Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ઘી નદી પર ખામનાથ પાસે ૧૨૦ વર્ષ જુનો રાજાશાહીના સમયનો બનેલો કેનેડી પૂલ જે અગાઇ તોડી ને ત્યાં ૨૬ કરોડના ખર્ચે નવો પૂલ બનાવવા આયોજન થયું હતું, તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ કેસમાં રકમ મંજૂર કરાયેલી હતી. આ પૂલ હાલના પૂલને તોડી ને બનાવવાને બદલે હાલનો હેરીટેજ પૂલ યથાવત રાખીને તેની બાજુમાં ડાઉન સ્ટ્રીમમાં નવો પૂલ બનાવવો જોઈએ તેવી આ હેરીટેજ પૂલના ચાહકો તથા વૃદ્ધોની માંગણી તથા લાગણી હોય, રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા એ આ લાગણી સમજીને તેને યથાવત રાખી નજીકમાં નવો પૂલ બનાવા આયોજન કરવા આદેશ કરતા તંત્ર દ્વારા ગઈકાલે ખાસ બહારથી આવેલી ટીમ સાથે નવો પૂલ બનાવવા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
જિલ્લા કાર્યપાલ ઈજનેર ઉત્તમભાઈ ચૌધરી આટીમ સાથે નિરીક્ષણમાં જોડાયા હતા. થોડા સમયમાં પ્લાન, નકશાના એસ્ટીમેટ બનશે તે પછી આગળ કાર્યવાહી થશે. જો કે, અગાઉના એસ્ટીમેટમાં ૨૬ કરોડ ફાળવાયા હતા પણ આ એપ્રોચ વધતા ૩૦ થી ૩૨ કરોડનો નવો પૂલ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial