બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

શ્રાવણી સત્સંગ

                                                                                                                                                                                                      

એક વખત દૈત્યોના ગુરૂ શુક્રાચાર્યએ પોતાના શિષ્યો દાનવોની દેવો સામે યુદ્ધમાં કારમો પરાજય જોઈ અત્યંત વ્યથિત થયા. તેમણે તપસ્યાના બળ વડે દેવોને હરાવવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા કરી તેઓ અર્બુદ પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા હતા.

અર્બુદ પર્વત(આબુ) માં ભૂમિની અંદર ગુફા બનાવી તેમાં પ્રવેશ કરી 'શુક્રેશ્વર' નામના શિવલીંગની સ્થાપના કરી. આ શિવલીંગની તેમણે શ્રદ્ધા-ભક્તિ સાથે ષોડશોપચારે પૂજા-અર્ચના કરી અને શિવ સાધનાનો આરંભ કર્યો.

નિરાદાર અને એક ધ્યાન સાથે તેમણે શિવજીને પ્રસન્ન કરવા દારૂણ તપનો પ્રારંભ કર્યો. આ પ્રકારે તપ કરતાં કરતાં એક હજાર વર્ષ વીતી ગયા.તેના તપથી પ્રસન્ન થયેલા શિવજીએ શુક્રાચાર્યને સાક્ષાત દર્શન આપ્યા. પછી કહ્યુ, ' હું તમારી સાધનાથી પ્રસન્ન થયો છું માટે વરદાન માંગો. તમારી ઈચ્છા હું અવશ્ય પરિપૂર્ણ કરીશ.'

દાનવોના ગુરૂ શુક્રાચાર્ય એ હાથ જોડી અને શિવજીને પ્રાર્થના કરી ' હે દેવાધિદેવ મહાદેવ, જો આપ મારી પર ખરેખર પ્રસન્ન થયા જ હો તો મને એવી વિદ્યા આપો કે જેના વડે હું યુદ્ધમાં મરેલાને પણ જીવતા કરી શકું.'

પ્રસન્ન થયેલા શિવજીએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાવાળી તથા મરેલા પ્રાણીને પણ જીવતા કરનારી શક્તિવાળી સંજીવની વિદ્યા વરદાન ના રૂપમાં આપી. અને કહ્યું ' હજુ બીજુ કંઈ પણ માંગવું હોય તો માંગો.'

 ત્યારે શુક્રાચાર્ય એ કહ્યુ, ' પ્રભુ, કારતક મહિનાની શુકલ પક્ષની આઠમના જો આ શુક્રેશ્વર મહાદેવ ના મંદિરના શિવલીંગનું ભક્તિપૂર્વક પૂજન-અર્ચન કરે તેને અપમૃત્યુનો કદાપી ભય ન રહે.

ત્યારે મહાદેવજીએ, 'તથાસ્તુ' કહી અને શુક્રાચાર્યને તેના મનગમતા વરદાન આપી કૈલાસ પર્વત તરફ પ્રયાણ કર્યું. આ વરદાન મેળવી શુક્રાચાયએ યુદ્ધમાં મૃત્યુ પામેલા અસંખ્ય દૈત્યોને ફરીથી જીવતા કરી દેતા દેત્યોને પરાજીત કરવું દેવો માટે કઠીન બની ગયું.

આ શુક્રતીર્થમાં પિતૃઓની શ્રાદ્ધાદિક ક્રિયા કરવાથી પિતૃગણ સંતુષ્ટ થાય છે. આ પવિત્ર તીર્થક્ષેત્રમાં પુજન-અર્ચન કરવાથી મનુષ્ય બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. તેને અલ્પમૃત્યુ કે અપમૃત્યુનો ભય નથી રહેતો.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શિવજીના મસ્તક પર ચંદ્ર બિરાજે છે. જાણે ભગવાન શિવજીના મુકુટ સ્વરૂપ તે બિરાજતા હોય તેવું દૃશ્ય ખડું થાય છે. આ અંગે એક કથા છે.

દેવો અને દાનવો દ્વારા અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યુ. ત્યારે તેમાંથી વિવિધ વસ્તુઓ નીકળવા લાગી. દેવો અને દાનવો વચ્ચે તે વસ્તુઓની વારાફરતી વહેચણી થવા લાગી.

જ્યારે હળાહળ ઝેર નીકળ્યું ત્યારે સૌ ગભરાઈ ગયા. હવે આ ઝેર કોઈ ગ્રહણ ન કરે તો તે ત્રિલોકમાં ફેલાઈ જાય. જેને કારણે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ પર જોખમ ઊભું થાય. આવા સંજોગોમાં ભગવાન શિવજી આ હળાહળ વિષ ગ્રહણ કરવા તૈયાર થયા. તેમણે વિષપાન કર્યું. તે તેમણે ગળામાં ધારણ કરી લીધું. પરંતુ તેનો પ્રભાવ તેમના આખાય શરીર પર વર્તાવા લાગ્યો. તેમના શરીરમાં અસહ્ય ગરમી ફેલાઈ ગઈ.

આ દૃશ્ય શિતળતા સભર ચંદ્ર દેવે જોયું. તેમણે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે, ' હે દેવો ના દેવ મહાદેવ, કરૂણા નિધાન તમે મને તમારા મસ્તકમાં બેસવા માટે રજા આપો. જેથી મારી શિતળતાને કારણે તમારા શરીર પર વિષના કારણે ફેલાયેલ ગરમીમાં તમને શાંતિ અનુભવાશે.

પ્રથમ તો ભગવાન શિવજીએ ચંદ્ર દેવને આ માટે રજા ન આપી. તેમણે કહ્યું , 'હે ચંદ્ર, તારો શ્વેત રંગ અને તારી શિતળતા ઝેરના કારણે ઉત્પન્ન થયેલી ગરમીને સહન ન કરી શકે. માટે તું આ સાહસ કરવાનું રહેવા દે.

પરંતુ પછી ચંદ્રદેવે શિવજીને સ્તૃતિ કરી વિનંતી કરી. તેમની સાથે દેવો પણ જોડાયા. તેમની સ્તૃતિથી પ્રસન્ન થઈ શિવજી એ ચંદ્રદેવની વિનંતીનો સ્વીકાર કરી તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા.

ભગવાન શિવજીને શાંતિ પ્રાપ્ત અને ચંદ્રદેવને શિવજીના મસ્તક પર સ્થાન  પ્રાપ્ત થયું. તેથી ચંદ્રદેવના વાર સોમવારને ચંદ્રદેવ સાથે જોડી આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. પૂનમના ચંદ્રદેવના દર્શન કરવાથી તેમાં નિલીમા જોવા મળે છે. જેનો મહિમા આ કથા સાથે જોડાયેલ છે.

એક માન્યતા પ્રમાણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનારને કોઈ કારણ સર ચંદ્ર દેવના દર્શન ન થાય તો તેઓ શિવજીના મસ્તક પર ચંદ્ર દેવના દર્શન કરી વ્રત પરિપૂર્ણ કરે છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

અમૃત પી અમર થઈ જવાય તે અમૃતને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દાનવોએ સાથે મળી અને સમુદ્રમંથનની ક્રિયા આરંભી મંદિરાચલ પર્વતને રેવૈયો બનાવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવી અને જ્યારે આ સમુદ્રમંથનની ક્રિયાનો આરંભ કર્યો એટલે સમય-સમય પર તેમાંથી એક પછી એક વસ્તુઓ ઉત્પન્ન થવા લાગી. દેવતાઓઅને દાનવોએ અંદરો-અંદર વહેચી લીધી.

જેમાં અનુક્રમે ઝેર ઉત્પન્ન થયું. હળાહળ ઝેર ઉત્પન્ન થયેલું જોઈ દેવતાઓ અને દાનવો ખૂબ જ ગભરાઈ ગયા. હવે આ ભયંકર એવા હળાહળ ઉત્પન્ન થયેલા ઝેરને ગ્રહણ કોણ કરે ? દેવતાઓ અને દાનવો મુંઝાયા એટલે તેઓ સીધા જ બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ સૌને ગભરાયેલા જોઈ અને તેમની ગભરાટનું અને આવવાનું કારણ પુછ્યું.

'તમે દેવો અને દાનવો શા માટે ગભરાયેલા છો ? અને અહીં મારી પાસે આવવાનું પ્રયોજન શું છે?

ત્યારે દેવતાઓ અને દાનવોએ બહ્માજીને સઘળી હકીકત સંભળાવી. આ સાંભળી અને બ્રહ્માજીએ તેમને કહ્યું, ' આનુ નિરાકરણ કરવાનું કામ મારી શક્તિ બહાર છે. માટે ચાલો આપણે સૌ મળી અને રૂદ્ર એવા ભગવાન શ્રી શંકરના શરણે જઈએ. જે આનું યોગ્ય નિરાકરણ કરી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે.'

આ પ્રમાણસઃ બ્રહ્માજી અને દેવતાઓ તથા દાનવો સૌ સાથે મળી અને ભગવાન શ્રી શંકરના શરણે ગયા. તેમના પાસે કૈલાસમાં જઈ અને સૌ સાથે મળી અને શિવજીની સ્તૃતિ કરવા માંડી. તેમાંય બ્રહ્માજીએ તો ખૂબ જ સારી રીતે શિવજીની સ્તુતિ કરી.

ત્યારે, શિવજીએ તેમને આવવાનું કારણ પુછ્યું. ત્યારે બ્રાહ્મણએ બનેલી પૂરી ઘટનાનું વર્ણન શિવજી પાસે કર્યું અને શિવજીને તે ઝેર પીવા માટે સૌએ વિનંતી કરી અને કહ્યું, હે દયાના સાગર, આપ તો જગતનું કલ્યાણ કરનારા છો. આજે આ કાતિલ હળાહળ ઝેર જો વધુ સમય રહેશે તો તેનાથી સમગ્ર જગતને અસર થશે. તેના લીધે મોટો વિનાશ થશે. માટે પ્રભુ વહેલી તકે તેનું પાન કરી અને જગતનું કલ્યાણ કરો. હે નાથ, આ ઝેરને તમારા સિવાય બીજો કોઈપણ સાચવી શકે તેવા આ જગતમાં નથી.

આમ, વારંવાર વિનંતી કરતા બ્રહ્માજી તથા દેવો અને દાનવોને જોઈ અને દયાના સાગર ભોળાનાથ તો એ ઝેરનું પાન કરવા માટે તત્પર બની ગયા.

ભગવાન શ્રી શિવજીએ જ્યારે કાતિલ ઝેર ગટગટાવ્યું ત્યારે તે પેટમાં ન ઉતરતા કાયમને માટે ગળામાં ધારણ કર્યું. જેથી તેમના ગળાનો ભાગ નીલો થઈ ગયો. જેને કારણે ભગવાન શ્રી શિવજી જગતમાં નિલકંઠ મહાદેવના નામે પ્રસિદ્ધ થયા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

ઉદાલક મુની એક વખત એક શિવ મંદિરમાં ગયા. આ શિવ મંદિરમાં તે વિસ્તારની રાજાની કુંવરી રાજકુમારી સુંદરીદેવી સ્વયં શિવ મંદિરની સફાઈ કરી રહી હતી. ત્યાર બાદ તેણે મંદિરના વાસણ વગેરેની પણ જાતે જ સફાઈ કરી. ઉદાલક મુનીએ આ બધું જોયું. તેમને આશ્વર્ય થયું કે, રાજકુમારી જાતે શિવ મંદિરની સફાઈ કરે એ ખરેખર નવાઈ ની વાત કહેવાય.

તેમણે રાજકુમારી સુંદરી દેવીને પુછ્યું, ' બેટા, તારા રાજમહેલમાં તારી સેવા કરનારા અનેક દાસ-દાસીઓ છે. જે તારો પડ્યો  બોલ ઝીલી લેવા તત્પર હરે છે. તું ધારે તો તેને આજ્ઞા આપી અને આ શિવમંદિરની સફાઈ વગેરેનું કાર્ય કરાવી શકે તેમ છે. તેમ છતાં તું તારા કોમળ હાથ વડે આ મંદિર અને તેના વાસણો વગેરેની સફાઈની સેવા કરે છે. તેનું મને ખૂબ જ આશ્વર્ય થાય છે. ત્યારે રાજકુમારી સુંદરદેવીએ મહર્ષિ ઉદાલક મુનીને હસતાં હસતાં જવાબ આપ્યો, હે મહાત્માન તેની પાછળની એક કથા છે. જે હું તમને કહુ છું.

પૂર્વે હું પક્ષિણી હતી. એક દિવસ ભુખથી આકુળ-વ્યાકુળ થઈને કંઈ ખાવાનું મળી જશે તેવા હેતુ સાથે એક શિવ મંદિરમાં ગઈ.આ સમયે મંદિરમાં આમ-તેમ ઉડતા રહેવાથી મારી પાંખો વડે મંદિરની ધુળ વગેરે ઉડવા લાગી. આમ અનાયાસે મારાથી મંદિરની થોડી ઘણી સફાઈ થઈ ગઈ. જેના ફળ સ્વરૂપે મારા મૃત્યુ પછી મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. સ્વર્ગના ઉત્તર સુખને ભોગવી મારે ફરી મૃત્યુ લોકમાં આવવાનું થયું. તેથી કાશીરાજને ત્યાં રાજકુમારી તરીકે મારો જન્મ થયો.  ગયા જન્મમાં અજાણતા શિવ મંદિરની થોડી ઘણી સફાઈ કરવાથી મને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ તે હું ભૂલી નથી. તેથી મારા આ જન્મને પણ સાર્થક કરવા હું દરરોજ જાતે શિવ મંદિરની સફાઈ કરું છું. અને શિવજીની સેવામાં મગ્ન રહું છું. જે સ્ત્રી - પુરુષ શિવજીની સેવા - ભક્તિમાં રત રહે છે તે જીવન દરમ્યાન દિવ્ય લાભો થાય છે અને અંતે શિવલોકની પ્રાપ્તિ થાય છે.

જે હાથો વડે શિવ મંદિરની સફાઈ, જે પગ વડે શિવ-દર્શન માટેની યાત્રા અને જે આંખો વડે શિવ દર્શન થાય છે તથા જે મન વડે શિવજીનું સ્મરણ થયા કરે છે તેને સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. આમ, ઉદાલક મુનીને શિવજીના પ્રભાવ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

અનેક લીલા કરનારા ભગવાન વિષ્ણુએ એક વખત કોઈ કારણોસર લક્ષ્મીજીને ભૂલોકમાં અશ્વયોનીમાં જન્મ થાય, તેવો શાપ આપ્યો. ભગવાનની દરેક લીલાઓમાં કોઈને કોઈ રહસ્ય અવશ્ય છુપાયેલું હોય છે. પરંતુ આ શાપ મળવાથી લક્ષ્મીજી અત્યંત દુઃખી અને વ્યથિત થયા. તેમણે પોતાનું દુઃખ અને વ્યથા વિષ્ણુ ભગવાન પાસે વ્યક્ત કરી.

વિષ્ણુ ભગવાને કહ્યું, ' હે દેવી, મારુ વચન અફળ તો નહીં જ થાય. પરંતુ થોડો સમય તમે અશ્વયોનીમાં રહેશો, પછી મારા જેવો જ એક પ્રભાવશાળી પુત્ર તમારે ત્યાં થશે. એ સમયે તમારી શાપમાંથી મુક્ત થશે અને તમે મારી પાસે આવી જશો.

ભગવાનના શાપનો ભોગ બનેલા લક્ષ્મીજીએ ભૂલોકમાં આવી અશ્વયોનીમાં જન્મ લીધો. કાલીન્દી અને તમસા નદીના સંગમપર ભગવાન શિવજીની લક્ષ્મીજીએ આરાધના કરવી શરૂ કરી. એક હજાર વર્ષ સુધી સતત શિવજીનું ધ્યાન તપ લક્ષ્મીજીએ અશ્વયોનીમાં કર્યું.

તેમની આ ઉગ્ર તપસ્યાથી દેવાધિદેવ મહાદેવજી અત્યંત પ્રસન્ન થયા. સાક્ષાત શિવજી માતા પાર્વતી સહિત વૃષભ ઉપર સવાર થઈ અશ્વ બનેલ લક્ષ્મીજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, 'હે દેવી, તમે તો જગતના માતા છો અને વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છો. તમે મુક્તિ-ભુક્તિ દેવાવાળા, આ સંપૂર્ણ જગતના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના છોડી મારી આરાધના કેમ કરી રહ્યાં છો ?

વેદોમાં સ્પષ્ટ કહ્યુ છે કે, સ્ત્રીઓએ હંમેશાં પોતાના પતિની જ ઉપાસના કરવી જોઈએ. સ્ત્રી માટે તેના પતિથી વધારે કોઈ દેવતા નથી. પતિ ગમે તેવા હોય તેજ સ્ત્રીના આરાધ્ય દેવ હોય છે. ભગવાન નારાયણ તો પુરૂષોતમ છે, એવા દેવેશ્વર પતિની ઉપાસના છોડી અને તમે મારી ઉપાસના ક્યાં કરવા લાગ્યા ?

ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, ' હે શિવજી મારા પતિ દેવના શાપથી જ મારો આ અશ્વયોનીમાં જન્મ થયો છે. આ શાપનો અંત મારે ત્યાં પુત્ર થશે ત્યારે થશે. પરંતુ હું મારા પતિદેવના સાંનિધ્યથી વંચિત છું. તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે. હે દેવાધિદેવ તમારી ઉપાસના મેં એ માટે કરી છે કે, હું શ્રી હરિ અને હરમાં કોઈ ભેદ જોતી નથી. આપ બન્નેય  એક જ છો. માત્ર રૂપનો જ ભેદ છે તેવું શ્રી હરિએ મને કહેલું છે. તમારા એકત્વને જાણીને જ મેં તમારી આરાધના કરી છે. હે ભગવાન તમે મારા પર પ્રસન્ન થઈ મારું દુઃખ દૂર કરો.

ભગવાન શિવજીએ લક્ષ્મીજીના આ વચનોને સાંભળી અત્યંત પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુને આ બાબતે પ્રાર્થના કરવાનું વચન આપ્યું. અને શ્રી હરિને પ્રાપ્ત કરવા તથા મહાન પરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય તેવું વચન પણ આપ્યું ત્યાર પછી શિવજી માતા પાર્વતી સહિત કૈલાસમાં ગયા.

કૈલાસમાં બુદ્ધિમાન એવા ચિત્રરૂપને બોલાવી તેને દુત બનાવી અને વૈકુંઠ મોકલાવ્યો. ચિત્રરૂપ દ્વારા ભગવાન શિવજીએ મોકલાવેલ સંદેશો સાંભળી તથા દેવી લક્ષ્મીજીની સ્થિતિને જાણી ભગવાન વિષ્ણુએ અશ્વનું રૂપ લીધું. એ રૂપ સાથે તેઓ લક્ષ્મીજી પાસે ગયા. સમયાન્તરે દેવી લક્ષ્મીને 'એકવીર' નામનો પુત્ર થયો. તેના દ્વારા જ 'હૈહય-વંશ'ની ઉપ્તત્તિ થઈ.

આ પ્રકારે લક્ષ્મીજીના શાપની નિવૃત્તિ થઈ અને ફરી એક વખત દિવ્ય શરીર ધારણ ધરી દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં ગયા. તેમની શિવ આરાધના સફળ થઈ ગઈ.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

મહર્ષિ ગર્ગાચાર્યજી આંગિરસ ગોત્રમાં જન્મ્યા હતા. તેઓ એક સુપ્રસિદ્ધ મન્ત્ર દ્રષ્ટા ઋષિ હતા. ઋગ્વે ના ૬/૪૭ સુક્તના દૃષ્ટા ગર્ગાચાર્યજી જ છે. ગર્ગાચાર્યજીનો સુપ્રસિદ્ધ આશ્રમ કુરુક્ષેત્ર પ્રદેશમાં દેવનદી સરસ્વતીના તટ પર હતો.

ગર્ગાચાર્યજીએ આ આશ્રમમાં રહી ઉગ્ર તપસ્યા વડે જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જયોતિષ શાસ્ત્રના ઉત્તમ ગ્રંથોની રચના કરી. જેમાં 'ગર્ગ સંહિતો' નામના પરમ પવિત્ર ઐતિહાસિક ગ્રંથનો પણ સમાવેશ થાય છ. આ ગર્ગાચાર્યજી પરમ શિવભક્ત હતા. તેઓ મહારાજ પૃથુ અને યદુવંશીઓના ગુરૂ અને કુલપુરોહિત હતા. ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી તેમણે બનાવી તેનો ફળાદેશ કરેલો. ગોત્રકાર ઋષિઓમાં પણ તેમની વિશિષ્ટ રૂપથી ગણના થાય છે.

ભગવાન શિવજીમાં અતુટ શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરનારા ગર્ગાચાર્યજીએ ભગવાન શિવજીની આરાધના વડે જ શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.

મહાભારતના અનુશાસન પર્વની કથા પ્રમાણે તેમણે પવિત્ર સરસ્વતી નદીના તટ પર શિવજીને પ્રસન્ન કરવા માટે માનસ યજ્ઞ કર્યો. ગર્ગાચાર્યજીના આ માનસ યજ્ઞની ભગવાન શિવજી અત્યંત સંતુષ્ટ થઈ પ્રસન્ન થયા. જ્યારે શિવજીએ ગર્ગાચાર્યજીને વરદાન માગવા કહ્યું ત્યારે ગર્ગાચાર્યજીએ દેવાધિદેવ મહાદેવ પાસે બે હાથ જોડી સ્તુતી કરી, પછી જ્ઞાન પ્રાપ્તિ માટે વિંનતી કરી.

ભગવાન શિવજીએ મહર્ષિ ગર્ગાચાર્યજીને પ્રસન્નચિત્તે ચોસઠ કળાઓનું અદ્ભુત જ્ઞાન પ્રદાન કરી આશીર્વાદ આપ્યા. શિવજીની કૃપાથી જ તેમને એક સરખા સહસ્ત્ર બ્રહ્મવાદી પુત્રોની પ્રાપ્તિ થઈ. પુત્રો સહિત દસ લાખ વર્ષનું આયુષ્ય તેમને પ્રાપ્ત થયું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

                                                                                                                                                                                                      

એક જંગલમાં એક અતિપ્રાચીન શિવ મંદિર હતું. ત્યાં તે વિસ્તારનો જે રાજા હતો તે દરરોજ શિવલીંગની પૂજા કરવા આવતો. તે ભક્તિયુક્ત થઈને વિવિધ પ્રકારના સંગધિત પુષ્પો અને પુજાની સામગ્રી પોતાના દિવ્યરથમાં લાવી નિયમિત નિર્મળ જળ અને સંગધિત પુષ્પો વડે શિવપૂજન કરતો.

આ વિસ્તારમાં ભીલ જાતિનો કઠીયારો પણ રહેતો હતો. તેને પણ આ શિવ મંદિર અને તેમાં બિરાજતા શિવલીંગ પર અપાર શ્રધ્ધા હતી. તેની પાસે કોઈ વાસણ ન હતુ. તેથી પાસેથી નદીમાંથી ખોબા ભરી આવી અને શિવલીંગ પર ચડાવતો. તે ઉપરાંત જંગલમાં આસપાસ ઉગેલા છોડ પર થી ફૂલ વગેરે લાગી શિવલીંગ પર ચડાવતો. રાજા અને ભીલ જાતિનો કઠીયારો બન્નેય પોતાની શ્રધ્ધ અને ભક્તિપ્રમાણે શિવજીની પૂજા કરતા હતા.

આ બન્નેયની નિયમિત રીેત પૂજા થતી જોઈ એક વખત પ્રાતઃ કાળે માતા પાર્વતીજીએ શિવજીને ઉદ્દેશીને એક પ્રશ્ન કર્યો, 'હે નાથ, છેલ્લા કેટલાક સમયથી એક રાજા અને એક ભીલ જાતિનો કઠીયારો નિયમિત રીતે શ્રધ્ધાભક્તિ સાથે તમારી ઉત્તમ પ્રકારે પૂજા કરે છે. હવે મને પ્રશ્ન એ થાય છે કે, આ બન્નેયમાંથી ઉત્તમ પૂજા ખરેખર કોની ગણાય ?'

શિવજીએ પાર્વતીજીની મુંઝવણ દૂર કરતાં તેમના પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું, 'હે દેવી, તમારા આ પ્રશ્નનો જવાબ તમને આવતીકાલે અવશ્ય મળી જશે.'

બીજા દિવસ સવારે હંમેશાંની જેમ જ ભીલ જાતિનો કઠીયારો શિવજીની પૂજા કરવા માટે નીકળ્યો. આ સમયે વરસાદ પડવા શરૂ થઈ ગયો હતો. આકાશમાં વીજળી ચમકારા કરી રહી હતી. વાદળા ગરજવાનો ભયંકર અવાજ પણ આવી રહ્યો હતો. આવા ભયંકર વાતાવરણ વચ્ચે પણ શિવપૂજન કરવા નીકળેલો ભીલ જાતિનો કઠીયારો પોતાના રોજ ના નિયમ મુજબ શિવજીને જળાભિષેક કરવા લાગ્યો તે શિવ મંદિરમાં હતો ત્યાં જ વીજળી શિવ મંદિર પર ત્રાટકી મંદિરની છત તુટી પડી. શિવ મંદિરમાં રહેલા ભીલ જાતિના કઠીયારાએ વિચાર કર્યો, મંદિરનો કાટમાળ શિવલીંગ પર પડે તો તેમને ઈજા થાય. તેથી તેણે પોતાના શરીર વડે શિવલીંગને ઢાંકી દીધુ. તેણે પોતાની પીઠ ઉપર ઉપરથી પડતો કાટમાળ ઝીલી લીધો.

બીજી બાજુ બરાબર આ જ સમયે રાજા સુગંધિત ફૂલો અને શુદ્ધ જળ લઈ અને શિવ મંદિર પાસે આવ્યો. પરંતુ મંદિર તુટી પડેલ છે તે જોઈને ત્યાંથી જ પાછો વળી ગયો. તે પોતાના રાજમહેલ પરત ગયો. જ્યારે ભીલ જાતિના કઠીયારાએ જ્યારે વાતાવરણ શાંત થયું ત્યારે મંદિરમાંથી સફાઈ કરી ફરી ખોબે ખોબે શિવલીંગ પર અભિષેક કરી. ખુશ્બુદાર ફૂલો શિવલીંગ પર ચડાવ્યા. પોતાને થયેલ ઈજાની પણ તેણે પરવા ન કરી.

ત્યારે હસતાં હસતાં શિવજીએ પાર્વતીજીને સંબોધીને કહ્યું, ' દેવી , ગઈકાલે તમે જે પ્રશ્ન મને પુછેલો તેનો જવાબ તમને મળી ગયો ?

- દેવેન કનકચંદ્ર. વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

                                                                                                                                                                                                      

એક વખત દેવાધિદેવ શિવજીએ માતા પાર્વતીજી સમક્ષ પોતે રૂંઢમાળા શા માટે ગળામાં ધારણ કરે છે તેનું રહસ્ય પ્રગટ કરતા જણાવ્યું કે, 'તમારા દરેક અવતાર બાદ તમારો દેહવિલય થાય ત્યારે તે સમયે તમારી ખોપરીને હું મારી આ રૂંઢમાળામાં પોરવી દઉં છું. કારણ કે, તમે મને અત્યંત પ્રિય છો.'

આ સમયે શિવજી અજર-અમર છે અને પોતાને વારંવાર અવતાર લેવા પડે છે એ વાત માતા પાર્વતીજીએ જાણી ત્યારે પોતે પણ અમર થવા માટેની જીદ્દ પકડી ત્યારે મહાદેવજીએ માતા પાર્વતીજીને જણાવ્યું કે, ' અમર થવા માટે અમર કથા સાંભળવી પડે. આ કથા કોઈ એકાંત પ્રદેશમાં જ થઈ શકે.'

માતા પાર્વતીજી એકાંત પ્રદેશમાં અમર કથા સાંભળવા તૈયાર થયા. ત્યારે શિવજી અને પાર્વતીજી કૈલાસથી નીચે નિર્જન પહાડીઓમાં આવ્યા. કાલાગ્ની રૂદ્રને શિવજીએ આજ્ઞા આપી કે આ પહાડોની આસપાસ કોઈ જીવ, જંતુ, પશુ-પક્ષી કે વૃક્ષ-ઝાડ-પાન ન રહેવા જોઈએ.

કાલાગ્ની રૂદ્રએ તે બધાયને બાળી નાખ્યા. પછી પહાડોમાં એક ગુફામાં બેસી અને શિવજીએ માતા પાર્વતીને કહ્યુ, 'હુ હવે અમર કથાનો પ્રારંભ કરું છું. તમે હોંકારો ભણતા રહેજો. કારણ કે, આ અમરકથા હું સમાધિ અવસ્થામાં તમને કહીશ. તમને મુક્તિની પ્રાપ્તિ થાય તેવું જ્ઞાન હું તમને આપીશ.'

આમ કહી શિવજી તો સમાધિ લગાડીને બેસી ગયા. તેમના મુખમાંથી અમરવાણીનું જ્ઞાન વહેલા લાગ્યું. પાર્વતીજી કથા સાંભળતાં સાંભળતાં હોંકારો દેવા લાગ્યા. પરંતુ આ કથા સાંભળતા પાર્વતીજીને તો ઝોંકુ આવી ગયું તેઓ નિદ્રાધિન થઈ ગયા.

જ્યારે અમરકથા પૂરી થઈ તો શિવજીએ આંખો ખોલીને જોયું તો માતા પાર્વતીજી તો ઘસઘમાટ નિદ્રામાં હતા ત્યારે શિવજીને પ્રશ્ન થયો કે, તો પછી પાર્વતીજીના બદલે હોંકારો કોણ દેતું હતું? તેમણે ગુફામાં ઉપર દૃષ્ટિ કરી તો તે કબુતરના બચ્ચાં દેખાયા. તે બોલ્યા, ' પ્રભુ, અમે આ માળામાં ઈંડા ના સ્વરૂપમાં હતા. આપે જ્યારે ગુફામાંથી પ્રાણવાયુ સમેટી લીધેલો ત્યારે અમારી માં અમને ઈંડા સ્વરૂપે મૂકી અને ઉડી ગઈ હતી. ત્યાર પછી ઈંડામાંથી અમે બહાર નીકળ્યા અને આપની અમરવાણી સાંભળી અમે જ હોંકારો દેતા હતા.

ત્યારે દેવાધિદેવ મહાદેવે કહ્યુ, ' અમર કથા સાંભળી તમે અમર થઈ ગયા પરંતુ પાર્વતીજી અમર ન થઈ શક્યા.' આજે પણ અમર થયેલા તે કબુતરના અમરનાથજીની ગુફામાં દર્શન થાય છે.

આ અમરનાથજીની ગુફામાં સ્વયંભુ બરફનું શિવલીંગ થાય છે. જે એકમના નાનું થઈ જાય છે અને પૂનમના પરિપૂર્ણ થાય છે. ત્યાં બરફના સુતેલી સ્થિતિમાં પાર્વતી માતા અને ગણેશજી પણ બિરાજે છે. અષાઢ સુદ પૂર્ણિમાથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી અહીં દર વર્ષે મેળો ભરાય છે. આ અમરનાથજીની યાત્રા કરી ભાવિકો ધન્યતાનો અનુભવ કરે છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

                                                                                                                                                                                                      

એક વાર પ્રસન્નચિત્ત બેઠેલા શિવજીને માતા પાર્વતીજીએ પ્રશ્ન પુછ્યો, હે નાથ તમે રૃંઢમાળા એટલે કે ખોપરીઓની માળા ધારણ કરો છો જ્યારે અન્ય દેવો હીરા-મોતી જેવા કિંમતી ઝવેરાતો અને સુવર્ણના ઘરેણા ધારણ કરે છે. તમને આ ખોપરીઓની માળા કેમ આટલી બધી પ્રિય છે ? તેનું રહસ્ય મને જણાવો.

દેવાધિદેવ શિવજી માતા પાર્વતીજીના મુખેથી આ અચાનક પુછાયેલા પ્રશ્નને સાંભળીને ખડખડાટ હસી પડાયું. શિવજી બોલ્યા, દેવી એ જાણવાની તમારે શી જરૂર છે?

મને તે અત્યંત પ્રિય છે તેથી તેને હું ધારણ કરૂ છું. તમે તો મારા અર્ધાંગિની છો. તમારે મને આવા પ્રશ્નો ન પુછવા જોઈએ.

ત્યારે પાર્વતી માતા એક ના બે ન થયા.  તેમણે રીતસરની હઠ પકડી આજે તો તમે મને એ જણાવો જ કે તમે હાડકાંના હારડા શા માટે ધારણ કરો છો?

શિવજી સમજી ગયા કે નક્કી આ આગ નારદજી જ લગાડી ગયા લાગે છે. તેમણે પાર્વતી માતાને પ્રશ્ન પુછ્યો, આજે હું વન વિહાર કરવા ગયો ત્યારે અહીં કોઈ આવ્યું હતુ ?

માતા પાર્વતીએ જવાબ આપ્યો,' હા, મહર્ષિ નારદજી આવ્યા હતા. તેમણે જ આ પ્રશ્ન મને પુછ્યો. તેઓ એ બધા દેવોને આ રહસ્ય પુછ્યુ. પરંતુ કોઈનેય તેનો ઉત્તર ન મળ્યો. તેથી પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન નારદજીએ મને પુછ્યો. ત્યારે મેં પણ અન્ય દેવોની જેમ જણાવ્યું કે, ' આ રહસ્ય વિશે તો મને પણ કંઈ જાણ નથી.'

ત્યારે મને નારદજીએ કહ્યું, ' તમે તેમના અર્ધાંગિની છો ને તમેય તે રહસ્ય ને નથી જાણતા?'  આમ કહી માતા પાર્વતી એ ઝડપથી આ રહસ્યને પ્રગટ કરવા શિવજીને વિનંતી કરી.

આખરે સ્ત્રી હઠ પાસે ઝુકી ગયેલા દેવાધિદેવ મહાદેવે તેનું રહસ્ય જણાવતા કહ્યું, 'દેવી' આ જેટલી ખોપરીઓ છે તેટલા તમારા અવતાર થયા છે. તમારા દરેક અવતારની ખોપરી ને મેં મારા આ રૃંઢમાળામાં પોરવી દીધી છે. તમારા થી વધારે આ જગતમાં મને બીજુ કંઈ નથી. તમે મારા હૃદયેશ્વરી છો. તમારા દરેક અવતારના દેહવિલય બાદ તેની ખોપરી હું લઈ મારા આ હારમાં પોરવતો આવ્યો છું. તેના વડે જ મને હૃદયની સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.'

શિવજીના મુખેથી આ રહસ્ય સાંભળી અને સતી પાર્વતી તો વ્યથિત થઈ ગયા. તેમણે મહાદેવજીને કહ્યું, ' તમે અજરઅમર છો અને મારે અવતાર ધારણ કરવા પડે છે ? હું પણ તમારી જેમ જ અમર કેમ ન બનું ? હું તમારી અર્ધાંગિની છું. મારે પણ આ જન્મજન્માંતરના ફેરામાંથી છુટવું છે.'

ત્યારે ભગવાન શિવજી બોલ્યા, ' તમે તો માયાનું જ સ્વરૂપ છો. માયા ક્યારેય પણ અમર રહેતી નથી. જો તમારે અમર બનવું હોય તો અમર કથા સાંભળવી પડે. તે અમર કથા કોઈ એકાંત સ્થાનમાં જ સંભળાવી શકાય. અને પાર્વતી અમર કથા સાંભળવા તત્પર થયા.

આમ, શિવજીએ રૃંઢમાળા ધારણ કરવા પાછળનું રહસ્ય માતા પાર્વતીજીની સામે પ્રગટ કર્યું.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખવી. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. આપના અન્યનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા જણાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને પરેશાની ઓછી થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયનું રોકાણ આ સમયમાં શક્ય બને. અધૂરા રહેલા પારિવારિક કાર્યાે પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબીયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા.૧૯થી રર મિશ્ર, તા.૨૩થી રપ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. તા.૧૯થી રર કાર્યશીલ, તા.ર૩થી ર સુખમય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન, સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલી મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોનો સહકાર મળે. તા.૧૯થી રર મિલન-મુલાકાત, તા.ર૩થી રપ વ્યસ્તતા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા, પ્રયાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે. શારીરિક, માનસિક થાક અનુભવાય. તા.૧૯થી રર શુભ, તા.ર૩થી રપ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યાે લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યાેમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય, માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. તા.૧૯થી રર આરોગ્ય સુધરે, તા.૨૩થી રપ સાનુકૂળ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાગ્યબળ વધારવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરૂષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મેળવી શકશો. ધંધા, વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોત ખૂલતા જણાય. તબીયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેર જીવન ક્ષેત્રના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે, ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ સારી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફુલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ થકી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ સાથે બોલાચાલી, ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું. તા.૧૯થી રર ખર્ચ-ખરીદી, તા.ર૩થી રપ સુખદ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. વ્યાપાર વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવા. યાત્રા, પ્રવાસ કંટાળાજનક પુરવાર થાય. તા.૧૯થી રર સફળતાદાયક, તા.ર૩થી રપ સ્વાસ્થ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આર્થિક સ્થિતિ સુધારનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાય. આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી જણાય છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ હાવિ થતાં જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. તા.૧૯થી રર ધનલાભ, તા.૨૩થી રપ સંભાળવું.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87