Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં લોહાણા મહાજનના ઉપક્રમે કાલે ઉજવાશે જલારામ જયંતીઃ શોભાયાત્રા

મહાઆરતી, લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ર૮: ભાટિયા લોહાણા મહાજન દ્વારા પૂ. જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતીની આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે.

ભાટિયા લોહાણા, મહાજન દ્વારા પૂજ્ય જલારામ બાપાની રર૬ મી જનમ જયંતીની ભવ્ય ઉજવણી તા. ર૯-૧૦-ર૦રપ ને બુધવારના ભાટિયા લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવશે.

જેમાં તા. ર૯-૧૦-ર૦રપ ના સાંજે ૪-૩૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રા લોહાણા મહાજન વાડીથી નીકળશે. જે ગામના દીનદયાલ ચોક થઈ શ્રી જલારામ મંદિરે પહોંચશે અને સાંજે ૬-૪પ વાગ્યે જલારામ મંદિરે મહાઆરતી યોજાશે.

ત્યારપછી સાંજે ૭-૩૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં સમૂહ જ્ઞાતિ ભોજન- પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગો રાખવામાં આવેલ છે, જેમાં દરેક લોહાણા જ્ઞાતિ પરિવારોએ સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાટિયા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh