Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા
જામનગર તા. ૧૭: તંદુરસ્ત સમાજ, મેદસ્વિતા મુકત ગુજરાતના સુત્ર હેઠળ જામનગર જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી દરમિયાન બાળકોમાં જોવા મળતી મેદસ્વીતાની સમસ્યાને દૂર કરવા આરોગ્યપ્રદ અને પૌષ્ટિક નાસ્તાઓની પત્રિકાઓનું વિતરણ કરી વાલીઓને માર્ગદર્શિત કરાયા હતા તથા આંગણવાડી કેન્દ્રોમાં પોષણ કેમ્પ યોજાયા હતાં.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જામનગર દ્વારા તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૫ના પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. આ પહેલ અંતર્ગત, જિલ્લાના ૮ આયુર્વેદ દવાખાનાઓ અને ૪ હોમિયોપેથી દવાખાનાઓએ સક્રિયપણે ભાગ લીધો.
ઉજવણીના ભાગરૂપે, જામનગરના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોમાં વિશેષ પોષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિયુક્ત કરાયેલા તબીબી અધિકારીઓએ આંગણવાડી કેન્દ્રના કુપોષિત બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો અને કિશોરીઓની આરોગ્ય તપાસ કરી.તેમજ તપાસ દરમિયાન જરૂરિયાત મુજબ પોષણક્ષમ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું, સાથે જ ઉપસ્થિત સૌને કુપોષણને દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.તેમજ આ અંગેની માહિતીપ્રદ પત્રિકાઓ અને બેનર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા.
આ ઉપરાંત, બાળકોમાં જોવા મળતી મેદસ્વીતાની સમસ્યાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બાળકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક નાસ્તાઓ વિશેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોમાં મેદસ્વીતાને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા. આ કાર્યક્રમ જામનગર જિલ્લામાં તંદુરસ્ત સમાજ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial