વાંચન વિશેષ

બ્રાસ ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો - સૂચનોઃ
જામનગર તા. ર૩ઃ આગામી નાણાકીય વર્ષે ર૦ર૧/ર૦રર ના કેન્દ્રીય બજેટ અગે જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશને જામનગરના સાસદ પુનમબેન માડમના માધ્યમથી કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને આવેદનપત્ર પાઠવી જામનગરના બ્રાસઉધોગના વિકાસને સ્પર્ષતા/અસરકતા વિવિધ પ્રશ્નોની કેન્દ્રીય સ્તરે વાચા આપવા માટે રજુઆત કરવામાં આવી છે.
૧. ધાતુ ભંગારની આયાત પરની ડયુટીમાં ધટાડો કરવા બાબતઃ
ભારત દેશનું ધાતુ ભંગાર ક્ષેત્ર વિદેશથી બહુ માટા પ્રમાણમાં ધાતુ ભંગારની આયાત કરે છે. વિશ્વના બધા દેશ પયાવરણ મુકત ધાતુ ભંગારની આયાતને પ્રોત્સાહીત કરે છે. ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં આ પ્રકારના ધાતુ ભંગારની આયાત પર ર.૫૦% થી ૫% જેટલી આયાત ડયુટી વસુલવામાં આવે છે જેને હાલમાં નીચેના સંજોગોને આધિન આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘટાડીને ૦% કરી દેવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે.
(૧) જામનગર કે જે સમગ્ર એશિયામાં બ્રાસપાર્ટસ ઉત્પાદનનુ મુખ્ય કેન્દ્ર છે ત્યાં બ્રાસ ઉધોાગમાં આશરે ૪,૦૦૦ જેટલા લઘુઉધોગો દ્વારા ધાતુ ભગાર આયાતની કામગીરી કરાઈ રહી છે (ર) આ ક્ષેત્ર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આશરે ર.૫૦ લાખ લૉકોને અને જેમાં ખાસ કરીને ૩૦% જેટલી સ્ત્રી કામદારના સમાવેશ થાય છે તેને સ્વમાનભેર રોજગારી પૂરી પાડે છે (૩) સ્થાનિક ક્ષેત્રે ધાતું ભગારની અપુરતર્તાને કારણે આ કાચામાલની આયાતકાર વિદેશમાંથી આયાત કરે છે. (૪) ખાસ કરીને કુદરતી સ્ત્રોતો જાળવવા, ઉર્જાબચત, કાબંન ઉત્સર્જન ઘટાડવા અને પડતર વધુ થતી હોવાથી સમગ્ર વિશ્વમાં ધાતુ ભંગાર કે જે મૂળ કાચોમાલ છે તેના હેરફેર પર કોઈપણ પ્રકારનું કર ભારણ નાખે લ નથી. (પ) સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર દેશ છે કે જયા કાચામાલ (ધાતુ ભંગાર) ની આયાત પર ર-૫% થી ૫% જેટલું આયાત કર લગાવવામાં આવી રહયો છે. (૬) જામનગર એ બ્રાસપાટૅસ ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે અને જયાં ધાતુ ભગારને (કે જેના અન્ય ક્યાંય પણ ઉપયોગ થઈ શકતો નથી) કાચામાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેમાંથી અનેક પ્રકારના પિત્તળના પાટૅસ બનાવવામાં આવે છે. ધાતુ ભગારને અન્ય માગેથી પુનઃ ઉપયોગમાં લઈ સ્વચ્છ ભારત મેઈક ઈન ઈન્ડિયા તથા આત્મનિભંર ભારત કાર્યક્રમને સફળ બનાવવા માટે આનાથી મોટું ઉદાહરણ ના હોઈ શકે.
હાલમાં વિશ્વના અન્ય દેશોમાં ધાતુ ભંગારની આયાત પર કોઈ પ્રકારના આયાત કર નથી જેથી ભારત દેશની મેટલ રીસાઈકલીંગ ઉધોગ વૈશ્વિક હરીફાઈયુકત બજારમાં ટકી શકવા સમર્થન નથી. જેથી આ સંસ્થા દ્વારા ભારત સરકારશ્રીને રજુઆત કરાઈ છે કે ધાતુ ભગારની આયાત પર આયાત કરનો દર ૦% કરવામાં આવે, પ્રાથમિક દૃષ્ટિએ સરકારશ્રીની આવક ઘટશે તેવું જણાય પરંતુ આયાત કરનો દર ૦% કરવાથી ઉત્પાદકોનું ઉત્પાદન વધશે અને આવા ઉત્પાદનોના વેચાણથી સરવાળે સરકારશ્રીને જી.એસ.ટી. ના સ્વરૂપમાં અનેકગણી આવક પ્રાપ્ત થશે જેથી ધાતુ ભંગારની આયાત પર આયાત કરનો દર ઘટાડીને ૦% કરવા જ જોઈએ તેવી ભારપૂર્વકની રજુઆત કરવામાં આવી છે.
ર. મેટલ સ્ક્રેપ પર જી.એસ-ટી.ના દરમાં ઘટાડે! કરવા બાબતઃ
જામનગરના બ્રાસઉધોગમાં કાચા માલ તરીકે વપરાતા વિવિધ ધાતુ ભંગાર પરના જી.એસ.ટી.ના દરા હાલમાં ૧૮% જેટલા ઉંચા છે જેમાં ઘટાડો કરીને પ% કરવા માટે રજુઆત કરવામાં આવેલ છે. તેમાં જણાવાયું છે કે જામનગરના ઉધોગકારો ધાતુ-ભંગારમાંથી અર્ધ તૈયાર માલનું ઉત્પાદન કરતા હોય છે અને આ અધંતૈયાર માલનો ખાસ કરીને ઓટો મોબાઈલ, એન્જીનિયરીંગ, કન્સ્ટ્રકશન જેવા ઉધોગોમાં તૈયાર માલ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. જેના પર ૧૮૫% જેટલા ઉંચા દરને કારણે લોકો પર આર્થિક ભારણ આવી જતા તેની વિપરીત અસર દેશના અર્થતંત્ર પર પડે છે જેને નિવારવા માટે જી.એસ.ટી. કાઉન્સીલે દરેક પ્રકારના લોહ ધાતુ ભગાર પર જી.એસ.ટી. નો દર જે હાલમાં ૧૮% છે તેને ઘટાડીને ૫% કરવો જોઈએ કે જેથી દરેક ધંધાર્થીઓ જી.એસ.ટી. ભરવા મોટે પ્રોત્સાહીત થશે અને સરવાળે એક વખત જી.એસ.ટી. કરમાળખામાં આવી જવાથી તેના ભવિષ્યના દરેક વ્યવહારો પર સરકારશ્રીને આવક પ્રાપ્ત થશે અને જે આવક વધારવા માટેના સરકારના પ્રયત્નો માટે અસરકારક સાબિત થશે તેમ જણાવી સૂચનો રજુ કરવામાં આવ્યા છે.
(૧) દરેક પ્રકારના ધાતું ભગારની આયાત પર જી.એસ.ટી.ના દર ૫% રાખવા, (૨) અગાઉ નવેમ્બર ર૦૧૭ માં જે રીતે પ્લાસ્ટિક, કાગળ અને ઈલેક્ટ્રોનિક્સ ભગાર પર જી-એસ.-ટી.ના દર ૧૮% માંથી ઘટાડી ૫% કરાયેલ છે તેજ રીતે ધાતુ ભંગાર પર જી.એસ.ટી. નો દર ઘટાડવા રાખવા માટે રજુઆત કરાઈ છે.
૩. નિકાસના સંદભમાં મેળવાયેલ કમિશન પર જી-એસ.ટી.ના દરમાં માફી આપવા બાબતેઃ
ભારતીય કંપનીઓ દ્વારા તેમના વિદેશમાં આવેલ વિક્ટેતાઓને નિકાસને લગતી સુવિધાઓ પુરી પાડે ત્યારે વિદેશી નાણાની કમાણી પર ૧૮% જેટલે। જી.એસ.ટી. વસુલવાની જાગવાઈ અમલમાં મૂકાઈ છે જે અવ્યવહારુ હોય આ કર જોગવાઈ દૂર કરવી જોઈએ કારણકે જયારે ભારતીય એજન્ટને કમિશન ચુકવવામાં આવે છે ત્યારે આયાતકારની પ્રાઈસ ઉમેરેલી હોય છે જેથી તેના પર એક્વાર આઈ.જી.એસ.ટી. વસુલાયેલ જ હોય છે જેથી આ પ્રકારની કમિશનની રકમ પર બેવડા કરભારણનેો બોજ આવે છે. ભારત દેશ એ સેવા આધારીત દેશ છે અને ભારતીય ઘણી વિદેશી કંપનીઓને તેની સેવાએ આપે છે ત્યારે કમિશન પર લગાવવામાં આવતો જી.એસ.ટી. દૂર કરવામાં આવે તે આપણે આપણી નિકાશને લગતી સેવાએ વધુ ઉત્કૃષ્ટ રીતે આપી શકીએ તેમ છીએ ત્યારે નિકાસના સંદભંમાં મેળવાયેલ કમિશન પર જી-એસ.ટી.ના દરમાં માફી આપવી જોઈએ.
૪. સ્ક્રેપ પર સેકશન ર૦૬-સી હેઠળ ટી.સી.એસ.ની વૈધ્યતા બાબતઃ
બેનામી ટ્રાન્ઝેકશન પર લગામ લાવવા માટે ગત ૧૯૬૧ માં ઈન્કમટેકસના કાયદાની જોગવાઈ ર૦૬-સી લાગુ પાડવામાં આવેલ હતી. હકીકતમાં અહિના ઉત્પાદકો અને વિક્રેતાએ અલગ અલગ કાયદા હેઠળ સરકારશ્રીમાં નોંધાયેલ હોય છે અને નિયમિત પણે કરવેરા ભરતા હોય છે.
વાસ્તવમાં ખરીદદાર કે જેઓ પાન નંબર તથા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ધરાવતાં હોય તેઓને ટી.સી.એસ. ની ચુક્વણીમાંથી મુકિત આપવી જોઈએ પછી ચાહે તે ઉત્પાદનકર્તા હોય કે વિક્રેતા- ટી.સી.એસ. એ કર નથી પરતુ ટેકસનું રીટ ભરાય તેની સામે એડજેસ્ટ કરવાનું હોય છે અને તેનાથી સરકારશ્રીની આવકમાં કોઈપણ પ્રકારને ફેર પડતો નથી. છતાં પણ ટી.સી.એસ. ને કારણે
લઘુઉદ્યોગોની મુડી રોકાઈ જતી હોવાથી તેઓને ભારે નાણાભીડનો સામના કરવા પડી રહયો હોય મુશ્કેલી અનુભવી રહયા છે. જા આ મુડી ઉધોગકારાના હાથમાં રહેતી હોય તા ઉદ્યોગ સાહસિકો તેના સદઉપયોગ કરી ધંધાનો વિકાસ કરી શકે, વધુ રોજગારી આપી શકે અને સરકારશ્રીને કરના સ્વરૃપમાં મોટી આવક આપી શકે. જયારે ટી.ડી.એસ. ની જોગવાઈ મુજબ ટ્રાન્સપોર્ટરોને સુવિધાઓ આપવામાં આવે છે તેજ રીતે જયારે ઉત્પાદકો કે જે પાન નંબર તથા જી.એસ.ટી. હેઠળ નોંેધાયેલ હાય તેએ પર ડીપાર્ટમેન્ટે ટી.સી.એસ. ની વસુલાત ન કરવી જાઈએ. સરકારની આ જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ જે કરદાતાઓ જે કરમાળખામાં સમાવેશ થયેલ નથી તેઓને કરમાળખામાં સમાવેશ કરવાનો હતો. ટી.સી-એસ.ની વસુલાત માત્ર રજીસ્ટર્ડ ટ્રેડસં અથવા તો મેન્યુફેક્ચર્સ પર લાગું પડવી જાઈએ કે જે ચુકવણી ના કરતા હોય. હાલમાં નહી નોધાયેલા ટ્રેડર્સ અને મેન્યુફેકચર્સને ટી.સી.એસ.ના કરમાળખામાં લાવવાની કોઈ જોગવાઈ અમલમાં નથી જેથી ટી.સી.એસ. જમા કરાવવાનો મુખ્ય હેતુ સરતો...! નથી. અહીના બ્રાસઉધોગમાં વપરાતો કાચોમાલ ધાતુ ભંગારની કિંમત ઉંચી હોવાથી મોટા ભાગના ઉત્પાદકો તથા વિક્રેતાઓનો જી.એસ.ટી. કાયદામાં સમાવેશ થઈ જાય છે અને ઈન્કમટેક્સ કાયદા ૧૯૬૧ ની ટેકસ ઓડીટની જોગવાઈ ૪૪એબી હેઠળ કર ભરપાઈ માટે યોગ્યતાપાત્ર થઈ જાય છે.
પ. મીનીમમ ઓલ્ટરનેટીવ ટેકસ નાબુદ કરવા બાબતઃ
હાલમાં આવકવેરા કાયદાની જોગવાઈઓ મુજબ મીનીમમ ઓલ્ટરનેટીવ ટેક્સ એવી કંપનીઓ પાસેથી વસુલવામાં આવી રહયો છે કે જેને આવકવેરો બ્રુક પ્રોફીટ કરતા ૧૫% ઓછો છે. પ્રવતંમાન પરિસ્થિતિમાં કંપનીઓના નફામાં ઘણો જ ધટાડો થયો છે ત્યારે મીનીમમ ઓલ્ટરનેટીવ ટેકસ આગામી ૦૫ વર્ષ માટે મુકિત આપવી જોઇએ કે જેથી કંપનીઓના વિકાસ થવામાં સહાયભૂત થશે.
૬. મેટ ક્રેડીટ સામે બેંક લોન આપવા બાબતઃ
હાલમાં કારોના લોકડાઉનને કારણે ઉધોગકારોના નાણા હાલમાં ફસાઈ ગયા છે અને બજારમાં પણ નાણા નથી ફરી રહયા ત્યારે દરેક બેંક ઉદ્યોગકારોને તેની મેટ ક્રેડીટની રકમ સામે બેંક લોન આપે તે માટે સરકારશ્રીને રજુઆત કરવામાં આવી છે. તથા આ પ્રકારની બેંક લોન પર વ્યાજના દર ૬%; રાખવા માટે પણ રજુઆત કરાઈ છે. કે જેનાથી બજારમાં નાણાકીય તરલતા પરત આવશે.