Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) જામનગર વર્તુળ દ્વારા ગઈકાલે વીજ સલામતી તથા ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સાંજે ૫ વાગ્યે લાલબંગલો કંપાઉન્ડ નજીક થી પ્રારંભ કરવામાં આવી હતી. રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જનતાએ ભાગ લીધો હતો. રેલી દરમ્યાન વીજ સલામતી રાખો જીવન સુરક્ષિત બનાવો, ઊર્જા બચાવો ભવિષ્ય બચાવો જેવા સુત્રો ધરાવતા બેનર અને પોસ્ટરો દ્વારા જનતાને સંદેશ આપવામાં આવ્યો હતો.રેલી દરમિયાન લોકોને ઘરેલું તથા ઔદ્યોગિક સ્તરે વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ કરવા, ખુલ્લા વાયરથી દૂર રહેવા, વીજ અકસ્માતોથી બચવા જરૂરી તકેદારી રાખવા તેમજ અનાવશ્યક વીજ વપરાશ ટાળીને ઊર્જા સંરક્ષણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીજીવીસીએલ જામનગર વર્તુળ દ્વારા આયોજિત આ જનજાગૃતિ કાર્યક્રમથી નાગરિકોમાં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial