા દેશ-દુનિયામાં આ પ્રકારના અસ્તિત્વમાં રહેલા કાયદાઓનો ઉંડો અભ્યાસ કરીને એડવોકેટ પ્રોટેકશન એકટ, ગુજરાત-ર૦ર૪ તત્કાલ વિધાનસભાના સત્રમાં રજૂ કરે, અને આ માટે જરૂર પડ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરે, તેવી લાગણી સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહી હોય, એ સ્વાભાવિક છે.
છેલ્લા ચાર-પાંચ વર્ષોથી દેશના જુદા જુદા રાજ્યોમાં વકીલો પર થઈ રહેલા હુમલાઓને લઈને દેશની ન્યાયપ્રણાલિ અને સિસ્ટમ સામે પણ પડકારો ઊભા થયા છે. આગ્રા, ગુજરાતના કચ્છ અને જામનગર, તેલંગાણાના પેડ્ડાપલ્લ, મધ્યપ્રદેશના જબલપુર સહિતના વિવિધ રાજ્યોના વકીલો પર હૂમલાઓ તથા હત્યાના બનાવો પછી જેવી રીતે પોલીસતંત્ર-સુરક્ષા ક્ષેત્રના અધિકારીઓના સુરક્ષાના વિશેષ પ્રબન્ધો અને કાનૂનો છે, તેવી જ રીતે એડવોકેટ પ્રોટેકશન એકટની પણ દરેક રાજ્યોમાં તથા કેન્દ્રીયસ્તરે પણ સતત માંગ ઉઠતી રહી છે, ત્યારે હવે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપરાંત જે રાજ્યોમાં આ પ્રકારની માંગણી ઉઠી છે, તે રાજ્યો સહિત દેશવ્યાપી કડક કાયદાઓ ઘડાય અને એડવોકેટ પ્રોટેકશન એકટના છત્ર હેઠળ વકીલોને સુરક્ષા મળે તે અત્યંત જરૂરી છે, ખરું કે નહીં ?
જામનગરમાં હારૂન પલેજાની હત્યા પછી બારકાઉન્સીલ ઓફ ગુજરાત એન્ડ ઈન્ડિયાના સભ્ય મનોજભાઈ અનડકટ તથા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ મુદ્દે જે આકરા પ્રત્યાઘાતો આપ્યા, તે પછી તેના ગાંધીનગર અને દિલ્હી સુધી પડઘા પડ્યા જ હશે, હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કડક જોગવાઈઓ સાથેના એડવોકેટ પ્રોટેકશન એકટને લઈને કેવા કદમ ઉઠાવે છે, તે જોવાનું રહ્યું....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

''વાડ ચીભડા ગળી જાય, ત્યારે કોઈ શું કરે ?'તેવી એક કહેવત છે, જે બોર્ડની પરીક્ષાઓમાં થતી ગરબડો તથા પરીક્ષાચોરીની ઘટનાઓને આબેહુબ લાગુ પડે છે, હવે તો ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના પરીક્ષાર્થીઓના ઘણાં બધા વાલીઓ તથા પરિવારજનો પણ પોતાના સંતાનો કે ભાઈ-બહેનોને પૂરેપૂરી તૈયારી અને મહેનત કરીને પરીક્ષા અપાવવા કરતાં યે વધુ તેને પરીક્ષાચોરી કરવાની સગવડ મળી જાય, તે માટે વધુ પ્રયાસો કરતા હોય છે જે ખરેખર ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
ગઈકાલે કરમસદ અને તારાપુરમાં સામૂહિક પરીક્ષાચોરીની જે ઘટના બની, તેની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં બપોર પછી પણ પરીક્ષા ચોરી પકડાઈ હોવાના અહેવાલો આવવા લાગ્યા અને જામનગરમાં પણ કોપીકેસ (પરીક્ષાચોરીનો કેસ) થયો હોવાના અહેવાલો પછી છોટીકાશી અને હાલારમાં પણ એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો અને જામનગરના શિક્ષણ જગતને પણ કાળી ટીલી લાગી ગઈ.
કરમસદમાં તો ભૂગોળની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે પરીક્ષા કેન્દ્રની મુલાકાતે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારી પહોંચ્યા ત્યારે તેમણે જ 'લાઈવ' પરીક્ષાચોરી ઝડપી લીધી હતી. તેઓ પહોંચ્યા ત્યારે તેણીએ જોયુ કે કોઈ શખ્સ બારીમાંથી પ્રશ્ન પેપરના જવાબો લખાવી રહ્યો હતો. અધિકારી મેડમે તેને જોઈ લીધો, તેની ભનક પડતા જ તે શખ્સ ભાગી છુટ્યો. આ વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કાં તો રિપિટર હતા અથવા તો બાહ્ય (એકસ્ટનલ) પરીક્ષાર્થીઓ હતા, અને ત્યાં આ રીતે પરીક્ષાચોરી કરાઈ (કરાવાઈ) રહી હતી. એ ઉપરાંત તારાપુરના પરીક્ષા કેન્દ્રમાં પણ આ જ પદ્ધતિથી અનધિકૃત વ્યક્તિ દ્વારા ચોરી કરાવાઈ રહી હોવાની વાતો વહેતી થતાં ગઈકાલે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
જો કે, ખુદ શિક્ષણાધિકારી દ્વારા આ ચોરી ઝડપાઈ હતી, તેથી ત્વરિત કેટલાક કદમ પણ ઉઠાવાયા અને કેટલાક સ્ટાફને તત્કાળ બદલી નખાયો હતો, અને પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો હતો, પરંતુ આ બધું ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા પુરવાર થયું હતું.
એ પછી 'ટોક ઓફ ધ સ્ટેટ' બનેલા આ મુદ્દે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતાં. પરીક્ષા કેન્દ્રમાં કોઈ અજાણ્યો કે બહારનો વ્યક્તિ પ્રવેશી શક્યો જ કેવી રીતે ? શું અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા જ નહોતી કે પછી તેમાં ગાબડું પાડવામાં આવ્યું હતું ?
આ ચોરી કરાવાઈ રહી હતી, ત્યારે પરીક્ષાખંડમાં નિરીક્ષક શિક્ષકો શું કરી રહ્યા હતાં ? શું તેઓ પણ આ હરકતમાં સંડોવાયેલા હતાં. એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્રના ઈન્ચાર્જ, ઈન્સ્ટ્રકટર, સ્ટાફ દ્વારા આંખ આડા કાન શા માટે કરવામાં આવ્યા હતા ? પરીક્ષા કેન્દ્રના આચાર્ય, અન્ય સ્ટાફ, શિક્ષકોનું ધ્યાન નહોતું ગયું કે પછી પરીક્ષા કેન્દ્રનું પરિણામ સુધારવા માટે બધાએ સાથે મળીને પરીક્ષાચોરીનો માસ્ટર પ્લાન ઘડીને અમલમાં મૂક્યો હતો? આ પ્રકારે પરીક્ષાચોરી પરીક્ષા લેનાર શિક્ષકોની મદદ વગર સંભવ બને ખરી ?
હવે આ તમામ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરીને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે, તેવા દાવા કરી રહ્યો છે અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પણ કેટલીક માહિતી અપાઈ હતી, પરંતુ આ પ્રકારનું પરીક્ષાચોરીનું કલ્ચર વિસ્તરી રહ્યું હોય અને પરીક્ષા ચોરી થતી અટકાવવા નિમાયેલા પહેરેદારોની મીઠી નજર હેઠળ જ જો પરીક્ષાચોરી કરાવાઈ રહી હોય તો તે ગુજરાત માટે લાંછનરૃપ છે, અને ભાવિ પેઢીની કારકીર્દિ સાથે પણ ચેડાં જ ગણાય, પરીક્ષાચોરી કરમસદ-તારાપુર-આણંદની હોય, જામનગરની હોય કે અન્ય કોઈપણ સ્થળની હોય, તેની જવાબદારી તો સંબંધિત તંત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જ ગણાય ને ? આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ આ પ્રકારની સામૂહિક કે વ્યક્તિગત ચોરી સદંતર થશે જ નહીં, તેવી 'ગેરંટી' આપી શકશે ખરા ?
ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે ? કયાંક પરીક્ષાચોરીનું કૌભાંડ થઈ રહ્યું છે, તો કયાંક ભરતીમાં ગરબડની રાવ ઉઠી રહી છે. જામનગરમાં ફરીથી એક વકીલની સરાજાહેર હત્યા થઈ છે તો પોરબંદર જિલ્લાનું સરકારી અનાજનું કૌભાંડ ચર્ચામાં છે. કયાંક 'નકલી' ના કારસા ઘડાયા છે તો રાજ્યમાં કયાંક લાખો રૃપિયાના ફ્રોડ થઈ રહ્યા છો.
પરીક્ષા ચોરીના મુદ્દે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ પણ કહ્યું છે કે સ્ટાફની બદલી કરીને સંતોષ માનવાના બદલે સીસીટીવીના આધારે કડક પગલા લેવાય, ઉંડી તપાસ થાય અને આ પ્રકારની ગરબડો થતી અટકે, તે માટે સરકારે ઝડપી અને પારદર્શક પગલાં લેવા જોઈએ.
લોકો પણ આ અંગે ધારદાર અને અણીયાણા સવાલો વિવિધ માધ્યમો દ્વારા પુછી રહ્યા છે. લોકો પુછે છે કે પરીક્ષચોરી માટે જવાબદાર કોણ અને સૌથી વધુ જવાબદાર કોણ..પરીક્ષા ચોરી કરનાર, માથે રહીને પરીક્ષા ચોરી કરાવનાર, પરીક્ષાચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરનાર કે પછી પકડાયા પછી 'ચોર' અને 'ચોરોના મદદગારો' ને છાવરનાર ? ... છે કોઈની પાસે કોઈપણ સવાલનો સાચો જવાબ ?
હકીકતે ગુજરાતમાં તંત્રો જાણે નિરંકૂશ થઈ રહ્યા છે... કાવતરાખોરો પેધી ગયા છે અને કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે, નેતાઓ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.... કોણ જાણે શું થશે ગરવા ગુજરાતનું હવે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાત સરકાર હવે બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ એડવેન્ચર્સ, રોપ-વે, એડવેન્ચર સ્પોર્ટસ, તરણસ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ તથા ફેરી બોટ સર્વિસીઝ, ફીશીંગ વગેરે તમામ પ્રકારની વોટર કનેકટેડ એક્ટિવિટીઝને સાંકળીને નવી એડવેન્ચર એન્ડ વોટર કનેકટેડ સર્વિસિઝ - પોલિસી બનાવવાની તૈયારીમાં હોવાના સંકેતો મળી રહ્યા છે, જે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સુરક્ષા તથા જનજિદગીઓ સાથે સંકળાયેલું અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય કદમ હશે.
હરણી તળાવની દુર્ઘટના પછી આ ક્ષેત્રે જે પોલંપોલ બહાર આવી અને જે લોલંલોલ ચાલી રહ્યું હતું, તે પછી સરકારી તંત્રો, પાલિકા-મહાપાલિકાઓના તંત્રો સાથે લેભાગુ ઈજારેદારો વચ્ચે કેવી સાઠગાંઠ હોય છે, અને તેમાંથી કેવી રીતે કરૂણાંતિકાઓ સર્જાઈ શકતી હોય છે, અને માનવજિંદગીઓ સાથે ખિલવાડ થતો હોય છે, તેનો પર્દાફાશ થઈ ગયો છે.
એ દુર્ઘટના પછી સરકાર સફાળી જાગી અને શિવરાજપુર સહિતના તમામ બીચ, દરિયાકાંઠાના વિસ્તારો, જળાશયો, નદીઓ અને સરોવરોમાં બોટીંગ, અંડરવોટર એક્ટિવિટીઝ અને વોટર કનેકટેડ એડવેન્ચર્સ પર અંકુશો મૂકયા, પરંતુ તેની સામે ગૂપચૂપ રીતે ખૂબ જ વગદાર અને ઉપર સુધીની પહોંચ ધરાવતી આ પ્રકારની જળ-એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી સ્થાપિત હિતોની ટોળકીઓ એક્વિટ થઈ ગઈ અને હવે આ એક્ટિવિટીઝને કાનૂની સ્વરૂપનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો હોવાની આશંકાઓ પણ જનમાનસમાં પ્રગટવા લાગી છે.
દ્વારકામાં વડાપ્રધાને ડૂબકી મારીને ડૂબેલી દ્વારકાના દર્શન કર્યા, અને તાજેતરમાં અમદાવાદમાં ગાંધીઆશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ, રેલવે સુવિધાઓના પ્રોજેકટો તથા ૧૦ નવી વંદેભારત ટ્રેનોને લીલીઝંડી આપવાના પ્રસંગે વર્ચ્યુલ સંબોધનમાં ફરીથી તેનો ઉલ્લેખ કર્યો છે તે પછી દ્વારકાના દરિયાકિનારે ડૂબેલી દ્વારકા નિહાળવાનું એડવેન્ચર કરવાની તાલાવેલી ઘણાં લોકોને જાગી હશે, તેથી આ પ્રકારના સ્કૂબા ડાઈવીંગની પ્રવૃત્તિ માટે સરકાર સ્વયં જ પ્રવાસન નિગમ, કેન્દ્રીય ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ભારતીય નૌકાદળ અને મરીન એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સંકલન કરાવીને કોઈ સુરક્ષિત યોજના બનાવે, અથવા સબમરીન દ્વારા ડૂબેલી દ્વારકાના દર્શનની સુરક્ષિત યોજના બનાવે, તેવી આકાંક્ષાઓ પણ લોકોમાં ઉઠી રહી છે.
ગુજરાત સરકાર જ્યારે આ પ્રકારની એક્ટિવિટીઝ માટે નવી પોલિસી નક્કી કરવા જઈ રહી છે, ત્યારે અંડરવોટર એડવેન્ચર્સ અને સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ એવી નક્કર પોલિસી ઘડો કે જેથી આ પ્રકારની એક્ટિવિટી કે એડવેન્ચર કે પછી ડૂબેલી દ્વારકાના દર્શન કરવા જાય, તેની સુરક્ષા પણ જળવાઈ રહે, દુર્ઘટનાની કોઈ સંભાવના જ ન રહે અને આ પ્રકારની એક્ટિવિટી કરવા ઈચ્છતા તમામ લોકોને નફાખોરી, શોષણ કે મોનોપોલી કે જોહૂકમી, ઉઘાડી લૂંટ નો ભોગ બનવું ન પડે, સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આ માટે સરકાર સ્વયં જ કોઈ અનુભવી અને પર્યાપ્ત સુવિધાઓ ધરાવતી જાયન્ટ અંડરવોટર ઓથોરિટી ઊભી કરીને અંડરવોટર દ્વારકા દર્શન તથા સ્કૂબા ડાઈવીંગ જેવી અંડરવોટર એક્ટિવિટીઝ ચલાવે.
હરણી તળાવ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે હવે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોએ પોતે જ હવે આગળ આવવું પડશે અને જવાબદારી ઉઠાવવી પડશે. માત્ર પ્રાઈવેટ ઈજારેદારોને પરવાના (લાયસન્સ) આપીને છુટી જવાના બદલે સંબંધિતોએ સ્વયં સામેલ થવું પડશે અને પીપીપી મોડેલથી કે સરકાર અથવા પંચાયત-પાલિકા-મહાપાલિકા દ્વારા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાય, અને કોઈપણ ક્ષતિ, કચાશ કે દુર્ઘટના માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે તંત્રો તથા સંબંધિત શાસકો-બોડીની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ, તેમ નથી લાગતું ?
રાજ્ય સરકારે આ માટે ૧૩ સભ્યોની કમિટી બનાવી છે, જે ઈનલેન્ડ વોટર, અંડરવોટર એક્ટિવિટીઝ, બોટીંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કાનૂની પ્રક્રિયા એટલે કે લીગલ ફ્રેમ વર્ક, નોંધણી, સર્ટિફિકેશન, એન્ફોર્સમેન્ટ, સંચાલન, જવાબદારીઓ અને શરતો-નિયમો તથા ખાસ કરીને નફાખોરી, શોષણ કે ઉઘાડી લૂંટ સામે ચોક્કસ કડક નિયમો, નિષ્ણાતો અને જવાબદારીઓની જોગવાઈઓ કરશે, તેવી આશા રાખવામાં આવી રહી છે અને જો એવું નહીં થાય, તો આ સઘળી પ્રક્રિયા એક પૂર્વઆયોજીત ડ્રામેબાજી જ પુરવાર થશે, તે પણ ભુલવું ન જોઈએ.
હરણી દુર્ઘટના પછી તત્કાળ તો જે પગલાં લેવાયા હોય, તે ખરા, પરંતુ રાજ્યના તમામ જળાશયોમાં ચાલતા બોટીંગસહિતની જળસંબંધિત પ્રવૃત્તિઓનું ફરીથી ઈન્સ્પેકશન કરાઈ રહ્યું છે, તે સારી વાત છે એવું પણ બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં ર૭ જળાશયોમાં ચાલતું બોટીંગ બંધ કરાવાયું છે. આ ઉપરાંત હવે દરિયાકિનારે, કચ્છના અખાતમાં, મરીન નેશનલ પાર્કના વિસ્તારોમાં, બીચ પર કે ચોપાટીઓ, ટાપુઓ નજીક કોઈપણ સ્થળે વોટર કનેકટેડ પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો તે પણ અંકુશમાં લેવી અત્યંત જરૂરી છે તેમ નથી લાગતું ?
જો કે, રાજ્ય સરકારે આ સઘળી માહિતી હાઈકોર્ટને આપી, ત્યારે ખબર પડી કે સરકાર આ પ્રકારની કોઈ નક્કર પોલિસી અને ચોક્કસ કાયદો ઘડવા જઈ રહી છે. હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે જે કાંઈ નીતિ-નિયમો ઘડાય, તે જનરલ નહીં, પરંતુ ચોક્કસ હેતુ ધરાવતા, નક્કર, પરિણામલક્ષી અને સ્પષ્ટ હોવા જોઈએ, મતલબ કે તેવા સ્થાપિત હિતોના હિતાર્થે કોઈ છટકબારી ન હોવી જોઈએ. આ તમામ મુદ્દાઓને લઈને એપ્રિલમાં થનારી સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ આ સમિતિએ પણ કુલડીમાં ગોળ ભાંગવાના બદલે રાજ્યભરમાં ઠેર-ઠેર લોક-સુનાવણી જેવા કાર્યક્રમો યોજીને, ઈ-મેઈલ, પત્રો દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા ઓનલાઈન અભિપ્રાયો મેળવવા ખાસ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, અને નાના-મોટા તમામ અખબારો તથા ન્યુઝ ચેનલોના માધ્યમથી વ્યકત થતા વિચારો-અભિપ્રાયોની ખાસ નોંધ લેવી જોઈએ, ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

'કહીં કી ઈંટ ઔર કહીં કા રોડા, ભાનુમતીને કૂનબા જોડા' તેવો કટાક્ષ કરતા રાજકીય પક્ષોએ હવે કેન્દ્રીય કક્ષાએ લોકસભાની ચૂંટણીને લઈને પોતપોતાના ગઠબંધનો વિસ્તાર્યા છે. એનડીએ અને આઈએનડીઆઈએ (ઈન્ડિયા) ગઠબંધનોમાં જે પક્ષો સામેલ નથી થયા, તેઓ ત્રીજા છુટછવાયા ગઠબંધનોની ભૂમિકામાં હશે. બન્ને મુખ્ય ગઠબંધનોમાં હજુ સીટ શેરીંગની પ્રક્રિયા સંપન્ન થઈ નથી, પરંતુ જેમ જેમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતું જાય છે, તેમ તેમ છુપો અસંતોષ બહાર આવતા કેટલાક દિગ્ગજ નેતાઓ વિદ્રોહ કરી રહેલા પણ જણાય છે.
એક તરફ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડીને પક્ષાંતર કરી રહ્યા છે. રાજસ્થાનના ચુરૂ મત વિસ્તારમાં બે ટર્મથી ભાજપના સાંસદ રહેલા રાહુલ કસ્વા અને હરિયાણાના હિસારના ભાજપના સાંસદ બૃજેન્દ્રસિંહ ચૌધરીએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ભારતીય જનતા પક્ષ અને એનડીએને બન્ને રાજ્યોમાં જબરો ફટકો પડ્યો છે અને તેની અસરો આજુબાજુની અન્ય લોકસભા બેઠકો તથા પડોશી રાજ્યોમાં પણ થવાની છે. હજુ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થતી જશે, અને નવા આગંતુકોને એટલે કે અન્ય પક્ષમાંથી તાજેતરમાં જ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપ ટિકિટ આપશે અથવા ભાજપના સાંસદ તરીકે કે પક્ષના કાર્યકર્તા કે નેતા તરીકે વર્ષોથી પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરનારની અવગણના થશે, તો હજુ પણ ભાજપમાંથી અન્ય પક્ષમાં જોડાનાર શાસક પક્ષના નેતાઓની સંખ્યા વધશે, તેમ જણાય છે.
આ બન્ને નેતાઓએ પોતાની ટિકિટ કપાયા પછી જે વેદના વ્યકત કરી છે, અને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે, તેનો સારાંશ એ જ નીકળે છે કે તેઓની ટિકિટ કપાઈ જતાં તેઓએ પક્ષપલટો કર્યો છે, અને તેની સેવાઓની યોગ્ય કદર થઈ નહીં હોવાનો તેઓને વસવસો છે.
બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, તટસ્થ પક્ષો અને એનડીએની સાથે રહેલા પક્ષોમાંથી ભાજપમાં પણ ઘણાં બધા નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે, અને તેઓનો પોતાની પાર્ટી પ્રત્યેનો અસંતોષ પણ આવી જ રીતે પ્રગટ થઈ રહ્યો છે.
બીજી તરફ વડાપ્રધાન મોદી વિવિધ વર્ચ્યુલ કાર્યક્રમો તથા જનસભાઓ દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે અને પરોક્ષ રીતે એનડીએનો પ્રચાર થઈ રહ્યો હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયામાં મિકસ માર્શલ આર્ટ ખેલાડી (એમએમએ ફાઈટર) ચૂંગરેંગ કોરેન વડાપ્રધાનને ઉદ્દેશીને કરેલ અપીલ પણ વાયરલ થઈ રહી છે, અને આ અપીલને વિપક્ષના નેતાઓ શેર અને ટેગ કરીને મોદી સરકાર પર વાક્યપ્રહારો પણ કરી રહ્યા છે, જેમાંથી એક નવી જ ચર્ચા જન્મી છે.
હકીકતે ચંુગરેંગે વડાપ્રધાનને એક વખત મણીપુરની મુલાકાત લેવાની દર્દભરી અપીલ કરતા કહ્યું હતું કે, મણીપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે, બાળકો યોગ્ય રીતે અભ્યાસ પણ કરી શકતા નથી. મોદીજી, તમે એક વખત મણીપુર આવીને અમારી મદદ કરો, રાહત શિબિરોમાં ભોજન પાણીની પણ અછત છે, ઝડપથી મદદ કરો, પ્લીઝ !
એકસ પર આ વીડિયોને શેર કરીને વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તો કોંગ્રેસ આ વીડિયો સંદર્ભે કહ્યું કે તેઓ મણીપુરનું દુઃખ સમજી જ શકયા નથી. આમ આદમી પાર્ટીએ પણ વડાપ્રધાનને મણીપુરની મુલાકાત લઈને કહ્યું કે ખેલ સ્પર્ધામાં વિજય મેળવીને મેડલ મેળવનાર ખેલાડીઓ પણ આ મુદ્દે રડી રહ્યા છે, આખા દેશની મોદીજીએ આવી જ હાલત કરી નાંખી છે, વગેરે.'
આ આક્ષેપો તથા ભાજપની નેતાઓના પક્ષાંતરના મુદ્દે એનડીએ તથા ભાજપના નેતાઓ વળતા પ્રહારો કરી રહ્યા છે, અને ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાનાર નેતાઓને મહત્વાકાંક્ષી ગણાવીને વધુ કાંઈ કહી રહ્યા નથી, જે ઘણું જ સૂચક છે.
કેન્દ્ર સરકારે સીએએના અમલીકરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું, તેનો શાસક અને વિપક્ષી ગઠબંધનોને કેટલો ફાયદો થશે, અને કેટલું નુકસાન થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.
ગઈકાલે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ એસબીઆઈએ આજે સાંજ સુધીમાં ઈલેકટ્રોરલ બોન્ડની તમામ વિગતો રજુ કરવા આદેશ આપ્યો અને તે પછી ચૂંટણીપંચને તમામ વિગતો વેબસાઈટ પર મૂકવા આદેશ આપ્યો, તેથી આ બોન્ડ દ્વારા કયા રાજકીય પક્ષને કોના તરફથી કેટલું ફંડ મળ્યું, તે વિગતો જાહેર થઈ જશે. આ ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં સૌથી વધુ ચિન્તા શાસક પક્ષોના ગઠબંધનને હશે, કારણ કે સૌથી વધુ ફંડ શાસક પક્ષના ગઠબંધનને અને તેમાં પણ સૌથી વધુ ફંડ ભારતીય જનતા પક્ષને જ મળ્યું હોવાનું તો પહેલેથી જ જાહેર થઈ ગયું છે, હવે આ ફંડ કોણે આપ્યુ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હશે, જોઈએ હવે શું થાય છે તે....
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશને ભારત સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા, તેને પણ વિશ્લેષકો મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે, કારણ કે સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારના કરારો થાય, તેનો મતલબ એવો થાય કે વર્તમાન સરકાર જ ફરીથી સત્તામાં આવશે, તેવો કરાર કરનાર ફોરેન કન્ટ્રીઝ અથવા વિદેશી જૂથોને પ્રબળ વિશ્વાસ હોય....! જોઈએ, હવે શું થાય છે તે....
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સામે પણ પડકારો વધી રહ્યા છે. ગુજરાત જેવા રાજ્યમાં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પક્ષાંતર પછી રાજકીય અસ્તિત્વ ઉપરાંત વિશ્વસનિયતાનો પડકાર પણ કોંગ્રેસ સામે ઊભો થયો છે, તો કાર્યકરો પણ મોટી સંખ્યામાં પક્ષાંતર કરી રહ્યા હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી માટે ગ્રાસરૂટ લેવલ સુધી પ્રચાર અને પરિણામો સુધીનું નેટવર્ક નવેસરથી ઊભું કરવાનો પડકાર પણ ઉભો થયો છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાંગરા ખડી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીએ ફટકો આપ્યા પછી અન્ય કેટલાક રાજ્યોમાં પણ સીટ શેરીંગ અટકી પડ્યું હોવાની સ્થિતિમાં એનડીએ સામે એકજૂથ થઈને એક જ સંયુકત ઉમેદવાર ઊભો કરવાનું લક્ષ્ય સિદ્ધ થશે કે કેમ, તેમાં પણ શંકા ઊભી થઈ છે, ત્યારે જોઈએ, શું થાય છે તે .....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરના પૂર્વ રાજવી જામ વિભાજીએ વર્ષ ૧૮૮૦ માં રાજકોટમાં બંધાવેલો જામટાવર અદ્યતન બનશે અને તેનું મૂળસ્વરૃપ જાળવી રાખીને ફરીથી ડંકા વગાડશે તેવા અહેવાલો પછી જામનગરના તમામ ટાવરો પણ સાચો ટાઈમ બતાવશે અને આપણી રાજવીકુળની ભવ્ય સંસ્કૃતિને પ્રજજવલિત કરતા આ ટાવરોના ડંકા ફરીથી ગુંજતા થશે, તેવી આશા નગરજનોને જાગી જ હશે, અને વખતોવખત ઐતિહાસિક અને પૌરાણિક, પ્રાચીન સ્થળોનું નવીનીકરણ કરીને ભવ્ય કલાત્મક વારસો જાળવી રાખવાની યોજનાઓમાં આ પ્રકારની ઘડિયાલો સાથેના ટાવર્સનો પણ સમાવેશ થશે, તેવા સંકેતો જોતા માત્ર જૂની સમયદર્શક ઘડિયાલો ધરાવતા ટાવર્સ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોના નાના-મોટા તમામ હેરિટેજ સ્થળોના નવીનીકરણ અને મૂળસ્વરૃપ જાળવી રાખીને તેનું આધુનિકરણ કરવાની દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સરકાર આગળ વધશે તેમ જણાય છે.
આ ટાવર્સ ત્યારે ઊભા કરાયા હતાં, જ્યારે દેશના પ્રત્યેક પરિવાર પાસે સમયદર્શક ઘડિયાલો નહોતી અને સમયની ગણતરી વૃક્ષોના પડછાયા, સૂર્ય-ચંદ્રના પ્રકાશ અને ઘરના છાંયડાના આધારે થતી હતી. એ સમયમાં આ પ્રકારની ઘડિયાલો સામૂહિક સમય દર્શાવતી હતી, હવે સમય પણ બદલાયો છેઘ ઘડિયાલો પણ બદલાઈ છે અને લગભગ પ્રત્યેક વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલ સેલફોનમાં સમય નિહાળવવામાં આવી રહ્યો છે.. અને આજના સ્પર્ધાત્મક યુગમાં નવી પેઢીની કારકીર્દિની બુનિયાદ સમી ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ આજથી જ શરૃ થઈ રહી છે, ત્યારે આ પરીક્ષાઓમાં બેસનાર તમામ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક સફળતાની શુભેચ્છાઓ પાઠવીએ, અને પરીક્ષાઓ બિનજરૃરી હાઉ રાખ્યા વિના પરીક્ષા આપીને પરીક્ષાર્થીનો સફળતાપૂર્વક પોતાની ભાવી કારકીર્દિમાં આગળ વધે, તેવા અંતઃકરણપૂર્વકના આશીર્વાદ આપીએ.
અત્યારે બોર્ડની પરીક્ષાઓની સાથે સાથે રાજકીય પક્ષો અને નેતાઓ માટે પણ આકરી કસોટીનો સમય શરૃ થયો હોય, તેમ જણાય છે. ખાસ કરીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ગઠબંધનમાં બધું બરાબર જણાતું નથી અને બીજી તરફ ભાજપમાં ભરતીય મેળો જામ્યો હોય તેમ વિપક્ષના દિગ્ગજ નેતાઓ સહિતના નેતાઓ-કાર્યકરો કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ઘણાં લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે.... જોઈએ હવે શું થાય છે તે... કારણ કે સમય સમય બલવાન હૈ... નહીં પુરૃષ બલવાન...
રાજ્યમાં ૧પ લાખથી વધુ પરીક્ષાર્થીઓના ભાવિનું આજે ઘડતર થવાનું છે, અને તેની સાથે જ જાણે કે સપનાંઓનું વાવેતર પણ થઈ રહ્યું છે, ત્યારે અત્યારે માત્ર પરીક્ષા પર જ લક્ષ્ય કેન્દ્રીત કરીને એકાગ્રતાથી પેપર આપવાના છે, અને એક પેપર આપ્યા પછી તેમાં કેટલા માર્કસ આવી શકે છે, તેની અટકળો કરવાના બદલે પછીના પેપરની તૈયારી કરવામાં લાગી જવું જ હિતાવહ વે, કારણ કે બધા પેપર પૂરા થઈ જાય, તે પછી પણ આ પ્રકારનો અંદાજ તો લગાવી જ શકાય છે ને ?
બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ તમામ સરકારી તંત્રો લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જશે અને ચૂંટણી પ્રચારની આંધી ફૂંકાઈ રહી હશે, તેવા માહોલમાં આ પરીક્ષાઓના પરિણામો આવશે, અને ભવિષ્યની યોજનાઓ પરીક્ષાર્થીઓએ પણ ઘડવી પડશે. બીજી રીતે કહીએ તો પહેલા બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થવાનું છે, તેવી જ રીતે તે પછી જનતાની કસોટીએ ચડીને નેતાઓનું ભાવિ પણ નક્કી થવાનું છે. મતદારો માટે પણ ચૂંટણીમાં મતદાન કરવું, એ એક પ્રકારનો અવસર પણ હોય છે અને બીજી દૃષ્ટિએ યોગ્ય ઉમેદવાર અને યોગ્ય રાજકીય પક્ષની પસંદગી કરવાની કસોટી પણ હોય છે. તફાવત એટલો હોય છે કે બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓ પોતાનું ભાવિ ઘડતા હોય છે, જ્યારે મતદારો લોકસભાની ચૂંટણીમાં આખા દેશનું ભાવી ઘડતા હોય છે તેની સાથે સાથે પોતાના પરિવારનું ભાવિ પણ ઘડતા હોય છે, તેથી જેવી રીતે પ્રશ્નપેપરમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીભાઈ-બહેનોએ સમજી વિચારીને આપવા પડે, તેવી જ રીતે તમામ મતદારોએ પણ પોતાનો અમુલ્ય મત સમજી વિચારીને યોગ્ય પક્ષ અને યોગ્ય ઉમેદવારને જ આપવો જોઈએ, ખરું કે નહીં ?
જો કે, પરીક્ષાર્થીઓ પરીક્ષાના પરિણામો પછી ચોક્કસ નિયમોને આધિન રહીને પેપર ખોલાવી શકે છે, જ્યારે એક વખત જનાદેશ આપી દીધા પછી પોતાની આશાઓ પર ખરા નહીં ઉતરનાર કે પછી જનાદેશને ઠુકરાવીને અયોગ્ય નિર્ણય લેનાર ચૂંટાયેલા જન-પ્રતિનિધિને એ જ મતદારો હટાવી શકતા નથી, તેથી જ કદાચ દેશમાં 'રાઈટ ફોર રિકોલ' એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પાછો બોલાવવાનો મતદારોને અધિકાર આપવાની માંગણી બળવત્તર બની રહી હશે, તેમ નથી લાગતું ?
જે હોય તે ખરું, અત્યારે જે પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેઓને રાજકીય ઘોંઘાટ ડિસ્ટર્બ ન કરે, અને તમામ પરીક્ષાર્થીઓ પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપીને ઉજજવળ કારકીર્દિની દિશા પકડે, તેવું પ્રાર્થીએ. ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઠંડી ઘટશે અને ગરમી વધશે, જ્યારે દેશમાં ચૂંટણીલક્ષી રાજકીય ક્ષેત્રમાં પણ માહોલ ગરમાઈ રહ્યો છે, જામનગરમાં મેગા દબાણહટાવ ઝુંબેશની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે અને મહાશિવરાત્રિ પછી હવે લોકો હુતાશણી પર્વે હોળી પ્રગટાવીને હોલિકાદહન કર્યા પછી ધૂળેટીનો કલરફૂલ ઉત્સવ ઉજવવા સમગ્ર રાજ્ય થનગની રહ્યું છે.
બેડી વિસ્તારમાં એસ.પી. ના નેતૃત્વમાં ગોઠવાયેલા બંદોબસ્ત હેઠળ જે ડિમોલીશન થયું, તેની હકારાત્મક પ્રતિક્રિયાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી-ગૃહમંત્રીની સૂચના મુજબ જિલ્લામાં કોઈપણ ગેંગ કલ્ચરને પનપવા નહીં દેવાય અને આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલતી રહેશે તેવી એસ.પી. ની ખાતરી પછી નાના-મોટા ગૂન્હા કરતા અપરાધીઓથી માંડીને જંગી ગેરકાયદે બાંધકામો સહિતનો ગુનાખોરીનું માનસ ધરાવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આ પ્રકારની કડકાઈ કાયમી ધોરણે જળવાઈ રહે તો જ નવા ગેરકાનૂની કૃત્યો તથા દબાણો થતાં અટકી શકે, તે પણ હકીકત છે.
આ પ્રકારના દબાણો હટાવાય, ત્યારે હંમેશાં એવો પ્રશ્ન પણ ઉઠતો હોય છે કે જ્યારે સરકારી ખરાબાઓ કે જાહેર સ્થળોમાં આ પ્રકારના ગેરકાયદે કૃત્યો કે દબાણો થતાં હોય ત્યારે સંબંધિત તંત્રો શું ઊંઘતા હતા ? આટલા મોટા તોતીંગ બાંધકામો કાંઈ રાતોરાત તો નહીં જ ઊભા થયા હોય ને ? કોઈપણ પ્રકારના દબાણો ગેરકાયદે જ ગણાય, પછી ભલે તે સરકારી જમીન પર હોય, ટ્રસ્ટો કે સંસ્થાઓની જગ્યામાં થાય કે પછી ખાનગી પ્લોટો કે ખેતર-વાડીઓમાં પેશકદમી થતી હોય, તે તમામ પ્રકારની દાદાગીરીને ખતમ કરવા પ્રિવેન્ટીવ એપ્રોચ અપનાવવો અત્યંત જરૂરી હોય છે, કારણ કે જંગી દબાણો થઈ ગયા પછી હટાવાય, તે તોતીંગ વૃક્ષની માત્ર ડાળીઓ તોડવા જેવું જ ગણાય,અને તેના જમીનની અંદર રહી ગયેલા મૂળિયામાંથી ફરીથી તે જ સ્થળે દબાણો ઊભા થઈ જતાં હોય છે, અને એવું ઘણાં સ્થળે થતું હોય છે, તે આપણે સૌ જાણીએ જ છીએ ને ?
આ પ્રકારના દબાણો હટાવ્યા પછી તે જ સ્થળે તેનું સ્વરૂપ બદલીને, ગમે-તેમ કરીને કાચી-પાકી મંજુરીઓ મેળવીને કે પછી પુનઃ તંત્રને (જાગતી આંખે) અંધારામાં રાખીને ફરીથી દબાણો ઊભા થઈ ન જાય, તે માટે વિશેષ કાળજી રાખવી જરૂરી હોય છે, અને એવું થાય, તો જે-તે વિસ્તારના સંબંધિત તમામ તંત્રોના અધિકારી-કર્મચારીઓને જવાબદાર ઠેરવીને તેની સામે પણ કડક પગલાં લેવાની કાર્યવાહી સરકારે કોઈપણ ભેદભાવ વગર કરવી જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં પણ તથ્ય છે અને આ માટે પણ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું ?
બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાઓની જાહેરાત કરી છે, તેને અનુલક્ષીને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કન્યા કેળવણીને લઈને રાજ્ય સરકારના અભિગમના હકારાત્મક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આ યોજનાનો લાભ તમામ દીકરીઓને સાંપડશે, તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હને બજેટમાં શિક્ષણના ક્ષેત્રે જંગી જોગવાઈ કરી હોવાનો દાવો પણ કર્યો, ત્યારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે, તેવી આશા રાખી શકાય ખરી.
શૈક્ષણિક સુવિધાઓ અદ્યતન બને, મોટા શૈક્ષણિક સંકુલો ઊભા થાય, નવી નવી યોજનાઓ જાહેર થાય અને ઝુંબેશો ચાલે, તે આવકાર્ય છે, પરંતુ સાથે સાથે શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સંસ્કારો સાથેનું શિક્ષણ મળે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોય અને તમામ શાળાઓમાં નિયમિતતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, ખરું ને ?
શિક્ષણ હોય કે સરકારી સેવાઓ હોય, કન્યા કેળવણી ઝુંબેશ હોય કે સર્વશિક્ષા અભિયાન હોય, ગુંડાગીરી નાબૂદ કરવાનું અભિયાન હોય રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હોય, ટ્રાફિકની ડ્રાઈંવ હોય કે દબાણો હટાવવાના ડિમોલીશન ઓપરેશનો હોય, આ તમામ ક્ષેત્રે સરકારની પ્રબળ ઈચ્છા શક્તિ અને તેમાં જન વિશ્વાસ તથા સાર્વત્રિક જનસહયોગનો સમન્વય થવો પણ એટલો જ જરૂરી હોય છે. અન્યથા આ પ્રકારના અભિયાનો, ઝુંબેશો તથા ઓપરેશનો એકંદરે નિરર્થક અને માત્ર ફોર્ર્માલિટી જેવા જ બની રહેતા હોય છે, અથવા તેના પર પબ્લિસિટી સ્ટંટનો ધબ્બો લાગી જતો હોય છે.
બૂટલેગરો, ગેંગસ્ટરો અને નામચીન ગુનાખોરોની પાંખો કાપવા માટે તેના આ પ્રકારના ગેરકાયદે દબાણો હટાવીને તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પ્રહાર કરીને અનુચિત આવકના માર્ગો બંધ કરીને અને નેટવર્કને ભેદીને જ કાયમી ધોરણે શાંતિ અને સૌહાર્દની સ્થિરતા જળવાતી હોય છે, સાચી વાત છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની ચર્ચા વચ્ચે આજે ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક ક્ષેત્રોને સાંકળતો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે મહાશિવરાત્રિ છે, જેથી સવારથી જ હરહર મહાદેવની ગુંજથી શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે ૮ મી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. તે ઉપરાંત ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળની સ્મૃતિઓને સાંકળતો રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિના સંયોજન સાથે દેશમાં ત્રિવિધ વિશેષતાઓ સાથે ઉજવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્ય સરકારે દ્વારકા-ઓખા પંથકને સાંકળીને 'ડોડા' વિકાસ મંડળની રચના માટે નિર્ણય લીધો છે, તથા કેન્દ્ર સરકારે કર્મચારીઓનું ચાર ટકા મોંઘવારી ભથ્થુ મંજુર કરવા સહિતના કેટલાક નિર્ણયો લીધા છે, તેના પ્રતિભાવો પણ આવી રહ્યા છે, અત્યારે જૂનાગઢના ગીરનારમાં ભક્તિમેળો જામ્યો છે અને સોમનાથ દ્વારકાના નાગેશ્વર, ભડકેશ્વર સહિતના યાત્રાધામોમાં પણ મહાશિવરાત્રિનો ભક્તિમેળો જામ્યો છે.
આજે મહાશિવરાત્રિની ઉજવણીનો રંગ દેશભરમાં જામ્યો છે આજે મહાશિવરાત્રિનું મહાત્મય સમજાવાઈ રહ્યુ છે અને દ્વારકા જયોતિર્લીંગ સહિત દેશભરના શિવાલયોમાં શિવપૂજન થઈ રહ્યું છે. મહાશિવરાત્રિને સાંકળતી ઘણી કથાઓ પ્રચલીત છે. આમ તો દર મહિને વદ ચૌદશના દિવસે શિવરાત્રિ હોય છે, પરંતુ મહાવદ ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને કહેવાય છે કે જે દિવસે સૃષ્ટિનું સર્જન થયું છે, આ દિવસે શિવ-પાર્વતીના વિવાહ થયા હતા, તેવી માન્યતામાં મતમતાંતરો છે. તે ઉપરાંત સમુદ્ર મંથન પછી ભગવાન શિવશંકરે હળાહળ વિષ કંઠમાં ધારણ કર્યું અને નિલકંઠ કહેવાયા તે કથા સાથે પણ મહાશિવરાત્રિને સાંકળવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રભાનુ નામના શિકારી સાથે પણ મહાશિવત્રિને સાંકળવામાં આવે છે. મહાશિવરાત્રી ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોમાં પણ ઉજવાય છે.
આજે આઠમી માર્ચ હોવાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવાઈ રહ્યો છે. વર્ષ-ર૦ર૪ ની આ ઉજવણીની થીમ છે. 'મહિલાઓ માટે નિવેશઃ પ્રગતિ વેગીલી બનાવીએ' એ પ્રકારની રાખવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વર્ષ ૧૯૧૦ માં કોપનહેગનમાં એક મહિલા સંમેલન દરમિયાન શરૃ થઈ હોવાનું મનાય છે, પરંતુ આ ઉજવણીની બુનિયાદ વર્ષ ૧૯૦૮ માં ન્યૂયોર્કમાં મહિલાઓની કૂચ દરમિયાન પડી હતી અને વર્ષ ૧૯૦૯ મા સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ર૮ ફેબ્રુઆરીના મનાવ્યા પછી જુદા જુદા દિવસે થતી ઉજવણીને એકરૃપતા આપવા આ ઉજવણી વર્ષ-૧૯૧૦ માં ચર્ચાઓ થઈ, અને વર્ષ ૧૯૧૧ માં ૧૯ મી માર્ચે આ ઉજવણી થઈ, તે પછી જુદા જુદા દિવસોએ થતી આ વૈશ્વિક ઉજવણી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આઠમી માર્ચે ઉજવવાનું નક્કી થયું, જેને વર્ષ ૧૯૭પ માં સંયુકત રાષ્ટ્રસંઘે માન્યતા આપી હતી, અને વર્ષ ૧૯૯૬ થી મહિલા કલ્યાણ, મહિલા જાગૃતિ અને મહિલાઓના અધિકારોના વિષયોને સાંકળતી વિવિધ થીમ આધારિત ઉજવણીઓને વેગ મળ્યો. અત્યારે આપણા દેશમાં જ્યારે મહિલા કલ્યાણ, મહિલા સુરક્ષા અને મહિલા જાગૃતિના ક્ષેત્રે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણું કામ પણ થઈ રહ્યું છે. આખો માર્ચ મહિનો વિશ્વમાં મહિલા ઈતિહાસ મહિનો અથવા મહિલા ઉત્કર્ષ માસ તરીકે પણ ઉજવાય છે.
આઠમી માર્ચ-૧૯૩૦ થી જ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે સવિનય કાનૂની ભંગની ઘોષણા કરી હતી, અને ૧ર મી માર્ચથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી દાંડીયાત્રા કાઢી હતી અને મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખાતી આ અહિંસક ચળવળે બ્રિટિશ સલતનતના પાયા હચમચાવી નાખ્યા હતા, તેથી આજના દિવસે એક રાષ્ટ્રય તવારીખ પણ નોંધાયેલી છે. આમ આજે તહેવારોનો ત્રિવેણી સંગમ પણ કહી શકાય ખરો....
યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે વિવિધ પરિયોજનાઓ જાહેર થઈ છે અને કેટલીક ધમધમી રહી છે, તેમાં હવે દ્વારકા-ઓખા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ (ડોડા)ને રાજ્ય સરકારે મંજુરી આપતા સુદર્શન બ્રીજથી જોડાયેલા બેટ દ્વારકા, ઓખા, સુરજકરાડી, શિવરાજપુર, વરવાળાના દસ હજાર હેકટરથી વધુ વિસ્તારનો વિકાસ વેગીલો બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પ્રારંભિક આવકાર મળી રહ્યો છે, અને આ જાહેરાતના વિગતવાર અહેવાલનો અભ્યાસ કર્યા પછી કેટલીક બાબતો વધુ સ્પષ્ટ થઈ જશે, તેવી આશા સેવાઈ રહી છે. અત્યારે પ્રારંભિક તબક્કે આ મુદ્દે મિશ્ર પ્રતિભાવો વ્યકત થઈ રહ્યા છે. આ સાથે સુદર્શન બ્રીજના નિર્માણ પછી ફેરી બોટ સર્વિસ દ્વારા બેટ-દ્વારકા-વચ્ચે મુસાફરોને લાવવા-મૂકવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વૈકલ્પિક રોજગારીની ઉઠી રહેલી માંગ સંદર્ભે પણ કોઈ ચોક્કસ યોજના અંગે વિચારણા થશે, તેવી આશા સેવાઈ રહી છે.
ગઈકાલે મોદી સરકારની વર્તમાન ટર્મની કદાચ છેલ્લી કેબિનેટ હતી, કારણ કે હવે ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જવાની છે, ત્યારે છેલ્લે કેબિનેટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેને ચૂંટણીલક્ષી ગણાવાઈ રહ્યા છે.
આજે જ વડાપ્રધાને એલપીજીમા સિલિન્ડર દીઠ મહિલા દિવસને સાંકળીને રૃા. ૧૦૦ ના ઘટાડાની જાહેર કરી છે. તે પહેલા કેબિનેટમાં પણ સબસિડી ચાલુ રાખવાનું નક્કી કરાયું છે, અને આ સબસિડી વધુ એક વર્ષ સુધી મળતી રહેશે તેમ પણ જાહેર થયું છે.
તે ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૪૬ ટકાથી વધારીને પ૦ ટકા કરાયુ, ઈન્ડિયા, એ.આઈ. મિશન માટે ૧૦ હજાર કરોડથી વધુના ફંડની ફાળવણી, શણના ટેકાના ભાવોમાં વધારો, કોસ્ટગાર્ડ માટે ૩૪ નવા ધ્રુવ હેલિકોપ્ટર તથા ઉત્તર-પૂર્વના ક્ષેત્રોમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટો માટે પણ રૃા. ૧૦ હજાર કરોડથી વધુના પ્રોજેકટોને મંજુરીના નિર્ણયો પણ કેન્દ્રીય કેબિનેટે લીધા છે. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ ગુજરાતમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે જોઈએ, શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દ્વારકાના યાત્રાધામો તરફ યાત્રાળુઓનો પ્રવાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દ્વારકાના જગત મંદિર પર દરરોજના ૬ ધ્વજારોહણ, બેટ દ્વારકામાં ધ્વજારોહણ, મહાશિવરાત્રિને લઈને નાગેશ્વર તરફ વધનારો ભાવિકોનો પ્રવાહ અને નાતાલના મીની વેકેશનમાં પર્યટકોની સંખ્યામાં થનારા સંભવિત વધારાને લક્ષ્યમાં લઈને આજથી જ જામનગર, રાજકોટ, પોરબંદરથી દ્વારકા તથા બેટ દ્વારકા માટે ખાસ વધારાની એસ.ટી. બસો તો દોડાવવી જ જોઈએ, પરંતુ સાથે સાથે રાજ્યભરમાંથી લાંબી અંતરની બસ સેવા વધારવાની પણ તાતિ જરૃર જણાય છે. આ માટે કોર્પોરેશનો રાજકોટ ડિવિઝનને પણ ૧૦૦ થી વધુ નવી બસો ફાળવવી જોઈએ, તેમ નથી લાગતું ?
અત્યારે દ્વારકા તરફ જતા તમામ પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ મોટાભાગે હાઉસફૂલ જાય છે, તે ઉપરાંત સૌરાષ્ટ્રના યાત્રાધામો અને હરવા-ફરવાના સ્થળોને પરસ્પર જોડતી વાહન-વ્યવસ્થાની ખાનગી ટ્રાવેલ્સની બસો તથા ટેકસીઓ પણ ભરપૂર હોય છે, ત્યારે યાત્રિકો-પ્રવાસીઓને સુખ-સગવડ-સુવિધા સાથે રાજ્ય સરકારના એસ.ટી. કોર્પોરેશનની વધુમાં વધુ બસો મળે, તેવી અપેક્ષા પણ ૧પ૬ બેઠકો આપનારા ગુજરાતીઓ જ નહીં, પરંતુ દ્વારકાની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ રાખી રહ્યા છે. ઘણાં લોકો યાત્રાધામોમાં સ્થાનિક પરિવહનમાં થતી નફાખોરીને નિયંત્રિત કરવાની જરૃર પણ જણાવતા હોય છે, આ દિશામાં રાજ્ય સરકાર તથા એસ.ટી. કોર્પોરેશન જ નહીં, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રો અને દ્વારકા-બેટ દ્વારકાના સંચાલક મંડળો, દેવસ્થાન સમિતિઓએ પણ સક્રિય રહેવું જોઈએ તેમ નથી લાગતું ?
એસ.ટી. બસોની જેમ જ રેલવે તંત્રે પણ રાજકોટથી દ્વારકા અને પોરબંદર વચ્ચે વધુમાં વધુ ટ્રેનો દોડે, જરૃરિયાત મુજબ અવાર-નવાર સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવાય અને લાંબા અંતરની વધુમાં વધુ ટ્રેનો શરૃ થાય તે માટે ફૂલપ્રૂફ અને સમયબદ્ધ આયોજન કરીને અમલી બનાવવું જરૃરી છે, કારણ કે વડાપ્રધાને સુદર્શન સેતુ ખુલ્લો મુક્યો, સ્કૂબા ડાઈવીંગ કર્યુ અને હવે જે રીતે આ યાત્રાસ્થળોની કાયાપલટ થઈ રહી છે, તે જોઈને દેશભરમાંથી વધુમાં વધુ યાત્રિકો, પ્રવાસીઓ, અભ્યાસુઓ ઉમટી પડવાના છે, જેને પહોંચી વળવા રેલવે-બસ સેવા જ નહીં, પણ તમામ સંબંધિત તંત્રોએ પણ અત્યારથી જ તૈયારી રાખવી પડશે તેમ નથી લાગતું ?
દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, હર્ષદ, પોરબંદર અને સોમનાથની રિલિજિયસ ટુરિઝમની શ્રૃંખલા હવે ગ્લોબલ મેપ પર અગ્રીમ હરોળમાં મુકાઈ ગઈ હોવાથી હવે વિશ્વભરમાંથી માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિદેશી પર્યટકો, દર્શનાર્થીઓ, ભાવિકો અને અભ્યાસુઓ પણ દિન-પ્રતિદિન વધવાના જ છે, આ સંભવિત વૈશ્વિક ધસારાને ધ્યાને રાખીને હવે દ્વારકાને આંતરરાષ્ટ્રીય અને ડોબેશિયલ વિમાનોની સુવિધાઓ સાથે તત્કાળ સાંકળીને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ ઝડપથી મળે, તે પણ સમયની માંગ છે, હવે હવાઈ યાત્રા સુગમ, સરળ બની છે, અને થોડી વધુ સસ્તી થઈ જાય, તો સામાન્ય નાગરિકો પણ હવાઈ યાત્રા કરી શકે તેમ છે, ત્યારે તે દિશામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો તત્કાળ કોઈ આયોજન સુનિશ્ચિત કરે તે જરૃરી છે.
અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, અને એનડીએ વિરૃદ્ધ ઈન્ડિયાનો સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તથા ભાજપ તરફથી 'મોદી કી ગેરંટી'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારોના નામો જાહેર કરવા લાગ્યા છે, અને જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ રિપિટ થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, અને હવે તેની સામે વિપક્ષના કયા નેતા મેદાનમાં ઉતરશે તેની અટકળો થઈ રહી છે.
આ બધા ઘટનાક્રમો વચ્ચે દ્વારકા-બેટદ્વારકાને સડક, રેલવે અને હવાઈ માર્ગે વધુને વધુ સુખ-સુવિધા સાથે પરિવહનની સેવાઓ મળે, બસો અને ટ્રેનોમાં કોઈ પણ યાત્રિકને ઊભા ઊભા મુસાફરી કરવી ન પડે, સિટી બસો સહિતની સ્થાનિક દર્શન બસ સેવાઓ વધે તથા રિક્ષા-ટેકસી જેવા સ્થાનિક પરિવહનમાં બેફામ નફાખોરી ન થાય, તેવા પ્રબંધો કરવાની 'ગેરંટી' પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન મળશે, તેવી આશા રાજકીય પક્ષો અને નેતાઓ પાસેથી લોકો રાખી રહ્યા હશે, રાઈટ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial

માવઠાની આગાહીઓ, હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા અને બદલાતા ઋતુચક્ર વચ્ચે એક તરફ તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં કદાચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય, તેવી સંભાવનાઓના કારણે ટોપ ટુ બોટમ રાજનેતાઓ અને કાર્યકરો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.
દેશમાં રાજકીય ચહલ-પહલ પણ વધી ગઈ છે, અને કેટલાક નેતાઓનો ચૂંટણી ટાણે જ અચાનક જ આશ્ચર્યજનક રીતે 'અંતરાત્મા' જાગૃત થતા પક્ષપલટો કરી રહ્યા છે, તમે બીજી તરફ રાજકીય પક્ષોની વિવિધ રાજકીય ગતિ વિધિઓની સાથે સાથે ઉભય પક્ષે નેતાઓના તીખાતમતમતા નિવેદનો તથા આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો પણ વધી રહ્યો છે.
થોડા મહિનાઓ પહેલાના સમયગાળા સુધી ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી સરકારને અણીયાળા સવાલો પુછતા અને દાયકાઓથી કોંગ્રેસને વફાદાર રહેલા પોરબંદરના ધારાસભ્ય ભાજપમાં જોડાતા જ બદલાયેલા સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસે રામમંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યુ, ત્યારપછી મેં તેના સંદર્ભે મારો સંદેશ (હાઈકમાન્ડ સુધી) પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતા પક્ષાંતર કરવું પડી રહ્યું છે.
આ મુદ્દે મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલો મુજબ મોઢવાડિયાએ છેક આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધીએ જે સામાજિક અને આર્થિક આઝાદી મળવાની બાકી હોવાની વાત કરી હતી, તેને ટાંકીને કહ્યું કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગાંધીજી અને સરદાર પટેલની જેમ દિવસ રાત જોયા વગર દેશ માટે કામ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સપનું લઈને નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભગવાન શ્રીરામની ખિસકોલોની જેમ કામ કરવા ભાજપમાં જોડાયા છે !
આમ તો અર્જુનભાઈએ ઘણી બધી વાતો કરી, અને કોંગ્રેસ છોડવાના કારણો પણ વર્ણવ્યા, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા છે, તે સમજતા અર્જુનભાઈને આટલા બધા વર્ષો કેમ લાગી ગયા? પક્ષાંતર ના અસલ કારણો શું છે ? વગેરે સવાલો પણ લોકોમાં ઉઠવા લાગ્યા છે. આ મીડિયા-સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાયા, તે તો અપેક્ષિત જ હતું અને ઘણાં સમયથી તે પ્રકારની અટકળો પણ થઈ રહી હતી, પરંતુ ગત ચૂંટણીમાં લોકસભાની જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમની સામે ચૂંટણી લડીને પરાજીત થયેલા કોંગ્રેસના હાલારના દિગ્ગજ નેતા અને કલ્યાણપુર તાલુકાના આહિર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાએ પણ કેસરિયા કર્યા હોવાથી હવે હાલારમાં કોંગ્રેસના તમામ સમીકરણો પણ બદલી ગયા છે, અને કોંગ્રેસ સામે લોકસભાની જામનગરની બેઠક માટે મજબૂત ઉમેદવાર ઊભો કરવાનો પડકાર ઊભો થઈ ગયો છે. હજુ તો ચૂંટણી જાહેર પણ થઈ નથી, ત્યાં કોંગ્રેસના કાંગરાઓ ખરવા લાગ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસની હાઈકમાન્ડ પણ કોઈ નક્કર પગલાં લેશે, તેવો આશાવાદ કોંગ્રેસના વર્તુળોમાં વર્તાઈ રહ્યો છે, જ્યારે ઘણાં લોકો પાંચ લાખની લીડ ભાજપનો લક્ષ્યાંક હવે સરળ થઈ જશે, તેવા અનુમાનો પણ કરવા લાગ્યા છે.
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન પેપરલીકનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે પેપરલીક માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અભિશાપરૂપ છે. છેલ્લા ૭ વર્ષમાં ૭૦ થી વધુ પેપરલીકની ઘટનાઓએ બે કરોડથી વધુ વિદ્યાર્થીઓના સપના તોડી નાંખ્યા છે અને તેઓના પરિવારો માનસિક અને આર્થિક બોજ અનુભવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ આ મુદ્દે એવું સૂચન પણ કર્યું હતું કે ભ્રષ્ટ, બેદરકાર અધિકારીઓ, નકલ કરનારા માફિયાઓ તથા પ્રિન્ટીગ પ્રેસ વચ્ચેની સાઠગાંઠ ખતમ કરીને દરેક કક્ષાએ (ટોપ ટુ બોટમ) જવાબદારી નક્કી કરવાની જરૂર છે. તેમણે ગૌણ પસંદગી સેવા મંડળ તથા સરકાર પણ આ માટે જવાબદાર હોવાનો અભિપ્રાય વ્યકત કરીને કહ્યું કે કોંગ્રેસ લોકોના સૂચનો, તરફથી નિષ્ણાતોના અભિપ્રાયો તથા બનેલી ઘટનાઓના અભ્યાસના આધારે એક ફુલપ્રૂફ પ્લાન તૈયાર કરી રહી છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય તથા મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવાનું વિઝન ટૂંક સમયમાં રજુ કરવાની તેમણે પ્રતિબદ્ધતા દર્શાવી, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલાં જ જે રીતે કોંગ્રેસના દિગ્ગજોના રાજીનામા પડી રહ્યા છે, અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે પ્રિ-પ્લાનેડ હોય અને વિપક્ષને નામશેષ કરવાની દિશામાં શાસક ગઠબંધન આગળ વધી રહ્યું હોય તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અત્યારે પક્ષાંતર કરી રહેલા નેતાઓને સ્વાર્થી ગણાવ્યા અને કહ્યું હતું કે પોતાના ધંધા-રોજગાર સાચવવા, કોઈ ડર થી કે પ્રલોભનથી અત્યારે કોંગ્રેસ છોડી રહેલા આ જ નેતાઓ જ્યારે કોંગ્રેસનું પલડું ભવિષ્યમાં ભારે હશે ત્યારે તેઓ પણ આ તરફ ફરીથી આવશે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ પાસે શક્તિશાળી નેતાઓ કે કાર્યકરો નહીં હોવાથી તે વિપક્ષને તોડી રહી છે, પરંતુ કોંગ્રેસ પાસે વફાદાર કાર્યકરો અને નેતાઓની ફોજ છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

સુપ્રિમ કોર્ટે વર્ષ-૧૯૯૮ નો પોતાનો જ એક ફેંસલો પલટાવીને ગઈકાલે એ પ્રતિપાદિત કર્યુ છે કે લોકતંત્રમાં હંમેશાં જનહિત અને સમાનતા ને પ્રાધાન્ય અપાતું હોય છે અને પરિવર્તનો થતા રહેતા હોય છે. ભૂતકાળમાં કોઈ અલગ પરિપ્રેક્ષ્ય કે સંજોગોમાં અપાયેલા ચુકાદા વર્તમાન સમયને સુંસંગત ન હોય કે પછી ભૂતકાળમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે જાહેર હિત, જનહિત અને લોકતંત્રની સુરક્ષા માટે સુધારી શકાતી હોય જ છે, પછી ભલે સરકાર હોય, અદાલત હોય કે સંસદ હોય.... પરિવર્તન તો કુદરતનો પણ નિયમ છે, ખરું ને ?
ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોને કેટલાક વિશેષાધિકારો મળેલા છે, જ્યારે કેટલીક બાબતોમાં પ્રજાના ચૂંટાયેલા જનસેવકોને કાયદાની દૃષ્ટિએ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ગણવામાં આવ્યા છે. બંધારણની જુદી જુદી કલમો હેઠળ આ તમામ વિશેષાધિકારો અને તેની મર્યાદાઓ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી જ છે, અને તેનું અર્થઘટન દેશના ન્યાયતંત્ર દ્વારા થતું રહેતું હોય છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં બંધારણીય બેન્ચની વ્યવસ્થા છે, અને એક લાર્જર બેન્ચનો ગઈકાલે આવેલો એક નિર્ણય આજે દેશભરમાં વ્યાપક સ્વરૃપમાં ચર્ચાઈ રહ્યો છે. લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલા દેશની અને અદાલતોમાં સંસદમાં જે કાંઈ થયેલંુ અને તે પછી જે પ્રક્રિયા થઈ અને કાનૂની જંગ ખેલાયો, તેની સ્મૃતિઓ પણ તાજી થઈ ગઈ, એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો જ ભૂતકાળનો એક ફેંસલો પલટાવીને એક ઉમદા દૃષ્ટાંત પણ બેસાડ્યું છે. હવે આ ફેંસલાની દેશના રાજકરણ પર પણ દીર્ધકાલિન અસરો થવાની છે.
આ ચુકાદો આપતા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ભ્રષ્ટાચાર અને લાંચ-રૃશ્વત ભારતીય સંસદીય લોકશાહીની પ્રક્રિયા અને મૂળ ભાવનાને નષ્ટ કરે છે, સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે આ ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપતા કહ્યું છે કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને બચી શકે નહીં, તેઓને કાનૂની કે બંધારણીય રક્ષણ મળી શકે નહીં, લાંચ-રૃશ્વત-ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ વિશેષ છૂટ આપી શકાય નહીં, તેવા અર્થઘટનો આ ચુકાદાના નીકળી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડની સાત સભ્યોની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપતા કહ્યું કે ધારાસભ્ય કે સંસદસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર થાય કે લાંચ-રૃશ્વત સ્વીકારાય તો તેથી ઈમાનદારી (ઓનેસ્ટી)નો છેદ ઉડી જાય છે. લાંચ, રૃશ્વત કે ભ્રષ્ટાચારને સંસદીય વિશેષધિકાર હેઠળ સુરક્ષા આપી શકાય નહીં.
વર્ષ-૧૯૯૮ માં ઝારખંડ મૂક્તિ મોરયા લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી એવો નિર્ણય લીધો હતો કે 'નોટ ફોર વોટ'ના કિસ્સામાં ધારાસભ્ય કે સંસદસભ્ય સામે કેસ દાખલ થઈ શકે નહીં, કારણ કે તેઓને વિશેષાધિકારો મળેલા છે. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રિમ કોર્ટની સાત જજોની બેન્ચે ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપેલો ચુકાદો સર્વાનુમતિથી પલટાવી દીધો હતો. હવે જો કોઈ સંસદસભ્ય કે ધારાસભ્ય 'વોટ ફોર નોટ' જેવું કોઈપણ કૃત્યુ કરે અને તે પુરવાર થાય, તો તેને કોઈ કાનૂની રક્ષણ કે વિશેષાધિકાર મળશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો અને સોશ્યલ-મીડિયાના માધ્યમથી સુપ્રિમ કોર્ટની બેન્ચના ચુકાદાને 'મહાન' ગણાવીને કહ્યું કે આથી સ્વચ્છ રાજનીતિ સુનિશ્ચિત થશે અને લોકોને સિસ્ટમમાં વધુ ઉંડો વિશ્વાસ મળશે. તે પછી વિપક્ષી વર્તુળોમાંથી કેટલાંક દૃષ્ટાંતો સાથે કટાક્ષો પણ થઈ રહ્યા છે.
આ ચુકાદાને આમ તો સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે, પરંતુ દેશભરમાં મોટાપાયે થઈ રહેલા પક્ષાંતરોને સાંકળીને લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે જ્યાં સુધી 'આયારામ....ગયારામ'ની રાજનીતિને છુપું પ્રોત્સાહન મળતું બંધ નહીં થાય, ત્યાં સુધી 'સ્વચ્છ રાજનીતિ'ની આશા રાખવી નકામી છે અને લોકોને 'સિસ્ટમ'માં કેટલો વિશ્વાસ બચ્યો છે, તે તો હવે 'ઓપન સિક્રેટ' જ છે ને ?
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે, તે પહેલાં જ એકાદ-બે કોંગીનેતાઓએ રાજીનામા આપ્યા, તેને કેન્દ્રમાં રાખીને જે માહોલ ઊભો કરાઈ રહ્યો છે, તે આપણી સામે જ છે... એક તરફ વિપક્ષી નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા કેટલાક સિનિયર નેતાઓ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા છે અથવા તો ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે જોતાં એમ જણાય છે કે, આ તમામ ઘટનાક્રમો પાછળ કોઈ ચોક્કસ રણનીતિ કામ કરી રહી હોવી જોઈએ.... જોઈએ... ચૂંટણી આવતા સુધીમાં કેવા કેવા નવા નવા ખેલ રચાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

પટણામાં જનવિશ્વાસ સંમેલનમાં વિરાટ જનમેદની જોઈને અને વિપક્ષી દિગ્ગજોના જુસ્સેદાર ભાષણો પછી દેશમાં લોકસભાની ચૂંટણી એક તરફી બની રહી હોવાનો ભ્રમ તૂટી ગયો હોવાના દાવાઓ થવા લાગ્યા છે, તો બીજી તરફ ભાજપની પ્રથમ યાદી બહાર પડ્યા પછી અને બીજી યાદી બહાર પડે તે પહેલાં ભાજપના કેટલાક દિગ્ગજો તથા વર્તમાન સાંસદોએ રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ગુજરાતમાં નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી, તેને ટાંકીને અટકળો ઉપરાંત કટાક્ષો પણ થવા લાગ્યા છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજનીતિથી અલગ ગણી શકાય તેવું કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું એક નિવેદન પણ ધ્યાનાકાર્ષક બન્યું છે.
અમિતભાઈએ ગઈકાલે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાર્કોના નેટવર્ક અને શરાબના માર્કેટને ભેદવા અસરકારક કદમ ઉઠાવ્યા છે. જેથી સંખ્યાબંધ પેડલર્સ ઝડપાયા છે, અને ડ્રગ્સ, માદક દ્રવ્યો અને નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ માટે ઝુંબેશ ચાલી રહી છે.
અમિતભાઈના આ દાવાની ચર્ચા ભલે રાજકીય રીતે મુલવાઈ રહી હોય, પણ કેન્દ્રના સ્ટેટેસ્ટિક્સ અને યોજનાકીય ઈમ્પ્લીમેશન વિભાગ (એનએસએસઓ) દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ મુજબ પાન, તમાકુ, નશીલા દ્રવ્યો અને નશાકારક ચીજવસ્તુઓ પર લોકોનો એવેરજ ખર્ચ શિક્ષણ પર થતા ખર્ચ કરતા પણ વધી ગયો છે. આ આંકડા ઘણાં જ ચોંકાવનારા અને ચિંતાજનક છે, અને એટલે જ આ વિષયને માત્ર રાજકીય રીતે મુલવી શકાય તેમ નથી.
વર્ષ-ર૦રર થી વર્ષ-ર૦ર૩ દરમિયાન ઓગસ્ટથી એક વર્ષના સમયગાળા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેમાં ઘરવપરાશ માટે થતો ખર્ચ (એચસીઈએસ) અને પરિવાર દીઠ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીઈસી) વિષે ઝીણવટપૂર્વક વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ સર્વે હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશો તથા દેશના વિવિધ આર્થિક અને સામાજિક જૂથોના જીવનધોરણનો કયાસ કાઢવા અને વલણો નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
આ સર્વે મુજબ દેશમાં પાન, તમાકુ, ધુમ્રપાન અને માદક દ્રવ્યો તથા નશાકારક પદાર્થો (ડ્રગ્સ વિગેરે) પર લોકોનો ખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં માત્ર શેહરી વિસ્તારો જ નહીં, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ખર્ચ વધ્યો છે.
આ સર્વે મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ-ર૦૧૧-૧ર માં આ પ્રકારનો ખર્ચ એવરેજ ૩.ર૧ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૭૯ ટકા થયો હતો. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ-ર૦૧૧-૧ર માં ૧.૬૧ ટકા હતો જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ર.૪૩ ટકા થયો હતો.
બીજી તરફ શહેરી વિસ્તારોમાં શિક્ષણ પર થતા ખર્ચનું સરેરાશ પ્રમાણ આ સમયગાળામાં વર્ષ-ર૦૧૧-૧ર માં ૬.૯૦ ટકા હતુ, જે વર્ષ-ર૦રર-ર૩ માં ઘટીને પ.૭૮ ટકા થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આ ખર્ચનું પ્રમાણ વર્ષ-ર૦૧૧-૧ર માં ૩.૪૭ ટકા હતું. જે વર્ષ-ર૦રર-ર૩ માં ૩.૩૦ ટકા થઈ ગયું હતું.
એક અન્ય ઉપયોગી વિગતો પણ આ સર્વે દરમિયાન સપાટી પર આવી છે. આ ડીપ સર્વે મુજબ શહેરી વિસ્તારોમાં પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ-ર૦૧૧-૧ર માં ૮.૯૮ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૧૦.૬૪ ટકા થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ ફિગર્સ મુજબ વર્ષ-ર૦૧૧-૧ર માં ૭.૯૦ ટકા હતો, જે વર્ષ-ર૦રર-ર૩ માં વધીને ૯.૬ર ટકા થઈ ગયો હતો. આ તમામ આંકડાઓ ચિંતાજનક છે.
જો વ્યસનો અને બીનજરૃરી પીણાંઓ તથા ફાસ્ટફૂડનો ખર્ચ અંકુશમાં આવી જાય તો લોકોની માથાદીઠ આવકનો સારો એવો હિસ્સો બચી જાય, જેથી લોકોની આર્થિક સ્થિતિ તો પહેલાની સરખામણીમાં મજબૂત બને જ, પરંતુ સાથોસાથ સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને જીવનધોરણમાં પણ મોટો હકારાત્મક તફાવત આવી જાય તેમ છે. આ દૃષ્ટિએ માત્ર સરકારે જ નહીં, પરંતુ સમાજે પણ વિચારવું પડે તેમ છે, અને બિનજરૃરી ખર્ચાઓ તથા વ્યસનો સાથે જનજાગૃતિ ઝુંબેશ ચાલતી રહેવી જોઈએ, તેમ નથી લાગતું...?
આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલી વ્યસનમુક્તિની વાત સુસંગત છે, અને અનેક જિંદગીઓને બરબાદ કરતા તથા સ્વાસ્થ્યનું નિકંદન કાઢીને દર્દભર્યુ મોત આપતા વ્યસનોથી સમાજ મુક્ત થાય, તે દિશામાં સાર્વત્રિક પ્રયાસો જરૃરી પણ છે, પરંતુ ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યો કરતાં પણ વધુ ખતરનાક કટ્ટરતા, નફરત અને સત્તા કે સંપત્તિનો નશો પણ જનજીવનને બરબાદ કરનારો હોય છે, અને તેનો ભોગ બની ન જવાય, તે માટે પણ સૌ કોઈએ જાગૃત રહેવું જોઈએ, ખરૃં કે નહીં...?
અત્યારે લોકસભાની ચૂંટણીઓના પ્રચારની આંધી વચ્ચે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ ઉડી જાય તેમ છે. હકીકતે સરકારી વ્યસનમુક્તિ ઝુંબેશ અને અનેક સંગઠનો, સંસ્થાઓ, સમાજો અને જાગૃત નાગરિકોના તદ્દવિષયક અભિયાનો કેટલા સફળ થાય છે...? આટલા બધા પ્રયાસો છતાં વ્યસનો નાબુદ કેમ થતા નથી...? કેફી દ્રવ્યોનો વેપલો કેમ વધી રહ્યો છે...? ગુજરાત જેવા રાજ્યોમાં પણ દારૃબંધી તદ્દન નિષ્ફળ કેમ થઈ રહી છે...? તેવા સવાલોના જવાબ પણ મેળવવા જ પડે તેમ છે... પણ તેમાં કોઈની પ્રબળ ઈચ્છાશક્તિ કેમ જોવા મળતી નથી...? છે કોઈ જવાબ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતનું મંત્રીમંડળ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શને જશે, તેની ચર્ચા ગઈકાલથી જ થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઈકાલના જામનગરના કાર્યક્રમો દરમિયાન પણ આ પ્રકારના સંકેતો મળી રહ્યા હતાં.
હમણાંથી હાલાર ગ્લોબલ લેવલે ઝળકી રહ્યું છે અને 'છોટીકાશી' તરીકે ઓળખાતું રજવાડી નગર જામનગર, વિશ્વકક્ષાનું હિન્દુઓનું યાત્રાધામ દ્વારકા, વિવિધ ધર્મસ્થળો, ટુરીઝમ ડેસ્ટિનેશન સમુ બેટ દ્વારકા અને બન્ને જિલ્લાઓના પ્રવાસ-પર્યટન સ્થળોને સાંકળીને હાલાર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જામનગરના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કરવામાં આવી રહી છે.
બીજી તરફ બન્ને જિલ્લાઓનું વહીવટીતંત્ર અત્યારે કસોટીની એરણે ચડયું હોય તેમ વિવિધ પ્રકારની તૈયારીઓ તથા ફરજોમાં વ્યસ્ત છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત શાળા-કોલેજોની અન્ય પરીક્ષાઓને લઈને તમામ પ્રકારની કાળજી સાથે તૈયારીઓ થઈ રહી છે અને ઉત્તરપ્રદેશની જેમ 'પેપરલીક' થઈ ન જાય, તે માટેની કાળજી સાથે ચૂસ્ત બંદોબસ્ત અને પર્યટન વ્યવસ્થાઓ ઊભી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. કેટલીક શાળાઓ તથા સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાનો 'હાઉ' નહીં રાખવા અને પરીક્ષાઓ દરમિયાન કેવી રીતે તૈયારી કરી શકાય તેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે પ્રયોગાત્મક પરીક્ષાઓ યોજીને વિદ્યાર્થીઓને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવી રહી છે.
બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓને લઈને પણ જિલ્લાતંત્રોને વિવિધ સૂચનાઓ મળી રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પણ ચૂંટણીપ્રચાર દરમિયાન કઈ કઈ કાળજી રાખવી અને કઈ કઈ મર્યાદાઓ રાખવી તેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય, તેને ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોવાથી દેશભરમાં ફટાફટ વિકાસકામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અને ગુજરાતમાં પણ રાજ્યભરમાં મંત્રી મહોદયો (ચૂંટણીલક્ષી) સરકારી પ્રવાસો કરી રહ્યા હોય, તેમ ઉદ્ઘાટનો, શિલાન્યાસો સાથે નવા નવા વાયદાઓ કરી રહેલા સંભળાય છે. આ કારણે હાલારના બન્ને જિલ્લાઓમાં પણ વીઆઈપી અને વીવીઆઈપીની અવર-જવર વધી રહી છે, જેના બંદોબસ્ત, વ્યવસ્થાઓ અને આગતા-સ્વાગતા-સરભરાની સાથે સાથે વિશેષ ઢબે સફાઈ-દવા છંટકાવ અને ક્ષતિઓ ઢાંકવાની ગતિવિધિઓ-પ્રવૃત્તિઓ વધી જતાં તમામ તંત્રોને હડિયાપટ્ટી કરવી પડી રહી છે, લોકો સાફ-સુથરા માર્ગો અને રોડના કાંઠે પાથરેલી ડીડીટી પાવડર દવાઓ જોઈને સમજી જાય છે કે કોઈક મોટંુ માથું આવવાનું લાગે છે !
હાલારમાં યાત્રાધામ દ્વારકામાં પણ વડાપ્રધાન સુદર્શન બ્રીજનું ઉદ્ઘાટન અને સ્કૂબા ડાઈવીંગ કરી ગયા પછી ત્યાં એક તરફ યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પેસેન્જર બોટ ચલાવીને ગુજરાન ચલાવતા હજાર-બારસો શ્રમિકો-સંચાલકોની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો કે, બેટદ્વારકા જમીન માર્ગે જોડાઈ ગયા પછી હવે ત્યાં પૂરક વ્યવસાયો, ધંધા-રોજગારની વિપુલ તકો હોવાથી આ લોકોને ત્યાં ડાઈવર્ટ કરી શકાશે, પરંતુ તે માટે સરકારી તંત્રોએ હસ્તક્ષેપ કરવો પડે તેમ જણાય છે, ખરું કે નહીં ?
આમ તો, જામનગર ભારતીય સેનાની ત્રણેય પાંખો છે, જામસાહેબના વારસા સમુ રજવાડી નગર લાખોટાતળાવ, ભુજીયો કોઠો, મ્યુઝીયમ અને વિશ્વકક્ષાના ધાર્મિક સ્થળો-મંદિરો ધરાવે છે, તેમ જ બાંધણી, કંકુ-સુરમો-કાજલ, સુડી જેવી ચીજવસ્તુઓ તથા બ્રાસ ઉદ્યોગ જેવી વિશેષતાઓના કારણે વૈશ્વિક કક્ષાએ પહેલેથી જ ઝળકી રહ્યું છે, અને યાત્રાધામ દ્વારકા પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને બેટદ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે ગ્લોબલ મેપમાં જ હતું, અને હવે તેમાં સુદર્શન બ્રીજ, શિવરાજપુર, ઓખામઢી, ડન્ની પોઈન્ટ અને હર્ષદ જેવા વિવિધ બીચ તથા રિલિજિયસ અને ઈકો ટુરિઝમના સંયોજનના કારણે હવે આખું હાલાર ગ્લોબલ ઈમ્પોરટન્ટ ડેસ્ટિનેશન્સની અગ્રીમ હરોળમાં આવી ગયું છે.
બીજી તરફ અંબાણી પરિવારના આંગણે અનંતના લગ્નોત્સવના કારણે લગભગ આખી દુનિયા જાણે જામનગર તરફ આવી રહી હોય તેમ જણાય છે, અને બોલીવુડ, હોલીવુડ, ખેલજગતના સેલિબ્રિટીઝ જ નહીં પરંતુ વિવિધ રાષ્ટ્રોના વડાઓ, પૂર્વવડાઓ, રાજ્ય કેન્દ્ર-સરકારના પ્રતિનિધિઓ-મહાનુભાવો, સંતો-મહંતો, ઉદ્યોગ-વ્યાપાર, સાયન્સ, ટેકનોલોજી-કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોના ગ્લોબલ લીડર્સ, દિગ્ગજો અને વૈશ્વિક ખ્યાતનામ હસ્તીઓ પણ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમનીમાં પહોંચી રહ્યા છે, આ જ નેશનલ હાઈવે પર ડબ્લ્યુ.એચ.ઓ.નું ગ્લોબલ મેડિસિન સેન્ટર પણ આકાર લઈ રહ્યું છે, આ બધાના કારણે કહી શકાય કે હાલાર 'ગ્લોબલ' બની રહ્યું છે. ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે... ભારતની ગરિમા વધી રહી છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, માવઠાની આગાહી સાથે કેટલાક સ્થળે કમોસમી વરસાદ થયો છે. કોમર્શિયલ એલપીજીમાં ભાવવધારો કરાયો છે અને ઉનાળાના પ્રારંભે જ દેશના કેટલાક વિસ્તારોમાં જળસંકટના એંધાણ વર્તાયા છે, તેવા અહેવાલો વચ્ચે દેશની આબોહવા પર ગ્લોબલ વોર્મીંગ વિષે થયેલા નવા અભ્યાસના ચોંકાવનારા તારણો આવ્યા છે.
ભારતનું સરેરાશ તાપમાન જો ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, તો હિમાચલની મહત્તમ નદીઓ, ઝરણાં, જળસ્ત્રોતો સુકાઈ જતા આ પહાડી વિસ્તારોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. કલાઈમેટ ચેઈન્જ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જે પેરિસ સમજૂતિ મુજબ દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધતું નહીં અટકાવાય તો દેશમાં ભયંકર દુષ્કાળ પડવાની સંભાવના છે. આ સ્થિતિનું નિર્માણ ગ્લોબલ વોર્મીંગના કારણે થઈ શકે છે, ત્યારે કલીન ઉર્જાના નિર્માણને પ્રોત્સાહિત કરીને ગ્લોબલ વોર્મીંગ અને કલાઈમેટ ચેઈન્જના ક્ષેત્રે રાહત મળી શકે છે.
ભારતમાં કલીન ઉર્જાનું નિર્માણ કરીને ગ્લોબલ વોર્મીંગ અટકાવવા કે ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જીની પોલિસી અપનાવાઈ રહી છે, અને કેન્દ્ર સરકારે આ માટે એક નવી યોજના બનાવી છે. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજુરી આપી દીધી છે, જે અંતર્ગત દેશના એક કરોડ ઘરો પર સોલાર પ્રોજેકટ સ્થાપીને એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે, આ યોજનાનું લોન્ચીંગ ૧૩ મી ફેબ્રુઆરીના થયુ હતું અને તે માટે રૂ. ૭પ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ યોજના અંતર્ગત એક કિલોવોટની સ્કીમ માટે રૂ. ૩૦ હજાર અને બે કિલોવોટની સ્કીમ માટે રૂ. ૬૦ હજાર તથા ૩ કિલોવોટની સ્કીમ માટે રૂ. ૭૮ હજારની સબસીડીની મંજુરી ૧.૭ લાખ લોકોને રોજગારીની તકો મળશે, તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ દ્વારા કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે, તે અંગે પણ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બિન પરંપરાગત અને કલીન ઉર્જાના ક્ષેત્રે આ યોજના એક વિરાટ મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
કેટલાક રાજ્યોએ પણ રિન્યુએબલ એનર્જી નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના બજેટમાં વર્ષ ર૦ર૪-રપમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડની જોગવાઈ થઈ છે, જેમાં કિસાન સર્વોદય યોજના માટે રૂ. ૧પ૭૦ કરોડ તથા કૃષિવિષયક વીજ જોડાણો વધારવા માટે રૂ. ૧૦૧૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજના ઉપરાંત વીજકંપનીના સબસ્ટેશનોની આજુબાજુની સરકારી ફાજલ જમીન પર રપ૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની જોગવાઈ પણ થઈ છે, જે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી-ર૦ર૩ હેઠળ પણ સોલાર, વિન્ડ તથા હાઈબ્રીડ ટેકનોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને ઉત્તેજન આપવાના દાવાઓ થયા હતાં અને આ પોલિસી હેઠળ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટસને આવરી લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી એ તેનો ઓપરેશનલ સમયગાળો વર્ષ-ર૦ર૮ સુધીનો રાખવામાં આવ્યો છે.
જો કે, વિપક્ષી નેતાઓ કેન્દ્ર-રાજય સરકારની ઉર્જાનીતિ સહિતના દાવાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, અને ભાજપ સરકારના ખાવાના અને દેખાડવાના દાંત જુદા જુદા હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો અને ચાલુ નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂ. સવા ચાર લાખ કરોડને દેવુ આંબી જશે, તેમ જણાવી સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યની આવકના ૪પ ટકા નાણા દેવા પર વ્યાજ, કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચાઈ જાય છે, ત્યારે રાજ્ય સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાના બદલે ખોટ જાય, તેવા કદમ કેમ ઉઠાવી રહી છે.
રિન્યુએબલ એનર્જીના મુદ્દે મોઢવાડિયાએ આકરી ટીકા કરતા કહ્યું કે ગુજરાત સરકાર પાવર પ્લાન્ટસના આધુનિકરણ અને લિગ્નાઈટ વગેરે પાવર પ્લાન્ટ્સના તકનીકી અપગ્રેડેશનના બદલે તેને બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘીદાટ વીજળી ખરીદી રહી હોવાથી સરકારી તિજોરીને કરોડોની ખોટ જાય છે, જે પબ્લિક મની છે. લિગ્નાઈટ પ્લાન્ટની પ્રોડકશન કેપેસિટી ૧ર૦૦ મેગાવોટ હતી, તે ઘટાડીને ૭૦૦ મેગાવોટની આજુબાજુ કરીને તેની પૂર્તતા ખાનગી કંપનીઓની મોંઘી વીજળી દ્વારા કરવાના કારણે સરકાર પર બોજ વધ્યો છે. મોઢવાડિયાએ વિધાનસભામાં કેટલીક જાણીતી ઔદ્યોગિક કંપનીઓને હાઈડ્રોજન પ્રોજેકટ માટે બે લાખ હેકટર જમીન ફાળવી હોવા છતાં એક પણ કામ શરૂ થયું નહીં હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો.
આમ, કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારે ઉર્જાક્ષેત્રે જે કાર્યપદ્ધતિ અપનાવી છે, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણાં લોકો પી.એમ. સુર્યઘર યોજનાને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો કારસો ગણાવી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો આ યોજનાને દૂરગામી સારા ફળો આપનારી ગ્લોબલ વોર્મીંગ ઘટાડનારી, પર્યાવરણની રક્ષક, કલાયમેટ ચેઈન્જમાં રાહત આપનારી અને મધ્યમવર્ગ માટે લાભકારી ગણાવી રહ્યા છે, બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વિપક્ષી દિગ્ગજ નેતાઓ દ્વારા જે અંગૂલીનિર્દેશ કર્યો હોય, તેને લક્ષ્યમાં લઈને પણ સરકારે પોલિસીમાં જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ અને ગુજરાતની જનતાના ગજવા પરથી ભાર ઓછો થાય, તેવા પારદર્શક કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આવતીકાલે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મીલેટ્સ એકસ્પોનો ઉદ્ઘાટન ઉપરાંત લગભગ ત્રણ અબજના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો થશે,, સ્પોર્ટકોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત અને પોલીસ હેડકવાર્ટરમાં સ્પોર્ટસ - ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પછી શહેરની રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રકારના વિકાસના કામોના નિર્માણ પછી તેના સંચાલન નિભાવ, દેખરેખ અને વખતોવખત નવીનીકરણ-આધુનિકરણ વ્યવસ્થાઓ પણ અત્યારથી જ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી લેવામાં આવી હોય તો તે સમયોચિત કદમ ગણાશે, કારણ કે ઘણી વખત આ પ્રકારની દૂરંદેશીમાં ત્રુટિ રહી જાય, તો કેટલીક સુવિધાઓનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જતો હોય છે.
જામનગર સહિત હાલારમાં અત્યારે ખાવડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા પારિવારિક પ્રસંગની ઉજવણીના ભાગરૃપે ગ્રામ્ય વિસ્તારો તથા ગ્રામજનોને સાંકળીને યોજાઈ રહેલા કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઈત્તરપ્રવૃત્તિઓની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સેરેમનીમાં જવાના છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગને સાંકળીને કેટલીક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સંખ્યાબંધ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ તથા મોટા નેતાઓ આવી રહ્યા હોવાથી આ પારિવારિક પ્રસંગે સમગ્ર દેશનું પણ ધ્યાન ખેંચ્યું છે, તો આ ઈવેન્ટ્સ 'ટોક ઓફ ધ હાલાર' પણ બન્યા છે.
જામનગરમાં તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ માટે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખેતીવાડી ખાતા દ્વારા મીલેટ્સ એકસ્પો યોજાનાર છે, તેમાં સાંસ્કૃતિક, લોક-સાહિત્યના કાર્યક્રમોની રંગત સાથે ૪૦ જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, મીલેટ્ દ્વારા લાઈવફૂડ અને મીલેટ પાકના કીટ્સ, હસ્તકલા વગેરેનો લાભ લોકો લઈ શકશે, અને અહીં આયુર્વેદ અંગે પણ માર્ગદર્શન અપાશે, તેમ જાહેર થયું છે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરી રહ્યા છે, આ પ્રકારના કાર્યક્રમો માત્ર સિમ્બોલિક ન બની જાય, અને વધુમાં વધુ લક્ષિત લોકો વાસ્તવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો-એકસ્પો-વર્કશોપ્સ વગેરેનો લાભ લે, તે અત્યંત જરૃરી છે, અને કાર્યક્રમો પૂરા થયા પછીના દિવસોમાં તેની થયેલી અસરોનું ફોલોઅપ અને ફિડબેક મેળવવાનું નેટવર્ક વિસ્તારવું જોઈએ, તેમ નથી લાગતું ? જો કે, આ નવતર સુવિધાઓનો મુદ્દો 'ટોક ધ ટાઉન' જરૃર બન્યો છે.
આજે ગુજરાતના પનોતાપુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જયંતી ઉજવાઈ રહી છે, અને દર ચાર વર્ષે આવતી ર૯ મી ફેબ્રુઆરીના દિવસે જન્મેલા ગાંધીવાદી નેતા મોરારજીભાઈને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે, ત્યારે તેઓના સિદ્ધાંતો, આદર્શો અને જીવનશૈલીને લઈને પણ દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને તેઓના 'શિવામ્બુ'ના કોન્સેપ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મોરારજીભાઈ દેસાઈની વિશેષતાઓ અને નાણામંત્રી તરીકેની તે સમયેની તેમની પોલિસીઓની ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે, અને સાથે સાથે નોટબંધીના કદમને પણ યાદ કરવામાં આવી રહ્યું છે.
આજે જેવી રીતે દેશમાં રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને પક્ષાંતરો થઈ રહ્યા છે, તે વર્ષ ૧૯૭૦ ના દાયકાની યાદ અપાવી રહ્યા છે. ઈન્ડિકેટ અને સિન્ડકેટે નામના જૂથો અને શાસક અને સંસ્થા કોંગ્રેસના સ્વરૃપમાં થયેલા પાર્ટીના વિભાજન પછી મોરારજીભાઈ દેસાઈએ વિપક્ષી નેતા તરીકે શરૃ કરેલી યાત્રા અને વર્ષ -૧૯૭૭માં જનતાપાર્ટીની સરકારમાં વડાપ્રધાન બન્યા, ત્યાં સુધીની તેઓની પ્રગતિયાત્રાના ઘટનાક્રમો આજે તેઓની જયંતીના પર્વે વર્ણવાઈ રહ્યા છે, તેઓએ વર્ષ ૧૯૮૦માં જનતાપાર્ટીના પતન પછી સ્વીકારેલો રાજકીય સંન્યાસ પણ જે-તે સમયે ચર્ચામાં રહ્યા હતો. આજે તેઓની જન્મજયંતી પ્રસંગે તેઓને સ્મરણાંજલિઓ અપાઈ રહી છે.
આજે જ્યારે સત્તા મેળવવા કે ટકાવવા માટે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાની માનસિકતા વધી રહી છે, ત્યારે મોરારજી દેસાઈ જેવા અનેક ગાંધીવાદી નેતાઓની યાદ તાજી થઈ જાય, જેઓ સત્તા માટે સિદ્ધાંતો સાથે જરાયે બાંધછોડ કરવા તૈયાર નહોતા...
અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો અને લોકસભાની ચૂંટણીઓના વ્યૂહાત્મક પ્રચારના ઝંઝાવાતના કારણે માહોલ ગરમાયો છે, અને સિદ્ધાંતો, આદર્શો, નીતિનિયમોનું સ્થાન હવે 'વિનેબિલિટી' ફેકટરે લીધું છે, તેના વિશ્લેષણો પણ 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં ટોચના શિખરે પહોંચેલા અનેક મહાનુભાવો ગુજરાતી મૂળના છે અને તેમાંથી ઘણાં પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને ભૂલ્યા નથી. મોરારજીભાઈ અને મુનશીથી લઈને મોદી સુધીના રાજનેતાઓ, ઉપરાંત સાયન્સ, વ્યાપાર-ઉદ્યોગ અને કૃષિ-સિંચાઈ-ગ્રામિવકાસના ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર સંખ્યાબંધ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, શિક્ષણવિદે, ઈતિહાસકારો અને બ્યુરાક્રેટ્સ પણ ગુજરાતી મૂળના છે. અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પણ રાજકીય વ્યાપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મૂળ ગુજરાતીઓ ભારત માતાનું ગૌરવ પણ વધારી રહ્યા છે... જય, જય, ગરવી ગુજરાત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ, જેમાં જબરદસ્ત 'ખેલા' હો ગયા, અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવાર હિમાચલની એકમાત્ર રાજયસભાની બેઠકની ચૂંટણીમાં હારી ગયા. જો કે, સૌજન્યતાથી અને સભ્યતાથી કોંગી ઉમેદવાર અભિષેક મનુ સિંઘલએ હાર સ્વીકારી, અને વીજયી પ્રતિસ્પર્ધીને અભિનંદન આપ્યા, સાથે સાથે ભાજપની રાજનીતિની ટીકા કરી, તેથી સૌ કોઈ પ્રભાવિત થયા હશે.
હિમાચલમાં ભારતીય જનતા પક્ષના રપ અને કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોના મતો હોવા છતાં ક્રોસ વોટીંગ થતાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સરખા ૩૪-૩૪ મતો મળ્યા, પરંતુ લક્કી ડ્રોમાં ભાગ્યે ભાજપનો સાથ આપ્યો અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા. હવે હિમાચલ પ્રદેશની કોંગી સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં પણ ભાજપના ૭ જ ઉમેદવારો જીતે તેમ હોવા છતાં ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો અને સમાજવાદી પાર્ટીના ૬ તથા કોંગી સમર્થિત ૩ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપનો આઠમો ઉમેદવાર જીતી ગયો અને સમાજવાદી પાર્ટીને બે જ બેઠકો પર વિજય મળ્યો. આમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત ઉલટફેર થયો અને રાજકરણની દુનિયાની વ્યંગ્યવણીમાં અવાજ ઉઠ્યો છે, 'ખેલા હો ગયા...' ખેલા હો ગયા...'
ઉત્તર ભારતમાં ગઈકાલે ભાજપની બલ્લે બલ્લે થઈ રહી હતી ત્યારે દક્ષિણ ભારતની કર્ણાટક વિધાનસભા દ્વારા કોંગ્રેસના ૩ અને ભાજપના ૧ ઉમેદવારનો વિજય થયો, અને ત્યાં પણ ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસ તરફી ક્રોસ વોટીંગ કર્યું.
ઉત્તરથી દક્ષિણ ભારત તરફ રાજકીય માહોલ ગતિશીલ બન્યો છે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે પંદરમાંથી દસ બેઠકો મેળવ્યા પછી હવે તમામ ગતિવિધિઓ લોકસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને જ થવાની છે. કોંગ્રેસની દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણામાં સરકારો છે, અને રાહુલ ગાંધી વયડનના સંસદસભ્ય છે. ડી.એમ.કે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે.
બીજી તરફ ભારતીય જનતા પક્ષે પણ દક્ષિણ ભારતમાં પગપેસારો કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતમાંથી પણ શકય તેટલી વધુ બેઠકો જીતવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતનો પ્રવાસ વધારી દીધો છે અને સંખ્યાબંધ સરકારી કાર્યક્રમો પણ યોજ્યા છે. ભાજપનો ઉત્તર ભારતમાં મજબૂત જનાધાર જણાય છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી પશ્ચિમ ભારતમાં પણ ભાજપ વધુ મજબૂત બન્યો છે, અને એક મંત્રીએ રાજીનામું આપી દીધું ત્યારે જો હિમાચલ પ્રદેશની સરકાર ગબડે, તો ઉત્તર ભારતમાં પંજાબ અને દિલ્હી, ઉપરાંત ઝારખંડ (ગઠબંધન સરકાર) અને પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર સિવાયના રાજ્યોમાં ભાજપ મજબૂતીથી ચૂંટણી લડી શકે તેમ છે. ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે પણ ફ્રેન્ડલી ફાઈટ થવાની છે, આમ, ભાજપ ઉત્તરથી માંડીને દક્ષિણ ભારત સુધી પાર્ટીનો પ્રભાવ, મોદી મેજીક અને ભાવનાત્મક મુદ્દાઓ સાથે આક્રમક પ્રચાર કરીને છવાઈ જવાની રણનીતિ અપનાવી રહ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણીપુરથી આદરેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને તેમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોને આવરી લીધા છે, અને માર્ચ મહિના સુધીમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારત રાજ્યોને પણ આવરી લેશે. કોંગ્રેસે પણ વ્યાપક અને પ્રભાવી ચૂંટણી પ્રચારની રણનીતિ અપનાવી છે, તથા કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ શેરીંગ સુનિશ્ચિત થઈ ગયું છે, તેથી એમ કહી શકાય કે કોંગ્રેસે રાહુલ ગાંધીના માધ્યમથી પૂરબ સે પશ્ચિમ અને મલ્લિકાર્જુન ખડગેના માધ્યમથી દક્ષિણ ભારતમાં પણ વ્યૂહાત્મક ઢબે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. ઉત્તરભારતમાં પણ બે-ત્રણ રાજ્યોમાં 'આપ' નો પ્રભાવ હોવાથી તેના માટે કોંગ્રેસ ઉદારનીતિ અપનાવશે, તેમ જણાય છે, જો કે, ગુજરાતમાં ભરૂચની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ઘૂંઘવાટ શરૂ થયાના અહેવાલો પછી એમ કહેવાય છે કે ચૈતર વસાવા કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડવા તૈયાર છે.
હિમાચલ પછી હજુ પણ ઝારખંડ, કર્ણાટક અને વિપક્ષી ગઠબંધનની અન્ય રાજ્ય સરકારોમાં પણ ભાંગફોડ થાય અને 'ખેલા હો જાય' તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
ભાજપે ભરતી મેળો શરૂ કર્યા પછી ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાંથી કદાવર વિપક્ષી નેતાઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે વિપક્ષો કહે છે કે ભાજપે નીતિમત્તાને નેવે મૂકી દીધી છે,અને સામ, દામ, દંડ, ભેદ, કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ તથા મનીપાવર દ્વારા ગમે તેમ કરીને વિપક્ષોને નબળા પાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તે લોકતંત્રના આત્મા પર હૂમલા સમાન છે, અને આ બધું ગુપચૂપ નિહાળી રહેલી જનતા વખત આવ્યે જવાબ પણ આપી દેશે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં એનડીએના પ્રવકતાઓ કહે છે કે પહેલાં આત્મ નિરીક્ષણ કરો...
આ ખેલ હવે લોકસભાની ચૂંટણી સુધી ચાલ્યા જ કરવાનો છે.... એન્જોય....!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે દેશના ૩ રાજ્યોમાં રાજ્યસભાની ૧પ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પરિણામો આવી જશે. ક્રોસ વોટિંગ અને બદલતા સમિકરણો વચ્ચે આ ચૂંટણીજંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, ઉત્તરપ્રદેશમાં 'ખેલા હોગા' ની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો 'ગાયબ' એટલે કે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત સહિત કેટલીક રાજયસભાની બેઠકો પર નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદો સહિત આજની ચૂંટણી પછી રાજ્યસભામાં કયા પક્ષની કેટલી બેઠકો વધશે, તેની ચર્ચા પણ થઈ રહી છે અત્યારે તો એનડીએનું પલડુ ભારે હોય તેમ જણાય છે. કારણ કે ક્રોસ વોટિંગની સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...
બીજી તરફ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલાર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની કવાયત શરૃ થઈ ગઈ છે અને જામનગર બેઠક માટે નવેક નેતાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, તેમ કહેવાય છે હવે હાલાર સહિત રાજ્યમાં સેન્સપ્રક્રિયા સંપન્ન થયા પછી કોને કોને ટિકિટ મળશે, તે જોવાનું રહ્યું. કેટલાક ઉમેદવારોની ટિકિટ પાક્કી થઈ ગઈ હોવાની અટકળોની સાથે સાથે નો રિપિટ થિયરી અપનાવાય તો તેમાં પણ કેટલાક અપવાદો હશે, તેમ કહેવાય છે. જો કે ભાજપમાં સર્વોચ્ચ નેતાગીરી જ અંતિમ નિર્ણય લેતી હોવાથી જ્યારે ફાઈનલ યાદી બહાર પડે.. ત્યાં સુધી બધાએ રાહ જ જોવી રહી, બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી ભરૃચ અને ભાવનગર બેઠકો પરથી 'આપ' ના ઉમેદવારો ચૂંટણી લડશે, તેવી આમ આદમી પાર્ટીની જાહેરાત પછી જે કાંઈ હલચલ અને હિલચાલ થઈ રહી છે, તે આપણી સામે જ છે, પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયા પછી હવે ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. જો કે, પં.બંગાળમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ટીએમસી સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહ્યું છે. ત્યારે જ પં.બંગાળના કોંગી નેતા અધીરરંજન ચૌધરીએ પોતાની રીતે જ ડાબેરીઓ સાથે એક પક્ષીય રીતે સીટ શેરીંગની વાત કરતા મામલો ગુંચવાયો છે. એ પછી હવે પં.બંગાળમાં મમતા બેનર્જી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે પછી અધીર રંજન ચૌધરીના વલણને લઈને આંતરિક નિર્ણય લેવાશે, તે અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...
ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું તો લક્ષ્ય હતું જ, હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે મહત્તમ બેઠકો પાંચલાખ થી વધુ મતોના માર્જીનથી જીતવાનું લક્ષ્યાંક પણ રખાશે. ભાજપ દ્વારા જે રીતે સેન્સ લેવાઈ રહી છે અને પ્રિ-ઈલેકશન પ્રક્રિયાત્મક મેરેથોન મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો જોતા એમ જણાય છે કે માર્ચ મહિનામાં જ કદાચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય, તેમ હોવાથી જયાં જેનું શાસન છે, ત્યાં તે પક્ષ દ્વારા ઝડપભેર વિકાસના કામો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તોે દેશભરમાં ફરી ફરીને જંગી રકમના શ્રેણીબદ્ધ-અસંખ્ય પ્રોજેકટોના શિલાન્યાસ અને લોકાર્પણો કરી રહ્યા છે. અને આગામી જૂન મહિનામાં ફરીથી એનડીએની સરકાર રચાશે, તેવો દાવો પણ ગઈકાલે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓએ કરી દીધો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
ગઈકાલે એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દ્વારકા સહિત ગુજરાતના ૧૧ સ્થળો પર એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છે, દ્વારકા માટે જે જમીન નક્કી કરાઈ છે, તેનો પ્રિ-ફિઝિબિલિટી અંગે એરપોર્ટ ઓથોરિટી કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે. દ્વારકા પાસે એરસ્ટ્રીપના મુદ્દે હજુ ફાઈનલ નિર્ણય લેવાયો નહીં હોવાની અટકળો પણ છે. આ વિસ્તારમાંથી નહીં, પણ દેશ-વિદેશના પ્રવાસીઓ દ્વારા પણ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, તેવી આકાંક્ષા ઘણાં સમયથી રાખવામાં આવી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે....
ભાજપ 'અબ કી બાર, ચારસો કે પાર' ના સુત્ર સાથે 'મોદી કી ગેરંટી'નો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓની સાથે સાથે ચીન-પાકિસ્તાનની સરહદોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે અને ઓબીસી ઉત્થાન માટે નવા વાયદાઓ કરી રહી છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય એજન્સીઓના દુરૃપયોગ અને વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની કાગારોળ મચાવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, એનસીપી (શરદ પવાર) શિવસેના ઉદ્ધવ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષો મોદી સરકાર પર વિવિધ મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ ઘણી જ રસપ્રદ થવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...
સૌરાષ્ટ્રની કઈ લોકસભા બેઠકો માટે કોણે ઉમેદવારી નો દાવો કર્યો અને કોને ટિકિટ મળશે, તેની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાઓ ગઈકાલથી જ થઈ રહી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે ચૂંટણીપ્રક્રિયા પર જ સંદેહ વ્યકત કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો જીતે તેમ છે, પરંતુ ચૂંટણી જીતવા કોઈ પણ હદે જઈ શકતો ભાજપ ' ચંદીગઢ' ફેઈમ ગરબડ ન કરે તો સારું, તેમ જણાવી અખિલેશે પરોક્ષ રીતે તો ચૂંટણી પ્રક્રિયા સામે જ આશંકા ઊભી કરી દીધી, જોઈએ હવે શું થાય છે તે...
રાજકારણમાં જેવી રીતે દિવસે દિવસે માહોલ બદલી રહ્યો છે, તેવી જ રીતે કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય તેમ અત્યારે કમોસમી વરસાદની શકયતાઓ વચ્ચે ગરમી-ઠંડીના સંયોજનના કારણે અને પલટાતા રહેતા હવામાનના કારણે વાયરલ બીમારીઓ પણ વધી રહી છે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલો ટૂંકા પડી રહ્યા છે... જોઈએ, હવે શું થાય છે તે...
અત્યારે તો દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની આંધી શરૃ થવા જઈ રહી છે અને દેશવ્યાપી રાજકીય રણનીતિઓ બદલાઈ રહી છે, ત્યારે ચૂંટણી આવતા સુધીમાં કાંઈ પણ થઈ શકે છે, જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

દ્વારકામંડળનો પશ્ચિમી દરિયાઈ સરહદે દબદબો વધી રહ્યો છે, અને દ્વારકાનો દાયકો જ નહીં પણ પુનઃ સુવર્ણ યુગ શરૃ થયો છે.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિની સુવર્ણાક્ષરે નવી તવારીખ ઝળહળી રહી હોય, તેમ ભગવાન દ્વારકાધીશની રાજધાની અને નિવાસસ્થાન-રાણીવાસીને જોડતા સુદર્શન સેતુના લોકાપંર્ણની સાથે જ બેટદ્વારકા વૈશ્વિક રિલિજ્યસ ટૂરિઝમ ઉપરાંત બહુલક્ષી આયામો સાથેનું ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયુ છે. આ ઉપરાંત દ્વારકા અને બેટદ્વારકાના દરિયાના પેટાળમાં પ્રાચીન સુવર્ણનગરી દ્વારકાના દર્શનની ભવ્યતા નિહાળવાની દિશાઓ પણ ખુલી ગઈ છે. આ સાથે વૈવિધ્યપૂર્ણ પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને પૌરાણિક ભવ્યતા સાથે પશ્ચિમ ભારતની સરહદે આવેલું હાલાર હવે ગ્લોબલ મેપની અગ્રીમ હરોળમાં પ્રસ્થાપિત થઈ ચુકયું છે તેથી હાલારીઓને ગૌરવ સાથે આત્મસંતોષની અનુભૂતિ થાય, તે સ્વાભાવિક જ છે ને ?
હવે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વૈશ્વિક પ્રવાસીઓ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટશે ત્યારે આપણા સૌરાષ્ટ્રની પ્રાચીન ગરિમા કાઠીયાવાડી દરિયાદિલી, પરાણાગત 'અતિથિદેવો ભવઃ' ની આપણી ભવ્ય પરંપરા ચૂસ્તપણે જાળવી રાખવાની છે. આપણાં યાત્રા-પ્રવાસ-પર્યટન સ્થળોમાં દર્શન કરવા, હરવા-ફરવા કે અભ્યાસ-સંશોધન અર્થે આવતા કોઈપણ મુલાકાતીઓને જરાયે તકલીફ પડે નહીં, મહિલાઓ-બાળકો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ, અશકત યાત્રિકો પ્રત્યે સહાનુભૂતિ સાથે મદદ કરીને તેઓની ગરિમા જળવાઈ રહે અને ખાસ કરીને નફાખોરી કે અસુરક્ષાની અનુભૂતિ કોઈપણ મુલાકાતીને કોઈપણ સમયે ન થાય, તેની કાળજી પણ આપણે સૌએ સાથે મળીને રાખવાની છે, એટલું જ નહીં, મુખ્ય મંદિરોમાં શકય તેટલું વીઆઈપી કલ્ચર ઘટાડીને તમામ યાત્રિકો-પ્રવાસીઓને સમાન ધોરણે દર્શન-પૂજનની તકો પ્રાપ્ત થાય, તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવી પડશે અને આ માટે તંત્રો અને સ્થાનિક નેતાઓએ પણ વધુ ધ્યાન આપવું પડશે, ખરું કે નહીં ?
પીએમ મોદીએ આજે ભારત મંડપમ્માંથી ટેકસ્ટાઈલ ક્ષેત્રે જે કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો છે અને પીએલઆઈના માધ્યમથી અઢીલાખ નવી નોકરીઓની સંભાવનાઓ જાહેર થઈ છે, તેના સંદર્ભે ગુજરાતના નાના શહેરોમાં પણ ટેકસ્ટાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને જામનગર-પોરબંદર પંથકની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાપડમીલો ધમધમતી હતી, તે પુનઃ ગરિમામય સ્થાન પ્રાપ્ત કરશે તેવી આશા રાખીએ. એ પહેલાના ત્રણ-ચાર દિવસ સુધી વડાપ્રધાને ગુજરાતમાં જે લોકાર્પણો -શિલાન્યાસ ખાતમુહૂર્તો કર્યા અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજયા, તેને લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને કેટલો રાજકીય ફાયદો થશે તેની ચર્ચાઓ ભલે શરૃ થઈ ગઈ હોય, પરંતુ સામાન્ય લોકોમાં વડાપ્રધાન મોદીના આ પ્રવાસની આડઅસરોની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, અને જ્યારે જ્યારે વીઆઈપી કે વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે ત્યારે જે-તે વિસ્તારના માર્ગોની મરામત, સાફસફાઈ અને રંગરોગાન-સુશોભન રાતોરાત થઈ જતા હોવાથી ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા છે કે ખૂબ મહત્ત્વપૂર્ણ મહાનુભાવો (વીવીઆઈપી) વારંવાર મુલાકાત લેતા રહેતા હોય તો કેવું સારું !?
જો કે, ચૂસ્ત વ્યવસ્થાઓ છતાં કયાંક થોડી ઘણી ગંદકી દેખાઈ જાય, કયાંક આવારા આખલાથી બચવા કોઈ વીઆઈપીને પણ મથામણ કરવી પડે કે કયાંક વ્યવસ્થાઓ કે સુરક્ષામાં ચૂક રહી જાય, ત્યારે ઘણાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે હુસુલોસે, ખૂશ્બૂ આ નહીં શકતી, કભી કાગઝ કે ફૂલો સે...!!!
સત્ય ભલે કડવું લાગે, પરંતુ તે આત્મીય સ્વાસ્થ્યને લાભદાયક હોય છે, એ સત્ય છે કે વીઆઈપી મૂવમેન્ટથી લોકોને થોડી તકલીફ પડે, પરંતુ એ પણ હકીકત હોય છે કે આ પ્રકારના પ્રવાસો પછી જો જનસામાન્યની સુવિધાઓ ભવિષ્યમાં વાસ્તવમાં વધતી હોય, જનકલ્યાણની દિશાઓ ખુલતી હોય કે દેશાપ્રદેશ કે સ્થાનિક સ્થળોનો વિકાસ વેગ પડકતો હોય તો શું વાંધો ? કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ...?!
હવે ફેબ્રુઆરી પૂરો થવા આવ્યો છે અને લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ જાય, તેને બહુ જાજા મહિના બચ્યા નથી, ત્યારે ફટાફટ લોકાર્પણો અને ખાતમુહૂર્તો થાય, રાજ્ય-કેન્દ્ર સરકારો નવી યોજનાઓ જાહેર કરે અને જુના વાયદાઓ પૂરા કર્યા હોવાના દાવાઓ થાય, કે નવી મુદ્દત અપાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ રાજનેતાઓમાં ઉત્કંઠા, ઉત્તેજના અને ઉચાટ પણ વધી જાય, ખાસ કરીને વિવિધ પક્ષોના વર્તમાન લોકસભાના સાંસદો પોતાને ફરીથી ચાન્સ મળશે કેમ ? તેની મથામણ અનુભવતા હોય અને ખાસ કરીને શાસક પક્ષમાં 'નો રિપિટ' થિયરીની વાતો વિશ્વસનિય ઢબે વહેતી થવા લાગે, ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય, તે પણ સ્વાભાવિક જ છે ને ?
વિધાનસભાઓની છેલ્લી ચૂંટણીઓ પછી નવા ચહેરાઓને સ્થાન મળવા લાગ્યુ અને વર્તમાન ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જે રીતે 'જૂના જોગીઓ' ને મુકત મને મળ્યા, તે જોતાં 'નો રિપિટ' થીયરી પછી કાર્યદક્ષ નેતાઓ નારાજ ન થાય, તે માટે પાણી પહેલા પાળ બાંધી હશે, તેવા અભિપ્રાયો પણ ચર્ચાવા લાગ્યા છે. આ પ્રકારની રાજકીય પરામર્શોમાં ઘણી વખત ઉંડા તથ્યો પણ છુપાયેલા હોય છે, જોઈએ... શું થાય છે તે.....
એકંદરે પીએમનો છેલ્લો ગુજરાત પ્રવાસ રાજ્ય માટે વાસ્તવમાં ફળદાયી નિવડે અને વિકાસયાત્રા વેગ પકડે... વધુ વેગીલી બને તેવું ઈચ્છીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા હતી અને નિવાસસ્થાન અથવા રાણીવાસ બેટ દ્વારકામાં હતો, અને ભૂતકાળમાં બેટદ્વારકા જમીન માર્ગે જોડાયેલું હતું તથા ભગવાન શ્રીકૃષ્ણ તથા દ્વારકાવાસીઓ જમીનમાર્ગે રથ મારફતે પગપાળા અવર-જવર કરતા હોવાની કથાઓ પ્રચલીત છે. આ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સાથે જ બેટ દ્વારકામાં લોકો હળવા વાહનો દ્વારા પહોંચી શકશે, જેથી પ્રવાસીઓ તથા દર્શનાર્થીઓની સંખ્યા પણ વધશે અને આ યાત્રા-પર્યટન સ્થળનું મહત્ત્વ પણ વધશે અને આ કારણે નહીં ટુરિઝમ ડેવલપમેન્ટની સાથે સાથે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ પણ વેગ પકડશે, તેમાં સંદેહ નથી.
બેટ-શંખોદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન તરીકે તો વિખ્યાત છે જ, પરંતુ આ ટાપુ પર ગુરૂ ગોવિંદસિંહના પંજપ્યારે પૈકીના એક ભાઈ મોહકમસિંહજીનું જન્મસ્થાન પણ છે, જેની પાસે ભવ્ય ગુરૂદ્વારા છે, ભગવાન શ્રીકૃષ્ણને સાંકળતા ઘણાં મંદિરો, પુષ્ટિ સંપ્રદાયના બેઠકજી, ચોર્યાંસી ધૂણા, વિશ્વવિખ્યાત હનુમાન દાંડી, શંખ નામના અસુરનો ઉદ્ધાર થયો, તેના પરથી ઓળખાતું શંખતળાવ, ભવ્ય મંદિરો, રમણીય બીચ, ડન્ની પોઈંટ, હાજી કિરમાણીની દરગાહ તથા અંગ્રેજોના સમયગાળા સાથે સંકળાયેલી કેટલીક સ્મૃતિઓના કારણે આ ટાપુમાં અનેક વિશેષતાઓ છે. ચારે તરફથી દરિયાથી ઘેરાયેલા આ ટાપુ પર આઠ-દસ હજારની વસતિ ઉપરાંત દરરોજ સેંકડો પ્રવાસીઓની અવર-જવરના કારણે ફલોટીંગ પોપ્યુલેશન પણ રહે છે, પરંતુ તેની સરખામણીમાં અહીં અદ્યતન સુવિધાઓનો થવો જોઈએ તેવો વિકાસ થયો નહોતો, કારણ કે અહીં યાંત્રિક હોડીઓ સિવાય આવગમન કે પરિવહનનો કોઈ વિકાસ જ ઉપલબ્ધ નહોતો.
હવે જ્યારે જમીન માર્ગે આ સુદર્શન સેતુના માધ્યમથી પરિવહનની સુવિધ મળી છે, ત્યારે આ ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક અને નૈસર્ગિંક મહત્ત્વ ધરાવતા પર્યટન સહ-યાત્રાસ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યા વધશે, જેની ખૂબ જ મોટી અસર સ્થાનિક રોજગારી, વ્યાપાર-ધંધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે થશે, જે એકંદરે બેટદ્વારકા જેવા છેવાડાના ટાપુ માટે વિકાસની હરણફાળ સમાન હશે, આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ એવા આ સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકા બારેય માસ ધમધમતું રહેનાર હોવાથી અહીં અભેદ્ય સુરક્ષા કવચ ઊભું થશે. જેથી ફરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં ટુરિઝમ ડેવલમપેન્ટની સાથે સાથે હોટલ-મોલ, રિસોર્ટ ઉદ્યોગ અને દરિયાઈ પ્રવાસન (મરીન ટુરીઝમ)ની સંભાવનાઓ પણ વધશે.
એક રીતે આ સુદર્શન સેતુ બેટ દ્વારકા માટે નવા સુવર્ણયુગની શરૂઆત થશે, તેમ કહેવું અસ્થાને નથી, પરંતુ આ સુદર્શન સેતુના નિર્માણ પછી કેટલીક સાવચેતીઓ, નિયમનો અને નિયંત્રણોની પણ જરૂર રહેશે અને ખાસ કરીને દરિયા વચ્ચે આવેલા ટાપુને સ્વચ્છ-સુઘડ અને બીચને રમણીય રાખવા માટે પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો દ્વારા સ્વયં શિસ્તની પણ જરૂર પડશે.
જો બેટદ્વારકામાં આંતરિક પરિવહન માટેની સાર્વજનિક સુવિધાઓ વધશે અને ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકામાં આંતરિક દર્શનીય અને પર્યટન સ્થળોને સાંકળતી સાર્વજનિક સ્થાનિક પરિવહનની સુવિધા અપાશે, તો યાત્રિકોને સમૂહમાં બેટ દ્વારકાનો પ્રવાસ મર્યાદિત સમયમાં અને કિફાયતી ભાડામાં કરવાની સુવિધા મળી રહેશે. આ માટે ઈલેકટ્રીક રિક્ષા, ઈલેકટ્રીક કાર કે મીની બસ જેવા વાહનોની સુવિધા આપી શકાય, જેથી પર્યાવરણીય દૃષ્ટિએ સુરક્ષિત, સુવિધાજનક અને ઈઝી અવેલેબલ લોકલ ટ્રાવેલીંગની સગવડ ઉપલબ્ધ થઈ શકે.
બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન રાણીવાવ ઉપરાંત શંખતળાવ, બેઠકજી, ગુરુદ્વારા, ચોર્યાસીધૂણા, હનુમાનદાંડી, ડન્ની પોઈન્ટ, બીચ વગેરે સ્થળોએ સ્થાનિક પરિવહન માટે હાલમાં પણ કેટલીક સુવિધાઓ વિસ્તરી રહી છે, જેને ઈલેકટ્રીક વાહનો અને દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકાદર્શન બસ સેવા સાથે સાંકળીને પણ યાત્રાળુઓ-પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપી શકાય તેમ હોવાના સૂચનો ધ્યાને લેવા જેવા ખરા...
આ સુદર્શન સેતુ ખુલ્લો મુકાયા પછી દરિયાઈ અને ટાપુની જમીની સ્વચ્છતા જળવાઈ રહે, ગંદકી જરાયે ન થાય અને લોકોને જરૂરી રોજીંદી સુવિધાઓ ઉપરાંત બેટદ્વારકાના તમામ દર્શનીય અને પર્યટન તમામ સ્થળોની નજીક શુદ્ધ પીવાનું પાણી અને સેનીટેશનની લેડીઝ અને જેન્ટસ માટે પૂરતી સુવિધાઓ મળી રહે, તેવી વધુ વ્યવસ્થાઓ પણ જરૂરી છે.
એકંદરે વિશ્વભરના શ્રદ્ધાળુઓ-ભાવિકોનું સપનું જ્યારે પૂરૃં થવા જઈ રહ્યું છે અને બેટદ્વારકા એક વખત ફરીથી જમીન માર્ગે જોડાવાનું છે, ત્યારે આ બ્રિજ વાસ્તવમાં સમગ્ર દેશ માટે શુક્રનિયાળ નિવડે અને દ્વારકામંડળનો સુવર્ણયુગ દશેય દિશાઓમાં ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ અર્પીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન તરીકે સરપંચની પ્રથા અને પરંપરા પ્રાચીન કાળથી આપણાં દેશમાં ચાલતી રહી છે અને દેશ આઝાદ થયા પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ ત્રિસ્તરિય પંચાયતી રાજની પદ્ધતિ અપનાવી છે. આ ત્રિસ્તરિય શાસન વ્યવસ્થા લોકો દ્વારા જ તેના ગામોને વિકાસ અને સુખ-સુવિધાઓના અધિકારો આપે છે. આ વ્યવસ્થાને પણ ભ્રષ્ટાચારનો ભયંકર ભોરીંગે ભરડો લીધો હોવાના દૃષ્ટાંતો વધવા લાગતા ચર્ચા જાગી છે કે શું ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો પ્રભાવશાળી બની ગયો છે કે, પૈસા વિના લોકોના કોઈ કામ જ થતાં નથી ? શું ગ્રામપંચાયતોમાં મંજુરી લેવા માટેના લાંચ-રૃશ્વતના ચોક્કસ ભાવો નિર્ધારિત થયેલા હોય છે ? શું પંચાયત ક્ષેત્રે પણ ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ કરપ્ટ બ્યુરોક્રેટ્સ જેવા જ થઈ ગયા છે ?
રાજ્યના કોઈ ગામના સરપંચ કે ઉપસરપંચ કોઈ કામે લાંચ લેતા ઝડપાય કે એસીબી કેસ કરે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોને દુઃખ થાય, કારણ કે પોતાના જ ગામના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા જ્યારે લાંચ-રૃશ્વત માંગવામાં આવે, ત્યારે એવો પ્રશ્ન ઉઠે કે શું આ દિવસો જોવા માટે જ આપણાં વડવાઓએ સ્વાતંત્ર્ય ચળવળ ચલાવી હતી ? શું આ સ્થિતિ જોઈને હયાત અને દિવંગત થઈ ગયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને અફસોસ થતો હશે ? તેઓ દુઃખથી એવું વિચારતા હશે કે આપણે લોકતંત્રને લાયક જ નથી, અને ગુલામીને જ લાયક હતા ?
એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ, સીબીઆઈ જેવી સંસ્થાઓ તંત્રોમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત છે, અને ઉચ્ચકક્ષાના ભ્રષ્ટાચારને ડામવા કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઉપરાંત લોકપાલ જેવી વ્યવસ્થાઓ છે. રમત-ગમતના ક્ષેત્રે ભ્રષ્ટાચારની તપાસ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ છે, પરંતુ તે પરિણામલક્ષી કેમ બની શકતી નથી,તે મોટો પ્રશ્ન છે.
તાજેતરમાં મોરબી જિલ્લાના એક ગામના સરપંચે એક ગેરકાયદે કામ માટે લાંચ માંગી હોવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના સંદર્ભે મીડિયામાં ડિબેટીંગ પણ શરૃ થયું હતું, એ પછી આ કિસ્સામાં ત્યાંથી પોલીસે પણ ફરિયાદ નોંધી હોવાની વાતો વહેતી થઈ હતી અને આ મુદ્દે તથ્યો તપાસીને જરૃર પડ્યે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ પછી રાજ્ય સરકારનો પંચાયત વિભાગ પણ અનુસંધાન લેશે, તેવી આશા વ્યકત કરાઈ હતી, એ ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમાં ગેરકાયદે એક બાંધકામ દીઠ ચાલીસ હજાર રૃપિયાનો ભાવ ચાલતો હોવાની વાત સાંભળીને કોઈપણ પ્રામાણિક નાગરિકને આંચકો લાગી જાય. આ પછી એવો સવાલ પણ ઉઠે કે આ રીતે ગેરકાયદે બાંધકામો થવા દેવા, તેને નહીં હટાવવા અને અંતે પાડતોડ કરવા, વ્યવસ્થિત કૌભાંડ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું હશે ?
ગુજરાતમાં પંચાયતીરાજની શરૃઆત ગુજરાત પંચાયતસ એકટ-૧૯૬૧ થી થઈ અને તેમાં ૧૯૬૩માં સુધારા-વધારા થયા. તે પહેલાં રાજ્યમાં ગામના મુખી, ગામના પટેલ અને ગ્રામપ્રધાન જેવી વ્યવસ્થાઓ પણ હતી, પરંતુ બંધારણીય દિશાનિર્દેશો મુજબ આઝાદ ભારતમાં પંચાયતરાજનો અમલ થયા પછી ગુજરાત રાજ્ય નવું બન્યા પછી તેમાં ગુજરાત રાજ્ય માટે નવો પંચાયતી એકટ બન્યો, અને તેમાં વખતો વખત સુધારા વધારા થયા. વર્ષ-૧૯૯૩માં ધ ગુજરાત પંચાયતસ એકટ અમલમાં આવ્યો. તે પછી વર્ષ- ૧૯૯૭ માં પંચાયતી રાજના નિયમો બન્યા અને વર્ષ ૧૯૯૮ માં પંચાયત સેવા નિયમો ઘડાયા.
ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમ ત્રિસ્તરિય પંચાયતી શાસન વ્યવસ્થા અમલમાં છે. ગ્રામપંચાયતોને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે અને તેમાંથી ગ્રામવિકાસ અને લોકકલ્યાણના કામો સરપંચ અને સભ્યો દ્વારા કરવામાં આવે છે આ માટે ગ્રામસભાનો કોન્સેપ્ટ પણ હવે અમલી બન્યો છે.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને પણ કેટલીક ગ્રાન્ટ સરકાર ફાળવે છે. તે ઉપરાંત ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને સાંકળીને જિલ્લા આયોજન મંડળો દ્વારા પણ વિકાસ અને લોકસુખાકારીના સુવિધાઓ માટે આયોજનો થાય, તેવી વ્યવસ્થા અમલમાં છે.
ગ્રામ વિસ્તારો વિકાસથી વંચિત રહી ન જાય અને ગામડાઓના લોકો પોતાના ગામના વિકાસ અને ગ્રામજનોના કલ્યાણાર્થે પોતે જ આયોજન અને અમલ કરી શકે તેવા ઉમદા આશયથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી ગ્રાન્ટ, ફંડ ઉપરાંત કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનના મંતવ્ય મુજબ આ વિકાસના કામોમાં જો ગ્રામ્યકક્ષાએથી જ ૪૦ ટકા જેટલો એકંદરે કમિશનિયો ભ્રષ્ટાચાર થતો હોય, અને તેમાં તંત્ર સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ સાંઠગાંઠ રહેતી હોય તો ફરિયાદ કયાં કરવી ? વાડ જ ચીમડાં ગળી જાય તો કોને ફરિયાદ કરવી ?
એવું પણ નથી કે બધા જ સરપંચો અને પંચાયતી રાજના ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભ્રષ્ટ હોય કે આ માટે જ જાહેર ક્ષેત્રમાં હોય, ઘણાં એવા સરપંચો અને જનપ્રતિનિધિઓ છે કે જેઓ પોતાના ખિસ્સાના ખર્ચે ગામની સેવા કરતા હોય, લોકફાળો સ્વયં ભરીને કેટલીક યોજનાઓને અમલી બનાવતા હોય, અને પોતે ઘસારો વેઠીને પણ ગામ અને ગ્રામજનોનું ભલું કરતા હોય, માત્ર કેટલાક ભ્રષ્ટ પદાધિકારીઓના કારણે જાહેર જીવનમાં રહેલા અને પંચાયતી કે સહકારી ક્ષેત્રે સેવારત હોય તેવા ઘણાં લોકો બદનામ થતા હોય છે.
હકીકતે ગ્રામ પંચાયત કક્ષાની ચૂંટણીમાં જ્યારે લાખ્ખો રૃપિયાનો ખર્ચો થતો હોય, ત્યારે સત્તામાં આવ્યા પછી તેને વસુલવાની મજબુરી રહેતી હશે તેવી પણ એક માન્યતા છે, જે હોય તે ખરું, પણ થાય છે ખોટું... બરાબરને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતમાં ન્યાયતંત્ર તટસ્થ છે અને જ્યારે બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન થાય, ત્યારે અદાલતો ગમે તેટલી મોટી શક્તિઓ કે સત્તા હોય, તેની શાન ઠેકાણે લાવીને બંધારણીય માર્ગે લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કરી શકે છે, તેના ઘણાં દૃષ્ટાંતો દેશની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે તથા અન્ય અદાલતોએ આપેલા દૂરગામી ચુકાદાઓના સ્વરૃપે મળે છે, અને કેટલાક અદાલતી ચુકાદાઓ તો ઐતિહાસિક બની જાય છે, અને શાસકોના તાનાશાહી, મનસ્વી કે ગેર-બંધારણીય નિર્ણયોને પલટાવ્યા પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ જતાં હોય છેે.
સામાન્ય રીતે અદાલતો કેન્દ્રીય ચૂંટણીપંચ, રાજ્યના ચૂંટણીપંચો કે સથાનિક સ્વરાજ્યની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં આક્ષેપ કરતી હોતી નથી કે રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં દખલ દેતી હોતી નથી, પરંતુ જ્યારે બંધારણીય, કાનૂની કે નીતિનિયમોનો ભંગ થાય, ત્યારે તે અદાલતો સમક્ષ રજૂ થતાં આ અદાલતો તત્કાળ હસ્તક્ષેપ કરીને યોગ્ય નિર્ણયો આપતી હોય છે, અને ન્યાયસંગત ચૂકાદા આપતી હોય છે, ઘણી વખત તો માત્ર જાહેર હિતની અરજીઓ જ નહીં પરંતુ સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને પણ તાકીદની સુનાવણીઓ કરીને બંધારણ, કાનૂન અને નીતિનિયમોનું રક્ષણ કરતી હોય છે અને લોકતાંત્રિક નિર્ણયોનું પુનઃ સ્થાપન કરતી હોય છે. ભારત આઝાદ થયા પછી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળે છે.
તાજેતરમાં જ ભાજપને ભોંઠપ અનુભવવી પડે, તેવો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને અસાધારણ રીતે અદાલત દ્વારા જ મતગણતરી પણ કરાવી, તે પછી ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કેટલી ભારે પડી શકે છે. તે ઘણાંને સમજાઈ જ ગયું હશે.
ચંદીગઢના મેયરની થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી અને તેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ગઠબંધનના મેયરની જીત પાકી હતી, પરંતુ તે ચૂંટણીમાં પરંપરા મુજબ બેલેટ પેપરથી મતદાન થયા પછી રિટર્નીંગ ઓફિસરે જે રીતે આઠ મત પર ચોકડી મારીને રદ કર્યા, અને તે હરકત સીસીટીવી સામે જોતા જોતા કરી, તે નિહાળીને જે-તે સમયે જ સાર્વત્રિક ભારે નારાજગી વ્યકત થઈ હતી અને તેને લોકતંત્રની હત્યા ગણાવાઈ હતી.
તે પછી આખો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં રિટર્નીંગ ઓફિસર સામે કાનૂની કાર્યવાહી કરવાની સાથે સાથે મતગણરીની પ્રક્રિયા જ અદાલતે પોતાના તાબામાં લઈ લીધી, અને ફેર-મતગણતરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા, જો કે, તે પહેલાં જ ભાજપના મેયરે બે-ત્રણ દિવસ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ આ ઘટના પછી આબરુંના કાંકરા થઈ ગયા, અને અન્ય ચૂંટણીઓમાં પણ કેટલી ગરબડ થતી હશે, તેના અંદાજો પણ નીકળવા લાગ્યા !
આવું જ બીજુ દૃષ્ટાંત પં. બંગાળનું છે, જ્યાં એક નામચીન શખ્સ સામે સંદેશખાલીની મહિલાઓએ ગંભીર ફરિયાદો કરી હતી. પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નેતાને છાવરવાની ઉઘાડે છોગ કોશિશ કરી, સંદેશખાલી વિસ્તારમાં કોઈને જવા નહીં દેવાનું વલણ અપનાવાયું, અને આ પ્રકારનો પ્રયત્ન કરનાર પત્રકારની ધરપકડ કરીને હાંકી કઢાયો. રાજકીય પક્ષો કોલકાતાની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પં.બંગાળ સરકારની ઝાટકણી કાઢી નાંખી, તે પછી રાજકીય પક્ષોને સંદેશખાલી જવાની છૂટ મળી, અને ભાજપ તથા લેફટના નેતાઓ ત્યાંની મહિલાઓની વેદના સાંભળવા પહોંચ્યા. આ ઘટના પણ કોઈપણ શાસક મનમાની કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કરે કે નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરે તો અદાલતો ત્વરીત હસ્તક્ષેપ કરીને બંધારણીય અધિકારોનું રક્ષણ કરે છે, તે પુરવાર કરે છે.
જો કે, પં.બંગાળના કોઈ પોલીસ ઓફિસરે પોતાને ખાલીસ્તાની તરીકે વર્ણવવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે, તે વિવાદ અલગ છે, પરંતુ આ ઘટનાક્રમો એ પુરવાર કરે છે કે, દેશના નાગરિકોને અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે દેશનું ન્યાયતંત્ર સુદૃઢ સુરક્ષા કવચ છે, જે કયારેય ભેદી શકાય તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

રવિવારે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી સકારાત્મક વાટાઘાટો પછી એવી આશા જાગી હતી કે કાંઈક વચલો રસ્તો નીકળશે અને ખેડૂતોની માંગણીઓ મહ્દઅંશ. સંતોષાઈ જશે. સરકારે દાળ, કપાસ, તુવેર, અડદ અને મકાઈના પાકો ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપવનો પ્રસ્તાવ મૂકયો હતો.
આગામી પાંચ વર્ષ માટે નેશનલ કો.આપરેટીવ કન્ઝયુમર ફેડરેશન અથવા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટીંગ ફેડરેશન જેવી સહકારી ક્ષેત્રની કેન્દ્રીય સોસાયટીઓ, આ પાંચ પાકો માટે કરાર કરે, અને તે મુજબ સરકારી એજન્સીઓ, ટેકાના ભાવે ખરીદી કરે, તેવી વ્યાવસ્થા ગોઠવાય, અને તેમાં ખરીદીની કોઈ મર્યાદા રાખવામાં ન આવે, તે પ્રકારના આ પ્રસ્તાવમાં આ હેતુથી એક પોર્ટલ બનાવવાની પણ વાત હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારના આ પ્રસ્તાવથી પંજાબની ખેતીની વૃદ્ધિની સાથે સાથે ભૂગર્ભ જળ સુધરશે, તથા વેરાન જમીન પણ નવસાધ્ય થશે. બેઠક દરમિયાન અપાયેલા પ્રસ્તાવમાં કયા પાક કઈ એજન્સી ખરીદશે, તે પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો.
જો કે, ખેડૂત નેતાઓએ સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે, તે પહેલા ખેડૂતોએ બે દિવસ માટે કૂચ સ્થગિત કરીને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે, તેમ જાહેર કરાયુ હતું અને રવિવારની વાટાઘાટો સકારાત્મક માહોલમાં થઈ હોવાનું પણ જાહેર કરાયું હતું. જેથી આ અંદોલનને લઈને કોઈ નક્કર પરિણામ આવી જશે, તેવી આશા જાગી હતી., પરંતુ ખેડૂતોએ પરામર્શ કર્યા પછી સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપીની ગેરંટીના બદલે ર૩ જેટલા પાકો માટે એમએસપીની કાયમી ગેરંટી આપતો કાયદો ઘડવાની વાત કરી હતી.
હવે ખેડૂતોએ એમએસપી પર કાયદો ઘડીને ગેરંટી આપવા અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગણી સાથે ફરીથી આંદોલન આગળ વધારવાના નિર્ધાર સાથે આવતીકાલથી દિલ્હીકૂચની જાહેરાત કરી દીધા પછી આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. કેન્દ્ર સરકાર માટે આ સ્થિતિ કદાચ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે.
હકીકતે કેન્દ્ર સરકારે જે સુત્રના આધારે એમએસપીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ખેડૂતોએ ના મંજુર કરીને સી-ટૂ પ્લસ ફિફટીની ફોર્મ્યુલા મુજબની ટકાવારીથી એમએસપી નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેવું પણ કહેવાય છે કે સરકારે જે પાંચ પાકો માટે પાંચ વર્ષ સુધી એમએસપી આપવાનું નક્કી કર્યું હોવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમાં કઈ ફોર્મ્યુલા અપનાવાશે, તેની સ્પષ્ટતા કરી નહોતી, અને કેન્દ્ર સરકારે એ-ટુ પ્લસ એફએલ પ્લસ ફિફટીની ટકાવારી મુજબની ફોર્મ્યુલાના આધારે અધ્યાદેશ (વટહૂકમ અથવા ઓર્ડિનેન્શ) ની તૈયારી કરી હતી, જે ખેડૂતોને મંજુર નથી.
ખેડૂતોએ એમએસપી ઉપરાંત બીજી કેટલીક માંગણીઓ પણ કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી, જેમાં દેવાઓ માફ કરવાનો મુદ્દો પણ હતો, તે ઉપરાંત વિદ્યુત કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવા અને જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને સમાન ધોરણે પેન્શન, આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને લખમીપુર ખેરીના પીડિતોને ઝડપી ન્યાય આપીને કેન્દ્રીય મંત્રી ટેનીને ડીસમીસ કરવા સહિતની માંગણીઓ ખેડૂતોએ રજૂ કરી હતી., જેનો સરકાર તત્કાળ અમલ કરી શકે તેમ નથી, અને તેના માટે જરૃરી પ્રક્રિયા, વાટાઘાટો અને કાર્યવાહી કરવી પડે તેમ છે. આ નીતિવિષયક બાબતો અંગે તબક્કાવાર વિચારણા થઈ શકે છે, તેવો સરકારનો અભિગમ રહ્યા પછી હવે ખેડૂતોએ ફરીથી આંદોલન ચાલુ રાખીને જો હજુ પણ સરકાર યોગ્ય નિર્ણય નહીં લ્યે, તો આવતીકાલથી 'દિલ્હી કૂચ'નું એલાન કરી દેવામાં આવ્યું છે.
બીજી તરફ ખેડૂત આંદોલનના કારણે પંજાબ-હરિયાણા-દિલ્હીના માર્ગો એક પછી એેક સીલ કરવામાં આવી રહ્યા હોવાથી સામાન્ય જનતાને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, અને બાળકોના શિક્ષણ અને નોકરી-ધંધાથી માંડીને વ્યાપાર-ઉદ્યોગ અને ખેતીવાડીને પણ ભારે નુકસાન વેઠવું પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે, અને આમ આદમી પાર્ટી તો પહેલેથી જ આ આંદોલનની પેરવી કરી રહી છે, અન્ય વિપક્ષી પાર્ટીઓનું પણ આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ આંદોલનકારી ખેડૂત નેતાઓએ આ આંદોલન તદ્દન બિન-રાજકીય હોવાનો દાવો કર્યો છે. મીડિયામાં ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય તો સત્તાપરિવર્તનની જરૃર, મોદીનો ગ્રાફ ઘટાડવા અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાના મુદ્દા આ આંદોલન સાથે સાંકળતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તે જોતાં હવે 'દિલ્હી કૂચ'પછી આ આંદોલન કેવું સ્વરૃપ પકડશે, તે અંગે અટકળો થઈ રહી છે. એવા વિશ્લેષણો પણ, થઈ રહ્યા છે કે આ આંદોલન જો રાજકીય સ્વરૃપ ધારણ કરે તો તેથી સત્તાધારી એનડીએને કેટલો ફટકો પડે, અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને કેટલો ફાયદો થાય.
આ ખેડૂત આંદોલનની અસર હેઠળ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં જ ડુંગળીના ભાવોમાં મણદીઠ ચાલીસથી પચાસ રૃપિયાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા છે. એકંદરે, આ કિસાન આંદોલન હવે ટૂંક સમયમાં સમેટાઈ જાય, તેમ જણાતું નથી, જે મોદી સરકાર માટે પડકારરૃપ હશે, એટલું જ નહીં પંજાબ અને હરિયાણાની સરહદેથી હવે આ આંદોલન દેશની રાજધાની તરફ આગળ વધશે. જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં ૪૩૪ રને ઈન્ગ્લેન્ડને હરાવીને ઝળહળતો વિજય મેળવ્યો અને બેડમિન્ટનમાં પણ ફાઈનલ જીતી એવા ખેલ જગતના અહેવલો સાથે ખેડૂત આંદોલનના ક્ષેત્રે પણ સરકાર અને આંદોલનકારી સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચીત પછી કોઈ સમાધાન નીકળશે તેવી આશા જાગી છે. રાજકીય ક્ષેત્રે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને કમલનાથને લઈને થઈ રહેલી અટકળોની ચર્ચા થઈ રહી હતી, તો ચંદીગઢના મેયર પદને લઈને સુપ્રિમકોર્ટની સુનાવણી શરૃ થાય, તે પહેલાં જ ત્યાંના ભાજપના મેયરે રાજીનામું આપી દેતા નવી જ સ્થિતી ઉભી થઈ ગઈ છે, અને ભાજપમાં કેટલાક વિપક્ષી કોર્પાેરેટરો જોડાયા હોવાના અહેવાલો પછી જોઈએ, હવે આગે આગે હોતા હૈ ક્યા...?
મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગી નેતા દિલ્હી ગયા પછી અટકળોનું બજાર ગરમ રહ્યું હતું પરંતુ ગઈકાલે બપોર થી લઈને આજનો ઘટનાક્રમ આપણી સામે જ છે. બીજી તરફ કિસાન આંદોલન સ્થગિત કરવા અંગે આંદોલનકારી સંગઠન તરફથી આવેલા નિવેદનો ઘણાં જ સુચક છે.
સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની વાટાઘાટો પછી પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વનસિંહ પંઢેરે કહ્યું હતું કે સરકારી એમએલટી અંગે પ્રસ્તાવ આપ્યો છે તે ઉપરાંત મનરેગા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની બાકી છે. અમે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા-પરામર્શ કર્યા વગર જવાબ આપવા માંગતા નથી, તેથી સરકારે રજૂ કરેલા નવા પ્રસ્તાવ પર અમારા બન્ને ફોરમમાં પૂરેપૂરી ચર્ચા-વિચારણા કરીને તેના પછી સરકારને જવાબ આપીશું. અમે હાલ તુરંત દિલ્હી કૂચ અટકાવી દીધી છે. અમે આગામી બે દિવસ સુધી સરકારના પ્રસ્તાવ પર વિચાર-વિમર્સ કરીશું, તે પછી આગળની રણનીતિ જાહેર થશે, હવે જોઈએ, આ મુદ્દે આગે આગે હોતા હૈ ક્યાં...?
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સકારાત્મક વાતચિત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખડૂતોની ચિન્તા છે અને દાળ સહિત પાંચ ખેતી પેદાશો માટે સરકાર પાંચ વર્ષ સુધી એમએસવીની ગેરંટી આપવા તૈયાર છે. હવે ખેડૂત સંગઠનોના જવાબની રાહ જોવાઈ રહી છે. એવું કહેવાય છે કે ચર્ચા-વિચારણા કરીને ખેડૂતો આજે કે આવતીકાલ સુધીમાં ખેડૂતોની આગામી રણનીતિ અંગે જવાબ આપી દેશે, તે પછી શું થાય છે તે જોવાનું રહેશે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવાના ભરપૂર પ્રયાસો પણ કરી રહી છે. અત્યારે આ આંદોલન ભલે માત્ર પંજાબ પુરતુ મર્યાદિત જણાતું હોય, પરંતુ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરેલા આંદોલનની તર્જ પર જો આ આંદોલન લાંબુ ચાલે, તો લોકસભાની ચૂંટણીમાં શાસક એનડીએ ગઠબંધનને નુકશાન થાય, અને કેટલાક સાથીદાર પક્ષો પણ ભાજપથી વિમુખ થઈ જાય, તેવી શક્યતા હોવાથી કેન્દ્ર સરકારે પણ આ વખતે ખેડૂતો સાથે ગંભીરતાથી વાટાઘાટો શરૃ કરી હોય તેમ જણાય છે, અને ચોથા તબક્કાની વાતચીત પછી આશાવાદી સંકેતો સાંપડયા છે.
આંદોલન સિવાય પણ અન્ય ક્ષેત્રે કેન્દ્ર સરકાર ખેડૂતોને લાભકારી તથા રાહત થાય તેવા નિર્ણયો લઈ રહી છે, જેમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનું કદમ મહત્વપૂર્ણ ગણાય છે. દેશભરમાં આ મુદ્દે ભારે આક્રોશ હતો અને સ્થાનિક કક્ષાએ ડુંગળીના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મુકેલા પ્રતિબંધનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો હતો, હવે ખેડૂત આંદોલનના દબાણમાં આવીને ખેડૂતોને રાહત આપવાના હેતુથી સરકારે મોડા મોડા પણ આ નિર્ણય લીધો છે, તેથી ઘણાં લોકો કહે છે કે, દેર આયે દુરસ્ત આયે, તો ઘણા લોકો કહે છે કે, ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા એટલે કે આ નિર્ણય વહેલો લેવાની જરૃર હતી, જોઈએ હવે આગે આગે હોતા હે ક્યા...
જો કે, કેટલાક ખેડૂતોના વર્ગાે દ્વારા સરકારના નિર્ણયને આવકારીને ખડૂતોને સમયસર ઉચિત ભાવો મળશે, તેવી આશા વ્યક્ત થઈ છે અને ગુજરાત સહિતના રાજયોમાં ડુંગળીનો પર્યાપ્ત જથ્થો હોવાથી સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવોમાં જબરો ઉછાળો નહીં આવે, તેવા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત વર્ગમાંથી એવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે કે મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેંચી દીધા પછી આ નિર્ણય લેવાયો હોવાથી હવે તો વચેટિયાઓને જ સર્વાધિક ફાયદો શથે. આ બધા પ્રત્યાઘાતો વચ્ચે ખેડૂતોને થયેલી આ રાહતની અસરો પંજાબના ખેડૂત આંદોલનને કેટલીક અસર કરશે, તે અંગે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...
પંજાબનું ખેડૂત આંદોલન, ચંદીગઢના મેયરનું રાજીનામું, કમલનાથના પક્ષાંતરની અટકળો, ડુંગળીની નિકાસબંધી હટાવવાનો નિર્ણય અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પરસ્પર કોઈ સંબંધ નથી, અને તદ્દત અલગ-અલગ ઘટનાક્રમો છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આ તમામ ઘટનાક્રમોની પરસ્પર સાંકળ રચાઈ રહી હોય કે એકબીજા પર અસરો પડી રહી હોય તેમ રાજકીય પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે.
આ દરમિયાન એવા અહેવાલો આવી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ કમલનાથને ચોખ્ખુ કહી દીધું છે કે, દિકરો ભાજપમાં જાય અને પિતા કોંગ્રેસમાં રહે તે નહીં ચાલે, જોઈએ, આગે આગે હોયતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રૂા. પ૭પ કરોડના ખર્ચે નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું સંકુલ બનશે, તેવા અહેવાલો પછી લોકોને નજીકના ભવિષ્યમાં આ સુવિધા સાંપડશે, તેવી આશા જાગી છે, સાથે-સાથે એવી ટકોર પણ થઈ રહી છે કે, વર્તમાન સેવાઓ અને સુવિધાઓમાં ખુટતી કડીઓ પર પ્રાયોરિટીમાં ધ્યાન આપીને ક્ષતિઓ દૂર કરવી પણ જરૂરી છે. પ્રવર્તમાન સેવાઓમાં જે ખામીઓ હોય તેનો સર્વે કરીને નવા સંકુલો તથા નિર્માણાધિન અર્બન હેલ્થ સેન્ટરોમાં તે પ્રકારની ખામીઓ પહેલેથી જ રહી ન જાય, તેની તકેદારી રાખવી જોઈએ, ખરૃં કે નહીં...?
અત્યારે જામનગરમાં ઠેર-ઠેર વિવિધ વિકાસના કાર્યો ચાલી રહ્યાં છે અને આ કામો માટે જરૂરી ખોદકામો પણ થઈ રહ્યાં છે.
ભૂગર્ભ ગટર, પાણી પુરવઠો, ગેસ કે અન્ય સેવાઓના વિસ્તૃતીકરણ, નવીનીકરણ કે નવનિર્માણ માટે થતા ખોદકામના કારણે આ કામોના કારણે સ્થાનિક રહેવાસીઓની મિલકતોને કોઈ નુકસાન કે તોડફોડ થઈ જાય, તો તેની મરામત કરીને પૂર્વવત કરી દેવાની જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરોની અથવા ડિપાર્ટમેન્ટની હોવી જોઈએ અને આ પ્રકારની મરામતો કોન્ટ્રાક્ટર પાસે કરાવવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકા અથવા જે વિકાસનું કામ થઈ રહ્યું હોય, તે ઓથોરિટિઝ, રાજય કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોની હોવી જોઈએ, તેમ નથી લાગતું...!
અત્યારે ઘણાં સ્થળે ભૂગર્ભ ગટર, ફલાયઓવર બ્રીજ તથા વખતોવખત પાણી પુરવઠાને સંબંધિત કામો ચાલી રહ્યાં છે, અને તેના કારણે ઠેર-ઠેર ઉંડા ખાડાઓ ખોદવા પડે છે અને પછી પાઈપો નાંખીને કે કામ પૂરૂ થયા પછી બુરવા પડતા હોય છે. આ રીતે ખોદકામ કરાયા પછી ખાડા બુરી દીધા પછી તેને સમતળ કરવાની જવાબદારી કોની...? જે-તે કોન્ટ્રાક્ટરની કે પછી મહાનગરપાલિકાની...? "પહેલાં ઈંડુ કે પહેલા મરઘી...!" જેવા કોયડામાં નગરજનોને ઉલઝાવવાના બદલે આ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ અને જે-તે કામો પૂરા થયા પછી સ્થિતિ પૂર્વવત કરવાના કામો પણ ઝડપભેર કરવા જોઈએ. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓના ઓટલા, ઢાળીયા કે વંડી તૂટ્યા હોય, પાણી, ગટરના કનેકશનો આ કામોના કારણે તૂટ્યા હોય, અને પાણી લીકેજ થતું હોય કે પછી બીજા કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનું મરામત કામ પણ ચાલુ હોય, ત્યારે જ થઈ જાય, તે અત્યંત જરૂરી હોય છે, કારણ કે, થોડો સમય વીતી જાય તે પછી કોઈ જવાબ દેતું નથી, તેવી રાવ ઉઠતી હોય છે.
નગરમાં ફ્લાયઓવર બ્રીજ માટે વિવિધ સંકુલો પર પતરાં લગાવીને કામો ચાલી રહ્યાં છે અને કામના વિસ્તૃતિકરણની સાથે-સાથે આ પતરાંઓની આડસોની સ્થિતિ પણ રોજબરોજ ફરતી હોય છે. આ સંજોગોમાં પરિવહન માટેના રસ્તા-સાંકડા થઈ જતા હોય છે, ત્યારે જેટલો માર્ગ પરિવહન માટે મળ્યો હોય, તેમાં કોઈપણ ખાડો કે ચિરોડો રહી ન જાય તેની ખાસ તકેદારી પણ રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે સાંકડા માર્ગ અને ટૂંકી ગોલાઈઓમાંથી આ પ્રકારના ખાડા-ચિરોડા તારવવા જતા ઘણાં વાહનો પરસ્પર અથડાઈ પડતા નાના-મોટા અકસ્માતો રોજબરોજ સર્જાતા હોય છે, જે તંત્રના ચોપડે નોંધાતા હોતા નથી, પરંતુ આ જ સ્થળો પર ગંભીર કે ગમખ્વાર અકસ્માત થવાની શક્યતા પણ રહેતી હોવાથી આ પ્રકારના સ્થળો પર ખાડા-ચિરોડા બુરવાની કાર્યવાહી કાયમી ધોરણે અને સતત થતી રહેવી જરૂરી છે, ખરૃં ને...?
જામનગરની ફરતે રીંગરોડ પર પણ વિવિધ કામોને લઈને ખોદકામો થઈ રહ્યાં છે, કેટલાક આજુબાજુના કામો માટે તો નવે નવી સડકો તોડવામાં આવી હોવાની રાવ પણ ઉઠી રહી છે, ત્યારે હવે ભૂગર્ભ ગટર તથા અન્ય કામો માટે અત્યારે વ્યાપક પ્રમાણમાં ખોદકામો થયા છે, ત્યારે બીજા કોઈ સંભવિત કામો માટે મનપા, રાજય, કેન્દ્ર સરકારો, બોર્ડ-નિગમો કે કોઈપણ ઓથોરિટી દ્વારા સંભવિત પ્રોજેક્ટો હોય, મંજૂરીઓ મળતી હોય, તો તેઓના કામો પણ અત્યારે જ શરૂ કરાવી દેવા જોઈએ, જેથી વારંવાર માર્ગોની તોડફોડ કરવી ન પડે, તેવા લોકોના મંતવ્યો પણ ધ્યાને લેવા જરૂરી છે, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

ગઈકાલે સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને મોટો ઝટકો આપ્યો છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારે લાગુ કરેલી આ યોજનાને લઈને આવી રહેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે એનડીએ સરકાર માટે તો ફટકા સમાન છે જ, સાથે સાથે ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો ગૂંજતો રહેવાનો છે. તેનો અણસાર કેટલાક વિપક્ષી નેતાઓના નિવેદનોના માધ્યમથી મળી રહ્યો છે.
એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનની વધી રહેલી ચિંતાઓથી ઘેરાયેલી છે અને ખેડૂત સંગઠનોએ આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે, અને તેને હરિયાણામાં જે પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે, તેથી સરકાર સામે પડકાર વધ્યો છે, તો બીજી તરફ ગઈકાલે મોડી રાત્રિ સુધી ખેડૂત અગ્રણીઓ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો એક વખત ફરીથી નિષ્ફળ ગઈ હોવાના અહેવાલો છે, જેથી આ ખેડૂત આંદોલનની આક્રમક્તા વધી રહી છે અને ખેડૂતોની દિલ્હી કૂચની ઘોષણા પછી આજે શંભુ બોર્ડર પર તથા અન્ય ધોરીમાર્ગો પર જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આજે સવારથી જ પોલીસ પર પથ્થરમારામાં સંખ્યાબંધ પોલીસવાળા ઘાયલ થયા હોવાના અહેવાલો પછી હવે આ પથ્થરમારો કરનારા કોણ છે, તે અંગેના સવાલો પણ ઊઠી રહ્યા છે, કારણ કે આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ તો શાંતિપૂર્ણ આંદોલનની વારંવાર જાહેરાત કરી ચૂક્યા છે.
ખેડૂત આંદોલન અને લોકસભાની ચૂંટણીને સીધો કોઈ સંબંધ તો નથી, પરંતુ આ પ્રકારની બાબતોનો પ્રભાવ ચૂંટણી પર જરૃર પડતો જ હોય છે. તેથી આ આંદોલન પાછળ રાજનીતિ હોય કે ન હોય, તો પણ આ માહોલ નિશ્ચિતપણે ભારતીય જનતા પક્ષ અને એનડીએ માટે રાજકીય રીતે નુક્સાનકર્તા તો નિવડી જ રહ્યો છે. ઘણાં લોકો એવું માને છે કે, ત્રણ કૃષિકાનૂન પાછા ખેંચવામાં વિલંબ કરીને સરકારે જે હિસ્ટોરિકલ બ્લન્ડર (રાજકીય ભૂલ) કરી હતી, તે દોહરાવવી ન જોઈએ, અને એમએસપીની ગેરંટી આપી દેવી જોઈએ.
જો કે, હજુ ચોથા રાઉન્ડની વાતચીત થશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ ગયા વખતે જે ખેડૂત આંદોલન થયું હતું, તે સમયે પણ ઘણાં રાઉન્ડની વાતચિત થઈ હતી, પરંતુ ખેડૂતો ત્રણ કૃષિ કાનૂન રદ્ કરવાની માંગણી પર અડગ રહ્યા હતાં, અને અંતે સરકારે પીછેહઠ કરવી પડી હતી, અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા હતાં. આ વખતે પણ લગભગ તેવો જ માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે સવાલ ઊઠી રહ્યો છે કે, 'હવે શું?'
આગામી ચૂંટણીઓમાં ખેડૂત આંદોલન જેટલો જ મહત્ત્વપૂર્ણ મુદ્દો ઈલેક્ટોરલ બોન્ડનો છે, જેને વિપક્ષોએ અત્યારથી જ ઝડપી લીધો છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે જે ચૂકાદો આપ્યો છે, તે દૂરગામી અસરો તો કરશે જ, પરંતુ અત્યારે તો ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે, અને વિપક્ષોના હાથમાં મોદી સરકાર પર પ્રહાર કરવાનું એક મજબૂત ઓજાર હાથ લાગ્યું હોય, તેવા નિવેદનો આવી રહ્યા છે.
કોંગેસ નેતા રાહુલ ગાંધીએ તત્કાળ એવું નિવેદન આપ્યું કે, તે પછી આરોપ-પ્રત્યારોપોનો સીલસીલો ચાલુ થઈ ગયો. રાહુલ ગાંધીએ 'એક્સ' પર જે લખ્યું તે મોદી સરકાર પર મોટો પ્રહાર છે. તેણે લખ્યું કે, 'નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો એક વધુ પુરાવો તમારી સામે છે. ભાજપાએ ઈલેક્ટોરલ બોન્ડને રિશ્વત અને કમિશન લેવાનું માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મહોર લાગી ગઈ છે.'
'એક્સ' પ્લેટફોર્મ પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું કે, 'સુપ્રિમ કોર્ટે મોદી સરકારની બહુપ્રચારિત ચૂંટણી બોન્ડ સ્કીમને સંસદ દ્વારા પસાર કરેલા કાયદાની સાથે સાથે ભારતના બંધારણનું પણ ઉલ્લંઘન ગણાવ્યું છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેવા મુદ્દે આ જજમેન્ટ આવકારદાયક છે. આ ચૂકાદો નોટ સામે વોટની તાકાતને મજબૂત કરશે. મોદી સરકાર ડોનેશન આપનારાઓને વિશેષાધિકાર આપી રહી છે, અને અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.'
કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, વીવીપેટના મુદ્દે પણ સુપ્રિમ કોર્ટ હવે ઉચિત ચૂકાદો આપશે. જયરામ રમેશે કહ્યું કે, 'અમને આશા છે કે સુપ્રિમ કોર્ટ એ બાબત પર લક્ષ્ય આપશે કે ચૂંટણી આયોગ સતત વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) ના મુદ્દે રાજકીય પક્ષો સાથે મુલાકાતનો ઈનકાર કરી રહ્યું છે. જો મતદાન પ્રક્રિયા પારદર્શક જ હોય તો આટલી જીદ્ શા માટે?'
રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી બોન્ડની વિરોધી હતી. પવન ખેડાએ કહ્યું કે, ભાજપને મળેલા પર૦૦ કરોડના દાનના બદલામાં સરકારે કંપનીઓને શું આપ્યું? કિષ્ના અલ્લાવરૃએ એવો દાવો કર્યો કે, જે-તે સમયે ચૂંટણીપંચ, કાયદા મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ આ વ્યવસ્થા સાથે સહમત ન હોય છતાં આ સ્કીમ દેશ પર લાદવામાં આવી હતી. આ મુદ્દામાં સીધા પ્રધાનમંત્રી સંકળાયેલા છે, વિગેરે...
આ તમામ મંતવ્યો વચ્ચે સરકાર તરફી પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે અને બન્ને મુદ્દે તાર્કિક દલીલો થઈ રહી છે, ત્યારે જોવાનું એ રહે છે કે ઈલેક્ટોરલ બોન્ડમાં શાસક અને વિપક્ષોને જંગી દાન આપનારાઓની પૂરેપૂરી વિગતો બહાર આવે, ત્યારે શું થશે? કાગડા બધે ય કાળા?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજથી રાજકોટમાં શરૃ થયેલી ક્રિકેટ ટેસ્ટ મેચ તથા જય શાહે ટી-ર૦ વર્લ્ડકપ માટે કેપ્ટનના નામનો આપેલો સંકેત ચર્ચામાં છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. રરમી ફેબ્રુઆરીનો સૂચિત કાર્યક્રમ પણ તેઓના હાલાર સહિતના અન્ય વિસ્તારોના સંભવિત પ્રવાસને સાંકળીને ચર્ચાઈ રહ્યો છે. ગઈકાલે અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણની સાથે જ આ તમામ કાર્યક્રમોની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અને કેટલી અસરો થશે, તેના વિશ્લેષણો થવા લાગ્યા છે, એટલું જ નહીં મોદી સરકાર સામે પૂરેપૂરી તૈયારી સાથે અને વિવિધ માંગણીઓને લઈને શરૃ થયેલું કિસાન આંદોલન પણ અગ્રતાક્રમે ચર્ચાય રહ્યું છે. હવે આજે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ખેડૂતોના આંદોલનને દેશવ્યાપી અને વિપક્ષોનું સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ તેમાં એમએસપીના મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
ગઈકાલે આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજયસભાની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ હતી અને વિવિધ પક્ષોએ પોતાના ઉમદવારોની જાહેરાત કરી દીધા પછી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. સોનિયા ગાંધીએ આ વખતે લોકસભાના બદલે રાજસ્થાનમાંથી રાજયસભા માટે ઉમેદવારી નોંધાવતા રાયબરેલીની બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધી - વડેરા લોકસભાની ચૂંટણી લડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. આ પ્રકારની સંભાવનાઓ રાષ્ટ્રીય ચર્ચાનો મુદો બની રહી છે.
કેટલાક મીડિયાના અહેવાલો મુજબ કોંગ્રેસે ઉત્તરપ્રદેશના બદલે હવે દક્ષિણ-પશ્ચિમના રાજ્યો તરફ નજર દોડાવી છે અને વાયનાડમાંથી વિજય થયેલા રાહુલ ગાંધી ફરીથી ત્યાંથી જ લોકસભા માટે ઉમેદવારી નોંધાવે છે કે, કર્ણાટકની કોઈ બેઠક પસંદ કરવા અંગેની અટકળો થઈ રહી છે. આ તમામ પ્રકારની અટકળો વચ્ચે આજે ગુજરાતમાંથી રાજયસભા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉમેદવારીએ બધાને ચોંકાવી દીધા છે, કારણ કે, પરસોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રીઓ તરીકે પરફોર્મન્સ જોતા તેઓને ગુજરાતની ટિકિટ મળશે, તેવું મનાતું હતું, પરંતુ તેવું થયું નથી. જો કે, આ બન્નેને હવે લોકસભા લડાવાશે તેમ જણાય છે.
જો કે, ગઈકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયામાં છવાયેલા છે, અને અબુધાબી મંદિરના લોકાર્પણને અયોધ્યાના રામ મંદિર સાથે સાંકળતો ઉલ્લેખ કરીને સનાતનના સદ્ગુણો દર્શાવાઈ રહ્યાં છે, તથા ભારતની વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાને ઉજાગર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલારની સૂચિત યાત્રા દરમિયાન યાત્રાધામ દ્વારકા અને રાજકોટમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈને થઈ રહેલી તૈયારીઓના અહેવાલો પણ સાર્વત્રિક રીતે છવાયેલા છે, તે ઉપરાંત રાજયસભા, લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ પી.એમ.ને સાંકળીને વિવિધ વિવેચનાઓ પ્રસારિત અને પ્રકાશિત થઈ રહી છે.
આ જ શ્રેણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગીનેતા, જેઓ હવે ભાજપમાં આવી ગયા છે, અને ભાજપની ટિકિટ પર જ રાજયસભાની ચૂંટણી લડવાના છે, તેના વિષે ભૂતકાળમાં કેવા શબ્દપ્રયોગો કર્યા હતા અને કોંગ્રેસ પર કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં તેના જુના વીડિયો પ્રસારિત થઈ રહ્યાં છે. આ તમામ રેકોર્ડીંગ અને તેને સંલગ્ન ટીકા-ટિપ્પણીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ થઈ રહી હોવાથી આ મુદ્દો હવે "ટોક ઓફ ધી નેશન" બની ગયો છે, કારણ કે, ભૂતકાળમાં અશોક ચૌહાણ પર આદર્શ ગોટાળાથી જાહેર થયેલા કૌભાંડ હેઠળ શહીદોના આવાસો છીનવવાના સંદર્ભે ગંભીર આક્ષેેપો થયા હતાં.
રાજકોટની મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે જેવી રીતે બેટીંગ પસંદ કર્યુ છે, તેવી જ રીતે રાજકીય ક્ષેત્રે સર્જાયેલા ઘટનાક્રમો દરમિયાન લોકસભાની ચૂંટણી માટેના પ્રચારની પીચ પર જોરદાર બોલીંગ બેટીંગ થશે, તે નક્કી છે. જો કે, ક્રિકેટ ખેલદિલીથી રમાતો આંતરરાષ્ટ્રીય ખેલ છે, જ્યારે રાજનીતિમાં પણ ખેલદિલી હોવી જ જોઈએ, પરંતુ ચૂંટણી જીતવા કોઈપણ હદ્દે જતા પરિબળો આ સિદ્ધાંત વિસરી જતા હોય છે, તેમ નથી લાગતું...?
એવા અહેવાલો આવ્યા છે કે, આજે સાંજે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે વાટાઘાટો થવાની છે અને સકારાત્મક વાટાઘાટો થાય તો કિસાન સંગઠનો આંદોલન થંભાવે કે થોડા સમય માટે સ્થગિત કરે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી, તેવામાં આ મુદ્દે કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિતના નેતાઓએ આ મુદ્દે ખેડૂતોની તરફેણ (સમર્થન) માં જે નિવેદનો આપ્યા છે, તેથી આ આંદોલન હવે રાજકીય બની જશે, તો શું થશે...? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જો પી.એમ. મોદી સ્વયં ખેડૂતો સાથે વાતચીત કરશે, તો નક્કર ઉપાય નીકળી શકે તેવા મંતવ્યો પણ આવી રહ્યાં છે. જોઈએ... હવે શું થાય છે તે, આ મુદ્દો પણ હવે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
સૌથી વધુ રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસતંત્ર વચ્ચેના ઘર્ષણની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, અને જો સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન નહીં થાય તો ખેડૂતો દિલ્હી કૂચ ચાલુ રાખશે તેવી ચીમકી મળતા જ કેન્દ્રીય મંત્રીઓ હવે સિરિયસલી ચર્ચા કરશે તેમ જણાય છે. આ મુદ્દો પણ "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

આજે વસંત પંચમી, વેલેન્ટાઈન ડે અને વિવાહ પ્રસંગોનો અદ્દભુત, આહ્લાદક અને અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો છે. કાચબાની પીઠ પર જે શહેરની રચના થઈ હોવાનું મનાય છે, તે ભરૂચ શહેરનો આજે સ્થાપના દિન પણ છે અને દેશમાં કાશી પછી સૌથી પ્રાચીન શહેર મનાતા આ શહેર ભૃગુપુર તરીકે પણ ઓળખાતું હતું. આપણા દેશની વૈવિધ્યસભર વિશેષતાઓ તથા પ્રાચીન અને પશ્ચિમી સંસ્કૃતિઓના સમાગમ સમો આ સુભગસંયોગ લોકો ભરીને માણી રહ્યા છે.
બીજી તરફ રાજકોટમાં આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટમેચની પૂર્વ સંધ્યાએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું 'નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ પણ થવા જઈ રહ્યું છે, તેથી આજનો દિવસ ગુજરાતમાં પંચરંગી પ્રસંગોનો સાક્ષી પણ બન્યો છે. આજે ઘણાં બધા યુગલો પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે, તેઓને પણ આ ઐતિહાસિક પ્રસંગ જીવનભર યાદ રહેવાનો છે.
વસંત પંચમીને માતા સરસ્વતીજીના પ્રાગટ્યદિન તરીકે ઉજવવામાં આવે છે, અને વેલેન્ટાઈન ડે પણ સંત વેલેન્ટાઈન સાથે સંકળાયેલો છે, તેથી આ બન્ને દિવસોનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ છે. તે ઉપરાંત વસંતપંચમીની ઉજવણીમાં નૈસર્ગિક સાંૈદર્ય અને રોમાંચનું સંયોજન થતું હોવાથી આ બન્ને પ્રસંગો યુવા હૈયાઓ માટે પણ ઘણાં જ રોમાંચક બનતા હોય છે.
વસંતઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, જે ઋતુચક્રની શ્રેષ્ઠ ઋતુ મનાય છે, જેનો પ્રારંભ મહાસુદ પાંચમથી થતો હોવાથી તેને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે જ દેશમાં સુફી બસંત તથા બસંત પતંગોત્સવ જેવી ઉજવણીઓ પણ થતી હોય છે.
માતા સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે વસંત ઋતુના પ્રારંભે મહાસુદ-પાંચમના દિવસે સરસ્વતી પૂજન કર્યું હતું, ત્યારથી વસંતપંચમીની ઉજવણી અને સરસ્વતી પૂજન તથા નૈસર્ગિક આનંદની પરંપરા ચાલી આવે છે. મહર્ષિ વાલ્મિકીનો રચનાઓમાં કુંભકર્ણની કથામાં માતા સરસ્વતીની મહત્ત્વની ભૂમિકાનો ઉલ્લેખ થયો છે. ઋષિ યાજ્ઞ વલ્કપની નષ્ટ થયેલી વિદ્યા પણ માતા સરસ્વતીની કૃપાથી પરત મળી હોવાની કથા પ્રચલીત છે. ઋગ્વેદમાં પણ માતા સરસ્વતીનો ઉલ્લેખ છે.
વેલેન્ટાઈન ડે દર વર્ષે ૧૪ મી ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે. રોમના સમ્રાટ કલાઉડીયસના શાસનકાળમાં થઈ ગયેલા સંત વેલેન્ટાઈન સાથે આ ઉજવણી સંકળાયેલી છે. રોમના સમ્રાટે સેનામાં યુવાનોની પૂરતા પ્રમાણમાં ભરતી કવરાના હેતુથી લગ્ન પર પ્રતિબંધો મૂકયા અને સંત વેલેન્ટાઈને તેનો વિરોધ કરતા સમ્રાટે તેને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસીએ ચડાવ્યા હોવાની પ્રચલીત કથા મુજબ પ્રેમી યુગલો માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઈનની સ્મૃતિમાં થતી આ ઉજવણી હવે સાર્વજનિક બની ગઈ છે અને હવે તો માર્કેટીંગ કૌશલ્યની પણ પૂરક ભૂમિકા વધી રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
અત્યારે શુભપ્રસંગોની મોસમ પણ ખીલી ઉઠી છે અને વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ના સંયોજન સાથે શુભલગ્નોનો ત્રિવેણીસંગમ સર્જાતા સમગ્ર માહોલ ઘણો જ આનંદમય, આહ્લાદક, અવિસ્મરણીય બનીને અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે.
ફેબ્રુઆરી અને મહા મહિનાની સાથે આ વર્ષે થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ સંગમ રચાઈ રહેલો જણાય છે, તેથી વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી ઉપરાંત લગ્નપ્રસંગોમાં પણ ઘણાં સ્થળે ચૂંટણીલક્ષી પરોક્ષ પ્રવૃત્તિઓની છાંટ જોવા મળી રહી છે.
દાયકાઓથી જેની રાહ જોવાતી હતી તે બેટ દ્વારકાથી ઓખાને જોડતા સિગ્નેચર-બ્રિજનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૪ અને રપ ના દિવસે દ્વારકા આવી રહ્યા હોવાના અહેવાલો પછી યાત્રાધામ દ્વારકામાં સ્વાભાવિક રીતે જ ચહલ-પહલ વધી ગઈ છે અને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. યોગાનુયોગ તા.ર૪-રપ ફેબ્રુ.ના સમાન સમયે જ પૂર્ણિમા હોવાથી નિયમિત રીતે પૂનમ ભરવા આવતા ભકતોની મોટી સંખ્યા હોવાથી અને તે જ દિવસે દ્વારકામાં ધ્વજારોહણો, મંગલ પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો વધુ હોવાથી લોકોને, ભકતોને તથા પ્રસંગો ઉજવતા લોકોને તકલીફ ન પડે, તેવી રીતે વિવિધ વ્યવસ્થાઓ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી એ તંત્રો માટે પડકારરૂપ બનવાની છે. આ જ દિવસે દ્વારકામાં સંખ્યાબંધ લગ્ન પ્રસંગો પણ યોજાનાર છે, તેથી સુરક્ષા વ્યવસ્થા જાળવતા તંત્રોએ પણ વ્યવહારૂ અભિગમ સાથે વ્યવસ્થાઓ જાળવવી પડે તેમ છે. તેથી આ તમામ બાબતોને લક્ષ્યમાં લઈને જ તંત્રો સિક્યોરિટી પ્લાન ઘડી રહ્યા હશે, તે નક્કી છે.
ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા અને નિવાસ સ્થાન મનાતા બેટદ્વારકા વચ્ચે નિર્માણ થયેલો સિગ્નેચર બ્રિજ બહુહેતુક પુરવાર થવાનો છે, તેની સાથે સાથે બેટ દ્વારકામાં પણ આંતરિક તમામ વ્યવસ્થાઓના વિસ્તૃતિકરણ અને નવીનીકરણ-આધુનિકરણની જરૂર પડવાની જ છે, તેથી તદ્વિષયક પ્રિ-પ્લાનીંગ પણ સંબંધિત તંત્રો તથા સરકારે વિચાર્યું જ હશે, તે ઉપરાંત પાકિસ્તાનની દરિયાઈ સીમા નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ હવે વ્યૂહાત્મક પ્રબંધો કરવા પડવાના છે, ત્યારે આ તમામ મુદ્દે સરકારી તંત્રો સજાગ હશે તેમ માનીએ.
આજના ત્રિવેણી સંગમ સમા દિવસની તમામ વાચકો તથા નોબત સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો