Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચરાગાડી નહીં આવતા કચરાના ઢગલાઃ ખદબદતી ગંદકી
જામનગર તા. ૨૮: જામનગરના વોર્ડ નં. ૧ માં છેલ્લા પાંચ-૬ દિવસથી કચરો ઉપાડવામાં આવ્યો નથી. પરિણામે કચરાના ઢગલા જોવા મળે છે. આ કચરો ઉપાડવામાં નહીં આવે તો ઓફિસમાં ફેંકી જવાશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.
વોર્ડ નં. ૧ મા છેલ્લા પાંચ દિવસથી સફાઈ કામગીરી બંધ છે. કચરો ઉપાડવાનું વાહન પણ આવ્યું નથી. ઠેકઠેકાણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
અહિં કોઈ જવાબદાર અધિકારી ધ્યાન આપતા નથી. કોન્ટ્રાક્ટર પેઢીના કર્મચારીઓ ફરક્યા નથી. આથી સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. જો સત્વરે આ કચરો ઉપાડવામાં નહીં આવે તો કચરો એકત્ર કરીને મહાનગરપાલિકાની ઓફિસમાં ઠાલવી દેવામાં આવશે, તેવી ચિમકી આ વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘારએ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial