close

Feb 11, 2025
માર્ગ અકસ્માતમાં જાનહાની અટકાવવા પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરાયા પછી 'ઘરથી' જ અભિયાનનો પ્રારંભઃ જામનગર તા. ૧૧: રાજ્યના મુખ્ય પોલીસવડાએ આજથી રાજ્યભરના સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો અને ન પહેરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો ટ્રાફિક શાખાને હુકમ કર્યા પછી જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરાઈ છે. કોઈપણ બહાનાને ન ચલાવી લઈ સરકારી કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે. વધુ વાંચો »

Feb 11, 2025
રેલ્વે ૫ોલીસ લાચારઃ હોસ્પિટલની ટીમ પણ પાછી ફરીઃ ભારે ભીડ સમસ્તીપુર તા. ૧૧: પ્રયાગરાજ જઈ રહેલી સ્વતંત્રતા સેનાની એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરીને એસી કોચના કાચ તોડી ટ્રેનમાં ઘુસી ગયા હતા. માઘ પૂર્ણિમા સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા શ્રદ્ધાળુઓએ બિહારના સમસ્તીપુરમાં ૧૨૫૬૧ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે શ્રદ્ધાળુ એસી કોચના કાચ તોડીને અંદર ઘૂસ્યા. આ ઘટના મધુબનીથી દરભંગા વચ્ચે શરૂ બની હતી.  ક્રોધે ભરાયેલા શ્રદ્ધાળુઓએ ટ્રેનના એમ-૧થી લઇને બી-૫ કોચ પર હુમલો કરી કાચ તોડ્યા ... વધુ વાંચો »

Feb 11, 2025
મોટાભાગના મુસાફરો પાકિસ્તાની ઈસ્લામાબાદ તા. ૧૧: લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં ૬૫ લોકો ડૂબ્યા હોવાના અહેવાલો છે. મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાનું જાણવા મળે છે. મુસાફરોની ઓળખ કરવા અધિકારીઓ ખડેપગે છે. લિબિયાના સમુદ્રતટ પર ૬૫ મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ''ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે કે લિબિયાના ... વધુ વાંચો »

Feb 11, 2025
રાષ્ટ્રપતિ મેક્રોને યોજયુ ડિનરઃ આજે એઆઈ સંમેલન પછી અમેરિકા જશે મોદી પેરિસ તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફ્રાન્સમાં રેડ કાર્પેટ સ્વાગત થયુ હતુ અને ગાઢ સંબંધોના દર્શન થયા હતાં. પીએમના માનમાં રાષ્ટ્રપતિ મેક્રોને ડિનર યોજયુ હતુ. અને ગળે લગાવી સ્વાગત કર્યુ હતુ આજે એઆઈ શિખર સંમેલન પછી રાત્રે પીએમ મોદી અમેરિકા જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે 'એઆઈ એક્શન ... વધુ વાંચો »

Feb 11, 2025
અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધઃ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરાઈઃ ઠેર-ઠેર ટ્રાફિક જામ લખનૌ તા. ૧૧: મહાકુંભમાં માધપૂર્ણીમાના અમૃત સ્નાન માટે ચારેતરફથી શ્રદ્ધાળુઓ ઉભરાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે, ત્યારે પોલીસે નવો ટકાઉ મેનેજમેન્ટ પ્લાન ઘડયો છે અને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહૃાા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક યોજી હતી. યુપીના ૨૮ પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી ... વધુ વાંચો »

Feb 11, 2025
ઈન્ડિયા એનર્જી વીકમાં ઉદ્બોધન નવી દિલ્હી તા. ૧૧: ઈન્ડિયા એનર્જી વીકને સાંકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે તે ભારત વર્ષ-૨૦૩૦ પહેલા જ તમામ લક્ષ્યાંકો હાંસલ કરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૫ કાર્યક્રમને વર્ચ્ચુલી સંબોધિત કરતાં કહૃાું કે, 'ભારત દરેક સેક્ટરમાં ઝડપથી વિકસી રહૃાો છે. આગામી બે દાયકા ભારત માટે મહત્ત્વના છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતાં વિશ્વાસ છે કે, આપણે ... વધુ વાંચો »

Feb 11, 2025
પરોઢના ત્રણ વાગ્યાથી મંદિર બહાર લાંબી કતારો અયોધ્યા તા. ૧૧: અયોધ્યામાં ગઈકાલે એક જ દિવસમાં ૧૦ લાખ લોકો પહોંચ્યા હતા. અને સવારે ૩ વાગ્યાથી રામ મંદિરની બહાર કતારો લાગી ગઈ હતી. આજથી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. રામનગરીમાં પણ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં. રામનગરી ૨૪ કલાક ભક્તોના નારાઓથી ગુંજી રહી છે. આ સમયે અયોધ્યા આખી રાત જાગતી રહે છે. ભક્તોની અવરજવર સતત ચાલુ રહે છે. ૧૨મી ... વધુ વાંચો »

Feb 11, 2025
કલેક્ટર અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષે ઘડ્યો એક્શન પ્લાન ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૧૩૨૮૮ પરીક્ષાર્થી નોંધાયા છે. ગુજરાત રાજયમાં આગામી તા. ૨૭-૨-૨૫થી શરૂ થતી ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં એકશન પ્લાન તથા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આગોતરા આયોજન હાથ ધરયું છે. વધુ વાંચો »

Feb 11, 2025
પંદર બટુકોને સમૂહ જનોઈઃ દાતાઓનું સન્માનઃ પૂર્વ સંધ્યાએ સંગીતનો કાર્યક્રમ જામનગરના વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા લોહાણા જ્ઞાતિના બટુકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના પંદર બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. આ પ્રસંગ નિમિત્તે પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યા તથા દાતાઓનું રજવાડી પાઘડી પહેરાવીને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયા હતા. શાસ્ત્રોકતવિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સમૂહ યજ્ઞોપવિત ધારણ કરનારા બટુકોમાં જીવરાજાણી શ્યામ રવિન્દ્રભાઈ, કારીયા સ્મીત મહેશભાઈ, કારીયા શુભમ, સંજયભાઈ, ખાખરીયા તન્મય નિમેષભાઈ, કુંડલીયા ... વધુ વાંચો »

Feb 11, 2025
શિસ્તભંગ બદલ પ્રદેશ ભાજપ દ્વારા કડક પગલાં: જામનગર તા. ૧૧: જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ તથા ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આદેશને અવગણીને પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કોર્પોરેટરોએ ઉમેદારી નોંધાવી છે તેમની સામે પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખે આકરા પગલાં લીધા છે. જેમાં કાલાવડ ન.પા.ના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા, જામજોધપુર એપીએમસીના રાજુભાઈ કાલરિયા, જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ, જિલ્લા ભાજપ આર્થિક સેલના સહકન્વીનર હિતેષ ભોજાણી તથા ધ્રોળના ચંદ્રકાંતભાઈ ... વધુ વાંચો »

Feb 11, 2025
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકાએ પહોંચતા જામનગર તા. ૧૧: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર૬ ટકા વધીને ૯૮ ટકાએ પહોંચતા શહેરમાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૬ ટકા વધીને ૯૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા ... વધુ વાંચો »

Feb 11, 2025
મ્યુનિ. કમિશનરે સૂચવેલા ૧૧.૮૪ કરોડના કરવધારામાં કાપ મૂકાયોઃ જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની ગઈકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં કમિશનર દ્વારા સૂચવાયેલ રૂ. ૧૧.૮૪ કરોડના કર-દર વધારાના દરખાસ્ત ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો અને રૂ. ૪.રપ કરોડનો વધારો મંજુર કરવામાં આવ્યો છે. પાણી દરમાં ૧૦૦ રૂપિયાનો વધારો માન્ય રખાયો છે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગત્ સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ૧૦ સભ્યો ઉપરાંત ... વધુ વાંચો »

Feb 11, 2025
ધ્રોલ પાસેથી ૮૦ ચપલા સાથે એક શખ્સ પકડાયોઃ જામનગર તા.૧૧: જામનગરના નવા કુંભારવાડામાં સોપારી કાપવાનંુ કામ કરતા એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ કબજે કરી છે. ધ્રોલ નજીક હોટલ પાસેથી નગરનો શખ્સ ૮૦ ચપલા સાથે ઝડપાયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી એક શખ્સ ત્રણ ચપલા સાથે મળી આવ્યો છે અને ધરમપુરનો શખ્સ દારૂની એક બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યો છે. જામનગરના ભોઈવાડા પાસે નવા કુંભારવાડામાં સોપારી કાપવાનું કામ કરતા ... વધુ વાંચો »

Feb 11, 2025
અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસતા પહેલાં ચેતજો... જામનગર તા.૧૧: જામનગરના ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે શનિવારે બપોરે ખાનકોટડા ગામના એક આસામીના રૂ.૧૦ હજાર લૂંટી લેવાયા છે. અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસેલા આ આસામીને રકમ લૂંટી ડ્રાઈવર સહિતના ચાર શખ્સે થોડે આગળ જઈ ઉતારી મૂક્યા હતા. કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામમાં રહેતા દિનેશગર ખીમગર ગોસ્વામી નામના આસામીએ શનિવારે સવારે જામનગરથી કાલાવડ વચ્ચેના માર્ગ પર ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે લૂંટાઈ ગયાની ... વધુ વાંચો »

Feb 11, 2025
અન્ય મહિલાએ પણ નોંધાવી વળતી રાવઃ જામનગર તા.૧૧: જામનગર નજીકના દરેડમાં રહેતા એક મહિલાના પતિ અન્ય મહિલા સાથે રહેવા ચાલ્યા જતા ફરીથી પોતાની સાથે રહેવા આવવાનું કહેવા ગયેલા આ મહિલાને પતિએ માર માર્યાની ફરિયાદ કરાઈ છે. જ્યારે સામાપક્ષે અન્ય મહિલા એ તેણીના પતિ સાથે સંબંધ તોડી નાખવાનું કહી આ મહિલા તથા તેના બે પુત્રએ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીક દરેડ ગામ પાસે સ્કૂલ સામેની શેરીમાં વસવાટ કરતા ... વધુ વાંચો »

Feb 11, 2025
જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ હાથ ધરાશે જામનગર તા. ૧૧: જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થિનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીના આરોપ મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાતિય સતામણી કમિટીને તપાસ સોંપવામાં આવી છે. જામગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી અને તબીબી વિદ્યાર્થિનીએ ૫ોતાના વિભાગના ઉપરી તબીબ ડો. દિપક રાવલ દ્વારા સતામણી કરતા હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદથી મેડિકલ ક્ષેત્રમાં ચકચાર ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા જામનગર તા. ૧૧: આવક વેરા વિભાગ દ્વારા જામનગરના મીઠાના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૧પ૦ કરોડના બેનામી આર્થિક વ્યવહારો થયા હોવાનું ખૂલવા પામ્યું છે. આવક વેરા વિભાગની તમે દેવ સોલ્ટ ગ્રુ૫ ઉપર જામનગર ઉપરાંત અમદાવાદ, મોરબી, માળિયા વગેરે ર૦ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. તેમાં સાડાત્રણ કરોડની રોકડ રકમ, રૂ. ર કરોડ ૪પ લાખની કિંમતનું ૩ કિલો સોનું, વગેરે મળી ... વધુ વાંચો »

Feb 11, 2025
વાડીનાર પોલીસે બનાવની તપાસ આદરીઃ જામનગર તા.૧૧ : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક પ્રૌઢે ગઈકાલે પોતાના ખેતર સ્થિત ઓરડામાં જઈ ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેઓના પુત્રનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે પછી સતત ટેન્શનમાં રહેતા આ પ્રૌઢે આત્મહત્યા વ્હોરી હોવાનું તેઓના નાના ભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના પ્રૌઢે ગઈકાલે સવારે સાતેક વાગ્યા પહેલાં પોતાના ભરાણા ગામની ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર તા. ૧૧: ભાટિયા નજીક હર્ષદ માર્ગે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘવાયેલા જામનગરના એક બાઈક સવારનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં સાંઢીયા પુલ નજીક સરદાર નગરમાં રહેતા નંદાણા ગામના વતની એવા મનસુખભાઈ મજીરભાઈ ડાભી (ઉ.વ. ૩૬) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ભાટિયા પાસેના હર્ષદ તરફના માર્ગે પસાર થતો હતો. આ સમયે અન્ય એક બાઈક ચાલક મનસુખભાઈના બાઈકને હડફેટમાં લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં મનસુખભાઈને માથામાં ... વધુ વાંચો »

Feb 11, 2025
સ્કૂટરચાલકને જામનગર ખસેડવામાં આવ્યાઃ દ્વારકા તા.૧૧ : દ્વારકા શહેરમાં આવેલી વીજ કંપનીની કચેરી પાસે ગઈકાલે વીજ કંપનીના જ એક મહિલા કર્મચારીના સ્કૂટરને ડમ્પરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા મહિલાને વધુ સારવાર માટે જામનગર સ્થિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્વારકા શહેરમાં આવેલી વીજ કંપનીની કચેરીમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે નોકરી કરતા મહિલા કર્મચારી ગઈકાલે પોતાના સ્કૂટર પર પીજીવી સીએલ કચેરી પાસેથી પસાર થતા હતા. આ વેળાએ જીજે-૨૫-યુ ૫૦૭૭ ... વધુ વાંચો »

Feb 11, 2025
તેના સાગરિતનું પોલીસે નામ ઓકાવ્યું: જામનગર તા.૧૧: જોડિયાના માવનુગામ નજીક નેશનલ હાઈવે પરથી ૨૩ બેટરી ચોરાઈ ગયાની કરાયેલી ફરિયાદ અંગે તપાસમાં પોલીસે રાજકોટના શખ્સને ભાદરા પાટીયા પાસેથી દબોચી લીધો છે. તેણે આ ચોરી પોતાના સાગરિત સાથે મળી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.૩ લાખનું વાહન કબજે કરી પૂછપરછ આદરી છે. જોડિયા તાલુકાના માવનુ ગામથી લખતર ગામ વચ્ચે આવેલા નેશનલ હાઈવે નં.૧૫૧/એ પર અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ઈમરજન્સી કોલ બોક્સમાંથી ... વધુ વાંચો »

Feb 11, 2025
રૂ.૭૦ હજારના મોબાઈલ ઉઠાવનારની શોધ હાથ ધરાઈઃ જામનગર તા.૧૧ : જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી વેઈટરના રૂ.૭૦ હજારથી વધુની કિંમતના બે મોબાઈલ ચાર્જીંગમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંથી કોઈ શખ્સ તેને તફડાવી ગયો છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મોટરના એક ગેરેજવાળી શેરીમાં ઓમકાર એપાર્ટમેન્ટ સ્થિત પાર્કિંગમાં બનાવી આપવામાં આવેલી ઓરડીમાં રહેતા મૂળ નેપાળના અને હોટલમાં વેઈટર તરીકે કામ કરતા ઈશ્વરપ્રસાદ ખગેન્દ્રપ્રસાદ રેગમી નામના આસામીના બે ફોન ચોરાયા છે. વધુ વાંચો »

Feb 11, 2025
ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને યુવક પર હલ્લોઃ જામનગર તા.૧૧: જામનગરમાં ફ્લેટ ભાડે આપનાર રાજકોટના રહેવાસીને હોટલે ધસી જઈ મોડીરાત્રે ગાળો ભાંંડી પૂર્વ ભાડૂતે ધમકી આપી હતી. જ્યારે પંચવટી પાસે હોટલ નજીક ગાળો બોલતા શખ્સના પિતાને હોટલ સંચાલક કહેવા જતા પુત્ર તથા પિતાએ તેઓને માર મારી ધમકી ઠપકારી હતી. ઉપરાંત ઘર પાસે ગાળો બોલવા ના પડાતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને માર માર્યાે હતો. જામનગરના ૫ટેલકોલોની વિસ્તારમાં આવેલા ફલેટમાં મનોજ ઈશ્વરચંદ્ર ... વધુ વાંચો »

Feb 11, 2025
રૂ.૯૭ હજાર વળતર પેટે ચૂકવવા આદેશઃ જામનગર તા.૧૧ : જામનગરના એક વેપારીએ ખંભાળિયાના વેપારી સામે ચેક પરતની કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. જામનગરમાં વસવાટ કરતા અને ચેતક એગ્રો કેમિકલ્સના નામથી પેઢી ચલાવતા પ્રફુલભાઈ કાનજીભાઈ પાદરીયા પાસેથી ખંભાળિયામાં ધરતી એગ્રો સેન્ટર નામથી ધંધો કરતા રમેશભાઈ લાખાભાઈ ચેતરીયાએ દવા, બિયારણની ખરીદી કરી હતી. તેની ચૂકવણી માટે આપેલો ... વધુ વાંચો »

Feb 11, 2025
ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓ પર શૂન્યાવકાશઃ ઓખા તા.૧૧: બેટ દ્વારકા માં ઉભા થઈ ગયેલા ખાનગી પાર્કિગમાં વાહનચાલકો લૂંટાઈ રહ્યા છે. મોટરના રૂ.૫૦ અને બસના રૂ.૧૦૦ વસૂલાઈ રહ્યા છે. જયારે શટલ રિક્ષાવાળાને છેક સુધી જઈ પેસેન્જર લેવાની છૂટ આપી રૂ.૧૦૦ પ્રતિદિન લેખે વસૂલવામાં આવે છે ત્યારે તંત્રવાહકો આ ખાનગી પાર્કિંગ સામે શું કાર્યવાહી કરે છે? તે જોવાનું રહ્યું. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ પામેલા સુદર્શન બ્રિજના કારણે બેટ દ્વારકા તરફ ... વધુ વાંચો »

Feb 11, 2025
મનોદિવ્યાંગોના સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં દ્વારકા તા. ૧૧: મનોદિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ સંસ્થાના ૧૪ તારલાઓ ૧૩ ગોલ્ડ, ૯ સિલ્વર તથા ૮ બ્રોન્ઝ સાથે જિલ્લા કક્ષાએ ઝળકયા હતા. તાજેતરમાં નંદાણામાં યોજાયેલ મનો દિવ્યાંગ બાળકો માટેના જિલ્લા કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫માં દ્વારકાની રાધે ડીફરન્ટલે એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ અદ્વિતીય સિદ્ધિ હાંસીલ કરી છે. શાળાના ૧૨ વિદ્યાર્થીઓ તથા ૨ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૪ બાળકો ... વધુ વાંચો »

Feb 11, 2025
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર તા. ૧૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈ આરસી ઓફ આઈસીએઆઈ, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસો. તથા ટેક્સ કન્સલ્ટન્ટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભમાં માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનાર યોજાયો હતો. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિષ્ણાત વક્તાઓ તરીકે એડવોકેટ વારીસભાઈ ઈસાની, સીએ દિપકભાઈ રીંડાણીએ બજેટની વિવિધ જોગવાઈઓ જીએસટી, ઈનડાયરેક્ટ ટેક્સ, ૧ર લાખ સુધી આવકવેરામાં મુક્તિ, ... વધુ વાંચો »

Feb 11, 2025
બોણીમાં મણના રૂ. ૬૬૬૬ ઉપજયા ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા માર્કેટીંગ યાર્ડમાં નવા જીરૂની આવકનો પ્રારંભ થયો હતો. કલ્યાણપુર તાલુકાના ભારવડીયા ગામના ખેડૂત જીરૂ વેચવા યાર્ડમાં આવતા તેનું ઢોલ અને શરણાઈ સાથે સ્વાગત થયું હતું બોણીમાં જીરૂની હરાજીમાં મણનો ભાવ ૬૬૬૬ રૂપિયા આવતા જીરૂ વાવેલા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના એડવોકેટ દ્વારા જામનગર તા. ૧૧: જામનગરમાં અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વરસોથી પોલીસના સ્ટાફ કે પોલીસમાં ન હોય તેવા અન્ય તત્વો દ્વારા પોતાના કબજામાં રહેલી મોટરકારમાં ફ્રન્ટ સાઈડમાં કાચ પાસે અંગ્રેજીમાં કેપીટલ અક્ષરોમાં લાલ/બ્લુ કલરની પ્લેટ પર 'પોલીસ' લખેલી પ્લેટ રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. આવા તત્વો પોતાના માભો જમાવવા અને પ્રજાને ડરાવવાના બદહેતુથી કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખી મોટર ... વધુ વાંચો »

Feb 11, 2025
ગઈરાત્રે ડાયરામાં તબિયત બગડતા અમદાવાદ તા. ૧૧: ગઈ રાત્રે એક ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ રહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે વીડિયો જાહેર કરીને પોતાની તબિયત સુધારા પર હોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવ્યું છે. મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી.  સોમવારે (૧૦ ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહિરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં ... વધુ વાંચો »

Feb 11, 2025
દેશના સર્વાંગી વિકાસમાં વિરાસતનુ વિશેષ મહત્વ વાયબ્રન્ટ નવરાત્રિથી ગુજરાતની સંસ્કૃતિને મળી નવી ઓળખઃ મંત્રી જામનગર તા. ૧૧: કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૦ કૃતિઓ રજુ કરાઈ હતી. આ પ્રસંગે મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્ત્વ કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કલા ઉજાગર કરી શકે છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ... વધુ વાંચો »

Feb 11, 2025
આગામી તા. બીજી માર્ચે જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના રપ મા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન તા. ર-૩-ર૦રપ ના દિને ગાંધીનગર રોડ, રેલવે સ્ટેશનની બાજુમાંથી કષ્ટભંજન હોલ કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા સલાહકાર પ્રવિણસિંહ જે. જાડેજાએ આયોજનની વિગતો રજૂ કરી હતી. વર્ષ ર૦૦૦ માં રાજપૂત સમાજના અગ્રણીઓ પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલા કેતનભાઈ ઠક્કરની સાથે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ વિજયભાઈ કોટેચા, મંત્રી સંજયભાઈ એમ. જાની, સહમંત્રી સંજયભાઈ આઈ. જાની, તથા ખજાનચી જગતભાઈ રાવલે શુભેચ્છા મુલાકાત લીધી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Feb 11, 2025
બોર્ડની પરીક્ષા માટેના શુભ કામના યજ્ઞમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાઃ ધો. ૧૦ અને ધો. ૧ર ની વિદ્યાર્થી માટેની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને, તેવા શુભ ભાવથી તા.૯-૨-૨૦૨૫ રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ૧પ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે ૮ થી ૧ર સુધી કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક સંપન્ન થયેલા આ યજ્ઞમાં અસંખ્ય વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હસ્તે ... વધુ વાંચો »

Feb 11, 2025
ફલ્લા તા. ૧૧: પીએમ હડિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને પૂ. મોરારીબાપુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો હતો. તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાની પ્રજાત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવાંગીબેન બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત વી.એમ. મહેતા મ્યુનિ. કોલેજ (પંચવટી કોલેજ)માં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમજ સ્ટાફને આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાયના માર્ગદર્શન અનુસાર એઆઈએમવી એસ.વી. રૂપાણીએ પોસ્ટર સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. આરટીઓ વિભાગ દ્વારા જામનગરની સનરાઈસ સ્કૂલના છાત્રો માટે પણ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારના ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ યોજવા હોય તો આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.   જો વધુ વાંચો »

Feb 11, 2025
પત્રિકાઓનું કરવામાં આવ્યું વિતરણઃ જામનગર તા.૧૧ : જામનગર-ખંભાળિયા રોડ પર આવેલી શાળામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે વિગતો અપાઈ હતી. જામનગર-ખંભાળિયા રોડ પર વસઈ પાસે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઈ એન.પી. ઠાકુર, પી.વી. ગોહિલ તથા સ્ટાફ અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહયોગ અપાયો હતો. ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર તા. ૧૧: સિક્કા ટીપીએસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ અંતાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સિક્કા ટીપીએસના મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવા, કા.વા. વિશેષ મુખ્ય ઈજનેર એન.આર. પટેલ, કન્ટ્રોલ ઓફ એકાઉન્ટ, પી.જી. બાવીશી, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પી.ઓ. પી.પી. પ્રજાપતિ, આઈ.આર.ઓ. એન.જી. પરમાર, એલ.ડબલ્યુ.ઓ. ટી.એમ. ઠાકરિયા, અન્ય ઉચ્ચ અધિકારીઓ, યુનિયનના હોદ્દેદારો, નિવૃત્ત થતા કર્મચારીના પરિવારજનો તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતાં. વધુ વાંચો »

Feb 11, 2025
હાલારના લાલપુર તાલુકાના નવાણિયા ગામના તથા હાલ સુરત ચોર્યાસીમાં રહેતા આહિર ખેડૂત રામભાઈ કાનાભાઈ ચાવડાએ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે વીસ વીઘા જમીન ખરીદેલી જેમાં વાવેલી તમામ મકાઈ ગૌશાળાને દાન આપી જીવદયા અને દરિયાદિલીની લાગણી બતાવતા પ્રશંસનીય બન્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના જલારામ મંદિર, હાપામાં પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોકટર બળવંતભાઈ જોશી તેમજ તેમની ટીમ રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી. ૬૬ દર્દીની તપાસ પછી ૩૧ દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કમલેશભાઈ વસાણી, બશિરભાઈ, ભાવેશ દત્તાણી, વિજયભાઈ કોટક, અલ્પાબેન વસોયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.   વધુ વાંચો »

Feb 11, 2025
શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે જામનગર તા. ૧૧: સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ જામનગર દ્વારા આ વર્ષે પણ મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૬/ર ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યે સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડથી માધ માસના ઉપવાસીઓ અને ધર્મગુરુઓ દ્વારા શોભાયાત્રા પ્રસ્થાન થશે. એસ.ટી. રોડ, જોલી બંગલો, ખંભાળિયા નાકા, હવાઈચોક સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણનગર પહોંચશે જ્યાં શોભાયાત્રાનું ... વધુ વાંચો »

Feb 11, 2025
ભાટિયામાં ખાણમાં કરતા વર્કરો માટે ભાટિયા તા. ૧૧: ભાટિયાના બોકસાઈટ ગ્રુપ ઓફ ભાટિયામાં ડીજી-એમએસ -અમદાવાદ-૧ વિભાગ હેઠળ ખાણમાં કામ કરતા વર્કરો માટે સિલિકોસીસ રોગ અંગે જાણકારી આપવા જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીજીએમએસના ડાયરેક્ટર માઈન્સ સેફ્ટી મનિષચંદ્ર જયસ્વાલ, સૌરાષ્ટ્ર સિમેન્ટના ડો. મિલન વસાવડાએ સિલિકોસીસ રોગના લક્ષણો, ઈલાજ વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં બોક્સાઈટ ગ્રુપ ઓફ ભાટિયાની વિવિધ કંપનીઓ જીએમડીસી લિ. તરફથી ઈન્ચાર્જ ... વધુ વાંચો »

Feb 11, 2025
ખંભાળિયા તા. ૧૧: ગુજરાત રાજયની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ ૩૦ જુન સુધીમાં નિવૃત્ત થયા હોય તો તેમને એક ઈજાફો આપવાનો પરિપત્ર થયો હતો. જેના અનુસંધાને હાઈકોર્ટ મેટર થતાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મંડળો મારફત હાઈકોર્ટમાં જુદી-જુદી પીટીશનો દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪૦૦-૨૦૨૪ની અરજી થતાં અરજદારોના એક ઈજાફાના અમલમાં વિસંગતતા ના આવે તે માટે રાજયના શિક્ષણ વિભાગના નાયબ વિભાગ નિયામકશ્રી દ્વારા જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી ૩૦ ... વધુ વાંચો »

Feb 11, 2025
આગામી ગુરુવારે નિઃશુલ્ક કેમ્પનું આયોજનઃ જામનગર તા. ૧૧: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા દેવાંગી હર્ષલ મહંતના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા. ૧૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશશ ... વધુ વાંચો »

Feb 11, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... મંગળવારે શેરબજારમાં મંદી જોવા મળી હતી. સેન્સેક્સ ૨૨૯ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૦૬૬ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૩૮૮ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૬૬ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૮૬૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના શરૂઆતે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા ... વધુ વાંચો »

Feb 11, 2025
જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ હાથ ધરાશે જામનગર તા. ૧૧: જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થિનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીના આરોપ મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાતિય સતામણી કમિટીને તપાસ સોંપવામાં આવી છે. જામગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી અને તબીબી વિદ્યાર્થિનીએ ૫ોતાના વિભાગના ઉપરી તબીબ ડો. દિપક રાવલ દ્વારા સતામણી કરતા હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદથી મેડિકલ ક્ષેત્રમાં ચકચાર જાગી છે. આ તબીબી યુવતીએ આક્ષેપ કર્યો છે કે ડો. દિપક રાવલ તેણીને તેના જ ફોટા પાડીને ... વધુ વાંચો »

Feb 11, 2025
માર્ગ અકસ્માતમાં જાનહાની અટકાવવા પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરાયા પછી 'ઘરથી' જ અભિયાનનો પ્રારંભઃ જામનગર તા. ૧૧: રાજ્યના મુખ્ય પોલીસવડાએ આજથી રાજ્યભરના સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો અને ન પહેરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો ટ્રાફિક શાખાને હુકમ કર્યા પછી જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરાઈ છે. કોઈપણ બહાનાને ન ચલાવી લઈ સરકારી કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વધતા જતા રોડ અકસ્માતના બનાવ પર અંકુશ લાવી શકાય અને જાનહાની અટકી શકે તે માટે તંત્રવાહકો દ્વારા ... વધુ વાંચો »

Feb 11, 2025
ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને યુવક પર હલ્લોઃ જામનગર તા.૧૧: જામનગરમાં ફ્લેટ ભાડે આપનાર રાજકોટના રહેવાસીને હોટલે ધસી જઈ મોડીરાત્રે ગાળો ભાંંડી પૂર્વ ભાડૂતે ધમકી આપી હતી. જ્યારે પંચવટી પાસે હોટલ નજીક ગાળો બોલતા શખ્સના પિતાને હોટલ સંચાલક કહેવા જતા પુત્ર તથા પિતાએ તેઓને માર મારી ધમકી ઠપકારી હતી. ઉપરાંત ઘર પાસે ગાળો બોલવા ના પડાતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને માર માર્યાે હતો. જામનગરના ૫ટેલકોલોની વિસ્તારમાં આવેલા ફલેટમાં મનોજ ઈશ્વરચંદ્ર ભૂષણ નામનો શખ્સ ભાડેથી રહેતો હતો. તેનો ૩૩ મહિનાનો કરાર કરાયો હતો. તે કરાર પૂર્ણ થતાં મનોજ તે ફલેટ ખાલી ... વધુ વાંચો »

Feb 11, 2025
મ્યુનિ. કમિશનરે સૂચવેલા ૧૧.૮૪ કરોડના કરવધારામાં કાપ મૂકાયોઃ જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની ગઈકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં કમિશનર દ્વારા સૂચવાયેલ રૂ. ૧૧.૮૪ કરોડના કર-દર વધારાના દરખાસ્ત ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો અને રૂ. ૪.રપ કરોડનો વધારો મંજુર કરવામાં આવ્યો છે. પાણી દરમાં ૧૦૦ રૂપિયાનો વધારો માન્ય રખાયો છે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગત્ સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ૧૦ સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની,સી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Feb 11, 2025
ધ્રોલ પાસેથી ૮૦ ચપલા સાથે એક શખ્સ પકડાયોઃ જામનગર તા.૧૧: જામનગરના નવા કુંભારવાડામાં સોપારી કાપવાનંુ કામ કરતા એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ કબજે કરી છે. ધ્રોલ નજીક હોટલ પાસેથી નગરનો શખ્સ ૮૦ ચપલા સાથે ઝડપાયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી એક શખ્સ ત્રણ ચપલા સાથે મળી આવ્યો છે અને ધરમપુરનો શખ્સ દારૂની એક બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યો છે. જામનગરના ભોઈવાડા પાસે નવા કુંભારવાડામાં સોપારી કાપવાનું કામ કરતા એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂ હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિપુલ સોનગરા, આર.ડી. ડોડીયા, યોગેન્દ્રસિંહ, હરપાલ સિંહને મળતા ... વધુ વાંચો »

Feb 11, 2025
સ્કૂટરચાલકને જામનગર ખસેડવામાં આવ્યાઃ દ્વારકા તા.૧૧ : દ્વારકા શહેરમાં આવેલી વીજ કંપનીની કચેરી પાસે ગઈકાલે વીજ કંપનીના જ એક મહિલા કર્મચારીના સ્કૂટરને ડમ્પરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા મહિલાને વધુ સારવાર માટે જામનગર સ્થિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્વારકા શહેરમાં આવેલી વીજ કંપનીની કચેરીમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે નોકરી કરતા મહિલા કર્મચારી ગઈકાલે પોતાના સ્કૂટર પર પીજીવી સીએલ કચેરી પાસેથી પસાર થતા હતા. આ વેળાએ જીજે-૨૫-યુ ૫૦૭૭ નંબરનું એક ડમ્પર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરી સ્કૂટરચાલક મહિલાને હડફેટે લેતાં આ કર્મચારી ઘવાયા ... વધુ વાંચો »

Feb 11, 2025
રેલ્વે ૫ોલીસ લાચારઃ હોસ્પિટલની ટીમ પણ પાછી ફરીઃ ભારે ભીડ સમસ્તીપુર તા. ૧૧: પ્રયાગરાજ જઈ રહેલી સ્વતંત્રતા સેનાની એકસપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરીને એસી કોચના કાચ તોડી ટ્રેનમાં ઘુસી ગયા હતા. માઘ પૂર્ણિમા સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા શ્રદ્ધાળુઓએ બિહારના સમસ્તીપુરમાં ૧૨૫૬૧ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે શ્રદ્ધાળુ એસી કોચના કાચ તોડીને અંદર ઘૂસ્યા. આ ઘટના મધુબનીથી દરભંગા વચ્ચે શરૂ બની હતી.  ક્રોધે ભરાયેલા શ્રદ્ધાળુઓએ ટ્રેનના એમ-૧થી લઇને બી-૫ કોચ પર હુમલો કરી કાચ તોડ્યા એટલે કે ૬ કોચના કાચ તોડ્યા હતા. આ ઘટના પછી એસી કોચમાં બેસેલા મુસાફરો ભયભીત જોવા મળ્યા હતા. ટ્રેનમાં થયેલી તોડફોડના ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના એડવોકેટ દ્વારા જામનગર તા. ૧૧: જામનગરમાં અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વરસોથી પોલીસના સ્ટાફ કે પોલીસમાં ન હોય તેવા અન્ય તત્વો દ્વારા પોતાના કબજામાં રહેલી મોટરકારમાં ફ્રન્ટ સાઈડમાં કાચ પાસે અંગ્રેજીમાં કેપીટલ અક્ષરોમાં લાલ/બ્લુ કલરની પ્લેટ પર 'પોલીસ' લખેલી પ્લેટ રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. આવા તત્વો પોતાના માભો જમાવવા અને પ્રજાને ડરાવવાના બદહેતુથી કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખી મોટર રોંગ સાઈડમાં પુરઝડપે બેફીકરાઈથી અને કોઈની જિંદગીને જોખમમાં મુકે તે રીતે ચલાવીને જતા હોય છે. નો પાર્કિંગની જગ્યા કે અન્યત્ર ... વધુ વાંચો »

Feb 11, 2025
અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધઃ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરાઈઃ ઠેર-ઠેર ટ્રાફિક જામ લખનૌ તા. ૧૧: મહાકુંભમાં માધપૂર્ણીમાના અમૃત સ્નાન માટે ચારેતરફથી શ્રદ્ધાળુઓ ઉભરાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે, ત્યારે પોલીસે નવો ટકાઉ મેનેજમેન્ટ પ્લાન ઘડયો છે અને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહૃાા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક યોજી હતી. યુપીના ૨૮ પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે, જેથી લોકોને જામની સમસ્યામાંથી રાહત મળી શકે. તેમજ અયોધ્યા-કાશીમાં ૧૧ થી ૧૪ ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા જામનગર તા. ૧૧: આવક વેરા વિભાગ દ્વારા જામનગરના મીઠાના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૧પ૦ કરોડના બેનામી આર્થિક વ્યવહારો થયા હોવાનું ખૂલવા પામ્યું છે. આવક વેરા વિભાગની તમે દેવ સોલ્ટ ગ્રુ૫ ઉપર જામનગર ઉપરાંત અમદાવાદ, મોરબી, માળિયા વગેરે ર૦ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. તેમાં સાડાત્રણ કરોડની રોકડ રકમ, રૂ. ર કરોડ ૪પ લાખની કિંમતનું ૩ કિલો સોનું, વગેરે મળી આવ્યા છે. આ ઉપરાંત દેવ ગ્રુપની કંપનીઓ દેવ સોલ્ટ પ્રા.લિ., મૈત્રી ડેવલોપર્સ, ડી.કે. એન્ટ્રપ્રાઈઝ પાછળ, અરીહંત અર્થમુવર્સ ... વધુ વાંચો »

Feb 11, 2025
શિસ્તભંગ બદલ પ્રદેશ ભાજપ દ્વારા કડક પગલાં: જામનગર તા. ૧૧: જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ તથા ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આદેશને અવગણીને પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કોર્પોરેટરોએ ઉમેદારી નોંધાવી છે તેમની સામે પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખે આકરા પગલાં લીધા છે. જેમાં કાલાવડ ન.પા.ના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા, જામજોધપુર એપીએમસીના રાજુભાઈ કાલરિયા, જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ, જિલ્લા ભાજપ આર્થિક સેલના સહકન્વીનર હિતેષ ભોજાણી તથા ધ્રોળના ચંદ્રકાંતભાઈ વલેરાને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.   જો વધુ વાંચો »

Feb 11, 2025
કલેક્ટર અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષે ઘડ્યો એક્શન પ્લાન ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૧૩૨૮૮ પરીક્ષાર્થી નોંધાયા છે. ગુજરાત રાજયમાં આગામી તા. ૨૭-૨-૨૫થી શરૂ થતી ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં એકશન પ્લાન તથા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આગોતરા આયોજન હાથ ધરયું છે. કુલ ૧૩૨૮૮ છાત્રો પરીક્ષા આપશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે બોર્ડની ... વધુ વાંચો »

Feb 11, 2025
વાડીનાર પોલીસે બનાવની તપાસ આદરીઃ જામનગર તા.૧૧ : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક પ્રૌઢે ગઈકાલે પોતાના ખેતર સ્થિત ઓરડામાં જઈ ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેઓના પુત્રનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે પછી સતત ટેન્શનમાં રહેતા આ પ્રૌઢે આત્મહત્યા વ્હોરી હોવાનું તેઓના નાના ભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના પ્રૌઢે ગઈકાલે સવારે સાતેક વાગ્યા પહેલાં પોતાના ભરાણા ગામની સીમ સ્થિત ખેતરમાં જઈ ત્યાં આવેલા ઓરડામાં રહેલી આડીમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. આ બનાવની ... વધુ વાંચો »

Feb 11, 2025
ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓ પર શૂન્યાવકાશઃ ઓખા તા.૧૧: બેટ દ્વારકા માં ઉભા થઈ ગયેલા ખાનગી પાર્કિગમાં વાહનચાલકો લૂંટાઈ રહ્યા છે. મોટરના રૂ.૫૦ અને બસના રૂ.૧૦૦ વસૂલાઈ રહ્યા છે. જયારે શટલ રિક્ષાવાળાને છેક સુધી જઈ પેસેન્જર લેવાની છૂટ આપી રૂ.૧૦૦ પ્રતિદિન લેખે વસૂલવામાં આવે છે ત્યારે તંત્રવાહકો આ ખાનગી પાર્કિંગ સામે શું કાર્યવાહી કરે છે? તે જોવાનું રહ્યું. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ પામેલા સુદર્શન બ્રિજના કારણે બેટ દ્વારકા તરફ શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓનો પ્રવાહ આવતો થયો છે. જેના પગલે તેનો ગેર ફાયદો ઉઠાવવા પણ અમૂક લોકો સક્રિય બન્યા છે તેવું ... વધુ વાંચો »

Feb 11, 2025
અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસતા પહેલાં ચેતજો... જામનગર તા.૧૧: જામનગરના ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે શનિવારે બપોરે ખાનકોટડા ગામના એક આસામીના રૂ.૧૦ હજાર લૂંટી લેવાયા છે. અજાણી મોટરમાં મુસાફર તરીકે બેસેલા આ આસામીને રકમ લૂંટી ડ્રાઈવર સહિતના ચાર શખ્સે થોડે આગળ જઈ ઉતારી મૂક્યા હતા. કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામમાં રહેતા દિનેશગર ખીમગર ગોસ્વામી નામના આસામીએ શનિવારે સવારે જામનગરથી કાલાવડ વચ્ચેના માર્ગ પર ઠેબા ગામથી થાવરીયા ગામ વચ્ચે લૂંટાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યા મુજબ શનિવારે સવારે પોતાના કામસર ખાન કોટડાથી જામનગર આવ્યા ... વધુ વાંચો »

Feb 11, 2025
પરોઢના ત્રણ વાગ્યાથી મંદિર બહાર લાંબી કતારો અયોધ્યા તા. ૧૧: અયોધ્યામાં ગઈકાલે એક જ દિવસમાં ૧૦ લાખ લોકો પહોંચ્યા હતા. અને સવારે ૩ વાગ્યાથી રામ મંદિરની બહાર કતારો લાગી ગઈ હતી. આજથી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. રામનગરીમાં પણ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં. રામનગરી ૨૪ કલાક ભક્તોના નારાઓથી ગુંજી રહી છે. આ સમયે અયોધ્યા આખી રાત જાગતી રહે છે. ભક્તોની અવરજવર સતત ચાલુ રહે છે. ૧૨મી તારીખે માઘ પૂર્ણિમા છે, તે પહેલા પ્રયાગરાજથી ભક્તોનો પરત પ્રવાહ સતત રામનગરી તરફ આવી રહૃાો છે. વધુ વાંચો »

Feb 11, 2025
આગામી ગુરુવારે નિઃશુલ્ક કેમ્પનું આયોજનઃ જામનગર તા. ૧૧: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા દેવાંગી હર્ષલ મહંતના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા. ૧૩ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડોક્ટર રશેશશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯પર૧૦) દ્વારા જણાવાયું ... વધુ વાંચો »

Feb 11, 2025
પંદર બટુકોને સમૂહ જનોઈઃ દાતાઓનું સન્માનઃ પૂર્વ સંધ્યાએ સંગીતનો કાર્યક્રમ જામનગરના વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા લોહાણા જ્ઞાતિના બટુકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના પંદર બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. આ પ્રસંગ નિમિત્તે પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યા તથા દાતાઓનું રજવાડી પાઘડી પહેરાવીને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયા હતા. શાસ્ત્રોકતવિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સમૂહ યજ્ઞોપવિત ધારણ કરનારા બટુકોમાં જીવરાજાણી શ્યામ રવિન્દ્રભાઈ, કારીયા સ્મીત મહેશભાઈ, કારીયા શુભમ, સંજયભાઈ, ખાખરીયા તન્મય નિમેષભાઈ, કુંડલીયા આનંદ હિતેષભાઈ, કાનાબાર પિનાક ધવલકુમાર, લુકકા હર્ષ હરેશભાઈ, લાધાણી યથાર્થ કેતનભાઈ, લાધાણી પાર્થ કેતનભાઈ પોપટ આનંદ રાજેશભાઈ, પોપટ ભવ્ય ધર્મેશભાઈ, ... વધુ વાંચો »

Feb 11, 2025
શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે જામનગર તા. ૧૧: સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ જામનગર દ્વારા આ વર્ષે પણ મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૬/ર ને રવિવારે સવારે ૯-૩૦ વાગ્યે સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડથી માધ માસના ઉપવાસીઓ અને ધર્મગુરુઓ દ્વારા શોભાયાત્રા પ્રસ્થાન થશે. એસ.ટી. રોડ, જોલી બંગલો, ખંભાળિયા નાકા, હવાઈચોક સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણનગર પહોંચશે જ્યાં શોભાયાત્રાનું સમાપન થશે. ત્યારપછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. આ શોભાયાત્રા દરમિયાન મહાવીર બેટરી, ત્રણ દરવાજા પાસે, મહેશ્વરીનગર યુવા ... વધુ વાંચો »

Feb 11, 2025
ભાટિયામાં ખાણમાં કરતા વર્કરો માટે ભાટિયા તા. ૧૧: ભાટિયાના બોકસાઈટ ગ્રુપ ઓફ ભાટિયામાં ડીજી-એમએસ -અમદાવાદ-૧ વિભાગ હેઠળ ખાણમાં કામ કરતા વર્કરો માટે સિલિકોસીસ રોગ અંગે જાણકારી આપવા જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીજીએમએસના ડાયરેક્ટર માઈન્સ સેફ્ટી મનિષચંદ્ર જયસ્વાલ, સૌરાષ્ટ્ર સિમેન્ટના ડો. મિલન વસાવડાએ સિલિકોસીસ રોગના લક્ષણો, ઈલાજ વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં બોક્સાઈટ ગ્રુપ ઓફ ભાટિયાની વિવિધ કંપનીઓ જીએમડીસી લિ. તરફથી ઈન્ચાર્જ જનરલ મેનેજર (પ્રો.) વિવેક કુમાર સિંઘ, સ્ટાફ, બોમ્બે મિનરલના હેડ માઈનિંગ કે.કે. ચૌધરી, સ્ટાફ, ઓરિએન્ટ એબ્રેસિવ્સના હેડ માઈનિંગ ગુણાનંદ રોય, ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર તા. ૧૧: સિક્કા ટીપીએસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ અંતાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સિક્કા ટીપીએસના મુખ્ય ઈજનેર એચ.ડી. મુંધવા, કા.વા. વિશેષ મુખ્ય ઈજનેર એન.આર. પટેલ, કન્ટ્રોલ ઓફ એકાઉન્ટ, પી.જી. બાવીશી, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પી.ઓ. પી.પી. પ્રજાપતિ, આઈ.આર.ઓ. એન.જી. પરમાર, એલ.ડબલ્યુ.ઓ. ટી.એમ. ઠાકરિયા, અન્ય ઉચ્ચ અધિકારીઓ, યુનિયનના હોદ્દેદારો, નિવૃત્ત થતા કર્મચારીના પરિવારજનો તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીગણ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીને સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. એન.ડી. ત્રિવેદી, ધીરેનભાઈ દ્વારા શાલ ... વધુ વાંચો »

Feb 11, 2025
રૂ.૭૦ હજારના મોબાઈલ ઉઠાવનારની શોધ હાથ ધરાઈઃ જામનગર તા.૧૧ : જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી વેઈટરના રૂ.૭૦ હજારથી વધુની કિંમતના બે મોબાઈલ ચાર્જીંગમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંથી કોઈ શખ્સ તેને તફડાવી ગયો છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મોટરના એક ગેરેજવાળી શેરીમાં ઓમકાર એપાર્ટમેન્ટ સ્થિત પાર્કિંગમાં બનાવી આપવામાં આવેલી ઓરડીમાં રહેતા મૂળ નેપાળના અને હોટલમાં વેઈટર તરીકે કામ કરતા ઈશ્વરપ્રસાદ ખગેન્દ્રપ્રસાદ રેગમી નામના આસામીના બે ફોન ચોરાયા છે. આસામીએ પોતાના રૂમમાં રૂ.૬૦ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ તથા રૂ.૧૦૫૦૦ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ચાર્જ કરવા ... વધુ વાંચો »

Feb 11, 2025
રૂ.૯૭ હજાર વળતર પેટે ચૂકવવા આદેશઃ જામનગર તા.૧૧ : જામનગરના એક વેપારીએ ખંભાળિયાના વેપારી સામે ચેક પરતની કરેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. જામનગરમાં વસવાટ કરતા અને ચેતક એગ્રો કેમિકલ્સના નામથી પેઢી ચલાવતા પ્રફુલભાઈ કાનજીભાઈ પાદરીયા પાસેથી ખંભાળિયામાં ધરતી એગ્રો સેન્ટર નામથી ધંધો કરતા રમેશભાઈ લાખાભાઈ ચેતરીયાએ દવા, બિયારણની ખરીદી કરી હતી. તેની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતાં પ્રફુલભાઈ પાદરીયાએ જામનગરની અદાલતમાં કેસ દાખલ કર્યાે હતો. તે કેસમાં સમાધાન થતાં રમેશભાઈએ રૂ.૯૭ ... વધુ વાંચો »

Feb 11, 2025
અન્ય મહિલાએ પણ નોંધાવી વળતી રાવઃ જામનગર તા.૧૧: જામનગર નજીકના દરેડમાં રહેતા એક મહિલાના પતિ અન્ય મહિલા સાથે રહેવા ચાલ્યા જતા ફરીથી પોતાની સાથે રહેવા આવવાનું કહેવા ગયેલા આ મહિલાને પતિએ માર માર્યાની ફરિયાદ કરાઈ છે. જ્યારે સામાપક્ષે અન્ય મહિલા એ તેણીના પતિ સાથે સંબંધ તોડી નાખવાનું કહી આ મહિલા તથા તેના બે પુત્રએ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીક દરેડ ગામ પાસે સ્કૂલ સામેની શેરીમાં વસવાટ કરતા ગીતાબેન અશોકભાઈ તંબોલીયા નામના મહિલાએ દરેડ પોલીસચોકી નજીક વસવાટ કરતા પોતાના પતિ અશોક બાબુભાઈ તંબોલીયા સામે સિટી એ ડિવિઝન પોલીસ ... વધુ વાંચો »

Feb 11, 2025
રાષ્ટ્રપતિ મેક્રોને યોજયુ ડિનરઃ આજે એઆઈ સંમેલન પછી અમેરિકા જશે મોદી પેરિસ તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફ્રાન્સમાં રેડ કાર્પેટ સ્વાગત થયુ હતુ અને ગાઢ સંબંધોના દર્શન થયા હતાં. પીએમના માનમાં રાષ્ટ્રપતિ મેક્રોને ડિનર યોજયુ હતુ. અને ગળે લગાવી સ્વાગત કર્યુ હતુ આજે એઆઈ શિખર સંમેલન પછી રાત્રે પીએમ મોદી અમેરિકા જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. અહીં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે 'એઆઈ એક્શન સમિટ'નું સહ-અધ્યક્ષતા કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેડકાર્પેટ ... વધુ વાંચો »

Feb 11, 2025
ખંભાળિયા તા. ૧૧: ગુજરાત રાજયની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ ૩૦ જુન સુધીમાં નિવૃત્ત થયા હોય તો તેમને એક ઈજાફો આપવાનો પરિપત્ર થયો હતો. જેના અનુસંધાને હાઈકોર્ટ મેટર થતાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મંડળો મારફત હાઈકોર્ટમાં જુદી-જુદી પીટીશનો દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪૦૦-૨૦૨૪ની અરજી થતાં અરજદારોના એક ઈજાફાના અમલમાં વિસંગતતા ના આવે તે માટે રાજયના શિક્ષણ વિભાગના નાયબ વિભાગ નિયામકશ્રી દ્વારા જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી ૩૦ જુનનો એક ઈજાફો આપવાની કાર્યવાહી સ્થગીત કરવા આદેશ કરવામાં આવ્યો છે.   જો આપને વધુ વાંચો »

Feb 11, 2025
હાલારના લાલપુર તાલુકાના નવાણિયા ગામના તથા હાલ સુરત ચોર્યાસીમાં રહેતા આહિર ખેડૂત રામભાઈ કાનાભાઈ ચાવડાએ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે વીસ વીઘા જમીન ખરીદેલી જેમાં વાવેલી તમામ મકાઈ ગૌશાળાને દાન આપી જીવદયા અને દરિયાદિલીની લાગણી બતાવતા પ્રશંસનીય બન્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Feb 11, 2025
પત્રિકાઓનું કરવામાં આવ્યું વિતરણઃ જામનગર તા.૧૧ : જામનગર-ખંભાળિયા રોડ પર આવેલી શાળામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે વિગતો અપાઈ હતી. જામનગર-ખંભાળિયા રોડ પર વસઈ પાસે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઈ એન.પી. ઠાકુર, પી.વી. ગોહિલ તથા સ્ટાફ અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહયોગ અપાયો હતો. કાર્યક્રમમાં ૧૧૦ વિદ્યાર્થી તથા ૧૫ શિક્ષકને સાયબર ક્રાઈમથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.   જો  વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલા કેતનભાઈ ઠક્કરની સાથે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ વિજયભાઈ કોટેચા, મંત્રી સંજયભાઈ એમ. જાની, સહમંત્રી સંજયભાઈ આઈ. જાની, તથા ખજાનચી જગતભાઈ રાવલે શુભેચ્છા મુલાકાત લીધી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Feb 11, 2025
ફલ્લા તા. ૧૧: પીએમ હડિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને પૂ. મોરારીબાપુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો હતો. તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાની પ્રજાત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવાંગીબેન બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Feb 11, 2025
બોર્ડની પરીક્ષા માટેના શુભ કામના યજ્ઞમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાઃ ધો. ૧૦ અને ધો. ૧ર ની વિદ્યાર્થી માટેની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને, તેવા શુભ ભાવથી તા.૯-૨-૨૦૨૫ રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ૧પ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે ૮ થી ૧ર સુધી કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક સંપન્ન થયેલા આ યજ્ઞમાં અસંખ્ય વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હસ્તે આહૂતિ અપાવવામાં આવી હતી. પહેલી યજ્ઞની દરેક પાળીના અંતે કેળવણીકાર દ્વારા પાંચ મિનિટની પ્રેરણાત્મક સ્પીચ આપવામાં આવી હતી.   વધુ વાંચો »

Feb 11, 2025
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર તા. ૧૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈ આરસી ઓફ આઈસીએઆઈ, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસો. તથા ટેક્સ કન્સલ્ટન્ટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભમાં માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનાર યોજાયો હતો. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિષ્ણાત વક્તાઓ તરીકે એડવોકેટ વારીસભાઈ ઈસાની, સીએ દિપકભાઈ રીંડાણીએ બજેટની વિવિધ જોગવાઈઓ જીએસટી, ઈનડાયરેક્ટ ટેક્સ, ૧ર લાખ સુધી આવકવેરામાં મુક્તિ, સ્ટાન્ડર્સ ડીડકશન વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત જાણકારી-માર્ગદર્શન આપ્યા હતાં. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિમાં ભાવિકભાઈ ધોળકિયા, પંકજભાઈ વાધર, ભરતભાઈ ઓઝા, ચેમ્બર પ્રમુખ ... વધુ વાંચો »

Feb 11, 2025
ગઈરાત્રે ડાયરામાં તબિયત બગડતા અમદાવાદ તા. ૧૧: ગઈ રાત્રે એક ડાયરામાં તબિયત લથડતા સારવાર હેઠળ રહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે વીડિયો જાહેર કરીને પોતાની તબિયત સુધારા પર હોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવ્યું છે. મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી.  સોમવારે (૧૦ ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહિરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક ... વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના આરટીઓ વિભાગ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત વી.એમ. મહેતા મ્યુનિ. કોલેજ (પંચવટી કોલેજ)માં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમજ સ્ટાફને આર.ટી.ઓ. કે.કે. ઉપાધ્યાયના માર્ગદર્શન અનુસાર એઆઈએમવી એસ.વી. રૂપાણીએ પોસ્ટર સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. આરટીઓ વિભાગ દ્વારા જામનગરની સનરાઈસ સ્કૂલના છાત્રો માટે પણ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારના ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ યોજવા હોય તો આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Feb 11, 2025
જામનગર તા. ૧૧: ભાટિયા નજીક હર્ષદ માર્ગે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘવાયેલા જામનગરના એક બાઈક સવારનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. જામનગરમાં સાંઢીયા પુલ નજીક સરદાર નગરમાં રહેતા નંદાણા ગામના વતની એવા મનસુખભાઈ મજીરભાઈ ડાભી (ઉ.વ. ૩૬) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ભાટિયા પાસેના હર્ષદ તરફના માર્ગે પસાર થતો હતો. આ સમયે અન્ય એક બાઈક ચાલક મનસુખભાઈના બાઈકને હડફેટમાં લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં મનસુખભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવારમાં મૃત્યુ થયું હતું. વધુ વાંચો »

Feb 11, 2025
તેના સાગરિતનું પોલીસે નામ ઓકાવ્યું: જામનગર તા.૧૧: જોડિયાના માવનુગામ નજીક નેશનલ હાઈવે પરથી ૨૩ બેટરી ચોરાઈ ગયાની કરાયેલી ફરિયાદ અંગે તપાસમાં પોલીસે રાજકોટના શખ્સને ભાદરા પાટીયા પાસેથી દબોચી લીધો છે. તેણે આ ચોરી પોતાના સાગરિત સાથે મળી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.૩ લાખનું વાહન કબજે કરી પૂછપરછ આદરી છે. જોડિયા તાલુકાના માવનુ ગામથી લખતર ગામ વચ્ચે આવેલા નેશનલ હાઈવે નં.૧૫૧/એ પર અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ઈમરજન્સી કોલ બોક્સમાંથી ૨૩ બેટરી ચોરાઈ ગયાની ગયા સપ્તાહે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હાની તપાસ જોડિયા પીઆઈ આર.એસ. ... વધુ વાંચો »

Feb 11, 2025
આગામી તા. બીજી માર્ચે જામનગર તા. ૧૧: જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના રપ મા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન તા. ર-૩-ર૦રપ ના દિને ગાંધીનગર રોડ, રેલવે સ્ટેશનની બાજુમાંથી કષ્ટભંજન હોલ કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા સલાહકાર પ્રવિણસિંહ જે. જાડેજાએ આયોજનની વિગતો રજૂ કરી હતી. વર્ષ ર૦૦૦ માં રાજપૂત સમાજના અગ્રણીઓ પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા સમાજના અગ્રણી ભરતસિંહ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજના અન્ય નાના-મોટા સંગઠનોના સહકારથી ... વધુ વાંચો »

Feb 11, 2025
મનોદિવ્યાંગોના સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં દ્વારકા તા. ૧૧: મનોદિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ સંસ્થાના ૧૪ તારલાઓ ૧૩ ગોલ્ડ, ૯ સિલ્વર તથા ૮ બ્રોન્ઝ સાથે જિલ્લા કક્ષાએ ઝળકયા હતા. તાજેતરમાં નંદાણામાં યોજાયેલ મનો દિવ્યાંગ બાળકો માટેના જિલ્લા કક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫માં દ્વારકાની રાધે ડીફરન્ટલે એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ અદ્વિતીય સિદ્ધિ હાંસીલ કરી છે. શાળાના ૧૨ વિદ્યાર્થીઓ તથા ૨ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૪ બાળકો વચ્ચે ૩૦ જેટલા મેડલ જીતવાનો કીર્તિમાન હાંસિલ કર્યો છે જેમાં કુલ ૧૩ ગોલ્ડ, ૯ સિલ્વર તથા ૮ બ્રોન્ઝ મેડલ સંસ્થાના ... વધુ વાંચો »

Feb 11, 2025
મોટાભાગના મુસાફરો પાકિસ્તાની ઈસ્લામાબાદ તા. ૧૧: લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં ૬૫ લોકો ડૂબ્યા હોવાના અહેવાલો છે. મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાનું જાણવા મળે છે. મુસાફરોની ઓળખ કરવા અધિકારીઓ ખડેપગે છે. લિબિયાના સમુદ્રતટ પર ૬૫ મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ''ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે કે લિબિયાના ઝાવિયા શહેરની ઉત્તર પશ્ચીમિમાં માર્સા ડેલા બંદર નજીક લગભગ ૬૫ મુસાફરોને લઈ જતી એક નાવ પલટી ગઈ છે.'' વધુ વાંચો »

Feb 11, 2025
જામનગરના જલારામ મંદિર, હાપામાં પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોકટર બળવંતભાઈ જોશી તેમજ તેમની ટીમ રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી. ૬૬ દર્દીની તપાસ પછી ૩૧ દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કમલેશભાઈ વસાણી, બશિરભાઈ, ભાવેશ દત્તાણી, વિજયભાઈ કોટક, અલ્પાબેન વસોયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.   જો આપને આ  વધુ વાંચો »

Feb 11, 2025
ઈન્ડિયા એનર્જી વીકમાં ઉદ્બોધન નવી દિલ્હી તા. ૧૧: ઈન્ડિયા એનર્જી વીકને સાંકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે તે ભારત વર્ષ-૨૦૩૦ પહેલા જ તમામ લક્ષ્યાંકો હાંસલ કરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૫ કાર્યક્રમને વર્ચ્ચુલી સંબોધિત કરતાં કહૃાું કે, 'ભારત દરેક સેક્ટરમાં ઝડપથી વિકસી રહૃાો છે. આગામી બે દાયકા ભારત માટે મહત્ત્વના છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતાં વિશ્વાસ છે કે, આપણે એનર્જી સેક્ટરમાં ગ્રોથ માટે મૂકેલા લક્ષ્યાંક પહેલાં જ હાંસલ કરી લઈશું. વિશ્વના દરેક એક્સપર્ટ કહી રહૃાા છે ... વધુ વાંચો »

Feb 11, 2025
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકાએ પહોંચતા જામનગર તા. ૧૧: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં ર૬ ટકા વધીને ૯૮ ટકાએ પહોંચતા શહેરમાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૬ ટકા વધીને ૯૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધૂમ્મસના આલિંગનના પગલે નગર જાણે થોડી માટે ગાયબ થઈ ગયું હોય તેવું લાગ્યું હતું. ધોરીમાર્ગો ... વધુ વાંચો »

Feb 11, 2025
દેશના સર્વાંગી વિકાસમાં વિરાસતનુ વિશેષ મહત્વ વાયબ્રન્ટ નવરાત્રિથી ગુજરાતની સંસ્કૃતિને મળી નવી ઓળખઃ મંત્રી જામનગર તા. ૧૧: કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૦ કૃતિઓ રજુ કરાઈ હતી. આ પ્રસંગે મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્ત્વ કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કલા ઉજાગર કરી શકે છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલમાં આયોજિત ... વધુ વાંચો »

Feb 11, 2025
બોણીમાં મણના રૂ. ૬૬૬૬ ઉપજયા ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા માર્કેટીંગ યાર્ડમાં નવા જીરૂની આવકનો પ્રારંભ થયો હતો. કલ્યાણપુર તાલુકાના ભારવડીયા ગામના ખેડૂત જીરૂ વેચવા યાર્ડમાં આવતા તેનું ઢોલ અને શરણાઈ સાથે સ્વાગત થયું હતું બોણીમાં જીરૂની હરાજીમાં મણનો ભાવ ૬૬૬૬ રૂપિયા આવતા જીરૂ વાવેલા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Feb 11, 2025
સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... મંગળવારે શેરબજારમાં મંદી જોવા મળી હતી. સેન્સેક્સ ૨૨૯ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૦૬૬ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૩૮૮ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૬૬ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૮૬૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના શરૂઆતે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ડ્યુટી લાદવાની ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામનો ઉકેલ આવતો હોવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. વાણીની ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ રહે. આપના કામાં ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામમાં ઉપરી-સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. અગત્યની મુલાકાતમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપ હરો-ફરો કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવે. સીઝનલ ધંધામાં આકસ્મિક ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ગ્રહો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના માટે વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે નફા-નુક્સાન જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે યશ-કીર્તિ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવીન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh