Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈના દાનુકર વાડી કપૂર સમાજ દ્વારા સત્કાર્યઃ
દ્વારકા તા. ૨૮: દ્વારકાની એકસો છત્રીસ વર્ષ જુની ગૌ શાળામાં ગૌ ચારણ મનોરથ અને ધ્વજા પૂજન આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ નિવાસી મહાવીરનગર દાનુકર વાડી કપૂર સમાજ દ્વારા આયોજિત દ્વારકા યાત્રા પ્રવાસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના શિખરે ધ્વજા આરોહણ અને દ્વારકાની જુની ગૌ શાળામાં ગૌ ચારણ મનોરથ કરવામાં આવ્યો હતો.
જેમના યજમાન ડેડાણ વારા હાલ કાંદિવલી મુંબઈ સ્વ. વિનોદભાઈ જેન્તિલાલ ચીટલિયા પરિવાર, ગંગા સ્વરૂપ ભદ્રાબેન વિનોદભાઈ ચીટલિયા, હસ્તે હેમાલીબેન વિરલભાઈ ચીટલિયા, પૂર્વીબેન મિલનભાઈ ચીટલિયા, વિવેકભાઈ વિરલભાઈ ચીટલિયા અને હેનીસા મિલનભાઈ ચીટલિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે ગૌ શાળાના ટ્રસ્ટી નિર્મલભાઈ સામાણી, રઘુવંશી અગ્રણી કનુભાઈ હિંડોચા અને ગૌ શાળા ટ્રસ્ટી રામજીભાઈ મજીઠિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બરોડા બેઠકના ધુમિલ મારાજજી પધાર્યા હતાં. ગોપાલભાઈ ગોરે (મથુરા) ભક્તોને આશીર્વાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial