Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી એચ.જે. લાલ ચેરી. દ્વારા તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ

પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પુણ્યતિથિને અનુલક્ષીને આગામી તા. ૧પ-પ-ર૦રપ ને ગુરુવારે સાંજે પ થી ૮ દરમિયાન લોહાણા મહાજન વાડી, બદિયાણી વિંગ, પંચેશ્વર ટાવર, જામનગર શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર લાલ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતી બનાવવના ધ્યેય સાથે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહેવા તેવા શુભ આશય સાથે અમારા ટ્રસ્ટો દ્વારા થોડા થોડા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આગામી તા. ૧પ-પ-ર૦રપ ને ગુરુવારે સાંજે ૫ વાગ્યે રક્તદાન કેમ્પ આયોજીત કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞમાં સર્વે હાલારવાસીઓને જોડાઈને રક્તદાન જેવું માનવતાનું કાર્ય કરીને પવિત્ર ફરજ અદા કરવા માટે ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh